SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ ] અવગ્રહ આદિનો નિયતક્રમ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ પણ એવોજ સ્વભાવ વ્યવસ્થિત છે, કે તે સર્વે ભિન્ન જુદા જુદા કાળે થાય છે, અને ઉત્ક્રમ-વ્યતિક્રમથી રહિત અર્થાત અવગ્રહાદિ હોય, તો જ તેઓવડે તે સંપૂર્ણ જણાય છે. આ વાત જો કે ઉપરની ર૯૫મી ગાથામાં કહી છે, પણ તે સંક્ષિપ્ત હોવાથી અહીં પુનઃ વિસ્તારથી કહી છે. ૨૯૭. પ્રશ્ન :- નિરન્તર પૂર્વે જોએલ હોય, વિચારેલ હોય, અને બોલેલ હોય, એવા જાણીતા વિષયમાં, ફરી કોઇ સ્થળે કોઇ વખતે એ વિષય જોવાથી, અવગ્રહ-ઈહા છોડીને પ્રથમ અપાય જ થતો સમસ્ત જીવો નિર્વિવાદ અનુભવે છે. જેમકે “આ પુરૂષ છે.” વળી અન્યત્ર કોઇ સ્થળે, પૂર્વોપલબ્ધ સુનિશ્ચિત વસ્તુમાં દઢવાસનાથી, તેની અંદર અવગ્રહ ઇહા-અપાય ઉલ્લંઘીને પ્રથમ સ્મૃતિરૂપ ધારણાજ થતી અનુભવાય છે. જેમકે “આ તેજ વસ્તુ છે કે જે મેં પૂર્વે જાણી હતી” આ પ્રમાણે થતું હોય એમ અનુભવાય છે, તો પછી આપ એમ કહો છો કે ઉત્ક્રમ-અતિક્રમવડે, કે ચારમાંથી એકાદનો પણ અભાવ હોય, તો પણ વસ્તુ સ્વરૂપનો બોધ ન થાય, અને ગ્રહણ કર્યા સિવાય ઈહા ન થાય ? ૨૯૮. ઉત્તર :- કોઈ વખત પ્રથમ અપાય જણાય છે, અને કોઈ વખત પ્રથમ ધારણા જણાય છે, એમ જે તું કહે છે તે અયોગ્ય છે. કેમ કે જેમાં સેંકડો કમળપત્રો વિંધવામાં કાળ દુર્લક્ષ્ય છે, તેમ અવગ્રહાદિનો કાળ પણ દુર્લક્ષ્ય છે. તેથી તેમ અનભાવાંય છે. ઉદાહરણ તરીકે જેમ કોઇ શક્તિશાળી યુવાનપુરુષ, કમળના સેંકડો પત્રોને સોય આદિ વડે વિંધતા પોતે એવું માને છે, કે મેં આ બધાં પત્ર એકી સાથે વીંધી નાખ્યાં. પરન્તુ ખરી રીતે તો એ દરેક પત્ર ભિન્ન ભિન્ન કાળે જ ભેદાય છે. પણ તે કાળ અતિસુક્ષ્મ હોવાથી, ભિન્ન પણે જણાતો નથી. પરન્તુ તેથી એમ ન સમજવું કે તેમનો અભાવ છે. વળી હાદિ કોઈ સ્થળે સ્પષ્ટ અનુભવાય છે. જયાં જયાં સ્પષ્ટ અનુભવથી ન જણાય ત્યાં ત્યાં પૂર્વે કહ્યા મુજબ સમજી લેવું કે “ગ્રહણ કર્યા સિવાય ઈહા નથી અને હા વિના નિશ્ચય નથી.” માટે પ્રથમ અપાય અનુભવાય છે, તે આ કમળપત્ર વીંધવાના ઉદાહરણથી ભ્રાન્તિ સમજવી. આના સંબંધમાં એક બીજું ઉદાહરણ લઈએ. જેમ કોઇને સુકી અને લાંબી સખુલી-તલસાંકળીનું ભક્ષણ કરતાં, તેનો અવાજ થવાથી શબ્દજ્ઞાન થાય છે, જો સુકી ના હોય તો શબ્દ થાય નહી, અને તે શબ્દ સાંભળતી વખતે એ લાંબી હોવાથી તેનું રૂપ જણાય છે. જો તે ટુંકી હોય તો તેને મુખમાં નાખ્યા પછી શબ્દ સાંભળવાની સાથે રૂપ જણાય નહિ, તેથી લાંબી સખુલી કહી છે. એ રૂપ દર્શનની સાથે જ તેના ગન્ધ-રસ-અને સ્પર્શ પણ અનુભવાય છે. એ પ્રમાણે પાંચ ઇન્દ્રિયોના વિષયની ઉપલબ્ધિ એકી સાથે થતી જણાય છે, પણ તે ઉપલબ્ધિ એકી કાલે થતી દેખાય છે, તે સત્ય નથી. કેમ કે બધી ઇન્દ્રિયોનું જ્ઞાન એકીસાથે થાય નહિ. મન સાથે જોડાએલ ઇન્દ્રિયજ, પોતાના વિષયનું જ્ઞાન ઉત્પન્ન કરી શકે છે, પણ તે વિના નહી. મન એક ઉપયોગવાળું હોવાથી, સર્વ ઇન્દ્રિયો સાથે એકજ સમયે જોડાતું નથી. તેથી એક કાળે અનેકની સાથે સંયોગ થવો અયોગ્ય છે. પરંતુ મન અતિશીધ્રગતિવાળું હોવાથી, અને કાળનો ભેદ દુર્લક્ષ્ય હોવાથી, સર્વ ઇન્દ્રિયોના વિષયોની ઉપલબ્ધિ એકી સાથે થઇ, એમ ભ્રાન્તિથી એમાં કાળ ભેદ જણાતો નથી, તેમ અભ્યસ્ત સ્થાનોમાં અવગ્રહાદિના કાળના સંબંધમાં પણ સમજવું. માટે તે અવગ્રહઆદિમાં ચારે ભેદ આવી જાય છે. તેમ ઉત્ક્રમ-વ્યતિક્રમવાળા પણ નથી. શખુલિનું લાંબાપણું ગાથામાં કહ્યું નથી, પણ ઉપલક્ષણથી જાણવું. ૨૯૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy