________________
ભાષાંતર]
ચાર પ્રકારની બુદ્ધિનાં દષ્ટાંતો.
[૬૩૫
કહી સંભળાવી અને ઉપાય પૂછયો, એટલે રોહકે કહ્યું કે જંગલમાંથી વરુ પકડી લાવીને ઘેટા પાસે બાંધો, પછી ઘેટાને દરરોજ સારો પુષ્ટિકારક ખોરાક આપો. પણ તે વરુના ભયથી બધો ખોરાક નિરર્થક થશે, અને ઘેટાનું જે તોલ છે, તે તેટલું જ કાયમ રહેશે. રોહકના કહેવાથી લોકોએ તે પ્રમાણે કરીને પંદર દિવસે ઘેટો પાછો મોકલ્યો. રાજાએ તોલી જોયો, તો તેનું વજન હતું તેટલું કાયમ હતું, જરા પણ ન્યૂનાધિક થયું ન હતું. તપાસ કરતાં જણાયું કે એ પણ રોહકની બુદ્ધિનું જ પરિણામ હતું.
તે પછી રાજાએ એક કૂકડો તે ગામપર મોકલાવીને આજ્ઞા કરી કે-આ કૂકડાને બીજા કૂકડા સિવાય યુદ્ધ કરાવવું. ગામના લોકોએ રોહકના કહેવાથી તે કૂકડા સામે આરીસો મૂક્યો. તેમાંના પ્રતિબિંબથી કૂકડાએ બીજો કૂકડો જાણીને અહંકારથી તેની સાથે યુદ્ધ કરવા માંડયું. રાજાના ગુપ્ત માણસોએ એ હકીકત રાજાને કહી એટલે રાજા પ્રસન્ન થયો. - તે પછી રાજાએ આજ્ઞા કરી કે-“નદીની રેતીનાં દોરડાં વણીને મોકલાવો.” રાજાની આવી બીલકુલ અસંભવિત આજ્ઞા સાંભળીને લોકો ગભરાઇ ગયા. એટલે રોહકે કહ્યું કે રાજાને કહેવરાવો કે મહારાજ ! તમારા ભંડારમાં રેતીનાં જુનાં દોરડાં પડ્યાં હશે, તેમાંથી નમુનો જોવા માટે એક દોરડું મોકલાવો, કે જેથી તેના અનુસાર તેવાં દોરડાં વણીને અમે એકલાવીએ, લોકોએ તે પ્રમાણે કહેવરાવ્યું. તેથી રાજા કંઈ પણ બીજો હુકમ કર્યા સિવાય મૌન રહ્યો.
એક વખત મરવાની તૈયારીવાળો રોગી અને વૃદ્ધ હાથી તે ગામમાં મોકલ્યો, અને તે સાથે કહેવરાવ્યું કે “આ હાથી મરી ગયો” એમ કહ્યા વિના દરરોજ તેના ખબર મને મોકલવા. હાથી આવ્યા પછી તેજ રાત્રિએ મરી ગયો, એટલે બીજે દિવસે રોહકના કહેવા મુજબ ગામના અધિકારીએ રાજા પાસે જઈને કહ્યું કે-મહારાજ ! આજે હાથી બેસતો નથી, ઉઠતો નથી, આહાર નીહાર કરતો નથી, અને બીજી કંઈ પણ ચેષ્ટા કરતો નથી. એ સાંભળીને રાજાએ કહ્યું, ત્યારે શું હાથી મરી ગયો? આવનાર માણસે કહ્યું-મહારાજ ! આપ એમ કહો છો, હું એમ નથી કહેતો. આ સાંભળીને રાજા ખુશ થયો.
વળી રાજાએ આજ્ઞા કરી કે-તમારા ગામના કુવાનું પાણી ઘણું સારું છે, માટે તે કુવો અહીં મોકલો. ગામના લોકોએ રોહકના કહેવાથી રાજાને કહેવરાવ્યું કે-મહારાજ ! ગામડાના લોકોની પેઠે ગામડાનો કુવો પણ સ્વભાવથી જ બીકણ હોય છે, માટે નગરનો માર્ગ બતાવનાર એક ત્યાંનો કુવો અહીં મોકલો એટલે તેની સાથે અમારા ગામનો કુવો ત્યાં આવે, આ પ્રમાણે સાંભળીને રાજા ખુશી થયો.
વળી હુકમ કર્યો કે અગ્નિના સંબંધ વિના ખીર રાંધીને મોકલો. રાજાની એ આજ્ઞાનું પાલન કરવાને ગામના લોકોએ રોહકના કહેવા મુજબ, ચોખાને ઘણા પાણીમાં પલાળીને સૂર્યના કિરણોથી તપાવ્યા, પછી ચોખાની તપેલીમાં દૂધ નાખીને તે પલાલ વિગેરે ઘાસની બાફમાં મૂકી, એટલે ખીર તૈયાર થઇ, તે રાજાને મોકલાવી.
આ રીતે દરેક પરીક્ષામાં રોહક પસાર થયો એટલે રાજાએ તેની અતિશય બુદ્ધિ જાણીને તેને પોતાની પાસે બોલાવવાને આજ્ઞા કરી, અને કહ્યું કે-રોહકે અમારી પાસે હાજર થવું, પણ શુક્લપક્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org