SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮] મતિજ્ઞાનના પર્યાયો. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ મતિ, પ્રજ્ઞા, અવગ્રહ, ઈહા વિગેરે સર્વ શબ્દો મતિજ્ઞાનનાં વચનપર્યાયો જ છે. અને એ શબ્દોથી મતિજ્ઞાનના કહેવા યોગ્ય ભેદો તે સર્વ અર્થપર્યાયો છે. પ્રથમ મતિ-પ્રજ્ઞા વિગેરે શબ્દો સંપૂર્ણ મતિજ્ઞાનવાચી છે, અને અવગ્રહ, ઇહા વિગેરે શબ્દો મતિજ્ઞાનનાં એકદેશવાચી છે, એમ કહ્યું, હવે અવગ્રહ-ઈહા વિગેરે શબ્દો પણ સંપૂર્ણમતિજ્ઞાન વાચી છે, એમ જણાવવા માટે કહે છે. ૩૯૮. અથવા અવગ્રહ-ઇહા આદિ શબ્દો વડે સંપૂર્ણ મતિજ્ઞાન જ ગ્રહણ થાય છે, પણ તેનો એકદેશ ગ્રહણ થાય છે એમ નહિ. પ્રશ્ન :- જો એમ હોય તો ઘણા પુરૂષોએ ઉચ્ચારેલા ઘટાદિ કેટલાક શબ્દની જેમ અવગ્રહાદિ સર્વ શબ્દો એકરૂપ જ થવા જોઇએ. ઉત્તર :- કેવળ અર્થવિશેષની અપેક્ષાએ અવગ્રહાદિ શબ્દો ભિન્ન છે. એટલે કે ગ્રહણ કરવારૂપ અર્થ વડે અવગ્રહ શબ્દ, ચેષ્ટારૂપ અર્થ વડે ઈહા શબ્દ, નિશ્ચયરૂપ અર્થ વડે અપાય શબ્દ અને ધારી રાખવારૂપ અર્થવડે ધારણા શબ્દ, એ સર્વશબ્દોથી આભિનિબોધિક જ્ઞાન જ ગ્રહણ થાય છે. એ રીતે ગ્રહણ કરવારિરૂપ અર્થવિશેષની અપેક્ષાએ જ અવગ્રહાદિ શબ્દો ભિન્ન છે. વસ્તુતઃ તો આભિનિબોધિક જ્ઞાનને જ જણાવનારા છે. પ્રશ્ન :- જો એ પ્રમાણે અવગ્રહાદિ શબ્દો વડે સર્વ આભિનિબોધિક જ્ઞાન જ ગ્રહણ કરાયા છે, તો પછી અવગ્રહ-ઇહા-અપાય અને ધારણારૂપ આભિનિબોધિકજ્ઞાનના સર્વભેદોની સંકરતા પ્રાપ્ત થશે. કારણ કે તેમની વ્યુત્પત્તિ પ્રમાણે દરેકમાં અવગ્રહાદિનું સ્વરૂપ છે, એટલે કે અવગ્રહનું સામાન્ય ગ્રહણ કરવારૂપ, ઇહાનું વિચારણારૂપ ઇત્યાદિ સ્વરૂપ યથાયોગ્ય સર્વમાં છે. ઉત્તર :- કેવળ અર્થવિશેષને અપેક્ષીને અવગ્રહાદિ ભિન્ન ભિન્ન છે. એટલે કે સામાન્ય ગ્રહણવિચારણા-નિશ્ચય-અને ધારી રાખવા રૂપ સામાન્ય સ્વરૂપ, એ સર્વમાં અનુક્રમે હોવાથી, અવગ્રહાદિ શબ્દ વડે અવગ્રહાદિ કહેવાય છે; તો પણ અર્થવિશેષની અપેક્ષાએ સર્વ જુદા જુદા છે. જેમકે અવગ્રહની અંદર જેવું સામાન્ય અર્થનું ગ્રહણ થાય છે, તેવું ઈહામાં નથી થતું, પરન્તુ તેનાથી વિશેષ અર્થ ગ્રહણ અનુક્રમે ઇહા-અપાયને-ધારણામાં થાય છે. વળી જેવી મતિની ચેષ્ટા ઈહામાં થાય છે, તેવી બીજે નથી થતી, પણ તે કરતાં વિશેષ અપાય ને ધારણામાં થાય છે. અવગ્રહમાં તો સામાન્યપણે જ થાય છે. તેમ જ અર્થનો નિશ્ચય પણ અપાય કરતાં ધારણામાં વિશેષ થાય છે, ઇહા અને અવગ્રહમાં એક બીજાથી વધારે સામાન્ય રીતે થાય છે. તથા અર્થને ધારી રાખવાનું જેવું ધારણામાં સર્વથી શ્રેષ્ઠ થાય છે, તેવું અવગ્રહ-ઇહા-અને અપાયમાં નથી થતું. આ રીતે અવગ્રહણાદિ માત્ર સર્વને સમાન છતાં, અર્થવિશેષની અપેક્ષાએ અવગ્રહાદિ ભિન્ન ભિન્ન છે. વળી એ અર્થવિશેષ આ અવગ્રહાદિથી ગ્રાહ્ય છે, એમ પહેલાં વિસ્તારથી કહી ગયા છીએ. આ બીજી વ્યાખ્યા વૃદ્ધ સંમત છે, અને પ્રથમની વ્યાખ્યા યુક્તિસંગત છે તેથી બન્ને વ્યાખ્યા નિર્દોષ છે. ૩૯૯ : પ્રશ્ન :- અવગ્રહાદિ શબ્દ વડે સંપૂર્ણ અભિનિબોધિક જ્ઞાન કેવી રીતે ગ્રહણ કરાય છે ? ઉત્તર :- ગ્રહણ કરવું તે અવગ્રહ, એ વ્યુત્પત્તિથી અવગ્રહ-હા-આદિ ભેદવાળું સર્વ આભિનિબોધિકજ્ઞાન અવગ્રહરૂપ જ છે, કારણ કે જેમ અવગ્રહ કોઇપણ અર્થને ગ્રહણ કરે છે તેમ ઇહા પણ કોઈક અર્થને ગ્રહણ કરે છે; એજ પ્રમાણે અપાય અને ધારણા પણ અર્થ ગ્રહણ કરે છે-જાણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy