SearchBrowseAboutContactDonate
Page Preview
Page 521
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૦] નિશ્ચય વ્યવહાર. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ आवरणक्खयसमए, नेच्छइअनयस्स केवलुप्पत्ती । तत्तोडणंतरसमए, ववहारो केवलं भणइ ॥१३३४॥ આવરણનો ક્ષય થવાના સમયે જ કેવળજ્ઞાનની ઉત્પત્તિ છે, એમ નિશ્ચયનય કહે છે; અને આવરણ ક્ષય થવાના પછીના સમયે કેવળજ્ઞાનોત્પત્તિ છે, એમ વ્યવહારનય કહે છે. ૧૩૩૪. જે સમયે આવરણનો ક્ષય થાય તેજ સમયે કેવળજ્ઞાન થાય છે, એમ નિશ્ચય નયનું માનવું છે. કેમ કે જે ક્ષય થતું હોય, તે ક્ષય થયેલું જ છે, તેથી ક્રિયાકાળ અને નિષ્ઠાકાળ (સમાપ્તિકાળ) એક જ છે. જો એ કાળ ભિન્ન માનવામાં આવે, તો અન્યકાળમાં ક્રિયા અને અન્યકાળમાં કાર્યોત્પત્તિનો પ્રસંગ થાય, અને એમ થવું તે અયોગ્ય છે, કારણ કે ક્રિયા વિના પણ કાર્યોત્પત્તિ માનવી પડે. વળી એ પ્રમાણે માનવાથી ક્રિયાના આરંભકાળની પૂર્વે પણ કાર્યોત્પત્તિ પ્રાપ્ત થાય, અને એથી અતિપ્રસંગ થાય. વ્યવહારનય આથી ઉલટો છે. તે એમ કહે છે, કે આવરણનો ક્ષય થયા પછીના સમયે કેવળજ્ઞાનની ઉત્પત્તિ થાય છે, કારણ કે જે સમયે આવરણ ક્ષય થાય, તેજ સમયે તેનો ક્ષય થયો કહેવાય, ક્ષય થતું આવરણ સર્વથા ક્ષીણ નથી થયું, એટલે આવરણનો ક્ષય નથી જ થયો, માટે ક્રિયાકાળ અને નિષ્ઠાકાળ જાદો છે, અને જો તે કાળ એક જ માનવામાં આવે, તો ક્રિયાકાળમાં પણ કાર્યોત્પત્તિ પ્રાપ્ત થાય, અને ક્રિયા નિષ્ફળ થાય, કેમકે સમાન કાળ-એકજ કાળે થનારા ક્રિયા અને કાર્યનો, ડાબા-જમણા ગાયના શીંગડાની પેઠે કાર્ય કારણ ભાવ ઘટે નહિ. ૧૩૩૪. नाणं न ख्रिज्जमाणे, खीणे जुत्तं जओ तदावरणे । न य किरियानिट्ठाणं, कालेगत्तं जओ जुत्तं ॥१३३५।। તદાવરણ ક્ષય થતું હોય, ત્યારે જ્ઞાન ઉત્પન્ન થાય છે, એમ કહેવું અયોગ્ય છે, કેમ કે તે ક્રિયા કાળ છે.) પણ તદાવરણ ક્ષય થયું હોય ત્યારે જ જ્ઞાન થાય છે. એમ કહેવું યોગ્ય છે. (કેમ કે એ નિષ્ઠાકાળ છે) ક્રિયાકાળ અને નિષ્ઠાકાળ એક કહેવા તે યોગ્ય નથી. ૧૩૩૫. એના પ્રત્યુત્તરમાં પુનઃ નિશ્ચયનય કહે છે કે - जइ किरियाए न खओ, को हेऊ तप्परिक्खए अन्नो ? । अह ताए किह काले, अन्नत्थ तई खओऽणत्थ ? ॥१३३६॥ किरियाकालम्मि खओ, जइ नत्थि तओ न होज्ज पच्छावि । जइ वक्किरियस्स खओ, पढमम्मिवि किस किरियाए ? ॥१३३७।। હે વ્યવહારવાદિ જો ક્રિયા વડે આવરણનો ક્ષય નથી, તો તેનો ક્ષય થવામાં અન્ય કયો હેતુ છે ? અને તે ક્રિયાવડે ક્ષય થાય છે, તો અન્યકાળમાં ક્રિયા અને અન્ય કાળમાં તેનો ક્ષય એમ કેમ કહેવાય ? વળી જો ક્રિયાકાળે આવરણનો ક્ષય નથી, તો તે ક્રિયા પછી પણ આવરણનો ક્ષય નહિ થાય. અથવા જો બીજા સમયે ક્રિયા વિના ક્ષય થાય છે, તો પછી પહેલા સમયમાં પણ ક્રિયાવડે શું ? ૧૩૩૬-૧૩૩૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy