SearchBrowseAboutContactDonate
Page Preview
Page 587
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૬] સામાયિકના લિંગ અંગે ઋજા સૂત્રનય. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ ઉત્તર ઃ- વચન અથવા શબ્દ તે અર્થનું વિજ્ઞાન કરે છે, જો વચન ઉચ્ચાર્યા છતાં પણ અર્થજ્ઞાન ન થાય, તો કંઠ અને હોઠ સુકવનારા એવા નિષ્ફળ વચનોચ્ચાર કરવાથી શું લાભ ? પ્રશ્ન :-જે શબ્દ ઉચ્ચાર્યો હોય તેના વાચ્યાર્થ સિવાય બીજા અર્થમાં શ્રોતા રૂપ અર્થમાં જ્ઞાન ઉત્પન્ન કરે, તેથી વચન શ્રોતાના વિજ્ઞાનને ઉત્પન્ન કરનાર કહી શકાશે, પણ તે વચન વાચ્ય અર્થનો પર્યાય નહિ કહેવાય ? ઉત્તર ઃ- જો એ પ્રમાણે વાચ્ય અર્થ મૂકીને વક્તૃત્ત્તળ અર્થમાં વચન તે પ્રત્યયને ઉત્પન્ન કરે છે, એમ માનવામાં આવે, તો સામાન્યપણે સર્વ અર્થોમાં પ્રત્યય થવો જોઈએ, અથવા કોઈપણ અર્થમાં પ્રત્યય ન થવો જોઈએ; કેમ કે વચન એ અર્થનો પર્યાય ન માન્યો અને સર્વ અર્થમાં પ્રત્યયનો હેતુ છે, અથવા પ્રત્યયનો હેતુ જ નથી એમ માન્યું છે. પ્રશ્ન :- વચનથી વક્તાની અંદર પ્રત્યય થાય છે જ, કેમકે આણે આ વચન કહ્યું, એમ કહેવાય છે. તો પછી તે કહેલું વચન વિજ્ઞાનફળ રહિત કેમ થાય ? ઉત્તર ઃ- તારા કહેવા મુજબ વાચ્ય અર્થથી અન્યત્ર પ્રત્યય માનવામાં આવે, તો સર્વ અર્થમાં પ્રત્યય થાય, એ એક દોષ પ્રાપ્ત થાય, અને બીજો અભિધેય સાંકર્ય થાય. કારણ કે વક્તા પોતાને જણાવવા બોલ્યો ન હોય છતાં પણ તેવા વચનથી તે વક્તામાં પ્રત્યય માનવામાં આવે, તો વક્તાની પેઠે નહિ બોલેલ ખર-ઊંટ-ઢેલ-બગલા વિગેરે ઘણી વસ્તુઓ છે, તો તે બધામાં પણ જેમ વક્તામાં થાય છે, તેમ શ્રોતાને પ્રત્યય થાય, અને તેથી સર્વ અભિધેયનો, ઘટાદિ એક અભિધેયની સાથે અથવા વક્તા વિગેરેની સાથે સાંકર્ય થાય, એટલે કે શ્રોતાની એકજ પ્રતીતિમાં એકી સાથે તદાકાર સંક્રમણ થાય, પણ એમ થતું નથી. એકવચનથી એકજ પ્રતિનિયત ઘટાદિ આકારની પ્રતીતિ થાય છે. માટે વચન અર્થ-વસ્તુની પ્રતીતિનું કારણ હોવાથી વસ્તુનો પર્યાય છે; અહીં નિર્દિષ્ટ કહેલ સામાયિક શબ્દના અર્થરૂપ સામાયિકને રૂઢિથી નપુંસકલિંગ કહેવાય છે, માટે તદ્વશાત્ સંગ્રહ તથા વ્યવહાર સામાયિક શબ્દને નપુંસકલિંગે કહે છે. અથવા સામાયિકવન્ત જીવ સ્ત્રી-પુરૂષ કે નપુંસક હોય, તો તેમના પરિણામ તે સામાયિકથી અભિન્ન હોવાને લીધે સામાયિકને ત્રણે લિંગે પણ આ બે નય માને છે. યથા સામાયિક સ્ત્રી ઈત્યાદિ, એ પોતાની મેળે જાણી લેવું. ૧૫૧૩-૧૫૧૪. હવે ઋસૂત્રનયના મતે નિર્દેશ કહે છે. उज्जुसुओ निद्देसगवसेण सामाइयं विणिद्दिसइ । वयणं वत्तुरहीणं, तप्पज्जाओ य तं जम्हा ।। १५१५।। करणत्तणओ मण इव, सपज्जयाओ घडाइरूवमिव । साहीणत्तणओ विय, सघणं व वओं वयंतस्स ।। १५१६ ।। Jain Education International તદ્દ સુત્ત-દુત્તાઓ, તસેવાશુનો-વધાયાનો । तस्स तयमिंदियं पिव, इहरा अकयागमो होज्जा ।। १५१७ ।। ઋૠસૂત્રનય નિર્દેશક-વક્તાના વશથી સામાયિકનો નિર્દેશ કરે છે. (જે લિંગે વક્તા હોય તે લિંગે આ નય સામાયિક માને છે.) કારણ કે વચન વક્તાને આધીન છે અને તે વચન વક્તાનો For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy