________________
૩૯૮]
સૂત્રના બત્રીશ દોષો.
[વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧
(૧૩) ક્રમ ભિન્ન - સ્પર્શન-રસન-પ્રાણ-ચક્ષુ-અને શ્રોત્રના સ્પર્શ-રસ-ગંધ-રૂપ ને શબ્દ એ વિષયો છે, એમ ક્રમસર કહેવું જોઈએ, તેને બદલે સ્પર્શ-રૂપ-શબ્દ-ગંધ ને રસ તેમના અર્થો છે, એમ કહે છે.
(૧૪) વચન ભિન્ન- જે વાક્યમાં વચનનો ફેરફાર હોય તે વચનભિન્ન જેમકે “વૃતાર્વતો પુષ્પિતા:”.
(૧૫) વિભક્તિ ભિન્ન - જે વાક્યમાં વિભક્તિનો ફેરફાર હોય છે. જેમ કે, “ પર'' એમ કહેવાનું હોય, ત્યાં “વૃક્ષ: પશ્ય” એમ કહે.
(૧૬) લિંગ ભિન્ન - જે વાક્યમાં લિંગનો ફેરફાર હોય છે. જેમ કે “૩ાં સ્ત્રી”.
(૧૭) અનભિહિત - પોતાના સિદ્ધાન્તમાં નહિ કહેલું કહેવું તે અનભિહિત દોષ, જેમ કે સાત પદાર્થ વૈશેષિકના મતે. પ્રકતિ અને પુરૂષ સહિત નવ પદાર્થ સાંખ્યના મતે, દુઃખ-સમુદય-માર્ગ અને નિરોધ એ ચાર આર્યસત્ય બૌદ્ધના મતે કહ્યા છે, છતાં તેથી અતિરિક્ત-ઉત્તીર્ણ કહેવું તે.
(૧૮) અપદ- જ્યાં આર્યાછંદનું પદ કહેવાનું હોય ત્યાં વૈતાલીય છંદનું પદ કહે તે.
(૧૯) સ્વભાવહીન - “અગ્નિ ઠંડો છે.” “આકાશ મૂર્તિમાન્ છે” ઇત્યાદિ વસ્તુ સ્વભાવને અન્યથા કહેવો તે.
(૨૦) વ્યવહિત - જે વિષય ચાલતો હોય તે છોડીને ત્યાં બીજો વિષય વિસ્તારથી કહીને ફરી પાછો તેજ વિષય કહેવો તે.
(ર૧) કાળવ્યત્યય - “રામ વનમાં પેઠા” એમ ભૂતકાલથી કહેવાનું હોય, ત્યાં “રામ વનમાં પસે છે” એમ વર્તમાનકાલથી કહે છે.
(રર) યતિ - જ્યાં અસ્થાને વિરામ હોય, અથવા સર્વથા વિરામ ન હોય તે. (ર૩) છાવ - અલંકાર રહિત હોય, તે. (૨૪) સમય વિરૂદ્ધ - સ્વસિદ્ધાન્ત વિરોધિ વચન હોય તે. (૨૫) વચનમાત્રદોષ - જે વાક્યમાં હેતુ વિનાનું કથન હોય તે.
(ર) અથપત્તિદોષ - જે વાક્યમાં અર્થપત્તિથી અનિષ્ટ આવે છે. અર્થપત્તિદોષ-જેમ કે “ઘરના કૂતરાને ન મારવો.” આમ કહેવાથી બીજા કુતરાઓને મારવામાં હરકત નથી, એમ ઉપરથી જ સમજાય છે.
(૨૭) સમાસદોષ - જે વાક્યમાં સમાસ કરવાનો હોય ત્યાં ન કરે, અથવા વિપરીત સમાસ કરે તે. " (૨૮) ઉપમાદોષ - જે વાક્યમાં હીન ઉપમાં હોય જેમ કે “મેરૂ સરસવ જેવો” તથા જે વાક્યમાં અધિક ઉપમા હોય, જેમ કે “મેરૂ જેવો સરસવ” આવા વાક્યો ઉપમાદોષવાળા છે. અને “મેરૂ સમુદ્ર જેવો” ઈત્યાદિ કથન તે અનુપમાદોષ.
ર૯) રૂપકદોષ - સ્વરૂપભૂત અવયવોનું નિરૂપણ ન કરે, અથવા વિરપીત નિરૂપણ કરે જેમ કે પર્વતનું નિરૂપણ કરવાનું હોય, ત્યાં તેના અવયવભૂત શિખરોનું નિરૂપણ ન કરે, સમુદ્રાદિના અવયવોનું નિરૂપણ કરે તે.
(૩૦) નિર્દેશદોષ - દેવદત્ત હાંડલીમાં રાંધે છે, એમ કહેવું હોય ત્યાં રાંધે છે એ પદ ન કહે અને દેવદત્ત હાંડલીમાં, આટલું જ કહે, તે નિર્દેશ દોષ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org