SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ ] મતિશ્રુતનો વિશેષ વિવરણ [ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૧ શ્રોસેન્દ્રિયોપલબ્ધિજ શ્રત છે, પણ શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ શ્રુતજ છે એમ નહિ, કારણ કે કોઈક શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ મતિજ્ઞાન પણ હોય છે. વળી તુ શબ્દરૂપ સમુચ્ચયવચનથી કોઈક શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ પણ મતિજ્ઞાન છે, એથી શ્રોત્રના અવગ્રહાદિરૂપ મતિજ્ઞાનના ભેદો છે. શબ્દની જેમ પાના વિગેરેમાં લખેલું શ્રુતનું કારણ છે તેથી તે દ્રવ્યશ્રુત છે અને અક્ષરલાભ તે ભાવશ્રુત છે, તથા શેષ મતિજ્ઞાન છે. (શંકા) જો અક્ષરલાભ તે શ્રત છે, તો “શ્રોત્રપલબ્ધિજ મૃત” એમ કેમ ? (ઉત્તર) અક્ષરો શ્રોત્રોપલબ્ધિજ છે, કારણ કે તે સર્વ શ્રવણથી સંભવે છે. અક્ષરલાભમાં પણ શ્રુતના અક્ષરોનો જે લાભ તે શ્રત છે, શેષ મતિ છે, અને જો અક્ષર જ મતિ હોય તો (ઈહાદિ) સર્વ મતિ ન થાય. ૧૨૨ થી ૧૨૬ . શ્રોસેન્દ્રિય વડે ઉપલબ્ધિ અથવા શ્રોસેન્દ્રિયની ઉપલબ્ધિ તે શ્રોસેન્દ્રિયોપલબ્ધિ, એ પ્રમાણે વિગ્રહ કરવાથી તેને ભાવભૃત સમજવું. તથા શ્રોસેન્દ્રિય વડે જેની ઉપલબ્ધિ તે શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ એવો વિગ્રહ જયારે કરવામાં આવે ત્યારે ભાવશ્રુતના ઉપયોગ શૂન્ય વક્તાને દ્રવ્યશ્રુત સમજવું, અને ભાવશ્રુતમાં ઉપયોગવંત વક્તાને દ્રવ્ય તથા ભાવ ઉભયશ્રુત સમજવું. આ બાબત પૂર્વે ૧૧૭મી ગાથાના વિવેચનમાં કહી ગયા છીએ. તથા “શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિજ શ્રત છે” પણ “શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ મૃત જ છે” એમ નહિ, એ સંબંધી અવધારણની વિધિ પણ પૂર્વે કહી છે તેથી ફરીને અહીં નથી કહેતા. “શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ શ્રત જ છે”“એમ નહિ માનવાનું કારણ એ છે કે – કોઈ અશ્રુતાનુસારી એવી શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ પણ અવગ્રહઈહાદિરૂપ મતિજ્ઞાન થાય છે. આથી “શ્રોત્રેન્દ્રિયના અવગ્રહઆદિ મતિ ન થાય” એમ જે શંકા કરી હતી તેનું સમાધાન કર્યું, કેમકે શ્રોત્રના અવગ્રહઆદિને પણ મતિરૂપે કહ્યા છે. ૧૨૨. - “સેસાં મનાઈ (શેષ-ઈન્દ્રિય-ઉપલબ્ધિવાળું મતિજ્ઞાન છે.) એ પદમાં તુ શબ્દ છે, તે સમુચ્ચયઅર્થમાં છે, તેથી અહંદુઆદિના પરોપદેશની અપેક્ષા વિના શ્રોત્રેન્દ્રિયપલબ્ધિ થાય તે મતિજ્ઞાન છે. અને તેથી શ્રોત્રના અવગ્રહાદિ પણ મતિજ્ઞાનના ભેદો છે. આ પ્રમાણે માનવાથી મતિજ્ઞાનના અઠ્ઠાવીસ ભેદો થઈ રહેશે, અને કોઈક તરફથી કહેલો વિરોધ પણ દૂર થશે. ૧૨૩. પૂર્વે ૧૧૭ મી ગાથાના વિવેચનમાં શ્રોત્રના અવગ્રહઆદિ તથા શેષ-ઇન્દ્રિય-ઉપલબ્ધિ તે મતિજ્ઞાન છે, એમ ઉત્સર્ગથી જણાવી તેમાં અપવાદ દર્શાવતાં વિશેષ કહ્યું છે કે, શેષ-ઈન્દ્રિયઉપલબ્ધિમાં દ્રવ્યશ્રત સિવાયનું જે હોય તે મતિજ્ઞાન છે. તે દ્રવ્યશ્રુત પુસ્તક યા પત્ર વિગેરેમાં જે લખેલું હોય તે શબ્દની જેમ ભાવશ્રુતનું કારણ હોવાથી દ્રવ્યશ્રત છે. તે સિવાયનું શેષ ચક્ષુઆદિઇન્દ્રિય-ઉપલબ્ધિરૂપ જ્ઞાન તે મતિજ્ઞાન છે, અને અક્ષર લાભ તે ભાવકૃત છે. અર્થાતકેવળ શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિજ શ્રત છે એટલું જ નહિ, પરંતુ શેષઈન્દ્રિયોમાં પરોપદેશથી અદ્ધચનાનુસારી ઉપલબ્ધિ, અક્ષરલાભ થાય તે પણ શ્રુત છે. અને ચક્ષુઆદિઈન્દ્રિયોમાં અક્ષરલાભ સિવાયનું, જે અશ્રુતાનુસારી અવગ્રહાદિરૂપ જ્ઞાન તે મતિજ્ઞાન છે. ૧૨૪.' પૂર્વે ૧૧૭મી ગાથામાં જે શંકા કરી હતી કે – “શેષઈન્દ્રિયથી થયેલ અક્ષરલાભ પણ શ્રુત છે, તો પછી “શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિજ શ્રુત છે એવું અવધારણ કેવી રીતે ઘટી શકે ? કેમકે શેષઈન્દ્રિયથી થયેલ અક્ષરલાભને પણ શ્રુત કહેલું છે. આના ઉત્તરમાં કહેવાનું કે - ત્યાં જે અવધારણ કર્યું છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy