SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર) કેવળજ્ઞાનનું સ્વરૂપ. [૩૪૭ તે વચનયોગ શ્રત છે, એમ કેટલાક કહે છે, અથવા સાંભળનારાઓને શ્રુતનું કારણ હોવાથી વચનયોગ શ્રત છે. ૮૩૦ થી ૮૩૬ આ પ્રમાણે કેવળજ્ઞાનનું સ્વરૂપ કહ્યું, હવે એના ગતિ આદિ દ્વારોમાં સત્પદપ્રરૂપણાદિ કહે છે. તેમાં પ્રથમ ગતિદ્વારમાં મનુષ્યગતિ અને સિદ્ધગતિમાં કેવળજ્ઞાન હોય છે, બીજીમાં નહિ. ઇન્દ્રિયદ્વારમાં અતીન્દ્રિયને હોય છે, કાયદ્વારમાં ત્રસકાય અને અકાયમાં હોય છે, યોગદ્વારમાં સયોગી અને અયોગીને હોય છે, વેદદ્વારમાં અવેદીને હોય છે, કષાયદ્વારમાં અકષાયીને હોય છે, વેશ્યાદ્વારમાં સલેશી અને અલેશીને હોય છે, સમ્યકત્વદ્વારમાં સમ્યગૃષ્ટિને હોય છે, જ્ઞાનદ્વારમાં કેવળીને હોય છે, દર્શનદ્વારમાં કેવળદર્શનવાળાને હોય છે, સંયતદ્વારમાં સંયતી અને નોસંયતીનોઅસંયતીને હોય છે, ઉપયોગદ્વારમાં સાકાર અને અનાકાર બન્ને ઉપયોગમાં હોય છે, આહારકતારમાં આહારી અને અનાહરી બન્નેમાં હોય છે, ભાષકદ્વારમાં વક્તા અને અવક્તા ઉભયમાં હોય છે, પરીત્તદ્વારમાં પરીત્તને અને નોપરીત્તનોઅપરીત્તને હોય છે. પર્યાપ્તદ્વારમાં પર્યાપ્તાને અને નોપર્યાપ્તાનોઅપર્યાપ્તાને હોય છે. સૂક્ષ્મદ્વારમાં બાદરને અને નોબાદરનો સૂક્ષ્મને હોય છે, સંજ્ઞીદ્વારમાં નોસંજ્ઞીનોઅસંજ્ઞીને હોય છે, ભવ્યદ્વારમાં ભવ્યને અને નોભવનોઅભવ્યને હોય છે. ચરમદ્વારમાં ચરમ એટલે ભવસ્થ કેવળીને અને નોચરમનોઅચરમ એટલે સિદ્ધને કેવળજ્ઞાન હોય છે. કેવળજ્ઞાન પૂર્વે પામેલા અને અત્યારે પામતા જે જીવો છે, તેનો વિચાર પોતાની બુદ્ધિથી કરી લેવો. દ્રવ્ય પ્રમાણતારમાં-કેવળજ્ઞાન પામનારા વધારેમાં વધારે એક સમયે એકસો આઠ હોય છે, અને પૂર્વે કેવળજ્ઞાન પામેલાઓ ભવસ્થકેવળી ઓછામાં ઓછા અને વધારેમાં વધારે બેથી નવક્રોડ હોય છે, અને અનન્તા સિદ્ધને કેવલજ્ઞાન હોય છે. ક્ષેત્ર અને સ્પર્શનાદ્વારમાં જઘન્યથી લોકના અસંખ્યાતમા ભાગે કેવળી હોય છે, અને ઉત્કૃષ્ટથી (સમુધાતાવસરે) સર્વલોકમાં હોય છે. કાળદ્વારમાં સાદિ અપર્યવસિત (અનન્ત) કાળ સુધી સર્વ કેવળી હોય છે. કેવલજ્ઞાનનું અત્તર નથી, કેમકે તે ઉત્પન્ન થયા પછી નાશ પામતું નથી. ભાગદ્વાર મતિજ્ઞાનની પેઠે સમજવું. ભાવકારમાં કેવળજ્ઞાન સાયિકભાવે હોય છે, અને અલ્પ-બહુ_દ્વાર પણ મતિજ્ઞાનની પેઠે સમજવું. ૮૩૦-૮૩૬. કેવળજ્ઞાનનો વિચાર પૂર્ણ થયો. તે પૂર્ણ થવાથી પાંચ જ્ઞાનનો અધિકાર પૂર્ણ થયો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy