________________
૪૧૦]
ચાર પ્રકારનાં ભાવતીર્થ.
[વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧
અનુષ્ઠાન કરવાનું તેઓના દર્શનમાં નથી જણાતું, ગમે તે પ્રકારે વ્રત પાળવાનું કહ્યું છે, તેથી પ્રાણીઓ તેમની દીક્ષા હેલાઇથી અંગીકાર કરે છે, અને વળી તેમના શાસ્ત્રોમાં એવી કોઈ નિપુણ યુક્તિ નથી, કે જેથી વાસિત અંતરાત્માવાળો પુરૂષ તેમની દીક્ષાનો ત્યાગ ન કરે. ઉલટું તે સંબંધમાં તો કહ્યું છે કે- “બાર વર્ષ પર્યન્ત શૈવી દીક્ષા પાળીને તે પછી જો અશક્ત હોય, તો યજ્ઞ કરીને તેનો ત્યાગ કરે, તો પણ કંઈ દોષ નથી.” આ પ્રમાણે તેઓએ કહેલું હોવાથી તેમની દીક્ષાનો ત્યાગ કરવામાં કંઈ દોષ નથી. તેથી જીવો તેમની દીક્ષાનો ત્યાગ પણ કરી શકે છે; માટે શૈવ તીર્થ પહેલા પ્રકારનું છે.
૨. બીદ્ધોનું તીર્થ બીજા પ્રકારનું છે. તેઓ કહે છે કે- “કોમળ શવ્યા, સવારમાં ઊઠીને પયા, મધ્યાન્હ ભોજન, અપરાજે પાન, સાંજે દ્રાક્ષાખંડ અને અર્ધરાત્રિએ સાકર, એ સર્વને અન્ત શાક્યપુત્રે મોક્ષ જોએલ છે. વળી “મનોજ્ઞ ભોજન ખાઈને, મનોજ્ઞ શયન આસન ભોગવીને, મનોજ્ઞ આવાસમાં રહીને, મુનિ મનોજ્ઞ ધ્યાન કરે.” ઇત્યાદિ તેઓના કહેવાથી-વિષય સુખની સિદ્ધિ થાય છે, માટે તેમના તીર્થમાં સુખે પ્રવેશ થઈ શકે છે, તથા તેમના શાસ્ત્રમાં કહેલી કુયુક્તિઓ વડે તીવ્ર વાસના ઉત્પન્ન થતી હોવાથી તેના સંસ્કારનો ત્યાગ થતો નથી. વ્રતનો ત્યાગ કરવામાં પણ મહાસંસારાદિ દંડ કહેલ હોવાથી, તેઓની પાસેથી ગ્રહણ કરેલ વ્રત દુ:પરિત્યાય હોવાથી તેમના તીર્થનો ત્યાગ સુખે કરી શકતો નથી. એટલે એ બીજા પ્રકારનું તીર્થ છે.
૩. ત્રીજા પ્રકારનું તીર્થ દિગમ્બરોનું છે, તેમના તીર્થમાં-દર્શનમાં નગ્નપણું વિગેરે લજજાદિના હેતુ હોવાથી, તે તીર્થમાં પ્રવેશ કરી શકાતો નથી, અને અનેકણીય વસ્તુનો ઉપભોગ-કષાયની બહુલતા વિગેરે તેમનું અસમંજસપણું જણાવાથી, તેમજ નગ્નપણાદિની લજજાથી ઉદ્વિગ્ન થએલાઓ તે તીર્થનો સુખે ત્યાગ કરે છે.
૪. ચોથા પ્રકારનું મોક્ષફળ આપનાર તીર્થ જૈન સાધુઓને રાગ-દ્વેષ-કષાય-ઇન્દ્રિય-પરિસહઉપસર્ગાદિનો જય, તથા અપ્રમત્તપણે સમિતિ-ગુપ્રિ-લોચ વિગેરે કષ્ટ સહન કરવાનું હોય છે, તેથી તેઓના તીર્થમાં દુઃખે પ્રવેશ થાય છે, અને તેમના શાસ્ત્રમાં કહેલ નિપુણ યુક્તિઓ વડે અતિતીવ્ર અને ઘણી સારી વાસના ઉત્પન્ન થતી હોવાથી અને વ્રતનો ત્યાગ કરવામાં અતિ મહાન સંસારાદિ દંડ કહેલ હોવાથી તેઓના તીર્થનો ત્યાગ પણ થઈ શકતો નથી.
બીજાઓ સુખે પ્રવેશ થાય અને દુ:ખે સંસારનો ત્યાગ કરાય વગેરે ભેદો મોક્ષ પ્રાપ્તિમાં માને છે. જેમકે શૈવદર્શનવાળાઓના મતે ઈશ્વરોક્ત અલ્પ અનુષ્ઠાનવડેજ મુક્તિ પ્રાપ્ત થાય છે એમ માન્યું છે. બૌદ્ધોએ દુઃખે પામી શકાય એવા વિશિષ્ટ ધ્યાન માર્ગથી યોગીને જ્ઞાનની ઉત્પત્તિ આદિના ક્રમવડે મુક્તિની પ્રાપ્તિ માનેલ છે તેઓ કહે છે કે “દુઃખે આ સંસાર ઉતરી શકાય છે.” દિગમ્બરોએ ભિક્ષાશુદ્ધિ વિગેરે ગૌણપણે માનેલ હોવાથી અને નગ્નતાદિ રૂપ નિર્ઝન્થપણાની મુખ્યતાથી મુક્તિ માનેલ છે. અને શ્વેતામ્બર સાધુઓએ પૂર્વોક્ત મહાકષ્ટવાળા અનુષ્ઠાનથી મોક્ષ માનેલ છે, તેથી તેઓનું તીર્થ દુઃખે તરી શકાય એવું છે. ૧૦૪૦-૧૦૪૧.
અહીં શિષ્ય પૂછે છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org