________________
૨૩૨]
એક વસ્તુનાં પૂર્ણજ્ઞાને સર્વજ્ઞાન.
વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧
જેમ દર્શન-જ્ઞાન અને ચારિત્ર ગોચર સ્વકાર્ય નિષ્પાદક સર્વદ્રવ્ય-પર્યાયો સ્વધનની જેમ ભિન્ન છતાં પણ, શ્રદ્ધા કરવા યોગ્ય જાણવા યોગ્ય અને ક્રિયા-૬ળમાં ઉપયોગી હોવાથી તે પર્યાયો યતિના કહેવાય છે, તેવી જ રીતે ગ્રહણ અને ત્યાગ કરવાનાં કારણભૂત તે દરેક પર્યાયો અક્ષરોના છે અને ઘટાદિના પણ છે. ૪૮૨-૪૮૩.
દર્શન-જ્ઞાન અને ચારિત્રના વિષયભૂત સર્વદ્રવ્ય પર્યાયો ભિન્ન છતાં પણ તે દ્રવ્યપર્યાયો યતિના કહેવાય છે. કારણ કે તેઓ સ્વકાર્ય નિષ્પાદક છે. એટલે કે દર્શન, જ્ઞાન અને ચારિત્રમાં ઉપયોગી છે. જેમ કે તે પર્યાયોની સમ્યગ્રદર્શન વડે શ્રદ્ધા કરાય છે, જ્ઞાન વડે જણાય છે અને આહાર, વસ્ત્ર, પાત્ર આદિ ઉપકરણ-ઔષધ અને શિષ્યાદિદ્વારા ચારિત્રને ઉપયોગી છે. તે માટે કહ્યું છે કે “પહેલા વ્રતમાં સર્વજીવો, બીજા અને છેલ્લા (પાંચમા) વ્રતમાં સર્વ દ્રવ્યો અને બાકીના ત્રીજા ચોથા વ્રતમાં દ્રવ્યોનો કેટલોક ભાગ ઉપયોગી છે.”
આ પ્રમાણે એ સર્વ જ્ઞાન-દર્શન અને ચારિત્રના વિષય છે. વ્રત ચારિત્ર સ્વરૂપ છે, અને ચારિત્ર જ્ઞાન-દર્શન વિના હોતું નથી. આજ કારણથી સર્વ દ્રવ્ય-પર્યાયો શ્રદ્ધેયાદિરૂપે ઉપયોગી છે, તે સિવાય શ્રદ્ધાદિ હોઈ શકે નહિ, કારણ કે વિષય વિના વિષયી ન હોય. આ રીતે સ્વકાર્ય નિષ્પાદક જ્ઞાન-દર્શનાદિ સ્વપર્યાયો યતિના-મુનિના કહેવાય છે, અથવા જેમ કોઈ પુરૂષનું દ્રવ્ય-ધન તેનાથી ભિન્ન છતાં પણ તેનું કહેવાય છે, તેમ સર્વ દ્રવ્ય પર્યાયો પણ ત્યાગ અને ગ્રહણ કરવાનાં કારણભૂત હોવાથી તે દરેક સર્વઅક્ષરોના કહેવાય છે, ઉપલક્ષણથી ભિન્ન છતાં ઘટાદિના પણ છે. ૪૮૨-૪૮૩. ઉપરોકત કથન સૂત્ર વિરૂદ્ધ નથી, કારણ કે -
' एगं जाणं सबं, जाणइ सव्वं च जाणमेगंति । _ इय सबमजाणतो, नागारं सबहा मुणइ ॥४८४॥ એકને જાણનાર સર્વ જાણે છે, અને સર્વને જાણનાર એકને જાણે છે. એ પ્રમાણે સર્વને નહિ જાણનાર અકારને પણ સર્વ પ્રકારે નથી જાણતો. ૪૮૪.
સૂત્રમાં કહ્યું છે કે- “જે એક જાણે છે તે સર્વ જાણે છે, અને જે સર્વ જાણે તે જ એક જાણે છે.” એટલે કે કોઈપણ એક વસ્તુને સર્વ પ્રકારે-સ્વ-પરપર્યાય યુક્ત જાણનાર વ્યક્તિ, સર્વ લોકાલોકમાં રહેલી વસ્તુને સર્વપ્રકારે સ્વ-પર પર્યાયયુક્તપણે જાણે છે. જો સર્વવસ્તુનું જ્ઞાન થયું હોય તો જ એકવસ્તુનું સંપૂર્ણ જ્ઞાન થાય. અને જે સર્વપર્યાય સહિત એક વસ્તુ જાણે છે, તેજ સર્વ વસ્તુને પણ સર્વપર્યાય સહિત જાણે છે, કારણ કે એક વસ્તુનું સંપૂર્ણ જ્ઞાન થયું હોય, તો જ સર્વવસ્તુનું જ્ઞાન થાય. આથી એ સિદ્ધ થયું કે સર્વપર્યાય સહિત વસ્તુ નહિ જાણનાર અકારરૂપ અક્ષરને સર્વપ્રકારે-સર્વપર્યાય યુક્ત નથી જાણતો, પણ જો સર્વવસ્તુનું જ્ઞાન થયું હોય, તો જ એક અક્ષર સર્વપ્રકારે જાણી શકે છે. ૪૮૪. પ્રસ્તુત અક્ષરના પર્યાયમાં ઘટાદિ પર્યાયોનો સંબંધ જણાવે છે.
जेसु अनाएसु तओ न, नज्जए नज्जए य नाएसु । किह तस्स ते न धम्मा, घडस्स रुवाइधम्म व्ब ? ॥४८५॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org