________________
૩૪]
નામ, સ્થાપના, દ્રવ્યમાં વિશેષતા
[વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૧
ભાવસિવાયના નામાદિ ત્રણેમાં અભિધાન દ્રવ્યત્વ અને તદર્થશૂન્યતા સરખી હોવાથી તે નામાદિ ત્રણમાં (પરસ્પર) શો તફાવત છે. ? પર.
ભાવમંગળ સિવાય નામાદિ ત્રણે મંગળમાં અભિધાન-દ્રવ્યત્વ અને તદર્થશૂન્યતા આ ત્રણે સમાન છે, એટલે તેઓમાં પરસ્પર ભેદ હોય એમ જણાતું નથી, કેમકે નામાદિ ત્રણેમાં મંગળ એવું અભિધાન તુલ્ય છે, દ્રવ્ય_પણ ત્રણેમાં સમાન છે, કારણ કે નામ અને સ્થાપનામાં દ્રવ્યનોજ સંબંધ છે, અને દ્રવ્યમાં તો દ્રવ્યપણું છે જ, તેથી દ્રવ્યત્વ પણ ત્રણેમાં સમાન છે. વળી તદર્થશૂન્યતા એટલે ભાવમંગળ રહિતપણું, તે પણ ત્રણેમાં સમાન છે, માત્ર ભાવમાં તદર્થશૂન્યતા ન હોવાથી તે ત્રણેથી ભિન્ન છે. પર. એ પ્રમાણે શિષ્યનું કથન સાંભળી આચાર્યશ્રી ત્રણેનો ભેદ-વફાવત જણાવે છે.
आगारोऽभिप्पाओ, बुद्धी किरिया फलं च पाएण । जह दीसइ ठवणिंदे, न तहा नामे न दविंदे ॥५३॥ भावस्स कारणं जह, दव्वं भावी अ तस्स पज्जाओ।
उवओग-परिणइमओ, न तहा नामं न वा ठवणा ॥५४॥ જેમ સ્થાપના ઈન્દ્રમાં આકાર-અભિપ્રાય-બુદ્ધિ ક્રિયા અને ફળ પ્રાયઃ જણાય છે તેમ નામઇન્દ્ર અને દ્રવ્ય ઇન્દ્રમાં જણાતું નથી. વળી જેમ દ્રવ્ય એ ભાવનું કારણ છે અને ઉપયોગ અને પરિણતિમય જે ભાવ છે, તે જેમ આગમ અને નોઆગમથી બેઉ પ્રકારે તેનો (દ્રવ્યનો) પર્યાય (ધર્મ) છે. તેમ નામ અને સ્થાપના ભવિષ્યમાં કે ભૂતમાં પર્યાયપણે થતાં નથી. પ૩-૫૪.
સ્થાપનાઇન્દ્રમાં હજારચક્ષુ-કુંડળ-મુકુટ-બાજુમાં ઈન્દ્રાણી-હસ્તમાં વજનું ધારણ કરવું, સિંહાસન ઉપર બેસવું ઇત્યાદિ અને શરીરસૌન્દર્યયુક્ત જેવો આકાર દેખાય છે, તથા સ્થાપના કરનારનો જેવો સબૂત ઇન્દ્ર સંબંધી અભિપ્રાય જણાય છે, અને જોનારને તે આકારના દર્શનથી જેવી ઇન્દ્રબુદ્ધિ ઉત્પન્ન થાય છે, વળી તેના તરફની ભક્તિથી પરિણત બુદ્ધિપૂર્વક તેની સેવા કરનારની નમસ્કાર કરણાદિરૂપ ક્રિયા જેવી જણાય છે, અને પુત્રોત્પત્તિ આદિરૂપ ફળ પ્રાયઃ જેવું પ્રાપ્ત થાય છે, તેવું નામઇન્દ્ર અને દ્રવ્ય ઈન્દ્રમાં નથી જણાતું, તેથી નામ અને દ્રવ્યથી સ્થાપનાનો ભેદ-તફાવત પ્રગટ છે.
વળી જેમ ઉપયોગ શૂન્ય વક્તારૂપ દ્રવ્ય, કોઈ વખતે ઉપયોગકાળે એ ઉપયોગરૂપ ભાવનું કારણ થાય છે, અને એ ઉપયોગરૂપ ભાવ તે ઉપયોગ શૂન્ય વક્તારૂપ દ્રવ્યનો પર્યાય થાય છે; અથવા જેમ કોઈ ભવિષ્યમાં ઇન્દ્રપણે ઉત્પન્ન થવાની યોગ્યતા યુક્ત સાધુનો જીવ દ્રવ્ય ઈન્દ્ર છે અને ભાવઇન્દ્રનું કારણ થાય છે અને એ ભાવેન્દ્રની પરિણતીરૂપ ભાવ તે તે સાધુના જીવરૂપ દ્રવ્યનો પર્યાય થાય છે, તેમ નામ અને સ્થાપના એક બીજાના કારણ-કાર્ય નથી થતા, માટે નામ અને સ્થાપનાથી દ્રવ્યનો ભેદ છે. આ પ્રમાણે નામ-સ્થાપનાથી દ્રવ્યનો અને નામ તથા દ્રવ્યથી સ્થાપનાનો ભેદ જણાવ્યો એટલે નામમાં આકાર અને કારણ પણું ન હોવાથી સ્થાપના અને દ્રવ્યથી ભિન્ન છે. તે ભેદ સામર્થ્યથી જણાય છે જ. જો કે પૂર્વોક્ત શંકા પ્રમાણે નામ-સ્થાપનાને દ્રવ્યમાં અભેદપણું છે, તો પણ હમણાં ઉપર કહ્યા મુજબ તેઓમાં પરસ્પર ભેદ-તફાવત છે. જેમ દૂધ-દહીં-છાસ વિગેરેમાં ગોરપણું સફેદાઇ વગેરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org