SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪]. ચ અપ્રાપ્યકારી છે. [ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ પ્રશ્ન:- પરંતુ જળ આદિને જોવાથી ચક્ષુને અનુગ્રહ થતો જણાય છે, અને સૂર્યઆદિકને જોવાથી ઉપધાત થતો જણાય છે. પાણી-ઘી-નીલવસ્ત્ર-વનસ્પતિ-ચંદ્રમંડળ વિગેરે જોવાથી ચક્ષુને પરમાશ્વાસરૂપ અનુગ્રહ જણાય છે, અને સૂર્ય-શ્વેત ભીંત વિગેરે જોવાથી આંખમાંથી પાણી નીકળવું વિગેરે ઉપઘાત જણાય છે, તો પછી ચક્ષુ ઇન્દ્રિય વિષયના કરેલ અનુગ્રહાદિથી શૂન્ય છે એમ આપ કેમ કહો છો ? - ઉત્તર :- તારું કથન વસ્તુસ્વરૂપ સમજ્યા વિનાનું છે, કારણ કે “ચક્ષને કોઈ પણ વસ્તુથી સર્વથા કદાપિ અનુગ્રહ વા ઉપઘાત ન થાય” એમ નથી. દાહસ્વરૂપ સૂર્યના કિરણો આદિ ઉપધાતક વસ્તુને જાણ્યા પછી ઘણીવાર તેને જ જોતાં, દઢપણે સૂર્યકિરણ લાગવાથી સ્પર્શનેન્દ્રિયની પેઠે ચક્ષુને બળવારૂપ ઉપઘાત થાય. વળી જે સ્વરૂપે સૌમ્ય અથવા શીત રસિમવાળા એવા જળ-ઘી-ચન્દ્ર આદિ વસ્તુઓને ઘણો વખત જોવા છતાં ચક્ષુને ઉપઘાત નથી થતો પણ તેના સંબંધથી અનુગ્રહ થાય. પણ તેથી ચક્ષુની અપ્રાપ્યકારીતામાં કંઈ દોષ નથી આવતો. પ્રશ્ન - ઉપર મુજબ ઉપઘાતક અને અનુગ્રાહક એવી વિષયભૂત વસ્તુથી ચક્ષુને અનુગ્રહ તથા ઉપઘાત થાય છે, તો પછી તે કેવી રીતે અપ્રાપ્યકારી ગણાય છે ? * ઉત્તર - પ્રાપ્યકારીતા માટે એવો નિયમ છે કે ચક્ષુ રૂપના પ્રદેશ પ્રત્યે જઈને (સૂર્ય મંડળાદિથી વ્યાપ્ત પ્રદેશરૂપ સ્થળે જઈને), તે રૂપનો સંબંધ પામીને જોતી જાણતી નથી, તેમજ અન્ય સ્થળેથી આવેલ રૂપ, ચક્ષુ પ્રદેશને પ્રાપ્ત થયેલ હોય, તેને પણ ચક્ષુ જોતી વા જાણતી નથી, પરંતુ યોગ્ય દેશમાં રહેલ અપ્રાપ્ત વિષયને જ તે જાણે છે. પ્રશ્ન - આપ કહો છો એટલા ઉપરથી જ સાધ્યની સિદ્ધિ થઈ શકતી નથી, એમાં કોઈ અનુકૂળ હેતુ કહો તો બરાબર સમજાય. કદાચ પૂર્વે કહેલ અનુગ્રહ-ઉપઘાત શૂન્યતારૂપ હેતુ પુનઃ અહીં કહેશો તો પરસ્પર વિસંવાદ થશે. કારણ કે “અનુગ્રહાદિ શૂન્ય છે” એ કથન કહીને ચક્ષુને પોતાનાં વિષયથી અનુગ્રહ-ઉપઘાતનો નિષેધ કરો છો, અને “સ્પર્શનેન્દ્રિયની જેમ સૂર્યકિરણને પ્રાપ્ત કરીને દાહ, ચંદ્ર કિરણોને પામીને શીતળતા અનુભવે છે” આ વચનથી પુનઃ ચક્ષુને અનુગ્રહ ઉપઘાત પણ માનો છો. • ઉત્તર :- “અનુગ્રહ-ઉપઘાત રહિત છે” એ હેતુ અમે કહેલ છે, તે પ્રથમ વિષય પરિચ્છેદ કાળમાં જ કહેલ છે. વિષયને જાણ્યા પછી તો, ઘણી વખત તે જ વિષયને જોતાં ચક્ષુને સૂર્ય કિરણઆદિને ચંદ્રકિરણઆદિ, સ્વાભાવિક મૂર્તિમાન ઉપઘાતક વા અનુગ્રાહક વિષયથી ઉપઘાત વા અનુગ્રહ થાય પણ ખરો, એજ અભિપ્રાયથી પુનઃ પણ તેને અનુગ્રહ-ઉપઘાત થયેલ માનીએ છીએ. કદાચ “ચક્ષુ વિષયને પામ્યા સિવાય વિષયને જાણતી નથી.” એવો નિયમ જો કહેવામાં આવે, તો અનિ, ઝેર, સમુદ્ર, કંટક, તલવાર, સુરમો, વિગેરેને જોવામાં ચક્ષુને દાહ-સ્ફોટ-ભીંજાવું-ચીરાવુંનિરોગતા આદિ ઉપઘાત-અનુગ્રહ થવો જોઈએ. પરંતુ વિષય પ્રાપ્ત થયા છતાં ચક્ષુને સૂર્યકિરણ વડે તેમ અગ્નિ વડે દાહ થતો નથી. તેથી એવું સિદ્ધ થાય છે કે, વિષયને પ્રાપ્ત કર્યા સિવાય ચક્ષુ વિષયને જાણે છે. કારણ કે મનની પેઠે તે ચક્ષુ પણ અંજન તથા અગ્નિઆદિ વિષયોથી થતા અનુગ્રહ-ઉપઘાતથી શૂન્ય છે. પરંતુ વિષયને જાણ્યા પછી, પાછળથી કોઈ પણ પ્રાપ્ત થયેલા, ઉપઘાતક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy