________________
૩૫૦
મંગળ તરીકે નંદિ શા માટે નહિ?.
[વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧
વ્યાખ્યાનો અનિયમ બતાવે છે. અર્થાતુ નન્દીની વ્યાખ્યા કર્યા સિવાય પણ આવશ્યકની વ્યાખ્યા થાય એમ જણાવે છે. ૮૪૪.
પ્રશ્ન :- નન્દી અધ્યયનનું વ્યાખ્યાન કરતાં કહ્યું છે કે “આ પ્રસ્થાપકની અપેક્ષાએ અંગ બાહ્યના ઉદ્દેશ સમુદેશ અનુજ્ઞા અને અનુયોગ પ્રવર્તે છે” ઇત્યાદિ વચનથી આવશ્યક અંગબાહ્ય હોવાથી અંગ નથી એમ કહેલું છે. તો અહીં આ શંકા શાથી થાય છે કે જેથી ઉપરોક્ત પ્રશ્નો કરાય ?
ઉત્તર :- અત્રે શ્રુતસ્કંધાદિ સંબંધી તો શંકા થાય, કારણ કે ત્યાં નન્દી અધ્યયનમાં આવશ્યકના આ શ્રુતસ્કંધાદિ બાબતનો નિર્ણય નથી કર્યો, તેથી તે સંબંધી પ્રશ્ન થવો જોઇએ. આવશ્યક અંગ છે કે અનંગ (અંગબાહ્ય) છે ? એ પ્રશ્નમાં પણ જયારે કોઈ શિષ્ય નન્દી અધ્યયન સાંભળ્યા સિવાય પ્રથમ આવશ્યક સાંભળે, ત્યારે શંકા થાય, તેથી અત્રે આ અંગે અનંગનો પ્રશ્ન પણ લીધો, કેમકે તેને આવશ્યક અંગ છે કે અંગબાહ્ય છે? એવી શંકા થાય છે.
પ્રશ્ન :-“મંગલને માટે પહેલાં નન્દી અધ્યયન સાંભળીને પછી આવશ્યક સાંભળવું” આવો ક્રમ હોવા છતાં કેમ નન્દી અધ્યયનની વ્યાખ્યા કર્યા વિના આવશ્યકનું વ્યાખ્યાન નન્દી અધ્યયનની પહેલાં શા માટે કરવું જોઈએ, કે જેથી ઉપરોક્ત શંકા થાય ?
ઉત્તર :- અંગ-અનંગ સંબંધીના પ્રશ્નને નિર્ણયના વચનથી પ્રથમ નન્દીનું વ્યાખ્યાન કરવાનો અનિયમ બતાવે છેએટલે કે પ્રથમ નદીનું વ્યાખ્યાન કરવું જોઇએ એમ નહિ, પરન્તુ વિશિષ્ટ પુરૂષાદિની અપેક્ષાએ એથી ઉલટું પણ થાય. ૮૪૪.
સર્વ શાસ્ત્રોમાં મંગલને માટે આદિમાં નન્દીનું વ્યાખ્યાન કરવું જોઇએ, એમ કહ્યું છે, તો પછી તમે નન્દીના વ્યાખ્યાનનો અનિયમ શાથી કહો છો ? એ શંકાના સમાધાન માટે કહે છે કે -
नाणाभिहाणमेत्तं, मंगलमिटुं न तीऍ वक्खाणं ।
इहमट्ठाणे जुज्जइ, जं सा वोत्तुं सुयक्रोधो ॥८४५॥ સામાન્ય રીતે પાંચ જ્ઞાન કહેવા માત્રથીજ નન્દીરૂપ મંગળ માન્યું છે, પણ અહીં અસ્થાને તે નન્દી (પાંચ જ્ઞાન)નું વ્યાખ્યાન કરવા યોગ્ય નથી; કેમકે તે નન્દી જુદો શ્રુતસ્કંધ છે. ૮૪૫.
શાસ્ત્રની આદિમાં પાંચ જ્ઞાનનું કથન કરવા માત્રથીજ મંગળ માન્યું છે, પણ શાસ્ત્ર રૂપ સર્વ નન્દીનું વ્યાખ્યાન મંગળરૂપે નથી માન્યું, કેમકે અહીં અસ્થાને તે નન્દીસૂત્રનું વ્યાખ્યાન અયોગ્ય છે. જેમ માર્ગમાં ચાલતાં મંગળભૂત દહીં-દૂર્વા-અક્ષત વિગેરે વસ્તુઓનું નામ અથવા દર્શન મંગળરૂપે ગ્રહણ કરાય છે, પણ તેનું ભક્ષણ કે ગુણશ્રવણ વગેરે મંગળરૂપે ગ્રહણ કરાતાં નથી, તેમ અહીં પણ પાંચ જ્ઞાનોનું કીર્તનજ મંગળરૂપ છે પણ સમગ્ર નન્દી સૂત્રનું વ્યાખ્યાનજ કંઈ મંગળરૂપ નથી. કેમકે અહીઆ તેનું અસ્થાન છે. આવશ્યકશાસ્ત્રના આરંભમાં શાસ્ત્રાન્તરભૂત નન્દીનું વ્યાખ્યાન અહીં અયોગ્ય છે. વળી એમ પણ ન કહેવું કે નન્દી સર્વ શાસ્ત્રોની અન્તભૂત છે, કેમકે તે પદ અને વાક્યના સમૂહરૂપ હોવાથી, સિદ્ધાન્તમાં તેને ભિન્ન શ્રુતસ્કંધપણે કહેલ છે. વળી ઘણા અધ્યયનના સમૂહરૂપ પણ નથી. કેમકે તે એકજ અધ્યયનરૂપે પ્રસિદ્ધ છે. ૮૪૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org