SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર) નિશ્ચય વ્યવહાર: ૪િ૮૧ તે વ્યવહારવાદી, આવરણનો ક્ષય થયા પછી કેવળજ્ઞાનની ઉત્પત્તિ માને છે, પણ આવરણનો ક્ષય થતી વખતે નથી માનતો. તો તેને અમે પૂછીએ છીએ કે આવરણનો ક્ષય થવાના કાળે ક્રિયા છે કે નહિ? જો તે વખતે ક્રિયા નથી, તો ક્રિયા વિના આવરણનો ક્ષય થવામાં ત્યાં બીજો ક્યો હેતુ છે ? કોઈપણ નથી. જો આવરણનો ક્ષય થતી વખતે તેના હેતુભૂત ક્રિયા છે, અને તે ક્રિયાવડે આવરણનો ક્ષય થાય છે, એમ કહેતા હો, તો ક્રિયાકાળ અને નિષ્ઠાકાળ એક જ થયો, પછી એમ કેમ કહી શકાય કે અન્યસમયે ક્રિયા અને અન્યસમયે આવરણનો ક્ષય થાય છે. અથવા જો ક્રિયાકાળે આવરણનો ક્ષય નથી, તો ક્રિયાના પૂર્વ કાળની પેઠે ક્રિયાના ઉત્તરકાળે પણ ક્ષય નહિ થાય, અથવા ક્રિયા પૂર્ણ થયા પછી બીજા સમયે અક્રિય છતાં આવરણને ક્ષય માનો છો, તો ક્રિયાયુક્ત પ્રથમ સમયમાં ક્રિયા વડે શું લાભ છે ? તેના વિના પણ જેમ બીજા સમયે આવરણનો ક્ષય થાય છે, તેમ તે સમયે પણ ક્ષય થઈ જશે ? વળી ક્રિયાકાળ અને નિષ્ઠાકાળ, આગમમાં પણ એક જ કહેલ છે. जं निज्जरिज्जमाणं निज्जिपणंति भणियं सए जं च । નો નિર્નાર, નાવર તે તરસમ શરૂફટા જે નિર્જરાતું હોય, તે નિર્યું એમ સૂત્રમાં કહ્યું છે, અને નોકર્મ નિર્ભરે છે, તેથી તે સમયે આવરણ નથી. ૧૩૩૮. સૂત્રમાં કહ્યું છે કે “તમારે નિ ગાવ નિરિઝમ નિનિપજે” એ વચનથી ક્ષીણ થતું કર્મ ક્ષીણ થયું જ, એટલે એ બે માં કાળ ભેદ નથી વળી આગમમાં આ પણ કહ્યું છે કે “મે વેફર્ગ નોર્મ્સ નિષ્ણઝિર” એટલે વેદ્યમાન અવસ્થામાં કર્મ વેદાય છે, અને નિર્જરાવસ્થામાં નોકર્મઅકર્મ થાય છે. વેદના સમય જુદો છે અને નિર્જરા સમય જુદો છે. માટે આવરણ ક્ષય થતી વખતે આવરણ-કર્મ પ્રતિબંધક નથી, કેમકે જે ક્ષય થતું હોય તે ક્ષય થયેલું જ છે. આ રીતે પ્રતિબંધકના અભાવે આવરણ ક્ષય થતી વખતે કેવળજ્ઞાનની ઉત્પત્તિ કોણ રોકી શકે એમ છે ? ૧૩૩૮. जइ नाप्पमनावरणेऽवि, नत्थि तो तं न नाम पच्छा वि । जायं व अकारणओ, तमकारणओ च्चिय पडेज्जा ॥१३३९॥ नाणस्सावरणस्स य, समयं तम्हा पगास-तमसो ब्व । उप्पाय-व्वयधम्मा, तह नेया सव्वभावाणं ॥१३४०॥ જો આવરણના અભાવે જ્ઞાન નથી, તો તે પછી પણ જ્ઞાન નહિ થાય, કારણ કે તે વિના જ્ઞાન પછીથી થાય છે, તો કારણ વિના જ તે જ્ઞાનની પ્રાપ્તિ થશે. અને તે માટે તેજ મુજબ પ્રકાશ અને અંધકારની પેઠે જ્ઞાનનો અને આવરણનો સાથે જ ઉત્પાદ-તથા વ્યય થાય છે, તેજ મુજબ સર્વ ભાવોનું જાણવું. ૧૩૩-૧૩૪૦, ઉપર કહ્યા મુજબ આવરણનો ક્ષય થતી વખતે આવરણના અભાવે પણ કેવળજ્ઞાનની ઉત્પત્તિ ન થાય, તો આવરણનો ક્ષય થયા પછી પણ જ્ઞાનોત્પત્તિ નહિ થાય. કદિ એમ કહેવામાં આવે કે આવરણનો ક્ષય થતી વખતે અને ક્ષય થયા પછી આવરણનો અભાવ ઉભય સ્થળે સમાન છે, ૬૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy