________________
ભાષાંતર
સાધુને રાત્રિભોજન વ્રત મૂળ ગુણ છે.
[૪૫૯
जड़ मूलगुणो मूलव्वओवगारि त्ति तं तवाईया । तो सब्बे मूलगुणा, जड़ व न तो तंपि मा होज्जा ॥१२४४।। सव्वव्यओवकारी जह, तं न तहा तवादओ वीसुं ।
जं ते तेणुत्तरिया, होति गुणा तं च मूलगुणो ॥१२४५॥ જો રાત્રિભોજન વિરમણ, મૂળવ્રતને ઉપકારી હોવાથી મૂળગુણરૂપ છે. તો તપ આદિ પણ ઉપકારી હોવાથી તે બધા પણ મૂળ ગુણ થયા, અને જો તપ આદિને મૂળગુણ નહિ માનો તો તે રાત્રિભોજન વિરમણ પણ મૂળગુણ કદી નહિ થાય. (ઉત્તર) જેમ રાત્રિભોજન વિરમણ સર્વ વ્રતને ઉપકારી છે, તેમ તપ આદિ પૃથફ પૃથફ ઉપકાર કરે છે, સર્વને ઉપકારી નથી, માટે તે ઉત્તરગુણો છે, અને રાત્રિભોજન વિરમણ મૂળગુણ છે. ૧૨૪૪-૧૨૪૫.
પ્રશ્ન :- રાત્રિભોજન વિરમણ મૂળગુણને ઉપકારી હોવાથી તેને મૂળગુણ તરીકે કહો છો, તો તપ-સમિતિ વિગેરે પણ મૂળગુણને ઉપકારી છે, માટે તે પણ મૂળગુણ તરીકે કહેવા જોઈએ, અને ઉત્તરગુણનું નામ જ બંધ કરવું. અને જો તપ વિગેરે મૂળ ગુણ નથી, તો તે રાત્રિભોજન વિરમણ પણ મૂળગુણ નથી, કેમ કે તપ વિગેરે ઉપકારી છતાં મૂળગુણરૂપ નથી, તો રાત્રિભોજન વિરમણ પણ ઉપકારી છતાં મૂળગુણ ન કહેવાય. વળી આ કહેવામાં પૂર્વાપર વિરોધ જણાય છે. કેમ કે પહેલાં કહ્યું છે, કે “સમિતિની પેઠે આ મહાવ્રતનું રક્ષણ કરનાર હોવાથી ઉત્તર ગુણ છે.” અને હવે આમ કહો છો કે, “મહાવ્રતનું રક્ષણ કરનાર હોવાથી આ મૂળગુણ છે.”
ઉત્તર :- અમે કહ્યું છે, તેમાં વિરૂદ્ધ કંઈ નથી; રાત્રિભોજન વિરમણ ઉભય ધર્મવાળું છે. ગ્રહસ્થોને આરંભજન્ય પ્રાણાતિપાતથી નિવૃત્તિ નથી. એટલે તેમને તે ઉત્તર-ગુણરૂપ છે; કેમ કે તેમને રાત્રિભોજન અત્યંત ઉપકારી ન હોવાથી, રાત્રિભોજનની વિરતિ સિવાય પણ મૂળગુણ અખંડ રહે છે. પણ મહાવ્રતધારી મુનિઓને આરંભજન્ય એવા પણ પ્રાણાતિપાતથી નિવૃત્તિ છે, અને રાત્રિભોજનમાં એ પ્રાણાતિપાત વિગેરે થાય છે, માટે જો તે રાત્રિભોજન કરે, તો તેમના મૂળ ગુણોનો ભંગ થાય, અને રાત્રિભોજનનું વિરમણ કરે, તો મૂળગુણોનું રક્ષણ થાય, અને તેથી તે મહાવ્રતોને અત્યંત ઉપકારી હોવાથી, મુનિઓને મૂળગુણ રૂપ છે, અને તપ વિગેરે આ પ્રમાણે અત્યંત ઉપકારી ન હોવાથી ઉત્તરગુણરૂપ છે. વળી રાત્રિભોજન વિરમણ જેમ સર્વ વ્રતને ઉપકારક છે, તેમ તપ-સમિતિ વિગેરે જુદા જુદા ઉપકારક નથી, માટે તે ઉત્તર ગુણો છે. અને રાત્રિભોજન વિરમણ વ્રત મૂળગુણોને અત્યંત ઉપકારી હોવાથી મૂળગણ છે. તેમજ જેમ પ્રાણાતિપાતાદિ પાંચ વ્રતોમાંના એકનો પણ અભાવ થતાં શેષવ્રતોનો અભાવ થાય છે, તેથી તે મૂળગુણ છે; તેવી જ રીતે રાત્રિભોજન વ્રતના અભાવે પણ સર્વ વ્રતનો અભાવ થાય છે, તેથી રાત્રિભોજન વિરમણ વ્રત પણ અત્યંત ઉપકારી હોવાથી મૂળ ગુણ છે. ૧૨૪૪- ૧૨૪૫. હવે “સંજલસાણ” એ ૧૨૩૮મી ગાથાના ઉત્તરાર્ધનું વ્યાખ્યાન કરે છે.
ईसिं सयराहं वा, संपाए वा परीसहाईणं । जलणाओ संजलणा, नाहक्खायं तदुदयम्मि ॥१२४६॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org