________________
ભાષાંતર]
ઉપક્રમના છ ભેદ.
[૩૭૫
ઔદયિકાદિ છ ભાવનો વિષય હોવાથી આ અધ્યયન કયા ભાવમાં હોય ? એ પ્રશ્નના ઉત્તરમાં કહેવું કે ક્ષયોપશમ ભાવમાં હોય. આ અધ્યયન દ્રવ્ય છે, ગુણ છે કે કર્મ છે ? એ પ્રશ્નના ઉત્તરમાં કહેવું કે આ અધ્યયનગુણ છે. જો ગુણ છે, તો તે જીવનો ગુણ છે કે અજીવનો ગુણ છે ? જીવનો ગુણ છે. જો જીવનો ગુણ છે તો તે જ્ઞાન છે, દર્શન છે કે ચારિત્ર છે ?, જ્ઞાન છે. તો તે પ્રત્યક્ષ જ્ઞાન છે, અનુમાનરૂપ છે, ઉપમાન કે આગમરૂપ છે ? જો આગમરૂપ છે, તો લૌકિક આગમ છે, કે લોકોત્તર આગમ છે ? લોકોત્તર આગમ છે. લોકોત્તર આગમ છતાં પણ તે સૂત્રાગમ છે, અર્થાગમ છે, કે ઉભયાગમ છે ? અથવા આત્માગમ છે ? અનન્તરાગમ છે ? કે પરંપરાગમ છે ? એ પ્રશ્નના ઉત્તરમાં સમજવું કે તીર્થંકરોને આ અધ્યયન અર્થથી આત્માગમ છે, તથા ગણધરોને અનન્તરાગમ અને બીજાઓને પરંપરાગમ છે, અને ગણધરોને સૂત્રથી આત્માગમ, જંબૂસ્વામીને અનંતરાગમ, અને બાકીનાઓને પરંપરાગમ છે. વળી લોકોત્તર આગમ છે, તો આ અધ્યયન દૃષ્ટિવાદિક છે કે કાલિક છે ? કાલિક છે.( એટલે કાળ વખત વર્જિને યોગ્ય વખતે ભણાય તે કાલિક, એવો અર્થ અહીં લેવો) કાલિક છે તો તેના સૂત્ર અને અર્થનું પરિમાણ કેટલું છે ? સૂત્રાક્ષર વગેરે પરિમિત છે, અને અર્થ વગેરે અનન્તા છે; તથા આ અધ્યયનમાં સ્વસિદ્ધાન્ત-પરસિદ્ધાન્ત-અને ઉભય સિદ્ધાન્ત એમાંથી કયું કહેવાનું છે ? અહીં સ્વસિદ્ધાન્ત કહેવાનો છે સ્વસિદ્ધાંત છે, તો ક્યા શાસ્રનો વિભાગ સમુદાયાર્થપણે અધિકૃત છે ? સાવઘયોગની વિરતિનો અહીં અર્થાધિકાર છે. સમવતાર તો આનુપૂર્વઆદિમાં કહી ગયા, તેથી જુદો નથી કહેતા. ઇત્યાદિ પ્રકારે આ અધ્યયનનો ઉપક્રમ કરવો. એટલે નિક્ષેપની યોગ્યતા કરવી. ૯૧૭ થી ૯૨૧.
હવે છ પ્રકારે ઉપક્રમ કહે છે.
नामाई छब्भेओ उवक्कमो दव्वओ सचित्ताई |
तिविहो य पुणो दुविहो, परिकम्मे वत्थुनासे य ॥ ९२२ ॥
નામાદિ છ પ્રકારે ઉપક્રમ છે. તેમાં દ્રવ્યઉપક્રમ સચિત્તાદિ ત્રણ પ્રકારે છે, અને તે દરેક પુનઃ પરિકર્મ અને વસ્તુનાશ એમ બબ્બે પ્રકારે છે. ૯૨૨.
નામઉપક્રમ-સ્થાપનાઉપક્રમ-દ્રવ્યઉપક્રમ-ક્ષેત્રઉપક્રમ-કાળઉપક્રમ અને ભાવઉપક્રમ એમ છ પ્રકારે ઉપક્રમ છે. એમાંના નામંઉપક્રમ અને સ્થાપનાઉપક્રમ સુગમ હોવાથી તેનું સ્વરૂપ નથી કહેતા. દ્રવ્યઉપક્રમનું સ્વરૂપ કહીએ છીએ. આગમથી તથા નોઆગમથી એમ દ્રવ્યઉપક્રમ બે પ્રકારે છે. ઉપક્રમ પદના અર્થને જાણનાર હોય, પણ તેના ઉપયોગવાન ન હોય તે આગમથી દ્રવ્યઉપક્રમ કહેવાય, અને નોઆગમથી દ્રવ્યઉપક્રમ તો ત્રણ પ્રકારે છે. જ્ઞશરીર દ્રવ્યઉપક્રમ-ભવ્યશરીર દ્રવ્યઉપક્રમ-અને તવ્યતિરિક્ત દ્રવ્યઉપક્રમ. એમાંના પ્રથમના બે ભેદ સુગમ છે, અને ત્રીજો ભેદ જે સચિત્તાદિ ત્રણ પ્રકારે છે, તેમાં સચિત્ત દ્રવ્યઉપક્રમ દ્વિપદ-ચતુષ્પદાદિ જીવોનો, અચિત્તદ્રવ્યઉપક્રમ ગોળખાંડ વિગેરેનો, અને મિશ્રઉપક્રમ તે આભરણાદિ યુક્ત દ્વિપદાદિ જીવોનો જાણવો. આ સચિત્તાદિ ઉપક્રમ પરિકર્મ અને વસ્તુનાશ એમ બે બે પ્રકારે થાય છે. ૯૨૨.
એજ પરિકર્મ અને વસ્તુનાશનું સ્વરૂપ કહે છે.
Jain Education International
परिकम्मं किरियाए, वत्थूणं गुणविसेसपरिणामो । તમારે ય વિળાસો, વાળ નહાનોનું ।।૧૨।।
For Private & Personal Use Only
www.jainelibrary.org