SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] અચિત્ત મહાત્કંધનું સ્વરૂપ. [૨૯૩ धुवणंतराइं चत्तारि, जं धुवाइं अणंतराइं च । भेयपरिणामओ, जा सरीरजोग्गत्तणाभिमुहा ।।६४१॥ खंधदुगदेहजोग्गत्तणेण वा देहवग्गणाउ त्ति । सुहुमो दरगयबायरपरिणमो मीसयक्खंधो ॥६४२॥ જે સર્વકાળ ભાવિની અને એકોત્તર વૃદ્ધિવાળી હોય તે છુવાનન્તર વર્ગણાઓ ચાર છે. અને જે ભેદ પરિણામથી શરીરની યોગ્યતાની સન્મુખ હોય, અથવા બે સ્કંધના શરીરની યોગ્યતાથી જે હોય તે શરીર વર્ગણા કહેવાય છે, સૂક્ષ્મ અને ઈષત ગત બાદર પરિણામ તે મિશ્રઢંધ કહેવાય છે. ૬૪૧-૬૪૨. ' ઉપરોક્ત અશૂન્યાન્તર વર્ગણાઓની ઉપર છુવાનન્તર વર્ગણાઓ ચાર છે, જે સર્વકાળ ભાવિની અને નિરંતર એકોત્તર વૃદ્ધિવાળી વર્ગણા હોય તે ધ્રુવાનન્તર વર્ગણાઓ છે. પ્રથમ ધ્રુવાનન્તર વર્ગણાઓ અનન્તી છે, એજ પ્રમાણે બીજી-ત્રીજી-ને ચોથી ધ્રુવાનન્તર વર્ગણાઓ પણ અનન્તી છે. ધ્રુવવર્ગણાઓ જો કે પહેલાં કહી છે, પરંતુ તેનાથી આ વર્ગણાઓ ભિન્ન છે, કારણ કે તે કરતાં આ અતિ સૂક્ષ્મ પરિણામવાળી અને ઘણાં દ્રવ્યોથી બનેલી છે. તેથી ભિન્ન કહી છે. પ્રશ્ન :- ભલે એમ હોય; પરંતુ જો એ કેવળ એકોત્તર વૃદ્ધિવાળી છે, તો એમાં ચાર ભેદ કરવાનું શું કારણ છે ? ઉત્તર :- એ ચાર વર્ગણાઓમાં જ નિરંતર એકોત્તર વૃદ્ધિ હોય છે, અને અંતરોલમાં તે વૃદ્ધિ ત્રુટી જાય છે ત્યારે જ જુદી વર્ગણાનો આરંભ થાય છે, અથવા વૃદ્ધિ ન તૂટે તો પણ કંઈક વર્ણાદિ પરિણામની વિચિત્રતા તે ભેદના આરંભમાં કારણ છે, એમ અમારું માનવું છે, પછી તો બહુશ્રુત જાણે. એજ પ્રમાણે આગળ કહેવાશે તેવી શરીરવર્ગણામાં પણ સમજવું. ઉપર કહેલી ચાર ધુવાનન્તર વર્ગણાની ઉપર દરેકને એકેક પ્રદેશની વૃદ્ધિયુક્ત અનન્ત વર્ગણાત્મક ચાર તનુ (શરીર) વર્ગણા છે. આ વર્ગણાઓ ભેદ અને અભેદના પરિણામથી ઔદારિકાદિ શરીરોની યોગ્યતાની સન્મુખ હોવાથી તેને શરીરવર્ગણા કહેવાય છે. અથવા આગળ કહેવાશે તેવા મિશ્રરૂંધ અને અચિત્તસ્કંધની મૂર્તિની યોગ્યતાને સન્મુખ હોવાથી તેને શરીર વર્ગણા કહેવાય છે. તથા અનન્તાન્ત પરમાણુથી બનેલ સૂક્ષ્મપરિણામવાળો અને કંઈક બાદરપરિણામ સન્મુખ થયેલ સ્કંધ તે મિશ્ર સ્કંધ કહેવાય છે. ૬૪૧-૬૪૨. હવે અચિત્ત મહાત્કંધનું સ્વરૂપ કહે છે. जइणसमुग्धायगईए, चउहि समएहिं पूरणं कुणइ । लोगस्स तेहिं चेव य, संहरणं तस्स पडिलोमं ॥६४३॥ જૈનસમૂઘાતની ગતિથી ચાર સમયે લોકને પૂર્ણ કરે છે, અને તે જ પ્રમાણે ચાર સમયે (એ અચિત્ત મહાત્કંધનું) પ્રતિલોમ રીતે સંહરણ થાય છે. ૬૪૩. જૈનકેવળ સમુદ્ધાતની રીતિએ (પહેલે સમયે દંડ; બીજે સમયે કપાટ, ત્રીજે સમયે મંથાન અને ચોથા સમયે તેના આંતર પૂરીને સમગ્ર લોક પૂર્ણ કરે.) વિગ્નસા પરિણામ વશાત્ ચાર સમયે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy