________________
સામાયિક અધ્યયન સ્વસમયવક્તવ્યતા છે.
ભાષાંતર]
હવે સંખ્યાપ્રમાણમાં તેનો અવતાર કહે છે.
संखामाणे कालियसुयपरिणामे परितपरिमाणं । सुओ तदत्थओ पुण, भणियं तमणंतपज्जायं ।। १५१ ।। (નામ-સ્થાપના-દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ઉપમા-પરિમાણ-અને ભાવ એ આઠ પ્રકારની સંખ્યા અનુયોગમાં કહી છે) તે સંખ્યાપ્રમાણનો વિચાર કરતાં કાલિકશ્રુતના પરિમાણ નામની સંખ્યામાં અવતાર થાય છે. તે કાલિકશ્રુત પરિમાણ બે પ્રકારે છે, સૂત્રથી અને અર્થથી. આ સામાયિકઅધ્યયન સંખ્યાતા અક્ષરાદિવાળું હોવાથી નિયત પરિમાણવાળું છે અને અર્થાદિથી અનન્તા પર્યાયવાળું હોવાથી અનંત પરિમાણવાળું છે. ૯૫૧.
હવે વક્તવ્યતા કહે છે.
समओ जो सिद्धंतो, सो स-परो भयगओ तिविहभेओ ।
.
तत्थ इमं अज्झयणं, ससमयवत्तव्ययानिययं ।। ९५२।।
જે સમય તે સિદ્ધાન્ત કહેવાય છે, તે સિદ્ધાન્ત સ્વસિદ્ધાન્ત-પરસિદ્ધાન્ત અને ઉભયસિદ્ધાન્ત એમ ત્રણ પ્રકારે છે. (તેથી અનુયોગદ્વારમાં સ્વસમયવક્તવ્યતા-પરસમયવક્તવ્યતા અને સ્વ-પર ઉભય) સમયવક્તવ્યતા એમ વક્તવ્યતા પણ ત્રણ પ્રકારે કહી છે.) તેમાંથી આ સામાયિકઅધ્યયન સ્વસમયવક્તવ્યતાથી નિયત છે, કેમ કે એમાં સ્વસમયનું જ પ્રતિપાદન કરેલું છે. ૯૫૨.
Jain Education International
[૩૮૭
આ અધ્યયનજ સ્વસમયવક્તવ્યતાનિયત છે એટલું જ નહિ, પણ સર્વઅધ્યયનૌ સ્વસમયવક્તવ્યતા નિયત છે, સ્વસમય જ અહીંઆ અંગીકાર કરવાનો છે. કારણ કે
परसमओ उभयं वा, सम्मद्दिट्ठिस्स ससमओ जेण । तो सव्वज्झयणाई, ससमयवत्तव्यनिययाइं ॥ ९५३ ॥
પરસમય અથવા ઉભયસમય તે સમ્યગ્દષ્ટિને સ્વસમય જ છે, (કારણ કે તે તેનો યથાર્થ વિષય વિભાગ કરે છે. જો કે કેટલાક અધ્યયનોમાં પરસમય અને ઉભયસમયની વક્તવ્યતા છે. તોપણ સમ્યગ્દષ્ટિએ ગ્રહણ કરેલ છે.) તેથી સર્વે અધ્યયનો સ્વંસમયવક્તવ્યતા નિયત છે. એ વાત પૂર્વે ઘણી વખત કહેલી છે. ૯૫૩.
વળી
मिच्छत्तमयसमूहं सम्मत्तं जं च तदुवगारम्मि ।
चट्ट परसिद्धंतो, तो तस्स तओ ससिद्धंतो ।। ९५४ ॥
સ્યાત્પદયુક્તમિથ્યાત્વમતનો સમૂહ તેજ સમ્યક્ત્વ છે, કેમકે સ્વસિદ્ધાન્તમાં પરસિદ્ધાન્ત ઉપકારી છે, માટે સમ્યગ્દષ્ટિને તે સ્વસિદ્ધાન્ત છે. ૯૫૪.
એકાન્ત ક્ષણિકપણું અથવા અક્ષણિકપણું માનનારા બૌદ્ધાદિદર્શનોના સમૂહને સ્યાત્પદયુક્ત ગ્રહણ કરવા તેજ સમકિત છે, કેમ કે એ પરસિદ્ધાન્ત સ્વસિદ્ધાન્તમાં ઉપકારી છે, પરસિદ્ધાન્તની વ્યાવૃત્તિથી જ સ્વસિદ્ધાન્તની સિદ્ધિ થાય છે, કારણ કે પરસિદ્ધાન્તવાળાઓનું અસમંજસપણું જોઈને સ્વસિદ્ધાન્તમાં સ્થિરતા થાય છે. તેથી સમ્યગ્દષ્ટિને એ પરિસદ્ધાન્ત તે પણ સ્વસિદ્ધાન્ત જ છે,
For Private & Personal Use Only
www.jainelibrary.org