________________
૪૬]
પરિહાર વિશુદ્ધિનો તપ.
[વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧
सेसा उ निययभत्ता, पायं भत्तं च ताणमायामं ।
होइ नवण्हवि नियमा, न कप्पए सेसयं सव्वं ॥१२७४॥ . શેષ અનુપરિહારિક અને કલ્પસ્થિત સાધુઓ ઘણું કરીને નિત્યભોજી હોય છે. (કોઈ વખત ઉપવાસ પણ કરે છે.) પણ તેઓને નિત્ય ભોજનમાં તેમજ પારણામાં આંબિલ હોય છે, પણ શેષ સર્વ વિગઈ આદિ તો તેમાંથી કોઈને પણ કહ્યું નહિ.૧૨૭૪.
નવ સાધુઓનો સમુદાય આ ચારિત્ર અંગિકાર કરે છે, તેમાંથી ચાર જણા પૂર્વોક્ત રીતે તપ કરે તે પરિહારિક કહેવાય, અને બાકીના પાંચમાંથી ચાર જણ તેમનું વૈયાવૃત્ય કરે તે અનુપરિહારિક કહેવાય, અને એકજણ કલ્પ સ્થિત થઇને વાચનાચાર્ય થાય. એમાંથી પરિહારિક મુનિઓ ઉપર કહ્યા મુજબ તપ કરે, અને બાકીના પાંચ અનુપરિહારિક અને કલ્યસ્થિત મુનિઓ ઘણું કરીને નિત્ય ભોજી હોય, (કોઇ વખત પોતાની ઇચ્છાથી ઉપવાસ કરે.) પરિહારિક-અનુપરિહારિક-અને કલ્પ સ્થિત, એ સર્વને પારણે તો આંબિલજ હોય, વિકૃતિ અથવા લેપકૃત આહાર કદિપણ ન ખપે. આ પ્રમાણેનું તપ તેઓ ક્યાં સુધી કરે (તે આગળની ગાથાથી કહે) છે. ૧૨૭૪.
परिहारिया-ऽणुपरिहारियाण कप्पट्ठियस्स वि य भत्तं ।
छ छम्मासा उ तवो, अट्ठारसमासिओ कप्पो ॥१२७५॥ પરિહારિક-અનુપરિહારિક-અને કલ્પ સ્થિત મુનિઓને આહારમાં આંબિલજ હોય છે. અનુક્રમે એ ત્રણે છ છ માસ પૂર્વે કહ્યા મુજબ તપ કરીને અઢાર મહીને આ કલ્પ પૂરો કરે છે. ૧૨૭૫.
એ પ્રમાણે પરિહારિક-અનુપરિહારિક અને કલ્પસ્થિત મુનિઓને ભોજનમાં હંમેશાં આંબિલ હોય છે. તેઓ અનુક્રમે છ છ મહિના એ પ્રમાણે તપ કરીને અઢાર માસે આ કલ્પ પૂરો કરે. પ્રથમ પૂર્વોક્ત રીતે ગ્રીષ્માદિ ઋતુમાં ચતુર્થાદિ તપ કરનારા પરિવારિક મુનિઓ, છ માસ પર્યન્ત ઉપર મુજબ એક ઉપવાસથી પાંચ ઉપવાસ સુધીનો તપ કરે, તે પછી તેમનું વૈયાવૃત્ય કરનારા અનુપરિહારિક ચાર મુનિઓ છ માસ પર્યન્ત એજ પ્રમાણે તપ કરે, અને જે પરિહારિક હતા તે તેમના અનુપરિહારિકવૈયાવૃત્ય કરનારા થાય. તે પછી જે કલ્પસ્થિત હોય તે એકજ પરિહારિકપણું અંગીકાર કરે, અને બાકીના આઠમાંથી એક જણ વાચનાચાર્ય થાય, અને બીજા સાત તેમનું અનુપરિહારિકપણું-વૈયાવૃત્ય કરે. આ પ્રમાણે અઢાર માસે આ પરિવાર વિશુદ્ધિ કલ્પ પૂર્ણ થાય. ૧૨૭૫. કલ્પ પૂરો થયા પછી શું કરે ? તે કહે છે.
कप्पसमत्तीए तयं, जिणकप्पं वा उविंति गच्छं वा ।
ठियकप्पेच्चिय नियमा, दो पुरिसजुगाइं ते होज्जा ॥१२७६॥ કલ્પ સમાપ્ત થાય, એટલે પુનઃ કાંતો તેજ કલ્પ અંગીકાર કરે, અથવા જિનકલ્પ અંગીકાર કરે, અથવા ફરી ગચ્છમાં આવે. આ પરિહારવિશુદ્ધિક, પહેલા અને છેલ્લા જિનેશ્વરના કાળે સ્થિતકલ્પમાં જ હોય છે. ૧૨૭૬.
પહેલા અને છેલ્લા તીર્થકરના તીર્થમાંજ ભરત-ઐરાવત ક્ષેત્રની અંદર પરીવાર વિશુદ્ધિક ચારિત્રવાળા હોય છે, અન્યકાળમાં નથી હોતા. વળી તેઓ આ લ્પ તીર્થંકર પાસે અથવા જેણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org