________________
૩૨]
નોઆગમથી દ્રવ્યમંગળ
[ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧
भावो विवक्षितक्रियाऽनुभूतियुक्तो हि वै समाख्यातः । सर्वज्ञैरिन्द्रादिवदिहेन्दनादिक्रियाऽनुभवात् ॥
અર્થ :- જેમ ઇન્દનાદિક્રિયાના અનુભવથી ઈન્દ્રાદિ કહેવાય તેમ જે જે ક્રિયાની વિવક્ષા કરીયે, તે તે ક્રિયાના અનુભવયુક્ત જે જે હોય, તેને તેને સર્વજ્ઞોએ તે તે અપેક્ષાયે ભાવ કહેલ છે. અર્થાત્ ઇન્દનાદિ (ઐશ્વર્યાદિ) ક્રિયાનો અનુભવનાર હોવાથી જેમ તે ભાવઇન્દ્ર કહેવાય છે, તેમ લોકમાં પ્રસિદ્ધ પરમાર્થિક પદાર્થ તે ભાવ કહેવાય છે. ભાવ તેજ મંગળ અથવા ભાવથી–પરમાર્થથી મંગળ તે ભાવમંગળ. એ ભાવમંગળ આગમથી અને નોઆગમથી એમ બે પ્રકારે છે. એ બન્ને પ્રકારના ભાવમંગળનું સ્વરૂપ ભાષ્યકાર કહે છે.
मंगलसुअउवउत्तो, आगमओ भावमंगलं होइ ।
नोआगमओ भावो, सुविसुद्धो खाइयाईओ ॥४९।। મંગળ કરનાર એવા શ્રુતના ઉપયોગવાળો વક્તા આગમથી ભાવમંગળ છે; અને સુવિશુદ્ધ સાયિકાદિભાવ તે નોઆગમથી ભાવમંગળ છે. ૪૯.
મંગળશબ્દના અર્થને જાણનારને ઉપયોગવાળો વક્તા આગમથી ભાવમંગળ છે.
પ્રશ્ન :- મંગળશબ્દના અર્થનો જે જ્ઞાનોપયોગ તેટલા માત્રથીજ તેનો વક્તા ભાવમંગળરૂપ કેમ કહેવાય? અને જો તેમ કહેવાય, તો અગ્નિજ્ઞાનોપયોગવાળો માણવક પણ અગ્નિ થવો જોઈએ. અને તે અગ્નિના ઉપ્યોગ માત્રથી અગ્નિરૂપ થતો હોય, તો તેનાથી દાહ-પાક આદિ ક્રિયા પણ થવી જોઇએ. પરન્તુ તેમ થતું નથી, એટલે તમે જે ભાવમંગળનું સ્વરૂપ કહ્યું તે યુક્તિ સંગત નથી જણાતું.. - ઉત્તર - ઉપયોગ, જ્ઞાન, સંવેદન-અને પ્રત્યય એ બધા સમાન અર્થવાળા શબ્દો છે. તથા પદાર્થ, પદાર્થનું નામ, અને તેનું જ્ઞાન એ ત્રણે વસ્તુ લોકમાં પણ એક જ નામથી બોલાવાય છે. જેમકે પહોળા પેટ વગેરે અમુક બાહ્ય આકારવાળો પદાર્થ તે ઘટ કહેવાય છે. તે ઘટવાચક નામ પણ ઘટ કહેવાય છે, અને તે ઘટના જ્ઞાનને પણ ઘટ કહેવાય છે. જેવી રીતે કોઈ પૂછે કે આ શું છે ? તો તેનો ઉત્તર ઘટ. આનું નામ શું? ઘટ. આના ચિત્તમાં શું છે? ઘટ. જ્ઞાનરૂપ પ્રત્યય તે પણ ઘટ કહેવાય છે. આથી ઘટરૂપ જ્ઞાન અને તેને ગ્રહણ કરનાર જ્ઞાતા, એ ઉભય અન્યોઅન્ય અભિન્ન છે, જો અભિન્ન ન હોય તો જેમ હાથમાં દીપક છતાં અન્ય પુરૂષ જોઈ શકે નહિ, તેમ જ્ઞાનવાળો છતાં જ્ઞાતા વસ્તુસમૂહને જાણી શકે નહિ. વળી જો જ્ઞાન જ્ઞાતાથી ભિન્ન હોય તો આત્માને બન્ધ આદિનો અભાવ થાય. કારણ કે જેમ જ્ઞાન-અજ્ઞાન સુખ-દુખ આદિ પરિણામ આકાશથી ભિન્ન છે, તેથી તેને બંધ આદિ થતા નથી, તેમ આત્મા પણ જ્ઞાન અજ્ઞાન સુખદુઃખાદિથી ભિન્ન તે અપેક્ષાએ માનીએ તો બંધ ન થાય, માટે જ્ઞાન અને જ્ઞાનવાનું કથંચિત્ અભિન્ન છે.
પ્રશ્ન :- જો એમ હોય તો ઘટજ્ઞાનના ઉપયોગવાળો દેવદત્ત ઘટજ્ઞાનોપયોગથી અનન્ય હોવાથી ઘટ કહેવાય; અને અગ્નિજ્ઞાનનાં ઉપયોગવાળો માણવક અગ્નિ જ્ઞાનના ઉપયોગથી અભિન્ન હોવાને લીધે અગ્નિ પણ કહેવાય. અને તેથી તે બેઉ અનુક્રમે જળધારણ, દાહ આદિ ક્રિયા કરનારા થવા જોઇએ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org