________________
ભાષાંતર]
ચક્ષુ અપ્રાપ્યકારી છે.
[ ૧૧૩
જો શબ્દ અને ગંધ રૂપ અર્થો, શ્રોત્ર અને ઘ્રાણેન્દ્રિય સાથે સંબંધ પામેલ હોય, તો પોતાના સંબંધથી થતા કાર્યભૂત અનુગ્રહ અને ઉપઘાત કરવાને સમર્થ થાય. અન્યથા નહીં જો અન્યથા થાય તો સર્વને એ પ્રમાણે અનુગ્રહ અને ઉપઘાત કરે. ૨૦૮.
એ પ્રમાણે સ્પર્શન, રસન, ઘ્રાણ, અને શ્રોત્ર ઇન્દ્રિયનું પ્રાપ્યકારીપણું સિદ્ધ કર્યું. હવે ચક્ષુ અને મનનું અપ્રાપ્યકારીપણું સિદ્ધ કરવા માટે પ્રથમ ચક્ષુનું અપ્રાપ્યકારીપણું સિદ્ધ કરે છે. लोयणमपत्तविसयं, मणो व्व जमणुग्गहाइसुण्णं ति । નત-સૂરાનોચાડ્યુ, રીસંતિ ઞળુ-વિધાયા ||૨૦૧ डज्झेज्ज पाविउं रविकराइणा फरिसणं व को दोसो ? । मज्ज ऽणुग्गहं पिव, उवघायाभावओ सोम्मे ॥ २९० ॥ गंतुं न रुवदेसं, पासइ पत्तं सयं व नियमोऽयं । પત્તળ ૩ મુત્તિમયા, વધાયા-મુદ્દા દોના રિશી
નર્ પન્ન નેટ્ટેગ્ગ ૩, તત્ત્વમંગળ-ગો-મલાર્ડ્સ । पेच्छेज्ज जं न पासइ, अपत्तकारिं तओ चक्खुं ॥ २१२ ॥
લોચન અપ્રાપ્તવિષયવાળું છે, કારણ કે તે મનની પેઠે અનુગ્રહઆદિથી શૂન્ય છે. (શંકા) જળ અને સૂર્ય આદિકને જોવામાં અનુગ્રહ અને ઉપઘાત જણાય છે. (ઉત્તર) સ્પર્શનેન્દ્રિયની પેઠે સૂર્યકિરણોને પ્રાપ્ત કરીને ચક્ષુ દાહ પામે એમાં શો દોષ છે ? અને સૌમ્ય અર્થ પામીને ઉપઘાતના અભાવે અનુગ્રહ જેવું માને તો એમાં પણ શો દોષ છે ? રૂપના સ્થાન પાસે જઈને અથવા સ્વયં પ્રાપ્ત થયેલા રૂપને ચક્ષુ જોતી નથી એવો નિયમ છે; પરંતુ પ્રાપ્ત થયેલા મૂર્તિમાન્ દ્રવ્યથી અનુગ્રહ તથા ઉપઘાત થાય પણ ખરો. જો (ચક્ષુ) પ્રાપ્ત અર્થને ગ્રહણ કરે તો આંખમાં રહેલ અંજન-૨જમેલ વિગેરેને પણ જોઈ શકે, પરંતુ જોઈ શકતી નથી તેથી તે અપ્રાપ્યકારી છે. ૨૧૨.
ઈન્દ્રિયને સંબદ્ધ ન હોય તેવા ગ્રાહ્ય વસ્તુરૂપ વિષયનું
જ્ઞાન થાય, તે ઈન્દ્રિય અપ્રાપ્તવિષયવાળું કહેવાય, લોચન તેવું અપ્રામવિષયવાળું છે, કારણ કે તે મનની જેમ ગ્રાહ્ય વસ્તુરૂપ વિષયથી થયેલા અનુગ્રહ ઉપઘાતથી રહિત છે, જો ચક્ષુ ગ્રાહ્ય વસ્તુ સાથે સંબંધ પામીને, તેને જાણતી હોય તો, ચક્ષુને અગ્નિ આદિને જોવાથી સ્પર્શેન્દ્રિયની પેઠે દાહ આદિ ઉપઘાત થાય, અને કોમળ રૂ આદિ પદાર્થો જોવાથી અનુગ્રહ થાય, પરંતુ એમ થતું નથી, માટે ચક્ષુ અપ્રાપ્યકારી છે.
પ્રશ્ન :- મન “અપ્રાપ્યકારી છે” એવું સિદ્ધ કર્યા સિવાય અહીં તેનું દૃષ્ટાંત કેવી રીતે કહો છો ? જે ઉભયપક્ષને સમ્મત હોય તે જ દૃષ્ટાંત આપી શકાય.
ઉત્તર :- તારૂં કથન સત્ય છે, પરંતુ “મન અપ્રાપ્યકારી છે” એ આગળ સિદ્ધ કરીશું. તેથી અહીં તેનું દૃષ્ટાંત આપ્યું છે.
૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org