________________
ભાષાંતર
મતિશ્રતનું વિશેષ વિવરણ
[૮૩
પ્રશ્ન :- જેમ એ શેષજ્ઞાનોપલબ્ધ ભાવો અનભિલાપ્ય હોવાથી કહી શકાતા નથી. તેમ બહુ હોવાથી પણ કહી શકાતા નથી, તો “અનભિલાપ્ય સ્વભાવ' રૂપ એકજ હેતુ કેમ આપ્યો ? તે સાથે ‘બહુત્વરૂપ હેતુ પણ આપવો જોઈતો હતો.
ઉત્તર :- જે ભાવો અભિલાપ્ય (બોલી શકાય તેવા) હોય તેમાં અલ્પબદુત્વનો વિચાર કર્યો હોય તો ઉચિત ગણાય. પણ જે મૂળથી જ અનભિલાપ્ય (બોલી ન શકાય તેવા) છે, તેમાં બહુત્વરૂપ હેતુ આપવો નિષ્ફળ છે. વળી શેષજ્ઞાનોપલબ્ધ ભાવો બહુ હોવાથી, જેમ કહી શકાતા નથી, તેમ મતિ-મૃતોપલબ્ધ ભાવો પણ બહુ હોવાથી, કહી શકાતા નથી; ઇત્યાદિ સર્વ ઉપર જ કહી ગયા છીએ, એટલે અહીં “બહુત્વરૂપ' હેતુ આપવામાં આવે તો પુનરૂક્તિ દોષ પ્રાપ્ત થાય.
પ્રશ્ન :- ઉપર જે કહ્યું છે તે ઠેકાણે શેષજ્ઞાનોમાંથી મતિજ્ઞાન જ કહ્યું છે, અને અહીં તો અવધિ આદિ જ્ઞાનો પણ કહ્યાં છે; તેથી ‘બહુવ” હેતુ આપવો જોઈએ.
ઉત્તર :- ત્યાં મતિના ઉપલક્ષણથી અવધિ આદિ જ્ઞાનોમાં પણ તે હેતુ જાણી લેવો.
પ્રશ્ન :- જો એમ હોય, તો શ્રુતજ્ઞાનને પણ પૂર્વે “બહુત્વ' રૂપ હેતુ કહ્યો છે, તો પછી ફરી અહીં એ હેતુ શા માટે કહો છો ?
ઉત્તર :- શ્રુતોપલબ્ધ ભાવો બહુ હોવાથી કહી શકાતા નથી, અને શેષજ્ઞાનોપલબ્ધ ભાવો સ્વભાવથી જ અનભિલાપ્ય હોવાથી કહી શકાતા નથી. આ પ્રમાણે વિષયનો વિભાગ જણાવવાને તે હેતુ અહીં પુનઃ કહ્યો છે.
પ્રશ્ન :- મતિ આદિ જ્ઞાનોથી ઉપલબ્ધ ભાવોમાંના કેટલાક ભાવો અભિલાપ્ય છે, તો પછી એમ કેમ કહો છો કે શેષજ્ઞાનોપલબ્ધ ભાવો સ્વભાવથી જ અનભિલાપ્ય છે.
ઉત્તર - જે અનભિલાખ કહ્યા છે તે શ્રુતવિષયપણે અનભિલાપ્ય કહ્યા છે, બીજી રીતે નહિ, માટે એથી કંઈ વિરોધ નથી.
कत्तो एत्तियमेत्ता, भावसुय-मईण पज्जया जेसिं ?। भासइ अणंतभागं, भण्णइ जम्हा सुएऽभिहियं ॥१४०॥ पण्णवणिज्जा भावा, अणंतभागो उ अणभिलप्पाणं । पण्णवणिज्जाणं पुण, अणंतभागो सुयनिबद्धो ॥१४१॥ जं चोद्दसपुब्बधरा, छट्ठाणगया परोप्परं होंति ।। तेण उ अणंतभागो, पण्णवणिजाण पुण जं सुतं ॥१४२॥ अक्खरलंभेण समा, ऊणहिया होंति मईविसेसेहिं । तेऽवि य मइविसेसे, सुयनाणभंतरे जाण ॥१४३॥ जे अक्खराणुसारेण, मइविसेसा तयं सुयं सव्वं ।
जे उण सुयनिरवेक्खा , सुद्धं चिय तं मइन्नाणं ॥१४४॥ ભાવશ્રુત અને મતિના એટલા પર્યાયો શાથી છે કે જેનો અનંત ભાગ જ બોલાય છે ? ઉત્તર : સૂત્રમાં કહ્યું છે કે - અભિલાખ ભાવો અનભિલાપ્યભાવોના અનંતમા ભાગે છે, અને અભિલાપ્યભાવોનો અનંતમો ભાગ જ શ્રુતમાં યોજાયેલો છે. જે કારણથી ચૌદપૂર્વધરો પરસ્પર છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org