________________
૪૭૬]
ક્ષપક શ્રેણિનું સ્વરૂપ.
[વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૧
જે આયુષ્ય બાંધ્યા સિવાય આ શ્રેણિ આરંભે તે અવશ્ય સંપૂર્ણ કરે. તેને માટે ક્ષય કરવાનો આ પ્રમાણે ક્રમ છે. સમ્યકત્વ મોહનીય ખપાવતાં તેનો અલ્પ અંશ કાકી હોય, તેટલામાં તો અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણરૂપ આઠ કષાયને સાથે જ ખપાવવાનો આરંભ કરે, એ પ્રકૃતિઓ અધ ક્ષય થઈ હોય એટલે બીજી નરકાનુપૂર્વી-તિર્યંચાનુપૂર્વી-નરકગતિ-તિર્યંચગતિ એકેન્દ્રિય જાતિ-બેઈન્દ્રિયજાતિ-તે ઇન્દ્રિયજાતિ-ચૌરિન્દ્રિયજાતિ, આતપનામ - ઉદ્યોતનામ - સ્થાવરનામ - સાધારણનામ - સૂક્ષ્મનામ - નિદ્રાનિદ્રા – પ્રચલાપ્રચલા અને થીણદ્ધિ. આ સોળ પ્રકૃતિનો ક્ષય થાય (હરિભદ્રસૂરિની ટીકામાં ૧૬ ને બદલે ૧૭ પ્રકૃતિનો ક્ષય કહ્યો છે. અપર્યાપ્ત વધારે છે.) તે પછી એ આઠ કષાયના જે અવશેષ અંશ રહ્યા હોય તે ક્ષય પામે. તે પછી અનુક્રમે નપુંસકવેદસ્ત્રીવેદ-અને પુરૂષવેદનો ક્ષય કરે, તેમાં પુરૂષવેદના ત્રણ ભાગ કરીને બે ભાગ એકી સાથે ખપાવે, અને ત્રીજો ભાગ સંજવલન ક્રોધમાં નાખે. આ ક્રમ જો પુરૂષવેદી શ્રેણિ આરંભક હોય તો તેને માટે છે, પણ નપુંસક અથવા સ્ત્રી આ શ્રેણિ આરંભક હોય, તો તેમને જે વેદ ઉદયમાં હોય, તે વેદનો ક્ષય પછીથી થાય અને અનુદિત બે વેદમાંથી જે અધમ હોય, તેનો પહેલાં અને બીજાનો પછીથી ક્ષય થાય, એટલે જેમ ઉપશમણિમાં કહ્યું છે તેમ અહીં પણ સમજવું.
તે પછી સંજવલન ક્રોધાદિ ચાર દરેકને અન્તર્મુહૂર્તમાં ખપાવે, આ ચારેનો ક્ષય કરતાં પુરૂષવેદની પેઠે દરેકના ત્રણ ત્રણ વિભાગ કરીને બે ભાગ ક્ષય કરી ત્રીજો ભાગ આગળની પ્રકૃતિમાં નાંખીને ખપાવે, એટલે કે ક્રોધનો ત્રીજો અંશ માનમાં નાંખીને, માનનો માયામાં, અને માયાનો લોભમાં નાંખીને ખપાવે. 1. આ દરેકને ખપાવવાનો કાળ અન્તર્મુહૂર્ત જાણવો. અને આ આખી શ્રેણિ પણ અન્તર્મુહૂર્ત કાળ પ્રમાણ જ જાણવી. પરંતુ આ અન્તર્મુહૂર્ત મોટું જાણવું. તેમાં લઘુ અન્તર્મુહૂર્ત અસંખ્યાતા થવા પામે છે, તે પછી લોભના ત્રીજા અંશના સંખ્યાતા અંશો કરીને તે દરેકને જુદા જુદા કાળે ખપાવે. આમાંના છેલ્લા અંશના અસંખ્યાતા અંશ કરે, તે પણ જુદા જુદા સમયે ખપાવે. અહીં ક્ષીણદર્શનસપ્તક નિવૃત્તી બાદર કહેવાય. લોભનો સંખ્યાતમો અંશ બાકી રહે ત્યાં સુધી અનિવૃત્તિનાદર કહેવાય, અને તે પછી તેના અસંખ્યાતા અંશ ખપાવતાં છેલ્લો અસંખ્યાતમો લોભાશ બાકી રહે, ત્યાં સૂક્ષ્મ સંપરાય કહેવાય. તે પછી ક્ષીણમોહ યથાવાત ચારિત્રી થાય છે. ૧૩૧૩. એજ અર્થ હવે ભાષ્યકાર કહે છે.
पडिवत्तीए अविरय-देस-पमत्ता-पमत्त-विरयाणं । अन्नयरो पडिवज्जड़, सुद्धज्झाणोवगयचित्तो ॥१३१४।। पढमकसाए समयं, खवेइ अंतोमुहुत्तमेत्तेणं । तत्तो च्चिय मिच्छत्तं, तओ य मीसं तओ सम्मं ॥१३१५॥ बद्धाऊ पडिवन्नो, पढमकसायक्खए जइ मरेज्जा । तो मिच्छत्तोदयओ, चिणेज्ज भुज्जो न खीणम्मि ॥१३१६।। तम्मि मओ जाइ दिवं, तप्परिणामो य सत्तए खीणे । उवरयपरिणामो पुण, पच्छा नाणामइगईओ ॥१३१७।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org