SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] અક્ષર અનક્ષરના ભેદથી મતિશ્રુતનો વિચાર [૯૩ મૃતનિશ્ચિતપણું હોય, તો ત્યારે મતિચતુષ્કપણ શ્રુત નિશ્ચિત થશે. કેમ કે તે પણ અક્ષરયુક્ત છે. જો તે શ્રુત વડે નથી જાણતો તો તેને શ્રુત નિશ્ચિત કેમ કહ્યું? પૂર્વે શ્રતોપકારવાળું છે, અને હમણાં તેની અપેક્ષા વિનાનું છે માટે. પૂર્વે શ્રુતપરિકમિત મતિવાળાને હમણાં જે શ્રુતાતીત જ્ઞાન થાય, તે શ્રતનિશ્રિત અને બીજાં અશ્રુતનિશ્રિત, તે અશ્રુતનિશ્રિત મતિચતુષ્ક જાણવું. મતિજ્ઞાન ભાવાક્ષરથી ઉભય પ્રકારે થાય અને વ્યંજનાક્ષરથી અનફર થાય. તથા શ્રુતજ્ઞાન અનક્ષર તથા સાક્ષર એમ ઉભય પ્રકારનું હોય છે. ૧૬૨ થી ૧૭૦. બીજા કેટલાક આચાર્યો, અનક્ષર અને અક્ષરના ભેદથી મતિ-શ્રુતનો ભેદ કહે છે, મતિજ્ઞાન અનક્ષર છે, અને બીજાં શ્રુતજ્ઞાને સાક્ષર તથા ઉચ્છવાસાદિરૂપ અનક્ષર છે. ૧૬૨ આ પ્રમાણે જેઓ કહે છે તે યોગ્ય નથી, કેમકે જો મતિ અનક્ષર જ (અક્ષરાભિલાપ રહિત જ) હોય, તો નિરભિલાપ્ય હોવાથી સ્થાણુ આદિ વસ્તુમાં ઈહા વિગેરે પ્રવર્તે નહિ. કેમકે તે મતિ પાં અનક્ષરપણે થાણુઆદિવિકલ્પનો અભાવ હોવાથી “આ સ્થાણુ છે, કે પુરૂષ છે” ઈત્યાદિ પર્યાયોના વસ્તુધર્મનો વિવેક ન થાય. (અન્વય-વ્યતિરેક આદિથી બોધ ન થાય.) જે અનક્ષરજ્ઞાન છે તેમાં અવગ્રહની પેઠે સ્થાણુ-પુરૂષાદિ પર્યાયોનો વિવેક નથી, તેવી જ રીતે ઈહાદિ પણ અનક્ષર હોવાથી, તેમાં પણ આ સ્થાણુપુરૂષાદિ પર્યાયોનો વિવેક ઘટશે નહિ. ૧૬૩. આગમમાં મતિજ્ઞાન બે પ્રકારનું કહ્યું છે. એક અવગ્રહાદિ ચાર પ્રકારનું જ્ઞાન તે શ્રુતનિશ્રિત મતિજ્ઞાન અને બીજાં ઔત્પાત્તિકી વિગેરે ચાર પ્રકારની બુદ્ધિ તે અશ્રુતનિશ્ચિત મતિજ્ઞાન. પ્રશ્ન - જો આગમમાં પણ મતિજ્ઞાન શ્રતનિશ્ચિતપણે કહ્યું છે, તો અક્ષરાત્મકશ્રતથી એ સ્થાણુપુરૂષાદિ પર્યાયનો વિવેક થયો, કંઈ મતિથી થયો નહિ. કેમકે મતિ તો સ્વયં અનક્ષર છે. ઉત્તર :- એમ માનવાથી તો એ સ્થાણુ પુરૂષાદિપર્યાયનો વિવેક એ શ્રુતનો વ્યાપાર થયો. હવે જો સ્થાણુ-પુરૂષાદિ પર્યાયનો વિવેક અક્ષરાત્મક હોવાથી, વ્યાપાર માનીએ તો અવગ્રહ સિવાયના ઈહા-અપાય વિગેરે મતિજ્ઞાનના સર્વ ભેદો ઘટે નહિં. ૧૬૪. શ્રુતવ્યાપારથી સ્થાણુ-પુરૂષાદિનો વિવેક કરનારાને તે જ્ઞાન શ્રત છે, પણ મતિનો અભાવ થવાના ભયથી તેને મતિજ્ઞાનપણે માનીએ છીએ એમ કહેવામાં આવે, તો એક બાજુ સાંધતાં બીજી બાજુ તૂટશે, કારણ કે એમ માનવાથી તો શ્રતનો અભાવ થશે. કેમકે ચરણ કરણાદિ જણાવનાર આચારાદિ અન્ય શ્રુતવ્યાપાર પણ અક્ષરાત્મક હોવા છતાં, સ્થાણુ-પુરૂષાદિ પર્યાયના વિવેકની પેઠે તે પણ મતિજ્ઞાન થશે. અને મૃતનો અભાવ થશે. સ્થાણુ-પુરૂષાદિ પર્યાયનો વિવેક તે મતિ પણ થશે, અને શ્રત પણ થશે. એમ માનવાથી બેમાંથી એકનો પણ અભાવ નહિ થાય. એમ કહેવામાં આવે, તો તે પણ ઠીક નથી. ૧૬૫. કારણ કે સ્થાણુ-પુરૂષાદિ પર્યાયના વિવેકરૂપ મતિજ્ઞાનના કાળમાં પણ જો શ્રુતજ્ઞાન માનવામાં આવે તો એક જ કાળે મતિ-શ્રુતનો ઉપયોગ થાય, પરંતુ એમ થતું નથી, કેમકે એક જ કાળે બે ઉપયોગનો આગમમાં નિષેધ કર્યો છે. અથવા આ દોષના ભયથી એક કાળે એકજ ઉપયોગ માનતાં વિવેકકાળે મતિ અથવા શ્રુતજ્ઞાન માનશો તો પણ તેમાં શ્રુતજ્ઞાન તો માની શકાશે નહિ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy