SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ ] વ્યંજનાવગ્રહનું સ્વરૂપ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ ગ્રાહ્ય અર્થ સામાન્ય-વિશેષાત્મક છતાં, જીવ તેને પહેલાં સામાન્યરૂપે ગ્રહણ કરે છે, વિશેષ રૂપે ગ્રહણ નથી કરતો, કારણ કે અર્થાવગ્રહનો કાળ એક સમયનો જ છે, તેમાં વિશેષરૂપે ગ્રહણ કરી શકાય નહિ. કોઈ સામાન્ય અર્થ ગામ-નગર-સેના આદિ શબ્દ વડે નિર્દેશ્ય એટલે કહી શકાય એવા હોય છે. તેને જુદા પાડવા માટે ‘અનિર્દેશ્ય' એવું વિશેષણ આપીને કોઈ પણ શબ્દથી ન કહી શકાય એવા સમાન્ય-અનિર્દેશ્ય રૂપે અર્થને ગ્રહણ કરે છે, એમ જણાવ્યું. કેમ કે અર્થાવગ્રહમાં સ્વરૂપ નામ-જાતિ ક્રિયા-ગુણ-દ્રવ્ય-આદિની કલ્પના રહિત વસ્તુ ગ્રહણ કરે છે. તેમાં ચક્ષુઆદિ ઈન્દ્રિયો વડે જાણી શકાય એવા રૂપ-રસાદિ અર્થોનો પ્રતિનિયત સ્વભાવ તે સ્વરૂપ, રૂપ રસાદિ અર્થોને કહેનાર ધ્વનિ તે નામ, રૂપત્ય-૨સત્વ વિગેરે જાતિ, આ રૂપ પ્રીતિકર છે, આ રસ પુષ્ટિકારક છે. ઈત્યાદિ શબ્દ, ક્રિયાપ્રધાન હોવાથી તે ક્રિયા છે, (કૃષ્ણ-નીલ ગુણો છે, અને પૃથ્વી આદિ દ્રવ્ય છે.) એ રીતે અર્થાવગ્રહમાં અનિર્દેશ્ય-સામાન્ય રૂપે અર્થનું ગ્રહણ થતું હોવાથી, તે પદાર્થના સ્વરૂપનામ-જાતિ વિગેરે કાંઈ પણ પ્રકાર કહી શકાય નહિ. પ્રશ્ન :- જે સ્વરૂપ, નામ, જાતિ, આદિની કલ્પનારહિત પદાર્થ અર્થાવગ્રહનો વિષય છે, તો પછી નંદીસૂત્રમાં જે કહ્યું છે કે “સે ના નામ! વેસ્ડ રિસે વત્ત સદં સુોના, તેળ સત્તિ ટ્ટિ, ન ૩ળ ઝાળજ્ઞ વેઠે વેસ સારૂ ત્તિ” કોઈ પુરૂષ અવ્યક્ત શબ્દ સાંભળે, તેણે ‘શબ્દ છે’ એમ જાણ્યું, પણ એ કયો શબ્દ છે તે નથી જાણતો. એ પ્રમાણે કહ્યું છે, તેની સાથે આપે કહેલ વ્યાખ્યાનો વિરોધ જણાય છે; કારણ કે નંદીસૂત્રમાં પ્રતીતિ કરનારે અર્થાવગ્રહ વડે શબ્દ ગ્રહણ કર્યો, એમ કહ્યું છે, અને આપ તો સર્વથા શબ્દઆદિ ઉલ્લેખ રહિત અર્થાવગ્રહ કહો છો તેનું શું કારણ ? ૨૫૨. ઉત્તર ઃ- “તેણે શબ્દ ગ્રહણ કર્યો” એમ જે સૂત્રમાં કહ્યું છે, ત્યાં ‘શબ્દ’ એ પદ સૂત્રકાર કહે છે. અથવા શબ્દ માત્રને રૂપ-૨સાદિ વિશેષોથી જુદો કર્યા સિવાય શબ્દપણે અનિશ્ચિત રૂપે ગ્રહણ કરે છે. આટલા અંશ ઉપરથી જ એમ કહ્યું છે કે “તેણે શબ્દગ્રહણ કર્યો.” પણ શબ્દબુદ્ધિથી “આ શબ્દ છે” એવા અધ્યવસાયવડે તેણે તે “શબ્દ” વસ્તુ ગ્રહણ કરેલ નથી, કેમ કે ‘શબ્દ' એવો ઉચ્ચાર કરતાં જ અન્તર્મુહૂર્ત વખત થઈ જાય છે, અને અર્થાવગ્રહ તો એક સમયનો જ છે. માટે “તેણે શબ્દ ગ્રહણ કર્યો” એમ માનવું તે યોગ્ય નથી. વળી જો અર્થાવગ્રહમાં શબ્દ બુદ્ધિ થાય (શબ્દનો નિશ્ચય થાય), એમ માનીએ તો અપાય જ કહેવાય, પણ અવગ્રહ નહીં, કેમકે નિશ્ચય તે અપાય રૂપ છે. અને શબ્દપણાના નિશ્ચયરૂપ અપાયને, પ્રથમ જ થયેલો માનીએ તો અર્થાવગ્રહ અને ઈહાનો અભાવ થાય. માટે તે માન્યતા ઈષ્ટ નથી. પ્રશ્ન :- પ્રથમ સમયે રૂપાદિથી ભિન્ન ‘આ શબ્દ છે' એવા પ્રત્યયવાળો અર્થાવગ્રહ માનીએ તો શું હરકત છે ? કેમ કે શબ્દ માત્રરૂપે એ સામાન્ય જ છે. એ પ્રમાણે સામાન્યરૂપ ગ્રહણ કર્યા બાદ, ઉત્તર કાળે ઘણું કરીને માધુર્યાદિ શંખશબ્દના ધર્મો અહીં ઘટે છે, પણ કર્કશાદિ શ્રૃંગના શબ્દમાં રહેતા ધર્મો ઘટતા નથી. આવા પ્રકારની વિમર્શબુદ્ધિ તે ઈહા. તે પછી આ શંખનો જ શબ્દ છે એવો નિશ્ચય થાય તે અપાય. આ પ્રમાણે માનવાથી તેણે શબ્દ ગ્રહણ કર્યો' ઇત્યાદિ સર્વ આગમાનુસાર ગણાશે, અને “કયો શબ્દ છે એમ નથી જાણતો તે, તથા તે પછી ઈહામાં પ્રવેશ કરે છે.' ઈત્યાદિ સર્વ જે સૂત્રમાં કહ્યું છે તે વિરોધ વિનાનું થશે. ૨૫૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy