________________
६०८]
લોકાન્તિક દેવોનું આગમન.
[વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧
पंचविहे माणुस्से, भोगे भुंजित्तु सह जसोआए । तेयसिरिं व सुरूवं जणेइ पिअदंसणं धूअं ॥८०॥ हत्थुत्तरजोएणं, कुंडग्गामंमि खत्तिओ जच्चो । वज्जरिसहसंघयणो, भविअजणविबोहओ बीरो ॥४५९॥ सो देवपरिग्गहिओ तीसं वासाइ वसइ गिहवासे । अम्मापिईहिं भयवं देवत्तगएहिं पब्बइओ ॥४६०॥ संवच्छरेण ॥८१।। एगा हिरणकोडी० ॥२॥ सिंघाडय० ॥८३॥ वरवरिआ० ॥८४॥ तिण्णेवं य० ॥८५।। सारस्सयमाइच्चा० ॥८६॥ एए देवनिकाया० ॥८७॥ भा० एवं अभित्थुळतो, बुद्धो बुद्धारविंदसरिसमुहो।।
लोगंतिगदेवेहिं, कुंडग्गामे महावीरो ।।८८॥ भा० યશોદાની સાથે મનુષ્યના પંચવિધ ભોગો ભોગવતાં તેજની લક્ષ્મી જેવી સુરૂપા પ્રિયદર્શના નામે પુત્રી થઇ. ત્રીસ વર્ષ સુધી ગૃહવાસમાં રહીને માતા-પિતા દેવગતિ પામ્યા પછી ક્ષત્રિયકુંડ ગામમાં હસ્તોત્તરા નક્ષત્ર-ઉત્તરાફાલ્યુનીની અંદર ઉત્તમ ક્ષત્રિય જાતિવાળા, વજઋષભનારાચસંઘયણવાળા, ભવ્યજનને બોધ પમાડનાર મહાવીર પ્રભુએ દીક્ષા લીધી. (આ પછીની સાત ગાથાઓનો અર્થ પૂર્વે ૨૧૬મી ગાથાથી ૨૨૨ સુધીની ગાથાઓમાં આવી ગયો છે, તેથી ત્યાંથી જોઇ લેવો.) એ પ્રમાણે લોકાન્તિક દેવોથી કુંડ ગામની અંદર સ્તુતિ કરાતા વિકસિત કમળ જેવા મુખવાળા ભગવાન્ મહાવીરદેવ બોધ પામ્યા. ૮૦ થી ૮૮. હવે નિષ્ક્રમણ દ્વાર કહે છે.
मणपरिणामो अ कओ, अभिनिखमणमि जिणवरिंदेण । देवेहि य देवीहि य, समंतओ उच्छयं गयणं ॥८९॥ भा० भवणवइ वाणवंतर, जोइसवासी विमाणवासी अ । धरणियले गयणयले, विज्जुज्जोओ को खिप्पं ॥९०॥ भा० जाव य कुंडगामो, जाव य देवाण भवणआवासा । देवेहि य देवीहिं य अविरहीयं संचरंतेहिं ॥११॥ चंदप्पभा य सीआ, उवणीआ जम्मजरणमुक्कस्स । आसत्तमल्लदामा, जलयथलयदिव्बकुसुमेहि ॥१२॥ भा० पंचासइ आयामा, धणूणि विच्छिन्न पण्णवीसं तु । छत्तीसइमुबिद्धा, सीआ चंदप्पभा भणिआ ॥९३॥ भा०
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org