SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] ઋદ્ધિઓનું વર્ણન. [૩૩૧ ૬. ઋમતિ-ઘટ, પટાદિના વિચારને સામાન્યમાત્ર ગ્રહણ કરનારી મતિ તે. આ લબ્ધિ વિપુલમતિની અપેક્ષાએ કંઈક ન્યૂન વિશુદ્ધિવાળી છે અને તે એક મન:પર્યવજ્ઞાનનો ભેદ જ છે. ૭. સર્વઔષધિ, જેના ઝાડો-પિશાબ, કેશ, નખ વિગેરે સર્વ અવયવો સુવાસિત અને રોગ દૂર કરવાને સમર્થ હોય તે. અથવા એક જ સાધુને આમર્ષઔષધિ વિગેરે સર્વ લબ્ધિઓ હોય તે સર્વોષધિલબ્ધિ કહેવાય છે. ૮. ચારણલબ્ધિ-અતિશયસહિત ગમનાગમનરૂપ લબ્ધિયુક્ત જે હોય તે ચારણલબ્ધિમાન કહેવાય; તે બે પ્રકારે છે - એક વિદ્યાચારણ અને બીજા જંઘાચારણ. તેમાં કોઈ વિવક્ષિત આગમરૂપ વિદ્યાની મુખ્યતાએ ગમનાગમન કરે તે વિદ્યાચારણ. આ લબ્ધિ યથાવિધિ અતિશયપૂર્વક નિરંતર છઠ્ઠનું તપ તપતાં ઉત્પન્ન થાય છે. આ લબ્ધિવડે લબ્ધિમાન્ થયેલ મુનિ એક પગલે માનુષોત્તર પર્વત ઉપર જઈને ત્યાંના ચૈત્યોને વાંદે, ત્યાંથી બીજા પગલે નંદીશ્વર નામના આઠમા દ્વીપે જઈ ત્યાંના ચૈત્યોને વાંદે, ત્યાંથી એક જ પગલે પાછા ફરીને જ્યાંથી ગયા હોય ત્યાં આવે અને અહિંના ચૈત્યોને વાંદે. આ પ્રમાણે તિóિ દિશામાં ગમનાગમન થાય અને ઉર્ધ્વ દિશામાં અહીંથી એક પગલે નંદનવનમાં જઈ ત્યાંના ચૈત્યોને વાંદે, ત્યાંથી બીજા પગલે મેરૂપર્વત ઉપર પાંડુકવનમાં જઈ ત્યાંના ચૈત્યોને વાંદીને પછી ત્રીજા પગલે ત્યાંથી પાછા ફરીને જે સ્થળેથી ગયેલ હોય તે સ્થળે પાછા આવે અને ત્યાંના ચૈત્યોને વાંદે. લુતાતન્તુ (કરોળીયાના જાળના તાંતણાથી બનાવેલ પુટક તંતુઓ) અથવા સૂર્ય કિરણોની મદદ વડે બન્ને જંઘાએ આકાશમાર્ગે ચાલે તે જંઘાચારણ કહેવાય. આ લબ્ધિ યાવિધિ અતિશયપૂર્વક નિરંતર વિકૃષ્ટ-અક્રમની તપસ્યા કરતાં ઉત્પન્ન થાય છે. આ લબ્ધિયુક્ત મુનિ એક પગલે અહીંથી તેરમા રૂચકવરદ્વીપે જઈને ત્યાં ચૈત્યોને વાંદી, ત્યાંથી પાછા ફરતા બીજા પગલે નંદીશ્વરદ્વીપે આવીને ત્યાંના ચૈત્યોને વંદના કરી, ત્યાંથી ત્રીજા પગલે જ્યાંથી ગયેલ હોય ત્યાં પાછા આવે. આ પ્રમાણે તિóિ દિશામાં ગમનાગમન કરે અને ઉર્ધ્વ દિશામાં અહિંથી એક પગલે પાંડુકવનમાં જઈ ત્યાંનાં ચૈત્યોને વાંદી ત્યાંથી પાછા ફરતાં બીજા પગલે નંદનવનમાં આવી ત્યાંનાં ચૈત્યોને વંદના કરી ત્રીજા પગલે જ્યાંથી ગયા હોય ત્યાં પાછા આવે. વિદ્યાચારણ અને જંઘાચારણમાં આટલો ભેદ છે. ૯. આશીવિષ-જેની દાઢમાં વિષ હોય તે. તેના બે પ્રકાર છે. એક જાતિથી અને બીજા કર્મથી. તેમાં જાતિથી આશીવિષ વીંછી, સર્પ અને મનુષ્યની જાતિઓ છે, અને તે અનુક્રમે વધારે વધારે વિષવાળા હોય છે, કારણ કે વીંછીનું ઝેર વધારેમાં વધારે અર્ધભરતક્ષેત્રપ્રમાણ શ૨ી૨માં વ્યાપી શકે એટલું હોય છે. સર્પનું વિષ જંબૂદ્દીપપ્રમાણ શરીરમાં વ્યાપી શકે એટલું હોય છે. અને મનુષ્યનું વિષ અઢીદ્વીપપ્રમાણ શરીરમાં વ્યાપી શકે એટલું હોય છે. આ સર્વ ભેદો જાતિથી આશીવિષ કહેવાય છે. પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય અને સહસ્રર સુધીના દેવો તે કર્મથી આશીવિષ છે. તેઓ તપ અનુષ્ઠાનથી અથવા કોઈ બીજા ગુણથી, વીંછી-સર્પ આદિથી જે કાર્ય સાધ્ય હોય, તે તેઓ કરે છે, એટલે કે શાપ આપવાદિવડે બીજાને મારી નાંખી શકે છે. એમાં પણ દેવો અપર્યાપ્ત અવસ્થામાં એવી શક્તિવાળા હોય છે, કારણ કે તેઓ પૂર્વે મનુષ્યભવમાં ઉપાર્જિત આશીવિષલબ્ધિવાળા હોઈને સહસ્રાર દેવલોક પર્યંતના દેવોમાં ઉત્પન્ન થયા હોય, ત્યારે પર્યાપ્ત અવસ્થા ન થાય ત્યાં સુધી તેવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy