SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨] ચાર ઇન્દ્રિયો પ્રાપ્તકારી છે. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ पावंति सद्द-गन्धा, ताइं गंतुं सयं न गिण्हन्ति । जं ते पोग्गलमइया, सक्किरिया वाउवहणाओ ॥२०६॥ धूमो व्व संहरणओ, दाराणुविहाणओ विसेसेणं । तोयं व नितंबाइसु, पडिघायाओ य वाउ ब्व ॥२०७॥ શબ્દ અને ગંધ ઈન્દ્રિયોને પ્રાપ્ત થાય છે, (પણ) તે ઈન્દ્રિયો સ્વયં જઈને શબ્દ તથા ગંધને ગ્રહણ કરતી નથી; કારણ કે તે શબ્દ અને ગન્ધ પુદ્ગલમય સક્રિય છે, વાયુવહનથી અને સંહરણથી ધુમાડાની જેમ, તથા વિશેષ કરીને કારના અનુવિધાનથી પાણીની જેમ, તેમજ નિતંબાદિકમાં પ્રતિઘાતથી વાયુની જેમ તે શબ્દ અને ગંધના પુદ્ગલો ક્રિયાવાનું છે. ૨૦૬-૨૦૭. ' શબ્દ અને ગબ્ધ અન્ય સ્થળેથી આવીને, શ્રોત તથા ધ્રાણેન્દ્રિયને પ્રાપ્ત થાય છે (સ્પર્શે છે) પણ શ્રોત્ર અને ધ્રાણેન્દ્રિય, સ્પર્શન તથા રસનેન્દ્રિયની જેમ શબ્દ તથા ગંધ દેશ પ્રત્યે જઈને, તેમને ગ્રહણ કરતી નથી, કારણ કે શબ્દ અને ગંધ પુદ્ગલમય સક્રિય છે, તેથી તેઓ અન્ય સ્થળેથી આવીને, શ્રોત્ર તથા ધ્રાણેન્દ્રિયને પ્રાપ્ત થાય છે. જો કદિ તે અપૌગલિક (અમૂર્ત) હોય તો, જેમ જૈનમતમાં સક્રિય એવા આકાશાદિકમાં ગતિ ક્રિયા નથી હોતી, તેમ તે શબ્દ અને ગંધમાં પણ ગતિક્રિયા ન હોય, એમ વિચારીને ‘પુગલમય સક્રિય” એમ કહ્યું છે. જે એ પ્રમાણે પુદ્ગલમય સક્રિય હોય તેમાં ગતિ ક્રિયા હોય છે જ. જેમ પુદ્ગલ સ્કંધોમાં ગતિક્રિયા હોય છે તેમ. કદિ એવી શંકા થાય કે પુદ્ગલમય છતાં શબ્દ અને ગંધમાં ક્રિયા છે એમ શાથી નિશ્ચય થાય ? એના ઉત્તરમાં કહીએ છીએ કે જેમ પવનથી વહન કરાતો ધુમાડો ગતિક્રિયાવાનું છે, તેમ શબ્દ-ગંધ પણ વાયુથી વહન કરાતા હોવાથી ગતિક્રિયાવાનું છે. તથા ગૃહાદિકમાં પિડીભૂત થયેલા હોવાથી તેવા (ગૃહાદિમાં પિંડીભૂત થયેલા) ધુમાડાની પેઠે, તેમજ વિશેષ કરીને હારના અનુવિધાનથી પાણીની પેઠે, અને પર્વતનિતંબાદિમાં સ્કૂલના પામવાથી વાયુની પેઠે એ શબ્દ-અને ગન્ધ ગતિ ક્રિયાવાનું છે. ૨૦૬-૨૦૭. હવે બીજા હેતુથી પણ શબ્દ અને ગંધમાં યુક્તિપૂર્વક ગતિક્રિયા સિદ્ધ કરે છે गिण्हंति पत्तमत्थं, उवघायाणुग्गहलद्धीओ । बाहिज्ज-पूइ-नासारिसादयो कहमसंबद्धे ॥२०॥ ઉપઘાત અને અનુગ્રહ જણાય છે, તેથી તે પ્રાપ્ત અર્થને ગ્રહણ કરે છે. જો તે અસંબદ્ધ હોય તો બહેરાપણું પૂતિરોગ નાસિકામાં મસા વિગેરે કેવી રીતે થાય ? ૨૦૮. અન્ય સ્થળેથી આવીને, પોતાની સાથે સંબંધ થયેલા હોય તેવા શબ્દ અને ગંધરૂપ અર્થને શ્રોત્ર અને ધ્રાણેન્દ્રિય ગ્રહણ કરે છે. કેમ કે એ અર્થથી એ ઈન્દ્રિયોને ઉપઘાત અને અનુગ્રહ જણાય છે. જેમ કે ભૂરી વિગેરેના મોટા શબ્દથી શ્રોત્રેન્દ્રિય વ્હેરી થાય છે, અને કોમળ શબ્દ સાંભળવાથી અનુગ્રહ થાય છે. તેમજ અશુચિ આદિની ગન્ધથી નાસિકામાં પૂતિરોગ-(નાસિકા સડી જવી) મસા વિગેરે રોગો થાય છે, અને કર્પરાદિના ગંધથી અનુગ્રહ થતો જણાય છે. જો એ ઈન્દ્રિયો અસંબદ્ધ અર્થને ગ્રહણ કરતી હોય તો એ અર્થથી થતો અનુગ્રહ અને ઉપઘાત ઈન્દ્રિયોને કેવી રીતે ઘટે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy