Book Title: Bodhamrut Part 3
Author(s): Govardhandas
Publisher: Shrimad Rajchandra Ashram
Catalog link: https://jainqq.org/explore/004638/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ બો ધારે (પત્ર ને લઈ Page #2 -------------------------------------------------------------------------- ________________ સોરાસીરોસીસોર રીસોરારી છે શ્રી લઘુરાજ સ્મારક ગ્રંથમાળા-પુષ્પ દસમું બોધા મૃત (તૃતીય ભાગ) (પત્ર સુધા) aleeleelezielalalaaaaa e1281818181818182.ee/eletetelo શ્રી બ્રહ્મચારીજી પ્રકાશક શ્રીમદ્ રાજચંદ્ર મુમુક્ષુ (અનુયાયી) મંડળ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ Gી જાતિકિક કિસિકિાનાકોનો Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : મનહરલાલ ગોરધનદાસ કડીવાલા, પ્રમુખ, શ્રીમદ્ રાજચંદ્ર મુમુક્ષુ (અનુયાયી) મંડળ, શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ પિ. બોરીઆ-૩૮૮ ૧૩૦, વાયા આણદ (ગુજરાત) વિક્રમ સંવત તૃતીયાવૃત્તિ-પ્રત ૩૦૦૦ ઈસ્વી સન્ ૧૯૯૨ વીર સંવત ૨૫૧૮ ૨૦૪૮ કિંમત રૂપિયા આઠ મૂળ મુદ્રકભીખાભાઈ એસ. પટેલ ભગવતી મુદ્રણાલય, ૧૯, અજય ઇંડસ્ટ્રિયલ એસ્ટેટ, દૂધેશ્વર, અમદાવાદ-૧ Page #4 -------------------------------------------------------------------------- ________________ છે પૂ. શ્રી બ્રહ્મચારીજીના પત્રોમાંથી... | શારીરિક પતિવ્રતાપણું (બ્રહ્મચર્ય – શીલ) તે દેવગતિનું કારણ છે અને પરમગુરુને વિષે એકનિષ્ઠાએ જે નિઃશંકપણે પતિવ્રતાપણું છે તે પરમપદનું કારણ છે. (૩૩) * પરમકૃપાળુદેવના પત્રો એ જ આપણને નવજીવન અર્પનાર છે. આપણા ઉપર જ જાણે આજે જ અમુક પત્ર આવ્યું છે એમ જાણી જિજ્ઞાસા તીવ્ર રાખી વાંચીશું, વિચારીશું તે તેમાંથી અપૂર્વ બળ પ્રાપ્ત થશે. (૧૦૦) D ઉપશમ જેવું કંઈ પણ ઔષધ છે જ નહીં અને તે સંસારના દરેક પ્રસંગ માટે સફળ અને અમોઘ શસ્ત્ર છે. (૧૦૩) D શ્રદ્ધાની જેટલી ખામી છે તેટલો જ છવ દુઃખી છે; નહીં તે તેનું મૂળ સ્વરૂપ પરમાનંદરૂપ છે તે કેમ ભૂલે? (૧૨૭) T સદ્વર્તન, સદાચરણ એ મોટી પ્રભાવના છે. (૧૩૭) D નિષ્કામ ભાવે ગુરુભક્તિ પરમસુખને આપનાર છે. (૧૮૬) અત્યારની ભૂમિકામાં ગહન વિષયમાં મન પ્રવેશ ન કરી શકે તે મુઝાવા જેવું નથી. અવસરે સર્વ વાતોને નિકાલ થઈ રહેશે એ શ્રદ્ધા પણ જરૂરની છેo. (૨૪) | સત્સંગ એ આત્મહિત કરવા ઇચ્છે તેને અનિવાર્ય સાધન છે. (૩૩૬) || આ ભયંકર, અસહ્ય સંસારનાં દુઃખથી બચવું હોય તે અનન્ય ભાવે એકનિષ્ઠાએ જ સર્વસ્વપણે પરમપ્રેમે પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રને શરણે ચિત્ત રાખી, તેને ક્ષણવાર પણ વિચારવા નથી, એવું વ્રત લેવા યોગ્ય છે. એને મૂકીને બીજામાં ચિત્ત જાય છે ત્યાં બળતરા, બંધન અને ભવભ્રમણ ઊભું થાય છે. (૩૪૨) T સદ્ગુરુશરણ સાચા અંતઃકરણે સ્વીકારાય તેટલી માર્ગ નિકટતા છે. (૪૦૫) ચિત્તની નિર્મળતા, નિર્દોષતા એ પ્રસન્નતા છે રાગદ્વેષ છે ત્યાં મલિનતા, આસક્તિ, ફ્લેશ છે. (૪૩૭) D જેમ જેમ સદગુરુના અચિંત્ય માહાભ્યને પ્રફુલ્લિત ભાવ ખુરશે તેમ તેમ આપણી દશા પણ વધતી જશે. સદ્ગુરુની ભક્તિ એ સર્વોત્તમ ઉપાય છેજી. (૪૭૬) D સમભાવ એ મેક્ષને દ્વારપાળ છે. તેની રજા વગર કોઈ મોક્ષ પામ્યા નથી અને . તે સહનશીલતાથી પ્રાપ્ત થાય છે. સહનશીલતાને આધાર સમ્યફ સમજણ – આત્મ- 9 જ્ઞાન છે. (૪૮૧) * આવા ( ) કૌંસમાં આપેલ અંક પત્રસુધા' પત્ર નંબર સૂચવે છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ 0 2 92 2 00 0 2 & c). | સર્વ સુખનું મૂળ, સમાધિમરણનું કારણ અને મોક્ષનું કારણ સાચા શરણને મરણ જ સુધી ટકાવી રાખવું એ જ છે. (૫૫૪) તો D એક પરમકૃપાળુદેવની શ્રદ્ધા જ સુખકારી છે. જેને તે શ્રદ્ધા આવી તે દુઃખી હેત નથી, દુઃખ આવી પડે તે દુખ માનતો નથી. તેને એક પ્રકારને આધાર મળે છે. (૫૫૬) A D શ્રીમને જે કંઈ કહેવું છે તે “મોક્ષમાળા” અને “આત્મસિદ્ધિ માં કહી દીધું છે, પણ તેટલે વૈરાગ્ય જીવમાં જાગે અને કષાયનું બળ મંદ પડે તે તેવી વિશુદ્ધિએ તેમાં દર્શાવેલી અચિંત્ય સમૃદ્ધિ સમજાય તેમ છે. (૬૧૯) D વેદનકર્મ અઘાતી છે. તે સમજણને ફેરવવા સમર્થ નથી. પરંતુ દેહાધ્યાસ કે દર્શનમોહ ની વેદનાને મદદ કરે છે અને તેથી જીવને શરીરમાં તન્મયતા થતાં અસહ્ય ભાસે છે. (૭૩૩) D દેહાદિ પ્રત્યે જેટલે ઉદાસભાવ રહેશે અને વિષયોની ભીખ ટળી જેટલે સંતોષ અને સહનશીલતા વધશે તેટલી આત્મદશા પ્રગટ થશે. (૭૮૪) D ઠામ ઠામ અસત્સંગના પ્રસંગે આ કાળમાં બને છે, તેથી ઝાઝું સમજવાની ઈરછાએ અસત્સંગ ન ઉપાસ. કંઈ નહીં તે મંત્રની માળા ફેરવાશે તે તે પણ પુસ્તકની ગરજ સારે તેમ છે. માત્ર જીવને શ્રદ્ધાની જરૂર છે. (૮૧૨) D પરમકૃપાળુદેવમાં પરમ પ્રેમ પ્રગટે અને તેમનાં વચને અમૃતતુલ્ય લાગે તેમ સંસારપ્રેમ સંક્ષેપવા સત્સંગ સર્વનું મૂળ છે તેની ખામી તેટલી બધામાં ખામી. (૮૫૬) | ભેળવીને કર્મથી છૂટવાની વૃત્તિ ભૂલભરેલી છે. ભગવતાં સમભાવ રહે મહાદુર્ઘટ છે, તૃષ્ણ વધે છે અને કર્મ બળવાન થાય છે. માટે ભેગ પહેલાં, ભેગ વખતે અને પછીથી પશ્ચાત્તાપ ન ચુકાય એ જ ખરો પુરુષાર્થ કે વૈરાગ્ય છે. (૯૭૮). U જ્ઞાનીપુરુષનાં વચન ઘણાં વર્ષો પહેલાં લખાયેલાં હોય તે પણ અબઘડી આપણને પ્રત્યક્ષપણે ઉપકારી છેજ. મને ગમે છે માટે તે વચને સારાં છે એમ માનવા કરતાં, આત્મજ્ઞાન પૂર્વક લખાયેલાં તે વચને મારા જેવા અને લાકડીની ગરજ સારનારાં પરમ ઉપકારી કુલ ' છે એવી ભાવના, ઉપકારદષ્ટિ રાખવાથી તે વચને મોક્ષમાર્ગ દાતા બને છે. (૯૭૧) જેનું ફળ આત્મશાંતિ પ્રત્યેન હેય તે પુરુષાર્થ પ્રમાદરૂપ જ્ઞાની પુરુષે ગણે છે. (૯૮૨) D પરમકૃપાળુદેવ આ કાળમાં અપવાદરૂપ છે. હજારો વર્ષે તેવા પુરુષે દેખાવ દે છે છે ઘણુ ખરા મહાત્માઓ ગણાતા પરમકૃપાળુદેવના જ્ઞાન અને વીતરાગપણની સરખા- 0 મણીમાં આવી શકે તેવા નથી. માટે “એક મત આપડી ને ઊભે માર્ગે તાપડી”ની વાત જેવું આંખે મીંચી તેને શરણે રહેવાને પુરુષાર્થ કર્તવ્ય . (૯૨) જેની પાસે “શ્રીમદ્ રાજચંદ્ર” ગ્રંથ છે તેને ઘેર સમજણને ભંડાર છે, પણ જીવની યોગ્યતા પ્રમાણે તેમાંથી તે ગ્રહણ કરી શકે છે. (૧૦૦૨) 92, O2 છે. એ છે ક©O Page #6 -------------------------------------------------------------------------- ________________ > ૨ ઈ ૨ જી CO 2 wા CO 2 OC છO 29 CO OGA છ 2 જ CO 2 જી છOS 00 S SO O 2 OO S 90 OO / છ. શ્રી બ્રહ્મચારીજી ગોવર્ધનદાસજી 09 200 OG જન્મ : બાંથણી છે. વિ. સં. ૧૯૫ જન્માષ્ટમી, રવિ દેહવિલય : આશ્રમ, અગાસ થી વિ. સં. ૨૦૧૦ કાર્તિક સુદ ૭ - QO 9 ક ઈG SજOOD છ 00 સ્ક0 Page #7 --------------------------------------------------------------------------  Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનું નિવેદન (દ્વિતીયાવૃત્તિ). લગભગ ૧૩ વર્ષ પછી “બેધામૃત” ભાગ ૩ (પત્રસુધા)ની આ દ્વિતીય વિસ્તૃત આવૃત્તિ મુમુક્ષુઓના હસ્તકમળમાં મૂકતાં આનંદ થાય છે. પ્રથમવૃત્તિ કરતાં આમાં લગભગ ૬૦૦ પત્રે નવા ઉમેરવામાં આવ્યા છે અને ગ્રંથના અંતમાં વિવિધ પરિશિષ્ટ પણ આપવામાં આવ્યા છે કે જેથી સતુજિજ્ઞાસુઓ આ ગ્રંથને અભ્યાસ સુગમતાથી કરી શકે. આ અત્યુપયોગી સંદર્ભગ્રંથ (Reference Volume) સૂક્ષ્મ સંશોધનપૂર્વક અને આટલા સુંદરકારે થોડા વખતમાં પ્રકાશિત થઈ શક્યો તેનું શ્રેય લગભગ સર્વ રીતે અગાસ આશ્રમ સ્થિત બા. બ્ર. ભાઈ શ્રી અશોકકુમાર જૈન B. Com.(Hons)ને ઘટે છે. આ ગ્રંથને લગતી સર્વે સાહિત્ય-સામગ્રી એકત્રિત કરી તેનું કાળજીપૂર્વક સંશોધન કરી અને પ્રેસ-કૉપી તૈયાર કરવાથી માંડીને ઠેઠ ગ્રંથ-છપાઈનાં વિવિધ અંગમાં તેમનું લગભગ એકલા હાથે નિષ્ઠાપૂર્વકનું કાર્ય જ આ ગ્રંથાવૃત્ત થવામાં કારણભૂત થયું છે. મહાપુરુષ પ્રત્યેની ભક્તિ અને તેમનાં વચને પ્રત્યેન અહેભાવનું આ ફળ છે. છેલ્લે, ગ્રંથ-પ્રકાશન માટે જે મુમુક્ષુ ભાઈબહેને તરફથી આર્થિક મદદ મળી છે તેમની યાદી સાભાર અન્યત્ર આપવામાં આવી છે. સપુરુષનું વચનબળ સર્વેને આત્મશ્રેયનું કારણ બને એ શુભેચ્છા સહ. , સૂરત, લિ. સંતચરણસેવક ગુરુપૂર્ણિમા, સં. ૨૦૩૮ મનહરલાલ ગોરધનદાસ કડીવાળા Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના (દ્વિતીયાવૃત્તિ) “શ્રી રાજચંદ્ર પ્રભુચરણકમળમાં મૂકું, મુજ મસ્તક ભાવે, ભક્તિ નહીં હું ચૂકું; આ કળિકાળમાં મેક્ષમાર્ગ ભુલાયે, અવિરેધપણે કરી તમે પ્રગટ સમજાવ્યો.” પ્રજ્ઞાબેધ” પુષ્પ ૭૬ – “મોક્ષમાર્ગની અવિધતા' પ્રસ્તુત ગ્રંથના કર્તાપુરુષ પૂજ્ય શ્રી બ્રહ્મચારીજી (સ્વ. ગેવર્ધનદાસજી કાળિદાસ પટેલ) છે. તેઓશ્રી ૩૫ વર્ષની ઉંમરે સંવત ૧૯૮૦ થી કુટુંબાદિ સર્વ લૌકિક સંગને ત્યાગ કરીને એકમાત્ર આત્મકલ્યાણ અર્થે શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસમાં ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીની સેવામાં આજ્ઞામાં જીવનપર્યત રહ્યા હતા. “આજ્ઞામાં જ એકતાન થયા વિના પરમાર્થના માર્ગની પ્રાપ્તિ બહુ જ અસુલભ છે. એકતાન થવું પણ બહુ જ અસુલભ છે.” (૧૪૭) “જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે કરી શકે કે જે એકનિષ્ઠાએ તન, મન, ધનની આસક્તિને ત્યાગ કરી તેની ભક્તિમાં જોડાય.” (૨૦૦) પરમકૃપાળુદેવના આ વચનામૃતેને જાણે ચરિતાર્થ કરતા હોય તેમ પૂ. શ્રી બ્રહ્મચારીજીનું જીવન સપુરુષની આજ્ઞા અને ભક્તિના અવતાર સમું બન્યું હતું. પરમકૃપાળુદેવ જાણે તેમના રોમેરેામમાં વસ્યા હોય તેમ તેમનાં આચરણ, વચન અને લેખન ઉપરથી ફલિત થતું હતું. તેઓશ્રીનું આત્મનિષ્ઠ આધ્યાત્મિક જીવન અને સરળ સુરુચિકર સસાહિત્યસર્જન, મધ્યસ્થતાથી અવલોકન કરનારને પણ પ્રભાવ પાડડ્યા વિના રહેશે નહીં? “બીજું કંઈ શોધ મા, શાણું ! ખરા પુરુષને શોધી, ચરણકમળે બધા ભાવે સમર્પ, પામ લે બેધિ, પછી જે મેક્ષ ના પામે, અમારે આપ એવું, ઉતાર્યો માનજે વીમે, કહ્યું છે જ્ઞાનએ કેવું !' પ્રજ્ઞાવધ’ પુષ્પ ૯૧ – દર્શનસ્તુતિ પરમકૃપાળુદેવનાં વચનામૃતને તેમણે કરેલે આ ભાવપદ્યાનુવાદ જાણે તેમના જીવનમાં તાણાવાણાની જેમ વણાઈ ગયે હતે. માત્ર એક સપુરુષ પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુને આશ્રયે તેમના ચરણકમળમાં સર્વ ભાવ અર્પણ કરી વર્તવાથી આત્મદશા કેટલી ઉન્નત થઈ શકે છે તેના તેઓ જીવંત પ્રતીક અને મૂર્તિમંત આદર્શ હતા. પરમકૃપાળુદેવનાં વચનામૃત વિશેષતઃ સૂત્રાત્મક શૈલીથી ગૂ થાયેલાં સિદ્ધાંતવાક્યો છે. તે સામાન્ય મુમુક્ષુથી પચાવવાં કઠિન છે. પૂ. શ્રી બ્રહ્મચારીજીએ પ. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીના પાદમૂળમાં ૧૨ વર્ષ અહોરાત્ર આજ્ઞાંકિતપણે રહી અવિરત અને ઉત્કટ સન્દુરુષાર્થ કરી તે લબ્ધિવચનને પચાવવાની યોગ્યતા પ્રાપ્ત કરી તેને પિતાના જીવનમાં ચરિતાર્થ કર્યા “વારિ હજુ ધ' (‘અવરનવાર) નાથા ૭) ચારિત્ર જ ખરે ધર્મ છે. સાચું સાંભળી, જાણું અને સમજી, જેટલે અંશે જીવનમાં તેનું પરિણમન થાય તેટલે અંશે ધર્મનું પ્રગટપણું કહેવા ગ્ય છે. Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રેરણાદાયી પ્રયોગવીર એવા પૂ. શ્રી બ્રહ્મચારીજીમાં ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ પિતાની જ્ઞાનદષ્ટિથી, ધર્મનું ઉત્તરદાયિત્વ સંભાળવાની તેમ જ માર્ગ પ્રવર્તાવવાની સર્વાશે યોગ્યતા જોઈ તેમને સંવત ૧૯૯૨ માં “ધર્મ'ની સેંપણી કરી – “મંત્ર આપ, વીસ દોહરા, યમનિયમ, ક્ષમાપનાને પાઠ, સાત વ્યસન, સાત અભક્ષ્ય જણાવવા. તને ધર્મ સંપું છું.” (શ્રી બ્રહ્મચારીજીની ડાયરી). સંવત ૧૯૯૨ માં ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીને દેહોત્સર્ગ થયે. તે પછી તેઓશ્રીના વિરહમાં પૂ. શ્રી બ્રહ્મચારીજીને આત્મ-પુરુષાર્થ ઉત્તરોત્તર વધતું ચાલ્યું અને તદનુસાર આત્મદશા વર્ધમાન થતી ગઈ. સંવત ૧૯૯૩ના જયેષ્ઠ વદ છઠને દિને આત્માનુભવરૂપ જાગ્રત ભાવ જણાયાનું અને અજ્ઞાનરૂપી અંધકાર વિલય થયાનું તેઓ સ્વરચિત ધર્મ રાત્રિ' કાવ્યમાં નોંધે છે – યાત્રાની અંતિમ રાત્રિએ, જાગ્રતભાવ જણાયે રે, માંગલિક શુભ અધ્યવસાયે, અંધકાર ગમા રે.” પછી તે સંવત ૧૯૬ના વૈશાખ વદ નવમીને દિને પરાભક્તિની છેવટની હદરૂપ પરમાત્મામાં અભેદતા થઈ તેનું તાદશ વર્ણન આ પંક્તિમાં મળે છે – આજ ઊગ્ય અનુપમ દિન મારે, તત્વપ્રકાશ વિકાસે રે; સદ્દગુરુ સ્વરૂપ અભેદ અંતરે, અતિ અતિ પ્રગટ પ્રભાસે રે.” ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીના વિદ્યમાનપણામાં તેઓશ્રીજી ઉપર મુમુક્ષુઓના સજિજ્ઞાસુવૃત્તિથી લખેલા પત્રોના ઉત્તર પૂ. શ્રી બ્રહ્મચારીજી તેઓશ્રીજીની આજ્ઞા અને સૂચના પ્રમાણે લખતા. મુમુક્ષુઓને પત્રોત્તર લખવાની એ સ્વપર-હિતકારી પ્રણાલી પૂ. શ્રી બ્રહ્મચારીજીએ ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીના દેહત્સર્ગ પછી પણ ચાલુ રાખી. પૂ. શ્રી બ્રહ્મચારીજીના દેહાંત પછી શ્રીમદ્ રાજચંદ્ર મુમુક્ષુ (અનુયાયી) મંડળે, તેઓશ્રીના મુમુક્ષુઓ પર લખાયેલા એ પત્રોને એકત્રિત કરવાનું કામ આરંભ્ય. સંભવિત સર્વ મુમુક્ષુઓને ટપાલ દ્વારા કે અન્ય રીતે જણાવીને તેમના પર લખાયેલા પૂ. શ્રી બ્રહ્મચારીજીના મૂળ પત્રો, ઉતારે કરવા માટે મોકલવાની વિનંતી કરવામાં આવી. મુમુક્ષુઓને પ્રતિભાવ પણ ઉલ્લાસજનક અને પ્રત્સાહક હતે. લગભગ બારસ પત્રો આ રીતે ઉપલબ્ધ થઈ શકયા, જેના મંડળ દ્વારા અને વ્યક્તિગત રીતે ત્રણ જુદા જુદા ઉતારા કરવામાં આવ્યા. ત્યાર બાદ, સંજોગવશાત્ ઠેઠ સંવત ૨૦૨૫ માં, એકત્રિત કરાયેલા પત્રોમાંથી ૪૩૨ પત્રોનું સંપાદન કરવામાં આવ્યું અને બધામૃત ભાગ-૩ (પત્રસુધા) રૂપે ગ્રંથાકારે તેનું પ્રથમ પ્રકાશન થયું. થોડાં વર્ષ પહેલાં પ્રથમવૃત્તિની પ્રત અલ્પ સંખ્યામાં શેષ રહી હોવાથી તેને પુનર્મુદ્રણની આવશ્યકતા ઉપસ્થિત થઈ. આ વખતે એમ લાગ્યું કે પ્રથમવૃત્તિ ઉપરથી સીધું પુનર્મુદ્રણ નહીં કરતાં સર્વ સંકલિત પત્રોનું સૂક્ષમ અવકન કરી પુનઃ સંશોધન અને સંપાદન કરવું કે જેથી પ્રથમવૃત્તિ વખતે નહીં છપાયેલ છતાં મુમુક્ષુઓને વિશેષ હિતકારી અને વિવિધ રીતે આત્મારાધનામાં માર્ગ દર્શક પત્રો પણ સતજિજ્ઞાસુઓને ઉપલબ્ધ થઈ શકે. તદનુસાર, Page #11 -------------------------------------------------------------------------- ________________ મુમુક્ષુઓએ મંડળને સુપરત કરેલાં મૂળ પાત્રોની વ્યવસ્થિત ફાઈલો તૈયાર કરવામાં આવી. અગાઉ કરેલા પત્રોના જુદા જુદા ઉતારાઓ અરસપરસ મેળવી લેવામાં આવ્યા. તે ઉપરથી આ ગ્રંથને લગતી સર્વ ઉપલબ્ધ સાહિત્યસામગ્રીનું બને તેટલું સૂક્ષમ અવકન અને પુનઃ સંશોધન કરતાં ૧૦૨૫ પત્રો પ્રસિદ્ધિગ્ય જણાયા, જે આ દ્વિતીયાવૃત્તિમાં ગ્રંથારૂઢ થતાં એક અતિ ઉપયોગી અને સમૃદ્ધ માર્ગ દર્શક ગ્રંથ પરમકૃપાળુદેવના આશ્રિત મુમુક્ષુઓને ઉપલબ્ધ થવા પામે છે. પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર પ્રત્યે શ્રદ્ધાવંત અને તેમના આશ્રયે આત્મકલ્યાણ ઈચ્છક મુમુક્ષુઓ, ધર્મારાધન આડે આવતી એવી વ્યાવહારિક મુશ્કેલીઓ (Practical Difficulties) વિષે અને સાંસારિક પરિબળે જ્યારે વિશેષ અસર કરી જાય તેવા મૂંઝવણના પ્રસંગે કે સપુરુષાર્થની વૃદ્ધિને અથે પૂ. શ્રી બ્રહ્મચારીજી સાથે જિજ્ઞાસુવૃત્તિથી પત્રવ્યવહાર કરતા, તેના ઉત્તરરૂપે પૂ. શ્રી બ્રહ્મચારીજી તેમને એક પરમકૃપાળુદેવ ઉપર દષ્ટિ કરાવી યોગ્ય માર્ગ - દર્શન આપતા. આજે આપણે હીનપુણ્યવશાત્ એવા કોઈ માર્ગ દર્શક પુરુષ વિદ્યમાન નહીં હોવાથી, તેમના અક્ષરદેહરૂપ વચને જ એકમાત્ર આધારરૂપ છે. પરમકૃપાળુદેવે પ્રબોધેલ સધર્મની આરાધના માટે યોગ્ય જીવનઘડતર કેવા પ્રકારે કરવું તેની પ્રેરણા, અને તે કઈ રીતે પ્રાપ્ત કરવું તેની રહસ્યભૂત કૂચી આ અનુભવસિદ્ધ વચનેમાંથી સજિજ્ઞાસુઓને અવશ્ય પ્રાપ્ત થવા યોગ્ય છે. આ આવૃત્તિ સંબંધી સામાન્ય વિગતઃ (૧) આ આવૃત્તિનું સંપાદન પ્રથમવૃત્તિથી સ્વતંત્ર રહીને નવેસરથી કરવામાં આવ્યું છે, તેથી પત્રોના આંક સ્વતંત્ર રીતે નવા આપવામાં આવ્યા છે. (૨) આ ગ્રંથમાં પ્રથમ પત્ર, પૂ. શ્રી બ્રહ્મચારીજીએ તેમના વડીલ બંધુ સ્વ. શ્રી નરશીભાઈ ઉપર ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીની સેવામાં આજીવન રહેવા માટેની અનુજ્ઞા મેળવવા લખે છે તે લેવામાં આવ્યું છે. વૈરાગ્યપૂર્ણ અને પરમાર્થ સાધવાના નિશ્ચયબળની દઢતા પ્રગટ કરતે એ પત્ર પરમાર્થ અધિકારીપણાની ગ્યતા પ્રાપ્ત કરવા માટે કઈ પણ સજિજ્ઞાસુને પ્રેરણારૂપ, મનનીય અને અનુકરણીય છે. પત્ર ક્રમાંક છે અને ત્રણ, પૂ. શ્રી બ્રહ્મચારીજીએ ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજી ઉપર તેઓશ્રીની આજ્ઞા સંપૂર્ણપણે પાળવા તેઓશ્રીના સાન્નિધ્યમાં રહેવાની શુભભાવના દર્શાવતા લખ્યા છે, તે લેવામાં આવ્યા છે. ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજી પ્રત્યે તેમની દઢ શ્રદ્ધા અને અનન્ય ભક્તિ તેમ જ આત્મકલ્યાણની તેમની તાલાવેલી અને ઉત્કટ તૈયારીનાં દર્શન એ પત્રોમાં થાય છે. પત્ર ક્રમાંક ચારથી બાવીસ, પૂ. શ્રી બ્રહ્મચારીજીએ પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુને પ્રત્યક્ષ સદ્દગુરુદેવ તરીકે ચિંતવીને તેમનું અનન્ય શરણું સ્વીકારી ભાવનારૂપે લખ્યા છે તે લેવામાં આવ્યા છે. પત્ર ક્રમાંક ૨૩ થી ૧૦૨૫, પૂ. શ્રી બ્રહ્મચારીજીએ મુમુક્ષુઓ ઉપર લખેલ પત્રો છે તે મિતિ-અનુક્રમે લેવામાં આવ્યા છે. પ્રથમવૃત્તિમાં ઉપર પ્રમાણેના પત્રે જુદા જુદા ત્રણ સંગ્રહમાં વહેંચવામાં આવ્યા હતા, પણ આ આવૃત્તિમાં સળંગ અનુક્રમમાં જ લેવામાં આવ્યા છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ (૩) ગ્રંથપ્રકાશનની સાહિત્ય-સામગ્રી માટે મુખ્યત્વે પૂ. શ્રી બ્રહ્મચારીજીના હસ્તાક્ષરના મૂળ-પત્રો અને તેના અભાવે શ્રીમદ્ રાજચંદ્ર મુમુક્ષુ (અનુયાયી) મંડળ તરફથી કરાવવામાં આવેલ પત્રોને ઉતારો તેમજ અન્ય બે વ્યક્તિગત ઉતારાઓને આધાર લેવામાં આવ્યું છે. (૪) આ આવૃત્તિમાં, ઉપલબ્ધ બધા જ પત્રો સર્વાગે નીચેના અપવાદ રાખીને લેવામાં આવ્યા છે| અંગત અને વ્યાવહારિક પત્રો લેવામાં આવ્યા નથી તેમ જ એવા પ્રકારનું લખાણ પ્રકાશિત પત્રોમાંથી કમી કરવામાં આવ્યું છે. | જે પત્રોમાં વિષયની પુનરુક્તિ જણાઈ છે એવા પત્રો ફરી વાર લેવામાં આવ્યા નથી, તેમ જ પત્રોને મથાળે લખેલ પોની જ્યાં પુનરુક્તિ જણાઈ છે તે પડ્યો પણ ઓછાં કરવામાં આવ્યાં છે. D ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીનું “ઉપદેશામૃત” તેમજ પૂ. શ્રી બ્રહ્મચારીજી રચિત “પ્રજ્ઞાવ બેધ” અને “પ્રવેશિકા’માંનાં અવતરણો ઓછાં કરવામાં આવ્યાં છે, કારણ કે પ્રસ્તુત ત્રણે ગ્રંથ પ્રકાશિત થયેલા છે અને હાલ ઉપલબ્ધ છે. કોઈક સ્થળે પત્રોના પૂર્વાપર સંબંધમાં એવાં અવતરણે ઉપયોગી જણાતાં આખું અવતરણ નહીં આપતાં તે તે ગ્રંથને સંદર્ભ (Reference) આપવામાં આવ્યું છે જેથી વાચક તે ગ્રંથમાંથી આખું લખાણ સહેલાઈથી શોધીને વાંચી શકે. D પ્રથમવૃત્તિમાંના કેટલાક પત્રો જેમાં માત્ર ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીને બોધ (જે ઉપદેશામૃત'માં છપાઈ ગયેલ છે) જ આવતું હોય, તેવા પત્રો સમૂળગા લેવામાં આવ્યા નથી, તેમ જ પ્રથમવૃત્તિમાં બેવડાઈ ગયેલ પત્રો કમી કરવામાં આવ્યા છે. D પત્રોની શરૂઆતમાં સામાન્ય શાતાપૃચ્છના, વંદનાદિ વ્યાવહારિક શિષ્ટાચારને લગતું લખાણ લેવામાં આવ્યું નથી તેમ જ પરમકૃપાળુદેવ પ્રત્યે નમસ્કારનું લખાણ “અનન્ય શરણના આપનાર” નમૂના તરીકે અમુક પત્રોમાં લઈ, બાકી પત્રોમાંથી કમી કરવામાં આવ્યું છે. D શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ માટે વિવિધ વિશેષણે “તીર્થક્ષેત્ર', “તીર્થશિરેમણિ,” વગેરે – લગભગ બધા જ પત્રોમાં લખાયેલા છે. નમૂના તરીકે એવા વિશેષણે સાથે અમુક પત્રો લઈ બાકીના પત્રોમાંથી એવાં વિશેષણવાળું લખાણ કમી કરવામાં આવ્યું છે. D પર્યુષણ પર્વ અને માસી પાણીની આસપાસ લખાયેલા લગભગ બધા જ પત્રોમાં ક્ષમાયાચનાનું લખાણ છે. એવા પત્રમાંથી નમૂના તરીકે અમુક પત્રોમાં ક્ષમાયાચનાને ભાગ કાયમ રાખી શેષ પત્રમાંથી એ ભાગ કમી કરવામાં આવ્યું છે, તે જ રીતે માત્ર ક્ષમાપનાને લગતા પત્રો થડા નમૂના તરીકે લઈ બાકીના લેવામાં આવ્યા નથી. D પત્રોના મથાળે મિતિ કે તારીખ સાથે “શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ'ના ઉલ્લેખ માટે કેવળ “અગાસ” શબ્દ વાપરવામાં આવ્યું છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૦ 6 (૫) આ ગ્રંથમાં ( ) આવા કૌંસમાં મૂકેલ આંક શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથની આશ્રમ પ્રકાશિત આવૃત્તિના છે. (૬) શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ, પ્રજ્ઞાવખાય, ઉપદેશામૃત અને પ્રવેશિકામાંથી લીધેલ અવતરણા, અને ત્યાં સુધી મૂળ સાથે મેળવી સુધારવામાં આવ્યાં છે. (૭) ‘પત્રાંક’ શખ્ત શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથના આંક સૂચવે છે અને પત્રસુધા પત્ર નં’ અમુક ઠેકાણે ફૂટનેટમાં પત્રસુધાની આ આવૃત્તિના આંક દર્શાવવા વાપરવામાં આવ્યે છે. (૮) દરેક લખાણના મથાળે પ્રાપ્ત મિતિ અથવા તારીખ આપવામાં આવી છે. જે પત્રોમાં મિતિ અને તારીખ અન્ને આપવામાં આવી છે ત્યાં તે બન્નેના મેળ મેળવી ચેાસ કરવામાં આવી છે. આવા પત્રોમાં કોઈ ઠેકાણે મૂળ હસ્તલિખિતમાં પણ તારીખ યા મિતિમાંથી એકમાં ફેર જણાયેા છે તે પૂર્વાપર પત્રોના આધારે સુધારી લેવામાં આવ્યેા છે. કેટલાક પત્રો મિતિ કે તારીખ વગરના છે તેના લેખનકાળ અમુક પ્રસંગ કે હકીકતના આધારે અનુમાનથી નક્કી કરી તેના અનુક્રમમાં મૂકવામાં આવ્યા છે; પણ જે પત્રોના લેખનકાળ કોઈ આધારથી નિર્ણીત થઈ શકે એમ નહાતા તેવા પત્રો યથામતિ જ્યાં ચેાગ્ય જણાયું તે સ્થાને મૂકવામાં આવ્યા છે. (૯) જે પત્રો આ ગ્રંથમાં વ્યાવહારિકતા કે પુનરુક્તિના કારણે લેવામાં નથી આવ્યા, તેમાંથી ઉપયેાગી લખાણ ગ્રંથના અંતે છૂટક વાકયો'ના શીક હેઠળ જુદું આપવામાં આવ્યું છે; તેવી જ રીતે અપ્રકાશિત પત્રોમાંનાં અપ્રકાશિત કાવ્યેા છૂટક કાવ્યે' એ શીર્ષક હેઠળ જુદા આપવામાં આવ્યા છે. (૧૦) ગ્રંથના અંતમાં વિવિધ પરિશિષ્ટો આપી અને તેટલી ગ્રંથની ઉપયેાગિતા વધારવાને પ્રયત્ન કર્યાં છે. આ ગ્રંથના સંશાધનકાય'માં, તેમ જ પ્રૂફ રીડિંગ વગેરે કાર્યમાં અન્ય જે ભાઈબહેન એ યથાશક્તિ સહકાર આપ્યા છે, તેમને હાર્દિક આભાર માનવામાં આવે છે. ગ્રંથ-છપાઈમાં આદ્ય'ત નિયમિતતા જાળવવા અદલ અને સુઘડ છપાઈકામ માટે ભગવતી મુદ્રણાલયના માલિક શ્રી ભીખાભાઈના પણ અત્ર આભાર માનવામાં આવે છે. આ ગ્રંથના સંપાદન–કા માં મારી અલ્પમતિને લઈ ને તેમજ કાર્યાધિકચ અને દૃષ્ટિદોષના કારણે જે કંઈ ક્ષતિ અથવા ભૂલેલા રહી ગઈ હેાય તે માટે સુજ્ઞ વાંચકવર્ગની ક્ષમા ઇચ્છું છું. સર્વ મુમુક્ષુઓને આ ગ્રંથને વિનયપૂર્વક સદુપયોગ આત્માર્થ સાધવામાં પ્રબલ નિમિત્તરૂપ ખના એ જ શુભેચ્છા. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ ગુરુપૂર્ણિમા, સં. ૨૦૩૮ } લિ. સંતચરણસેવક અશાકકુમાર જૈન Page #14 -------------------------------------------------------------------------- ________________ રણછ ભીખાભભાઇ ૫ શ્રી ગ્રંથ પ્રકાશન ખાતામાં દાતાઓની યાદી રકમ નામ ગામ | રકમ નામ ગામ ૫૦૦૧ શ્રી સ્વ. નાથભાઈ વિઠ્ઠલભાઈ તથા ૫૦૧ શ્રી મફતભાઈ ડી. પટેલ અમેરિકા સ્વ. દયારામભાઈ તથા ૫૦૧ શ્રી જગદીશભાઈ ખોખાણી ઘાટકોપર (મુંબઈ) સ્વ. ડાહ્યાભાઈના સ્મરણાર્થે ખરવાસા ૫૦૧ શ્રી નારાયણભાઈ પટેલ ૫૦૦૧ શ્રી દિવાળીબેન માધવભાઈ ભક્ત હા. નિરંજનભાઈ શેઠ આશ્રમ હા. તેમના સુપુત્રો નનસાડ | ૫૦૧ શ્રી મદનચંદજી પ્રકાશમલજી જોધપુર ૫૦૦૧ શ્રી ઈન્દુબેન મણીભાઈ પટેલ આશ્રમ | ૫૦૧ શ્રી સરસ્વતીબેન ભીકચંદજી નાહટા સિવાણા ૫૦૦૦ શ્રી ગોરધનદાસ વિઠ્ઠલદાસ કડીવાલા ૫૦૦ શ્રી જગદીશભાઈ ખોખાણી ઘાટકોપર (મુંબઈ) હા. મનહરભાઈ સુરત ૫૦૦ શ્રી કવનકુમાર હેમેન્દ્રભાઈ સંઘવી મુંબઈ ૪૨૫૦ શ્રી મણીબેન ભુલાભાઈ પટેલ આના ૫૦૦ શ્રી બાદરમલજી છગનલાલજી મુથા સિવાણા ૪૨૫૦ શ્રી પ્રમોદભાઈ રમણભાઈ પટેલ આસ્તા ૫૦૦ શ્રી કંકુબાઈ વીરજી હેમરાજ મુંબઈ(માહિમ) ૪૨૫૦ શ્રી કેશવભાઈ વનમાળીભાઈ પટેલ આસ્તા ૨૫૧ શ્રી વિમળાબેન હરગોવનદાસ મણિયાર મુંબઈ ૪૨૫૦ શ્રી ભુલાભાઈ વનમાળીભાઈ પટેલ આસ્તા ર૫૧ શ્રી ડાહ્યાભાઈ નાથુભાઈ પટેલ ધામણ ૪૦૦૦ શ્રી રમણભાઈ ભુલાભાઈ પટેલ આસ્તા ૨૦૧ શ્રી સ્વ.છોટાભાઈ ગોકળભાઈ પટેલ રૂપિયાપુરા ૪૦૦૦ શ્રી મુકુંદભાઈ કેશવભાઈ પટેલ આસ્તા શ્રી રણછોડભાઈ ગોવિંદભાઈ પટેલ સરઈ ૩૦૦૦ શ્રી લાભાનંદજી બ્રહ્મચારી આશ્રમ ૨૦૧ શ્રી કુંવરબેન ભીખાભાઈ પટેલ કરજણ(ધલા) ૨૫૦૧ શ્રી રતનબેન પુનશીભાઈ આશ્રમ ૨૦૧ શ્રી રૂકમણીબેન વનમાળીભાઈ પટેલ ખાપરિયા ૨૫૦૦ શ્રી અંજાલાબેન જગદીશભાઈ ખોખાણી ઘાટકોપર ૨૦૧ શ્રી જયંતિભાઈ કાળીદાસ શાહ મુંબઈ ૨૦૦૧ શ્રી ઢેલીબાઈ આસુલાલજી બડેરા બાડમેર ૧૦૧ શ્રી સોમાભાઈ ગોકળભાઈ પટેલ રૂપિયાપુરા ૨૦૦૧ શ્રી સ્વ.માતુશ્રી ફેફીબાઈ પુણાલાલજી શ્રી બચુભાઈ ગિરધરભાઈ પટેલ નરોડા હા. ભવરલાલજી બેંગલોર શ્રી મંગીબેન છીતુભાઈ પટેલ કરજણ (ધલા) ૨૦૦૦ શ્રી સ્વ.શૈલેષકુમાર પરષોત્તમભાઈ પટેલ બોરીયા શ્રી હિંમતલાલ જી. શાહ મૈસૂર ૨૦૦૦ શ્રી મણીબેન રામજીભાઈ દેવલાલી શ્રી ધામુબાઈ હંજારીમલજી તલાવત આહીર ૨૦૦૦ શ્રી સ્વ.વલ્લવભાઈ ડાહ્યાભાઈ પટેલ ૧૦૦ શ્રી દયાલજી લલ્લુભાઈ પટેલ સુરત હા. નાથુભાઈ ભગાભાઈ પટેલ આસ્તા શ્રી સ્વ. વિમળાબેન કાંતિલાલ મહેતા કુનર ૧૫૦૧ શ્રી ડાહીબેન રતનજી ૫૧ શ્રી વિનોદભાઈ રામભાઈ ખરવાસા હા. તેમના સુપુત્રો તરફથી નીણત ૫૧ શ્રી ચંદુભાઈ ચુનીલાલ નરોડા ૧૫૦૦ શ્રી હુકમીચંદ એન. વીયાણી આશ્રમ ૨૫ શ્રી કમળાબેન ભુલાભાઈ ખરવાસા ૧૦૦૧ શ્રી લીલાબેન કપૂરચંદ ગાંધી સુરત શ્રી મુકુંદભાઈ રમણભાઈ ખરવાસા ૧૦૦૧ શ્રી રમેશભાઈ વસંતલાલ મણિયાર મુંબઈ શ્રી અરવિંદભાઈ છોટુભાઈ પટેલ કોળી ભરથાણા ૧૦૦૧ શ્રી બ્ર મોહનભાઈ પ્રાગભાઈ પટેલ બોરીયા ૨૫ શ્રી રણછોડભાઈ ગોવિંદભાઈ પટેલ ૧૦૦૦ શ્રી કાંતિલાલ મોતીલાલ શાહ મદ્રાસ શ્રી સોમાભાઈ ગોવિંદભાઈ પટેલ સરઈ ૧૦૦૦ શ્રી હરકચંદજી કેશાજી તથા શ્રી નીરૂબેન રમણલાલ પટેલ વઢવાણીયા સમદાબાઈ હરકચંદજી શાહ માંડવલા ૨૫ શ્રી મીનાબેન નરેન્દ્રભાઈ પટેલ તીથરા ૧૦૦૦ શ્રી ઝવેરચંદ ભૂરાભાઈ ઝવેરી ૧૧ શ્રી ધનીબેન રતિલાલ આશ્રમ ૭૧ર શ્રી સુંદરબાઈ કે. ગરૈયા શ્રી જમનાબેન રણછોડભાઈ પટેલ ૬૦૧ શ્રી પારસમલ હંજારીમલજી તલાવત આહીર શ્રી ભીખીબેન સોમાભાઈ પટેલ સરઈ પ૬ર શ્રી કમુબેન શનાભાઈ માસ્તર આશ્રમ શ્રી મોહનભાઈ સોમાભાઈ પટેલ ૫૦૧ શ્રી જુગરાજજી હંજારીમલજી તલાવત આહીર ૧૧ શ્રી ભરતકુમાર સોમાભાઈ પટેલ સરઈ ૫૦૧ શ્રી મકનભાઈ દુર્લભભાઈ પટેલ લાખણપોર ૧૧ શ્રી શોભનાબેન મોહનભાઈ પટેલ સરઈ ૫૦૧ શ્રી બાબુલાલજી હંજારીમલ તલાવત આહાર | ૧૧ શ્રી શકુન્તલાબેન મોહનલાલ પટેલ પુણા(કુંભારીયા) સરઈ મુંબઈ આહોર સરઈ સરઈ Page #15 -------------------------------------------------------------------------- ________________ પ શ્રીમદ્ રાજચંદ્ર મુમુક્ષુ મંડળનાં પ્રકાશનો (શ્રી લઘુરાજ સ્મારક ગ્રંથમાળા) ૫૫ ૧ પ્રવેશિકા (મોક્ષમાળા-પુસ્તક પહેલું) ૨ સ્ત્રીનીતિબોધક ગરબાવળી (અપ્રાપ્ય)* ૩ નિત્યક્રમ (ગુજરાતી) ૪ શ્રીમદ્ રાજચંદ્ર અર્ધશતાબ્દી સ્મારક ગ્રંથ ૫ ગ્રંથ-ગુગલ (લઘુયોગવાસિષ્ઠ-સાર અને સમાધિશતક-વિવેચન). ૬ નિત્યક્રમ (બાલબોધ લિપિ) ૭ પ્રજ્ઞાવબોધ (મોક્ષમાળા-પુસ્તક ચોથું) ૮ બોધામૃત-પ્રથમ વિભાગ ૯ બોધામૃત-દ્રિતીય વિભાગ (વચનામૃત-વિવેચન) ૧૦ બોધામૃતનૃતીય વિભાગ (પત્રસુધા) " ૧૧ મોક્ષમાળા-વિવેચન * ૧૨ તત્ત્વાર્થસાર * ૧૩ પૂજય શ્રી બ્રહ્મચારીજી જન્મ શતાબ્દી સ્મારક ગ્રંથ * શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ પ્રકાશિત સુબોધસંગ્રહ માં આ છપાયેલ છે. * આ પુસ્તકોનું પ્રકાશન હવે શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ (અગાસ) તરફથી થાય છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા પત્ર-ક્રમાંક વિષય - સૂચિ વિષય ૧ મુરબ્બી ભાઈશ્રી નરશીભાઈ ઉપર ૨-૩ ૫. ઉ. ૫. પૂ. પ્રભુશ્રીજી ઉપર ૪-૨૨ પરમકૃપાળુ દેવ ઉપર ભાવનારૂપે લખેલ પત્રો ૨૦થી} મુમુક્ષુઓ ઉપર લખેલ હતો છૂટક વચનો (અપ્રકાશિત પત્રોમાંથી) છૂટક વાક્યો (અપ્રકાશિત પત્રોમાંથી) એક અપ્રગટ પત્ર --- ટ્રસ્ટીમંડળને માર્ગદર્શનરૂપ પરિશિષ્ટ ૧--- વિષય-સૂચિ પરિશિષ્ટ ૨--- વિશેષ નામ (ગ્રંથ, વ્યકિત, સ્થળ) પરિશિષ્ટ ૩--- વચનામૃત-વિવેચન પરિશિષ્ટ ૪--- અન્ય ભાવાર્થ પરિશિષ્ટ ૫--- પ્રશ્નોત્તર-સૂચિ પૃષ્ઠ * ૬ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૭૯૮ Page #17 --------------------------------------------------------------------------  Page #18 -------------------------------------------------------------------------- ________________ બોઘામૃત (તૃતીય ભાગ) (પત્રસુઘા) શ્રી બ્રહ્મચારીજી Page #19 --------------------------------------------------------------------------  Page #20 -------------------------------------------------------------------------- ________________ પત્ર સુધા -=-= તત સત અનન્ય શરણના આપનાર એવા શ્રી સદૂગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર હે !! મુરબ્બી ભાઈ નરશીભાઈ મુ. બાંધણી ...બને તેટલું ટૂંકાણ કરીને હું વાત કહેવા માગું છું, પણ તે વાત ચોખ્ખી થાય માટે પહેલું થોડુંક એટલું કહી લઉં છું કે હું જે લખવા વિચાર રાખું છું તે ઘણુ વખત સુધી તેને વિચાર કરીને લખું છું અને તેમાં તમારું અને મારું બન્નેનું કલ્યાણ આખરે થાય તેવું લાગવાથી, તમને વાંચતાં કંટાળો આવે કે ખેદ થાય તે પણ ખુલ્લા દિલથી જેમ છે તેમ લખી જણાવવા વિચાર રાખે છે. દરેક માણસ સુખની આશા રાખે છે અને સુખ શોધે છે. પિતે માનેલા સુખમાં દરેક મગ્ન હોય છે તેથી બીજાને માટે આપણે વિચાર કરીએ તે સામા માણસને પૂરો સંતોષ આપે એ વિચાર વખતે ન પણ જણાય; પણ જે સારા ભાવથી જે કઈ કામ કરવા ઈચ્છતા હોય તે તેને ભાવ આપણને રુચે કે ન રુચે પણ તે સમજી શકાય તે ખરે. તેથી મારી વાત એ કે ન રુચે, પણ મારું દિલ સાફ રાખીને નિઃસ્વાર્થપણે મનમાં માયા કે કપટ રાખ્યા વગર વિચાર આપણું બન્ને માટે કર્યો છે. તે તમને પસંદ ન પડે તે પણ મારે હેતુ શુદ્ધ છે. સારા ભાવથી હું આ વાત કહેવા અને કરવા ઈચ્છું છું એટલું તે તમને પણ સમજાયા વગર નહીં રહે, એમ મને લાગે છે. મારી વાત તમને જણાવું છું તેટલી ધીરજથી તમારી વાત મારે સાંભળવી પણ છે અને બન્નેમાંથી જે સારી, ઉત્તમ વાત બન્નેના અંતરાત્મામાં બેસે તેને વિચાર કરી આગળ પગલું લેવું છે. આ કાગળ લખતાં કંઈ બનાવટી કે જેડી કાઢીને કશી વાત નથી કરવા ઈચ્છતે, પણ જે જે વાતે મેં જાતે અનુભવી છે તે ઉપરથી મારા વિચાર છેવટના તમારા આગળ મૂકવા વિચાર છે. તેમ છતાં તમને એમ લાગે કે મને કોઈની શિખામણથી કે ભેળવણીથી એ વિચાર આવ્યા છે, તે પણ એટલું તે માનજે કે મેં આ પત્રમાં લખેલી બાબતે માટે ઘણે વિચાર કર્યો છે અને ટૂંકામાં કહું તે આજ સુધી અભ્યાસ કરીને, દુનિયાને અનુભવ લઈને, ઘણા લેખકોએ પિતાને અનુભવ પુસ્તકમાં લખેલે તે સમજીને અને જીવતાજાગતા સંતપુરુષની દશા ગજા પ્રમાણે સમજીને, દહીં વલોવીને માખણ નીકળે તે જેમ કેરને પાળવાની મહેનતના ફળનું ટૂંકું રૂપ છે તેવું મને જે કંઈ સંસારમાં સમજાયું છે તે ટૂંકામાં આ પત્રમાં મારા જાતઅનુભવના કંઈક સાર જેવું તમારા આગળ તમારી આશિષ માટે રજૂ કરું છું, ભેટ ધરું છું અને તે દ્વારા તમારું ચિત્ત-આત્મા–સાચી વસ્તુ સમજીને તમારું અને મારું કલ્યાણ જે રસ્તે થાય તેને વિચાર કરે, અને મારી અંતરની ઈચ્છા સમજી તેમાં ખો • ૫. 3. પ. પૂ. પ્રભુશ્રીજીની સેવામાં કાયમ રહેવા માટે પૂશ્રી બ્રહ્મચારીજીએ પિતાના વડીલ બધુને તેમની અનુજ્ઞા મેળવવા આ પત્ર લખેલ છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ બધામૃત થાબડવા જે ઉત્સાહ આપી મને વિશેષ ઉન્નત કે ચઢતી દશામાં જોઈ રાજી થવાનું તમારે આત્મા ઈચ્છે અને તેમાં સમ્મતિ અને સહાય આપે એટલે જ હેતુ આ પત્ર લખવાનું છે. આ પત્રમાં કંઈ દોષ જેવું જણાય છે તે માટે જ છે, એમ માનવા વિનંતિ છે. અને કંઈ પણ સાચી વસ્તુ સમજવામાં તમારા આત્માને મદદ થાય છે તેનું કારણ જેને મને રંગ લાગે છે તે સંત પુરુષ જ છે, એમ માનશે. કારણ કે કડવી તુંબડીમાં દૂધ ભર્યું હોય. તે પણ કડવું થવા સંભવ છે, અથવા રંગેલું કપડું બેવાથી રંગ નીકળી જાય તે પણ બીજા કપડાને તેને પાસ બેસે છે, તેમ જ્યાં સુધી મને સંગને રંગ પાકે લાગ્યું ન હોય ત્યાં સુધી મારું કહેલું હોય તેમાં ડહોળા પાણુ જેવો દોષ દેખાવાને સંભવ છે, પણ તેવું પાકા રંગવાળું કપડું દેતાં થવાને સંભવ નથી. તેમ સાચા પુરુષને સમાગમ જેને થાય તેને દેષ લાગવાને સંભવ નથી. ઊલટો ફાયદો થવાનો સંભવ છે. તેથી મારા દેષ તરફ જોવા કરતાં મારા હૃદયના ભાવ તરફ નજર રાખી આ લાંબે કાગળ કંટાળ્યા વગર ઘેડે થેડે કરીને પૂર વાંચી જશે, વિચારશે અને બને ત્યારે ઉત્તર લખશે કે મળાય તેમ બેઠવણ કરવા જણાવશે. મોટા પુરુષને મેક્ષ સિવાય બીજી કઈ ઈચ્છા હતી નથી અને આપણે પણ મેક્ષ મળતો હોય તે પાછા પડીએ એવા નથી, એટલે મેક્ષને ખપ આપણે પણ છે. એટલે મારે તમારે બન્નેને મોક્ષની ઈચ્છા છે એટલું ધારી લઈને જ આજે જે કંઈ લખાય તે લખવા વિચાર છે. પણ તમારા મનમાં જે એમ થાય કે તમે અગાસમાં રહેનારા સાધુ મહારાજને ધર્મ માને છે તે અમારે એ ધર્મ સંબંધી તમારું કહેવું માનવું નથી, બીજું જે કહેવું હોય તે કહો. જો આવું મનમાં રહેતું હોય તે તે વિષે પણ વિશેષ વિચાર કરે ઘટે છે. આ વાત કહેતાં જે મારા સંબંધી કે એ મહાત્માઓ સંબંધી કંઈ કહેવું પડે તે મારાં કે તેમનાં વખાણ કરવા કહેલું છે એમ ન માનશે, કારણ કે પિતાનાં વખાણ થાય એવી ઈચ્છા તે અમારે છેડવી છે, તે જાતે શા માટે તે કરીએ? પણ માત્ર સત્ય અને આત્મહિત તરફ જ નજર રાખીને કંઈક કહીશ. ગમે તે ધર્મને કહેવરાવવામાં કાંઈ કલ્યાણ નથી. ગામમાં મુખી ન હોય અને ગમે તેને લેકે મુખીના નામથી ઓળખે તેમાં એને અધિકાર કે પગાર કે કાંઈ ફાયદે મળતું નથી, અથવા ગધેડાની પીઠે સાકરની ગૂણ ભરી હોય પણ તેને પિટમાં કાંઈ આવતું નથી, તેમ ગમે તે ધર્મવાળા આપણને લેકે ગણે, પણ આપણને તે ધર્મથી સારી જિંદગી – મેક્ષને માર્ગ–ન મળે ત્યાં સુધી લેકના કહેવાથી આપણે ધર્માત્મા બની શકીએ નહીં. મોક્ષનો માર્ગ જે ધર્મથી મળે એમ આપણે આત્મા કબૂલ કરે તે જ આત્માને ધર્મ. બાકી તે બીજાને બતાવવાના કે પિતાના આત્માને છેતરવાના ધર્મ ગણાય, એમ મને અત્યાર સુધી લાગ્યું છે. ધર્મ તે આત્માના ભાવમાં, ઉત્તમ વિચારમા, ઉત્તમ આચારમાં અને ઉત્તમ વસ્તુની માન્યતામાં રહે છે. તેને તે હૃદયમાં ગુપ્ત સાચવીને રાખી મૂકવા જેવું છે. જેમ કેઈ દશ હજારને હીરે આપણે ખરીદ્યો હોય તે તેને સોનાની વીંટીમાં જડીને સુંદર દાબડીમાં ઘાલી તિજોરીમાં રાખી મૂકીએ છીએ અને જ્યાં ત્યાં તેને બતાવતા નથી કરતા, પણ કોઈકે ઉત્સવના પ્રસંગે કે આતના પ્રસંગે તેને ઉપયોગ થાય છે, તેમ ધર્મ પણ ઘણી જ કીમતી વસ્તુ છે અને તેની મનુષ્યભવમાં જ કમાણ થઈ શકે છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા તેના પરીક્ષક પણ કળી કે કાછિયા જેમ ઠેર ઠેર હોય છે તેમ નથી હોતા. કેઈક મોટા શહેરમાં જ સાચા હીરાના પારેખ તે હોય છે, તેમ સાચે ધર્મ પામેલા પણ વિરલા જ જડી આવે છે અને તેની પરીક્ષા થવી, ઓળખાણ થવી એ તે પૂર્વના સંસ્કારથી, સત્સંગના જેગથી, વૈરાગ્યવાળી આપણે સ્વાભાવિક વૃત્તિથી કે સંસારથી કંટાળેલા, થાકેલા દુ:ખી જીવથી કઈક ધન્ય પળે જ બની શકે તેમ છે. મોક્ષમાર્ગ કે ધર્મ આ દુર્લભ અને કીમતી છે અને તે જેના હાથમાં આવે, જેને તે સમજાય છે તેને આ સંસારમાં ગમે તેટલી ભારે અને મોંઘી ગણાતી ચીજ પણ લલચાવી શકતી નથી. જેમ નાનું છોકરું ચોમાસામાં રેતીમાં બેસીને દેરાં કે ક્યારા પાળીઓની રમત કરે, ઘર કરે પણ મોટા માણસને તે બધી છોકરાંની રમત માટે ખોટી થવું ગમતું નથી. કાલે સવારે છોકરાંએ કરેલા બધા આકાર રસ્તામાં જતાંઆવતાં ઢેરથી વટાઈ જવાના છે તે મેટા માણસ જાણે છે, પણ છોકરાને મન તે તે જ ત્યાં મોટા માણસના ઘરની પેઠે રહેશે એમ લાગે છે અને વખતે સાંજ પડે તે બધું ઢાંકીને ઊઠે અને કાલે સવારે આવીને રમીશું એમ પણ ધારે. જે કોઈ બીજો છોકરે તેનું બનાવેલું દેરું. ભાંગી નાખે તે તે બનાવનારને મત જેટલું ખોટું લાગે અને રેવા બેસે, પણ તેવા રેવાથી માબાપના મનને ખોટું નથી લાગતું. ઊલટું તે તે કહે કે એમાં શું રડે છે? એ તે સવાર સુધી રહેવાનું નથી, કાલ થતાં પહેલાં એ તે વટાઈને ક્યાંય ભાંગી જશે. પણ બાળક નાનું હોય તે તેની સમજમાં તે નથી આવતું અને સમજણું હોય તે વહેલું સમજીને રડતું બંધ થાય છે. જેને ખરે ધર્મ સમજાય છે તેને આમ સંસાર અસાર-ખોટો લાગે છે અને તેનામાં ખરે વિરાગ્ય-ઉદાસીનતા-સમતા દેખાય છે. તેની આંખ, વચન અને ચેષ્ટા ઉપરથી પણ મુમુક્ષુને માલૂમ પડે કે આ પુરુષ ધર્માત્મા છે. એવા પુરુષને એક ઘડી પણ બીજાં કામ માટે ખોટી થવું તે માથું વાઢી નાખ્યા જેવું લાગે છે. નાગરની ન્યાતમાં હરવાફરવાનું ને જાન-જમણવાર તજીને નરસિંહ મહેતા સાધુની સંગતમાં ને ભજનમાં જ વખત ગાળતા, તેવી જ રીતે મીરાંબાઈ રાજમહેલનાં સુખ છેડી ભિખારીની પેઠે ભટકીને દહાડા કાઢતાં, પણ કઈ દિવસ ભગવાનનું ભજન અને સાધુની સંગત છોડવાનું તેમને સ્વને પણ મન થયું નથી. ઊલટું તે સુખ રાજના સુખ કરતાં ઉત્તમ છે એવું અનુભવીને, લોકેને ભગવાન ઉપર પ્રેમ થાય અને સંસાર ઉપરથી ભાવ ઊઠી જાય તેવાં ભજન બનાવી ભક્તિને માર્ગ બતાવતાં ગયાં છે. આ કાંઈ તેમણે વગર સમયે કર્યું નથી, છેડા દહાડા માટે કર્યું નથી, પણ સાચી સમજણ આવ્યા પછી આ જન્મારે તેમાં જ ગાળે છે. પણ ખાખરની ખિસકોલીને સાકરને સ્વાદ ન સમજાય તેમ સંસારી માણસેને તે તે વખતે મીરાં અને નરસિંહ મહેતાની નિંદા અને ટીખળી કરવાનું જ સૂઝતું. મીરાને તે ઝેર આપીને મારી નાખવા કુંભારાણાએ ઉપાય લીધેલા તે આપણે સાંભળ્યું છે, પણ ધન્ય છે તેમને કે કઈ દિવસ મારનારનું પણ તેમણે ભૂંડું ઈળ્યું નથી, તે કેઈને ખોટે માર્ગ બતાવવા તેમની ઈચ્છા તે થાય જ કેમ? આપણને એમ થાય કે એવાં ભગતડાં થઈ જવામાં શે માલ છે? પણ જે જરા વિચાર કરીએ તે સમજાય કે જેને મક્ષ જોઈએ છે તેને ખાઈપીને લહેર કર્યો મોક્ષ મળે નહીં. કેદરા ખરીદીએ તે કેદરાની કિંમત આપવી પડે અને કદની ડાંગર ખરીદીએ તે તેના પ્રમાણમાં વિશેષ કિમત આપવી Page #23 -------------------------------------------------------------------------- ________________ બધામૃત પડે. અફીણ એ ગાળીને પીધા પછી અમર થવાની ઈચ્છા રાખીએ તે તે કાંઈ બને? સંસાર સેવ હોય તે સંસારનું વૈતરું કરવું પડે, અને મેક્ષની દઢ ઈચ્છા હોય તે મેક્ષ માટે પુરુષાર્થ કરે પડે. જગતના અને ભગતના કે સંસારના અને મોક્ષના માર્ગ જુદા જઊલટા જ હોય છે તેથી કોઈ કાળે તેમને મેળ ખાતે નથી. જેમ એકને સંસાર વધારે હોય અને બીજાને સંસાર ટુંકે કરવો હોય તો તે બન્નેને ક્યાંથી મેળ ખાય? બન્નેનાં તડ જુદાં હોય છે, તેથી જ આપણને આ સાચા સાધુઓ ગમતા નથી. આપણને મેક્ષ જોઈતો નથી અને તેમને મેક્ષે લઈ જવા છે એટલે તે આપણે વિરોધી જણાય છે. આપણે જેવા જ ખાનદાન કુટુંબના તે ગૃહસ્થ હતા અને પૂર્વના સંસ્કારે વૈરાગ્ય ઊપજતાં તેમણે ઘર છેડી સાધુપણું લીધું, અને સાધુઓમાં પણ તે ખંભાતમાં ગાદીપતિ–આચાર્ય ગણાતા, તે છોડી દઈ ભિખારીની પેઠે પાછા ચાલી નીકળ્યા; છતાં પૂર્વના પ્રારબ્ધને લીધે લક્ષમી તેમની પાછળ ફરે છે, પુણ્યને ભગવટે તેમના નસીબમાં લખેલો તે આગળ ફરી વળે છે. આ વાત તે માત્ર તેમની દશા કંઈક બતાવવા જ કહી. તેમને કંઈ સ્વાર્થ નથી કે મારે ધર્મ ચલાવો છે કે ચેલા કરવા છે, પણ એવી લાલસાએથી તેઓ મુક્ત જ છે. એવું હોત તે ખંભાતમાં તેમના ઘણે વખતના ઓળખીતા શિષ્ય અને સાધુઓ સેવાભક્તિ કરનાર હતા, તેમને તજીને તે ચાલી નીકળતા નહીં. પણ જે જે આપણને સુખરૂપ લાગે છે તે તેમને ઝેર જેવું લાગે છે; કારણ કે ભગવાનની કૃપાદૃષ્ટિને તેમને સાક્ષાત્ અનુભવ થયો છે. તેમને સમાગમ ચેડા કાળ સુધી કરનારને પણ આ વાત તે સમજાય છે. આવા પુરુષને સમાગમ પૂર્વનાં કોઈ પુણ્ય જાગવાથી આ ભવમાં મને મળી આવ્યું અને તેમની કંઈક ઓળખાણ થવાથી મને પણ મેક્ષ મેળવવાની ઈચ્છા થઈ છે. કેવી રીતે તેમના કહ્યા પ્રમાણે રાતદિવસ રહેવાય તેના વિચાર વારંવાર આવ્યા કરે છે અને સંસારમાંની કઈ પણ ચીજ મોક્ષને બદલે લેવાની ઈચ્છા રહી નથી. તેથી જ તમને બધાને પણું કંઈક એમ લાગ્યા કરે છે કે મેં પણ તડ બદલ્યું છે; સંસારને રસ્તે ભૂલી બીજે રસ્તે હું ધી રહ્યો છું. ચાર-પાંચ વર્ષથી હું અગાસ જઉં છું. મધ્યસ્થ દષ્ટિથી ત્યાં જે કામ થયાં જાય છે તે જોઉં છું. તેમાં કેઈની સ્વાર્થદષ્ટિ મને જણાઈ નથી, ઊલટું જે આ ભવમાં સમજવા જોગ છે અને કરવા જોગ છે તેની જ વિચારણું અને ઉપદેશ થાય છે તથા તે પ્રમાણે વર્તન થવામાં જે જે જરૂરનું કે ગ્યા હોય તેવું વાતાવરણ ત્યાં ઉત્પન્ન થાય તેવા પ્રયત્ન ત્યાં થઈ રહ્યા છે, એમ મને લાગ્યા કર્યું છે. જે જે પુરુષ આત્મધર્મ પામ્યા છે, તેમણે જે જે કરેલું અને તે ઉપરથી આપણે જે કરવાનું છે તે ત્યાં સહજે થયા જાય છે, એ પણ અનુભવ ઉપરથી મને સમજાતું જાય છે. તે મહાપુરુષની સોબતમાં સદાય રહેવાય તે મેક્ષના માર્ગમાં આગળ વધવાનો સંભવ છે, એ નિર્ણય અંતરાત્મામાં દઢ થતું જાય છે. ઘણી વાર એમ જ થઈ આવે છે કે બધું પડી મૂકીને એ જ રસ્તે આવરદાનાં જેટલાં વર્ષ બાકી હોય તેટલાં તે જ રસ્તે ગાળવાં, પણ તેમ કરી શકાય તેવા સંજોગે નથી એમ મનમાં થઈ આવવાથી વિચાર પાછા પડી જાય છે, અને કેઈને આગળ હૃદયની આ વહાલી ઈરછાની વરાળ સરખી Page #24 -------------------------------------------------------------------------- ________________ પગસુધા કાઢવાની હિંમત ચાલતી નથી. જે બની શકે એમ નથી તે વાત, કેઈન આગળ શું કામ કરવી? એવા વિચારમાં ચિત્ત ઘણી વાર મૂંઝાયા કરે છે. હવે મોક્ષની તૈયારીના સંગમાં મુખ્યત્વે તે માર્ગ દેખાડનાર સાચા પુરુષ મળે એ એક અને તેના દેખાડ્યા પ્રમાણે તેની આજ્ઞાએ વર્તનાર એ બેને જોગ જોઈએ. તેમાં માર્ગ દેખાડનારની ખાતરી તે અંતરમાં થાય છે કે તે સાચા પુરુષની આજ્ઞા ઉઠાવી શકાય તે મેક્ષ બહુ દૂર નથી. માર્ગને પાકો ભેમિ મળે છે. હવે રહી કચાશ તે માર્ગે ચાલનારની. તેમાં હવે ઢીલ કેમ થાય છે? એમ મારા મનમાં વારંવાર પ્રશ્ન થાય છે અને તમને કે આ વાત જાણનાર ગમે તેને એમ પૂછવાનું મન થાય કે તમે ઘરનું તે કંઈ કામ કરતા નથી અને સોસાયટીમાં કંઈ કમાવા રહ્યા નથી, તે તમારા મનનું ધારેલું કામ કરતાં તમારે હાથ કણ ઝાલે છે? મને પણ તે જ પ્રશ્ન મૂંઝવે છે કે આ જિંદગીમાં જેને માટે હવે જીવવું ગમે, તેવી વસ્તુ જે ન બનતી હોય એટલે મારા આત્માનું હિત જે હું સાધી શકતે ન હોઉં અને બીજાને પણ જે હું ઉપયેગી ન થઈ શકું તે મારા જે મૂર્ખ બીજે કઈ ગણાય નહીં. આ વિચાર જુદી જુદી રીતે કર્યા પછી મને સંસારમાં બાંધી રાખનાર બંધને ચાર મુખ્ય ગણાવી શકાય તેવાં લાગ્યાં છેઃ (૧) આ શરીર સંબંધી સંકલ્પ-વિકલ્પ – એટલે શરીર સાજું-માંદું હોય, કમાણી થઈ શકે તેમ ન હોય તે પ્રસંગે બીજાને બેજારૂપ થઈ પડ્યા વિના શરીરનું ટ૬ નભાવવા જેટલું સાધન કે પૂંછ વિષે વિચાર. (૨) સંસારમાં નિકટને સંબંધ ગણાય છે તેવા સંબંધવાળે કરે બબુ. તેની સમજણગ્ય ઉમર થતાં સુધી તેના શરીરની સંભાળ અને કેળવણુ માટે મારે માથે ગણાતી ફરજ, તેના વિચારે. (૩) જે કુટુંબમાં આ ભવમાં મારે સંબંધ જન્મથી જોડાયેલ છે તે કુટુંબ તરફની મારી ફરજ એટલે તમારે અને તમારા પરિવાર માટે જે કરવું જોઈએ, તેના વિચાર. (૪) દશ વર્ષથી લેકસેવા તરીકે સ્વીકારેલું સંસાયટીનું આણંદનું કામ, તેના વિચારે. આ ચાર પ્રકારના વિચાર –હેડીમાં ચાર કાણાં હોય અને તેમાંથી પાણી હેડીમાં ભરાતું હોય ત્યાં સુધી હેડીમાં બેસી સહેલ કરવા નીકળેલા માણસથી જેમ નીચે મને બેસી શકાય નહીં, કારણ કે તેમાંથી પાણી આવ્યા કરે ત્યાં સુધી બૂડીને મરી જવાને ભય છે, તેવા આ ચાર પ્રકારના વિચારે મને મૂંઝવતા અને કેટલેક અંશે મૂંઝવે પણ છે. જ્યાં સુધી તે વિચારેને આવરે પાણીની પેઠે ઊભરાતે હોય ત્યાં સુધી મોક્ષની તૈયારી કે સાચા સુખને ખ્યાલ ન આવી શકે તે સ્વાભાવિક છે તથા સમજી શકાય તેવું છે. એ ચાર પ્રકારના વિચારે કે ચિંતાઓ ખરી રીતે હરકતકર્તા છે; પણ તે સંબંધી મેં શું શું કર્યું છે અને તેનું પરિણામ કંઈ આવ્યું છે કે નહીં તે થેડું હું જણાવી જવા ધારું છું. તેમાં છેલ્લી બે બાબતે પહેલી લઈને તે વિચારતાં બાકીની વાત સમજાશે એમ લાગે છે. તમને વખતે એમ લાગશે કે મેં આજ સુધી મારી જાતને માટે જ વિચાર અને કામ કર્યું છે, પણ ઘર સંબંધી મેં ચિંતા કરી હોય તેમ જણાતું નથી, પણ કામ જુદું છે, અને Page #25 -------------------------------------------------------------------------- ________________ ૐ આધામૃત ચિંતા જુદી છે. એટલે જોકે કામ બહુ થાડું કે નજીવું થયું હશે, પણ ચિંતાઓથી હું છૂટ્યો નથી એ બતાવવા થાડું લખું છું. જોકે ઘર સંબંધી મારે બદલે ચિંતા કરનાર અણુની આ હતી ત્યાં સુધી તેના મનમાં અમુક રકમ ઘેર મેાકલવી એમ રહેતું અને દર મહિને ભડકતાં ભડકતાં ખર્ચ કરતી, તે હું તે વખતે વધારે સમજી શકેલેા નહીં. કારણ કે સાસાયટીને પગાર એક કુટુંબનું ખર્ચ સારી રીતે નભે એ હેતુથી રાખવામાં આવેલા, તેથી વધે તેટલું ખાંધણી માકલવું એમ કહી મૂકેલું છતાં તેના મનમાં બાંધણીવાળા શું કહેશે? કંઈ નહીં મેાકલાય તેા શે। વિચાર ખાંધશે ?' વગેરેની તેના મનમાં ગડભાંજ રહેતી, પશુ એ ચિંતાથી કંઈ તે વિશેષ કરી શકી નથી. તે પહેલાં હું ભણુતા હતા તે વખતની મારા મનની સ્થિતિ જરી જણાવી જઉં તેા ચિંતાઓના ઢગલેઢગલા કરવા છતાં તેનું પરિણામ ઉદ્વેગ અને દુઃખ કરતાં વિશેષ કંઈ આવી શકયું નથી તે જણાશે. હું ભણુતા હતા તે વખતથી કાણુ જાણે મને ભવિષ્યના જ વિચારો આવ્યા કરતા હતા. હું આ સંસારમાં મારા રસ્તા કેવી રીતે કાઢી શકીશ ? એ વિચારો બહુ નાની ઉંમરથી એટલે ૧૪-૧૫ વર્ષની ઉંમરથી મને થયા કરતા. એક તા મારે જાતે કમાઈ ને ખાવું પડે તેવી ઘરની સ્થિતિ છે, એ ખ્યાલ મને નાનપણથી રહેલા. તેની સાથે તમે ન હેા તા મારે માથે બધી જવાબદારી છે, તે વિચાર મને દુ:ખી કરતા. એ આખા કુટુંબના એજો હું કેવી રીતે ઉપાડી શકીશ, એ મારા નાનપશુના મગજને મૂંઝવી દેતા. અને જ્યારે જ્યારે કાઈ પચાસ-સાઠ વર્ષના માણસને હું જોતા ત્યારે મને એમ જ વિચાર આવતા કે આ માણસે ગમે તે રીતે આ સંસારની યાત્રા લગભગ પૂરી કરી, તેણે કાઢ્યાં તેટલાં વર્ષોં હવે કાઢવાં નથી અને મારી ઉંમરની સરખામણી કરતાં મને એમ લાગતું કે મારા કરતાં એ કેટલા બધા સુખી છે. મારે હજી બધા ભવ તરવાના છે અને મારું શું થશે ? વગેરે વિચારેથી તા ઘણી વખત મને રાવું આવતું, અને ભીની આંખે ખડકીને એટલે બેઠા બેઠા હું જતા-આવતા ડાસાને જોઈ રહેતા, તે હજી હમણાં જ બન્યું હોય તેવું તાજું મારા મનમાં છે. પણ તે ચિંતાએનું પરિણામ મને દુઃખ આપવા ઉપરાંત એ આવ્યું કે છેડી દીધેલેા અભ્યાસ કરી કરવા પ્રેરાયા. તે ઉપરાંત કેઈ ને મદદ કરનાર નીવડ્યું નથી, થાડાં વર્ષ પછી અભ્યાસ છેાડીને કમાવાના વિચાર આવતા, ત્યારે પશુ અભ્યાસ આગળ ચાલુ રાખવામાં એક કારણ એ પણ હતું કે વધારે અભ્યાસ થાય તે કંઈક ભવિષ્યની ચિંતાઓવાળું કામ મોડું કરવું પડે — સંસારની મુશ્કેલીએ સાથે ખાથ ભીડવામાં ઢીલ થાય છે તે ઠીક છે એમ લાગતું. આ ઉપરાંત તે ચિંતાએ વિશેષ ફળ લાવી હાય તેમ સ્મૃતિમાં નથી, = આમ ધુમાડીમાં બાચકા ભર્યાં જેવી ચિંતા કરવામાં ખાકી રાખ્યું નથી. અને શરમાળ સ્વભાવને લીધે કાઈ ને કંઈ કહ્યું પણ નથી. ત્યાર બાદ અભ્યાસ પૂરો કરી ધંધે વળગવાનું આવ્યું તે પહેલાં તે જાણે કેાઈ કલેક્ટરને વિલાયતથી હિંદમાં મેકલે તેની પહેલાં જ તેને માટે કારકુન, ઑફિસ, મંગલા અને સિપાહીઓ વગેરેની તૈયારી સરકાર કરી રાખે છે તેમ અધી ગે।ઠવણ જાણે ભગવાને કરી મૂકી હાય તેવું જ બન્યું હતું. મારે માટે ઘણા માણસેાએ ઉજાગરા કરીને વિચારા કરી મૂકેલા અને કયાં કામ કરવું તે કેવી જાતનું કરવું તે બધું જાણે Page #26 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા નકકી થયેલું હોય તેમ મારે તે નથી કરવી પડી અરજી કે નથી જેવી પડી નેકરીની વાટ કે હુકમેની ટપાલ. પણ હાથને અંગૂઠે કપાયેલ તે રુઝાયે તે પહેલાં મારે કરવાનું કામ ડકિયાં કરી રહ્યું હતું. જ્યાં રહેવું કે કેમ ખાવા કરવું કે કેમ કુટુંબ ચલાવવું તેનું ભાન ન મળે, એવા મને અમીન લેકેની વચમાં પ્રભુએ લઈ જઈને મૂકયો. ત્યાં માત્ર સારું કામ કરવાની ઈચ્છા વગર બીજું કંઈ સાધન મારી પાસે હતું નહીં, છતાં નથી કેઈએ ઠપકો આપ્યો કે નથી કોઈની સાથે તકરાર થઈ કે ગૌતમ બુદ્ધને જે વિચારેએ સંસારમાં સુખે બેસવા નથી દીધા, તેવા જીવનની પ્રગતિ વિશેની ચિંતા વિના ઊને વા એવી અજાણી જગ્યામાં નથી વાયે - તે માત્ર પૂર્વોપાર્જિત પુણ્ય અને પુણ્યાત્માઓના સમાગમને લીધે જ બનવા પામ્યું છે એમ અત્યારે લાગે છે. નહીં તે તે વખતના દે તરફ જતાં તે ભોંયમાં પિસી જવા જેટલી શરમ આવે છે અને હજીય દોષ નથી એમ નથી, પણ હવે દોષને દુશ્મન જાણુને તેમની સાથે લડાઈ કરવી છે અને તે વખતે દેષરૂપી ઠગારાઓને મિત્ર માન્યા હતા એટલે ફેર છે. સાયટીમાં હું જેડા તે મને તે હવા લઈએ છીએ એવું સ્વાભાવિક કામ લાગેલું, પણ તમે તે મારા વિષે આશા રાખીને બેઠા હશે કે હવે હું સરકારના અને ગરીના પૈસા લૂંટનારે કે ધોળે દહાડે ધાડ પાડનાર લૂંટારા જેવો અમલદાર થઈશ કે કઈ વહીવટદારની ખુરશી શેભાવીશ કે વકીલ થઈને વઢવાડે કરાવીને લોકોને જિતાડીને વખણાઈશ અને આપણું કુટુંબનું નામ કાઢીશ. પણ તેવા થવાનું આ શરીરે થઈ શકે એવું નિર્માણ નહીં થયું હોય, નહીં તે અભ્યાસ પૂરો કર્યા પહેલાંના ત્રણ-ચાર વર્ષ અગાઉ તો મારા પણ એ જાતના કંઈક વિચારો હતા, પણ તેવી નોકરી સાથે લોકોનું ભલું તેવા અમલદાર થઈને કરવાનું સાથે ધારેલું, પણ કરી શોધવી એ જ મારા શરમાળ સ્વભાવની વિરુદ્ધ હતું અને અભ્યાસનાં છેલ્લાં બે-ત્રણ વર્ષોમાં વિચાર પલટાયેલા. તેથી સરકારી નોકરીની ગુલામી તે નથી જ કરવી એમ નક્કી કરેલું હોવાથી ખાનગી નોકરી કરતાં સામાન્ય ગરીબાઈ ભોગવવી પડે છે તે વેઠી લેવાને વિચાર પણ કરેલ. આ વર્ષોમાં કંઈક ધાર્મિક વાચન પણ ચાલતું અને તેને પરિણામે તથા ગ્રેજ્યુએટની યુનિવર્સિટીની ડિગ્રીના બળે એટલી આત્મશ્રદ્ધા આવેલી કે દુનિયાના ગમે તે છેડામાં રહેવાનું ભાગ્યમાં હાય, પણ કુટુંબ ચલાવવા જેટલી આજીવિકા પ્રાપ્ત કરવામાં કદી દીનતા કરવી નહીં પડે, પણ મારી યોગ્યતા અને શ્રમથી ગમે તે કાળે પાછળનું બધું કર્યું-કરાવ્યું ધૂળ થઈ જાય તે પણ દુનિયાને લાત મારીને પણ મારા અને કુટુંબના નિર્વાહનાં સાધને હું મેળવી શકીશ; તથા આ ભવમાં લાખ મળવાના નથી અને લખેસરી થવાના નથી તો પૈસા માટે નકામાં ફાંફાં મારવામાં શે માલ છે? એમ પણ કંઈક મનમાં રહેલું, તેથી સંતોષ રહેતા અને રહે છે. આ શ્રદ્ધાના બળે તથા સુધારક વાતાવરણની અસરમાં મેં મનમાં નક્કી કરેલું કે મારે બાપતી મિલકતમાંથી કાંઈ જોઈતું નથી. મિલકતની વહેંચણીમાં ઘણું કુટુંબમાં ભાઈઓ વચ્ચે તકરાર થાય છે તે મારે નથી કરવી તથા પિતે ન કમાયા હોઈએ તેના ઉપર આપણે હક્ક કરે એ પણ મને અન્યાયપૂર્વક લાગેલું. બાપદાદાની મિલકત ઉપર કોઈનો અધિકાર હોય તે જે કમાઈ ન શકે તેવાં બૈરાંછોકરાંને હક્ક હવે જોઈએ અને પુરુષોએ Page #27 -------------------------------------------------------------------------- ________________ - ૮ બેધામૃત તો સિંહની પેઠે પિતાને નિર્વાહ પિતાના પુરુષાર્થથી કરે ઘટે છે. તેથી ઘરની મિલકત ઉપર મારે હક્ક મેં આ ભવનાં ઘણું વર્ષો સુધી માન્ય નથી. આવા વિચારે હોવાથી મારી પાસેથી આથી વિશેષ આશા કઈ રાખે છે તે પણ ગ્ય નથી એમ મને લાગતું. કેળવણું માટે મારી પાછળ ખર્ચ થયે તે તે કુટુંબે કરવો જોઈએ એમ હું માનતો, કારણ કે કેળવણીના ખર્ચ ઉપરાંત મારે કુટુંબ પાસે કશું જોઈતું જ નથી, અને ભવિષ્યમાં છોકરાંને કેળવણી પાછળ ખર્ચ કરવા માટે સહિયારી મિલકત રહે તેટલા પૂરતું મારા જરૂરના ખર્ચ ઉપરાંત જે કંઈ બચે તે બાંધણ મોકલવા મેં વિચાર પણ રાખેલે, પણ તેમાંથી મારે પાછું કંઈ લેવું એવી આશા નહીં રાખેલી. તેની સાથે જુદું કંઈ બચાવી ખાનગી સિલક કરવાનું કે ઘરેણુ જેવું કરવાને પ્રયત્ન પણ નથી કરેલે; કારણ કે સંઘરે કરવો હોય તે કુટુંબના ધનમાં થે જોઈએ એમ હું માનતે. જરૂર પડ્યે તેમાંથી માંદા-સારા પ્રસંગે કે છોકરાના ખર્ચ માટે તે બૅન્ક હોય તેવી મારી સમજ હતી અને હજી છે. પણ તે બેન્કમાં પૈસા જમે કરાવવા તણાટ વેઠ, કંજૂસાઈ કરવી એમ પણ માનેલું નહીં. માત્ર ખેતીમાં પાકેલા અનાજની કોઠી ભરી હોય તેમાંથી વાપરતાં વાપરતા વધે તેટલું તેમાં પડી રહે એવું માનેલું તથા તમે બધુંય ઉડાવી જાઓ એવા નથી એવી મારી ખાતરી પણ ખરી, એટલે જુદાપણાને કે ખાનગી સિલક રાખવાને મને વિચાર પણ નથી આવ્યું. મારે બેજારૂપ કોઈને ન થવું અને સારા રસ્તે લાગે તે રસ્તે જીવન ગાળવું કે મરતી વખતે પસ્તા ન થાય, કે કોઈને દેષ પણ દેવાને વખત ન આવે કે આનું મેં કહ્યું કરીને ગદા ખાધા. આ વાત પૂર્વકર્મને બળે મારામાં ઘર કરીને રહેલી, પણ કેઈને હું ખુલ્લા શબ્દોમાં કહી શકેલ નહીં. તેથી હું સંસાયટીમાં જોડાયે, તે ઘણુને બાંધણીમાં અને સગાંઓમાં ગમેલું નહીં અને હું મારા પગ ઉપર કુહાડો મારવા તૈયાર થતે હેઉં તેમ બધા વડીલને લાગેલું અને તમે મોટાભાઈ રહ્યા તેથી તથા કુટુંબની સહિયારી મિલકતમાંથી મોટી આશાઓ રાખી ખર્ચ કરેલું, તેમ જ હવે તમારે માથેથી કુટુંબ માટે કમાવાની ઝુંસરી ઊતરશે એમ ધારેલું, તેથી તમારી બધી આશાઓ ઉપર પાણું ફરી વળેલું જણાતાં તેમને વધારે માઠું લાગેલું. એટલે તમેય બાની પાસે કહેવરાવેલું કે આપણે આપણે ભાગ વહેંચી જુદા થઈએ. પણ તમને જે મેટી ધમકી તે વખતે લાગતી તે મારે મન તરણ જેવું હતું, એ ઉપર જણાવ્યું તે ઉપરથી હવે સમજાયું હશે, કારણ કે મને મિલકતમાંથી એક રાતી બદામ ન મળે તે પણ મને શેક થાય તેવું હતું નહીં. કારણ કે મિલકત મારી છે એવું મેં માન્યું જ નહોતું. તેથી મારે વિચાર ફેરવવાની ફરજ પાડે તેવું દુનિયામાં કેઈ નહતું. માત્ર એક બળ હતું અને તે આપણાં માતુશ્રી. તેમને બેટું ન લગાડવું એવું મારા અંતરમાં રહેતું, પણ તેમને તે મારા તરફ એટલે બધે પ્રેમ હતું કે તેમની ઈચ્છા મારા ઉપર બળજરીથી બેસાડી મને દુઃખી કરવા જેટલી કઠોરતા તેમનામાં ન હતી. તે તે એમ જ કહેતાં કે તું સુખી થાઉં એવું કર, માત્ર ભાઈને તરફ નજર રાખજે. તેના મનમાંય એમ ખરું કે હું મટે માણસ થઈ જવાને, અને તેને માટે દીકરે ભિખારી જે રહેવાને. પણ મેં તે ધનવાન થવાનું મનમાંથી માંડી વાળ્યું હતું અને ઘરમાં પૈસા હોય તે પૈસા ફેરવવાનું કામ મોટાભાઈને જ સોંપી મૂક્યું હતું તે તેને ખબર ન Page #28 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા હતી, પણ તે ધર્માત્મા માતુશ્રી પૈસા વધારે કમાવા ખાતર મારા વિચાર બદલવાની હઠ કરે તેમ હતું જ નહીં. તેથી મારે કશાથી ડરવાનું નથી, એમ હું જાણતો હતો. મરતી વખતે પણ તે માતાએ પૈસાની અગત્ય નથી સ્વીકારી. મને આશીર્વાદ આપતાં, મને ભગવાન પૈસાદાર કરે એવું નથી કહ્યું, અને મારે આ જિંદગીમાં જે જોઈએ છે તેની જ આશિષ તે પણ આપી ગઈ છે કે “ભગવાન તારું કલ્યાણ કરશે.” એ માતાની સેવાનું ફળ આપવાની ભગવાનની ઈચ્છા હોય તેમ મારા મનમાં તે આશિષ ફળે તેવા પ્રયત્ન કરવા જ વારંવાર વિચાર આવ્યા કરે છે. મનુષ્યભવ ફરી ફરી મળી શકે એમ નથી. પરમાર્થ સાધવાની બાજી ઢરપશુને અવતાર આવશે ત્યારે હાથમાં રહેવાની નથી. પૈસા ગમે તેટલા કમાયા હોઈએ છતાં તે પડી મૂકીને બધા જાય છે તેમ જવું પડશે, તે જે આત્માના કલ્યાણની બાબત હોય તે જ આ ભવમાં કમાઈ લેવી જોઈએ. આમ આ જિંદગીનું આજ સુધીનું પરોપકાર તરીકે ગણાતું કામ, કંઈક વૈરાગ્ય અને ત્યાગના બળથી આ જીવ કરવા પ્રેરાયેલે પણ પરેપકાર કે આત્મહિતનું કામ એ દાદરનાં પગથિયાં જેવું હોય છે તેની તે વખતે ખબર નહીં અને વિસ વરસ સુધી તે કામ (સાયટીનું કામ) કરવાની ગોઠવણ જેમણે કરેલી તે, તે કાળે બરાબર લાગેલી. પણ હવે દશ વર્ષના અનુભવ પછી તે ગોઠવણ મારે માટે ભૂલભરેલી મને જણાય છે. એટલે કે ઈ માણસ ઘડા ઉપર બેસીને સ્ટેશન આગળ પુલ સુધી આવે અને ઉપર દાદર ચઢીને રેલવેને પુલ ઓળંગી ગાડીએ બેસવા ધારતું હોય તેનાથી જેમ ઘેડે લઈને પુલ ઉપર ન ચઢાય તેથી ઘેડેથી ઊતરવું પડે છે એટલે ઘડાનું કામ પૂરું થતાં ઘોડે છેડી દે પડે છે, તેમ કંઈક ત્યાગની જરૂર પડતાં ત્યાગ કરીને આગળ વધવાનું આજ સુધી બન્યું છે. આમાં ઘેડ એ તે કુટુંબના કામની ચિંતા છે, તે ચિતા સેસાયટીની ચિંતા શરૂ થતાં છેડી દીધી હતી; જોકે પૂરેપૂરી છૂટેલી નહીં, પણ તે વધી તે શકી નથી. જે વધી હોય તે ઘરમાં કેટલું ઉત્પન્ન આવે છે, કેટલી સાથે આવે છે, શું ખર્ચ થાય છે અને શું બચે છે વગેરે જેવાને પણ કેઈક દિવસ વિચાર થાત, પણ તમારા વારંવાર કહેવા છતાં તેવી બાબતની તપાસ એક દિવસ પણ મેં કરી નથી અને હજી પણ પાડોશમાં રહેનાર ઘરની માલમિલકત કેટલી હશે તે જેટલું જાણતા હોય તેના કરતાં હું ઓછું જાણું છું અને તે જાણવાની દરકાર હજી પણ નથી રહેતી. ત્રીજી અને એથી વાત છેડી કહી ગયે. હવે બીજી વાત છેડી કહી લઉં. આ બબુના જન્મ પહેલાં તેને મોટે ભાઈ વિઠ્ઠલ મરી ગયો, તેની વાત ઉપરથી તે સમજશે. તેને ત્રણ વર્ષ જેટલા ટૂંકા જીવન દરમિયાન મને ઉપર જણાવેલી વૈરાગ્યની ભાવનાઓએ સંસાર છોડી નાસી જવા જેવો પ્રયત્ન કરવા પ્રેરેલે. એક વખત રાત્રે ત્રણ વાગ્યે બાંધણથી લેટે લઈને કેઈને કહ્યા વિના નીકળી પડેલે, તે એવા વિચારથી કે ચાલતાં ચાલતાં કોઈ જંગલ આવે તો તેમાં સંતાઈ રહેવું અને ઉત્તમ જીવન માટે તૈયાર થવું. પણ બે કલાક સીમમાં આડાઅવળી નડિયાદ ભણીના કાંસે ફરતાં ફરતાં સવાર થવા આવ્યું ત્યારે ઘુંટેલીની ભાગળ આવી, એટલે લાગ્યું કે હજી તે હું બાંધણીની પાસે જ છે અને કેઈ મારે માટે Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૦. બોધામૃત તપાસ કરવા આવે તે મને પકડી પાડવો સહેલું થઈ પડે તેમ છે. તેથી એક ગાઉને દીઠેલે રતે અડધા કલાકમાં, મનની વૃત્તિઓને દબાવીને ઘેર પાછા આવતે રહ્યો. આવી ત્યાગવૃત્તિ તે ઘણી વાર ઊછળી આવતી, પણ સંસાર છોડીને કયે રસ્તે આગળ વધવું એની દિશાનું ભાન નહીં હોવાથી અંધારામાં કૂદકો મારવા જેવી મૂર્ખાઈ લાગતાં કઈ સારી તકની રાહ જેવામાં વખત ગાળો. તેની સાથે તેટલા જ વેગથી કે તેથી વધારે વેગથી જીવ સંસાર ભોગવવાનું પણ કર્મ ખપાવતે તેમ કંઈક લાગે છે. એ દીકરે ત્રણ વર્ષ જ જીવેલે, પણ તમે એક છોકરા ઉછેરી ત્રીસ વર્ષને માટે કરે ત્યાં સુધી જે ચિંતાઓ કરે તેટલી ચિતાઓ તેણે મને કરાવેલી અને તેની કેળવણી માટે શું શું કરવું, શી શી ગોઠવણ કરી મૂકવી, મારે કેવી રીતે પિતા તરીકે તૈયાર થવું વગેરે બન્યું તેટલું વિચાર્યું હતું અને દુનિયાની કઈ વસ્તુ કરતાં તેના ઉપર વિશેષ મેહ રાખેલે, તેમ છતાં તેનું શરીર ક્ષણભંગુર છે એટલુંય સમજાયેલું નહીં, એ જ દીવા તળે અંધારું. આપણાં સંસારીનાં બધાં કામમાં આ જ ધબડકે હોય છે. વાતે ડાહી ડાહી કરીએ પણ અંતરમાં અનુભવરૂપે કાંઈ મળે નહીં, માત્ર પિપટિયું બેસવું હોય છે. તેને વારસામાં શું આપી જવું તેને વિચાર પણ મેં કરી મૂક્યો હતે. ઉત્તમ જીવન પિતા ગાળે એ પુત્રને માટે જેટલું ઉત્તમ છે, તેના જેટલો ઉત્તમ વારસો કઈ પણ પિતા પિતાનાં છોકરાં માટે મૂકી શકતો નથી, એ મારા મનમાં સ્વાભાવિક રીતે કઈ પૂર્વકર્મના બળે રકુરેલું અને જાગ્રત રહેલું. તેથી તેને પૈસાદાર થયેલો જોવાનાં કે પરણીને મોટા કુટુંબવાળો થઈ સુખી ગણાય એવાં પણ મેં સ્વપ્ન ઘડેલાં નહીં. કારણ કે મેં જેને સારું માનેલું તેવું ઉત્તમ જીવન જ તેને વારસામાં મળે એવી મારી ઈચ્છા હોય જ. મારું અધૂરું રહેલું કામ પૂરું કરે તેવો પુત્ર થાય એવી મેં ઈચ્છા રાખેલી; તેની સાથે મારે પણ આપણું પિતાએ અધૂરું મૂકેલું કામ પૂરું કરવું એમ પણ મનમાં હતું અને હજી છે. આપણુ “કા(પિતા), તેમને જે ધર્મ ઉપર શ્રદ્ધા હતી તેમાં બધે વખત ગાળવા પ્રભુભક્તિમાં જિંદગીને પાછળને વખત જાય તે હેતુથી “મદ પાળી સંસારથી છૂટા થયા હતા અને તે “મદામાં જ તેમણે શરીરને ત્યાગ કર્યો હતે. સંસારને તદ્દન ભૂલી પ્રભુમય જીવન ગાળવા જેટલી તૈયારી તેમની મેં દીઠેલી નહીં, પણ આયુષ્ય થોડું બાકી રહ્યું હતું ત્યારથી તે ચેતી ગયા હતા અને જેમ બળતા ઘરમાંથી બચાવાય તેટલું બચાવી લઈએ છીએ તેમ દઢતા રાખીને બાકીની જિંદગીના દિવસે બચાવવા મજ઼દા” પાળી કુટુંબથી દૂર જઈને બેઠા હતા. આ વાત પણ મારા મનમાંથી દૂર થઈ નથી અને થઈ શકે તેમ નથી. તમે આજ સુધી ઘરખટલે ચલાવ્યું છે, સાંસારિક બેજે ઉપાડ્યો છે અને હજી ઉપાડો છો. હું પહેલેથી સદ્ભાગ્યે તેથી દૂર રહ્યો છું, અને પરમાર્થની શોધમાં અને તેને પ્રાપ્ત કરવાના પ્રયત્નો માટે જીવું છું. તમે તમારાથી બનતું લેકલાજ વધારવા કે ટકાવવા પ્રયત્નો કરે છે અને ઈચ્છે છે, તેવી રીતે મેં જે વારસે માતા, પિતા અને ગુરુ તરફથી મેળવ્યું છે તેને વધારવા પ્રયત્ન કર્યા કરું છું અને તેને માટે સર્વસ્વ અર્પણ કરીને પણ સંપૂર્ણ ઉન્નતિ સાધી શકાય તે માટે તૈયાર થવા મારું ચિત્ત તલપાપડ થઈ રહ્યું છે. પણ તે રસ્તે જતાં જે મુશ્કેલીઓ મને જણાય છે તે તમને એટલા માટે જણાવવા ઈચ્છું છું કે મોટા ભાઈ તરીકે Page #30 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા તમારી મદદ અને આશિષ હોય તો મારું કામ પૂરું કરવાની મને આશા છે. કારણ કે તે કામમાં જરૂરને માર્ગ બતાવનાર સદ્ગુરુની ખાતરી થઈ છે. મારી ઉંમર એટલી મોટી નથી કે સદ્દગુરુએ બતાવેલે રસ્તે ચાલતાં હું થાકી જઉં કે શેડો લાભ મળતાં સંતેષ પામી અટકી જઉં. પરમકૃપાળુ પ્રભુની કૃપાથી હજી સુધી શરીરને રોગ અને વૃદ્ધાવસ્થાએ ઘેરી નથી લીધું, તેથી ધાર્યું કામ પાર પાડી શકાય તેવા સંજોગે છે, તેમાં આગળ ગણાવેલાં ચાર બંધનનાં કારણોમાંથી કુટુંબચિંતામાંથી મને મુક્ત કરવામાં તમે આજ સુધી મદદ કરી છે, તેમ તમારી મદદ અને આશિષ હવે ખાસ કરીને જોઈએ એટલે બબુની સંભાળ તમે સ્વીકારે તે હું છૂટો થઈ શકું અને સોસાયટી સંબંધી તથા મારા દેહાદિ સંબંધી ચિંતાએમાંથી મારા બળ વડે મારે છૂટા થવાનું છે. તેની મેં કેટલેક અંશે ખાતરી કરી લીધી છે કે જેવા ધર્મને અનુકૂળ સંજોગે અગાસ આશ્રમના વાતાવરણમાં છે તેવા સંજોગોમાં થોડાં વર્ષ રહેવાથી હું સોસાયટી, કુટુંબ, બબુ કે મારા દેહ સંબંધીની ચિંતાઓને આવરો અટકાવી શકીશ. એટલે એક વાર તે સર્વની ચિંતા છોડવાને નિશ્ચય થયા પછી કઈ કાળે તે નહીં સાંભરે તેવી સ્થિતિ સદ્ગુરુકૃપાથી પ્રાપ્ત થવી સંભવે છે. મારી ઉપર ગમે તેટલી ભવિષ્યમાં આફત આવી પડે તે પણ સાંસારિક સગવડે કે સુખની ઇચ્છા પણ નહીં જાગે એમ પણ અત્યારે લાગે છે; પણ એક મુશ્કેલ વાત છે કે હાલના કરતાં વધારે સાંસારિક સુખમાં ઘેરાઈ જવાનો ઉદય આવે તો શું? તો પણ સદ્ગુરુકૃપાથી અને સદ્ગુરુને શરણે રહેવાથી તથા આ સંત મહાપુરુષને હાથે હજી તેવી તાલીમ લેવાની ઈચ્છા છે, તેથી તેવા સાંસારિક અનુકૂળ સંજોગોમાં પણ નહીં ચળી શકાય તેવી સ્થિતિ પ્રાપ્ત થવાને સંભવ લાગે છે. હું ખાસ કરીને તેને માટે જ વહેલી દીક્ષા લેવા ઈચ્છા ધરાવું છું, કારણ કે અત્યારના અગાસના સંજોગોમાં હું સંપૂર્ણ વૈરાગ્યથી રહેવાનું શીખી લેવાની ઈચ્છા રાખું તે મોટા મહારાજશ્રીની દશા દ્વારા મારી વૃત્તિઓ સ્થિર થવાને ઉત્તમ યોગ હાલ મને લાગે છે. તેની સાથે આજ સુધીના સાંસારિક જીવનમાં મને એટલું તે સમજાયું છે કે સંપત્તિ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય છતાં તે પ્રાપ્ત થતાં ઘણી વાર વાર લાગે છે, પણ ત્યાગની ઈચ્છા દઢ થતાં ત્યાગ કરવામાં વિશેષ વખત નથી લાગતો, માત્ર શિથિલતા અને અણસમજ જ નડે છે અને અણસમજ દૂર કરવા તે હવેનું આયુષ્ય ગાળવું છે તથા શિથિલતાની પણ સામે પડવું છે તે ગમે તે ભારે પુણ્યને ઉદય પણ પેગ લૂંટી લેવા સમર્થ નહીં નીવડે, તેટલી તાલીમ આ ભવમાં મળવાને સંભવ દેખાવાથી તમને બધાને અઘરું લાગતું આ સાહસ હું બેડું છું. એટલે ટૂંકામાં અત્યારે જે જાતની ઊણપ મારામાં મને લાગે છે તે પૂરી કરવામાં ઉત્તમ નિમિત્તભૂત એવા નિસ્પૃહી અને આત્માના પ્રગટ અનુભવવાળા સદ્દગુરુની જરૂર છે, તે જોગ પ્રાપ્ત થવાની તક દેખાવાથી તમને હાથ જોડીને વિનંતિ કરવાની કે તમે આશીર્વાદપૂર્વક રાજીખુશીથી એમ કહે કે તારે ભણવાની ઈચ્છા થઈ ત્યારે અમે વાંધો નથી લીધે અને ઊલટી બની તેટલી મદદ કરી છે, તે આવા સારા કામમાં અમે શા માટે વચમાં આવીએ? બબુની સંભાળ તે અમારાથી બનશે તેટલી લઈશું અને તે બને છોકરાઓના ભાગ્યમાં હશે તેટલું ભણશે અને નસીબ પ્રમાણે ધંધે વળગશે. Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૨. બેધામૃત દાણેદાણું ઉપર તેને ખાનારાનાં નામ હોય છે. જે જે અન્નપાણીના અને જગાના સંસ્કાર તેમના ભાગ્યમાં હશે તે તે તરફ તેઓ અને આપણે આપોઆપ ખેંચાયા જઈએ છીએ તે પ્રમાણે બધું થતું જશે. અમે અમારાથી બનતું કરી છૂટીશું અને લેણદેણ હશે તેટલું પૂરું કરીશું. આથી વધારે આપણે કરી શકીએ તેમ નથી, છતાં ગાડા તળે ચાલતું કૂતરું એમ ધારે કે ગાડું મારા લીધે ચાલે છે તે જેમ અજ્ઞાન છે તેમ સંસાર, કુટુંબ કે દેહને નભાવનારા સંજોગે કેટકેટલા માણસ સાથેના સંબંધ સંસ્કાર પૂરા કરવા ઘડાયા જાય છે, તેમાં હું કરું છું, મારાથી બધું થાય છે એમ માની બેસીએ તે માત્ર અણસમજ છે. એટલે તમારી ખીચડી ભેગી બબુની ખીચડી ચઢવામાં તમને વિશેષ મુશ્કેલી નહીં પડે એમ ધારું છું. કઈ જાત્રાએ કાશી, મથુરા ભણી જાય છે ત્યારે તેને ચાંલ્લે ને રૂપિયે આપી સાથે સુખેથી જાત્રા પૂરી થાય તેવે આશીર્વાદ આપવાનો રિવાજ છે, તેમ હું મટી જાત્રાએ જ જવા ઈચ્છું છું. કુટુંબને સદાને માટે છોડીને, આખી દુનિયાને કુટુંબ ગણું મારા પ્રારબ્ધ ઉપર આધાર રાખીને આ ભવમાં બાકી રહેલાં વર્ષે પરમકૃપાળુદેવના ચરણકમળમાં અર્પણ કરવા તત્પર થયો છું. મેં હજી અગાસમાં આ વાત જાહેર નથી કરી, કારણ કે વખતે આટલી ભારે જવાબદારી ઉઠાવવા જેટલી મારી ગ્યતા તેમની દષ્ટિમાં ન જણાય અને મને સંસાર છડી આશ્રમમાં રહેવાની આજ્ઞા ન મળે તે માટે કાંઈ કહેવાતા સાધુ થઈ ફર્યા કરવું નથી, પણ તે યોગ્યતા પ્રાપ્ત કરવા જે જે ઉપાય દીર્ધદષ્ટિથી બતાવે તે માટે માન્ય હોવાથી, પહેલાં હું બીજી જવાબદારીમાંથી મુક્ત થઈ થઈ તેમને વાત કરવા વિચાર રાખું છું. મેં ત્યાં વાત જાહેર કર્યા પછી મને ગમે તે કામ કે સલાહ કે આજ્ઞા કરે તે માટે હું કઈ પણ પ્રકારના વિકલ્પ વગર તે કામ ઉઠાવવા સર્વ શક્તિ વાપરી તે સંપૂર્ણ કરવા પ્રવર્તી શકું, માટે અત્યારની મારી અલ્પમતિ પ્રમાણે મારે માથે જે જવાબદારીઓ જણાય છે તેથી મુક્ત થવા આ વીનવણી હું કરી રહ્યો છું. એ ચાર પ્રકારની જવાબદારીઓ દૂર થાય તે ભલે મને કાશી જઈ શાસ્ત્રઅભ્યાસ કરવાની આજ્ઞા મળે કે આશ્રમમાં પૂંજે વાળવા કે ઘંટ વગાડવા જેવું નજીવું કામ સેપે તે પણ મને તે પૂરેપૂરો સંતોષ થવાને એમ અત્યારે લાગે છે, કારણ કે મારું કલ્યાણ તે પુરુષની આજ્ઞા ઉઠાવવા માટે જ જીવવામાં છે એમ મને સમજાય છે. તેની સાથે મારું આત્મહિત સધાય તેવી આજ્ઞા કરવાને તે સમર્થ છે, એટલી મને શ્રદ્ધા અંતરમાં છે. માટે ચેખા થઈને જવા માટે તમને આ લાંબું લખાણ લખી કંટાળો આપ્યો છે અને તમારી આશિષ મેળવી સાસાયટીમાં બધાને જણાવી તેમની અનુકૂળતાએ-જરૂર પડે તે ચેડા મહિના રાહ જોઈ ઉતાવળ કર્યા વગર બધાને રાજી રાખીને તે કામ છેડી શકાશે એ સંભવ છે. તેથી તે પ્રમાણે જરૂર કરવું એ દૃઢ નિશ્ચય ઘણું વખતથી કર્યો છે અને સોસાયટી માટેનું રાજીનામું તે ત્રણ-ચાર વર્ષથી લખેલું પડી રહ્યું છે. તમે બધાં સમ્મત થાઓ તેમ અહીંની ચીજો અને બબુની વ્યવસ્થાનું બધું કામ ઘેડા વખતમાં પતવી પછી આ વાત અગાસ જાહેર કરવા વિચાર છે. આટલી તૈયારી હશે તે અગાસમાં મને સ્થાન મળવું મુશ્કેલ નહીં થાય, એવું ટૂંકી બુદ્ધિથી જણાય છે. તેમ છતાં જે થવાનું હશે તે હરીચ્છા પ્રમાણે થશે અને તેમાં જ સંતોષ માનવાને રહે છે, પણ Page #32 -------------------------------------------------------------------------- ________________ 1333 ૧૩ પત્રસુધા પુરુષાર્થ કરવામાં તે પાછા નહીં પડું. તમારા તરફથી આશિષ અને અનુકૂળતા મળશે એમ મનમાં ખાતરી છે, પણ વખતે નાના ભાઈ ઉપરના સાંસારિક માહ આજ સુધી દખાઈ રહેલા તમને ઘેરી લે અને મને સંસારમાં બાંધી રાખવા આગ્રહ કરે; પણ મારા સ્વભાવ સંબંધી તમે જાણા છે કે એક વખત નિશ્ચય કરેલા કરવા મુશ્કેલ છે એમ તમે એ પ્રસંગે તેા જાણ્યું છેઃ એક સેાસાયટીમાં જોડાવા સંબંધીના અને ખીજો લગ્નપ્રસંગના; એ બન્ને પ્રસંગેામાં તમને ખાટું લગાડવું પડેલું તેમ આ શુભ કામમાં કરવું ન પડે માટે લંબાણુથી આ પત્ર લખી કાલાવાલા કર્યાં છે. આ કામ શુભ છે એવું તેા આજ સુધી તમે ધર્મના વાતાવરણમાં એટલે ભગત કુટુંખમાં રહ્યા છે એટલે અંતરમાં સમજ્યા જ હશે!. પણ માહને લઈને રડવું વખતે આવશે, છતાં કાલે સવારે હું મરી જાઉં તે આ બધું તમારે સાચવવાનું તે છે જ અને મારે વહેલું મરી લેવું છે એટલે જે ચિંતા મર્યાં પછી થવાની તે પહેલેથી થવાની હાય તેટલી થઈ જાય અને એ વહેલું પતી જાય. પછી જે વર્ષે ખચ્યાં તેટલાં મારા આત્માની કહેા, આશ્રમની કહેા કે જગતની કહેા, પણ જેમાં સર્વની સાચી સેવા સમાય તેવી ફરજ અજાવવા માટે હું ઘરબાર છેાડી અણુગાર થવા ઇચ્છું છું. આ કાર્ય કરવામાં મારા મન સાથે કાઈ પણ પ્રકારની લાલસા મેં સંઘરી રાખી નથી. સંત, મહંત કે ગાદીપતિ થવાની ગંધ પણ મારી ઇચ્છામાં નથી, પણ સર્વને સેવક અને આત્મા થવાની ઇચ્છા ઘણા કાળથી માંધી રાખી છે તેવા થવું છે. તેમ જ નથી હું સેાસાયટીના કામની મુશ્કેલીથી કે કામના દબાણુથી કંટાળ્યા કે નથી સેાસાયટીવાળાએએ મને કાઢી મૂકવાના વિચાર કર્યાં કે જેથી મારે ખીજું કોઈ સ્થળ શેાધવું પડે. જો તેમ હાય તા આજે ખસેા-પાંચસો રૂપિયા મહિને મળે તેવી નાકરી હું શેાધી શકું એટલી મારામાં મને શ્રદ્ધા અને શક્તિ જણાય છે. પણ તે બધાં ગુલામ કે નાકર બનવાનાં અને બનાવવાનાં સાધન સમજાયાથી, સ્વતંત્ર જીવન સમજવું, સ્વતંત્ર થવું અને સ્વતંત્ર થવા ઈચ્છનારને દેખેલા માર્ગ યથાશક્તિ આંગળી ચીંધી બતાવવા તૈયાર થવું એટલું જ કામ કંઈક મારાથી બની શકે તેા આટલા ટૂંકા જીવનમાં તે ઓછું નથી એમ અત્યારે લાગે છે. જે વસ્તુ માલ વગરની લાગે છે તેમાં ને તેમાં જ ગેાચલા ગણવા ને તેના તે વિચારામાં ગૂંચાયા કરવું તે હવે અસહ્ય લાગે છે. તેમાં જીવવું તે સાક્ષાત્ મરણુ દેખાય છે. જેને માટે જીવવું છે તે જો ન મને તેા હાલતાચાલતા મડદા જેવી સ્થિતિમાં જીવવા જેવું જ છે, ખરામમાં ખરામ કે જેવું છે, કેાઈ કોથળામાં પાંચશેરી ઘાલી માર મારે તે મૂંગે માઢે સહન કરવા જેવું છે. આજ સુધી તમને કંઈ નથી કહ્યું તેના એ કારણેા હતાં: (૧) મારે મારી પેાતાની ખાતરી કરવાની હતી કે હું કંટાળીને સંસારથી છૂટા થવા ઇચ્છું છું કે માત્ર શુભ જીવનને માટે છૂટો થઉં છું? (૨) ખમુ નાના હતા તે વખતે તેની સંભાળ માટે વધારે મહેનત લેવી પડે અને નાનપણુમાં પડેલા સંસ્કારા આખી જિંદગી સુધી કામ કરે છે તેથી તે અઘરું કામ ગણીને કાઈને તે કામ સોંપતાં મન પાછું પડેલું. હવે તે પાતાની સંભાળ માટે ભાગે પાતે લઈ શકે, છ્યો ગમે ત્યાં રમતા ફરે તેટલી ઉમ્મરના હેાવાથી સંભાળ રાખનારને ઘણી ચિંતાનું કારણ નથી; તેમ જ સારું વાંચન અને સાધારણ સારા કુટુંબમાં રહેવાનું તેને મળે તેમાંથી યથાપ્રારબ્ધ તેને આગળ વધવાનાં સાધના મળી આવે એવા સંભવ છે. અહીં Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૪ બેધામૃત પણ તેને મારી જરૂર નથી અને હું કંઈ તેને માટે કરી નાખતો નથી, તેમ જ જે કામ માટે હું તેને અને સર્વને છોડું છે તે સમજવા જેટલી ઉંમરે તેને તે પ્રસંગ પણ આગળ વધવામાં નિમિત્તભૂત થાય તેવો સંભવ છે. સૌ સૌના પ્રારબ્ધ પ્રમાણે સૌ આગળ વધવાનાં, ધંધે લાગવાનાં અને કમાવાનાં સાધને મેળવી રહે છે અને કાળ કાઢે છે તેમ તેના સંબંધે પણ થઈ રહેશે. તેમાં કઈ વધઘટ કરી શકે તેમ નથી. આપણે જમ્યા ત્યારે શું લઈને આવ્યા હતા? તેમ છતાં જે સુખદુઃખ આપણે દીઠાં તે સૌ સૌના પ્રારબ્ધ પ્રમાણે જુદાં જુદાં સગા ભાઈઓમાં પણ હોય છે અને જતી વખતે પણ અહીંના પૈસાટકા કમાયેલા સાથે લઈ જવાય તેમ નથી કે મતનું દુઃખ મંઝવતું હશે ત્યારે કઈ તલભાર પણ દુઃખ ઓછું કરવાને સમર્થ નથી. આવી સમજથી સર્વ છેડીને જવાની અણી વખતે પણ મારા મનમાં જરાય ખટકો નથી રહેતું. એટલે મેહ અને અજ્ઞાન તેટલા પ્રમાણમાં સારું કરવા જતાં પણ બીજાને ખોટા દેખાય તે સંભવ છે. મારાં ભાભીને વખતે રવું આવશે પણ તમને આમાંથી સમજાયું હોય તે ધીમે રહીને તેમને સમજાવશો. આ કાગળ વંચાવો ઘટે તે વાંચી સંભળાવશે. પછી આજ સુધીમાં જે કંઈ બેસુંચાલ્યું કે નાનપણમાં ધીંગામસ્તીમાં થયેલા દોષ અને પાપ બધાંની ગોરધનભાઈએ બે હાથ જોડીને ઉત્તમ માફી માગી છે એમ તેમને જણાવશે. તમારી પાસેથી પણ ખુલ્લા દિલથી આજ સુધી મારાથી મન, વચન અને કાયાએ થયેલા દોષ અને પાપની ઉત્તમ માફી વિનયપૂર્વક માગું છું. મને સુખી કરવો હોય તે મારું દિલ ન દુભાય તે રસ્તે જવા માટે તમે બન્ને વડીલે મને માથે હાથ મૂકીને, માબાપ છોકરાને કમાવા માટે આફ્રિકા મોકલે છે તેમ આ ભવ અને પરભવમાં પણ ઉત્તમ ગણાતી કમાણી માટે તૈયાર થતાં મને આશીર્વાદ આપવા તૈયાર થશે. આ કમાણી અત્યારે તે નહીં સમજાય પણ મોટામાં મોટી કમાણી આ ભવમાં બની શકે તેવી છે અને તેને માટે મારું દિલ તલસી રહ્યું છે. કશું નવું પ્રાપ્ત કરવાની વાત અત્યારે હું નથી કરતે, પણ નકામી હાનિકારક મૂંઝવણ દૂર કરી સત્યની પ્રાપ્તિની જ વાત છે. તેમાં જ સર્વ સુખ છે એમ ઘેડ કાળ જતાં સમજાવા સંભવ છે. પહેલાં મને વૈરાગ્યની વેળ આવતી, તે વખતે પાસેનાં મહી નદીનાં કેતરમાં કે દૂરના હિમાલયમાં હું ચાલી નીકળ્યા હતા તે આજે તે તમે મને ભૂલી પણ ગયા હતા. આજે મોડે મોડો જવા તૈયાર થઉં છું તે બે-પાંચ વર્ષે ભૂલી જશે અને જે મત આવવાનું હોય તે તે કાંઈ તમને આવડો મોટો કાગળ લખીને કે સમજાવવા પ્રયત્ન કરીને મારી પાસે આવવાનું નથી. તે પહેલેથી જ સમજીને જે કામ વહેલુમડું કરવું છે તે પતાવી લઈએ તે ખોટું કર્યું એમ સમજુ માણસ તે ન કહે. આ વાત બધે બાંધણીમાં કરવાની જરૂર નથી. તમને જરૂર જણાય તે ચેડા દિવસ અહીં આવીને રહી જશે તે નિરાંતે આપણે કરવી ઘટે તે છેવટની વાત કરી લઈશું. બૈરાંને આ વાત જણાવો તે તે પહેલાં તમારા મનમાં એવો નિશ્ચય થાય કે આ વાત સારી છે અને તે બૈરાને સમજાવીને પણ રજા અપાવવા જેવી છે તે તેમને કહેશે, કારણ કે તેમના મનમાં આ વાત નહીં રહે અને વખતે અગાસન આશ્રમવાસી તરીકે મને સ્વીકારવાનું તે કૃપાળુ મુનિઓને Page #34 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૧૫ ઈષ્ટ ન લાગે કે તેમની સંમતિ ન મળે તે નકામી વાત થાય. તેથી તમારી રજા મળે સોસાયટીમાં આ વાતની ખબર આપી ત્યાં જે નિર્ણય થાય તે હું જાણીને તમને જણાવું નહીં ત્યાં સુધી કે ન જાણે તે ઠીક. એ વ્યાવહારિક વાત તે તમે સમજી શકો તેમ છે. આ માત્ર સૂચના છે. નહીં તો મારે મન તે તે નિશ્ચય જેવું છે એટલે ખાસ વાંધો નથી. તમારાથી અવાય તેમ ન હોય તે હું એકાદ-બે દિવસ આવી જઈશ, પણ અહીં વાત કરવાને પ્રસંગ બને તે વધારે નિરાંતે વાત થાય અને બહાર પણ ન પડે. એ જ. લિ. આજ્ઞાંકિત ગેરધનભાઈના વિનયપૂર્વક સદ્ગુરુવંદન સાથે પ્રણામ સ્વીકારશોજી. આણંદ, નવી ગુજરાતી શાળા, તત ૩ સત અષાડ સુદ ૧૦, સં. ૧૯૮૦ અનન્ય શરણના આપનાર એવા સહજાત્મસ્વરૂપ પરમગુરુદેવને અત્યંત ભક્તિથી - ત્રિકાળ નમસ્કાર હો! નમસ્કાર હો ! નમસ્કાર હો! ભવભવનાં દુઃખ દૂર કરનાર, પરમકૃપાળુ પ્રભુએ કરુણુ કરી, આ દીન દાસની બે વર્ષ ઉપરની અરજી ધ્યાનમાં રાખી, નિશાળમાં પધરામણી કરી જે આનંદ અને શ્રેયનું દાન દીધું તેને આભાર માનવા જેટલે પણ વિવેક તે વખતે રહ્યો ન હતું અને બાંધણીથી તેડવા આવેલા ગાડામાં જવું પડ્યું હતું તે બદલ ક્ષમા માગી લઉં છું. મારે સ્ટેશન ઉપર આવી જવું જોઈતું હતું તે ન અવાયું માટે હજી પણ ખેદ રહે છે. વચનામૃતમાં પડ્યાંક ૬૩માં જણાવ્યું છે કે ગુરુદેવને શિષ્યની દશા જ્ઞાત હોય છે, તેમ છતાં આત્માર્થી જીવે તે વિદિત કરવી એ હિતનું કારણ છે. એ વાંચ્યા પછી આપના અનુગ્રહની સ્મૃતિ ઘણી વખત રહેતી તે લખી જણાવવા વૃત્તિ થઈ. આણંદ કસરતશાળામાં ભક્તિ થયા પછી બે-ત્રણ દિવસ તે આપનું જ ચિતન રહેલું; આંખ મિચાય કે આપ ખડા થતા. પણ રજાના દિવસે માં ભાઈ ભગવાનજીને સત્સંગ રહેતે, તે ઉપરાંત વચનામૃતનું વાંચન અને તત્વજ્ઞાનમાંનાં કાવ્ય મુખપાઠ કરતે; છતાં આપના વિયેગમાં જાગૃતિ ઘણી વખત રહેતી નથી, પ્રમાદ ઘેરી લે છે, એ આ રજાઓમાં સ્પષ્ટ જોયું. ગયા વર્ષ કરતાં આ વર્ષની ઉનાળાની રજાઓ સારી રીતે ગઈ લાગે છે. બે વર્ષ ઉપર આપ અમદાવાદ સેનેટેરિયમમાં પધાર્યા હતા તે વખતે એક વખત આણંદ પધારવા પત્ર લખી વિનંતિ કરી હતી તે ફળી અને ધાર્યા કરતાં વધારે આનંદ અને ફળદાયી નીવડી છે. તેથી બીજી અરજ ગુજારવા આ કિંકર રજા લે છે. જ્યારથી આપ પ્રભુશ્રીના સમાગમમાં હું આવ્યું ત્યારથી મનમાં મને પિતા ઉપર ઉલ્લાસ અને પ્રેમ આવે તેમ આપની પ્રત્યે થયા કરે છે. પણ મારાં દુર્ભાગ્યે આ દેહના સંસારી પિતાની સેવા ઉઠાવી શકયો નથી, તેમ આપની સેવામાં રહેવાની ભાવના મૂળથી રહ્યા કરી છે, પણ સફળ હજી થઈ નથી. પત્ર ક્રમાંક ૨ અને ૩ પૂ. શ્રી બ્રહ્મચારીએ આશ્રમમાં કાયમ માટે રહ્યા પહેલાં પ. ઉ. ૫. પુ. પ્રભુશ્રીજીને લખેલ છે. Page #35 -------------------------------------------------------------------------- ________________ આધામૃત આપશ્રી અગાસ પધારો ત્યાર પછી માર્ચ માસમાં એટલે વૈશાખની શરૂઆતથી ખાર માસ સુધી આપની આજ્ઞા સંપૂર્ણપણે પાળવા એકલા અગાસ આવવા વિચાર રાખું છું. તે અરસામાં જે સેવા બતાવા તે ઉઠાવવા ઇચ્છા છે. તેને માટે જે યાગ્યતાની જરૂર હોય તેની તૈયારી હું ચાડે થાડે કરતો રહું એ હેતુથી આટલા બધા દિવસ પહેલાં હું અરજી કરી મૂકું છું. મારી રજા ફાગણુથી ચઢતી થાય છે. પણ જો અહીંના માણસાના મનમાં એમ આવે કે બે માસ પછી જાય તેા સારું, તે તેમનું મન રાખવા જ બે માસ ખેંચવા પડે. નહીં ત ફાગણુની શરૂઆતથી કે હોળીથી હું આપની સેવામાં સહેજે આવી શકું તેમ છે. આ તે સરળતાની વાત કરી, પણ તે પહેલાં ગમે તે ક્ષણે જો આપના તરફથી એક સૂચના માત્ર મળે કે મારે સેવામાં આવી ખડા થવું, તે કોઈ પણ વસ્તુ કદી પણ મેં મારી ન ગણી હાય તેમ તેને છેડી આપની સેવામાં હાજર થવાના ઘણા વખતના મારા નિશ્ચય છે. ૧૬ સંસાર તજવાની ભાવના ઘણી વખત ઉત્કટ થઈ આવવા છતાં તજી શકાતા નથી, અસાર જાણ્યા છતાં તેમાં જ રાકાઈ રહેવાય છે. જાણે કેાઈ ને તરવાની ઇચ્છા હાય, તરતાં આવડશે એવી શ્રદ્ધા હાય, કિનારે ગયા હોય, પણ કોઈ ધક્કો મારે તે પાણીમાં પડું કે કોઈ પાણી છાંટે તેા ટાઢની બીક જતી રહે એવી ઇચ્છાથી કેાઈની રાહ જોઈને ઊભેલા માણસ જેવી મારી સ્થિતિ મને લાગે છે. કોઈ કોઈ વાર એમ થઈ આવે છે કે કાવિઠાના કલ્યાણજી ડાસા તથા મગનભાઈ તારમાસ્તરને આપ સ્પષ્ટ શબ્દોમાં જંજાળ છેડી સત્પુરુષને આશરે આવવાનું કહેા છે તેમ મને પણ કહેશેા જ, એવી આશા રાખીને હું પણ બેઠે છું; અને જ્યારે આજ્ઞા મળશે ત્યારે વિના વિલંબે આપની સેવામાં હાજર થઈ જવું, એવે નિશ્ચય કરી રાખ્યા છે, કારણ કે આપની આજ્ઞા થઈ એટલે તેમાં કોઈ પણ જાતનું વિચારવાનું જ રહેતું નથી એવું હું ભણ્યા છું. “આજ્ઞા ગુળા વિચારનીયા" ગુરુની આજ્ઞા મળતાં તે ચેાગ્ય છે કે કેમ તેના વિચાર જ ન આવવે જોઈએ, માત્ર તેને અમલમાં મૂકવી ઘટે. આપના વિરહના પાંચ-સાત માસમાં મારે યાગ્યતા મેળવવા શું શું કરવું, તેના પત્રની રાહ જોઉં છું. લિ. આપના દાસાનુદાસ દીન કિંકર ગેાવર્ધનભાઈ કાળિદાસના સાષ્ટાંગ દંડવત્ પ્રણામ સ્વીકારશેાજી. 3 તત્ સત્ અનન્ય શરણના આપનાર એવા શ્રી સદ્ગુરુદેવને અત્યંત શક્તિએ નમસ્કાર હૈ ! નમસ્કાર હા ! આણંદ, તા. ૯–૧૦-૨૪ આસા સુદ ૧૨, ૧૯૮૦ પરમ પૂજ્ય હૃદય વિશ્રામી, સાચા માર્ગને દીપાવનાર અને આ બાળક જેવા અનેક જીવેને સંસારસાગરમાંથી ઉદ્ધારી ધર્મના સત્સુખમાં સ્થાપનાર, પરમ કરુણાના સાગર, આંધળાની લાકડી સમા એકના એક આધાર, શાંતિના પરમ નિધાનરૂપ એવા શ્રી સ્વામીશ્રીશ્રીશ્રીની પવિત્ર સેવામાં દાસાનુદાસ સંતચરણકમળની સેવાના ઈચ્છક ગેારધનભાઈના સવિનય સાષ્ટાંગ દંડવત્ નમસ્કાર પ્રાપ્ત થાય. Page #36 -------------------------------------------------------------------------- ________________ જન્મ : વટામણ વિ. સં. ૧૯૧૦, આશ્વિન વદ ૧ શ્રીમદ્ લધુરાજ સ્વામી પ્રવ્રજયા : ખંભાત વિ. સં. ૧૯૪૦ દેહોત્સર્ગ : આશ્રમ, અગાસ વિ. સં. ૧૯૯૨, વૈશાખ સુદ ૮ Page #37 --------------------------------------------------------------------------  Page #38 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૧૭ આપ પ્રભુના સમાચાર મુનિદેવ શ્રી મેહનલાલજીના ઉપર લખાયેલા પત્ર દ્વારા તથા ત્યાંથી અત્રે પધારતા મુમુક્ષુભાઈએ દ્વારા મળતા રહે છે, એ આપ પ્રભુની પરમ કર્યું છે. આપના વિરહના કાળમાં મુનિદેવ શ્રી મોહનલાલજીને સમાગમ આપની કૃપાથી પ્રાપ્ત થયેલ છે તેથી આપનાં પ્રત્યક્ષ દર્શન માટે વર્તતી અધીરાઈ કંઈક અંશે શમી છે. મુનિશ્રીની સાથે સવારમાં વહેલા ચાર-પાંચ વાગ્યે બેએક કલાક વાંચવાનું બને છે, બપોરે પત્ર કે અન્ય પ્રસંગમાં એકબે કલાક જાય છે, અને સાંજને એકાદ કલાક મળે તે મળે, નહીં તે રાત્રે દેહેક કલાક સદુવાર્તા કે વાંચનમાં ને ભજનમાં જાય છે. અર્ધ ચેમાસું લગભગ મુનિશ્રીએ આણંદમાં કર્યા જેવું થયું છે. તે તેમને અશાતાને ઉદયકાળ અમારા જેવાને તે શુભ નિમિત્ત નીવડ્યો છેજી, પ્રભુ. હવે અઠવાડિયા પછી પંદર દિવસની રજાઓ નિશાળમાં પડે છે. તે રજાઓ પણ આવા જ ક્રમમાં જાય એવી ઈચ્છા રહ્યા કરે છે. ધર્મને કેઈ ને કોઈ કામમાં કાળ જાય તે સારું એવી અંતરમાં ભાવના રહ્યા કરે છે), તે ભાઈ મગનલાલ તારમાસ્તર મારફતે કે પત્ર દ્વારા તે દિવસોમાં શું ખાસ લક્ષમાં રાખવું તે જણાવવા કૃપા કરશેજી, પ્રભુ. ભાઈ મગનલાલને મેં મેઢેથી વાત કરી છે કે પ્રભુશ્રીને મારી વતી એટલી વિજ્ઞપ્તિ કરશો કે આ જીવ અધીર થઈ ગયું છે, તે પ્રભુશ્રીને સમાગમ એક વર્ષ ઓછામાં ઓછા કરવા તીવ્ર ઈચ્છા રાખે છે. તેમ છતાં આજ્ઞા તે સદાય શિરસાવંદ્ય છે. છતાં આ ઈચ્છા તેમનાથી વખતે દર્શાવી શકાય કે નહીં એમ જાણી આજે કાગળ પર ચીતરવા પ્રયત્ન કરું છું. એમ વિચારી રહ્યા કરે છે કે ઓછામાં ઓછું એક વર્ષ આપ જે જે સ્થળોએ વિહાર કરવાના છે તે તે સ્થળમાં આપની સેવામાં લક્ષમણ રામની સાથે વનવાસમાં રામ જ્યાં ક્યાં ગયા ત્યાં ત્યાં સાથે સેવામાં રહ્યા હતા તેમ સંયમ સાથે રહે. જે આપની પવિત્ર સેવાને લાભ લેવા જેટલું આ હીનભાગી બાળકનું પૂર્વ કર્મ ન હોય, અને તેની આજ્ઞા મળવાની અનુકુળતા ન હોય, તે આપને તથા પવિત્ર સેવામાં અહોનિશ રહેતાં ભાઈબહેનોને અલ્પ પણ બેજારૂપ ન નીવડું, તેમ મારી વ્યવસ્થા જુદી રાખી, હું માત્ર આપના સંગમાં ઘણોખરો કાળ ગાળું તેવી ગોઠવણ હું મારી જાતે કરી લઉં. તે તે તીર્થસ્થળના શ્રાવકે જેમ આપના પરમ સત્સંગમાં રહી શકે તેમ એક વર્ષ રહી, સર્વ ક્રિયા આપની આજ્ઞાને અનુસરી કરવા ધારણું છે, અને આમ બાર માસ જે પરમ સત્સંગમાં જાય છે જેની ટેવ, અભ્યાસ પાડવા ગ્ય છે તે પ્રમાણેનું જીવન ઘડાય અને એ લક્ષે બાકીનું જીવન જાય, એવી ભાવના રાખી છે. ઉપાધિ તે સર્જિત હશે તે ગમે ત્યાં બેઠાં વેચવી જ પડશે, પણ તે ન છૂટે ત્યાં સુધી કેમ કાળ ગાળો તેના અભ્યાસની હાલ બહુ જરૂર જણાય છે. તે એકાદ માસથી કે પત્ર દ્વારા કામ થઈ શકે તેવું નહીં હોવાથી એક વર્ષની આપ પ્રભુની પાસે માગણું છે. મારું લક્ષ આપની આજ્ઞા ઉઠાવવાનું છે એટલે આપની વૃદ્ધાવસ્થાને લીધે કે મારી કોઈ સ્થિતિને લીધે મારી દષ્ટિ બાહ્ય પ્રવર્તે નહીં, તે તરફ હું ખાસ લક્ષ રાખવા દઢ પ્રતિજ્ઞા કરું છું. એક વાર અહીંની વ્યવસ્થા કરી નીકળી જાઉં ને એકબે વર્ષ સુધી પાછું વાળીને ન જ ઉં, એમ અંતરમાં વારંવાર ઊગી આવે છે. પ્રશંસા માટે લખતો નથી, પણ આપની સેવામાં રહેવાની ઈચ્છા જણાવું છું ત્યારે અન્ય વાંચનારની નજરે પણ આ ઈચ્છા વધારે પડતી ન જણાય, માટે જણાવવાની Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૮ બોધામૃત રજા લઉં છું કે મારાથી શારીરિક મહેનત પણ હજી થઈ શકે છે, કારણ કે નેકરીને અંગે મેં અમલદારી કરી નથી. અહીં મારું ઘણુંખરું કામ હું જાતે કરું છું. ખાવા કરતાં મને આવડે છે. થેડા મહાવરા પછી સારું કરી શકું એમ પણ મનમાં રહે છે, પણ બીજાને પ્રસન્ન કરવા માટે મેં હજી કર્યું નથી. પાણી ખેંચવાનું અને વહી લાવવાનું પણ ફાવે. કપડાં ધૂતાં તે આવડે છે. આ બહારની સેવા ઉપરાંત આપ પ્રભુશ્રીની શારીરિક સેવામાં સાધારણ રીતે તે ઉપગમાં આવું એવું લાગે છે. મારે એકલાને તે સેવા કરવાને પ્રસંગ કદી આવ્યું નથી, એટલે કંઈ કહી શક્તિ નથી. બાકી ઉમેદ તે છે કે હું થોડા દિવસમાં તૈયાર થઈ જાઉં. બીજું, હવે ચિત્ત પણ વ્યવહાર, પરમાર્થમાં સ્થિર વર્તે છે, એટલે આપની સમક્ષ રહેવાથી આશાતના આદિ દેષ થાય એવો સંભવ નથી. મુનિશ્રી મેહનલાલજી દ્વારા પણ આપ પ્રભુને મારી વર્તણૂક સંબંધી સમાચાર મળશે અને આપનાથી અજાયું હોય એવું એક પણ પરમાણુ મારામાં નથી એમ મારું માનવું છે. એથી વિશેષ લખવું નિરર્થક છે. - પવિત્ર સેવાને કે તે ન બને તે પરમ સત્સંગને, કે જે આજ્ઞા થાય તે ઉઠાવવાને પ્રસંગ મેળવી પ્રયત્ન કરવા તત્પર આ દીનદાસના સવિનય સાષ્ટાંગ નમસકાર પવિત્ર સેવામાં પ્રાપ્ત થાય. ક* મહા વદ ૮, મંગળ, ૧૯૮૪ સહજાન્મસ્વરૂપ પરમગુરુ શુદ્ધ ચૈતન્યઘન, પરમતિ , પ્રગટ પુરુષોત્તમ, કૃતકૃત્ય પ્રભુ, દિવ્યલેચનદાતા, લાયક સમ્યકત્વના સ્વામી, પરમપુરુષાર્થી પરમાત્મા પ્રભુ શ્રીમદ્ રાજચંદ્ર હૃદયેશ્વરને નમોનમઃ હે પરમકપાળ, પરમ આલંબનદાતા, વીતરાગ પ્રભુઆપ તે સર્વજ્ઞ અને આ સેવકના અંતરના ભાવો અપ્રગટ પણ સંપૂર્ણપણે સર્વ પ્રકારે જાણનાર છે તે આ વૃત્તિનિવેદનપત્રની પ્રવૃત્તિનું શું પ્રજન? પણ પ્રભુ, પ્રાણનાથ ! એમ પણ એક રીતે જુઓ કે હૃદયમાં શોક ઘણે છે તે પછી આંખે અશ્રુ દ્વારા શા માટે દર્શાવવાનો ડોળ કરે છે? આપ પ્રભુ તે આત્મસ્વરૂપમાં લીન છે અને સંપૂર્ણ વીતરાગી છો પણ આ અધમ દીન સેવકને આપની ભક્તિ સિવાય, આપના ઉત્તમ ગુણ દૃષ્ટિગોચર કેવી રીતે થાય? અને આપના તરફ પ્રેમ, અનન્ય વૃત્તિ, અપૂર્વ ભાવ સિવાય ભક્તિ શી રીતે સધાય? આપની સમક્ષ આ દીન દાસ હૈયું ખેલી, વૃત્તિની વર્તને જણાવી આપના શાશ્વત સ્વરૂપમાં લીન રહેવાના ભાવથી આજથી સાપ્તાહિક પત્ર આપ પ્રભુના ચરણમાં નિષ્કામભાવે નિવેદિત કરવા અભિલાષા રાખે છે તે હે કૃપાળુદેવ, આપના અલૌકિક પ્રભાવથી આ બાળકની મલિન અને અવગણવાયેગ્ય કચરા જેવી વાતેથી કંટાળવાને બદલે આપના અનંત વીર્ય અને અનંત જ્ઞાન-દર્શન-સુખની કંઈ માત્રા મેળવી આ રેગી, અશક્ત, અસહાય, મૂઢ બાળકને મોક્ષમાર્ગમાં આગળ વધવા પ્રેરણા આપતા રહેશોજી. * પત્ર ક્રમાંક ૪થી રર પૂ. શ્રી બ્રહ્મચારીઓએ પરમકૃપાળુદેવને ઉદ્દેશીને ભાવનારૂપે લખેલા છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ 2 ટકા છે કે 20 જ કે છે COD ©© O 2 છ 00 N COS 00 કરો છO OO છ DO A SPOO / છ 00 S OOS 00 0 02 00 OO - છડOG શ્રીમદ્ રાજચંદ્ર જન્મ : વવાણિયા દેહવિલય : રાજકોટ 4. વિ. સં. ૧૯૨૪, કાર્તિક પૂર્ણિમા, રવિવાર વિ. સં. ૧૯૫૭ ચૈત્ર વદ ૫, મંગળવાર ( 00 Sી ઉG 9 * CO 2 S O 4 5 6 છે Page #41 --------------------------------------------------------------------------  Page #42 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા હે પ્રભુ! આ અજ્ઞાન બાળકની તરફ કૃપાદષ્ટિ રાખવા વિનંતિ છે, નહીં તે જે જે આપે અનુકૂળતાઓ આ ભવમાં આપી છે તે જોતાં આ જીવ તેને ઘટતે ઉપયોગ નથી જ કરતે અને તે દૃષ્ટિએ તે મારા જેવો અધમમાં અધમ દુષ્ટ બીજે કઈ જતાં જડશે નહીં. અહો ! તારાં વચનામૃત ! અહે! તારું નિરંતર સ્મરણ અને ધ્યાન પ્રેમપૂર્વક કરનારા પરમાર્થી સંત ! અહો ! તારા માર્ગને દીપાવવા અને તે માર્ગમાં આવતાંને સહાયરૂપ થવા તત્પર થયેલા તારા ભક્તજને! અહા ! બ્રહ્મચર્યને આદર્શ રાખી તારું અવલંબન ગ્રહણ કરી, તને સાચે સ્વામી જાણી સર્વ તરફથી વૃત્તિ ઉઠાવી તારા સત્યસ્વરૂપને ઝંખનારાં મુમુક્ષુભાઈબહેને! - હે પ્રભુ! તારી ચૈતન્યમયી મૂર્તિ, તારે પરમ પુરુષાર્થ આ અભાગિયા જીવને પંચમકાળમાં પરમ આધારરૂપ છે. મહા વદ ૫, ૧૯૮૪ ને શુક્રવારે ચંદ્રપ્રભસ્વામી આદિ પ્રતિમાજીનું પ્રવેશમુહૂર્ત હતું તે પ્રવેશ મેળો અમારા અંતરઆત્માના “સમકિત દ્વાર ગભારામાં પ્રવેશ કરાવવા જાણે “સદ્દગુરુસંત સ્વરૂપ દ્વારા છેવટનાં વર્ષોમાં આ સૂચના થઈ હોય તેમ એ જિનપ્રતિમાનાં ભવ્ય દર્શન અને સસમાગમદાતા સ્વામીશ્રીજીની સાથે સ્તવન-ભક્તિ, વૃત્તિને આપ પ્રભુના તરફ વાળનાર જણાયાં હતાં. હે દીનબંધુ દયાળુ પ્રભુ ! ધાર્યું કંઈ થતું નથી. અતિ ભારે કર્મથી દબાયેલા આ જીવની ભાવના તે ઊર્વસ્વભાવ હોવાથી ઉપર ઊચી રહ્યા કરે છે, પણ ડોકું પકડીને કઈ પાણીમાં પકડી રાખે, ગૂંગળાવી નાખે તેમ કર્મશત્રુ ઊંચું માથું કરવા દેતું નથી, તે આપનાં દર્શન અને સ્મરણનું નિરંતર વહન ચાલુ રહે તેવું કયાંથી બને? એ ભાગ્યશાળી છે તે આટલો મોડે શા માટે જન્મે કે આપનાં સ્થૂલ દર્શનને પણ લાભ ન મળે? પણ થઈ તે થઈ. જાગૃતિના કાળમાં તે આવા સારા વાતાવરણમાં આપની યાદી આપની કૃપાએ કઈ ને કોઈ રૂપમાં અવારનવાર આવતી રહે પણ હે પ્રભુ! સ્વપ્નદશાથી તે ત્રાહિ ત્રાહિમામ ! સાતમી તમતમપ્રભા નરકની વેદના વખતે સંમત કરત પણ આ જગતની માહિતી સંમત થતી નથી.” એ આપનું વાક્ય અપૂર્વ લાગે છે. નિદ્રા તો જાણે પૂર્વની વેરણ હોય તેમ ગમે તે પ્રકારે દિવસના ૨૪ કલાકમાંથી પોતાને હિસ્સો વહેલી-મેડી છેડતી જ નથી, અને તેના પાશમાં પડયા એટલે જાણે ન ભાવ જ આવ્યું હોય તેમ જસાંભરે આર્ય દેશ કે ન સાંભરે મનુષ્યભવનું અમૂલ્યપણું કે ન સાંભરે ઉત્તમ કુળ કે ન સાંભરે પુરુષને બંધ કે કાંઈ નહીં. જાણે જંગલનું રેઝ હેય તે જીવ કેર ધાડ જે પશુવત્ બની જાય છે. અરે ! સર્વઘાતી પ્રકૃતિ તે સર્વઘાતી જ છે. હે પ્રભુ! અમર અજર અવિનાશીનેય ઘાત કરનારી પ્રકૃતિને હું કયારે સંપૂર્ણ ક્ષય કરી સર્વ પ્રકારનાં દર્શનાવરણથી રહિત થઈ તારું જ નિરંતર દર્શન કરીશ? આપની શુભ આશિષ ઈચ્છી આજને આ લવારે પૂરા કરી તારા પરમ પવિત્ર સ્મરણમાં વૃત્તિ વાળું છું. એ જ સહજાત્માસ્વરૂપની નિરંતર ભાવનાને કામી આપને દાસાનુદાસ બ્રહ્મચારી. ॥ गुरोस्तु मौनं व्याख्यानं शिष्यास्तु छिन्नसंशयाः ॥ કદી નાથ સામું ન જે અમારા, તથાપિ અમે છીએ સદાયે તમારા.” Page #43 -------------------------------------------------------------------------- ________________ २० * આધામૃત ૫ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ મહા વદ ૧૪, સામ, ૧૯૮૪ તત્ સત્ अनुष्टुप - राजचंद्रस्वरूपे मे भावना भवनाशिनी । असंग संगतियंत्र परमात्म प्रकाशिनी ॥ અનન્ય શરણુતા આપનાર એવા શ્રી સદ્ગુરુદેવને ત્રિકરણચાગે અત્યંત ભક્તિભાવે નમસ્કાર હા ! નમસ્કાર હા! ભાવદયાસાગર ભગવાન, પરમપુરુષાર્થપ્રેરક, સદા જાગૃતિમાં રાખનાર નિયંતા દેવ, પરમ પ્રગટ પુરુષાત્તમસ્વરૂપ, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ પરમાત્મા પ્રભુની પવિત્ર સેવામાં આ અધિકારી અલ્પજ્ઞ, તારું આલંબન ગ્રહીને આ ભવ ગાળવા ઈચ્છનાર દીનદાસના દોષા સામું ન જોતાં દયા લાવી સર્વ પ્રકારે આજ સુધી કંઈ અશાતના, અભક્તિ, અવિનય કે કંઈ અનુચિત વર્તન થયું હાય તેની ક્ષમા આપશે। અને નમ્રભાવે પ્રદર્શિત કરેલા નમસ્કાર સ્વીકારશેાજી પ્રભુ ! શ્લેાકા— અહા ! મૌન મુનિવર ! આટઆટલી સમૃદ્ધિ છતાં શી તારી ગંભીરતા ! અહા ! તારી સમતા ! અહા ! પરમકૃપાળુ તારી પરમાત્કૃષ્ટ કરુણા ! એવે દિવસ પ્રભુ કયારે આવશે કે તારા શુદ્ધ સ્વરૂપનું નિરંતર ભાન અખંડ જાગ્રત રહે ! આજ દિન સુધીના આ જીવના વ્યાપાર જોઈ જઉં છું ત્યારે સરવાળે દેવાળું કાઢવા જેવા જોગ જણાય છે. અરેરે! કયાં આપની તેર વર્ષ સુધીની દર્શાવેલી સમુચ્ચય વયચર્યાં અને કયાં આ ખાળકની આજ સુધીની અજ્ઞાનતા ! હે પ્રભુ! ઇન્દ્રિયાને આકર્ષક કોઈ વસ્તુ આવી કે પાધરી વૃત્તિ ત્યાં દોડે. પછી આંખ, મુખ ગમે ત્યાં રોકાયેલાં હાય પણ મન તે સરોવરમાં પથરો પડતાં ખળભળાટ થાય તેમ અણુઝણી ઊઠે. આ જીવે કાઈ કાળે એવી અપૂર્વ નિરાવરણ શાંતિ અનુભવી નથી કે જેથી એકદમ વૃત્તિને ઉલ્લાસમાં ને ઉલ્લાસમાં રાખી સર્વ અન્ય વાતનું વિસ્મરણ થાય. કાઈ પૂર્વના અનલ્પ પુણ્યના યેાગે આપ પ્રભુનું નામ કાનમાં પડ્યું અને આપની મધુર હૃદયવેધક વાણી સાંભળવાના ઉદય જોગ મળી આવ્યેા, તે માત્ર વિશ્રાંતિનું સ્થાન છે. આપની મુખમુદ્રાના ચિત્રપટ તેમ જ આપનું માહાત્મ્ય પરમેાપકારી સ્વામીશ્રી દ્વારા સાંભળવામાં આવતાં આ જીવને આપના ચરણકમળની સેવાના લાભ પ્રાપ્ત થશે એવી આશા રહે છે. આપનું જ શરણ ભવેાભવ હૈ। એમ હૃદય કબૂલ કરે છે. અભિમાનને હણનારી, વૈરાગ્યને પાષનારી, સર્વે પરભાવને શાંત કરનારી આપની દેશના સ્વમુખે સાંભળવા આ જીવ ત્યારે ભાગ્યશાળી થશે? હે જીવ! શાંત થા! શાંત થા! આમ અંતરમાંથી સ્ફુરણા થાય છે તે તારા આશીર્વાદ કૃપાળુદેવ જયવંત હા! સંસારના ઉષ્ણુ નામણામાં ઊકળતા આ જીવને જોઈ હે પરમકૃપાળુદેવ, તમે સત્તમાગમમાં મૂક્યો છે તે મહદ્ ઉપકાર છે. આ દેહાર્દિ આજથી, વાઁ પ્રભુ આધીન, દાસ, દાસ હું દાસ છું, આપ પ્રભુને દીન.’ રાજચંદ્ર સ્વરૂપે હા ભાવના ભવનાશિની, અસંગ સંગતિદાયી પરમાત્મ પ્રકાશિની. Page #44 -------------------------------------------------------------------------- ________________ ર૧ પત્રસુધા ફાગણ સુદ ૮, ૧૯૮૪ તત ૩૪. સત અનન્ય શરણના આપનાર એવા શ્રી સદગુરદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર હે! નમસ્કાર હે! નમસ્કાર હે! નિત્ય નિરંજન અંતરજામી, રહો નિરંતર અંતરમાં, સમતામાં રમતા રાજેશ્વર, દીઠા નહિ દેશાંતરમાં; સમય સમય તુજ ચરણશરણની છત્રછાંય ઉર છાયી રહો! નિષ્કારણ કરુણની કથની વચન વિષે ન સમાય, અહે! અહો નિષ્કામી નાથ! શરણાગતને સદા હિતકારી, પરોપકારી પરમકૃપાળુદેવ, પરમત્કૃષ્ટ શુદ્ધસ્વરૂપના નિરંતર ભેગી! અમિતદાનદાતાર ! તારા ચરણની શીતળ શાંતિમાં આ બાળ તપ અનન્ય ભાવનાથી વારંવાર ધન્યવાદ આપી અતિ ઉલ્લસિત તન, મન અને આત્મભાવથી, વિનયભક્તિએ નમસ્કાર કરવા સમસ્ત અંગ નમાવે છે. ગયા સપ્તાહમાં પ્રભુ આપની કરુણાની વૃષ્ટિ વરસ્યા કરી છે. પણ આ “અપાત્ર અંતર ત’ જાગી નહીં એમાં આપને શું કહ્યું? ગયા ચેમાસામાં તળાવ નદી નાળાં છલકાઈ ચરોતર તરળ થઈ ગયું હતું પણ કોઈ ટેકરે ગાયનાં પગલાંથી થયેલા ખાડામાં પાણી ભરાઈ ભરાઈને સુકાઈ જાય ને હતું તેવું કોરું થઈ રહે તેમાં મેઘને શો વાંક? રામનામકા નાવડા, માંહિ બેસાર્યા રાંક, અર્ધ પસારે કૂદી પડે, તેમાં સદ્દગુરુને શો વાંક?” અકર્મીના પડિયા કાણું એમ કહેવત છે, તેમ હે નાથ! આપના આશ્રિતોની અને તે દ્વારા આપની આ અપાત્ર બાળક ઉપર આટલી બધી કરુણા અને સમતા પ્રેરક મમતા છતાં આ અભાગિયા જીવને પ્રમાદ, મોહનિદ્રા દૂર થતી નથી એ જ ખેદકારક છે! પૂજ્યપાદ સ્વામી શ્રી મોટા મહારાજ(પ્રભુશ્રીજી)ના દર્શનાર્થે પ. પૂ. સ્વામીશ્રી રત્નરાજ ફાગણ સુદ ૪ ને શનિવારને દિવસે અત્રે પધારેલ છે. તેમના સમાગમમાં ઘણું સાંભળવાનું, સમજવાનું નિમિત્ત બને છે પણ સ્મૃતિદોષથી તે અવધારી શકાતું નથી. પણ હે કૃપાળુ ભગવાન ! તારી અને તારા આશ્રિતોમાંને કોઈની અશાતના, અવિનય, અભક્તિ, અબહુમાનપણું આદિ દેશમાં આ ભારેકર્મી આત્મા ન આવી જાઓ એ અવશ્ય ઈચ્છું છું. આ અપાર અને અનાદિકાળના પરિભ્રમણને હવે અંત આવે અને તારા અચળ વિમળ આનંદપૂર્ણ અનંતપદમાં પ્રવેશ કરવાની તક પ્રાપ્ત થાઓ ! એ સિવાય સર્વ ઈચ્છાઓને નાશ થાઓ! સર્વ આગ્રહથી રહિત, અગમ્ય અકથ્ય શાંતસ્વરૂપ પરમ પ્રગટ થઈ તેમાં જ તન્મયતા રહે! એ જ હેતુથી એ જ સાધનામાં સહાય કરે તેવી ચર્ચા અહોરાત્ર રહો ! તારી કરુણું, તારા શુદ્ધ સ્વરૂપ અને આનંદપૂર્ણતાનું મારામાં સામર્થ્ય આવો અને બાવીસ પરિષહ માંહેના સ્ત્રીપરિષહને જીતવા માટે પ્રયત્ન સંપૂર્ણ સફળ થાઓ! માયાજાળ કહે, અનાદિ અધ્યાસ કહે કે સંસારનું મૂળ કહે પણ ચિત્તની વૃત્તિ જ્યાં રહેવી જોઈએ ત્યાંથી ડગાવનાર ખુલ્લા દીવાને પવનના ઝપાટા જેવી સ્ત્રીની મૂર્તિ છે. તેનું અવલોકન, શબ્દશ્રવણ, વાર્તાલાપ આદિથી Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૨ બેધામૃત પણ હૃદય અડલ અકંપ રહે, ફાનસના કાચથી દી સુરક્ષિત રહે તેમ તારું સ્મરણ નિરંતર મારી ફેર રક્ષણ કરતું રહો! સર્વ વસ્તુ ભુલાઈ જાઓ! જે કદી દૂર નથી તે સસ્વરૂપને સદાય ઉપગ અખંડિત પ્રવાહરૂપે નિરંતર નિશદિન પ્રગટ પરમ જાગ્રત રહો! ૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ફાગણ સુદ ૧૪, હુતાશની સેમ, ૧૯૮૪ તત છે સત અનન્ય શરણના આપનાર એવા શ્રી સદગુરુદેવને અત્યંત ભક્તિથી નમસકાર હે! નમસ્કાર હે! નમસ્કાર ! ક- મgો! સત્તાન ક્ષેત્રેમ્સ કરતા પ્રતિરપિતા , भक्तिपूर्णजलक्षेत्रे शिष्यास्ते कलमा इव ।। ભાવાર્થ- અજ્ઞાનના ધરુવાડિયેથી ઉપાડી તુજ શિષ્યને, તે ભક્તિજલ ભરપૂર ક્યારીમાં ફરી રેપ્યા હવે; ત્યાં પિષ પામી પ્રેમને ગુણ કણસલાં ભારે નમે, પરિપક્વતા પામી પ્રકાશે હેમમય કરી ક્ષેત્ર તે. અજ્ઞાનથી અંધ થયેલા આ દીન શિષ્યને દેરનાર અને ધવંતરિ સમાન દિવ્યચક્ષુ–દષ્ટિ દઈ અમિત ઉપકાર કરનાર આ અસાર ભવસમુદ્રમાંથી ઉપાડી ક્ષીરસાગરના નીરને વિસારી દે તેવી મધુર અલૌકિક વાણી વર્ષાવનાર ગગનવિહારી દેવ! આ પામરની રમત તરફ પિતાતુલ્ય નજર કરી, તેની બાળકીડાભરી લાગણી અને તારા માર્ગ તરફ મેં ફેરવી આતુરતાથી જોનાર આ હૃદયની લાગણી સાથે ત્રિકરણગે આજ સુધી થયેલા અપરાધ, અશાતના, અવિનય, અભક્તિની ક્ષમા યાચી તુજ ચરણકમળમાં મસ્તક મૂકી સાષ્ટાંગ દંડવત્ નમસ્કાર આ અજ્ઞ બાળ કરે છે તે સ્વીકારી કૃપાદૃષ્ટિ કરશે. હે પ્રભુ! કેટલી વિપરીતતા! અનાદિથી આમ ને આમ જ ભૂલ ચાલી આવી છે. એક દેહ અને ઈન્દ્રિયેની રમતમાં જ આ જીવ પિતાને ભૂલી, નશ્વર વસ્તુમાં જ મેહ્યો ! “તે બધે સુવિચાર ત્યાં પ્રગટે સુખદાય.” “આવે જ્યાં એવી દશા” એ દશાય આવી નહીં, અને બધેય પાયે નહીં તે વિચારણું ક્યાંથી આવે? અનંતકાળ ગયા છતાં આ જીવ જ નહીં, તે કુંભકર્ણની નિદ્રાને ક્યાં પડી રહ્યો? આકાશમાં વાદળાં આવતાં હોય અને તેમાં જુદાં જુદાં પ્રાણના આકાર બનતા હોય તે જોઈને છોકરાઓ વહેચી લે કે પેલે ઘેડે મારે અને પેલું ઊંટ તારું, અને પવનથી અફળાતાં વાદળાં બદલાઈ બીજાં રૂપ કરે તેને અવલંબીને છોકરાં કાળ ગાળે, કંકાસ કરે, લડી મરે, તેમ આ ઈન્દ્રિયેના વિષયે માં હે પ્રભુ! મારું, તારું, સારું, નરસું, ઘણું, એઠું, આદું, પાછું કરી, આ જીવ કર્મનાં પિટલાં બાંધી મિથ્યા ભ્રમણમાં મેહ કરી રહ્યો છે, દુઃખનાં કારણથી હજી ત્રાસ પામતો નથી, ઝેરને ઝેર જેતે નથી તે તેને વૈરાગ્ય, ઉદાસીનતા, નિજાનંદ, સહજ દશાને સ્વાદ ક્યાંથી આવે? આ દેહને સુરક્ષિત રાખવાને અને ત્રાસથી મુક્ત થવાને એકેન્દ્રિયથી પંચેન્દ્રિય પ્રાપ્ત કરવા સુધીને શ્રમ આ જીવે ઉઠાવ્યો. જે જીભ હોય તે જીવનને હાનિ કરતાં દ્રવ્ય Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩ પત્રસુધા તપાસી દૂર થાય એ ઈચ્છાએ જીભ પ્રાપ્ત કરી ત્યાં પિતાની પરીક્ષકશક્તિ તે ક્યાંય એક બાજુ રહી અને ઈન્દ્રવરણ જેવા પરિણામે દુઃખદાયક એવા સ્વાદના વિલાસની ગુલામગીરી વળગી. ત્રપણું પ્રાપ્ત થયું તે જીભની ગુલામી ઉઠાવવામાં જ ગયું, અને નાની નખલી જેમ વીણુને ધ્રુજાવ્યા કરે તેમ ભય અને લેભથી ભવોભવ જીભ જીવને ધ્રુજાવતી જ રહી. ઈચ્છારૂપી અગ્નિ ઈન્દ્રિયેના વિષયરૂપી દારૂગોળા સાથે ભળતાં જીવના સહજ સુખને નાશ થવામાં શી વાર લાગે? હે પ્રભુ! આ પ્રથમ સ્પર્શેન્દ્રિય તે સદાની વળગેલી છે અને તેને મદદગાર આહાર તેમાં અનિયમિતપણું કરાવનાર જિહવા છે. તે સર્વ ઈન્દ્રિમાં પ્રથમ વશ કરવા યોગ્ય છે એ તારે ઉપદેશ કલ્યાણકારી છે અને તેને અનુસરવા ઇરછા થતાં શું કરવું? કેમ કરવું? તે વિચાર આપની આજ્ઞા માટે રજૂ કરું છું. આ ઝાડ જેવા શરીરમાં આ જીભ જ ઘણુ વાર ઈચ્છાને અનિયમિત નિરંકુશપણે બહેકાવી દે છે. જિવા જેમાં રસ લેવા લાગે તે પદાર્થો રેગનું કારણ છે તે રૂપે ચિતવવું કે તેને તુચ્છ ગણવા કે આહાર અટકાવે કે ચાર પકડાય ત્યારે તેને શિક્ષા કરવી કે સમજાવવો? પણ જીભ ઉપર જાગૃતિને પહેરે તે જરૂર રાખો કે તેની પ્રવૃત્તિ લક્ષ બહાર ન જાય તે ચિંતવવું; પણ ઊંઘમાંય આહાર સંજ્ઞા, સ્વાદલેલુપતા તે કામ કર્યા કરે છે તેનું કેમ કરવું? પ્રથમ જાગૃતિમાં જોર કરવું. “ હિમ્મતે મરદા તે મદદે ખુદા. તું કયાં દૂર છે? આવો પ્રત્યક્ષ પરચા પૂરત હાજરાહજૂર દેવ છતાં હવે વિજયની શંકા શી? સમયે સમયે ચેતાવનાર ચતુરશિરોમણિ રાજરાજેન્દ્ર, આપના ચરણમાં નિરંતર પ્રવાહરૂપ મારી અખંડિત લક્ષની ધારા વહ્યા કરે. ૩ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૮ તીર્થક્ષેત્ર શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ તત ૩ઝ સત ફાગણ વદ ૮, ૧૯૮૪ અનન્ય શરણના આપનાર એવા શ્રી સદગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર હે! નમસ્કાર હે! નમસ્કાર હે! ક– ચલાવો મોક્ષને માર્ગ, ભેદે કર્મગિરિ મહા; જણાવો વિશ્વનાં તો, વંદું એ ગુણ પામવા. પરમ વીતરાગી, અનંગસંગી, સર્વગુણસંપન્ન, પરમપકારી, પરમકૃપાળુદેવની પવિત્ર ચરણકમળની રજમાં આ અધમ નિગુણા નિર્લજજ બાળકનું શિર સદાય નમ્રીભૂત રહો! અનંત કરુણઘન આ રંક હદયને ભાવદયાથી સદાય આદ્ધ કર્યા કરે! આપની અમૃતમય વાણીના સિંચનની ધારા અખંડિત નિરંતર ઝરણરૂપે મુજ મનના માર્ગમાં વહ્યા કરે! અહો પ્રભુ ! આ બાળકે અનેક સંકલ્પ કર્યા અને અનેક તરંગમાં તણાઈ ગયે, પણ આપના ચરણનું શરણ એક આધારરૂપ છે અને પતંગ ગમે તેટલે ઊડે પણ ઉડાવનારને ખેંચ હોય ત્યારે ખેંચાઈ આવે તેમ હે પ્રભુ! તારા કરકમળમાં મારી વૃત્તિરૂપી પતંગનું ભક્તિરૂપ દેરથી દઢ બંધન હે! | સર્વ સંકલ્પવિકલ્પથી પર પરમાત્મા ! નિસ્તરંગ સમુદ્રની ગંભીર શાંતિને સ્વામી ! અનંત વીર્યવંતા છતાં એક નિશ્ચલ સ્વસ્વરૂપ પરિણામી નાથ ! તારા અનંત ગુણના વારસાને Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૪ - બેધામૃત યોગ્ય આ ઈરછાવંત બાળક બને, સાતપુત્ર નીરાગી, નિસ્પૃહ પરમાત્મા સિવાય કંઈ ઇરછે નહીં એમ કર. : સહજાન્મસ્વરૂપ પરમગુરુ : અનંત કીર્તનનું કીર્તન, પરમ શુદ્ધ સ્વરૂપનું વર્ણન અને સર્વ સ્તંત્રને સાર હે પરમ કૃપાળુ! તે આ મહામંત્રમાં પૂર્યો છે. અલ્પમતિ અને અનેક આવરણને લઈને તે ઊકલતે નથી પણ અવશ્ય તે જ સંસારથી તારી સર્વોત્તમ પદમાં સ્થિતિ કરાવશે એવી અતૂટ શ્રદ્ધા વૃદ્ધિગત થતી જાય છે, એ જ તારી સમીપ આવવાનું સાધન અને નૌકાને શઢ દૂરથી દેખાય તેવું આશા કેન્દ્ર છે. | સર્વ હિંસા ટાળનાર એવું શુદ્ધ ચૈતન્યસ્વરૂપ જે અવિનાશી પરમપદ તેની સ્મૃતિ અમરતા અર્પણ કરનાર છે, તે સહજાન્મસ્વરૂપ પરમગુરુ પદ પ્રથમ અહિંસાવ્રતને આધાર છે. જડભાવે જડ પરિણમે, ચેતન ચેતનભાવ, કઈ કઈ પલટે નહિ, છોડી આપ સ્વભાવ” આ વચનામૃતમાં મરણની ભીતિને ભાંગી નાખી હે પ્રભુ! આપે અભયપદ આપ્યું છે. એ ભાવ દઢ થયે મરણપ્રસંગે પણ ચિત્તમાં ક્ષેભ થવો ઘટતું નથી અને એ જ ખરેખરી અહિંસા છે. જે મરણપ્રસંગે પણ ક્ષોભ ન થાય તે તેથી ઓછાં દુઃખકર અને રાત્રિના સ્વપ્ન જેવાં બીજાં દુઃખ તે નજીવાં છે, આંખ ઊઘડતાં વિલય થાય તેવાં છે, તેમાં પરમ રોહનશીલતા આપની પ્રસાદીથી પ્રાપ્ત થવા ગ્ય છે. બીજું, સત્ અસને સમજાવી સત્યસ્વરૂપમાં સ્થિર કરવામાં સમર્થ એ આ મહામંત્ર બીજું સત્ય મહાવત તેનું મૂળ છે. જે જે શુદ્ધ સહજ આત્મસ્વરૂપ પરમગુરુની ભાવનાથી રહિત છે તે સર્વ વિભાવભાવવાળું અથવા અસત્ય અને મિથ્યા છે તો જેની નિરંતર વૃત્તિ આ મહામંત્રમાં રોકાઈ હોય તે સત્યમૂર્તિ કહેવાય છે. જેટલું આ સહજત્મસ્વરૂપની સન્મુખ રહેવાતું નથી તેટલું અસત્ય પ્રવર્તન છે. જૂઠંજૂહું જગત કુટાય છે અને ખરું મરણ કે ખરી હિંસા વા આત્મઘાત પણ એ જ છે. હે પ્રભુ! આ આત્મઘાત અને અસત્ય સ્થાનમાંથી તારે આશરે બેઠેલા આ બાળકને ઉદ્ધાર કરી તારા સત્યસ્વરૂપમાં નિરંતર ટકી રહેવાય તેમ સ્થાપજે. ત્રીજું મહાવ્રત અચૌર્યગ્રત કે અસ્તેયવ્રત, તે પણ આ મહામંત્રની હાય હાય તે જ પળાય તેમ છે. કેમ કે આત્માથી અન્ય એવા જે જડ પદાર્થો તેને ગ્રહણ કરવા અને પિતાના માનવા એ ચોરી અને જૂઠ બનેને અપરાધ કરતાં પણ ઘણો ભારે અપરાધ છે. હે પ્રભુ! આ દેહ તે સર્વ દેષનું સ્થાન તથા કર્મનું કારખાનું છે તેને મારું મારું માની તેને પાળવા પિષવા જે જે કર્યું તે બધું ચેરીરૂપ જ છે. પારકી જ ચીજ પકડી પાસે રાખી છે, તે મરણ વખતે પાછી પારકી હવાથી એકી કાઢવી જ પડશે, ચોરીને માલ કેઈને પચે જ નહીં. લૂંટારા અને ચેરની જ્ઞાતિવાળામાંથી પણ કોઈને નોકરીમાં રાખીને તેને શાહુકાર પિતાને પટ પહેરાવે છે એટલે તે શાહુકારને નેકર પણ શાહુકારમાં જ ખપે છે, તેના ઉપર કેઈ ચેરીને આરોપ મૂકે નહીં, કારણ કે તેની પાસે શાહુકારને પટો છે, તેમ છે પ્રભુ! આપને મહામંત્ર “સહજત્મસ્વરૂપ પરમગુરુ તે અમારા મુખમાં જીભના ચામડા પર ચુંટ્યો રહે અને તેમાં જ વૃત્તિ રહે ત્યાં સુધી આ લૂંટારાપટ્ટન જેવા સંસારમાંથી આપને Page #48 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૨૫ શરણે આવતાં, એ નામના-મંત્રના માહાસ્યથી જ ચેર મટી ત્રીજું વ્રત પાળનાર, તારી આજ્ઞામાં ઉપયોગપૂર્વક વર્તનાર, સમિતિ આદિ પાળનાર જેવા ગણવા ગ્ય છે. તે જ સાચે શાહુકાર છે પણ શાહે વાણિયે રળી ખાય તેમ તારા શરણથી આ જીવ પરભાવને ઓળખી પારકી ચીજ પારકે ખાતે રાખતાં શીખશે. ચેથી પ્રતિજ્ઞા બ્રહ્મચર્યવ્રતની, તે પણ બ્રહ્મનું માહાત્મ્ય સમજાવનાર શુદ્ધ સહજાન્મસ્વરૂપ પરમગુરુના લક્ષથી સધાય છે. બ્રહ્મ તે મહ–બહત્ ત્રૈલોક્યપ્રકાશક એવું આત્મસ્વરૂપ તેમાં ચર્યા-વર્તને નિરંતર જેની છે તે બ્રહ્મચર્યવ્રત શુદ્ધ સ્વરૂપના ઉપયોગ વિના કેમ સમજાય? વિભાવરૂપ પરનારી તછ સ્વભાવ–સ્વશક્તિ–આત્મરમણતામાં લીન પુરુષ જ મૈથુનત્યાગ કે બ્રહ્મચર્ય પાળી શકે. જ્યાં સુધી તારા સહજ સ્વરૂપનું ભાન નથી ત્યાં સુધી તે પ્રાપ્તિનું સાધન, પાત્રતા પ્રગટ કરાવનાર બાહ્ય બ્રહ્મચર્ય પરમ ઉપકારી છે અને સહજાત્મસ્વરૂપ પરમગુરુની પરમ પ્રતીતિ, રુચિ અને પરિણતિ પામે તે પછી આ બાહ્ય જગતના ક્ષણિક અને અંતે દુર્ગતિ દેનાર વિષયાનંદની રુચિ કેમ કરે? બ્રહ્મચર્યની આ વિશાળ ભાવનામાં સર્વ સધર્મની સમાપ્તિ-સાર–પૂર્ણતા આવી જાય છે. પાંચમું મહાવ્રત અપરિગ્રહ, તે પણ ‘સહજત્મસ્વરૂપ પરમગુરુ'નું પરમ માહાસ્ય પ્રગટ્ય પળાય તેમ છે. પરિગ્રહ એ કારાગૃહ જ છે. જ્યાં સુધી એ પરિગ્રહરૂપી ગ્રહ નડે છે ત્યાં સુધી શાંતિ નથી પણ જ્યાં સહજાન્મસ્વરૂપ પરમગુરુ રૂપ પુરુષની કૃપાદૃષ્ટિ થઈ કે અંતરમાંથી તે પરિગ્રહભૂત ભાગી જાય છે. તેની વાસનાને ક્ષય થાય છે અને સર્વ સંસાર સિનેમાના ખેલ જેવો બની રહે છે. પિતાને માત્ર સાક્ષીપણું પ્રાપ્ત થાય છે. આ સ્વપ્ન જેવા સંસારમાં પરિગ્રહ, છાતી પર વજન મૂકી કોઈ ઊંઘમાં મૂંઝવતું હોય તેવો દુઃખકર છે, તે પરમ પ્રગટ એવા તારા સ્વરૂપની સ્મૃતિરૂપ જાગૃતિ પામતાં તે સ્વપ્ન અને નિદ્રાને નાશ થાય છે. પરમગુરુપદની પ્રતીતિ અને સ્વરૂપમણતા એ જ ખરી નગ્નતા-અસંગતા છે, તે જ શુદ્ધ નિર્મળતા છે, જેથી સ્નાન કરવાની કોઈ કાળે જરૂર પડતી નથી અને એ જ અનશનરૂપ પરમ તૃપ્તિનું કારણ છે. એ તારા સંપૂર્ણ સ્વરૂપ સિવાય વિશ્વમાં કયાંય સત્ય એકાંતવાસ નથી. તેહિ તૃહિ તુંહિ નિરંતર તંહિ તૃહિ હૃદયમાં અચળ વાસ કરી રહો ! % ૩% ૩% ૩% શાંતિઃ શાંતિઃ શાંતિઃ | તીર્થક્ષેત્ર શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, તત્ ! સત ફાગણ વદ ૧૪, સેમ, ૧૯૮૪ અનન્ય શરણના આપનાર એવા શ્રી ગુરુદેવને અત્યંત ભક્તિથી નમસકાર હે! નમસ્કાર હે! નમસ્કાર હે! વિધિવશાત્ પ્રાપ્ત થયું મને જે, દેહાદિ સર્વે મમતા વધારે પ્રારબ્ધની ભેટ પ્રભુપદે હો, મેમાન છું બે દિનને જ હું તે. શુદ્ધ ચૈતન્યસ્વામી, સ્વરૂપવિલાસી, મહામહહારી દેવાધિદેવ પરમકૃપાળુ પરમાત્માને ત્રિવિધ વિવિધ ત્રિકાળ નમસ્કાર હો! Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨૬ મેધામૃત હે દયાસિંધુ ! આપ તે પરમ ગંભીર, શાંતમૂર્તિ છે! આ દાસની અજ્ઞાન માળચેષ્ટા તરફ્ અનુકંપાદષ્ટિ રાખશેાજી, કાઈ થાંભલા ઉપર વેલ ચઢાવી હેાય તે તે થાંભલાને આધારે ઊંચે ચઢે છે પણ પવનમાં તે હાલ્યા કરે છે, તેમ આ મન આપના અચળ આશ્રય પ્રાપ્ત થયા છતાં ચંચળ ક્ષુભિત રહ્યા કરે છે તે આલંબનના દોષ નથી પણ મનના જ દોષ છે. પણ વિશેષ વૃદ્ધિ પામતાં વેલા જેમ મજબૂત ને જાડો થાય છે ત્યારે તે દારડાની પેઠે સજજડ વીંટાયેલા રહે છે, જાણે પથ્થરના સ્તંભને આધાર આપવા બાંધી રાખેલું દોરડું હાય તેવા દેખાવ દે છે, તેમ આ મનેાવૃત્તિ આપના પરિચયથી પોષ પામી આપની નિશ્ર્ચળતાનું અનુકરણ કરતાં તદ્રુપ બનશે, એવી શ્રદ્ધા રહે જી. આ દેહાર્દિ આજથી, વાઁ પ્રભુ આધીન; દાસ, દાસ, હું દાસ છું, આપ પ્રભુનેા દીન.’ વઢકણી ડાસી કાઈને દાન દેતી નહીં, પણ એક વખતે સામે ઘેર જા' કહી કાઈ ભિખારીને ઘર દેખાડવા આંગળી ચીંધી તેના પુણ્યે તેને બે ઘડી ઇન્દ્રનું સિંહાસન મળ્યું, તે દુર્વાંસા ત્યાં થઈ જતા હતા તેમને અર્પણ કર્યું. અને છેવટે તેને વૈકુંઠ મળ્યું ત્યારે દુર્વાસાએ સિંહાસન તયું એમ વાત કહેવાય છે; તેમ આ અનાદિના સંક્લેશપરિચયી જીવ, હે પ્રભુ! આપના કાઈ પરમભક્ત સંતપુરુષોના યોગે અનાયાસે સહવાસમાં આવી જવાથી હવે તે આ હૃદયરૂપ સિંહાસન આપને અર્પણ થયું છે, તે આ. અનાદિકાળનાં કર્મથી દબાયેલા રાંક ડાસી જેવા આ જીવે કંઈ કર્યુંં નથી, માત્ર પરમ પુનિત એવા ‘સદ્ગુરુ સંત સ્વરૂપ તુ’ના ચરણમાં આવી પડવારૂપ પ્રારબ્ધ સેવાય છે. પણ આ આંગળી ચીંધવા જેવા નજીવા કાર્યનું ફળ પણ અર્પષુદ્ધિના ચેાગે વૈકુંઠ—અકુંઠિત સ્થાન—સિદ્ધિ પ્રાપ્ત કરાવે એ લૌકિક કથાના પરમાર્થ તું સત્ય કરશે. બહિરાતમ તજી અંતર આતમા-રૂપ થઈ થિર ભાવ સુજ્ઞાની, પરમાતમનું હૈ। આતમ ભાવવું, આતમ-અર્પણુ દાવ સુજ્ઞાની; આતમ અર્પણુ વસ્તુ વિચારતાં, ભરમ ટળે મતદાષ સુજ્ઞાની, પરમ પદારથ સંપત્તિ સંપજે, આનંદઘન રસ પાષ સુજ્ઞાની. સુમતિ ચરણકજ આતમ અર્પણા.” હે પ્રભુ! આ દશા કયારે આવશે? સદ્ગુરુ જ્ઞાની ગુણવંતા, વીનવે વિનેય રુચિવંતા, ઉરમાં ધરી ઉમંગ અનંતા રે, સદ્ગુરુ હિતકારી. સમ્યક્ દર્શન મેાક્ષની ખારી રે, સદ્ગુરુ હિતકારી, ક્ષમા છે મેાક્ષના દરવાજો, ક્ષમા શ્રમણુ સદ્ગુરુ સાચા; મેાક્ષ વિના કશું નહીં યાચા રે સદ્ગુરુ હિતકારી, સંતકૃપા પરમ ઉપકારી રે, ગુરુ હિતકારી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #50 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૧૦ ૩ (‘અપૂર્વ અવસર' અનુસાર) એ દિન ક્યારે આવે નાથ કૃપા થકી, રાત-દિવસ કરું શ્રવણ, મેધનું પાન જો; બાળક માની ગેાદ ગ્રહી નિઃશંક થઈ, મુનિસમ અની એકાગ્ર કરે પયપાન જો. એ દિન ૧ ૨૭ ચૈત્ર સુદ ૧૨, ૧૯૮૪ દર્શન, શ્રવણ, પ્રતીતિ, સ્થિરતા સીડીએ, ક્રમે ક્રમે હું તજી જગત જંજાળી જો; આવું અનુપમ સિદ્ધશિલાની મેડીએ, બિરાજો જ્યાં નાથ અનંત ચાળજો, એ નિ૰ પંચ શ્રુતખીજ પર પાણી પુરુષાર્થતણું પચ્ચે, પ્રકારે સમ્યાન વિકાસ જો; ર પુદ્ગલપિડ તણાં દર્શન પ્રભુ બહુ કર્યાં, ચર્મચક્ષુને ચર્મરમણની દેવ જો; તજશે એ તુજ દર્શન-સ્પર્શનથી કર્યાં, દિવ્ય નયન દેજો રૂપાતીત દેવ ો. એ દિન॰ ૩ શ્રવણું હરણ સમ મેાહવશે બહુ મેં કર્યું, તાય પુરાયા નહીં કાનના રૂપ જો; અપૂર્વ વાણી જાણી ગુરુકુળ આદર્યું, સત્સંગે શ્રુતિ પામી ચિત્ત થયું ગ્રૂપ જો. એ દિન૦ ૪ મનમાન્યું મન રઝળ્યું. વિષય-કષાયમાં, રુચિ, પ્રીતિ, પ્રતીતિ કરી વિપરીત જો; ગુરુરાજ છે હવે હમારી સહાયમાં, તેા સહજ થાય સુરુચિ, પ્રીતિ, પ્રતીત જો. એ દિન૦ માક્ષ હતુ જે મૂળતત્ત્વનું જ્ઞાન તે, સમ્યક્ શ્રદ્ધાવંત ધરે ધરી ધીર ; જ્ઞાની દ્વારા જ્ઞાન' સદાના માર્ગ છે, હંસચંચુથી ભિન્ન થાય. મોહનીય-જ્ઞાનાવરણુ ગયે ગુરુ-ખાધથી, ક્ષીરનીર જો. એ દિન॰ સમ્યક્ શ્રદ્ધા, જ્ઞાન ઉદય સમકાળ જો; સ્વાદ, શીતળતા સાકરની સાથે થતી, દીપ પ્રકાશના દૃષ્ટાંતે ત્રિકાળ જો. એ દિન૦ ७ ૫ Page #51 -------------------------------------------------------------------------- ________________ બધામૃત પારસ સાથે લેહ શલાકા ને અડે, વર્ણ સુવર્ણ તણે પ્રગટે પ્રકાશ જે. એ દિન ૮ જ્ઞાનતણું ફળ વિરતિ તે સ્થિરતા રૂપે, આત્મપ્રદેશે ચંચળતા નહીં લેશ જે; વીર્ય અનંતુ પૂર્ણરૂપે પ્રગટી દીપ, સુખ અનંત પમાય વિના કંઈ ક્લેશ જે. એ દિન૯ પીંપળપાન સમી ચંચળતા પ્રતિપળે, સંગ પ્રસંગે રાગદ્વેષથી થાય છે, કલ્પવૃક્ષ સમ સદ્ગુરુશરણે તે ટળે, ઈચ્છા છોડી વીતરાગ થવાય છે. એ દિન ૧૦ ૧૧ અગાસ, ચૈત્ર સુદ ૧૫, ૧૯૮૪ તત ૩ સત અનન્ય શરણના આપનાર એવા શ્રી સદગુરુદેવને અત્યંત ભક્તિથી નમરકાર હો! નમસ્કાર હે! નમસ્કાર ! “ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં, તે ભૂલે નિજ ભાન.” યોગીશ્વર ગુરુરાજના, યેગ બળે પલટાય; વિલાસવિષ કળિકાળનું, અમૃતમય થઈ જાય. ક્ષમાશ્રમણ આશ્રમ તણે આશ્રય જે ગ્રહનાર; તપિવનને વેગ્ય તે, તપધનને ધરનાર. દીપાવે રસત્યાગથી નવ દિન નવ પદ સાર; સપુરુષને આશ્રયે, શ્રીપાલ શ્રવણ અનુસાર, હે અનાથના નાથ ! કલ્પવૃક્ષથી પણ વિશેષ ઉદાર, શ્રમણ ભગવંત! આપને અપાર ઉપકારનું આ અ૫મતિ શું વર્ણન કરે? અહો ! તારું ગબળ! ધન્ય છે આ કળિકાળમાં જન્મનાર જીવાત્માઓને પણ કે તારું મોક્ષમાર્ગ દેનાર શરણ આવા કાળમાં પણ પ્રાપ્ત થયું. અહોભાગ્ય આ બાળકનાં પણ ઊઘડ્યાં! સત્યપંથે દેરનાર શ્રી સદ્ગુરુદેવ! તારું ભવભવ શરણ છે ! હે પ્રભુ! આ નવપદજી મહોત્સવરૂપ એળીને છેલ્લે દિવસ ચૈત્રી પૂર્ણિમાને છે, પણ પશ્ચાત્ બુદ્ધિ બ્રહ્મ અને “અગમબુદ્ધિ વાણિયા' કહેવાય છે તેવું આ તારા બ્રહ્મપદની ઈચ્છા રાખનાર બ્રહ્મચારીને પશ્ચાતબુદ્ધિ ઊપછ કે આ નવપદનું માહાસ્ય પ્રથમથી અંતરમાં ઊતર્યું નહીં અને રૂઢ ઉપવાસને વળગી રહી બે ઉપવાસની આજુબાજુના દિવસો અંતરવારણું ને પારણના મળી છ દિવસ એળીની તક ગુમાવી. માત્ર ત્રણ વચ્ચેની ઓળીને એકાશન દ્વારા Page #52 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૧૯ અજ્ઞાતવિધિએ ઉપાસી, પશુ આ અવિચાર અને અહંકારના કંઈ પરિણામે અમહુમાનપણું પ્રદર્શિત થયું હાય તે તે સર્વે ગર્વ તજી ઘણી દીનતાથી ‘મિથ્યા મે દુષ્કૃત’ હા એમ ઇચ્છું છુંજી. અને ભવિષ્યમાં આ અવિચારનાં પરિણામ રસવૃત્તિના પાષણરૂપ જમણામાં પશ્ચાત્તાપરૂપે ખડાં થઈ વિરસ–ઉદાસ ભાવને પોષે એમ આશા રાખું છું. આસા માસમાં ક્રીથી આ વ્રતનું દર્શન થવા જેટલું આયુષ્ય લંબાય અને સર્વે સમાધિ વૃત્તિ પૂર્વક જોગવાઈ ખની આવે તે તે રસના જયના સંગ્રામમાં અતિ ઉત્સાહથી ઘૂમવા વિચાર રહ્યા કરે છે. હે નિઃસ્પૃહ, નિરીહ પરમાત્મા ! સર્વે ઇચ્છાના ત્યાગ કરી તારા ચરણકમળની ઉપાસના વિશેષ વિશેષ વિશેષ વર્ધમાન થયા કરે અને અંતે આપના અયાગીપદના યાગ થાએ ! ધન્ય તે મુનિવરા રે જે ચાલે સમભાવે ! ૧૨ શુદ્ધ સ્વરૂપ, અજ્ઞાન પદ નભ-ભૂમિ સમ જેહ; અનંત ગાઉ અંતર છતાં, રહે અડાઅડ એહ. ✩ દર્શન દુર્લભ ભાઈ, પરમ ગુરુ દર્શન દુર્લભ ભાઈ, સાચી રાજ સગાઈ, જગત ગુરુ દર્શન દુર્લભ ભાઈ, દેવ, ગુરુ ને ધર્મ ત્રણેમાં ગુરુપદની જ વડાઈ, સાચા ગુરુ સમજાવે સાચા દેવ, ધર્મસુખદાઈ. જગત૦ ૧ માક્ષમાર્ગને કર્યાં મેાકળા એ સદ્ગુરુ-ચતુરાઈ, દેખતભૂલી કરાવી સમ્યક્દષ્ટિ લગાઈ. કલિમલમાંથી કરુણા કરીને કાઢ્યો એ જ ભલાઈ, પણ આલમન સદા રહેા એ, દૂર કરે. નબળાઈ. ૧૩ ચૈત્ર વદ ૫, ૧૯૮૪ આ દેશ દીપાવ્યા આપે અર્પી અનેક મૂર્તિમંત અનાવે વિરલા વર્તાવી કુળ ઉત્તમ આપ પ્રભુને ધર્મીના ઉદ્ધાર્યું, પગલે, પામી પગલે જગત ૨ તત્ સત્ અનન્ય શરણના આપનાર એવા શ્રી સદ્ગુરુદેવને અત્યંત શક્તિથી નમસ્કાર હો ! નમસ્કાર હા ! નમસ્કાર હા! મળે જગત ૩ ધન્ય છે આપતણા અવતાર, રાજજી આપતણા અવતાર. સફ્ળ કર્યાં નરભવ ફૂં કા પણ જમાવી તત્ત્વવિચાર, આશ્ચય આપી અમ સરખાને કરાવા અગાસ, ચૈત્ર વદ ૫, ૧૯૮૪ ભવપાર. ધન્ય વિચાર, આચાર. ધન્ય શિરદાર, માક્ષ-ઘર-બાર, ધન્ય૦ Page #53 -------------------------------------------------------------------------- ________________ બોધામૃત ધર્મ સનાતન જિન ઉદ્ભરવા વિતરાગ બનનાર, સદુપદેશ શ્રેણીથી ભાવે તાર્યા નર ને નાર. ધન્ય પંચમજ્ઞાનને સમજ સાચું પંચત્વ પામ્યા સાર, કૃષ્ણપંચમી ચૈત્ર માસની સંવત્ સત્તાવન ધાર. ધન્ય પરમકૃપાળુ દેવાધિદેવ પરમ શાંતિપદ ધારક કલ્યાણમૂર્તિ સનાતન સત્ય ઉદ્ધારક પ્રભુ શ્રી રાજચંદ્રદેવને ત્રિવિધ ત્રિવિધ ત્રિકાળ નમસ્કાર સમયે સમયે હો ! હે પ્રભુ આપને પ્રબળ પુરુષાર્થ અને ઉત્કટ વૈરાગ્ય અમ જેવા મંદ ક્ષયપશમી અલ્પવીર્યવાળા પુરુષોને ઉન્નતિને માર્ગે સદાય પ્રેર્યા કરે! હે પ્રભુ! આપે જ મનુષ્યભવ ધરી જાયે, આપે જ દેહની સર્વ દશાને યથાયેગ્યપણે જાણવા, માણવા ને ત્યાગવાની વિધિ અનુભવી લીધી. સંવત ૧૯૨૪ની કાર્તિકી પૂર્ણિમા દેવદિવાળીના પર્વે અવતાર લઈ, ચમત્કારિક કારકિર્દીમાં અભ્યાસનો કાળ અપૂર્વપણે ગાળી, આખા ભારત પ્રદેશમાં અને દેશાંતરમાં સ્મૃતિની તીવ્રતાથી વખાણ પામ્યા, પણ ધર્મની વજા આપના અંતરમાં ભગવો વૈરાગ્ય વર્ધમાન કરતી હતી. વૈરાગ્ય અગ્નિ ભઠ્ઠીની અગ્નિની પેઠે છૂપી રીતે પ્રારબ્ધ કર્મ પકવીને ખપાવતી હતી. તેની ભભક કોઈ મુમુક્ષુ આદિ પ્રસંગીઓના પત્ર પરથી પ્રગટ પ્રદર્શન દે છે. વિષમ કળિકાળમાં આપનું વિશેષ વિચરવું ન રહ્યું તે અમ જેવા અલ્પપુણિયા પુરુષને મંદ ભાગ્યેાદય. તેપણ નિષ્કારણ કરુણાસાગર ભવિષ્યમાં તેને શરણે આવનાર બાળકોને પયપાન કરાવવા આ આત્મસિદ્ધિ આદિ અમકુંભ ભરી ગયા છે, તેનું મુખ સદૂગુરુકૃપાથી ખેલી આ દુષ્કાળિયા કળિકાળના ભૂખમરાને દૂર ભગાવવા તેની વાણીસુધાધારાની શાંતિ અલ્પાંશે આરોગવા ઉદ્યમ કરીએ છીએ, તેમાં હે પ્રભુ! તારા યોગબળની અમને સદાય સહાય મળતી રહે ! શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ વૈશાખ વદ ૫, બુધવાર, ૧૯૮૪ પરમોપકારી શ્રીમદ્ ગુરુદેવની પ્રતિમાજીનાં સ્ટેશને પ્રથમ દર્શન કરીને ઉલ્લસેલી વૃત્તિ અનુસાર આલેખિત ભાવના– આજ ગુરુરાજને ગાઈએ ગૌરવ, ચિત્ત ચોખ્ખું કરી ભકિતભાવે, જન્મ કટિતણાં પાપને પુંજને પુણ્યરૂપે ગુરુ પરિણમાવે; કેઈ કાળે નહીં જેગ આવો જડ્યો, કંઈક કાચું રહ્યું એ જ સાચું, સાચને શોધતા શિષ્યનું દિલ તે સાચને કાજ જે નિત્ય રાચ્યું. ૧ સાચ પ્રગટાવનારા ગુરુ ના મળ્યા, શિષ્યનું ચિત્ત કાં કાંઈ થાક્યું, સિંહસમ સદ્ગુરુ શૂરવીર વિરલા, ભેટતાં ભાગ્ય ભૂંડુંય ભાગ્યે પૂર્વના પુણ્યનું પ્રબળ બળ જામતાં, શ્રવણુ સદ્દગુરુની વાણી સુણે, સુણી કુણી લાગણી બધથી થાય, ને મોક્ષ માટે સદાદિત પૂણે. ૨ ઝેર સંસાર પર, ઝૂરણ સત્યની, જેમાં સદ્દગુરુને જે મળે તે, દીપ સન્મુખ દિવેટ આવી અડે, દીપરૂપે થઈને ભળે છે; Page #54 -------------------------------------------------------------------------- ________________ ૩૧ ૫ત્રસુધા સદ્ગુરુ રાજ સાચા કળિકાળમાં, સત્યને માર્ગ સીધે બતાવે, દેષ નિજ દૂર કરી, પ્રેમથી ગુરુ વરી, એ જ માર્ગે જતાં મોક્ષ આવે. ૩ ૧૫ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ જેઠ વદ ૦)), રવિ, ૧૯૮૪ અનન્ય શરણના આપનાર એવા શ્રી સદગુ૨ પ્રગટ પુરુષોત્તમ શ્રીમદ રાજચંદ્ર અને ત્રિકાળ ત્રિકરોગે અત્યંત ભક્તિભાવે નમસ્કાર હ! નમસ્કાર હે! નમસકાર છે! છ સુદિ પંચમી, જ્ઞાનની પંચમી, મુજ મનમાં ગમી રહી રમી એ, જ્ઞાનઅવતાર શ્રી ગુરુ-મૂર્તિતણ સ્થાપના ચંદ્રમૈયે બની છે; ગુરુમંદિર પર ચંદ્રપ્રભુ-ચયમાં બિબ બને તેનાં બિરાજે, પંચ પરમેષ્ઠી સમ પંચ પ્રભુ-બિંબ એ સ્થાપિયાં ભવ્ય જીવ હિત કાજે. હે પરમકૃપાળુ દીનબંધુ કૃપાસિંધુ તરણતારણુ ભગવાન ! આ રાંકને હાથે રત્નતુલ્ય પ્રભુ! આપનું શરણું સદાય ભભવ હો ! “કરી અભાવ ભવભાવ સબ, સહજ ભાવ નિજ પાય; જય અપુનર્ભવ ભાવમય, ભયે પરમ શિવરાય.” આ સ્વચ્છંદી પ્રમાદી અધમ બાળક અનંત દેષથી ભરેલે આપના શરણનું માહાસ્ય સમજ્યા વિના આ અમૂલ્ય ભવને ભિખારીની પેઠે પુદ્ગલના એંઠાઠા ઘણું કરવાગ્ય ટુકડાની જમણામાં ને ભ્રમણામાં આયુષ્ય ગુમાવે છે. એવા આ દીન રાંક ઉપર આપે કરુણા કરી છે. આંધળાને સીધી સડકે ચડાવી કોઈ ભલા માણસ આશિષ પામે તેમ આ૫નું આલંબન પામી આપને અંતરના ભાવથી આ હૃદય આજે નમે છે. અહો ! પરમ પુરુષાર્થની પ્રગટ મૂર્તિ, પરમ જાગ્રત, સદા અપ્રમત્ત સ્વરૂપમાં તલ્લીન તારી મૂર્તિ મારા હૃદયમાં સ્કીર્ણવત્ સદા સર્વદા સદોદિત જ્યવંત વર્તા, જયવંત વર્તા! ચૈત્ર સુદ ૧૨ના પત્રમાં પ્રદર્શિત ભાવને અણધારેલી રીતે આપની કૃપાથી સ્નાત્રપૂજામાં સ્નાત્રક તરીકે અઠવાડિયું રહેવાને વેગ બનતાં કંઈક બની આવી. પણ પ્રમાદ એ જ જીવને મહા રિપુ છે અને પ્રમાદની પાછળ પશ્ચાત્તાપ ઊભેલો જ હોય છે. એ દિવસે મારા જેવા અજાયા અણઘડ માણસને તે તદ્દન નવા જ હતા, અને તેને લીધે ઉપગશૂન્યતાથી ઘણી ભૂલ સેવાઈ ગઈ હશે. પણ હે પ્રભુ ! આપ તે પરમ કૃપાળુ છો, ક્ષમાના સાગર છે. આપના પરમ ગબળનું દર્શન એ શુભ દિને સર્વને પ્રત્યક્ષ થયેલું કે દશ હજાર જેટલાં માણસની મેદની જેઠ સુદ પાંચમે ભરાયેલી ગણાય છે, તેમાંથી કોઈને કંઈ નુકસાન, ભૂખ, તરસ કે કલેશનું કારણ કેઈ પણ થયું નથી. માત્ર શુભભાવના આ કાળમાં આવવી ટકવી દુર્લભ છે તેને પરિચય કરાવી આપે શાંતિ સર્વત્ર પ્રસરાવી હતી, તે સર્વનાં હૃદય સમજી શક્યાં છે. ત્યાર પછી આ જીવને કેઈ એવા કર્મની પરંપરામાં તણાવું પડ્યું છે કે આ પુસ્તક અને આ લેખિનીને સમાગમ આજે જ થાય છે. હે પ્રભુ ! આ જીવ પુરુષની અશાતનાથી જ રઝળે છે. તેને તારી આરાધનાનું દાન દઈ વિરાધકપણું ટાળી આરાધકપણાનું દાન દે અને ઉતાવળે ઉતાવળે મોક્ષમાર્ગમાં લઈ જા. Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩ર : બધામૃત મને તે એક તાર જ આધાર છે. ક્યાંય નજર કરતી નથી. કશું ગમતું નથી. ગમે તેમ કાળ કાઢે છે. શરણું એક તારું છે તે તું તારું બિરુદ સાચવી આ પામર આત્માને નિજસ્વરૂપનું યથાર્થ ભાન કરાવી ભાગ્યશાળી બનાવજે. “પ્રભુ! જાણુને શું કહેવું ઘણું?” અષાડ સુદ ૮, ૧૯૮૪ તત ૩૪ સત અનન્ય શરણના આપનાર એવા શ્રી સદગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર ! નમસકાર હો! નમસ્કાર છે! શુભ અશુભ કર્મના બે કિનારા કને નાવ પેઠે ભમે ચિત્ત નિત્ય, રાગદ્વેષાદિ કલ્લોલથી ડેલ, પવન તેફાને તૃષ્ણ તણું છે; જિનમુદ્રા ગુરુરાજ જાતે વર્યા આ કળિકાળ વિકરાળ તેયે, એ જ આશ્ચર્યકારી સુકાની તણું ચરણ શરણું રહા ચિત્તમાંયે. હે પરમ પાવનકારી, પરમ ઉપકારી, અશરણના શરણું, અનાથના બેલી! આ પામર રંક જીવ પ્રમાદ અને બેભાનમાં પોતાની સ્થિતિને વિચાર કર્યા વગર કાળના મુખમાં પ્રવેશ કરી રહ્યો છે, તેની હે સમર્થ સ્વામી, પરમકૃપાળુ! સંભાળ લેજે, સંભાળ લેજે. મને નથી કંઈ કહેતાં આવડતું, નથી સમજાવતાં આવડતું, નથી પ્રાર્થના કરતાં આવડતું, નથી જોતાં આવડતું, નથી રતાં આવડતું, નથી તરતાં આવડતું, નથી તારતાં આવડતું. માત્ર એક સમર્થ સ્વામીનું શરણું છે એ જ આ જીવને ઊગરવાને આધાર છે, તે હે નાથ! હરઘડી તારા પરમ પાવનકારી ચરણ ત્રણ લેકનાં પાપને નાશ કરવા સમર્થ છે તે મારા હૃદયમાં નિરંતર સંસ્થાપિત રહે અને તારું સ્મરણરૂપી ઝરણ સદાય વહ્યા કરી મારાં અખૂટ પાપના પુજને ધોઈ તારા શુદ્ધ સોદિત કીર્ણ સ્વરૂપનું દર્શન નિરાવરણે સદાય કરાવો એ જ પ્રાર્થના આ પામર પ્રાણની છે તે સફળ થાઓ અને સર્વનું કલ્યાણ થાઓ. અષાડ સુદ ૧૫, ૧૯૮૪ પાપ અમાપ અમારાં સ્વામી, તમ કરુણાથી ટળશે, ગુરુ શરણું મેં ગ્રહણ કર્યું છે તે મુજ દે હરશે, ગુરુપૂર્ણિમા સ્મરણ કરાવે પૂર્ણ સ્વરૂપ ગુરુવરનું, અમ ઉર ઊલસે આપ કૃપાથી ગ્રહી શરણું રાજશશીકરનું. ૧૮ અષાડ વદ ૧૪, સેમવાર, ૧૯૮૪ તત ૩૪ ત્ અનન્ય શરથના આપનાર અંતરજામી પ્રગટ પુરુષોત્તમ પરમાત્મદેવને ત્રિવિધ ત્રિકાળ નમસ્કાર હે! નમસ્કાર હો! રાજ હૃદયમાં રમને નિરંતર રાજ હૃદયમાં રમશે. પરમકૃપાળુ તમે પરમેશ્વર, અવિનય મુજ દૂર કરજે રે ગુરુ-રાજ આ દિલ દાસતણું દીન જાણું, પદપંકજ ત્યાં ધરજો રે ગુરુ-રાજ, Page #56 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૩૩ આપ અમાપ અહો કરૂણકર, મુજ મનને વશ કરજે રે ગુરુ-રાજ શરણાગત બાળકને તારી, સમતાપદમાં ધરજે રે ગુરુ-રાજ કાળ અનાદિથી કાંઈ કર્યું નથી, પામરતા મુજ હરજે રે ગુરુ-રાજ સંતકૃપાથી સન્મુખ આવી વાત નિરંતર કરજે રે ગુરુ-રાજ હે અંતરજામી, પરમ પાવનકારી પરમપદાર્થદાયક, શરણાગત પ્રતિપાળક, દીનાનાથ, પરમાત્મા! તારું ભવભવ શરણું હો ! આ અનાથ બાળકના સર્વ અપરાધ ક્ષમા કર, તારી અનંત કરુણાનું દર્શન-ભાન કરાવ, સર્વ પ્રમાદ તનાવી તારું જ સદા સ્મરણ રહે, તુહિ, તુહિ નિશદિન સમક્ષ સ્મૃતિપટ પર ટંકેતકીર્ણવત્ સદેદિત રહે એવી કરુણું કર. હે કરુણાસિંધુ ! આ બાળક તારી કરુણાના જ શ્વાસોચ્છવાસ લે છે પણ મૂઢ તને આભારની પરમ ઉપકારની નજરે નિરંતર જેતે નથી એ જ તેની મૂઢતા તે તજ નથી. સદાય સાથે વસનાર પ્રિયતમને વીસરી પરવસ્તુમાં રમતી આ જીવની વિભાવપરિણતિ હે નાથ ! હવે તે સદાને માટે નાશ કર, અત્યંત ક્ષય કર અને તારું અક્ષય સ્વરૂપ તેની જગાએ સ્થાપન કર. ૩૪ તથાસ્તુ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૯ - બી. શ્રાવણ સુદ ૯, ૧૯૮૪ મહા પ્રભુ શ્રી રાજચંદ્રજી પ્રગટ પુરુષોત્તમરાય, ક્ષમા યાચું હું મહા પર્વ પર મેં કર્યા દેષ ઘણાય; આજ સુધીના બધા દેષની કરો કૃપા કરી માફ, હવે પછી પણ કેઈ ન થાઓ સદા રહો દિલ સાફ. દેષ સર્વને માફ કરી હું હળ થાઉં આજ, સર્વ પ્રાણુ પાસે માગું છું માફી હું મહારાજ; સહજ સ્વભાવ ભણી નજર રહે મુજ આપ હૃદયમાં આવો, પર પ્રત્યે તજી રાગદ્વેષ લે સર્વ મોક્ષને લહાવો. હે નાથ ! આ દીન બાળકની વંદના, અંતરના ઉમળકાથી સર્વ દેશની ક્ષમાની યાચના અને સર્વ દેષથી મુક્ત થવાની ભાવના આપના ચરણકમળ પ્રત્યે પ્રાપ્ત થાઓ. હું અબુધ અને અશક્ત છું. એક આપના આશ્રય સિવાય કંઈ સંસારમાં શોધવા જેવું નથી લાગતું. આ૫નું શરણ ભવભવ ! હે નાથ ! સર્વ પ્રકારનું માન, સર્વ પ્રકારનું અગ્ય વર્તન અને અયોગ્ય ભાવના દૂર કર અને દીનતાથી આ હૃદયને ભર. ખરેખર જગતના કેઈ પણ પદાર્થમાં રાગદ્વેષ અને મેહ કરવા જેવું નથી તે આ અ૯પ સામગ્રીમાં અહંભાવ કરી, મમતાભાવ કરી આત્માનું હું અનિષ્ટ કરી રહ્યો છું તે હર પળ યાદ આવતું નથી, તે તારી. કૃપાથી સર્વ સવળું કર ને ચિત્તને તારા ચરણકમળમાં રાખ. હે નાથ ! વિશેષ શું કહ્યું?' સર્વ આપ જાણે છે અને તેથી જ મને મોક્ષને માર્ગે દોરો તે સિવાય કોઈ પણ ઈચ્છા દિલમાં ન રહે ! ૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #57 -------------------------------------------------------------------------- ________________ બધામૃત ભાદ્રપદ સુદ ૯, રવિવાર, ૧૯૮૪ પરમ ઈષ્ટ દેવાધિદેવ શ્રીમદ રાજચંદ્ર ગુરુ ભગવાનને ત્રિક૨ણ ગે નિરંતર સમયે સમયે સમસ્ત સમર્પણભાવે નમસ્કાર હે! સેરઠ– સર્વ જ્ઞાનનું મૂળ, રાજચંદ્ર પ્રભુ આપે છે, તુજ આજ્ઞા અનુકૂળ, આસ્થા વર્તન મુજ હે. દેષ કરે સૌ દૂર, દેષથ દાસ ભરેલ છે, ક્ષમાવંત મશહૂર, પરમ કૃપાળું બિરુદ છે. પ્રશ્ન એક લઈ આજ, આપ ચરણમાં આવિયે, રાખી મારી લાજ, કહેનારે તે કહી ગયે. અઠ્ઠાઈ મહોત્સવ પર્વ, ભાદ્રપદ પૂનમ લગી, મારે મન તું સર્વ, આત્મભાવના રહે ઝગી. પરમપ્રિય પરમાત્મસ્વરૂપમાં પરમેસ્કૃષ્ટભાવે લીનતા કરનાર આપ પ્રતાપી પરમપુરુષના ચરણકમળમાં આ અવિનીત અજ્ઞાની અનંત દેષને ઉપાસતા, શુદ્ર, બહિરાત્મભાવને ભજતા આત્માને અનંતવાર ધિકારી, ખરા અંતઃકરણથી આપ પ્રભુનું સંમત કરેલું સર્વ સંમત કરવાની દઢ બુદ્ધિથી ને આપની આજ્ઞામાં નિરંતર વર્તવાની દઢ બુદ્ધિથી વર્તન કરવાની નિશ્ચલવૃત્તિએ, આજે અંતરાત્માની સાક્ષીએ, આ૫ પરમાત્મસ્વરૂપને અતિ વિનીતભાવે આજ સુધી થયેલી અનંત વિરાધનાઓની ક્ષમા ઈચ્છી, હવેથી આપની સમીપ જ રહેવાના ભાવે ચરણ ગ્રહી તન્મયભાવે નમસ્કાર કરું છું તે હે પરમકૃપાળુદેવ, કૃપાવંત થઈ સ્વીકારવા નમ્ર અરજ રજૂ કરું છુંછ સ્વામી. એક પ્રશ્ન સહજે ગઈ કાલે એકાએક અણધાર્યો હૃદયમાં સંસ્કૃર્યો અને અનંતર તેને ઉત્તર પણ થઈ ગયે તે વિશેષ સ્પષ્ટ થવાની ઈચ્છાએ આજ પ્રભાતે આપ પ્રભુના ચરણમાં સ્વરચ્છેદરહિત વિચારી વિસ્તારપૂર્વક રજૂ કરવાની ઈચ્છા ઉદ્દભવવાથી દર્શાવું છું પ્રભુ. પ્રશ્ન- મરણ સમયે સામાન્ય મનુષ્યને ઘણું જ વેદના દેખવામાં આવે છે અને શાસ્ત્રોમાં પણ સ્વર્ગના દેવોને સુધાં નરકના કરતાં વધારે વેદના અંત સમયે અનુભવાય છે એમ (આદિપુરાણમાં વર્ણન કરેલું છે, તેનું કારણ શું હશે? હજી ફરી તે જ પ્રશ્ન પૂછું છું. હરેક ચીજ અમારી આજુબાજુ ઉત્પાદ, સ્થિતિ અને વ્યય થતી જોવામાં આવે છે. તેમાં ઉત્પન્ન થતી વખતે તે પિતાનું પૂર્ણ સ્વરૂપ પૂર્ણ સ્વરૂપમાં પ્રગટ કરતી જણાતી નથી. જેમ સૂર્ય ઉદય વખતે વિશેષ ગરમી આપને જણાતું નથી તેમ વળી મધ્યમાં સ્થિત હોય છે ત્યારે તે સંપૂર્ણ પિતાને સ્વભાવ જણાવે છે અને અંતે જોર નરમ પડેલું લાગે છે. બીજું દષ્ટાંત ઘટ પટનું લઈએ. ઉત્પન્ન થતાંમાં બનેમાં મજબૂતાઈ ટકાઉપણું બહુ જ ઓછું હોય છે - કાચી માટી અને સૂતરના તાંતણુરૂપે, પણ જ્યારે તૈયાર થાય છે ત્યારે તેના ટકાવી ને મજબૂતીમાં બંને સબળ જણાય છે. પછી જ્યારે ઘસારે લાગતાં તેમની આખર અવસ્થા આવે છે ત્યારે તેમાં કાણાં, તરાડ કે ફાટફૂટ થઈ નાશ થવાની અણી પર આવે છે. તેમ જ આ દેહની સ્થિતિ જણાય છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ પગસુધા ૩૫ છતાં આયુષ્યમાં એવું શું છે કે તે શરૂઆતમાં વધારે દુઃખ આપે છે, વધારેમાં વધારે અંતે દુઃખ આપે છે અને મધ્યકાળે જુવાનીમાં તે ઓછું દુઃખ આપે છે? ૨૧ અનન્ય શરણના આપનાર એવા પરોપકારી પરમ વલલ શ્રી પ્રગટ પુરુષોત્તમ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના પદપંકજમાં સવિનય સંત તિથી નમસ્કાર હ! નમસ્કાર ! હરિગીત– શિરછત્ર છે. પ્રભુ ભક્તના સંકટતણું વર્ષો સમે, તુજ ચરણુ શરણે જાય તેના તાપ ત્રિવિધિના શમે, સંતેષ શાંતિ ને ક્ષમા વળી સહનશલતા ત્યાં વસે, સુખસિંધુમાં સૂતા પ્રભુ મન મગ્ન મુજ તુજ પદ વિષે. શાંતિના સ્વામી જગદીશ્વર પરમાત્માના સર્વ સંશય સંકટ હારી પરમ પુનિત ચરણકમળમાં ત્રિવિધ પરમ વિનયભાવે સર્વાર્પણપણે નમસ્કાર હો! નમસ્કાર હો ! નમસ્કાર હે! હે નાથ ! સંસારસાગરથી તારનાર તારા પવિત્ર નામનું નિરંતર સ્મરણ રહો! સહજાત્મસ્વરૂપ સંપૂર્ણતાના સ્વામી! તારી નિકટતાને માર્ગ વિકટ છે. મરણ સર્વને માથે છે અને મરણને માથે સંકટનું પિટલું છે, તે જોઈને તેને ભેટનાર ત્રાસે છે, વિપત્તિ પામે છે, અસહ્ય વેદના દેખે છે, બેભાન બની જાય છે તે પણ ક્ષણે ક્ષણે આ જીવ તે મરણને શરણે થવા દેડી રહ્યો છે. “ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો રાચી રહો !” આ ચિત્ર ચિત્તના ચિત્રપટ પર કાયમ રહે તે જીવ પિતાને સ્વભાવ પરમાનંદ સ્વરૂપ જ્યાં સર્વ સંશય અને સર્વ દુઃખને નાશ છે ત્યાં જ વાસ કરે અને ત્યાંથી તેને કેઈકાઢી મૂકે તેમ નથી. છતાં અનાદિને જે અધ્યાસ – દેહાધ્યાસ – પડી રહ્યો છે, જે અણરૂપે આવી ખડું થાય છે અને તેમાં રાચવા લાગે છે અને એ જ જીવની ભૂલ છે. સમાધિમરણમાં વિત કરનાર તે તેની કલ્પના જ છે. તે જાય તે સહજ સ્વાભાવિક નિજ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ જ બાકી રહે. કલ્પના અંતે પણ જવી જે મુશ્કેલ એવી કલ્પનાને કલ્પના અનંતમા ભાગે જેણે નાશ કર્યો તેવા પરમ વીર્યવંતા પરમપદ લેગી પરમાત્માને સર્વભાવે નમસ્કાર! હરિગીત– કર્મ કરવા દર જેનું ચિત્ત ચિતા ધારતું, સંત તેવા ઉદરણાથી કર્મ કાપે, ભાળ તું, પણ કૃપણ જન સંસારના યે ઉદરણું સુખની કરે, સુખ જીવતાં પૂરું કરી દુખ મરણકાળે નીરખે. ૨૨ કાર્તિક શુક્લપક્ષ અષ્ટમી, ૧૯૮૫ અનન્ય શપના આપનાર પ્રગટ પુરત્તમ પરમાત્માને અતિ થવભાવે અત્યંત ભક્તિથી વિવિધ વૈવિધ નિરંતર નમસ્કાર છે!” દેહરા– શ્રી દેવદિવાળી પર્વને, મહોત્સવ મંડાય; અષ્ટાહિક એ આજથી, આનંદ મંગળ થાય. Page #59 -------------------------------------------------------------------------- ________________ બેધામૃત પરમકૃપાળુ દેવ શ્રી રાજચંદ્ર ગુરુ રાય; કૃપા કરો કિંકર ઉપર, તે તુજ કીર્તન થાય. નન વર્ષમાં પર્વ આ તુજ કૃપા દેનાર; સફળ કરે નર જન્મને કર કલ્યાણ અપાર. હે પરમાત્મા! આ અધમ બાહ્યવૃત્તિમાં પડેલા આ પામર જીવને રંક જાણું આપના અનુપમ અંતર્ધારમાં દાખલ કરી સદાય શરણમાં રાખે. તેહિ તેહિ સિવાય અન્ય કોઈ અંતરમાં ઊગે નહીં. સર્વ ક્રિયામાં એ પરમાત્મપદ પર નિરંતર લક્ષ અખંડ રહ્યા કરે. મન વચન કાયાની પ્રવૃત્તિ સદાય પરમપદમાં અલક્ષ્મ લય (અલખલેહ)માં સમાવા તરફ વહ્યા કરે. અપૂર્વ જિન આજ્ઞાનું પરમ માહાત્મ્ય સદાય પ્રગટ લક્ષમાં જાગ્રત રહો. સ્વરૂપ સ્થિરતામાં અનન્ય પ્રેમ નિરંતર સ્થિરતા, રમણતા, તન્મયતા સદાય અનંતકાળ સુધી રહ્યા કરે એ અવસ્થાને અહો ! આ જીવ કયારે અનુભવશે? પરમકૃપાળુ એવા મુનિવરેની મહત્કૃપા સર્વ વિશ્વનું કલ્યાણ કરે! ૩ અગાસ, માગશર સુદ ૯, શનિ, ૧૯૮૩ લીજે ખબર હમારી દયાનિધિ, લીજે ખબર હમારી. તુમ તે દીનદયાળ જગતકે, સબ જીવન હિતકારી; મેં મતિહીન દીન, તુમ સમરથ, ચૂક માફ કર મારી; ભૂધરદાસ આશ ચરણકી, ભવ ભવ શરણ તિહારી – દયાનિધિ તીર્થક્ષેત્ર શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસથી લિ. પુરુષના ચરણકમલની સેવાને ઈચ્છક દાસાનુદાસ ગવર્ધનના જયસદ્દગુરુવંદન સાથે આત્મભાવે નમસ્કાર સ્વીકારશે. વિ. આપને પત્ર પ. પૂ. પ્રભુશ્રીજી ઉપર આવ્યું. તે વાંચી તેઓશ્રીજીએ આપને તેમ જ યાદ કરતાં ભાઈબહેનેને આશીર્વાદ સાથે જયસદ્દગુરુવંદનપૂર્વક સદ્ધર્મવૃદ્ધિનું કહલાવ્યું છેજી. પ. પૂ. પ્રભુશ્રીજીની શરીરપ્રકૃતિ વૃદ્ધાવસ્થાદિ કારણે નરમ ગરમ રહ્યા કરે છે. આશ્રમવાસી ભાઈબહેનેએ આપ સર્વેને જય સદ્ગુરુવંદન જણવ્યા છેછે. - પરમકૃપાળુદેવને ચિત્રપટ છે તેનું બહુમાનપણું ભક્તિ જેટલી થાય તેટલી કર્તવ્ય છે. આપણુ ઈરછાએ, કલ્પનાએ ધર્મ નથી થતું, પણ સત્પરુષની આજ્ઞાએ ધર્મ છે. તેથી જે જે આજ્ઞા કરી હોય તેમાં જ આપણું કલ્યાણ સમજી, બીજી કંઈ કલ્પના થાય તે શમાવી, વૃત્તિ પરમકૃપાળુદેવનાં વચનામૃતમાં, સ્મરણમાં, ભજનભક્તિમાં રાખશેજી. રોકે જીવ સ્વચ્છેદ તે, પામે અવશ્ય મોક્ષ; પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિષ. આપણને સારું લાગે, ગમે, તેવું કરતાં કરતાં અનંતકાળ ગયે; પણ હજી કલ્યાણ થયું નહીં, તે હવે શું કરવું? તેને ઉત્તર ઉપરની આત્મસિદ્ધિની ગાથામાં છે તે બહુ મનન કરવા ગ્ય છે, કારણ કે મુમુક્ષુઓ મિક્ષને જ વિચાર કરવો ઘટે છે અને તે તે વછંદ * અહથી, પૂ. શ્રી બ્રહચારીજીએ લખેલા મુમુક્ષુઓ ઉપરના પત્રો તિથિ અનુક્રમે આપેલ છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૩૭ કાયા વગર મેક્ષ થતું નથી અથવા સ્વછંદ રેકાય તે અવશ્ય મેક્ષ થાય એમ પરમકૃપાળુદેવ જણાવે છે. તે સ્વચ્છંદ રોકવા જીવ જપ, તપ, યમ, નિયમ આદિ સાધને કરવા દેડે તો પણ તેથી મોક્ષની નજીક જવાતું નથી, કારણ કે “વહ સાધન બાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજુ ન પ.” તેમ જ “સૌ સાધન બંધન થયાં, રહ્યો ન કોઈ ઉપાય; સત્સાધન સમજે નહીં, ત્યાં બંધન શું જાય? એમ અનેક પ્રકારે ભુલવણ રહી છે તેમાંથી કેમ છૂટવું? તે સ્વછંદ રેકવાને ઉત્તમ ઉપાય બીજી જ પાસેની કડીમાં ત્યાં જણાવ્યા છે – પ્રત્યક્ષ સદ્દગુરુગથી, સ્વછંદ તે રોકાય; અન્ય ઉપાય કર્યો થકી, પ્રાયે બમણ થાય.” તેથી જેમ બને તેમ સત્સમાગમને જગ મેળવવા પુરુષાર્થ કર્તવ્ય છેજી, અને સત્સમાગમે શ્રવણ કરેલા બેધનું મનન, વારંવાર ભાવના કર્તવ્ય છે. મનુષ્યભવમાં કર્તવ્ય એક સમ્યકદર્શનની પ્રાપ્તિ છે અથવા આત્મસ્વરૂપના એળખાણની છે અને તે તે આત્મસ્વરૂપ જેને પ્રાપ્ત થયું છે તેવા આપ્તપુરુષના યુગ વિના બની શકે તેવું નથી. માટે એ પુરુષના ગની ભાવના નિરંતર કર્તવ્ય છેજી. આ કાળનાં અલ્પ આયુષ્ય અને અચાનક મરણ નીપજતાં ભાળીને ચેતવા જેવું છે'. આખે દિવસ પરકથા અને પરવૃત્તિમાં વહ્યો જાય છે તેમાંથી શેડો કાળ અવશ્ય કાઢી લઈ “હું કેણ છું? ક્યાંથી થયે? શું સ્વરૂપ છે મારું ખરું? કેના સંબંધે વળગણ છે? રાખું કે એ પરહરું?” એવા આત્મા સંબંધીના વિચારમાં વૃત્તિને રોકી આત્માનું ચિંતવન, ભાવના બને તેટલી કર્તવ્ય છે. "उत्तमा स्वात्मचिंता स्यात् मोह चिन्ता च मध्यमा । अधमा कामचिन्ता स्यात् परचिन्ता अधमाधमा ॥" ભાવાર્થ- આપણું આત્માના ઉદ્ધારની ચિતા-વિચારણા કરવી તે ઉત્તમ ચિતવન કહેવાય છે. મહને વશ કે શુભ રાગને લઈને બીજા જનું ભલું કરવાની વિચારણું તે મધ્યમ ચિતવન છે. કામગની ચિંતવના કરવી તે અધમ છે અને બીજાનું ભૂંડું થાય, અકલ્યાણ થાય તેવા વિચાર કરવા તે અધમમાં અધમ ચિંતવના છે. તે શાંતિઃ શાંતિઃ શાંતિઃ F અગાસ, જેઠ વદ ૫, સેમ, ૧૯૮૩ જળ જેવી ઈદ્ધિ, વિકારરૂપ રુધિર મરણ સુધી પી પી કરે, વસતી તૃષ્ણાનીર.– પ્રવચનસાર જેકે મનુષ્યભવમાં આવી જીવ સમ્યક્ ધર્મ આરાધે તે મનુષ્યદેહ પાસે સાર્થક છે, નહીં તે દેહ છતાં મરેલો જ છે; અને શરીર અપેક્ષાએ તે શ્રી કૃપાળુદેવ જણાવે છે કે કેઈ પણ જીવને અવિનાશી દેહની પ્રાપ્તિ થઈ એમ દીઠું નથી, જાયું નથી તથા સંભવતું નથી; અને મૃત્યુનું આવવું અવશ્ય છે, એવો પ્રત્યક્ષ નિ:સંશય અનુભવ છે, તેમ છતાં પણ આ જીવ તે વાત ફરી ફરી ભૂલી જાય છે એ મોટું આશ્ચર્ય છે.” (પ૬૮) વિચારવાન જીવે Page #61 -------------------------------------------------------------------------- ________________ બેધામૃત તે આ સંસારનું અનિત્યપણું, અશરણુપણું વિચારી પ્રતિબંધ અને પ્રમાદ સર્વથા ત્યાગ કરવાને વિચાર નિરંતર કરવો ઘટે છે. કારણ કે આ શરીર તે ક્ષણવારમાં પડી જાય, સડી જાય, વણસી જાય તેવું છે, તેને ભરું ? માટે સર્વ દેહ ઉપરથી મમત્વનો ત્યાગ કરી દેહમાં રહેલું ચૈતન્ય તેને સદ્ગુરુ-આત્મપ્રાપ્ત પુરુષ પાસેથી સમજી તેને પરમ નિશ્ચય કરી, તે શુદ્ધ તત્ત્વના દઢ અભ્યાસમાં વર્તવું ગ્ય છે. જેને આવા ભયંકર કળિકાળમાં તત્ત્વાર્થની પ્રતીતિરૂપ કે આપ્તપુરુષની ઓળખાણુરૂપ મોક્ષમાર્ગને આપે તેવું સમ્યકત્વ થયું તે તેનું જીવિત સફળ છે, અને તેને જ મનુષ્યભવ ગણાય. બાકી “સાહાર નિદ્રા મા મૈથુન ૨ सामान्य एतन् पशुभिः नराणाम् ।" આપણી સાથે નિરંતર સમીપમાં રહેનાર એવા કેટલાય જ દેહ છોડીને ચાલ્યા ગયા છતાં આપણને હજી યથાર્થ વૈરાગ્ય આવતું નથી અને દેહ પ્રત્યે મૂછ ઘટતી નથી. જાણે મારે કદી મરવું જ નથી એવા કઠોર પરિણામી આ જીવને ધિક્કાર હો કે હજુ કાંઈ અપૂર્વતા પામ્યું નહીં અને ધર્મ કરતાં માનાદિકની વિશેષ ઈરછાએ સર્વે પ્રવૃત્તિ કરી છે તે માન આને કઈ ગતિએ લઈ જશે? વિચારવાન સ્ત્રીપુરુષે માનાદિકને પરાજય કરી એક આત્મવિચારણામાં જ કાળ કાઢો જરૂર છે. જે અને અસંગતાના, નિજ સ્વભાવમાં મગ્ન રહેવાના વિચારે નિરંતર કુર્યા કરે છે તે મહાભાગ્યશાલી પુરુષને ધન્ય છે ! તે પ્રતિબંધ તથા પ્રમાદને ઝેર, ઝેર ને ઝેર જાણીને ત્યાગે છે. દેહ, સ્ત્રી, પુત્ર, સગાંસંબંધી કે ધનાદિક અનંતવાર આ જીવને પ્રાપ્ત થયાં અને તેને એ મૂકતે આવે છે, છતાં એને વિષે જે મારાપણું રાખતે આવ્યું છે તે મારાપણું જ્ઞાની મહાત્માને બેધ વિચારી કદી છોડ્યું નથી. માટે આ દેહે જ તે મારાપણું છેડવું છે અને તેને માટે કઈ એક સપુરુષને શોધી તેના ચરણકમલમાં તન મન ધન સર્વસ્વ અર્પણ કરી મેક્ષ સિવાય કશી કામના રાખવી નથી. માત્ર સાચા મારગ બતાવનારા એવા સદ્ગુરુ પરમકૃપાળુ દેવાધિદેવ શ્રીમદ્ રાજચંદ્ર દેવનું શરણું લઈ સમાધિપૂર્વક આ દેહ ટકે ત્યાં સુધી તેની તે જ ભાવના રાખીશું અને અંતે તે પરમપુરુષના શરણસહિત દેહત્યાગ કરીશું તે ખચીત સત્સમાધિને પામીશું. પુરુષાર્થ વર્ધમાન કરી અનર્થદંડ અને પરકથા તથા પરવૃત્તિમાં વહ્યા જતા ચિત્તને “સહજાત્મસ્વરૂપ પરમગુરુના સ્મરણમાં, તેના શરણના માહાસ્યમાં, કળિકાળમાં આટલે જોગ બની આવ્યું છે તે અહેભાગ્ય ગણી તેને અમૂલ્ય ચિતવી, તેની નિષ્કારણું કરુણને નિત્ય પ્રત્યે નિરંતર નિરંતર સ્તવવામાં, પિતાને દેષ જોઈ દેશને ટાળવામાં ચિત્તવૃત્તિને રેકવી ઘટે છે. જેણે મેક્ષ મેળવવા કેડ બાંધી છે, તેણે જગત તરફ પૂંઠ ફેરવી છે. જગતને અને તેને કાંઈ લાગતુંવળગતું નથી. માત્ર તેને તે હવે જેટલાં પરપુદ્ગલ ગ્રહણ થયાં છે તે અણુ પતાવી મુક્ત થવું છે, તે રાગદ્વેષ મેહમમતા કરી નવાં પુગલ ગ્રહણ કરવા કરતાં મરણને અંગીકાર કરવાનું તે વધારે પસંદ કરે છે. આવી મહાપુરુષની મવૃત્તિમાં આપણી વિચારણા નિરંતર રમણુતા કરે એવી ઈચ્છા સહિત પત્ર પૂર્ણ કરું છું. ૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #62 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૨૫ અગાસ, ભાદરવા સુદ ૮, રવિ, ૧૯૮૩ આપને પત્ર આવ્યું. તે વાંચી સર્વ હકીકત જાણી છે. આવી ક્ષમાપનાઓ જીવે અનેક વાર માગી છે અને બીજાને માફી આપી છે; છતાં આ જીવને હવે કોઈ પણ જીવ સાથે સ્નેહબંધન કે દ્રષબંધન ન થાય, કેવળ એક સમરસ વીતરાગભાવ રહે એ ભાવ હજુ કઈ . કાળે આવ્યો નથી, તેવા ભાવે પ્રાપ્ત કરવા તેવો પુરુષાર્થ પણ કરતા નથી; ઊલટી માયાની અને કપાયની વૃદ્ધિ કર્યા કરે છે. પ્રતિબંધ વધારતો હોય અને પિતાના ખ્યાલમાં ન આવતું હાય અને પોતે, ઊલટો હું ત્યાગી, વેરાગી છું એમ માનતે હોય, આવા જીવને મુમુક્ષુ કહેવો કે મોહનીયકર્મ ઠગેલે કહે? તે વિચારવા ગ્ય છે. જેમ બને તેમ વૈરાગ્યઉપશમની વૃદ્ધિ કરવી અને વીતરાગતા આત્મામાં પરિણામ પામે તેવા સમકિતના શમસંગાદિ ગુણે આત્મામાં પ્રાપ્ત થાય તે સત્સમાગમ કે સ@ાને લક્ષ રાખી આ ભયંકર સંસાર તરફથી પૂંઠ ફેરવી, સમ્યકજ્ઞાન, સમ્યકદર્શન અને સભ્યચરિત્ર જે આત્મસ્વરૂપમય છે એવો અખંડ રત્નત્રયમય આત્મા પરમ શાંતરસમાં બિરાજમાન તે આત્મા તરફ દષ્ટિ કરવી એટલે બાધબીજની વૃદ્ધિ કરવી અથવા બેધબીજની પ્રાપ્તિ થાય એ આત્મવિચાર કરી આત્માને મેહરહિત કર, એ જ ઉત્તમ કલ્યાણને માર્ગ છે. વિશેષ શું લખવું? કારણ કે જ્ઞાની પુરુષોએ કાંઈ કહેવામાં બાકી રાખી નથી, પણ આ જીવે તે પ્રમાણે કરવામાં બાકી રાખી છે. કારણ કે અનંતકાળથી આજ દિન સુધી કાંઈ આત્મામાં અપૂર્વતા આવી નથી, તેમ સપુરુષની આજ્ઞા પણ સાચા અંતઃકરણે ઉઠાવી નથી. ઊલટું આ જીવે સત્પરુષને વંચવા જેવું કર્યું છે કે પુરુષ તો નિસ્પૃહ છે તેથી કંઈ ઠગાતા નથી, પણ પોતે પિતાને ઠગે છે અને પિતે પિતાને વેરી બને છે એવી આ જીવની અધમ દશા છે. તે અધમ દશાથી પરમકૃપાળુ પરમાત્મા શ્રી ગુરુ આપણને બચાવે તેવી તેમની પાસે નમ્ર પ્રાર્થના કરી દીનપણું દર્શાવી અને હવે પછીના કાળમાં તેવા દે આત્મામાં ન આવે તેવી પ્રાર્થના નિરંતર અંતરજામી શ્રી ગુરુ પાસે કરી, સર્વ દેષને અભાવ કરી, કેવળ વીતરાગતા પ્રગટ કરી સ્વરૂપમાં સમાઈ જવું એ જ કર્તવ્ય છે. ૩ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ દેહરા – કમાણું કરતાં કષ્ટ ને, સાચવતાં સુખનાશ; વધતાં ઘટતાં દુઃખ દે, ધિક ધન કેરી આશ. વિનય ધર્મનું મૂળ છે, વિનય મેક્ષ દાતાર; વિનય નહીં તો ધર્મ છે? તપને આચાર ? વિનય થકી વિજ્ઞાન છે, જ્ઞાને દર્શન જાણ; દર્શનથી ચારિત્ર ને, તેથી મોક્ષ સુખખાણું. આ ભવમાં જે દષ્ટિ પ્રાપ્ત કરવી છે અને મનુષ્યભવનું સફળ૫ણું કરવું છે તે લક્ષ આ અસાર સંસારની માહિતીથી ભૂલી ન જવાય તે માટે ઘણું કાળજી રાખવાની જરૂર છે. આ ભવમાં જ ઉપયોગી ગણાતી અને ખરી રીતે સર્વથા ત્યાગવા ગ્ય એવી લક્ષમી પ્રાપ્ત Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૦ માધામૃત કરવામાં કેટલાં બધાં વિઘ્ના અને ક્લેશ રાહન કરવાં પડે છે ? તા અમૂલ્ય અને કાઈ કાળે આ જીવ પામ્યા નથી એવી આત્માની એળખાણુ કરવામાં અનેક પ્રકારે વિઘ્નાના સંભવ ઘટે છે. તાપણુ ધનપ્રાપ્તિનાં કષ્ટ કરતાં અનેકગણાં કષ્ટ વેઠીને પણ તે પ્રાપ્ત કરવા ચેાગ્ય છે, કારણ કે આખરે તે સાચી સમજણ જ કામની છે. સત્પુરુષને શેાધીને તેને પગલે પગલે ચાલવાથી જ તે પ્રાપ્ત થઈ શકે તેમ છે. તેમ છતાં જીવ અનાદિકાળથી લેાકેાની માન્યતા ઉપર આધાર રાખતા આવ્યા છે. લેાકાએ માન્યું તે સુખ, લેકે જેને ઇચ્છે તેને પાતે ઇચ્છે, લેાકેા જેથી રાજી થાય તેમાં જીવનકાળ ગુમાવતા આ જીવ આવ્યા છે, પણ તેથી આત્માનું રૂડું થયું નથી. આત્માનું કલ્યાણ જેણે સાધ્યું છે તેવા પુરુષ ઉપર દૃઢ શ્રદ્ધા, લક્ષ, પ્રતીતિ આવ્યા વિના આત્મહિતના માર્ગે કોઈ કાળે પ્રાપ્ત થવા યા નથી; માટે આ ભવમાં મેાક્ષાર્થે વિશ્વાસ રાખવા લાયક કેઈ સદ્ગુરુ ઉપર દૃષ્ટિ થાય, તેવા સમાગમ, તેવા એધ, તેવાં શાસ્ત્રોના પરિચય કરવા ચેાગ્ય છે, અને તે દ્વારા ચેગ્યતા પ્રાપ્ત થયે, સદ્ગુરુની શ્રદ્ધા થયે સત્માર્ગે હાથ આવવા યેાગ્ય છે. આ પ્રથમ પગથિયું પ્રાપ્ત થવામાં મુખ્ય વિઘ્ન કરનાર પાંચ ઇંદ્રિયના વિષયા — ખાવું, પીવું, માજશેખ, વ્યસન, મિત્રો, સગાં, કુટુંબી આદિ પ્રતિબંધ તથા ક્રોધ, માન, માયા, લેાભ, અહંભાવ, મમત્વભાવ, અજ્ઞાન આદિ અંતર શત્રુએ છે તે બધા ઉપરથી ભાવ ઉઠાડી, આ આત્માની શી ગતિ થશે ? આ ભવનાં કાચના પ્રમાણમાં આત્મહિતનાં પ્રથમ કરવા યેાગ્ય કાર્યાં કેટલાં થાય છે ? અને આળસ, પ્રમાદ, વાતચીત, ગપ્પાં, નિંદા, હાંસી, ઠઠ્ઠા વગેરેમાં નકામા કાળ કેટલા જાય છે? વગેરે વિચાર વિચારવાન જીવે ભૂલવા ચેાગ્ય નથી. કળિયુગ છે માટે ક્ષણવાર પણ વસ્તુવિચાર વિના ન રહેવું.” (૨૫૪) “જખ જાગેંગે આતમા, તખ લાગેંગે રંગ’ અગાસ ૨૭ સાક્ષાત સજીવનમૂર્તિ આનંદમૂર્તિ શ્રી પરમપુરુષને નમસ્કાર ! આ ઉત્તમ મનુષ્યભવ જેમ તેમ જવા દેવા યેાગ્ય નથી. તેમ કાઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવું યેાગ્ય નથી. આ કાળનાં અલ્પ અને અનિયમિત આયુષ્ય તરફ નજર કરીએ તે આ સઘળું સ્વપ્ન સમાન લાગ્યા વિના નહીં રહે. તાડના ઝાડ ઉપરથી ફળ પડે તેને જમીન ઉપર આવતાં બહુ વાર લાગતી નથી તેમ ગર્ભમાં આવી જન્મ થયા પછી જીવને મરણરૂપી ભૂમિકા સ્પર્શતાં બહુ લાંબે કાળ લાગતા નથી. વચલા ગાળામાં જે કાળ જાય છે તે નહીં જેવા છે, તેમ જન્મમરણ વચ્ચેના કાળ આપણે આરંભ-પરિગ્રહ, ધન કમાવામાં કે સગાસંબંધીની ચિંતામાં કે સુખની સામગ્રી એકઠી કરવામાં ગાળીએ છીએ તે અનાદિકાળના હિસાખમાં અલ્પ સમય છે, કંઈ ગણતરીમાં નથી છતાં તેમાં જીવ કેટલેા ક્લેશ કરે છે? કેટલાં બધાં કર્યું ખાંધે છે? જાણે અહીં ને અહીં અનંતકાળ રહેવું હાય તેમ બધી ગેાઠવણુ કરે છે, પણ સ્વપ્નમાં ઊંધતા માણસને આંખ ઊઘડતાં જ બધું સ્વપ્ન મિથ્યા લાગે, તેમ સદ્ગુરુના બેધે સમ્યક્ સમજ આવતાં તેને આ બધી સંસારની ધમાલ સ્વપ્ન સમાન કે સિનેમાના ખેલ જેવી કે નજરબંધી કરી લેાકેાને આશ્ચર્ય પમાડનાર જાદુના ખેલ જેવી Page #64 -------------------------------------------------------------------------- ________________ ૪૧ પત્રસુધા આપણી બધી પ્રવૃત્તિ લાગે છે. માટે આ નકામી અને અંતે અનર્થકારી સંસારી પ્રવૃત્તિમાં ચિત્તની વૃત્તિ વહેતી હોય તે સદ્ગુરુને શરણે લાવી સંસારને નાશ કરવા ચિત્તમાં લક્ષ રાખવા યોગ્ય છે. માટે આજ સુધી થઈ તે થઈ. પણ હવે કાળ નકામો ન જાય, અને જેમાં આપણે કંઈ લેવાદેવા ન હોય તેવાં કામમાં પડી નકામાં કર્મબંધન કરવામાં ખોટી થવું અને મરવું એ બરાબર છે એમ માની, આ આત્માની દયા લાવી, ઝાઝો કાળ તેને સંસારમાં રઝળવું ન પડે તેવી શુભ પ્રવૃત્તિમાં સદ્ગુરુ આજ્ઞાએ વર્તવામાં કાળ ગાળ યોગ્ય છે. ૨૮ અગીસ, ભાદરવા વદ ૩૦, શનિ, ૧૯૮૪ વિપત્તિ, વારુ, વિચારતાં, કાયા કોર્ટે દુઃખ સદ્ગુરુ બિન શા કામનાં, માયા સંપત્તિ સુખ. આ સંસારમાં જીવ અનાદિકાળથી અજ્ઞાન દશામાં બ્રાંતિપણે પરિભ્રમણ કર્યા કરે છે, પણ “હું કોણ છું? ક્યાંથી થયે? શું સ્વરૂપ છે મારું ખરું?” એવા વિચાર પ્રેરનાર કઈ સપુરુષને તેને વેગ થયું નથી. સંસારની અનિત્ય અને અસાર ઈન્દ્રવારણ જેવી વસ્તુની વાસનામાં આટલાં વર્ષ ખેયાં તે પણ જીવને સત્ય વસ્તુ પ્રત્યે પ્રેમ ન આવ્યું. તેનું કારણ, કે પુરુષની શોધ કરી સર્વ સંશય ટાળી પરમશાંતિ પ્રાપ્ત કરવાની જીવને જિજ્ઞાસા જાગી નથી, અને સસંગ સત્પરુષને યોગ મેળવી તેના બેધને વિચાર કરવા જીવ ગૂરણા નહીં કરે ત્યાં સુધી સાચે માર્ગ મળવો મુશ્કેલ છે. પાંચ ઇન્દ્રિયના વિષયે જીવને પ્રિય લાગ્યા છે તેથી ઇન્દ્રિયની ઈચ્છાઓ પૂરી પાડવા દેશપરદેશ ભટકી અનેક સંકટો વેઠી અથાગ પરિશ્રમ જીવ ઉઠાવે છે. એટલી જ જરૂર જો આ આત્માને જન્મ, મરણ, રોગ, વ્યાધિ, નરક, તિર્યંચના દુઃખમાંથી છેડાવવા માટે જણાય તે જીવ તે માટે પણ પુરુષાર્થ કરવા લાગે. પણ ઉપલક દૃષ્ટિએ જીવને નાટક જેમ પ્રિય લાગે છે પણ ધનને વ્યય, ઉજાગરો, કુસંગ અને કર્મબંધન તથા ટેવ પડી જાય તે મહા હાનિ થાય તે દેખાતાં નથી પણ વિચાર કરે તે જણાય, સમજાય તેમ છે; તેમ જ આ અસાર સંસારને સત્ય માની જીવ અનેક કષ્ટ માત્ર ધન મેળવવા ઉઠાવે છે અને ઘણાં હલકાં કામ કરે છે, તેને વિચાર કેઈ સરુ-સમાગમે થાય તે દૃષ્ટિ ફરતાં સત્ય વસ્તુ આ મનુષ્યભવમાં સમજી શકાય તેમ છે. મનુષ્યભવની તે સ્વર્ગના દેવો પણ ઇચ્છા કરે છે તેવો અમૂલ્ય અવસર પામી જીવ જે સંસારી સ્વાર્થી લોકેની પાછળ દેખાદેખી ગાડરની પેઠે વહ્યો જાય તે તેને ભવ પશુ સમાન ગણાય. પિતાને પાક વિચાર કરવાની શક્તિ ન હોય અને તે જેમ ન હોય તે પણ જીવ જે સદ્ગુરુએ જે જાયું છે તે માટે માન્ય છે અને તેની આજ્ઞાએ વતી મારે મારા આત્માનું કલ્યાણ કરવું છે એ દઢ નિશ્ચય કરી, પાપનાં – અનીતિનાં કાર્યથી ડરતો રહે અને સત્યરુષને સમાગમ, બેધ અને સેવાની ભાવના રાખી આટલે આવરદા – જીવનકાળ એ સાચા પુરુષને નિશ્ચય કરી તેને આશ્રય ગ્રહણ કરે તે પરમસુખનાં કારણની તેને પ્રાપ્ત થવા યોગ્ય છે. પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર દેવનાં વચને અમૃત સમાન છે. તેનું અવલંબન લઈ તે જ પુરુષ ઉપર દઢ Page #65 -------------------------------------------------------------------------- ________________ S બેધામૃત પ્રતીતિ થઈ જાય કે તેની આજ્ઞામાં જ આટલું જીવન ગાળવું છે, તે તે ભાવના પણ પરમ કલ્યાણકારી છે. મરણની કોઈને ખબર નથી. મોટા થઈને કે ઘરડા થઈને મરી જાય એમ બનતું નથી અને આ લાગ ખો તે મનુષ્યભવ, આર્યદેશ, ઉત્તમ કુળ અને ધર્મ પામવાની આવી જોગવાઈ મળવી મહા મહા દુર્લભ છે. કળિકાળ છે અને અસત્સંગથી જીવ ઘેરાઈ રહ્યો છે. તેમાં માત્ર પુરુષનાં વચનામૃત, રાસંગ અને ધર્મમાં વૃત્તિને વારંવાર જોડવાને પુરુષાર્થ જીવ સવેળા ચેતીને કરે તો તરવાનો ઉપાય કંઈક હાથ લાગે, નહીં તે આ ભવ હારી ગયા પછી શું થશે ? એ વિચારતાં ત્રાસ છૂટે એવાં આ કાળના જીવોનાં કર્મ જ્ઞાની પુરુષે જાણ્યાં છે. એવાં કર્મ ન હોય તો આ કાળે આવા ક્ષેત્રે જન્મ ન હોય. ડાહ્યા પુરુષે પિતાનું હિત કરવા અર્થે પુરુષની કઈ આજ્ઞા – રાગદ્વેષ તજવાની, સ્મરણમાં રહેવાની કે જે કઈ કરી હોય તેમાં ચિત્તને વારંવાર શેકવું પડ્યું છે. ૨૯ અગાંસમાગસર વદ ૧૩, ૧૯૮૫ દેહભક્ત જગમેં ઘણ, દેશભક્ત છે સૅક; દેવભક્ત જગમેં ઘણા, ગુરુભક્ત છે કેક. ચક્રવર્તીની સમસ્ત સંપદા કરતાં પણ મનુષ્યભવની એક પળ પણ વિશેષ મૂલ્યવાન છે. એવા મનુષ્યભવના રત્નખચિત આભૂષણ જેવા દિવસેના દિવસે ઉપરાઉપરી ચાલ્યા જાય છે, પણ જીવને તેને સદુપયોગ કરી લેવાનું સૂઝતું નથી એ વારંવાર વિચારવા જેવું છે. આવા ને આવા દિવસો સદાય રહેતા નથી એમ જાણ્યા છતાં, વૃદ્ધાવસ્થા, રેગ અને મરણનું અવશ્ય આવવું છે એમ જાણ્યા છતાં જીવને વિચાર સરખે નથી આવતે કે પૂર્વપુણ્યની કમાણીને લીધે અત્યારે આ મનુષ્યભવની પ્રાપ્તિ થઈ ઉત્તમ કુળમાં જન્મ થયે, ધારે તે ઘણે પુરુષાર્થ કરી શકે તેવી શરીર, મન, વચન, ધન, ધર્મ આદિની શુભ જોગવાઈ મળી છે. નીરોગ અવસ્થા અને જુવાનીની સાથે લગી જોગવાઈ ફરી ફરી પ્રાપ્ત થતી નથી. આ બધાં સાધને જે શુભમાર્ગમાં વપરાય તે પરભવનું હિત સાધી મોક્ષમાર્ગ પમાડે તેવું સમકિત પ્રાપ્ત થાય અને અનંત ભવનું પરિભ્રમણ ટળી જાય ને વધારેમાં વધારે પંદર ભવે તે અવશ્ય મોક્ષ થાય; નહીં તે તે જ ભવે કે બેચાર ભવે મોક્ષ થાય. કેવી સરસ કમાણી? પણ હજી પરિભ્રમણથી જીવ થાકયો નથી. ધર્મના માર્ગમાં વિદ્ધ કરનાર પાંચ ઇંદ્રિયેના વિષયેની સામગ્રીમાં આસક્તિ અને ક્રોધ, માન, માયા અને લાભનાં કારણોમાં હજી જીવને મીઠાશ લાગે છે. નાટક જેવું હોય તો આખી રાત્રિ જાગી ધન અને નેત્રને દુરુપયોગ કરવામાં પાછો ન પડે, પણ ભક્તિ, ભજન, મુખપાઠ, વાચન, વિચાર, સ્મરણ આદિ ધર્મકાર્યો કરવામાં આળસ થાય, ઊંઘ આવે, કંટાળે આવે અને પડતું મૂકે, કાલ થશે એમ મન વાળે, પણ કાલે મોત આવશે, રોગ આવશે, શિથિલપણું, ગાંડપણ અને અનેક આધિ, વ્યાધિ, ઉપાધિની જાળ ક્યારની કેટલી વાટ જોઈ રહી હશે તેને વિચાર આવતો નથી. બિલાડી વાસણમાં દૂધ ભરેલું દેખે છે પણ પાસે ડાંગ પડી છે તે દેખતી નથી, અને દેખે છે તો તેને ભાન નથી કે દૂધ પીવા જતાં કેડ ભાંગી જશે તે શી વલે Page #66 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૪૩ થશે? આ બધાં દષ્ટાંતોથી કહેવાનું એ કે પૂર્વની કેટલી કમાણી જીવ વાપરી નાખે અને ભવિષ્યના હિત માટે કંઈ પણ ન કરે તે કેવું ગણાય? જુવાનીમાં બાપનું રાખેલું ધન એઈ બેસનારને, વૃદ્ધાવસ્થામાં નવું કમાઈ શકે તેવું જોર નથી ને કંઈ સંઘરી રાખ્યું નથી તેને ભીખ, દુ:ખ, તિરસ્કાર સહન કરવાં પડે છે. તેવી આપણી દશા ન થાય, મનુષ્યભવ હારી ન બેસાય, નરક પશુના ભવમાં રખડવું ન પડે તે માટે અત્યંત કાળજી રાખવી ઘટે છે અને એ બધાથી ઉગરવાનો ઉપાય, કોઈ પુરુષે સંતસમાગમે બોધ દ્વારા જણાવેલું સાધન તથા પ્રતીત કરવા ગ્ય આપ્તપુરુષ પર દષ્ટિ નખાવી હોય તેના ઉપર સાંસારિક સર્વ વસ્તુ કરતાં વિશેષ પ્રેમ, પ્રતીતિ અને ભક્તિ કરવી એ સર્વોત્તમ ઉપાય છે. ૩૦. અગાસ, તા. ૧૮-૫–૨૮ તત સત વૈશાખ સુદ ૧૦, ૧૯૮૫ દુહ– ભેજન દેહ ટકાવવા, દેહ જ્ઞાનને કાજ; જ્ઞાન કર્મક્ષય કારણે, તેથ મેક્ષ સુખસાજ. અનુપ– ધન્ય જ્ઞાની મહાત્માને કૃતકૃત્ય કહાવિયા; વિનાશી દેહથી જેઓ, અવિનાશી પદે ગયા. મરણ સર્વને માથે દેખે નહીં કોનું રખવાળું દઢ વિશ્વાસ પ્રભુને રાખે, પ્રભુ છે પરમ દયાળું. આપને પત્ર ૫. ઉ. પ્રભુશ્રીજીને વંચાવ્યો છે છે. તેને ઉત્તર તેઓશ્રીજીએ નીચે પ્રમાણે લખાવે છે. બીજું પચખાણ સંબંધી આપ બને ભાઈઓએ દર્શાવ્યું છે તેના ઉત્તરમાં પરમ દયાળુ ભાવદયા સાગર પ્રભુશ્રીજીએ જણાવ્યું છે કે પરમોત્કૃષ્ટ ઉપકારી દેવાધિદેવ પરમકૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના ચિત્રપટ સન્મુખ ઊભા રહીને જે પ્રમાણે પચખાણ લેવા ધાર્યું હોય તે મનમાં ચિંતવી ત્રણ વાર નમસ્કાર કરી આજ્ઞા લઈ લેશે એટલે ભાવપચખાણ તમારે થયું. જેટલા વખત સુધીનું અને જેટલી વસ્તુઓનું જેમ લેવું હોય તે કાગળ કે નોટમાં નેંધી રાખશે અને ઉપગપૂર્વક પાળશે. અનાદિકાળથી આ જીવ સ્વચ્છેદે ચાલી અજ્ઞાનભાવમાં જ પરિણમે છે તેને પુરુષના સમાગમની અને અપૂર્વ બોધની જરૂર છે. પુરુષના બંધમાં જીવ રંગાય અને સ્વચ્છેદ છેડી તેની આજ્ઞાએ પિતાની વૃત્તિઓને કંઈ નિયમમાં આણે અને તે આજ્ઞા ઉઠાવવામાં પિતાનું અહેભાગ્ય માની ઉલ્લાસ લાવી વીર્ય ફેરવી વિદનેની સામે થઈ લીધેલા નિયમોમાં દઢ રહે તે કલ્યાણને માર્ગ પામવા જીવની જોગ્યતા જાગે. નિજ છંદે ચાલીને તે જીવે ઘણું વ્રત, નિયમ, સંયમ પાળ્યાં, પણ પુરુષની દષ્ટિએ તેની આજ્ઞાએ જીવ વત્યું નથી, નહીં તે આજ સુધી તેને પરિભ્રમણ કરતાં કરતાં આવા કળિકાળમાં આવા ક્ષેત્રમાં અને આવા ભાવ અને વિકારમાં પરિણમવાપણું ન હોય. સત્યરુષના બધે જીવમાં વિર્ય જાગે છે અને તેથી વિર્યના વેગમાં આવી જીવ વ્રત ગ્રહણ કરે છે. પણ તેવા જગ વારંવાર મેળવી તે વેગને પિષણ મળતું ન રહે તે જીવ હીનવીર્યવાળે થઈ શિથિલ પરિણામી થઈ જાય. માટે સત્સંગ, Page #67 -------------------------------------------------------------------------- ________________ બોધામૃત સપુરુષનાં વચનોનું બહુમાનપણું અને તેને અભ્યાસ, તેમાં જ ચિત્તની રુચિ, રમણતા અને તલ્લીનતા રહે તેમ કર્તવ્ય છે. વારંવાર જેમ આહાર, વિહાર, વૈભવના વિચાર આવ્યા કરે તેથી વિશેષ વાર અને વિશેષ ભાવે પુરુષનાં વચન, તેની મુદ્રા, તેની આજ્ઞાનું સ્મરણ રહ્યા કરે તે પુરુષાર્થ આ જીવે અવશ્ય કરવા જેવો છે. આ જીવે મહા મૂલ્યવાન નરભવ પામીને આજ સુધી કાંઈ આત્મકલ્યાણનું સાધન કર્યું નથી એ વારંવાર વિચારવા ગ્ય છે અને આવા ને આવાં શિથિલ પરિણામ અને સંસારભાવના વર્તતી હોય અને મૃત્યુ આવે તે કેવી દુર્ગતિમાં જીવને પરિભ્રમણ કરવું પડે તે પણ ભૂલવા જેવું નથી. આખા દિવસમાં આવતા વિચારોની એક નોંધ કરીએ તે આપણને જરૂર લાગશે કે આપણે પાંચ ઇદ્રિના વિષમાં જ હજી ડૂબી રહ્યા છીએ અને જે ઇદ્રિને જીતીને આત્માને બે હલકો કરે છે તે ઇન્દ્રિયોને તે આપણે ગુલામ જેવા બની ગયા છીએ. ખરી રીતે એ પાંચ ઈદ્રિયે તે જન્મમરણ કરાવનારાં કર્મબંધ પાડવામાં આગેવાન છે તેથી મહાપુરુષોએ તેમને વિષધર સાપની ઉપમા આપી છે. ઘરમાં સાપ હોય ત્યાં સુધી ઘરધણી નિશ્ચિતે ઊંઘતો નથી, તેને મરણને ડર રહ્યા કરે છે, તે આ તે પાંચે સાપને સેડમાં રાખી આપણે સુખી થવા ઈચ્છીએ છીએ તે કેમ બને? જ્યાં સુધી ઇન્દ્રિયે વશ ન થાય ત્યાં સુધી સુખે સૂવા યોગ્ય નથી. તેમાં પ્રથમ જીભ જીતવા ગ્ય છે. જે આહાર ભાણું વખતે આવે તે ઉપર તુચ્છ બુદ્ધિ રાખી, જેમ ગમે તેવો કચરો નાખી ખાડો પડેલો પૂરી દઈએ તેમ ભૂખ શમાવવા અને દેહ ટકાવવા પૂરતે આહાર લેવાની ટેવ પાડવી – એ પહેલી જરૂર છે. રસ માટે અને બળવીર્ય માટે કે જીભની લોલુપતા માટે આહાર નથી એમ જાણી નીરસ, સાદે, ભૂખ મટાડે તેટલે જ આહાર લેવાની ટેવ પાડવાથી તેની અસર બીજી ઇદ્રિ ઉપર પણ થશે, બ્રહ્મચર્ય પાળવામાં મદદ કરશે. જેવો આહાર તેવો ઓડકાર' અને જેવા ભાવ તેવા વિચાર. આમ ઇદ્રિયે જીતવા, આત્મહિત કરવા પચખાણ કરું છું એમ વિચારી હલકા, નજીવા, અશુભ વિચારેને મનમાં પ્રવેશ થવા દેવાની મનાઈ કરવી અને મન જે દુરિચ્છા કરે તેની સામે પડવું. તેને વશ થવું નહીં, પણ મનને વશ કરવા પ્રયત્ન કરે, પુરુષાર્થ કરે. એ જ. અગાસ ૩૧ પરમ પુણ્ય પવિત્ર ક્ષેત્ર શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમથી લિ. સપુરુષના ચરણકમલની સેવાને ઈચ્છક દાસાનુદાસ બાલ ગંવર્ધનના જયસદ્દગુરુ વંદન સ્વીકારશોજી. શ્રી આનંદઘનજીએ શ્રી ઋષભદેવ ભગવાનની સ્તવનામાં જણાવ્યું છે “ચિત્ત પ્રસન્ન રે પૂજનફળ કહ્યું, પૂજા અખંડિત એહ; કપટરહિત થઈ આતમ અપણા રે, આનંદઘનપદ રેહ ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરે રે.” ચોવીશીની આ ગાથામાં જે ચિત્તપ્રસન્નતા” કહી છે તે, તેમ જ કપટરહિત થઈ આતમ અરપણ” કહી છે એ બને ૫દ મુમુક્ષુ જીવાત્માને વારંવાર વિચારવા ગ્ય છે. એ Page #68 -------------------------------------------------------------------------- ________________ ૪૫ પત્રસુધા આખા સ્તવનના લગભગ સંપૂર્ણ ચિતાર પરમકૃપાળુદેવે પરમકૃપા કરી શ્રીમદ્ રાજચંદ્ર' પાન ૫૭૦થી ૫૭૪ સુધી વિસ્તારથી કર્યાં છે તે અવકાશે વિચારશેાજી. અત્રે માત્ર ચિત્તપ્રસન્નતા' ઉપર થોડું કંઈક લખવા ભાવદયાસાગર પૂ. પ્રભુશ્રીજીએ સૂચવેલ છે તે અનુસાર જણાવવું થાય છેજી. ઈશ્વરપૂજાનું ફળ બધું ચિત્તની પ્રસન્નતામાં સમાય છે એમ શ્રી આનંઘન મહારાજ જણાવે છે. તેના ઘણા ગહન અર્થ છે અને પરમપુરુષાની કૃપાદૃષ્ટિ થયે તે ફળ પ્રાપ્ત થાય તે મેક્ષ પછી દૂર નથી. પણ આપણી અલ્પમતિમાં, સમજમાં સહેલાઈથી આવે તેવા ઉપર ઉપરથી વિચાર કરીએ તે જણાશે કે ચિત્તની ચંચળતા, અસ્થિરતા એ જ દુ:ખનું કારણ જાય છે. ચિત્ત ચાતરફ્ માંકડાની પેઠે ફરતું છે તેના તે આપણુ સર્વને અનુભવ છે. “પગ મૂકતાં પાપ છે, જોતાં ઝેર છે, અને માથે મરણ રહ્યું છે; એ વિચારી આજના દિવસમાં પ્રવેશ કર” એમ પુષ્પમાળામાં કહ્યું છે તેનું કારણ પણ એ જ છે કે ચંચળ ચિત્ત રાતદિવસ કર્મ બાંધવાનું જ કારખાનું ચલાવ્યા કરે છે. રાત્રે ઊંઘમાં પણ તેનું જ કામ ચાલતું હાય છે. એ ચંચળતા શાથી થાય છે એ જણાય તેા શાથી દૂર થાય તે પણ જણાય. અને તે ટાળવાના ઉપાય કર્યે ચિત્તની પ્રસન્નતા થવી સંભવે છે. નવરા બેઠા નખાદ વાળે' એ કહેવત છે તે પ્રમાણે ચિત્તને કામ ન આપ્યું હાય તા નકામી કલ્પનાઓ કરી કર્મના ગાઢ ઢગલા ખાંધી દે છે. ઘડીકમાં ગામ સાંભરે ને ઘડીકમાં ભાઈ સાંભરે, તે ઘડીકમાં સ્ત્રી સાંભરે તે ઘડીકમાં મિત્રા સાંભરે અને શેખચલ્લીના તરંગાની પેઠે બેઠું બેઠું ચિત્ત ઘાટ ઘડ્યા કરે અને સંસારપરિભ્રમણની સામગ્રી એકઠી કરે છે. કાઈ વિચારથી ચિત્તમાં રતિ હર્ષ થાય અને કેાઈ વિચારથી ખેદ્ય થાય એ બન્ને કર્મબંધનાં કારણેા છે. આમ જો ચિત્તના ચાપડાના હિસાબ ન રાખીએ તેા શું કમાવા ગયા અને શુંય કમાવી આવીએ ? માટે રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લેાશ, માન, માયા આદિને આધીન થઈ નકામા વિચારમાં ચિત્ત પરોવાઈ જતું હાય; નહીં લેવા કે નહીં દેવા, જેની આપણે કઈ દિવસ જરૂર નથી એવી વસ્તુએ દેખીને, સાંભળીને, ઇચ્છા કરીને કર્મ બાંધીએ તેમ ચિત્ત વર્તતું હાય તેથી ચેતતા રહેવું ઘટે છેજી. વેપારધંધા માટે ખાટી થવું પડે તે જુદી વાત, પણ નકામા વખત ઘણા વહી જાય છે તેને હિસાબ અનાદિના અધ્યાસને લઈને રહેતા નથી અને કેાઈને રાજી કરવામાં કે કાઈથી નજીવી ખાખતામાં રાજી થઈ જીવ સંસારપ્રવાહમાં તણાતા જાય છે. ત્યાંથી અટકી પૈસેપૈસાના હિસાબ રાખીએ તેમ પળેપળ અને કલાકેકલાકને હિસાબ રાખવા ઘટે છે. પણ તેથી કરીને ખેદ કરવા ઘટતા નથી કે મારાથી કંઈ થતું નથી, હું કુટુંબથી દૂર છું, એકલા છું, સારી સેાખત નથી, મારાથી શું થાય ? મારે બહુ કામ છે એમ વિચારી પુરુષાર્થ મંદ કરવા ઘટતે નથી, તેમ ખેદ શેક પણ કરવા ઘટતા નથી. પણ એમ વિચારવું ઘટે છે કે પૂર્વે ખાંધેલું પ્રારબ્ધ મને આ સ્થળે લાગ્યું છે, અને આ લેાક, આ ગામ, આ ઝાડ, આ ખારાક અને આ પાણીનું પ્રારબ્ધ હશે તે તે આવી મળ્યું છે; તેમાં મારું ધાર્યું શું થાય છે? કર્યું આધીન સર્વે જગત છે. જે પ્રાણીને કર્મે શીંગડાં આપ્યાં તેમને શીંગડાંના ભાર માથે લઈ ને ફરવું પડે છે. કોઈ ને સૂંઢ, કાઈ ને કેશવાળી Page #69 -------------------------------------------------------------------------- ________________ બધામૃત તે કઈને કાંટા જેવાં સિળિયાં લઈને ફરવું પડે છે. તેમ આ ભવમાં જે પ્રારબ્ધ અનુસાર સગાં, સંબંધી, બુદ્ધિ, બળ, રૂપ, ધન, વૈભવ પ્રાપ્ત થયું હોય કે થાય તે વિષે હર્ષ કે ગર્વ વા શેક કે ખેદ કર્તવ્ય નથી. પણ જેમ રેતીમાંથી કાચ બનાવનાર કે ચીથરોમાંથી કાગળ બનાવનારા પ્રાપ્ત વસ્તુને સારે ઉપયોગ કરે છે, તેમ આપણને જે સામગ્રી મળી તેથી આ ભવ અને પરભવ સુધરે તે પુરુષાર્થ કરે; પણ આશા, તૃષ્ણ અને વાસનાની જાળમાં ગૂંચાઈ રહેવું નહીં. થવાનું હશે તે થશે. બનનાર તે ફરનાર નહીં ને ફરનાર તે બનનાર નહીં, એમ વિચારી નકામી ચિતના અમૂંઝણ જીવે દૂર કરવાં, ને મરણ વખતે કંઈ કામ લાગવાનું નથી એમ વારંવાર સંભારવું. ગમે તેવાં સગાં હોય કે ગમે તેટલા પૈસા હોય, સુખવૈભવની સામગ્રી ગમે તેટલી હોય પણ તે મરણ આવતું અટકાવે તેમ નથી. મરણ આગળ સર્વ અશરણ છે. એ બધાંને છેડીને એક વાર જવાનું અવશ્ય છે તે આ નાશવંત વસ્તુ માટે હાયય કરી નકામે જીવ બાળ તેનાં કરતાં મનમાંથી માંડી જ વાળ્યું હોય કે જેમ થવું હોય તેમ થાઓ, તે અમુક કલાક કામ કરવાનું છે તે કરી છૂટ્યો. હવે શી પંચાત ? પુણ્યને ઉદય હશે તે વગર બોલાવ્યું જેમ રોગ આવે છે તેમ નફે સુખ-સામગ્રી પણ આવશે અને પાપને ઉદય હશે તે ચોમાસામાં વરસાદ અચાનક આવે તેમ ગમે ત્યાંથી દુઃખ આવી પડશે. એ જ્યારે જાય? ક્યાંથી આ આવ્યું? આમ કર્યું કાંઈ તે જવાનું નથી અને કહીએ કે આવવું હોય તેથી વધારે ભલે આવે તે કંઈ વધારે આવનાર નથી, તે પછી સમતા રાખી જે આવી પડે તે સહન કરવું યેચ છે. ધર્મ કરે તે છે, પણ વચ્ચે કામધંધાથી વિબ આવતું હોય તો તે કામ પણ કરી લીધે છૂટકે. જે આડે આવે તે કેરે કરવું પડે, પણ લક્ષ ન ચૂકવો કે આ મનુષ્યભવ અમૂલ્ય છે અને અનંત પુણ્યસંચય થવાથી પુરુષે પ્રરૂપે ધર્મ સમજવાને, આદરવાને લાગ આવ્યા છે તે જેમ મોસમમાં આપણે કમાઈ લઈએ છીએ તેમ મનુષ્યભવ અને યુવાવસ્થા તથા નવરાશને વખત એ ધર્મસાધન કરવાની ઉત્તમ મોસમ છે. કંઈ ન આવડે તે મંત્રસ્મરણ, મોઢ કરવા આજ્ઞા મળી હોય તે ગેખવાનું કે વિચારવાનું કે વાંચવાનું કરવાથી બીજાં કર્મ બંધાતાં અટકશે અને નિર્જરાનું કારણ થશે. કેઈ મોસમમાં ધર્મને માટે એ છ વખત મળે તો પણ કોઈ પ્રકારે ખેદ ન કરે. ભાવ એવો રાખવે કે અપૂર્વ અવસર એવો ક્યારે આવશે?” અને બને તેટલું કરવું. પણ જ્યારે નવરાશને જોગ બને ત્યારે પ્રમાદમાં વખત ન જાય તે સાચવવાને લક્ષ રાખ ઘટે છેજ. તળાવમાં પથરા પડવાથી જેમ ખળભળાટ થાય છે તેમ ચિત્તમાં રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લેભ, કામ, મેહ, ભય આદિથી ચિત્તની શાંતિને નાશ થાય છે. આ બધાં કારણે ચિત્ત-પ્રસન્નતાને વિદ્ધ કરનારાં છે અને ચાર ભાવના – મૈત્રીભાવના, પ્રમોદભાવના, કારુણ્યભાવના અને ઉપેક્ષાભાવના વગેરે રસ્તે એ દે દૂર થઈ ચિત્ત પ્રસન્ન કે નિર્મળ, ચંચળતારહિત થાય છે. એક વખત આ ચિંતા કરાવનારી વસ્તુઓ તજવાની છે તે તેનું સ્વરૂપ પહેલેથી જાણી તેની ચિંતા મનમાંથી કાઢી નાખવી. “કરના ફકીરી કયા દિલગીરી, સદા મગન મન રહેનાજી, અબધુ સદા મગન મન રહેના” એ ભાવ વારંવાર વિચારવાથી આત્મસ્વભાવમાં રહે. ચિંતાને ભાર હલકો થઈ શાંતિસમાધિ પ્રાપ્ત થઈ શકે. Page #70 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૩૨ અગાસ, તા. ૧૬–૯-૨૯ તત ૩૪ સત ભાદરવા સુદ ૧૩, ૧૯૮૫ દુહા- સત્ય વચન સુસંતનાં, જાગ્રત કરે સચેત ગ્રહી શરણુ ગુરુરાજનું, ચેત! ચેત! નર, ચેત ! અનુટુપ રાગ દ્વેષે મમત્વે મેં, હા ! જે જીવ વિરાઘિયા ક્ષમા ઘો મુજને તે સૌ, હુંયે વૈર તનું સદા. દુહો– કર્મ મોહનીય જાણી લે, સર્વ દુઃખનું મૂળ; સદ્દગુરુ શ્રદ્ધા આવતાં, સર્વ થાય અનુકૂળ. પરમ કારુણ્યમૂર્તિ પૂજ્યપાદ પ્રભુશ્રીજીની શરીરપ્રકૃતિ વૃદ્ધાવસ્થા તથા રગવિશેષને લઈને નરમગરમ રહ્યા કરે છે તે પણ પરમાર્થમાર્ગમાં યુવાનના અગ્રેસરને પેશ્ય પુરુષાર્થ ફેરવી સર્વ જીવો ઉપર બેધવૃષ્ટિ વરસાવી નિષ્કારણ કરુણા કરી રહ્યા છે. મુમુક્ષજીવને એટલે જેને આ સંસાર અસાર સમજાય છે અને આયુષ્ય આદિ કર્મ પૂરાં કરવા પ્રત્યે જેનું લક્ષ છે પણ કોઈ પણ પર પદાર્થમાં ઈષ્ટબુદ્ધિ કે મમત્વબુદ્ધિ રહી નથી તેવા જીવને ક્યાંય ગોઠતું નથી. “છૂટું, છૂટું જ” એવું રટણ જેને રહ્યા કરે છે તેને નવાં કર્મ બાંધવાનું કંઈ પ્રયજન રહ્યું નથી. “પ્રીતિ અનંતી પર થકી, જે તોડે છે તે જોડે એહ, પરમપુરુષથી રાગતા, એકત્વતા હે દાખી ગુણગેહ –ષભ” આવી દશા ક્યારે પ્રાપ્ત થાય? એ મુમુક્ષુતા કેમ પ્રગટે? સંસાર ઉપરથી આસક્તિ ઊઠી છે? આ બધા પ્રશ્નો વિચાર મનુષ્યભવની સફળતાને માર્ગ પામવા વિશેષ પુરુષાર્થ અને વૈરાગ્યની વૃદ્ધિ પુરુષની દૃષ્ટિએ સાધવા યોગ્ય છે. સત્પરુષને સમાગમ અને સપુરુષનાં વચનામૃત જીવને અવશ્ય ઊંચે લાવે છે, વૈરાગ્યનું દાન દે છે, પરમ પુરુષાર્થ જગાડે છે. બીજા શબ્દોમાં કહીએ તે મડદાને જીવતાં કરે છે. જ્યાં સુધી મોક્ષમાર્ગની પ્રાપ્તિ અને નિઃશંકતા નથી થઈ ત્યાં સુધી સર્વ પ્રાણ હાલતાં-ચાલતાં મડદાં જ છે, અને જેને સમ્યકત્વની પ્રાપ્તિ છે તેના ગુણગ્રામ કોણ ગાઈ શકે? પરમકૃપાળુદેવે ગાયું છે “વ્રત નહીં, પચખાણ નહિ, નહિ ત્યાગ વસ્તુ કેઈને; મહાપદ્મ તીર્થંકર થશે શ્રેણિક ઠાણંગ જોઈ લે.” પ્રમાદે આ જીવનું ભૂંડું કરવામાં બાકી રાખી નથી. તે પ્રમાદને દૂર કરવા પુરુષનાં વચને શૌર્ય પ્રેરે છે. જીવ નિમિત્તાધીન છે. ક્ષણે ક્ષણે વૃત્તિ નિમિત્તને લઈને ફરી જાય છે માટે અશુભ નિમિત્ત તજી શુભ નિમિત્તોને જેગ જેમ બને તેમ કર્તવ્ય છે. પગ મૂકતાં પા૫ છે, જેમાં ઝેર છે અને માથે મરણ રહ્યું છે,” એમ વિચારી અશુભ નિમિત્તોને દૂરથી તજી સત્સંગી – આત્માર્થી– સમસ્વભાવી ભાઈઓને સમાગમ વિશેષ રાખી સત્પરુષનાં ગુણગ્રામ, તેની નિષ્કારણે કરુણાની ચિંતવના, તેનાં વચનેને મુખપાઠ, ઉત્તમ અપૂર્વ અવસરની Page #71 -------------------------------------------------------------------------- ________________ ૪૮ મેધામૃત ભાવના, સંસારની અસારતાની ચર્ચા, ભક્તિ, સ્મરણ, સ્વાધ્યાય આદિ શુભ નિમિત્તો એકલા કે સમૂહપ એકાંતમાં સેવવા યેાગ્ય છેજી. આત્મહિતનાં સર્વ સાધના નિરભિમાનપણે, સત્પુરુષને મુખ્ય રાખીને તેના અનન્ય શરણે સેવવા યાગ્ય છે. બાળા ધમ્મો, આર્િ તવો” એ આજ્ઞારૂપ ધર્મ જેટલા ખજાવાય તેટલેા આ ભવમાં લહાવા લેવા યાગ્ય છેજી. પર્યુંષણુપર્યં અત્રે નિર્વિઘ્નપણે તપસ્યા, ભક્તિ, સ્મરણ, સદ્ગુરુકૃપાથી શાંતિભાવે થયાં છે. ૐ શાંતિ: શાંતિ: શાંતિ: ૩૩ દેહરા— અવલંમન ગુરુરાજનું, એ અમ એથ સમર્થ; રાજપ્રભુને આશરે,સરે મેાક્ષના અર્થ. અગાસ, તા. ૧૫-૧૧-૨૯ કાર્તિક સુદ ૧૪, ૧૯૮૬ દેહાદિ સંબંધી જે પુરુષા હવિષાદ કરતા નથી, તે પુરુષ પૂર્યું દ્વાદશાંગને સંક્ષેપમાં સમજ્યા છે, એમ સમજો. એ જ દૃષ્ટિ કર્તવ્ય છે.” (૮૪૩) આ પરમગુરુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુનું વચનામૃત હૃદયમાં અખંડ જાગ્રત રહા એ ભાવના કર્તવ્ય છે. દેહત્યાગ પહેલાં દેહભાવ ત્યાગવાના છે. દેહાધ્યાસ છૂટી ગયા પછી સ્થૂલ દેહ ગમે ત્યારે છૂટે તેની ફિકર નથી. સ દેહથી રહિત અસંગ, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, જન્મજરામરણરહિત, શુદ્ધ ઉપયેાગસ્વરૂપ, તે સ્વરૂપની સ્મૃતિ, પ્રતીતિ અને સ્વરૂપનું પરિણામ જે પુરુષાને વર્તે છે તે કૃતાર્થ પુરુષોને ધન્યવાદ છે ! તે જ પરમગુરુની આજ્ઞા છે. તે સહજ સ્વરૂપનું આરાધન થયું તેને જ સમાધિમરણુ કહેવાય છે; અને તેણે જ સદ્ગુરુની આજ્ઞા આરાધી. અને જે સહજ સ્વરૂપથી વિમુખ છે અથવા જેને ભાન નથી તેણે આજ્ઞા આરાધી ન કહેવાય. આવા અમૂલ્ય મનુષ્યદેહ જે દેહ વડે એક સત્પુરુષની આજ્ઞા આરાધવી એ જ કર્તવ્ય છે, તે તેણે ન આરાધી તે તે દેહ નિષ્ફળ છે. આ દેહની સ્થિતિ જેટલી છે તેમાં એક સમયમાત્ર વધવાના નથી. જે સમયે આ દેહ છાડવા છે તે સમયને કેાઈ દેવ કે દેવાધિદેવ પશુ ઓળંગવા સમર્થ નથી. જેટલા શ્વાસેાશ્વાસ ખાંધ્યા છે તે પૂરા થયે આ દેહ તત્કાળ મૂકવા પડશે. પછી અજ્ઞાન દશાએ કરીને દેહાત્મબુદ્ધિ રાખે અને આખા જગતના ભાર માથે રાખે તે તેનું તે જાણે, સર્વજ્ઞ ભગવાને તેમના જ્ઞાનમાં જોયું છે કે આ આત્મા ત્રણે કાળ એકલા જ છે, એકલેા આવ્યા છે અને એકલેા જશે. સર્વ દ્રવ્યથી ન્યારા, સર્વ ક્ષેત્રથી ન્યારા, સર્વ કાળથી ન્યારા અને સર્વ અન્ય ભાવથી ન્યારા એવા પરમ જ્ઞાન જ્યાતિસ્વરૂપ સ્વપર-પ્રકાશક આત્મા જ્ઞાનીઓએ અનુભવજ્ઞાનથી જોયા છે, તે વાત ત્રિકાળ સત્ય છે, સત્ય છે, સત્ય છે. આપણે બધાએ યાદ રાખવાનું એ છે કે શારીરિક પતિવ્રતાપણું (બ્રહ્મચર્યું — શીલ) તે દેવગતિનું કારણ છે અને પરમગુરુને વિષે એકનિષ્ઠાએ જે નિઃશંકપણે પતિવ્રતાપણું છે તે પરમપદનું કારણ છે. તે નિઃશંકતા આદિ સમ્યક્ત્વનાં આઠે અંગ વારંવાર વિચારી તે ભાવનાએ વર્તવા ચેાગ્ય છે. તે આઠ અંગ નીચે પ્રમાણે છે— Page #72 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા સમ્યદર્શનનાં આઠ અંગ ૧. નિશકિતપણું – હિંસામાં ધર્મ હશે કે અહિંસામાં ? ક્ષણિકવાદ સાચો હશે કે નિત્યવાદ? ઈત્યાદિ શંકાઓ તજી સ્યાદ્વાદ અને સર્વજ્ઞ વીતરાગ વિષે નિઃશંકપણું તે પ્રથમ અંગ છે. ૨. નિષ્કાંક્ષિતપણું – આ લેક પર લેકમાં ઇન્દ્રિયનાં સુખરૂપ ફલની ઈરછા વિના ધર્મનું આરાધન કરવું, નિયાણું, તૃષ્ણ, આશા, વાસના ન રાખવી તે બીજું નિષ્કાંક્ષિત અંગ છે. નિસ્પૃહા, નિર્મોહીપણું એ ટૂંકામાં બીજું અંગ છે. ૩. નિર્વિચિકિત્સા – રેગી વૃદ્ધ આદિ ધર્મમૂર્તિરૂપ સપુરુષની સેવા કરે પણ ગ્લાનિ, સૂગ, દુર્ગાછા ન આણે નમ્રપણું, મલિનપણું આદિ ધર્માત્માનાં અંગના ધર્મસૂચક લક્ષણેને દૂષણરૂપ ન ગણવાં, પણ પિતાના દેષ પ્રત્યે અણગમે રાખી તે દોષ દૂર કરે તે નિર્વિચિકિત્સા નામે ત્રીજો ગુણ છે. ૪. અમૂઢદષ્ટિ – રેવતી શ્રાવિકાની પેઠે કુદેવ, કુગુરુ આદિ ઇંદ્રજાલિયા ચમત્કાર કરનારથી ઠગાય નહીં, ભ્રાંતિમાં ન પડે, હિંસામાં ધર્મ ન માને, લૌકિક ધર્મ-યાત્રા, ક્રિયા આદિ–માં ગાડરિયા પ્રવાહ ન જોડાય, શીતળા, પીંપળા, દરિયા આદિ ન પૂજે. લૌકિક પર્વ, ઉત્સવમાં ધર્મ ન માને. રાગ-દ્વેષ-અજ્ઞાનથી રહિત તે દેવ, હિંસારહિત સર્વજ્ઞ ભગવાને બધે તે ધર્મ અને નિર્ગથ જ્ઞાની ગુરુની માન્યતા રાખવી તે અમૂહદષ્ટિ નામે ચોથું અંગ છે. ૫. ઉપગૃહન – પિતાના ગુણની પ્રશંસા ન કરે, પણ સદ્ગુણ પ્રાપ્ત કર્યા કરે, પરના દોષ ઢાંકે, પિતાને દોષ લાગ્યા હોય તેનું સદ્ગુરુ સમક્ષ આલેચના સહિત પ્રાયશ્ચિત્ત લે, પિતાની નિંદા કરે અને પરની નિંદા તજે, સદ્ગુરુના ગુણ ગાય તે ઉપગૂહન નામનું પાંચમું અંગ છે. ૬. સ્થિતિકરણ – ધર્મમાંથી ચળી જતાં, ડગતાને ધર્મમાં સ્થિર કરવા ઉપદેશ, આહાર, ધન, સેવા, દવા વગેરેથી સંકટમાં સહાય કરે. ધર્મત્યાગ કરાવનારાં નિમિત્તે કારણે દૂર કરે. પિતે ધર્મથી ડગે નહીં. સ્થિરતા ગુણ, ધૌર્ય, સહનશીલતા, ખમી ખૂંદવું, વિકલ્પમાં ન તણાવું એ સ્થિતિકરણ નામે છઠું અંગ છે. ૭. વાત્સલ્યતા – ગાય જેમ નવા જણેલા વાછડા ઉપર પ્રેમ રાખે તે ભાવ જિનમાર્ગ અને સન્માર્ગે ચાલનાર સમકિતી, વતી, મુનિ, આફ્રિકા આદિ પ્રત્યે રાખે. તન, મન, ધન, ધર્મ અર્થે જાણે તે વાત્સલ્યતા નામે સાતમું અંગ છે. ૮. પ્રભાવના – સત્યમાર્ગને ઉદ્યોત કરે. વિદ્વત્તાથી, તપથી, અભ્યાસથી, સદાચારથી તથા જિનમંદિર, પ્રતિષ્ઠા, તીર્થયાત્રા, લહાણુઓ વગેરે વડે ધર્મને મહિમા વધારે તે પ્રભાવના નામે આઠમું અંગ છે. ઈમ્ શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, માગશર સુદ ૮, ૧૯૮૬ દુહા- બડે ભાગ્યસે હોતા હૈ, સાચે સંતક સેવ; તિન પર તુરત હી રઝશે, પરમ કૃપાળુદેવ. ૧ Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫૦. " બોધામૃત સદ્ગુરુ સ્વરૂપ સદા સુખદ, શ્રવણ મનનને યોગ્ય; અભ્યદય સંપત્તિ સહિત, આપે આત્મ-આરોગ્ય. ૨ આ જીવે મનુષ્યભવનું જીવન શા અર્થે છે તે વારંવાર વિચારવા ગ્ય છે. જ્ઞાની પુરુષેએ ગૃહસ્થાશ્રમમાં રહેલા ધર્માત્મા ને ચાર પ્રકારે પુરુષાર્થ કરવાનું જણાવ્યું છે. તે પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ચાર પુરુષાર્થમાં ધર્મ પહેલે મૂકયો છે તેનું કારણ એ છે કે અર્થ અને કામ એવા હોવા જોઈએ કે જેનું પરિણામ ધર્મ થઈને ઊભું રહે. આ સંબંધી વિશેષ વિચાર અને તેનું સ્વરૂપ સત્સમાગમથી સમજવા યોગ્ય છે. ટૂંકામાં ન્યાય, નીતિ અને પ્રામાણિકતાથી ધનની પ્રાપ્તિ કરવી, તે પણ ધર્મને અર્થે. આજીવિકા અર્થે ધનનું ઉપાર્જન કરવું થતું હોય તે પણ દેહ જેને ધર્મને અર્થે છે તેને તે દેહને નિર્વાહ થવાને અર્થે ધનનું ઉપાર્જન કરવું તે પણ ધર્મને અર્થે થયું. આત્માની અંતર્વિકલવૃત્તિ દૂર કરી શાંત ભાવમાં પરિણામ પામવાને અર્થે કામાદિ પરિણામ થતાં હોય તે દૂર કરી શાંતિપરિણામ એટલે સર્વ વિભાવથી રહિત થવાને અર્થે અને સદ્ગુરુની આજ્ઞાએ પ્રવર્તવાને અર્થે, દુરાચાર એટલે સાત વ્યસન અને અભક્ષ્યાદિને ત્યાગ કરી જે આત્માથી જીવોની કામાદિકમાં પ્રવૃત્તિ રહે છે તે ખેદ સહિત રહે છે. ખેદ સહિત વૃત્તિની વિકળતા દૂર કરવી તે પણ પરિણામે ધર્મ જ નીપજે. એટલે ધર્મ જેનું મૂળ છે તેવા અર્થ અને કામ અમુક ભૂમિકા સુધી આત્માર્થી જીવને પણ રહે છે. તે સર્વનું પરિણામ ધર્મ હોય તે મનુષ્યભવનું સાર્થક થયું ગણાય. તે ધર્મની પ્રાપ્તિ ધર્માત્મા પાસેથી થાય છે, આટલું નિઃશંક માનવું. આત્માનુભવી, પ્રગટ આત્મ-અનુભવમાં, શુદ્ધ ઉપયોગમાં જે નિરંતર રહે છે એવા પુરુષની આજ્ઞાએ જીવન પૂર્ણ કરવું તે સાર્થક છે. આ દેહ વડે કરવા યોગ્ય એક જ કાર્ય છે કે પ્રગટ બોધમૂર્તિ, જ્ઞાનાવતાર સદ્ગુરુની આજ્ઞાએ પ્રવર્તવું અને તેને ચરણકમલમાં સર્વભાવની અર્પણતા કરી નિઃશંકતા ધારણ કરવી. સદ્દગુરુને વિષે અને તેના બોધને વિષે અપૂર્વ ભાવ અને ત્યાં જ પરમ ઉલ્લાસ રહે અને તેમાં નિરંતર આત્માની વૃત્તિ જોડવી તેને જ્ઞાની પુરુષોએ પરમ ધર્મ કહ્યો છે. | # શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૩૫. અગાસ, તા. ૫-૪-૩૦ ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહે રાજી રહે.” મનુષ્યભવ વ્યર્થ ન જાય તે માટે સત્પરુષને કોઈ મંત્ર કે બેધ પ્રાપ્ત થયું હોય તેનું વારંવાર કાળજીપૂર્વક સ્મરણ કર્તવ્ય છે”. “ક્ષણ ક્ષણ જતાં અનંતકાળ વ્યતીત થયે છતાં સિદ્ધિ થઈ નહીં,” આમ પુષ્પમાળામાં પરમકૃપાળુદેવે આ મેહનિદ્રામાં ઊંઘતા જીવને જાગ્રત કરવા અર્થે જણાવ્યું છે, તે લક્ષમાં લઈ પુરુષ મળ્યા પહેલા કાળ અને પછીના કાળમાં કંઈ ભેદ પડે તે પુરુષાર્થ કર્તવ્ય છે. કુંદકુંદ સ્વામી અષ્ટ પાહુડીમાં જણાવે છે કે જીવે જ્યાં સુધી સમ્યકત્વની પ્રાપ્તિ કરી નથી ત્યાં સુધી તે જીવતું મડદું છે. તે જ પરમ અર્થને પરમકૃપાળુદેવે આપણા જેવા બાળ જીવોને સમજ પડે તેમ ભાવમરણ” રૂપે કહ્યો છે. જેટલી ક્ષણે પુરુષના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં લક્ષ આપ્યા વિનાની જાય છે, તે સર્વ ક્ષણે ભયંકર Page #74 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા સંસાર ઊભે કરાવનાર મરણ સમાન છે, તે જ ખરું મરણ છે. આયુષ્યને અંતે મરણ છે તે તે સમજુ છવને મહોત્સવ સમાન છે. જીવતાં પુરુષ કે તેને વિશ્વાસ કરનાર જીવતાં છે. સમયે સમયે મરણું સંભારી સંસાર પરથી આસક્તિ ઓછી કરી પરમાત્મભાવ માટે પરમપુરુષને શરણે પુરુષાર્થ કર્તવ્ય છે. “આતમ ભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે.” ૩૬ અગાસ, ચૈત્ર વદ ૭, ૧૯૮૬ દેહા – સંત-શિરોમણિ સદ્ગુરુ, કૃપાળુદેવ દયાળ; વંદું વળી વળી આપને, કર અંજલિ નિજભાલ, ન્યાય-નીતિના તત્ત્વ શું, પ્રમાણિકતા સાર; પ્રમાણિક પ્રવૃત્તિથી, પામે દુખને પાર. પાઘડીને છેડે કસબ” એવી કહેવત છે તેમ અનાદિકાળના પરિભ્રમણમાં આ મનુષ્યભવ પ્રાપ્ત થયા છે તે મહા દુર્લભ વસ્તુ છે. તેની કિંમત જીવને સમજાઈ નથી તેથી ગમે તેમ આ જિંદગીની અમૂલ્ય પળે જીવ વેડફી ઉરાડી દે છે. તેમ ન બને માટે પરમકૃપાળુદેવે પ્રથમ જ પુષ્પમાળા-૬૫માં જણાવ્યું છે કે “વખત અમૂલ્ય છે, એ વાત વિચારી આજના દિવસની ૨,૧૬,૦૦૦ વિપળને ઉપયોગ કરજે.” વળી એક પત્રમાં પણ જણાવ્યું છે કે ચક્રવર્તીની સમસ્ત સંપદા કરતાં મનુષ્યભવને એક સમય વિશેષ મૂલ્યવાન છે, પણ જો તે દેહાથે ગાળવામાં આવે તે ફેટી બદામની કિંમતનો પણ નથી. આટલે બધો ભાર દઈને તે પરમકૃપાળુ પ્રભુએ આપણને ચેતાવ્યા છે કે પૈસા પાછળ ચિત્ત દોડાવી પશુ સમાન જીવન ગાળવું સમજુ માણસને પાલવે તેમ નથી. ઉપર જણાવ્યું છે તેમ રત્નચિંતામણિ જેવી ૨,૧૬,૦૦૦ વિપળને વેપાર દરરેજ આ ભવમાં મનુષ્યને કરવાનું છે, તે તેની આગળ લક્ષાધિપતિને પણ હિસાબ નથી. મોક્ષનું સાધન કરવા અર્થે આ મનુષ્યભવ છે એમ જેને સમજાયું હોય તેને નકામે વહી જતે કાળ કેટલે વસમું લાગે ? લાખો રૂપિયા વેપારમાં જેને ખેટ આવી હોય અને જેમ ખાવું, પીવું, ગમ્મત કરવી તેને ન ગમે તેમ જેના દિલમાં વૈરાગ્યની જાગૃતિ હોય તેને આ મનુષ્યભવ કેવા પ્રકારે ગાળ જોઈએ અને કેવી રીતે આજ સુધી કાળ વહ્યો ગયે અને હવે કેમ તેનો દુરુપયેગ ઘટાડવો તેની ચિંતવનામાં તેને તુચ્છ ઇક્રિયાધીન સુખમાં કેમ ગોઠે? કેમ આ ઇંદ્રજાલ જેવા ઠગારા જગતમાં ગમ્મત લાગે? વ્યસનને વશ થયેલે કેઈ નગરશેઠને દીકરે જુગાર આદિ ગુનામાં પકડાયેલ હોય અને પિલીસના હાથમાંથી છૂટી શકે તેમ ન હોય તે પણ તેને બાંધીને કચેરીમાં લઈ જતાં જેવી શરમ આવે અને પિતાના બાપનું નામ વગેવાય છે એમ જેમ લાગે છે તથા વિચાર કરે છે કે અહ, મારે ત્યાં લાખો રૂપિયા છતાં આવી ભિખારી જેવી મારી દશા મને છાજતી નથી, તેમ વિચારણું જેને જાગી છે, પિતાનું ભાન જેને થયું છે તે સદ્ગુરુને કૃપાપાત્ર શિષ્ય એ જ વિમાસણમાં રહે છે કે અહે, મારું શુદ્ધ સ્વરૂપ તે પરમકૃપાળુ પરમાત્માએ જણાવ્યું છે તેવું કેવળજ્ઞાન, કેવળદર્શન, ક્ષાયક સમ્યકત્વ આદિ અક્ષય અનંત ગુણવાળું છતાં મારી કેવી મૂર્ખાઈ કે ભિખારીની પેઠે પાંચ ઇંદ્રિયને વશ થઈ અનેક જન્મમરણનાં Page #75 -------------------------------------------------------------------------- ________________ બધામૃત મૂળ સમાન મિથ્યાત્વની કચેરી તરફ તણું જાઉં છું? મારું કુળ કેણ? મારે કેમ વર્તવું યોગ્ય છે? હવે આ સ્થિતિમાંથી કેમ છુટાય? વગેરે વિચારે દ્વારા તે પિતાની સ્થિતિનું, પિતાના નિજઘરનું ઓળખાણ કરી પરવસ્તુથી અણગમો રાખી, નછૂટકે પરકથા અને પરવૃત્તિમાં ચિત્ત દે છે, નહીં તે તેને ભાવ તે સદાય નિરંતર ઘેર જવાને રહે છે, ઘરભેગો થવાને રહે છે તેમ મુમુક્ષુ જીવનું ચિત્ત મેક્ષના સાધનમાં અને મોક્ષની પ્રાપ્તિની શોધમાં જ સદાય લાગ્યું રહે છે. તે માર્ગદર્શકને શોધી તેણે કહેલે માર્ગે ચાલવા સદાય તે તત્પર હોય છે. તેમ આપણે પણ સદ્દગુરુ, તેનાં વચન અને તે વચનના આશય ઉપર પૂર્ણ પ્રેમ રાખી જેટલો પુરુષાર્થ પુરુષની આજ્ઞાએ આ મનુષ્યભવ સફળ કરવા માટે થાય તેટલે કર્તવ્ય છે. તા. ક. – પૂ.... વગેરે ભાઈઓને આ પત્ર વંચાવશે અને મરણ માથે છે એમ જાણી સદ્ગુરુનાં આપેલાં સાધન-સ્મરણ ક્ષમાપનાદિ સત્સાધનમાં જેટલો વિશેષ કાળ જાય તેમ વર્તવા વિનંતી છેછે. ૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૩૭. અગાસ, તા. ૨૫-૭-૩૦, શુક્ર જીવને નીચે ઢાળે ઢળવાનું બહુ ગમે છે. અનાદિકાળથી બાહ્ય પ્રવૃત્તિમાં જ – પાંચ ઇકિયેના વિષયમાં જ – રસ લેતે આવ્યા છે તે પડી મૂકી, પુરુષ દિને જય કરીને મનને સદ્ગુરુને શરણે રાખવા કહે છે તે કરવું મુશ્કેલ પડે છે. બળદને જેમ ચીલે કાપ આકરે પડે છે તેમ સ્વચ્છેદે જીવ પ્રવર્તી રહ્યો છે તેને સરુની આજ્ઞારૂપ નાથ અઘરી પડે છે, પણ તે વિના જીવ અનાથ અને અશરણ છે; અને તે અનાથપણું ટાળવા અનાથી મુનિ સરખા આત્મજ્ઞાન પામેલા સદ્દગુરુનું શરણું અને બોધ શ્રેણિક મહારાજા જેવાને પણ ગ્રહણ કરવાં પડયાં હતાં અને તેવા પુરુષના યોગે જ જીવને પોતાની ભૂલ સમજાય છે. એ અનાદિ ભૂલ ટાળવા માટે પરમકૃપાળુદેવે દરરોજ સ્મરણ કરવા યોગ્ય ક્ષમાપનાના પાઠની આજ્ઞારૂપ ઉત્તમ સાધન આપ્યું છે. તેને વિચારપૂર્વક રોજ પાઠ થાય તે જીવને પોતાના દે દેખી તે દે ટાળવાની ભાવના કરવાનું તે ઉત્તમ નિમિત્ત છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૩૮ અગણિ, ભાદરવા સુદ ૧૨, ૧૯૮૬ खमिअ-खमाविअ मई खमह, सव्वह जीव-निकाय। सिद्धह साख आलोयण, मुज्झह वइर न भाव ।। सव्वे जीवा कम्म-वस, चउदह राज भमंत । ते मे सव्व खमाविआ, मुज्झ वि तेह खमंत ॥ અત્રે પર્યુષણ પર્વની રૂડી રીતે આરાધના સદ્દગુરુકૃપાએ નિર્વિધ્રપણે પૂર્ણ થઈ છે. અત્રે સર્વે આશ્રમવાસી મુમુક્ષુ ભાઈ-બહેનેએ આપ સર્વેને સંવત્સરી ઉપર ખમી ખમાવી જયસદ્દગુરુવંદન જણાવ્યા છે. આવા લૌકિક વ્યવહારરૂપ મહાપર્વ કેટલાંય આવ્યાં અને ગયાં, પણ જીવ મેહનિદ્રામાંથી હજી જાગે નહીં તેનું શું કારણ? અને કેવા પ્રકારે આ Page #76 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા પs સ્વપ્નદશા નિવૃત્ત થાય? તેને વિચાર મુમુક્ષુ જીવ કરે છે. કારણ કે આ પ્રશ્નનો ઉકેલ આવ્યા વિના જીવની અનાદિની ભૂલ મટવી મુશ્કેલ છે. પાંચ ઇન્દ્રિયના વિષયમાં લુપતા જીવને વર્તે છે, તેની પ્રિયતા ચિત્તમાં ઘર કરીને બેઠી છે. તે એવી જબરી છે કે કેટલાક કાળ અમુક ઇન્દ્રિયના વિષયોને ત્યાગ કરવામાં આવે તો પણ તેની રુચિને ત્યાગ થતું નથી. એ સંસાર વાસનાનું મૂળ શાથી છેદાય ? વતનિયમથી પણ તે નિર્મળ થતી નથી; તે તેને માટે કઈ બીજો જ ઉપાય હોવો જોઈએ. મોટા પુરુષોએ વારંવાર વિચારીને તેનાં કારણ શોધ્યાં છે અને તેના ઉપાય જાણી આદરી તેથી મુક્ત થઈ મોક્ષે ગયા છે. આપણને પણ મુક્તિની ઈચ્છા હોય તે તે સિવાય બીજો માર્ગ નથી. મિથ્યાત્વ, અજ્ઞાન, વિપરીત માન્યતા – એ જ સર્વ દુઃખનું કારણું પુરુએ કહ્યું છે અને વિચારવાનને તે કારણે સિવાય બીજા કશાને ભય હોતું નથી. લોકલજજા, પરિશ્રમ, નિંદા, કીર્તિ આદિને નહીં ગણતાં, માત્ર અજ્ઞાનને નાશ કરવા મુમુક્ષુ જીવ કેડ બાંધી તૈયાર થાય છે, અને તે કેમ દૂર થાય તેને વિચાર કરતાં તેને જણાશે કે જેને આત્મસ્વરૂપની પ્રાપ્તિ થઈ છે, સમ્યકત્વ જેને પ્રગટ થયું છે એવા સપુરુષના વચન વિના કોઈ કાળે મિથ્યાત્વ-અજ્ઞાનરૂપી અનાદિ ભૂલ મટવાની નથી. “જીવની ઉત્પત્તિ અને રેગ, શોક, દુઃખ, મૃત્યુ, દેહનો સ્વભાવ જીવપદમાં જણાય છે; એ જે અનાદિ એકરૂપને મિથ્યાત્વ ભાવ, જ્ઞાનીના વચન વડે દૂર થઈ જાય છે.” પુરુષને બેધ એ દર્શન મોહિનીય કર્મરૂપ વિપરીતપણું ટાળી સમ્યક્ શ્રદ્ધા પ્રગટાવે છે, અને સમ્યક્દર્શન કે શ્રદ્ધા પ્રગટવાથી મોક્ષને માર્ગ મોકળો થાય છે. તેને મોક્ષ વિશેષ દૂર નથી, પણ સ્વસ્વભાવરૂપ મોક્ષને તે જીવ પામે છે. આવી ઉત્તમ કમાણ આ મનુષ્યભવમાં પ્રાપ્ત થઈ શકે છે. તેની તરફ દષ્ટિ નહીં રાખતાં જીવ સ્ત્રી, પુત્ર, કુટુંબ, ધન આદિમાં જ વૃત્તિ રેકી રાખે છે. તેથી આ ભવમાં કરવા ગ્ય કાર્ય રહી જશે અને મરણ તે આવીને ઊભું રહે છે, અથવા આયુષ્ય ક્ષણે ક્ષણે એછું થાય છે તે મરણ જ છે. તેને વિચાર કરી સમજવા યોગ્ય આત્મસ્વરૂપ માટે વિશેષ કાળજી રાખવી ઘટે છે. કાળ ગટકાં ખાઈ રહ્યો છે, લીધે કે લેશે થઈ રહ્યું છે, તે આ જીવ કયા કાળને લજે છે? મેક્ષની સરખામણીમાં મોટા ચક્રવર્તીનું સુખ પણ વિઝાના કીડા જેટલું પણ નથી તો આ જીવ સંસારમાં શું સુખ દેખી રહ્યો છે કે જેને લઈને અનેક પ્રકારના પ્રતિબંધ કરી પરિભ્રમણનાં કારણે એકઠાં કર્યા કરે છે? હે જીવ! આ ફ્લેશરૂપ સંસાર થકી વિરામ પામ, વિરામ પામ. કંઈક વિચાર પ્રમાદ છોડી જાગ્રત થા, જાગ્રત થા. નહીં તે રત્નચિંતામણિ જે આ મનુષ્યદેહ નિષ્ફળ જશે. હે જીવ! હવે તારે પુરુષની આજ્ઞા નિશ્ચયે ઉપાસવા યોગ્ય છે.” (૫૦૫) આમ પરમકૃપાળુદેવે પરમ ઉપકાર કરી જીવને જાગ્રત કરવા પિકાર કર્યો છે. પુરુષોએ પરમાર્થે કહેવામાં કંઈ બાકી રાખી નથી, પણ જીવે તેમની આજ્ઞા ઉઠાવવામાં, તે પ્રમાણે કરવામાં ખામી રાખી છે. મનુષ્યભવ, યુવાન અવસ્થા, પાંચ ઇન્દ્રિયનું બળ, આરોગ્ય આદિ સામગ્રી છે ત્યાં સુધી ધર્મ આરાધી લેવા ભગવંતે કહ્યું છે. પછીથી વૃદ્ધા Page #77 -------------------------------------------------------------------------- ________________ બોધામૃત વસ્થા, વ્યાધિ, પીડા, ઇંદ્રિની હાનિ, મરણ આદિ અશુભ ઉદયના પ્રસંગે ધર્મ કરવો હશે તે પણ નહીં બને. માટે જ્યાં સુધી જોગવાઈ છે ત્યાં સુધી ફરજ બજાવી લેવી એગ્ય છે. આપણું ધાર્યું કંઈ થતું નથી અને બનનાર બન્યું જાય છે ત્યાં આત્મહિતાર્થે પુરુષાર્થ કર્તવ્ય છે, એમ ગણી સંસાર-ચિંતાઓ ઓછી કરી ધર્મને લહાવો લઈ લેવા કેમ્પ છે, સત્સંગ, સપુરુષને બોધ, તેનાં વચન-આજ્ઞા ઉપાસવાની ભાવના નિરંતર કર્તવ્ય છે. 8 શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૩૯ અગાસ આસો સુદ ૧૪, સોમ, ૧૯૮૬ આપે શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ વાંચવાની ઈચ્છા જણાવી તેના ઉત્તરમાં જણાવવાનું કે એ ગ્રંથ સર્વ શાસ્ત્રના સારરૂપ છે. તેને નિયમિત અભ્યાસ શ્રદ્ધાપૂર્વક યથાશક્તિ થાય તે લાભનું કારણ છે તથા સત્પરુષના વિયેગમાં પરમ અવલંબન તથા માર્ગદર્શક રૂપ છે. તેનાથી પાંચ ઇંદ્રિયેના વિષે પ્રત્યે રુચિ ઘટી પરમપદ પામવાની રુચિ જાગ્રત થાય તેવું ઉત્તમ નિમિત્ત છે, અને તે વાંચન મુમુક્ષુજને અવશ્ય કર્તવ્ય છે. તે સદ્બોધના શ્રવણ, મનન, નિદિધ્યાસનથી મોક્ષમાર્ગ પ્રાપ્ત થવા ગ્ય છે. ઉત્તમ તે એ છે કે સત્સમાગમમાં તેનું શ્રવણ, મનન કરવા ગ્ય છે, પણ પુરુષને વેગ ન હોય તે પિતાના જેવી યેગ્યતાવાળા સત્સંગીઓને આત્માર્થે સત્સંગ કરવાગ્ય છે. તે પણ જોગ ન હોય તે પિતાનાથી બને તેટલા ઉત્સાહથી પવિત્રતાપૂર્વક તે પુરુષના બહુમાનપણા સહિત સંયમપૂર્વક યથાગ્ય સદુવાંચન, મનન કર્તવ્ય છેજી. સામાન્ય જાતનાં છાપાં, પુસ્તકો વાંચવાની હાલની ઢબ પ્રમાણે સૂતાં સૂતાં કે મુસાફરીમાં વખત ગાળવા ખાતર અવ્યવસ્થિતપણે કે નિરાદરપણે તે વાંચવા ગ્ય નથી, પણ જેમ સદ્ગુરુ પાસે જઈએ ત્યારે વંદન સ્તુતિ વગેરે કરીએ છીએ તેમ જ્યારે અવકાશ હોય ત્યારે તે પુસ્તક વાંચતાં પહેલાં નમસ્કાર કરવા અને વિચારવું કે હે ભગવાન! આ કળિકાળમાં આ મનુષ્યભવને લૂંટી લેનાર અનેક સાધને છે તેમાંથી મુક્ત થઈ, જાણે બે ઘડી મરી જ ગયે હતું એમ વિચારી, બે ઘડી આ આત્માના કલ્યાણને અર્થે આપનાં વચનનું શ્રવણું કરવાને, વાંચન-મનન કરવાનો મને જે અવકાશ મળે છે તે મારું મહાભાગ્ય માનું છું અને બધા વિચારે તજી, આપને જણાવેલ બધ જ મને શ્રેયસ્કારી છે એમ વિચારી, આપના પ્રત્યક્ષ સમાગમતુલ્ય આપના પ્રત્યક્ષ વચનનાં શ્રવણ-મનનને આનંદ મને પ્રાપ્ત થાઓ અને મારા દોષ દૂર થઈમેક્ષનું કારણ જે સમ્યફદર્શન તેનું નિમિત્ત આપને બાધ નીવડે, એવી ભાવના વડે દરરોજ નાહીને કે જ્યારે બે ઘડી અવકાશ મળે અને બીજા વિચાર દૂર કરી એકાંતમાં બેસવાને વખત મળે ત્યારે શ્રદ્ધાપૂર્વક “શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ વાંચવાથી ઘણું લાભનું કારણ છે. પણ કોઈ પણ પ્રકારના આ લેકના સુખની અ૯પ પણ ઈચ્છા એમાં રાખવી ઘટતી નથી. મેક્ષ સિવાય બધી ઈચ્છાઓ તજી, માત્ર મોક્ષ માટે જે જે ઉપાય તેમાં દર્શાવ્યા છે તેને સમજવાની અને તે પ્રમાણે યથાશક્તિ વર્તવાની ભાવના રાખી ન્યાયનીતિપૂર્વક વર્તી નિરભિમાની અને વિનયી બનવાની જરૂર છે, કારણ કે ધર્મનું મૂળ વિનય છે. જ્યાં ડોળ, દેખાવ અને અભિમાન હોય ત્યાં ધર્મનાં વચન હૃદયમાં ઊતરવાને બદલે જીભ સુધી જ જઈને અટકી જાય છે, વાંચીને કેઈને કહેવામાં, ડાહ્યો ગણાવામાં આનંદ માની લે છે, પણ Page #78 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા તેમાં જણાવ્યા પ્રમાણે આચરણ નથી થતું ત્યાં સુધી આત્માનું કલ્યાણ થતું નથી. આટલી સૂચના લક્ષમાં રાખી કાળજીપૂર્વક અભ્યાસ કરશે તે અમૃત કરતાં પણ વિશેષ હિતકારી એ વચનનો સંગ્રહ છે. તે જીવને આત્મા ઓળખવા માટે યોગ્યતા અર્ધી સદ્ગુરુને યોગ થતાં આત્મહિત થાય તેવી દશા પ્રાપ્ત કરાવવા સમર્થ છે. પુસ્તકમાં વિષયો ગહન છે તેમાંથી સમજાય તેટલું વાંચજે. મોટા પંડિતોને પણ સમજવું મુશ્કેલ થાય તેવી વાતો પણ છે તે હાલ ન સમજાય તે પડી મૂકવી. “આત્મસિદ્ધિનો વિચાર કરશે, વીશ દેહરા વગેરેથી ભક્તિભજનમાં રહેશે. સહનશીલતા, સંતોષ ધારણ કરશે. જિજ્ઞાસાની તથા વૈરાગ્યની વૃદ્ધિ કરી પ્રમાદ તજવાયોગ્ય છેજી. ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, કાર્તિક સુદ ૧૧, રવિ, ૧૯૮૭ કહાં જાયે કહાં ઊપને, કહાં લડાયે લાડ; ક્યા જાણે કિસ ખાડમે, જાય પડેગે હાડ! સેવાથી સદ્ગુરુકૃપા, સદ્ગુરુકૃપાથી જ્ઞાન; જ્ઞાન-હિમાલય સબ ગળે, શેષ સ્વરૂપ નિર્વાણ. આપે પુસ્તકમાંથી વાંચવા સંબંધી પુછાવ્યું તેના ઉત્તરમાં જણાવવાનું કે ડું વંચાય તેની હરકત નહીં, પણ વારંવાર વાંચી તેમાં કહેલે અર્થ વિચારવામાં વિશેષ કાળ જાય તેમ કર્તવ્ય છે. જે અવકાશ હોય તે યથાશક્તિ તેમાંથી નિયમિત રીતે વંચાય તે હિતકારી છે. “અમૃતની નાળિયેરી” જેવાં પુરુષનાં વચનમાં જેટલો કાળ જશે તેટલો લાભકારક છે. અપૂર્વ અવસર, છ પદને પત્ર, ભક્તિના વીસ દુહા, ક્ષમાપનાનો પાઠ વગેરે જે મુખપાઠે કર્યું હોય તે રોજ બેલાય, વિચારાય તો સારું. જેમ જેમ સત્સંગ-સમાગમને પ્રસંગ વિશેષ થાય, ઉપશમ-વૈરાગ્યની વૃદ્ધિ થાય તેમ તેમ જ્ઞાનને આવરણ કરનાર કર્મ ઘટવાથી સમજણ વિશેષ પડતી જાય. હાલ જેટલું સમજાય તેટલું સમજી; ન સમજાય તે આગળ ઉપર સત્સમાગમે સમજવાની ભાવના રાખવી કર્તવ્ય છે. પ્રથમ કાર્ય મનુષ્યભવમાં કરવાગ્ય એ છે કે “સત્' વસ્તુની જિજ્ઞાસાની વૃદ્ધિ કરવી અને તે પ્રાપ્ત કરાવે તેવા પુરુષને શોધી તેનાં વચનમાં વિશ્વાસ રાખવો એગ્ય છે. ભગવાને શ્રદ્ધાને પરમ દુર્લભ કહી છે. જેને એ શ્રદ્ધા આવી તેને પછી મોક્ષ દૂર નથી. પણ તે પ્રાપ્ત થવા માટે પુરુષના બોધની જરૂર છે, અને જીવને તે બધા ગ્રહણ કરી તેને વિચારી પ્રતીત કરવા જેટલી યેગ્યતાની પણ જરૂર છે. તેથી હાલ લેગ્યતા વધે તેવા પુરુષાર્થમાં રહેવું ઘટે છે. (૧) સર્વ પ્રાણી પ્રત્યે નિવૅરબુદ્ધિ તે મૈત્રીભાવના, (૨) જેનામાં સદ્દગુણ હોય તે દેખીને પ્રદ-ઉલ્લાસ થવો તે પ્રમોદભાવના, (૩) દુઃખી પ્રાણીઓ પ્રત્યે દયાભાવ તે કરુણાભાવના અને (૪) અનિષ્ટ વર્તનવાળા પ્રત્યે પણ દ્વેષભાવ ન રાખતાં મધ્યસ્થ રહેવું તે મધ્યસ્થ કે ઉદાસીન ભાવના છે. તેને ઉપેક્ષાભાવના પણ કહે છે. આ ચાર ભાવનાઓ રેજ ભાવવાથી યેગ્યતા પ્રાપ્ત થાય છે, એમ પરમકૃપાળુદેવે જણાવેલું છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #79 -------------------------------------------------------------------------- ________________ . બેધામૃત અગાસ, તા. ૧૧-૩-૩૧ નાણે નેહ તેડે કહ્યો, અનરથ કેર મૂળ, ધન્ય જ્ઞાનીજન જગતમેં, ધનકે જાણે ધૂળ. સેવાબુદ્ધિએ સેવના, કરે સદા શુદ્ધ ભાવ; સસેવા સંસારમાં, છે તરવાને નાવ. જેમ બને તેમ બીજે ભટકતા મનને શુદ્ધ આત્મ-સ્મરણમાં, વાંચનમાં, વિચારમાં રોકવાને અભ્યાસ કર્તવ્ય છેછે. જ્યાં જ્યાં જીવે પ્રતિબંધ કર્યો છે ત્યાં ત્યાં ચિત્તનું વારંવાર જવું થાય છે. તેથી મહાપુરુષે વારંવાર પરમાત્મસ્વરૂપ પ્રત્યે પ્રેમ વધારી બીજા પ્રતિબંધ તેડી નાખવાને પુરુષાર્થ કર્યા કરે છે. જરૂરના પ્રસંગે બીજે ચિત્ત દેવું પડે તે તે છૂટકે નહીં, માટે તેમ કરવું પડે; પણ અનર્થદંડ તરીકે જરૂર વગર જીવ નકામે ખોટી થાય છે તેથી બચવા પુરુષાર્થ કર્તવ્ય છે'. ૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૨૧-૬-૩૧ તત્ 8 સત્ પ્ર. અષાઢ સુદ ૬, રવિ અનન્ય શરણના આપનાર અધમઉદ્ધારણ, પતિતપાવન એવા શ્રી સદ્ગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર હો! નમસ્કાર હો! નમસ્કાર હે ! દુહા– પ્રભુદર્શન પામે છતાં, બ્રાંતમતિ મહાધ; ચિંતવ ચંચળ નયન, નારી અંગોપાંગ. મૃગનયના નિહાળતાં, લાગે લવ ઉર રાગ; શાસ્ત્રસમુદ્ર મગ્ન મન, તેય તજે નહિ ડાઘ. ભેગ રેગનું બીજ' ના – જાણ્યું કરતાં મોજ; ધનનું ધ્યાન ધરું સદા, મરણ ન સમરું રેજ. રી-ચિંતન ફી નરક છે, ચિત્ત ન ચેતે તેય; અધમ કૃત્ય કરતાં નહીં, પાછું વાળી જોય. પરનિંદા વિષ્ટા વડે, ખરડાયું મુખ પૂર્ણ પરનારી નિરખી નયન, અંજાયાં વિષ ચૂર્ણ. પરનું બૂરું ચિંતવ્ય, મન મુજ થયું મલિન, શીય વલે મારી થશે? દીનબંધુ, હું દિન. (સ્વદેશન) તીર્થશિરોમણિ કલ્પવૃક્ષ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસથી લિ. પુરુષના ચરણકમળની સેવાને ઈચ્છક પામર ગોવર્ધનના જયસદ્દગુરુવંદન પ્રાપ્ત થાય. વિ. તમારે પત્ર આજે આવ્યા. તે ભાવદયાસાગર નિષ્કારણકરુણાસિંધુ પ. પૂ. પ્રભુશ્રીજીએ વાંચી આ પત્ર લખવા સૂચના કરી છે. તેઓશ્રીજીએ એ પત્ર વાંચી મારી ધૂળ કાઢી નાખી અને ઠપકો દીધું કે એ ધર્મને ઢગ કરનાર દુષ્ટ આજથી અત્રે પત્ર ન લખે તે જણાવ. પવિત્ર પુરુષોની કૃપાદ્રષ્ટિ એ જ સમ્યક્રદર્શન છે” (૨૧-૧૧૦) એમ પરમકૃપાળુદેવે જણાવ્યું Page #80 -------------------------------------------------------------------------- ________________ પ૭ પત્રસુધા છે. એ ઉપાદષ્ટિને પાત્ર થવા જીવે કેમ વર્તવું ઘટે? અનીતિને માર્ગે ચાલનાર કદી પવિત્ર પુરુષની પાદષ્ટિ નહીં પામે! સાત વ્યસન, જુગાર, માંસ, દારૂ, ચેરી, વેશ્યાને સંગ, પરસ્ત્રીગમન, શિકાર મહાપાપમાં દોરનાર છે. તેમાં જ જેની વૃત્તિ રહેતી હોય તે તે ધર્મ શું આરાધી શકશે? પદારાગમન કરનાર નરકે જાય છે અને અસહ્ય દુઃખ ત્યાં ભેગવે છે. અલ્પકાળના કલ્પિત સુખમાં ફસાઈ જીવ મહા અનર્થ કરી નાખે છે, પછી પસ્તાવો થાય છે, રેગ થાય છે, નિર્ધન થાય છે અને એ અસ્થિર ચિત્તવાળા જીવો જે માનસિક દુઃખ ભોગવે છે તે તે અસહ્ય હોય છે. તેની ધર્મક્રિયામાં ધૂળ પડે છે, અપકીર્તિ થાય છે. માયા, કપટ, જૂઠ, હિંસા એ બધાં પાપ તેની પૂઠ પકડે છે અને અનંતકાળ સુધી જન્મજરામરણનાં દુઃખો ભગવતે જીવ ઘાંચીના બળદની પિઠે પરાધીનપણે પરિભ્રમણ કર્યા કરે છે. આ લેકમાં એવા લોકો ઘણું કરીને કમોતે મરે છે અને પરલોકમાં પીવાના પ્રહાર સહ્યા કરે છે. હે ભગવાન! દુશ્મનને પણ એવા પાપને રસ્તે ન મળે એમ સારા પુરુષ તે ઈચ્છે છે. સંદેશરના એક મુમુક્ષુ હતા. તેમને બેચાર દિવસ ઉપર કોઈ દુશમને આશ્રમ અને સંદેશરની વચમાં માર મારી મારી નાખ્યા. આમ અચાનક મૃત્યુ ક્યારે આપણને ઉપાડી જશે? તે કહેવાય નહીં. કરોડો રૂપિયા ખર્ચતાં પણ મનુષ્યભવ ન મળે. તે આમ જોતજોતામાં ચાલ્યા જાય છે અને ધર્મનાં કરવાના કાર્યમાં વિધ્ર આવી પડે છે. પણ અભાગિયો જીવ વિચાર નથી કે જ્યાં સુધી શરીર સારું છે, યુવાવસ્થા છે, ઇંદ્રિયે હાનિ પામી નથી ત્યાં સુધી ધર્મ આરાધી શકાશે. પછી વૃદ્ધાવસ્થામાં અનેક રોગ, અશક્તિ, પરાધીનતાને વશ પડશે ત્યારે શું બનવાનું છે? કે મરણ પામી કાગડા કૂતરાના કે નરકના હલકા અવતારમાં જીવ શું કરી શકવાને છે? માથે મરણું છે, જેમાં ઝેર છે, પગ મૂકતાં પાપ છે એમ વિચારી આજના દિવસમાં પ્રવેશ કરવાની પરમકૃપાળુદેવની સ્મૃતિ ભૂલી જવા એગ્ય નથી. જે જીવ પાપથી ડરતે નથી, જન્મજરામરણથી ત્રાસ પામતો નથી તે જે જે ક્રિયા ધર્મને નામે કરે છે તે બધા ઢગ જ છે. પુરુષ પાસે કોઈ ધર્મ પામવાની માગણી કરે અથવા તેની પાસે રહી પગમાં પડીને સેવા કરતા હોય અને તે જે સત્પરુષે આજ્ઞા કરી હોય તેથી ઊલટું ચાલતું હોય તો તે જીવ મહાપુરુષના વચનરૂપ જીભ ઉપર પગ દઈ ચાલ્યા જાય છે એમ કહીએ તે ખોટું નથી. “આજ્ઞા એ ધર્મ અને આજ્ઞા એ તપ છે. તેનું ઉલ્લંઘન કરે અને ગમે તેટલા મેં કાલાવાલા કરે તે શા કામના? એવું વર્તનનું કાયરપણું પ્રગટ કરનારને પરમકૃપાળુદેવે કહ્યું છે કે – મરે બૂડીને નરે બાયલા ઢાંકણીમાં નાખીને નીર, આર્યકીર્તિને ઝાંખપ દીધી, એને બદ્દી તમને શિર.” આવાં કઠણ વચને મહાપુરુષે પથ્થર જેવા કઠણ હૈયાના જીને સન્માર્ગ ઉપર લાવવા કહે છે તેથી ખેડું નહીં લગાડતાં પિતાનાં પાપને પશ્ચાત્તાપ કરી ભૂલ્યા ત્યાંથી ફરી ગણે, જાગ્યા ત્યાંથી સવાર. અઘટિત કૃત્ય થયાં હોય તે શરમાઈને મન, વચન, કાયાના ગથી તે ન કરવાની પ્રતિજ્ઞા લે.” (પુષ્પમાળા-૬) થયું તે ન થયું થનાર નથી. (અપૂર્ણ) Page #81 -------------------------------------------------------------------------- ________________ બોધામૃત અગાસ, તા. ૪-૭-૩૧ તન 38 સત્ પ્ર. અષાઢ વદ ૪, ૧૯૮૭ અહો ! વ ચાહે પરમપદ, તે ધીરજ ગુણ ધાર, રેગાદિક તે દેહાશ્રિત છે, કર્મ વિપાક વિચાર. જેને મોક્ષની ઇચ્છા ઉત્પન્ન થઈ છે, પુરુષને સંગ થયે છે, મંત્ર આદિ સાધન પ્રાપ્ત થયાં છે તેને પણ આ કળિકાળમાં મોક્ષમાર્ગ પ્રવર્તતાં અનેક અંતરાય આડા ફરે છે. અનેક પ્રકારના રોગની પીડા, વૃદ્ધાવસ્થા, પ્રમાદ, વિષય, કષાય, કદાહ, અસત્સંગ અને મરણ આદિ ચેરે આ સંસારરૂપી ઝાડીમાં સંતાઈ રહ્યા છે. તે પિતાને અનુકૂળ નિમિત્તોની જ રાહ જોઈ રહ્યાં છે કે અમારી પાસે એ ક્યારે આવે કે એને અગતિમાં ગબડાવી દઈએ. આ મહાભયંકર સંસાર છે તેથી વિચારવાન પુરુષે ત્રાસ પામ્યા છે. તેથી સત્પરુષરૂપ વળાવો –નેતા અને તેની અમેઘ વાણીરૂપ શસ્ત્રને આશ્રય લઈ શીવ્ર તેને પાર પામવા પુરુષાર્થ કર્યા કરે છે. આપ સમજુ છે. અનેક મહાપુરુષ જેના વચનબળે ભવસાગર તરી ગયા છે અને તરી જશે તેવા પરમપુરુષ આપ્ત ભગવાને બતાવેલા નિર્ગથ માર્ગને અમને તમને સદાય આશ્રય રહો. “હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ, સ્ત્રી-પુત્રાદિ કોઈ પણ મારાં નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એ હું આત્મા છું એમ આત્મભાવના કરતાં રાગદ્વેષને ક્ષય થાય.” (૬૯૨) આ વચને પરમકૃપાળુદેવે આખર વખતે યાદ રાખવા એક મુમુક્ષુભાઈને પરમ કરુણા કરીને જણાવ્યાં છે તે આપણને પણ અત્યંત ઉપયોગી છે. સમયે સમયે જીવ મરી જ રહ્યો છે તે જીવની વૃત્તિ એ વચનના આશયમાં જેટલી જાય તેટલી સમાધિમરણની જ તૈયારી છે. બાકી તે કંઈ ને કંઈ શાતા-અશાતા વેદતા જીવ આ લેકની અલ્પ પણ સુખેચ્છા રાખે છે ત્યાં સુધી આર્તરૌદ્રધ્યાનરૂપી દુર્ગાનની જ પરંપરા પિળે જાય છે. દેહને વેદનાની મૂર્તિ ગણી, વેદનાને દેહને ધર્મ અને પૂર્વનાં કર્મનું ફળ જાણ સમતાભાવે ખમી ખૂંદવાને જેટલે અભ્યાસ પડશે તેટલી સમાધિમરણની તૈયારી થાય છે. બાંધેલાં કર્મ ખપાવવાનો, નિર્જરા દ્વારા મોક્ષ પ્રાપ્ત કરવાને અવસર જાણી વિશેષ પુરુષાર્થ ફેરવી વેદનાના વખતે જીવે કઠણાઈ કેળવવી ઘટે છે. ભાવનાબેધમાં અનાથી મુનિ, મિરાજર્ષિ મૃગાપુત્ર, સનત્કુમાર ચક્રવર્તી વગેરે મહાપુરુષને અસહ્ય વેદના વેઠવી પડી છે. તે પણ આત્મા હતા પણ મેક્ષની ઇચ્છાવાળા હતા તે સમતા ધારણ કરી ગજસુકુમાર આદિ ક્ષે ગયા. તે હે જીવ! આ અલ્પ આયુષ્યમાં ગમે તે આવે તેથી વધારે વેદની આવે તે પણ સપુરુષને આશ્રયે સહન જ કરવી છે, પણ શારીરિક સુખ ઇચ્છવું નથી એ દઢ નિશ્ચય કર. ઇચ્છા એ જ દુઃખ છે એમ જીવને સમજાવી સ્મરણમાં રહેવું, ધર્મધ્યાનમાં કાળ ગાળ, આ લહાવ ફરી મળનાર નથી તે ચૂકવું નહીં. ૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, ભાદરવા વદ ૧, ૧૯૮૭ આપના ભાવ સત્સંગ સમાગમ અર્થે વર્તે છે તે સારું છે. તે જ કર્તવ્ય છે. નંદન મણિયારને જીવ દેડકે લશ્કરથી વટાઈ ગયું હતું પણ દર્શનની ભાવના રાખી હતી તે Page #82 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા તેની સદગતિ થઈ હતી, તેમ જેવા ભાવ તેવા પ્રભુ ફળે તથા વેદનીય કર્મ તે જ્ઞાની કે અજ્ઞાની રાવને ભગવ્યા વિના છૂટકો નથી. વેદનીય સમભાવે સહન કરવાની જ્ઞાની પુરુષની આજ્ઞા સંભારી, દેહના દંડ દેહે ભોગવી છૂટવાની ભાવના રાખવાથી અકળામણ-મૂંઝવણ મોહથી થાય છે તે મટવા સંભવ છેછે. દેહથી વિપરીત સ્વભાવવાળો નિત્ય, અધ, અભેદ્ય, શાશ્વત આત્માનું ચિંતન જ્ઞાની પુરુષે વેદના વખતે વિશેષ વીર્ય ફેરવી કરે છે તે ગજસુકુમાર આદિ દાંતે સંભારી, તેમણે જે અખંડ નિશ્ચય રાખે છે તે જ કર્યો છૂટકો છે એ જ વિનંતી. સદ્દગુરુ શરણે સર્વ સારું થશે, એ જ. 8 શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૪૫ અગાસ, ભાદરવા વદ ૫, ૧૯૮૭ આ મનુષ્યભવરૂપી મહાસમૃદ્ધિ આ જીવ પામે છે તેને સદુપયોગ થાય તે જીવ અપૂર્વતાને પામે, પણ તેની મહત્તા જોઈએ તેવી સમજાઈ નથી. મુખથી માત્ર કહીએ છીએ કે મનુષ્યપણું ભગવંતે દુર્લભ કહ્યું છે, પણ તે અંતરમાં ઊતરે તે તે રિદ્ધિ લૂંટાતી જાય છે તે જાણીને જીવને ઝંપ-નિરાંત ન વળે. જેટલી કાળજી જીવ નશ્વર, અસાર, માયિક ભોગને માટે રાખે છે તેને અ૯૫ અંશ પણ આ આત્માના હિતને માટે રાખતા નથી. બાહ્ય પદાર્થો, સગાં અને વૈભવ સાંભરે છે તેના સમા ભાગ જેટલી પણ આત્માની સ્મૃતિ થતી નથી. તેની ભવાંતરમાં શી ગતિ થશે તેની ચિંતા હજી જીવને જાગી જ નથી. એક મહાપુરુષે કહ્યું છે કે આ મનુષ્યદેહ તે સળેલા સાંઠા જેવો છે. તેને ચૂસવાથી રસ કે સ્વાદ નથી મળવાનાં, પણું તેમાં જે ગાંઠે છે તે જે વાવે તો સારી શેલડી થાય અને જે ચૂસવાના મેહમાં તે સાંઠા ફાડીને ફેંકી દે તે બીજ પણ બગડે ને મેં પણ બગડે છે, તેમ આ કળિકાળનાં અલ્પ આયુષ્ય ને અલ્પ સાધનોથી સુખ કરતાં જીવ દુઃખ વધારે ભોગવે છે તે ભોગેની ઈચ્છા તજી જીવ સપુરુષને શરણે ધર્મ બને તેટલે આરાધવા પુરુષાર્થ કરે તે જીવ મોક્ષના બીજરૂપ સમ્યકત્વની સામગ્રી પામી આ ભવને સફળ કરે એ લહાવ આ ભવમાં લઈ શકાય તેમ છે. માટે જેમ બને તેમ ધર્મભાવના વિશેષ જાગ્રત રાખી સત્સંગ સમાગમ કર્તવ્ય છેજી. ૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૧–૯-૩૧ (૧) સનાતન ઉપયોગ એવો મારે શાશ્વતે ધર્મ મૂકીને હવે જોગને વિષે એટલે દેહને વિષે આત્મબુદ્ધિ નહીં કરું, અર્થાત્ જગને એટલે દેહને આત્મસ્વરૂપ નહીં માનું. (૨) સદ્દગુરુએ આપેલ અનંત દયાએ કરીને “સહજાભસ્વરૂપને મૂકીને ક્રાંતિથી અછતી વસ્તુને એટલે પુદ્ગલ આદિકને સાક્ષાત્ જેવી વસ્તુ કલ્પીને એમાં હવે પછી ભરાઈશ નહીં અર્થાત્ તેવી ભ્રાંતિમાં પડીશ નહીં અને સહજાભસ્વરૂપમાં જ ત્રિકાળ વાસ કરીને રહીશ. (૩) અનાદિ, અરૂપી અને અમૂર્તિક એવું કે મારું શાશ્વત શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ તેને મૂકીને રૂપી અને મૂર્તિક એ જે દેહ તેને સ્વસ્વરૂપ નહીં માનું, ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીએ લખાવેલ પત્ર. ૧. પાઠાન્તર-ભરમાઈશ Page #83 -------------------------------------------------------------------------- ________________ બોધામૃત (૪) શુદ્ધ ચૈતન્ય જ્ઞાનમૂર્તિને મૂકીને બહાર દષ્ટિએ એટલે ચર્મચક્ષુ વડે ચામડાને નહીં જઉં. તે તે ચમારની દષ્ટિ ગણાય. જે ચમાર હોય તે જ ચામડીને વિષે રંજન થાય. હું તો દિવ્ય નેત્રવાળો દેવ છું એટલે જ્ઞાનમૂર્તિી શુદ્ધ ચૈતન્યને જઈશ, ગુરુગમે. (૫) ત્રણે કાળે એક સ્વરૂપે રહેનાર એવી જે સમતારૂપી શુદ્ધ ચૈતન્ય જ્ઞાનમૂર્તિને મૂકીને જડઅજીવમાં નહીં પરિણમું અર્થાત્ અજીવને સ્વસ્વરૂપ નહીં માનું. જીવરાશિ જ્ઞાનદર્શનમૂળ જીવનારો જીવે તે જ મારું સહજ સ્વરૂપ છે, એટલે એમાં જ ત્રિકાળ નિવાસ કરીને રહીશ. ४७ - અગાસ, તા. ૩૦-૧૧-૩૧ આ જગતમાં બંધનનાં બે મુખ્ય કારણો પરમકૃપાળુદેવે જણાવ્યાં છે તે એક સ્વચ્છેદ અને બીજું પ્રતિબંધ છે. તે બન્નેને નિર્મુલ કરવા મુમુક્ષુ પુરુષાર્થ કરે છે જી. સ્વછંદને નિસ્લ કરવા સદ્દગુરુને વેગ જોઈએ. પ્રત્યક્ષ સદગુરુ યેગથી, સ્વછંદ તે રોકાય; અન્ય ઉપાય કર્યા થકી, પ્રાયે બમણું થાય.” એ લક્ષ સર્વ સાધનની પહેલાં રાખવા છેજી. સદ્દગુરુકૃપાથી જેને સ્વછંદ હાનિ પામે છે કે મંદ થયો છે તેને પ્રતિબંધ કેમે કરીને ટળવાયેગ્ય છે. સર્વને શ્રેષ્ઠ ઉપાય સત્સંગ છે, પણ તેમાં જે પ્રતિબંધ કરનાર અસત્સંગરૂપ દેહાદિ સંબંધી બંધન, સ્વજનકુટુંબાદિ બંધન, સંકલ્પ-વિકલ્પરૂપ બંધન આદિ બંધન જીવના પુરુષાર્થબળે ઘટવા કે ટળવા ગ્ય છેજી. ४८ અગાસ, તા. ૧-૧૨-૩૧ આપના પત્રની પાછળ જણાવેલું છે કે માખણ-ભક્ષણને દેષ સેવા છે, તે સંબંધી જણાવવાનું કે તે ઠીક થયું નથી. નજીવું જણાતું હોય પણ વ્રત લીધા પછી વ્રતભંગ થાય તે મોટે દોષ ગણાય છે. “વ્યવહારમાં જેમ સારા માણસના વચનની કિંમત હોય છે, તેમ ધર્મમાર્ગમાં પણ વ્રત એ પ્રતિજ્ઞા છે.” તેનું પાલન ચુસ્તપણે કરવા ચૂકવું નહીં. દેષ ફરીથી ન થાય તે લક્ષમાં રાખી અત્રે આ૫નું આવવું થાય ત્યારે તે થયેલે દેષ દૂર કરવા પ્રાયશ્ચિત્તની માગણી કરવાથી આપને ઉપાય રૂબરૂમાં જણાવવાનું પ. પૂ. પ્રભુશ્રીજીએ જણાવ્યું છે જી. આ મનુષ્યભવને રત્નચિંતામણિ જે જ્ઞાની પુરુષેએ કહ્યો છે, કારણ કે આ ભવમાં પિતાના દે દેખી તે દેને જીવ દૂર કરી શકે અને સર્વ દેષથી રહિત એવું મોક્ષપદ પ્રાપ્ત કરી શકાય છે. દેવે પણ સ્વર્ગમાં ઇન્દ્રિયસુખ અત્યંત હોવા છતાં મોક્ષની પ્રાપ્તિ કરવાની યેગ્યતા નહીં હોવાથી મનુષ્યભવ ક્યારે મળે એવી ઈચ્છા રાખ્યા કરે છે. એ દુર્લભ મનુષ્યભવ મળ્યા છતાં જીવ જે ધર્મસાધન કરવામાં પ્રમાદ કરશે, સત્ય ધર્મથી અજાણ્યા રહી જશે, તે ઢાર પશુના કે કીડી-મકેડીને શુદ્ર ભવમાં લખોરાસીને ફેરા ફરતાં ધર્મ ૧. જુઓ પત્રક ૧૯૬. Page #84 -------------------------------------------------------------------------- ________________ A પત્રસુધા સાધવાનું કે સમજવાનું કેવી રીતે બની શકશે? એ વિચાર જીવે કર્યો નથી. હડકાયું કૂતરું કે લૂંટારાને ભય હોય તે રસ્તે આપણે જવાનું માંડી વાળીએ છીએ, પણ આખે મનુષ્યભવ ગુમાવી બેસીએ તેવી પાણી લેવા જેવી મિથ્યા પ્રવૃત્તિમાં આ આયુષ્ય વહી જાય છે, તે વિચારી નકામી પ્રવૃત્તિ માંડી વાળતાં આપણને અધરું પડે છે, તેનું શું કારણ હશે ? તે વિચારે. સાચા સુખનું જીવને ભાન નથી. ૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૧૨-૧૨-૩૧ ન રમ, ન રમ બાહ્યાદિ પદાર્થ, રમ રમ મોક્ષપદે જ હિતાર્થે; આત્મકાર્ય જો તૂર્ત કરે તું, તે વર કેવળજ્ઞાન વરે તું. મૂક, મૂક વિષય-માંસના ભોગ, છોડ છોડ નિજ તૃષ્ણ રોગ; કર કર વશ મન-ગજ જે ગાંડે, અંતરાત્મ પરમાત્મ ડે. | (વૈરાગ્યમણિમાલા) વ્યવહારપ્રસંગથી જીવ ઘેરાયેલું છે અને જ્યાં સુધી નિમિત્તાધીન છે ત્યાં સુધી વ્યવહારનાં નિમિત્તમાં જીવ બંધની સામગ્રી એકઠી કર્યા કરે છે અને પુણ્ય વા પાપના પાશમાં ફસાય જાય છે. પરંતુ વિચારવાનો જીવ સંસાર અને સંસારના ફળથી ત્રાસ પામે છે તેથી સંસારથી મુક્ત થવાય તેવી સમજણ પ્રાપ્ત થવાનું સાધન જે સત્સંગ તથા સત્સંગે થતે બધ તેવાં ઉત્તમ નિમિત્ત તે પ્રાપ્ત કરતે રહે છે, તથા સત્સંગના વિયોગમાં તેની સ્મૃતિ, ઇચ્છા, ભાવના રાખ્યા કરે છે અને મૈત્રી, પ્રદ, કરુણા અને મધ્યસ્થતા આદિ ભાવનામાં પ્રવર્તી, ઈદ્રિયના વિષયોને સંકેચી, કષાયની મંદતા કરવાના પુરુષાર્થમાં વતી યોગ્યતા વધારવાની સપુરુષની આજ્ઞાને લક્ષ રાખ્યા કરે છે. - પૂને પત્ર લખે તે નિત્યનિયમ તરીકે વીસ દુહા, ક્ષમાપનાને પાઠ, મંત્રસ્મરણ આદિ જે સમાગમે જણાવ્યું હોય તે કાળજી રાખી આત્માની નેકરી ભરવા કર્યા કરે એમ જણાવશે. અત્યારે જે સુખરૂપ જણાય છે તે ધર્મનું ફળ છે. તે ભેગવતાં સદુધર્મ વૃદ્ધિ પામે અને ભુલાઈ જાય નહીં તે લક્ષ મુમુક્ષુ જીવે અવશ્ય સ્મરણમાં રાખવા ગ્ય છે. ૫૦. પેટલાદ, તા. ૭-૪-૩૨ જે મુખપાઠ કર્યું છે તે નિત્ય નિયમિતપણે બેલવાને વિચારવાને વખત રાખી આગળ મુખપાઠ કરતા રહેવું તથા તેને અર્થ વિચારતા રહેવા ભલામણ છેજી. કહ્યું છે કે “વાંચે પણ નહીં કરે વિચાર, તે સમજે નહીં સઘળે સાર.” સપુરુષના એક એક વાક્યમાં, એક એક શબ્દમાં અનંત આગમ રહ્યાં છે. એવા ગંભીર ઊંડા મર્મ જે રહ્યા છે તે જીવે વૈરાગ્ય ઉપશમાદિ વધારી ગ્યતા પ્રાપ્ત થયે સદ્દગુરુસમાગમે સમજવા યોગ્ય છે. મનુષ્યભવ પામીને સૌથી પ્રથમ કામ સમજુ જીવાત્માને કરવા લાયક એ છે કે કોઈ એક પુરુષને શોધી તેનાં ગમે તેવાં વચનેમાં શ્રદ્ધા રાખવી. પણ એ આપણે ધારીએ છીએ તેટલું સહેલું નથી. તે પણ જીવને એક આત્મકલ્યાણ સિવાય બીજી વાસના ન હોય તો તેવો જોગ બની Page #85 -------------------------------------------------------------------------- ________________ ર આધામૃત આવવા યેાગ્ય છે. આ ભવમાં નહીં તે પરભવમાં પણ સદ્ભાવના સફળ થયા વિના ન રહે. અશુભ ભાવનાઓ વગર કહ્યું ફળ આપે છે તે સદ્ભાવનામાં તે સાચનું ખળ રહ્યું છે તા તે કેમ અફળ હાય ? સત્પુરુષને યાગ મળ્યા પછી તેનું ઓળખાણ થવું એ દુર્લભ છે. કારણ કે, પરમકૃપાળુદેવે ઉપદેશછાયામાં જણાવ્યું છે તેમ, મચ્છવેધ કરનારની નજર પાણીમાં હાય છે પણ તેને વીંધવું છે આકાશમાં ફરતું... મચ્છ આકારનું લક્ષ્ય, તેની દિષ્ટ લેાકેાને પાણી તરફ લાગે છે પણ તેનું ધ્યાન ઊંચે આકાશમાં છે એ રીતે સત્પુરુષા આપણને દેહરૂપે આપણી આંખે દેખાય છે પણ તેમનું ધ્યાન, તેમની રમણતા સદ્ગુરુમાં, આત્મસ્વરૂપમાં જ હાય છે. પ્રારબ્ધ અનુસાર જે જે ક્રિયા કરવી પડે છે તેમાં તેને અનાસક્તિ હાય છે. પોતે સદ્ગુરુને સર્વસ્વ અર્પણ સાચા ભાવે કરેલું છે એટલે આપણી આંખે જે દેખાય છે તેને તે પેાતાનું માનતા નથી અને તેના તરફ આપણા લક્ષ્ય રહે તેમ ઇચ્છતા પણ નથી. તેથી સત્પુરુષને આળખવા માટે તેમના બેાધની જરૂર છે અને ઉપશમ, વૈરાગ્ય તથા ઇંદ્રિયના જયની પણ તેટલી જ જરૂર છે. આપણી કલ્પનાએ સત્પુરુષને પૂજીએ કે તેમના પર શ્રદ્ધા રાખીએ તે કરતાં તેમણે આપણને જેમના ઉપર શ્રદ્ધા રાખવાનું કહ્યું છે તે પ્રમાણે કરીએ તે તેમાં વિશેષ કલ્યાણ છેજી. એ નિર્ભય માર્ગ છે, નિઃશંક માર્ગ છે. પરમકૃપાળુદેવને ખતાવનાર પુરુષ ઉપર વિશ્વાસ રાખ્યાનું ફળ પણ એ જ કહેવાય કે પરમકૃપાળુદેવ ઉપર પ્રેમ, ભક્તિ, આસ્થા, શ્રદ્ધા, એનું અનન્ય શરણ ગ્રહણ કરવું. એ પરમ પુરુષ' શ્રીમદ્ રાજચંદ્રની ભક્તિથી સર્વે જ્ઞાનીની ભક્તિ થાય છે. તેને માન્યાથી કાઈ જ્ઞાની માનવાના બાકી રહી જતા નથી. તેમાં સર્વ સમાય છે. એ વારંવાર વિચારી હૃદયમાં દઢ કરવા યોગ્ય છેજી. ૐ શાંતિ: શાંતિ: શાંતિ: ૫૧ પેટલાદ, તા. ૧૫-૪–૩૨ " સામાન્ય એક કહેવત છે કે સેાનું લઈ એ કસીને અને માણુસ ઓળખીએ વસીને’ એટલે સત્સંગ-સમાગમથી મહાપુરુષો દ્વારા આપણને જે લાભ મળે છે તેવા લાભ શાસ્ત્રાથી, પ્રશ્નોના ઉત્તરો કે ચર્ચાએથી મળવા મુશ્કેલ છે. તેમાં વળી જે વિષય આપણે માટે નવા જ છે, આપણે જેમાં પ્રવેશ કર્યાં નથી તે વાત સાધારણૢ ઇજનેરી કામ વિષે ખગેાળશાસ્ત્ર આદિની હાય તેપણ પત્ર દ્વારા સમજાવવી કે સમજવી મુશ્કેલ પડે છે, તેા જે તત્ત્વજ્ઞાનની આપ ઇચ્છા રાખા છે. તે એકાએક સમજાય કે તે વિષે આપને પ્રતીતિ કે શ્રદ્ધા આવે તે દુર્ધટ છે. ઘણા કાળના એધે સમજાય તેવી એ વાત છે. એક તા એધ આપનાર આત્મજ્ઞાની જોઈ એ અને બેધ ગ્રહણ કરનાર સરળ, મધ્યસ્થ, ભૂલભરેલી વિપરીત માન્યતાએથી રહિત, માત્ર આત્મકલ્યાણની જ ઇચ્છાવાળા હાવા જોઈએ; તથા જન્મજરામરણુ આદિ દુઃખાને લીધે જેને સંસાર ઉપરથી અણ્ણમા અથવા વૈરાગ્યભાવ આવ્યેા હેાય અને ક્રોધ, માન, માયા, લાભ આદિ શત્રુઓને જેણે મંદ કર્યાં હોય તથા તેમના નાશ કરવા અને ઇંદ્રિયાનેા અને મનના જય કરવા જેણે દૃઢ નિશ્ચય કર્યાં હાય તે પાત્ર ગણાય છે. આવી પાત્રતા, યાગ્યતા ધરાવનાર મુમુક્ષુ પ્રત્યે લખાયેલા પત્રા શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં છપાયા છે તે તેવી ચેાગ્યતાવાળાને માર્ગદર્શકરૂપ છે, તેમાં પણ તેના મર્મ સમજાવનાર જોઈશે. આ બધી મુશ્કેલીઓથી ગભરાવા કે મુઝાવા જેવું Page #86 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા નથી. તે દૂર થઈ શકે છે અને સર્વના ઉપાય હોય છે, પણ જે રત્નની ખરીદી કરવા નીકળે તેની પાસે રત્ન ખરીદી શકાય તેટલી રકમ હોય તે જ તેની પ્રાપ્તિ થાય છે તેમજ ઝવેરીની દુકાનેથી જ તે મળી શકે, બીજી શાક વેચનાર કે કાપડિયા પાસેથી ન મળે તે પણ ખરું છે. માટે પ્રથમ તે ઘણી માહિતી મેળવવાની જરૂર છે અને તે સંતસમાગમે મહાપુરુષના યુગબળે ઓછી મહેનતે ઘણું કામ થઈ શકે છે, પણ તે જેગ આપને હાલ સંભવ નથી. તેથી જેમ બને તેમ સંસારના બંધનથી છૂટવાને ભાવ અને સદ્દગુરુની પ્રાપ્તિ માટે તીવ્ર ઈચ્છા સેવવા યોગ્ય છે. સંસારનાં બધાં કામ કરતાં મોક્ષનું કામ સર્વોપરી છે એમ હૈયે જ્યાં સુધી નહીં બેસે ત્યાં સુધી આત્માસંબંધી ઓળખાણ કે સદ્દગુરુની ઓળખાણું કરવા જેટલી યોગ્યતા જીવમાં આવતી નથી અને યોગ્યતા વિના સાચી વાત કહેવામાં આવે તે પણ સમજાતી નથી. માટે યોગ્યતા લાવવા પુરુષાર્થ હાલ કર્તવ્ય છે. પર અગાસ, જેઠ સુદ ૫, શ્રુતપંચમી, ગુરુ, ૧૯૮૮ તીર્થક્ષેત્ર અખંડભૂમંડળમાં વિશ્રાંતિકારી શાંતિદાયક શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસથી લિ. સત્પરુષના ચરણકમળની સેવાને ઈચ્છક દાસાનુદાસ બાળ ગોવર્ધનના જય સદ્ગુરુવંદન સ્વીકારવા વિનંતી છે. આ જીવ અનાદિકાળથી મેહને વશ હોવાથી તેની વૃત્તિ બાહ્ય પદાર્થોમાં જ ભમ્યા કરે છે. તેથી પરમકૃપાળુદેવે જણાવ્યું છે કે પગ મૂકતાં પાપ છે, જોતાં ઝેર છે, અને માથે મરણ રહ્યું છે, એ વિચારી આજના દિવસમાં પ્રવેશ કર.” (૨-૩૫) આ વાક્યમાં ઘણી શિખામણ સમાયેલી છે. જીવને મોક્ષમાર્ગની શરૂઆતરૂપ સમકિત પ્રાપ્ત નથી થયું, ત્યાં સુધી પાપમાર્ગમાં જ તેની પ્રવૃત્તિ હોય છે. ગમે તે ક્રિયા ધર્મને નામે જીવ કરે તોપણું તેના ભાવ તે સમકિત વિના મિથ્થારૂપ છે એટલે પાપરૂપ જ ગણાય. તેથી પગ મૂકતાં પાપ છે એમ કહ્યું, તે એમ જણાય છે કે મિથ્યાત્વી જીવ પાપમાર્ગમાં જ પગલાં ભર્યા કરે છે, એ રસ્તે સદ્દગુરુની કૃપાથી બદલાશે ત્યારે મોક્ષમાર્ગ ઉપર દૃષ્ટિ પડશે અને પછી મોક્ષમાર્ગમાં પગલાં ભરશે એટલે પા૫ સદાયને માટે ટળી જશે અને પુણ્ય પાપથી જુદા ભાવ– આત્મભાવના ભાવવાથી નિર્જરા થશે. બીજું, જેમાં ઝેર છે કહ્યું, તે એમ સમજાવવા કહેલું લાગે છે કે જ્યાં જ્યાં નજર પડે છે ત્યાં ત્યાં અજ્ઞાની જીવ ઈષ્ટ-અનિષ્ટની કલ્પના કર્યા વિના રહેતું નથી અને એ રાગદ્વેષવાળી કલ્પનાથી કર્મબંધન થયા કરે છે, તે કર્મબંધનથી જન્મમરણ થયા કરે છે, એટલે ઝેર તે એક ભવમાં મરણ પમાડે અથવા કઈ દવાથી તે ઝેર ઊતરી પણ જાય, પણ આ કર્મબંધનરૂપ ઝેર અનંતકાળથી જન્મમરણ કરાવ્યા કરે છે, પણ એ ઝેર હજી ઊતર્યું નહીં એમ વિચારી એ બાહ્યદષ્ટિ ઉપર કટાક્ષભાવ રાખી સમતા સહનશીલતા શીખવાની જરૂર છે. અને માથે મરણ રહ્યું છે, એમાં ઘણે વૈરાગ્ય ભર્યો છે. ઘણું પુરુષે માથામાં પેળો વાળ દેખાતાં વૈરાગ્યના વિચાર આવવાથી રાજપાટ છેડી આત્મકલ્યાણ કરવા તત્પર થઈ ગયા છે. તેમને એમ વિચાર આવે કે મોતની ફેજના વાવટા દૂરથી ધળા દેખાય છે તેવા ધેળા વાળ એમ સૂચવે છે કે મરણ હવે બહુ દૂર નથી તે ચેતવું હોય તે ચેતી લે. તેથી પ્રમાદ છેડી તેઓ અમર થવા તૈયાર થયા. આપણે Page #87 -------------------------------------------------------------------------- ________________ ૪. આધામૃત પણ મરણના મેાઢામાં બેઠા છીએ, લીધા કે લેશે થઈ રહ્યું છે, તે આ જીવ કયા કાળને ભજે છે તે વિચારવા યેાગ્ય છે. આજના દિવસ આપણા હાથમાં છે ત્યાં સુધી જે સારું કામ— આત્માનું હિત થાય તેવું સત્પુરુષે જણાવેલું કામ કરી લેવું. કાળના કેાને ભાસે છે? ગયે કાળ પાછા આવતા નથી. સમજુ પુરુષો તે અવળાનું સવળું કરી નાખે છે. મુંબઈમાં થતાં તાłાનથી અજ્ઞાની ભય પામે છે, તેમાં જ વૃત્તિ શકી રાખે છે; ત્યારે સમજી જીવા તેથી વૈરાગ્ય પામી મરણુ સમીપ હાય તેવા પ્રસંગે પણ સત્પુરુષનાં વચનામાં જ તલ્લીન રહે છે. આખા લેાક ત્રિવિધ તાપે બળે છે એમ વિચારી સત્પુરુષ અને તેનાં વચના તથા તેનું આપેલું સ્મરણુ તથા આજ્ઞાના નિરંતર વિચાર રાખી નિર્ભય મને છે અને કર્મનું નાટક જોતાં હર્ષ-શાક કરતા નથી. જગતજીવ હૈ કાઁધીના, અચરજ કછુ ન લીના, આપ સ્વભાવમાં રે અમધુ, સદા મગન મન રહેના.” આત્મા અવિનાશી છે. તેના નાશ માનવા એ જ ભ્રાંતિ છે. બાકીની બધી વસ્તુઓ તા બદલાતી છે, નાશ પામનારી છે; તે તે પર્યાયષ્ટિ છેડી દઈ આત્મભાવનામાં વિશેષ કાળ જાય તેમ કર્તવ્ય છેજી, ૫૩ रोकको । होयगा ? सुन भगा ॥ क्यों भूलता शठ फूलता है, देख पर कर थोकको, लाया कहां, ले जायगा क्या फौज भूषण जन्मन मरण तुझ एकलेको, काल केता संग अरु नाहीं लगे तेरे शीख मेरी इन्द्रिनसे जाना न जावे तू चिदानंद स्वसंवेदन करत अनुभव हेत तब પ્રત્યક્ષ હૈ । तन अन्य जन जानो सरूपी, तू अरूपी सत्य है, कर भेदज्ञान सो ध्यान घर निज और बात असत्य है । अलक्ष्य है, મહપુણ્યના ચેાગે આ મનુષ્યભવ પ્રાપ્ત થયા છે. તેની સાથે ઉત્તમ કુળ, વિશુદ્ધમતિ, સત્સંગના યાગ, નીરાગી કાયા એ બધી સામગ્રી દુર્લભ મળી છે. તે વડે કરીને આ સંસારસાગર તરવાના પુરુષાર્થ કર્તવ્ય છેજી. જેમ ઉત્તમ હિમાલય જેવા પર્વતમાંથી ખરક્ ઓગળવાથી પાણીનું પૂર પવિત્ર ગંગાનદીમાં આવે છે, તેના ઉપયાગ કાઈ કાઈ સ્થળે સ્નાન, પાન આદિમાં કાઈ કરે છે, કેાઈ ખેતરામાં પાણી જોઈતું ઉલેચી લઈ પાક પકવે છે, કાઈ તેના વેગથી સંચા ચલાવે છે એમ જેટલા ઉપયેગ તેના કરી લે તેટલું એ મીઠું પવિત્ર પાણી ઉપયેાગમાં આવ્યું, પણ ખાકીના માટે ભાગ દરિયામાં જઈ ખારા પાણી સાથે ભળી પીવા માટે પણ અયેાગ્ય અને છે. તેમ આ મનુષ્યભવની અમૂલ્ય રિદ્ધિ અનેક પ્રાણીઓને પ્રાપ્ત થઈ છે તેને કોઈ ધન કમાવામાં, કેાઈ પરીપકારમાં, કઈ સત્સંગ આદિ સાધનમાં વાપરે છે, તેા કોઈ અધાતિનાં કારણેા મેળવી પરિભ્રમણ વધારવામાં જ દુરુપયોગ કરે અગાસ, સં. ૧૯૮૮ Page #88 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા છે, તે કોઈ ફરી મનુષ્યભવ મળવો મુશ્કેલ થઈ પડે તેમ વ્યર્થ ગુમાવી દે છે. પણ જેને સપુરુષને એગ થયો છે, જેને સમ્યોધરૂપી રત્ન પ્રાપ્ત થયું છે, જેને વ્રત નિયમ આદિ અલભ્ય લાભ મળ્યો છે તેણે તે પૂજી સાચવી તેની વૃદ્ધિ કરવી ઘટે છે'. મરણ આવે તે ભલે, પણ વતને લક્ષ ન ચુકાય એવો દઢ નિશ્ચય કર્તવ્ય છે). “જડ ચલ જગની એંઠને ન ઘટે તુજને ભેગ હો મિત” એમ શ્રી દેવચંદ્રજીએ સ્તવનમાં ગાયું છે તેમ વૈરાગ્યરૂપી ખડ્ઝને કટાઈ ન જવા દેતાં ઉજજવલ રાખી નિરંતર ઉત્તમ ભાવના ભાવવા ગ્ય છે. ખબરદાર મનસૂબાજી ખાંડાની ધારે ચઢવું છે, હિંમત હથિયાર બાંધી રે, સત્ય લડાઈએ લડવું છે, શૂરા થઈ રણમાં ઝૂઝવું છે.” હાલ જે સત્યાગ્રહની લડાઈમાં હજારો લોકે દેશની નિર્ધનતા અને પરાધીનતા દૂર કરવા મથે છે તે જોઈને પણ આપણામાં પરમાર્થ અર્થે રાતન ચઢવા યોગ્ય છે. એક ભવના અલ્પ લાભ અર્થે આટલું બધું સહન કરવા તે તૈયાર થાય છે તો જેને ભવભવનાં દુઃખ દૂર કરી સદ્ગુરુની શીતળ કરુણા દૃષ્ટિને આશરે મેક્ષમાર્ગમાં આગળ વધવું છે તેને અટકાવી શકનાર કેણ છે? મૃત્યુના મુખમાં ઊભેલે પણ નિર્ભયપણે કહી શકે કે મને મારી માન્યતામાંથી ચળાવવા કે વ્રતમાંથી ડગાવવા કેઈ સમર્થ નથી. હવે આટલા ભવમાં તે કાયરતા નહીં જ કરું, મેહરૂપી જુલમી રાજાની સેવા કરીને ભવભવથી હું અનંત દુઃખ વેઠતે આવ્યો છું; પણ કઈ સાચા પુરુષના સમાગમે તેની અપૂર્વ વાણી સત્સંગે સાંભળી છે અને મેહની ઠગાઈ જાણી છે, ત્યારથી હવે મેહ ઉપરથી મેહ ઊઠી ગયો છે. તે હવે માથું જાય, પણ કઈ પણ લાલચ કે મરણત ત્રાસને પ્રસંગે પણ દુઃખની ખાણને સુખરૂપ તે નહીં જ માનું. આવી દઢતા રગેરગ હૃદયમાં ઉતારી દેવા યોગ્ય છે. જેમ ક્ષત્રિય સામે મોઢે છાતી પર ઘા ઝીલે પણ કેઈ કાળે પીઠ ફેરવી દોડી જતા નથી, તેવી રીતે પુરુષના આશ્રિતે સંસારને શરણે કે મેહને શરણે કદી જતા નથી. તે મને મારી નાખવાનો જ લાગ શોધ્યા કરે છે. બાહુબળીજીએ મૂઠી ઉગામી તે ઉગામી તથા રામનું બાણ જે છૂટ્યું તે છૂટ્યું તે કદી નિષ્ફળ ન જાય એમ કહેવાય છે તેમ સત્યરુષની સાક્ષીએ જે વ્રત આદરી મોહની સાથે લડાઈ માંડી છે તેમાંથી પાછું પગલું તે કાયર જ ભરે, સાચે ક્ષત્રિય તો આગળ જ વધ્યા કરે. હવે તે મોહને મર્યો જ છૂટકે છે. પણ મેહ તે મહા કપટી છે અને સદાય જીવને પાડી દેવાને લાગ શોધ્યા જ કરે છે. વૃત્તિઓની છેતરામણીમાં ફસાઈ જવું પણ ન ઘટે કે સન્દુરુષની સાક્ષીએ વ્રત લીધું છે, હવે આપણે શો ડર છે? એમ જે બફમમાં રહે અને મેહનાં નિમિત્તોમાં જે જાગ્રત જીવ ન રહે તે મોટા મુનિઓને પણ તેણે ગબડાવી પાડયા છે, શ્રેણીએ ચઢેલાને પણ નરકમાં નાખ્યા છે. તેથી કુસંગ, કુકથા અને અનિયમિત આહારવિહાર તથા પ્રતિબંધોથી ચેતતા રહી “ભક્તિ શૂરવીરની સાચી, લીધા પછી કેમ મૂકે પાછી” એવી ટેક સહિત વર્તી આત્મવીર્ય સદેદિત ઉજજ્વળ રાખવું. પ્રમાદ એ મહા રિપુ છે. “અવિચાર અને અજ્ઞાન એ સર્વ ક્લેશનું, મેહનું અને માઠી ગતિનું કારણ છે. સદ્દવિચાર અને આત્મજ્ઞાન તે આત્મગતિનું કારણ છે. તેને પ્રથમ સાક્ષાત્ ઉપાય જ્ઞાની પુરુષની Page #89 -------------------------------------------------------------------------- ________________ બેધામૃત આજ્ઞાને વિચારવી એ જ જણાય છે.” (૪૬૦) દૂર રહ્યા જાણું નહીં રે જિનજી, પ્રભુ તુમારે પાસ, દિલડે વસી રહ્યો; ચરણે તેને વિલીએ રે જિનજી, જેહથી સીઝે કામ, દિલડે વસી રહ્યો.” તા. ક. –જેકે મોહનીય કર્મ બધું બગાડી દે એવું છે અને મરણ કેઈને મૂકે એમ નથી માટે ચેતતા રહેવાની જરૂર છે. તૃષ્ણ, વાસના કે પ્રીતિ ઠાર ઠાર થઈ જાય તે તેડી નાખવાની જરૂર છે. આ કળિકાળમાં વૈરાગ્યને વિધ્ર ઘણું હોય છે અને જીવને ધર્મ કરવા જતાં વિદ્મ પાડે છે, પણ જેમ બને તેમ વધારે વખત વાંચવા-વિચારવામાં ગાળવાને રાખી પાયદષ્ટિમાં તણાઈ ન જવાય તે માટે કાળજી રાખવી. બધા પર્યાયે નાશવંત છે, ઠગારું પાટણ છે, ભુલવણીનું ઘર છે એમ માની હવે આત્મા ઉપર આવી જવું. આત્માની જ ચિતવના, આત્માની જ ગવેષણ, આત્માની જ ઉપાસના માટે જીવવું છે એમ રાખી આટલે ભવ ઉત્તમ ભાવનામાં ગાળવામાં આવશે તે અનંત ભવનું સાટું વળી રહેવા જે જોગ પ્રાપ્ત થયેલ છે જાણી ધર્મમાં વૃત્તિ રાખી શાંતિથી જે બની આવે તે કર્યા જવું. પણ અહીં રહેવાય તે સારું અને આમ કરીએ તે ઠીક, એવી તૃષ્ણા-ઈચ્છાઓ ન કરવી. કેઈ ઠેકાણે મરણ છોડનાર નથી, અને અયાચક વૃત્તિએ સદ્ગુરુનું શરણું દઢ ભાવવું. એ જ ૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૫૪ અગાસ, તા. ૧૬-પ-૧૨, સેમ પરમાત્માની ભક્તિ જ જેને પ્રિય છે, એવા પુરુષને એવી કઠણાઈ ન હોય તે પછી ખરા પરમાત્માની તેને ભક્તિ જ નથી એમ સમજવું. અથવા તે ચાહીને પરમાત્માની ઈરછારૂપ માયાએ તેવી કઠણાઈ મોકલવાનું કાર્ય વિસ્મરણ કર્યું છે.” (૨૨૩) જેને દઢ વિશ્વાસ હોય છે, તે દુઃખી હેતે નથી, અથવા દુઃખી હોય તે દુઃખ વેદત નથી. દુઃખ ઊલટું સુખરૂપ થઈ પડે છે. આમેચ્છા એવી જ વર્તે છે કે સંસારમાં પ્રારબ્ધાનુસાર ગમે તેવાં શુભાશુભ ઉદય આવે, પરંતુ તેમાં પ્રીતિ-અપ્રીતિ કરવાને આપણે સંકલ્પ પણ ન કરો.” (૧૩૩) - વિ. આ૫નું કાર્ડ મળ્યું. પવિત્ર પૂને આંખે વેદનીય થયાના સમાચાર જાણું ધર્માનુરાગે ખેદ થયે છે. હે પ્રભુ! કર્મ કોઈને છેડતાં નથી, પણ તે કર્મના ગમે તેવા કઠણુ ઉદયને પણુ પરમાત્માની પ્રસાદી ગણીને પ્રસન્ન ચિત્તે આત્મવીર્ય વિશેષ ફેરવી જે જોગવી લે છે તેમને તે કર્મ દૂર થતાં આત્મા વિશેષ ઉજજવલ થયેલે અનુભવાય છે. આ જગતમાં જે જે ભક્તો પ્રસિદ્ધ થયા છે તે સર્વેએ કષ્ટો સહન કર્યા છે અને પરમાત્માને સંકટ વખતે વિશેષ પ્રેમથી સ્મરણ કરનાર તે શુરવીર ભક્તો વડે પ્રભાવિત ભક્તિમાર્ગ આવા કળિકાળમાં આપણને પણ અવલંબનરૂપ નીવડ્યો છે અને આપણું ઉદ્ધારનું કારણ પણ તે જ ભક્તિમાર્ગ છે. આ જીવ અનાદિકાળથી દેહની કાળજી કરતું આવ્યું છે પણ તેથી કલ્યાણ થયું નથી, પણ જે જે પ્રસંગેએ એ દેહની પ્રિયતા ઘટે, તેનું મિથ્યાહકપણું ઘટે, તેનું પરાધીનપણું, અશુચિપણું અને વંચકપણું, ક્ષણભંગુરપણું સમજાય, તે તે પ્રસંગે જીવને જાગ્રત કરનાર અને Page #90 -------------------------------------------------------------------------- ________________ પસુધા પરમ હિતસ્વી છે. આત્માથી છે તે પાંચ ઇન્દ્રિયરૂપ શત્રનું બળ ઘટે તેવા પ્રસંગોને વધાવી લે છે અને તેવા પ્રસંગે દેહાધ્યાસ ઘટે અથવા છૂટે તેવા સન્દુરુષાર્થને જાગ્રત કરી આ અસાર સંસારમાંથી વૈરાગ્યરૂપ સાર પ્રાપ્ત કરવા સમર્થ થાય છે. મહાપુરુષોની એવી માન્યતા છે કે મિથ્યાત્વસહિત સ્વર્ગનાં સુખ અને ભોગવિલાસ હોય તે ભૂંડાં છે પણ સમ્યકત્વસહિત નરકની અસહ્ય વેદનીય હોય તે પણ તે સારી છે, કારણ કે સમ્યકત્વરૂપી સમજણથી કર્મનું સ્વરૂપ સમજાય છે કે તે છૂટવા માટે આવ્યા છે તેને સમભાવે સહન કરવાથી ફરી ભેગવવાં નહીં પડે અને તેની મુદત પૂરી થયે તે ઊભાં રહેવાનાં પણ નથી. માત્ર જ્યાં સુધી એ પાપકર્મને ઉદય છે ત્યાં સુધી તે આત્મવીર્ય વધારવાનું નિમિત્ત હોવાથી શિથિલ કરી નાખનાર પુણ્યકર્મ કરતાં પણ તે બહુ ઉપયોગી છે એવી સમજણથી શ્રી ગજસુકુમાર જેવા નાની ઉંમરમાં પણ મહાત્માપણું પામી મોક્ષે ગયા છે. મનુષ્યભવ દુર્લભ છે. ભલે રોગી હેય, ખેડખાંપણવાળે હય, સ્ત્રી હોય, પુરુષ હોય, નિધન હો કે શ્રીમંત હે, પણ મનુષ્યભવ છે તે સત્પરુષનાં વચન કાનમાં પડશે, વિચારાશે, સારા ભાવ થશે, પણ તે છૂટી ગયા પછી કંઈ બનનાર નથી. માટે મનુષ્યભવ પામીને આર્તધ્યાન રૌદ્રધ્યાનમાં વખત ન જાય તે જ સાચવી લેવાનું છે. કાળને ભરોસે નથી માટે ચેતી લેવાનું છે. મરણની વેદના આગળ આ વેદના કંઈ ગણતરીમાં નથી અને જેને સહન કરવાની ટેવ પડશે તે સમાધિમરણ માટે તૈયારી કરે છે એ ચેક્સ છે, એમ વિચારી સમભાવ, સહનશીલતા, ચિત્તપ્રસન્નતા, નિરાકુળપણું, ધીરજ, શાંતિ આદિ ખમી ખૂંદવાના ગુણને વધારવા પુરુષાર્થ કર્તવ્ય છે. કેઈનું દુઃખ કોઈથી લઈ શકાતું નથી માટે આ કાળજી રાખતા નથી કે આ સેવા કરતા નથી એવું લાવી ચડિયે સ્વભાવ થવા દે ઘટતું નથી. જે થાય તે જોયા કરવું એ જ શ્રેષ્ઠ ઉપાય છે. આત્માને ધર્મ જાણવું અને દેખવું એ છે, તે સદાય સ્મરણમાં રાખવા યેગ્ય છે. જે જે વેદના થાય છે તે દેહને ધર્મ છે અને પૂર્વે બાંધેલાં એવાં જડ કર્મને વિપાક દેખાય છે તેમાં ચેતનના ભાવ તણાઈ ન જાય, “આમ થાય તે સારું, આમ ન થાય તે સારું” એવા વિકલ્પમાં જીવ ચઢી ન જાય ને માત્ર સ્મરણમાં રહે અને ચૈતન્યસ્વરૂપ શુદ્ધ છે, નિર્વિકલ્પ દ્રષ્ટારૂપ છે તે વારંવાર ધ્યાનમાં રહે માટે પરમકૃપાળુ દેવાધિદેવ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુનું શરણું વારંવાર સ્મૃતિમાં લાવી તેમની સમજ, તેમની સહનશીલતા, તેમની નિષ્કારણ કરુણાને વારંવાર સ્તવવાથી પણ કલ્યાણ થાય છે. સાંસારિક સર્વ સંબંધ તરફથી વૃત્તિ દૂર કરી આત્મકલ્યાણની જ ઈચ્છા કર્તવ્ય છે. આત્મા એકલે છે, અને નિશ્ચયથી તે અસંગ છે, અજર છે, અમર છે, શાશ્વત છે, પરમાનંદસ્વરૂપ છે, તે રેગી નથી, દુઃખી નથી, રાગી નથી, તેવી નથી. આવી આત્મભાવનાથી જ્ઞાની મૃત્યુને પણ મહોત્સવરૂપ માને છે, સંકટમાં સંતેલી રહે છે, ઉપાધિમાં પણ નિરુપાધિક રહે છે, શેકના પ્રસંગમાં પણ આનંદી રહે છે. આત્માનું સુખ જ્ઞાનીઓએ જોયું છે, અનુભવ્યું છે, ઉપદેશ્ય છે તેની જ ભાવના કર્તવ્ય છે. તેના સુખ આગળ ચક્રવર્તીનાં સુખ પણ તરણા તુલ્ય છે અને મરણાંતિક વેદના પણ તે સુખનું હરણ કરી શકતી નથી. રક શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #91 -------------------------------------------------------------------------- ________________ બેધામૃત ૫૫ અગાસ, અષાડ વદ ૮, મંગળ, ૧૯૮૮ પરમકૃપાળુની કૃપા, સંતચરણની છાંય; અપૂર્વ બેધ વિરાગતા, તારે ગ્રહી અમ બાહ્ય. હે પ્રભુ! આ દુષમ કળિકાળમાં સર્વત્ર દુઃખ જ દષ્ટિગોચર થાય છે છતાં આ જીવને વૈરાગ્ય નિરંતર રહેતું નથી એ જ યોગ્યતાની ખામી છે. ક્ષણ ક્ષણ જતાં અનંતકાળ વહી ગયો છતાં કરવાગ્યે આ જીવે કંઈ કર્યું નથી. એક પરમકૃપાળુદેવનું સાચા અંતઃકરણથી શરણ ગ્રહણ કરવા યોગ્ય છેજી. પછી પ્રારબ્ધવશાત્ ગમે ત્યાં કાળ જાય પણ તેના શરણમાં બુદ્ધિ હોય તે વિયેગમાં પણ કેઈનું વિશેષ કલ્યાણ થાય છે. પરમકૃપાળુદેવે વિયેગ અને વિરહ દ્વારા પ. પૂ. પ્રભુશ્રીજીને પરિપક્વ દશા પ્રાપ્ત કરાવી છે. માટે ધીરજ રાખી વિશેષ પુરુષાર્થ ફેરવી ધર્મધ્યાનમાં વિશેષ કાળ જાય તેમ કરવા યોગ્ય છે. પરમકૃપાળુદેવે આ કળિકાળમાં અમૃત વરસાવે તેવા વચનેને વારસો આપણને આપ્યા છે. તેના ગહન અર્થ સમજવા જેટલા ઉપશમ વૈરાગ્યનું બળ આપણામાં નથી, છતાં અમૃત અમૃતનું કામ કર્યા વિના રહે નહીં. તેને સમજવા માટે, તેમાં જણાવેલી આજ્ઞાઓ ઉઠાવવાના ભાવ કરવા માટે જેટલો કાળ ગળાશે તે લેખાને છે, તે કલ્યાણકારી છે. અગાસ, તા. ૫-૮-૩૨ પરમશાંતિપથપ્રદર્શક, અખિલભૂમંડળભૂષણ શ્રી સનાતન જૈન તીર્થસ્થળ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસ ક્ષેત્રથી લિ. પુરુષના ચરણકમલની સેવાને ઈરછક દાસાનુદાસ બાલ ગોવર્ધનના જય સદ્ગુરુવંદન સ્વીકારવા વિનંતી છે. પૂ. મુનિદેવ શ્રી મોહનલાલજી મહારાજની તબિયત બે માસથી નરમ રહેતી પણ હમણાં દશેક દિવસથી વધારે ગંભીર જોખમભરી થઈ ગઈ છે. ઘણું ઉપચાર કર્યા છતાં કોઈ દવાથી હાંફનું દરદ તથા પેટનું દરદ ઓછું થતું નથી. દિવસે દિવસે દરદમાં વધારો થતું જાય છે પણ શુદ્ધિ જાગૃતિ સારી છે. સમતા, સહનશીલતા અને ઉપશમમાં વર્તવું થાય છે. પરમકૃપાળુદેવને પ્રત્યક્ષ સમાગમ જેને થયે છે, તે સજીવન મૂર્તિને સાક્ષાત બોધ શ્રવણ કર્યો છે, મનન કર્યો છે અને તેની જ ભાવના-રૂચિ રહ્યા કરે છે તેને બહાર ગમે તેટલે વેદના-પરિષહ સહન કરવો પડે, પણ જે પ્રજ્ઞા-સમજણ છે તે તે વખતે હાજર જ છે. જે પાપ વગેરે ખોટાં કામ થયાં હોય તેનું ફળ થાય, તે સત્પરુષ અને તેનાં વચનની ઉપાસના કરી હોય તે કેમ નિષ્ફળ હેય? જેને અભ્યાસ પાડી મૂકી હોય તે વારંવાર યાદ આવે, તેમ આત્મકલ્યાણ અર્થે જેણે આયુષ્ય ગાળ્યું હોય તેને આત્મા ગમે તેટલી વેદનામાં પણ ભુલાય નહીં. પ્રત્યક્ષ પુરુષ ઉપરની શ્રદ્ધા અને તેનું ગબળ અપૂર્વ કલ્યાણ કરે છે. પૂ. મુનિદેવ શ્રી મેહનલાલજીએ સર્વ સંઘને ખમાવેલ છેજી. હાલ તીવ્ર વેદનામાં પણ તેમના ભાવ બહુ સારા વર્તે છે એમ પ. પૂ. પ્રભુશ્રીજીના કહેવાથી જાણ્યું છે. તથા શુદ્ધ ઉપગર, નિઃશંકતા”, “પરમકૃપાળુદેવ તમારું શરણ છે એવા શબ્દોના ઉચ્ચારથી પણ સારી જાગૃતિ અંતરમાં જણાય છે. Page #92 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા કળિકાલ કે દુષમકાલમાં નિમિત્ત તો જીવને ધર્મથી દૂર લઈ જાય તેવાં સહેજે મળે છે પણ જે જીવને કલ્યાણ કરવાની ભાવના જાગી છે તેણે તેવાં નિમિત્તોમાં નછૂટકે વર્તવું પડતું હોય છતાં સત્પરુષને સમાગમ, બાધ થયેલ હોય તેની સ્મૃતિ, તેનું બહુમાનપણું, તેની ભાવના, તેણે આપેલા સ્મરણનું હરતાં ફરતાં, બેસતાં, ઊઠતાં વિસ્મરણ ન થાય તેમ વર્તવાની તત્પરતા, જિજ્ઞાસા, ભાવના રાખે તથા અમુક કાળ દિવસના જાગ્રત કાળમાંથી કાઢી લઈ તેમાં પુરુષની વાણુને વિચાર સ્મરણ ભાવના નિયમિતપણે કરે. જીવ જે પ્રમાદમાં આ મનુષ્યભવ ખેઈ બેસશે તે પછી પસ્તા થશે. ધન, કીર્તિ કે ધંધા અર્થે જીવે ઘણાં કષ્ટો વેઠ્યાં છે, હજી તેને માટે આથડે છે; પણ તેથી કંઈ આત્માનું કલ્યાણ થયું નથી. માથે મરણ ભમે છે, કાળ ગટકાં ખાઈ રહ્યો છે, લીધે કે લેશે થઈ રહ્યું છે, તે આ જીવ કયા કાળને ભજે છે? તે વિચારવા યોગ્ય છે. ધર્મ એક સારી વસ્તુ છે. આત્મસ્વભાવ તે ધર્મ છે અને તે જ્ઞાની પુરુષે જાણે છે. હું કંઈ જાણતા નથી પણ જેણે યથાર્થ આત્મા જાણે છે, આત્મારૂપ જે હતા, તે પરમકૃપાળુદેવનું મને શરણું છે. તેની શ્રદ્ધાએ તેના કહેવાથી આત્મા છે, નિત્ય છે, કર્તા છે, જોક્તા છે, મોક્ષ છે, મોક્ષને ઉપાય છે એ છપદની મને શ્રદ્ધા છે એ જ મારે ભાવવા યોગ્ય છે, એ લક્ષ કર્તવ્ય છે. પ૭ અગાસ, તા. ૨૧-૮-૩૨ આપને પત્ર આવ્યા. તે પરમ પૂજ્ય ભાવદયાસાગર પ્રભુશ્રીજીને વંચાવ્યો છેજ. તેઓશ્રીજીએ જણાવ્યું છે કે પર્વાધિરાજ પર્યુષણ ઉપર જે ધર્મધ્યાન ભક્તિભજન આદિ યથાશક્તિ કરવા વિચાર હોય તેમાં પ્રતિબંધ નથી. પૂ. મુનિદેવ શ્રી મેહનલાલજીની શરીરપ્રકૃતિ બહુ ગંભીર જોખમભરી થઈ ગઈ છે. પરંતુ સદ્ગુરુ શરણે યથાશક્તિ સમભાવે વેદવાનું કરે છે. સ્મરણ, ભક્તિભજન વગેરે સારાં નિમિત્તોની વચમાં રહેવાનું હોવાથી તથા પરમકૃપાળુદેવની કૃપાથી આખી જિંદગી સદુધર્મની ઉપાસના કરેલી હોવાથી તેમનું કલ્યાણ જ છે. સમ્યદષ્ટિ જીવને મૃત્યુ મહત્સવરૂપ લાગે છે. ત્રણે લેક ત્રિવિધ તાપથી બળી રહ્યા છે તેમાં સમ્યદૃષ્ટિ છે જ પરમશીતલતામય આત્મિક શાંતિ અનુભવતા હોવાથી સુખી છે. ૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૫૮ અગાસ, ભાદરવા સુદ ૧૧, શનિ, ૧૯૮૮ खामेमि सव्व जीवे, सव्वे जीवा खमंतु मे । मित्ती मे सव्व भूएसु, वेरं मज्झं न केणई ॥ અત્રે પર્યુષણ પર્વનું સદ્દગુરુકૃપાએ રૂડી રીતે પૂજા-પ્રભાવના, ભક્તિભાવ, તપ-વ્રતાદિથી નિર્વિઘે આરાધન થયું છે જી. પાંચ-સાતસે મુમુક્ષુ ભાઈબહેનેને સમુદાય મળે તેજી. ભાદરવા સુદ ૬ને દિવસે પૂ. મુનિદેવ શ્રી મેહનલાલજીની તબિયતમાં એકાએક ફેરફાર જણાયે અને બપોરે સાડા અગિયાર વાગ્યે તેઓ કાળધર્મ પામ્યા. પ. પૂ. પ્રભુશ્રીજીની શુભ શીતલતામય છાયામાં તેમણે દેહત્યાગ કર્યો એ મહાપુણ્યનું ફળ છે. જેમણે પરમ Page #93 -------------------------------------------------------------------------- ________________ ૭૦ બાધાકૃત કૃપાળુદેવનાં સાક્ષાત દર્શન કરેલાં, પ્રત્યક્ષ પુરુષને બે સાંભળેલ અને દઢ શ્રદ્ધારૂપ સમ્યકત્વ પામેલા એવા તે પૂ. મુનિદેવશ્રી આખી જિંદગી પ. પૂ. પ્રભુશ્રીજીના સહવાસમાં આજ્ઞાંકિતપણે ગાળી અપૂર્વ કમાણી ઉપાર્જન કરી દેવગતિ પામ્યા છે. તેમના વિયોગથી આશ્રમમાં બધે ખેદ અને શેકનું વાતાવરણ થઈ રહ્યું છેજી. તેમની ક્ષમા, સહનશીલતા, પરમ વિનય, આજ્ઞાંકિતપણું, પરમપુરુષની દઢ શ્રદ્ધા અને ભક્તિ વારંવાર યાદ આવી તેમના વિયેગનું સ્મરણ તાજું રાખે છે. સર્વ મુમુક્ષુછ પ્રત્યે તેમને વાત્સલ્યભાવ અને બેધનું ઉપકારીપણું વીસરાય તેવું નથી. તેમની સર્વ સંઘને ન પુરાય તેવી ખોટ પડી છે. આવા પ્રસંગે જીવ નજરે જુએ છે છતાં આ ‘અનિત્ય જીવનમાંથી મોહ ઘટતું નથી, પિતાની અશરણુ નિરાધાર સ્થિતિને વિચાર પણ આવતો નથી, જન્મજરામરણને ત્રાસ આવતું નથી એ મોટું આશ્ચર્ય છે. એટલે જીવ આવ્યો છે અને આ સ્વપ્ન જેવા સંસારની સર્વે વસ્તુઓ અહીં જ પડી મૂકી સર્વ કામધંધા અધૂરા મૂકી એકલો ખાલી હાથે પરભવમાં જનાર છે, તેને વિચાર હજી હૃદયને જાગ્રત કરતું નથી. જે જે વસ્તુઓ ઉપર આધાર રાખીને જીવ જીવે છે તે સર્વ નાશવંત છે, પારકી ચેરી લીધેલી ચીજો છે તે મૂક્યા વિના છૂટકો નથી. જેને માટે જીવ અનેક પ્રકારનાં પાપ કરીને પણ આ દુર્લભ મનુષ્યભવને કાળ વ્યર્થ વહી જવા દે છે એ આ દેહ અને દેહના સંબંધીઓ તે પણ "આપણું થવાના નથી, કેઈ આપણા આત્માને હિતકારી નથી. અશુચિમય અને મળમૂત્ર તથા રેગની મૂર્તિ જેવા આ દેહની ગર્ભથી અત્યાર સુધી સેવા કરી છતાં તે વિશ્વાસઘાતી મિત્રની પેઠે આખર દગો દેનાર છે. તેના ઉપરને મેહ જીવને પિતાને વિચાર કરવા દેતું નથી પણ આસવનાં કારણે મેળવી નવા કેદખાન રૂપી બીજા દેહ ઊભા થાય તેવાં કર્મ બંધાવે છે. તેને વિચાર કરી સદ્દગુરુની કૃપાએ સમ્યકત્વ પામવાની હવે નિરંતર ભાવના કર્તવ્ય છેછે. કારણ કે સમ્યક્ત્વ સિવાય સંવર સંભવે નહીં અને સંવર વિના નિર્જરા સાચી રીતે થાય નહીં તથા લેકત્યાગ બને નહીં, તેથી સમ્યકદર્શન, સમ્યકજ્ઞાન, સમ્યક્રચારિત્રરૂપ ધર્મની પ્રાપ્તિ માટે પરમકૃપાળુ પુરુષ શ્રીમદ્ રાજચંદ્રદેવ પર અચળ શ્રદ્ધા, તેમની અપૂર્વ વાણી પ્રત્યે ઉલ્લાસભાવ અને પરમ પ્રેમ તે દુર્લભ સમ્માધિનું કારણ છે. આ સંક્ષેપમાં જણાવેલ બાર ભાવનાઓ ઊંડા વિચારથી વારંવાર આપણે સર્વેએ ભાવવા ગ્ય છે. પરમકૃપાળુદેવે બાર ભાવનાઓને બોધ પ્રથમ પિતાની હયાતીમાં ભાવનાબેધરૂપે પ્રસિદ્ધ કરેલ છે તે મોટા વચનામૃતમાં પણ છે. દષ્ટાંતે સહિત હેવાથી આપણું જેવા બાળ જીવોને બહુ હિતકારી છે. તે વારંવાર વિચારી સત્સંગ બોધનું સેવન કરતા રહેવા વિનંતી છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ નવસારી, વૈશાખ વદ ૪, શનિ, ૧૯૮૯ અનંત કૃપા કરી પરમકૃપાળુદેવે જણાવેલ મંત્ર આ કલિકાલમાં આપણને સંતની કૃપાથી મળે છે તે આપણું મહાભાગ્ય છે. જેમ કેઈ કૂવામાં પડી જાય અને તેના હાથમાં કઈ સાંકળ કે દેરડું આવી જાય તે તે ડૂબી જતું નથી, તેમ મંત્રનું સ્મરણ ઠેઠ મરણ સુધી Page #94 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૭૧ અવલંબરૂપ છે. પુરુષનું એક પણ વચન જે હૃદયમાં પરમપ્રેમથી ધારણ થાય તે આ મનુષ્યજન્મ સફલ થઈ જાય અને તેની ગતિ સુધરી જાય એવું તેનું માહામ્ય છે. લૌકિક બેલની પેઠે તેને સામાન્ય કરી નાખવા જેવું નથી. અલૌકિક દૃષ્ટિથી તેના ઉપર પ્રેમ કર્તવ્ય છે. એવાં આપણું ક્યાંથી ભાગ્ય હોય કે મરણ વખતે તે મહામંત્રને બેલ આપણું કાનમાં પડે! જ્યાં સુધી ભાન રહે ત્યાં સુધી સ્મરણમાં ને સ્મરણમાં જ ચિત્ત રાખવું. જગતનાં સગાંવહાલાં, ધન, વસ્ત્ર, ઘર, ખેતર બધાં અહીં પડી રહેવાના છે તેમાં ચિત્ત રાખવા ગ્ય નથી. ઘરમાં ચિત્ત રહે તે ઉંદર કે ઘરેણું થઈ ત્યાં અવતાર લેવો પડે, ધનમાં ચિત્ત રહે તે સાપ થવું પડે, ઘરેણામાં ચિત્ત રહે તે ધાતુની ખાણમાં ઉત્પન્ન થવું પડે એમ જ્યાં જ્યાં વાસના-તૃષ્ણ રહે ત્યાં ભવ કરવા પડે છે, માટે જેણે સંસારમાં જન્મમરણ થઈ રહ્યાં છે તેથી છૂટવું હોય તેણે પરમકૃપાળુદેવ ઉપર આસ્થા રાખી તેમણે જાણેલે આત્મા ચિંતવવા યેગ્ય છે. મને કંઈ ખબર નથી, પણ એ પરમકૃપાળુ જ્ઞાની પુરુષે જાણ્યું છે, જોયું છે, ઉપદેશ્ય છે તે સાચું છે તે મને માન્ય છે અને તેની મને પ્રાપ્તિ થાઓ એવી ભાવના વારંવાર કર્તવ્ય છે. પરમકૃપાળુદેવના ચિત્રપટનું દર્શન, તેમની આજ્ઞારૂપ વીસ દુહા, ક્ષમાપનાને પાઠ, છપદને પત્ર, મંત્રનું સ્મરણ અને પુરુષનું શરણ, વિશ્વાસ અને તેને આશ્રય કલ્યાણકારી છે એ ભાવના વિશેષ વિશેષ પ્રેમથી કર્તવ્ય છે. સત્પરુષના ગબલથી કંઈ કંઈ પાપી જીનાં પણ કલ્યાણ થઈ ગયાં છે. વિશ્વાસ અને ટેક જોઈએ. કઈ પણ પ્રકારની ઈચ્છા રાખવા યોગ્ય નથી. સંસારને સાવ ભૂલી જઈ એક સપુરુષનું શરણ એ જ મારે ઉદ્ધાર કરનાર છે એ નિશ્ચય કર્તવ્ય છે. વેદના તે વેદના-કાળ પૂરે થયે અવશ્ય દૂર થનાર છે. મટી જાઓ એમ ઈચ્છીએ તો પણ તે મટી જવાની નથી, વધારે થાઓ એમ કો વધારે થવાની નથી. તેથી ધીરજથી, સહનશીલતાથી, સમભાવથી જે વેદની ઉદયમાં આવે તે ખમવાને પુરુષાર્થ કર્તવ્ય છે. દેહ મારો નથી, તે દેહના ધર્મરૂપ જે વેદનીય દેખાય છે તે મારે ધર્મ નથી; પણ જાણવું, દેખવું એ મારે ધર્મ છે એમ સહુરુષોએ કહ્યું છે તે માટે માન્ય કરવું છે. દેહ તે અવશ્ય છૂટવાને છે તેના ઉપર મેહ રાખીને તે ભવ કરવા પડ્યા છે, તે હવે એ દેહ ઉપર મેહ, મમતા મારે નથી કરવાં એ ભાવ કરી સપુરુષ ઉપર, તેનાં વચને ઉપર વિશ્વાસ રાખી તેને શરણે જે થાય તે જોયા કરવાનો દઢ નિશ્ચય કર્તવ્ય છે. ગમે તેટલું ઊંડું પાણી હોય તો પણ હોડીમાં બેસીને નદી જેમ ઊતરી જવાય છે તેમ પુરુષ ઉપર વિશ્વાસ છે તે સંસારસમુદ્રમાંથી તારનાર છે, માટે નિર્ભય રહેવું. આત્મા મરતો નથી. એ તે અજર, અમર, અવિનાશી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છે. જ્ઞાનીએ અનુભવ્યા છે તેવા શુદ્ધ આત્માનું મને શરણું હે ! એ જ દૃષ્ટિ કર્તવ્ય છે: ૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, અષાડ સુદ ૧૩, ૧૯૮૯ ક્ષમાશર અરિહંત પ્રભુ, ક્ષમાદિ અવધાર; ક્ષમા ધર્મ આરાધવા, ક્ષમા કરે સુખકાર.” Page #95 -------------------------------------------------------------------------- ________________ ૭૨ બધામૃત આપને દર્શન-સમાગમની ભાવના રહે છે તે સારી છે. કર્મના ઉદયે ક્ષેત્ર-ફરસના હોય ત્યાં રહેવું, જવું, આવવું થાય છે પરંતુ ભાવ પિતાના હાથમાં છે. જેમ બેટા બેટા ! વિચાર મનમાં આવે છે તેમ જે મનને સારા સારા ભાવમાં રાખવાને અભ્યાસ કરીએ તે. સારા ભાવમાં પણ તે રહે. તેથી જેને આત્માનું કલ્યાણ કરવું છે તેણે તે મનને સદ્ગુરુએ બતાવેલા સાધનમાં રોકવાને અભ્યાસ કર્તવ્ય છે. આડાઅવળી મન ભટકતું હોય તેને મંત્રના સ્મરણમાં કે વીસ દેહરામાં, ક્ષમાપનાના પાઠમાં, આત્મસિદ્ધિમાં કે છપદના પત્રમાં રોકવું ધારીએ તે તેમાં તે રોકાય છે માટે મનને વીલું મૂકવા જેવું નથી. નવરું રહે તે નખોદ વાળી નાખે તે તેને સ્વભાવ છે. સત્સંગ સમાગમને જોગ હોય ત્યારે સહેજે સારાં નિમિત્તો મળતાં રહે છે, પણ તે જેમ ન હોય ત્યારે પુરુષનાં કહેલાં વચન સત્સંગતુલ્ય જાણું અત્યંત ભાવથી વિચારવા યોગ્ય છે, વારંવાર ફેરવવા લાગ્યા છે, તેમાં જણાવેલી ભાવનામાં મનને રાખવા યોગ્ય છે, તથા પાંચ ઇન્દ્રિયના વિષયો ઉપરની આસક્તિ ઘટાડવા યેગ્ય છે, કારણ કે ઈદ્રિ પુદ્ગલને પરિચય કરાવી જીવને પુદ્ગલાનંદી બનાવી દે છે. અનાદિકાળથી જીવને પુદ્ગલને પરિચય ઇદ્રિ દ્વારા થયા કર્યો છે અને પુદ્ગલની પ્રાપ્તિમાં હર્ષશેક જીવ કર્યા કરે છે તેથી પિતાના સ્વભાવને જીવ ભૂલ્યા છે. આ આંટી ઉકેલી જીવને આત્માનંદી બનાવવા માટે સરુના બંધની અને સમજણની જરૂર છે. સદ્ગુરુકૃપાએ જીવની રુચિ બદલાય અને આત્મા ઉપર પ્રેમ, પ્રતીતિ અને આનંદ આવે તે તેને પુદ્ગલાનંદી સ્વભાવ બદલાઈ જાય અને સમ્યકત્વ પામે. આટલું થાય તે આ ભવ સફળ થય ગણવાયેગ્ય છે, રત્નચિંતામણિ ગણવા ગ્ય છે; અને તેમ ન બન્યું તે આ મનુષ્યભવ કેડીની કિંમતને પણ ગણવા ગ્ય નથી. કારણ કે આ દેહે ગમે તેટલી ધન-સંપત્તિ મેળવી હશે તો પણ બધી અહીં જ મૂકી પરભવમાં કરેલાં કર્મ ભેગવવા એકલા જવું પડશે. કશું સાથે જનાર નથી. માટે ચેતી લેવા જેવું છે. આ મનુષ્યભવની સામગ્રી જેવીતેવી નથી. દેવતા પણ ઈચ્છે છે કે મનુષ્યભવ ક્યારે મળે અને મોક્ષને માટે પુરુષાર્થ કરવાને લાગ મળે. એવી દુર્લભ જોગવાઈ આ આપણને મળી છે તે થાં ખાંડવામાં, વિષયકષાયના નિમિત્તમાં નકામી વહી જાય છે તે નિરર્થક વહી જવા દેવા ગ્ય નથી. કાળનો ભરોસો નથી, લીધે કે લેશે થઈ રહ્યું છે માટે ધર્મનું આરાધન જેટલું બને તેટલું કરી લેવા ગ્ય છે). વિનય, ભક્તિ અને આજ્ઞાપૂર્વક સદાચરણમાં વર્તવું એ ઉત્તમ ઉપાય છે. આત્મકલ્યાણ સાધવાને આ અવસર જે જીવ ચૂક્યો તે ફરી આવે અવસર પ્રાપ્ત થ દુર્લભ છે. કાગડા-કૂતરાના જેવા ભવમાં પછી કંઈ નહીં બની શકે. માટે પ્રમાદ તજી જાગ્રત થવા યંગ્ય છે. વૃદ્ધાવસ્થામાં પછી કંઈ નહીં બની શકે. વ્યાધિની વેળાએ કે મરણની વેદનામાં ધારેલું કંઈ બનતું નથી. પણ જ્યાં સુધી શરીર-ઇદ્રિયે સશક્ત છે ત્યાં સુધી જ ધર્મનું પણ કામ કરવું હોય તે થાય છે, માટે ધન આદિ કરતાં ધર્મની વિશેષ કાળજી રાખી આત્મકલ્યાણ માટે રેજ અમુક વખત ગાળવાને નિત્યનિયમ રાખવો ઘટે છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #96 -------------------------------------------------------------------------- ________________ ૬૧ પત્રસુધા ૭૩ અગાસ, તા. ૨૯-૧૦–૩૩ જે જે પુદ્ગલ ફરસના, નિચ્ચે ફરસે સોય; મમતા-સમતા ભાવસે, કર્મ બંધ-ક્ષય હોય, વીતી તાહિ વિચાર કે, આગેકી શ્ધ લે; જ બની આવે સહેજમેં, તાહિમેં ચિત્ત દે. પ્રારબ્ધ પ્રમાણે કુળ, જ્ઞાતિ, ગામ આદિ જેમ પ્રાપ્ત થયાં છે તેમ ધન, સંપત્તિ, સુખ, દુઃખ આદિ પણ પ્રાપ્ત થાય છે. તેને અંગે ધંધા આદિ કારણે સંસ્કાર અનુસાર ચેતન-અચેતન પદાર્થોના પ્રસંગમાં જીવ આવે છે. પરંતુ નવીન કર્મને બંધ પિતાના વર્તમાન ભાવ-પરિણામ ઉપર આધાર રાખે છે. જે શુભ ભાવ–સદાચરણના, ન્યાયનીતિના કે પરોપકારના–વર્તતા હોય તે જીવ પુણ્ય બાંધે છે, તેમ જ ઈર્ષા, અદેખાઈ, પરનું અહિત કરવાના, પાપ-આચરણના, સાંસારિક જોગ ભોગવવાના ભાવ વર્તતા હોય છે તેથી પાપ બંધાય છે. આમ પુણ્ય-પાપ બાંધી તેનાં ફળ સુખદુઃખ ઉદયમાં આવે છે ત્યારે તે જીવ ભોગવે છે. વળી પાછો ભોગવતાં જેવા ભાવ કરે છે તેવાં કર્મ બાંધે છે. એમ અનાદિકાળથી સંસાર-પરિભ્રમણમાં જીવ ભમે છે. પરમકૃપાળુદેવે આત્મસિદ્ધિમાં જણાવ્યું છે – બ્ધી કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ; તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મિક્ષસ્વભાવ.” આટલી એક ગાથામાં આખું સંસારનું સ્વરૂપ અને તેથી મુક્ત થવાનું સ્વરૂપ પણ સાથે આવી જાય છે, પરંતુ ગ્યતા પ્રમાણે સમજાવા ગ્ય છે. આસો વદ ૧ આત્મસિદ્ધિને જન્મદિવસ છે. તે દિવસે પ. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ જણાવ્યું હતું કે આત્મસિદ્ધિમાં ચૌદપૂર્વને સાર છે, આખો આત્મા પ્રકાશ્ય છે પણ તેનું માહામ્ય શી રીતે સમજાય? પહેલી તે પરમકૃપાળુદેવ ઉપર શ્રદ્ધા જોઈએ. તે પરમપુરુષ ઉપર દઢ વિશ્વાસ આવી જાય તે પણ આ ભવમાં કામ થઈ જાય. તે પુરુષ-પ્રતીતિથી તેના વચનની પ્રતીતિ આવે અને ઉપશમ, ત્યાગ, વૈરાગ્યનું બળ વધે તેમ જીવની યોગ્યતા આવે એટલે આત્મસ્વરૂપનું ભાન પણ થાય. બંધ અને વૈરાગ્યની જીવન જરૂર છે, તેને માટે સત્સંગ, સપુરુષને સમાગમ અને તેની આજ્ઞાનું આરાધન કર્તવ્ય છે. ભક્તિના વીસ દેહરા, ક્ષમાપનાને પાઠ, આત્મસિદ્ધિ, સામાયિક પાઠ વગેરે જે કંઈ મુખપાઠ કરવાનું કે સ્મરણ વગેરે નિત્યનિયમ તરીકે કરવા ગ્ય કહ્યું છે તે અવશ્ય કરવું. પ્રમાદ જે કેઈ શત્રુ નથી માટે રાતદિવસના ચોવીસ કલાકમાંથી ધર્મકાર્ય માટે અમુક કાળ અવશ્ય કાઢો અને આપણી સાથે હોય તેમને પણ ધર્મકાર્યમાં જોડવા એ સ્વપરહિતનું કારણ છે. કામધંધામાંથી જે વખત બચે તે નાટક, સિનેમા કે પત્તા-પાટ વગેરે રમતમાં તથા નકામી વાતમાં વહી જવા દે યોગ્ય નથી. મનુષ્યભવ બહુ દુર્લભ છે. મેક્ષ પામવા યેગ્ય એક મનુષ્યગતિ જ છે અને તે વારંવાર પ્રાપ્ત થતી નથી, એમ વિચારી પરમકૃપાળુ દેવનાં વચને પરિચય વિશેષ રાખો. જેમ વાછડું ગાય પાછળ ધાવવા ફરે તેમ સહુરૂષનાં વચને પ્રત્યે પ્રેમ-પ્રતીતિ રાખી તેનું જેટલું વિશેષ સેવન થશે તેટલે આત્મા વિશેષ પિપાશે. Page #97 -------------------------------------------------------------------------- ________________ બાધામૃત ધર્મકાર્યમાં કાઈ ના ભાગ નથી, કેાઈ લૂંટી લે તેમ નથી, મળી જાય કે નાશ થાય તેમ નથી. માટે કાળજી રાખીને જ્યાં સુધી રાગ આવ્યે નથી, વૃદ્ધાવસ્થાના દુઃખે દેખાવ દીધા નથી, અને સત્પુરુષાર્થ ખની શકે એમ છે ત્યાં સુધી આત્માનું હિત થાય તેવી વિચારણા, આચરણા, ભાવના કરી લેવા ચેાગ્ય છે. પછીથી પસ્તાવેા ન થાય તેવી રીતે જીવન ગાળવાની ટેવ પાડવા યેાગ્ય છે. નથી ધર્યાં દેહ વિષય વધારવા, નથી ધર્યાં દેહ પરિગ્રહ ધારવા.” (૧૫) કર દ્રવ્યદૃષ્ટિએઁ વસ્તુ સ્થિર, પાઁય અસ્થિર નિહાર; ઉપજત વિષ્ણુસત દેખકે, હર્ષ વિષાદ નિવાર.” અગાસ, તા. ૧૯-૨-૩૪ વેદની શાતારૂપ હા કે અશાતારૂપ હા પણુ અને શરીરના ધર્મ છે અને ખાંધેલાં કમાનું ફળ છે, પરંતુ નવાં તેવાં કર્મ ન બંધાય તે માટે હવે જીવે. પુરુષાર્થ કરવા ઘટે છે કેમ કે ઉદય આવેલાં કર્મ તે ચક્રવર્તી, ઇન્દ્ર કે તીર્થંકર જેવાને પણ ભાગવવાં પડે છે. આપણે ભાગવ્યા વિના કેવી રીતે છૂટીએ? પણ જેણે સત્પુરુષ પાસે બેષ સાંભળ્યેા છે, સત્પુરુષ ઉપર શ્રદ્ધા જેને થઈ છે અને સત્પુરુષની આજ્ઞામાં જ વર્તવાના જેને ભાવ છે તેણે આવા પ્રસંગે આર્દ્રધ્યાન ન થાય અને બને તેટલાં સમતા, સહનશીલતા, ધીરજ અને શાંતિવાળાં પરિણામ રાખવા પુરુષાર્થ કર્તવ્ય છે. દેહના સ્વભાવ સડવા, પડવા અને વિષ્ણુસવાના છે અને આખરે તે દશે। દેનાર છે, એમ જાણી નાશવાન શરીરના કરતાં અવિનાશી આત્મા જે સત્પુરુષે જાણ્યા છે તેને વિશેષ સંભારી તેની કાળજી તેના લક્ષ વારંવાર લેવા યેાગ્ય છે. સત્સંગ સમાગમે જે મેધ થયેા હાય, જે આજ્ઞા થઈ હાય, સ્મરણ, ભક્તિના વીસ દોહરા, ક્ષમાપનાના પાઠ વગેરે સુખપાઠ કર્યું. હાય તેમાં ચિત્ત વિશેષ રાખવાના અભ્યાસ રાખીએ તે મનને દેહાર્દિની કલ્પનામાંથી છૂટી ખીજું કામ કરવું પડે, તેથી ઘણેા લાભ થાય. જીવે સામાન્ય કરી નાખ્યું છે, નહીં તે સત્પુરુષનું એક વચન પણ સાચા અંતઃકરણુથી માન્ય થાય તેા કલ્યાણ થઈ જાય તેવું છે, પણ અનિત્ય પદાર્થીના મેહ આડે રત્નચિંતામણિ જેવાં સત્પુરુષનાં વચનાનું માહાત્મ્ય લાગતું નથી. મરતી વખતે સ્મરણુ કાનમાં પડતાં ઘણાની ગતિ સારી થઈ ગઈ છે એમ આપણે સાંભળ્યું છે, માનીએ છીએ; પણ “ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે અહા રાચી રહે?”” એમ પરમકૃપાળુદેવે પરમકૃપા કરી જણાવ્યું છે તે આપણુને વારંવાર પળે પળે સાંભરતું નથી એ આપણી યેાગ્યતાની ખામી છે. ક્ષણે ક્ષણે જીવ વિભાવમાં વર્તીને મરી રહ્યો છે, તે વખતે મહાપુરુષનાં વચન સ્મૃતિમાં આવે તે કેવા લાભ થાય? પણ કલ્યાણ કરવાના સાચા ભાવ જાગૃત થયા નથી. નહીં ત અમૂલ્ય તથા દેવને પણ દુર્તંભ એવા આ મનુષ્યદેહ, ઉત્તમ કુળ, સત્સંગના ચૈાગ, સાધ વગેરે ઉત્તમ સામગ્રી મળેલી ક્ષણે ક્ષણે વહી જતી જોઈ જીવને ત્રાસ કેમ ન લાગે? આવા લાગ કરાડા ભવમાં પૂર્વે અન્યા નથી, નહીં તે પરિભ્રમણુ હાત નહીં. તેથી આ ઉત્તમ વેપાર કરવાના વખત ચૂકવા ચેાગ્ય નથી, ૐ શાંતિ: શાંતિ: શાંતિ: Page #98 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૭૫ અગાસ, તા. ૧૮-૩-૩૪ ફાગણ સુદ ૧૩, ૧૯૯૦ “પ્રભુ ભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન, પ્રભુ મેળવવા ગુરુ ભગવાન, ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય, તે ઊપજવા પૂર્વિક ભાગ્ય; તેમ નહીં તે કંઈ સત્સંગ, તેમ નહીં તે કંઈ દુઃખરંગ.” (૧૦૭) પૂર્વપુણ્યના ઉદયથી, મને સદ્ગુરુ-ગ; વચન-સુધા શ્રવણે જતાં, થયું હૃદય ગતશેગ.” (૧૫૪) વિ. આપનો પત્ર મળે છે. પ. પૂ. પ્રભુશ્રીની સૂચના પ્રમાણે આ પત્ર આપને લખે છેજ. મનુષ્યભવ મળ મહાદુર્લભ છે, તેમાં ધર્મ કરવાની ભાવના ઉત્પન્ન થવી પણ દુર્લભ છે. ધર્મને નામે કિયા કરનારમાંથી જેમને પુરુષને યંગ થયે હેાય અને તેની આજ્ઞા મળી હોય તે પ્રમાણે વર્તનાર બહુ થોડા જીવે છે. પુરુષને બેધ મળ બહુ દુર્લભ છે. તેમણે જણાવ્યા પ્રમાણે વર્તવું કે તેમ વર્તવાની તીવ્ર ઈચ્છા રાખવી પણું બહુ મુશ્કેલ છે, ઘણું કાળને બધે આત્માની ઓળખાણ થાય છે. પણ જેમણે સાચા પુરુષનું શરણું ગ્રહણ કર્યું છે તેને વહેલેમડે આત્મજ્ઞાન થવા ગ્ય છે. તેનું મુખ્ય સાધન ભક્તિ છે, સ્મરણ છે, બેધનું શ્રવણ છે. પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રને ચિત્રપટ તમારી પાસે હશે. તેમનાં દર્શન કરી વીસ દોહરા, ક્ષમાપનાને પાઠ, આત્મસિદ્ધિ, મંત્રનું સ્મરણ વગેરે નિત્ય, શરીર ઠીક હોય ત્યારે કર્તવ્ય છે. એક પરમકૃપાળુદેવ ઉપર અચળ વિશ્વાસ, શ્રદ્ધા રાખી તેણે જણાવેલા મંત્રનું સ્મરણ કરીશું તે અવશ્ય કલ્યાણ થશે. ઘરેણાં, ઘન, ઘર, ખેતર, સગાંવહાલાં અને છેવટે દેહ કરતાં પણ વધારે પ્રેમ શ્રી પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ ઉપર કર્તવ્ય છે. પરમપૂજ્ય મહારાજશ્રીએ આપણને આ ભક્તિમાર્ગે ચઢાવ્યા તે તેમને પરમ ઉપકાર છે; પણ પ્રેમ, ભક્તિ, વિશ્વાસ, આશ્રય પરમકૃપાળુદેવને સાચા હૃદયથી કરવા યોગ્ય છે. આ શિખામણ ભૂલવા ગ્ય નથી. મંદવાડને વખતે કે મરણ પ્રસંગે જ્યાં સુધી ભાન હોય ત્યાં સુધી પરમકૃપાળુદેવના ચિત્રપટના દર્શન અને “સહજત્મસ્વરૂપ પરમગુરુ મંત્રનું સ્મરણ મનમાં રાખી એક એ જ પરમપુરુષને શરણે અને તેને આશરે આ દેહ છોડવા યોગ્ય છે. તે અવશ્ય આત્મકલ્યાણ થશે. આટલી વાત હુદયમાં કેતરી રાખી વારંવાર વિચારવા લાગ્ય છે. આ બાજુ આવવાનું થાય ત્યારે દર્શનાર્થે આવવાનું રાખશે. મનમાં કશે ઉચાટ રાખશો નહીં. જેવાં કર્મ બાંધ્યાં હોય તેવાં ભેગવવાં પડે છે. પણ મન અહીં રાખશે તે તમે અહીં જ છે. અને અહીં રહેનારનું મન બીજે હોય તે તે બીજે છે. માટે મનને પુરુષનાં વચનમાં રાખશે તે તે મહેનતનું ફળ અલેખે નહીં જાય. ન સમજાતું હોય તે પણ મનને આત્મસિદ્ધિ, છ પદને પત્ર વગેરે વિચારમાં જોડવું. એમ પુરુષાર્થ કરશે તે સદ્ગુરુકૃપાથી બોધને વેગ મળતાં સમજાય તેવી ભૂમિકા તૈયાર થશે. જેમ બને તેમ સંસારને મેહ ઓછો કરી વૈરાગ્ય રાખી પ્રવર્તવાનું કરવા યંગ્ય છે. ભાવ, આત્માનું કલ્યાણ કરવાને રાખ્યા કરશે તે બહુ લાભ થશે. “આતમભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે.” ૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #99 -------------------------------------------------------------------------- ________________ બોધામૃત અગાસ, તા. પ-પ-૩૪, શનિ ' મનુષ્યભવ દુર્લભ છે. ફરી ફરી કલ્યાણ કરવાની આવી તક આવવી દુર્લભ છે. તે જે વ્રતનિયમ તથા નિત્યનિયમ વગેરે ધર્મકાર્ય સદ્ગુરુની આજ્ઞાએ કરવા ગ્ય છે તેમાં શિથિલતા ન આવે તેમ વર્તવા યોગ્ય છે. ખોટા મિત્રો, ખોટાં પુસ્તક, નાટક, સિનેમા વગેરે વિકારને પિષે તેવા પ્રસંગોથી દૂર રહેવું. સત્સંગની ભાવના રાખી સામાયિકપાઠ, સ્મરણ, આત્મસિદ્ધિ વગેરે યથાશક્તિ કરતા રહેવા ભલામણ છે. અવકાશને વખત ગપ્પાંમાં કે ગંજીફા વગેરે રમતમાં કે પ્રમાદમાં વહ્યો ન જાય તેની કાળજી રાખી ધર્મધ્યાન, સવાંચન, સદ્દવિચાર વગેરેમાં કાળ ગાળવા ગ્ય છે. ૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૧૪-૫-૩૪ તત ૩૪ સત વૈશાખ સુદ ૧, સેમ, ૧૯૯૦ “પ્રભુપદ દઢ મન રાખીને, કરવો સૌ વ્યવહાર; વિરતિ, વિવેક વધારીને, તરે આ સંસાર.” લેવાનું સોનું બનાવે તેવા પારસમણિ કરતાં પણ વિશેષ મૂલ્યવાન એવો આ મનુષ્યદેહ પ્રાપ્ત થયેલ છે તેને પશુની પેઠે આહાર, નિદ્રા, ભય, મૈથુન અને પરિગ્રહ એકઠા કરવા અર્થે ગાળવા ગ્ય નથી. પૂર્વ પ્રારબ્ધ પ્રમાણે ગમે તે પ્રવૃત્તિ કરવી પડે, ગમે તે દૂર દેશમાં રહેવું પડે, સુખ-દુઃખ દેખવાં પડે, પણ ન્યાયનીતિ અને આત્મકલ્યાણને લક્ષ ભૂલી જવા ગ્ય નથી. સદ્દગુરુની આજ્ઞા એ જ કલ્યાણનું કારણ છે તેથી તેને વિચાર, તેની ભાવના, સત્સંગયેગે જે શ્રવણ કરેલ બોધ તેમાં વૃત્તિ રાખી ધર્મભાવના પિષતા રહેવા ગ્ય છે. વીસ દોહરા, ક્ષમાપનાને પાઠ, સ્મરણ, આત્મસિદ્ધિ, સામાયિક પાઠ વગેરે કલ્યાણનાં નિમિત્તો માટે વખત બચાવી, સત્સંગના વિયેગમાં વિશેષ ઉત્સાહથી વર્તવું. ૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૪-૭-૩૪ તત 8 સત જેઠ વદ ૭, બુધ, ૧૯૯૦ આપને પત્રના ઉત્તરમાં તેઓશ્રીએ જણાવ્યું છે કે વ્રત બટાકા, શકરિયાં, સૂરણ, રતાળુ, મૂળા, ડુંગળી, ગાજર ન ખાવાનું જીવતાં સુધી તમે ધાર્યું છે તેમ પાળજે અને અહીં આવવાનું બને ત્યારે પ્રત્યાખ્યાન એટલે પચખાણ-નિયમ લઈ લેજે. ભૂલ ન થાય તે ખાસ સાચવવું. ત્યાગ કર્યા પછી તે તે વસ્તુઓની ઈચ્છા ન થાય અને શિથિલતા ન આવી જાય તે સાચવવાનું છે. જેટલું બને તેટલું, ડું તે થોડું, પણ દઢતાથી પાળવું. ટેક પાળે તેને ઘણો લાભ થાય છે અને તેઓ તેને ઘણી હાનિ થાય છે. એક આત્માર્થ સાધવાની ભાવના, જન્મજરામરણને નાશ કરી મોક્ષની અભિલાષા કર્તવ્ય છે. સાંસારિક કઈ ઈચ્છા રાખીને ધર્મ આરાધવાયેગ્ય નથી. પરમકૃપાળુદેવ ઉપર આસ્થા વધે અને સંસાર સેવવાના ભાવ મેળ પડે એ લક્ષ રાખી વૈરાગ્ય-ઉપશમ વધારવા ગ્ય છે. ગમે ત્યાં બેઠાં રાગદ્વેષ મુકાશે ત્યાં મેક્ષ થશે એ પરમકૃપાળુદેવનું વચન છે'. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #100 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૭૭ અગાસ, તા. ૧૨-૪-૩૪ સેરઠો - ધિક્ ધિક પડો રે સંસાર, જીવિત થડે ને દુઃખ ઘણે; કરીએ ધર્મ વિચાર, પરભવ નિશ્ચય ચાલશે.” સામાન્ય એવી કહેવત છે કે વૈરાગ્યમાં વિઘ ઘણાં.” ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજી વારંવાર જણાવે છે તેમ “આ જગત ધૂતારું પાટણ છે; જાગે તે જીવે, ઊધે તે મરે.” આ લોક વિઘો, લેશે, દુઃખ અને ત્રિવિધ તાપથી ભરેલો છે. એવા ભયભરેલા સંસારમાં નિર્ભય રહેવા યોગ્ય નથી. કેઈ માતારૂપે, કોઈ પિતારૂપે, કોઈ પુત્રરૂપે, કોઈ ભાઈરૂપે, કોઈ ભત્રીજારૂપે, કઈ ભત્રીજીરૂપે, કોઈ પત્નીરૂપે, કઈ પતિરૂપે આ સંસારસમુદ્રમાં મગરની પેઠે આપણને ઊંડા જળમાં ખેંચી જવા મથે છે; અનેક પ્રકારની કલ્પનાઓ રૂપી વમળમાં આ જીવ ગૂંચાય છે. માથે મરણ ભમે છે. લીધે કે લેશે થઈ રહ્યું છે. આંગળી આપતાં પંચે પકડી લે એ સંસારને વ્યવહાર છે, તેમાંથી બચવાને ઉપાય એક પુરુષની વાણી, સપુરુષ ઉપર શ્રદ્ધા, તેની આજ્ઞા ઉપાસવાની તત્પરતા એ છે. આટલું છતાં પણ પૂર્વકર્મ તે ઉદયમાં આવવાનાં જ. પરંતુ “શરણ કરે બળિયાતણું” તે તે કર્મને નાશ થવાનો છે, ફરી તે કર્મો આવવાનાં નથી. પ્રારબ્ધ અને પુરુષાર્થ એ બન્નેમાં બળવાન પુરુષાર્થ છે અને તે હાલ આપણું હાથમાં છે. પ્રારબ્ધને તે ઉદય વેદ પડશે તે હાથમાં નથી, પણ સપુરુષાર્થ થઈ શકે તેટલે કર્તવ્ય છે. જેમ પ્રારબ્ધ વિપરીત હોય તો વિજ્ઞરૂપે નડે છે, તેમ અનુકૂળ પ્રારબ્ધથી મનુષ્યભવ, ઉત્તમ કુળ, સત્સંગને વેગ, સદૂધની પ્રાપ્તિ આદિ પ્રાપ્ત થયાં છે. અને જે પુરુષાર્થને જોગ હવે સદુથુરુકૃપાએ બને તે આ ભવ સફળ થઈ જાય તેવી સામગ્રી પ્રાપ્ત થઈ છે. એમ કહેવાય છે કે “કંઈક આપકા બળ અને કંઈક દેવકા બળ” એમ બે હાથે તાળી પડે છે. સત્પરુષે આપણને મેહનિદ્રામાંથી જગાડવા પિકારી પિકારીને કહી ગયા છે અને કહે છે, પણ તે માનવું, તેવા ભાવ કરવા, તેમ વર્તવું તે આપણું હાથની વાત છે. પરમકૃપાળુદેવે ચૌદપૂર્વના દેહનરૂપ આત્મસિદ્ધિ રચી મહાઉપકાર કર્યો, તેના અધિકારી જીવાત્માઓને તે મોકલાવી, સધરૂપી જળ સીંચી તે વડે આત્માની સિદ્ધિ કરાવી અને તેમના દ્વારા ઘણું ભવ્ય જીના આત્માનું કલ્યાણ થશે. આત્મસિદ્ધિના જન્મમહોત્સવને દિવસે આપણે ગાથાએ ગાથાએ નમસ્કાર કરી તેનું ધ્યાનપણું કરીએ છીએ, પણ કેઈ નવા અપરિચિત માણસને તે આત્મસિદ્ધિનું માહાસ્ય ક્યાંથી સમજાય? અને આપણે પણ હજી ઘણું સમજવાનું છે. તેવાં નિમિત્તો સત્સંગાદિ મળે તે કલ્યાણ થાય છે. તે સર્વ નિમિત્તોમાં સર્વોત્તમ નિમિત્ત આ આશ્રમનું સ્થળ છે. પૂ. સ્વ. ત્રિકમભાઈ દંતાલીવાળાને આશ્રમમાં દેહ છૂટી ગયે તે પ્રસંગે પ. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ જણાવ્યું હતું કે પરમકૃપાળુદેવનું અલૌકિક ગબળ અહીં વર્તે છે. જેમને દેહ આ આશ્રમમાં છૂટ્યો છે તે સર્વની દેવગતિ થઈ છે. પરમકૃપાળુદેવની શ્રદ્ધા વધે અને આત્મહિત થાય તેવું અલૌકિક આટલું સ્થળ બન્યું છે. મહાભાગ્યશાળી હશે તેને દેહ અહીં છૂટશે. જે આજીવિકાની અડચણ ન હોય તે અહીં જ આયુષ્ય ગાળવા ગ્ય છે. ધર્મ ધર્મ અને ધર્મના જ સંસ્કાર રાતદિવસ પડ્યા કરે એમ અહીં બધું વર્તન છે. નિમિત્તાધીન જીવની વૃત્તિ છે તેથી સારાં Page #101 -------------------------------------------------------------------------- ________________ ૭૮ - બેધામૃત નિમિત્ત મેળવવા પુરુષાર્થ કર્તવ્ય છે. ક્ષણ લાખેણું જાય છે. આવો જોગ ફરી મળ દુર્લભ છે. પુરુષના ગે જેટલું બનશે તેટલું પછી જીવ ગમે તેટલું પિતાની મેળે કરવા મથશે તે પણ થવું મુશ્કેલ છે. કરોડો રૂપિયા મળતા હોય તે પણ તેની કિંમત સત્સંગ આગળ તુરછ છે. સત્સંગનું, પુરુષના વેગનું માહામ્ય બહુ બહુ વિચારી જીવમાં દઢ કરવા ગ્ય | ‘ક્ષનષિ સંક્રાંતિ, મવતિ મવાળવતર નૌ1 ' એક લવ સત્સંગ પણ કોટિ કર્મોને નાશ કરવા સમર્થ છે. મરણ વખતે જીવ અશરણું છે, તે વખતે કરે રૂપિયા એકઠા કરેલા પડ્યા રહેવાના છે, સગાં-કુટુંબી કઈ કામ આવતું નથી; એક સપુરુષનું વચન, તેની પ્રતીતિ કે શરણભાવ જે કામ આવે છે, શાંતિ આપે છે તેવું બીજું કંઈ કામ આવતું નથી. મરણ અવસર મહોત્સવ જેવો લાગે એ કેવી કમાણી છે તે વારંવાર વિચારવા યોગ્ય છે. એવા સંસ્કાર દઢ થવા માટે નિરંતર સત્સમાગમ અને બેધની જરૂર છે. તેથી તરવાના કામીએ તે બીજી જંજાળ તજી પિતાના આત્મહિતની વૃદ્ધિ થાય તેવાં નિમિત્ત માટે કલાજ તજી, સગાંવહાલાંનાં મહેણું સહન કરવો પડે તે તે પણું સહન કરીને, અનેક વિડ્યો કે પ્રતિકૂળતાઓ વેઠવી પડે તે વેઠીને આ ભવમાં તે આ આત્માની જ સંભાળ લેવી છે એવો દઢ નિશ્ચય કરી જગતને પૂઠ દેવા ગ્ય છે. “જબ જાગેગે આતમા, તબ લાગેગે રંગ” એમ પરમકૃપાળુદેવે લખ્યું છે તે પરમસત્ય છે. ૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૬૮ અગાસ, આ સુદ ૧૦, ૧૯૯૦ શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય, તે કોઈ અન્ય લઈ ન શકાય, એ ભગવે એક સ્વઆત્મ પિતે, એકત્વ એથી નય સુજ્ઞ ગેતે, સર્વજ્ઞને ધર્મ સુશર્ણ જાણી, આરાધ્ય, આરાધ્ય, પ્રભાવ આણી; અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કેઈ ન બાંહ્ય હશે. આપનાં માતુશ્રીને વિશેષ માંદગી રહે છે એમ જણાવ્યું તે જાણ્યું છે. તેમને સ્મરણ કરતા રહેવાનું ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ જણાવ્યું છેજી તથા વીસ દેહરા, ક્ષમાપનાને પાઠ, મંત્ર વગેરે તેમને સંભળાવતા રહેશોજી. વિશેષમાં તેમણે જણાવ્યું છે કે વેદનાથી મૂંઝાવું નહીં, ગભરાવું નહીં. પૂર્વે બાંધેલાં કર્મને ઉદય છે, તે જાય છે, જવા આવ્યું છે. ગયા પછી તે આવવાનું નથી. જેટલું જાય છે તેટલું દુઃખ ઓછું થાય છે એમ જાણી ધીરજ રાખવી. સમભાવે સહન કરવું. ખમી ખૂંદવું. આર્તધ્યાન, રૌદ્રધ્યાન કરવાથી ઊલટું એવું બીજું ભવિષ્યમાં ભેગવવું પડે તેવું કર્મ બંધાય છે માટે ફિકર, ચિંતા, ખેદ, શોક કરે નહીં. વગર બેલાબે કર્મ આવ્યું છે તેમ તેની મેળે તે જતું રહેશે. ધીરજ, શાંતિ, સમતા, ક્ષમા રાખી ખમી ખૂંદવાથી ધર્મ નીપજે છે અને પૂર્વે બાંધેલું કર્મ ચાલ્યું જાય છે. હાયેય કરીએ, ગમે તેટલો ઉચાટશેક કરીએ, માથું ફૂટીએ તોપણ કર્મ કંઈ ઉદયમાં આવ્યા વગર રહેવાનું નથી. દુઃખ ભોગવ્યા વગર છૂટકે નથી. આપણે બાંધેલાં આપણે જ ભોગવવાં Page #102 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા પડશે. પણ તે વખતે સમજણું રાખીને ધીરજ રાખે તેને નવાં કર્મ ન બંધાય. રોગ અને વ્યાધિ વગેરે શરીરમાં થાય છે. દેહને ધર્મ સડી જવાને, પડી જવાને છે, કોઈને અજર, અમર દેહ રહ્યો નથી, તે પછી આપણે એ વેદનાની મૂર્તિ જેવા દેહમાંથી સુખ ઈચ્છીએ તે પણ મળે એવું નથી. આખરે દેહ દગે દેનાર છે. માટે એ દેહ ઉપરને મેહ તજીને આત્માને વિચાર કરો એગ્ય છે. આત્મા નિત્ય છે. કદી આત્મા મરતે નથી, સડતે નથી, રેગી થતું નથી, ઘરડો થતું નથી. તે અદ્ય, અભેદ્ય, જન્મમરણથી રહિત છે, અસંગસ્વરૂપ છે. જ્ઞાન આત્માને સ્વભાવ હોવાથી દેહમાં જે જે વ્યાધિ થાય છે તેને જાણે છે; પરંતુ મને થાય છે, મારાથી નથી ખમાતું, મને આ નથી ગમતું, ક્યારે મટી જશે વગેરે થાય છે તે દેહ ઉપરના મેહને લઈને અને સહન કરવાને અભ્યાસ નથી પડ્યો તેને લઈને લાગે છે. પણ હવે આ દેહને વિશ્વાસ કરવા ગ્ય નથી. દેહ, પુત્ર, કુટુંબ, ખેતર, . ઘર એ કંઈ મારું નથી, એમ વિચારી બધા ઉપરથી મન ઉઠાવી એક પરમકૃપાળુદેવનું શરણું ગ્રહણ કરી જ્યાં સુધી ભાન રહે ત્યાં સુધી સત્પરુષ દ્વારા મળેલ મહામંત્ર “સહજાન્મસ્વરૂપ પરમગુરુ”નું સ્મરણ કર્યા કરવું યેગ્ય છે. જ શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૨૫-૧૦-૩૪ એકમને દિવસે શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રને જન્મ મહોત્સવ ઘણું ભક્તિભાવ સહિત અનેક ગાથાએ નમસ્કાર કરી ધામધૂમસહિત ઊજવાયા હતા. હજારેક માણસે એકઠા થયા હતા. ૫. ઉ. પૂ. પ્રભુશ્રીજીને પણ તે દિવસે એકાશીમું વર્ષ બેઠું એ રીતે એ દિવસ બેવડો હર્ષદાયક વીત્યું છે. અત્રે આવેલા ઘણું જીવોને લાભ થાય છે. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રમાં ચૌદપૂર્વને સાર છે, પણ જીવની જેટલી યેગ્યતા હોય તેટલું તેમાંથી ગ્રહણ કરી શકે. તેમાં આત્મસ્વરૂપ જે ગાયું છે તે સદ્દગુરુઆજ્ઞાએ જીવ વિચારે તે આત્મા સંબંધી છયે પદમાં તે નિઃશંક થાય અને આત્મપ્રતીતિ દ્વારા મોક્ષમાર્ગ પામી આખરે નિર્વાણ પામે. વીસ દેહરા, ક્ષમાપનાને પાઠ અને છપદના પત્રની સાથે આત્મસિદ્ધિ રોજ બલવા ગ્ય છે, વિચારવા ગ્ય છે અને તેમાં જણાવેલું આત્મસ્વરૂપ પ્રતીત કરી નિશંક થવા ગ્ય છે. આપણી યેગ્યતા ન હોવાથી ન સમજાય તે પણ એટલું તે અવશ્ય માનવા લાગ્યું છે કે જ્ઞાની પુરુષોએ પ્રત્યક્ષ પ્રગટ અનુભવેલે આત્મા મારે માન્ય છે, તેની ઓળખાણ કરવાની ભાવના વર્ધમાન કરવા ગ્ય છે, સત્પરુષ દ્વારા સાંભળેલા બેધની સ્મૃતિ કરી વૈરાગ્ય ઉપશમની વૃદ્ધિ કર્તવ્ય છે, તે ગ્યતા વધશે અને મુમુક્ષુતા વધતાં જ્ઞાની પુરુષનું માહાત્મ્ય વિશેષ સમજાશે. જેટલે સંસાર પ્રત્યેને ભાવ મળે પડે અને પુરુષ પ્રત્યે ભક્તિ જાગે, તેનાં વચનામૃત ઉપર પ્રેમ વધે અને વચનામૃતનું વિશેષ સેવન થાય તેમ તેમ વૈરાગ્ય પણ વધે અને કષાય ઘટે. માટે સત્સંગને વિયેગમાં સપુરુષનાં વચને પણ સત્સંગતુલ્ય છે એમ ગણી બચતે કાળ સપુરુષની ભક્તિમાં, વાંચવા-વિચારવામાં ગાળ હિતકારી છે.જી. ૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #103 -------------------------------------------------------------------------- ________________ બેધામૃત ૯૦ અગાસ, તા. ૩-૧૧-૩૪ વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તે જલના તરંગ; પુરંદરી ચાપ અનંગ રંગ, શું રાચીએ ત્યાં ક્ષણને પ્રસંગ ?” પવિત્રાત્મા પૂ..ના દેહાંતના સમાચાર તેમના ઓળખીતા સર્વેને ખેદ ઉપજાવે એ સ્વાભાવિક છે. પરંતુ તે ખેદને મુમુક્ષુ જીવે વૈરાગ્યમાં પલટાવી જગતના કામ પ્રત્યે તુચ્છભાવ અને અણગમો ઉત્પન્ન થાય તેમ વિચારવા યોગ્ય છે. વૈરાગ્યની ખામી હોવાથી જીવને સગાંવહાલાં અને વિષયના ભેગો પ્રત્યે પ્રેમ વર્તે છે, અને તેને વિયેગમાં ખેદ થાય છે. ક્ષણિક વસ્તુઓ પરેને મેહ, રાગ, મીઠાશ જીવને ક્ષણવારમાં વિયાગમાં ખેદ, શેક, ઝરણું ઉત્પન્ન કરાવે છે. આ જીવનું હિત શામાં છે? તે તેને સૂઝતું નથી. જગતમાં સાચા સગા તે પુરુષ છે અને તેને વિગ રહે છે તે એટલે સાલવો જોઈએ તે નથી સાલતે, તે મેહનું માહાસ્ય છે. સગાંવહાલાં અનંતવાર મળ્યાં પણ અનંતકાળે જે પ્રાપ્ત નથી થયું તે પ્રાપ્ત થવાનું પ્રબળ નિમિત્ત પુરુષને વેગ અને ત્યાગવૈરાગ્યપૂર્વક જીવની યોગ્યતા છે તેમાં ખામી છે, ત્યાં સુધી ક્ષણે ક્ષણે આ જીવ ભયંકર મરણ કરે છે અને તેમાં રાચી રહ્યો છે. તે ખામી દૂર થવા જીવને વૈરાગ્યઉપશમ પામવાની જરૂર છે અને તે અર્થે સત્સંગ સાધની જરૂર છે. આપને વિચારવા એક પત્ર ઉતારી મોકલું છું તે સર્વ ભાઈઓ વિચારશોજી - ૪ આ જીવને યથાર્થ વૈરાગ્ય પ્રાપ્ત થવા યોગ્ય છે. જે આ આત્મા નજરે જુએ છે કે તેની સમીપમાં તેનાથી લઘુ અને વડીલ એવા ઘણા આત્માઓ કાળના ઝપાટામાં ચાલ્યા ગયા છતાં આ ક્લેશિત આત્મા કાળને વિશ્વાસ કરી નિશ્ચિત થઈને સૂતે છે તેને કેમ જરા પણ ખબર પડતી નથી? પ્રત્યક્ષ જોઈ રહ્યો છે કે કાળ ગટકાં ખાઈ રહ્યો છે, લીધે કે લેશે એમ થઈ રહ્યું છે, છતાં આ અજ્ઞાની એવો મૂઢ આત્મા જ્ઞાની પુરુષની પેઠે નિશ્ચિત થઈને સૂએ છે. કહ્યું છે કે જેને મૃત્યુની સાથે મિત્રતા હોય અથવા જે મૃત્યુથી ભાગી છૂટી શકે તેમ હોય અથવા હું નહીં જ મરું એમ જેને નિશ્ચય હોય તે ભલે સુખે સૂએ. (૬૩) ખાવા, પીવા, પહેરવા, ઓઢવા, પાથરવાના પ્રસંગમાં જે જે જીવને તાદાસ્યપણું વર્યા કરતું હોય તે તે વખતે તે તે પદાર્થોનું તુચ્છપણું ભાવ્યા જ કરવું અને જેમ સર્પને વિષે દઢ થયેલું ઝેર નિદ્રામાં પણ જાગ્રત રહે છે તેમ પદાર્થ આદિક પ્રત્યેનું અનિત્યપણું, તુચ્છપણું દઢ કરી રાખ્યું હોય તે જીવને તે તે પદાર્થો પ્રાપ્ત થયે ઘણું કરીને તેને તાદાત્યપણું થવા દેતા નથી અને તેટલા માટે મુખ્ય કરીને વૈરાગ્યને વિશેષ જાગ્રત રાખવો જોઈએ. વૈરાગ્ય એ જ આત્મધર્મ પામવાને એક સીડીરૂપ ઉત્તમ પ્રકારે સડકનો રસ્તે છે અને તે પણ પુરુષના શરણસહિત હોય તે, નહીં તે જીવને તેમાં પણ ભુલા થવાનાં કારણે વિશેષ છે.” સપુરુષની ભક્તિ વિક્ષેપ મટાડવામાં ઉત્તમ નિમિત્ત છે તેથી વૈરાગ્ય, ભક્તિ આદિ મોક્ષના ઉપાયોમાં પ્રવર્તવાને પુરુષાર્થ કર્તવ્ય છે. આપણે પણ એ જ મરણને માર્ગે જવાનું છે એમ વારંવાર વિચારી, સંસાર ઉપરની આસક્તિ ઓછી કરી સરુષ પ્રત્યે પ્રેમ વર્ધમાન કરવા યોગ્ય છે. એ જ. ૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #104 -------------------------------------------------------------------------- ________________ ૭૧ પત્રસુધા અગાસ, તા. ૬-૨-૩૫ જે ઈચ્છો પરમાર્થ તે, કરો સત્ય પુરુષાર્થ, ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદે નહિ આત્માર્થ.” “અહો! ર્જીવ ચાહે પરમપદ, તે ધીરજ ગુણ ધાર; શત્રુ-મિત્ર અરુ તૃણમણિ, એક હી દષ્ટિ નિહાર. વૈરાગી વિરમ્યા થકા, ન રહે કટિ પ્રકાર; ગળિયો ગળે ન સંચરે, દીધે ડાંગ-પ્રહાર. એ ઉપદેશ સેહામણે, ધારી હૃદય મઝાર; વર્ત સદ્વ્યવહારમાં, તે પામે ભવ પાર.” આપને પત્ર આજે મળે છે. આપને પરમપૂજ્ય પ્રભુશ્રીજીએ જણાવ્યું છે કે દણાં રડવાથી કંઈ બનતું નથી. જીવને પુરુષાર્થ કરે પડશે. કર્યા વિના કંઈ બનતું નથી. જેમ કંઈ બંધ ન કરે તે કમાતું નથી, તેમ ધર્મઆરાધનમાં જીવ પ્રમાદ કરે તે કલ્યાણ ક્યાંથી થાય ? બજારમાં ઘણું વસ્તુઓ વેચાતી હોય પણ પાસે પૈસા હોય તેમાંથી જેટલા ખર્ચે તેટલે માલ ખરીદાય; તેમ જીવને મનુષ્યભવ, સશક્ત ઇંદ્રિયે, નીરોગી કાયા, સત્સંગ, સબેધને લાભ મળે છે તે પ્રમાદ તજી જે જે આજ્ઞા થઈ હોય તે ઉઠાવવાને પુરુષાર્થ જીવ કરે તે આ ભવમાં જેટલું બનશે તેટલું બીજી કોઈ ગતિમાં બનવા સંભવ નથી એમ વિચારી રત્નચિંતામણિ જે આ મનુષ્યદેહ સફળ કરવા સત્પરુષાર્થ કર્તવ્ય છે. મહાપુણયના યેગે સંતની અનંતકૃપાથી જે સ્મરણમંત્ર મળ્યો છે તેનું વિશેષ માહાસ્ય રાખી હરતાંફરતાં, બેસતાંઊઠતાં, જાગતા હોઈએ ત્યાં સુધી જેટલું બને તેટલું રટણ કરવા ગ્ય છે. સત્સંગના વિયેગમાં સપુરુષનાં વચન અને તેની આજ્ઞા એ પરમ અવલંબનરૂપ છે, તેનું પ્રમાદ તજી આરાધના થશે તે જીવનું હિત થશે. જગત બધું ધૂતારું પાટણ છે, દગો દેનાર છે, કર્મ બંધાવનાર છે, તેનાથી જ્ઞાની પુરુષે ત્રાસ પામી, તેને ત્યાગ કરી, આત્મા પ્રત્યે અપૂર્વ પ્રેમ રાખી તેમાં જ લીન થયા. આપણે પણ એ રસ્તે લીધા વિના છૂટકે નથી. મેક્ષ જેવી ઉત્તમ અમૂલ્ય ચીજ ખરીદવી હશે તેણે તેટલી કિંમત પણું આપવી પડશે, નહીં તે ગેળ ઘાલે તેટલું ગળ્યું થાય. કેઈન માટે કરવાનું નથી. અનાદિકાળથી આ આત્મા જન્મ જરા મરણ રેગાદિ દુઃખ સહન કરતે આવ્યા છે. હવે તેની આ ભવમાં પણુ આપણે પિતે દયા નહીં ખાઈએ તે પછી બીજું કોણ તેની દયા ખાશે? કઈ ધર્મ આરાધે તેથી આપણું કલ્યાણ થવાનું નથી. એમ થતું હેત તે તીર્થ કરાદિએ કંઈ કચાશ રાખી નથી. પણ આ જીવ જાગશે નહીં ત્યાં સુધી કંઈ બની શકે તેમ નથી. અંતરથી જ્યારે ગરજ લાગશે, માહાસ્ય સમજાશે ત્યારે આત્મહિત સિવાય બીજું કંઈ નહીં ગમે, મરણિયે થશે. એક મરણિયે સૌને હઠાવે એમ કહેવાય છે તેમ શૂરવીરપણું જાગશે ત્યારે કર્મો ડરીને ભાગી જશે. તેવા થવા સત્સંગ અને સદ્બોધની જરૂર છે. વિશેષ શું લખવું? ૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #105 -------------------------------------------------------------------------- ________________ આધામૃત ७२ ' आणाए धम्मो आणाए तवो ' “આજ્ઞાનું આરાધન એ જ ધર્મ, આજ્ઞાનું આરાધન એ જ તપ.” આપે પ. પૂ. પ્રભુશ્રીજીના ચિત્રપટ મગાયે તે સંબંધમાં જણાવવાનું કે કોઈને હવે પાતાના ચિત્રપટ આપતા નથી. કેટલાયની પાસેથી પાછા પણ લઈ લીધા છે. વારંવાર તેઓશ્રી ઉપદેશમાં જણાવે છે કે પરમકૃપાળુ દેવની ભક્તિ અમે કરીએ છીએ અને તમને પણ તે જ બતાવીએ છીએ. તેમાં સર્વે જ્ઞાની પુરુષા આવી જાય છે, કેાઈ બહાર રહી જતા નથી. આપણી બુદ્ધિથી આ જ્ઞાની પુરુષ છે એમ માની લેવા કરતાં આપણે સંતના કહેવાથી તેમની આજ્ઞાએ તે બતાવે તે પ્રમાણે જ્ઞાની પુરુષની માન્યતા કરીએ તે તેમાં ઘણા લાભ છે. કારણ કે આપણે આપણી મતિકલ્પનાએ માનીએ તે સ્વચ્છંદ છે અને સંતના કહેવાથી માનીએ તે। આજ્ઞા પ્રમાણે વર્તતાં સ્વછંદ રેકાય અને કલ્યાણ થાય. તમે વારંવાર આ વાત ઉપદેશમાં સાંભળી પણ હશે, પણ વિસ્તૃત થઈ ગઈ હાય તા ફરી યાદ દેવરાવવા આ લખ્યું છે તે વિચાર કરી પરમકૃપાળુ દેવની ભક્તિમાં સાચા અંતઃકરણથી લીન થઈ તેના વચનમાં વિશ્વાસ રાખી વર્તવાથી સમકિતનું કારણ અને તેવા ઉત્તમ માર્ગ હાથ આવ્યે છે તે આપણાં મહાન ભાગ્ય છે. પ્રમાદમાં પડી રહેવા ચેાગ્ય નથી. જ્યાં સુધી શરીર નીરોગી છે, વૃદ્ધાવસ્થા આવી નથી, આ મનુષ્યભવ પૂર્વના પુણ્યથી ટકી રહ્યો છે ત્યાં સુધી પરમકૃપાળુ દેવની ભક્તિ નિષ્કામપણે સ્વચ્છંદ રાકીને કર્તવ્ય છેજી. ૐ શાંતિ: શાંતિ: શાંતિ: ૨ આજી, તા. ૧-૪-૩૫ 93 આજી, તા. ૧૫-૩૫ આપે . સ્વપ્ન સંબંધી પુછાવ્યું તે વિષે સત્તમાગમે સમજવા યાગ્ય છેજી. પરમપુરુષાના એધ જીવનું કલ્યાણ કરનાર છે. તેએશ્રીજીએ જણાવેલ વીસ દોહા, ક્ષમાપનાના પાઠ, છ પદના પત્ર, આત્મસિદ્ધિ વગેરેનું માહાત્મ્ય રાખી ભણવા યાગ્ય છે, તે જ કલ્યાણકારી છે. બાકી દેહ, સ્ત્રી, પુત્ર આદિ ઉપરના માહ જીવને દુઃખનું કારણ છે. તે ઘટાડવા સત્સંગ અને સòધની જરૂર છે. જીવે અનાદિકાળથી દુઃખ સહન કરવામાં માકી રાખી નથી અને હજી માહને લઈને દુઃખનાં કારણ ઉપાસે છે તે વિચારી, મેાહ છે। થાય અને સમતા, ક્ષમા, ધીરજ રહે તેવા પુરુષાર્થ કર્તવ્ય છેજી. દેહના સ્વભાવ અને આત્માના સ્વભાવ ભિન્ન છે તે સત્પુરુષ દ્વારા સાંભળ્યું છે, તે વારંવાર પ્રસંગે પ્રસંગે યાદ રાખી વિચારવા યાગ્ય છેજી. થાડું લખ્યું ઘણું જાણી વિશેષ વિચારશેા તથા સ્મરણમાં જેમ અને તેમ વિશેષ રહેવા ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ જણાવ્યું છે તે લક્ષમાં રાખશેાજી, ૐ શાંતિ: શાંતિ: શાંતિ: ૭૪ અગાસ, તા. ૧૪-૭-૩૫ આપે ચેાથા વ્રત એટલે બ્રહ્માચર્ય સંબંધી આજ્ઞા મગાવી તે વિષે તેઓશ્રીજીએ (પ્રભુશ્રીજીએ) જણાવ્યું છે કે તે સામાન્ય વ્રત નથી, જિંદગી પર્યંન્ત પાળવાની ઇચ્છા તમારી હાય Page #106 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૮૩ તા તે વિષે તમને અત્રે તમે બન્ને આવશેા ત્યારે તેઓશ્રીજી વાત કરશે. તમારાં ધર્મપત્નીના પણ કેવા ભાવ રહે છે તે તેઓશ્રી પૂછી નક્કી કરશે. પછી જેમ ચેાગ્ય હશે તેમ જણાવશે. હાલ તે વ્રતની ભાવના રાખશે. પૂ.... તમને મળ્યા હશે, એટલે આણુજી સંબંધી તમે બધી વિગતવાર ભક્તિના પ્રસંગે તથા ત્યાં ધર્મપ્રભાવનાના પ્રસંગે બન્યા તે વિષે જાણ્યું હશે. પ્રત્યક્ષ સત્પુરુષના યાગમાં જ્યાં જ્યાં જવાનું કે રહેવાનું અને તે સર્વ સ્થળ તીર્થરૂપ છે, ધમઁરૂપ છે, કારણ મૂર્તિમંત ધર્મ સત્પુરુષ છે. આહેારમાં દશ દિવસ પ. . પ. પૂ. પ્રભુશ્રીજીનું પધારવું થયું હતું. ત્યાંના મુમુક્ષુએમાં ધામણગામ કરતાં પણ ઘણેા ઉત્સાહ પ્રગટ જણાતા હતા, કારણ કે તે લેાકેા કુળ જૈન ધર્મના હાવાથી સત્પુરુષના સન્માનની વિધિ વગેરેમાં માહિત હતા અને કૃપાળુ દેવના યોગબળથી છસે. જૈનેનાં ઘરમાંથી સેા ઘર પરમકૃપાળુ દેવની માન્યતાવાળાં થયાં છે. આજીજી ઉપર પણ સિરાહી રાજ્યનાં રાણી, જસદનનાં રાજા અને રાણી, અણુાદરાના રાજા અને તેના કુંવર તથા સાણંદના રાજા, ધ્રાંગધ્રાના રાજાના કાકા, પટણી સાહેબ ભાવનગરના વગેરે ઘણાં સજ્જન સ્ત્રીપુરુષા દર્શન-સમાગમનેા લાભ લેતાં અને આ મનુષ્યભવનું સફળપણું કરવારૂપ સત્પુરુષની શ્રદ્ધાનાં ખીજ ગ્રહણ કરતાં હતાં. ઘણાંખરાં આશ્રમમાં આવવાના અને સત્તમાગમ કરવાના હજી ભાવ રાખે છે. પૂ. હીરાલાલભાઈ અને પૂ. નહાતા સાહેબે પણ ઘણી ઉદારતા વાપરી ધર્મવત્સલતાના લાભ લીધેા છે. ધર્મ કરશે તે સુખી થશે. આવા અવસર ફ્રી પ્રાપ્ત થવા દુર્લભ છે. ૐ શાંતિઃ ७५ અગાસ, અષાડ વદ ૨, ૧૯૯૧ મુમુક્ષુ જીવે પોતાના દોષો જોઈ દોષો ટાળવા જોઈએ અને તે જ મુમુક્ષુતા ટકે, નહીં તો પરમકૃપાળુ દેવે લખ્યું છે તેમ “મુમુક્ષુતામાં પણ કેટલેાક આનંદ અનુભવાય છે, તેને લીધે બાહ્ય શાતાનાં કારણેા પણ કેટલીક વાર પ્રિય લાગે છે અને તેથી આ લેાકની અલ્પ પણ સુખેચ્છા રહ્યા કરે છે, જેથી જીવની જોગ્યતા રોકાઈ જાય છે.” “એ ત્રણે કારણા ટાળવાનું ખીજ મહાત્માને વિષે પરમપ્રેમાર્પણુ એ છે” એમ પરમકૃપાળુ દેવે બતાવ્યું છે. “સત્પુરુષમાં જ પરમેશ્વરબુદ્ધિ એને જ્ઞાનીઓએ પરમધર્મ કહ્યો છે.” મહાત્મા ઉપર જીવને માહ જ ન આવ્યે.” મુમુક્ષુનાં નેત્રા મહાત્માને ઓળખી લે છે.” “પર પ્રેમ પ્રવાહ અઢે પ્રભુસેં, સખ આગમ ભેદ સુઉર ખસે.” વગેરે દ્વારા તેઓશ્રીએ સંસાર ઉપરના પ્રેમ પલટાવી આત્મારૂપ સત્પુરુષ પર પ્રેમ કરવાના ભક્તિમાર્ગ પ્રકાશ્યા છે તે જ આપણે અવલંબનરૂપ છે. આ કાળમાં આ કાળથી નિર્લેપ રહી જે પુરુષે આપણા ઉપર અનંત ઉપકાર કર્યાં છે તેના ઉપકારનું સ્મરણ પણ આપણને અત્યંત ઉપકારી છે, તે તેની સ્તવના ભક્તિ પરમહિતકારી હાય એમાં શું કહેવું ? વૈરાગ્ય ઉપશમની વૃદ્ધિ થયે તે પુરુષનાં વચને અમૃત સમાન મધુર અને આત્મધર્મમાં પ્રેરક લાગ્યા વિના ન રહે. ભાવ એ તરવાનું ઉત્તમ નિમિત્ત છે, છતાં ભાવ પણ નિમિત્તાધીન પલટાઈ જાય છે એટલે ઉત્તમ નિમિત્તે આત્માનું કલ્યાણ થવા સંભવ છે. તેથી સત્સંગ સત્સમાગમને ઉત્તમ Page #107 -------------------------------------------------------------------------- ________________ બધામૃત સાધન પરમકૃપાળુ દેવે વારંવાર જણાવેલ છે. તેને વિશેષ લાભ મળે તેવો પુરુષાર્થ અવશ્ય હિતકારી છે, કારણ કે જીવની સાથે ધનાદિ કંઈ પરભવ જનાર નથી. સારા ભાવ થવામાં તે નિમિત્તભૂત થાય તે હિતકારી છે, નહીં તે ધનસંપત્તિ બોજારૂપ છે. આવો અવસર વારંવાર મળે તેમ નથી, માટે ચેતી લેવા ગ્ય છે. જાગશે તે જીવશે એમ છે. . પ. પૂ. પ્રભુશ્રીજી વારંવાર કહે છે. પાણી પહેલી પાળ બાંધવી એમ કહેવાય છે. ઘર લાગ્યા પહેલાં ફૂવે ખોદાવ્યું હોય તે ઘર એલવાય, પછી દે તે ને બને.” તેમ જેમ વહેલું ચેતાય તેટલું વિશેષ ઉપકારી છે. આ ભવની એક એક ક્ષણ રત્નચિંતામણિ કરતાં પણ વિશેષ મૂલ્યવાન છે એમ જ્ઞાનીઓ કહે છે તે હદયમાં કેતરી રાખવા ગ્ય છે. આ ભવમાં આત્માની ઓળખાણ કરી લેવા ગ્ય છે તે વહી ગયા પછી નહીં બને, માટે સપુરુષાર્થ કર્તવ્ય છેજી. ૩% શાંતિઃ શાંતિઃ શાંતિઃ શ્રી સદ્ગુરુદેવને નમોનમઃ સદ્ગુરુ બિન ભરે ન ડગ, સદ્ગુરુ આણે રહે અડગ, સદ્દગુરુ સાથે સાચી સગાઈ, કર મનવચતન એક લગાઈ. ૧ પરમાંહિ શું લેવું ને દેવું, સારું નરસું માનવું કેવું? આત્મા પરમાં તે પરતંત્ર, આવે સ્વમાં તે છે સ્વતંત્ર. ૨ સંસારના સૌ વહેવાર, દુરિત જાણી કર અપહાર, બંધનના એ સૌ વ્યવસાય, નહિ ત્યાં મુક્તિને લેશ ઉપાય. ૩ સદ્દગુરુ લક્ષે લક્ષિત થાય, સ્વતંત્રતાને તે સદુપાય, તે વિના સહુ તે છે પરતંત્ર, સ્વતંત્ર વિના નહીં સ્વતંત્ર. ૪ દીપકથી દીપક પ્રગટાય, રવિ શશી સમ તે કેમ ભુલાય? ધાર સ્વતંત્ર સદ્ગુરુ દેવ, આરાધ્ય નિત્ય આણ સેવ. ૫ “આપે જે સલાહની અભિલાષા દર્શાવી તે બાબતમાં સલાહ આપવાની મારી શક્તિ નથી. છતાં જ્ઞાનીના વચનાનુસાર કિંચિત્ લખવાને પ્રયત્ન કરું છું. જ્ઞાનીઓએ, એક વીતરાગમાર્ગ મૂકી અન્ય કોઈ માર્ગ જીવને આ સંસારસમુદ્રમાંથી તારવા સમર્થ નથી, એમ અત્યંત સ્પષ્ટ કહ્યું છે. રાગ, દ્વેષ, અજ્ઞાન જે માર્ગમાં ન હોય, આત્મા નિજ શુદ્ધ સ્વરૂપને ભજે તે વીતરાગમાર્ગ છે. આ મનુષ્યદેહમાં આવી એક બેબીજ, સમકિત મુક્તિ સિવાયની અન્ય પ્રવૃત્તિ જ્ઞાનીઓએ કાર્યકારી કહી નથી. મનુષ્યભવનું સફળપણું, ઉપયોગિતા ગણતાં તે માત્ર એક સમક્તિની પ્રાપ્તિ છે અને તે સમક્તિ સિવાય કોઈ જીવ ભૂતકાળમાં, વર્તમાનમાં કે ભવિષ્યમાં સાચા અવિનશ્વર સુખને પ્રાપ્ત થયું નથી કે થશે નહીં. અન્ય કોઈ પણ પ્રવૃત્તિ જે તે સમતિના હેતુભૂત થતી હોય તે તે એક ઉપચારથી કરવા કહી છે, પરંતુ તે કરતાં અંતરમાં નિરંતર મુક્તિ, સમકિતને લક્ષ રહે જોઈએ. જે પ્રવૃત્તિ કરતાં જીવને મુક્તિને લક્ષ ન રહે તે પ્રવૃત્તિ બંધનકારક અને ત્યાગવા યોગ્ય Page #108 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા છે. તે પ્રવૃત્તિ તે બાહ્ય પ્રવૃત્તિ છે. અંતર જ્યાં સમકિત અગર આત્માના શુદ્ધ ભાવને ન ભજે અગર તેવા પરિણામના હેતુભૂત ભાવને ન ભજે ત્યાં તે પ્રવૃત્તિ આત્માર્થીને કર્તવ્ય નથી, આત્માથીને તે એક માત્ર અંતરભાવને અર્થે જ સર્વ પ્રવૃત્તિ કર્તવ્ય છે, કે જે અંતરપરિણામથી આત્મા સમકિતને પામે છે. સમકિત સાચામાં સમાય છે. સાચ સાચા પુરુષમાં વસે છે. અને તેથી જ સાચા પુરુષના સમાગમમાં, સેવામાં, આજ્ઞામાં જ તે મુક્તિમાર્ગ– સમકિતની પ્રાપ્તિ જ્ઞાની પુરુષોએ વર્ણવેલી છે. આ સંસારને કોઈ પદાર્થ–ભાવ–વાસના-પ્રવૃત્તિ જીવને સંસારથી મુક્ત કરી શકે એ અસંભવિત છે. કાળાશ કાળાશ લગાડવાથી મટતી નથી, પણ સાબુ ને સ્વરછ નીરના ઉપયોગથી નષ્ટ થાય છે. માટે અનાદિથી લાગેલી ક્રોધ, માન, માયા, લેભ, મોહ, મારા-તારાપણું, અહંકાર, મમકાર એ આદિ કમલતા – કાળાશ તે સદ્દગુરુના બેધરૂપ સાબુ, વૈરાગ્યરૂપ સ્વચ્છ નીર સિવાય ક્ષય થવાની નથી, એ સુનિશ્ચિત છે, માટે જ સદ્ગુરુના બોધના લક્ષે લક્ષિત થઈ પ્રવર્તતાં જીવ સંસાર નષ્ટ કરે છે. અમુક પ્રવૃત્તિ ન કરવી કે અમુક પ્રવૃત્તિ કરવી એમ કહેવું એ તે જ્ઞાનીની શક્તિની વાત છે. જ્ઞાની પણ ઘણી વાર એમાં મૌન રહે છે, કારણ કે જીવને અનાદિને જે અધ્યાસ છે, જેમાં સહવાસ છે, ને પ્રેમ રૂચિ છે, તેમાં જીવ પ્રવર્તવા ઉત્સુક થાય છે અને તેની એના અંતરમાં એટલી સચોટ અસર છે કે તેથી ઉખેડતાં ઘણી વાર જીવ પિતાની અગ્યતા, ઉપશમ-વૈરાગ્યની ન્યૂનતાને કારણે જ્ઞાનીથી વિમુખ થઈ જાય છે, તે જ્ઞાની તેમ પ્રવર્તે નહીં. જ્ઞાની સામા જીવની યોગ્યતા જઈ બેધ કરે છે. એ તે મુમુક્ષુ જીવનું કર્તવ્ય છે કે જ્ઞાનીને આશય સમજી સંસારનાં કાર્યોથી ઉદાસીન થઈ જ્ઞાનીના બધાનુસાર પ્રવર્તે. એવાં ઘણાય દષ્ટાંતે છે કે જ્યાં જ્ઞાનીઓ મૌન રહ્યા છે. જ્ઞાનીઓ રાગદ્વેષથી વિરક્ત હોવાથી તેમના અંતરમાં સર્વ કોઈને આત્મપ્રાપ્તિ થાય એ બળવાન પ્રેમ છતાં જે સહેજે થાય છે તે જોયા કરે છે. જ્ઞાનીઓને માર્ગ ઉપદેશને છે, આદેશને નથી. એટલે આમાં પરમકૃપાળુ આપણને શું કહે? ખરેખર એ આપણા જ હીનપુણ્ય, અગ્યતાની જ નિશાની છે, અશુભ માર્ગમાંથી જીવ શુભમાગે વળે એ સારું છે, છતાં જ્ઞાનીઓને માર્ગ તે શુદ્ધને છે એટલે તેમાં શુભ કે અશુભ બન્નેનું હોવાપણું નથી, અને આપણે પ્રવૃત્તિમાર્ગ શુભાશુભ હોય છે ત્યાં શું કહેવું? જ્ઞાનીઓએ તે ઉપદેશમાં સ્પષ્ટ કહ્યું છે કે એક માત્ર જે માર્ગથી આ જીવ આ સંસારમળથી મુકાય તે માગે છે ભ! તમે વિચરે. તે માર્ગ ઉપર કહ્યો તેમ સમકિત–સદ્દગુરુના બંધમાં બધાનુસાર શ્રદ્ધા, જ્ઞાન રાખી વર્તવામાં છે. સંસારના સર્વે ભાવે, વર્તન છોડી એક અલૌકિક ભાવ, વર્તન કરે અને આત્માના શુદ્ધ સ્વરૂપને જાણે, શ્રદ્ધો ને તેમાં સ્થિર રહે ! એ જ્ઞાનીને બેધ છે. સંસારમાં આમ કરશે તે ધન મળશે, આમ કરશે તે પાંચ ઇદ્રિના વિષયસુખો મળશે, આમ કરશે તે સંસારના વૈભવ પ્રાપ્ત થશે એ જ્ઞાનીઓ બોધતા નથી. પર એવા જડ પદાર્થોના સંગે જેને લઈને જેમાં મારાપણાથી જીવ સારું, નરસું, સુખ, દુઃખ, તારું, મારું, અધીનતા, સ્વાધીનતા આદિ કલ્પ છે, માને છે, તે આત્માનું ખરું સ્વરૂપ નથી. આત્મા તે એ સર્વે સંગોથી રહિત શુદ્ધ પિતાના સ્વરૂપમાં વાસ કરનાર છે એમ જ્ઞાનીઓનાં બેધ-વચને છે, અને આ બધા તે પરભાવ-વિભાવમાં વતીને સ્વભાવને કેમ પ્રાપ્ત થાય? શું તે અમર થવા માટે ઝેર પીવા સદશ નથી? આપણે Page #109 -------------------------------------------------------------------------- ________________ બોધામૃત તે એક સદ્ગુરુના બધે-સંતના સમાગમે-એમણે જે શુદ્ધ આત્મસ્વરૂપ જાણ્યું ને કહ્યું તેની દઢ શ્રદ્ધા રાખી તેને જ માની તેને માટે સર્વ પ્રવૃત્તિ કર્તવ્ય છે. હું કાંઈ જાણત નથી, સમજતો નથી, અજ્ઞાન, અવિવેક આદિ અનેક અવગુણોથી અંધ છું અને ખોટી કલ્પના-માન્યતા–બુદ્ધિવિલાસે વ્યાપ્ત છું, અને સદ્ગુરુ તે એક સાચા અને સર્વ રીતે સાચા ને સર્વ જાણનારા છે, માટે એમણે જે કહ્યું છે તે જ મારું સ્વરૂપ છે, તે જ મારી ક્રિયા છે અને તે જ મારું હૃદય – મનની વૃત્તિ-વર્તન હા એ ભાવથી વર્તવું એગ્ય છે અને સર્વ પ્રકારમાંથી મનને નિવૃત્ત કરવું એ માર્ગ છે. જે સદ્ગુરુનું. એક પણ વચન આ જીવ સાચા હૃદયથી હૃદયમાં અવધારશે તે સત્ય પરિણામ પામશે, તે જ્ઞાનીઓને ઉપદેશ છે, માટે સર્વ કરતાં પ્રથમ કરવા યોગ્ય, સર્વમાં શ્રેષ્ઠ અને સર્વ આત્મિક સૌખ્યનું મૂળ એવી સદ્ગુરુ પ્રત્યેની સાચી શ્રદ્ધા છે તે જ નિશ્ચય કરી સેવવા યોગ્ય છે. એમ મારી અ૫મતિમાં જ્ઞાનીઓનાં વચનની સ્મૃતિથી જે છે તે જણાવ્યું છે”. અને તેથી બીજું શું લખવાનું હોય? સાચથી બીજું શું છે? અને જે બીનું છે તે સાચ કેમ કહેવાય ? સત્ય તે સદ્દગુરુની શ્રદ્ધા - સાચી શ્રદ્ધા-માં જ, તેના ચરણમાં જ, તેના સમાગમમાં રમે રમે તેનામાં જ અસ્તિત્વવત છે. અન્ય કેઈ સ્થળે સત્યની સંપ્રાપ્તિ થાય એ આકાશકુસુમવત્ છે. જેને જેવી ઈચ્છા હોય તે તે કરે. સાચ માટે સાચને, સાચ-પ્રાસને સે અને બીજું જોઈતું હોય તે બીજું બધું પડ્યું છે, જે અનાદિથી જીવ કરતે આવ્યા છે. અનાદિથી કર્યા છતાં સાચ પ્રાપ્ત ન થયું એવું બીજું શું છે? મારી પિતાની પ્રવૃત્તિ ને ઈચ્છા તે બને કે ન બને, સમજાય કે ન સમજાય, વર્તાય કે ન વર્તાય અને થાય તે પણ મારાથી જેટલું બને તેટલું એક સદ્દગુરુદેવની ચરણરજમાં, સમાગમમાં, શ્રદ્ધામાં, આજ્ઞામાં, સેવામાં, દષ્ટિમાં, માન્યતામાં આ ભવ વિતાડવાની ઈચ્છા છે અને તે પરમકૃપાળુ સર્વ શક્તિમાન પરમ કૃપા કરી પાર પાડે અને એના અંકમાં અવકાશ આપી એમાં સ્થાપે એ પ્રયાચના છે. અન્ય કોઈ પ્રવૃત્તિ કરવા ઈચ્છા નથી. હોય કે થતી હોય તે કર્મને દેષ છે અને તે કયારે છૂટે અને એકમાત્ર તેની જ, પુરુષની જ લય ન જાય, અહર્નિશ હૃદયકમલમાં કયારે રહ્યા કરે, એ અભિલાષા છે. તે અભિલાષા જ્ઞાનીની દષ્ટિએ સાચી હોય કે જે હોય તે પણ મારી મતિ પહોંચે છે ત્યાં સુધી તે તે જ હો એ ઈચ્છા છે, અને તે પરમ પુરુષ પ્રત્યે પ્રાર્થના છે. પરમકૃપાળુ દેવ પણ જણાવે છે કે એક આ ભવ સપુરુષની આજ્ઞા ઉઠાવવામાં વ્યતીત કરીશ તે અનંત ભવનું સાટું વળી રહેશે. અંતર્યામી સિવાય કોઈ અંતરનાં પરિણામ – ભાવ જાણનાર નથી. ભૂલ વિનાને જ ભૂલ જાણી શકે, ભાંગી શકે. ભૂલને ભૂલવા માટે, સાચું ભાન થવા માટે ભૂલ વિનાને સદા શુદ્ધ સર્વજ્ઞ જ્ઞાની ગુરુને સેવવા એ પ્રયાચના છે. આ જગતમાં કઈ કઈને શત્રુ નથી, મિત્ર નથી, કેઈ સ્વામી નથી, કેઈ સેવક નથી, કેઈ શેઠ નથી, કઈ ગુલામ નથી. આ બધી પૂર્વકર્મજીનિત કર્મઅવસ્થાઓ છે. એક શત્રુ કહે તે અનાદિના પૂઠે પડેલા ક્રોધ, માન, માયા, લોભ, મોહ જે જીવને એક ક્ષણ પણ છતા નથી તે બળવાનમાં બળવાન શત્રુ છે. તેને મારવા જીવે એક ઘડીનાય વિલંબ વિના સદ્દગુરુની સાચી શ્રદ્ધારૂપી શસ્ત્રથી સજિજત થવા યોગ્ય છે. હું તે ધારું છું કે જીવે પિતાની પાસે જેટલી શક્તિ હોય તેને કાંઈ પણ અન્ય પ્રકારે વ્યય નહીં કરતાં તે સર્વ શક્તિને Page #110 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા સદા એક સપુરુષની આજ્ઞા સેવવામાં જ સંપૂર્ણ વ્યય કર્તવ્ય છે કે જેથી અનાદિનું રઝળવું મટે. જેથી સંસાર ન છૂટે તે મુમુક્ષુને માન્ય કેમ થાય ? અનાદિથી અનંત સંસારને બંધ કરાવતા અનંતાનુબંધી કષાય કોધાદિ, તે જીવને કેમ મુકાય તે વિચારવા જેવું છે. સપુરુષ પ્રત્યે, તેમના માર્ગ પ્રત્યે, તેમના અનુયાયી પ્રત્યે સાચે પ્રેમ થવાથી અનંતાનુબંધી મેળે પડી ક્ષય થવાનું બને છે અને એ ક્ષય થતાં સંસાર પરિક્ષીણ થઈ જાય છે. સારાંશમાં, જે કઈ પ્રવૃત્તિ આપણે કરીએ તે પહેલાં તે પ્રવૃત્તિમાંથી નીચેનાં પરિણામ આવે છે કે નહીં તે વિચારવું યોગ્ય છે – ૧. એનું પરિણામ પ્રત્યક્ષ કે પરંપરાએ મુક્તિ છે ? ૨. એ પ્રવૃત્તિ કરતાં અંતરભાવ ક્યાં રહી શકશે ? અંતરનાં પરિણામ ઉદાસીન વૈરાગ્યમય થઈ પુરુષના માર્ગે જશે? ૩. સત્પરુષોના બોધને તે કેટલી અનુસરતી છે ? ૪. રાગ, દ્વેષ, અજ્ઞાન ને મેહ તેમાં કેટલે ક્ષય થાય છે ? ૫. સત્પરુષની શ્રદ્ધા તેમાં કેટલી રહે એમ છે? ૬. આત્મા કેટલે ઊંચે સાચી રીતે જ્ઞાનીની દષ્ટિએ આવે છે? ૭. આત્માથી જીએ એ માર્ગ આચર્યો છે કે કેમ? ૮. એ પ્રવૃત્તિ આત્માના સ્વભાવની કે સ્વભાવના હેતુભૂત થાય એમ છે? ૯. જ્ઞાનીની આજ્ઞા એમાં લપાતી તે નથી ને? ૧૦. એમાં જીવને આશય શું રહે છે? ૧૧. એમાંથી જીવને આર્ત કે રૌદ્ર ધ્યાન થવાનું કોઈ પણ અવસરે બને એમ છે કે કેમ? (જ્યાં આર્ત, રૌદ્ર હોય ત્યાં આત્મહાનિ છે.) આ ઉપર લખેલ ઉપર થે વિચાર કરશે તે પ્રવૃત્તિ પ્રત્યે શમ થઈ જશે. આત્માના ભાવ જેમાં મુખ્ય લક્ષ ન હોય, આત્માના ભાવ જેમાં શુદ્ધ ન થાય એ પ્રવૃત્તિ કર્તવ્ય, કાર્યકારી નથી. આ સંસારના ભાવોની પ્રવૃત્તિથી અન્ય કઈ પણ ભાવ કે પ્રવૃત્તિને એટલે આત્મહિતકારી પ્રવૃત્તિને આમાં કોઈ પ્રકારે નિષેધ નથી. આત્મહિતકારી પ્રવૃત્તિ કઈ, તે તુલના કરવામાં સહાયભૂત થાય એવાં જ્ઞાનીઓનાં બેધવચન આપને સહાયભૂત થાય એ આશયે લખ્યાં છે. બાકી તુલના તે જીવે પિતાને માટે પિતે કરી લેવી યંગ્ય છે. કારણ કે કઈ પણ પ્રકારને નિશ્ચયાત્મક વિચાર જણાવતાં જીવ નિમિત્ત લઈ તેમાં અન્ય ઉપર આરોપવામાં કુશળ હોય છે. દરેક જીવ પિતાની માન્યતાનુસાર વર્તે છે. તે માન્યતામાંથી કઈ ખસેડવા સમર્થ નથી. તે પિતે ખસે તે જ ખસે. જ્ઞાનીને માર્ગ અનેકાંતિક છે. તેમાં એક આત્મહિત થાય એમ વર્તવું જોઈએ. અનેકાંતિક માર્ગમાં કેઈ નિષેધ ન હોય, પણ જેમાં આત્મહિત નથી તે આત્માર્થી આચરે નહીં. જેથી સંસારમળ નષ્ટ થાય; રાગ-દ્વેષ મુકાય; મોહ, અવળી મતિ – માન્યતા મટે, અહંભાવ મમત્વભાવ છૂટે તેમ પ્રવર્તશે એ વિનંતી છે. પરમકૃપાળુ પરમાત્મા શ્રી સદ્દગુરુ સાચા આશયે તમારા અંતરમાં આ વચને ઉતારે એ પ્રાર્થના છે. તે તમને સાચા રસ્તે દોરે એ પ્રાર્થના છે. તે માટે તમારા અંતરને કઈ પણ પ્રકારના Page #111 -------------------------------------------------------------------------- ________________ આ બધામૃત નિર્ણય કે આગ્રહ વગરનું કરી સરલતા ને મધ્યસ્થતાથી એ વચને વાંચશે, વિચારશો, એ જ ઈચ્છું છું. આમાં મારી સ્મરણશક્તિ અનુસાર જ્ઞાનીઓએ કહેલ તે લખવા પ્રયત્ન કર્યો છે. છતાં જ્ઞાનીના બેધથી, આશયથી વિપરીત કે વિરુદ્ધ હોય તે તેની હ ક્ષમા ઈચ્છું છું.” આપ સર્વ ભાઈબહેને અવકાશ લઈ આ પત્ર વારંવાર વાંચવા, વિચારવાનું કરશે તથા તમે પણ એકાંતમાં તે વાંચી સન્માર્ગમાં દઢતા વધે તેમ પ્રવર્તવા ભલામણ છે”. આપના સદ્ભાગ્યે ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીના વખતમાં એક ભાઈ પાસે તેઓશ્રીએ લખાવેલ પત્રની સ્મૃતિ થવાથી તે પત્ર નકલ કરાવી આપને વારંવાર વિચારવા બીડ્યો છે તે તેને સદુપયોગ કરતા રહેશે. - ૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ G૭ : અગાસ મનુષ્યભવ દુર્લભ છે. તેમાં મુખ્ય કર્તવ્ય તે એક આત્માની ઓળખાણ કરી લેવાની છે. તેને પિતાની કલ્પનાથી નિર્ણય થાય એમ ન હોવાથી સ્વછંદ રોકી સદૂગુરુની ઉપાસના તથા બેધનું શ્રવણ થાય તે ગ્યતા વધતાં યથાર્થ સમજાવા ગ્ય છે. તેથી જીવને સપુરુષના સત્સંગ અને બેધની જોગવાઈ મળે તેમ પુરુષાર્થ કર્તવ્ય છે. જીવ બીજી બધી સામગ્રી અનંત વાર પામે છે, પરંતુ એક સમ્યકત્વની પ્રાપ્તિ ન થઈ તેથી આ પરિભ્રમણ ટળ્યું નહીં. જે આ ભવમાં એક સમતિ પ્રાપ્ત થાય તે જીવ નિર્ભય, નિશંક થાય. આત્માને સ્વભાવ જ ધર્મ છે. તે ક્યાંય બહાર નથી. નથી દેરાસરમાં, નથી શાસ્ત્રમાં. નથી કેઈ ગુરુ પાસેથી મળતું કે નથી કેઈ ક્રિયાકાંડમાં. ધર્મ તે પ્રત્યેક આત્મામાં જ છે. ભેદદષ્ટિથી જોઈએ તે સમ્યકદર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યારિત્ર કહેવાય, પરંતુ અભેદદષ્ટિથી તે માત્ર આત્માનુભવરૂપ કે જ્ઞાનચેતના માત્ર છે. ચૈત્યાલયને સંબંધ, ભક્તિ, શાસ્ત્રવાંચન, તીર્થયાત્રા કરવી, ગુરુની સંગતિ, શ્રાવક કે મુનિની ક્રિયારૂપ વ્યવહારધર્મ એ સર્વ માત્ર મનની પ્રપંચજાળથી બચવાનાં નિમિત્ત છે. તેથી તે સંગે હિતકારી છે. પરંતુ જે કઈ મુમુક્ષુ એ બધાં સાધનેને મૂળ ધર્મ માની લે અને શુદ્ધ આત્મતત્ત્વને ન ઓળખે તે મોક્ષમાર્ગ તે મુમુક્ષુને હાથ લાગે નહીં, માટે જણાવવાની જરૂર છે કે મૂળ ધર્મ તે આત્માને સ્વભાવ છે. જન્મ–જરા-મરણરૂપી રેગ ટાળવાની અને કર્મમળ છેવાની આ એક અદ્ભુત ગુણકારી દવા છે. તેની પ્રાપ્તિ સદ્દગુરુ વૈદ્ય દ્વારા થાય અને તેની આજ્ઞા પ્રમાણે તેનું સેવન થાય તે જીવ સદા સુખી રહે. કહ્યું છે કે – “સમ્યક દષ્ટિ સર્વત્ર સદા સુખી અને મિથ્યાષ્ટિ સર્વત્ર સદા દુઃખી છે.” આટલા કાળ સુધી જેની કાળજી નથી લેવાઈ તેની કાળજી હવે જાગ્રત થઈ લેવા ગ્ય છે. આપ જેવા સુજ્ઞને વિશેષ શું લખવું? ૩% શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, ભાદરવા સુદ ૮, ૧૯૯૧ આ સંસાર દુઃખથી ભરેલો છે. તેમાં સુખ શોધવું તે વ્યર્થ છે. કોઈ અસંસારી આત્મજ્ઞાની પુરુષની અપૂર્વ વાણીથી જીવ મેહનિદ્રાથી જાગે તે તે સત્પરુષની આજ્ઞાએ Page #112 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા વર્તતાં આ સંસારને તરી જવાય છે એવો કેઈ અપૂર્વ વેગ આ મનુષ્યભવમાં બને છે એટલે આ અસાર સંસારમાં સાર છે. બાકી ખારા સમુદ્રનું ગમે તેટલું પાણી પી જાઓ તો પણ તૃષા મટે તેમ નથી કે શાંતિ વળે તેવું નથી. શાંતિ પમાડે તેને તો સંત કહીએ, તેને દાસના દાસ થઈ રહીએ.” – શાંતિ, મીઠી વીરડીનું પાણી થોડું પિવાય તે પણ તરસ છીપે છે, તેમ સપુરુષનાં દર્શનસમાગમ કે બોધ અ૯૫ પ્રાપ્ત થાય તો પણ તે શાંતિનું કારણ છે. આપે તે એ સ્વાદ ચાખે છે, તે પુરુષાર્થ કરીને તેને વિશેષ લાભ કઈ કઈ દિવસે લેવાય તેવું કરતા રહેવા વિનંતી છે. દેહને અર્થે અનંત કાળ ગાળે, પણ જે દેહે આત્માર્થ સધાય તે દેહને ધન્ય છે. તે જગ પ્રાપ્ત થયું છે તે હવે અલ્પ આયુષ્યમાં જેટલું વિશેષ સત્સંગને લાભ લેવાય તેમ ભાવના રાખવા યંગ્ય છે. પૂર્વનાં બાંધેલાં સુખદુઃખ સર્વ સ્થળે ભેગવવાં પડે છે, ભલે દવાખાનામાં રહે કે હવા ખાવાનાં સ્થળમાં રહો. પણ જ્યાં સત્સંગ છે ત્યાં આ ભવ, પરભવ બન્નેનું હિત થાય તે જોગ છે. કટિ કર્મને નાશ પુરુષને સમાગમે થાય છે તે કમાણ જેવીતેવી નથી. બસો-પાંચસે રૂપિયા માટે જીવ પરદેશ પણ ચાલ્યો જાય, અનેક જખમ ખેડે અને મહેનત ઉઠાવે પણ પુણ્ય વિના તે પામી શકાતું નથી, અને સત્સંગ માટે જ્યારથી ડગલાં ભરે ત્યારથી જીવને પુણ્ય અઢળક બંધાતું જાય છે તેનું માત્ર જીવને ભાન નથી, શ્રદ્ધા નથી. પૂર્વભવનું કરેલું આ ભવે જીવ પામ્યા છે, પણ જે આ ભવમાં કમાણી નહીં કરે તે શી વલે થશે? માટે ચેતવા જેવું છે. બાળ કરશે તે બાળ ભગવશે. બૈરી કરશે તે બૈરી ભગવશે. પિતે એકલે જવાને છે. માટે ધર્મ કરશે તે સુખી થશે. સંસારમાંથી જેટલે કાળ બચાવી પુરુષની આજ્ઞામાં પ્રવર્તવાનું થશે તેટલું લેખાનું છે, કલ્યાણરૂપ છે. ૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ તા. ક. – સહનશીલતા, ધીરજ, સમભાવ, ક્ષમા આ ઉત્તમ દવા છે. અગાસ, ભાદરવા સુદ ૧૦, ૧૯૯૧ “ક્ષમા ધર્મ આદિ કહ્યો, ક્ષમા શર ભગવંત ક્ષમા ધર્મ આરાધતાં, પામે ભવનો અંત.” પર્યુષણ ઉપર હજારેક મુમુક્ષુઓ એકત્ર થયા હતા. અત્યંત ભક્તિભાવે સદ્દગુરુકૃપાથી પર્યુષણ પર્વની રૂડી રીતે નિર્વિધ્રપણે આરાધના થઈ છે. આત્માર્થે દાન, શીલ, તપાદિ વડે યથાશક્તિ સર્વેએ લાભ પ્રાપ્ત કર્યો છે”. ઘણું જીવોને બ્રહ્મચર્ય આદિ વ્રતની પ્રાપ્તિ થવાથી સમ્યકત્વ-પ્રાપ્તિને કારણની સન્મુખ ઘણું જીવાત્માઓ થયા છે. આ ભવમાં કરવા યોગ્ય સતશ્રદ્ધા છે. પુરુષના ગે જીવની યોગ્યતા હોય તે તે પ્રાપ્ત થાય છે. પુરુષ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ ઉપર, તેમનાં વચનામૃત ઉપર શ્રદ્ધા-આસ્થા રાખી સંતના ગે જે સ્મરણભક્તિનું સાધન પ્રાપ્ત થયેલ છે તેમાં વિશેષ વૃત્તિ-રુચિ–ભાવ રહ્યા કરે તેમ પ્રવર્તવા ગ્ય છે. સત્પરુષનું એક પણ વચન જો સાચા અંતઃકરણે ગ્રહણ થશે તે જીવનું અવશ્ય કલ્યાણ થશે. ભક્તિના વીસ દેહરા, ક્ષમાપનાને પાઠ, આલેચના, આત્મસિદ્ધિ, છ પદને પત્ર આદિ Page #113 -------------------------------------------------------------------------- ________________ બેધામૃત મુખપાઠ કરી તેને વિચાર, તેની ચર્ચા, તેની ભાવના-પ્રતીતિ-રુચિ રાખી તે જ સત્ય માનવાથી જીવને ઘણું લાભ થાય એમ છે. સમજાય, ન સમજાય તો પણ તે વારંવાર પાંચપચાસ કે હજાર વાર બેલાશે તો પણ પુણ્ય બંધાશે અને કેટિ કર્મ ખપી જશે. માટે આ કાળમાં મુખ્ય આધાર ભક્તિને છે તે તેમાં મંડી પડવું. નાનાંમોટાં સર્વને તે હિતકારી છે. મનુષ્યભવને દુર્લભ જગ મળે છે. ફરી ફરી આ યોગ મળી શકે એમ નથી અને કાળનો ભરોસો નથી. લીધે કે લેશે એમ થઈ રહ્યું છે, તેમાંથી જેટલો લીધે એટલે લહાવ એમ વિચારી સ્મરણ-ભક્તિ કર્યા કરવામાં હિત છે તે ચૂકવું નહીં. ૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૭-૧૦-૩૫ સ્વછંદ મત આગ્રહ તજી, વર્તે સદ્દગુરુલક્ષ; સમક્તિ તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ.” પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પરમાત્મા પ્રત્યે પરમ સંતના સમાગમે અચળ પ્રેમ, શ્રદ્ધા, ભક્તિ કર્તવ્ય છે. એ પરમપુરૂષનાં વચન આ કાળમાં અમૃત જેવાં છે. કળિકાળની જવાલાને શાંત કરી શીતળીભૂત બનાવે તેવાં છે. શ્રદ્ધાપૂર્વક સપુરુષોનાં વચની ઉપાસના અને તે લયે પ્રવર્તન થશે તેટલે મોક્ષમાર્ગ પ્રગટ થશે એમાં સંદેહ નથી. ખામી માત્ર સબોધ અને સપુરુષાર્થની છે. એક એક શબ્દમાં અનંત આગમ સમાય તેવાં અમૂલ્ય વચનનું સત્સંગમાં શ્રવણું થાય, તેમાં પ્રેમ આવે અને ભાવની વૃદ્ધિ થાય તો મેલ દૂર નથી. તે પુરુષની અલૌકિક દશા અને તેના અમાપ ઉપકારને સત્સંગમાં વિચાર કર્તવ્ય છે તેથી ભક્તિ પ્રગટે છે અને એક મૂળપુરુષની ભક્તિમાં સર્વે આવી જાય છે એ લક્ષ રાખી પરમકૃપાળુ દેવની ભક્તિમાં લીન રહેવા ભલામણ છે ભાઈ. ૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ અવાસ, તા. ૨૧-૧૨-૩૫ ધમીને મૃત્યુ મિત્ર છે, ઉતારે દેહભાર; વિસામો આપે વળી, યદિ હેય અવતાર. આપનું કાર્ડ મળ્યું. પૂ...ના દેહોત્સર્ગના સમાચાર સાંભળી ખેદ થાય છે કે આમ મનુષ્ય આયુષ્ય અચાનક પૂરું થતાં સર્વ છેડી ચાલ્યા જવું પડે છે. પણ પુરુષના આશ્રયે જેને દેહ છૂટે છે તેને સત્પરુષની કૃપાએ સન્માર્ગનાં નિમિત્તો મળી રહે છે. પરમકૃપાળુ દેવ જે ધણી માથે જેને હોય તેને કંઈ મૂંઝાવા જેવું નથી છતાં મનુષ્યભવ મળ બહુ દુર્લભ છે એમ જ્ઞાનીઓએ કહ્યું છે. તે ધન જેની પાસે હોય તેણે તે લૂંટાઈ જતાં પહેલાં તેને બહુ કાળજીથી સદુપયોગ કરતા રહેવા યોગ્ય છે. આપ તે સમજુ છે. આપના કુટુંબના સર્વ ભાવિક જીવાત્માને ચેતવા માટે જણાવતા રહેશે કે ફરીથી આવી સામગ્રી બીજા ભવમાં મળવી મુશ્કેલ છે. માટે શ્રદ્ધા પરમ દુર્લભ છે એમ પૂ. પ્રભુશ્રીજી કહેતા હતા તે યાદ રાખી જે જે પ્રકારે પરમકૃપાળુ દેવની શ્રદ્ધા દઢ થાય તેમ પ્રવર્તવા યોગ્ય છે. શ્રદ્ધાની ખામીને લઈને જીવ દુઃખ વેદે છે. ૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #114 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૮૨ અગાસ, તા. ૫-૧-૩૬ આપે પિતાના દેષ દેખી તે દૂર કરવાનો નિશ્ચય કર્યો છે તે બહુ પ્રશંસવા યોગ્ય છે, તેમ જ કર્તવ્ય છે. પાપ છોડવાને સુયોગ આ મનુષ્યભવમાં જ બને તેમ છે. કાગડાકૂતરાના ભાવમાં શું બની શકે તેમ છે? મુમુક્ષુનું વર્તન એવું હોવું જોઈએ કે શત્રુ પણ તેને વિશ્વાસ કરે; કારણ કે તેના હૃદયમાં દયાને વાસ હોય છે તેથી તેનું વર્તન સ્વ-પરને હિતકારી હોય તેવું હોય છે. આપે સ્વચ્છતા માટે ફિનાઈલ વાપરવા વિષે પ્રશ્ન કર્યો છે, તે વિષે એટલું જ જણાવવું પૂરતું છે કે આપણે આપણા દેહની જ્યાં સુધી કાળજી રાખીએ છીએ ત્યાં સુધી બીજાના દેહ પ્રત્યે બેદરકાર રહેવું ઘટતું નથી. એટલે બનતી કાળજી રાખીને કપડાં, ખાટલા કે ઓરડીની દરરોજ સંભાળ રાખી માંકડ, ચાંચડ પકડાય તેટલા પકડી નાખી દેવા અને સ્વચ્છ જગા કરીને ફરી ઉત્પન્ન ન થાય તે માટે ફિનાઈલ છાંટે અને સ્વચ્છતા સાચવે તો યત્નાપૂર્વક ક્રિયા કરી કહેવાય. પણું નજરે માંકડ, ચાંચડ દેખી તેને નાશ કરવા તેના ઉપર દવા છાંટવી એ તે અઘટિત લાગે છે. દયા અને સહનશીલતા, ખમી ખૂંદવું એ ગુણો આત્માર્થીને બહુ જરૂરના છે, મોક્ષમાર્ગમાં મદદ કરે છે. માટે જેટલે તેને વિશેષ અભ્યાસ થાય તેટલું હિત થશે. મુખ્ય વાત કરવા ગ્ય તે એ છે કે પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રત્યે દઢ શ્રદ્ધા કરી તેની ભક્તિમાં ચિત્ત રાખવા યોગ્ય છે. બીજું સદાચરણથી આપણી શક્તિ પ્રમાણે પ્રવર્તવું. પણ શ્રદ્ધાનું બળ વિશેષ હશે તે બીજું બધું ચારિત્ર પાળવા યોગ્ય બળ કાળ પાયે મળી રહેશે. તેથી પ્રેમ, પ્રતીતિ, ભક્તિ પરમકૃપાળુ દેવ પ્રત્યે વધે અને તેનું માહાસ્ય તથા અલૌકિક સ્વરૂપ સમજાય તે અર્થે ત્યાગ, વૈરાગ્ય અને કષાયની મંદતા કર્તવ્ય જી. કહ્યું છે કે “જેવા ભાવ તેવા પ્રભુ ફળે, ભમ્ભા ભજન થકી ભય ટળે.” માટે જાણે મરી ગયા હતા એમ વિચારી, બધા ઉપરથી મેહ-મમતા અંતરમાંથી કાપી નાખી, આટલું બાકી રહેલું આયુષ્ય મફતિયું મળ્યું છે એમ માની ધર્મ કરવાના ભાવ અંતરમાં પિષતા રહેવા ભલામણ છે. બીજું બધું કર્માનુસાર બની રહ્યું છે, તેમાં મમતા-મોહ કરવા યોગ્ય નથી; પરવસ્તુની ચિંતા કરવા ગ્ય નથી. તે તે બનનાર હશે તેમ બનશે; પણ આત્માનું હિત થાય તેવી સત્પરુષની આજ્ઞામાં ચિત્ત વારંવાર વાળવાને અભ્યાસ કર્તવ્ય છે. ૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, જેઠ સુદ ૪, ૧૯૯૨ પૂ. અખેચંદભાઈએ દેહ છોડ્યાના ખેદકારક સમાચાર આપના કાર્ડથી જાણ્યા. અત્રે તેઓ મુશ્કેલી વેઠી આવી ગયા તે પ.પૂ. પ્રભુશ્રીજીનાં દર્શનને લાભ, સમાગમને લાભ છેલ્લે છેલે લઈ શક્યા અને છેવટના સંસ્કારે તેમની શુભ લેશ્યા તથા સદ્ગતિ થયાની સાબિતી છે”. એ સદગત વયેવૃદ્ધ મુમુક્ષુ તે પિતાની ધર્મભાવના વધારી આત્મકલ્યાણના લક્ષ સહિત પરલકવાસી થયા છે, તેથી ખેદનું કારણ નથી. માત્ર આપણને તેમના સમાગમને વેગ ન રહ્યો એ લાગી આવે તે સ્વાભાવિક છે. પણ જ્યાં નિરૂપાયતા છે ત્યાં સહનશીલતા એ ઉત્તમ માર્ગ જ્ઞાની પુરુષોએ જણાવ્યું છે. એ થતાં ખેદને વૈરાગ્યમાં પરિણમાવ ઘટે છે. એક ધર્મશાળામાં Page #115 -------------------------------------------------------------------------- ________________ બધામૃત જેમ અનેક ગામથી મુસાફરો આવીને રાત રહે છે અને સવાર થતાં પિતાપિતાને રસ્તે ચાલ્યા જાય છે તેમ અનેક ગતિમાંથી જ આવી એક કુટુંબમાં થોડે કાળ સાથે રહે છે તેટલામાં તે એટલો બધો મેહ વધારી દે છે કે મરણકાળે તે પ્રતિબંધ આડા આવી જીવને અધોગતિએ લઈ જાય છે. એ વિચારી જેમ બને તેમ આજથી સગાં, મિત્ર, મળતિયા કે પાડોશીના પ્રતિબંધ ઓછા કરી જેમ બને તેમ વાસના, મોહ, મમતા કે દેહાધ્યાસ ઘટે તેવા વૈરાગ્યમાં વૃત્તિ રાખી, સત્પરુષે જે આજ્ઞા કરી છે એવા વીસ દેહરા, ક્ષમાપનાને પાઠ, યમનિયમ, આત્મસિદ્ધિશાસ્ત્ર, છ પદને પત્ર, અપૂર્વ અવસર, મહામંત્ર, આલેચના, સામાયિક, આઠ દૃષ્ટિની સઝાય આદિ ઉત્તમ સાધનામાં મનને જોડી રાખવા ઉદ્યમ કર્તવ્ય છે. દરરોજ મરણ સંભારી તેની વાટ જોઈને બેઠા હોઈએ તેમ પ્રતિબંધ ટાળી અસંગભાવની વૃદ્ધિ કરતા રહેવા વિનંતી છેજ. જે કરશે તેના લાભનું છે. ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, અષાડ વદ ૬, ૧૯૯૨ નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા.” (૧૫) ___ "आयरिय उवज्झाए सिसे साहम्मिए कुल गणेअ, जे मे केई कसाया सव्वे तिविहेण खामेमि." સદુગરગે જે સહજે લાભ થાય છે તે વિયેગમાં ઘણા પ્રયત્ન થવો પણ દુર્લભ છે એમ વિચારી વિશેષ પુરુષાર્થ કરી, વિશેષ સત્સંગનું અવલંબન લઈ જેટલું થઈ શકે તેટલું કરી લેવું ઘટે છે. જ્યાં સુધી મનુષ્યભવ છે ત્યાં સુધી તે આશ્રયે અને પરમકૃપાળુ દેવના અવલંબને બનશે તેટલું અન્ય કઈ ભવમાં બનવા નથી, એ વારંવાર આપણે સાંભળ્યું છે અને માન્યું છે, તો વિશેષ કાળજી રાખી તે ભાવના વધારી આત્મકલ્યાણનાં ઉત્તમ નિમિત્તોમાં વિશેષ કાળ જાય તેમ કર્તવ્ય છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ એ પ્રારબ્ધને આધીન છે. જેવું બાંધ્યું હોય તેવું દ્રવ્ય દેખીએ છીએ, તેવા ક્ષેત્રે રહેવું થાય છે, તે શાતા–અશાતાને કાળ સહન કરે પડે છે, પણ ભાવ તે આપણા પુરુષાર્થ પ્રમાણે પ્રવર્તે એમ છે અને તેને પ્રધાનપણે અવલંબી મહાપુરુષે મોક્ષ પ્રાપ્ત કરે છે કે સમાધિમરણ સાધે છે. મરણ વખતે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ મુખ્યપણે વિપરીત હવાને સંભવ છે. પણ ભાવ સર્વોપરી થઈ જાય તે તે ગૌણતામાં એક બાજુ પડ્યાં રહે છે અને ભયંકર લાગતું મરણ પણ પ. પૂ. પ્રભુશ્રીજી કહેતા તેમ મૃત્યુ-મહોત્સવરૂપ પલટાઈ જાય છે. એ ભાવ નિમિત્તાધીન અત્યારની દશામાં આપણને પ્રવર્તે છે તેથી શુભ નિમિત્તાનું અવલંબન, સત્સંગ કે સત્સંગે થયેલી આજ્ઞા એ જ ઉત્તમ ઉપકારી છે. તે જાણવા છતાં વૃત્તિ પરમાં પ્રવર્તે છે તેને વશ કરવા પ્રબળ પુરુષાર્થ અને સત્યને માટે સમકિતને માટે ગુરણાની જરૂર છે. તે સબંધની સ્મૃતિથી થવા યોગ્ય છે. આ ડહાપણું તમને ઉપદેશ માટે નથી; મારે માટે મને પ્રવર્તતે વિચાર માત્ર દર્શાવ્યું છે. પૂ. રત્નરાજ સ્વામીને દેહ અષાડ સુદ ૧૧ને દિને છૂટી ગયું છે તે જાણ્યું હશે. પૂ. મણિલાલ વડવાવાળાને લકે થયું હતું તેને દેહ પણ છૂટી ગયું છે. આમ સત્સંગ દુર્લભ થતા જાય છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ ૯૩ અગાસ, અ. ભાદરવા સુદ ૨, ૧૯૯૨ પત્રસુધા ૫ 66 નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહ; આપતણે। વિશ્વાસ દ, ને પરમાદર નાહિ ’ વિ. આપે રાત્રિèાજન અને કંદમૂળના ત્યાગના વ્રતમાં અજાણતાં દેષ લાગ્યાનું જણાવ્યું તે માટે જણાવવાનું કે વ્રત લેવું તે કેાઈ ને વચન આપીએ તે કરતાં વધારે જવાખદારીવાળું ગણી દૃઢતાપૂર્વક પાળવું ઘટે છે. અને તે। દરરોજ સાંજે સૂઈ જતાં પહેલાં વિચાર કરી લેવા કે કંઈ વ્રતમાં દોષ લાગે તેવું આજે બન્યું છે કે નહીં; તથા ગામપરગામ જતાં પહેલાં પણ વ્રત સચવાશે કે નહીં કે દોષ લાગવાના સંભવ છે કે કેમ તે પણ વિચારી જવું ઘટે છે અને તેની કાળજી રાખી તેવા પ્રસંગમાં વધારે સાવચેત રહેવું જોઈએ. હવેથી તેવા પ્રસંગ ન બને તે માટે ઉપર જણાવેલી કાળજી અવશ્ય દૃઢતાથી રાખવાના ટેક રાખશેાજી. મંદવાડના પ્રસંગે દવા વૈદ્યની ચાલતી હેાય ત્યારે ચરી પાળવામાં કાળજી રાખીએ છીએ તે તેા દેહને માટે છે, પણ તેથી વિશેષ કાળજી વ્રત માટે રાખવી ઘટે છે; કારણ કે મનેાખળ વધવા માટે વ્રત લીધાં છે. એ માટે વ્રતનું માહાત્મ્ય વિચારીને અને આપણાં અહાભાગ્ય કે સત્પુરુષની સાક્ષીએ આપણને વ્રત પ્રાપ્ત થયું છે માટે તેની આજ્ઞા મારે આ ભવમાં આટલી તે અવશ્ય ઉઠાવવી એમ દૃઢ નિશ્ચય રાખીને લીધેલાં વ્રતમાં ભૂલ ન આવવા દેવી એ સર્વ મુમુક્ષુ ભાઈબહેનેાનું કર્તવ્ય છે. ચૈાગષ્ટિની સજઝાય” અહીં રાજ ખેલાય છે, તેમાં ચેાથી ષ્ટિમાં હજી સમકિત પ્રાપ્ત થયું નથી પણ સમકિતની સન્મુખ જીવ છે તેને કેટલી દૃઢતા ધર્મમાં હાય છે તે વિષે લખ્યું છે – t ધર્મ અર્થે ઇહાં પ્રાણનેજી, – છાંડે, પણ નહીં ધર્મ; અર્થે સંકટ પડ્યેજી, જુઓ એ ષ્ટિના મર્મે મનમેાહન જિનજી, મીઠી તાહરી વાણુ. પ્રાણ "" સર્વને સમજવા, વિચારવા અર્થે આ લખ્યું છે, વ્રત લીધાં છે અને સત્સંગના જોગ રહેતા નથી. યેાગ્ય છે. સત્પુરુષના વિયાગમાં, જો તેણે આપેલી અવશ્ય દેવગતિ પામે અને જાણીજોઈને વ્રતભંગ કરે તે નરકે જાય એમ શાસ્ત્રમાં છે તે ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ કારણ કે એ તરફનાં ઘણાં ભાઈબહેનાએ તેમણે વ્રતનું માહાત્મ્ય સત્સંગે સાંભળવા આજ્ઞા કે વ્રત જીવ દૃઢતાથી પાળે તે વિચારશે. ૫૬ અગાસ, ખી. ભાદરવા સુદ ૬, ૧૯૯૨ “ ક્ષમા એ જ મેાક્ષના ભવ્ય દરવાજો છે. ” — શ્રીમદ્ રાજચંદ્ર વિ. આપના ક્ષમાપનાપત્ર તથા રૂ. ૫ સાધકસમાધિ ખાતે મેાકલ્યા છે તેની પહેાંચ આ પત્રથી સ્વીકારવા વિનંતી છેજી. આ વર્ષે ૪ જણે અઠ્ઠાઈ કરી હતી અને ખીજા બધાએ યથાશક્તિ તપ, વ્રત આદિથી પર્યુષણુપર્વની આરાધના કરી છેજી. પાંચમને દિવસે વરઘેાડા વાજતેગાજતે કાઢ્યો હતા. પીઠામાં ભક્તિ કરી, ભક્તિ કરતાં સર્વે આશ્રમમાં આવ્યા હતા. સર્વેમાં ઉત્સાહ ઘણા જણાતા હતા પણ ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીની ખામી Page #117 -------------------------------------------------------------------------- ________________ બધામૃત સર્વને સમજાતી હતી. તે હોય તે અલૌકિક ભક્તિ-આનંદને લાભ સર્વને મળે. આપણું અહોભાગ્ય કે આ ભવમાં થડા વખત માટે પણ એવા આત્મજ્ઞાની પુરુષનાં દર્શન-સમાગમને યોગ બને. તેમણે વાવેલા બીજને ભાવ-ભક્તિથી વર્ધમાન કરી તેમની કૃપાને ગ્ય આપણે બનીએ અને આ મનુષ્યભવ સફળ કરી લઈ એ એ જ ભાવના હવે કર્તવ્ય છે. ગયો કાળ પાછો આવતે નથી પણ વર્તમાનકાળ તથા ભવિષ્યકાળ જે આ ભવમાં આપણું હાથમાં છે તેને ઉત્તમ ઉપયોગ કરી ભક્તિમાં, આત્મભાવમાં ગાળી આત્મકલ્યાણ કરી લેવા ગ્ય છે. પ્રમાદ કર્તવ્ય નથી. કાળને ભરોસો નથી. અસંગ, અપ્રતિબંધ, સમભાવ, વિનય, ભક્તિ, વૈરાગ્ય, ત્યાગ, ક્ષમા, સહનશીલતા આ બધા ઉત્તમ બેલે તેઓશ્રી વારંવાર જણાવતા, તે વારંવાર વિચારી આપણું વર્તનમાં કંઈ અંશે પણ આવે તેમ વર્તવા પુરુષાર્થ કર્તવ્ય છે, કારણ કે મોક્ષમાર્ગના પ્રવાસીને ભાથારૂપ તે ઉત્તમ બેલે છે. તેનું ગ્રહણ ભાવથી થશે તે મેક્ષ નિકટ આવતે જશે. બંધનેને નાશ કરનાર તે બેલ સ્મરણ કરવા યોગ્ય, મનન કરવા યોગ્ય, ઈચ્છવા ગ્ય, ભાવના કરવા ગ્ય, તતૂપ થવા યોગ્ય છે. આપણે સર્વ દુખિયા છીએ પણ સુખિયાને આશ્રય લીધો છે તે તે જગાડશે. દુઃખ સમજાવી, દુઃખથી ભય પમાડી, દુઃખ દૂર કરવા બળ આપશે. પણ કરવું તે આપણે પડશે. તેના વચનનું બળ આપણને મદદ કરશે. પણ કંઈ કરવા નહીં મંડીએ તે વચનની શક્તિ નથી કે પરાણે આપણને ક્ષે પહોંચાડે. માટે તે વચન માનીને વર્તવાને નિશ્ચય કર્તવ્ય છે. ૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ 6. અગાસ, તા. ૨૮-૯-૩૬ આપે “જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ” એ ગાથાઓના અર્થ વિષે પુછાવ્યું છે, તેના ઉત્તરમાં જણાવવાનું કે જેના માટે આપ પૂછે છે તે ભાઈને જ્ઞાનપિપાસા વધારવાની જરૂર છે. તેની સાથે સત્પરુષ પ્રત્યે શ્રદ્ધાભાવ વધતાં સત્સંગમે તે સમજાવા યોગ્ય છે. કારણ કે અત્રેથી લખેલા અર્થમાં પણ પ્રશ્નો ઉદ્ભવે તેનું પાછું સમાધાન ત્યાં તમારાથી દુર્લભ સમજાય છે. તેથી સત્સંગની ભાવના રાખી હાલ વીસ દેહરા જે શીખી જ નિત્યનિયમ તરીકે રાખે તે તેને એ પદના અર્થ સમજવાની યોગ્યતા આવવાનું કારણ બને એમ લાગે છે. અને એટલી પણ ભાવના તેને ન હોય અને માત્ર શબ્દાર્થમાં જ ક્યાંક મુશ્કેલી લાગવાથી તમારી પાસે પ્રશ્ન પુછા હોય તે તે કંઈ તે વાત લંબાવવામાં શ્રેય નથી. તમે પણ વિચારીને સદ્ગુરુ શરણે કહી શકશે. માત્ર તમે તમારે પિતાને માટે એ ગાથાઓને વિચાર કરશે અને કેઈ સ્થળે ન સમજાય તેવું હોય તે ખુશીથી પૂછશે. પરમકૃપાળુ દેવને શુદ્ધ સમકિતને લાભ થયે તે અરસામાં તે લખાયેલાં પદમાં આખા વિશ્વની વાતને ઉકેલ તેમાં પિતાને સમજાયેલે સમાવ્યો છે. આપણી ગ્યતા અનુસાર આપણી શંકાઓ. દૂર કરવા, શ્રદ્ધા દઢ કરવા તે વિચારવા યંગ્ય છે. બીજાની સાથે તેવી વાતમાં ઊંડા ઊતરવાની જરૂર નથી. એમાં ભાષા કંઈ અઘરી નથી. વિચારણા તથા કડીઓના સંબંધ વિષે પ્રશ્ન ઉત્તર રૂપે હોવાથી નવીન જીવને સમજાવું મુશ્કેલ પડે તેમ છે. જેને “આ બધું શું છે? Page #118 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા હું કોણ છું? કેમ બંધાયે છું? શાથી છૂટી શકાય?” એવા પ્રશ્નો ઊગ્યા છે તેને એ પદમાંથી ઉત્તર મળતાં વિચારણા જાગ્યે પરમ સંતોષ પ્રાપ્ત થવા યોગ્ય છે. છેલ્લી કડીમાં જણાવેલા ઉપકારને ભાવ ક્યારે પ્રગટ થાય કે પહેલી કડીની ગેડ બરોબર બેસે તે – સદ્ગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ; સમજ્યા વણ ઉપકાર શો? સમયે જિનસ્વરૂપ.” શ્રી આત્મસિદ્ધિજીમાં આ જણાવ્યું છે તેમ સદ્ગુરુના ઉપદેશે જડ અને ચેતનનું સ્વરૂપ સમજવાનું છે. તેટલે નિર્ણય સદ્ગુરુ દ્વારા થતાં અનંત જીવો મોક્ષે ગયા છે, તે વાત શબ્દાર્થરૂપે લખાય અને એકદમ અજાણ્યા જીવને સમજાઈ જાય એ સંભવ એ છે જાણે તે પદના અર્થ વિષે લખતે નથી. સામાન્ય અર્થ તે તમે પણ કરી શકશે. ૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ | - - ૮૮ અગાસ, તા. ૨૫–૧૦–૩૬ મુમુક્ષતા એ છે કે સર્વ પ્રકારની મહાસક્તિથી મૂંઝાઈ એક મોક્ષને વિષે જ યત્ન કરે.”– શ્રીમદ્ રાજચંદ્ર અમૃતપત્ર નં. ૨૫૪ આપને પત્ર પ્રાપ્ત થયું. સમાચાર જાણ્યા છે. યથાશક્તિ પરિગ્રહથી છૂટા થવા કે કંઈ મર્યાદા કરવા જે નિયમ તમે સર્વ મુમુક્ષુ ભાઈઓ સમક્ષ લીધે છે તે ઠીક કર્યું છે. દેવું કરીને ધનના લેભે ધીરધાર નહીં કરવી અને ધનના લેભે જમીને નવી ખરીદવી નહીં – આ બને નિયમે તૃષ્ણાને અમુક હદમાં રાખવા પૂરતા સારા છે. જે વસ્તુ હાલ નથી મળી તે મેળવવાની ઈચ્છા કર્યા કરવી તે લેભ કહેવાય છે અને લોભ એ સર્વ પાપનું મૂળ છે એમ જાણી એ લેભ જેટલે અંશે છૂટશે તેટલી તૃષ્ણ ઘટશે અને તૃષ્ણા ઘટશે તે જન્મમરણ પણ તેટલાં ઓછાં થશે. માટે વિચારવાન છો વ્રત કેટલું નાનુંમોટું છે તે તરફ દષ્ટિ નથી કરતા પણ જન્મમરણથી છૂટવાની ભાવના કેટલી પ્રબળ છે તે તરફ દષ્ટિ રાખે છે. જે જન્મમરણથી છૂટવાની ભાવનાની વૃદ્ધિ કરી, તેને અમલમાં મૂકવા બને તેટલું અલ્પ પણ વ્રત આદરી તેને જીવના જોખમે પણ પાળવામાં મક્કમ રહે તેને તે મને બળ મોક્ષની નજીક લઈ જાય છે. લેભને ભ નથી એમ કહેવાય છે, પણ જ્ઞાની પુરુષોને બેધ તે તે લેભને માથે કુહાડો મારવાને જ કહે છે. ટૂંકામાં કહેવાને ભાવાર્થ એ છે કે પરના સંગથી પરવૃત્તિમાં પ્રવૃત્તિ થાય છે. તે નિમિત્ત આત્માને અહિતકારી જાણ જે વ્રત અંગીકાર કર્યું હોય તો તેની અસર આત્મામાં ઊડી થાય છે. લોકોને જણાવવા કે રૂડું દેખાડવા નહીં પણ આત્માને અકલ્યાણકારી બાબતની વૃદ્ધિ માટે અટકાવવી છે અને જેમ નવી જમીન વગેરે પર થતી મમતા ઘટાડવા વ્રત લીધું તેમ જ હાલ જે જમીન આદિ પરિગ્રહ છે તે પણ આત્માને હિતકારી નથી, પરંતુ કુટુંબકાજ નિભાવવા તેમાં પ્રવર્તવું પડે છે. પણ આત્માનું કલ્યાણ કરવાને આ અમૂલ્ય ભવ તે તેમાં ને તેમાં વહ્યો ન જાય માટે વર્તમાનમાં પરિગ્રહરૂપે જે જે પરપદાર્થોનો સંગ છે તેની મારે મમતા તજવા જ એગ્ય છે એમ વારંવાર ભાવના વર્ધમાન કરી મનુષ્યભવને સફળ કરવા સત્સંગ આદિ સાધનને વેગ વિશેષ બની આવે તેમ કાળજીપૂર્વક પ્રવર્તવા પુરુષાર્થ Page #119 -------------------------------------------------------------------------- ________________ બેધામૃત કર્તવ્ય છે. આ આયુષ્યને ભરેસે નથી, કાળ ગટકાં ખાઈ રહ્યો છે, લીધે કે લેશે એમ થઈ રહ્યું છે એમ જાણી આ આત્માની દયા લાવી તેને પરિભ્રમણમાંથી છોડાવવા પુરુષની આજ્ઞામાં મનને જોડી રાખવું ઘટે છે. આપ સર્વ સમજુ છો એટલે વિશેષ શું લખવું? ૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ / અગાસ, તા. ૪-૧૨-૩૬ “શ્રી સત્પુરુષ નવમનિ–Tr–ોતિ; મરત ચિષ્ટિ ફ્રિા ફ્રોતી ” પ્રથમ પત્રમાં આપે પુછાવેલ કડી “આલંબન સાધન જે ત્યાગે, પરપરિણતિને ભાગે રે તે વિષે એક વખત ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીની હયાતીમાં તેનું વિવેચન થયું હતું. એક ભાઈને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે પુરુષનું આલંબન જે ત્યાગે તે પર પરિણતિને ભાંગામાં આવે છે. બીજા ભાઈને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે જ્યાં સુધી પરદ્રવ્યનું અવલંબન છે ત્યાં સુધી હું અને પર એવી કલ્પના હોય છે તથા ધ્યાતા, ધ્યાન, દયેય કે જ્ઞાતા, જ્ઞાન, યની કલ્પના હોય છે અને કલ્પના હોય ત્યાં નિર્વિકલ્પદશા નથી હોતી, તેથી પરનું આલંબન લેવારૂપ સાધન જે તજી સ્વઆત્મપરિણામે પરિણમે છે તેને પરપરિણતિ હોતી નથી. તે પર પરિણતિને નાશ કરે છે. આ પ્રકારે ચર્ચા થયેલી સ્મૃતિમાં છે તે જણાવ્યું છે. તે ઉપરથી વિચારતાં તેમ જ પાછલી કહીને સંબંધ જોતાં “અક્ષય દર્શન જ્ઞાનવૈરાગે આનંદઘન પ્રભુ જાગે રે” પાછળને અર્થ તે સ્તવનમાં વધારે બંધબેસતે લાગે છે. કારણ કે “અક્ષયજ્ઞાન = કેવળજ્ઞાનનું કારણ આત્મભાવના છે. “આતમભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે.” નિજ શુદ્ધ આત્માની ભાવના, તલ્લીનતા તે બહુ ઊંચી ભૂમિકાને ગ્ય વાત છે, પણ શરૂઆતમાં જીવને પુરુષનું અવલંબન છે તે મોક્ષમાર્ગમાં દોરનાર છે. એક સપુરુષ અને બીજા તેને આશ્રિતો એ બને મોક્ષમાર્ગના આરાધક છે એમ પરમકૃપાળુ દેવે જણાવેલું છે. એટલે પુરુષના આલંબનરૂપ સાધન જીવને મેક્ષમાર્ગમાં પ્રવર્તાવે છે, અને જેમ જેમ દશા વર્ધમાન થાય અને અપ્રમત્તદશા પ્રાપ્ત થાય, તેમ તેમ શુદ્ધસ્વરૂપમાં સ્થિરતા થતાં પરંપરિણતિ સ્વાભાવિક રીતે છૂટી જાય છે. પણ જે શુદ્ધ આત્માનું નામ માત્ર લઈ તે વાતના મેહમાં મૂંઝાઈ, આલંબનસાધન દઢ થયા પહેલાં છોડી બેસે તે પરંપરિકૃતિ છૂટવાને બદલે પરંપરિણતિ(અશુભભાવ)માં જીવ વહ્યો જાય છે, એટલે શુદ્ધ ભાવની મુખમંગળિયા પેઠે માત્ર વાત કરી શુભભાવને જે છેડી બેસે છે તે શુદ્ધભાવને તે જાણતો નથી અને શુભને છેડી દે છે તેથી અશુભ વગર બીજો કોઈ તેને આશરે રહ્યો નહીં. માટે આપણે માટે તે સત્પરુષની ભક્તિ, તેનાં વચનેમાં પ્રીતિ-ભક્તિ અને તે વચનેના આરાધનમાં યથાશક્તિ પ્રીતિ-ભક્તિ તલ્લીનતા કર્તવ્ય છે. તે અવલંબન છોડવા જેટલી આપણી દશા નથી એમ હાલ મને તે સમજાય છે. શ્રી આનંદઘનજી જેવી દશા આવશે ત્યારે આલંબન-સાધન સહેજે છૂટી જશે. એને છોડવાને પ્રયત્ન નહીં કરવો પડે. अव्रतानि परित्यज्य व्रतेषु परिनिष्ठितः । त्यजेत्तान्यपि संप्राप्य परमं पदमात्मनः ॥ Page #120 -------------------------------------------------------------------------- ________________ ૭ પત્રસુધા શ્રી સમાધિશતકારે આ ગાથામાં અવ્રતે (અશુભભાવનાં કારણ) તજી વ્રતોમાં દઢ થવા ભલામણ આપી છે અને પછી આત્માના પરમપદની પ્રાપ્તિ કરીને વ્રતને (શુભભાવનાં કારણે – સાધનરૂપ આલંબનેને) તજવાની છેલ્લી શિખામણ આપી છે. એટલે ગમે તે વાંચતાંવિચારતાં આપણે અત્યારની ભૂમિકામાં કેમ પ્રવર્તવું એ લક્ષ ભૂલવા ગ્ય નથી. ઉપદેશબોધ અને સિદ્ધાંતબોધ વિષે પરમકૃપાળુદેવે પત્ર લખ્યું છે તે બહુ વિચારવા યોગ્ય છે. તેમાં જણાવ્યા પ્રમાણે ઉપદેશબંધ વિના સિદ્ધાંતબેધ જીવ સાંભળી જાય તો પણ પરિણમી શકતું નથી. તેથી ઉપદેશબંધ વૈરાગ્યઉપશમ અર્થે વારંવાર ઈચ્છવા યોગ્ય છે, તેમ સાધ્યદશા પ્રાપ્ત થવા સાધકદશાની ઉપાસના આલંબનસાધનથી લાંબા વખત સુધી સામાન્ય પ્રકારે ઉપાસવા ગ્ય છેજ. કોઈ અપવાદમાગ જીવને (પૂર્વના આરાધકને બાદ કરતાં આ કાળમાં ભક્તિમાર્ગ તે અર્થે જ સર્વોત્કૃષ્ટ પરમકૃપાળુદેવે જણાવ્યું છે. આ પ્રશ્નના ઉત્તરમાં ધાર્યા કરતાં વિવેચન વધી જવાથી બીજા પ્રશ્નો આગળ ઉપર કે રૂબરૂમાં આપને વેગ પ્રાપ્ત થયે વિચારવા રહેવા દઉં છું. & શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, પૂર્ણિમા અચાનક વ્યાધિ ઉત્પન્ન થયાનું આપના પત્રથી જાણું ઘણો વિચાર આવ્યો કે અહો! આ શરીર કે દગો દે તેવું છે? એક ઘડીવારને તેને વિશ્વાસ રખાય તેવું નથી. એક શ્વાસ ઊંચે લીધે હોય તે નીચે લેવાશે કે નહીં તેને ભસે નથી. આવી અસ્થિર વસ્તુસ્થિતિ આ દેહની છે. શ્રી સનકુમાર ચક્રવતી જેવાએ ઉત્કૃષ્ટ પુણ્ય ઉપાર્જન કરી દેના ઇંદ્ર પણ વખાણે તેવી કાયાની સુંદરતા પ્રાપ્ત કરી હતી, તે પણ એક ક્ષણવારમાં સોળ મોટા રોગ ઉત્પન્ન કરી સાત વર્ષ સુધી તે મહાભાગ્યને ઉપસર્ગ કરવા તત્પર થઈ, પરંતુ તે સમ્યક્દષ્ટિવંત ભગવંતે તે તેની દરકાર રાખ્યા વિના છ ખંડનું રાજ્ય છોડી ભીખના ટુકડા ઉપર તેને નિર્વાહ કરવાનું નક્કી કર્યું અને તે અનિત્ય અને અશુચિભરી કાયાને નિત્ય અને મહાપવિત્ર પરમપદ પ્રાપ્ત કરવાના કામમાં લગાડી દીધી. ધન્ય છે તે મહા ધીર શૂરવીર સંતપુરુષને કે જે દેહની દરકાર છોડી આત્માને ઉન્નત કરવા જ જીવે છે, જીવતા હતા અને જીવશે. દેહ એ કર્મને જ સંચે છે, કર્મવશ તેની અવસ્થા પલટાતી રહે છે. તેમાં પુરાયેલો આત્મા તેને પિતાનું ઘર માની, અરે પિતાનું રૂપ માની તેમાં માન કરે છે કે હું કેવો રૂપાળો છું, હું કે બળવાળો છું, હું કેવું બોલું છું, હું કેવું લખું છું, પણ તેની દશા પરવશ છે તેવી પ્રગટ દેખાય છે ત્યારે વળી પેદા કરે છે કે હું નિર્બળ થઈ ગયે, મારાથી ઉઠાતું નથી ચલાતું નથી, બલાતું નથી, લખાતું નથી, હું ફિક પડી ગયે, હું રેગી છું, હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું અભણ છું, મને સરત રહેતી નથી, ભૂલી જવાય છે આમ રોદણાં રડવા લાગે છે અને પાછા સાજો થયે એટલે પાછે અહંકાર કરવા લાગે છે કે મારા જેવું કંઈ કમાતું નથી, મારે વેપાર બધા કરતાં સારો ચાલે છે, મારી બરાબરી કરે એ કર્યું છે, આ વર્ષમાં તે આટલું જરૂર કમાવાને. આમ ને આમ આટલાં બધાં વર્ષે દેહને જ પિતાને માની તેના દુઃખે દુઃખી અને તેના સુખે સુખી થવાની તેની અનાદિની Page #121 -------------------------------------------------------------------------- ________________ ૯૮ આધામૃત ટેવ જીવ ઉપાસતા આવ્યા છે. હવે કાઈ પરમકૃપાળુની કૃપાથી જો જાગે તેા અવશ્ય તેનું કલ્યાણ થાય. પરમકૃપાળુદેવે મૂળમાર્ગમાં જ્ઞાનનું સ્વરૂપ જણાવ્યું છે તે જીવને જાગ્રત કરવા અર્થે જ કહ્યું છે— ‹ છે દેહાર્દિથી ભિન્ન આતમા રે, ઉપયાગી સદા અવિનાશ – મૂળ૦ એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ – મૂળ॰' પ. . . પૂ. પ્રભુશ્રીજી પાસેથી શ્રીમુખે ઘણી વખત આપણે સાંભળ્યું છે કે એક આત્માને મૂકીને તમે સભામાંથી બહાર જઈ આવા જોઈએ તેના વિના કશું બને છે? જેણે તેને જાણ્યા છે તેની ભક્તિ કરવા માટે પણ દેહાર્દિ પ્રત્યે ઉદાસીનતા આણુવી જોઈ શે, નહીં તે। દેહની પંચાતમાં ગૂંથાઈ રહેવાથી નહીં ભક્તિ થાય કે નહીં વિચાર થાય તે પછી કલ્યાણ શી રીતે થઈ શકશે? માટે પળે પળે તે પરમપુરુષના ઉપકાર સ્મૃતિમાં આણી તેણે આપેલું સ્મરણ, ભજન આદિ કરતા રહેવા વિનંતી છે. એ મહાપુરુષની કૃપા વિના મારાથી કંઈ અને તેવું નથી એમ વિચારી તેને ભૂલ્યા વિના, સર્વ કરવી પડે તે પ્રવૃત્તિ કરવા ચેાગ્ય છેજી. વિશેષ શું લખું? મારી ચેાગ્યતા નથી. માત્ર આપના નિમિત્તે મારે તે પુરુષે જણાવેલા શુભ વિચારમાં દૃષ્ટિ દેવાય એ અર્થે અલ્પમતિથી જે એ ખેાલ જણાવ્યા છે તે તેની જ કૃપાનું ફળ છે એમ વિચારી, આ ઉપરથી પરમકૃપાળુ પ્રભુશ્રીના બેધની જે સ્મૃતિ આવે તેમાં લક્ષ રાખવા ભલામણ છેજી. ભક્તિ એ જ સર્વોત્તમ માર્ગ પરમકૃપાળુદેવે કહ્યો છે, તેમાં જેટલે ભાવ પ્રેરાશે તેટલું કલ્યાણુ છે. ત્યાં પણ સાથે રહેતા ભાઈએ સંપ રાખીને ભક્તિનું નિમિત્ત રાખતા રહેા તેા હિતનું કારણ છે. એ જ વિનંતી. ૐ શાંતિ: શાંતિ: શાંતિ: હરિગીત અગાસ, માગશર પૂર્ણિમા, ૧૯૯૩ ૧ ધર્મધારી કેાઈનાં પરિણામ કદી ચળી જાય જો, ઉપદેશ આદિ મદદ દેતાં સ્થિતિકરણ ગુણ થાય તે. અવસર ફરી આવે નહીં આવે, અરિને જીતવે, કર્યાં અનાદિકાળનાં દુઃખ દઈ રહ્યાં, નિર્મૂળ કરો, એ રીતના ઉપદેશ ઈ, મન ધર્મમાં સુદૃઢ કરી, અનિત્ય આદિ ભાવનાનું ગ્રહણુ તુર્ત કરાવજો; વ્રત, ત્યાગ ત્યાગ્યાં હાય તે, ફરી ગ્રહણુ તુર્ત કરાવજો, સેવાદિ ઉપચારો વડે, સ્થિતિકરણ ગુણ પ્રગટાવજો. (સમાધિસાપાન, પૃ. ૧૪૪–૧૪૬) કાર્ડિ કપટ જો કોઈ દિખાવે તાહિ પ્રભુ વિષ્ણુ નવિ રાચુંજી.” –શ્રી યશેાવિજયજી મથાળે જણાવેલા કાવ્ય પ્રમાણે સ્થિતિકરણ સમ્યક્દર્શનનું અંગ છે તે આપણું પાષાય તેવી ખાખત નીચે જણાવું છું. ગઈ કાલે સ્વાભાવિક રીતે એક પત્ર પૂ. શારદાબહેનને મેં લખ્યું છે. ત્યાર પછી અપાર પછીના સાંભળ્યું કે તે એક પાવાગઢના મહાત્મા પાસેથી મંત્ર લઈ આવ્યાં છે અને તે પ્રભુશ્રી Page #122 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૯૯ જ છે એમ માની ભેાળવાઈ ગયાં છે. મેં પત્ર લખ્યા છે તેમાં સદ્ગુરુકૃપાથી અને તેના પુણ્યાયે તે જ સમાચારના ઉત્તરરૂપ લખાયું છે એમ સ્મૃતિમાં છે. તમે તે પત્ર વાંચવાને અહાને તેમને મળી સુલસા કે રેવતીની કથા પ્રસંગ અનુસાર જણાવા તેના ધ્યાનમાં તે વાત ઠસે તા તે પરહિત સાથે આપણા સ્થિતિકરણ ગુણુ સચવાય. પૂ. . . એ કાવિઠામાં દૃષ્ટાંત બહુ સુંદર રીતે અસરકારક વ્યાખ્યાનમાં કહ્યું હતું તેમ સુલસાની કથા તે ખાઈને સાંભળવાની મળે તેા તેના હિતની વાત સમજાય છે. પછી તા જેમ ભાવિ હશે તેમ બનશે. આપણી ફરજ આપણે ખજાવવી એમ જો આપના દિલમાં વસે તે એક આંટો ખાઈ આવવા જેવું સમજાય છે. ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીની આખર સુધી તેણે સેવા કરી છે અને સમાધિમરણના પ્રસંગ જોવા તે ભાગ્યશાળી બની છે તે આપનાં દર્શનથી જ તેના ભાવ બદલાઈ જશે. વખતે ખીજો કુસંગ તાત્કાલિક લાગ્યા હાય તેથી વિનયાદિ ન કરે; તેપણ ૫. ૬. પ. પૂ. પ્રભુશ્રી કહેતા કે અમે વીમે ઉતરાવે તેમ કહીએ છીએ કે પરમકૃપાળુદેવની ભક્તિ સમ્યક્ પ્રકારે કરશે તેનું કલ્યાણુ અવશ્ય થશે, આ વાત તેના તથા પૂ. ડૅ. રતિલાલના કાને પડે તેાપણ તેમને વિચારવાનું, પાછા ફરવાનું નિમિત્ત મને, આપ અમદાવાદમાં છે તેા આ કામ આપના લક્ષ ઉપર આવે તેટલા માટે જણાવ્યું છે; અને કોઈ પ્રકારે તેમ કરવું અયેાગ્ય જણાતું હેાય તે ત્યાં ન જવું. જેવી પરમકૃપાળુદેવની પ્રેરણા આપને સમજાય તેમ વર્તવા વિનંતી છેજી. અગાસ, માગશર વદ ૨, ૧૯૯૩ ૯૨ “ જ્ઞાની કે અજ્ઞાની જન, સુખદુઃખરહિત ન કાય; જ્ઞાની વેદ ધૈર્યથી, અજ્ઞાની વેદે રાય ’ પૂ. ....નું શરીર નરમ રહ્યા કરે છે અને તેથી ભક્તિભાવમાં થતી પ્રતિકૂળતા વિષે લખ્યું તે સંબંધી જણાવવાનું કે જીવે જે પ્રકારે કર્મ ખાંધ્યાં તે પ્રકારે વહેલા-મેાડા ઉયમાં આવે છે અને તે ભાગવ્યા વિના છૂટકા નથી. પરન્તુ જે પ્રમાણે જીવને બેધ અને વૈરાગ્ય વર્તતા હોય તે પ્રમાણે તે કર્મને વેડ્ડી શકે છે એમ જ્ઞાની પુરુષે કહ્યું છે. સમજણુ સદ્ગુરુકૃપાએ પ્રાપ્ત થઈ હાય અને સહનશીલતા, ખમી ખૂંદવાની ટેવ પાડી મૂકી હેાય તે વેદના આવી પડે ત્યારે ગભરાઈ ન જવાય. ઊલટું ભક્તિમાં ભાવ વધારે રહે. મરણુ આવશે તો શું થશે? મહુ લાંખા વખત સુધી માંદગી લંખાશે તો કેમ ખમાશે? વગેરે વિચારે અણુસમજણુથી આવે છે અને તેને લીધે આધ્યિાન થાય છે, એટલે વેદનામાં જ વૃત્તિ ચાંટેલી રહે છે. પણ સમજુ માણુસને, કે સત્પુરુષના સમાગમે કંઈ ખેાધ સાંભળી દૃઢ વિચાર કર્યાં હાય કે વેદના કરતાં આત્માનું વધારે બગાડનાર તા મેાહનીય કર્યું છે તેને, વિચાર આવે કે કર્મ મધ્યાં હતાં તે હવે જાય છે, ગયેલાં ફરી પાછાં આવવાનાં નથી. દેવું પતાવી દેવું છે એમ જેણે વિચાર કર્યાં હાય તેની પાસે ઉઘરાણી કરવાવાળા આવે ત્યારે તે ગભરાય નહીં; ગમે તેમ કરી તે દેવું પતાવી દે છે. તેમ મુમુક્ષુને તે કર્મથી છૂટા થવું છે અને કર્મે જવા માટે આવ્યાં છે, તા જેવા તેના સુખદુઃખરૂપ સ્વભાવ હશે તે દેખાડી ચાલ્યાં જશે. આપણે તેમાં હર્ષ ખેદ ન કરવા, આટલું સાચવવાનું છે. જો સમભાવે ઉય આવેલાં કર્મ વેદી લેવાય Page #123 -------------------------------------------------------------------------- ________________ - ૧૦૦ બેધામૃત તે તે તપ કરવા સમાન છે. તપ કરીને મુનિઓ જેમ કર્મ છોડે છે તેમ વેદના વખતે પણ સમભાવ રહે તો કર્મ છૂટે જ છે. મૂળ ધ્યાનમાં રાખવાની વાત આટલી છે, તે કહેવી અને સાંભળવી સહેલી છે પણ તેવા વખતે, કસોટીના પ્રસંગે તે ભાવમાં (સમભાવમાં) જે વિરલા પુરુષે ટકી રહે છે તેમને ધન્ય છે. ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીને છેવટે એટલી બધી વેદનાને ઉદય હતું કે ચરામાં (ચોકમાં પણ તેમની બૂમ સંભળાય અને સાંભળનારને ત્રાસ થાય; પણ તેમની સહનશીલતા એટલી બધી કે મૃત્યુ તે મહોત્સવરૂપ છે એમ વારંવાર કહેતા, તે ભાવમાં રહેતા અને દેહ દેહની દુષ્ટતા દેખાડતો હતો. ખમી ખૂંદવાની ટેવ પુરુષ કરતાં પણ સ્ત્રીઓમાં વધારે હોય છે, કારણ કે પરાધીનપણું આખી જિંદગી તેમણે સેવ્યું હોય છે. એટલે તેમને સ્મરણ-મંત્ર, ભક્તિના વીસ દેહરા, આત્મસિદ્ધિ આદિ સંભળાવવાનું કરે તે તેમનું ચિત્ત ધર્મભાવમાં સહેજે ઢળી જાય અને આર્તધ્યાન કરી કર્મ ન બાંધે. વાંચતાં આવડતું હોય તે તે પોતે પણ સૂતાં સૂતાં સત્પરુષનાં વચનમાં વૃત્તિ રાખે, મંત્રમાં ભાવ રાખે તે સુખના વખત કરતાં દુઃખને વખત આત્માને વધારે હિતકારી નીવડે. સુખના વખતમાં તે બહારના પદાર્થોમાં જીવ ખોટી થાય છે, પણ દુઃખના પ્રસંગે પરમાત્મા સાંભરે, ભક્તિમાં સહેજે વૃત્તિ જાય. ડોકટર વગેરે મારફતે દવા કરાવીને તેમની સેવા કરીએ છીએ એટલી જ સેવા નથી, પણ ધર્મમાં તેમનું મન વધારે વખત રહે તેવી ગોઠવણ થવાથી તેમની ખરી સેવા કરી ગણાય. જે ભક્તિમાં તેમની પાસે બેસી કાળ ગાળીશું તે તેટલે વખત તેમને લાભ થશે અને આપણને પણ તેમને નિમિત્તે લાભ થશે. આ વાત લક્ષમાં રાખી ભક્તિ ઓછી કરવાને બદલે વધારે કરવાને ક્રમ રાખવા ભલામણ છે. ભક્તિ એ પરભવને માટે ઉત્તમ ભાથું છે; કરશે, કરાવશે તે બન્નેને હિતકારી છે. મનુષ્યભવમાં જ ભક્તિને ખરો લહાવો લેવાય છે. કાગડા, કુતરા શું કરી શકે? માટે જરૂરના કામથી પરવારીને ભક્તિને ક્રમ માંદા માણસની સમક્ષ ચાલુ રાખવામાં આવે તે ઘર તે મંદિરરૂપ થડા દિવસ તે થઈ જાય. તેથી ચિત્તની પ્રસન્નતા રહે છે અને પાપ દૂર થવાનું કારણ છે. આત્માને હિતકારી દવા તે ભક્તિ છે. પૂ. ... ને હિમ્મત આપશે કે ગભરાવું નહીં, શૂરવીરપણું રાખીને કઠણ હૈયું કરી ભોગવવાનાં કર્મ ભેગવી લેવાં. આથી અનંતગણ દુઃખ નરકમાં જીવે સહન કર્યા છે, તે પણ તે ઘસાઈ ગયે કે છેદાઈ ગયે નથી. આત્માને તેનાથી કંઈ હાનિ થવાની નથી. માત્ર ધીરજ, શાંતિ રાખી આવી પડેલી વેદના વેદી લેવી અને ભાવ ભગવાનમાં રાખવા પુરુષાર્થ કરે. સ્મરણ-મંત્ર જીભના ટેરવે હરદમ હાજર રાખવે. એ મંદવાડમાં ટેવ પાડી મૂકી હશે તે પછી પણ બહુ લાભકારક થઈ પડશે. શાંતિ રાખી ભક્તિમાં ચિત્ત રાખશે. સંપુરૂષનાં દર્શન, સમાગમ, બેધ સાંભળેલું જે સ્મૃતિમાં આવે તેમાં ચિત્ત દેવું તે પાપને દૂર કરનાર છે. # શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૬-૧-૩૭ તમે સર્વ ભાઈઓ મળીને ભક્તિભાવમાં રહેતા હશે. ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીના દર્શન, સમાગમ અને બેધને લાભ મળે છે તેમને સહેજે ભક્તિભાવ પ્રત્યે પ્રેમ પ્રગટેલે Page #124 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા હોય છે. તે ગમે ત્યાં હોય તે પણ તેને માટે વખત કાઢી, આહારની પિકે તેને આવશ્યક વસ્તુ સમજી તેમાં ચિત્તવૃત્તિ રાખે છે. પણ સત્સંગને વિયોગ હોય, શરીરપ્રકૃતિ પ્રતિકૂળ હોય, સંસારપ્રસંગે પૂર્વકર્મને લઈને ઘેરી લેતા હોય ત્યારે વિશેષ પુરુષાર્થની જરૂર રહે છે. સત્સંગની ઈચ્છા છતાં તેવો વેગ અંતરાયકર્મથી બની આવતું નથી ત્યારે વિચાર અને તેના ફળ તરીકે વૈરાગ્યભાવ ટકાવવા સલ્ફાસ્ત્ર અને સત્સંગી જને સાથે પત્રવ્યવહાર પણ બળપ્રેરક બને છે. વિચારણા સદ્ગુરુના બોધે ગ્ય જીવાત્માને જાગે છે તે તેના બળે વૈરાગ્યવૃત્તિ સર્વ પ્રસંગમાં રહ્યા કરે. કારણ કે અનિત્ય વસ્તુ-સમૂહની વચમાં આ જીવને રહેવાનું છે, તેને અલ્પ પણ વિચાર કરે તે તેને મેહ ઘટવાનું કારણ બને છે. જે ઘરમાં આપણે જમ્યા હોઈએ, ખાતા હોઈએ, સૂતા હોઈએ, તે જ ઘર વિષે વિચારીએ તો તેમાં કેટલાંય સગાંવહાલાંનાં મરણ થયેલાં આપણને સ્મૃતિમાં આવે; કેટલાંચના મરણતુલ્ય વ્યાધિના પ્રસંગે સ્મૃતિમાં આવે, તથા દરરોજ આપણું આજુબાજુ જે જે ક્રિયાઓ આપણુ વડે કે આપણાં સગાં વડે થાય છે તેમાં કેટલાય જીવોની ઘાત થતી હોય છે. તે તરફ દષ્ટિ જતાં આપણા જીવનની અનિત્યતા સહેજે સમજાય છે અને પરમકૃપાળુદેવે પુષ્પમાળામાં જે લખ્યું છે – “પગ મૂકતાં પાપ છે, જોતાં ઝેર છે, અને માથે મરણ રહ્યું છે; એ વિચારી આજના દિવસમાં પ્રવેશ કર” – તે સહેજે નજરે તરી આવવા સંભવ છે. જેનું શરીર ની રેગી હોય છે અને જે પાંચ ઇન્દ્રિયના વિષયેમાં તણાતું હોય છે તેને આ વિચાર આવવા દુર્લભ છે. પણ શરીર નરમ રહેતું હોય, સત્સંગે કંઈ બેધ સાંભળી વૈરાગ્યમાં જેની વૃત્તિ વળી હોય તેને આવા વિચારોથી મેહ ઘટવાના પ્રસંગે પ્રાપ્ત થાય છે, અને કોને માટે, કેટલા કાળ માટે, કેવા પ્રકારે હું આ પ્રવૃત્તિમાં તણાઉં છું કે કાળ ગાળું છું તેના વિચારે તેને સહેજે આવે છે, અને જીવન કેવી રીતે વ્યતીત થાય તે ઉત્તમ કહેવાય, તેને નિર્ણય તેવા કાળમાં સહેજે વિચારવાનને થાય છે. પૂર્વે બાંધેલા પ્રારબ્ધ પ્રમાણે સુખદુઃખ સર્વને આવે છે પરંતુ તેમાં જેને વૈરાગ્ય હોય તેને દુઃખના પ્રસંગે પણ લાભ દઈને જાય છે અને અવિચારી છો તેવા પ્રસંગમાં એવા વિચાર કરે છે કે દુઃખ મટશે કે નહીં મટે? શું શું ઉપાય કરવા? કેમ બીજા મારી સેવાચાકરી નથી કરતા? દેહ છૂટી જશે તે આ કેણ ભોગવશે? મારે આટલું બધું છોડવું પડશે? એવા આર્તધ્યાનના વિચારોમાં કે કઈ ઉપર દ્વેષ હોય તે તેનું બૂરું કરવાના વિચાર કરી રૌદ્રધ્યાન કરી એવાં કર્મ તે બાંધે છે કે હાલની વેદના કરતાં અત્યંત આકરી વેદના ભવિષ્યમાં લાંબા કાળ સુધી ભોગવવી પડે તેવાં કર્મ બાંધી અગતિ ઊભી કરે છે, અને વિચારવાનું બાંધેલાં કર્મોથી છૂટે છે અને નવાં ન બંધાય તે માટે સદૂગુરુએ આપેલા સાધનમાં વૃત્તિ રાખે છે. બીજાં કુટુંબીઓ તથા મિત્રોએ પણ વિચારવાન સજજન સંબંધીમાં માંદગીના પ્રસંગે પિતાને તથા પરને હિતકારી નીવડે તેવું વર્તન રાખવું ઘટે. પત્નીએ પ્રેમપૂર્વક સર્વ પ્રકારની સેવા ઉપરાંત હિંમત રાખી હિંમત આપવાની ફરજ છે. તેણે કહેવું જોઈએ કે તમે તમારા આત્માનું હિત થાય તેવા ભાવ રાખશે તેમાં આપણે બધાનું કલ્યાણ છે. અત્યારે જે સુખ દેખાય છે તે ધર્મનું જ ફળ છે અને ધર્મના આરાધનથી લૌકિક સુખ અને આત્માનું Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ બોધામૃત સુખ પ્રાપ્ત થાય છે. ધર્મ પૂર્વે આરાધે તેથી સુખી કુટુંબ, સજજન મિત્રે, સહુરુષને યેગ અને સત્ય ધર્મની પ્રાપ્તિ થઈ છે, અને ધર્મવૃક્ષને પિષીશું તો મેક્ષ સુધીની સર્વ સામગ્રી મળી રહેશે. મારી ચિંતા તજી આત્મકલ્યાણને માર્ગ જ્ઞાની પુરુષ પાસેથી સાંભળે હોય તે આરાધે, અમને સમજાવે અને તેમાં અમારી મદદ જે ઈચ્છો તે આપવા અમે તૈયાર છીએ. આ વાત સર્વ મિત્રવર્ગ કે કુટુંબવર્ગે વિચારી ધર્મધ્યાનમાં દિવસ અને રાતને વિશેષ વખત જાય તેમ વ્યવસ્થા કરવી તે સર્વને હિતકારી છે. માંદગીમાં પિતાનાથી ભક્તિમાં પ્રવર્તવા જેટલું બળ ન દેખાય તે બીજા ભક્તિ કરે તે સંભળાય, સ્મરણ કેઈ ઉતાવળે બોલે તેમાં ચિત્ત દેવાય અને ચિત્રપટ વગેરે પાસે રાખી તે પ્રત્યે પ્રેમભાવ, શરણભાવ વર્ધમાન થાય તેમ કરવા ભાવના કર્યા કરવી એ હિતકારી છે. પ્રવૃત્તિ ન બને તે ભાવના તે ધર્મકાર્યમાં રાખવી. “ભાવ તિહાં ભગવંત છે” એ વચન સત્ય છે. વેદનાથી મૂંઝાવું નહી. દેહમાં જે દુઃખ દેખાવ દે છે તે દેહને ધર્મ છે તેને જાણનાર આત્માને વાંકે વાળ પણ તે કરી શકે તેવી તેનામાં શક્તિ નથી. આત્માને હાનિ કરનાર મહ છે. તેને વશ કરવા માટે સદ્દવિચાર, સદ્દગુરુનું શરણું અને સમભાવે સહન કરવું એ ઉત્તમ ઉપાય છે, તે વારંવાર સ્મૃતિમાં લાવવા માટે જાગ્રત રહેવું. એ જ. ૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૯૪ અગાસ, તા. ૧૫-૧-૩૭ કહેવાયેગ્ય અને આપણે વારંવાર વિચારવા યોગ્ય જ્ઞાની પુરુષએ ઘણું કહ્યું છે, પણ આ જીવ નફટ થઈને ફરે છે. જાણે મરવું જ ન હોય એમ બેફિકર થઈ સંસારમાં રાચી રહે છે, સાંસારિક સુખો માટે ઝર્યા કરે છે, તે સુખોને મેળવવા મન કલ્પનાઓ કર કર કરે છે. એટલે આત્મા શું હશે? તેને માટે શું કરવું? તે કેમ સુખી થાય? તેને વિચાર કરવાની નવરાશ જીવને મળતી નથી, અને તે વિષે જ્ઞાની પુરુષેએ શું જણાવ્યું છે, શું શું આજ્ઞા મને કરી છે તેને વિચાર કરવાનું જીવને કેમ ગમતું નહીં હોય? એમ જણાય છે કે જીવને બેધની ખામી છે. સત્સંગની જરૂર છે. તે ન હોય તે તેની ભાવના રાખી આત્મહિત મારે આ ભવમાં જરૂર કરી લેવું છે એટલું તે મનમાં દઢ કરી રાખી તે નિશ્ચય વારંવાર દિવસમાં યાદ લાવવા યોગ્ય છે. સંસારનાં સુખ આખરે દુઃખ આપે છે, જન્મમરણ ઊભાં કરાવે છે, પણ તેનું સ્વરૂપ જ્ઞાની પુરુષના યેગે જીવે લક્ષ દઈને સાંભળ્યું નથી તેથી તેની વાસના હૃદયમાં રહ્યા કરે છે અને એ જ દુઃખનું મૂળ છે. તે નિર્મૂળ કરવા આત્મવિચારની જરૂર છે. તે આત્મવિચાર થવા માટે સત્સંગ, સસ્થાની જરૂર છે. તેને વેગ પણ ન હોય ત્યાં સુધી ગ્યતા વધારવા માટે કષાય (ક્રોધ, માન, માયા, લેભ) ઓછાં કરવાનું લક્ષ રાખો, મોક્ષની ઈચ્છા વધારવી, સંસાર દુઃખરૂપ છે એમ ચિંતવવું અને દયાભાવ, મૈત્રીભાવ, કેઈન ગુણ દેખીને રાજી થવાની ટેવ અને મધ્યસ્થભાવ કે ઉદાસીનતા વધારતા રહેવાથી સત્સંગમાં વિશેષ લાભ થવા જેવી યોગ્યતા આવે છે. આમ જ્ઞાની પુરુષેએ આત્માનું હિત થાય તેવો ઉપાય દવા જે બતાવ્યું છે. પણ દવા વાપરે નહીં, તે દવા જેવાથી કંઈ રેગ મટી જાય નહીં, માટે જન્મમરણના દુઃખથી છૂટવા માટે Page #126 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૧૦૩ અને મોક્ષ થવા માટે જ્ઞાની પુરુષે જે જે આજ્ઞા કરી છે તે, દેહના રોગ માટે દવા લઈએ " તે કરતાં, ઘણું ઘણું પ્રેમથી તે આજ્ઞાઓ ઉઠાવવા ભાવના કર્તવ્ય છે. એક તે સ્મરણમંત્ર છે તેની ઉપાસના ઉલ્લાસભાવે, દુઃખના વખતમાં અને પછી પણ વારંવાર કરતા રહેવાનું ન ચૂકવું. હરતાં, ફરતાં, બેસતાં, ઊઠતાં મંત્રમાં વૃત્તિ રહે તેવી ટેવ પાડી મૂકવા ગ્ય છે. તે મરણ વખતે જીવને મિત્રની ગરજ સારશે. એટલું જ નહીં, પણ સદ્દગુરુનું આપેલું એ અમૂલ્ય વચન સદ્દગુરુ સમાન જ છે, જાણે સદ્દગુરુ સમીપ જ છે એમ ગણી એવા પ્રસંગમાં મંત્રનું સ્મરણ બહુ પ્રેમથી કરવું અને ચિત્રપટ પરમકૃપાળુદેવને હેય તે તેનાં દર્શન વારંવાર પ્રેમપૂર્વક કરવાં. એ ભાવના જીવને સારી ગતિમાં લઈ જનાર છે અને સત્પરુષને બેભવમાં યંગ કરાવે તેવું બળ ભક્તિમાં રહેલું છે. માટે ભક્તિભાવમાં ચિત્ત રાખવું. રંગમાં ચિત્ત રોકવું નહીં, કારણ કે રોગ તે કર્મ છે, તે જાય છે. પણ ત્યાં નવાં કર્મ ન બંધાય કે પાપકર્મ ન બંધાય, માટે આત્મભાવના અર્થે નીચે જણુવેલી શિખામણ મોઢે કરી રેજ બેલવાને નિયમ રાખશે તે કલ્યાણ થશે. “શ્રી સદ્દગુરુએ કહ્યો છે એવા નિર્ગસ્થ માર્ગને સદાય આશ્રય રહે. હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એ હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષને ક્ષય થાય.” (૬૯૨) શ્રીમદ્ રાજચંદ્ર. આટલા વચને મુખપાઠ કરી રેજ બેલી જવાં, તેને વિચાર કરે અને સદ્દગુરુએ જાયે છે તે આત્મા મારો છે, તેની હું ભાવના કરું છું. મને આત્માની ઓળખાણ નથી પણ જે પુરુષે આત્મા જાયે છે તે પુરુષની આજ્ઞાએ, તેને આશરે હું તેણે જાણેલા આત્માની ભાવના કરું છું. તે સદ્દગુરુ પરમકૃપાળુદેવ સાચા પુરુષ છે, તેમણે આત્મા ઓળખે છે, શુદ્ધ આત્મરૂપ જ છે, તેથી તેનું અવલંબન, તેનું શરણ હું ગ્રહું છું. એ સપુરુષ સિવાય, તેણે જાણેલા આત્મા સિવાય કઈ વસ્તુ ઉપર મને પ્રેમભાવ, આશા કે વાસના હૃદયમાં ન રહે. તે જ એક પ્રાપ્ત કરવા યોગ્ય આ ભવમાં છે. તેથી બીજું કંઈ મારે ઈચ્છવું નથી. ભલે રેગ હો કે મત આવો પણ બીજું કંઈ મારે જોઈતું નથી, માગવું નથી. આત્મા, શુદ્ધ આત્મા, સહજ આત્મસ્વરૂપ જ જોઈએ, થઈએ એ જ પ્રાર્થના. ૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૯પ અગાસ, પોષ વદ ૬, સેમ, ૧૯૯૩ “તબ લગ જોગી જગગુરુ, જબ લગ ન ધરે આશ; જબ જોગી આશા કરે, તબ જગ ગુરુ, જેગી દાસ.” આપને પત્ર પ્રાપ્ત થયું હતું. પૂ.... મહારાજ વિહાર કરીને આપના પ્રત્યે પધારે છે. આપ મુનિવરના સમાગમથી તેમને વિશેષ લાભ થવા સંભવ છેછે. સત્પરુષની આજ્ઞામાં આપણે પ્રવર્તવું છે અને કઈ પણ તેવી જ ભાવનાવાળો જીવ હોય તેમાં તેનું પણ હિત છે એમ આપણી માન્યતા છે તે પછી જેટલી જેની રુચિ અને ગ્યતા તે પ્રમાણમાં તે સન્માર્ગે વળશે અને કલ્યાણ સાધવા કેડ બાંધી પુરુષાર્થ કરશે. જેટલી આપણી નિઃસ્પૃહતા તેટલી પરમપુરુષની આપણુ પર પ્રસન્નતા એમ સમજાય છે. પરમ પુરુષ પ્રત્યે પ્રેમ બાંધ્યા Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ બૌધામૃત પછી કંઈ પણ વસ્તુની ઈચ્છા કે મલિન વાસના રાખ્યા વિના તેનું જ ધ્યાન, તેની આજ્ઞાનું અનુસરવું અને તેની પ્રસન્નતામાં આપણું પ્રસન્નતા અથવા તેનું સમ્મત કરેલું સર્વ સંમત થાય તે પછી કંઈ કરવાનું બાકી રહેતું હોય તેમ સમજાતું નથી. દેશમાં કદાચ શરૂઆતમાં પ્રવર્તન હોય તે તેટલા પ્રેમની ન્યૂનતા હોવાથી, દોષનાં કારણો પ્રત્યે કંઈક પ્રેમ હોવાથી તે પ્રત્યે વૃત્તિનું વલણ હોય છે. પરંતુ પરમપુરુષ પ્રત્યે પ્રેમ વર્ધમાન થતું જાય તેમ તેમ તે પ્રેમમાં વિઘકર્તા વૃત્તિઓ તેને ગમે નહીં, તેને દૂર કરવા, તરછોડી નાખવા કે નિર્મૂળ કરવા તત્પર થઈ જાય છે અને તે ક્રિયામાં અંતર્શોધન અને વિશાધન બંને ક્રિયાઓ થતી જાય છે. ગણી ગણીને દોષે તે ભક્તિમાન દૂર નહીં કરે પણ પ્રેમરૂપ અગ્નિથી સામટા બાળી નાખશે. સાચો પ્રેમ – અગ્નિ પ્રગટ થવા જોઈએ. પરપદાર્થોમાં જેટલી પ્રસન્નતા છે તેટલી આત્મહિતમાં મંદતા છે અને તેટલે અંશે પરમપ્રેમમાં પણ શિથિલતા છે. પરમપુરુષના અચિંત્ય માહાસ્યનું જેમ જેમ વિશેષ ભાન થતું જાય, જેમ જેમ તેની ભાવના અખંડિત થતી જાય તેમ તેમ પ્રેમપાત્રતા વધતી જાય અને આત્મહિતમાં ઉન્નતિ થતી જાય. પ્રેમપ્રવાહને તૂટક કરનાર બીજી વૃત્તિઓ ઘટવી જોઈએ એ તે સ્પષ્ટ સમજાય તેવી વાત છે પણ તે માટે જેટલી અંતરની દાઝ હશે તેટલે પુરુષાર્થ જીવ વહેલે મોડે કરશે, માટે અંતરની રુચિને પ્રદીપ્ત રાખવા તેની જ વિચારણા, તેને પિશે તેવું વાચન, તેની ચર્ચા અને તેમાં લીનતા વધે તેવા સન્માર્ગમાં વૃત્તિ વાળતા રહેવાની જરૂર આપણે છે. ૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૫-૨-૩૭ તત્ ૐ સત પોષ વદ ૯, શુક્ર, ૧૯૯૩ मालिनी- "अभिमतफल स च भवति सुशास्त्रात्तस्य चोत्पत्तिराप्तात् । इति भवति स पूज्यस्तत्प्रसादात्प्रबुद्धि - नं हि कृतमुपकारं साधवो विस्मरन्ति ॥" -जयसेनाचार्य कृत पंचास्तिकाय टीका ભાવાર્થ ઇષ્ટફળ-એક્ષ-ને ઉપાય સંબધ (આત્મજ્ઞાન) છે. તે થવાનું કારણ સત્પરુષની વાણીરૂપી શાસ્ત્ર છે, તેની ઉત્પત્તિ આપ્તપુરુષથી છે, તેથી આપ્તપુરુષ (ગુરુરાજ) પૂજ્ય છે. તેની કૃપાપ્રસાદીથી પ્રબુદ્ધિ (પ્રજ્ઞા – વિવેકજ્ઞાન) પ્રાપ્ત થાય છે. માટે સારા માણસ – સજજને પિતાના ઉપર પરમપુરુષે કરેલા ઉપકારને કદી વીસરતા નથી, નિરંતર સ્મરણ કરે છે. (તેની નિષ્કારણું કરુણને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે એવા સર્વ સત્પરુષે તેનાં ચરણારવિંદ સદાય હદયને વિષે સ્થાપન રહો !). વિ. પૂ. પવિત્ર... બહેનનું લખેલું પતું મળ્યું છે. પરમકૃપાળુદેવ પ્રત્યે શરણભાવ પ્રગટ કરેલે પ્રાર્થનારૂપે વાંચી પ્રભેદ થયો છે. પત્રની ઈચ્છા રાખે છે પણ પરમકૃપાળુદેવના જે પત્ર ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીની આજ્ઞાથી મુખપાઠ કર્યા છે તેના સમાન બીજી કઈ કલમ કંઈ અંશે પણ લખી શકે તેમ છે? તેના વિચારમાં રહેવાય તે તેમાં સર્વ શાસ્ત્રો સમાઈ Page #128 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૧૦૫ જાય છે. પણ મનને સ્વભાવ અસ્થિર હોવાથી નવું નવું ઇચ્છે એ સ્વાભાવિક છે; તે તેને પિષે, તેની વિચારણામાં મદદ થાય તે ખોરાક તેને આપતા રહેવું ઘટે છે. અત્યારે જે જે સંજોગો જીવને પ્રાપ્ત થયા છે તે સર્વ પૂર્વે આ જીવે જ કરેલા ભાવનું ફલ છે. અને અત્યારે જે જીવ જાગ્રત ન રહે તે તેવા કે તેથી હલકા ભાવ થવા સંભવ છે. અને તેના ફળ તરીકે અત્યારે ભગવે છે તેવું કે તેથી માઠું ફલ મળવા સંભવ છે. માટે જ્ઞાની પુરુષોએ વારંવાર કહ્યું છે કે જ્યાં જ્યાં આ જીવ જન્મે છે, ભવના પ્રકાર ધારણ કર્યા છે, ત્યાં ત્યાં તથા પ્રકારના અભિમાનપણે વર્તે છે, જે અભિમાન નિવૃત્ત કર્યા સિવાય તે તે દેહને અને દેહના સંબંધમાં આવતા પદાર્થોને આ જીવે ત્યાગ કર્યો છે, એટલે હજી સુધી તે જ્ઞાનવિચારે કરી ભાવ ગાજે નથી, અને તે તે પૂર્વસંજ્ઞાઓ હજી એમ ને એમ આ જીવના અભિમાનમાં વસ્તી આવે છે, એ જ એને લેક આખાની અધિકરણક્રિયાને હેતુ કહ્યો છે.” (પ૨૨) આ બહુ વિચારી વર્તનમાં મૂકવા જેવી પરમકૃપાળુની શિખામણ છે. જે ગામમાં જન્મ થયો હોય ત્યાં પૂર્વના સંસ્કારને લઈને મારાપણું સહેજે થઈ જાય છે, જે કુટુંબમાં જીવ હોય તે મારું મનાઈ જાય છે અને જે દેહમાં વાસ થયે છે તેથી પિતે ભિન્ન છે એમ સ્મૃતિમાં રહેવું તે મહામુશ્કેલ છે. ગામ, ઘર, ખેતર, કુટુંબ, દેહ આદિ ક્ષેત્ર પ્રતિબંધ છે તેને ત્યાગ કરવા છતાં મનમાં રહેલી મારાપણાની ભાવના, વાસના ફરી ત્યાં જ ભવ કરાવે તેવું બળ ધરાવે છે, તેને છૂટવા દે તેવી નથી. તેથી જ્ઞાની પુરુષો તેને ઉપાય બતાવે છે કે વારંવાર સત્પરુષના બંધનું સ્મરણ કરી અંતરમાં ભાવના એવી રાખવા યોગ્ય છે કે આ દેહ પણ છેડીને એકલા ચાલી જવાનું છે તો પછી ગામ, ઘર કે કુટુંબ કયાં સાથે આવવાનું છે? જે સાથે નથી આવવાનું, તેની મમતા કર્મબંધન કરાવવા સિવાય બીજું શું કરાવે તેમ છે? તે હવે એ દઢ નિશ્ચય કરું કે મારું આમાંનું કાંઈ નથી. જે કંઈ દેખાય છે, સંભળાય છે, સુંઘાય છે, સ્પર્શ કરાય છે કે ચખાય છે કે કલ્પનામાં આવે છે તેમાંનું કંઈ મારું નથી. મારું સ્વરૂપ તે જ્ઞાનીએ જાણ્યું છે, અનુભવ્યું છે, ઉપદેશ્ય છે, અને વારંવાર નિષ્કારણ કરુણશીલતાથી જણાવ્યું છે તેવું છે. “શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંતિ સુખધામ; બીજુ કહિયે કેટલું ? કર વિચાર તે પામ.” ભાસ્યું નિજસ્વરૂપ છે, શુદ્ધ ચેતનારૂપ; અજર, અમર, અવિનાશી ને દેહાતીત સ્વરૂપ.” –આત્મસિદ્ધિ આ ભાવના રહેવા માટે પરમકૃપાળુદેવનું શરણ છે. જેના હૃદયમાં પરમકૃપાળુદેવ છે, પરમકૃપાળુની શ્રદ્ધા છે, તે સર્વ પ્રત્યે ધર્મભાવ ધારણ કરવા યોગ્ય છે. પરમકૃપાળુદેવને માને છે માટે હું પરમકૃપાળુદેવના કુટુંબમાં રહું છું, ભાઈ પણ તેટલા જ માટે પ્રેમ કરવા યોગ્ય છે, માતા પણ ધર્મભાવ હોવાથી પૂજ્ય છે, બહેન પણ ધર્માત્મા હોવાથી પૂજ્ય છે. ધર્મને અર્થે જેને દેહ છે તે આપણને ધર્મમાં જ પ્રેરે એ ભાવ રાખી સત્સંગાદિ કે કુટુંબાદિ સંજોગોમાં પ્રવર્તવાની બુદ્ધિ રાખી હોય તો તે આપૂણને કામરાગ, નેહરાગ કે દષ્ટિરાગથી બચાવી લે છે અને ધર્મરાગમાં વૃત્તિ વળે છે. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ બેધાયુત મારી બહેન મારે ઘેર આવી છે એવા ભાવ કરતાં એવો ભાવ થાય કે કઈ ધર્મ અર્થે જીવન ગાળવાનો નિશ્ચય કરી ચૂકેલી મારી ધર્મબહેનને ધર્મમૂર્તિ જાણી તેની સેવાચાકરી કરવાને મને લાભ મળે છે તે મારાં અહેભાગ્ય છે એમ વિચારી, એ દષ્ટિએ જે ખર્ચ કરવું પડે કે અડચણ વેઠવી પડે તે વેઠાય તે ફળમાં આભ-જમીન એટલે ભેદ પડી જાય. ૫. ઉ. ૫. પૂ. પ્રભુશ્રી વારંવાર કહેતા હતા કે ક્રિયા છે તેવી ને તેવી જ કરવાની છે પણ ભાવ બદલી નાખવાનું છે. જે કંઈ કરતા હોઈએ તેમાં “હું આત્માર્થે કરું છું, આટલું કામ પતી જાય તે મારે ભક્તિ માટે વખત ગાળો છે, આ કામ ન આવી પડ્યું હોત તે અત્યારે હું ભક્તિમાં કે તલ્લીન થઈ ગયે હેત?” એવા ભાવ જે રહે તે બીજું કામ કરતાં છતાં તે ભાવથી તે ભક્તિ જ કરે છે. જ્યાં ભાવ છે ત્યાં જ આત્મા છે અને ભાવથી જ બંધન થાય છે કે છુટાય છે, માટે ભાવ સુધરે તેમ પ્રવર્તવું અને તેવાં નિમિત્તો ઈચ્છવાં કે જેથી આપણું ભાવ પરમકૃપાળુદેવ પ્રત્યે ઉલ્લાસવાળા રહે. સગાંવહાલાં પ્રત્યે પણ સંસારભાવને બદલે આત્મભાવ કયારે થશે એવી ભાવના વારંવાર સેવવાથી ધર્મભાવના જાગ્રત રહે અને કાળે કરીને પરમ શાંતિપદ પ્રાપ્ત કરી શકાય છે. ૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૩૧-૩-૩૭ તત ૩% સન ફાગણ વદ ૪, બુધ, ૧૯૯૩ “ગરમ દુ: ગરા સુલું, નિત્ય ૩ પુનઃ પુનઃ | संसारसागरं दुःखं, तस्माद् जागृहि जागृहि ॥" એક બે લીટીને પરમકૃપાળુદેવને પત્ર મોક્ષ થતાં સુધી પાથેય- ભાથારૂપ છે તે આપણે વારંવાર વિચારી હૃદયમાં સંગ્રહી રાખવા યોગ્ય છે- “અવિષમભાવ વિના અમને પણ અબંધપણું માટે બીજે કઈ અધિકાર નથી. મૌનપણું ભજવાયેગ્ય માર્ગ છે.” (૨૩) આટલું થાય તે બાકી શું રહે? અને તે ન થાય તે ગમે તેટલું બીજું બધું કર્યું હોય તે શા કામનું? ૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, ચૈત્ર સુદ ૬, શક, ૧૯૩ જન્મ-મરણ વચ્ચે જીવન, લાંબું ટૂંકું જાણું; સ્વસ્વરૂપ સ્થિતિ કરે, તે જીવ્યું પરમાણું. સત્યરુષનું સલ્ચર, મરણ સુધી દઢ ધાર; દઈ સમાધિમરણ તે, લઈ જાશે ભવ પાર. આપના બન્ને પત્રોમાં ભાઈ... ની જિજ્ઞાસા વર્ધમાન થતી જણાવી છે તથા ચેથા વતનું પચખાણ લેવા તેની ભાવના આપ જણાવે છે. તે જોતાં કઈ સંસ્કારી જીવ લાગે છે. પરમકૃપાળુદેવ પ્રત્યે તેને પરમ પૂજ્ય બુદ્ધિ ઊપજે તે અર્થે “આત્મજ્ઞાન પામવા તે પુરુષનું અવલંબન આ કાળમાં અવશ્યનું છે, તે અવલંબન હું તાજું તે મેં આત્માર્થ ત્યાગ એ ભાવાર્થને ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજી ઉપરને પત્ર નં ૭૧૯ વાંચી સંભળાવી, નરોડા ગામને પવિત્ર Page #130 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૧૦૭ કરનાર એ પુરુષની પ્રથમ પ્રતીતિ કરાવી, તેનું શરણું ગ્રહણ કરવા પ્રથમ યોગ્યતા પૂરતાં સાત વ્યસનનો ત્યાગ અને પાંચ ઉદુંબર ફળ અને બની શકે તે મધ, માખણને ત્યાગ (દવામાં છૂટ રાખવા ઈછે તે તેમ) કરાવી વીશ દેહરા અને ક્ષમાપનાને પાઠ તથા યમનિયમ, વાંચવા કે રેજ ભણવા ભાર દઈને જણાવશે. બને તે મુખપાઠ પણ કરી લે. આટલું મુખપાઠ કરવું છે એમ મન ઉપર લીધું તે તે કરવામાં વૃત્તિ રહેશે અને વેદનામાં ચિત્ત ઓછું જશે. પરમકૃપાળુ દેવના ચિત્રપટનાં તે ભાઈને દર્શન કરાવશે તથા પરમકૃપાળુ દેવ રાળજ પધારેલા તે વખતે ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીને પરમકૃપાળુ પ્રત્યે જે દર્શનને પ્રેમ હતે તે દર્શન ન થયાં પણ તેઓશ્રીની આજ્ઞા માથે ચડાવી રાજના સીમાડાથી ખંભાત દર્શન કર્યા વિના આંખમાં આંસુ સહિત પાછા પધાર્યા તે પ્રેમની યાદી આપી બીજે દિવસે પૂ. સોભાગભાઈને ખંભાત મોકલ્યા હતા અને મંત્ર ૫. પૂ. પ્રભુશ્રીને જણાવવા આજ્ઞા કરી હતી, તે જ મંત્ર આજે મને મળે છે તે મારાં મહાભાગ્ય છે, તે પરમકૃપાળુ દેવનાં દર્શન કરી, હે ભગવાન! આપની આજ્ઞાથી મંત્ર વગેરેની હું ઉપાસના કરીશ એમ તે ભાઈ જણાવે તેમ કરવા પ. પૂ. ગુણચંદ્રજી મહારાજને વિજ્ઞપ્તિ છે. મંત્ર જણાવતી વખતે બીજા માણસનું ટેળું ન રહે અને પરમકૃપાળુ દેવ પ્રત્યે તેને ઉપકારબુદ્ધિ પ્રગટે તેમ યથાશક્તિ કરવા વિનંતી છે. બીજા કોઈને મંત્ર જણાવે નહિ. નીચેનું સર્વને અને ખાસ કરી ભાઈ. અને વારંવાર વિચારવા યંગ્ય છે. સ્ત્રી, પુત્રાદિ મારાં છે એ પ્રકારને વિચાર કરવાથી કર્મોન બંધ થયા કરે છે અને એ મારાં નથી એવા વિચાર કરતા રહેવાથી કર્મ નાશ પામે છે. તેથી “મારું” એ અક્ષરે તે કર્મબંધના કારણરૂપ છે અને “મારાં નહીં એવા ચિંતનથી કર્મથી છુટાય છે. કરમાળામાં પ. પૂ. પ્રભુશ્રીજીએ આ જ વાત દઢ કરાવી એક આરજાને સમાધિમરણ કરાવ્યું હતું. “દુર્લભ એ મનુષ્યદેહ પણ પૂર્વે અનંત વાર પ્રાપ્ત થયા છતાં કંઈ પણ સફળપણું થયું નહીં.” પત્ર ૬૨ વારંવાર તેમને વંચાવશે -સંભળાવશે. છેલ્લા ભાગની વધારે સ્મૃતિ રહે તેમ કરશે અને ચોથું વ્રત હમણાં છ માસ રાખે તો ઠીક લાગે છે. તેમનાં પત્ની તથા તેમની અનુમતિથી બાર માસને આગ્રહ દેખે તે તેમ કરવું, પણ વ્રત લઈ ભાગે નહીં તે વિસ્તારથી સમજાવવાની જરૂર છે. લેતાં ઉતાવળ કરવાની જરૂર નથી અને કાળ આવે તે જાવજ જીવ છે જ. 8 શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૩૧-૫-૩૭ તત છે સત વૈશાખ વદ ૬, સેમ, ૧૯૯૩ પ્રવચન સમુદ્ર બિંદુમાં, ઊલટી આવે એમ; પૂર્વ ચૌદની લબ્ધિનું, ઉદાહરણ પણ તેમ.” (૫૪). આશુપ્રજ્ઞ' શબ્દનો અર્થ આપે પૂળ્યો છે તેને અર્થ એમ સમજાય છે કે જે પૂર્વના આરાધક જીવને આ ભવમાં સામાન્ય જને કરતાં વિશેષ પ્રજ્ઞા એટલે બુદ્ધિ પ્રાપ્ત થઈ છે અને મોક્ષમાર્ગ શું ? આત્મા શું? શું ગ્રહણ કરવા યંગ્ય છે? શું તજવા ગ્ય છે ? તેવા *જાએ પત્રાંક ૧૯-૪જ “આથમણને વિનય જાળવું.” Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ બેધામૃત પ્રશ્નોને નિકાલ જેને સહજ થઈ જાય છે એવા મોક્ષમાર્ગે ચાલતા બુદ્ધિશાળી સ્વ-પરને ઉપકારી મહાપુરુષ પરમકૃપાળુદેવ જેવા “આશુપ્રજ્ઞ કહેવા યોગ્ય છે. જેને સહજમાત્રમાં ભેદવિજ્ઞાન પ્રગટ થાય તેવી બુદ્ધિ હોય, જેને પ્રશ્નોના ઉત્તર શાસ્ત્રોમાં ખેળવા, શોધવું પડતું નથી, પણ પ્રશ્ન પૂછતાં પહેલાં જેને ઉત્તર સૂઝી આવે એવી આચાર્યને યોગ્ય જેની બુદ્ધિ હોય તેને “આશુપ્રજ્ઞ કૃપાળુદેવે કહ્યા હોય તેવું સમજાય છે. એવા પ્રજ્ઞાવંત છના સહવાસથી આપણને શંકા-સમાધાનનું નિમિત્ત બને છે, ક્ષમાર્ગમાં મદદ મળે છે અને નિઃશંક થવાનું બને છે. તેથી તેમને વિનય આપણને હિતકારી જાણ પરમકૃપાળુદેવે વિનય જાળવવાનું કહેલું જણાય છે. પૂર્વના ઘણુ પુરુષાર્થના ફળરૂપે તે મહાપુરુષે જે શક્તિ પ્રગટ કરી છે તે આપણને માત્ર વિનય જેવા નજીવા સાધનથી ઉપકારનું કારણ બને છે. અનેક પ્રકારના ગૂંચવાડામાંથી આપણને બચાવી સીધા મોક્ષમાર્ગ ઉપર તે લાવી શકે તેવી શક્તિ તેમનામાં હોય છે. ઉત્તરાધ્યયન શાસ્ત્રમાં પહેલું અધ્યયન વિનય વિષે છે તેનું આરાધન કરનાર ક્રમે મોક્ષે જાય છે એમ પણ તે જ શાસ્ત્રમાં છે. વિનય ધર્મનું મૂળ છે.” ૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૦૦ અગાસ, તા. ૭-૬-૩૭ હા– દુખ દીધે દુખ પામીએ, સુખ દીધે સુખ થાય; સમ્યક દષ્ટિ આવતાં, દેહદષ્ટિ દૂર થાય. ત્રિવિધ તાપમાં મૂંઝાય, જીવ સૌ સંસારમાંય, સંત કલ્પદ્રુમ છાંય, શરણ શીતળ માન – મૈત્રીભાવ ભાવનાર માનવી મહાન છે. વૈરભાવ ધારનાર મૈત્રીને અજાણું છે. (પ્રજ્ઞાવધ – ૬) પરમકૃપાળુદેવના પત્રો એ જ આપણને નવજીવન અર્પનાર છે. આપણું ઉપર જ જાણે આજે જ અમુક પત્ર આવ્યું છે એમ જાણી જિજ્ઞાસા તીવ રાખી વાંચીશું, વિચારીશું તે. તેમાંથી અપૂર્વ બળ પ્રાપ્ત થશે. “સપુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો” (૪૭) એવું પરમકૃપાળુદેવનું વચન છે અને તેના વચનયાગરૂપ ગ્રંથને આધારે આપણે કલ્યાણ સાધવાને નિશ્ચય છે તે અવશ્ય આપણું કલ્યાણ થશે. શ્રદ્ધા દઢ કરીને તે પુરુષને શરણે રહેવાશે તે ભલે મરણ આવે તે પણ આપણે વાળ વાંકે થાય તેમ નથી. સદ્દગુરુના આશ્રિતને આખરે ધર્મસાધન ઉત્તમ મિત્રની ગરજ સારે છે, તે જ તેને સદ્ગતિને આપનાર ઉત્તમ ભેમિ છે. આપણે તે વૈરાગ્યભકિતમાં વિશેષ બળ મળે તેવી વિચારણા કરી આ મનુષ્યભવ સફળ કરી લે છે એવો દઢ નિશ્ચય કરી સદ્ગુરુની આજ્ઞામાં બને તેટલું પ્રવર્તન કરવા મૂકવું નહીં. મનુષ્યભવને ગ દુર્લભ કહ્યો છે તે સત્ય છે. કલ્યાણ કરવાને આવે લાગ ફરી મળવો મુશ્કેલ છે ગણી, ગમે તે અવસ્થામાં ભાવ સદ્ગુરુ પ્રત્યે, તેને વચન પ્રત્યે, તે વચનના આશય (આત્મા) પ્રત્યે વિશેષ વિશેષ રુચિવાળા બને તેમ પુરુષાર્થ મારે તમારે બધાને કર્તવ્ય છે. વેદનીય કર્મ આપણે જ બાંધ્યું હતું તે મેમાનની પેઠે આવ્યું છે તે Page #132 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૧૦૯ સદા રહેવાનું નથી. મેમાનને સત્કાર કરીએ તેમ તેને પણ હાથ જોડી વિનંતી કરવી કે ભલે પધાર્યા. સદ્દગુરુશરણે અમે તે નિર્ભય છીએ. તમને નેતર્યા હતા તે તમે આવ્યા, હવે જમીકરીને ચાલ્યા જાઓ. ભૂલમાં તમને બોલાવ્યા હતા. હવે તમારું કામ નથી. અમારે તે હવે બીજું મોક્ષ સાધવાનું કામ કરવું છે, તે તમારે માટે ખાટી થવાય તેમ નથી, માટે માફ કરજે. એમ વિચારી મરણ, ભક્તિ, વાંચન, વિચાર વગેરે સદ્ગુરુની આજ્ઞાનાં નિમિત્તોમાં જોડાઈ જવું. બહુ વેદના જણાય ને ચિત્ત ત્યાં ખેંચાય તે પાછું સ્મરણ વગેરેમાં ખેંચી લાવવું અને મનને સમજાવવું કે દેહમાં ને દેહમાં ભાવ રાખીને આવી વેદના ઊભી કરી છે. હવે જે આ વેદના જેવી ગમ્મત વધારે જોઈતી હોય તે હજી દેહની દરકાર કર્યા કરે, નહીં તે દેહરહિત જેની દશા છે એવા જ્ઞાની પુરુષમાં, શુદ્ધ નિત્ય પરમાનંદરૂપ આત્મામાં દષ્ટિ, દેવાશે તે ફરી દેહ ધર નહીં પડે અને સ્વને પણ દુઃખ નહીં આવે. તે હવે કર. ૧૦૧ અગાસ, તા. ૯-–૩૭ તત સત અષાડ સુદ ૨, ૧૯૯૩ ઉપયોગ એ જ સાધના છે. વિશેષ સાધના તે માત્ર સપુરુષનાં ચરણકમળ છે.” (૩૭) જે કંઈ વ્રત-નિયમ પાળીએ છીએ તે આત્માથે કરીએ છીએ એ ભાવ ભુલાવો ન જોઈએ. આ ભવમાં જ્ઞાની પુરુષની આજ્ઞા જે જે થઈ હોય તેને વારંવાર વિચારવી. તેમાં આદરભાવ વધે, તેની સ્મૃતિ, લક્ષ રહે અને તે દ્વારા આપણું જીવન સુધરતું જાય, સમજણ વધતી જાય, પ્રેમ-ભક્તિ ષિાય તેમ પુરુષાર્થ કર્તવ્ય છે”. તે સર્વ થવા માટે સત્સંગ એ ઉત્તમ ઉપાય છે અને સત્સંગના વિયેગમાં પુરુષનાં વચને સત્પરુષતુલ્ય જાણી તેની ઉપાસના યથાશક્તિ કરવી અને સત્સંગની ભાવના રાખવી. મંદતા ભાવમાં જણાય તે ખેદ રાખો, પણ આત્મકલ્યાણ કરવાને ભાવ વધતો રહે તેમ મુમુક્ષુ ભાઈ સાથે વાંચવાવિચારવાનું કે ભક્તિ આદિને યોગ મેળવતા રહેવું. તે સત્પરુષના યુગમાં જે બીજ વવાયાં છે તેને પોષણ મળતું રહેશે અને ફળ આપે તેવી વૃદ્ધિ થશે. પ્રમાદ એ મહાશત્રુ છે, તે તજીને જાગ્રત રહેવું. પુરુષને શરણભાવ ટકાવી રાખો. હજી મારે ઘણું કરવાનું છે અને આમ પ્રમાદ થાય છે તે માર્ગ કેમ કપાશે ? એમ વારંવાર વિચારવા એગ્ય છે. .. ૧૦૨ અગાસ, તા. ૨૩-૭-૩૭ તત ૩ સત્ ગુરુપૂર્ણિમા, અષાઢ સુદ ૧૫, ૧૯૯૩ સેવાથી સંકટ કટે, દર્શનથી દુખ જાય; નામ થકી નિર્ભય થયો, અનુભવ વસ્તુ પાય.” મનુષ્યભવ દુર્લભ છે એ વારંવાર પ. પૂ. પ્રભુશ્રીજી પાસેથી સાંભળ્યું છે તે હૃદયમાં કતરી રાખી સત્પરુષની આજ્ઞાએ આટલે ભવ કે અમુક બચે તેટલે કાળ જાય તેવી કાળજી કર્તવ્ય છે. ધનની કાળજી કેવી રાખીએ છીએ? કેઈ આવીને કહે કે તમારે ત્યાં અમુક મારા રૂપિયા જમા છે તે લાવે, તે તેને વિશ્વાસ રાખી આપણે તરત ચૂકવી દેતા Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ બોધામૃત નથી કે તે કહે છે તે લાવો આપી દઈ એ; પણ પડે કાઢે, તેનું ખાતું તપાસે, વ્યાજ વગેરે ગણે, એક પૈસો પણ આઘાપાછા નથી એમ ખાતરી થાય ત્યારે રકમ ચૂકવે છે, તેમ વ્રત જેણે પાળવું છે તેણે તે ચોકસાઈ કરવી, નહીં તે સહેલે રસ્તે સ્વાદ એ છે કર એ છે. આ તે સામાન્ય વાત થઈ, કારણ કે કેઈને માટે ધર્મ કરવાનું નથી. તલ તલનાં લેખાં છે. જેવું કરશે તેવું પામશે. ખરી કમાણી કરવાને અવસર આ મનુષ્યભવ છે. પણ વિચક્ષણને માર્ગ છે. જે રસ્તે લૂંટાઈ ગયા તે રસ્તે ન જવું. લાભ થાય તેમ પ્રવર્તવું. સપુરુષની આજ્ઞામાં જેટલો લાભ સમાયે છે તેટલો જગતમાં ક્યાંય નથી એ દઢ શ્રદ્ધા રાખી, થયેલી આજ્ઞાને વિચાર કરી તે ઉપાસવા પુરુષાર્થ કર્તવ્ય છે. બહારની બાબતમાં જીવ બહુ હોશિયારી વાપરે છે પણ પિતાના દોષ જોઈ દેશને ટાળવામાં તેને ટાઢ ચઢે છે. અનિત્ય, અશુચિ અને પર વસ્તુને પવિત્ર, પિતાની અને સદા રહેવાની છે એવી માન્યતા અનાદિ કાળથી તે કરતે આવ્યું છે, તેથી બાહ્ય વસ્તુઓમાં ઈદ-અનિષ્ટપણું કરી તેના ગ્રહણ-ચાગમાં પ્રવર્તે છે. પણ પિતાને હિતકારી શું છે? બંધનકારી શું છે? એને નિર્ણય જ્ઞાની પુરુષોએ કર્યો છે તેને વિચાર કરવાને તે અવકાશ લેતું નથી કે તે કાર્ય તેને મહત્ત્વનું લાગ્યું નથી, તેમાં રસ આવતું નથી, પણ જેને જ્ઞાનીઓએ નકામા, બંધકારી, ક્ષણિક ગણ્યા છે તેવા ઇન્દ્રિયના વિષયમાં જ ચિત્ત પરેવેલું રાખે છે, તેને ત્રાસ કે ઉદ્વેગ, મૂંઝવણ તેને આવતી નથી, તે તે વિષયે દુઃખકારી સમજી તે માટે કષાય કરવા ગ્ય નથી, તે તજવાનાં છે, તેને મૂકયે મેક્ષ છે એ જીવને કેમ પ્રતીતિમાં આવે? આ વિચારશે. ૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૦૩ અગાસ, તા. ૩૦-૭-૩૭ પરમકૃપાળુદેવનાં વચનામૃતમાં ચિત્ત રહે છે એ જાણી આનંદ થયેલ છે. અને તે પ્રમાણે આપણા મનના પરિણામ પણ પરિણમે એ જ પુરુષાર્થ મુમુક્ષુએ કર્તવ્ય છે. તીવ્ર વેદની જેવા અશુભ પ્રસંગના ઉદયમાં સંસારનું સ્પષ્ટ અસારપણું – દુઃખમયપણું દષ્ટિગોચર થવાથી આત્માર્થીનું વીર્ય વિશેષ ઉલ્લસિત થાય છે અને જે લક્ષ સપુરુષ પાસેથી પ્રાપ્ત થયું હોય તેમાં ચિત્તવૃત્તિ જેડવાને પ્રસંગ પ્રાપ્ત થાય છે અને દુઃખને પણ દુઃખરૂપ ન જાણતાં પરરૂપ પુદ્ગલપર્યાયરૂપ કર્મફળ જાણીને તેથી પિતાના ભિન્ન પણ વિષે વિશેષ દઢપણું અંતરમાં પ્રકાશે છે. અને આપને અમારી એ જ વિનંતી છે કે જે માર્ગે મહાપુરુષે ચાલ્યા છે અને જે માર્ગ તેમણે ઉપદે છે એવો આત્મસિદ્ધિને તે માર્ગ વિશેષ વિચારી આત્મામાં દઢ થાય તેમ કરશે. કહ્યું છે કે ઉપશમ જેવું કંઈ પણ ઔષધ છે જ નહીં અને તે સંસારના દરેક પ્રસંગે માટે સફળ અને અમેઘ શસ્ત્ર છે. ૧૦૪ અગાસ, તા. ૧૨-૮–૩૭ તત સત શ્રાવણ સુદ ૬, ૧૯૯૩ આપની તબિયત હજી નરમ છે જાણી ધર્માનુરાગથી ખેદ થાય છે. પરંતુ કર્મના આગળ કેઈનું ચાલતું નથી. ઇંદ્ર, નરેંદ્ર જેવા પુણ્યશાળીને પણ માંકડાની પેઠે નચાવે છે, Page #134 -------------------------------------------------------------------------- ________________ પસુધા ૧૧૧ તે પછી આપણે જેવા હીનપુણ્ય ને સતાવે તેમાં નવાઈ નથી. તેમ છતાં જેને જ્ઞાનીને આશ્રય મળે છે તે સિંહના સંતાન જેવા છે. મોટા ગિરિશિખરવત હાથીના શરીરને દેખીને પણ સિંહના બાળક ડરી ન જાય તેમ જે જિન તું છે પાંશરે રે લોલ, કર્મ તો શે આશરે રે લોલ” એમ ભક્તાત્માઓ બોલી ઊઠ્યા છે. કર્મ અને ધર્મની લડાઈમાં ધર્મને જય થાય છે કારણ કે તે સત્ છે અને સને જ જય સદાય થાય છે. ૫. ઉ. ૫. પૂ. પ્રભુશ્રીજીની દવામાં મોટા દાક્તરે સેવાભાવે તત્પર હતા. પૂ. રતિલાલ જતા-આવતા અને પૂ. શારદાબહેન તે ત્યાં જ પડી રહેલાં, પણ કર્મ આગળ કેઈનું ચાલ્યું નહીં. પણું તેઓશ્રીજીએ એક દિવસે કહેલું કે અમને આ દવાઓ ગમે તેટલી ઉત્તમ હેય પણ તેની શ્રદ્ધા હોય? શ્રદ્ધા તે એક જ્ઞાનીએ નિર્ણય કરેલે, અનુભવેલો, ઉપદેશેલ શુદ્ધ આત્મા તેની જ અટલ રહે છે. તે એક આંગળી ઊંચી કરી વારંવાર પ્રદર્શિત કરતા હતા. એક જ્ઞાનીએ જાણે શુદ્ધ આત્મા જ જાણવા ગ્ય, માનવા ગ્ય, ભાવના કરવા ગ્ય છે, બીજું બધું કર્મ છે, કર્મના ચાળા છે તેથી ગાવા જેવું નથી, ભુલાવ ખાવા ગ્ય નથી. આ મનુષ્યભવમાં અલ્પ આયુષ્યમાં અન્ય ચિંતાઓની બળતરામાં જીવ બળી રહ્યો છે તેમાંથી છોડાવી જ્ઞાની પુરુષની અમૂલ્ય વાણીરૂપ કલ્પતરુની શીતળ છાયાને આશ્રય કર્તવ્ય છે, એ જ ઉત્તમ હવા ખાવાનું સ્થાન આ ભવરોગથી પીડાતા જીવને માટે છે. માટે બળતા ઘરમાંથી જેમ કંઈ ઝટ બહાર નીકળી જાય તેમ સાંસારિક ચિંતાઓ દૂર કરી એક આત્મહિત કરી લેવામાં પુરુષાર્થ કરવા યોગ્ય છે. સુંદરદાસે કહ્યું છે – “સુંદર ચિંતા મત કર, તું કર બ્રહ્મવિચાર; શરીર સૌંપ પ્રારબ્ધÉ, યે લેહા ફૂટે લુહાર.” એવો અભ્યાસ આ ભવમાં કરી લેવા ગ્ય છે. તે જ સાચું પરભવ માટેનું ભાથું છે. સૌ સૌનાં પ્રારબ્ધ લઈને આવેલ છે તેની જેમ ચિંતા કરવી ઘટતી નથી તે જ પ્રકારે આ દેહ પણ પ્રારબ્ધની મૂર્તિ છે તેમાં યથાપ્રારબ્ધ ફેરફાર થયા કરે છે અને આખરે જડની જાતિ છે તેથી તે તેનું પિત પ્રકાશશે; એટલે સડવું પડવું એને સ્વભાવ છે તે અન્યથા કઈ કરી શકે તેમ નથી. પણ જ્યાં સુધી એ નાશવંત દેહને સંબંધ છે ત્યાં સુધી અવિનાશી એવા આત્માની દઢ શ્રદ્ધા કરી તેમાં જ વૃત્તિ વળગી રહે તે પુરુષાર્થ થઈ શકવા યોગ્ય છે. તે મુખ્ય કાર્યને હવે ગણુ કરવું ઘટતું નથી. શરીરના ઉપચાર કરવા, દવા કરવી, પણ શા અર્થે? આત્મહિતનું તે સાધન છે એમ જાણું પુરુષાર્થ – પ્રયત્ન કરો. બાકી બીજું કંઈ આપણા હાથમાં નથી. માન્યતામાં તે તે શરીર નાશવંત, સંગી અને પરપદાર્થ છે અને આત્મા અમર, મૂળ પદાર્થ, અરૂપી અને ચૈતન્યના અનંત ચતુષ્ટયાદિ ધર્મયુક્ત છે, પરમાનંદરૂપ છે તે શ્રદ્ધા મરણ સુધી ટકાવી રાખવા યોગ્ય છે. પુરુષને થયેલે સમાગમ, બંધ, તેમને ઉપકાર વારંવાર સ્મૃતિમાં લાવી આત્મહિત સાધવાની ભલામણું છે”. ૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ બાધામૃત ૧૦૫ અગાસ, તા. ૨૪-૮-૧૭ તત ૩ સત શ્રાવણ વદ ૩, ૧૯૯૩ વયગત વર્ષ વિચારિયે, વીતત લગી ન વાર વીતહિ ઐસે શેષ વય, નહિ તનકે નિરધાર. કલિમેં આયુષ અલ્પ હૈ, વીતત લગે ન વાર ઇતનેમેં સુખદુઃખ હુકે હર્ષ-શેક કયા ધાર?” જેવો અવસર દેખીએ તે પ્રમાણે વર્તવું. કર્મને પરવશ છીએ ત્યાં સુધી સંયોગને આધીન વર્તવું પડે, પણ ભાવ ઉપર આખો માર્ગ છે. તે ભાવમાં ઓટ આવી તે દાન, પુણ્ય, વ્રત વગેરે પૂરી શકે તેમ નથી. ભાવને અર્થે સારાં નિમિત્તાની જરૂર છે. પણ તેવાં નિમિત્તો માટે બનતે પુરુષાર્થ કરવા છતાં કંઈ ન બને તે પછી તે સારાં નિમિત્ત નથી એ લક્ષ રાખી પુરુષાર્થમાં ખામી ન આવવા દેવી, ચેતતા રહેવું. સારા ભાવની ભાવના ન ભુલાય તે પ્રકારે પ્રવર્તવું. પરમકૃપાળુદેવનાં વચનામૃત સર્વ શાસ્ત્રના સારરૂપ છે. છેલ્લા પરમકૃપાળુદેવનાં વચન છે તે તે અમૃતતુલ્ય છે. પરિણતિ વિષે પરમકૃપાળુદેવે લખ્યું છેઃ “દ્રવ્યની અવસ્થાંતર પામવાની શક્તિ છે, તે અવસ્થાતરની વિશેષ ધારા તે પરિણતિ.” જડ ચેતન દ્રવ્ય સમયે સમયે બદલાતાં છે તે પરિણામની ધારા અથવા જીવ સંબંધ શુભ, અશુભ અને શુદ્ધ ત્રણ પરિણામ છે. શુદ્ધ તે સમ્યગ્રષ્ટિને હોય છે. બાકીના છને શુભ કે અશુભ પરિણામોને પ્રવાહ રાતદિવસ ચાલતું હોય છે. શુભ પરિણામને પ્રવાહ વહે ત્યારે પુણ્યનું કારણ બને, અશુભ પરિણામને પ્રવાહ વહેતે હોય ત્યારે પાપ બંધાય છે. વીત્યે કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ; તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મેક્ષ સ્વભાવ.” આત્મસિદ્ધિમાં આ વાત છે, તે અનાદિની પરિણતિ બદલવા સત્પરુષ પ્રત્યે, તેનાં વચને પ્રત્યે, તે વચનના આશય પ્રત્યે પ્રીતિ-ભક્તિ ઊપજે તે સમાગમ, સદ્ગુરુને એગ કે સત્સંગ કર્તવ્ય છે. સત્યરુષ ને પુરુષના આશ્રિત મેક્ષમાર્ગમાં પ્રવર્તે છે એમ સત્પરુષે કહેલું છે તે આપણે સહુરુષની આજ્ઞાએ પ્રવર્તવાનું કરીશું તેટલું સવળું થશે, છૂટવાના ભાવમાં પ્રવર્તાશે. નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાહિ; આપ તણે વિશ્વાસ દઢ, ને પરમાદર નાહિ,” એ વિચારી વિશ્વાસ, પરમ આદર અને આજ્ઞા હૃદયમાં અચળ કેમ થાય? તેમાં મારી શી ખામી છે? તે કેવી રીતે દૂર કરી શકાય? વગેરે વિચારણું, સૂરણ જાગશે ત્યારે જીવને માર્ગ મળે છે એમ પરમકૃપાળુદેવ કહે છે. ૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૧૩–૯–૩૭ તત ૩૪ સંત ભાદરવા સુદ ૮, સેમ, ૧૯૯૩ ક્ષણ ક્ષણ જતાં અનંતકાળ વ્યતીત થયે, છતાં સિદ્ધિ થઈ નહીં.” આ વાકય પુષ્પમાળામાં છે તે વિચારી હવે અનાદિકાળનું પરિભ્રમણ કેમ ટળે? એ વિચારી પુરુષે આપેલ Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ પત્રસુધા સાધન સ્મરણમંત્રની વિશેષ ઉપાસના કર્તવ્ય છે. કારણ બદલ્યા સિવાય કાર્ય બદલાતું નથી. તેથી અનાદિકાળથી જે પ્રેમવડે સંસારપરિભ્રમણ થયા કર્યું છે તે પ્રેમ પલટાવી સંસારથી છુટાય તેમ તે પ્રેમ વાપરવા હવે ચીવટ રાખવી ઘટે છેજી. વાછરડું ઘેર હાય તાપણુ ગાયને ચરવા ખેતરામાં જવું પડે છે, પણ મન-ભાવ-પ્રેમ વાછરડા પ્રત્યે હાય છે. તેથી તે વારંવાર ચરતાં ચરતાં તેને સાંભરી આવે છે ને ઊંચું ડાકું કરી ખરાડે છે, તેમ કામ કરતાં જતાં પણ આપણા ભાવ-પ્રેમ પરમકૃપાળુદેવ તરફ, તેણે આપેલા સ્મરણમાં રહે અને તે વારંવાર સાંભરી આવે તેવી ટેવ પાડી મૂકવા ચેાગ્ય છે. કાઈ કહે કે વારંવાર મંત્ર એલ એલ કરે તેા ખાટું દેખાય, કોઈને ગમે ન ગમે, માટે એલ એલ કરવું ઠીક નહીં, પણ તેવી વાત મનમાં આણી પ્રમાદ સેવવા ચેગ્ય નથી. ભલેને કાઈ કહે એ તે ગાંડીએ થઈ ગયા છે, ગાંડા ગણે તાપણુ તે લત મૂકવા યગ્ય નથી. મેાઢાને તે મંત્રનું કામ સોંપી મૂક્યું હોય તે મન પણ જરા નવરું પડે ત્યારે માઢાથી મંત્ર મેલાતા હાય તેમાં લક્ષ રાખે. ભલે મન બીજે હાય અને મેઢે મંત્ર ખેલાતા હાય તાપણુ કંઈ ન કરવા કરતાં તે પુરુષાર્થ સારા છે. મનને તેમાં પ્રવેશ થવાનેા તે પુરુષાર્થમાં અવકાશ છે. પણ જો કંઈ નહીં કરતા રહીએ તેા વચન પણ કાંનું કત્યાં પ્રવર્તે અને મન તેા ઠેકાણા—વનું ભટકતું જ હાય, માટે એક વખત તેા ટેવ પડતા સુધી ગાંડાની પેઠે બેસતાં, ઊઠતાં, કામ કરતાં સહજાત્મસ્વરૂપ પરમગુરુ,સહાત્મસ્વરૂપ પરમગુરુ” ખેલ્યા કરવાની આદત પાડી દેવી ઘટે છે. કરવા ધાર્યું હાય તેા બને તેવું છે. એથી ઘણા અલેખે જતા વખત લેખામાં આવી જાય. “જ્યાં જ્યાં જે જે ચેાગ્ય છે, તહાં સમજવું તેહ; ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ.' જ્યાં જ્યાં જે જે પ્રકાર આત્માને હિતકારી જણાય તે તે પ્રકાર ગ્રહણ કરવા અને હિત સાધી લેવું. કોઈના ખેલ્યા સામું ન જોવું. ક્ષમા, ધીરજ ધારવી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૦૭ અગાસ, તા. ૧૩-૯-૩૭ ભાદરવા સુદ ૮, સામ, ૧૯૯૩ તત્ સત્ ........ પૂ. ને હવે શાતા હશે. કાયાને કષ્ટ આપવાનું સાહસ કરે છે, તે હિતકારી છે; તેથી પણ વિશેષ હિતકારી કષાય કૃશ કર્યાંનું ફળ છે. જોકે સત્પુરુષના આશ્રિતને કષાય । કમી કરવાના લક્ષ હાય છે, પણ જે પુરુષાર્થ કરી શકે તેને જ સર્વ કહેતા આવે છે અને ધારે તે તે દિશામાં પુરુષાર્થ કરી શકે. કેમ કે નિશ્ચય જેને મળવાન હેાય તે તે નિશ્ર્ચયના આધારે સર્વત્ર વર્તી શકે. પરમકૃપાળુદેવે કહ્યું છે કે મુખ્ય અંતરાય હાય તેા તે જીવના અનિશ્ચય છે.” (૮૨૬). જે વસ્તુનું માહાત્મ્ય દિલમાં લાગે, તેને માટે પુરુષાર્થ થાય છે. ખાહ્ય તપમાં શરીર-સંપત્તિની જરૂર પડે છે પણ અત્યંતર તપ–પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન અને કાર્યાત્સર્ગ–માં વિશેષ શરીર-સંપત્તિની જરૂર નથી પડતી. બધા ધારે તા કંઈ ને કંઈ કરી શકે, પણ ધારતા નથી તેનું શું કારણ ? જોઈ એ તેવું તેનું માહાત્મ્ય હૃદયમાં હજી ઠહ્યું નથી, મહત્તા લાગી હેાય તેા ન બની શકે તાપણુ ભાવના રહે. કયારે 8 Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ બધામૃત એવી જોગવાઈ બની આવે કે તે હું કરું? વિનય, વૈયાવચ્ચ સંબંધી તે ૫. ઉ. ૫. પૂ. પ્રભુશ્રી વારંવાર ઠોકી ઠોકીને ઉપદેશ કરતા કે જીવમાં ગ્યતા લાવવા તેની પ્રથમ જરૂર પડશે. “ન તે પરમેશ્વરને ગમ્યો.” એવી કહેવત પણ કહેતા. “વિનય વેરીને વશ કરે” એમ પણ કહેતા. શત્રુના વાસમાં વસવું પડતું હોય તો પણ વિનય તે તેની રક્ષા કરે, એટલું જ નહીં પણ તે ગુણને લીધે શત્રુ પણ મિત્ર બને અને લાભ પામીને જાય. સાચા દિલથી મૈત્રીભાવનાની ભાવના થાય તે વાઘ, સિંહ આદિ ક્રર પ્રાણીઓ પણ ફરતા ભૂલી પ્રેમ કરતાં ગેલ કરવા લાગે, તે મનુષ્યનાં દિલ ફરી જાય એમાં શું આશ્ચર્ય છે? આ બધે કષાય દૂર થયાને પ્રભાવ છે. કષાય આત્માને મલિન કરે છે. તે કષાય –મેલ ઓછો થાય તેટલો આત્મા નિર્મળ અને શાંત રસમય સુખને અનુભવનારે થાય. આ બધું વગર પૈસા ખર્ચે, વગર પરિશ્રમ વેચે, ભાવ પલટાવતાં બની શકે છે. તે ક્યારે કરીશું? કાળને ભરેસે નથી, લીધે કે લેશે એમ થઈ રહ્યું છે, તે આ જીવ કયા કાળને ભજે છે? તે વિચારી આત્મહિતને માટે આપણે બધાએ વિશેષ વિશેષ કાળજી લેતા રહેવાય તેમ કર્તવ્ય છે. વિશેષ શું લખવું? હવે તે કરવા માંડવાનું છે. ઘણું સાંભળ્યું છે તેમાંથી કંઈને કંઈ કરવા લાગીશું તે કંઈ ઠેકાણું પડશે. ૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૦૮ અગાસ, તા. ૧૪-૯-૩૭ તત સત ભાદરવા સુદ ૯, મંગળ, ૧૯૯૭ ક્વીતરાગ શાસન વિશે, વીતરાગતા હોય.” વીતરાગતા કહેતાં કષાયને અભાવ. તે વિષયકષાયને ઝેર જાણું બાળી-ઝાળી દહાડે પવાડો કરી વહ્યા જવા જેવું છે, શત્રુવટ તે પ્રત્યે રાખીને વર્તવું વગેરે જે બેધ પરમકૃપાળુદેવે ખેડામાં કર્યો હતો તે પ્રમાણે પ્રવર્તીને શ્રી પ્રભુશ્રીજીએ તે આત્મકલ્યાણ કર્યું અને આપણે પણ તે જ શત્રુઓ – વિષયકષાયે જીતીશું ત્યારે જ સન્માર્ગમાં સ્થિતિ પ્રાપ્ત કરી શકીશું એ લક્ષમાં રાખી બને તેટલા વિષયકષાય ઓછા કરી આ સ્પેશિત આત્માને શાંતિનું ફળ દાન કરવા યેગ્ય છે. ભલેશે વાસિત મન સંસાર, ક્લેશરહિત મન તે ભવપાર.” એમ શ્રી યશોવિજયજીએ પણ સ્તવનમાં ગાયું છે તે હવે કષાયક્લેશ ઓછો થાય અને પરમકૃપાળુદેવે જે નિરાબાધ આત્મસમાધિસુખ પ્રાપ્ત કર્યું તે ક્યારે કેવા પ્રકારે પ્રાપ્ત કરી શકીશું? તેવી ભાવના કરી યથાશક્તિ કષાયલેશ ટાળવા પ્રયત્ન કરીશું તે સાચા કારણુના અવલંબને સત્ય ફળની પ્રાપ્તિ થયા વિના નહીં રહે, એ ચોક્કસ છે. ખામી હોય તે આ જીવના દઢ નિશ્ચયની અને પુરુષાર્થની છે. સત્પરએ કહેવામાં કંઈ બાકી રાખ્યું નથી. આ જીવે તેવી રુચિ પ્રગટાવી તે પ્રમાણે પ્રવર્તવાનું કર્યું નથી એટલે તે ફળને સ્વાદ ક્યાંથી આવે? પણું વહેલુમડું પણ જ્ઞાનીનું કહેલું ભાગ્યે જ મોક્ષનું કારણ પ્રગટશે. એમ દઢ કરી તે ભાવના કરવાથી તે પ્રમાણે પ્રવર્તવાનું પણ બળ મળી રહેશે એમ ખાતરી છે. ૫. ઉ. ૫. પૂ. પ્રભુશ્રીજી વારંવાર કહેતા કે તારી વારે વાર, મેદાનમાં તલવાર પડી છે મારે તેના બાપની. એક મરણિયે સેને ભારે થઈ પડે છે. કરવું તે પડશે જ. શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ પગસુધા ૧૧૫ અગાસ, તા. ૧૫-૯-૩૭ તત્ ૐ સત્ ભાદરવા સુદ ૧૦, બુધ, ૧૯૯૩ પર્યુષણ પર્વ બહુ રૂડી રીતે ઊજવાયું છેજી. પરમકૃપાળુદેવની કૃપાથી આશ્રમમાં તે જ પર્યુષણ જેવી જ ભક્તિ થયા કરે છે. જે જે મહાભાગ્યશાળી જીને ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીનાં દર્શન થયાં છે, સમાગમ થયો છે, બોધને લાભ મળે છે, મંત્ર આદિ આજ્ઞા જેમને મળી છે તે સર્વ ભાગ્યશાળી જીવાત્માઓ જ્યાં હોય ત્યાં પણ તે આજ્ઞા ઉઠાવી ધર્મવૃત્તિ રાખી જીવે છે તે સર્વનું કલ્યાણ થવાનું છે એમાં સંશય નથી. અવાય ન અવાય તે પ્રારબ્ધ આધીન છે પરંતુ દરરોજ નિત્ય નિયમ ચૂકવા ગ્ય નથી. વીસ દોહરા, ક્ષમાપનાને પાઠ, યમનિયમ, છપદને પત્ર, આત્મસિદ્ધિશાસ્ત્ર, સ્મરણમંત્રની માળાઓ એમાંથી જેટલું બને તેટલું કરી લઈ જતે દિવસ સફળ બનાવ એ આપણી ભક્તજનની ફરજ છે. જેમ ટીપે ટીપે વરસાદ વરસે છે તેનું પાણી એકઠું થઈ નદીમાં જાય છે, તેમાંથી નહેરો કાઢીને ખેતરમાં પણ પાણી પાવાની ગોઠવણ કઈ જગાએ હોય છે, ત્યાં તે પાણીથી વરસાદ ન આવતો હોય તેવી તુમાં ખેતી થાય છે ને તેટલું પાણી કામમાં આવે છે. બાકી કાંઠા ઉપરનાં ગામોને નાહવા, છેવા કે પીવાના કામમાં આવે છે. બાકીનું પાણી દરિયામાં જઈને ખારું થઈ જાય છે, તેમ ક્ષણે ક્ષણે આયુષ્યની પળે પાણીનાં ટીપાંની પેઠે વરસ્યા કરે છે અને વરસેનાં વરસે વહ્યાં જાય છે, પણ જેટલે કાળ ધર્મને માટે ગાળે તેટલો કામને છે. બાકીને કાળ સંસારના કામમાં કે ઊંઘમાં જાય છે તે બધે કાળ દરિયામાં નદી ભળી ખારી થઈ જાય તે નકામો છે. થથાં ખાંડવાથી દાણું ન મળે તેમ આયુષ્ય નકામા કામમાં ગાળવા યોગ્ય નથી. બને તેટલે કાળ ભક્તિભજનમાં ગાળીશું, પુરુષને સંભારીશું તેટલો કાળ લેખાને છે. એ જ. રક શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૧૦ અગાસ, તા. ૧૫-૯-૩૭ તત ૩ૐ સત ભાદરવા સુદ ૧૦, બુધ, ૧૯૯૩ અનંત ગુણનાં બીજ સમ, સમ્યક દર્શન સાર; વારંવાર વિચારીને, હૃદય વિષે દઢ ધાર, ચિંતામણિ પથ્થર ગણી, તજજે તેને ભાવ; રાજગુરુ સાચે ગણું, ભર્ડે ત્યા આ દાવ. આપનું કાર્ડ પ્રાપ્ત થયું છે જી. ભાવના સત્સંગની નિરંતર રાખવા ગ્ય છે જ. ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ છેલ્લી ભલામણ સત્સંગ કરતા રહેવાની કરી છે તે સર્વે નાનાં-મોટાં, સ્ત્રીપુરુષ સર્વને અમૃત સમાન હિતકારી છે. નિમિત્તાધીન વૃત્તિ હેવાથી સારાં નિમિત્તોને પરિચય બને તેટલો વધારે કર્તવ્ય છે. જે જે પૂર્વનાં બંધનેને લઈને જ્યાં જન્મ થયે છે, જેમની સાથે સંબંધ જોડાયા છે, મારાં મનાય છે તે તે સર્વ દેહાદિક પદાર્થો પ્રત્યે અહંભાવ-મમત્વભાવ સહેજે સ્કુર્યા કરે છે, તે જ આત્માને શત્રુ છે એમ માની તે પ્રત્યે કટાક્ષદષ્ટિ રાખી તેથી બને તેટલા દૂર રહી, અપરિચય રાખી, તે ભાવ મંદ પાડવાને અભ્યાસ કર્યા સિવાય Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ બેધામૃત તે વૃત્તિઓ વશ થાય તેમ નથી. વૃત્તિની છેતરામણી ન થાય તે તરફ મુમુક્ષુ જીવ ખાસ લક્ષ રાખે છે. છૂટવું, છૂટવું, છૂટવું જ જેના અંતરમાં થયું હોય તે કંઈક છૂટવાને ક્રમ લે છે. ખરું છૂટવાનું ભાવથી છે, પણ નિમિત્તાધીન ભાવ હોવાથી નિમિત્તોમાં જે ઉત્તમ નિમિત્તો સમજાય તે ગ્રહવાની બુદ્ધિ, બુદ્ધિવાન સ્વીકારે છે. ઉદયને આગળ કરીને મુમુક્ષુ ન વર્તે, પણ પુરુષાર્થને પ્રથમ રાખે. પછી ન બને તે તે પ્રારબ્ધ કે ઉદયને દેષ માને. અગાસ, તા. ૧૫-૯-૩૭. તત ૐ સત્ ભાદરવા સુદ ૧૦, બુધ, ૧૯૯૩ આપને પત્ર પ્રાપ્ત થયો છેજ. આપના પિતાશ્રીની તબિયત બહુ બીમાર રહે છે એમ આપના પત્રમાં છે. તેમને શરીરસેવા ઉપરાંત સ્મરણ સંભળાવવાની ભાવસેવામાં પણ તત્પર રહેવા વિનંતી છે. કોઈ પણ ધર્મેચ્છક વૃદ્ધ, ગ્લાન, તપસ્વી, રોગી હોય તેની સેવા, ભક્તિ, ધર્મસહાય આપવા ભગવાનની આજ્ઞા છે. તેવા પ્રસંગે પિતાથી બને તેટલી સેવા ન કરે, શક્તિ ગોપવે અથવા બીજા કામને અગત્યનાં ગણી સેવાના કામને જે તજી દે છે, તે ભગવાનની આજ્ઞાનો ભંગ કરે છે એમ શ્રી ભગવતી આરાધના આદિ ધર્મગ્રંથોમાં સ્પષ્ટ ઉલ્લેખ છે. તેવા પ્રસંગે આપણું આત્માને પણ હિતકારી છે એમ જાણી તેમાં કાળજી રાખવી ઘટે છે. શ્રી રામચંદ્ર એક બળદને મરણપ્રસંગે કાનમાં મંત્ર સંભળાવ્યું હતું તેથી તેની દેવગતિ થઈ હતી. માંદગીના પ્રસંગમાં માંદા માણસની વૃત્તિ ઘર-કુટુંબ આદિમાં ન રહે તેવી વૈરાગ્યની વાત પિતાથી થાય તે તે, નહીં તે સમાધિસપાન આદિમાંથી અનિત્યાદિ બાર ભાવના વાંચી સંભળાવવાથી દેહ, સંસાર અને લેગ પ્રત્યે વૈરાગ્ય ઊપજે અને પરમકૃપાળુદેવનું શરણ દઢ થાય તેમ કર્તવ્ય છે. આપણને પણ તે પ્રસંગ વૈરાગ્યપ્રેરક બને છે. માટે બને તેટલા સારા સંસ્કારમાં તેમનું ચિત્ત રહે તેમ કરવા ભલામણ છે. બીજું કંઈ ન બને તે મંત્ર વારંવાર કાનમાં પશે તે પણ મહા હિતકારી છે. શિવભૂતિ મુનિએ માત્ર “મા રુષ, મા તુષ મંત્રથી કેવળજ્ઞાન ઉત્પન્ન કર્યું હતું. સપુરુષના એકેક વાકયમાં, એકેક શબ્દમાં અનંત આગમ રહ્યાં છે, તે વિશ્વાસ રાખી ભાવપૂર્વક સ્વપરનું હિત તેમાં છે એમ ગણી સેવાચાકરીમાં તત્પર રહેવાથી સર્વ સેવા કરનારાઓને લાભ થશે. “જ્યાં જ્યાં જે જે ગ્ય છે, તહાં સમજવું તેહ ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ.” તા ક–સ્યાદ્વાદમાર્ગ અલૌકિક છે. સત્સંગ તે સદૈવ કર્તવ્ય છે, પણ સેવા વગેરેના કેઈક વખત મળતા પ્રસંગે પ્રાપ્ત થાય તે વખતે તે ફરજ બજાવવામાં તત્પર થવું ગ્ય છે અને સત્સંગની ભાવના વર્ધમાન થાય તેમ વર્તવા ગ્ય છે. પિતાને તકલીફ પડે કે શરીરની વ્યાધિને લઈને મન પાછું પડતું હોય તે તેને સમજાવીને બળવાન બનાવવું અને દેહાધ્યાસ ઓછો કરે છે તે આ પ્રસંગે બને તેમ છે એમ વિચારી પિતાશ્રીની સેવા કરશોજી. ૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #140 -------------------------------------------------------------------------- ________________ પગસુધા ૧૧૭ ૧૧૨ અગાસ, તા. ૧૬-૯-૩૭ તત ૩ સત ભાદરવા સુદ ૧૧, ગુરુ, ૧૯૯૩ ધર્મ તે વસ્તુ-સ્વભાવ એટલે આત્મસ્વભાવ છે, તે જ્ઞાનીએ જાણે છે, તે આપણે જાણ છે. આ કાળમાં જાણી શકાય તેમ છે માટે જેણે જાણે છે તે પરમકૃપાળુદેવનાં વચનામૃત અનુસાર તે જાણવા આપણે એકત્ર થઈએ છીએ, ભક્તિ કરીએ છીએ, મૈત્રી, પ્રમોદ, કરુણા, માધ્યસ્થ આદિ ભાવના ભાવી બનતા સઆચાર, દાન, શીલ, ત૫ વડે આત્મભાવ અર્થે પુરુષાર્થ કરીએ છીએ. આટલે લક્ષ રાખી પરમકૃપાળુદેવને શરણે પ્રમાદ તજ પુરુષાર્થ કરીશું તો આપણને જરૂર સફળતા મળશે. આ મૂળ લક્ષમાં વિઘકર્તા ભાવો દૂર કરવા પણ પ્રયત્ન કર્તવ્ય છે. કલાજ, દુરાચાર, સાત વ્યસન, નિંદા, કુસંપ, ઈર્ષો આદિ દે તજવા ઉપરાંત અમુકને જ્ઞાની માની લેવાની ઉતાવળિયા વૃત્તિ પણ જીવને અવળે માર્ગે ચઢાવી મૂળમાર્ગથી દૂર રાખે છે. ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ અત્યંત દઢતાથી કહ્યું છે કે પરમકૃપાળુદેવની આજ્ઞા સંતના કહેવાથી જે માન્ય કરશે તેનું અવશ્ય કલ્યાણ થશે. આમ સાચે હીરો પરખીને તેમણે આપણને આપે તે હવે બીજા સંબંધી કલ્પના કરવાની પંચાતમાં પડવાની આપણે શી જરૂર છે? પરમકૃપાળુદેવ જ્ઞાની છે અને જ્ઞાનીના આરાધનથી જ્ઞાન થાય છે એટલે લક્ષ રાખી “એક મત આપડી ને ઊભે માર્ગે તાપડી” એ ૫. ઉ. ૫. પૂ. પ્રભુશ્રીજી કહેતા હતા તેમ હવે તે વૈરાગ્ય ઉપશમરૂપ યોગ્યતા મેળવવા મંડી પડવું યોગ્ય છે. પૂ..એ લખેલા લાંબાં લાંબાં વિશેષણે વાંચી-વિચારી તેવા થવાની ભાવના મેં રાખી છે, પણ વર્તમાનમાં તેવી મારી દશા નથી. માટે પરમકૃપાળુની ભક્તિમાં તેટલું લખ્યું હોત તો કેવું સારું એવું લાગવાથી ઉપરની સૂચના આપણે સર્વેને સમજવા યોગ્ય ધારી લખ્યું છે, તે લક્ષમાં લેશે તે ઉપકાર માનીશ. આપણી મતિથી માની લેવા કરતાં જ્ઞાનીએ જાણ્યું હોય તે સત્ય છે એ ભાવ ઉપર રહેવા ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીને ઘણું બધ થતે તે લક્ષમાં રાખી ગમે ત્યાં બાઝી પડવાની ટેવ દૂર કરી પરમકૃપાળુને ઉપાસવા. તા. ક. : આપની માન્યતાને કંઈ આઘાત જેવું લાગે તે પણ આ પત્રમાં લખ્યું છે તે વારંવાર વિચારી એક પરમકૃપાળુદેવ પ્રત્યે પરમ પ્રેમ કરવાની વિનંતી આત્મહિતકારી છે તે લક્ષમાં લેવાથી લાભ થશે. ૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૧૩ અગાસ, તા. ૩૦-૯-૩૭ તત સત ભાદરવા વદ ૧૧, ગુરુ, ૧૯૯૩ “ઉપમિતિભવપ્રપંચ વાંચવા વિચાર રહે છે તે પુસ્તક પરમકૃપાળુદેવના ચિત્રપટ સમક્ષ મૂકી નમસ્કાર કરી વાંચવાની આજ્ઞા લઈ વાંચવાનું કરશોજી. દ્રમક ભિખારીનું દષ્ટાંત પ્રસ્તાવનારૂપ પહેલા ભાગમાં આવે છે તે બહુ વિચાર કરી સમજવા ગ્ય છે. આપણને પુરુષની કૃપાથી જે સામગ્રી મળી આવી છે તેને સદુપયોગ કરી આત્મશ્રદ્ધા કરવામાં આપણને શું શું વિઘો નડે છે તેને યથાર્થ ખ્યાલ તે કથાનકની શરૂઆતમાં જણાવી તેને ઉપનય - દૃષ્ટાંત શું સમજાવવા લખ્યું છે તેનું વિવેચન પણ ગ્રંથકારે આપ્યું છે. તેમાં Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ બેધામૃત જણાવેલી સૂચનાઓ જે જીવનમાં ઉતારે તે ઘણે લાભ થાય તેવું રસિક પુસ્તક છે. ઉતાવળથી, મોટું પુસ્તક છે માટે વાંચી નાખવું છે એમ મનમાં ન આણતા, બે ચાર જણ હાજર હોય તે પરસ્પર જેટલું સમજાય તેટલું કહી બતાવે કે બને તેટલી ચર્ચા કરતા રહે તે ઘણું વિચારવાનું તેમાંથી મળશે. ૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૧૪ અગાસ, તા ૨–૧૦–૭૭ તત ૪ સત ભાદરવા વદ ૧૩, ૧૯૯૩ હું પામર શું કરી શકું, એ નથી વિવેક ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છે.” – શ્રીમદ્ રાજચંદ્ર વિ. આપને પત્ર ગઈ કાલે આવ્ય, વાંચી-વિચારી આપની માગણી તે પદ વાંચવાવિચારવાની છે એમ જાણ તે વાંચવાનું વિચારવા અને ભાવના કરવા ભલામણ છેછે. જોકે શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર સર્વ શાસ્ત્રના સારરૂપ છે, તેમાં છ પદને બહુ વિસ્તાર છે પણ તે સિદ્ધાંતબંધ સમજવા સદ્ગુરુના ઉપદેશની, સદ્ગુરુ પ્રત્યેની પ્રેમભક્તિ જોઈએ એમ પરમકૃપાળુદેવે કહ્યું છે. તેમ જ સર્વ પ્રકારના સિદ્ધાંતબોધ સમજાવામાં બે પ્રકારની જોગવાઈ જોઈએ છીએ – (૧) જીવની ગ્યતા એટલે વિષયકષાયને ઘટાડવાને અભ્યાસ અને તેમાં અરુચિ– અનાસક્ત ભાવ. (૨) સન્દુરુષને યેગ. આ બે-“જીવન અધિકારીપણાને લીધે તથા પુરુષના ગ વિના સમજાતું નથી.” (૫૦૫) એમ પરમકૃપાળુદેવનું વચન છે. તે બન્ને કારણે ટાળવાની કાળજી, ભાવના રાખી પુરુષાર્થ કરતો રહે તેને સિદ્ધાંત – ભેદજ્ઞાન થવા ગ્ય છે, એમ મહાપુરુષોએ જણાવ્યું છે. હું તે તે સત્પરુષોને અધમાધમ દાસ છું. પ્રથમ પદ આત્મા છે. છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપગી સદા અવિનાશ; મૂળ મારગ સાંભળો જિનને રે’ એ પદને વિસ્તાર મેક્ષમાર્ગપ્રકાશ” નામના હિંદી ગ્રંથમાં વાંચતાં તે વિશેષ વિચારવા અર્થે મારે માટે તે ગુજરાતી પદ્યમાં તે ભાવ જણાવવા પ્રયત્ન કર્યો છે તે તે પરબના પાણીની પેઠે જે પીએ તેની તરસ મટશે. જેમ પરબમાં પાણી ભરનાર પાણી ન પીએ તે ભરનારની પણ તરસ ને મટે. તેમ હું કે તમે જે એ દિશામાં ગ્યતા લાવવા પુરુષાર્થ કરશે તે તેમાં સફળ થશે. કેઈને આશીર્વાદ કે કૃપા ત્યાં કામ આવે તેમ નથી. જીવે પોતે જ જાગવું જોઈશે, અને પિતાની ઓળખાણ કરવાના કામે લાગવું પડશે. તેમ કર્યા વિના અનંત કાળ ગયો તે પણ પિતાને પત્તો લાગ્યો નથી. તે હવે આ મનુષ્યભવ એમ ને એમ જ ન રહે માટે તેની વિશેષ કાળજી, પૂરણું કરવા ગ્ય છે. પરવસ્તુને પિતાની માનવાની અને તે માન્યતાને આધારે પ્રવર્તવાની અનાદિની જીવની ટેવ છે એ જ ભૂલ છે, મિથ્યાત્વ છે. તે ટાળવા અનેક મહાપુરુષે પિકારી પિકારી તે ભૂલથી છૂટવા માટે અનેક રીતે ઉપદેશ આપવાની કૃપા કરી ગયા છે પણ આપણને તેવી ભૂલ લાગશે ત્યારે તે ભૂલ જેવા આંખ ઉઘાડીશું અને ભૂલ દેખાશે તે પછી ભૂલ નહીં રહે. પરમકૃપાળુદેવે ક્ષમાપનાના પ્રથમ વાક્યમાં લખ્યું છે “હે ભગવાન! હું બહુ ભૂલી ગયો.” એટલું જ વાકય ભરત ચક્રવત મહારાજને કેવળજ્ઞાન આપવા સમર્થ થયું હતું. આપણે Page #142 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૧૧૯ રેજ બોલી જઈએ છીએ પણ તે ભૂલ સમજ્યા વગર ભૂલ કર્યા જ જઈએ છીએ અને ભરતજી ભૂલ પકડી ફરી કઈ કાળે ભૂલ ન થાય તેવી દશા પ્રગટ કરી દેશે ચાલ્યા ગયા. માટે સાચા થવાની જરૂર છે. મોક્ષને માર્ગ ખુલે છે તેમ જ સંસારમાર્ગ તે પરિચિત જ છે. જે માર્ગે જઈશું તે તેનું ફળ આપશે જ. પરમકૃપાળુદેવે લખ્યું છે જે થાય તે ભલું માનવામાં આવે.” આ વાકયની શ્રદ્ધા રાખી, તે જે અવસ્થામાં રાખે તેમાં પ્રસન્નતાથી રહેવામાં તે પુરુષની ભક્તિ સમાય છે. માટે મૂંઝાવું નહીં. સ્મરણભક્તિમાં રહી બને તે છોકરાં વગેરેને પણ પરમકૃપાળુદેવ પર ભક્તિભાવ વધે તેમ વાર્તા આદિ દ્વારા જણાવશે. તે ભક્તિમાં જે જોડાશે તે સર્વનું કલ્યાણ થશે તેમ જણાવશે. ૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૧૫ અગાસ, તા. ૨૦–૧૦–૩૭ તત ૐ આસો વદ ૧, બુધ, ૧૯૯૩ આપને વિશેષ અશાતાને ઉદય વર્તે છે તે સમાચાર જાણ્યા. તે હવે ચેતી લેવા ભલામણ છે. પુરુષ સમાન કેઈ આપણા ઉપર પરમ ઉપકાર કરનાર નથી. પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુએ “નરોડા પધારી તે તીર્થક્ષેત્ર બનાવ્યું છે. તેના ઉપકારનો કઈ રીતે બદલે વળે તેમ નથી. તેથી માત્ર મન, વચન, કાયાની એકાગ્રતાથી તેને ચરણનું શરણ ગ્રહી તેમની અલૌકિક આત્મદશા, વીતરાગદશાનું વારંવાર સ્મરણ કરી તેમના ઉત્તમ ગુણે આપણને સાંભળવાના મળ્યા, તે પણ આપણું મહાભાગ્ય ગણવા યોગ્ય છે. જેમણે આત્મા પ્રગટ કરી નિરંતર આત્મામાં રહી કર્મને ઘણું કાઢી નાખે તે મહાપુરુષનું અવલંબન, તેને આશ્રય મરણની છેલ્લી પળ પર્યત ટકાવી રાખવા ગ્ય છે. પત્રાંક ૬૨ અને ૮૪૩ કઈ પાસે વંચાવી સાંભળ્યા કરશોજી. દેહની ચિંતા રાખવા યોગ્ય નથી. દેહને તે પરમકૃપાળુદેવે વેદનાની મૂર્તિ કહી છે તે સત્ય છે. શાતા કે અશાતા બને વેદના છે. તે સિવાય ત્રીજી વસ્તુ દેહ આપી શકે તેમ નથી. માટે દેહની દરકાર રાખીએ છીએ તેના કરતાં દેહમાં રહેનાર જે ચેતન જાણનાર તત્વ છે તેની સંભાળ લેવી ઘટે છે. ઘર બહુ બળી જવા આવ્યું હોય ત્યારે જેમ ઘરમાંથી રન, જણસે કે ચેપડા કાઢી લઈ પછી ઓલાય તેમ ન હોય ને બળવાનું હોય તે બળી જવા દે છે, તેમ સમ્યક દર્શન એટલે જ્ઞાનીએ જે છે તેવા શુદ્ધ આત્માની શ્રદ્ધા, તેનું જ્ઞાન અને તેમાં રમણતારૂપ ચારિત્રની ભાવના રાખી બીજી બધી ચિંતાઓ તજી દેવાયેગ્ય છે. થડા દિવસ પછી બળવાનું છે તેને બદલે જાણે અત્યારથી મરી ગયા છીએ એમ માની હવે જેટલી ક્ષણ મળી છે તે મફતિયા છે, માત્ર પુરુષે આપેલા મંત્રમાં ચિત્ત રાખવા માટે છે, એમ ગણી મંત્રમાં બહુ ભાવ રાખશે. “ધિંગ ધણી માથે કિયા રે, કુણું ગંજે નર બેટ, વિમલજન દીઠાં લેણુ આજ.” પરમકૃપાળુદેવ જેવા ધણી જેને માથે છે, તેને કશે ભય નથી. ગભરાવું નહીં, આત્મા મરવાને નથી. તા. ક. : વૃદ્ધ, માંદા વગેરેની સેવાથી વૈરાગ્ય અને બ્રહ્મચર્યની વૃદ્ધિ થાય છે. આપણે પણ ચેતી લેવા જેવું છે. લીધે કે લેશે એમ થઈ રહ્યું છે તે પ્રમાદ કર્તવ્ય નથી. પ્રમાદમાં Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ મેધામૃત તા અનંત કાળ ગયા પણ કાંઈ વળ્યું નહીં એમ ગણી ભાવ વધતા રાખવા ભલામણ છેજી. ભક્તિમાં ભાવ રહે તેમ પ્રવર્તેવા યાગ્ય છેજી. ઇંદ્રિય જીતવા સ્વાદના ત્યાગ તરફ્ વૃત્તિ રાખવી. બહુ ભાવતું હાય તે અણુભાવતું કરી લેવું. ૐ શાંતિ: શાંતિ: શાંતિ: ૧૧૬ તત્ સત્ દાહા – ક્ષયપશ્ચમ સત્પુરુષને, શરણે હૈ। સુખરૂપ; સંતચરણુ ચુકાય ત્યાં, સુખાભાસ દુઃખ-કૂપ. મારગર્દેશક મેાક્ષને રે, કેવળ જ્ઞાન નિધાન; ભાવદયા સાગર પ્રભુ રે, પર ઉપકારી પ્રધાન રે; વીર પ્રભુ સિદ્ધ થયા, સંઘ સકળ આધાર રે, અગાસ, તા. ૨–૧૧–૩૦ દીપોત્સવી પર્વ, મંગળ, ૧૯૯૩ હવે ઋણુ ભરતમાં, કાણુ કરશે ઉપગારા રે? વીર પ્રભુ॰” વિ. આપના પત્રો તથા બીજા પત્રાનાં એ મંડલ, સમાધિશતક’શ્રી યશેાવિજયજીનું પ્રાપ્ત થયેલ છે. શાસ્ત્ર ઉત્તમ છે. ઉત્તમ મુમુક્ષુને યાગ્ય તેમાં ઉત્તમ ગહન વાતા છે. આખું જગત પરકથા અને પરવૃત્તિમાં વહ્યું જાય છે એમ પરમકૃપાળુદેવે જણાવ્યું છે તે વિચારી આપણે મુમુક્ષુતા વર્ધમાન કરી આપણું કલ્યાણુ તે પરમપુરુષની ભક્તિથી કરી લેવું ઘટે છે. ખાઘષ્ટિ સમાન કેાઈ શત્રુ નથી. તે પલટાય નહીં ત્યાં સુધી જંપીને બેસવા જેવું પણ નથી. પર્યાયષ્ટિ ન દીજીએ, એક જ કનક અભંગ રે; દર્શન જ્ઞાન ચરણ થકી, અલખ સ્વરૂપ અનેક રે, નિર્વિકલ્પ રસ પીજીએ, શુદ્ધ નિરંજન એક રે. ધર્મ પરમ અરનાથના, કેમ જાણું ભગવંત ૨?” —શ્રી આનંદધનજી એક ઉપર આવેા, એક ઉપર આવે” એમ ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રી વારંવાર ઉપદેશ દેતા. ત્યાં વાદવિવાક સર્વે છૂટી જાય ને શાંતિ અનુભવાય. તે દષ્ટિ છૂટી જાય ત્યાં ફ્લેશ, કુસંપ, મારું, તારું આખું જગત ઊભું થાય. માટે મુમુક્ષુએ તા હાથી પાછળ કૂતરાં ભસે ને હાથી તે તરફ જુએ પણુ નહીં તેવી ગંભીરતા રાખી દીઠે રસ્તે દોડ્યા જવા જેવું છે. આડુંઅવળું જોવામાં માલ નથી એમ સમજાય છે, તે નાના બાળકની પેઠે આપ જેવા વડીલની આગળ સરળતાથી જણાવું છું. “કાંઈ નથી, રાખનાં પડીકાં ફેંકી દેવા જેવાં હાય તેમાં શું ચિત્ત દેવું?” એમ પ. પૂ. પ્રભુશ્રીજી જણાવતા હતા. તે હૃદયમાં રાખી જો શાંતિપદની ઈચ્છાથી જે જે સાધના હિતકારી લાગે તે ગ્રહતા જઈશું, તે તેનું બિરુદ તરણતારણુનું છે તે આપણને તાર્યાં વિના નહીં રહે એટલી શ્રદ્ધા જ કર્તવ્ય છે. કયાંય ફાંફાં મારવા હવે જવા જેવું નથી. શ્રી શીતળજિન ભેટીએ, કરી ભક્તે ચાખ્યું ચિત્ત હા; તેહથી કહા છાનું કમ્યું? જેહને સોંપ્યાં તન મન વિત્ત હા. Page #144 -------------------------------------------------------------------------- ________________ . ૫ગસુધા ૧૨૧ દાયક નામે છે ઘણા, પણ તું સાયર તે કૃપા હે; તે બહુ ખજવા તગતગે, તું દિનકર તેજસ્વરૂપ છે. શ્રી શીતળ” ખામી આપણા પુરુષાર્થની છે, નહીં તે પ. પૂ. પ્રભુશ્રી તે કહેતા હતા કે સ્મરણમંત્ર આપે છે તે આત્મા જ આપે છે. વિશ્વાસ અને પુરુષાર્થ વધારવાની જરૂર છે. તે ખામી પૂરી થયે કોઈને પૂછવા નહીં જવું પડે. વૃત્તિ બાહ્ય ફરે છે તે વાળી કેવળ અંતર્મુખ થવાને જ્ઞાનીને માર્ગ હવે તો ઉપાસી સમાધિમરણની ભાવના વધતી રહે તેમ દરરોજ મરણને સંભારી વૈરાગ્ય ભક્તિની વૃદ્ધિ કરવાનું ચૂકવું નહીં. સુજ્ઞને વિશેષ શું જણાવવું? ૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૧૭ અગાસ, કાર્તિક વદ ૦)), ગુરુ, ૧૯૯૪ આતમસાખે ધર્મ જે, તિહાં જનનું શું કામ? જનમનરંજન ધર્મનું, મૂલ ન એક બદામ. દૂર રહીને વિષયથી, કીજે શ્રુત અભ્યાસ; સંગતિ કીજે સંતની, હુઈએ તેહના દાસ.” –શ્રી યશોવિજયજી પરમકૃપાળુદેવનાં વચને હવે આપણું સર્વને પરમ ઉપકારી અને માર્ગદર્શક છે. તે પ્રત્યે જેટલી ચિત્તની વૃત્તિ વિશેષ તન્મય થશે, તેટલે આનંદ અને જાગૃતિ મળતાં રહેશે એ તે નિઃસંશય છે. ઉપકારી પુરુષના ઉપકારની વિશેષ સ્મૃતિ આપણને તેના આશયમાં પ્રવર્તાવે એ પ્રાર્થના છે. ૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૧૮ અગાસ, તા. ૧૮-૧૨-૩૭ દોડ દવા કરવા કરું, ઢીલ ધર્મમાં થાય,. મહા મેહ મુઝવે મને, સ્વામી કરે સહાય.” – દેવદર્શન ભક્તિનાં નિમિત્તો બનતે વિશેષ લાભ લેવાથી ભાવ જાગ્રત થવાનું તે ઉત્તમ નિમિત્ત છે. બાકી તે જેટલી જીવમાં આત્મકલ્યાણ કરવાની ભાવના જાગી હશે તેટલે પુરુષાર્થ તે કલ્યાણ સાધવા જીવ વગર કો ક્યાં હશે ત્યાં ગમે તે પ્રકારની મુશ્કેલીઓ વેઠીને પણ કરતે રહેશે. સત્સંગના અભાવે કલ્યાણ કરવાની વૃત્તિ મળી પડવા સંભવ છે કારણ કે અનાદિકાળને બાહ્ય દેહાદિકના સુખદુઃખમાં ગૂંચાઈ રહેવાને જીવને અભ્યાસ છે તે પાછા જીવને તેવાં નિમિત્તો મળતાં ઘેરી લે છે, માટે પુરુષના વિયેગમાં સત્પરુષે અનંત કૃપા કરી દર્શાવેલા આત્મકલ્યાણના સાધનરૂપ તેની આજ્ઞામાં કે તેનાં વચનેમાં વૃત્તિ રાખી તેને માટે પુરુષાર્થ કરવાનો નિયમ રાખે તે વિપરીત પ્રસંગોમાંથી બચી જવાય, ભાવના વર્ધમાન થાય અને ઉત્તમ નિમિત્તોમાં જોડાવાનું બળ મળે અને આત્મવીર્ય કંઈક ફેરવી જીવ આગળ આવે. “કર્યા વગર કંઈ નહીં થાય, કરવું પડશે” એમ ૫. ઉ. ૫. પૂ. પ્રભુત્રીજી વારંવાર કહેતા હતા. તે સ્મૃતિમાં લાવી આત્મહિત માટે પુરુષાર્થ કરવાનું બળ વધારતા રહેશે. કંઈ ન બને તે પણ ભાવ તે તે જ કરવાને રાખવાડ્યુ છે અને તે સિવાય જે જે હું કરું છું તે Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ બોધામૃત છૂટવાનું કારણ નથી, મને બંધનરૂપ છે એમ વિચારી તેમાંથી આસક્તિ, રુચિ ઘટાડી વૈરાગ્યવાળી વૃત્તિ રાખવાને અભ્યાસ કરતાં જે કરવાગ્ય છે તે થતું જશે. બીજાના દેષ ન દેખતાં પિતાના દેષ દેખી તે દૂર કરવા તત્પર થવું ઘટે છે. સત્પરુષને વેગ આ ભવમાં મહાપુણ્યને યેગે થઈ ગયે તે તે વડે આ ભવ સફળ કરી લે. ૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૧૯ અગાસ, તા. ૧૬-૨-૩૮ રાજ સમર તું રાજ સમર તું, રાજ હૃદયમાં રાખીને; માથા ઉપર મરણ ભમે છે, કાળ રહ્યો છે તાકીને. ધર્મધ્યાનમાં વિશેષ કાળ જાય તેમ કાળજી રાખવા ભલામણ છેજી. રાજકાજની વાતે, ગાનતાન અને માજશેખમાં અમૂલ્ય મનુષ્યભવ વહ્યો ન જાય તે બહુ સંભાળવાની જરૂર છે. પરમકૃપાળુદેવે લખ્યું છે તેમ આખું જગત પરકથા અને પરવૃત્તિમાં વહ્યું જાય છે, તે મુંબઈમાં તાદશ જણાઈ આવે છે. એ હોળીમાં આપણે ઝંપલાઈ જઈએ નહીં તેની કાળજી વારંવાર પ્રસંગે પ્રસંગે અનેક વખતે યાદ રાખી સ્મરણ, ભક્તિ, વૈરાગ્યમાં વૃત્તિ વાળવા ગ્ય છે. - ૧૦૦ અગાસ, તા ૨૨-૨-૧૮ તત્ ૐ સત્ મહા વદ ૮, મંગળ, ૧૯૯૪ બરેના કહા વિચારકે, હસના કહા વિચાર; ગયે સે આવનકે નહીં, રહે સે જાવનહાર.” વિ. આપનું કાર્ડ મળ્યું. આપના પિતાના દેહત્યાગના સમાચાર જાણ્યા. તમે બનતી સદ્દગુરુની સ્મૃતિ આપવા જે પ્રયત્ન કર્યો તેથી તમને અને તેમને બન્નેને લાભનું કારણ છે. મરણ અચાનક આવી ઉપાડી જાય છે એ જાણું ભય કે શેક કરવા ગ્ય નથી, પણ ચેતવા જેવું છે. વૈરાગ્યનાં નિમિત્તો નજરે જેવા છતાં જીવ જાગતું નથી, એ મેહનું જોર છે. મનુષ્યભવ વિશેષ ટક્યો હોત તે વૃદ્ધાવસ્થા કે વેદના ભેગવતાં પણ સદ્ગુરુની આજ્ઞા ઉપાસી ધર્મમાં દઢ થવાને વેગ બનત. તે પેગ તેમને છૂટી ગયે એ ખેદનું કારણ છે. આમ એક દિવસે આપણે સર્વેને ચાલી જવાનું છે એમ વિચારી દેહ ઉપરને મેહ, ધન ઉપરને મેહ તજી સગાંસંબંધી, કુટુંબ, ઘર, ખેતર, કપડાં, ઘરેણું સર્વને સંબંધ અનિત્ય અને પર જાણ તેને અર્થે પાપ કરતાં અટકવું ઘટે છે. સદ્દગુરુને ભેગા થયે છે, બધ સાંભળે છે, તેમની આજ્ઞા, સ્મરણ વગેરે પ્રાપ્ત થયેલ છે એવા જી વિશેષ કાળ આત્મહિત થાય તેમ ગાળવા નિશ્ચય કરી તે પ્રમાણે પ્રવર્તવા પુરુષાર્થ કર્તવ્ય છે. નાશવંત વસ્તુ પ્રાપ્ત કરવામાં ખોટી થવું પડે છે તે વિષેને ખેદ રાખી જતા દિવસમાંથી દરરોજ આત્મકલ્યાણ અર્થે અમુક કાળ ગાળવાને દઢ નિશ્ચય મુમુક્ષુને કર્તવ્ય છે. ઉપાધિના પ્રસંગમાં પણ સદ્દગુરુની આજ્ઞાએ કલ્યાણ છે તે વાત જે ભૂલતું નથી તે મુમુક્ષુ નિવૃત્તિના વખતને સદુપયોગ કરી શકે છે. માટે આત્મકલ્યાણ કરવાની જિજ્ઞાસા, વૃત્તિ વર્ધમાન કરતા રહેવા વિનંતી છે. પોતાને અને પરને વખત ધર્મધ્યાનમાં જાય તેવાં નિમિત્તે વિચારવાનો મેળવે છે. 8 શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #146 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૧૨૩ ૧૨૧ અગોસ, તા. ૮-૩-૩૮ “સુખધામ અનંત સુસંત ચહી, દિનરાત્ર રહે તદ્દધ્યાન મહીં, પરશાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે વર તે જય તે.” (લ્પ) આપને પત્ર તથા સુધર્મધ્યાનપ્રદીપ પુસ્તક મળેલ છે. પુસ્તક વાંચવું મેં શરૂ કર્યું છે. જરૂર હશે તે અહીં સંસ્કૃતનો અભ્યાસ કરનારા માટે ૪-૫ નકલે મંગાવી લૂઈશું. સાપુરુષની પિછાન, પ્રતીતિ અને તેના પ્રત્યે જેને પ્રેમભાવ પ્રગટ્યો છે તેને પ્રાયે સર્વે પુસ્તકો સવળાં થઈ પડે છે. તે પુરુષે કહેલાં વચને દઢ થવાનું તે નિમિત્ત બને છે. સર્વ શાસ્ત્ર સપુરુષના વચનની સાક્ષી પૂરે છે. પરમકૃપાળુદેવે લખ્યું છે કે “સપુરુષના એક એક વાકયમાં, એક એક શબ્દમાં અનંત આગમ રહ્યાં છે એ વાત કેમ હશે? નીચેનાં વાકયો પ્રત્યેક મુમુક્ષુએને મેં અસંખ્ય પુરુષની સમ્મતિથી મંગળરૂપ માન્યાં છે, મોક્ષનાં સર્વોત્તમ કારણરૂપ માન્યાં છે.” (૧૬૬) એ પુરુષને પરમ ઉપકાર સર્વોપરી રાખી તેનાં વચને વિશેષ સમજવા અમે કંઈ વાંચીએ, વિચારીએ તે આત્માર્થે જ છે. આ આપના પત્રના ઉત્તર રૂપે ટૂંકામાં લખ્યું છે તે સર્વ મુમુક્ષુજને વિચારશોજી. ૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૨૨ અગાસ, તા. ૧૫-૩-૩૮ તત ૩% સત ફાગણ સુદ ૧૪, ૧૯૯૪ આપને પત્ર મળે. ધામણ જવાનું બન્યું નથી એટલે આઠ-દસ દિવસ આહાર તરફ હવાફેર કરવા વિચાર થાય છે. પણ નીચેની બાબત તરફ આ૫નું લક્ષ ખેંચવાની જરૂર છે. જે તે પ્રમાણે વર્તાય તે મને અને આપ સર્વેને ચિત્ત પ્રસન્નતાનું કારણ છે; હિતનું કારણ છે. એક તે સામૈયું કે કશી ધમાલ ન કરતાં મુમુક્ષુ મુમુક્ષુને ઘેર જાય તે પ્રકારનું વર્તન મને પસંદ છે અને એ જ યોગ્ય છે. પ્રતિષ્ઠા કે પ્રભાવનાને પ્રસંગ હોવાથી પહેલાં કશું તમને કહેલું નહીં. પણ હવે તે જેમ તમે અહીં આવો છે તેમ જ હું ત્યાં આવું છું, એ લક્ષ રાખી, હું તમને પ્રણામ ઊભો ઊભો કરું છું, સર્વ પરસ્પર મુમુક્ષુઓ અહીં વર્તીએ છીએ તેમ હાથ જોડી સામસામી વિનયની પદ્ધતિ રહે તે એ પ્રણાલિકા ઉચિત અને હિતકર ગણાય. એટલે અહીં આશ્રમમાં જેમ ચાલે છે તેમ ત્યાં વિનયવ્યવહાર રાખવા વિનંતી છે. તે સર્વ ભાઈઓને તેમ જ ખાસ કરીને મુમુક્ષુ બહેનેને પણ સમજાવી જણાવવા વિનંતી છે.જી. બીજું કંઈ પણ આશ્રમ ખાતે કે સમાધિ ખાતે કેઈને આપવા ઈચ્છા હોય તે પૂ. . . ને આપે, તે તે અહીં મોકલાવી દેશે, પણ મારા આગળ કઈ ન મૂકે એ સૂચના બધાને જણાવશે. તમે ઘણાખરા તે તે જાણે છે અને પ. પૂ. પ્રભુશ્રીજીએ તેમના આગળ જેમ પૈસા મુકાતા તેમ કઈ મુનિ વગેરે આગળ નહીં મૂકવા સૂચના કરેલ છે. આટલી વાત લક્ષમાં રહેશે તે ફરી કદી એ બાજુ આવવા વિચાર થાય તે સંકેચ મનમાં ન રહે, તે માટે લખી જણાવ્યું છે). એક પરમકૃપાળુ દેવ પ્રત્યે જેટલી ભક્તિ થશે તેટલી આત્મહિતકારી છે અને તે જ કરવા પ. પૂ. પ્રભુશ્રીજીએ આપણને અનેક વાર પૂનાથી શરૂ કરીને કહેલ છે, તે લક્ષ રાખી એકને ભજ્યાથી સર્વ સિદ્ધ અને વર્તમાન અરિહંત આદિની પણ ભક્તિ થાય છે એમ આપણે સાંભળ્યું છે, તે વાત સર્વને સમજાવવા વિનંતી છે જી. ૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #147 -------------------------------------------------------------------------- ________________ બધામૃત ૧૨૪ ' ૧૨૩ અગાસ, તા. ૧૯-૩-૩૮ . સંસારમાં જેની સાથે જીવને પ્રતિબંધ પૂર્વને હોય છે તેની સાથે સંબંધ થાય છે અને જે સંગમાં આપણે મુકાયા હોઈએ તે અંગેનું વિચારીને કષાય કર્યા વિના વતીએ તે તે સંબંધ ભગવાઈ રહે છૂટ થઈ જવાને છે. પરંતુ જે રાગ કે દ્વેષમાં તણાઈ જઈ કંટાળી જઈ તે તેડી નાખવા જતાં વેર બંધાઈ જાય કે ગાઢ પ્રતિબંધ થઈ જાય તે ફરી તેવા છે સાથે ભવ કરવું પડે. એ બહુ વિચારવા જેવું છે. જગતમાં સર્વને વિનય કરી છૂટવું તેમાં આપણને નુકસાન નથી. અંતરંગ ભાવ એ રાખો કે, હે ભગવાન! કંઈ કાળે ફરી આવા પ્રસંગે પ્રાપ્ત ન થાઓ, આ દેવું વહેલું પતી જાઓ, મારે કઈ પ્રત્યે ઠેષ કર નથી, થયો હોય તે છૂટી જાઓ, સર્વ જી મારા મિત્ર છે; અત્યારે મારા પાપના ઉદયથી મને તે અનુકૂળ જણાતા નથી તે પણ તે સર્વે જીવનું કલ્યાણ થાઓ, તે પુરુષના માર્ગને પામે અને મારા પહેલાં ભલે મોક્ષે જાય, મને વિઘકર્તા કેઈ નથી, મારા ભાવ બગડે તે મને નુકસાન છે, ગમે તેવા કઠણ પ્રસંગેમાં હે ભગવાન! મારા ભાવ તમારા પ્રત્યેથી ખસીને બીજા અને શત્રમિત્ર માનવામાં ન વળી એવી ભાવના રોજ ભાવવા ગ્ય છે. આપણને સારું લાગતું હોય તે પણ પૂર્વના આપણું પુણ્યને ઉદય છે અને આપણને અણગમે થાય તેવું કેઈનું વર્તન હોય તે તે આપણું પાપને ઉદય છે, પણ કોઈ જીવને વાંક નથી. આટલે લક્ષ દઢ રાખી જેના જેના ઉપકાર નીચે આ ભવમાં આવ્યા હોઈએ તેમની સેવા, ભક્તિ થાય તેવી કરવી. ખાસ કરીને માબાપ પ્રત્યે તે કદી ક્રૂરદષ્ટિ ન રાખવી. વિનયથી તેમને રાજી રાખવાં, અને આપણા સંબંધી તેમને હલકે અભિપ્રાય હાય, ગાંડિયે ગણતા હોય તે પણ તેમનું હિત આપણે ન ચૂકવું. લૌકિક બાબતમાં તેમને નમ્યું આપવું, તેમને અભિપ્રાય આપણને દુઃખદ લાગતું હોય તે પણ સહન કરી લેવું પણું ભક્તિભાવ ન છેડો. ઉછાંછળાં ન બની જવું એ જ ભલામણ છેo. “જ્ઞાન ગરીબી ગુરુ વચન, નરમ વચન નિર્દોષ, ઈનકું કભી ન છાંડિયે, શ્રદ્ધા શલ સંતેષ.” તા. ક. – ધામણના મંદિર માટે રૂ. ૫૦૦૦/- આશરે ભરાયા છે. ભક્તિભાવ કરવા માટે, કષાયને નાશ કરવા માટે એ પ્રયત્ન છે. તે નિમિત્તે કષાયની વૃદ્ધિ ન થાય તેટલું દરેકે સાચવવું ઘટે છે. ધર્મભાવના વધે તે સારું, પણ ઝેર વધવાં ન જોઈએ, aઝ શાંતિઃ | ૧૨૪ અમદાવાદ, તા ૨૯-૩-૩૮ તત ૩% સત ફાગણ વદ ૧૩, મંગળ, ૧૯૯૪ સ્વખરૂપ સંસારમાં, રચી પચી મન મુંઝાય; જાગ્રત કરી નિર્મળ કરે, દષ્ટિ મુજ ગુરુરાય. (વૃદોષદર્શન) આ કાળમાં ભક્તિ, સત્સંગ આદિ આત્મહિતના પ્રસંગો મળવા દુર્લભ છે. શારીરિક અનુકૂળતાએ અને મેહનાં કારણે મળવા મુશ્કેલ નથી. પણ વૈરાગ્યના કામમાં વિન્ન ઘણું એમ કહેવત કહેવાય છે તે આ કાળમાં તે પ્રત્યક્ષ જણાય છે. તેમ છતાં તેને માટે જેને Page #148 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૧૨૫ રુચિ જાગી છે તેને વહેલે મોડે તે પ્રાપ્ત થઈ શકે છે. માટે તેવા યુગની ભાવના વર્ધમાન કરતા રહેવા વિનંતી છે. સંસારના પ્રસંગને ઘેરે પૂર્વ કર્મને લઈને વગર ઈચ્છાએ આવી પડે તે પણ સદ્ગુરુને સમાગમ આ ભવમાં પૂર્વપુણ્યના બળે થઈ ગયું છે, તેની સ્મૃતિ તાજી રાખી, તેમણે આપેલા અમૂલ્ય સ્મરણની સહાયતાથી વૈરાગ્ય સહિત તેવા પ્રસંગમાં વર્તવાને પુરુષાર્થ કર્તવ્ય છે. પાણીમાં તરનારને મગરનો ભય રહે છે, વનમાં વિચરનારને વરુ, વાઘ, સિંહને ભય રહે છે, આકાશમાં વિમાન દ્વારા ઊડનારને અકસ્માતને ભય રહે છે તેમ સંસારના પ્રસંગમાં પ્રવર્તતાં મોહ, માન, અહંભાવ, મમત્વભાવ આદિ અનાદિ શત્રુઓને ભય સદા રહે છે. છતાં સદ્ગુરુનું શરણ અને ભવને ત્રાસ તથા અનંત કાળનાં કર્મ કાપવાની સાચી જિજ્ઞાસા જેટલે અંશે જાગી હશે તેટલે અંશે તેને કર્મબંધનાં કારણે ભય અને સદ્દગુરુની સ્મૃતિ, શરણ ભાવ વડે બચવાની આશા રહ્યા કરશે. પરિષહ ઉપસર્ગોની વૃષ્ટિ જેમ ભગવાનને રાતદિવસ ભજતા મુનિઓ ઉપર આવેલી શાસ્ત્રમાં સાંભળી છે, તેમ જ સુશ્રાવકેની કેસેટી પણ થઈ છે, તે આ કાળમાં તે વિકટ પંથે વિચરનાર આપણા જેવા હીનપુણ્યવાળાં પ્રાણીઓ ઉપર કઠણાઈ ન આવે તે કેમ બને? પરમકૃપાળુદેવે પૂ. સેભાગભાઈને એક પત્રમાં જણાવ્યું છે કે તમને કુટુંબ પ્રત્યે નેહ વર્તે છે તે દૂર કરાવવા આવી કઠણાઈ અમે ચાહીને મોકલી છે. તેમ જેની સાચી ભક્તિ હશે તેની પરીક્ષા અર્થે સંકટેરૂપી કસોટી ભગવાન ખડી કરે છે. પ્રતિકૂળ પ્રસંગે તે ઘણું સહન કરે છે, ભગવાનના ઉપકારનું સ્મરણ તે પ્રસંગે રહેવાથી ઉદ્વેગ થતો નથી, આંખો મીંચી આવેલું દુઃખ સહન કરાય છે; પણ અનુકૂળ ઉપસર્ગોમાં ભગવાન ન ભુલાય તે ભક્તિ સાચી બળવાળી ગણાય. પૈસા વેપારમાં વધતા જતા હોય, કુટુંબમાં સર્વ સુખી હોય, આજ્ઞાકારી હોય, લેકેમાં કીર્તિ વધતી જતી હોય, કામધંધે કરી શકે તેવું શરીર મજબૂત રહેતું હોય તેવે પ્રસંગે – વિવાહ આદિના પ્રસંગમાં પણ સદ્ગુરુના ઉપદેશનો રણકાર કાનમાં રહ્યા કરે, બધું નાશવંત જણાય, માથે મરણ છે તેને ડર ન ભુલાય અને ભક્તિભાવના વર્ધમાન રહ્યા કરે એવા કેઈક વિરલા હોય છે. આપણે માથે બન્ને પ્રકારના પ્રસંગે આવી ગયા હશે અથવા આવવા સંભવ છે, પણ તે વખતે ધર્મભાવનામાં હાનિ ન આવે તે કાળજી કોને કેટલી રહે છે તે દરેકે જોવાનું છે. છૂટવાની ખરી જિજ્ઞાસા કે મુમુક્ષુતા જેટલી પ્રગટી હશે તેટલે પુરુષાર્થ ધર્મ અર્થે ત્યાં થતું રહેશે. સમાધિમરણની સર્વને ઈચ્છા છે પણ તેને અર્થે પુરુષાર્થ કરતા રહીએ અને જે જે અનુકૂળ-પ્રતિકૂળ વિઘો વેઠવાનાં આવે છે તે પ્રસંગે મેહમાં ન તણુઈ જઈએ તેટલી સમાધિમરણની જ તૈયારી થાય છે. આપ તે બધા સમજુ છે. સદ્દગુરુને સમાગમ, સદુધ અને તેમની સેવાનો લાભ પણ પામ્યા છે, પણ એક અપ્રસિદ્ધ પરમકૃપાળુદેવને લેખ અત્રે પૂ. શેઠજી દ્વારા વાંચવા મળે તેમાં પરમકૃપાળુદેવે અનુકૂળ-પ્રતિકૂળ પરિષહોનું સુંદર વર્ણન કર્યું છે, તે ઉપરથી યત્કિંચિત્ વિચારમાં આવ્યાથી આપને લખી જણાવવાની વાચાળતા કરી છે. ઠીક લાગે તે ગ્રહણ કરી તેવા પ્રસંગે માં ધીરજ રાખવા ભલામણ છે. Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ બેધામૃત | સર્વ ભાઈએ એકઠા થાઓ ત્યારે યથાશક્તિ વાંચવું વિચારવું કરવાને મહાવરો રાખતા હશે. એમ કરતાં કરતાં જ રુચિ બળવાન થાય છે. પરમકૃપાળુદેવનાં વચને આ કાળમાં તે અમૃતની વૃષ્ટિ સમાન છે. બીજાં પુસ્તકે જોઈએ છીએ ત્યારે તેની ગહનતા અને પરમ ઉપકાર વારંવાર તરી આવે છે. બીજું કંઈ વિવેચન ન થાય તે પણ તેના તે જ શબ્દ વારંવાર બોલાશે, સંભળાશે તેપણું જીભ મળી છે તે લેખે આવશે, કાન પાવન થશે. વિશેષ શું લખવું? આપણું જીવન એમના વચનના આશયે પ્રવર્તે એ જ ભાવના કર્તવ્ય છે”. જેટલું સમજાય તેટલી તેની કૃપા છે અને નહીં સમજાતું હોય તે તેની કૃપા થયે સમજાશે એટલે વિશ્વાસ ટકાવી રાખવા યોગ્ય છેજી. ૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૨૦૪-૩૮ લાખ બાતકી બાત યહ, તેકું દેય બતાય, પરમાતમ પદ જે ચહે, રાગ દ્વેષ તજ, ભાય.” (શ્રી ચિદાનંદજી) તમારો કાગળ મળે. વાંચી આપના ભાવ આત્મહિત અર્થે વધતા જતા જણાયા. પરંતુ એક વાત સૂચનારૂપે આપને જણાવવા યોગ્ય લાગી છે તે જણાવું છું કે તમે જે શુભ ભાવનાએ મારા પ્રત્યે પ્રાર્થનારૂપે જણાવી છે તે પરમકૃપાળુદેવ પ્રત્યે નિરંતર કરતા રહેવા ગ્ય છે. એ પરમપુરુષનું યોગબળ આપનું અને અમારું સર્વનું કલ્યાણ કરવા સમર્થ છે. હું તે અ૫ પામર જીવ છું. પાતળી સેટી ઉપર ભાર મુકવાથી તે ભાંગી જાય અને ભાર મકનારને પણ નુકસાન થાય; તેમ આપણી શ્રદ્ધા, ભાવના, પ્રાર્થના પરમકૃપાળુદેવ પ્રત્યે રહે તે જ ઈચ્છવા ગ્ય, કરવા યોગ્ય છે. તેને બદલે મને મોટો ભા બનાવે તેમાં મને અહંકારના ભારે ભાગી જવાને ભય છે અને તમને કંઈ હિત નહીં થતાં મિથ્યા ક્રાંતિમાં રહેવારૂપ નકસાન થવાને સંભવ છે. માટે આપને ચેતવણીરૂપે આ સૂચના આપી છે તે લક્ષ્યમાં લઈ તે પત્રમાં જણાવેલી સુંદર ભાવના તે પરમપુરુષ ઈષ્ટદેવ, પરમકૃપાળુ પરમાત્મા પ્રત્યે કરતા રહેવા વિનંતી છે. તેમાં આપણું સર્વનું હિત છે. દુઃખના પ્રસંગે જેમ દવા લઈએ, ચરી પાળીએ અને અપથ્ય આહાર તજી દઈએ છીએ, તેમ જે દુઃખ ગયા પછી વર્તાય તે માંદગીના ઓછા પ્રસંગ આવવાને સંભવ છે. તેમ જે માંદગીમાં ત્યાગ, વૈરાગ્ય, ભક્તિ અને દીનતા તથા પરમાર્થ સંબંધી જે વિચારે આવે છે તે માંદગી ગયા પછી ટકી રહે તે જીવનું હિત થવામાં વધારે કાળ ન લાગે, પણ શરીર સુધરતાં વિચારે પણ પલટાઈ જાય છે, મરણને ડર રહેતું નથી, વર્ધમાન થયેલી ભાવનાઓ ઓસરી જાય છે. પણ જેને કલ્યાણ કરવું છે તે જ તે પ્રસંગ અને તેવી ભાવનાએને યાદ કરે છે અને મરણને સમીપ જ સમજીને આત્મહિતને અર્થે વિશેષ પુરુષાર્થ કરતા રહે છે. જે જે દુખે સંસારમાં અનુભવાય છે તે મન, વચન, કાયાની મદદથી અનુભવાય છે. પણ મોક્ષમાં મનવચનકાયા નહીં હોવાથી તે દુઃખમાંથી કઈ દુખ ત્યાં મેક્ષમાં) નથી. ખરહિત દશા જ્ઞાની પુરુષેએ જાણી, તેને માટે પુરુષાર્થ કરી, તે પ્રાપ્ત કરી ત્યાંથી પાછા કર્યા નહીં, તે અનંત સુખ જ્ઞાનીની શ્રદ્ધાથી હાલ તે માન્ય કરવા ગ્યા છે. જ્ઞાનીઓ કહે Page #150 -------------------------------------------------------------------------- ________________ ૫ત્રસુધા ૧૨૭ છે કે તમને વિશેષ ખાતરી કરવી હોય તે રાગદ્વૈષ મૂકી તેને જાતે અનુભવ કરી જુઓ. જેટલે અંશે રાગદ્વેષ છૂટશે તેટલે અંશે શાંતિ અનુભવાશે, પર વસ્તુની તુચ્છતા ભાસશે અને આત્માની અપાર શક્તિનું ભાન થશે, પણ રાગદ્વેષ જાય તે. 8 શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૨૬ અગાસ, તા. ૨૬-૪-૩૮ “સર્વને ધર્મ સુશર્ણ જાણ, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી; અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કેઈ ન બાંહ્ય સહાશે.” અહીંથી કંકેત્રિીઓ મોકલી તે મળી હશે. તા. ૭–૮–૯ વૈશાખ સુદ ૮, ૯, ૧૦ એ ત્રણ દિવસ ઉત્સવના છે. તે દિવસોએ ભક્તિભાવના થશે. આવા દિવસે ફરી ફરી આવતા નથી. ક્ષણિક આયુષ્યમાં આવા પ્રસંગેને લાભ લેવાને અવસર આવે તે લઈ લે ગ્ય છે. દેવે પણ તેવા ઉત્સવોની રાહ જોઈ દેવલોકનાં સુખ છોડી તીર્થંકર આદિના કલ્યાણકમાં ઉલ્લાસથી જાય છે. જેમને દેહ છૂટી ગયે તેમનાથી હવે તે લાભ લેવાનું બને તેવું છે? માટે જેમ બને તેમ કામધંધા આઘાપાછા કરી તેવા પ્રસંગે ચૂકવું નહીં એમ મુમુક્ષુવર્ગને કાને વાત નાખવાથી સ્વ-પરને હિતનું કારણ છે. એ જ વિનંતી. ૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૨૭ અગાસ, તા. ૨૭-૪-૩૮ “લાખ બાતકી બાત યહ, નિશ્ચય ઉર લાવે; તોડ સકલ જગ વંદ્વ ફંદ, નિજ આતમ ધ્યા.” – ઢાલા (દેલતરામ9). આપે પત્રમાં જણાવ્યું તેમ સહનશીલતા જીવને શાંતિ આપનાર છે, એમાં સંશય નથી. પ્રતિકુળ સંયોગો તેમ જ અનુકુળ સંગમાં તે ટકી રહે તે નકામી આત્મશક્તિને વ્યય ન થવા દેતાં આત્મવીર્યને વધારનાર થાય છે. માંદગીમાં જેમ ખેરાક સંબંધી કાળજી રાખીએ છીએ તેમ સંયમ અર્થે સાજ થયા પછી પણું વર્તાય તે ધર્મમાં ઘણી અનુકૂળતા પ્રત્યક્ષ જણાય છે, તેવી રીતે પ્રતિકૂળ સંજોગોમાં જેમ આંખો મીંચીને બીજાનું બેલેલું કે તિરસ્કાર આદિ સહન કરીએ છીએ તેમ છતી શક્તિએ અનુકુળ સયાગેમાં વૈરાગ્ય સહિત વર્તાય, જગતના ભાવે પ્રત્યે ઉદાસીનતા રહે તે આત્મા પામવામાં ઘણું અનુકુળતા થાય. “સુખકી સહેલી હે અકેલી ઉદાસીનતા, અધ્યાત્મની જનની તે ઉદાસીનતા” – એમ પરમકૃપાળુદેવે પણ લખ્યું છે, તે વિચારી ઉદાસીનતાને અભ્યાસ કર્તવ્ય છે. રાગ કે દ્વેષમાં ન તણાવું અને સમભાવ કે ઉદાસીનતામાં રહેવું તેને જ્ઞાની પુરુષોએ સાચે ધર્મ કહ્યો છે. “આત્માનુશાસનમાં શ્રી ગુણભદ્રમુનિ જીવનની ક્ષણિક્તા બતાવતાં જણાવે છે કે તાડ ઉપરથી ફળ તૂટે, પછી જમીનને અડતાં જેટલી વાર લાગે તે આ જન્મ અને મરણ વચ્ચેને અલ્પ કાળ છે, તેમાં તે છ કેટલાં ઝેરર વધારી દે છે, પણ જાણતા નથી કે કેટલા કાળ માટે આ બધે ફ્લેશ ઉઠાવ? કાલે ઊઠીને તે મરી જવું છે એમ જ્ઞાની પુરુષે વિચારે છે, માટે પરમકૃપાળુદેવે કહ્યું છે કે કેઈ પણ કારણે આ સંસારમાં સ્પેશિત થવા યોગ્ય નથી. Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ આધામૃત અવિચાર અને અજ્ઞાન એ સર્વે ક્લેશનું, મેાહનું અને માઠી ગતિનું કારણ છે. સવિચાર અને આત્મજ્ઞાન તે આત્મગતિનું કારણ છે. તેના પ્રથમ સાક્ષાત્ ઉપાય જ્ઞાનીપુરુષની આજ્ઞાને વિચારવી એ જ જણાય છે.” (૪૬૦) આટલું યાદ રહે તે ગમે તેવા વિકટ પ્રસંગેામાં પણ સદ્ગુરુની આજ્ઞાનું બળ અનુભવ્યા વિના જીવ રહે નહીં. શ્રદ્ધાની જેટલી ખામી છે તેટલેા જ જીવ દુ:ખી છે; નહીં તેા તેનું મૂળ સ્વરૂપ પરમાનંદરૂપ છે તે કેમ ભૂલે ? ૐ શાંતિ: શાંતિ: શાંતિ: અગાસ, તા ૧૬-૫-૩૮ વૈશાખ વદ ૧, ૧૯૯૪ ૧૨૮ તત્ સત્ દૃષ્ટિ શુદ્ધ સ્વરૂપી નાથ નિરંતર, દૃષ્ટિ રહે। તુમ ચરણ વિષે, પ્રભુ વચન કાયનાં કામ થતાં પણુ, વૃત્તિ વહે। તુમ શરણુ વિષે, પ્રભુ વૃત્તિ૰ આપના તરફથી ત્રણ પત્રા પ્રાપ્ત થયા છે. કંઈ ખાસ ઉત્તર લખવા જેવું નહાતું એટલે પહાંચરૂપ ઉત્તર લખવાની ઢીલ થઈ છેજી. તેમ જ ૫. ૬. પ. પૂ. પ્રભુશ્રીજીનાં પગલાંની સ્થાપના તેમની દેહક્રિયા કરેલા સ્થળે થઈને મહાત્સવ થઈ ગયે પત્ર લખવા વિચાર હતા તે પ્રમાણે આ લખ્યા છેજી. સં. ૧૯૯૪ વૈશાખ સુદ ૧૦ ને દિવસે ઘણા ઉલ્લાસભાવપૂર્વક ભક્તિથી તે શુભ કાર્ય નિર્વિઘ્ને પૂર્ણ થયું છે. ધામથી પણ ઘણાં ભાઈમહેના આવ્યાં હતાં. યથાશક્તિ ભક્તિભાવ દાન પ્રભાવના થયાં હતાં. એવા પ્રસંગ કરી પ્રાપ્ત થવા દુર્લભ છે. મનુષ્યભવમાં લહાવા લેવાના પ્રસંગે કાઈ કોઈ વખત આવે છે તે વખતે જેમને પુણ્યાનુબંધી પુણ્યના ઉદય હાય તે તેવા વખતના લાભ પામી શકે છે. તેવેા જોગ ન બની આવે તેવાં કર્યું ઉદયમાં હાય તાપણ તેવી ભાવના ભાવવાથી અને તે પ્રસંગ નિમિત્તે પાતાથી બનતા ભક્તિભાવ દાન આદિ સત્કાર્ય સદાચરણમાં પ્રવર્તવાથી ભવિષ્યમાં તેવા પ્રસંગે કાઈ બનનાર હાય તે વખતે અત્યારે ખાંધેલું પુણ્ય ઉદય થતાં તેવી જોગવાઈ બની આવે. આત્મામાં સત્સંગયેાગે ઉલ્લાસ પરિણામ થતાં નિર્મળભાવ જાગ્રત થવાના જોગ સંભવે. ‘‘યાવૃશો માવના યસ્ય સિદ્ધિર્મવતિ તાલુશી' જેવી જેની ભાવના હાય છે તે પ્રકારની કાર્યસિદ્ધિ થાય છે, એ આટૅવચન યથાર્થ છે. માટે મેાક્ષપ્રાપ્તિનાં કારણેાના વિચાર કરી તે કારણેા ઉપાસતાં રહેવાય તે કાર્યરૂપ મેક્ષ અવશ્ય થાય; પણ કારણના નિણૅય કર્યાં વિના, તેના અભ્યાસ કર્યા વિના મેાક્ષ જેવું અત્યંત વિકટ કાર્ય ક્ષણિક નિર્મેળ ઈચ્છાથી પાર પડે તેવું નથી, માટે વિકટ સંજોગામાં તા વિકટ પુરુષાર્થ કતૅવ્ય છેજી. તેને બદલે આપણા વર્તન તરફ નજર કરીએ તેા શિથિલતા સિવાય કંઈ જણાશે નહીં. તે એ મેળ મળે નહીં તેવી અત્યારની દશા પલટાવી મેાક્ષમાર્ગમાં ઉપયેગી એવા સદ્ગુણા, સશ્રદ્ધા, આજ્ઞાનું આરાધન, વૈરાગ્ય, સત્ય, સદાચરણુ, શાંતિ, સમતા, ત્યાગ આદિ પ્રાપ્ત કરવાના પુરુષાર્થ અત્યંત દૃઢતાથી કર્તવ્ય છેજી. થયેલાં પાપાના પશ્ચાત્તાપ કરી ફરી તેવા દોષ જિંદગીભરમાં ન બને તેવેા દૃઢ નિશ્ચય રાખી દોષો દૂર કરતા રહીશું તેા અવ્યાબાધ અનંતસુખ યથાઅવસરે અનુભવીશું. ૐ શાંતિ: શાંતિ: શાંતિ: Page #152 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૧૨૯ ૧૨૯ ભાદરણું, તા. ૧૯-૫-૩૮ તત્ સત વૈશાખ વદ ૫, ૧૯૯૪ સગત પૂ. મનસુખભાઈ દેવશીભાઈના દેહોત્સર્ગના સમાચાર જાણું આ કળિકાળ શુભ નિમિત્તોને સંકેલી લેવાનું કામ કરી રહ્યો છે એવી ચેતવણીની વિચારણા જાગી હતી. માથે મરણ છે, લીધે કે લેશે એમ થઈ રહ્યું છે, કાળ ગટકા ખાઈ રહ્યો છે, મરણના મુખમાં બાળ, યુવાન, વૃદ્ધ સર્વ એરાયેલા છે, માત્ર મેં બીડે તેટલી વાર છે તે આ જીવ કલ્યાણ કરવાના કયા કાળને ભજે છે એ વિચારવા જેવું છે એમ ૫. ઉ. પ. પૂ. સદ્દગત સ્વામી પ્રભુશ્રીજી પાસેથી વારંવાર સાંભળ્યું છે, છતાં આ જીવ કુંભકર્ણન કરતાં પણ પ્રબળ અનાદિની ઘોર નિદ્રામાંથી જાગતે નથી એ કેટલું આશ્ચર્ય અને ખેદ ઉપજાવનાર છે? આ જીવ વાતે ડાહી ડાહી કરે અને વર્તનમાં પ્રમાદ કે પિલ, એ ક્યાં સુધી નભશે? મરણના વિચારથી, કળિકાળના વિચારથી, અનિત્યતાના વિચારથી કે મોહની છેતરામણીના વિચારથી અનેક જ ચેતી ગયા છે. પણ પ્રમાદ વિચારને જ ન ઊગવા દે તે પછી થાય શું? આ જીવને સારું સારું જોવું ગમે, સારું સારું ખાવું ગમે, ડાહી ડાહી વાત કરવી ગમે, પણ પાછા વળીને પિતાના દોષો દેખી તેને કાંટા કાઢે તેમ કાઢી નાખવાની ઉતાવળ નથી. બેભાન દશામાં દિવસ, માસ, વર્ષ વિતાવે છે. નાખી નજર ન પહોંચે તેટલે કાળ વ્યર્થ વહી ગયે છતાં ક્ષણમાત્ર પણ આત્મસમાધિ જીવ સાધી શક્યો નહિ. કેવી કેવી ઉત્તમ સામગ્રીને વેગ મળ્યા, પ્રત્યક્ષ પુરુષ, તેમની સેવા-સમાગમ, બેધ, સ્મરણ સાધન, ભક્તિ આદિની આજ્ઞા, તીવ્ર ઠપકા વગેરેથી પણ જીવ જા નહીં, હજી તેને પસ્તા કરીને “જાગ્યા ત્યાંથી સવાર ગણી મંડી પડવું ઘટે તેનું પણ ભાન નહીં. માત્ર કબીરજી કહે છે તેમ “સુખિયા સૌ સંસાર ખાવે ને સેવે, દુઃખિયા દાસ કબીર ગાવે ને .” સુખિયા જે નફક થઈ આ જીવ ફરે છે. દુઃખ લાગે તે બૂમ પાડે, “હે પ્રભુ, હે પ્રભુ,' પોકારે. જાણે કોઈ કાળે દુઃખ ભોગવ્યું નથી અને ભવિષ્યમાં દુઃખ આવવાનું જ ન હોય તેમ સિદ્ધ સમાન સુખી થઈને અત્યારે ફરે છે. પણ પાછું દુઃખ દેખાવ દે ત્યાં તે જીવ મૂંઝાઈ જાય છે કે જાણે કોઈ કાળે દુઃખ દૂર થનાર જ નથી, અને જાણે સુખ કદી જોયું જ ન હોય તેમ આરોગ્યની ઈચ્છા કરતે તેની રાહ વરસાદની પેઠે જોયા કરે છે. આવી અસ્થિર, ઠેકાણું વગરની દશા તરફ દુર્ગાછા આવવી જોઈએ તેને પણ જીવ વિચાર કરી કંઈ સ્વરૂપનું ઠેકાણું કરતું નથી. હવે કેમ કરવું? ક્યાં જવું? શું ઉપાય લે? તે વિચારવાયેગ્ય છે. જે શાંતિઃ ૧૩૦ ભાદરણ, તા. ૨૧-૫-૩૮ તત્ ૐ સત્ વૈશાખ વદ ૭, શનિ, ૧૯૯૪ જેહનું મન સમતિમાં નિશ્ચળ કેઈ નહીં તસ તેલે રે, શ્રી નયવિજય વિબુધ પય સેવક વાચક યશ એમ બોલે રે.” “રાગ દ્વેષ મળ ગાળવા ઉપશમ જળઝીલે; આતમ પરિણતિ આદરી, પર પરિણતિ પીલે. આતમતત્વ વિચારીએ.” – શ્રી યશોવિજયજી Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ બેધામૃત વિ. આપને પત્ર મળે. આપના નમ્ર ભાવ જાણું સંતોષ થયો છે. તેવી જ ભાવના અને પ્રાર્થના મને પરમકૃપાળુ દેવ પ્રત્યે પ્રગટે, પરિણમે એવી ઈચ્છા રહે છે. હે પ્રભુ! આપનાથી કંઈ અજાણ્યું નથી. જીવની અવિચાર મૂઢ દશાને પાર નથી, તેમ છતાં તે દશાને તેને કંટાળો આવતું નથી. તે કીચડમાંથી ઊઠી પરમ પવિત્ર, અનંત સુખરૂપ, પરમ પ્રેમપૂર્ણ આપની ગાદમાં સ્થાન લેવાને આ જીવને ઉમળકો કેમ નહીં આવતું હોય ? કેમ તેવા ભાવ ટકતા નહીં હોય? બીજાના આગળ ડાહ્યો થવામાં પહેલે, મનમાં પણ માની લે કે “મારે પરમપુરુષ સિવાય કેઈન આધાર નથી. છતાં તે ને તે જ ગંદા વિષયમાં મન કેમ ગૂંચાઈ રહેતું હશે? શ્રી દેવચંદ્રજી જેવા પિોકારી ઊઠયા છે: પૂછું પૂર્વ વિરાધના, શી કીધી ઈણ જીવ લાલ રે; અવિરતિ મોહ ટળે નહીં, દીઠે આગમ દીવ લાલ રે. દેવજશા દરિસણ કરે. દીન દયાળ કૃપાળુ, નાથ ભવિક આધાર લાલ રે, દેવચંદ્ર જિન સેવના, પરમામૃત સુખકાર લાલ રે. રાજચંદ્ર પ્રભુ સેવન, પરમામૃત સુખકાર લાલ રે. દેવજશા બાળકને ભય લાગે, ભૂખ લાગે, કેઈ કુતરાં વગેરે પજવે ત્યારે તે તેની મા પાસે દોડી જાય છે, કારણ કે તેને વિશ્વાસ છે કે અવશ્ય એ મારું રક્ષણ કરનાર છે. એટલી શ્રદ્ધા આપણને જરૂર જોઈએ. પરમકૃપાળુ દેવે શ્રી જૂઠાભાઈના પત્રમાં લખ્યું છે - “તે પુરુષને પ્રત્યેક લઘુ કામના આરંભમાં પણ સંભાર, સમીપે જ છે.” (૫૯) આપણે અજ્ઞાનને લઈને વર્તનમાં ભેદ પાડીએ છીએ. પુરુષની સમીપમાં જુદું વર્તન અને તેને વિયેગમાં જુદું વર્તન. નહીં તે તેની જ્ઞાનશક્તિથી બહાર આપણું વર્તન નથી. માત્ર તેની દષ્ટિ આપણી ઉપર છે એમ આપણે માનતા નથી. ખાતાંપીતાં, હરતાંફરતાં તે આપણું સમીપ જ છે એમ ધારીને વર્તાય તે દેશે આપણું સામું પણ જઈ ન શકે, અને પુરુષએ તે તે જ નિશ્ચયને પરમ કલ્યાણકારી કહ્યો છે તથા તેને અભિન્નભાવ કહ્યો છે. પિતે પત્રાંક ૪૭૦માં જણાવ્યું છે: “જ્ઞાની પુરુષ પ્રત્યે અભિન્નબુદ્ધિ થાય, એ કલ્યાણ વિષેને મેટો નિશ્ચય છે, એ સર્વ મહાત્મા પુરુષને અભિપ્રાય જણાય છે. તમે તથા તે અન્ય વેદે જેને દેહ હાલ વર્તે છે, તે બેય જ્ઞાની પુરુષ પ્રત્યે જેમ અભિન્નતા વિશેષ નિર્મળપણે આવે તે પ્રકારની વાત પ્રસંગે પાત્ત કરે, તે યોગ્ય છે, અને પરસ્પરમાં એટલે તેઓ અને તમ વચ્ચે નિર્મળ હેત વર્તે તેમ પ્રવર્તવામાં બાધ નથી, પણ તે હેત જાત્યંતર થવું ગ્ય છે. જેવું સ્ત્રી-પુરુષને કામાદિ કારણે હેત હોય છે, તેવું હેત નહીં, પણ જ્ઞાની પુરુષ પ્રત્યે બન્નેને ભક્તિરાગ છે એવું બેય એક ગુરુ પ્રત્યેનું શિષ્યપણું જોઈ, અને નિરંતરને સત્સંગ રહ્યા કરે છે એમ જાણી, ભાઈ જેવી બુદ્ધિએ, તે હેતે વર્તાય તે વાત વિશેષ યોગ્ય છે. જ્ઞાની પુરુષ પ્રત્યેને ભિન્નભાવ સાવ ટાળવા યોગ્ય છે.” જેને મુમુક્ષતા વર્ધમાન કરવી છે અને વિષયકષાયમાં તણવું નથી એવા દઢ નિશ્ચયવાળા આત્માર્થીને ઉપર લખી જણવેલ પત્ર અમૃત સમાન છે. સ્ત્રી સાથે વસવું પડતું હોય તે પણ તે આપણે મુમુક્ષુભાઈ છે, સદ્ગુરુની શ્રદ્ધાવાળે છે, તેના હૃદયમાં પરમ પુરુષ પ્રત્યે પ્રેમ છે Page #154 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૧૩૧ એટલી આપણને જો શ્રદ્ધા રહેતી હાય તેા તેને વિષયના સાધન તરીકે વાપરવા કરતાં તેની સાથે સત્પુરુષના માહાત્મ્યની વાતચીત અને ભક્તિભજનમાં કાળ ગાળવા એક ભક્તિમાન આત્માનો સમાગમ પરમકૃપાળુની કૃપાથી થયા છે, તે તેનું પણ વૈરાગ્ય, ભક્તિ આદિ સાધનથી કલ્યાણ થાએ અને હું પણ તેને જોઈને વૈરાગ્ય, ભક્તિના બેધ પાસું એવી ભાવના પરસ્પર રાખવાથી કુટુંબ પણ મંદિરરૂપ પલટાઈ જાય. તેની ભૂલ થાય તે આપણે ચેતવણી આપવાની જરૂર છે, આપણી ભૂલ જણાય તે તેણે આપણને ચેતવવાની ફરજ છે. આવી સમજૂતીથી આત્માર્થે બન્ને આત્માઓનું પ્રવતન થાય તેા ધર્મ પ્રગટાવવામાં ઘણી અનુકૂળતા થઈ પડે. અન્નેની તેવી સમજણુ મહાપુણ્યના ઉદયે થવી સંભવે છે, પણ બન્નેને એક સદ્ગુરુના આશ્રય છે, એ આધારના વિશેષ લક્ષ રહે અને હૃદય વૈરાગ્યવાળું એકનું પણ હાય તેા બન્નેને લાભ થવા સભવ છે. જેને જ્યારે કલ્યાણ કરવું હશે ત્યારે સંસારને ભૂલી ભક્તિને હૃદયમાં સ્થાન આપશે ત્યારે જ મેાક્ષના ઉપાયમાં પ્રવર્તી શકાશે એ તા સમજી શકાય તેવી વાત છે, તેા જ્યારથી તે શુભ કાર્યની વહેલી શરૂઆત થાય ત્યારથી કલ્યાણના દિવસ વહેલા આવવાને સંભવ છેજી. હૃદય વૈરાગ્યવાળું, સદ્ગુરુ પ્રત્યે ભક્તિભાવવાળું અને કોઈનું ભૂંડું ન ઇચ્છે તેવું અનાવવાથી ધર્મીમાં અણુધારી મદદ મળતી રહે છે. પરમકૃપાળુદેવ મેાક્ષમાળા પાઠ ૩૩માં લખે છેસત્યશીલના સદા જય છે” પરમકૃપાળુદેવનાં વચનાના વિશેષ પરિચય, અભ્યાસ થવાથી વિષયવિકાર સુકાઈ જવાનું કારણ બને છે. “સત્સંગ એ કામ બાળવાનેા બળવાન ઉપાય છે.’’ (૫૧૧) તેની ભાવના અવશ્ય કવ્ય છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૩૧ બ્રહ્મચર્ય, પ્રભુ-પૂજના, ક્રોધાદિક—અરિ ટાળ; વીતરાગ આજ્ઞા પળે, તા તપ શુદ્ધ નિહાળ. બાહ્યાભ્યતર તપ તપે, મહામુનિ પણ એમ; મૂળ–ઉત્તર ગુણ શ્રેણિરૂપ, સધે સામ્રાજ્ય જેમ. અગાસ, તા. ૨૨-૬-૩૮ ખીજા પત્રમાં બ્રહ્મચર્ય એ માસ માટે પાળવા વ્રત લીધું છે એમ લખ્યું તે જાણ્યું. ત લેવું સહેલું છે, પાળવું મુશ્કેલ છે. પરમકૃપાળુદેવ લખે છે: “જ્યાં સુધી આત્મા સુદૃઢ પ્રતિજ્ઞાથી વર્તે નહીં, ત્યાં સુધી આજ્ઞા કરવી ભયંકર છે...નિયમને વિષે સ્વેચ્છાચાર પ્રવતન કરતાં મરણુ શ્રેય છે, એવી મહત્પુરુષાની આજ્ઞાને કાંઈ વિચાર રાખ્યા નહીં; એવા પ્રમાદ આત્માને ભયંકર કેમ ન થાય ?” (૯૪૧) દરરાજ ક્ષમાપનાના પાઠ બાલ્યા પછી ઉપરનાં વાકયો, એ માસ બ્રહ્મચર્ય પાળા ત્યાં સુધી, ખેલવાના નિયમ સાથે રાખવાથી હિતનું કારણ છેજી. ‘રાજસત્તા' સ`ખધી તમે પુછાવ્યું છે તે પ્રશ્ન ઊંડા ઊતરી વિચારવા ચેાગ્ય છે. “રાજ રાજ સૌ કે। કહે, વિરલા જાણે ભેદ; જે જન જાણે ભેદ તે, તે કરશે ભવ-છેદ.” પ્રથમ નમું ગુરુરાજને એટલે ખાદ્યષ્ટિથી રાજ’શબ્દને પરમાર્થ સમજવા મુશ્કેલ છે. જેને તે સમજાય છે તેના સંસાર ક્ષય થશે એમ ઉપરના કાવ્યમાં છે. ઉપશમ વૈરાગ્યવંત મુમુક્ષુ જીવને શુદ્ધ આત્મ Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩ર બધામૃત સ્વરૂપ એવા “રાજની શ્રદ્ધા, ઓળખાણ, પ્રેમભક્તિ પ્રગટે છે અને એવાં મેક્ષનાં કારણ પ્રાપ્ત કરી જે તેની સેવા-ઉપાસના કરે તે મોક્ષ પામે એ નિઃસંશય છે. દેહ ન જાણે તેહને, જાણે ન ઇદ્રી, પ્રાણ આત્માની સત્તા વડે, તેહ પ્રવતે જાણ” – આત્મસિદ્ધિ. રાજસ્વરૂપ આત્માની સત્તા વડે દેહ, ઇન્દ્રિય અને શ્વાસે શ્વાસ પ્રવર્તે છે. તેની સત્તા વિના દેહ તે મડદું છે, ઈન્દ્રિય તે બાકોરાં કે કાણું માત્ર છે અને શ્વાસે શ્વાસ તે ઠરી જાય, હાય જ નહીં. જેની સત્તા વડે આ બધી પ્રવૃત્તિ જીવ કરી રહ્યો છે તે પ્રગટ તત્વને ભૂલીને માત્ર રૂપી પદાર્થોની લેવડદેવડ અને તેમાં હર્ષશોક કરી કર્મબંધનને બંધ રાતદિવસ કરી રહ્યો છે. એવા જીવને કેટલે ઠપકે દેવે ઘટે? આ જીવ નફટ છે, નિર્લજ્જ છે, મૂઢ છે તેથી જન્મમરણનાં કારણે ઊભાં કરી રાજી થાય છે. તેને સૂઝતું નથી કે – “અહંભાવથી રહિત નહીં સ્વધર્મ-સંચય નહિ; નથી નિવૃત્તિ નિર્મળપણ, અન્ય ધર્મની કાંઈ.” હવે એ અહંભાવથી કેમ છુટાય? તેનો વિચાર મુમુક્ષુ જીવ કરે છે અને તે ઉપાય દઢ સમજી નિર્મળ થવા પુરુષાર્થ કરે છે. “બા ન દુરદા” છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૩ર અગાસ, જેઠ વદ ૮, મંગળ, ૧૯૯૪ દેહરો – બ્રહ્મચર્ય પ્રભુ-ભક્તિ કર, ક્રોધાદિકને ટાળ; વીતરાગ આજ્ઞા પળે, તે તપ શુદ્ધ નિહાળ. આપના પત્રમાં એકાસણું આ ચોમાસામાં કરવા વિચાર છે એમ આપે જણાવ્યું. તેના ઉત્તરમાં જણાવવાનું કે જેમ ખાધાને નિયમ કરીએ છીએ તેમ કષાયને પણ નિયમ શક્તિ વિચારીને કરે કે આજે ક્રોધ કોઈના ઉપર ન થાય તેમ વર્તવું. પછી ગમે તે પ્રસંગ આવી પડે તે પણ પિતાના ભાવ બગાડવા નહીં. એમ કરતાં કરતાં ક્રોધ એ છે સહેજે થાય છે, એમ જણાય ત્યારે ક્રોધ અને માન એ બન્નેને નિયમ રખાય. ગમે તે વખાણે કે ગમે તેવું રૂપ હોય કે ત૫ થતું હોય કે સારી સમજણ હોય, ધર્મનું કામ થતું હોય તે પણ અભિમાન થઈ ન જાય તેવી વૃત્તિઓ ઉપર ચાકી રાખતાં શીખવાનું છે. પછી માયા, પછી લેભ એમ કયા ઓછા કરવા. પાંચ ઇંદ્રિના વિષયમાં મોહ ઓછો કરે. રાગ-દ્વેષ ઘટાડવાની જ્ઞાની પુરુષની આજ્ઞા છે તે જેટલી પળે તેટલે ધર્મ થ સમજવા ગ્ય છે. જેટલું જે દિવસે બને એમ લાગે તેને નિયમ જ ચિત્રપટ સમક્ષ વિનયપૂર્વક નમસ્કાર કરી લેવું અને કાળજીપૂર્વક તે નિયમ પાળવો. એકાસણું, ઉપવાસ, બે વખત જ આહાર લે કે ક્રોધ આદિ ન કરવા વિષે જે કરવું યોગ્ય લાગે અને પળે એમ જણાય તે આત્માર્થે આ માસામાં કરવામાં હરકત નથી. કરેલા નિયમમાં ભૂલ થાય તે પશ્ચાત્તાપ કરી ક્ષમાપનાને પાઠ બોલી, ફરી તેવી ભૂલ ન થાય તેવી કાળજી રાખવી ઘટે છે. Page #156 -------------------------------------------------------------------------- ________________ ૫ત્રસુધા ૧૩૩ ૧૩૩ અગાસ, તા. ૧-૭-૩૮ તત્ ૩ સત્ અષાડ સુદ ૪, શુક, ૧૯૯૪ અનુષ્ટ્રપ– દારિદ્ર, રેગ ને મૃત્યુ, વૃદ્ધાવસ્થા વિચારજે; શાથી એ સર્વને પડે? મેક્ષ-ભાવ વધારજો. વિ. ગયા પત્રમાં બ્રહ્મચર્ય વિષે કંઈ લખેલું સ્મૃતિમાં નથી. વખતે આ પત્ર મળતાં પહેલાં તમારી બધાને વખત પૂરો થવા આવે તો પણ કેટલીક સૂચનાઓ લક્ષમાં રહેવા જણાવું છું, તે ભવિષ્યમાં ફરી વળી બ્રહ્મચર્યના કેઈ કોઈ દિવસ નક્કી કરે ત્યારે ઉપયોગી થશે. પાંચ ઇન્દ્રિમાંથી સ્પર્શ ઇન્દ્રિયને અભ્યાસ જીવને ઘણો છે, કારણ કે દરેક ભવમાં તે ઈન્દ્રિય હોય છે. તેને રોકવાથી સંસારવૃત્તિ મળી પડી જાય છે. “એક વિષયને છતતા, છત્યે સૌ સંસાર; નૃપતિ જીતતાં છતિયે, દળ, પુર ને અધિકાર.” – શ્રીમદ્ રાજચંદ્ર એ સ્પર્શ-ઈન્દ્રિયના સુખ માટે જીવ ધન કમાય છે, પરણે છે, કપડાં ઘરેણાં ઘર ખેતરરૂપ પરિગ્રહને વધારે છે. તે પ્રત્યેથી જેની વૃત્તિ ઓછી થાય, તેને સંસાર પ્રત્યેનો મેહ ઓછો થવાથી આત્મા પ્રત્યે વૃત્તિ વળે છે, આત્માના વિચાર તેને ગમે છે, આત્માની કથા તેને રુચે છે, તે સાંભળવામાં આનંદ આવે છે અને એમ કરતાં કરતાં જ્ઞાની પુરુષે જાણેલા આત્માની શ્રદ્ધા, પકડ, પ્રતીતિ થાય છે. રુચિ સંસાર વધારવાની જેને વર્તતી હોય તેને આત્મવિચાર કે આત્મકથા કે તેવું વાચન, શ્રવણ છાર પર લીંપણુ જેવું જુદું ને જુદું જ રહે છે, પરિણામ પામતું નથી. એ બધી વાત તમે ઘણી સાંભળી છે. હવે નીચે સામાન્ય નિયમો જણાવું છું? ૧. જેણે બ્રહ્મચર્ય પાળવા માટે એક દિવસ કે અનેક દિવસ માટે નિયમ લીધે હોય તેણે સ્ત્રી સાથે દિવસે કે રાત્રે એક પથારીમાં બેસવું કે સૂવું નહીં. ૨. કામને પોષે તેવી વાત કરવી નહીં કે કેઈ હાંસી વગેરેમાં પણ કામચેષ્ટા કે હાવભાવને પુષ્ટિ આપવી નહીં. ૩. આલિંગન, ચુંબન આદિ ભારે અતિચારો છે. તે રસ્તે વ્રત તૂટવાના પ્રસંગે આવે છે માટે તેવા પ્રસંગમાં દોરાવું નહીં કે સામાને તેવા ભાવ પ્રગટ થતા જણાય છે તેને ચેતાવી દઈ, તે દોષ ઝેર જેવા જાણ ધમકાવીને પણ દૂર કરવા. ૪. માંદગીને કારણે માથું દબાવવું કે તેવી કઈ મદદ લેવી પડે તો અપવાદરૂપ ગણી તે સિવાય બીજા કોઈ કારણે બ્રહ્મચર્યના દિવસમાં શરીરસેવા પણ સ્ત્રી પાસેથી સ્વીકારવી નહીં. શરીરસ્પર્શના પ્રસંગ આછા કરી નાખવા. ૫. ખોરાક પણ નિયમ-બાધાના દિવસોમાં સાદો રાખ. કપડાં, ઘરેણાં પણ સાદા પહેરવાં. ટૂંકમાં, ઈન્દ્રિયે ઉન્મત્ત ન બને તેવી કાળજી રાખવી. ૬. ભગવેલા ભાગના પ્રસંગેની વાતે કે સ્મૃતિ કર્યા કરવી નહીં. ૭. સત્સંગ, ભક્તિ, સવાંચન, સદ્દવિચારમાં કાળ ગાળવા વિચાર રાખવો. નિયમ બ્રહ્મચર્યને ન લીધે હોય તેવા દિવસોમાં પણ દિવસે મૈથુનનો ત્યાગ રાખવા પૂરતા દઢ ભાવ રાખે તે બાર માસમાં છ માસ જેટલો કાળ બ્રહ્મચર્યવાળો ગયે એમ હિસાબ Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ બેધામૃત કરતાં સમજાય તેમ છે. જેમ રાત્રિભેજનના ત્યાગવાળાને છ મહિનાના ઉપવાસનું ફળ છેતેમ દિવસે મૈથુન તજનારને પણ છ માસનું બ્રહ્મચર્ય વર્ષમાં પળે છે આટલું વિચારશે. છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૩૪ અગાસ, તા. ૧૨-૭-૩૮ તત છે સત્ ગુરુપૂર્ણિમા, મંગળ, ૧૯૯૪ ગીતિ – આર્ય મુનિવર, આર્યા, શ્રાવક શ્રાવિકા ચાર તો સંઘ, હોય વિરાળે જે મેં, તે દુષ્કૃતને તુર્ત ટળે બંધ. આપને પત્ર પ્રાપ્ત થયું છે. નિમિત્તને આધીન આપણા ભાવ પલટાઈ જાય એ હાલની અવસ્થામાં સ્વાભાવિક છે. તેથી જ જ્ઞાની પુરુષોએ આપણા જેવા માટે સત્સંગ કરતા રહેવા ભલામણ કરી છે. તે જોગ ન હોય ત્યારે તેની ભાવના રાખી, બીજી બાબતમાં જીવન વ્યતીત થઈ જાય છે તેને ખેદ કરતા રહેવા યોગ્ય છે કારણ કે આયુષ્ય અલ્પ અને અનિશ્ચિત અને ઘણે પુરુષાર્થ હજી આપણે કરવો ઘટે તેવાં કર્મ બળવાન છે, ત્યાં પ્રમાદ થાય તે આપણી અણસમજ છે. તે વાત ભુલાય નહીં તે અર્થે સ્મરણનું સાધન છે. મૂળ આપણું સ્વરૂપ તે સહજ શુદ્ધ છે તેનું રટણ જે મુખ દ્વારા કે મનમાં થતું રહેતું હોય તે બીજેથી વૃત્તિ પાછી વાળવાનું એ બળવાન સર્વોત્તમ સાધન છે, પણ તેમાં પણ મંદતા કે બેદરકારી જેવું થઈ જાય તે પછી શો ઉપાય? મુક્ત થવાની ભાવના, કાળજી જોઈએ. પરમપુરુષ અને પરમાર્થમાર્ગ પ્રત્યે હજી ઘણે પ્રેમ વધારવાની જરૂર છે, તે પછી છે તે પણ ટકી ન શકે તેવા સંજોગોમાં રહેવાનું પ્રારબ્ધ હોય તે શું કરવું? એ વિકટ પ્રશ્ન છે. જેવા ભાવ તેવા પ્રકારના શુભ-અશુભ કર્મોને પ્રવાહ તે જીવને આવરણ નિરંતર કરી રહ્યો છે, તેમાંથી મુક્ત થવાને માર્ગ પરમકૃપાળુ દેવની કૃપાથી ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીના મુખેથી આપણે સાંભળ્યો છે કે પુરુષ કે સપુરુષે આપેલા સાધનની સ્મૃતિ થતાં જીવનાં પરિણામ સંસાર ભજવાનાં મંદ થાય અને મહાપુરુષના માર્ગની ભાવના જાગ્રત થાય, તે ત્યાં મંદ બંધ થાય અને જીવ બળવાન થાય તે કર્મોની નિર્જરા પણ ઘણી કરે. એમ કરતાં કરતાં નિમિત્તો પણ સારાં મળે અને સન્માર્ગમાં સ્થિતિ થાય. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રમાં કહ્યું છેઃ જ્યાં જ્યાં જે જે ગ્ય છે, તહાં સમજવું તે; ત્યાં ત્યાં તે તે આચરે, આત્માથી જન એહ.” આમ વિચારી જે વખતે જેટલું આત્મવીર્ય ફેરવાય તેટલું ભાવનાથી પણ કરી લેવા ચૂકવું નહીં. આપણાથી ન બનતું હોય તે પણ જે કઈ ધર્મમાં પ્રવર્તતા સત્પરુષને વેગ થયે છે તેની સ્મૃતિ, તે ભાવ પ્રત્યે પ્રેમ, તેની અનુમોદના, તેવી દશા પ્રાપ્ત કરવાની ભાવના, અભિલાષા રાખ્યા કરવાથી પણ જે કરવા યોગ્ય છે તે થતું જાય છે. “એકલે ખેદ કરીને અટકી રહેતા નથી” (૮૧૯) એવું પરમકૃપાળુદેવે કહ્યું છે, તે બહુ વિચારવા લાગ્યા છે. તે પત્રમાં કહેલ પુરુષાર્થ વિષય-કષાયને હઠાવવાને અવશ્ય કર્તવ્ય છે”. તરણ જેવા એ આખા ડુંગર જેવા આત્માને ઘેરી રહ્યા છે. “તરણા ઓથે ડુંગર રે, ડુંગર કઈ દેખે નહીં.” શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #158 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૧૩૫ ૧૩૫ અગાસ, તા. ૪-૮-૩૮ પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુની ભક્તિ ૫. ઉ. પ્રભુશ્રીજીએ આપણને બતાવી આપણું ઉપર અપાર ઉપકાર કર્યો છે. તે પરમપુરુષ ભક્તિ કરવા યોગ્ય, સ્તવવા ગ્ય, ઉપાસવા ચ, ગુણગ્રામ કરી પવિત્ર થવા યોગ્ય છે. તેમ જ તેઓશ્રીનાં વચનામૃત (શ્રીમદ્ રાજચંદ્ર) સશાસ્ત્ર દ્વારા વાંચી કે શ્રવણ કરી, મનન કરી, વારંવાર ભાવના કરી શ્રદ્ધા દઢ કરવા યોગ્ય છે. તે આ મનુષ્યભવમાં બની શકે તેવું છે. શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ, તેમનાં વચનામૃત, તેમની ભક્તિ અને તેમના અપૂર્વ ઉપકારે પ્રત્યે આપણા ભાવ વળશે, હૃદયમાં દઢ થશે અને તેનું શરણ ગ્રહણ થશે તે તે આપણું આત્માની સંપત્તિ પામવાનું અપૂર્વ કારણ થશે. છેવટ સુધી ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ એક એ જ પરમ પુરુષની ભક્તિમાં કાળ ગાળવાનું, સત્સંગ કરવાનું અને સંપ રાખવાનું આપણને જણાવ્યા કર્યું છે તે લક્ષમાં લેવા સર્વ મુમુક્ષુવર્ગને વિનંતી કરું છું. બીજું, પૂ...પાસે ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીના ચિત્રપટ છે, તેમાંથી જે કોઈ ભાઈને તે મહાપુરુષની સ્મૃતિ, ઉપકાર અને બહુમાન પણ અર્થે જડાવીને રાખવા વિચાર હોય તે પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ તે ચિત્રપટ મૂકી તે પરમકૃપાળુદેવની આજ્ઞા લઈ ત્રણ વાર વંદન કરી લેશે. તેમાં આજ્ઞાને અતિક્રમ નથી. તે જતનથી રાખશે. મફત મળે છે માટે લાવો બેચાર રાખી મૂકીએ એ ભાવ કર્તવ્ય નથી. છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૩૬ અગાસ, તા. ૨૭–૮–૩૮ તત્ સત્ ભાદરવા સુદ ૨, શુક્ર, ૧૯૯૪ પૂ...ભાઈ રૂ. ૨૫-૪-૦ મૂકી ગયેલા તે સાધકસમાધિ ભંડારમાં નાખ્યા છે તેની પહોંચ આ પત્રથી સ્વીકારવા તે ભાઈને જણાવશે તથા તેમને બોલાવી વાત કરશે કે આ મનુષ્યભવ ધન કમાવા કે સંસાર ચલાવવા માટે મળ્યું નથી. દેવે પણ ઈચ્છે છે કે અમને મનુષ્યભવ મળે તે ધર્મનું આરાધન કરી મિક્ષ મેળવી લઈએ; તેમને તે તે ભવ મળવાની વાર છે, પણ આપણને તે હાથમાં તે લાગ આવ્યો છે. “નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા.” માટે ધન, પુત્ર કે વિદ્ગો દૂર કરવાની માન્યતા માટે તેવા પૈસા મૂકતા હોય તે તેમને સમજાવશે કે મનુષ્યભવનું સાર્થક કરી લેવા જેવો જોગ છે તે ભૂલશો નહીં. કોઈ સપુરુષના અચિંત્ય માહાસ્યમાં વિશ્વાસ રાખી તેના આધારે આ ભવસમુદ્ર ઓળંગી મે જવું છે, તે સિવાય બીજી સંસાર વધારવાની અભિલાષા સેવવા યંગ્ય નથી અને બને તે અત્રે આવી જાય તે તેને બે અક્ષર તેના એગ્ય કહેવા ઘટે તે કહેવાય અને ભાવના જાગે તે સતપુરુષના માર્ગનું સાધન તેને મળે, તે મહા ભયંકર સંસારના દુઃખમાંથી બચવાને વેગ સાંપડે. બીજા દેવદેવીની માન્યતામાં તે પ્રવર્યા હોત તે ખારી જમીનમાં બીજ વાવવા જેવું નિષ્ફળ થાત, પણ સાંસારિક કામનાથી પણ સપુરુષ પ્રત્યે, તેના સત્સંગીઓ પ્રત્યે તેને સદ્ભાવ થયો છે તે તેનું ફળ બીજું આવવા સંભવ છે. દેવ પ્રસન્ન થાય તે પણ શું માગવું તેનું જીવને ભાન નથી, તેથી સત્સંગ કરવા તેને બે શબ્દ કહેશે અને “મોક્ષમાળા'માંથી શિક્ષાપાઠ ૬૧થી તેની ધીરજ પ્રમાણે તે બ્રાહ્મણની કથા (સુખ વિષે વિચાર) વાંચી સંભળાવશે કે મઢે કહેશોજી. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ બાધામૃત સ'સાર અસાર છે, અનિત્ય છે, તેને માટે જે જે ઇચ્છીએ છીએ તે ધુમાડામાં બાચકા ભરવા જેવું છે. અસાર અને અનિત્ય પદાર્થમાં હિત શું હાય? છેડાં ખાંડવાના શ્રમ વ્યર્થ છે તેમ સાંસારિક ફળની ઈચ્છા રાખી દાન કર્યાથી આત્માને તે દાન હિત કરતું નથી. આ દેહમાં રહેલા આત્મા અનંતકાળથી ભૂખ્યા ટળવળે છે, તેને શાંતિ-સમાધિના માર્ગ અને તેને પેાતાના હિતનું ભાન થાય તેટલા માટે સત્સંગ, સહ્મેષ, તીયાત્રા વગેરે કબ્ય છેજી. તે આપણાથી અને તેટલું સ્પષ્ટ તેમને સમજાય તેમ કહી બતાવવા વિનંતી છેજી. અત્રે સર્વ ગુરુકૃપાએ કુશળ છેજી, ભક્તિભાવમાં પ્રવર્તે છે. અહીં ન આવી શકાય તેાપણ ભાવના તે જ કન્ય છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૩૭ તત્ સત્ અગાસ, તા. ૨-૯-૩૮ ભાદરવા સુદૂ ૮, શુક્ર, ૧૯૯૪ દાહરા · જીવ પ્રત્યક્ષ પરાક્ષ સૌ, ખમો મુજ અપરાધ; ત્રિવિધ ખમાવું અલ્પ પણ વૈર ન હેા સિદ્ધ-સાખ. અનિત્ય સંસાર જાણી જે, રહે નિરાંતે ત્યાંય; મળતા ઘરમાં ઊંઘતા સમ નિશ્ચિંત ગણાય. વિ. આપ ભાઈ એ તરફથી ક્ષમાપનાપત્ર આજે મળ્યેા. આવા પના દિવસેામાં જે ધમ ભાવ જાગ્રત રહે છે તે કેમ ટકી રહે તેની વિચારણા મુમુક્ષુ જીવાએ કતવ્ય છેજી. શ્રી આનંદઘનજી મહારાજે તે “પરબડી (પવ–ધમની) છાંયડી જે પડે, પરસમય તેઢુ નિવાસ રે” એમ કહી માત્ર પર્વે દિવસેામાં ધર્મ કરે તેને પરસમય કહ્યો છે, આત્માના ધર્મ કહ્યો નથી. સ્વધર્મ તા સદા સાથે રહે. માટે એ નિમિત્તે આત્મામાં સદાય જાગ્રતિ રહે તેવી વિચારણા, નિ ય કે નિયમ કન્ય છે. મ'દવાડ આવે ત્યારે જીવ ગભરાઈ જાય છે કે કાણુ જાણે હવે કેટલું જીવવાનું હશે ? વખતે મરણુ આવી પહોંચે તે એકાએક ચાલી નીકળવું પડશે. કઈ ધર્માંસાધન તા મેં કર્યુ· નથી, સીલ આદિની પ્રાપ્તિ થઈ નથી, હવે શી ગતિ થશે ? જો મંદવાડ મટી જાય તે હવે જરૂર કંઈક ધર્મ આરાધન કરી લેવું એવા નિશ્ચય કરી રાખે છે અને પ્રારબ્ધયોગે રાગ મટી જાય, પછી તદ્ન ભૂલી જાય છે. જાણે કદી મંદવાડ આવ્યા જ ન હેાય તેમ માહમાં ને માહમાં પાછું આયુષ્ય વ્યતીત થયા કરે છે. આમ જીવના નિયા અનિયરૂપ હાય છે તેથી કાઈ કામ મક્કમતાથી તે કરી શકતા નથી. પરમકૃપાળુદેવે કહ્યું છે કે “મુખ્ય અંતરાય હાય તા જીવના અનિશ્ચય છે.” (૮૨૬). ત્યારે હવે કેમ કરવું? પ્રથમ તે દુર્લભમાં દુલ ભ એવી શ્રદ્ધા, સત્પુરુષના પરમ નિશ્ચય કે મેક્ષે જવું હશે તેા જરૂર આ કાળમાં પરમકૃપાળુ પરમાત્મા શ્રીમદ્ રાજચંદ્રના શરણ સિવાય કઈ ખની શકે તેમ નથી, માટે તે પરમપુરુષનું શરણુ અને આશ્રયરૂપ ભક્તિમાર્ગ મને આ ભવમાં અખડપણે પ્રાપ્ત થાએ એવી ભાવના કર્તવ્ય છે. તે શ્રદ્ધામાં જેટલી દૃઢતા થઈ તેટલી સૌ સાધનામાં દઢતા વધશે; અને મૂળમાં જ જેની શ્રદ્ધા ડગમગ ખની ગઈ તેને પુરુષાર્થ પણ શંકાશીલ અને નજીવા થશે. માટે શ્રદ્ધારૂપ મકાનના પાચે Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ પત્રસુધા મજબૂત કરવા સત્પુરુષના પરમેાપકારી સત્સ`ગતુલ્ય વચનેામાં તલ્લીનતા પ્રાપ્ત કતવ્ય છે, તેના વિશેષ વિશેષ અભ્યાસ, પરિચય અને સદ્વિચાર કર્તવ્ય છેજી. આપ સર્વે સમજુ છે તેથી કંઈ વિશેષ લખવાની જરૂર નથી. પણ સન, સદાચરણુ એ મોટી પ્રભાવના છે એમ સમજી જ્ઞાનીની આજ્ઞાએ વવાના ભાવ નિરતર કબ્ય છેજી, ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૩૮ અમાસ, તા. ૨-૯-૩૮ ભાદરવા સુદ ૮, ૧૯૯૪ હરિગીત — નીઁ નાથ, જગમાં સાર કાંઈ, સાર સદ્ગુરુ પ્યાર છે, પ્રભુ, પ્રેમના અવતાર, અતિ ઉપકાર આપ અપાર જે; વાળ્યા વળે નહિ રકથી, દર્દીનનાથ, કિંકર શું કરે? નિસ્પૃહતા આગ્રહ વિનાની, લઘુતા વૌં રહી ઉરે. અત્રે પર્યુષણુપ ની રૂડી રીતે સદ્ગુરુકૃપાથી આરાધના થઈ છેજી. ભક્તિભાવ, પ્રભાવના, તપ, દાન આદિ યથાશક્તિ થયેલ છેજી. આપને પત્ર વાંચી સતાષ થયેલ છે. સર્વ ભાઈએ સપ રાખી માન-કષાય નરમ પાડી અને સત્સ`ગમાં જોડાયેલા રહેશે એ ભલામણુ છેજી. સની પ્રકૃતિ સરખી હાતી નથી અને આપણું ધારેલું સંસારમાં પણ નથી થતું તે ધર્મની બાબતમાં આપણું ધાર્યું કરવાના આગ્રહ એ ઊંધી સમજ જ છે; પરમાની જેને જિજ્ઞાસા વર્તે છે તે જીવે તેા ‘હું કંઈ જ જાણતા નથી’ એવે વિચાર દૃઢ કરી સદ્ગુરુશરણે રહેવા યાગ્ય છે. મારાથી સર્વ સારા છે. “અધમાધમ અધિક પતિત, સકળ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શુંય ?” = એ રાજ ખેાલીએ છીએ, તે આચરણમાં મૂકવાના અવસર સમૂહમાં રાજમંદિરમાં વતા હાઈ એ ત્યારે છે. કોઈ પણ વાતની ખેંચાતાણુ ન થાય, અને અત્રેથી આવેલા બધા મુમુક્ષુએ તમારા સપ જોઈને ચકિત થઈ ગયા હતા કે બધા એક જણ કહે તે ઉત્સાહથી કામ ઉપાડી લે છે – જાણે દેહનાં અનેક અંગામાં એક જીવ હાય તેમ ત્યાં સર્વ સુમુક્ષુએમાં એક આત્મા, સદ્ગુરુપ્રેમ જણાય છે. આ તમારી ખ્યાતિ ટકી રહે, એક જ ગુરુના શિષ્યેામાં જે પરસ્પર પ્રેમ હાવા ઘટે તેમાં વિક્ષેપ ન પડે તેમ વવા સને મારી નમ્ર અરજ છેજી. આખા વર્ષીમાં કઈ પણ આપણા મનવચનકાયાથી વિપરીત વન થયું હોય તે ભૂલી જઈ, જાણે થયું જ નથી એમ ગણી, મૈત્રીભાવ વધારી વવાને માટે પર્યુષણુપ'ની યેાજના સનાતન રીતિએ ચાલી આવે છે તેના લાભ લઈ, મૈત્રીભાવમાં તૂટક પડવાનાં કારણેા હાય તેમાં પેાતાના કેટલા દેષ છે તે તપાસી તે સુધારી લઈ આપણા નિમિત્તે કઈને ક્રોધાદિમાં પ્રવતવું પડયું હાય તેની ઉત્તમ ક્ષમા યાચી લેવી ઘટે છે. ખીજું, ધમ ને નામે ધન ખચવાની જૈનામાં જૂની પ્રથા પડેલી છે, તે એક રીતે ઠીક છે. જે કામમાં લેાલ વધારે હાય તેને લેાભ મદ કરવા વિશેષ ઉપદેશ આપે તે વાજબી છે Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ મેધામૃત અને ધનને સસ્વ માનનાર ધનના ત્યાગ કરવા તત્પર થાય તા ખીો ત્યાગ સહેલા પણ થઈ પડે, પરંતુ આત્માર્થી જીવ જે જે કરે તે આત્માને હિત થાય તેવું કરે. આત્માર્થે કરે તે ધર્મ થાય એમ પ. . પ. પૂ. પ્રભુશ્રીજી પણ કહેતા હતા. વળી એમ પણ તેઓશ્રી કહેતા હતા કે કઈ ધનથી જ ધર્મ થતા નથી; કાયાથી વિશેષ થાય છે. સદાચરણથી પ્રવર્તે કષાય મંદ કરે, વિનય આદિથી સને પ્રસન્ન રાખે, કઈ ક્રોધમાં આવીને કઈ અયેાગ્ય ખેલી ગયેા હાય તે ભૂલી જાય અને ક્ષમા ધારણ કરે તે છ માસના ઉપવાસનું ફળ પામે; આમ સત્ અને શીલની તથા સત્પુરુષ પ્રત્યે શ્રદ્ધાની બહુ ભાર દઈને તે વાત કરતા હતા. જો એક સત્પુરુષ પ્રત્યે સાચી શ્રદ્ધા હૃદયમાં વસી તેા પછી જે જે તે પુરુષને ઉપાસતા હોય તે બધા પ્રત્યે તેને હૃદયના સાચા પ્રેમ પ્રગટે. પેાતાના પુત્ર કઈ અપશબ્દ ખાલી જાય તે તેને જેમ શિખામણ દઈ સુધારે પણ તેના પ્રત્યે વેર ન રાખે, તેને સ`ભાર સંભાર ન કરે; તેમ કોઈ મુમુક્ષુ દ્વારા આપણા ધારવાથી વિરુદ્ધ વન થઈ ગયું હેાય તેા તેને વાત્સલ્યભાવથી, હૃદયની ખરી ઊંડી લાગણીથી, ધમ`સ્નેહથી પેાતાનાથી બને તેટલા સમજાવવા પુરુષાર્થ કરવા, તેમ છતાં ન માને તે તેના તે કમની તીવ્રતા. ઉદાસીનતા રાખવી, પશુ દ્વેષ કોઈ પ્રત્યે કન્ય નથી. તેમ જ જે મુમુક્ષુના મનમાં એમ આવે કે મારાથી કઈ ધર્મ થતા નથી, મારાં આચરણથી ઊલટા ખીજા વગાવાય માટે મારે રાજમન્દિરમાં જવામાં લાભ નથી; આવા ભાવ ઉપર ઉપરથી જોનારને કઈક ઠીક લાગે, પણ તે પેાતાને અને પરને બન્નેને નુકસાનકારક છે. તેવા કર્મીના ઉદયે તેવા ભાવમાં તણાઈ ન જવાય, પણ મિત્રો એકઠા મળે ત્યારે તે વાતની ચર્ચા કરીને કે એકાદ મિત્રની સાથે દિલ ખોલીને ખુલાસા કરી લેવા ચેાગ્ય છે. અને વિચારણા કરે તા જણાય કે સત્સંગ સિવાય સુધરવાને બીજો કોઈ ઉપાય જગતમાં જણાતા નથી, અને જે સત્સંગથી દૂર રહે છે તે દોષોને જ આમંત્રણ આપે છે. સારી સેાખત છૂટી તા સંસારને વધારનારી વાસનાઓથી તે ઘેરાઈ જવાના અને તેને સારા વિચારાના આછે અવકાશ રહેવાના. માટે કલ્યાણનાં કારણેામાં મુખ્ય એવે. સત્સંગ નિર'તર સેવવા ચાગ્ય છે, ભાવવા યેાગ્ય છે. તે પ્રત્યે જેને જેને અભાવ થાય છે તે દુર્ગતિના ભાગી થાય છે. માટે જેને જન્મમરણના ત્રાસમાંથી છૂટવું હોય તેણે તે સત્પુરુષ, સત્પુરુષનાં વચના, તેને આશય અને તેના આશ્રિત મુમુક્ષુએ પ્રત્યે પ્રેમ વધમાન કરવા ચેાગ્ય છેજી. તેથી શ્રદ્ધા પાષાય છે. ‘શ્રદ્ધા પમ તુ[' એ શાસ્ત્રવચન પ. પૂ. પ્રભુશ્રીજી વારવાર કહેતા. એક વખતે સ'વત્સરી પ્રસંગે સર્વાંને છૂટા પડતા પહેલાં સંભારણા તરીકે એ વચન આપી કહ્યું કે આવતા વર્ષે બધા ભેગા થઈ એ ત્યાં સુધી આ વચનના વિચાર કરશેા.” ખાર મહિના સુધી એટલા વચન ઉપર વિચાર કરીએ તાપણુ આછે છે. એવા દુર્લભ વચનના કહેનાર સત્પુરુષના યાગ જેને થયા છે, તેણે આત્માથી સૌ હીન” એમ જાણી આ જગતના પદાર્થાંમાં નહીં તણાતાં, લૌકિક ધર્માંના પૂરમાં ન પડતાં સત્પુરુષે કહ્યું છે તે તરવાનું સાધન છે. “સૌ સાધન બંધન થયાં, રહ્યો ન કોઈ ઉપાય”, તેવાં સાધન હવે આજ્ઞા વિના નથી કરવાં એવી દૃઢ માન્યતા કરવા ચેાગ્ય છે. સત્સાધન’માં મંડયા રહેવું. ૐ શાંતિ: શાંતિ: શાંતિ: Page #162 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૧૩૯ ૧૩૯ અગાસ, તા. ૧૪-૯-૩૮ તત્ સત ભાદરવા વદ ૫, બુધ, ૧૯૯૪ આપના ઉપર ઘણું પત્રો ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીના વખતમાં લખાયેલ છે, તે વિચારતા રહેશે તે ઘણે લાભ થવા સંભવ છે. તથા પરમકૃપાળુદેવના પુસ્તકમાંથી બને તે છેડા વહેલા ઊઠી એકાંતમાં વિચારવાનું રાખશે અને રેજ વાંચનને ક્રમ રાખશો તથા પિતાના દેષ જોઈ તે દૂર કરવાના પુરુષાર્થમાં ચિત્ત રહેશે તે સમજણશક્તિ પણ વધશે. સત્સંગની જરૂર છે. ન હોય ત્યારે સત્સંગતુલ્ય પુરુષનાં વચનને પ્રત્યક્ષ સત્પરુષની રૂબરૂમાં આપણે સાંભળીએ છીએ એવી ભાવના રાખવાથી, બહુમાન-ભક્તિભાવથી ઉપાસવાથી હિત થાય છેજી. માટે આળસ, પ્રમાદ ઓછો કરી વિષયકષાય મંદ કરી સદ્ગુરુનાં વચનેમાંથી “ઉપદેશછાયા', “મોક્ષમાળા”, “ભાવનાબેધ” આદિ સહેલા ભાગ વાંચવાનું રાખશો તે વિશેષ સમજાશે. આપણુમાં શક્તિ છે તેને દુરુપયોગ થતું અટકાવીએ તે સન્માર્ગની વિચારણા કરવાની યેગ્યતા પ્રાપ્ત થાય છે, અને સન્માર્ગ વિચારાય તે તેમાં પ્રવૃત્તિ પણ થાય. માટે પ્રમાદ ઓછો કરવાને ઉપગ રાખ્યા કર ઘટે છેજ. જીવને કલ્યાણને સર્વોત્તમ ઉપાય તે સત્યરુષના ચરણ સમીપનો વાસ છે, પણ તેવી જોગવાઈ ન હોય ત્યારે તેની ભાવના રાખવી અને તે વિયેગને વિરહ ન ખમાય તેવી ભક્તિ રહ્યા કરે તેપણ કલ્યાણનું કારણ બને છે. ૫. ઉ. પ. પૂ. પ્રભુત્રીજી વારંવાર કહેતા કે અમને તે વિરહમાં રાખીને પરમકૃપાળુદેવે અમારું કલ્યાણ કર્યું છે. પણ તેમની તેવી યોગ્યતા હતી, ભક્તબીજ પ્રગયું હતું. પણ તે દશા આવ્યા પ્રથમ તે સત્સંગને વિયેાગ તે કલ્યાણના વિયેગ સમાન છે. આપ સમજ છે તેથી પરમકૃપાળુદેવની ભક્તિમાં ચિત્ત રાખવાનું ચૂકશો નહીં. કાળને ભરોસો નથી. સ્ત્રી, ધન આદિ અનંત વાર મળ્યાં છે, પણ ધર્મ આરાધવાને આ યોગ મળ્યો નથી, મળ્યું હશે તે આરાધ્ય નથી; તે હવે તેની ભૂલ રહી ન જાય તે માટે ચેતતા રહી વૈરાગ્ય-ઉપશમની વૃદ્ધિ કરવા ભલામણ છેજ. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૪૦ અગાસ, તા. ૨૨-૯-૩૮ તત્ ૐ સત્ ભાદરવા વદ ૧૪, ગુરુ, ૧૯૯૪ હરિગીત – શીતળ શશીકર કાંતિસમ સબધ ઉર અજવાળ, જગ-કપનાની જાળને છૂપે છું જે બાબતે કપતરુ સમ સદ્દગુરુ શ્રી રાજચંદ્ર, અહે! અહો ! કળિકાળની દુઃખ-ઝાળ છેડી વૃત્તિ તુમ ચરણે વહે. સ્મૃતિ આપની સભાવ પ્રેરે, આત્મરૂપ જ આપે છે, ભક્તિ વિના ભાળી શકે શું? અંધ બેધ વિના, પ્રલે ? શ્રદ્ધા સખી સાક્ષી પૂરે, તુજ ગ ભવહારક, અહો! કૃતકૃત્યતાને હેતુ તે, તે વૃત્તિ પ્રભુ-ભાવે વહો. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ બેધામૃત તમારા ઘરમાં બાઈને ભારે માંદગી આવી ગઈ, હવે કંઈક આરામ છે એમ આપના પત્રથી જાણ્યું. પરમકૃપાળુદેવનું શરણ અને તેને આશ્રય મરણ વખતે પણ મદદરૂપ છે તે વ્યાધિ વગેરેના પ્રસંગે પણ તે અત્યંત ઉપકારી જાણું તે પરમ પુરુષે જણાવેલ મંત્ર, ભક્તિના વીસ દોહરા, યમનિયમ, છપદને પત્ર, ક્ષમાપનાને પત્ર અને આત્મસિદ્ધિ મુખપાઠે હોય તે તેમાં વૃત્તિ રાખવાથી ઘણે લાભ થવા સંભવ છે. જ્યારે ખાવું ભાવે નહીં, બોલવું ગમે નહીં, સંસારના ભંગ અપ્રિય લાગે એવા માંદગીના પ્રસંગમાં મેહનું બળ હેતું નથી, તે વખતે પુરુષને બેધ, તેની આજ્ઞાએ જે જે વચનામૃતે મુખપાઠ થયાં હોય તેને વિચાર અને તે પુરુષ જેવો પરમ ઉપકાર કરનાર ત્રણ લેકમાં મને દેખાતું નથી, એ વિશ્વાસ જીવને સમ્યફ વિચારનું કારણે થાય છે. માટે સધર્મનું અવલંબન, સત્પષની વીતરાગ મુદ્રા, તેમને સમાગમ, તેમની ભક્તિ, તેમને ઉપદેશ, તેમની મનવચનકાયાની પ્રત્યેક ચેષ્ટાની સ્મૃતિ એવા વખતમાં જીવને અનેક કષ્ટો સહન કરવાનું બળ પ્રેરે છે. મને દુઃખ થાય છે કે રહેવાતું નથી, દવા સારી કરો કે મારી સેવા-સંભાળ રખા વગેરે કર્યા કરતાં તે વખતે, મને કઈ ભક્તિનાં પદ સંભળા, ચિત્રપટનાં દર્શન કરાવો, પ્રભુશ્રીજીના સમાગમની યાદ દેવરાવો, તેને કઈ ગુણગ્રામ ગાઓ, તેમણે પરમ નિષ્કારણ કરુણાથી આપેલ મહામંત્ર મને સંભળાવો, તેમના બેધમાંથી કંઈ યાદ રહ્યું હેય, લખાયું હોય, છપાયું હોય તે મને સંભળાવો, દેહભાવ ભુલાઈ સપુરુષની ભક્તિનો રંગ લાગે તેવી કઈ વાત કહે, મરણનાં ભયંકર દુઃખ સહન કરનાર ગજસુકુમાર જેવા મહામુનિની ધીરજ કોઈ કહી બતાવો, દેહ છતાં જેની દશા દેહરહિત હતી તેવા પરમકૃપાળુદેવની વાતે કંઈ સંભળાવો – આવા ભાવ વારંવાર સેવવાથી શુભ લેગ્યા રહે છે અને ધર્મધ્યાન થાય છે, વેદનામાં ચિત્ત જવાથી આકુળવ્યાકુળ ચિત્તને લીધે આર્તધ્યાન થતું હોય તે રોકાઈ ધર્મધ્યાન થવાથી પૂર્વનાં પાપથી થતું દુઃખ છૂટતું જાય છે અને નવાં તેવાં કર્મ બંધાતાં નથી. ટૂંકામાં આત્મા પામેલા પુરુષ જેવો ધીંગ ધણી જેને માથે છે તેણે કંઈ ગભરાવા જેવું નથી. ધીરજ રાખી બાંધેલાં કર્મ વેઠી લેવા, સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવે છે. છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૪૧ અગાસ, સં. ૧૯૯૫ અનુષ્યપ – ખરે! મૃત્યુ પેઠે લાગે, કોઈને નહિ મૂકશે, માયામાં જે ભમે ભૂલી, આત્મહિત જ ચૂકશે. જન્મ મૃત્યુ જરા દુઃખ દીઠાં સંસારમાં મહા, કોઈ સંપૂર્ણ સુખી ના, તે શું ત્યાં રાચવું, અહા ! (પ્રજ્ઞાવબોધ – ૫) આપના પત્રથી સ્વ. ભાઈ...ના વિગતવાર સમાચાર જાણ્યા છે. રૂડા જીવો બહુ અલ્પ આયુષ્યવાળા હોય છે એમ સામાન્ય પ્રચલિત લેકવાયકા છે તે તે ભાઈએ ખરી પાડી. વિવેકી મુમુક્ષુનું કર્તવ્ય તે જ્ઞાનીને અભિપ્રાય પ્રમાણે વર્તવાનું છે. હર્ષશેકના પ્રસંગે તે જ્ઞાની આવા પ્રસંગે શું કરે? કેવા ભાવને ધન્યવાદ આપે? તે વિચારતાં જીવને ધીરજ Page #164 -------------------------------------------------------------------------- ________________ પગસુધા ૧૪૧ પણ આવવા સંભવ છે”. ઘણું ભેળા છે પણ આવા પ્રસંગે એમ ગણું સંતોષ માને છે કે મારે દીકરે ક્યાં હતે? ભગવાનનું ધન ભગવાને સંભાળી લીધું. મારે ત્યાં અનામત મૂકેલી થાપણ ઉપાડી લીધી. આમ માનીને પણ મન વાળે છે અને ખેદને દૂર કરે છે તે પણ એક અપેક્ષાએ આર્તધ્યાનથી બચે છે. જે સદ્દગુરુનાં વચન સાંભળી કંઈ મુમુક્ષતાને ગુણ ધારણ કરતા હોય તે જીવ સદ્દગુરુનાં વચન ઉપર વિશ્વાસ રાખી યથાર્થ સમજ કરે છે કે જે થાય તે ભલું માનવામાં આવે એમ સદ્ગુરુએ કહ્યું છે તેને મારે વિચાર કરવો. જે પુત્ર કહેવાતે તે આત્મા હતું, તેને તરફ મેહબુદ્ધિ કરી મને તે મદદ કરશે એવી આશા હું ધારતું હતું તે મારી ભૂલ હતી તે ભૂલ મરણ સ્વીકારીને તે બાળકે ગુરુરૂપે મને બતાવી કે કઈ કોઈનું નથી, સર્વ કર્મ આધીન પરવશ છે, મરણ વખતે માતાપિતા કે ભાઈબહેન કોઈ બચાવી શકે તેમ નથી, માત્ર એટલે બોધ અને વૈરાગ્ય જીવમાં પરિણામ પામ્યો હશે તેટલે જ ત્યાં બચાવ થાય તેમ છે. તે કર્મબંધથી મુકાવનાર છે. આવા દુઃખના, શોકના પ્રસંગે પણ બંધ અને વૈરાગ્ય સદ્ગુરુકૃપાએ જેટલે અંતરમાં ઉતાર્યો હશે તે આર્તધ્યાન કરતાં અટકાવશે કે ખાતર પાછળ દિવેલને ખર્ચ કરવા જેવું મરણ પાછળ દુઃખી થવું નકામું છે. નથી ગમતાં તેવા કર્મો નવાં બાંધવાનું કારણ, મહાભયંકર તિર્યંચગતિના બંધનું કારણ આર્તધ્યાન છે. સમજુ છો આવે વખતે ચેતી જઈ સદ્દગુરુનાં વચનોનું અવલંબન અને આશ્વાસન ધી સત્સંગ શોધે છે કે મુમુક્ષુજનેને સહવાસ ઈચ્છે છે, યાત્રા વગેરેને બહાને જે જે વસ્તુઓ જોઈને આર્તધ્યાન થાય તે તે વસ્તુઓ કે તે તે સ્થળેથી દૂર વિચરે છે, કંઈક ચિત્તની સ્થિરતા થયે ઘેર આવે છે પરંતુ મારવાડમાં તે વિલાપ કરવાને છ છ માસ સુધીને રિવાજ છે તેથી તે તે વાત ભુલાઈ જતી હોય તે તાછ કરી આધ્યાન ઊભું કરવાને ઊો રિવાજ છે ત્યાં મુમુક્ષુ જીવે કેવી રીતે આર્તધ્યાનથી બચવું તે બધા મુમુક્ષુજને મળી વિચાર કરશે અને કર્મબંધનાં કારણે ઓછાં થાય તે સન્માર્ગ કેમ વર્તમાન પ્રસંગે આદરે તે યથાશક્તિ વિચાર કરી સર્વને સમ્મત કઈ રસ્તો લેવા ગ્ય લાગે તે લે ઘટે છે. ગમે તે રસ્તે પણ શેક ઘટાડે. જ્યાં નિરૂપાયતા ત્યાં સહનશીલતા એ જ ઉપાય છે. છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૪૨ અગાસ, તા. ૧૯-૧૧-૩૮ આપને પત્ર ગઈ કાલે આવ્યો. વાંચી સમાચાર જાણ્યા છે”. તે વિષે થોડી વાત લખવા જેવી છે તે ધ્યાનપૂર્વક લક્ષમાં લેવા વિનંતી છે. આપણે બધા પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના ઉપાસક છીએ. તે આપણું જીવન છે. તે આપણે ઉદ્ધાર કરનાર છે. તેમની ભક્તિ આપણને ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ બતાવી છે. તે વાત હદયમાં કેતરી રાખવા જેવી છે. તે વાત ગમે તે આપણને કહે તે સાંભળવી અને પરમકૃપાળુદેવ પ્રત્યેની શ્રદ્ધા દઢ કરવી. તે વાત નિમિત્તવાસી છે આ કાળમાં ભૂલી જઈ જે વાત કરનાર હોય તેના પ્રત્યે પ્રેમ ઢળી દે છે. તેવી ભૂલ સપુરુષને આશ્રિત ન કરે. પતિવ્રતા સ્ત્રી જેમ દિયેર, જેઠ, પાડોશી Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪રી બેધામૃત કે નેકર આદિ અનેક પુરુષને મળે છે, વાતચીત કરે છે, પણ કોઈને પતિને ઠેકાણે કે તેથી અધિક કદી ગણતી નથી, તેમ મુમુક્ષુને પરમ પુરુષ પ્રત્યે પ્રેમ બંધાયેલ છે તે બીજે ઢળી ન જાય તેટલા માટે આ સૂચના આપી છે. આ કેઈ દેષ તમારામાં છે એમ નથી કહેવું, પણ જીવતાં સુધી આ વાત સમજી મક્કમ રહેવા માટે લખી જણાવ્યું છે. | મારા પ્રત્યે કે પૂ. હીરાલાલ, પૂ. શિવજી, પૂ. જેસંગભાઈ, પૂ. ચુનીભાઈ, પૂ. ભગતજી વગેરે પ્રત્યે એક મુમુક્ષુભાઈ ધર્મના સગા તરીકે દષ્ટિ રાખો તેમાં હરકત નથી; પણ કેઈની વાણી, કોઈનું લખાણ કે કોઈની સમજણ, બુદ્ધિ કે પરોપકારવૃત્તિ જોઈ મૂળ પરમપુરુષ પ્રત્યેના પ્રેમમાં અંશે પણ ઘટાડે ન થાય, ઊલટું તેના આશ્રિતમાં સારા ગુણે જઈ પરમકપાળદેવના માર્ગની પ્રભાવના થાય તે સારું એ ભાવ રાખો અને તે પરમપુરુષના યોગબળે સર્વે ઉત્તમ ગુણવાળા જણાય, તેમના જેવા ગુણો આપણામાં પ્રગટે તેવી ભાવના વધારવી. પણ અમુક મને બહુ ઉપકારી છે કે આ જ મને તારશે એ ભાવ સ્વપ્નમાં પણ ન આવે તેવી સાવચેતી ભવિષ્યમાં પણ રહેવા આ ભલામણ નમ્રભાવે કરું છું તે સ્મૃતિમાં રાખવા વિનંતી છે. આપણે બધા જે વહાણુમાં બેઠા છીએ તે મજબૂત, પાર પહોંચાડે તેવું છે. તેને વીમો ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ ઉતરાવેલ છે. હવે તે ફરી જહાજ મૂકી કઈ રંગેલું નાવડું જઈ તેમાં કૂદી ન પડવું. પરમકૃપાળુદેવને પરમ પ્રેમે ભજે અને તેમાં તેને નુકસાન જાય તેની જવાબદારી ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ લીધી છે તેથી વિશેષ ખાતરી આપણે શી જોઈએ? આપણાથી અધિક ગુણ હોય તેને અવલંબને આપણે વિશેષ ગુણ પ્રગટાવવા, સમાન ગુણી હોય તેના સંગે પણ જે ભૂમિકા છે તે ટકાવી રાખવી, પણ આપણાથી પણ ઊતરતા વૈરાગ્યભાવવાળે હોય તે દેખી આપણે મંદ ન બનવું; પણ તેને પણ આપણું ભક્તિભાવથી લાભ થાય તેમ આપણે પરમપુરુષને અવલંબને વર્તવું. ધામણ બધા ભાઈઓ મળતા છે તે આ પત્ર સર્વેને વંચાવશે. સંપ રાખવાની ૫. ઉ.પ. પૂ. પ્રભુશ્રીજીએ નાસિકથી આવીને કરેલા બેધમાં કેટલી શિખામણ છે તે માનશે તે સુખી થશે અને જ્ઞાનીની આજ્ઞા ઉઠાવનાર કહેવાશે. કુસંપ તે તરફ સાંભળીશ ત્યાં સુધી મંદિર થાય તે પણ મારી તે તરફ આવવા વૃત્તિ થતી નથી. એ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૪૩ અગાસ, તા. ૩-૧૨-૩૮ તત્ સત્ માગશર સુદ ૧૧, શનિ, ૧૯૯૫ દાહરા – “ઉપકારી સત્યરુષની, આશ્રય-ભક્તિ સાર; આરાધે આદર કરી, તે પામે ભવપાર.” “દુનિયા મરનેસે ડરે, મેરે મન આનંદ, કબ મરશું કબ ભેટ, પૂરણે પરમાનંદ તમારા કાર્ડથી સ્વ. ધર્મજિજ્ઞાસુ .....ના અચાનક દેહત્યાગના સમાચાર સાંભળી ખેદ થયે જી. સર્વ મુમુક્ષુવર્ગને પણ નવાઈ અને ખેદ થયેલ છે. તેમના અલ્પ પરિચયવાળા જેને Page #166 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૧૪૩ પણ તેમના મળતાવડા અને ગંભીર સ્વભાવથી આ સમાચાર જાણી ખેદનું કારણ બને તે તેમના વિશેષ પરિચય અને સગાઈસંબંધવાળાને વિશેષ શેકનું નિમિત્ત બનવા સંભવ છે. છતાં વિચારવાન જીવે તે ખેદને વૈરાગ્યમાં પલટાવી આત્મહિતમાં વિશેષ જાગ્રત થવું ઘટે છે. પિતાના સ્વાર્થ માં ખામી પડી એમ ગણુ ખેદ કરવા કરતાં તે જીવનું આયુષ્ય વિશેષ હોત તે વિશેષ ધર્મ આરાધન કરી વિશેષ કલ્યાણ સાધી શકત, એવા દુર્લભ મનુષ્યદેહની સામગ્રી તેમની લૂંટાઈ ગઈ તે ખરું ખેદનું કારણ તે જ્ઞાની ગણે છે. “જોકે ઉપાધિ તે કર્મવશાત્ સર્વ જીવાત્માને ઉદયમાં છે તે વેદવી જ પડે છે. એમાં કઈ સુખદુઃખ લેવા અથવા દેવા સમર્થ નથી. પણ જે એક યથાતથ્ય સતશ્રદ્ધા થાય તે આ મનુષ્યભવનું મૂલ્ય કઈ રીતે થાય એવું નથી અને તે સર્વ કરી ચૂક્યો એમ સમજવું ઘટિત છે. એવો જોગ અત્રે આવ્યા છે અને આ ક્ષણભંગુર દેહ ત્યાગ થાય છે તેમ દેખાય છે અને વળી સ્વજન-પ્રિયજનનું તેવું થતું પ્રત્યક્ષ ભળાયું છે એમ જાણી સમભાવ રાખી ધર્મમાં ચિત્ત જોડવું એ જ કર્તવ્ય છે. થવાનું થઈ રહ્યું છે, બનવાનું બની રહ્યું છે, કંઈ કેઈન હાથમાં નથી. આ કાળમાં દુર્લભમાં દુર્લભ સત્સંગ છે.” આપણે માટે પણ એક દિવસ નિર્ણત થયેલ છે, તે દિવસે આપણે પણ સર્વ સંબંધ, સગાંકુટુંબ, ધન, ઘર, મિલકત, સર્વ ઓળખાણ મૂકી એકલા જવાનું છે. તે દિવસે સંસાર પ્રત્યેની વાસના આપણને દુઃખ, ખેદ ન ઉપજાવે તેવી તૈયારી કરવા જેટલું આયુષ્ય હજી આપણી પાસે છે, ત્યાં સુધીમાં સધર્મનું આરાધન વિશેષ ભાવથી કરી સમાધિમરણ થાય તેટલા માટે આજથી જ વૈરાગ્ય ત્યાગને અભ્યાસ કરીએ તે છેવટે પસ્તાવો ન થાય અને નિશ્ચિતપણે, નિર્ભયપણે, નિઃખેદપણે સત્પરુષના આશ્રય સહિત હર્ષ પૂર્વક દેહ છોડી શકીએ અને મોક્ષને નિકટ લાવી શકીએ એટલું આવા કળિકાળમાં પણ આપણાથી બને તેવું છે, તે મૂકી શેક અને ખેદમાં કાળ નહીં ગાળે એમ ઈચ્છું છું. આત્મસ્વરૂપને આવરણ કરે તેવા આધ્યાનવાળું પ્રવર્તન પુરુષના શિષ્યોને પાલવે નહીં. એ જ સમજુને વિશેષ શું લખવું? છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૪૪. અગાસ, તા. ૮-૧૨-૩૮ તત્ સત્ માગસર વદ ૧, ૧૯૯૫ આપના પ્રશ્નોના ઉત્તર આપતાં પહેલાં જણાવવું જરૂરનું છે કે માત્ર પત્રથી મનને સંતોષ આપવા કરતાં અવકાશે કેઈ વખત અત્રે પધારવું થાય તે રૂબરૂમાં વિશેષ સંતોષ થવા સંભવ છે. તેમ છતાં તે પ્રારબ્ધાધીન હોવાથી ટૂંકામાં પ્રશ્નોત્તર જણાવું છું (૧) શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાંથી પાન ૭૩૮ આંક ૧૮ થી ૨૨ તથા પત્રાંક ૪૫ને છેલ્લો ભાગ વિચારવા ભલામણ છે. તે વારંવાર વિચારતાં પ્રશ્ન પહેલો સમજાશે. ઘણા જીવને કલ્યાણકારી એવા સાચા પુરુષ અને તેને માર્ગ પ્રત્યે જીવને ક્રોધ, નિંદા, વૈર આદિ ભાવોની તીવ્રતા ઉત્કૃષ્ટપણે વર્તે તે દર્શન મેહને ઉત્કૃષ્ટ સ્થિતિને સિત્તેર કડાકોડી સાગરોપમને બંધ સંભવે છે. તે ભાવ પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુએ ઉત્તમ શબ્દોમાં ઉપર જણાવેલ Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ બેધામૃત બને સ્થળે વિસ્તારથી જણાવેલ છે તે વિચારશે. ક્રોધની પેઠે, પુરુષને ઉપર ઉપરથી રાજી રાખી અંદર હૃદયમાં સંસારવાસના પિષે તેવી માયા કે મેટું પદ ધારણ કરી ધર્મને નામે સંસારભાવે સેવી સન્માર્ગને લજવે તેવું વર્તન વગેરે ઘણું જીવોને સન્માર્ગથી વિમુખ કરાવે તેવાં કૃત્યે જે ભાવથી થાય તે મહાભયંકર બંધના કારણે છે. ગોશાલાની પેઠે પિતાનાં માનપૂજામાં મહાપુરુષને વિન્નરૂપ ગણી તેમના વધ માટે તૈયાર થઈ જવા જેવા ભાવ તથા લેભના દષ્ટાંતમાં ઈસુ ખ્રિસ્તને તેના શિષ્ય જ લાંચની ખાતર પકડાવી ફાંસી (કૅસ) ઉપર ચઢાવ્યા હતા. આ બધાં ગમે તેવાં દૃષ્ટાંત પણ આપણે આપણે વિચાર કરે કે મને કલ્યાણ કરવામાં શું આડે આવે છે? કયે કષાય વધારે નડે છે? તેની મંદતા કેમ થાય? આદિ પ્રશ્નો એકાંતે વિચારી હિત સાધવું. (૨) કરેડને કરડે ગુણતાં જે સંખ્યા આવે તેને કેટકેટ કહે છે. (૩) ગદષ્ટિ સમુચ્ચય' ગ્રંથમાં શ્રી હરિભદ્રાચાર્ય “ભાવમલી ૩૦મી ગાથામાં વાપરે છે, અને તેને પિતે અર્થ એ કરે છે કે “તે તે પુદ્ગલ આદિ સંબંધની ચોગ્યતા” તે ભાવમલ છે એટલે કર્મ “ચાર ગતિરૂપ સંસારમાં આ જીવ અકામ નિર્જરા વડે ઘણે ભાવમલ-કર્મને ક્ષય કરે છે, પણ મનુષ્યગતિ સિવાય આ યુગનાં બીજ ક્યારે પણ મેળવી શક્તિ નથી.” ભાવમલ, કર્મકલંક, કર્નરજ એ બધા એક જ અર્થ દર્શાવતા શબ્દો છે. () જ્ઞાની પુરુષ સાચા મોક્ષમાર્ગના ઉપદેશનાર છે, જેમ તે કહે છે તેમ જ મોક્ષમાર્ગ છે, એવી પ્રતીતિ, એવી રુચિ અને એવા આશ્રયને તથા આજ્ઞાને નિશ્ચય તે જ્ઞાની પુરુષને નિશ્ચય છે, અને તે પુરુષ પ્રત્યે અર્પણભાવ છે, તેનું કહેલું સર્વ સમ્મત કરવું, તેમાં કંઈ સંશય કે ભેદભાવ ન રહે, ગમે તે કસોટીના પ્રસંગે પણ વિષમભાવ ન ઉદ્ભવે તેનું નામ અંતભેદ ન રહ્યો. * ગણાય; અને જ્ઞાનીના ઉદયાદિ કર્મ પ્રત્યે દષ્ટિ જતાં જે મનમાં એમ થાય કે ઉપદેશ તે સારે કરે છે પણ વર્તનમાં ઠેકાણું નથી, કંઈક સંસારી ભાવ તેમને પણ જણાય છે એવા ભાવ ઊગવા તે અંતભેદ સમજાય છે. જ્ઞાનીના અંતરના ભાવ જે આત્મપરિણામરૂપ હોય છે તે લક્ષ ચુકાઈ બાવર્તનથી જીવને જે કંઈ અણજગતું દેખાય તે અંતભેદ છે, એટલે યથાર્થ ઓળખાણ ન થવા દે કે થઈ હોય તેમાં સંશય પાડે તેવાં કારણે અંતભેદ સમજવા ગ્ય છે”. (૫) આ છેલ્લા પ્રશ્નનો ઉત્તર એક મુનિ મહારાજે લખેલે તે જ તમને ઉતારી એક છું તે વિશેષ હિતનું કારણ છે એમ જાણી મેં કંઈ તેમાં ડહાપણ કર્યું નથીજી – “ચોથા ગુણસ્થાનકવાળા જીને ત્રણ પ્રકારના સમકિત હોવા ગ્ય છે: ઉપશમ, ક્ષયપશમ અને ક્ષાયિક. તેમાં જે જીવને જે સમકિત હોય તે તે પ્રકારે તેની દશા છે. તે દશા મુખ્ય તો સાત પ્રકૃતિ – અનંતાનુબંધી ચાર તથા દર્શન મેહનીયની ત્રણ – એ સાત પ્રકૃતિને ઉપશમ હોય તો ઉપશમ સમકિત કહેવાય અને ક્ષયે પશમ હોય તો ક્ષયપશમ સમકિત કહેવાય અને સાત પ્રકૃતિને ક્ષય હોય તો ક્ષાયિક સમક્તિ કહેવાય. તે ક્ષાયિક સમકિતી નિરંતર આત્મ * જુઓ પત્રાંક ૬૪૨ Page #168 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૧૪૫ વિચારમાં રહે છે અને તે આત્મવિચાર જ તે જીવને સંપૂર્ણ કર્મને ક્ષય -અભાવ કરાવી મોક્ષે પહોંચાડે છે. આ સંબંધી આ લખાણ ઘણું સંક્ષેપમાં કર્યું છે અને તે ક્ષાયિક સમકિતી જીવને જે સાક્ષાત્ શ્રુતકેવળી ભગવાન કે સર્વજ્ઞ ભગવાનના ચરણમૂળમાં થયેલે જે અપૂર્વ બોધ – તે બેધને લઈને જે પિતાનું અનાદિ સનાતન ધર્મમાં રહેલું સહજત્મસ્વરૂપ, શુદ્ધચૈતન્યસ્વરૂપ શુદ્ધ જ્ઞાન-દર્શનની મૂતિ, શુદ્ધ ઉપયાગ કે શુદ્ધ ચેતના જે પિતાનું મૂળ સ્વરૂપ છે તે જ પિતાનું માને છે. એ સિવાયની સર્વ ઉપાધિ કે સર્વે સંજોગોને અનિત્ય, અશરણ અને પિતાના ત્રણે કાળને વિષે નહોતા અને છે પણ નહીં એટલે દેહાદિક સર્વે અન્ય ભાવના સાક્ષીભાવે રહે છે અને શુદ્ધ જ્ઞાનદર્શનની મૂર્તિ, શુદ્ધ ચૈતન્ય કે શુદ્ધ ઉપયોગસ્વરૂપ ધમૂર્તિ એ જ મારું સ્વરૂપ છે અને ત્રણે કાળ હું તે જ સ્વરૂપ છું તથા અનંત દર્શન-જ્ઞાનસ્વરૂપ, અવ્યાબાધ, અમૂર્ત સ્વરૂપ જે છે તે જ હું છું તથા તે જ મારું સ્વરૂપ છે એમ માને છે. શી દશા? એટલે દશા તે તેની પરમ ઉપશમ, ઉપર કહી ગયેલા કક્ષાના અભાવરૂપ સમદશા છે, તેના આત્મામાં ગમે તેવાં સમ, વિષમ નિમિત્ત આવ્યા છતાં હર્ષશેક થતું નથી – અર્થાત્ સમકિતી જીવ હર્ષશેક કરતું નથી, એટલે તેની દશા સમ કહી. એ સમદશા એટલે સાત પ્રકૃતિના અભાવરૂપી જે દશા થઈ તે દશા સમ ગણવી. ચેથા ગુણઠાણાવાળાની દશા પરમ કણસાગર કૃપાનાથે (શ્રીમદ્ રાજચંદ્ર) ગણધર જેવી મોક્ષમાર્ગની પ્રતીતિ હોય એમ કહ્યું છે એટલે દર્શન અપેક્ષાએ ગણધર જેવી દશા હોય. સમકિતીના હૃદયમાં સ્ત્રી, પુત્ર, ધન, ધામાદિ જે પાંચ ઇંદ્રિયેનાં સાધન છે તેને કાળકૂટ ઝેર સમાન માને છે અને નિરંતર તેને વિષે આત્મપરિણતિએ કરીને ત્યાગબુદ્ધિ વર્તે છે. અપ્રત્યાખ્યાન કષાયના ઉદયથી બાહ્ય ત્યાગ ન થઈ શક્યો હોય તે પણ સમ્યક દષ્ટિ જીવ અંતર્યામી છે, સર્વસંગથી રહિત છે, કારણ કે અસંગ એવું આત્મસ્વરૂપ એ જ પિતાનું માન્યું છે એટલે એ સિવાયનું બાકીનું સર્વે એના જ્ઞાનમાં ત્યાગ છે. આ પ્રશ્ન ઘણું કરી પરમધદાતા કૃપાળુદેવે ડુંગરશી શળિયાને પૂછવું છે.” સદ્દગુરુના બેધને વિચારતાં, સદ્દગુરુએ દેહથી ભિન્ન આત્મસ્વરૂપ કહ્યું છે તે માનતાં અને જ્ઞાનવૈરાગ્યવંત દશા પામતાં ચોથું ગુણસ્થાનક સંભવે છેજ. આટલાથી સંતોષ માની લેવા જેવું નથી. સાકરને સ્વાદ કે હોય એમ તમને કોઈ પૂછે તે તેનું વર્ણન તમે સાકર ચખાડીને આપણે તેના જેવું કદી અન્ય રીતે શબ્દથી થઈ શકે એમ નથી. માટે સર્વ ભાવ અનુભવગમ્ય છે. શબ્દો માત્ર નિશાનીરૂપ છે. જેમ બીજને ચંદ્ર આકાશમાં ઊગ્યો હોય તે કોઈને આંખની ઝાંખપથી ન દેખાતું હોય તેને આંગળી કરી ચંદ્રની રેખાનું સ્થાન બતાવે તે દિશામાં જ તેની દષ્ટિ જાય અને આંખનું તેજ હોય તે દેખી શકે, તેમ આત્મદશાનાં વર્ણને બધાં દિગ્દર્શનરૂપ છે. પોતાની યેગ્યતા વધે તે દષ્ટિગોચર થવા લાગ્યા છે. દેખાડનારની આંગળીને જોયા કરે તે આકાશમાં ચંદ્ર ન દેખાય; પણ જ્યાં નજર પહોંચાડવી જોઈએ ત્યાં પહોંચાડે, આડુંઅવળું જોવાનું બંધ કરે તે સૂફમદષ્ટિથી બીજને ચંદ્ર જણાય છે તેમ સમ્યક્દષ્ટિ થતાં પહેલાં જીવને ઘણી તૈયારી, યોગ્યતાની જરૂર છે. તે માટે ઉપશમ, વૈરાગ્ય, સત્સંગ, સપુરુષનાં વચનોની પ્રતીતિ અને તેની આજ્ઞા 10. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ બેધામૃત ઉઠાવવાની પરમ જિજ્ઞાસા કેળવાશે તે “મુખ આગલ હૈ કહ બાત કહે એમ શ્રીમદ્ રાજચંદ્ર લખ્યું છે. શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૪૫ અગાસ, તા. ૩૧-૧૨-૩૮ ધીરજ, ક્ષમા, સમભાવ, સહનશીલતા, અપ્રતિબંધ, અસંગ, અને સમાધિમરણ આ બેલે બહુ વિચારવા યોગ્ય છે. અનિત્યભાવના વૈરાગ્યપ્રેરક છે અને પુરુષનાં વચનમાં વિચાર કરાવી દઢતા કરાવનાર છે. તેની હાલ બહુ જરૂર છે જી. ૧૪૬ અગાસ, તા. ૬-૧-૩૮ તત્ સત્ પોષ વદ ૧, શુક્ર, ૧૯૯૫ દેહરા – કાં ખાતાં જગજને, મેહ-નીંદનું જોર લૂંટતા સર્વસ્વ જ બધે અરે ! કર્મરૂપ ચેર. સદ્દગુરુના ઉપદેશથી, મેહ-નીંદ ઊડી જાય; તે ઉપાયે આદર્યો કર્મચાર રેકાય. જ્ઞાન-દીપ તપ-તેલ ભર, ઘર શોધું ભ્રમ ખાઈ પૂર્વ ચાર કાઢે બધા, છૂપે રહે ન કેઈ. (પ્રજ્ઞાવધ ૧૮) વિ. આપને પત્ર મળે. આપને પ્રથમ પત્રમાં માત્ર સૂચના આધ્યાન ટાળવા અને ધર્મધ્યાનના નિમિત્ત ગોઠવવા કરી છે તે બને તે ઠીક, નહીં તે દરેકે પોતે પિતાને માટે પરિણામ તપાસી કર્મચાર લૂંટતાં અટકે તેવી જાગૃતિ રાખવાની છેછે. ગામના લોકોને એક તમાસે ઓછો થાય તે ન ગમે, પણ મુમુક્ષુને તેવા પ્રસંગમાં વધારે પુરુષાર્થ કરી ધર્મધ્યાનમાં ચિત્ત રાખવાની જરૂર છે. નહિ તે જરૂર મેહ આર્તધ્યાન કરાવ્યા વિના ન રહે. બળવાન જીવ પુરુષ કે સ્ત્રી હોય તે પિતે બધાને કંઈક સંભળાવી, વાત કરી કે માળા વગેરે આપી “ધર્મધ્યાનમાં આવ્યાં છે તે ઘડી બેસો’ કહી ભાવનાબોધ, મેક્ષમાળા કે ઉપદેશછાયામાંથી તમારી ભાષામાં કહી બતાવે તે બધાને-સારા ભાવવાળાને કંઈક રુચિ થાય ને ભલે પછી વાતે કરવી હોય તે કરે પણ આપણા ભાવ તે તેટલી વખત જ્ઞાની પુરુષનાં વચનમાં રહ્યા તેટલે લાભ અવશ્ય મળે. જગતના ભાવમાં મન ફરતું રહેશે, તે આર્તધ્યાનથી નહીં બચાય એ સાવ સ્પષ્ટ સમજાય તેવી વાત છે. માટે બહારની મદદ મળે તે ઠીક, નહીં તે દરેક વિચારવાન જીવે પિતાના આત્માને માટે કંઈ નહીં તે મંત્રનું સ્મરણ તે જરૂર જીભને ટેરવે રાખી મૂકવું કે જેથી મન પણ તે વચન તરફ પ્રેરાય અને શક ભૂલીને ધર્મને સંભારે. જ્ઞાની પુરુષોએ પિકારી પકારીને કહ્યું છે કે ધર્મથી વિમુખ રહ્યાનું ફળ અત્યારે દુઃખ, વિયેગ કે ગરીબાઈરૂપે જીવ ભગવે છે અને તે ભેગવતાં જે કોઈ પુરુષને સમાગમ, તેને બંધ કે મંત્ર સંભારી શુભ ભાવમાં મન આવશે તે આવાં દુઃખ ફરી નહીં ભેગવવાં પડે. નહીં તે અનાદિના સંસારભાવમાં ને ભાવમાં મન ભટક્યા કરશે શેકહર્ષ નહીં ભૂલે તે તે આવા ને આવાં કર્મોને આમંત્રણ આપણે Page #170 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૧૪૭ આપીએ છીએ એમ અવશ્ય માનવું. નહીં ગમતાં એવાં દુઃખ ભવિષ્યમાં પણ ભેગવવાં પડશે, માટે ચેતીને ધર્મને સુખકારક માર્ગ હૃદયમાં રાખીશું તે સદ્ગુરુશરણે સર્વ સારાં વાનાં થશે. એ જ વિજ્ઞપ્તિ. છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૭ અગાસ, તા. ૯-૧-૩૯ તત્ સત પષ વદ ૪, સેમ. ૧૯૯૫ “પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહીં, પક્ષ જિન ઉપકાર; એ લક્ષ થયા વિના, ઊગે ન આત્મવિચાર. સ્વછંદ મત આગ્રહ તજી, વર્તે સદ્દગુરુ લક્ષ; સમકિત તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ. છૂટે દેહાધ્યાસ તે, નહિ કર્તા તું કર્મ; નહિ ભક્તા તું તેહને, એ જ ધર્મને મર્મ” – શ્રીમદ્ રાજચંદ્ર તમે જીવનકળા પૃષ્ઠ ૧૩૬ ઉપર “આત્મા જે પદાર્થને તીર્થંકરે કહ્યો છે, તે જ પદાર્થની તે જ સ્વરૂપે પ્રતીતિ થાય, તે જ પરિણામે આત્મા સાક્ષાત્ ભાસે ત્યારે તેને પરમાર્થ સમ્યક્ત્વ છે, એ તીર્થકરને અભિપ્રાય છે. એવું સ્વરૂપ જેને ભાસ્યું છે તેવા પુરુષને વિષે નિષ્કામ શ્રદ્ધા છે જેને તે પુરુષને બીજ રુચિ સમ્યકત્વ છે.” (૪૩૧) એ વાંચી સમ્યકદર્શન સંબંધી પુછાવ્યું. તે બાબત પરમકૃપાળુદેવે સ્પષ્ટ લખી છે, “મેરના ઈંડાને કઈ ચીતરવું પડે નહિ.” તેમ તેની યથાર્થતા વિષે કંઈ કહેવું પડે તેમ નથી. માત્ર આપણે વૈરાગ્ય-ઉપશમનું બળ વધારી તે સદ્દગુરુના શરણે તેની આજ્ઞા પ્રાપ્ત કરી આત્મ-ઓળખાણ કરવાનું છે. “માળા બને માળા તો' એમ આચારાંગસૂત્રમાં પાઠ છે. જ્ઞાનીની આજ્ઞા જીવને પ્રાપ્ત થઈ નથી અથવા તેણે રૂડી રીતે આજ્ઞા ઉઠાવી નથી, નહીં તે જન્મ-મરણ કરવાના રહે નહીં. સપુરુષની શ્રદ્ધા એટલે આ જ્ઞાની પુરુષ આત્મસ્વરૂપને પામ્યા છે, તે કહે છે તેમ જ મોક્ષમાર્ગ છે, જે હું તેમના કહ્યા પ્રમાણે વર્તે તે અવશ્ય મેક્ષ થાય એવી આત્મજ્ઞાની ગુરુ પ્રત્યે પ્રતીતિ થાય તેને બીજરૂચિ સમ્યકત્વ કહે છે. તત્ત્વાર્થ શ્રદ્ધાનું તે બીજ છે. એવા પુરુષને એગ થયે, તેવી શ્રદ્ધા થયે, જીવ દેહાદિ પદાર્થો પ્રત્યેનું માહાસ્ય ભૂલી આત્મપ્રાપ્તિ માટે તેની આજ્ઞાએ પુરુષાર્થ કરે તે પરમાર્થ સમ્યકત્વ કે આત્મપ્રાપ્તિરૂપ શુદ્ધ સમ્યક્ત્વની તેને પ્રાપ્તિ થાય છે, કારણ કે જેના ચરણને તે ઉપાસે છે તેની દશાને તે ભક્તિના ફળરૂપે પામે છે. જે સત્પરુષ પર છવને પ્રતીતિ આવે તે તેની આજ્ઞા શી છે? મને કયારે પ્રાપ્ત થાય ? તે શું કરવાથી સફળ થાય? એમ મુમુક્ષુ જીવ વિચારે છે, તેને પુરુષાર્થ કરવામાં વીર્ય ફેરવે છે. બીજા તેને વિશ્ર કરનારાં કારણે પ્રત્યે ઉપેક્ષાભાવ રાખી, તેને ગૌણ કરી આ ભવમાં સત્યરુષની આજ્ઞા માટે દેહ ગાળવો છે એ દઢ નિશ્ચય કરે છે. સપુરુષ પ્રત્યે પ્રેમ વધે તેવાં નિમિત્તો સત્સંગ આદિની ઉપાસના કરે છે, અને એટલે બળવાન થાય છે કે “ રાજયામિ ના રેહું તાનિ' – કાર્ય સાધતાં દેહ પડી જાય તે ભલે, પણ આ ભવમાં સમ્યક્દર્શન Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ બેધામૃત અવશ્ય પ્રગટ કરવું છે, એટલી તૈયારી તે મુમુક્ષુને હોય તે ઢીલ ન થાય, સફળતા મેળવે. અધિક અન્ય પ્રસંગે. પુરુષની આજ્ઞા ઉઠાવવામાં » શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૪૮ અગાસ, તા. ૧૬-૧-૩૦ તત્ સત્ પષ વદ ૧૧, સેમ, ૧૯૯૫ “પર પ્રેમ-પ્રવાહ બઢે પ્રભુસેં, સબ આગમ ભેદ સુ-ઉર બસે, વહ કેવલો બીજ ગ્લાનિ કહે, નિજક અનુભૌ બતલાઈ દિયે.” “કેવળ નિર્વિકાર છતાં પરબ્રહ્મ પ્રેમમય પરાભક્તિને વશ છે, એ હૃદયમાં જેણે અનુભવ કર્યો છે એવા જ્ઞાનીઓની ગુપ્ત શિક્ષા છે.” (૨૧) વિ. ગઈ કાલે પૂ હારને કરંડિયો આપના તરફથી લઈને આવેલા તે પરમકૃપાળુ દેવના ચિત્રપટોને ચઢાવ્યા છે. તેથી સર્વેના ચિત્તની પ્રસન્નતા થાય અને સત્યરુષ પ્રત્યે પ્રભેદભાવ વધે એ સ્વાભાવિક છે, તે જોઈ મને પ. પૂ. પ્રભુશ્રીજી અને તેમને ઉપકારશીલ સ્વભાવ તથા પરમકૃપાળુદેવની અલ્પ પણ સેવા કરનારાઓ પ્રત્યે ઉલ્લાસભાવ ઊભરાઈ આવતે તે ચિત્ર સ્મૃતિપટ પર તાજું થયું અને વિચાર થયે કે આ ભક્તિભાવને પ્રસંગ તેઓની હયાતીમાં તમને આવ્યા હતા અને અત્રે આપની હાજરી હતી તે કેટલું લાભ થાત ! તે તમને ખ્યાલમાં અત્યારે આવવું મુશ્કેલ છે. ઉનાળામાં વૈશાખમાં સ્વાતી હોય અને એકાએક કરા સહિત વરસાદ થાય તે લેકેને જેમ અત્યંત આનંદનું કારણ થાય, તેથી અનંતગણું આનંદ પુરુષની પ્રસન્નતામાં રહે છે. પણ કહેવત છે કે “ધાના ત્યાં ખાના નહિ અને ખાના ત્યાં ધાના નહિ” એમ એ વેગ મળ બહુ મુશ્કેલ છે. તેમ છતાં જે કંઈ ભક્તિભાવ થાય છે તે નિરર્થક જતો નથી, તેવા યુગની પ્રાપ્તિનું કારણ બને છે. બીજું પૂ. મણિભાઈ કલ્યાણજી મુંબઈવાળા ટ્રસ્ટીનાં માતુશ્રીને દેહ સં. ૧૯૯૫ પિષ વદ ૩ ને રવિવારે શાંતિ સમાધિથી છૂટી ગયે. તેના સમાચાર સહિત પત્ર છે. તેમાં તેમના છેવટના ભાવ આપણે બહુ વિચારવા યોગ્ય છે, સમાધિમરણની ઈચ્છાવાળાને કામના છે તેથી તે પત્રમાંથી થોડું આપને વિચારવા લખું છું. પૂ.મણિભાઈ લખે છેઃ “પરમકૃપાળુ પ્રભુશ્રીજીએ જે “સદ્દગુરુપ્રસાદનાં દર્શનની આજ્ઞા કરેલ છે તે યથાર્થ રીતે જે પાળવામાં આવે તે સમાધિમરણ અવશ્ય થાય તેમ પ્રત્યક્ષ જોયું. અમારાં માતુશ્રીને ક્ષપશમ (બહુ વિચાર) નહોતે, પરંતુ જે આસ્થા હતી અને બીજા ધર્મ સંબંધમાં કોઈ લેચા નહતા તેથી અંત સમયે એક જ દષ્ટિ રહી હતી, જે પ્રત્યક્ષ જોઈ આનંદ થયે છે. છેલ્લા એક મહિનાથી હંમેશાં સવારના “સદ્દગુરુપ્રસાદનું પુસ્તક લઈ દર્શન કરતાં અને તેને સમક્ષ રાખી મંત્રસ્મરણ કરતાં. વ્યાધિ વખતે પિતે શાંતિમાં છે, આનંદભુવનમાં છે એમ કહેતાં. છેલ્લે પિતે મંત્રને ઉરચાર કરી ત્રણ ડચકાં ખાધાં અને ક્ષણભંગુર દેહ ત્યાગ કર્યો. ઉપરની વિગત આપને જાણવા લખેલ છે. પરમકૃપાળુની કૃપા શું કામ કરે છે તે જોઈ અત્યંત આનંદ થયેલ.” આ ટૂંકામાં લખવાનું કારણ એ છે કે આપણે બધાને માથે મરણ છે, કયા દિવસે તે નક્કી નથી પણ જન્મે તે જરૂર મરે છે એ તે નક્કી જ છે. માટે મરતા પહેલાં સમાધિમરણની Page #172 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૧૪૯ તૈયારી જે સત્પુરુષની આજ્ઞામાં વવાના ભાવ જેણે જાગ્રત રાખ્યા હોય છે તેને છેલ્લે તે કામ આવે છે, શાંતિ પમાડે છે અને ધમભાવ સાથે તે લઈ જાય છે. આપની પાસે ‘સદ્ગુરુપ્રસાદ’ પુસ્તક ઘણુંખરું નહીં હાય પણ અહીં આવવાનું બનશે ત્યારે તે સ`ખ'ધી સભારશે! તેા વાત થશે. દરેક આત્માથીએ તે સદ્ગુરુની કૃપારૂપ પ્રસાદી પાતાની પાસે પેાતાના હૃદયમાં રાખવા અર્થે સંઘરવા ચેાગ્ય છે. જેટલેા પ્રેમ પરમકૃપાળુદેવ ઉપર થશે, તેટલું આત્મકલ્યાણ નજીક છે એમ દૃઢ શ્રદ્ધા રાખી સ'સારપ્રેમ એ કરી ધમપ્રેમ પાષવા. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, સ. ૧૯૯૫ ૧૪૯ મન મ`દિર આવેા રે, મહાપ્રભુ રાજધણી; અપૂર્વ પ્રત્યક્ષ ગણી. મન૦ પ્રભુ તુજ ઉર રમી; દિલ દર્શન તરસે રે, સર્વોત્કૃષ્ટ સિદ્ધિ રે, તુજ ભક્તિ-પ્રસાદે રે, મને પણ એહુ ગમી. મન૦ પુરુષાત્તમ ઉત્તમ રે, પ્રગટ ઉપકાર કરે; ઉપદેશ અનુપમ રે, સુણી બહુ જીવ તરે.” મન॰ (પ્રજ્ઞાવબોધ – ૨૧) તમે પ્રશ્ન કાઢચો છે તે પ. પૂ. પ્રભુશ્રીજીની હયાતીમાં ઘણી વખત ચર્ચાતા હતા. તમે સાંભળ્યું પણ હશે. પત્રાંક ૭૭૧ વાંચવા ભલામણ છેજી. સત્સ`ગ એ સર્વોપરી સાધન છે. તેના અભાવે પેાતાને સ્વચ્છંદ રાકી સત્શાસ્ત્ર કે સત્સ`ગે શ્રવણ થયેલા ઉપદેશ પ્રત્યક્ષ સત્પુરુષ તુલ્ય સમજી ઉપાસવેા ચેાગ્ય છે. મન મહિલાનું રે વહાલા ઉપરે, બીજાં કામ કરત; તેમ શ્રુતનેેરે મન દૃઢ ધરે, જ્ઞાનાક્ષેપકવત.’ એ વિષે પરમકૃપાળુદેવે વિસ્તારથી લખ્યું છે. પત્રાંક ૩૯૦, ૩૯૪, ૩૯૫ અને ૩૯૬ અને તેમાં જણાવેલી તાલાવેલી લાગ્યા વિના યથાર્થ પ્રતીતિ (પુરુષપ્રતીતિ), તેના વચનની પ્રતીતિ કયાંથી થાય ? અને ત્યાં સુધી આત્મવિચાર પણ કચાંથી ઊગે ? માટે સત્સંગની આ જીવને ઘણી જરૂર છે એમ મનને મનાવી તેની જ ભાવના રાતદિવસ કન્ય છેજી. ખળતા ઘરમાંથી જેમ નાસવાની ખારી ખેાળ્યા કરે છે તેમ આખા લેાક ત્રિવિધ તાપે મળી રહ્યો છે, રાગદ્વેષથી પ્રત્યક્ષ ખળતા છે” એમ જ્ઞાનીપુરુષે કહેલું આપણને પ્રત્યક્ષ કયારે લાગશે ? તે લાગશે ત્યારે જ ઉપાય શેાધી શેાધીને આરાધીશું. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૨૫-૧-૩૯ મહા સુદ ૫, બુધ, ૧૯૯૫ ૧૫૦ સત્ તત્ ઇંદ્રવજા—દુમ્ય દોષ જૈવ દુઃખી થાય, ના વાંક તેમાં પરને જરાય; કચાંથી વિચારે ગુરૂયેાગ વિના કે વિષયાર્થી કોઁ કે સુખી ના ? સòધ વિના નહિ માહ જાય, સ'સારનાં સુખ નહીં તજાય; શ્રદ્ધા વિના ના દુખ દૂર થાય, આત્મિક આનંદ નહીં ચખાય. Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ બેધામૃત સરનો યોગ સદા વિચારે, મોક્ષાભિલાષા ઉરમાં વધારે આજ્ઞા સુગુરુની ઉઠાવશે જે, ટાળી પ્રમાદે, સુખ પામશે તે. (પ્રજ્ઞાવધ – ૮) આપની મુમુક્ષતા – તરવાના ભાવ જાણી સંતોષ થાય છે. એમ વિચાર થઈ આવે છે કે પ. ઉ. પ. પૂ. પ્રભુશ્રી લઘુરાજસ્વામીના ગે આપની આ ભાવના બહુ કાર્યકારી નીવડત. પુણ્યયગમાં કચાશ તેટલી કચાશ, પણ હવે તે પેગ થતાં સુધી યોગ્યતા વધારવાનું આપણે બધાને કર્તવ્ય છે. આપે મારા પ્રત્યે જે સદ્દગુરુ શબ્દાદિ વડે વિનંતી કરી છે તે પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ પ્રત્યે તેવા દીનભાવે કર્તવ્ય છે. હું તે તે મહાપ્રભુના ચરણની રજને પણ અધિકારી નથી. કોઈ પ્રારબ્ધયેગે જાણે કે આપણા માટે જ દેહ ધર્યો હોય તેવા કરુણાસાગર ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીની અનંત કૃપાથી તે મહાપુરુષ આશ્રય કરવા ગ્ય છે એમ સાંભળી તેના શરણે, તેના બહાના ઉપર વિશ્વાસ રાખી, તેને બનવા ઈચ્છતે એક દીન સાધક છું. એટલે સર્વ પ્રેમ પરમકૃપાળુ જગદ્ગુરુ સમ શ્રીમદ્ રાજચંદ્ર પ્રત્યે વાળવા આ દીનની વિનંતી છે. રૂબરૂમાં ઘણું વાતે થઈ શકે. કાગળના કટકા ઉપર શું દર્શાવી શકાય ? માટે આપની અરજ તે પરમકૃપાળુદેવ સ્વીકારે એવી ભાવના સહ જણાવવા રજા લઉં છું કે સત્સંગની ભાવના વર્ધમાન કરતા રહેશે. આપે કોઈ વચને પરમકૃપાળુદેવનાં મુખપાઠ કરેલાં હોય તે ભલે, પણ ૫. ઉ. પ. પૂ. પ્રભશ્રીજીએ અંત વખતે જણાવેલ કે કઈ ધર્મને ઈરછક હોય તે તેને આ ત્રણ પાઠ નિત્યનિયમરૂપે કરવા જણાવજે. “હે પ્રભુ, હે પ્રભુ, શું કહું ? દીનાનાથ દયાળ” એ વીસ દેહરારૂપ ભક્તિરહસ્ય અને “યમ નિયમ સંયમ આપ કિ” તથા ક્ષમાપના”ને પાઠ પરમકૃપાળુદેવના ચિત્રપટ પ્રત્યે વિનય નમસ્કાર કરી “હે ભગવાન, આપની આજ્ઞાથી સંતે કહેલી આ ત્રણ પાઠની નિત્યનિયમ વિષેની આજ્ઞા પ્રમાણે રોજ હું ભક્તિ કરીશ” એવી ભાવના કરશોજી. અને રોજ કોઈ સંતની આજ્ઞાએ આટલું હું કરું છું એ ભાવ રાખી દિવસમાં એક બે ત્રણ જેટલી વખત બને તેટલી વખત ભક્તિ કર્યા કરવા ભલામણ છે. વિશેષ સમાગમે જણાવવા યોગ્ય હોવાથી કંઈ લખી જણાવતું નથી. આમાં ઘણું વાત સમાય છે. અલ્પ પણ જ્ઞાનીની આજ્ઞા મોક્ષમાર્ગે ચઢાવે છેજ. જ્ઞાની અને જ્ઞાનીની આજ્ઞાએ વર્તતા જીવો મોક્ષમાર્ગમાં ગણાય છે. નિર્ભયપણે વેદનીયને ઉદય હોય તે ભેળવી તેથી છૂટવાનું થાય છે એમ માનશોજી. મરણ આદિ કંઈ વિકલ્પમાં બેટી થવા યોગ્ય નથી. મૂંઝાવા ગ્ય નથી. “આત્મા છે, તે નિત્ય છે, કર્તા છે, “ભક્તા છે”, “મોક્ષ છે” અને “મોક્ષના ઉપાય છે. આ છ પદને વારંવાર વિચાર કર્તવ્ય છેજ. ભક્તિ મોક્ષના ઉપાયરૂપ છે, તેનું આરાધન કરવાનું સાધન સદૂગુરુકૃપાએ તમને પ્રાપ્ત થયું તે તેમાં મંડી પડવું. બીજું બધું ભૂલી જવા જેવું છે. પૂ...એ જે મુખપાઠ કર્યું હોય કે કરતા હોય તેમાં ચિત્ત દેવાથી લાભ થવાને સંભવ છે. તે ભક્તિ કરે તે ધ્યાનપૂર્વક માંદગીમાં પણ સાંભળવા મેગ્ય છે અને કઈ જ્ઞાનીએ આત્મા અનુભવ્યું છે તેને અર્થે એ સર્વ છે એમ ભાવના કરી જ્ઞાનીના શરણમાં બુદ્ધિ રાખશેજી. શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #174 -------------------------------------------------------------------------- ________________ ૫ત્રસુધા - ૧૫૧ ૧૫૧ અગાસ, તા. ૬-૩-૩૯ તત છે. સત્ ફાગણ વદ ૧, સોમ, ૧૯૯૫ હરિગીત – જ્ઞાની ગુરુ શ્રી રાજપ્રભુજી શરદ્પૂર્ણશશી સમા, લઘુરાજ રૂડી વાદળી રૃપ બધ-જળ-ભારે નમ્યા; સંસાર-સાગરમાં મુમુક્ષુ છીપ સમ મુખ ખેલતા, ને મંત્ર-જળબિંદુ ગ્રહી રચતા ઍવન-મુક્તા-લતા. પુનિત એ ગુરુવર્યના પદપંકજે મુજ શિર નમે, દુર્લભ, મને હર સંતસેવા-વિરહથી નહિ કંઈ ગમે; એ જ્ઞાનમૂતિ હદય કુરતી, આંખ પૂરતી આંસુથી, નિર્મળ, નિરંજન સ્વરૂપ-પ્રેરક વચન-વિશ્વાસે સુખી. (પ્રજ્ઞાવબોધ – ૨૫) આ કળિકાળમાં ધર્મપ્રેમ વર્ધમાન થાય તેવા સંયોગે મળવા કે તેવા પુણ્યસંચયવાળા જે બહુ વિરલ દેખાય છે. માત્ર ધર્મને નામે બાહ્ય પ્રવૃત્તિ અને અંદરખાને કષાય-પોષણ પ્રવૃત્તિ ઠેકાણે ઠેકાણે દેખાય છે. તેમાંથી આપણે બચી નિરભિમાનપણે કંઈ પણ કષાય ઘટાડવાનું કરીશું તેટલું કલ્યાણ છે એટલું હદયમાં કતરી રાખવા ગ્ય છે. મેહરાજાને સત્ય પ્રત્યે દ્વેષ છે તેથી જે સત્યમાર્ગે પ્રવર્તવા ઊભે થયે તેને દબાવી દેવાની તેની કેશિશ હોય છે. તેથી જે જે છ સપુરુષને આશ્રયે કંઈ પણ વ્રત-નિયમ પાળતા હોય તેમણે બહુ ચેતીને આ કાળમાં ચાલવા જેવું છે. જ્યારે અચાનક તે મહરાજા દબાવી દે ને તેને સેવક બનાવી દે તે ચેકસ નથી, માટે સત્સંગરૂપી થાણાથી દૂર વિચરતા મુમુક્ષુએ બહુ સંભાળ રાખી પ્રવર્તવાનું છે. અને રાતદિવસ ધર્મધ્યાન અર્થે ભાવના કરતા રહેવાની જરૂર છે. માટે ઠગારા પાટણમાં વિચરતાં ઠગાઈ ન જવાય તે માટે બહુ સાવચેતીથી વર્તવા ભલામણ છે. ધિક્કાર છે આ કાળને કે તેના શત્રુરૂપ પુરુષને વિયેગ સાધી તે પિતાનું બળ પ્રવર્તાવ્યે જાય છે. જે કોઈ રડ્યાખડ્યો તેના પંજા પાસે પહોંચે નથી તેણે પુરુષનું શરણ સાચવી ગુપચુપ પોતાનું કામ કરી લેવા યોગ્ય છે. ઘંટીમાં ખીલાની પાસે પડી રહેલા દાણા દળાતા નથી, પણ દૂર જેટલા ઢળી જાય છે તે પિસાઈ જાય છે તેમ સત્પરુષને વીસરીને કરણી થશે તે આત્માને પીસનારી સમજવા યોગ્ય છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૫ર અગાસ, તા. ૧૯-૩-૩૯ તત છે. સત ફાગણ વદ ૧૪, રવિ, ૧૯૯૫ આપને પત્ર મળે. વડાલીવાળા પૂ. માધવજી શેઠને ગઈ બીજને દિવસે શાંતિપૂર્વક દેહ છૂટી ગયો છે. છેવટ સુધી આશ્રમમાં આવવાની તેમની ભાવના વર્તતી હતી અને સ્મરણ બોલતાં બોલતાં દેહ છૂટી ગયે. તે જાણી પરમકૃપાળુદેવના યુગબળની દઢતા વિશેષ થાય છેજી. “જે આશ્રયના બળે જીવ તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે.” (૬૯૨) એવું આશ્રયનું બળ પરમકૃપાળુદેવે જણાવ્યું છે અને “આશ્રયપૂર્વક દેહ Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ બેધામૃત છૂટે એ જ સાર્થક છે” એમ કહ્યું છે તેને હૃદયમાં ઉતારી મરણ સુધી આશ્રયને ટકાવી રાખે છે તે મહાભાગ્યશાળી મહા નરરત્નને નમસ્કાર છે. “ચરણ શરણ ધીરજ નથી મરણ સુધીની છે.” “સંતચરણ આશ્રય વિના સાધન કર્યાં અનેક; પાર ન તેથી પામિ, ઊંચે ન અંશ વિવેક” એ જ બોલીએ છીએ પણ જેણે મરણની વેદનામાં પણ સન્દુરુષને આશ્રય છોડ્યો નહિ, તેને શરણે સદાય રહ્યો તેનું અવશ્ય કલ્યાણ થાય છે. દરરોજ સાંજે કે અનુકૂળ વખતે એકાંતને શેડે વખત પોતાની વિચારણા માટે રાખવા ગ્ય છે. આજનો દિવસ કેમ ગયે ? તેમાં કઈ અગ્ય બાબત થઈ હોય તે ફરી ન કરવાની કાળજી રાખવી. કોઈ આત્મહિતનું કામ અધૂરું રહ્યું હોય તે પૂર્ણ કરવા વિચાર કર. બને તે ૧૮ પાપસ્થાનક વિચારી જવાં. એ વાત તમને પહેલાં કરેલી છે તે કાળજી રાખી વિચારવાનું રોજ રાખશે. એ જ વિનંતી. છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૫૩ અગાસ, તા. ૨૬-૩-૩૯ જેના ચિત્તમાં એ (નિજને વિષે નિજબુદ્ધિ થાય તે પરિભ્રમણ દશા ટળે છે) માર્ગ વિચાર અવશ્ય છે, તેણે તે જ્ઞાન જેના આત્મામાં પ્રકાશ પામ્યું છે, તેની દાસાનુદાસપણે અનન્ય ભક્તિ કરવી, એ પરમ શ્રેય છે, અને તે દાસાનુદાસ ભક્તિમાનની ભક્તિ પ્રાપ્ત થયે જેમાં કંઈ વિષમતા આવતી નથી, તે જ્ઞાનીને ધન્ય છે. તેટલી સર્વાશદશા જ્યાં સુધી પ્રગટી ન હોય ત્યાં સુધી આત્માને કોઈ ગુરુપણે આરાધે ત્યાં પ્રથમ તે ગુરુપણું છોડી તે શિષ્ય વિષે પિતાનું દાસાનુદાસપણું કરવું ઘટે છે.” (પ૩૯) શ્રીમદ્ રાજચંદ્ર. તા. ૨૧-૩-૩ને પત્ર મળ્યો. તે વાંચી ઘણે વિચાર આવ્યો કે, પરમકૃપાળુદેવ પ્રત્યે જે સર્વભાવે અર્પણતા થવી જોઈએ તેને બદલે બીજે બીજે સશુરુપણું ક૯પવાને અનાદિને અધ્યાસ અને આગ્રહ આપના પત્રમાં ભરપૂર જાણી તે પત્રનો ઉત્તર આપવા કરતાં આ પ્રથમ આમળે ઉકેલી નાખવાની જરૂર જણાયાથી પરમકૃપાળુદેવના પત્રમાંથી મથાળે ટાંકેલાં વચન મારે તમારે બહુ વિચારવા ગ્ય છે અને એ જ માન્યતા પ. પૂ. પ્રભુશ્રીજીએ દઢ કરાવી ઊંડી ઉતારી દીધી છે તેથી તેને બાધ કરે તેવા ભાવો કેઈનામાં પણ સ્કુરતા જાણી ઉદાસીનતા થઈ આવે છે. એ કોઈ પક્ષને કલ્યાણકારી નથી. માટે જ રૂબરૂમાં મળે ત્યારે આપને તે વિષે ઘણું કહેવાને વિચાર હતે પણ પ્રારબ્ધગે કે કઈ શિથિલતાના ભારે દબાઈ જવાથી તેમ બનતું નથી તે યથાવસરે કહેવા યોગ્ય કહેવાનું જાણું અહીં માત્ર આપને ઊંડા ઊતરી જરા વિચારવા અને આંધળી દોડ ન કરવા બે શબ્દો કહેવા પડ્યા છે તે સર્વ મહાપુરુષના આશયને અનુસરીને કહેલા છે. નીચે થોડું હિંદીમાં તમને બંનેને સમજાય તેવું આજના વાંચનમાંથી ઉતારી મોકલું છું તે વિચારશોજી– ___"श्री गुरुदेव परम करुणामय हैं, उनकी कृपाकी सीमा नहीं। वे हमारे मंगल न चाहने पर भी हम लोगोंका मंगल करनेके लिए सर्वदा उद्विग्न रहते हैं। श्री गुरुदेवकी महिमा-कीर्तनमें हम Page #176 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધી ૧૫૩ लोगोंकी रुचि न रहने पर भी आदरके साथ उनके गुणमहिमाका श्रवण करते ही उनके चरणमें हम लोगोंकी श्रद्धा या प्रतीति होगी । हम लोगोंके निष्कपट होनेसे गुरुसेवकगण निश्चय ही हम लोगोंको गुरुसेवाका सन्धान देंगे, कितने स्नेह कीर्तन और आदरके साथ हम लोगोंको गुरुपादपद्मकी सेवामें नियुक्त कर श्री गुरुकी प्रीतिका विधान करेंगे । भूलसे यदि कोई गुरुदास, भक्तको एकमात्र आश्रय समझकर श्री गुरुपादपद्मकी कथासे अलग रहना चाहे तो गुरुसेवक उसको यत्नके साथ श्री गुरुपादपद्ममें आकृष्ट करते हैं। गुरुसेवक कभी भी किसीको अपना सेवक नहीं समझते, उनकी सर्वत्र ही गुरुबुद्धि है। मैं सेवक हूँ-श्री गुरुका नित्य अयोग्य भृत्य । श्री गुरु ही एक मात्र हमारे सेव्य है. एवं गुरुसेवकसूत्रसे गुरुसेवकगण हमारे पूज्य वा सेव्य हैं यही गुरुदासका भाव है। इसी गुरुदास्यमें उनके नित्यप्रतिष्ठित रहने के कारण गुरुदासानुदासाभिमान ही उनका संबल (सर्वस्व) है।...पिता एक मात्र श्री आचार्यदेव है। हम लोग सभी उन्हींके पाल्यपुत्र-शिष्य-सेवाभिखारी हैं। इस गुरुपिताके प्रति प्रीति हमारी अपेक्षा जिसकी अधिक है, आचार्य-चरणमें जिसकी श्रद्धा अचल है, जिसका संग करनेसे गुरुपादपद्ममें विश्वास निष्ठा प्रीति बढे, उसके अनुसार अपनेसे श्रेष्ठ सज्जनोंका » શાંતિઃ શાન્તિઃ શાંતિઃ ૧૫૪ અગાસ, તા. ૮-૪-૩૯ તત સત્ ચૈત્ર વદ ૪, શનિ, ૧૯૯૫ પરમકૃપાળુદેવની અવસાનતિથિ ચૈત્ર વદ પંચમીના ઉત્સવ નિમિત્તે ઘણુ ભક્તાત્માઓ અત્રે પધારેલા છે અને ઘણા અત્રે એકાદ માસ રહેવાની વૃત્તિવાળા જણાય છે. પૂ. શીતલપ્રસાદજી બ્રહ્મચારી (દિગંબરી) હાલ અત્રે નિવૃત્તિ અર્થે પધાર્યા છે તે એક માસ ઓછામાં ઓછું રહેવા ધારે છે. પંડિત લાલન પણ રોકાવાના છે. એમ અનેક વિદ્વાનેની મંડળીને લાભ હાલ મળે તે અનુકૂળ યોગ છે, તે દેહાધ્યાસ જરા મંદ પાડી પુરુષાર્થ ધર્મ વધારવા હિંમત ચાલતી હોય તો જ્ઞાનગંગાની યાત્રા જે યોગ છે. આશ્રમમાં સવારે પાંચથી સાત ભક્તિ ચૈત્યવંદન વગેરે થાય છે. પછી દેવદર્શન પરવારી બધા છૂટા થાય છે. નાસ્તોપાણ કરી સાડા નવથી બધા મળે છે તે વખતે સાડા દસ સુધી પંચાસ્તિકાય પરમકૃપાળુદેવે લખેલ “શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાંથી વંચાય છે. બહુ સારી તત્ત્વદર્શક ચર્ચા ચાલે છે. પછી પંચકલ્યાણક અને આઠ દૃષ્ટિને સ્વાધ્યાય ૧૧ સુધી થાય છે. પછી જમવા સર્વે વીખરાઈ જાય છે. અને પછી અનુકૂળતા પ્રમાણે એકાંત સ્વાધ્યાય જુદે જુદે સ્થળે થાય છે. સાંજના ૩ થી ૪ ભક્તિ થાય છે અને ૪ થી ૫ સુધી “પ્રવચનસાર શ્રી કુંદકુંદાચાર્યને ગ્રંથ શ્રી અમૃતચંદ્રાચાર્યની સંસ્કૃત ટીકા સહિત ગુજરાતી ભાષા દ્વારા ચર્ચાય છે. પછી પાંચે બધા દેહકાર્ય અર્થે કે અન્ય સ્વાધ્યાય અર્થે જુદા પડે છે અને સાંજે ૬ દેવવંદન થયા પછી પ્રતિક્રમણ ભક્તિ વગેરે આઠ વાગ્યા સુધી થાય છે અને ૮ થી ૯ સુધી “ગોમ્મસાર કર્મકાંડને સ્વાધ્યાય થાય છે. એ કર્મગ્રંથ બહુ સૂક્ષમ અને ઉપયોગી છે. આમ આ દિવસ ધર્મધ્યાનને પ્રવાહ વહી રહ્યો છે. તેમાં સ્નાન કરવા જિજ્ઞાસા જાગે તે બળ કરીને પણ બને તેટલો લાભ લઈ લેવા જેવો અવસર આવ્યો છે. મનુષ્યભવ મહાદુર્લભ મળે છે, તેમાં જે કંઈ સાર્થક ન થયું તે ઘડીમાં છૂટી જાય તેવા દેહની ને દેહની ચિંતા કરતા રહેવામાં શું વળવાનું છે? ઘણા પ્રકારની શિથિલતા દૂર થવા ગ્ય અવસર આવ્યો છે તો ચેતી લેવા જેવું છે. બને તે “આત્મસિદ્ધિશાસ્ત્ર મુખપાઠ કરી તેને એકાંતમાં વિચાર Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ બધામૃત કરતા રહેવા ભલામણ છે”. એમાં જણાવેલ છે પદમાં જે નિઃશંક થાય છે તેને જરૂર સમ્યફદર્શન થાય છે તે સાચી પ્રતીતિ છે. છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ તા.ક.-પૂ....ને અત્રે આવવા વિચાર હોય તે આ પત્ર વાંચી વહેલા આવવા ભલામણ છે, જેથી ઘણી વસ્તુની માહિતી નથી તે મળે તે આ માસને વેગ છેજ. આત્મહિતની ગરજ જેને હોય તેને આ માત્ર સૂચના છે, આગ્રહ નથી. ૧૫૫ અગાસ, તા. ૧૩–૪–૩૯ તતું કે સત્ ચૈિત્ર વદ ૮, ગુરુ, ૧૯૯૫ નથી રોગથી ઘેરાયે, જરા પડે ન જ્યાં સુધી નથી મૃત્યુ-મુખે પેઠે, સાધુ કલ્યાણ ત્યાં સુધી. “સંસારાનલમાં ભલે ભુલાવી, વિન્નો સદા આપજો, દારા, સુત, તન, ધન હરી, સંતાપથી બહુ તાવ, પણ(પ્રભુ)ના ધૈર્ય મુકાય એમ કરજે, હૃદયે સદા આવજે, અંતે આપ પદે શ્રી સદ્દગુરુ, સમતાએ દેહ મુકાવજે.” વહ જાને ઉન્મત્ત હૈ, વહ જાને જગ અંધ; જ્ઞાની ઔર જગતકું, શું નહિ રહે સંબંધ. વિ. આપને પત્ર આવ્યું હતું. વાંચી આપની મૂંઝવણ અને પરમાર્થની જિજ્ઞાસા જાણી હતી. તે પહેલાં પવિત્રાત્મા સત્સાધક પૂ.ને પત્ર પણ મળ્યા હતા. તમારી પેઠે તેને પણ મૂંઝવણ રહે છે. અને પરમ પુરુષનાં આશ્રિત જીવાત્માઓ છે તેથી કંઈક લખવું એમ વિચારી અવકાશ નહીં હોવા છતાં આજે રાત્રે અગિયાર વાગ્યા પછી આ લખવા બેઠો છું. પૂ. શીતલપ્રસાદજી હાલ અત્રે પધાર્યા છે અને એકાદ માસ રહેવાના છે. સવારે મોટા પુસ્તકમાંથી પંચાસ્તિકાય પરમકૃપાળુદેવે લખેલ વંચાય છે. સાંજના ૪ થી ૫ પ્રવચનસાર કુંદકુંદાચાર્ય કૃત વંચાય છે અને રાત્રે ૮ થી ૯ ગમ્મસારમાંથી કર્મકાંડ વંચાય છે. તે ઉપરાંત નિત્યનિયમને ક્રમ ચાલુ છે એટલે વખત બિલકુલ હાલ તે બચત નથી. ધર્મધ્યાનમાં દિવસ અને રાત્રિને મોટો ભાગ જાય છે. તમે હાજર હેત તે ઘણે આનંદ આવત. પણ પ્રારબ્બાધીન ક્ષેત્રફરસના હોય છે. બાંધેલાં કર્મ ઉદય આવ્યે હર્ષશેક કરે વ્યર્થ છે; ઊલટું આર્તધ્યાન થવાને પ્રસંગ આવે, તેવાં કર્મ અત્યારે ન ગમતાં હોય તે ફરી નવાં કર્મ તેવાં ન બંધાય તે માટે ભાવ ફેરવવાના છે. પૂર્વે અજ્ઞાનભાવે, સ્વચ્છેદે, નિજકલ્પનાએ, સંસારના પ્રસંગે સુખરૂપ માની તેની ભાવના કરેલી તેનું ફળ આ ભવમાં પ્રગટ દેખાય છે, નહીં ગમતું છતાં ભેગવવું પડે છે. પણ કંઈ સુકૃત્ય કર્યા હશે તેને ફળરૂપે મનુષ્યભવ મળે, તેમાં સદ્દગુરુને ગ, તેનાં દર્શન-સમાગમને અલભ્ય લાભ મળે, તેની કિંચિત્ સેવાને પ્રસંગ બને અને તેની નિષ્કારણ અનંત કરુણને લીધે આ અપાત્ર અભાગિયે જીવ હેવા છતાં તરવાના સાધનરૂપ મહામંત્ર, છપદને પત્ર, આત્મસિદ્ધિ, વીસ દેહરા, ક્ષમાપનાને પાઠ, યમનિયમ આદિ ઉત્તમ પુરુષનાં વચનામૃત વગેરે જ વિચારવાની ભવદુઃખભંજનહારી આજ્ઞા મળી. તે અનેક પ્રકારે Page #178 -------------------------------------------------------------------------- ________________ ૫ત્રસુધા ૧૫૫ જીવને ઊંચે લાવવા સમર્થ છે તે જ પ્રમાદ, આળસ અને વિષય-કષાય તજી ઉપાસવા યોગ્ય છે. પુરુષ પ્રત્યે, તેના બતાવેલા માર્ગ પ્રત્યે, તેની આજ્ઞા આરાધનાર મુમુક્ષુઓ પ્રત્યે તથા તેનાં વચનના આશય પ્રત્યે પ્રીતિ, ભક્તિભાવ, શ્રદ્ધા વધારી આ મનુષ્યભવને લહાવે લેવાને જેગ મળે છે, તે પ. પૂ. ભાવદયાસાગર પ્રભુશ્રીજી ઘણી વખત કહેતા તેમ લૂંટમલ્ટ લહાવ લઈ લે. આવો અવસર વારે વારે આવતો નથી. મરણની ખબર નથી; માથે મરણ ભમે છે, તે ઉપાડી લે તે પહેલાં પુરુષાર્થ કરી શ્રદ્ધા દઢ આ ભવમાં કરી લઈએ તે આપણા જેવા ભાગ્યશાળી કઈ ન કહેવાય. લીધે કે લેશે એમ થઈ રહ્યું છે, કાળ ગટકા ખાઈ રહ્યો છે તે આ જીવ હવે કયા કાળને ભજે છે તે વિચારવા ગ્ય છેજ. કાર્યો કર્યો અને પ્રસંગે પ્રસંગે છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ; મૂળ એમ જાણે સદ્ગુરુ-ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ–મૂળ૦” નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા.” આટલું યાદ ઘડીએ ઘડીએ રહે તે નિશ્ચય કર્તવ્ય છેજ. જી શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૫૬ અગાસ, તા. ૧૩-૪-૩૯ તત્ સત્ ચૈત્ર વદ ૯, ગુરુ, ૧૯૯૫ (રાત્રે બાર વાગ્યે) દોહા - દિવ્ય સ્મરણ દેવા કુંખે, વરસુત રવજીનંદ; ભવસાગર કચ્છ ઊગે, રાજચંદ્ર સુખકંદ. શક્તિ શિશુમાં પ્રેરજે, ગુણ ગાવા ગુરુરાય; બાળક કેરી બાથમાં આભ સકળ શું માય? પણ મુજ બાળમનેર, લેક વિષે નહિ માય; સદ્દગુરુ જ્ઞાની સારથિ, હૃદયે રહે સદાય. પહેલું સુખ તે સમક્તિ સાર, બીજું સુખ સદ્ભુત વિચાર; ત્રીજું સુખ સત્સંગ પ્રસંગ, ચોથું સુખ પરમાર્થ અસંગ. પ્રારબ્ધ પ્રમાણે અન્નજળ જ્યાંનાં લખ્યાં હોય ત્યાંનાં લેવાય છે. “તારું તારી પાસ હૈ ત્યાં બીજાનું શું કામ, દાણે દાણ ઉપરે ખાનારાનું નામ.” જવું આવવું આપણી ઈચ્છા પ્રમાણે બનતું નથી. પુણ્યને ઉદય હોય તે તીર્થયાત્રા, સત્સંગ, સધની પ્રાપ્તિ થાય છે. તેમાં ખામી હોય તે “ભાગ્ય વિના મળે નહિ, ભલી વસ્તુને ગ.” પત્રમાં અંગ્રેજી અક્ષરે લખ્યા છે તે ઉપરથી અંગ્રેજી ભણે છે એમ અનુમાન થાય છે. પણ પરમકૃપાળુદેવનાં વચનેમાં વધારે કાળજી રાખી વિચાર કરવાની મહેનત કરશો તે અંગ્રેજી પાછળ મહેનત કર્યા કરતાં વધારે લાભ થશે તે સહજ જણાવું છું. હાલ પત્રાંક ૨૦૦ વારંવાર વાંચી મુખપાઠ કરશોજી તથા પત્રાંક ૨૬૨ પણ મુખપાઠ કરશે તે આત્માને હિત થાય તેવાં તે વચને છે. તે હાલ નહીં સમજાય તે પણ યોગ્યતા આવે આગળ ઉપર બહુ લાભકારી નીવડશે. જેમ શિયાળામાં Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ખાધામૃત વસાણું મેથીપાક વગેરે ખાધેલા આખા વર્ષમાં ખળ આપે છે, તેમ તે વચને જીવતાં સુધી કામ આવે તેવાં છે તેા કાળજી રાખી મોઢે કરી રાજ ખેલતા રહેવા વિનંતિ છેજી. ૧૫૭ અલ્પ આરભ આદરે રે અલ્પ પરિગ્રહવ ́ત રે — ગુરુજીને વીએ રે, ન્યાયયુક્ત આજીવિકા ૨ે પ્રાપ્ત કરે વ્રતવ'ત ૨ સુશીલ શ્રમણ ઉપાસતાં રે સુણે સંત-ઉપદેશ રે જીવ-અજીવને ઓળખે રે ધરે ન શંકા લેશ રે વળી નિર્જરા કારણે રે શુભક્રિયા સ્વાધ્યાય રે સદ્ગુરુ-આજ્ઞાએ કરે રે ધ્યાનાદિક ઉપાય ૨ પ્રવચન સૌ વતરાગનાં રે માને તે નિઃશક રે સમકિત-ઔષધિ-વાસના રે ઊતરો હાડ પર્યંત ૨ સ્વરૂપ સમજે મેાક્ષનું રે નિઃસ્પૃહીં ને અસહાય ૨ દેવાદિકથી નહીં ચળે રે સત્ શ્રદ્ધાર્થી જરાય રે ,, 29 77 22 "" "" "" અગાસ, તા. ૧૯-૪-૩૯ ચૈત્ર વદ ૦)), બુધ, ૧૯૯૫ "" 27 29 29 22 "" "" 99 ,, ,, ,, (પ્રજ્ઞાવાધ – ૨૬) આપને ત્યાં પણ સત્સ`ગના અભાવે ગેાઢતું નથી એમ પત્રથી જાણ્યું. ક્ષેત્ર-ક્રસના પ્રમાણે જીવને જવું; રહેવું, વિચરવું થાય છે, પણ આત્ત ધ્યાન કોઈ કારણે ન વર્તે તેની કાળજી મુમુક્ષુજીવ કરે છેજી. ઘણી વાર પ. પૂ. પ્રભુશ્રીજી સભામાં પ્રશ્ન પૂછતા: સમકિતી જીવ શું કરે?’ બધાને પૂછી પછી ઉત્તર આપતા કે ‘સમકિતી જીવ સવળું કરે છે.’ ગમે તેવા સંજોગામાં આવી પડે તેપણ તેને સવળું કરતાં તેને આવડે છે. તેની પાસે એવી કોઈ રમત છે કે કર્મઅંધનાં કારણેામાં પણ તે છૂટે છે, કારણ કે તેની ષ્ટિ કરી છે. “ હેાત આસવા પરિસવા, નહિ ઇનમેં સંદેહ; માત્ર ષ્ટિકી ભૂલ હૈ, ભૂલ ગયે ગત એહ.” શ્રીમદ્ રાજચંદ્ર સ્ત્રીને જોઈને સ`સારી વિષયલ'પટી જીવને મેહ થાય, તે ગાઢ કર્મ બાંધે; ત્યાં જ્ઞાનીને તે જોઈ ને વૈરાગ્ય થાય છે. શિવાજી છત્રપતિ મહારાષ્ટ્રના ભક્તરાજા વિષે કહેવાય છે કે એક વખતે લૂ'ટમાં ધનમાલ, ઘેાડા તથા સ્રીઓ વગેરે જે પકડાયાં હતાં તે કચેરીમાં હાજર કર્યાં. ત્યારે એક રૂપવ'તી ખાઈ પકડાઈ હતી. તેના સામું શિવાજી થાડી વાર જોઈ રહ્યા પછી એલ્યા કે મારી મા જીજીબાઈ પણ આવી જ હતી. તે સાંભળી સર્વ સામતા આશ્ચર્ય પામી ખેલી ઊઠચા કે અહા! આપણાં ધન્યભાગ્ય છે કે આવા પવિત્ર નાયક આપણે માથે છે. મેગલ રાજાઓને હાથે આવું સ્ત્રીરત્ન ચઢયું હોય તે તે જનાનામાં માકલી રાણી બનાવત અને ભાગમાં મગ્ન થાત. પણ શિવાજીએ તેને તેના પતિને ત્યાં ભેટ સાથે પાછી મેાકલાવી, એમ કહેવાય છેજી. આ દૃષ્ટાંત ઉપરથી સત્પુરુષના શિષ્યને ઘણું વિચારવાનું છે કે બંધન કરાવે તેવાં જગતનાં કારણે તા ચારે બાજુ ઘેરીને રહ્યાં છે, તેમાંથી ખચવાનું સાધન એક સત્પુરુષે કરેલી આજ્ઞા, સ્મરણ, Page #180 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધી ૧૫૭ વૈરાગ્ય, બેધની સ્મૃતિ આદિ છે. તે સાધનને જીવ જો પ્રમાદને લઈને ન વાપરે તે કમબંધ થતાં વાર ન લાગે તેવા સંજોગે આ કાળમાં જીવની ચારે બાજુ ગોઠવાયેલા છે. ૫. ઉ. ૫. પૂ. પ્રભુશ્રીજી બાળકનું દષ્ટાંત આપતા કે ભાણામાં ખાવાનું પીરસી બાળકની મા તેને લાકડી બતાવી પાણી ભરવા જાય ત્યારે કૂતરા ઘરમાં પેસી તેના ભાણામાંથી ખાઈ જાય અને બાળક રડયા કરે પણ આપેલી લાકડી સંભારે નહીં તે કૂતરા ખસે નહીં, ને જે લાકડી ઉગામે તે ઊભા રહે નહીં. તેમ મળેલાં સાધનનું માહામ્ય રાખી જ્યાં હોઈએ ત્યાં જે નવરાશન વખત મળે તે સત્પરુષનાં વચન વાંચવા, ગેખવા, વિચારવામાં કે ભક્તિભજન સ્મરણમાં ગાળવાની ટેવ પાડીએ તે પુરુષની પેઠે સપુરુષના આશ્રિતને પણ બધું સવળું થાય. પણ પ્રમાદ છોડીને કરવું જોઈએ. ત્યાં વધારે વખત ભક્તિ વગેરે માટે મેળવવું હોય તે મળે એવો સંભવ ખરે. અને જેમ આબુ વગેરે એકાંત સ્થળ હોય તેવા અજાણ્યા સ્થળે લેકેને રાજી રાખવા બહુ બેટી થવું ન પડે વગેરે કેટલાક લાભ પણ છે. તે યથાપ્રારબ્ધ ત્યાં રહેવાનું થાય ત્યાં સુધી જાણે નિવૃત્તિ અર્થે કઈ પર્વત પર ગયા હોઈએ તેમ કામ પહોંચે ત્યાં સુધી કામ ને નવરાશે ધર્મપ્રવૃત્તિમાં ચિત્ત રોકવાને કઠણ અભ્યાસ કરવા કમર કસી તૈયાર થાઓ તે જેટલું અઘરું લાગે છે તેટલું સવળું થવાનો સંભવ છે. પછી આપ અવસરના જાણ છે. જેમ આત્મહિત એકંદરે વધારે થતું જાય તેમ સરવાયું કાઢી તપાસીને પગલું ભરવું યંગ્ય છે. એ શાંતિઃ ૧૫૮ અગાસ, તા. ૨૦-૪-૩૯ વૈશાખ સુદ ૧, ગુરુ, ૧૯૯૫ અનન્ય શરણના આપનાર એવા શ્રી સદ્દગુરૂના ગબળે પરમ શાંતિનું કારણ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસથી લિ. સત્યરુષના ચરણકમળની સેવાને ઈચ્છક દીન દાસ બાળ ગોવર્ધનના જ્ય સદ્ગુરુવંદન સહ આત્મભાવે નમસ્કાર સ્વીકારવા વિનંતી છે. આપે પત્રમાં જણાવ્યું છે તેમ સંસાર દુઃખરૂપ છે, જન્મ–જરા-મરણ, આધિ (મનનાં દુઃખ), વ્યાધિ, ઉપાધિથી ભરેલું છે. રાશી લાખ જીવનિમાં અનાદિકાળથી આ જીવ ભટકતે આવ્યું છે પણ હજી થાક્યો નથી. કારણ કે દારૂડિયાની પેઠે દારૂથી નુકસાન થાય છે છતાં તે પીતી વખતે આનંદ માને છે, તેમ કર્મવશ જીવ પિતાનું ભાન ભૂલી બીજી તુચ્છ વસ્તુઓમાં રાજી થઈ જાય છે. અનાદિકાળથી છવ ખા ખા કરતા આવ્યા છે પણ ખાવા બેસે ત્યારે જાણે કોઈ કાળે ખાધું ન હોય તેમ દુકાળિયાની પેઠે ખાવામાં તન્મય થઈ જાય છે અને સ્મરણ કે ભગવાનને ભૂલી જાય છે. માટે જેને ભગવાન પ્રત્યે સદ્દગુરુકૃપાથી પ્રીતિ થઈ છે અને ભગવાનનું શરણું ગ્રહણ કર્યું છે તે જીવે તે હવે વારંવાર મરણને સંભારી બીજી વાતોમાંથી મનને ખેંચી લઈ સ્મરણ, ભક્તિ, વાચન, વિચારમાં જોડી રાખવાને અભ્યાસ કરવા લાયક છે. ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજી દષ્ટાંત આપતા કે નાનું બાળક દિશાએ જઈ હાથ તેમાં ઘાલી રમે છે, તેની મા “છી છી કહે તે ત્યાંથી હાથ લઈ લે, વળી પાછું તેમાં રમવા જાય છે. એ તેની અણસમજ અને બાળકબુદ્ધિ છે. મેટું થયા પછી સામું જોવું પણ તેને Page #181 -------------------------------------------------------------------------- ________________ બેધામૃત ૧૫૮ ગમતું નથી, કેમ કે તેની સમજણ ફરી ગઈ. તેમ સંસારનાં સુખમાં જીવ અજ્ઞાનને લીર્દ રાજી થાય છે; સદ્ગુરુને બંધ થતાં મન જરા પાછું પડે પણ જ્યાં સુધી ઘણું બધું કરી દષ્ટિ ફરી નથી ત્યાં સુધી પાછા તે સુખમાં મન લલદાઈ જાય છે. પણ સમ્યક્દર્શન કે આત્માને અનુભવ જેને થાય છે તેને એ સુખ વિષ્ટામાં રમવા જેવા લાગે છે, તેથી તે તરફ જોવાનું પણ તેમને મન થતું નથી. માટે સત્પરુષનાં વચને, તેમણે કરેલ બે વારંવાર વિચારી આત્માને શિખામણ આપતા રહેવું કે “હે જીવ! જે આ મનુષ્યભવ પામીને પણ હવે પ્રમાદ કરશે, સદૂગરની આજ્ઞામાં, ભક્તિમાં, તેનાં વચનમાં, પરમાત્મસ્વરૂપ એવા પરમ પરષમાં ભાવ નહીં રાખે અને સંસારમાં ને સંસારમાં વૃત્તિ રહી તે લખ ચોરાશીના ફેરામાં તારી શી વલે થશે? આ ભવમાં આટલાં દુઃખ આકરાં લાગે છે તે નરક આદિ ગતિમાં રઝળતાં આ ધર્મ કરવાને જેગ ક્યાં મળશે ? માટે હે જીવ! પ્રમાદ છેડી, સદ્દગુરુએ અનંતકૃપા કરી આપેલા સાધનને રાતદિવસ ઉપાસવા પુરુષાર્થ કર, તે કંઈક નિવેડે આવે અને મોક્ષમાર્ગનાં સાધન સુલભ થઈ કલ્યાણ થાય.” એમ પિતે પિતાને શિખામણ આપી ચેતતા રહેવાય તે વૈરાગ્ય, ભક્તિ આદિ વડે જીવ શાંતિ પામે. - મનને વીલું મૂકવા જેવું નથી. નવ બેઠો નખેદ વાળે તેમ નવરું મન રહે તે ખેટા બેટા વિચારોમાં તણાઈ જાય, માટે સ્મરણમંત્રને તાર તૂટવા દે નથી એવું નક્કી કરી હવે તે મંડી પડવું અને મરણ સુધી તે અવલંબન છોડવું નહીં. તેથી સમાધિમરણ થાય છે એમ પ. પૂ. પ્રભુશ્રીજી પાસેથી સાંભળ્યું છે.જી. મંત્ર છે તે આત્મા જ છે. તેથી આત્માર્થીએ તે ભૂલવા ગ્ય નથી. વધારે શું લખું ? જ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૫૯ અગાસ, તા. ૧૯-૫-૩૯ વૈશાખ વદ ૦)), શુક્ર, ૧૯૯૫ હરિગીત–લૌકિક દષ્ટિ દૂર કરી શ્રી રાજચંદ્ર ગુરુ સ્મરું; તે પદ અલૌકિક ઓળખીને નમન નિત્ય કર્યા કરું. (પ્રજ્ઞાવધ-૨૮) પ્રારબ્બાધીન જ્યાં રહેવું થાય ત્યાં પ. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ જણાવેલ આજ્ઞા ઉપાસ્યા કરવી. પરમકૃપાળુદેવ હાજરાહજૂર છે એમ તેઓશ્રી વારંવાર બોધમાં કહેતા હતા. પરમકૃપાળુદેવ હું જે કરું છું, ભક્તિ આદિમાં પ્રવર્તુ છું કે જે ભાવ કરું છું તે જાણે છે. તેમનાથી કંઈ અજાણ્યું નથી. મારે શ્રદ્ધા પ્રતીતિ વર્ધમાન કરવી છે એ ભાવ રાખી અવકાશને કાળ નકામે વહ્યો ન જાય તેમ વર્તવા ગ્ય છે. ભગવાને કહેલા ભાવમાં પ્રવર્તાય તેટલે આનંદ માનવા ગ્ય છે. પારકી પંચાત ઓછી કરી પુરુષનાં વચન સપુરુષતુલ્ય સમજી તેનું વાંચન, વિચાર, ભાવના, વિનય, ભક્તિ આદિ કરતાં જીવને સમ્યફદર્શન થવાનું કારણ બને છેજ. જેમ નામું રજ લખવું પડે છે તેમ જતા દિવસને ભાવસંબંધી હિસાબ (૧૮ પાપસ્થાનક આદિની દિવસનાં કાર્યો સંબંધી તપાસ) જરા ખોટી થઈને કરતા રહેવા ભલામણ છે. રોજ રોજ દેષ જોવાની વૃત્તિ રહેશે તે તે દેશ પ્રત્યે અભાવ થઈ તેને ત્યાગ કરવા Page #182 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા - ૧૫ જીવ ઉપાય લેશે. માટે આત્માને માટે બેટી થવું પડે તો તેમાં કંટાળવું નહીં. નિર્દોષ થવા પ્રયત્ન ચાલુ રાખવો. એ જ વિનંતિ. છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૬૦ અગાસ, તા. ૨૭-૬-૩૯ તત સત અષાઢ સુદ ૧૧, મંગળ, ૧૯૯૫ પરપ્રેમ પ્રવાહ બ પ્રભુસે સબ આગમ ભેદ સુઉર બર્સે; વહ કેવલકો બીજ ગ્લાનિ કહે, નિજકો અનુભૌ બતલાય દિયે.” – શ્રીમદ્ રાજચંદ્ર “અનંતકાળથી જીવનું પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ કાં થતી નથી? અને તે શું કરવાથી થાય? આ વાક્યમાં અનંત અર્થ સમાયેલું છે અને તેને માટે દઢ થઈ ઝૂર્યા વિના માર્ગની દિશાનું પણ ભાન થતું નથી” (૧૫) એમ પરમકૃપાળુદેવ લખે છે તેને વિચાર મુમુક્ષુ જીવે એકાંતમાં પોતાના આત્માને અર્થે વારંવાર કર્તવ્ય છે જ. પરમ કરુણાવંત એવા જ્ઞાની પુરુષોએ અનેક ભવના અનુભવને સાર એક એક વાક્યમાં, એક એક શબ્દમાં આપણું માટે ભર્યો છે, તેને લાભ લેવા જિજ્ઞાસા અને વૈરાગ્યની વૃદ્ધિ કરીએ તે આનંદને અખૂટ ખજાને જ્ઞાની પુરુષની કૃપાદૃષ્ટિએ પ્રાપ્ત થાય તેમ છે. બાગમાં જઈએ તે સહજ સુગંધ મળે છે, પણ તેટલું ચાલીને ત્યાં જવું જોઈએ અને તે જાતને જેમ શેખ હોય તો આનંદ આવે છે, મજૂરને બાગમાં કામ કરવાનું હોય તે પણ તે જાતની રુચિ અને શોખ નથી તેથી આનંદ નથી માનતે, તેમ પુરુષોની કૃપાને પાત્ર થવા વૈરાગ્ય, ઉપશમ, ભક્તિની જરૂર છે. પરમાર્થની જિજ્ઞાસા જેને ઉત્પન્ન થઈ છે, જન્મ, જરા, મરણ, રેગાદિને જેને ભય લાગ્યો છે; ફરી નથી જન્મવું એવી જેની અભિલાષા છે, સપુરુષનાં દર્શન, સમાગમ, બાધ અને સ્મરણ આદિ અમૂલ્ય દુર્લભ સામગ્રી જેને પ્રાપ્ત થઈ છે તેવા જીવે હવે વિચારવું ઘટે છે કે મરણ વખતે આ બધું લુંટાઈ જનાર છે, તે તે પહેલાં મળેલી સામગ્રીને વધુમાં વધુ સારે ઉપયોગ કેવી રીતે કરવો કે જેથી શાશ્વત મેક્ષ સુખ પામવા આપણે વહેલામોડા ભાગ્યશાળી થઈએ. કોઈક વખતે આવા વિચાર આવે તે બહુ કાર્યકારી થતા નથી; જેમ વરસાદ એક વખત થાય તેથી પાક થતો નથી. પણ વારંવાર જોઈએ ત્યારે વરસાદ આવેત રહે તે અનાજ સારું પાડે છે, તેમ વારંવાર આત્મવિચાર કરવાથી આત્મસિદ્ધિ થાય છે. ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજી ‘તત્વજ્ઞાન” આપતી વખતે પિતાને હાથે લાલ સીસાપેનથી પિતાના હસ્તાક્ષરથી જીવને કરવા ગ્ય, વિચારવા ચગ્ય આખા જીવનના ભાથારૂપ કંઈ કંઈ બોલો લખી આપતા, તે આપની પાસે તત્ત્વજ્ઞાન કે વચનામૃતમાં તેઓશ્રીએ કંઈ લખી આપેલ હોય તે વારંવાર વિચારી તે ભાવમાં આત્માને પ્રેરવા પુરુષાર્થ કરશે તે જીવન–સફળતાને માર્ગ સરળતાથી મળે તેવા ચમત્કારી બેલે પિતે લખતા તે યાદ દેવરાવવા આ પત્ર લખેલ છે. દેહને માટે ઘણી કાળજી રાખી છે, રાખીએ છીએ, પણ આત્માને માટે તેથી અનંતગણી કાળજી રાખવા પરમકૃપાળુદેવની આજ્ઞા છે તે ન વિસરી જવાય તેટલી દાઝ રાખવી ઘટે છે. સર્વ મુમુક્ષને એ જ કર્તવ્ય છે કે સત્યરુષની આજ્ઞા પ્રેમપૂર્વક ઉપાસવી. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #183 -------------------------------------------------------------------------- ________________ બેધામૃત તા. ક. – “સદ્ગુરુપ્રસાદ’ ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ સમાધિમરણનું કારણ જણાવ્યું છે તે તેમાંનાં ચિત્રપટ, પત્રો વગેરે પ્રત્યે ખાસ લક્ષ રાખશે અને મરણ પ્રસંગે તે ચિત્રપટનાં દર્શન ભાવિક મુમુક્ષુને કરાવવા ભલામણ છે. ૧૬૧ અગાસ, તા. ૨૮-૬-૩૯ તત્ છે સત અષાડ સુદ ૧૨, બુધ, ૧૯૯૫ “આબે બહુ સમદેશમાં, છાયા જાય સમાઈ આવ્યું તેમ સ્વભાવમાં, મન સ્વરૂપ પણ જાઈ. ઊપજે મેહવિકલપથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલેતાં, વિલય થતાં નહિ વાર.” (૫૪) આપને પત્ર તા. ૧૫મી જનને લખેલે ગઈ કાલે હું દક્ષિણ હિંદની યાત્રાથી આ ત્યારે મળે. વાંચી આપની ભાવના તથા મન શાંત થવા વિષે જાણવાની જિજ્ઞાસા જાણી છે”. એ પ્રશ્ન મૂંઝવણવાળે છે. તેને ઉકેલ મહાપુરુષોએ આર્યો છે અને પરમ શાંતિ પદને પામ્યા છે. પરમકૃપાળુદેવે પિતાના છેલ્લા કાવ્યની ઉપર મથાળે ટાંકેલી કડીઓમાં માર્ગે જણાવ્યું છે. તેને સાર એ છે કે દેહાદિ પદાર્થો પ્રત્યેને મેહ મનની અસ્થિરતાનું અને સંસારની ઉત્પત્તિનું કારણ છે. તે મેહ દૂર કરવા આત્મદષ્ટિની જરૂર છે. તેનું કારણ સત્પરુષના ઘણા કાળના બધે જેમ છે તેમ સમજાય છે અને જેને તે સમજાય છે તેને મન વશ વર્તે છે વશ ન વર્તતું હોય તે પણ તે આત્મસ્વરૂપને વિષે જ વર્તે છે.” (૩૭૩) એમ પરમકૃપાળુદેવે પોતે કહેલ છે. વળી લખે છેઃ " देहाभिमाने गलिते विज्ञाते परमात्मनि । यत्र यत्र मनो याति तत्र तत्र समाधयः ।। ભાવાર્થ : કર્તા, હું મનષ્ય, હું સુખી, હું દુઃખી એ વગેરે પ્રકારથી રહેલું દેહાભિમાન, તે જેનું ગળી ગયું છે, અને સર્વોત્તમ પદરૂપ પરમાત્માને જેણે જાણ્યો છે, તેનું મન જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તેને સમાધિ જ છે.” (૨૨૩) એ આદિ માર્ગ મહાપુરુષોએ દર્શાવ્યા છે તે દેહદષ્ટિ દૂર થયા વિના, આત્મસુખ માટે ગૂરણા કર્યા વિના વાતે કરવાથી, લખવાથી કે વાંચી લીધાથી હાથ લાગતા નથી. સત્સંગ એ સર્વોપરી સાધન કહ્યું છે. તેથી ભક્તિ, વૈરાગ્ય, સમજણ, શાંતિ પ્રાપ્ત થાય છે.જી. જ્યારે ત્યારે આ જીવે પોતે જ તૈયાર થઈ તે માર્ગ સર્વ પ્રકારના સંકટો સહન કરી શોધીને ઉપાસવો પડશે. દેહાદિ પ્રતિકૂળતાઓથી જીવ મૂંઝાય છે, તેથી અનંતગણી મૂંઝવણ અજ્ઞાનદશાની સાલવા લાગશે ત્યારે જીવમાં યથાર્થ વીર્ય જાગશે, અને માર્ગ પ્રાપ્તિમાં મુશ્કેલીઓ જણાય તે દૂર કરી, ક્ષાર્થ સાધવામિ યા તે વાતવામિ (કાર્ય સાધું કે દેહ પાડી નાખું) એ નિશ્ચય કરી મરણિયે બની માર્ગ પામી મોક્ષમાર્ગ આરાધશે. દેહના કટકેકટકા થઈ જાય તે પણ શ્રદ્ધા ન છૂટે, સપુરુષનું અવલંબન ન તજે અને મરણાંતે પણ તેણે અનંત કૃપા કરી આપેલું સ્મરણ આદિ સાધન આરાધ્યા કરે તેને અવશ્ય અજ્ઞાન દૂર થશે. લાંબા ટૂંકા કાળની ગણતરી Page #184 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધી કર્યા વિના સહનશીલતા અને ધીરજ વડે સત્યરુષને માર્ગ આરાધે તેની દશાને જીવ પામે છે. સાચું સાધન પામ્યા પછી પુરુષાર્થની વૃદ્ધિ કર્યા કરવી. ઘણા કાળે જે ફળ આવવા યેગ્ય છે, તેને તુરત લાવવા તેવા પુરુષાર્થની જરૂર છે. તેટલે પુરુષાર્થ બને તેમ હાલ ન લાગતું હોય તે યથાશક્તિ પુરુષાર્થ કરતા રહી ભાવના તેની જ રાખ્યા કરવી, પણ શ્રદ્ધા મંદ થવા ન દેવી એ ભલામણ છે. છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ તા. ક–તમને સમાધિમરણની ભાવના છે તે જાણી હર્ષ થયા છે. સત્પરુષે બતાવે માર્ગ, તેનું સ્મરણ તે સમાધિમરણનું કારણ છે અને તેનું આરાધન કરનારને અંત વખતે પણ તેવા શુભ સવેગે મળી રહે છે. માટે નિર્ભય રહેતાં શીખવું એ જ વિનંતિ. ૧૬૨ અમાસ, તા. ૨૯-૬-૩૯ આપને પત્ર મળે. ભક્તિભાવ સ્વપરને હિતકારી છે. જેટલી પરમકૃપાળુદેવ ઉપર જેની શ્રદ્ધા છે તેટલે તે જીવ ભાગ્યશાળી છે. સમજણ તે પૂર્વે જ્ઞાનાવરણીય કર્મ દૂર કરવા કરેલા પુરુષાર્થને આધારે હોય છે, પણ દર્શનમોહ દૂર થઈ શ્રદ્ધા થવામાં ભાવની પ્રાધાન્યતા છે. તે ભાવ સર્વ કરી શકે તેમ છે. બાઈ ભાઈ, ભણેલા, અભણ, ગરીબ, ધનવાન, બ્રાહ્મણ કે પતિત, ગમે તે શ્રી પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુનું શરણું ગ્રહણ કરી મરણ સુધી ધારે તે ટકાવી શકે તેમ છે. આ અપૂર્વ વેગ આ મનુષ્યભવમાં મળી આવ્યું છે તે ચૂકવા જોગ નથી. ખરી કમાણી કરવાની મેસમ આ મનુષ્યભવ છે તેમાં પ્રમાદ કર્તવ્ય નથી. પ્રમાદથી મળે લાભ પણ જીવ ખોઈ બેસે છે. માટે જેટલો વખત બની શકે તેટલે વખત ભક્તિભાવનામાં ગાળવા યોગ્ય છેજ. કામ કરતાં છતાં ભાવના ભગવાન પ્રત્યે રાખવાની ટેવ રાખી હોય તો તે બની શકે તેમ છે. રુચિ, પ્રેમ, પ્રતીતિ જેટલી હશે તેટલા પ્રમાણમાં મન વારંવાર શ્રી સદ્ગુરુ પ્રત્યે જશે, અને તે મહાજ્ઞાની પુરુષના આશ્રિતે કેમ વર્તવું તેનું શિક્ષણ તે પામતું જશે. છે શાંતિઃ શાતિઃ શાંતિઃ ૧૬૩ અગાસ, તા. ૩-૭-૩૯, સેમ અનુરુપ – કાયાની શુદ્ધિ પાણીથી, જળ-જી હણાય જ્યાં; બ્રહાચર્ય સુતી જા, ધર્મસ્નાન ગણાય ત્યાં. (પ્રાવધ– ૫) આશ્રમમાં જેમ ભક્તિ, શાંતિ અને સત્સંગને વેગ છે તેવું બીજે બધે દૂર હજારેક માઈલ (દક્ષિણની યાત્રામાં જઈ આવ્યા પણ જણાયું નથી. પરમકૃપાળુદેવની પરમ નિષ્કારણ કરુણાથી આપણને અપૂર્વ માર્ગ દર્શાવનાર પરમકૃપાળુ શ્રી પ્રભુશ્રીને વેગ થયો છે તે સમાન બીજું કયાંય જગતમાં જણાતું નથી. આપણે ગ્યતા વધારી તે સત્પરુષે પ્રકાશેલા માર્ગનું આરાધન અહેરાત્ર કરતા રહેવાની જરૂર છે. તેમાં પ્રમાદને વશ થયા તે ભવ હારી જવા જેવું છે. કેઈ ભવમાં નહીં મળે તે પેગ સફળ કરવાને લાગ આવ્યું છે તે વહી જવા દે ન જોઈએ. ઉપશમ વૈરાગ્ય વધારી આત્માની દયા લાવી તેનું પરિભ્રમણ ટાળવું જ. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #185 -------------------------------------------------------------------------- ________________ બેધામૃત ૧૬૪ અગાસ, અષાડ વદ ૩, મંગળ, ૧૯૯૫ “વીતરાગ શાસન વિશે, વીતરાગતા હોય; જહાં કષાયકી પિષણા, કષાય-શાસન સંય. “આત્માથે કરીએ ખામને, સબ દેષ પાપ હો જાય ફના – આત્માર્થે .”-(રત્નરાજ) દયા શાંતિ સમતા ક્ષમા, સત્ય ત્યાગ વૈરાગ્ય; હોય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય.” – શ્રીમદ્ રાજચંદ્ર પરમકૃપાળુદેવને આપણે શા માટે ભજીએ છીએ? મોક્ષને માટે કે બીજા કેઈ હેતુએ? મોક્ષની ઈચ્છા જેને હોય તે મુમુક્ષુ અને સાચા મુમુક્ષુમાં શો ફેર હશે ? સાચા મુમુક્ષના હદયમાં કેવા ગુણ હોવા જોઈએ? એમાંનાં ક્યા ગુણે ખાસ કરીને આપણામાં નથી? અને તે પ્રાપ્ત કરવા શું કરીએ છીએ? પરમકૃપાળુદેવનું નામ જગતમાં આપણે દીપાવવું છે કે વગેવાય તેવું આચરણ કરવું છે? અત્યારની આપણી પરસ્પર એકબીજા મુમુક્ષુ પ્રત્યેની લાગણીઓ માનભરી છે કે કુસંપવાળી છે? તેનું ફળ આગળ જતાં કેવું આવશે? હવે આપણે કેમ વર્તવું? આ અને આવા જરૂરના જણાય તેવા પ્રશ્નો પરસ્પર મુમુક્ષુભાઈબહેને એકઠા થાઓ ત્યારે વિચારી કંઈક આત્મહિત થાય તેવે રસ્તે અવાય તે સ્વપરને ઉપકારક છે એમ જાણી આ બેલે લખ્યા છે તેને વિચાર કરી કેઈ નિકાલ આણવા સાચા દિલથી ભાવના રાખશે તે હિત થવા સંભવ છેછે. નહીં તે મમત અને તાણખેંચમાં કઈ રીતે ધર્મ નીપજે એવી કઈ કાળે આશા રાખવી વ્યર્થ છે. આપનામાંથી કોઈનું દિલ દુભાય તેમ લખાયું હોય તેની ક્ષમા યાચી વિરમું છું. છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૬૫ અગાસ, તા. ૨૨-૭-૩૯ હરિગીત – ભવ ભવ વિષે વિષય વિષે આસક્ત બન હું બહુ ભમ્યો, નર ભવ મળે તે યે ન તેથી છૂટોને જૈવ વિરમે; ભૂલ કેટલી મારી કહું? ઈન્દ્રાદિ પદ નહિ તૃપ્તિ દે, તે અલ્પ આયું, તુરછ સુખ માટે ન સમજું ચિત્ત દે. આપના બન્ને પત્રો મળ્યા છેછે. આપને દૂર રહ્યાં પણ ભક્તિભાવનો રંગ લાગે છે તે પત્રમાં પણ જણાઈ આવે છેજ. જીવનની અમૂલ્ય ઘડી જે પ. ઉ. પ્રભુશ્રીજીનાં દર્શન-સમાગમમાં, બેધમાં ગઈ છે તે સોનેરી પળને વારંવાર યાદ કરી તેમણે મુખપાઠ કરવા, ભક્તિ કરવા, સ્મરણ કરવા જે જે કહ્યું હોય તે જ ઉલ્લાસભાવે કરવાથી જીવનું કલ્યાણ જરૂર થશે. પ્રમાદ કર્તવ્ય નથી. છોકરાં, હૈયાં, ધન, ઘરેણાં, કપડાંલત્તામાં જીવ બહુ નહીં પરવતાં, મારે તે આ ભવમાં ભગવાને આત્માર્થે જે માન્ય કરવા કહ્યું હોય તે ભૂ લું નહીં. મંદવાડમાં, મેળામાં, ઘેર કે પરગામ, સૂતાં, બેસતાં, ઊઠતાં, હરતાં-ફરતાં મંત્રનું સ્મરણ વારંવાર જીભ ઉપર રાખી હૃદયને ભગવાનની ભક્તિમાં જોડી રાખવાથી સમાધિમરણનું કારણ બનશે. જીવને સ્વભાવ જે નિમિત્ત મળ્યું તેમાં તન્મય થઈ જવાને છે તે ટેવ બદલાવી, જ્ઞાનીએ કહ્યું છે તે આત્મા મારે છે, મેં જા નથી પણ મારે જ્ઞાનીએ જાણેલે – અનુભવેલે આત્મા માન્ય છે, તે સિવાય Page #186 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૧૬૩ મને મરણ વખતે કંઈ ન સાંભરે, મારું નથી તે મારું મારું કરીશ તે પણ અહીં પડયું રહેશે અને ખેતી ગતિમાં ભટકવું પડશે માટે આજથી ટેવ એવી પાડી મૂકે કે જ્ઞાનીએ અનુભવ્યો છે તે મારો આત્મા છે. તેની કાળજી પળે પળે રાખું, તેને માટે સદાચરણ, સત્સંગ, ભક્તિ કરું, પણ સંસારનાં સુખ ન ઈચ્છું. એ શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૭-૮-૩૯ તત ! સત્ પ્ર. શ્રાવણ વદ ૮, મંગળ, ૧૯૯૫ “આવ્યું બહુ સમદેશમાં, છાયા જાય સમાઈ આવ્યું તેમ સ્વભાવમાં, મન સ્વરૂપ પણ જાઈ.” (લ્પ૪) આપના બને પત્રો મળ્યા છેછે. પ્રથમ પત્રને પ્રશ્ન સમજાયું નથી. માત્ર તમે ઉદાર વૃત્તિને લઈને યથાશક્તિ દાન કરે છે એટલું જણાવ્યું છે. તેમાં શંકા જેવું કે પ્રશ્ન જેવું શું છે તે સમજાતું નથી. શુભ ભાવ છે તે અશુભ ભાવ કરતાં કોઈ અપેક્ષાએ સારે છે. તડકા કરતાં છાયામાં ઊભા રહેવું ઠીક છે એમ સૌને સમજાય છે. પણ જ્ઞાનીને માર્ગ કેઈ જુદો જ છે. તડકો અને છાંયે જેને સમ થઈ ગયા છે; એક પગને કઈ વાંસલાથી કે કુહાડાથી કાપતે હોય અને બીજે પગે કઈ ચંદનને લેપ લગાવતા હોય તે તે બન્ને પ્રત્યે સમદષ્ટિ રાખવી એ જ્ઞાનીને માર્ગ છે. આચારાંગમાં ‘વિમેક્ષ' નામના આઠમાં અધ્યયનમાં સમાધિમરણની વાતને વિસ્તાર છે, તેમાં ટીકાકાર લખે છે કે મુનિ ચારે પ્રકારના આહારને ત્યાગ કરી, ગામ, શહેર, બજાર, ખેતર, પરું, નગર, પાટણ વગેરે સ્થળે ફરીને સંથારાને યોગ્ય નિર્જીવ ઘાસ માગી લાવી, જંગલમાં નિર્જીવ કે અ૯પ છવાકુલ જમીન જોઈ, સ્પંડિલ વગેરે તપાસી, સંસ્તર ઉપર બેસી, સિદ્ધ ભગવાનને નમસ્કાર કરી, ફરી પંચમહાવ્રત વગેરે નિયમનું ઉચ્ચારણ કરી ભક્તપ્રત્યાખ્યાન કરે. પછી શિયાળ, કીડીઓ, વીંછી, પક્ષી, ગીધ વગેરે ઉપસર્ગ કરે તેમને ખસેડે નહીં, માખી વગેરે ઉરાડે નહીં અને સર્વ દુઃખને સંતોષથી, સહનશીલતાથી ખમે. વિશેષમાં લખે છે કે અમૃતને આહાર કરતાં આનંદ થાય તેવો આનંદ માને; મરણને ઇચ્છે નહીં, જીવવાની પણ વાંછા રાખે નહીં. કહે કેવી સમતા ! તેને પરમાનંદ સ્વરૂપનું પ્રત્યક્ષ ભાન થયેલું હોવાથી આત્માનું નિરાકુળ સ્વરૂપ-સુખ તે અનુભવે છે. સમભાવ જેના હૃદયમાં ખડો થાય તેને સુખદુઃખ, ઈષ્ટ અનિષ્ટ, શત્રુમિત્ર, માન અપમાન, પારકું પિતાનું, લાગવગ, પ્રીતિ અપ્રીતિ સર્વ વિકપ સમાઈ જાય છે. માથા ઉપર સૂર્ય સીધી લીટીએ ઊંચે તપતો હોય ત્યારે પૃથ્વી, માથું અને પગ એક સમદિશામાં, સમદેશમાં આવે છે ત્યારે છાયા (શરીરને પડછાયે) પગમાં પેસી જાય છે, સમાઈ જાય છે તેમ આત્મા, પરમાત્મા અને સદ્દગુરુકૃપાની એકતા કે સમ્યકજ્ઞાન-દર્શનચારિત્રની એકતારૂપ સમભાવ કે સ્વભાવમાં પ્રવેશ થાય ત્યાં મનનું સ્વરૂપ જે સંકલ્પ-વિક૯પ કરવાનું તે દૂર થઈ જાય છે, અથવા સંક૯૫વિકલ્પ સમાઈ જાય ને નિર્વિકલ્પ પિતાનું શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સહજ સ્વરૂપે પ્રકાશે. આવી અનંત કૃપા કરી જ્ઞાની પુરુષ શ્રીમદ્ રાજચંદ્ર પરમકૃપાળુદેવે એક દેહામાં સાગરને ગાગરમાં સમાવે તેમ પરમ રહસ્ય, મોક્ષનું સાક્ષાત્ કારણ, ચૌદપૂર્વના સારરૂપ પોતાના છેલ્લા Page #187 -------------------------------------------------------------------------- ________________ બધામૃત કાવ્યમાં, દેરાસર ઉપર પૂર્ણ કળશ ચઢાવે તેમ પરમ મંગળરૂપ સર્વોપરી ઉપદેશ તેમાં સંક્ષેપ કહ્યો છે, તે આ પામર પૂરી રીતે સમજવા શક્તિમાન નથી તે નકામું ચૂંક ઉરાડી બીજાને સમજાવવાનું અભિમાન કરું એ જ મારી શુદ્ધકતા છે. પણ તે રહસ્ય આ આત્મામાં નિરંતર રહો, એ અભિલાષા છે. જહાં કલ્પના જલ્પના, તહાં માનું દુઃખ છાંઈ, મિ. કલ્પના જ૫ના, તબ વસ્તુ તિન પાઈ.” (હા. ને. ૧-૧૨) તા.ક.- તમારા પત્રથી એક ભાઈ દક્ષિણ નિજામ રાજ્યમાંથી આવ્યા છે. એક વખત મને મળેલા છે અને તેનામાં જે ભરેલી કલ્પનાએ તેને ધૂપ કરી ગયો હતે. કાણાને કાણો કહે ઠીક નથી. તેના પ્રારબ્ધમાં ભલું થવાનું હશે તે તેને તેને દોષ ખૂંચશે અને કાઢવા પ્રયત્ન કરશે. માર્ગ શોધશે અને પામશે. પરમકૃપાળુદેવનું અનન્ય શરણ આ ભવમાં પામવું મહામુશ્કેલી છે. ઘણા પુણ્યને ઉદય જોઈએ છીએ. જે સંસારમેહ અને ક૯૫નાઓથી થતા જન્મમરણને ત્રાસ પામ્યા છે અને પુરુષના દાસાનુદાસના ચરણકમળની રજ જેવો નિર્માલ્ય થઈ પડી રહેવાને જેને નિશ્ચય થાય તે સતને પાત્ર થાય અને સત્સંગમે પરમાર્થ –ભાવનાનું પિષણ પામે, પણ આ કાળ કલ્પનાઓને પિષે અને અહંભાવમાં આંજી નાખે તેવે છે. તેના પંજામાંથી છૂટવું મહામુશ્કેલ કામ છે. ડાહ્યા થવા જેવું નથી. નીચી મૂંડી રાખી લઘુતા રાખી સીલમાં વત્યાં જવા જેવું છે”. એ જ વિનતિ. અગાસ, તા. ૪-૯-૩૯ દેહે – જ્ઞાનીની આજ્ઞા વિષે, વર્તે તે સુખ થાય, મોક્ષમાર્ગમાં તે ટકે, એ જ અચૂક ઉપાય. આપે પત્રમાં વ્રત વિષે જણાવ્યું છે કે પરમકૃપાળુદેવ સમક્ષ છ માસનું વ્રત લીધું છે. તે દૃઢતાથી પાળવા ભલામણ છે. ભાવ પિષવા, દઢ કરવા અને પાત્રતા પામવા માટે વ્રત-નિયમ આત્માર્થે કર્તવ્ય છે. ત્યાગવૈરાગ્ય વધે તેવું વાચન, વચનામૃત, સમાધિસોપાન, ભાવનાબેધ આદિ વાંચતા રહેશે. ' બીજું સહર્ષ જણાવવાનું કે ધામણમાં મંદિરની જગા સંબંધી બે પક્ષ પડી ગયા હતા તેનું સમાધાન થઈ ગયું છે. પૂ. કાળુભાઈ આદિએ પૂ. ગોકળભાઈ આદિને બધી વ્યવસ્થા કરવાનું સેંપી દીધું છે અને બધા એકમત થઈ ગયા છે. આ પર્યુષણ પર્વ ઉપર તે આવી શકશે તે બેચાર ટ્રસ્ટી વગેરેની સલાહથી જગ્યા સંબંધી નક્કી થશે તે પ્રમાણે કામ શરૂ થશે. વટામણ મંદિર સંબંધી હજી કંઈ વ્યવસ્થિત કામ થયું નથી. તે લેકએ તે જે રકમ એકઠી થયેલી તે ઈટવાડામાં વાપરી દીધી છે અને જમીન રાખી છે પણ હજી રકમ બીજી ઊભી ન કરે ત્યાં સુધી મંદિર થાય તેમ જણાતું નથીજી. પરમકૃપાળુદેવનું ગબળ જગતનું કલ્યાણ કરો. ધામણમાં ક્લેશનું બીજ રોપાયું હતું તે દૂર થયું તે સારું થયું. બીજું તે બધું બનનાર હશે તેમ બની રહેશે. Page #188 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૧૬૫ - મનુષ્યભવ દુર્લભ છે. પ્રમાદ મોટો શત્રુ છે. ખરી કમાણી કરવાની મોસમ આ મનુષ્યભવમાં છે. જેમ વરસાદ વરસે ત્યારે ખેડૂત સો કામ પઢી મૂકી વાવવા જાય તેમ આત્મહિતનું કામ જે જ્ઞાનીની આજ્ઞાએ થઈ શકે તેવું છે તેની કાળજી તેથી અનંતગણી રાખવી ઘટે છે. અનંતકાળ થયાં નથી બન્યું તે સત્પષને વેગ અને તેની આજ્ઞાની પ્રાપ્તિ થયા પછી જીવ તેની આરાધનામાં પ્રમાદ કરે તે શરમાવા જેવું છે. પશુ આદિ બીજા ભવેમાં સારી ભાવના કરી, આ મનુષ્યભવ મળે તેવી કમાણી કરી, પુરુષને યોગ થાય તેટલું પુણ્ય પ્રાપ્ત કરી શક્યો; તે હવે આ ભવમાં તે તેથી ઘણું થઈ શકે તે ગ છે. માટે હિંમત હાર્યા વિના પુરુષાર્થ કાળજી રાખીને કરતા રહેવાથી જીવનું કલ્યાણ થવા યોગ્ય છે”. “આપ સમાન બળ નહિ અને મેઘ સમાન જળ નહિ એમ ગણું શરીર આદિની સગવડ ઓછી કરીને આત્મહિતને આગળ કરવું ઘટે છે તથા રોજ મરણને સંભારી કરી લેવા યોગ્ય કામમાં પ્રસાદ ન થાય તે તપાસતા રહેવું ઘટે છે. છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૬૮ અમાસ, તા. -૯-૩૮ “વીતરાગને કહેલ પરમ શાંતરસમય ધર્મ પૂર્ણ સત્ય છે એ નિશ્ચય રાખવો.” (૫૦૫) વિ. આપના ત્રણે પત્રો મળ્યા છે. વખતના અભાવે ઉત્તર લખી શક્યો નથી. તમને પણ આગળ વાંચતાં તે પ્રશ્નોના ઉત્તર પરમકૃપાળુદેવના વચનમાંથી મળી ગયા હશે એમ માનું છું. નહીં તે પત્રાંક ૪૪૯, ૪૨૨, ૩૭૧, ૩૮૦, ૩૮૧ અને ૩૮૨ વાંચવાથી-વિચારવાથી ઉત્તરે મળી રહેશે. શબ્દો નિમિત્ત માત્ર છે, ભક્તિભાવ ઉલ્લાસ પામે તે કર્તવ્ય છે. બીજું, પત્રાંક ૩૮૮ સંબંધી ભગવદ્ગીતાનું વાક્ય “या निशा सर्व भूतानां तस्यां जागर्ति संयमी । થવ્યો કાગતિ તાનિ ના નિશા પરથતો મુને ! ” જગત જ્યાં સૂએ છે ત્યાં જ્ઞાની જાગે છે, જ્ઞાની જાગે છે ત્યાં જગત સૂએ છે. એ જ ભાવાર્થ પૂજ્યપાદસ્વામીએ બીજી રીતે લખ્યો છે. “व्यवहारे सुषुप्तो यः स जागर्ति आत्मगोचरे। जागर्ति व्यवहारेऽस्मिन् सुषुप्तश्चात्मगोचरे ।।७८|| બને સ્થળે કહેવાને પરમાર્થ એક જ છે કે જગતની લૌકિક દૃષ્ટિ છે અને જ્ઞાનીની અલૌકિક દૃષ્ટિ છે. બન્નેને પૂર્વપશ્ચિમ જેટલું તફાવત છે. જગતના છ ધન, સંસારસુખ, શરીર, પુત્રાદિની અનુકૂળતા અર્થે તનતોડ મહેનત કરી અમૂલ્ય મનુષ્યભવ ઘણા કાળે રત્ન સમાન પ્રાપ્ત થયું છે તે વ્યર્થ ગુમાવે છે. પરંતુ તે આંધળી દોડ સપુરુષના બધે નહીં અટકે ત્યાં સુધી જીવ પરમાર્થ માર્ગ પ્રત્યે ઉદાસીન રહે છે એટલે ઊંઘે છે, કહો કે સૂએ છે. પણ જ્યાં જગતના જીવોની દષ્ટિ પણ પહોંચવી દુર્લભ છે અને જેને સ્વપ્ન પણ તેઓ વિચાર કરતા નથી એવા શુદ્ધ આત્માની જાગૃતિ નિરંતર સપુરુષને વર્તે છે. “સપુરુષ એ જ કે નિશદિન જેને આત્માને ઉપગ છે.” (૭૬) એક પત્રમાં પરમકૃપાળુદેવે નમસ્કાર આ પ્રમાણે કર્યો છે: “પરમ સુખસ્વરૂપ, પરમોત્કૃષ્ટ શાંત, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સમાધિને સર્વ કાળને માટે Page #189 -------------------------------------------------------------------------- ________________ બેધામૃત પામ્યા તે ભગવંતને નમસ્કાર, તે પદમાં નિરંતર લક્ષરૂપ પ્રવાહ છે જેને તે સહુને નમસ્કાર.” (૮૩૩) આ દશા પ્રત્યે જગતના જીની દષ્ટિ કયાંથી જાય? જે ક્ષણિક વસ્તુઓમાં અંજાઈ ગયા છે તે જીવ ઘુવડ જેવા છે. તેમની સૂર્યનાં દર્શન કરવાની શક્તિ આવરણને પામી છે તેથી તે ઊંઘે છે. જ્ઞાનીને જગત સાવ સેનાનું થઈ જાય તે પણ તૃણ તુલ્ય ભાસે છે તેથી આત્મહિત ચૂકી તે પુદ્ગલનાં સુખ પ્રત્યે દષ્ટિ દેતા નથી. વચન અને કાયાની પ્રવૃત્તિ થતાં પણ તેનું માહાભ્ય તે સત્પરુષને નથી, ચેતન પરિણતિ પ્રત્યે તે જાગ્રત છે. આત્મા માત્ર જાણવાની ક્રિયા કરે છે, દ્રષ્ટા જ્ઞાતા સાક્ષીરૂપ દશામાં જ્ઞાની જાગ્રત છે. તેનું અજ્ઞાનીને ભાન ન હોવાથી તે વિષે અજ્ઞાની આંધળે છે અથવા ઊંઘે છે. એટલે જ્યાં જ્ઞાનીને પુરુષાર્થ પ્રવર્તે છે ત્યાં અજ્ઞાનીની દષ્ટિ મિચાયેલી છે, તે ઊંઘે છે, સ્વમદશામાં છે, મારું તારું માની મગ્ન થઈ રહ્યો છે. “અનાદિ સ્વમદશાને લીધે ઉત્પન્ન થયેલે એ જીવને અહંભાવ મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છપદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે. તે સ્વપ્રદશાથી રહિત માત્ર પિતાનું સ્વરૂપ છે એમ જે જીવ પરિણામ કરે તે સહજમાત્રમાં તે જાગ્રત થઈ સમ્યક્દર્શનને પ્રાપ્ત થાય. સમ્યફદર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મેક્ષને પામે.” (૪૩) કેવી કૂંચી પરમકૃપાળુદેવે છપદના પત્રમાં દર્શાવી છે? ઊંડો વિચાર કરી સમજી શમાઈ જવા જેવું છે.જી. શબ્દો, શબ્દો, શબ્દો મગજમાં ભરી રાખવા જેવા પણ નથી. “હે વચનવર્ગ! તમે શા માટે અંતરાય કરે છે? પરમ અનુગ્રહ કરીને હવે અનુકૂળ થાઓ ! અનુકૂળ થાઓ!” (હા. ને. ૨–૧૯) » શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૨૦-૯-૩૮ ભાદરવા સુદ ૭, બુધ, ૧૯૯૫ બ્રહ્મચર્ય પાળવું સહેલું નથી. જીવ નિમિત્તાધીન અત્યારે છે. અગ્નિની પાસે ઘીને ઘડો મૂક્યો હોય તે ઘી ઓગળ્યા વિના રહે નહીં, તેમ જેને બ્રહ્મચર્યની ભાવના પિષવી છે તેણે તેવાં નિમિત્તોથી જરૂર દૂર રહેવું ઘટે છે. શ્રી ઉપદેશછાયામાં શરૂઆતમાં અને આગળ પણ ઘણું તે વિષે પરમકૃપાળુદેવે લખ્યું છે, તે વારંવાર વિચારી આ જીવની હલકી વૃત્તિઓ પ્રત્યે તિરસ્કાર નહીં છૂટે ત્યાં સુધી અનાદિને મેહ જીવને ઢસડી ગયા વિના રહે નહીં. સમાધિસોપાનમાં પણું બ્રહ્મચર્ય વિષે લખાણ છે; પણ પરમકૃપાળુદેવે કહ્યું છે તેમ “સત્સંગ એ કામ બાળવાને બળવાન ઉપાય છે.” (૫૧૧). કારણ કે તેથી વિચારવૃત્તિ જાગે છે અને આ દેહનું સ્વરૂપ તથા જેના ઉપર મોહ થાય છે તેના દેહનું સ્વરૂપ ચામડિયાના કુંડ જેવું જણાયા વિના રહે નહીં. જેમ ચામડિયાના કુંડ આગળ ઉતરડેલી ચામડી, લેહી, માંસ, હાડકાં, આંતરડાં, વાળ, છાણ, મળ, મૂત્ર, પડ્યાં હોય છે તેમ આ દેહમાં પણ તે જ વસ્તુઓ ભરેલી છે અથવા જેના દેહમાં મેહ થાય છે તે દેહ પણ તે જ ગંદ છે. એ ભાવના વારંવાર ન થાય ત્યાં સુધી દેહ દષ્ટિએ ચઢે છે અને જીવ દેહ ઉપર જ મેહ કરે છે, દેહને માટે જીવે છે, દેહને દુઃખે દુઃખી અને દેહને સુખે સુખી પિતાને માની રહ્યો છે. તે માન્યતા સદ્ગુરુના બધે ફરે અને દેહ મડદારૂપ લાગશે ત્યારે કંઈક મેહની મંદતા થશે. કેઈના કહેવાથી કે કેઈની મદદથી જીવની Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ પત્રસુધા વાસના પલટાતી નથી. પણ જીવ જ્યારે સદ્ગુરુકૃપાએ – સદ્ગુરુષે બળવાન બને છે અને મારો બધો ભવ આ દેહની વાસનાઓ જ બગાડ્યો છે એમ ગણી, તેને પ્રત્યે અણગમો ન થાય ત્યાં સુધી કંઈ બની શકે તેમ નથી. માટે જન્મમરણથી છૂટવાની ભાવના વધાર્યા કરવી અને મરણને રોજ સંભારવું એમ પ. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજી કહેતા હતા. આહાર સાદો, એકાંત શયન આસન, શરીરની સંભાળ બહુ ન કરવી વગેરે નવવાડ વિષે મોક્ષમાળામાં પાઠ છે તે બહુ વિચારી તે પ્રમાણે કંઈક કરવા માંડે તે અંશે અંશે બની શકે. જીશાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૭૦. અગાસ, તા. ૨૦-૯-૩૮ તત્ સત્ ભાદરવા સુદ ૭, ૧૯૯પ આપને ક્ષમાપનાપત્ર પ્રાપ્ત થયું છે. મંદિર તે જ્યાં થવાનું હતું ત્યાં જ થશે, પણ તે સંબંધી જે તકરાર કષાયનું કારણ હતું તે નીકળી ગયું તે ઘણું ઉત્તમ થયું છે. ત્યાંનાં બાઈ–ભાઈઓને ધીરજથી વાત કરી સમજાવશે અને હવે તેમને પક્ષ કે આપણે પક્ષ એવા ભેદ રહ્યા નથી પણ ખુલ્લા દિલે બધા એક થઈ ગયા તે બળ ટકાવી રાખી પિતાની તન, મન, ધનથી યથાશક્તિ સહાય કરી મનુષ્યભવને લહાવો લેવાને જેગ આવ્યું છે તેમાં પાછી પાની કરવા જોગ નથીજી. ફરી ફરી આવાં ધામ બંધાતાં નથી અને આપણા આયુષ્યને ભરોસો નથી તે જે “લીધે તે લહાવ” ગણી, જિંદગીમાં ફરી ફરી આવો પ્રસંગ બને મુશ્કેલ જાણી, એ ગ ઘર-આંગણે બની આવવાને છે તે ઘેર બેઠા ગંગા ગણી, જેટલી શરીરથી, વચનથી, લાગવગથી કે ધનથી પિતાની બને તેટલી મદદ આપી અપાવી પોતે ભાગ્યશાળી થવું, અને બીજાને સમકિતના કારણરૂપ એવા પવિત્ર ધામમાં મદદ કરવાના ઉત્તમ કામમાં ભાગિયા બનાવવા બનતું કરી છૂટવું. તમારી કલ્પનામાં હશે તે કરતાં કામ મોટું આરંભવાનું છે અને આપણે તે વખતમાં) આવા સુગમાં જ સાધનસંપન્ન અવસ્થામાં છીએ તે પરભવના ભાથારૂપ પ્રથમ મદદ કરી હોય તે ભૂલી જઈ, જાણે આજે નવા ઉત્સાહથી નવું કામ હાથ ધર્યું છે અને આપણા ઘરના કામ કરતાં તે ઘણું પવિત્ર છે માટે ઘરના કામ કરતાં તેની વધારે કાળજી રાખવા આપ સર્વે સમજી ભાઈ-બહેનને વિનંતી છેજી. પરમકૃપાળુદેવનું ગબળ જગતનું કલ્યાણ કરે એ જ વિનંતી. છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૭૧ અગાસ, તા. ૨૦–૮-૩૦ તત » સત્ ભાદરવા સુદ ૭, બુધ, ૧૯૯૫ આપે કાર્ડ લખ્યું તેના ઉત્તરમાં જણાવવાનું કે સુવાવડમાં બાઈ હોય તેણે ચિત્રપટ આગળ જવું યોગ્ય નથી. જેને આપણે અડતા નથી તેણે અમુક મર્યાદા સાચવવી ઘટે છે, ચિત્રપટ આગળ ન જવાય તેપણ ભાવના, મનમાં ભક્તિ ગમે ત્યારે ગમે તે અવસ્થામાં કરવા ગ્ય છે. બીજું આપે “રાજ રાજ સૌ કે કહે, વિરલા જાણે ભેદ, જે જન જાણે ભેદ છે, તે કરશે ભવ છેદ” વિષે પુછાવ્યું અને ભેદ નહીં મળવાથી રખડવું થયું છે એમ જણાવ્યું તે યથાર્થ Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ બેધામૃત છે. પુરુષની ઓળખાણ દુર્લભ છે. સત્યરુષ દેહથી ભિન્ન આત્મા છે. આત્માની ઓળખાણ વિના સપુરુષની યથાર્થ ઓળખાણ થતી નથી. તેને માટે જ ભક્તિ, સદ્દગુરુની ભક્તિ કહી છે. ભક્તિ કેઈ અપૂર્વ ચીજ છે, તે દ્વારા “સદ્ગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દષ્ટિગોચર થઈ અન્ય સ્વછંદ મટે, અને સહેજે આત્મબંધ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે, તે ભક્તિને અને તે પુરુષને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હો!” (૪૭) વળી “મૂળ મારગ સાંભળે જિનને રે' એ પદમાં કહ્યું છે તે વિચારશોજી છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ – મૂળ૦ એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ – મૂળ” દેહથી આત્મા ભિન્ન છે એમ સદ્ગુરુના ઉપદેશથી જાણો તેની પકડ કરતાં ભેદજ્ઞાન થાય છે. જેને ભેદજ્ઞાન થાય છે તેને જરૂર મોક્ષ થાય છે. જે જે જીવે મેક્ષે ગયા છે તે સર્વ એક ભેદજ્ઞાનના આરાધનથી ગયા છે, એટલે તે સર્વે ભેદજ્ઞાન પામ્યા હતા. સત્સંગ વિના આવી સમજ ઘણી દુર્લભ છે. ઘણા કાળના બધે જેમ છે તેમ સમજાય છે એમ પરમકપાળુદેવ કહે છે. સત્સંગની ભાવના વધારી પુરુષે આપેલા સત્સાધનને સેવતા રહેવા ભલામણ છેજ. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૭૨ અગાસ, તા. ૨૦-૯-૩૯ તત્ સત્ ભાદરવા સુદ ૭, બુધ, ૧૯૯૫ આ કળિકાળમાં આપણા જેવા હીન પુણ્ય અને હીનવીર્ય એને મનુષ્યભવની પ્રાપ્તિ થઈ છતાં પરમકૃપાળુદેવના પ્રતાપે પુરુષનાં દર્શન, સમાગમ, બેધ અને સત્સાધનની આજ્ઞા મળી છે, તે મહાભાગ્યની વાત છે. શ્રી પાર્શ્વનાથ ભગવાને બળતા સર્ષ–યુગલને બચાવીને સદ્ગતિ બક્ષી તે વેગ આપણને પણ બની આવે છે. ત્રિવિધ તાપમાંથી ઊગરવાને કઈ આરે, સપુરુષને યોગ થયો ન હોત તે નહોતે. અનંતકાળથી આ જીવ રઝળતે આવે છે, જન્મજરામરણનાં દુઃખ વેઠતે આવ્યા છે, તેમ આ મનુષ્યભવ પણ થથાં ખાંડવામાં ગાળી અધગતિની કમાણી આ જીવ કરત, પણ પરમકૃપાળુદેવની કઈ કૃપાએ આ જીવ હજી જાગે તે એ ઉત્તમ જોગ બને છે કે આ મનુષ્યભવની સફળતા તે સાધી શકે તેમ છે. તે સપુરુષે અનંત દયા કરીને જે આપણને પરમકૃપાળુદેવના પ્રેમ પ્રત્યે વાળ્યા છે તેને ઉપકાર કઈ રીતે વળી શકે એમ નથી. માત્ર તેની આજ્ઞાનું અલ્પ પણ આરાધના થશે, સંપૂર્ણ રીતે આજ્ઞા પાળવાની ભાવના પણ જાગ્રત રહેશે તે તે સત્પરુષે આપણા માટે લીધેલી મહેનત કંઈક અંશે બર આવશે, સફળ થશે. આપ સર્વ સમજુ છે પણ પ્રમાદ જે કોઈ ભૂંડો શત્રુ નથી; તેની સામે થવા, ઊંડા ઊતરી વિચારી કંઈક સપુરુષની આજ્ઞા વિશેષ બળથી આરાધવામાં મદદરૂપ થાય તે હેતુથી નીચેની શિખામણને ઉતારો લખી મોકલે છે? આ જીવને તરણ-ઉપાય – મેક્ષમાર્ગ – પરબ્રહ્મધામની પ્રાપ્તિ અશ્રુતધામમાં પ્રવેશની કુંચી – સ્વરૂપને ઓળખી પરમાત્માના સ્વરૂપમાં વિલીનતા વિના અન્ય કોઈ પણ નથી. ધર્મ કર્મ Page #192 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા વિમુખ જીવ અધગતિને જ પામે છે. તેનાં જ્ઞાન, જપ, તપ, ધ્યાન, દાન, કંઈ પણ કામ આવતાં નથી. જગતમાં રહેલે જીવ ગમે તેવા જ્ઞાનને પામ્યા હોય, તથાપિ જ્યાં સુધી આ અનિત્ય દેહને અન્નની જરૂર છે ત્યાં સુધી મહાત્માઓએ ઠરાવેલા ધર્મ-કર્મના નિયમને કદી પણ ત્યાગ કરવો નહિ. ધર્મ જ પરમ બળ છે. ધર્મનું ખંતથી સેવન કરવું. ધર્મનું એક પણ કર્મ ચૂકવાથી ધીમે ધીમે અનેક કર્મ સૂકીને જીવ કેવળ ભ્રષ્ટતાને પામે છે.” આટલી શિખામણુ ઘણુ ઊંચી ભૂમિકા સુધી ઉપયોગી થઈ પડે તેવી છે. અને અત્યારે તે આપણા માટે ખાસ વિચારી તેમાંથી બને તેટલે લાભ લઈ જીવન સુધારી સફળ કરવા ગ્ય છે. . શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૭૩ અગાસ, તા. ૨૧-૯-૩૮ તત્ સત ભાદરવા સુદ ૮, ગુરુ, ૧૯૯૫ આપે મુખપાઠ થઈ શકતું નથી એ સંબંધી પુછાવ્યું છે તેના ઉત્તરમાં જણાવવાનું કે આપણને ગમતું હોય કે લક્ષમાં આવી ગયું હોય તે ભુલાતું નથી. કેટલાંય સગાંવહાલાંનાં નામ યાદ રહે છે તે ગેખવાં પડતાં નથી. કોઈ ગાળ ભાંડી જાય તે મરણ સુધી ભુલાતી નથી, કારણ કે તેને પરિચય વિશેષ થઈ જાય છે, વારંવાર યાદ આવતું રહે છે. તેમ જે પરમપુરુષનાં વચને આત્માને અત્યંત હિતકારી અને પરભવના ભાથા જેવાં છે એમ લાગ્યાં હોય તે તે પણ વારંવાર યાદ આવતાં રહે અને ભૂલી ન જવાય; પણ સત્સંગે તેનું માહાત્મ સંભળાય, તેની પકડ થાય, આત્મહિતની વાત રાત-દિવસ ખટક્યા કરે કે અત્યારે પ્રમાદ કરી જેટલો કાળ ગુમાવ્યા તેમાંથી એક કલાક પાછો માગીએ તે ફરી મળે એમ છે? ગયાં એટલાં વર્ષો તે બધાં હંમેશને માટે ગયાં તેમાંથી કંઈ માગું મળે તેમ નથી. માટે હવે જેટલું જીવવાનું હોય તેટલી ક્ષણે કંજૂસના ધનની જેમ વિચારી, વિચારીને વાપરવી. અહીં બેઠા, અહીં ગયા, અને જોતજોતામાં દિવસ જતું રહે છે તેમ કર્યા કરતાં, ધન કરતાં વહી જતા કલાકોની વિશેષ કાળજી રાખી, સત્પરુષે આજ્ઞા કરી છે–સ્મરણ મંત્ર, વીસ દેહા, યમનિયમ, ક્ષમાપના, છ પદને પત્ર, શ્રી આત્મસિદ્ધિ, અપૂર્વ અવસર વગેરે વિચારવામાં જ્ઞાનીએ જાણે છે તેવો મારો આત્મા છે તે પ્રગટ કરવા માટે જ્ઞાનીએ કહ્યું છે તે રાત-દિવસ કર્યા કરવું છે એ દઢ નિશ્ચય કરી તે નિશ્ચય આરાધતા રહેવા લાગ્યા છેજ. શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૭૪. અગાસ, તા. ૨૩-૯-૩૯ તત્ સત્ ભાદરવા સુદ ૧૦, શનિ, ૧૯૯૫ “આ દેહ હાડ, માંસ, મળ, મૂત્ર, લેહી, પાચ આદિ મહા અપવિત્ર, દુર્ગધવાળા પદાર્થોને કથળે છે. બહાર સર્વે બાજુથી ચામડાની પાતળી ચાદર લપેટાથી તે રાગી જીવને સારો લાગે છે. જે તે ચામડીરૂપી ચાદર લઈ લેવામાં આવે કે વૃદ્ધાવસ્થા આવી જાય તે તે તરફ જેવું પણ ન ગમે. આવા દુગંછાભર્યા શરીરમાં ક્રીડા (કીડા લહેર, મજા) શી કરવી? વિષ્ટાના કીડાની પેઠે તેમાં પિતે પિતાને ફસાવી ચારગતિનાં દુઃખમાં પડવાનું શા માટે કરવું? આમ બ્રહ્મચર્યવંત વિચારે છે. તે કામને દુર્જય કિલે તેડી પિતાના અનંત સુખમય Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ બેધામૃત આત્મામાં વિહાર કરે છે, જે ધારે તે કરી શકે છે.” (પ્રવેશિકા-શિક્ષાપાઠ ૯૯) માત્ર જીવવા અને પ્રભુભક્તિને અર્થે ભોજન કરવું; જે ખાવાને માટે જીવે છે તે મૂર્ખ છે. “નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા.” (૧૫) ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૭૫ અગાસ, તા. ૩૦-૯-૩૯ તત્ સત્ ' ભાદરવા વદ ૨, શનિ, ૧૯૯૫ આ જગતનું સ્વરૂપ તમે જણાવે છે તેવું દુઃખરૂપ છે. ખારા સમુદ્રમાંથી ગમે ત્યારે પાણી ભરી લાવે તે તે ખારું ખારું દવ લાગવાનું જ, તેમ આધિ-વ્યાધિ-ઉપાધિથી ખદખદતા સંસારમાં શાંતિ ક્યાંય એની જડે તેમ નથી. પણ તે સંસાર જેને સ્વપ્ન સમાન સ્પષ્ટ નિરંતર લાગ્યા કરે છે અને સત્પરુષે તરવાનું સાધન જે નિશ્ચયપણે જાણ્યું છે અને તે જ સાધન આ મેહાંધ અને પરમ આધારરૂપ આ ભવરૂપી વનમાં છે એમ જાણી વારંવાર ઉપદેશ્ય છે, પકડ કરવા જણાવ્યું છે તે સત્સંગને સાંભળી, વિચારી, હિતકારકરૂપ નિર્ણય કરી તેને આધાર ગ્રહણ કરી દઢપણે શ્રદ્ધા અને બળપૂર્વક આરાધતાં આ કળિકાળના પ્રબળ પૂરમાં તણાતાં બચી જવાય તેમ છે. તમારા ભાઈને તે તે અત્રે આવ્યા તે જ દિવસે સત્પરુષે જણાવેલ સાધન મળી ચૂકયું છે, પણ કહેતાકહેતી સાંભળી લઈ આરાધના કરવાથી યથાર્થ લાભ થતું નથી. જાતે જ એક વાર આવી જવા ગ્ય છે. જેટલી તેમાં ઢીલ થાય છે તેટલી કલ્યાણ થવામાં પણ ઢીલ સમજવા યોગ્ય છે.જી. રૂબરૂમાં જણાવવા જેવી વાત કાગળથી જણાવવા યોગ્ય નથી. પિતાની ઇચ્છાએ જપ, તપ, ઉપવાસ જીવે અનંત વાર કર્યા છે, પણ હજી દિશાનું પણ ભાન નથી કે કેવી રીતે કલ્યાણ થાય. ઉપવાસ કે નામને જે જાપ કરતા હો તે વિષયભેગ કે ગાળો ભાંડવા કરતાં સારાં છે પણ મોક્ષને રસ્તે તેથી જુદો છે. તે વિષે ત્યાંના મુમુક્ષુ ભાઈઓ મળે ત્યારે પૂછી માહિત થવા યોગ્ય છેછે. આપણે આપણું કાંટાએ તેણીએ કે મને સંસાર પ્રત્યે આટલો પ્રેમ છે અને આટલે પ્રેમ ઊડ્યો છે તે બધી કલ્પના છે. ઊંઘતે માણસ પાસું ફેરવે, ઉત્તર ભણી મુખ હોય તે દક્ષિણ ભણું થાય પણ ઊંઘતે ને ઊંઘતે જ હોય છે, ભાન વિનાને હોય છે. વૈરાગ્ય વધે તેવું વાચનવિચાર પ્રથમ કર્તવ્ય છે, સાથે ભક્તિ કર્તવ્ય છે. પછીથી કંઈક સમજણ માહિતી મેળવી ઉપવાસ આદિ ધર્મસાધનમાં જોડાવા ગ્ય છે. સહેલામાં સહેલો સત્સંગ છે. પહેલામાં પહેલે પણ તે જ કર્તવ્ય છે. જે શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૭૬ અગાસ, તા. ૧૨-૧૦-૩૯ તતું સત ભાદરવા વદ ૦)), ગુરુ, ૧૯૯૫ "एगं जाणइ से सव्वं जाणइ।" -श्री आचारांगसूत्र જેણે આત્માને જાયે તેણે સર્વ જાણ્યું.” નિગ્રંથપ્રવચન. “એકને જાણે તેણે સર્વ જાણ્ય” (૬૪) શ્રીમદ્ રાજચંદ્ર બીજા વિકલ્પ દૂર કરી સન્દુરુષ પ્રત્યે અડગ શ્રદ્ધા કરવા ભલામણ છેજી. “ઉપદેશછાયામાં પરમકૃપાળુદેવ જણાવે છે: “જીવે વિકલ્પ કરવા નહીં. વિચારવાન અવિચારણા અને અકાર્ય Page #194 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૧૭૧ કરતાં ક્ષેાભ પામે..... સત્પુરુષા ઉપકાર અર્થે જે ઉપદેશ કરે છે તે શ્રવણુ કરે ને વિચારે તે જીવના દાષા અવશ્ય ઘટે.” ‘વ્યાખ્યાનસાર'માં કર્તવ્યરૂપ જણાવે છે: “આત્માના સનાતન ધર્મ શાંત થવું – વિરામ પામવું તે છે. આખી દ્વાદશાંગીને સાર પણ તે જ છે.” તમારા બધા પ્રશ્નોના સાર આ પરમકૃપાળુદેવનાં એ વચનેામાં સમાઈ જાય છે તે વિચારી અને તેટલે પુરુષાર્થ તે દિશામાં કરવા ચેાગ્ય છેજી, તાપણ ટૂંકામાં આપની વૃત્તિ સતેષવા લખું છું. બીજું, સહજાનંદ સ્વામી સંબંધી ફૂંકામાં જણાવવાનું કે તે ઉત્તર હિંદ તરફના યાગી હતા. પરસેવા તીર્થંકરને વળે નહીં એમ સાંભળેલું. તે સ્નાન વગેરે શરીરસભાળ તજી કઠણુ તપશ્ચર્યાં વગેરેમાં પ્રવર્તતા. કોઈ પ્રકારની લબ્ધિ તેમને પ્રાપ્ત થયેલી. તેમના જીવનચરિત્રમાં જણાવે છે કે તેમના શરીરનાં છિદ્રો (રામકૃપ) મેલથી ઢંકાઈ ગયાં હતાં. ફરતા ફરતા તે કાઠિયાવાડમાં આવ્યા ત્યાં એક મહાત્માના ગુણગાન તેમણે સાંભળ્યા તેથી તેમનાં દર્શનની આજ્ઞા માટે પત્ર લખ્યા. ઉત્તરમાં તેમણે હાલ થશેા” એમ જણાવ્યું તે વાંચી થાંભલે પકડીને બેસી રહ્યા. જિજ્ઞાસા અને આજ્ઞા ઉપાસવાના ભાવની પરીક્ષા કરનાર તે કચ્છના મહાત્મા ઘણાં વષઁથી, એક ધ સ્થાપક આવનાર છે એમ ભક્તમંડળને કહ્યા કરતા. પછી તેમને ખેલાવી તેમના શરીરની પણ ઘણી કાળજીથી દવા કરી ઠેકાણે આણ્યા. તે મહાત્માના મરણ સુધી શ્રી સહજાનંદે સેવા કરી. તેથી પ્રસન્ન થઈ અંત વખતે જે માગવું હોય તે માગવા કહ્યું ત્યારે સહજાનંદે માગ્યું : “કોઈ તમને ભજનારના ભાગ્યમાં રામપાત્ર (બટેરુ – માટીનું વાસણ–ગરીબાઈ) હોય તે। મારા ભાગ્યમાં આવા અને તેની ભક્તિની સર્વ અનુકૂળતા પ્રાપ્ત થાએ.” શ્રી સહુજાન'ને થઈ ગયાંને સોએક વર્ષ થવા આવ્યાં હશે. પ. પૂ. પ્રભુશ્રીજીએ નાની ઉંમરમાં તેમને ઘણું કરીને દીઠેલા એવી વાત સાંભળેલી સ્મૃતિમાં છે. અગાસ આશ્રમથી ત્રણ ચાર ગાઉ ઉપર વડતાલ કરીને ગામ છે તે શ્રી સ્વામીનારાયણ સંપ્રદાયની મુખ્ય ગાદીનું ધામ છે. એક પળ વ્યર્થ ખાવાથી એક ભવ હારી જવા જેવું છે.” (મેાક્ષમાળા – ૪) ‘જ્ઞાનીકી ગતિ જ્ઞાની હુિ જાને.' આપણને ચેતાવ્યા છે. પ્રમાદમાં પડયા છીએ તે શત્રુના પંજામાં ફસાયા છીએ. અનંત ભવ પ્રમાદમાં ગયા અને તે ક્ષણે ક્ષણે જીવને લૂંટી રહ્યો છે. આમવાતી મહારાવી’ 'ક્ષણ ક્ષણ ભય'કર ભાવમરણે કાં અહે। રાચી રહેા ?” મનુષ્યભવની દરેક ક્ષણ અંશે મનુષ્યભવ છે અને આમ જીવ ભવ હારી જાય છે. અનંત ભવથી જે ન થયું તે એક પળમાં થઈ શકે એમ છે અને મનુષ્યભવને સફળ કરે તેમ છે. ‘પમે પ્રગટે સુખ આગલસે, જખ સદ્ગુરુચરણુ સુપ્રેમ ખસેં.' સમ્યગ્દર્શન થાય, કેવળજ્ઞાન થાય, મેાક્ષ થાય તેવી પળેા સમયે સમયે જીવ ખાઈ રહ્યો છે. તેના જેવા ઉડાઉ –ભવ હારી બેસનાર – ખીજો કાણુ જડશે? જે પળે કુગુરુને સદ્ગુરુ માન્યા તે પળ આખા ભવ લૂંટી લે કે નહીં ? એક પળ પણ સત્સાધન કેમ ચૂકવું ? આધિ-વ્યાધિ-ઉપાધિરૂપ ત્રિવિધ તાપથી આખા સ`સાર બળતા છે; તે મળતા સંસારને સ'સારાનલ એટલે સંસારરૂપ અગ્નિ કહ્યો છે. જ્યાં જઈએ ત્યાં માટી પાણી ને ઢેફાં’” (ઉપદેશામૃત પૃષ્ઠ ૯૧) જીવને મેહ મૂંઝવે છે તેથી હવાફેર કરવા કે દેશાટન કરવા, વનક્રીડા કરવા, લૌકિક જાત્રાઓની દોડ કરવાની વૃત્તિ ઊઠે છે તે દિષ્ટ ફેરવવા જ્ઞાની કહે છે કે જ્યાં જઈશ ત્યાં તારાં ચમચક્ષુથી શું જોઈશ? પુદ્ગલ, Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ બેધામૃત પુદ્ગલ અને પુદ્ગલ. સુંદર મેદાન દેખે તે માટી કે બીજું કાંઈ નદી-સમુદ્ર નીરખે ત્યાં પાણી કે બીજું કાંઈ? ખેતરે કે માર્ગમાં ઢેફાં – માટીના પિંડ પડ્યા છે કે બીજું ? મારું તે સારું ગણવાની પંચાત તજી, આત્મદષ્ટિ કરે તે “દષ્ટિ તેવી સૃષ્ટિ બધે આત્મા જેવાશે. “જેના જ્ઞાને ન્યૂનતા દેશે પણ નહીં હોય, રાજચંદ્ર ગુરુ તે નમું સંશય સર્વે ય” (પ્રજ્ઞાવધ –૩૭) તેને અર્થ વિચારવા ભાવ થાય તે પત્રાંક ૧૭૦ તથા ૧૮૭ વાંચવા-વિચારવા ભલામણ છેજી. જ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૭૭ અગાસ, તા. ૧૮-૧૦-૩૯ તન છે સત્ આસો સુદ ૬, બુધ, ૧૯૯૫ દેહા– ખા, પી દેહ ટકાવવા, દેહ જ્ઞાનને કાજ, જ્ઞાન કર્મ-ક્ષય કારણે, તેથી શિવપુર રાજ. સંગે આવી મળે વિયેગે વહ જાય, એવી વિનાશી વસ્તુની ચિંતા કરે બલાય. તાર ન તૂટે મનકા, માળા મનકી માંહિ, સમરણ એસા કીજીએ જે કોઈ જાણતા નહિ.” વિ. આપને પત્ર પ્રાપ્ત થયે છેજ. “રુચિ અનુયાયી વીર્ય ચરણધાર સધે,” એમ શ્રી દેવચંદ્રજીએ સ્તવનમાં ગાયું છે. જ્યાં સુધી દેહાધ્યાસરૂપ રુચિ રહી છે ત્યાં સુધી તે અર્થે વારંવાર પ્રવૃત્તિ થયા કરે છે; દેહને પ્રિય કે અનુકૂળ હોય તે વારંવાર સાંભરે છે, મહેનત નહીં કરીએ તે શું ખાઈશું? એવી ચીવટ રહે છે, તેથી ખેતી આદિ કામેની કાળજી દરેક ઋતુમાં દિવસે રાત્રે રાખીએ છીએ; શરીરમાં રેગ થયું હોય તે દવા નિયમિત લેવાની કાળજી રહે છે. જે ચરી પાળવાની કહી હોય તે ગામ પરગામ, વિવાહ-વાજન વખતે પણ કાળજી રાખી પાળે છે, નહીં તે દવા ગુણ નહીં કરે તેને ડર રહે છે, કે રોગ વધી જશે તે મરણને ડર રહે છે. તેમ જેને પુરુષના બધે દેહાધ્યાસ મંદ પડ્યો છે કે મંદ પાડવાની ગરજ જાગી છે તેને એ ડર રહ્યા કરે છે કે આ મનુષ્યભવમાં જે ધર્મ-આરાધન નહીં કરી શકાય તે કીડી, મકેડી કે કાગડા કૂતરા કે એવા ૮૪ લાખ યોનિના પરિભ્રમણમાં શું બનવાનું છે? માટે હરતાંફરતાં, બેસતા-ઊઠતાં, ચાલતાં, જોતાં, ખાતાં, પીતાં કે સૂતાં, જાગતાં તે સત્પષે આપેલા સાધનનું અવલંબન રાખે છે. સંસારની ફિકર ઓછી કરી પરમાર્થની ફિકર જેને જાગી છે, તેનું ચિત્ત બીજે તલ્લીન થઈ જતું નથી, અથવા જ્યાં જ્યાં તેવા પ્રસંગમાં સત્સાધન ભૂલી જવાય છે તેવા તેવાં નિમિત્તોથી દૂર રહે છે કે ચેતતું રહે છે. બિલાડી એક વખત દૂધ પી ગઈ હોય તે ફરી કાળજી રાખી બિલાડીને લાગ ન ફાવે ત્યાં દૂધ રાખે છે તેમ આત્માના હિતની ઈરછાવાળા જીવે અહિતકર્તા પ્રસંગમાં વિશેષ ચેતતા રહેવા ગ્ય છે અને નથી રહેવાતું તે પ્રમાદ છે. તે પ્રમાદ છે કરવાને ઉપયોગ રહે તે માર્ગને વિચાર કરવાનો અવકાશ મળે છે, વિચાર થઈ શકે છે. જે માર્ગને વિચાર કરે છે તે માર્ગમાં સ્થિર થઈ શકે છે, તેથી મુમુક્ષતા વધારી પ્રમાદ દૂર કરવા અર્થે સલ્ફાસ્ત્ર અને સત્સંગનું વિશેષ સેવન Page #196 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૧૭૩ કરી નિશ્ચયની દઢતા વધારવાની આ જીવને અત્યંત જરૂર છે, નહીં તે આમ ને આમ વખત વહી જશે અને મરણ આવીને ઊભું રહેશે તે વખતે પ્રથમ પુરુષાર્થ કરવાનું નહીં બન્યું હેય તે અહિત થાય તેવા વિકલપમાં જીવ ગૂંચાઈ જઈ દુર્ગતિમાં સંકળાયા કરશે. તેમ ન બનવા મરણ આવ્યા પહેલાં ચેતી લેવાની વારંવાર જ્ઞાની ગુરુએ ભલામણ કરી છે, તે અમલમાં મૂકવા દાઝ છે તેથી ઘણી વધારવાની છે. આત્માની દયા ખાધી નથી, તે કામ ત્વરાથી હાથ ધરવા તત્પર થઈ જવા ગ્ય છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૭૮ અમાસ, તા. ૨૫-૧૦-૩૦ તત્ સત્ આ સુદ ૧૩, ગુરુ, ૧૯૯૫ દેહી– “પડ્યું જગત મુખ કાળને, કેડે મેર જનાર; ઘટીના ગાળે પડયા, દાણું લેટ થનાર. ધાણું ફૂટે તાવડે, ઘાણી તલ પિલાય; પ્રાણ એમ જ પળપળે, જાણી લ્યો મરી જાય.” “સુખ પીછે દુઃખ આતા હૈ, દુઃખ પીછે સુખ આત; આવત જાત અનુક્રમે, જયું જગમેં દિન રાત.” મંગળ-મૂળ સદ્ગુરુચરણ, મુજ મનમાં હો સ્થિર, વિધ્ર હવે નહિ હું ગણું, વસે હદયમાં વીર.” “જીવતાં જિનવર જવું, મૂએ મુક્તિ પાઉં, દોનું હાથે લાડવા, જે ભાવે સે ખાઉં.” છ – છ જેણે કામ, એક પરમાતમ-ભાવે, છો જેણે ક્રોધ, ક્ષમા ધરી સદૂભાવે; જીત્યું જેણે માન, મૃદુતા મન આણી, જીત્યું માયા – જોર, સરળતા સાચી જાણી. લભ છ સંતેષથી, મહા મેહ બધે હ એવા સંત સુજાણુને નમન હે, તારણ-તરણ આપણે.” દેહા – “સ્વર્ગ મૃત્યુ પાતાળમાં સપ્ત કપ નવ ખંડ, કર્મગ ખમવા પડે દેહ ધર્યાના દંડ; દેહ ધર્યાના દંડ તે રાય રંકને હોય, જ્ઞાની વેદે હૈર્યથી અજ્ઞાની વેદે રોય.” આજે કાગળ મળે તેમાં શેકકારક સમાચાર પૂ.ના દેહત્યાગના જાણી ધર્મપ્રેમને લઈને સર્વને ખેદ અને વૈરાગ્યનું કારણ બન્યું છે. કેઈ અજાણ્યા માણસ પણ આવા સમાચાર સાંભળી ખેદ પામે તે નિકટને સમાગમ અને જેને પિતાને આધાર માનવાને વ્યવહાર ઘણુ વખત સુધી સેવ્યું હોય તેને કેટલું દુઃખ થાય તે તેને અંતરાત્મા જાણી શકે કે પરમાત્મા જાણી શકે તેમ છતાં જે જીવને આવા અસાર સંસારમાં અનંતકાળથી જન્મમરણનાં દુઃખ Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ બેધામૃત ખમતાં ખમતાં મહાભાગ્ય મનુષ્યભવ મળે અને તેમાં દેવને પણ દુર્લભ એવાં સપુરુષનાં સાક્ષાત્ દર્શન થયાં છે, તેમના પ્રત્યે પરમેશ્વરબુદ્ધિ હૃદયમાં દઢ થઈ છે, તે મહાપુરુષની અનંત કરુણથી સુખદુઃખના સર્વ પ્રસંગોમાંથી બચાવી લેનાર મહામંત્રનું આત્મદાન થયું છે, અને જીવ તે શ્રદ્ધાને બળવાન બનાવી રાતદિવસ તે સ્મરણમાં ચિત્ત રાખવાની ટેવ પાડે તે મેક્ષ પણ સુલભ થાય, તેવા મહામંત્રનો લાભ જેને થયું છે તેવા જીવે હવે ગભરાવા જેવું જગતમાં કશું ચિત્તમાં ગણવું ઘટે નહીં. રોજ રાત પડે છે ત્યારે અંધારું થાય છે તેથી મોટા સમજુ માણસે ગભરાતા નથી, દીવા વગેરેથી કામ ચલાવી લે છે, અણસમજુ નાનાં છોકરાં જેવા હોય તે કંઈ ભયનું કારણ ન હોય છતાં અંધારું ભાળીને ડરે છે તેમ મુમુક્ષુએ દુઃખના પ્રસંગે ન જોઈતી ચિંતાઓ કરીને, નકામી રડકકળ કરીને આત્માને શ્લેશિત કરે ઘટતું નથી પણ હવે સારી રીતે કેમ જીવી શકાય તેના વિચાર કરી ગઈ ગુજરી વાત ભૂલી જવાને અભ્યાસ કર્તવ્ય છે. આપણે માથે પણ મરણની ડાંગ ઉગામીને યમરાજા ઊભા છે. તે આવી પડી નથી ત્યાં સુધી અનંત કાળથી રખડતા રઝળતા આ આત્માને જન્મમરણના અસહ્ય દુઃખમાંથી ઉગારી લેવાને ઉપાય વેળાસર કરી લેવાની પેરવી કરતા રહેવું. લોકલાજને વશ થઈને વહેલા ઊઠીને મૂએલાને સંભારીને કકળાટ કરવાનો રિવાજ હોય તે તેમાં ભળવા કરતાં પુરુષે આપેલાં સત્સાધન, વીસ દોહરા, યમનિયમ, ક્ષમાપનાને પાઠ, છ પદને પત્ર, આત્મસિદ્ધિ, મંત્ર આદિમાં ચિત્ત વારંવાર બળ કરીને રોકવાથી આધ્યાન એટલે “હું દુઃખી છું, દુઃખી છું એ ભાવ મટી જઈ ભક્તિમાં આનંદ આવશે. “સર્વસને ધર્મ સુશર્ણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણું; અનાથ એકાન્ત સનાથ થાશે, એના વિના કેઈ ન બાંહ્ય સ્વાશે.” શ્રી મીરાંબાઈએ જેને માટે રાજય-રિદ્ધિ છેડી, ભિખારણની પેઠે ભટક્યા, તે ભક્તિ આપણને સહજમાં “ઘેર બેઠાં ગંગા આવે તેમ સદ્ગુરુકૃપાથી મળી છે તે હવે રાતદિવસ સપુરુષે આપેલા સાધનમાં મારે રહેવું છે એ દઢ નિશ્ચય કર્તવ્ય છે. કેઈ આવે જાય તેમાં ન ચાલે ચિત્ત દેવું પડે તે બોલવું ચાલવું, પણ મારું મુખ્ય કામ ભગવાનની ભક્તિ છે તેમાં વધારે વિશ્વ ન આવે એવું મારે કરવું છે. એટલું મનમાં દઢ કરવા માટે સત્સંગની જરૂર છે. ત્યાં બને તે ત્યાં, દ્વારિકા અનુકૂળ હોય તે ત્યાં, અને સર્વોત્તમ તે થોડો વખત અત્રે આશ્રમમાં રહી જવા જેવું છે. પણ તે પ્રારબ્ધને આધીન છે છતાં ધાર્યું હોય તે વહેલું મોડું બને છે. બીજી જાત્રાઓ લોકો બતાવે તેમાં દરવાઈ જવું નહીં, અને જ્યાં આપણને બોધને જોગ હોય, ચિત્ત શાંત થાય તે તીર્થ છે. માટે લૌકિક ભાવ ઓછો કરી આત્માનું હિત શામાં છે તે લાભને લક્ષ રાખે તે ખરા વાણિયા કહેવાય. આ પ્રસંગને અનુસરી વિચાર આવતાં સામાન્ય સૂચના કરી છે. આમ કરવું જ એવો આગ્રહ નથી. “જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ, ત્યાં ત્યાં તે તે આચરે, આત્માથી જન એહ.” હિતકારી કામ કળે કળે કરી લેવું. એકદમ ન બને તે વહેલે મોડે પણ પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ પ્રત્યે દઢ શ્રદ્ધા છે તેથી વિશેષ મારે સત્સંગે કરવાની છે, એ કામ કરી લેવા જેવું છે, તેમાં મારે હવે ઢીલ કરવી ઘટતી નથી. કાળને ભરેસે શે? અચાનક કાળ આવીને ઊભું રહેશે અને મનના મારથ મનમાં Page #198 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૧૭૫ રહી જશે. માટે હજી જે જીવતા છે તેણે મરણ પહેલાં ચેતી લેવાનું છે. અણધારી અડચણ, આફત આવી પડે તે પણ ગભરાયા વિના એક પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ પ્રત્યે દઢ વિશ્વાસ રાખી સહન કર્યા કરવું. પરમકૃપાળુદેવના વચને પરમશાંતિને આપે તેવાં છે તેમાં ચિત્ત વિશેષ રાખવા ભલામણ છે.જી. તમે પરિપૂર્ણ સુખી છે એમ માને, અને બાકીના પ્રાણીઓની અનુકંપા કર્યા કરે.” (૧૪૩) “જે થાય તે ભલું માનવામાં આવે.” “જીવ તું શીદને શેચના કરે? કૃષ્ણને કરવું હોય તે કરે.” “બનનાર તે ફરનાર નથી અને ફરનાર તે બનનાર નથી.” “નહિ બનવાનું નહિ બને બનવું વ્યર્થ ન થાય, કાં એ ઔષધ ન પીજીએ, જેથી ચિંતા જાય.” આમ વિચારી મનને શકના વિકલ્પમાંથી ફેરવી વૈરાગ્યમાં લાવવા પુરુષાર્થ કરવા ધારીએ તે બની શકે એમ છે. મનને વીલું ન મૂકવું. સ્મરણ કર્યા કરવું. ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ તેમના વ. પુત્ર પૂ. ભાઈ મોહનભાઈના પુત્ર પૂ. ગુલાબચંદભાઈ ઉપર કૌટુંબિક આફત આવી ત્યારે લખાવેલે પત્ર તમને આ વખતે બહુ ઉપયોગી થશે ગણી નીચે ઉતારી એકલું તે વારંવાર વિચારી જગતની ફિકર ભૂલી જશે. તેમાં કહેલી શિખામણ હૃદયમાં ઉતારશે. (જુઓ ઉપદેશામૃત પૃષ્ઠ ૫, પત્ર નં. ૧૫૦) શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૭૯ તત્ છેસત અગાસ, તા. ૭-૧૧-૩૦ આસો વદ ૧૧, મંગળ, ૧૯૯૫ તીર્થશિરોમણિ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસથી લિ. પુરુષના ચરણકમળની સેવાને ઈરછક દાસાનુદાસ બાલ ગવર્ધનના જય સદ્ગુરુવંદન સ્વીકારવા તથા આ વિકમ સંવતનું વર્ષ પૂર્ણ થતું હોવાથી તે વર્ષ દરમિયાન આપ પ્રભુભક્તોને કેઈ અપરાધ થયે હેય તેની ઉત્તમ ક્ષમા આપવા નમ્ર વિનંતિ આપ સર્વ યાદ કરતાં આત્માર્થી ને પ્રત્યે છે તે સ્વીકારી ઉત્તમ ક્ષમા આપવા યોગ્ય છે. આપે ચિઠ્ઠીમાં પુછાવ્યું છે કે “મનુષ્યભવની દરેક ક્ષણ અંશે મનુષ્યભવ છે, તેને ભાવાર્થ તે સરળ છે. જેમાં રૂપિયામાં જેટલા (૬૪) પૈસા છે તે અંશે રૂપિયારૂપ છે. બધા (૬૪) પૈસા મળી એક રૂપિયે થાય છે. ૩૨ પૈસા ગુમાવે તે રૂપિયાના બત્રીસ અંશ ગુમાવ્યા. જે વડે રૂપિયે થાત તે ગુમાવે એમ હિસાબી રીતે બેસે છે. શાસ્ત્રમાં (શ્રી ગુરુતત્વનિર્ણયમાં) એક દષ્ટાંત છે. ત્યાં અતિચારેથી થતી હાનિનું મહત્વ સૂચવવા દષ્ટાંત દીધું છે. એક માણસે એરંડા (દિવેલા)ના છેડના લાકડાંથી માંડ બનાવ્યું તેના ઉપર કપડું પાથરી તેના ઉપર એક બે ત્રણ એમ એક એક રાઈના દાણુ તે નાખે જાય છે. આ રાઈના દાણાથી માંડ પડે જ નહીં એમ માની તે નાખે જાય છે પણ મણ બે મણ વજન એરંડાના પિલાં લાકડાં સહન ન કરી શક્યાં અને તે એરંડાને મંડપ ભાંગી ગયે. તેમ જેણે વ્રત લીધાં હોય તે એમ ધારે, “આટલામાં શું હરકત થવાની છે? મારે ક્યાં વ્રત તેડવું છે?' એમ બેદરકારી વ્રતની રાખી અતિચાર ઉપરાઉપરી સેવ્યા જાય તેનાં સર્વ વ્રતને જોખમ લાગે છે અને આખરે અર્ધગતિને રસ્તે પોતાને હાથે અજાણપણે રચે છે. Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ બાલામૃત આમ જે જીવનની ક્ષણોના હિસાબ રાખતા નથી તે અંતે પસ્તાય છે અને ક્રી આવા અમૂલ્ય ભવ પામવા ચેાગ્ય સામગ્રી ઘણા કાળ સુધી પામી શકતેા નથી. ખીજું કાંઈ શેાધ મા, માત્ર એક સત્પુરુષને શેાધીને તેના ચરણકમળમાં સર્વ ભાવ અણુ કરી દઈ વૉ જા. પછી જો મેાક્ષ ન મળે તેા મારી પાસેથી લેજે.” (૭૬) આટલું વચન અત્યંત વિચારી અંતરમાં ઉતારી દેવા ચેાગ્ય છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ તા.ક. - કોઈ અપેક્ષાએ કરવા માંડયું તે કર્યું એમ કહેવાય છે. જેમ જમાલીજીનેા સિદ્ધાંત ખંડવા શ્રાવકે સતીની સાડીમાં અગ્નિ મૂકયો ને છેડા મળ્યા કે કહ્યું કે મારી સાડી ખળી ગઈ, તેમ જેણે જીવનના નાશ થાય કે બરબાદ થઈ જાય તેમ એક પળ પ્રમાદમાં ગાળી તેને, તેણે જીવન ગુમાવ્યું એમ કહી શકાય. તે પણ વિચારશેાજી ૧૮૦ અગાસ, તા. ૧૬-૧૧-૩૯ સત્સંગ એ જ સર્વાંત્તમ અને સુગમ માર્ગ આ કાળમાં છે અને ૫. પૂ. પ્રભુશ્રીજીએ છેવટે એ જ ભલામણ પણ સર્વેને કરી છે કે સત્સ`ગ અને સ`પ રાખજો. આપે આત્મસિદ્ધિના પાઠ વિષે પુછાવ્યું તે વિષે જણાવવાનું જ્યારે સાંજે કે સવારે પાઠ ફેરવવાના વખત ાય ત્યારે તેમાં ઉપયાગ રહે તેવી રીતે આત્મસિદ્ધિ પૂરી ખેાલી જવી; અને વિચારવાના વખતે આત્મસિદ્ધિ પૂરી નહીં થાય એવી ફિકર કર્યાં વિના જેટલી ગાથાએ વિચારાય તેટલી વિચારવી. એક જ ગાથામાં રાખેલે વખત પૂરા થાય તે પણ હરકત નહીં; ઊલટું સારું કે એટલી વિસ્તારવાળી વિચારણા થઈ. પર`તુ તેમાં એટલા લક્ષ રાખવા કે જે કડીના વિચાર કરવા છે તેના પ્રત્યે વારંવાર વૃત્તિ આવે, નહીં તેા એક વાત ઉપરથી ખીજી વાત ઉપર સ ંબ ંધરહિત ચિત્ત પ્રવર્તે તે પાછા સ`સારના વિચાર। પણ સાથે આવી હેરાન કરશે, માટે હું તે। આત્મસિદ્ધિ સમજવા આ પુરુષાર્થ કરું છું, નકામે વખત ગયા કે વિચારણામાં ગયા તે પણ વખત પૂરા થયે તપાસતા રહેવા ચેાગ્ય છેજી. મૂળ હેતુ તેા છપદની શ્રદ્ધા કરવાના છે તે દૃઢ થાય તેા બધું વાંચ્યું વિચાર્યું લેખે આવે તેમ છેજી. ૐ શાંતિ: શાંતિ: શાંતિ: ખાય; ૧૮૧ અગાસ, જ્ઞાનપ ́ચમી, કાર્તિક સુદ ૫, ૧૯૯૬ “જગત ભગતને વેર અનાદિ, સૌનાં મ્હેણાં સહીએ; જે કહે તેને કહેવા દઈ એ, પ્રભુ ભજનમાં રહીએ.” રાત ગમાયી સાયકર, દિવસ ગમાયા હીરા જન્મ અમેાલ થા, કોડી બદલે જાય.'’ “પરમ કૃપાળુ દેવજી, મેં તેા છતને શ્રી સહજામ સ્વરૂપકા, સહજે દર્શીન પ્રેમીજન પ્રેમથી પ્રભુ મળિયા રે, ફેરા લખચારાશીના ટળિયા રે; ધારી રે; મેં તેા જાણ્યું મળે કયાં મેરારી રે, જાઉં કાશી ગયાદિ દ્વારિકામાં હશે ગિરધારી-પ્રેમીજન પ્રેમથી પ્રભુ મળિયા રે. ચાહું; પાઉં. ” Page #200 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૧૭ બહુ જોયાં ફરી ફરી ધામ રે, થાક્યા ચરણ પામે ન વિશ્રામ રે; અંતે ભેટયા હદયમાં રામ-પ્રેમીજન પ્રેમથી પ્રભુ મળિયા રે. વેદ વર્ણવે રૂપ અરૂ૫ રે, નેતિ નેતિ કહી થયા ભૂપ રે; શ્રેષ્ઠ સાધુ તે બ્રહ્મ સ્વરૂપ-પ્રેમીજન પ્રેમથી પ્રભુ મળિયા રે. કરી શ્રવણ, મનન, નિદિધ્યાસ રે, પૂરા પ્રેમથી રાખી વિશ્વાસ રે, તેથી ટળશે ત્રિવિધ ત્રાસ-પ્રેમીજન પ્રેમથી પ્રભુ મળિયા રે. આપને પત્ર મળ્યું હતું પણ દિવાળીના દિવસે માં અવકાશ નહીં હોવાથી ઉત્તર લખી શક્યો નથી. મહાપુરુષોનાં શેડાં વચને વારંવાર વિચારવાથી શાંતિ થશે, ધારી મથાળે લખ્યાં છે તે વિચારી પરમગુરુ પર પ્રેમભાવ વધારી સંસારના વિચારે વિસારે પડે તેમ પુરુષાર્થ કરશે. વળી વિચારશે : હે પ્રભુ! આ દુષમ કળિકાળમાં અનેક ઉપાધિઓ આફત આવી પડે તે નવાઈ જેવું નથી, પણ તે સર્વે વિઘોને દૂર કરીને કોઈ સંતના કહેવાથી પુરુષની આજ્ઞા, સ્મરણ, તેનું અવલંબન અને ભક્તિ પ્રાપ્ત થાય તથા સદ્ભાવ રહ્યા કરે એ જ નવાઈ જેવું છે. અનેક ભવના પરિભ્રમણમાં જે પ્રાપ્ત થયું નથી તે આ દુષમ કાળમાં અનાયાસે સાચા પુરુષનું શરણું પ્રાપ્ત થયું છે, તે આખર ઘડી સુધી, છેક છેલ્લા શ્વાસોશ્વાસ સુધી ટકાવી રાખવું જરૂરનું છે. સંસારમાં આસક્તિવાળા છ મરણ વખતની અતુલ્ય વેદનામાં પણ કાંઈ ધન દાટયું હોય તે બતાવવાને કે સ્ત્રી-પુત્રને કંઈ કહેવાને અવકાશ મેળવે છે, કારણ કે તે વસ્તુનું તેને માહાસ્ય લાગ્યું છે. તેમ જેને પુરુષનું, તેના વચનનું અને તેના શરણનું માહાસ્ય લાગ્યું હોય તે પણ તેને માટે ગમે તેમ કરીને અવકાશ મેળવી શકે છે. જેનું બહુ સેવન થયું હોય તેનું સ્મરણ આખરે રહે છે. માટે જ મુમુક્ષુ ભક્તજને ભગવાનનું સ્મરણ, સેવન, ધ્યાન, ભાવના, કેવળ અર્પણતા આદિ ભાવે નિરંતર આરાધતા રહે છે. મનુષ્યભવ ચારે ગતિમાં ઉત્તમ ભાવ છે, તેનાં ઘણાં વર્ષો દેહને માટે, દેહના સંબંધીઓને અર્થે ગાળ્યાં, પણ આત્માનું હિત થાય તેમ હવે જેટલાં વર્ષ જીવવાનું હોય તેટલાં વર્ષ શાળાય તે આ ભવ અમૂલ્ય ગણાય છે તે લેખે આ ગણાયજી. પાણું વલવવાથી જેમ ધી ન નીકળે કે રેતી પીલવાથી જેમ તેલ ન નીકળે તેમ આ દેહ કે દેહના સગાંસંબંધીઓની ચિંતા કરવાથી આત્મકલ્યાણની ઉત્પત્તિ સંભવતી નથી, એમ વિચારી સંસાર ઉપરથી અને સાંસારિક પ્રવૃત્તિ પરથી વૃત્તિ ઉઠાવી લઈ આત્મકલ્યાણને અર્થે પુરુષને સમાગમ, તેને બેધ, તેની આજ્ઞાની પ્રાપ્તિ, વ્રત નિયમ આદિ પ્રાપ્ત થાય તેવી ભાવના વિશેષ કર્તવ્ય છે. બનવું ન બનવું પ્રારબ્ધ-આધીન છે, પરંતુ ભાવના કરવી અને તેને પષતા રહેવું એ પિતાના હાથની વાત છેજ. ભાવથી જ જીવ બંધાય છે અને ભાવથી જ છૂટે છે. પરંતુ નિમિત્તાધીન ભાવ થતા હોવાથી સારાં નિમિત્તા મેળવવા પુરુષાર્થ કર્તવ્ય છે”. આપ તે સમજુ છે. માથે કાળ ભમે છે તેનું વિસ્મરણ કરવા યેગ્ય નથી. કાળને ભરોસો રાખવા એગ્ય નથી. લીધે કે લેશે થઈ રહ્યું છે. મોટા મોટા પુરુષો સનસ્કુમાર ચક્રવતી જેવા પણ છ ખંડનું રાજ્ય તજી ચાલી નીકળ્યા અને આત્મકલ્યાણમાં તત્પર થઈ ગયા તે આત્મસિદ્ધિ સાધી 12 Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ બેધામૃત શક્યા અને બ્રહ્મદત્ત જેવા ચક્રવર્તી પડ્યા રહ્યા સંસારમાં, તે અગતિએ ગયા. આપણને આપણી યોગ્યતા પ્રમાણે જે આત્મકલ્યાણનું સાધન સદગુરુની અનંત દયાથી પ્રાપ્ત થયું છે તેમાં લેકલાજ કે પ્રમાદ આદિ કારણે ઢીલ કરવી નહીં, તેને લઈ મંડવું; અને જેમ ખૂંદતાં ખેદતાં પાતાળું પાણી નીકળે છે તેમ આત્માની શાંતિ તે વડે આ ભવમાં પ્રાપ્ત કરી લેવી છે એવો દૃઢ નિશ્ચય કરી તેને નિરંતર આરાધ. જેમ ગયા ભવની અત્યારે કંઈ ખબર નથી, તેમ મરણ પછી અત્યારનું કંઈ સાંભરવાનું પણ નથી, બધું ભુલાઈ જવાનું છે તે તેને માટે આટલી બધી ફિકર ચિંતા શાને માટે કરવી? મનુષ્યભવ, ઉત્તમકુળ, સપુરુષનાં દર્શન, શ્રદ્ધા, સત્સાધનની પ્રાપ્તિ અને નીરગી શરીર ધારે તે પુરુષાર્થ કરી શકે તેવી વેળા પ્રાપ્ત થયા છતાં જીવ જે આત્મકલ્યાણ અત્યારે નહીં કરે તે જ્યારે શરીરમાં વ્યાધિ-પીડા હશે, આંખ-કાનમાં શક્તિ નહીં હોય, શ્વાસ પણ પૂરો લેવાતે નહીં હોય ત્યારે શું બનશે? અથવા એવું એવુંય નરભવનું ટાણું લૂંટાઈ જતાં, કીડી, કેડી કે કાગડા-કૂતરાના ભવ મળ્યા પછી શું સાધન છવ કરવાને છે? એમ વિચારે. આ જોગ અચાનક લૂંટાઈ જતા પહેલાં “ઝબકે મતી પાવી લે વીજળીના ઝબકારે ખેતીમાં દોરે પરવી લે તેમ અત્યારની મળેલી સામગ્રી નકામી વહી જવા ન દેવી ઘટે. પિતાના આત્માનો વિચાર કરવાનું જરૂરનું કામ ચૂકીને જીવ પારકી પંચાતમાં બેટી થાય છે તેમાંથી તેને પિતાના ભણી વાળી આત્માનું હિત થાય તેમ વર્તવા લક્ષ રાખ ઘટે છેજ. “પગ તળે રેલે તે પારકી વાત પડી મેલો' તેમ દરેકને માથે મરણ છે, સમાધિમરણ થાય તેવી તૈયારી કરવાનું કામ દરેકને માથે છે તેને માટે જીવ જ શું કરે છે અને શું શું કરવા યોગ્ય છે તેને હિસાબ રાખીને મનને નકામા હર્ષશેકમાં જતું રેકવું. આ કળિકાળ મહા ભયંકર છે, તેમાં કઈ વિરલા જીવો પુરુષનાં વચનેને વિચારીને ચેતી જશે, તે જ બચશે. સમજ્યા ત્યાંથી સવાર ગણીને એક લક્ષ આત્મકલ્યાણને નજર આગળ રાખીને, પિતાના આત્માના ઉદ્ધારના કાર્યમાં કમર કસીને મંડી પડવા ગ્ય છેજ. ઘર બળતું હોય તેમાંથી જેટલું કાઢી લઈએ તેટલું બચે, તેમ ક્ષણે ક્ષણે આયુષ્ય વહ્યું જાય છે તેમાંથી જેટલું ભક્તિ, ભજન, સ્મરણ, વાચન, વિચારમાં સદ્ગુરુ આજ્ઞાએ જશે તેટલું જ જીવન બચું ગણવું. બીજું બધું બળી રહ્યું છે. શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૮૨ અગાસ, તા. ૭-૧૨-૩૯ તત » સત કાર્તિક વદ ૧૧, ગુરુ, ૧૯૯૬ અબુધજના અંતરમાં જે સમ્યક ભાવ જગાડે, અનંત આગમ મંત્રે મૂકી શિવ-સુખ-અંશ ચખાડેછે. સે સદ્દગુરુ ચરણ-કમળને એ મારગ છે સીધજી. સાગર-સાર જુઓ બિન્દુમાં, આગમ-સાર સમગ્રેજી, આત્મજ્ઞાની ગુરુવરની આજ્ઞા ચાવી વિદ્યુત-અંગ્રેજી. સે. પાત્ર થવા સબધ ઉપાસે, જે સત્પરુષે દાજી, સદાચારથી તે સમજાશે, આ જ માર્ગ મેં લીધેજી. સે. (પ્રજ્ઞાવ. ૩૩) . Page #202 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૧૭૯ તીર્થ શિરોમણિ પ્રત્યક્ષ પુરુષના ગબળની વિભૂતિરૂપ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસથી લિ. પુરુષના ચરણકમળની સેવાને ઈચ્છક દાસાનુદાસ બ્રહ્મચારી બાળ ગોવર્ધનના જયસદ્દગુરુવંદન સ્વીકારી કાર્તિક માસી પાખી સંબંધી જાણતાં અજાણતાં આપ કઈ પ્રભુભક્તો પ્રત્યે મન, વચન, કાયાએ દોષ થયા હોય તેની પરમકૃપાળુદેવની સાક્ષીએ ઉત્તમ ક્ષમા યાચું છું તે આપવા ઉદાર થશે. સંસારને જ્ઞાની પુરુષોએ સમુદ્ર સમાન વર્ણવે છે, તેમાં જીવ અનાદિકાળથી ડૂબકાં ખાઈ રહ્યો છે તેમાંથી તરવા માટે આત્મજ્ઞાની ગુરુ વહાણ સમાન છે, તેને આશ્રય લેનાર તરી શકે છે અને સર્વ સુખ પામી શકે છે. પણ જેને સમુદ્રમાં તરવાની મજા કરવી હશે તેને પાસે થઈને જતું વહાણ પણ કંઈ કામનું નથી, તેમ જેને હજી સંસારનાં સુખની ઇચ્છા છે, તેમાં સુખની કલ્પના કર્યા કરે છે તે પાણીરૂપ સંસાર તજીને સદ્ગુરુના શરણરૂપ વહાણુમાં બેસી શકતું નથી. એવા અભાગિયા જવને ખારા પાણીમાં જ બૂડી મરવાનું રહ્યું. દરિયામાં ગમે તેટલું પાણી હોય પણ તે પીવાના કામમાં આવતું નથી, તેમ સંસારના સર્વ પદાર્થો રાજવૈભવ સુખસાહાબી બધાં ખારા પાણી જેવાં છે, તેની સ્વપ્ન પણ ઈરછા કરવા યોગ્ય નથી એમ જ્ઞાની પુરુષો પિકાર કરી કરીને કહે છે, તે જે માનશે તેને સાચું શરણ પ્રાપ્ત થશે. સંસારમાં મનાતાં સુખ જેનાં છૂટી ગયાં તેના ઉપર પરમકૃપાળુદેવની કૃપા થઈ એમ માનવા ગ્ય છે. અત્યારે નહીં સમજાય પણ વિચાર કરતાં હૈયે બેસે તેવી એ વાત છે. મીરાંબાઈને રાજ્યવૈભવ અને બીજા જગતના છ ઇરછે તેવાં સુખ હતાં, છતાં તેણે તે રાણને, રાજ્યને ને રાણી પદને ત્યાગ કરી ભિખારણની પેઠે ટુકડા માગી ખાઈ ભગવાનની ભક્તિ કરી તે આજે આપણે તેને ધન્યવાદ દઈએ છીએ અને તે અમર વરને વરી કે સદા તેને ચૂડો-ચાંદલે કાયમ રહે તેવી દશા ગુરુકૃપાએ તે પામી. જાણી-જોઈને તેણે પતિને તથા સંપત્તિને લાત મારી અને આનંદપૂર્વક આખી જિંદગી તેણે ભક્તિમાં ગાળી. તે આપણે માથે તેવી દશા તે હજી ભીખ માગે તેવી આવી પડી નથી; પણ કર્મના ભેગે વહેલેમડે જેને નાશ થવાને હતું તેવું શિરછત્ર વહેલું ભાંગી ગયું અને પુરુષને વેગ થયો છે, તેણે સત્સાધન આપ્યું છે તેનું અવલંબન લઈ સદાચાર સહિત જિંદગી ભક્તિમાં ગાળવાની છે એ કંઈ મોટી અઘરી વાત નથી. કાળ કાળનું કામ કરે છે. ભક્તિભાવ વધારતા રહેશે તે કંઈ જ જાણે બન્યું નથી એમ પ્રારબ્ધ પ્રમાણે દિવસે વ્યતીત થશે. કશું ગભરાવા જેવું નથી; મૂંઝાવું ઘટતું નથી. હજી મનુષ્યભવરૂપી મૂડી હાથમાં છે ત્યાં સુધી સૌ સારાં વાનાં થઈ રહેશે, પણ જેમ સદ્દગતનું સર્વસ્વ, આખે મનુષ્યભવ લૂંટાઈ ગયો તે હવે કંઈ કરી શકે તેમ નથી. ચારાશી લાખના ફેરામાં એક મનુષ્યભવમાં કંઈ નિરાંત છે; બાકી કીડી, મકોડી, કાગડા, કૂતરા, માખી, મરછર એ જીવે શું ધર્મ સમજે ? શી રીતે આરાધી શકે? આપણે જેટલા દિવસ આ મનુષ્યભવના જેવાના બાકી છે ત્યાં સુધી ધર્મનું આરાધન કરી લેવું કે ફરીથી ચોરાશી લાખના ફેરામાં ફર ફર કરવું ન પડે. ચેતવા માટે જણાવવું થાય છે કે મનુષ્યભવમાં અને તેમાં ય સ્ત્રીના અવતારમાં તે કશું ય સુખ બન્યું નથી. ચક્રવર્તીની પુત્રી હેય તેને પણ પારકી ઓશિયાળી વેઠવી પડે છે. પતિને રાજી રાખવા પડે, જીવતાં સુધી Page #203 -------------------------------------------------------------------------- ________________ બોધામૃત છોકરાં છેયાંના ઢસરડા કરવા પડે છે. હે ભગવાન! કદી સ્ત્રીભવ કે કોઈ ભવ કર ન પડે તેવું આ ભવમાં ગમે તેમ કરીને મારાથી બને, એવી ભાવના રોજ રોજ ભાવવાગ્યા છે. તે વિષે એક કથા છે તેમાંથી ટૂંકામાં અહીં લખ્યું છે તે વિચારશે. (જુઓ પ્રવેશિકા શિક્ષાપાઠ ૯૮–૯) તા. ક–મીરાંબાઈની તે જૂની વાત છે. હાલ આશ્રમમાં પણ બાઈ એ * છે કે જે પરણી જ નથી અને પરણવાની પણ નથી. જ્ઞાનીની આજ્ઞાએ વ્રત પાળીને રહે છે તેવું ઉત્તમ જીવન જીવવાની તક પરમકૃપાળુએ કૃપા કરીને આપી છે તે માટે તે મહાપ્રભુને મહાઉપકાર માનવા યોગ્ય છે. ૧૮૩ અગાસ, તા. ૮-૨-૪૦ સુખમેં ન ધરે હર્ષ અતિ, દુઃખમેં નહિ દિલગીર; સુખ દુખ સ્વપ્ન સમાન હૈ અથવા મૃગજળ નીર. મનમોહન રાજ રમે હૃદયે, જીભ જાપ જપ સમયે સમયે, તન આતમ સેવન કાજ ટકે, ધનને ન ધરું મનમાં ચટકો, ધરી ધૈર્ય હણે લલના લટકે, નિજ દેષ સદા મનમાં ખટકે, નહિ લૌકિક લાજ વિષે અટકે, મન મેક્ષરૂચિ નિશદિન ટકો. ચરણકમળ તવ મમ હૃદયે, મમ હૃદય રહે તમ પાદઢયે, શિવપદમાં લીન થતાંય લગી ભવભવની પ્રભુ મુજ આ અરજી. રે મન ! આ સંસારમાં દુઃખથી તું ન ડરીશ, સમ શમશેર વડે કરી ધાર્યું તે જ કરીશ.” પતિવ્રતા ભક્તિ વૃત્તિ, લહે ભગવત્ પદ સાર; વેશ્યાવૃત્તિ ભક્તિ ભયે, ન લહે પ્રભુ-ભત્તર. જ્ઞાની પુરુષએ આ સંસારમાં ગમે તેવાં અનુકૂળ સુખ હોય, કોઈ પણ પ્રકારની લૌકિક સુખની ખામી ન હોય તે પણ આ સંસારનું સ્વરૂપ વિષમ, ભયંકર અને ક્લેશરૂપ કહ્યું છે. એકાંત દુઃખરૂપ આ સંસારમાં બ્રાન્તિપણે જે સુખ માન્યું હતું તે પણ દુઃખ જ હતું. જે સુખને વિયેગ માનીએ છીએ તે પણ દુઃખને જ વિયેગ છે. અનુકૂળતા-પ્રતિકૂળતા કર્મના સંગે પ્રાપ્ત થાય છે. અનુકૂળ સંયોગો અવિચારદશામાં સુખરૂપ લાગે છે અને પ્રતિકૂળ સંગો દુઃખરૂપ લાગે છે, પણ કોઈ કર્મના સંગ આત્માને સુખ આપવા સમર્થ નથી. માટે સાંસારિક અનુકૂળતાઓમાં ખામી આવવાથી જીવ તેવા સુખની ઝંખના કરે છે તે દુઃખને જ નોતરે છે. માટે વિચારવાન જીવે જ્ઞાનીએ જે સુખ માન્યું છે, ચાખ્યું છે, અને પ્રશંસું છે એવા આત્મિક સુખની ચૂરણુ આ છ કરી નથી, તે અર્થે જ જીવને જાગ્રત કરવા સંસારમાં આપત્તિઓ આવે છે અને તે વખતે જે જીવ જાગ્રત થાય તે તે કલ્યાણરૂપ નીવડે છે. ભક્તાત્માઓને તે તે વિશેષ કલ્યાણકારક સમજાય છે. નરસિંહ મહેતા જેવાએ એવા પ્રસંગમાં ગાયું છેઃ “ભલું થયું ભાગી જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાળ.” પરમકૃપાળુ શ્રીમદ્ | * કાઠિયાવાડનાં બહેનને લખેલ છે. ત્યાં “બાઈ શબ્દ અધિક પ્રચલિત છે. મીરાંબાઈના સંદર્ભમાં પણ બાઈ સ્વાભાવિક લખાયેલ લાગે છે. Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ ૫૦સુધા રાજચંદ્ર પ્રભુએ લખ્યું છેઃ “જે થાય તે ભલું માનવામાં આવે – તે જ આ સંસારમાં રહેવું ગ્ય છે.” (૩૦૧) વળી લખ્યું છે – “કઈ પણ કારણે આ સંસારમાં કલેશિત થવા યોગ્ય નથી...સર્વ પ્રકારે જ્ઞાનીના શરણમાં બુદ્ધિ રાખી નિર્ભયપણાને, નિઃખેદપણાને ભજવાની શિક્ષા શ્રી તીર્થકર જેવાએ કહી છે, અને અમે પણ એ જ કહીએ છીએ.” (૪૬૦) “ખેદ નહીં કરતાં શૂરવીરપણું રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં મોક્ષપાટણ સુલભ જ છે. વિષયકષાયાદિ વિશેષ વિકાર કરી જાય તે વખતે વિચારવાનને પોતાનું નિવયપણું જોઈને ઘણું જ ખેદ થાય છે, અને આત્માને વારંવાર નિંદે છે. ફરી ફરીને તિરસ્કારની વૃત્તિથી જોઈ, ફરી મહંત પુરૂષનાં ચરિત્ર અને વાક્યનું અવલંબન ગ્રહણ કરી, આત્માને શૌર્ય ઉપજાવી, તે વિષયાદિ સામે અતિ હઠ કરીને તેને હઠાવે છે, ત્યાં સુધી નીચે મને બેસતા નથી, તેમ એકલે ખેદ કરીને અટકી રહેતા નથી. એ જ વૃત્તિનું અવલંબન આત્માર્થી એ લીધું છે, અને તેથી જ અંતે જય પામ્યા છે. આ વાત સર્વ મુમુક્ષુઓએ મુખે કરી હૃદયમાં સ્થિર કરવા યોગ્ય છે.” (૮૧૯) સગાંવહાલાં કર્મને સંગે મળી આવે છે, અણુસંબંધ પૂરો થતાં ચાલ્યા જાય છે. સંગે હર્ષ, વિયેગે ખેદ એ બને ક્લેશરૂપ છે. એકે ભાવ આત્માને હિતકારી નથી. તેમ જ ભવિષ્યની ચિંતા, છોકરાં હૈયાંના વિચાર એ સર્વ પ્રારબ્ધાનુસાર બને છે. તેમાં ન જોઈતી ચિંતા કરવી તે આત્મહિત ભૂલી નવાં કર્મ બાંધવાનું કારણ થાય છે. સૌ સૌનાં પ્રારબ્ધ લઈને આવે છે. ઇંદ્ર, ચંદ્ર, નાગેન્દ્ર કે જિનેન્દ્ર કોઈ કોઈનાં કર્મ ફેરવવા સમર્થ નથી. કઈ કઈને સુખ આપી શકે એમ નથી, કોઈ કોઈને દુઃખ આપી શકે એમ નથી. પિતે પિતાનું હિત કે અહિત કરવા જીવ સમર્થ છે. તે મૂકી દઈને જેમાં પિતાનું કાંઈ ચાલે એમ નથી એવા પરજીને સુખીદુઃખી કરવાની ઈરછા કરવી તે નિરર્થક છે; માટે આ મનુષ્યભવ મળે છે તે આત્મહિત વિશેષ કેમ સધાય તેની વિચારણા કરવાથી સવિચારમાં વૃત્તિ પ્રેરાશે. પારકી પંચાતમાં જીવ બહુ ખોટી થયે છે. પિતાની સંભાળ લેતે ક્યારે થશે એ આપણે સર્વેએ વિચારવા લાગ્યા છે. આપને વિચારવા માટે નીચેનું આ લખ્યું છે: રાત્રિના પ્રથમ અને અંતિમ પ્રહરમાં હમેશાં પિતાની જાતનું નિરીક્ષણ કરવું કે, “મેં શું કર્યું છે, મારે હજી શું કરવાનું બાકી છે, મારાથી થાય તેવું હું શું નથી કરતે, કયે દોષ બીજાઓ મારામાં જુએ છે, કયે દોષ મને પિતાને દેખાય છે, અને કયે દોષ હું જાણવા છતાં ત્યાગ નથી?” આ જાતનું બરાબર નિરીક્ષણ કરનારે સાધુ આગામી દોષનું નિવારણ કરી શકે છે. જે બાબતમાં તેને મન-વાણુ-કાયાથી ક્યાંક દુરાચરણ થયેલું લાગે, તે બાબતમાં તે પિતાને તરત ઠેકાણે લાવી દેઃ જાતવાન અશ્વ લગામની સૂચનાને ઝટ સ્વીકારી ઠેકાણે આવી જાય છે તેમ. જે જિતેન્દ્રિય અને ધૃતિમાન સાધુ આ પ્રમાણે આત્મનિરીક્ષણની પ્રવૃત્તિ કરે છે, તે જગતમાં જાગતો છે અને તે જ સંયમ-જીવન જીવે છે, એમ કહેવાય. સર્વ ઈન્દ્રિયોને વિષયમાંથી નિવૃત્ત કરી, આત્માનું નિરંતર રક્ષણ કર્યા કરવું જોઈએ, કારણ કે તેનું જે રક્ષણ ન કર્યું તે તે જન્મમરણને માર્ગે વળે છે, અને તેનું બરાબર રક્ષણ કર્યું હોય તે તે સર્વ દુઃખમાંથી મુક્ત થાય છે, એમ હું કહું છું.” » શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #205 -------------------------------------------------------------------------- ________________ બેધામૃત ૧૮૪ અગાસ, તા. ૨-૩-૪૦ તત્ કે સત્ મહા વદ ૯, શનિ ૧૯૯૬ “ગુરુ બિન જ્ઞાન ન ઊપજે, ગુરુ બિન મિલે ન ભેદ; ગુરુ બિન સંશય ના મિટે, જય જય જય ગુરુદેવ.” પરમકૃપાળુદેવ જેમ રાખે તેમ રહેવું; જે થાય તે સમભાવે સહી લેવું, અને સંતોષ રાખવો. ભક્તિભાવ વર્ધમાન થાય તેમ વર્તવું. એ જ આપણા હાથમાં હાલ તે છે”. “થવું હોય તે થાજે રૂડા રાજને ભજીએ.” પ્રમાદને વશ થઈ ખેદ કર્તવ્ય નથી જી. સત્સંગની નિરંતર કામના રાખી પ્રમાદમાં છવ ન તણાઈ જાય માટે વારંવાર સ્મરણ, વાંચન, ભક્તિ, કંઈ મુખપાઠ કરવું કે મુખપાઠ થયેલું બેલી જવું વગેરે પુરુષાર્થમાં ચિત્ત રાખી, સપુરુષે કહેલો બેધ જે સ્મરણમાં હોય તે વારંવાર વિચારે તેને ઉપકાર ચિંતવ કે તેને એગ ન થયે હેત તે આ પામર જીવની અત્યારે કેવી દશા થઈ હેત? કેવાં કર્મ બાંધતે હોત? તેની મુખાકૃતિ, તેને પ્રેમ, તેની શિખામણ વિસરવા યોગ્ય નથી. આ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૮૫ અમાસ, તા. ૧૨-૩-૪૦ તત્ સત્ ફાગણ સુદ ૩, ૧૯૯૬ જ્ઞાની પુરુષની આજ્ઞાનું માહાન્ય જીવને લક્ષમાં આવવું બહુ દુર્લભ છેજ. તે ટકી રહેવું તે વિશેષ દુર્લભ છે. મનુષ્યભવ છે, અને પાંચ ઈન્દ્રિયે હજી કંઈ કામ આપી શકે એમ છે તથા તદ્દન પરાધીનતા કે મરણપ્રસંગ જેવી વિશેષ વેદનાને ઉદય નથી ત્યાં સુધી જીવ ધારે તે સદ્ગુરુની આજ્ઞામાં ચિત્ત પરેવી એ લાભ ઉઠાવી શકે કે તેને ફરી મનુષ્યભવ મળ દુર્લભ ન થઈ પડે અથવા મેક્ષનું સાધન જ્યાં જાય, ત્યાં બને તેટલું કરતે રહે તે અભ્યાસ પરભવમાં પણ સાથે લેતે જાય તેવી જોગવાઈ આ ભવના પુરુષાર્થથી પ્રાપ્ત થઈ શકે છે. આ વાત આપણે સર્વેએ બહુ બહુ વિચારી લક્ષમાં લેવા યોગ્ય છેજ. દિવસ ઉપર દિવસ વહ્યા જાય છે અને મૃત્યુ આવીને ઊભું રહેશે ત્યારે કંઈ આત્મહિત નહીં કર્યું હોય તે શી વલે થશે, તેને વિચાર અગાઉથી કર્યો હોય તે પુરુષાર્થ વિશેષ કરવાનું બની શકે એમ છે. જ્યાં સુધી સત્સાધન નહોતું મળ્યું ત્યાં સુધી તે કાળ વ્યર્થ ગયે પણ હવે ક્ષણેક્ષણ સ્મરણ કરવામાં ગાળવી છે એ નિશ્ચય કરે ઘટે છેજ. વિશેષ શું લખવું? શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૮૬ અગાસ, તા. ૧૨-૩–૪૦ તત્ સત્ ફાગણ સુદ ૩, મંગળ, ૧૯૯૬ અનુષ્યપ – આહારે કાય પોષાય, કાયાથી જ્ઞાન પિષવું; જ્ઞાનથી કર્મને નાશ, તે નાયે સુખ મોક્ષનું , આપ સર્વ મુમુક્ષુવર્ગને જ્ઞાનવૈરાગ્યની વૃદ્ધિ કરવા ભલામણ છે. મારી તબિયત ઠીક થતી જાય છે. પરમપુરુષ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના યુગબળે તેની ભક્તિ નિરંતર યથાર્થ રહે એ ભાવના રહે છેજી, કારણ કે બીજી બધી જગતની વસ્તુઓ તે ક્ષણિક અને અસાર છે, Page #206 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૧૮૩ કઈ વસ્તુ પ્રત્યે પ્રતિભાવ કરવા ગ્ય નથી. સવારમાં ફૂલ ખીલેલું દેખાય છે તે સાંજ થતાં પહેલાં કરમાઈ જાય છે તેવા આ સર્વ જગતના પદાર્થો જોતજોતામાં નાશ પામી જાય છે અને તેની ઈચ્છા કરનારને દુઃખી, લેશિત કરતા જાય છે. તેવા પદાર્થોમાં વિચારવાનને આસક્તિ કેમ થાય? તડકામાં ચળકતા પાણીના ટીપાને હીરો માનનાર અજ્ઞાની કહેવાય, તેમ આ અસાર સંસારની વસ્તુમાં મોહ થાય તે મૂર્ખતા સિવાય બીજું શું છે? એમ વિચારી વારંવાર સદ્ગુરુની મુખાકૃતિ, તેને બેધ, તેની આજ્ઞામાં ચિત્તને વારંવાર પ્રેરવાથી તે અખૂટ આનંદ આપનાર થઈ પડશે. નિષ્કામભાવે ગુરુભક્તિ પરમસુખને આપનાર છે. “શ્રી સદ્દગુરુપ્રસાદમાંના પત્રો વારંવાર વિચારી તેમાં જણાવ્યા પ્રમાણે વર્તવાની ભાવના પરમ કલ્યાણનું કારણ છેજ. એક પરમકૃપાળુદેવ પ્રત્યે અનન્ય ભક્તિભાવ વધારવા આ જીવની ભાવના છે તેવી સર્વને હો એવી પ્રાર્થના પરમકૃપાળુદેવ પ્રત્યે જી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૨૬-૩–૪૦ તત સત્ ફાગણ વદ ૩, ૧૯૯૬ અહંત સિદ્ધ મુનીશ્વર સાખે, શીલ વ્રતાદિ જે તું રાખે જીવતા સુધી પાળી લે લહાવ, એ ભવસાગર તરવા નાવ.--(વૈરાગ્યમણિમાળા) પૂ.ની અચાનક વેદની સંબંધી સમાચાર જાણી ખેદ થયે છેજ. મનુષ્યભવ અત્યંત દુર્લભ છે. તેમાં પુરુષને યોગ થયા પછીને કાળ તે જીવે અત્યંત મૂલ્યવાન ગણવા ગ્ય છે. ભલે સ્ત્રી હો, પુરુષ હે, અભણ હે, ભણેલે છે, ગરીબ રંક હો કે રાજા હે, સાજે હે કે માંદ હ; પણ મનુષ્યભવ હશે તે પુરુષે આપેલું પરમ હિતકારી, પરમ અમૃતસ્વરૂપ સ્મરણમંત્રમાં ચિત્ત દેવાશે. તે મંત્રનું બને તેટલું રટણ કર્યા કરવા ગ્ય છે. જાતે ન બેલાય તે કઈ પાસે હોય ને મંત્ર બેલતું હોય તેમાં ચિત્ત રાખવું ઘટે છેજ. કોઈ કૂવામાં પડેલાને દોરડું હાથમાં આવી જાય તે તે ડૂબે નહીં, તેમ એટલે કાળ સ્મરણમાં ચિત્ત દેવાશે તેટલે કાળ સપુરુષની આજ્ઞામાં જવાથી તરવાનું કારણ બને છે. માટે તે સ્મરણમંત્ર પૂ. ના કાનમાં પડત રહે તેવી ગોઠવણ કરવાથી તેમને અને તેમને મદદ કરનાર બન્નેને લાભનું કારણ છે. ખરી ચાકરી એ છે. માટે જ્યાં સુધી જાગતાં હોઈએ ત્યાં સુધી સ્મરણ કરવાનું ભૂલવું નહીં. ભક્તિ વગેરે કરીએ તે પણ તેમની પાસે કરવાથી તેમના ભાવ ભગવાન તરફ વળવાનું નિમિત્ત છે. આપણને મરણ વખતે કઈ ભગવાનનું નામ, તેની ભક્તિ, તેની આજ્ઞારૂપ મંત્ર સંભળાવે તે કેવું સારું એમ રહ્યા કરે છે, તે તે જોગ બીજાને પણ બનાવવામાં આપણું હિત છે. નીચેની વાત વિશેષ લક્ષ રાખી તેમને અને તે સંભળાવશે અથવા તેમાંથી તમને જે સમજાય તે કહી બતાવશે. ૫. પૂ. પ્રભુશ્રીજીનાં તે વચને છે તે અમૃત સમાન છે. નેહપ્રીતિ કરવા જેવું નથી. એક આત્મા જ્ઞાન-દર્શનમય છે તે ભાવના વારંવાર ભાવવી. બીજે પરભાવમાં મન જાય કે તુરત પાછું વાળવું. વૃત્તિને રોકવી. અને ક્ષેત્રફરસના છે, અન્નજળપાણી છે એમ જાણી અરતિથી આ ધ્યાન થાય તેમ ન કરવું. જે જે પુદ્ગલ ફરસના, Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ બેધામૃત નિરો ફરસે સંય; મમતા-સમતા ભાવસે કર્મબંધ-ક્ષય હોય.’ આપણી ઈચ્છાએ, સ્વદે જીવને જન્મ મરણ થઈ રહ્યાં છે, તેથી મૂંઝાવું નહીં. મરણ અવસરે કેણ સહાય છે? તે વખતે પરવશે ભેગવવું પડે છે, તે અત્રે “જા વિધ રાખે રામ તાવિધ રહિયે.’ મૂંઝાવું નહીં, અકળાવું નહીં. સહનશીલતા એ તપ છે. જ્યાં જઈએ ત્યાં માટી, પાણી ને ઢેફ. કઈ જગ્યાએ સુખ નથી. સુખને જાણ્યું નથી. દુઃખ, દુઃખ ને દુઃખ છે. દુઃખમાં સુખ માની રહ્યો છે, ભુલવણું છે, ચેતવા જેવું છે. ભૂલ્યા ત્યાંથી ફેર ગણું; સમયે ત્યાંથી સવાર. આખરે મૂકવું પડશે. આખરે સ્વછંદ રેક થાય છે તે સમજીને, અત્યારે જે અવસર તે પ્રમાણે કાળ વ્યતીત કરે અને સમભાવ રાખે તે તપ જ છે. ઈચ્છાઓ, તૃષ્ણાઓ કરે તે બંધ છે. એકલે આબે, એકલે જવાને છે. ફરી આવો લાગ નહીં આવે. મનુષ્યભવ ફરી ફરી નહીં મળે. છતી બાજી હારવી નહીં. કેઈ કેઈનું દુઃખ લેવા સમર્થ નથી, કઈ કઈને સુખ આપવા સમર્થ નથી. આતમભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે.” (ઉપદેશામૃત પૃષ્ઠ ૧) પ. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજી બોલતા હેય ને આપણે સાંભળતા હોઈએ તેમ સર્વે એ ધ્યાન દઈને આ શિખામણની વાત સાંભળવા યંગ્ય છે, તે ઘૂંટડો ગળે ઉતારવા ગ્ય છે તે સર્વે સારાં વાનાં થઈ રહેશે. છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૮૮ અગાસ, તા. ૨૪-૪-૪૦ આપને પત્ર મળે છેછે. આપની ભાવના સારી છે. સત્સંગે તે વર્ધમાન થાય છે. સત્સંગના વિયોગમાં પણ શિથિલતા ન આવે તે માટે સત્પરુષનાં વચનામૃતને સત્સંગ તુલ્ય સમજી વિશેષ વિચાર સહિત વર્તવું જરૂરનું છે”. પત્રાંક ૫૩૭ “મુમુક્ષુ જીવન એટલે વિચારવાન જીવને આ સંસારને વિષે અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હોય નહીં,” એ વાક્યથી શરૂ થાય છે તે પત્ર બહુ વાર વારંવાર વિચારી બને તે મુખપાઠ કરવા યોગ્ય છેછે. તેમાં મુમુક્ષુએ શું કર્તવ્ય છે? મૂળ ભૂલ શું છે અને તે કેમ કાઢવી? તથા કેવા પુરુષાર્થમાં રહેવું અને શું કરે છે તે બધું કરી ચૂક્યો ગણાય તે વિષે સરળ શબ્દોમાં અનેક શાના સારરૂપ આપણું જેવા બાલ જીને મેક્ષમાર્ગની સમજ આપે તે પત્ર તે છે. તે પરમ પુરુષે કેટલી દયા કરી આ બાળકને ત્રિવિધ તાપથી બળતે બચાવવા ઠોકી ઠોકીને મૂળ વાત જણાવી છે, તે હૃદયમાં રહે તે વૈરાગ્ય સહજ સ્વભાવરૂપ થઈ જાય તેવો પત્ર છે. મહાપુરુષે માર્ગ બતાવવાનું તેમનું કાર્ય કર્યું. આપણે તે માર્ગે ચાલવાનું કામ હવે કરવાનું છે. તે ખરા દિલથી કરવા માંડીશું તે મેક્ષનું કામ અત્યારે લાગે છે તેવું ભારે નહીં લાગે; કારણ કે પુરુષને વેગ ન થયું હોય ત્યાં સુધી જીવને બાહ્યદષ્ટિ હોવાથી જે જે પુરુષાર્થ કરે તે સંસારનું કારણ થવાને સંભવ છે, પણ પુરુષ જેવા ધગધણી કર્યા પછી તેમનાં વચનને હૃદયમાં જાગ્રત રાખી વિષયકષાય શત્રુઓની સામે સત્પરુષે આપેલાં સાધનરૂપ શથી લડવાનું છે. બળ તે આપણે જ કરવું પડશે, પણ તે કામ માટે જરૂર કરવું છે એ જેને નિશ્ચય છે તેને પુરૂષને શરણે તેની આજ્ઞાએ વર્તતાં તેનાં આપેલાં હથિયાર વાપરવાનું બળ મળી રહે છે એ નિઃશંક વાત છે. હવે કહેવાતા મુમુક્ષુ નથી રહેવું પણ પિતાનું નથી Page #208 -------------------------------------------------------------------------- ________________ ૫ત્રસુધા ૧૮૫ તે મૂકનારા, મમતા તજનારા મુમુક્ષુ થવું છે એ જે એક વાર દઢ નિશ્ચય કરી લીધે તે સર્વ સાધન સવળાં, સત્સાધન થશે. વિશેષ શું લખવું? વિચારવાનને પિતાનું હિત વિશેષ કેમ સધાય તે વિચારતા રહેવાની જ જરૂર છેy. છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૨૪-૪-૪૦ ચૈત્ર વદ ૩, બુધ, ૧૯૯૬ મુક્તિપુરી લગી ચાલે તેવું બેધિ-સમાધિ-સુભાતું ચહું, તે દેવા વિતરાગ પ્રભુને નવી સન્શરણે જ રહું. તનપિંજર મુજ જીર્ણ થયું છે કૃમિકુલ-જલે ખદબદતું, ભસ્મ થવાનું તેને ભય શો? જ્ઞાનતનું હું અભય રહું. મૃત્યુ-મહોત્સવ પ્રાપ્ત થયે ભય કેમ ઘટે? પટ જેમ તળું, દેહ-દેશ મૂક દેશાંતરમાં જતાં સમાધિભાવ ભજું; સત્કર્મોનું ફળ દે સ્વર્ગે લઈ જઈ મૃત્યુ મિત્ર ખરે, તો ડર કોણ મરણને રાખે? સર્વ મળી સત્કાર કરો. તન-પિંજરમાં પૂર પડે છે ગર્ભકાળથી કર્મ અરિ, કોણ મને ત્યાંથી છોડાવે? મૃત્યુરાજની મદદ ખરી. દેહ માત્ર ગણો ઓં જ સૌ દુઃખનું દેહ-વાસના દૂર કરે, આતમજ્ઞાની મૃત્યુ-મિત્રની કૃપા વડે મુક્તિ ય વરે. (પ્રજ્ઞાવલ-પર) આ પત્ર ઘણુંખરું ચૈત્ર વદ ૫ ઉપર તમને મળી જશે. પરમકૃપાળુદેવની દેહત્સર્ગ તિથિ તે દિવસે છે. તે પરમ ઉપકારી, આપણા અનન્ય આશ્રય પરમપુરુષના વિયેગની સ્મૃતિરૂપ તે દિવસે બધા ઉપવાસ કરશે અને તે પુરુષના વિરહનાં “આલેચનાદિ પદ સંગ્રહમાંનાં પદ વગેરેથી ભક્તિ કરશે. તેવી ભક્તિની ભાવના દૂર રહ્યાં પણ હદયમાં ભાવ આણી વારંવાર તે પરમપુરુષના આશ્રયનું બળ વર્ધમાન કરતા રહેવા ગ્ય છે. પરમકૃપાળુદેવની ભક્તિ એકનિષ્ઠાથી થાય તે જરૂર આ જીવનું કલ્યાણ થાય, કારણ કે ૫. ઉ. ૫. પૂ પ્રભુશ્રી કહેતા કે અમે વીમે ઉતારીએ છીએ. તેની (પરમકૃપાળુદેવની) ભક્તિ કરે અને તેનું કલ્યાણ ન થાય તે અમે જવાબદાર છીએ. આવી ખમદારી લેવી એ ભારે કામ છે પણ સાચી વાત છે એટલે બેધડક કહીએ છીએ એમ ભરી સભામાં તેઓશ્રી કહેતા હતા. આપણે તે તેને વિશ્વાસ રાખી પરમકૃપાળુદેવના ચરણમાં માથું મૂકી તેણે કહ્યા પ્રમાણે વૈરાગ્ય ઉપશમ વધારી તેને પગલે પગલે ચાલી, મેક્ષે જ જવું છે એ દઢ નિશ્ચય કર્તવ્ય છે. પોતે પરમકૃપાળુદેવે જ લખ્યું છે કે “છૂટવાના કામીને પરમાત્મા પણ બાંધી શકતા નથી અને બંધાવાના કામીને પરમાત્મા પિતે પણ છેડી શકતા નથી.” માટે આપણે તેવા અપૂર્વ પુરુષને શરણે છીએ એમ ભાવ રાખી, સત્સંગ સદાચરણના ભાવ રાખી વિશ્વાસથી તેની આજ્ઞા ઉઠાવવા પુરુષાર્થ કરીશું તે જરૂર જીવનું કલ્યાણ થશે. કંઈ ગભરાવા જેવું નથી. જેટલી પરમ પુરુષ ઉપર શ્રદ્ધાની ખામી છે તેટલે જ જીવ દુઃખી છે. નહીં તે મેક્ષ થવાના ઉપાય બતાવવામાં તે મહાપુરુષે કચાશ Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ બાધામૃત રાખી નથી. આ જીવે કરવામાં ખામી રાખી છે, તે પૂરી કરવી પડશે. વચનામૃત વાંચવાને અભ્યાસ રાખ્યા રહેશેા, તેથી ભક્તિ જાગ્રત રહી તે મહાપુરુષના ઉપકારાની સ્મૃતિ થતાં થતાં સ'સારભાવ મેાળા પડી તેની દશા પ્રાપ્ત કરવાની વૃત્તિ પાષાયા કરશેજી. ધીરજ, સમતા, શાંતિ, ક્ષમા, ભક્તિ અને મુમુક્ષુતા સહજ સ્વભાવરૂપ થઈ રહે તેવે। અભ્યાસ પાડી દેવાની જરૂર છેજી. તેથી રાજ તે ખેલા વિચારી પેાતાના વતનમાં જ્યાં જ્યાં સુધારવા જેવું લાગે તે રાજ સુધારવાની ભાવના કરશેા તે તે ગુણુાની પ્રાપ્તિ થઈ સમાધિમરણની તૈયારી થશેજી. એ જ. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ હરિગીત અગાસ, તા. ૨૫-૫-૪૦ વૈશાખ વદ ૪, શિન, ૧૯૯૬ ૧૯૦ તત્ સત્ લેાકમાં, અહંકાર ન આણુવા સુી આપણી સ્તુતિ અજ્ઞાની જન નિંદા કરે તે આવવું નહિ કપમાં; સેવા કરો ગુરુરાજની ઉપદેશ ઉરમાં માણજો, વસ્તુ સ્વરૂપ વિચારવા ઇચ્છા નિર'તર આણજો. શુચિ રાખજો વ્રત શુદ્ધિથી, ધીરજ વિપમાં ધારો, માયા મૂકી નિર્દભ થઈ, વૈરાગ્ય ધોં મન વારો. સંસાર દાવાનલ વિષે, સૌ દાઝતા જન ધારો, તન ધન જુવાની સ્ત્રી સગાં સૌ નાશવંત વિચારજો. ભગવંતની ભક્તિ ધા, ઉરમાં અતિ મહુમાનથી, એકાંત એવા સ્થાનમાં શય્યા, સ્થિતિ કરવી કથી; શુદ્ધ શ્રદ્ધારૂપ સમકિતમાં અચળ સ્થિતિ કરી; પ્રમાદ-શત્રુને નહીં વિશ્વાસ પળને પણ ધરા. તમારા પ્રથમના પત્ર મળ્યા હતા, તેમાં તમે એ ખાખતા પુછાવેલી છે. મરુદેવી માતા કાણુ અને સાત તત્ત્વ શું ? તમારા બન્ને પ્રશ્નોના ટૂંકામાં ઉત્તર લખું છું - અનંતકાળથી જીવ જન્મમરણ કર્યાં કરે છે, પરંતુ શુભ સંચેગા પામીને સત્સ`ગચેાગે જીવને પોતાના વિષે વિચાર કરવાની વૃત્તિ જાગે છે. હું હું હું કરું છું તેમાં હું કને કહું છું ?” તેના વિચાર ઉદ્ભવતાં સત્પુરુષની શેાધ કરી તેનો નિર્ણય તે જ્ઞાની દ્વારા કરી લે છે એટલે જ્ઞાનીએ કહેલું આત્માનું સ્વરૂપ તેને માન્ય થાય છે— છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયેગી સત્તા અવિનાશ એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ મૂળમામાં કહેલાં જ્ઞાન, દર્શીન, ચારિત્રરૂપ આત્મા એ સાત તત્ત્વનું પહેલું તત્ત્વ છેજી. તે જીવને ક્ર'ના સંગ છે તેથી બધ દશામાં છે; કનું મૂળ કારણ જીવના અશુદ્ધ ભાવ અને તેથી પુદ્ગલ વણા (જડ સૂક્ષ્મ પરમાણુઓના જથ્થા) નું આવવું થાય છે તે તે જડ - મૂળ - - મૂળ૦” - Page #210 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા પુદ્ગલ દ્રવ્ય અછવ છે. તેવાં જ બીજાં આકાશ, કાળ, ધર્મ (ગતિમાં સહાયક), અધર્મ (સ્થિતિમાં સહાયક) અજીવ દ્રવ્યો છે. આમ પુદ્ગલ (રૂપ, રસ, ગંધ, સ્પર્શ ને શબ્દવાળા પદાર્થો), આકાશ, કાળ, ધર્મ અને "અધર્મ – આ પાંચ અજીવ છે તે બીજું તત્વ છે. જીવના અશુદ્ધ ભાવ અને તે નિમિત્તે આવતા પરમાણુઓના સમૂહને આસવ નામનું ત્રીજું તત્વ કહે છે. તે અશુદ્ધભાવને લઈને આવેલાં પરમાણુ આત્માના પ્રદેશની સાથે દૂધ ને પાણીની પેઠે એકમેક થઈને રહે છે, તેને ચોથું બંધ તત્વ કહે છે. મૂળમાર્ગમાં કહેલા ખાસ જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ સ્વભાવમાં જીવ રહે છે ત્યારે સંવર નામનું પાંચમું તત્ત્વ પ્રાપ્ત થયું એમ કહ્યું છે, તેથી નવાં કર્મ-પરમાણુ આવતાં નથી કે બંધાતાં નથી. સંવરના પ્રભાવે પૂર્વે બાંધેલાં કર્મો પણ આત્માની સાથેનો સંબંધ છેડીને અનુક્રમે ખરી જાય છે. દૂધપાણીને ઉકાળી પાણી બાળી મૂકીએ તેમ પૂર્વ કર્મ ધીમે ધીમે બળી જાય છે તેને નિર્જરા નામનું છઠ્ઠ તત્વ કહે છે. બધાં કર્મ છૂટી જાય તેવા ભાવ થયે આઠે કર્મ આત્માથી છૂટાં પડી જાય અને શુદ્ધ આત્મદશા સદા કાળ રહે તે અવસ્થાને મોક્ષ નામનું સાતમું તત્વ કહ્યું છે. આમ સાત તત્વમાં પુણ્ય અને પાપ રૂપે બે તો ઉમેરીને કોઈ આચાર્યો નવ પદાર્થની સંખ્યા પણ કરે છે. આત્માને જાણ અને આત્મારૂપે વર્તવું એ સર્વ તને સાર છે, તેથી મોક્ષનિજશુદ્ધતા-પ્રાપ્ત થાય છે. તે દશા આ કલપકાળમાં પ્રથમ પ્રાપ્ત કરનાર મરુદેવી માતા હતાં. રાષભદેવ ભગવાનનાં તે માતા થાય. અનંતકાળ નિગદ (એક ઈન્દ્રિયરૂપે જન્મી એક શ્વાસ લઈને મૂકીએ તેટલા વખતમાં સત્તર-અઢાર વાર જન્મમરણ કરવાની) અવસ્થામાં રહી તેમને કેળનો ભવ પ્રાપ્ત થયો તે વખતે પાસે કંથાર નામને કાંટાને છેડ ઊગેલે તેના કાંટા વડે કેળનાં પાન નિરંતર અથડાતાં, ફાટતાં, તૂટતાં એમ ઘણું દુઃખ તે ભવમાં સહન કરી, જુગલિયાને જન્મ આ ભરતક્ષેત્રમાં તેમને થયે. તેમને નાભિરાજા સાથે પરણાવ્યાં અને કાષભદેવ પ્રથમ તીર્થંકર તેમના પુત્ર થયા. ઘણું વર્ષ રાજ્ય કરી વૈરાગ્ય પ્રાપ્ત થતાં રાજ્ય ભરત ચક્રવર્તીને સેંપી પિતે મુનિપણે હજાર વર્ષ કષ્ટમાં ગાળ્યાં ત્યારે તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. દેવોએ આવી સમવસરણ સભામંડપ આદિ રચના બહુ આકર્ષક કરી. તે જોઈ લોકેએ મરુદેવી માતાને ખબર કહી કે તમે તે મારો પુત્ર શું કરતો હશે? શું ખાતે હશે? એવા શેકમાં રડી રડીને આંખો બેઈ, પણ તે તે દેવે પૂજે તે મહાદેવ બની ગયો છે. ચાલે તમને બતાવીએ કહી હાથી ઉપર બેસાડી તેમને સમવસરણમાં લઈ જતાં હતાં. રસ્તામાં દેવદુંદુભિના અવાજ ને દેવનાં ગીત સાંભળી મરુદેવી બેલ્યાં, “મેં તે તારે માટે રડી રડીને આંખે બેઈ ને તે તે મને સંભારી પણ નહીં કે મારી મા શું કરતી હશે !'' એમ વિચારતાં તેના પુત્ર ને કેની મા? એવી વૈરાગ્યશ્રેણીએ ચઢતાં તેમને પણ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, આયુષ્ય પૂર્ણ કરી તે મોક્ષે પધાર્યા. તેમના પુત્ર શ્રી અષભદેવ ભગવાન ઘણુ જીવેને બોધ દઈ પિતે મોક્ષે ગયા અને ઘણું છે તારે તેવા ધર્મની સ્થાપના કરી તેને સનાતન જૈન ધર્મ કે સહજાન્મસ્વરૂપ ધર્મ કહે છે. શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #211 -------------------------------------------------------------------------- ________________ બોધામૃત ૧૯૧ અગાસ, તા. ર૭-૫-૨૦ ત્યાગ તણી મર્યાદા કરજે, શુદ્ધ અને નિયમ અનુસાર તે ઉદાસીનતા સમતા જિજે, આશા-દાસી સંગત તજજે. જેને સદ્ગુરુ ચરણશું રંગ, તેને ન ગમે અવરને સંગ; જેને સદ્ગુરુ ચરણશું રાગ, તેનાં જાણે મેટાં ભાગ્ય. લીલેરીમાં પાકાં ફળની ગણતરી ગણાતી નથી. બીજું, આપે પૂછયું કે આ ભવ પૂર્ણ થયા પછી બીજા ભવે આ જ માર્ગની પ્રાપ્તિ તથા સદ્દગુરુને વેગ મળે કે નહીં? તે વિષે જણાવવાનું કે, મોક્ષમાર્ગે ચઢેલા જીવને કે તેવા સપુરુષના આશ્રિત જીવને જે આશ્રય ન છોડે તે મોક્ષ થતાં સુધી જે જે અનુકુળતાની તેને જરૂર છે તેને સંચય થતું જાય છે. ટૂંકામાં તે મુકાતે જ જાય છે. જેમ બજારમાં આપણે કઈ ખાસ જરૂરની વસ્તુ જોઈ તે ખરીદવી છે એમ નિર્ણય કર્યો, પણ પાસે પૂરા પૈસા ન હોય તે તે વસ્તુ તેને તુરત મળે નહીં, પણ બાનું બે આના કે રૂપિયા જેટલું તેને આપ્યું તે તે ચીજ આપણું જ થઈ ગઈ, પછી કોઈને તે વેચે નહીં. પૂરી કીમત આપીએ ત્યારે આપણને મળી જાય. તેમ જેને સાચી શ્રદ્ધા થઈ છે તેનો મોક્ષ થઈ ચૂક્યો. જેટલાં કર્મ પૂર્વે બાંધેલાં છે તે પૂરાં થતા સુધી ભવ કરવા પડે તે કરે, પણ આખરે મેક્ષ થાય. રસ્તામાં ચાલતાં સાંજ પડે ને સૂઈ જઈએ પછી સવારે જેમ ચાલવા માંડીએ છીએ તેમ મોક્ષમાર્ગ જેને પ્રાપ્ત થયું છે તેને બીજે દેવાદિને ભવ કરવો પડે ત્યાં પૂર્વે કરેલાં પુણ્ય ભેગવે છે, ધર્મ ઓછો થઈ શકે છે, પણ પાછ મનુષ્યભવ મળે ત્યારે તેને ધર્મની રુચિ પ્રબળપણે જાગે છે અને મોક્ષમાર્ગ બતાવનાર ગુરુનો વેગ પણ તેને મળી આવે છે તથા વિશેષપણે મોક્ષમાર્ગ આરાધે છે. આઠ દષ્ટિ આપણે બેલીએ છીએ તેમાં આવે છે– દષ્ટિ થિસદિક ચારમાં, મુક્તિ પ્રયાણ ન ભાંજે રે; રયણી-શયન જેમ શ્રમ હરે, સુરનર સુખ તેમ છાજે રે. વીર જિનેસર દેશના.” સમ્યફદષ્ટિ જીવ થયા પછી આયુષ્ય બાંધે છે તે દેવનું બાંધે, પછી મનુષ્ય થાય. વળી કર્મ અધૂરાં રહી ગયાં હોય તે દેવ થાય. એમ દેવ અને મનુષ્યના ભવ કરી વધારેમાં વધારે પંદર ભવે તે મેક્ષે જાય છે. જ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૯૨ અગાસ, તા. ૨૮-૫-૨૦ તત સત્ વૈશાખ વદ ૭, મંગળ, ૧૯૯૬ હરિગીત– “સ્વદ્રવ્ય ને પરદ્રવ્યને વિજ્ઞાનબળથી પારખી, ભિન્ન કરજે ભેદરાને, લક્ષણને નીરખી; સદ્દગુરુના સદૂધથી કર શોધ શ્રદ્ધા ધાર, સત્સંગથી ઉ૯લાસ પુરુષાર્થ માંહિ વધારજે.” Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ પત્રસુધા આપે શરીરવ્યાધિના સમાચાર જણાવી “આ જીવને ઉત્તાપને મૂળ હેતુ શું? તથા તેની નિવૃત્તિ કેમ થતી નથી ? અને તે કેમ થાય?”(૮૨૭) તે વિષે પુછાવ્યું છે. તેના ઉત્તરમાં જણાવવાનું કે પરમકૃપાળુદેવે ઘણું પ્રશ્નો ઉપસ્થિત કરી વહેલામોડા આગળપાછળ ઉત્તર આપેલા છે તે તેઓશ્રીનાં વચને વિચારપૂર્વક જેવાથી જડી આવે તેમ છેજ. એક કાવ્યમાં તેઓ લખે છે : જન્મ, જરા ને મૃત્યુ, મુખ્ય દુઃખના હેતુ, કારણ તેનાં બે કહ્યાં, રાગ-દ્વેષ અણુહેતુ” ઉત્તાપ, સંતાપ કે દુઃખનાં મૂળ કારણ જન્મ, જરા, મૃત્યુ કહ્યાં; અનંત કાળ ક્ષણ ક્ષણ કરતાં વ્યતીત થયે, છતાં તેની નિવૃત્તિ થઈ નથી તેનું કારણ વીસ દોહરા રોજ બેલીએ છીએ તેમાં પ્રગટ જણાવેલ છેજી. “અનંત કાળથી આથડ્યો, વિના ભાન ભગવાન, સેવ્યા નહિ ગુરુ સંતને, મૂક્યું નહિ અભિમાન.” આ દોષ દેખીને નહીં ટાળીએ ત્યાં સુધી તેની નિવૃત્તિ કેમ થાય? “પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદ્ગુરુ પાય, દીઠા નહિ નિજ દોષ તે, તરી એ કોણ ઉપાય ? અધમાધમ અધિકે પતિત, સકળ જગતમાં હુંય, એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શું ? પડ પડાઁ તુજ પદપંકજે, ફર્ટી ફર માગું એ જ, સદ્ગુરુ સંત સ્વરૂપ તુજ, એ દઢતા કરી દે જ.” વીસ દેહરાને યથાર્થ વિચાર થાય તે તમારા પ્રશ્નોને ઉત્તર સહેજે મળી રહે તેમ જી. બધાનું કારણ પ્રથમ જણાવ્યું તેમ રાગ અને દ્વેષ છે. તે ટળવાને, ક્ષય થવાને ઉપાય પિતે બતાવ્યું છે : “શ્રી સદ્દગુરુએ કહ્યો છે એવા નિગ્રંથમાર્ગને સદાય આશ્રય રહે. હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એ હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષને ક્ષય થાય.” (૬૨) જ્ઞાની પુરુષે પિકારી પિકારીને કહી ગયા છે તેમણે કહેવામાં બાકી રાખી નથી, આ જીવે કરવામાં બાકી રાખી છે, તે બાકી પૂરી કર્યો છૂટકે છે. માર્ગ બતાવનાર મળ્યા, માર્ગ સાચો લાગે, તે માર્ગ આરાધ્યા વિના કદી છુટાશે નહીં એમ પ્રતીતિ થઈ તે પ્રમાદ તજી હવે એકલયે તે માર્ગમાં આગળ વધવાને પુરુષાર્થ કર્તવ્ય છેજી. બીજ, આપે ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીના બેધ વિષે પુછાવ્યું તે વિષે જણાવવાનું કે આગળ ઉપર આ તીર્થક્ષેત્રે તેનું વાચન વિશેષ હિતકારી થશે એમ જણાય છે. કર વિચાર તે પામ.” શ્રી આત્મસિદ્ધિ – શ્રીમદ્ રાજચંદ્ર એ શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯o બેધામૃત અગાસ, તા. ૨૮-૫-૨૦ વૈશાખ વદ ૭, મંગળ, ૧૯૯૬ હરિગીત– સાચી અચળ શ્રદ્ધા ધરે જે, જીવ સમકિતવંત છે, આત્મ-અનુભવ આપ્ત આગમ ધર્મમાં નિઃશંક તે, સમક્તિ સુખ અમિંદ્રનાં પણ વેદનારૃપ માનતાં; વિનાશિક દુઃખરૂપ દેખી, સ્વપ્નમાંહિ ને ઈરછતા. આપ લખે છે તેમ સત્સંગ જ જીવને ઉપકારક વસ્તુ છે, પણ પૂર્વપુણ્યને આધીન તે જોગ બને છેજી. સત્સંગના વિરહમાં પુરુષનાં વચનને પ્રત્યક્ષ સત્પરુષ તુલ્ય સમજી તેનું આરાધન કરી જિજ્ઞાસા વર્ધમાન કરે તે વિરહ પણ કલ્યાણકારી નીવડે છે એમ પરમકૃપાળુદેવે જણાવ્યું છે. વૈરાગ્યને પરમકૃપાળુદેવે ઉત્તમ ભેમિયો કહ્યો છે. આપણે જ્યાં જવું છે, જે કરવું છે, જેવા બનવું છે તેને માર્ગ બતાવનાર વૈરાગ્ય છે. વૈરાગ્ય એ આસક્તિ અને મેહને કાળ છે, વિવેકને પિતા છે, સત્સંગને સફળ કરાવે તે ઉપકારક છે અને વિચારને મિત્ર છે. માટે મુમુક્ષુએ ગમે તે ઉપાયે વૈરાગ્યની વૃદ્ધિ કરવા યોગ્ય છે અને વિચારની સાથે તે વસનાર હોવાથી વિચાર વારંવાર કરતા રહેવા ગ્ય છે. શા માટે આ માનવદેહ મળ્યું છે? એટલે શું કરવા આ ભવમાં જીવ આવ્યો છે? અને શું કરી રહ્યો છે? એની તપાસ ઘણી વાર કરતા રહેવાની જરૂર છે, તેથી અગત્યનાં કામ કયાં છે અને બિનજરૂરી કામ ક્યાં છે તે સમજાય છે અને બિનજરૂરી પ્રત્યે બેદરકારી કે જોઈએ તેટલી જ કાળજી તેની રહે અથવા તે પ્રત્યે વૈરાગ્ય રહે અને જે કર્યા વિના આત્માનું કલ્યાણ થવાનું નથી એવી સદગુરુની આજ્ઞા, તેને વિચાર, ભક્તિ, સ્મરણ, સમ્યક્ પરિણતિ પ્રત્યે અભિલાષા, પ્રેમ, લક્ષ વારંવાર રહ્યા કરે. અનાદિકાળથી મહવશ જે જે પ્રવર્તન કર્યું છે તેને પશ્ચાત્તાપ કરી સદગુરુની આજ્ઞા સિવાય શ્વાસે રવાસ સિવાય કઈ ક્રિયા કરવી નથી એવી ભાવના કરવી. નિરંતર સદ્દગુરુકૃપાથી મળેલા સ્મરણમાં ચિત્ત વારંવાર આણવાને, ટકાવવાનો પુરુષાર્થ કરી તે અભ્યાસ પાડી દેવાની જરૂર છેજી. કેઈક દિવસે આ વાતને વિચાર કરવાથી કંઈ કલ્યાણ સાધી શકાય તેમ નથી એમ વિચારી કાર્યો કર્યો, પ્રસંગે પ્રસંગે, ક્ષણે ક્ષણે એને ઉપયોગ રાખવાના પુરુષાર્થમાં તત્પર રહેવાય તેવી દાઝ દિલમાં રાખવી ઘટે છે. ગોળ નાખીશું તેટલું ગનું થશે. “ભાવ તિહાં ભગવંત” એમ કહ્યું છે તે સત્ય છે. એ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૯૪ અગાસ, તા. ૪-૬-૨૦ તત્ સત અષાડ વદ ૧૪, ૧૯૯૬ દેહા– આખા ભવમાં મરણ તે આવે એક જ વાર; તેપણ કાયર જીવને, ભડકાવે બહુ વાર. રર સામા જાય છે, બેલવે બહુ વાર; સંત ગુરુ-શરણું ગ્રહી, રહે સદા તૈયાર. વિ. આપને પત્ર મળે. વાંચી વૈરાગ્યવૃદ્ધિનું કારણ બને છે”. જ્ઞાની પુરુષે કેવળજ્ઞાન થતાં સુધી મરણને સમીપ સમજીને વર્તે છે એમ પરમકૃપાળુદેવે સ્પષ્ટ જણાવ્યા છતાં આ Page #214 -------------------------------------------------------------------------- ________________ ૫ત્રસુધા ૧૯ી જીવ પ્રમાદને વશ સમાધિમરણની તૈયારીમાં પ્રવર્તવા ગ્ય વાત મુલતવી રાખ્યા કરે છે એ એક આશ્ચર્ય છે. વિચારવાનને કે મરણને ભય કર્તવ્ય નથી, કારણ કે આત્માનું મરણ કદી થયું નથી, થતું નથી અને થશે પણ નહીં, તેમ છતાં સ્વરૂપનું જ્ઞાન અને સ્વરૂપની વિસ્મૃતિને મરણ વિચારવાન જેવો માને છે. કહ્યું છે કે “ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહે ! રાચી રહે?” હવે પારકી પંચાત અને પર વસ્તુઓનું માહાભ્ય છોડી રાગદ્વેષ ઘટાડી શાંતિ હૃદયમાં સ્થાપવા સઘળો પુરુષાર્થ વાપરવા ગ્ય છે. તે જ વાત હાલના વાચનમાં આવે છે તે વિચારવા લખું છું – "प्राणोंके नाशको मरण कहते हैं । और ज्ञान आत्माका प्राण है। यह ज्ञान सतस्वरूप स्वयं ही नित्य होनेके कारण कमी नष्ट नहीं होता है । अतः आत्माका कुछ भी मरण नहीं है। तो फिर झानीको मरणका भय कहाँसे हो सकता है ? वह ज्ञानी स्वयं निःशंक होकर निरंतर स्वाभाविक ज्ञानको सदा प्राप्त करता है ।...आत्मा ही कल्याणका मंदिर है । अतः परपदार्थोकी किंचित्मात्र मी अपेक्षा न करें।...अब तो घोर परिश्रम कर स्वरूपके अर्थ मोक्षमार्गका अभ्यास करना है तथा ज्ञान-शस्त्रको रागद्वेष-शत्रुओंके ऊपर निपात करनेकी आवश्यकता है । यह कार्य न तो उपदेष्टाका है और न समाधिमरणमें सहायक पंडितोंका है। अब तो अन्य कथाओंके श्रवण करने में समयको न दे कर उस (रागद्वेष) शत्रुसेनाके पराजय करने में सावधान होकर यत्नपर हो जावों।......अतः जब तक आपकी चेतना सावधान है, निरंतर स्वात्मस्वरूप चिंत्वनमें लगा दो । मैं शाता हूँ, द्रष्टा हूँ, झेय भिन्न है, उसमें इष्ट-अनिष्ट विकल्प न हो, यही पुरुषार्थ करना और अंतरंगमें मूर्छाको दूर ही से त्यागना । मेरा उपयोग अब इन बाह्य वस्तुओंके संबधसे भयभीत रहता है । मैं तो. किसीके समागम की अभिलाषा नहीं करता हूँ। आपको मी सम्मति देता हूँ कि सबसे ममत्व हटानेकी चेष्टा करो, यही पार होनेकी नौका है । जब परमें ममत्वभाव घटेगा तब स्वयमेव निराश्रय अहंबुद्धि घट जावेगी । क्योंकि ममत्व और अहंकारका अविनाभावी संबंध है, एक बिना अन्य नहीं रहता। बाईजीके बाद मैंने देखा कि अब तो स्वतंत्र हूँ, दानमें सुख होता होगा इसे करके देखू । ६००० रुपया मेरे पास था. सर्व त्याग कर दिया परंतु कुछ मी शांतिका अंश न पाया। उपवासादि करके शांति न मिली । परकी निंदा और आत्मप्रशंसासे भी आनंदका अंकुर न हुआ। भोजनादिकी प्रक्रियासे भी लेश शांतिको न पाया। अतः यही निश्चय किया कि रागादिक गये बिना शांतिकी उद्भूति नहीं। अतः सर्व व्यापार उसीके निवारणमें लगा देना ही शांतिका उपाय है। वाक्जालके लिखनमें कुछ भी सार नहीं।" સદ્દગત બ્રહ્મચારી ગણેશપ્રસાદજી જેવા પંડિતે જે છ હજાર રૂપિયા ખચી શિખામણ લીધી તે, આપણે જે આત્માર્થી હોઈએ, સમાધિમરણ અને શાંતિના ઈરછક હોઈએ તે મફત જે શિખામણ મળી તેપણું અમૂલ્ય જાણી તેને સદુપયોગ કરવાથી આત્મા સુખી થશે. પરમકૃપાળુદેવે તે ટૂંકામાં કહ્યું છે કે “જ્યાં-ત્યાંથી રાગદ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે, અને તે તમને અત્યારે બધી જઉં છું.....ઉપગ એ જ સાધના છે. વિશેષ સાધના તે માત્ર પુરુષનાં ચરણકમળ છે, તે પણ કહી જઉં છું.” (૩૭) જેમ એગ્ય લાગે તેમ વિચારશે. વિચારવાનને વિશેષ શું લખવું? ॐ शild: शiति: शiति: Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ માધામૃત ૧૯૫ સત્ તત્ જ્ઞાનન્દ્વના પાય સેવે તે, પામે છે તેનીં જ દશા; ખત્તી જેમ અડચે અન્ય, દીવે દીવા જ થાય છે. ખીજા દેહતણું ખીજ, આ દેહમાં આત્મભાવના; વિદેહ-પ્રાપ્તિનું બીજ, આત્મામાં આત્મભાવના. સદ્ગુરુ ચરણુ જહાં ધરે, જગમ તીરથ તેહ, તે રજ મમ મસ્તક ચઢા, ખાલક માગે એહુ. “સેવે સદ્ગુરુ ચરણને, ત્યાગી દઈ નિજ પક્ષ; પામે તે પરમાને, નિજપદના લે લક્ષ. "" આપે ઘણા પ્રશ્નો પૂછ્યા છે તે સર્વાંના આશય એક સમ્યગ્દર્શન કેમ પ્રાપ્ત થાય એ છે. કારણ કે તેથી મેાક્ષમાર્ગ અવશ્ય પ્રાપ્ત થાય છે. તેના ઉત્તર આત્મસિદ્ધિમાં અને અનેક પત્રોમાં પરમકૃપાળુદેવે આપેલા છે. આપે વાંચેલ પણ હશે, તેમ છતાં ટૂંકામાં તે પરમ પુરુષે કહેલું જ કહું છું. કષાયની ઉપશાંતતા, માત્ર માક્ષ-અભિલાષ; ભવે ખેદ પ્રાણી ક્રયા, ત્યાં આત્માર્થ નિવાસ. ભવે ખેદ અંતર યા, તે કહિયે જિજ્ઞાસ. તે જિજ્ઞાસુ જીવને, થાય સદ્ગુરુ મેધ; તે પામે સમકિતને, વર્તે અતર શેાધ.” અમાસ, તા. ૯-૬-૪૦ જેઠ સુદ ૪, રવિ, ૧૯૯૬ અથવા આવે જ્યાં એવી દશા, સદ્ગુરુ બેધ સુદ્ધાય; તે ખાધે સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય. જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન; જે જ્ઞાને ક્ષય મેાહ થઈ, પામે પદ નિર્વાણુ.” “મહુ'ત પુરુષાના નિર'તર અથવા વિશેષ સમાગમ, વીતરાગશ્રુત ચિંતવન અને ગુણજિજ્ઞાસા હનમેાહના અનુભાગ ઘટવાના મુખ્ય હેતુ છે--તેથી સ્વરૂપષ્ટ સહેજમાં પરિણમે છે.” અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલા એવા જીવના અદ્ઘભાવ મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છપન્નુની જ્ઞાનીપુરુષોએ દેશના પ્રકાશી છે. તે સ્વપ્નદશાર્થી રહિત માત્ર પેાતાનું સ્વરૂપ છે, એમ જો જીવ પરિણામ કરે તે સહજમાત્રમાં તે જાગ્રત થઈ સમ્યક્દનને પ્રાપ્ત થાય, સમ્યક્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મેાક્ષને પામે.” (૪૯૩) વિષય વિકાર સહિત જે, રહ્યા મતિના યોગ; પરિણામની વિષમતા, તેને યાગ અયાગ. મંદ વિષય ને સરળતા, સહુ આજ્ઞા સુવિચાર; કરુણા કોમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર. Page #216 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૧૭ ક્યા શબ્દાદિક વિષય, સંયમ સાધન રાગ; જગત ઈષ્ટ નહિ આત્મથી, મધ્ય પાત્ર મહાભાગ્ય.” (૫૪) પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન; પાત્ર થવા સેવા સદા, બ્રહ્મચર્ય અતિમાન.” પાત્રતા આપતી ચાર ભાવનાઓ ઃ (૧) મૈત્રી (૨) પ્રમોદ (૩) કારુણ્ય (૪) મધ્યસ્થતા. (૧) મૈત્રીઃ સર્વ જીવ સુખી થાઓ, કોઈ પાપ ન કરે, સર્વ જીવ મોક્ષમાર્ગ પામો. (૨) પ્રમાદઃ નિર્દોષ આત્મજ્ઞાની નિષ્કારણ કરૂણાશીલ મહાપુરુષના ગુણોને વિચાર કરી ઉલ્લાસ પામો, તે ગુણે પ્રાપ્ત કરવા પ્રીતિ વધારવી. (૩) કારુણ્ય દીન, દુઃખી, ભયભીત ને પ્રાણ બચાવવા પિકાર કરતાના દુઃખને ઉપાય કરવાની બુદ્ધિ. (૪) મધ્યસ્થતાઃ ક્રૂર જીવો, દેવગુરુની નિંદા કરનાર, પિતાને વખાણનાર પ્રત્યે દ્વેષ ના થવા દે, ઉદાસીનતા રાખી તેની દયા ખાવી, તેને સદબુદ્ધિ સૂઝે એવી ભાવના. સવારમાં ઊઠી આ ચારે ભાવનાઓ દરરેજ વિચારી તેવા ભાવની વૃદ્ધિ કરવાથી જીવ પાત્રતા પામે છે, એમ પરમકૃપાળુદેવે કહેલું છે જી. તીવજ્ઞાનદશા જીવને અબંધક રાખી શકે છે. એટલે આત્મા આત્મભાવમાં નિરંતર રહે તે ન બંધ ન પડે, તે તે મહામુનિઓ પણ અંતર્મુહૂર્તથી ઉપરાંત શુદ્ધ ઉપગમાં રહી શકતા નથી. કારણ કે કર્મને ઉદય વિષમભાવમાં ગબડાવી પાડે છે, વળી પાછા પુરુષાર્થ કરીને સમભાવમાં એટલે શુદ્ધભાવમાં આવી જાય છે, આમ ધ્યાનમાં ન રહેવાય ત્યારે સ્વાધ્યાયમાં અને સ્વાધ્યાયમાંથી ધ્યાનમાં રહેવાના પુરુષાર્થમાં મુનીશ્વરે પ્રવર્તે છે. તે દશાને ખ્યાલ આવે પણ આપણને દુર્લભ છે. છતાં તે ધ્યેય રાખી, જ્ઞાનીએ સસાધન બતાવ્યું છે તેમાં વિશેષ વર્તવાથી યેગ્યતા વધતાં જીવને સર્વ સામગ્રી મળી આવવા ગ્ય છે. મનુષ્યભવ છે ત્યાં સુધી બધું બની શકે તેમ છે. તે સત્સંગ, સલ્ફાસ્ત્રના આધારે બને તેટલી દશા વર્ધમાન કરતા રહેવા ભલામણ છે. આપણે બધા પરમકૃપાળુદેવના વચનના અવલંબને પરમકૃપાળુ પ્રભુશ્રીએ જે શ્રદ્ધા દઢ કરાવી છે તે આધારે વર્તીએ છીએ. તેને લક્ષ સમ્યફદર્શન અથવા આત્મજ્ઞાન છે, અને આત્મજ્ઞાન સિવાય ચાર ગતિરૂપ સંસાર પરિભ્રમણ ટળે તેમ નથી. તેથી જેમ કેઈ અંધ દેખતાને આશરે હોય ત્યાં ખાડામાં પડતું નથી, તેમ સત્પરુષે જણાવેલ માર્ગે જે ચાલે છે તે કર્મનાશ કરવા માગે છે. બે પ્રકારના જીવો મેક્ષમાર્ગમાં પરમકૃપાળુદેવે કહ્યા છેઃ એક તે સમ્યકજ્ઞાની છે અને બીજા સમ્યકજ્ઞાનીની આજ્ઞામાં પ્રવર્તતા છે. આત્મજ્ઞાન ન થયું હોય તે પણ સત્પષે કહ્યું છે, તે કર્યા વિના કદી મેક્ષ થવાને નથી, અને બનતા પુરુષાર્થે મારે તે મહાપુરુષનું કહેલું જ કર્યા કરવું છે, આમ જેની દઢ માન્યતા થઈ છે તેને બીજા કામમાં પ્રવર્તવું પડતું હોય તે પણ મન ઊંચું રહે છે. તેથી આત્માનું કલ્યાણ થનાર નથી; જ્ઞાનીનું કહેવું કરવું છે પણ આમાં બેટી થવું પડે છે, તેટલે અમૂલ્ય મનુષ્યભવ નિરર્થક વહ્યો જાય છે––એ 13. Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ખાધામૃત ખટકા જેને રહેતા હાય તેને વૈરાગ્યભાવ કહ્યો છે. તેવા વૈરાગ્યની વૃદ્ધિ થતાં સત્સંગે તે જીવને સત્પુરુષનાં વચનાના મર્મ સમજાવાયેાગ્ય છે. મેાડુ ખસતાં સમ્યક્દર્શન પામવાયેાગ્ય મને છે. ખીજું, આપે “શ્રી શ્રેણિક મહારાજે એવું કયું કર્મ ખાંધ્યું હતું કે તેમને સત્પુરુષને યેાગ થયા છતાં, સમ્યક્દન થયા છતાં નરકે જવું પડયું ?”” એમ પૂછ્યું છે તેના ઉત્તર ઃ મેાક્ષમાળામાં શ્રી અનાથીમુનિના ઉપદેશરૂપ ૫, ૬, ૭ ત્રણ પાઠ આપ્યા છે, તેમાં શ્રી શ્રેણિક સમ્યક્દન કેમ પામ્યા તેની કથા છે તે વાંચી જશેાજી. તેમાં જણાવેલા પ્રસ`ગ પહેલાં એક દિવસ શ્રેણિક શિકારે ગયેલા ત્યાં એક હરણને તાકીને જોરથી ખાણ માર્યું; તે હરણના શિકારને વીંધીને પાસે ઝાડ હતું તેમાં ચાંટી ગયું. તે જોઈ શ્રેણિકને પોતાના બાહુબળનું અભિમાન સ્ફુરી આવ્યું અને ખૂબ કૂદ્યો અને અહંકારથી એલ્યા, “દેખા મારું મળ, હ૨ણુના પેટની પાર થઈને ઝાડમાં પેસી ગયું મારા જેવા બળવાન જગતમાં કોઈ હશે ?” આમ આનંદમાં આવી પાપની પ્રશંસા કરતાં જે તીવ્ર ભાવેા થયા તે વખતે તેણે નરકનું આયુષ્ય બાંધી દીધું. નરકગતિ બાંધી દીધી તે ફરી નહીં, પણ સમ્યગ્દર્શનના પ્રભાવે અને સર્વ સન્માર્ગી જીવાની સેવા તથા ધર્માત્માએ પ્રત્યે ઉલ્લાસભાવ વધતાં સાતમી નરકનાં બધાં દુઃખ છૂટી જઈ પહેલી નરકમાં ઘણા ઘેાડા આયુષ્યવાળા નારકી તે થયા છે. છતાં સમ્યક્દન ત્યાં નિરા સાધે છે, અને તે કર્યાં પૂરાં થયે તીર્થંકર થઈ ાતે તરશે અને અનેક જીવાને તારશે. અજ્ઞાનદશામાં આયુષ્યગતિના બંધ થાય તે જ્ઞાનદશામાં હલકા થઈ જાય, પણ તદ્ન છૂટી ન જાય. સમ્યક્દર્શન થયા પછી નરક કે તિર્યંચગતિ ખંધાય જ નહીં. પહેલાં બાંધેલી હાય તે તે ગતિમાં જવું પડે. ગતિની પંચાતમાં પડવા જેવું નથી. એ તા જેવી બાંધી હશે તે આવશે, પણ આ મનુષ્યભવમાં જે સમ્યક્દર્શનની પ્રાપ્તિ થઈ તે પછી મોક્ષ બહુ દૂર નથી. માટે સમ્યક્દર્શન અર્થે સર્વ બનતા પુરુષાર્થ કર્તવ્ય છે. ઇનમેહ ગયે સમ્યક્દન થાય છે, અને સત્પુરુષના એધ વિના નમાઝુ ટળે તેમ નથી. કર્મ માહનીય ભેદ છે, દન ચારિત્ર નામ; હણે એધ વીતરાગતા, અચૂક ઉપાય આમ.” માટે સત્સંગ, સત્પુરુષના બેષને અર્થે ગમે તેટલી મુશ્કેલીએ વેઠવી પડે તે વેઠીને પણ આત્મહિત આ ભવમાં જરૂર કરી લેવું ઘટે છેજી. માથે મરણ છે તે વારંવાર વિચારવા યેાગ્ય છેજી. ૐ શાંતિ: શાંતિ: શાંતિ: ૧૯૬ તત્ સત્ આપના પત્ર મળ્યા છેજી. તમે પુછાયેલ પ્રશ્નના ઉત્તરમાં જણાવવાનું મૂળ આગમના પાઠાના સ્વાધ્યાય અમુક કાળે અને અમુક પ્રકારની શુદ્ધિથી કરવાનું વિધાન છે. * તેના ભગ થાય કે તે કાળ ન હોય તે પ્રમાણે વાંચન પઠન કરનારને શ્રુત-આશાતનારૂપ દોષ કહ્યો છે, પણ આચાર્યાકૃત ટીકા કે અન્ય ગ્રંથા માટે અસ્વાધ્યાય-દોષ ઘણું કરી નથી. આ બાહ્ય * જુએ પત્રાંક ૬૦૨ – “શ્રી જિને જે સ્વાધ્યાયકાળ કહ્યા છે તે યથાર્થ છે,” અગાસ, તા. ૧૮-૬-૪૦ જેઠ સુદ ૧૪, મંગળ, ૧૯૯૬ Page #218 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૧૯૫ આચાર સંબંધી જણાવ્યું પરંતુ ગુણદોષને આધાર મન છે. માટે ભાવની વૃદ્ધિ થાય તે તરફ લક્ષ રાખવા વિનંતી છેજ. જ્યાં અશક્તિનું કારણ હોય ત્યાં ભાવ હોવા છતાં વિધિ ન બને, પણ મનમાં “કેમ વર્તવું?' તેને ખ્યાલ રહેવું જોઈએ. શ્રી ગૌતમસ્વામીને આનંદ શ્રાવકે છેલ્લી માંદગીમાં કહેલું, “હે ગુરુ ! મારાથી ચાલી શકાતું નથી, તેથી કૃપા કરીને મારી પથારી પાસે પધારો તે હું ચરણસ્પર્શ કરી કૃતાર્થ થાઉં.” તેવી જ રીતે અશક્તિને કારણે સૂતાં સૂતાં ભક્તિ કરવી પડે કે સ્તવન બેલવા પડે પણ ભાવ સૂતે ન રાખવો. મેં પુછાવી રજા મંગાવી છે એમ ગણી પ્રમાદ સેવ્યા કરવા યોગ્ય નથી. પ્રમાદનાં નિમિત્તોમાં જીવને પ્રમાદ થઈ જાય છે. એવી આપણી મને દશા હોવાથી, નછૂટકે સૂતાં સૂતાં ભક્તિ કરવાનું રાખવું. દિવસમાં કઈ બપોરને કે તે વખત અનુકૂળ હોય તે તે પ્રકારે ભક્તિ સ્તવને માટે કાળ ફેરવવામાં પણ હરકત નથી. સવારે જ ભક્તિ થાય, પછી ન થાય એમ નથી. જેમ લાભ થાય તેમ ફેરફાર કરે, પણ પ્રમાદ પિષાય તેમ પ્રવર્તવા યોગ્ય નથી એ ભલામણ છે. પરમકૃપાળુદેવ સંબંધી સાંભળ્યું છે કે તે દિશા-ટટ્ટીએ જતા ત્યારે ગજવામાં કૂંચીઓ હોય તે તે પણ કાઢી મૂકતા, કેમ કે અક્ષરમાત્ર જ્ઞાનની સ્થાપના છે તેની આશાતના ન થાય તે સાચવતા. જ્ઞાનનું બહુમાનપણું સાચવવું એ હિતકારી છે. વિધિઓ ભાવને અર્થે છે એમ ગણું ભાવમાં મંદતા ન આવે તેમ પ્રવર્તવા યોગ્ય છે. આ શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૨૧-૬-૪૦ જેઠ વદ ૨, શુક્ર, ૧૯૯૬ અનુષ્ટ્ર – નથી રોગોથી ઘેરાયે, જરા પડે ન જ્યાં સુધી નથી મૃત્યુ-મુખે પેઠે, સાધુ કલ્યાણ ત્યાં સુધી. (યોગપ્રદીપ) તીર્થ શિરોમણિ આત્મશાંતિપ્રેરક શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસથી લિ. સપુરુષના ચરણકમળની સેવાનો ઈરછક દાસાનુદાસ બાળ ગોવર્ધનના જયગુરુવંદન સ્વીકારવા વિનંતી છે.જી. બળતા ઘરમાં કોઈ ઊંઘતે હોય તેને કોઈ જગાડવા હક મારે તેમ કેઈન મરણ પછી થતા અવાજો સમજવા છે. ચેતવા જેવું છે, નહીં તે આખો લેક બળી રહ્યો છે દુખે કરીને આર્તે છે, તે હોળીમાં આપણે પણ નાશ થવાને વખત આવી પહોંચશે. જેમને દેહ છૂટ્યો તેમને મનુષ્યભવમાં વિશેષ વખત રહેવાનું બન્યું હોત તે ધર્મઆરાધન વિશેષ થઈ શકત, તે તક હવે તેમને મળવી દુર્લભ છે એમ વિચારી, આપણા દિવસો વિશેષ ધર્મ આરાધવામાં જાય તેમ કરી લેવા ગ્ય છેજી. કારણ કે કાળને ભરેસે નથી, લીધે કે લેશે એમ થઈ રહ્યું છે ત્યાં પ્રમાદ ઘટે નહીં. જે ગયા તે આપણને મૂંગે ઉપદેશ આપતા ગયા છે કે અમે કંઈ લઈ જતાં નથી, જેને મારું મારું કરી એની એ કડાકૂટમાં આખું આયુષ્ય ગાળ્યું તેમાંનું કશું કામ આવ્યું નહીં; કંઈક ધર્મ પ્રત્યે રુચિ થયેલી, પુરુષ પ્રત્યે, તેનાં વચન પ્રત્યે પ્રતીતિ થયેલ કે શ્રદ્ધા કરેલી તે દરેકની સાથે ગઈ. માટે આ સ્વપ્ન જેવા સંસારમાં હવે મેહ-મમતા ઓછી કરી જ્ઞાની પુરુષના માર્ગે કંઈક આગળ વધાય અને આત્મશાંતિ થાય તેમ પ્રયત્ન કર્તવ્ય છે. વાંચવા-સાંભળવામાં આપણે કાળ ગાળીએ છીએ તે કરતાં Page #219 -------------------------------------------------------------------------- ________________ બેધામૃત હવે વિચારવામાં વિશેષ વખત રેકી, દેશે જે જે જણાય તેના ઉપાય શોધી નિર્દોષ થવાની દાઝ દિલમાં રાખતા જઈશું તે જરૂર જ્ઞાનીના માર્ગને યુગ્ય થઈશું. વાતેએ વડાં નહીં થાય. શ્રવણ, મનન, નિદિધ્યાસન(વારંવાર ભાવના)ને કમે આગળ વધાય તેમ છે. જે જે ભક્તિનાં પદ, આત્મસિદ્ધિ આદિ મુખપાઠ કરેલ છે તેને વિશેષ વિચાર કરી કંઈક ઊંડા ઊતરાય તેવા વૈરાગ્ય-ઉપશમની વૃદ્ધિ કરવી આપણ સર્વને જરૂરની છે. વૈરાગ્યના અભાવે મેહનું ગાંડપણ છૂટતું નથી અને “બાલધૂલિ–ઘરચેષ્ટા સરખી ભવચેષ્ટા”માં અમૂલ્ય માનવભવ વહ્યો જાય છે તે વહ્યો જવા દેવાયોગ્ય નથી. માટે દરરોજ માથે મરણ છે તેને વિચાર કરી, બીજા વિકલ્પ ઓછા કરી “અનંતકાળથી જવનું પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ કાં થતી નથી? અને તે શું કરવાથી થાય?” (૧૫) તે વિકલ્પ માટે ગૂરણ કરવોગ્ય છેજી. જી શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૯૮ અગાસ, તા. ૨૯-૬-૪૦ જેઠ વદ ૯, શનિ, ૧૯૯૬ પરમગુરુ પર પ્રીત, તૂટે નહીં તેવી હો, નિત્ય નિરંજન ભાવ, હૃદયમાં રમતા રહેજે; નજરે નીરખું નાથ, નહીં સ્વપ્ન પણ બીજે, તુજ ગુણ કીર્તન થાય, તે જ સ્વર શોભીતે; શ્રવણે બોધ સુણાય, નિરંતર સત્સંગતિ હો, સદ્દગુરુ સેવામાંહીં, નિરાલસતા ઉર વસજો. “વહી જાત સંસારમેં, સદ્ગુરુ પકડે કેશ; સુંદર, કાઢે ડૂબતે, દઈ અદ્ભુત ઉપદેશ.” તીર્થશિમણિ સન્માર્ગપ્રેરક શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસથી લિ. પુરુષના ચરણકમળની સેવાને ઈરછક દાસાનુદાસ બાળ ગોવર્ધનના જય સદ્ગુરુવંદન સ્વીકારવા વિનંતી છે. વિ. પૂને પત્ર મળ્યું હતું અને આપને પત્ર પણ મળે. વાંચી બન્નેને સદ્ભાવો જાણ સંતેષ થયો છેજ. તેમણે શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત વાંચવું શરૂ કર્યું છે એમ લખે છે, તે વિષે સૂચના કરવાની કે આપણી અલ્પબુદ્ધિ હોવાથી, મેક્ષમાળા'માં શિક્ષણ પદ્ધતિ નામથી શરૂઆતમાં સૂચનાઓ કરી છે તે લક્ષમાં રાખી વાંચવા, વિચારવાની ટેવ રાખી હશે તે કલ્યાણકારક છે એટલી તેમને ખબર કરવા વિનંતી છે અને હરકત ન હોય તે બધા પત્ર તેમને વાંચવા મેકલાય તે પણ ઠીક; તેમને જુદે પત્ર લખવા વિચાર હમણું નથી. પહેલાં પ. પૂ. પ્રભુશ્રીજીની હયાતીમાં તેઓશ્રીની સમીપ પ્રથમ રહેવું થયું ત્યારે એટલે ઉત્સાહ મનમાં રહેતા કે પરગામ રહેતા બધા મુમુક્ષુઓ -આફ્રિકા આદિ દૂર દેશના – સમાગમને લાભ ન લઈ શકે તેમને નિયમિત પત્રવ્યવહારથી પુરુષને બોધ પત્ર દ્વારા જણાવતા રહી એકતા સર્વેમાં સાધવી. જેમ પત્ર દ્વારા અમુક વિષયનું શિક્ષણ આપી પરીક્ષા પાસ કરાવનારી સંસ્થા પરદેશમાં હોય છે તેમ ધર્મસંસ્થાઓ તેવું કામ કરી શકે એવા ઘણું ખ્યાલ આવતા. પણ માથે પુરુષ હોવાથી બધી કલ્પનાઓ આપોઆપ શમાઈ ગઈ અને પિતાના આત્માને તારવાનું કામ ઘણું અગત્યનું Page #220 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૧૯૭ અને અત્યંત વિકટ છે એમ લાગવાથી, હવે તે કોઈ પત્ર આવે તેને ઉત્તર પણ મોડો અને બીજાં કામને આઘાપાછાં કરી માંડ આપી શકાય છે. હજી વૈરાગ્યની જોઈએ તેવી ઉત્કટતા નહીં હોવાથી આવાં પાન ચીતરવાને પ્રસંગ આવ્યે હડકાયા કૂતરાની પેઠે લખ લખ લખાઈ જાય છે. અચળરૂપ આસક્તિ નહીં.” હજી વ્યસનીની પેઠે પરમાત્મામાં અચળ પ્રેમ થયો નથી ત્યાં સુધી રમતિયાળ મન ખેલતું ફરે છે. પરંતુ વિશેષ અંકુશની હજી જરૂર છે. આ બધું કહેવાનો આશય એ છે કે તમે પત્રમાં લખે છે કે “જેવું કઠિન કામ હશે તે કરી લઈશ” એ અત્યારની મનોદશા સૂચવે છે. કોઈનું ભલું કરવા ગમે તેવાં સંકટ વેઠવા જીવ તૈયાર થઈ જાય છે, પણ પિતાના આત્માને ઉદ્ધાર કરવાનું અને તેને દુર્ગતિમાંથી બચાવવાનું કામ ટ્ય વિસ્ટ છે અને કેટલું અગત્યનું છે તે તેને અત્યારે ખબર નથી. તમને ખબર મળ્યા કે તમારા પતિની સુગતિ થઈ નથી. સારા ભાવ હતા, ડાહ્યા કહેવાતા ધમ હતા એમ તમે પણ માને છે, છેવટ સુધી તેમણે માનેલી વાત મુખથી વિસારી નહીં, તેમ છતાં દુર્ગતિ કે દુઃખ છૂટયાં નહીં, તે મોક્ષમાર્ગ તે માનતા હતા તેથી બીજે કઈ હોવો જોઈએ એમ તે સાબિત થાય છે. ગમે તેવા ઉત્તમ પકવાન્નમાં ઝેર ભળેલું હોય તો તે ઉપરથી સારી રઈ જેવી લાગે પણ પ્રાણ હણનાર થઈ પડે છે તેમ ગીતાદિ શાસ્ત્રો કે ભગવાનનાં નામ જે સ્વરછેદે બોલાય છે, ભણાય છે તે ધર્મને નામે અહંકાર સેવાય છે અને પાપમૂલ અભિમાન કે અહંકાર છે, તેથી પાપ નિરંતર બંધાતું હોવાથી દુર્ગતિ સિવાય બીજું ફળ શું હોઈ શકે? માટે આત્મસિદ્ધિશાસ્ત્રની શરૂઆતમાં કહ્યું છે – રેકે જીવ સ્વછંદ તે, પામે અવશ્ય મોક્ષ; પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ. પ્રત્યક્ષ સદ્ગુરુગથી, સ્વચ્છેદ તે રોકાય; અન્ય ઉપાય કર્યા થકી, પ્રાયે બમણો થાય.” સદ્દગુરુ એટલે આત્મજ્ઞાની ગુરુની આજ્ઞા વિના જે શાસ્ત્ર-ગીતાદિ વંચાય કે ગમે તેવા મંત્રનો જાપ થાય તેમાં આત્માને લાભ થાય તેવું કંઈ પણ હોતું નથી, આટલી વાત ખાસ કરીને ઊંડા ઊતરીને વિચારી દઢ કરી દેવા જેવી છે.જી. તમે જાણવા માગે છે તે વાત વિષે રૂબરૂમાં ખુલાસો થવાથી તમારા ચિત્તને સંતેષ થવા યોગ્ય છે; કારણ કે કહેવું હોય કંઈ અને સમજાય કંઈ તથા જે જે વિચારો આવે છે તે બધા યથાર્થ લખી શકાતા નથી. તેથી ચિત્તસમાધાનની અગત્ય લાગતી હોય તે સમાગમને વેગ બને તેમ પર્યુષણ ઉપર કે તે પહેલાં યથા–અવસર પુરુષાર્થ કરવો ઘટે છે. “જેવું કઠિન કામ હશે તે કરી લઈશ” લખો. છે પરંતુ અત્રે આવવું પણ તમને અઘરું પડે એમ લાગે છે. એટલે હમણાં તે ટૂંકામાં તે વાત પતાવવા વિચાર છેજ. અમુક સુખી છે કે અમુક દુઃખી છે એ વાત કોઈના કહેવાથી એકદમ માન્ય કરી તેની ફિકરમાં પડવું એ વિચારવાનનું કર્તવ્ય નથી. એક લાંબી વાત છે પણ ટૂંકામાં સારરૂપ લખું છું ભર્તુહરિ અને તેમના મોટા ભાઈ શુભચંદ્રાચાર્ય બન્ને માળવાના રાજકુમાર હતા. નિમિત્ત પામીને વૈરાગ્ય પ્રાપ્ત થતાં બન્ને ત્યાગી થયા. ભતૃહરિ કોઈ તાપસ બાવાની સેવામાં Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ બેધામૃત ઘણાં વર્ષ રહ્યા અને રસાયનવિદ્યા શીખી, એ રસ એક તુંબડી ભરીને બનાવ્યું કે તે લેઢા ઉપર નાખે તે બધું લેવું સેનું થઈ જાય. તાપસ મરી ગયા પછી તેમને પોતાના ભાઈ સાંભર્યા કે તેમને શોધીને હું સુખી બનાવું. નિશાની આપીને એક શિષ્યને પ્રથમ મેક, સાથે અડધી તુંબડી રસ પણ આપ્યું અને કેમ સોનું બનાવવું તે સમજાવવા કહ્યું. ઘણી શોધ કરતાં એક જંગલમાં નગ્ન બેઠેલા તે દિગંબર મુનિને તેણે દીઠા અને ઓળખ્યા. ભર્તૃહરિના સમાચાર કહી પેલી રસવાળી તુંબડી તેમના ચરણમાં મૂકી. તેમણે તે પથરા ઉપર ઢાળી દીધી. પેલા શિષ્યને તે ઘણો ખેદ થયો અને તે મૂર્ખ જેવા જણાયા. પાછે તે ભતૃહરિ પાસે જઈ કહે, તમારા ભાઈ તે બહુ દુઃખી છે, પહેરવા કપડાં નથી, રહેવા ઝૂંપડી સરખી નથી. નથી કઈ ચેલે કે સેવક; બિચારા ગાંડાની પેઠે નાગા ફરે છે. ભર્તૃહરિને બહુ દયા આવી, તેથી જાતે બાકી અડધી તુંબડી રસ હતું તે લઈને તેણે જણાવ્યું તે જંગલમાં ગયા, ને તેમને ઓળખી સમાચાર પૂછી તુંબડી પાસે મૂકી બધી હકીકત કહી કે બાર વર્ષ મહેનત કરીને બનાવેલે આ રસ ચમત્કારી છે. તે તુંબડી લઈ ફરી પણ તેમણે ઢળી નાખી. તેથી ભર્તુહરિ તે નિરાશ થઈ ગયા. ભાઈને સુખી કરવામાં પિતે ગરીબ થઈ ગયે. તે ખેદ તેના મુખ ઉપરથી પારખી શુભચંદ્રાચાર્ય મુનિ કહે, “ભાઈ, આવી ખટપટમાં પડ્યાથી આત્માનું શું હિત થનાર છે? જે સોનું જ જોઈતું હતું તે રાજ્યમાં કયાં ઓછું હતું? તે છેડીને પાછા માયામાં કેમ ફસાઓ છે? મોટા આશ્રમે કરવામાં, શિવે વધારવામાં કે લેકેને ધન આપી મોટા ગણાવામાં કે લેકોની દવા કરી તેમનાં શરીરનાં સુખની ઈચ્છા કરવામાં હિત માને તે કરતાં તમારા આત્માને માયામાંથી છોડાવવાનું ભૂલી જાઓ છો તે કેમ લક્ષમાં આવતું નથી ? તમારી શી ગતિ થશે? આ વનસ્પતિના રસમાં બાર વર્ષ ગાળ્યાં તેટલાં વર્ષ આત્માને સ્થિર કરવામાં ગાળ્યાં હોત તે અત્યારે નજીવી તુચ્છ માયિક વસ્તુને ખેદ થાય છે તે ન થાત, કઈ માથું કાપી નાખે તે પણ રોમ ન ફરકે તેવા બન્યા હોત. તમે જે રસ લાવ્યા તેને તે લેટું શોધીને તેના ઉપર નાંખે તે સોનું થાય, પણ જુઓ.” એમ કહી પિતાના પગ તળેથી ધૂળ લઈ પાસેની શિલા ઉપર નાખતાં બધી શિલા સેનાની થઈ ગઈ. પછી કહ્યું, “આત્માના માહાત્મ્ય આગળ આ બધી તુચ્છ વસ્તુઓ છે. આત્માનું સુખ તે જ સાચું સુખ છે, તે સિવાયનું બધું દુઃખ છે. સંસાર બધે દુઃખથી ભરેલે છે. તેમાં સુખ શોધવા જશો તે નહીં જડે. ખારા સમુદ્રમાં ગમે ત્યાં જઈ પાણી ભરે તે ખારું જ મળશે. માટે સાચે માર્ગે વળે તે આત્મહિત થશે.” તે બોધ લાગતાં ભર્તુહરિ મોટા ભાઈ પાસે રહી આત્માને ઓળખી આત્મધ્યાનમાં લીન થયા. તેમને વૈરાગ્ય વધવા “જ્ઞાનાર્ણવ” નામનું શાસ્ત્ર શુભચંદ્રાચાર્યે લખ્યું છે. બીજું, મીરાંબાઈની નાનપણની કઈ સખી તેમને દ્વારકામાં તંબૂરો વગાડી ભજન કરતાં દેખે તે તે “મીરાંબાઈ બહુ દુઃખી છે એમ માને કે બીજું કંઈ માને ? રહેવા ઘર નથી, કામ કરનાર નેકર નથી, તેને ધણીનું માન નહીં, ભિખારીની પેઠે માંગી ખાય તે સુખી કે દુઃખી દેખાય ? સુખ-દુઃખ અંતરમાં થાય છે અને અંતઃકરણને કોઈ જોઈ શકે છે? અંતરજામી સિવાય બીજા ભલે દેવ કે મનુષ્ય કહે કે આ દુઃખી છે કે આ સુખી છે તે માની માથું ફૂટે Page #222 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા તે મૂર્ખ કહેવાય કે કેમ? આ વાત પત્રમાં વધારે ચર્ચવામાં માલ નથી, પણ ચિત્તને કંઈ સમાધિ તરફ વળવાને પ્રેરણા થવા અર્થે લખ્યું છે, પણ તેથી વિશેષ શાંતિનું કારણ સત્પરુષનાં સજીવન વચને છે તે તરફ લક્ષ રાખવા યોગ્ય છે. એક પણ સત્યવચનની મનમાં પકડ થઈ ગઈ તે મોક્ષનું કારણ થાય તેવાં છે, સર્વ દુઃખના ડુંગરને ક્ષણમાત્રમાં ક્ષય કરી નાખે તેવાં છે, મડદાને જીવતે ખડે કરે તેવાં છે. તેમાં તન્મય થઈ જગતનું વિસ્મરણ કરવા ગ્ય છે, અને પુરુષની આજ્ઞામાં મનને સ્થિર કરવા યોગ્ય છે. તે જ સ્વ અને પરનું કલ્યાણ સાથે તેવાં છે તેની વાનગી - (જુએ શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૬૮૯ અને પત્રાંક પ૬૯) ઘણું લખાયું છે, તે શાંતિથી વિચારીને આત્મહિત થાય તેમ પ્રવતવા ભલામણ છે. ચિત્તનું સમાધાન એકલા પત્રોથી થવું દુર્ઘટ છે. તેમ છતાં સંસાર-ચિંતા દૂર કરતા રહી સત્સંગની ભાવના વર્ધમાન કરી પુરુષનાં વચનોમાં વૃત્તિ વારંવાર રેકી હિતકારી છે. છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૯૯ અગાસ, તા. ૩-૭-૪૦ તત ૐ સત જેઠ વદ ૦)), ૧૯૯૬ શાર્દૂલ- રાજાને તૃતુલ્ય માત્ર ગણતા, ના ઈન્દ્ર સુખી ગણે; પ્રાપ્તિ- રક્ષણ-નાશ રૂપ ધનના ક્લેશે ન જેને હણે. સંસારે વસતાં છતાં સુખ લહે સિદ્ધો સમું માનવી, દેવેને પણ પૂજ્ય નિર્ભયપદે છે સંત સંતેષથી.” દેહા– “કયા ઈચ્છત ખેવત સબે, હે ઈરછા દુઃખમૂલ; જબ ઈચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ. જહાં ક૯૫ના જલ્પના, તહાં માનું દુઃખ છાંઈ; મિ. કલ્પના જલ્પના, તબ વસ્તુ તિન પાઈ. આપ પરમકૃપાળુદેવનાં વચનામૃતના વાચન-વિચારમાં મુખ્યપણે કાળ ગાળો છે તે એક પ્રકારે સત્સંગ જ છે. તેમાં અગાધ જ્ઞાન-નિધાનને નિચોડ (સત્ત્વ) છેજ. જેમ જેમ “કષાયની ઉપશાંતતા, માત્ર મેક્ષ અભિલાષ, ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ” આ ગાથામાં કહેલી ગ્યતા આવશે તેમ તેમ સુવિચારણું પ્રગટ થશે. “આવે જ્યાં એવી દશા, સદ્ગુરુબોધ સુહાય; તે બધે સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય. જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજજ્ઞાન, જે જ્ઞાને ક્ષય મેહ થઈ, પામે પદ નિર્વાણ.” આમ ઠેઠ સુધીને માર્ગ પરમકૃપાળુદેવે ટૂંકામાં મૂકી દીધું છેજી. તે દશા લાવવા આત્માથનાં લક્ષણ કે મુમુક્ષુતા પ્રગટાવવી પડશે. મુમુક્ષુતાને જ સપુરુષને ઓળખવાની આંખતુલ્ય ગણી છે. અનાદિકાળથી જીવને મુમુક્ષુતા નથી આવી એ જ મોટામાં મોટો દોષ, અનંત દેષોમાંનું એક મુખ્ય દોષ ગણાવ્યું છે. Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ બેધામૃત કિંચિત્માત્ર ગ્રહણ કરવું તે દુઃખને માર્ગ અને મૂકી દેવું તે મોક્ષને માર્ગ એવા ભાવાર્થનું સાપેક્ષ વચન પરમકૃપાળુદેવનું છે, તે વિચારવા યોગ્ય છે. આરંભ-પરિગ્રહને દુઃખનું કારણ જણાવી વૈરાગ્ય-ઉપશમને ઉપદેશ કર્યો છે તે વારંવાર વિચારી, જીવમાં જે લેભભાવ હોય તે ઘટાડવાથી ગ્યતા આવે છે. આરંભ અને પરિગ્રહનાં અનિષ્ટ પરિણામ જણાવ્યાં છે તે પત્રક ૫૦૬ વારંવાર વિચારવાથી “વિચારની નિર્મળતા સિદ્ધાંતરૂપ કથનને સહેજે કે ઓછા પરિશ્રમ અંગીકાર કરી શકે છે, એ સુવિચારદશા વિષે ઉત્તર છે. જેને તૃષ્ણા વધારે તેનાં જન્મ-મરણ વધારે અને જેણે તૃષ્ણ ઘટાડી તેણે જન્મ-મરણનાં કારણ ઘટાડ્યાં એ ઉપદેશછાયામાં બેધ છે તે વિચારી સંતેષભાવનું જે કાવ્ય મથાળે લખ્યું છે તે વિચારતાં, ભાવતાં તમારા પ્રશ્નોના ઉત્તર મળી રહેવા ગ્ય છે. પરમકૃપાળુદેવે અનંત કૃપા કરી બહુ સ્પષ્ટ રીતે બે ને બે ચાર હિસાબ બેસે તેવી પરમાર્થની વાત કરી છે. આપણે તે વિચારી અમલમાં મૂકવાની ખામી છે. નીચેને ટૂંક પત્ર લક્ષમાં લેશે – ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતાં પણ જેને એક સમયમાત્ર પણ વિશેષ મૂલ્યવાન છે એ આ મનુષ્યદેહ અને પરમાર્થને અનુકૂળ એવા યોગ સંપ્રાપ્ત થયા છતાં જે જન્મ-મરણથી રહિત એવા પરમપદનું ધ્યાન રહ્યું નહીં તે આ મનુષ્યત્વને અધિષ્ઠિત એવા આત્માને અનંત વાર ધિક્કાર હે! જેમણે પ્રમાદને જય કર્યો, તેમણે પરમપદને જય કર્યો.” (૩૫) શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૨૦૦. અગાસ, તા. ૧૮-૭-૪૦, તત છે. સત્ અષાડ સુદ ૧૪, ગુરુ, ૧૯૯૬ દેહરો– નિર્બળ બાળક જાણને, પરમ કૃપા કરનાર, પરમ કૃપાળુને નમી વનવું, “ભવથી તાર.” તમે વચનામૃત વાંચવાનું શરૂ કર્યું છે તે “મોક્ષમાળાની શરૂઆતમાં પરમકૃપાળુદેવે મેક્ષમાળા કેવી રીતે વાંચવી તે વિષે સૂચના લખી છે તે સમજી તે પ્રકારે ધીમે ધીમે વિચારપૂર્વક યથાર્થ સમજાય તેમ વાંચન કરવા સૂચના છે. ઘણું વાંચવાની ઉતાવળ કરવા કરતાં જેટલું વંચાય તેટલું પિતાની શક્તિ પ્રમાણે વિચારાય, તેની તુલના ભલી રીતે થાય તથા તે વાંચ્યા પછી આપણને કયા પ્રકારે હિતમાં ઉપયોગી થાય તેમ તે વાંચન છે તેની શોધ કરી એકાદ વચન પણ જે ઊંડું હદયમાં ઊતરી જાય તે જેમ માસામાં ઊડું ખેડીને બીજ વાવે છે તે સારી રીતે ઊગીને પાક આપે છે તેમ કાળે કરી તે વચન ઊગી નીકળે અને પિતાને તેમ જ પિતાના સમીપવર્તી અને હિતમાં વૃદ્ધિ થાય, સવે સુખી થાય, તેવું ફળ તેનું આવે છે. બીજું સપુરુષનાં વચન વિચારતાં આપણુ બુદ્ધિ પ્રમાણે સમજાય છે પણ તેટલે જ તેને અર્થ છે અને મને બધું સમજાઈ ગયું એમ માનીને પણ સંતેષ વાળવા જેવું નથી. પરમકૃપાળુદેવે પોતે જ લખ્યું છે કે “સપુરુષના એકેક વાકયમાં, એકેક શબ્દમાં, અનંત આગમ રહ્યાં (સમાયાં) છે, તે વાત કેમ હશે?” (૧૬૬) શ્રી મહાવીર સ્વામીએ આદિ-ગુરુ Page #224 -------------------------------------------------------------------------- ________________ ૫ત્રસુધી ૨૦૧ શ્રી ગૌતમસ્વામીને “ઉત્પાદ, વ્યય અને ધ્રુવતા” આ ત્રણ શબ્દો ત્રિપદી કહેવાય છે તે આપ્યા. તે ઉપરથી તેમણે દ્વાદશાંગીની એટલે સકળ શાસ્ત્રોની રચના કરી. તેમ આપણને પરમકૃપાવંત પ. પૂ. પ્રભુશ્રીજીએ મંત્ર આદિની આજ્ઞા, પરમપુરુષ દ્વારા પ્રાપ્ત, જણાવી તે મંત્રનું એટલું બધું માહાસ્ય તેઓ કહેતા કે “આત્મા જ આપીએ છીએ.” દવા વાપરીને જેમ રોગને નાશ કરીએ છીએ તેમ તે મંત્રનું એકાગ્ર ચિત્તથી, સંસારને વીસરી જઈ તેમાં તન્મયતા રાખી તેનું આરાધન કરવાથી જન્મમરણનો નાશ થાય તેવું બળવાન સામર્થ્ય તેમાં છે; તે ભવરોગ નાશ કરવા, જેટલી આપણામાં શક્તિ છે તેટલી બધી તે આજ્ઞા ઉઠાવવામાં વાપરવી ઘટે છે. જે વાંચીએ તે આત્મા પ્રગટાવવા, જે જાપ જપીએ તે પણ તે અર્થે, જે ભક્તિ કરીએ, દર્શન કરીએ, સમાગમ કરીએ, ખાઈએ, પીએ, બેસીએ, ઊઠીએ, ઊંઘીએ, જોઈએ, કામ કરીએ, કઈ પ્રત્યે સનેહ કરીએ, જઈએ, આવીએ તે સર્વ ક્રિયા એક આત્માર્થે કરવા ગ્ય છેજ. આત્માને ભૂલીને, દેહને અર્થે, સગાંને અર્થે, રેગ મટાડવા, લેકોને સારું લગાડવા, સમજણું ગણવા, પૈસા અર્થે કે મનની મેજ કરવા હવે કંઈ કરવું નથી. “ગમે તેટલાં દુઃખ વેઠે, ગમે તેટલા પરિષહ સહન કરે, ગમે તેટલી વ્યાધિઓ સહન કરે, ગમે તેટલી ઉપાધિઓ આવી પડો, ગમે તેટલી આધિઓ આવી પડો, ગમે તે જીવનકાળ એક સમય માત્ર છે, અને દુર્નિમિત્ત હો, પણ એમ કરવું જ (રાગદ્વેષ તજી આત્માર્થે જીવવું) ત્યાં સુધી હે જીવ! છૂટકો નથી. આમ નેપથ્યમાંથી (અંતરમાંથી) ઉત્તર મળે છે, અને તે યથાયોગ્ય લાગે છે.” (૧૨૮) આમ પરમકૃપાળુદેવ પોતાને માટે લખે છે. તેમ આપણ સવેને તે જ ગાંઠ મનમાં પાડી દેવા જેવી છે. જે રસ્તે એ પરમપુરુષ ચાલ્યા તે જ રસ્તે આ ભવમાં જવું છે, બીજું બધું ઝેર ખાવા જેવું છે, એવું અંતરમાં કરી મૂક્યા વિના આ કળિકાળમાં સન્માર્ગે પ્રવર્તી શકાય તેવું રહ્યું નથી. સંજોગો બધા વિપરીત મેહમાં તાણી જાય તેવા છે. “પગ મૂકતાં પાપ છે, જેમાં ઝેર છે અને માથે મરણ રહ્યું છે એ વિચારી આજના દિવસમાં પ્રવેશ કર.” (પુષ્પમાળા - ૩૫) એમ કહ્યું છે તે ક્ષણે ક્ષણે સંભાર સંભાર કરવા જેવું છે. તમારો કંઈ વાંક દેખીને પત્ર નથી લખે, એમ નથી; પણ પત્રો લખતાં મન પાછું પડે છે. આ જીવને જ હજ ઉપદેશ લેવાની જરૂર છે, ત્યાં શું લખવું? એ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૨૦૧ અગાસ, અષાડ વદ ૭, ૧૯૯૬ તમારે માથે આપત્તિ આવી છે તે પૂર્વકર્મનું ફળ છે એમ જાણી વર્તમાન પરિણતિ લેશિત કરવા યોગ્ય નથી. જીવમાં કેટલી સમજણ યથાર્થ આવી છે તેની કસોટીને આ પ્રસંગ છે. ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજી એક વખત આહાર કરી રાજમંદિરમાં થઈ જતા હતા. તે વખતે હું ઘડિયાળને ચાવી આપતા હતા. અચાનક કંઈ જોરથી ચાવી દેવામાં કમાન તૂટી ગઈ. મેં જઈને તેઓશ્રીને જાહેર કર્યું કે ઘડિયાળની ચાવી તૂટી ગઈ. તેઓશ્રીએ જણાવ્યું કે “અહીં જીવની પરીક્ષા થાય છે. નાશવંત વસ્તુ વહેલીમેડી નાશ પામે છે, તેમાં બે ન થાય તેનું કારણ સમજણ છે.” તેનો અર્થ એ નથી કે આપણે પુરુષાર્થ ન કર. બનેલા પ્રસંગમાંથી શિખામણ લેવી. બને તેટલા સમજૂતીને કે બીજા ઉપાય લેવા ઘટે તે લેવા, પણ Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ બધામૃત રાતદિવસ તેની ચિંતામાં ધર્મ ભૂલી જવાય તેમ ન કરવું. ધર્મના ફળરૂપ લક્ષ્મી છે, તે પાપના ઉદયે દૂર થતાં લેશ કરાવે એ પ્રસંગ છે, પણ સંસારનું અનિત્યપણું વિશેષપણે વિચારવાને આ પ્રસંગ આવ્યો છે તેને લાભ લઈ વૈરાગ્ય વધારવાની જરૂર છે. સ્વમ જેવા સંસારમાં હર્ષ ખેદના પ્રસંગે દિવસ અને રાતની પેઠે વારંવાર આવવાના, પણ સત્સાધન જેને પ્રાપ્ત થયું છે તેણે તેમાંથી બચવા ભક્તિ, સ્મરણ કે મુખપાઠ કરવાને ક્રમ વિશેષ રાખવાથી તે પ્રસંગમાં તણાઈ ન જવાય. કોઈ પણ કારણે આર્તધ્યાન કરવું નથી એવો નિશ્ચય મુમુક્ષુ જીવને કર ઘટે છે અને થઈ જાય તે પશ્ચાત્તાપ કે ખેદ કરી ધર્મધ્યાનમાં જોડાઈ જવા ત્વરા કરવી ઘટે છે. વધારે લખવાની સમજુને જરૂર નથી, પણ પ્રસંગને વશ ન થતાં તેવા પ્રસંગથી વૈરાગ્ય અને જાગૃતિ વધે તેમ કર્તવ્ય છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૨૦૨ અગાસ, તા. ૨૮-૭-૪૦ તત્ સત્ અષાડ વદ ૯, રવિ, ૧૯૯૬ આપના પિતાશ્રીને ત્રિદોષ થયાના સમાચાર લખ્યા તે જાણ્યા છે. તેમને ભાનમાં હોય ત્યારે વીસ દેહરા, ક્ષમાપનાનો પાઠ આદિ ભક્તિનાં પદો તથા કઈ કઈ પત્રો સંભળાવતા રહેશેજી; તથા સ્મરણમાં રહેવાની તેમને ભલામણ કરી છે એમ જણાવશે. મનુષ્ય ભવ દુર્લભ છે. જ્યાં સુધી આયુષ્ય છે અને ભાન હોય ત્યાં સુધી જ્ઞાનીની આજ્ઞામાં વર્તવાને દઢ નિશ્ચય કર્તવ્ય છે. સશક્ત-અશક્ત, સાજ-માંદ, ગરીબ કે ધનવંત, ગમે તે અવસ્થામાં મનુષ્ય ભવ હશે તે પથારીમાં પડ્યા પડયા પણ પ્રભુનું આપેલું સ્મરણ થઈ શકે તેમ છે. પછી આયુષ્ય છૂટી ગયા પછી આ લાગ આત્મહિત કરવાને મળ મહાન દુર્લભ છેજી. માટે કંઠે પ્રાણ આવ્યા હોય, દેહ છૂટવાને વાર નહીં હોય તે પણ જ્ઞાનીએ આપેલા મંત્રનું રટણ ચૂકવું ઘટતું નથી. તે પરમપુરુષ પરમકૃપાળુદેવનું શરણું આ ભવમાં કઈ પૂર્વના મહાપુણ્યને લીધે મળ્યું છે, તે ભવસાગર તરવાનું સફરી જહાજ સમજવા યોગ્ય છે. જ્ઞાની પુરુષે કંઈ પણ સ્વાર્થ વિના માત્ર નિષ્કારણ કરુણશીલતાથી જે આપણા જેવા પામર પ્રાણીઓ ઉપર અથાગ ઉપકાર કર્યો છે, સમાર્ગ બતાવ્યો છે તેને કઈ રીતે બદલ વળી શકે તેમ નથી. માત્ર તેણે કરેલી આજ્ઞા, તેનું શરણ અને આશ્રયને અવલંબનને મરણપ્રસંગની ભારે વેદનામાં પણ ભુલાય નહીં તેટલી અંતરમાં દઢ શ્રદ્ધા અને કાળજી (દાઝ) ઊંડી રાખવા યોગ્ય છે. એ સપુરુષને આશરે આ દેહ છૂટે તે તેના જેવી બીજી કોઈ કમાણી ગણવા ગ્ય નથી. જેણે છેવટની પળ સાચવી તેણે બધાં વ્રત કર્યા, જાપ કર્યા, તીર્થ કર્યા, શાસ્ત્ર ભણ્યો, ભક્તિ કરી, બધું કરી છૂટયો સમજવા યોગ્ય છે. પણ પહેલેથી તે આજ્ઞાનું, તેના શરણાનું અને તેના આશ્રયનું માહાત્ય સાંભળ્યું હશે, તેને આધાર રાખે હશે અને મરણ વખતે પણ તે ન છૂટે તેવી વારંવાર ભાવના કરી હશે તે જ આખર સુધી ટકી રહેશે. માટે જાગ્યા ત્યાંથી સવાર ગણી આ પત્ર મળે ત્યારથી તે ભાવનાને અભ્યાસ કરવા મંડી પડશે તે તે આખરે ગુણ કરશે એમ આપના પિતાશ્રીના કાને પણ વાત નાખશે અને આપણે પણ એ જ કર્તવ્ય છે. સમાધિમરણ કરાવનારને પણ લાભ થાય છે. આ સેવા કરવાનો અવસર વારંવાર મળતું Page #226 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૨૦૩ નથી; માટે કંટાળ્યા વિના, બીજાં કામ કરતાં પિતાની સેવા મહાલાભનું કારણ છે ગણી, તેમાં વિશેષ લક્ષ રાખવા વિનંતી છે. આપ સર્વ સમજુ છે. ધર્મમાં શ્રદ્ધા તેમની દઢ થાય તેવું વાચન, વાતચીત, ભક્તિ, સ્મરણ કરતા રહેવાથી સ્વપર બન્નેને લાભનું કારણ છે. છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૨૦૩ અગાસ, તા. ૧-૮-૪૦ અષાઢ વદ ૧૩, ૧૯૯૬ કવાલી– કૃપાળુની કૃપા ધારી, બનીશું પૂર્ણ બ્રહ્મચારી, સહનશીલતા ક્ષમા ધારી, સજી સમતા નીતિ સારી. કરીશું કાર્ય સુવિચારી, કષાયે સર્વ નિવારી, ગણીશું માત પરનારી, પિતા સમ પરપુરુષ ધારી. જીવીશું જીવન સુધારી, સ્વ-પરને આત્મહિતકારી, બનીને અલ્પ સંસારી, ઉઘાડી મોક્ષની બારી. ખણ કુબોધની ક્યારી, વિચરશું વાસના મારી, સમર્પ સર્વ સ્વામીને, તરીશું સર્વને તારી. આપ બન્ને ભાઈઓને બ્રહ્મચર્ય બે માસ સુધી પાળવાની ઈચ્છા છે તે જાણી સતેષ થયો છેજી. પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ તમારે બે જણે એવી ભાવના કરવા ગ્ય છે કે હે ભગવાન! બે કે અમુક માસ (દિવાળી કે દેવદિવાળી સુધી તમારી ઈચ્છા પ્રમાણે) સુધી આપની આજ્ઞાથી કાયાએ કરી બ્રહ્મચર્ય પાળવાનું વ્રત લઉં છું. એમ મનમાં ધારી ત્રણ નમસ્કાર કરવા ભલામણ છે. એ વિષે કાળજી રાખી તેટલી મુદત સુધી જુદી પથારી, ઓછો એકાંત સમાગમ, ઈન્દ્રિયે ઉન્મત્ત થાય તેવો આહાર ઓછો કરવા વગેરે મેક્ષમાળામાં નવતાડ બ્રહ્મચર્યની લખી છે તે વિચારી યથાશક્તિ પ્રવર્તવાનું કરવાથી આત્મહિત થશે. લીધેલું વ્રત પાળવાની દઢતા ઢીલી ન થાય, માટે સદ્દગુરુનાં વચનનું વિશેષ પ્રકારે વાંચન-મનન કરતા રહેવાની જરૂર છે. હવે ટૂંકામાં તમારા પ્રશ્નોના ઉત્તર લખું છું – છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપગી સદા અવિનાશ; મૂળ, એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ, મૂળ.” આ સમ્યકજ્ઞાનનું સ્વરૂપ કહ્યું. તેને લક્ષ કરાવવા ઉપદેશછાયામાં વિસ્તારથી વિવેચન કર્યું છેછે. ઘણી વાર લેકે પણ કહે છે કે ખેળિયું પિંજરની પેઠે પડી રહે છે અને જીવ પિપટની પેઠે ઊડી જાય છે. તથા શામાં પણ દેહ જુદો છે, આમા જુદો છે એવું લખેલું પંડિત વાંચે છે, ઉપદેશ કરે છે છતાં દેહભાવ છૂટતું નથી અને આત્મશ્રદ્ધા થતી નથી તેનું શું કારણ? તે કહે છે કે “એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે” જેને આત્મજ્ઞાન પ્રગટ છે તેવા સદૂગુરુથી જે જાણે તે આત્મશ્રદ્ધા થાય. કોઈ કહે જ્ઞાની પાસેથી પણ ઘણી વાર એમ સાંભળ્યું પણ કેમ એટતું નથી ? કેમ ભેદજ્ઞાન થતું નથી ? તેના ઉત્તરમાં “યમ નિયમ”માં Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ બેધામૃત “પલમેં પ્રગટે મુખ આગલસે, જબ સદ્દગુરુચર્સ સુપ્રેમ બસે, તનસે, મનસે, ધનસે, સબસે, ગુરુદેવકી આન (આજ્ઞા) સ્વઆત્મ બર્સે; તબ કારજ સિદ્ધ બને અપને....................... પરપ્રેમ પ્રવાહ બઢે પ્રભુસેં, સબ આગમ ભેદ સુઉર બસેં.” આટલી ગ્યતા એટલે સદ્ગુરુ પ્રત્યે, સદ્ગુરુના વચન પ્રત્યે, તે વચનના આશય પ્રત્યે પ્રેમ પ્રતીતિ થાય તે તે હૃદયમાં ઊંડું ઊતરે, નહીં તે આ કાને સાંભળી પેલે કાને કાઢી નાખે તેવું થાય છે. સપુરુષ પ્રત્યે પ્રેમ થવામાં તેનાં મન વચન કાયાની પ્રત્યેક ચેષ્ટાનાં અદ્ભુત રહસ્યનું નિદિધ્યાસન થવાની જરૂર છે, એટલે પુરુષના દેહ પ્રત્યે કરેલે પ્રેમ નિરર્થક નથી. પણ જેને તે પ્રેમ થયો છે અને તે વડે જે જ્ઞાન પ્રાપ્ત કરી લેવું છે તે કરવા પ્રત્યે તત્પર થતું નથી, તેને કહ્યું છે કે દેહથી આત્મા જુદે છે. હવે આગળને પગથિયે કેમ ચઢતે નથી? જે અર્થે પુરુષના પૂજ્ય દેહાદિ પ્રત્યે પ્રેમ કરવા કહ્યું છે તે આત્માર્થ સાધવા લાગી કેમ જવા દે છે? છપદના પત્રમાં કહ્યું છે, “જે સત્પરુષોએ સદ્ગુરુની ભક્તિ નિરૂપણ કરી છે તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે વ્યક્તિને પ્રાપ્ત થવાથી સદ્દગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દષ્ટિગેચર થઈ અન્ય સ્વછંદ મટે અને સહેજે આત્મબંધ થાય. એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે તે ભક્તિને અને તે સપુરુષોને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હો.” આમાં પ્રથમ “જે ભક્તિને પ્રાપ્ત થવાથી” એમ કહ્યું છે તે દેહાદિ સર્વ સત્પરુષ પ્રત્યે પ્રેમ ઉત્પન્ન કરાવનારાં કારણે લીધાં. તે કારણે સેવ્યાથી તેના ફળરૂપે પુરુષની દશા કે તેના “આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે એમ જણાવ્યું અને તેનું ફળ છેવટે આત્મધ કે આત્મજ્ઞાન જણાવ્યું છે. તે ક્રમે ક્રમે પ્રાપ્ત કરાવવા જ્ઞાની પુરુષ કહે છે પણ કમ મૂકી એકલે આત્મા પકડવા જાય તે તે પ્રાપ્ત થ દુર્લભ છેજ. જેને સપુરુષના દેહ, ચિત્રપટ, વચન, કથા તથા આજ્ઞા પ્રત્યે રુચિ નથી તેણે તે પ્રથમ કર્તવ્ય છે. સંસારમાં જેમ સ્ત્રીપુત્રના દેહ વચનાદિ પ્રત્યે પ્રેમ છે તેથી અનંતગણ સપુરુષ પ્રત્યે પ્રગટ થાય તેમ પ્રવર્તવાની જરૂર છે. “મન મહિલાનું રે વહાલા ઉપરે, બીજા કામ કરંત, તેમ કૃતધર્મ રે મન દઢ ધરે, જ્ઞાનક્ષેપકવંત” પત્રાંક ૩૯૪૩૫ લક્ષપૂર્વક વાંચશોજી. વળી ભાવનાબેધમાં સંવરભાવના સમજાવવા વાસ્વામીનું દષ્ટાંત આપ્યું છે તે વાંચશેછે. તેના પિતાએ વજીસ્વામી પાસે કમિણીને અણીને, તેને સ્વામીની ઉપર મેહ છે એમ કહ્યું. સ્વામીજી કહે છે – “શું એ માંસ, હાડકાં, રુધિર પ્રમુખથી પૂર્ણ એવા મારા દેહને વિષે પ્રીતિવાળી થઈ છે? તેને પતિ તે એ થશે કે જે દેવતાને પણ દુર્લભ છે! જેની પાસે સર્વ સદ્ગુણ કિંકર સમાન છે, રૂપ અને લક્ષ્મી પણ જેની દાસી છે, સર્વ ક્રિયાઓ પણ જેની પાસે તુચ્છ છે અને જેનામાં કંઈ પણ દૂષણ નથી, જેની અત્યંત ભક્તિથી મોક્ષ પણ સુલભ છે – પ્રાપ્ત થાય છે. આ પ્રકારે વર્ણવેલે સંયમ તે જ તારી પુત્રીને લાયક છે. માટે જે તારી ઈચ્છા હોય તે હું હસ્તમેળાપ કરાવું. વળી વાઘણની . પેઠે તિરસ્કાર કરતું ઘડપણ પણ પાસે જ રહે છે, શત્રુની પેઠે રોગો સર્વદા દેહને પ્રહાર કરે Page #228 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૨૦૫ છે અને કૂટેલા ઘડામાંથી ઝરી જતાં પાણીની પેઠે આયુષ્ય નષ્ટ થાય છે, તે પણ લેક વિરુદ્ધ કર્મ કરે છે, એ આશ્ચર્ય છે! વળી પુરુષ પણ ક્ષણમાં, જોતજોતામાં બાળ, ક્ષણમાં યુવાન અને ક્ષણમાં શિથિલ અવયવવાળે ઘડપણથી થાય છે. એવી રીતે યમની નગરીમાં અંતે પિસે છે.” આમ સપુરુષ પ્રત્યે પ્રેમ થયું હોય તે તેના વચન પ્રત્યે થાય છે, તેણે કહ્યું કે કર્યું તે કરવા જીવ પ્રેરાય છે અને તેની આજ્ઞા ઉરમાં અચળ કરે તે જે આત્મસુખમાં તે લીન છે તેનું ઓળખાણ તેને થાય છે અને તે રૂપ થાય છે. માટે જે જે કારણે પુરુષ પ્રત્યે પ્રેમ પ્રગટાવે, તેનાં વચનને મનાવે, તેની આજ્ઞામાં તત્પર કરાવે છે તે કારણો તે તે ભૂમિકાએ ઉપાસ્યા વિના આગળની ભૂમિકા પ્રાપ્ત થવી દુર્લભ છે. આ બાબતનું આટલું બધું વિવેચન કર્યા છતાં એકદમ પત્રથી સમાધાન થાય તેમ લાગતું નથી. સમાગમમાં જે જે શંકાઓ થાય તેનું નિવારણ થવાનું બને. જીવને અત્યારે જે કરવા ગ્ય છે તે ન કરે તે માત્ર કલ્પનામાં તણાઈ જઈ છેવટની વાત બહુ સહેલી છે, લાવ તે જ કરી લઉં એમ થઈ જવા સંભવ છે. પર્વત ઉપરના દેવળને દેખીને નીચે રહેલે માણસ ધારે કે એ વાંકાચૂકા માર્ગ કોણ જાય, સી ચાલી આ દેખાય છે ત્યાં ઝટ ચાલ્યો જાઉં એમ ધારી બધા જતા હોય તે માર્ગ મૂકી નવો માર્ગ લે, ત્યાં બિલકુલ ન ચઢી શકાય તેવી જગાથી પાછું ફરવું પડે છે ને વાંકાચૂકા નક્કી કરેલા માર્ગે જવું પડે છે; તેમ અત્યારે યથાર્થ સમજ નથી આવી ત્યાં સુધી ઉપદેશ પડી મૂકી જીવ સિદ્ધાંતબંધ તરફ દેડવા પ્રયત્ન કરે છે, પણ તે પરિણામ પામ દુર્ઘટ છે. પત્રક ૫૦૬ પણ વાંચવા-વિચારવા ભલામણ છે. પરમાર્થની જિજ્ઞાસા જેને જાગ્રત થઈ છે તેને ઉપશમ વૈરાગ્ય એ અત્યંત જરૂરનાં છે, તે પ્રાપ્ત થયે જીવને શું કરવું તે સમજાય છે. પત્ર બહુ લાંબો થઈ ગયો છે એટલે પુછાવેલા શબ્દોના શબ્દાર્થ માત્ર લખું છું – (૧) નય = કહેનારને અભિપ્રાય; વસ્તુને અંશે જણાવવાની યુક્તિ. (૨) લબ્ધિ = પ્રાપ્તિ; કઈ ગુણ સમ્યક્ત્વ આદિ પ્રાપ્ત થાય તે લબ્ધિ છે તથા રિદ્ધિ સિદ્ધિ ચમત્કાર આદિને પણ લેકે લબ્ધિ કહે છે. (૩) અપ્રમત્ત = જાગ્રત, આત્મભાવમાં જાગૃતિવાળી દશા, ગુણસ્થાનોમાં સાતમું ગુણસ્થાન, ધ્યાન અવસ્થા. (૪) લેડ્યા =કષાયથી રંગાયેલાં મન-વચન-કાયાના ગેની પ્રવૃત્તિ, આત્માનાં ભાસ્યમાન પરિણામ. (પત્ર ૭૫૨) (૫) અનુષ્ઠાન = ક્રિયા; પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ એવા ચાર ભેદ, એક એકથી ચઢિયાતી ક્રિયા. (૬) પરિગ્રહ = મમતા મારું મારું ગણી એકઠું કરેલું ધનધાન્ય, સ્ત્રીપુત્ર, દાસદાસી, ખેતરઘર, સોનુંરૂપું, વસ્ત્રવાસણ વગેરે તથા ક્રોધાદિ દુર્ગુણ. (૭) પરિહાસ = હસવું, મશ્કરી. (૮) ઉપાદાન = મૂળ કારણ; જેમાંથી વસ્તુ ઉત્પન્ન થાય છે. જેમ માટીમાંથી ઘડો થાય તે માટી ઘડાનું ઉપાદાન કારણ છે; આત્મામાંથી ભાવ પ્રગટે છે તે પિતાના ભાવનું ઉપાદાન કારણ આત્મા છે. (૯) અવન = દેહ છોડી બીજા દેહમાં જવું; દેવ મરી માણસ થાય તેમ. (૧૦) સ્યાત્મદ = અનેક પ્રકારે વસ્તુને કહેવાની શિલી. આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાયે અનિત્ય છે વગેરે. (૧૧) સમવસરણ = ભગવાનને કેવળજ્ઞાન થાય ત્યારે દેવ ભક્તિ નિમિત્ત મંડપ આદિની રન વગેરેથી સુશોભિત રચના કરે છે તે; જ્યાં ઘણા માણસ વગેરેને સમૂહ એકત્ર થયું હોય તેને પણ સમવસરણ કહે છે. (૧૨) ગારવ = ગર્વ, રસ, રિદ્ધિ અને શાતાના ભેદે ગર્વ ત્રણ કહેવાય છે. ગારમાં જેમ બાળક Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬, બેધામૃત પિસી જાય કે ગારા – કાદવમાં હાથી ખૂંચી જાય તે નીકળતો નથી, તેમ તેમાં જીવ બંધાય છે. (૧૩) પ્રમાદ = આળસ, કષાય, ધર્મની અનાદરતા, ઉન્માદ. (જુઓ મોક્ષમાળા પાઠ-૫૦) હાલ ન સમજાય તે પણ ધીરજ રાખી પુરુષનાં વચન અને તેની આજ્ઞાનું આરાધન કરવાથી ધીમે ધીમે ગ્યતા પ્રમાણે સમજાતું જશે. ગભરાવાનું નથી, મૂંઝાવું નહીં, હિંમત હારવી નહીં, પણ પુરુષાર્થ કર્યાથી માર્ગ કપાય છેજી. છે શાંતિઃ શાતિઃ શાંતિઃ ૨૦૪ અગાસ, તા. ૨-૮-૪૦ અષાઢ વદ ૧૪, ૧૯૯૬ પૂ. શેઠજી બચે તેમ લાગતું નથી. આપની ઈચ્છા થતી હોય અને અનુકૂળતા હોય તે જેવા આપના ભાવ. લેકે લૌકિક રીતે સંથારો કરેલા સાધુ વગેરેને વાંદવા દોડે છે તેના કરતાં આ તે સાચા પુરુષના આશ્રિતની અંતિમ અવસ્થા કેવી હોય તે જાણવાનું અને કંઈ આપણને આખર વખતે કામમાં આવે તેવું શીખવાને પ્રસંગ છે. વૈરાગ્યનાં કારણોમાં ઉત્સાહ આ કાળમાં બહુ દુષ્કર છે અને સાચા વૈરાગ્યનાં નિમિત્તોમાંથી વૈરાગ્યરૂપ ગુણ ગ્રહણ કરવા જેટલી જીવની તૈયારી પણ તેટલી આ કાળદોષને લીધે જણાતી નથી. સંસારનાં કામ પોતાનાં માન્યાં છે તેથી તેને માટે પરદેશ જવું પડે તો જીવ પાછો ન પડે, પરંતુ આત્માના હિતની વાતમાં પ્રવર્તત તેને ટાઢ ચઢે એ અનાદિને જીવને શિથિલ સ્વભાવ છે તે સ્વાભાવિક જણાવ્યો છે. આપના ઉપર આ વાત લખી નથી. સાચું સગપણ પુરુષનું અને તેના આશ્રિત જીવાત્માઓનું છે, તે આપણને મેહમાં ફસાવવા ઈચ્છતા નથી, ઊલટા ચેતાવી શકે તેવા છે. આટલે જે લક્ષ રહે તે જીવની વૃત્તિ બંધનમાં ન પ્રવર્તે તથા બંધનનાં કારણે ન ઈછે. વિશેષ વાચન કરતાં થોડું વાચન અને વિશેષ મનન તથા નિદિધ્યાસન કે વારંવાર ભાવના વડે તદ્રુપ પરિણમન માટે હવે વિશેષ પુરુષાર્થ કર્તવ્ય છે. ખા ખા કરવા કરતાં ચાવીને તે પચે અને શરીરની પુષ્ટિમાં સહાય થાય તે પ્રકાર જેમ શારીરિક બાબતમાં ઈષ્ટ છે તેમ ઉપર જણાવેલ પ્રકાર આત્મહિતને સાધનાર છે. * શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૨૦૫ અગાસ, તા. ૨-૮-૪૦ તત્ કે તું અષાડ વદ ૧૪, શુક, ૧૯૯૬ “ચિતવ પદ પરમાતમ પ્યારે, ગીજને જે પદ ઉર ધારે, જહાજ બની ભવજળથી તારે, કેવલ બેધ સુધારસ ધારે. યૌવનની શી કરવી માયા ? જળ-પરપોટા જેવી કાયા; જાવું પડશે નરકે મરીને, આવી ધનની આશા કરીને. ભવ તરવા ઈછે જે ભાઈ, સંત શિખામણ સુણ સુખદાઇ; કામ, ક્રોધ ને મોહ તજી દે, સમ્યજ્ઞાન સમાધિ સજી લે. સંસારી શરણ ગણુ સૂનાં, “અર્થ અનર્થક વચન પ્રભુનાં નશ્વર કાયા પ્રબળ જણાતી વાંછા શાની એની થાતી? Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ પત્રસુધા વળી વેપારી દરિદ્રી એકલે, નીચ એકલે ભમે ભૂલેલે, રેગી એકલે શાક ભરેલે, દુઃખરહિત દુઃખ માંહિ વસેલે. શરીર ઝૂંપડી કડે કૂ, માંસ ચામડી મેહે છે, નવે દ્વાર ગંદાં મળ ઝરતાં, શું સુખ એ કચરામાં કળતાં? મૂક પરિગ્રહ-મમતા ભાઈ! પાળ સુચારિત્ર સત્સુખદાઈ કામ-ક્રોધને તજવા કાજે, જ્ઞાન, ધ્યાન વિચાર આજે.” (વૈરાગ્યમણિમાળા) એક પણ શબ્દ જ્ઞાનીના દ્વારા મળેલે જીવમાં પરિણામ પામે તે જીવને તે ક્ષે લઈ જાય છે એ ભાવાર્થનું એક અધ્યયન (૭૩ ફળાફળી પરાક્રમ) ઉત્તરાધ્યયનમાં છે. તેમાં પ્રથમ સંવેગ વિષે કહે છે. “મેક્ષાભિલાષા : સંવેગથી જીવમાં તીવ્ર ધર્મશ્રદ્ધા જન્મે છે. તીવ્ર ધર્મશ્રદ્ધાથી તેની મોક્ષાભિલાષા વળી વૃદ્ધિગત થાય છે. તેથી તે જીવ અનંતકાળ સંસારમાં રખડાવનાર ક્રોધ, માન, માયા અને લેભ (અનંતાનુબંધી)ને નાશ કરે છે તથા નવા કર્મો બાંધતે નથી. ક્રોધાદિના નાશથી તત્વાર્થમાં તેની અશ્રદ્ધા દૂર થાય છે અને વિશુદ્ધ શ્રદ્ધા જન્મે છે. તે દર્શનવિશુદ્ધિ(ક્ષાયકદર્શન)થી કેટલાક છે તે ભવે જ સિદ્ધિ પામે છે અથવા ત્રીજે ભવે તે અવશ્ય પામે છે જ. બીજે ગુણ નિર્વેદ છે. સંસારથી વિરક્તતા તેનાથી જીવ દેવ, મનુષ્ય અને પશુપંખી (તિર્યંચ) સંબંધી કામ પ્રત્યે વિરક્ત થાય છે, વિરક્ત થયા બાદ તે ભેગસાધનની પ્રાપ્તિ માટે આરંભ તેમ જ પરિગ્રહ કરે તજી દે છે અને એ રીતે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, ગરૂપ સંસારમાર્ગને વિચ્છેદ કરી સિદ્ધિમાર્ગને પામે છે. ત્રીજે ગુણ “ધર્મશ્રદ્ધા'—તેનાથી જીવ પિતાને ગમતા વિષયસુખોથી વિરક્ત થાય છે અને ગૃહસ્થ ધર્મ તજી સાધુપણું સ્વીકારે છે-સાધક બને છે. એ રીતે છેદન, ભેદન, સંગ, વિગ વગેરે શારીરિક અને માનસિક દુઃખને અંત લાવી અવ્યાબાધ મોક્ષસુખ પ્રાપ્ત કરે છે. ગુણ તે ગુરુ તથા સાધર્મિકેની સેવાશુશ્રુષા–તેનાથી મનુષ્યને વિનય પ્રાપ્ત થાય છે. વિનયવાળે જીવ ગુરુની નિંદા, અવહેલના વગેરે વિરાધના તજી (ભવિષ્યમાં પોતાની) નરકાનિ, પશુનિ તથા દેવમનુષ્યનિમાં હલકી ગતિને નિરોધ કરે છે, તેમ જ ગુરુની પ્રશંસા, સ્તુતિ, ભક્તિ અને બહુમાનથી દેવમનુષ્યનિમાં (પિતાને માટે) સુગતિ નિર્માણ કરે છે, સિદ્ધિ-મેષગતિનાં કારણે જ્ઞાન દર્શન ચારિત્રાદિને વિશુદ્ધ કરે છે, પ્રશંસાપાત્ર તેમ જ વિનયમૂલક સર્વ ધર્મકાર્યો સાધે છે, તેમ જ બીજા પણ ઘણા જીવને વિનય ગ્રહણ કરાવે છે.” આ પ્રમાણે ૭૩ બેલ જણાવી એકેક બેલથી મેક્ષ સુધી જીવ કેવી રીતે જાય છે તે બતાવ્યું છે. પરમકૃપાળુદેવે પણ કહ્યું છે. સાચા અંતઃકરણે એક પણ સપુરુષનાં વચનને ગ્રહણ કરશે તે અવશ્ય શ્રેયને પામશે. આટલે બધે લાભ થાય છે તે જાણી ખરી કમાણી કરવા ઈચ્છનાર વણિક બચ્ચે કેમ ઝાલ્ય રહે? વાણિયા લાભને ધંધે છેડે જ નહીં, તે ધર્મમાં કેમ ઢીલ થતી હશે? મુમુક્ષતા કે સાચા વાણિયાપણું પ્રગટયું નથી. અવળી પાઘડી પહેરી છે તે સવળી કરવાની છે. એક કેવળી પાસે કોઈ મોટો રાજા દર્શનાર્થે ગયે. નમસ્કાર કરી પૂછે છેઃ “હે ભગવાન! ત્રણે લેકમાં ઉત્તમમાં ઉત્તમ વસ્તુ કઈ હશે?” ભગવાને કહ્યું: “ધર્મ જેવી કેઈ ઉત્તમ વસ્તુ આ જગતમાં નથી.” ફરી રાજાએ પ્રશ્ન કર્યો, “ઉત્તમ વસ્તુ મણિ આદિ રસ્તામાં મૂકીએ તે Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ બેધામૃત ગમે તે જનાર ઉઠાવી લીધા વિના રહે નહીં, તે ધર્મ જેવી ઉત્તમ વસ્તુને અંગીકાર કરવા લોકે કેમ દોડાદોડ કરતા નથી ?” ભગવાને કહ્યું, “પાંચ ઇન્દ્રિયના વિષયે તેમને ખાળે છે. ધર્મ ઉપર તેમની દષ્ટિ પડી નથી, ધર્મ સુખકારક લાગે નથી. ખાખરની ખિસકેલી સાકરને સ્વાદ શું જાણે? જો ધર્મને સ્વાદ ચાખે તે તેને પછી મૂકે નહીં.” “પુદગલ અનુભવ ત્યાગથી કરવી જસુ પરતીત હો મિત્ત, કર્યું જાણું કર્યું બની આવશે, અભિનંદન રસ રીતિ હે મિત્ત.” પરમકૃપાળુદેવનાં વચનમાં જે રસ ભર્યો છે તે ચાખવા વૈરાગ્ય ઉપશમની જરૂર છે. છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૨૦૬ અગાસ, શ્રાવણ સુદ ૧૫, શનિ, ૧૯૯૬ જીવ્યા જીવન રાજચંદ્ર ભગવાન જે, અશરીરી ભાવે દુષમ આ કળિકાળમાં રે ; રહે ન જેને દેહધારી રૃપ ભાન જે, અવિષમ ઉપયોગી એ ગુરુ રહો ખ્યાલમાં રે લે. (પ્રજ્ઞાવબેધ–૩૯) તીર્થક્ષેત્ર સશાંતિધામ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસથી લિ. પુરુષના ચરણકમળની સેવાને ઈરછક દાસાનુદાસ બાળ ગવર્ધનના જય સદ્ગુરુવંદન સ્વીકારવા વિનંતી છે. વિ. આપને પત્ર મળ્યો. આપે દર્શાવેલા ભાવ માટે મારી યોગ્યતા નથી. પરમકૃપાળુદેવ પ્રત્યે તે ભાવ કર્તવ્ય છે. આપણે સર્વે પરમ પુરુષ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુનાં બાળ છીએ. ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ આપણને તેમના હાથમાં સેપ્યા છે. તેમની અનહદ કૃપાથી આ કળિકાળમાં આપણું મન ભક્તિ કરવા ભણી વળ્યાં છે. એવા પરમ પુરુષને વેગ આપણને વધારે વખત ન રહ્યો એ આપણા મંદ ભાગ્ય ગણવા ગ્ય છે. તેવા પરમ સત્સંગના અભાવે તેને માર્ગે ચાલનાર તે પરમ પુરુષને પોતાના પ્રાણ તુલ્ય ગણનારાં ભાઈબહેને એ આપણાં સગાંસંબંધી ગણવાયેગ્ય છે, કારણ કે તેમની સેબત કે સત્સંગથી આપણામાં જે મહાપુરુષે મંત્ર આદિ આજ્ઞારૂપ બીજ વાવ્યું છે તેનું પોષણ કરવા સત્સંગની જરૂર છે. પણ પરમ પુરુષ શ્રીમદ્ રાજચંદ્ર ગુરુ પ્રત્યે જે અનન્ય પ્રેમ કરવો ઘટે છે, તેમની પૂજા પ્રભાવના કે આશ્રય જેટલા પ્રેમથી કર ઘટે છે તેટલે પ્રેમ કોઈ પણ માણસ કે દેવાદિ પ્રત્યે અત્યારે કરવા યોગ્ય નથી. એટલે હદયમાં જીવતા સુધી સાંભરે તે પ્રકારે કતરી રાખવા યોગ્ય છે. પ્રભુ, આ વાત આપે સાંભળી હશે તે પણ ફરી ફરી સ્મૃતિમાં રાખવા યોગ્ય હોવાથી લખી જણાવી છે. આ ઉપરથી તે સામાન્ય શિખામણ જેવી લાગશે પણ વાંચન, વ્રત, નિયમ, પૂજા, ભક્તિ આદિ બધી ધાર્મિક ક્રિયાને આધાર પરમ પુરુષ શ્રીમદ્ રાજચંદ્ર દેવ પ્રત્યે પ્રેમ છે. તે જેને વધારે હશે તે સર્વ સંતેને પ્રિય છે. તેમાં જેને જેટલી ખામી છે તે પૂરી કર્યો છૂટકો છે. કારણ કે જેને જન્મમરણથી છૂટવું છે તેણે તે પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રની અનન્ય ભક્તિથી ઉપાસના કરવી જ પડશે. તેઓશ્રીએ પિતે જ લખ્યું છે કે – “ઈશ્વરેચ્છાથી જે કઈ પણુ જીવનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત હશે તે તે તેમ થશે, અને તે બીજેથી નહીં પણ અમથકી, એમ પણ અત્ર માનીએ છીએ.” (૩૯૮) Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ પત્રસુધા પૂ. ને જણાવશે કે જગત દુઃખથી ભરેલું છે, તેના તરફ જયાં સુધી દષ્ટિ, પ્રેમ, વાસના હજી વળગી રહેશે ત્યાં સુધી દુઃખથી કદી છુટાય એવું નથી. માટે દેહની ઓળખાણ અને દેહની સગાઈ છેડી હવે આ આત્માની શી વલે થશે? અને તેને કેને આધાર છે? અને બિચારા પિતાના જીવને પારકી પંચાતમાં દુઃખી કરે છે તે તેની દયા કયારે ખાશે? તે આત્માને સુખી કરે તેવું કંઈ વાંચન, વિચાર, સત્સંગ સાધવાને વિચાર રાખી લેકલાજને ભાર ખસેડી આત્માને માટે કાળ ગાળવા કંઈક દાઝ રાખવાનું લખ્યું છે, એમ તેમને જણાવશે. અને આપણે બધાને પણ તે જ કર્યું છૂટકે છે તે ભૂલશો નહીં. એ જ વિનંતિ. ૨૯૭ અગાસ, તા. ૨૬-૮-૪૦ : - તત સત શ્રાવણ વદ ૮, સેમ, ૧૯૯૬ ત્રણ સંબંધે આવી મળ્યાં સુત વિત્ત દારા ને દેહ લેવા દેવા જ્યાં મિટે, મારગ લાગશે તેહ, નિશે જાણો રહેવું નથી, જૂઠો જગત વિશ્વાસ; એથી રહેજે તું અળગે, આઠે પહર ઉદાસ. ફેગટ ફંદ સંસારને, સ્વારથને છે નેહ, અંતે કોઈ કોઈનું નથી, તું તે તેહને તેડ. ખેળે છેટું સર્વે પડે, ન જડે નામ ને રૂપ; બાંધી રૂંધી ઊભું કર્યું, જેવું કાષ્ઠ સ્વરૂપ. વીતરાગતા સૂચક, વીતરાગ મહાપર્વ; વીતરાગતા કારણે, આરાધે નિઃગર્વ. પૂ...નાં ધર્મપત્નીની માંદગી સંબંધી પત્ર આજે મળે છે. તેમને જણાવશે કે પૂર્વે જીવે જે પાપ કરેલાં તેના ફળરૂપે આ દુઃખ દેખવું પડે છે. તે થાય છે દેહમાં અને અજ્ઞાનથી મને થાય છે એમ જીવ માની લે છે. સુખ અને દુઃખ બને મનની કલ્પના છે અને તે કરવા યોગ્ય નથી એમ જ્ઞાની પુરુષોએ જણાવ્યું છે તે ભૂલીને હું દુઃખી છું, મારાથી રહેવાતું નથી, હવે મરી જવાશે, છોકરાનું હવે શું થશે? મારી ચાકરી કેઈ કરતું નથી, મારું ઘર, ધન, સગાં બધાં મૂકવાં પડશે, આદિ પ્રકારે ફિકરમાં જીવ પડે છે તે આર્તધ્યાન કહેવાય છે, તે પાપરૂપ છે. તે વખતે જીવ આયુષ્ય બાંધે તે તિર્યંચગતિ એટલે હેર-પશુમાં જવું પડે તેવું આયુષ્ય બાંધે છે એટલે તેનું ફળ દુઃખ જ આવે છે. આમ જીવ દુઃખ કે અશાતા વખતે શરીરમાં વૃત્તિ રાખીને દુઃખી થવાને વેપાર કરી દુઃખની કમાણી કરે છે તેને જ્ઞાની પુરુષે વારે છે કે કઈ પણ કારણે મુમુક્ષુ આધ્યાન ન થવા દેવું અને તેમ થાય તે પશ્ચાત્તાપ કરી જ્ઞાનીએ આપેલું સાધન, મંત્ર, વિસદેહરા, ક્ષમાપના, આત્મસિદ્ધિ આદિ જે મુખપાઠ કરેલું હોય તેમાં ચિત્તને રોકવા પુરુષાર્થ કરે તે બચી શકાય તેમ છે. કૂવામાં પડેલા માણસને તરતાં ન આવડતું હોય પણ ભાગ્યયોગે દોરડું લટકતું ઉપર ચઢાય તેવું હાથ લાગી જાય તે તે બચી શકે તેમ તે પ્રસંગે મંત્રનું સ્મરણ બહુ ઉપયોગી છે”. ભક્તિમાં ભાવ રાખવે Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ બેધામૃત ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીનાં દર્શન સમાગમ કે બધમાંથી જે યાદ આવે તેમાં વૃત્તિ રાખવાથી જીવનું કલ્યાણ થવા યોગ્ય છે”. સંસારમાં કે દેહમાં મન ભટકતું રેકવાને પુરુષ, તેનાં વચન અને તેનું આપેલું સાધન ઉત્તમ ઉપાય છેજી. કોઈ પણ પ્રકારે રોગ મટાડવા જેમ ઉપાય માંદા માણસના કરીએ છીએ તેને કરતાં વધારે અગત્યનું કામ તેના ભાવ ભક્તિ આદિમાં શુભભાવમાં વળે તેમ કરવાથી અત્યારે પણ તેને દુઃખ વિસારે પડે અને નવાં કર્મ બંધાતાં પલટાઈ જાય; નિજેરાનું કારણ બનેને સાંભળનારને તથા સંભળાવનારને થાય. લૌકિક રીતે જોવા જવું અને ખબર પૂછવી તેના કરતાં તેને સત્પરુષની, તેના ઉપદેશની સ્મૃતિ આવે તેમ મુમુક્ષુ સર્વેએ વર્તવા ગ્ય છેજ. ખરી રીતે તે જેના પરમાર્થ માર્ગ પ્રત્યે ભાવ મંદ પડતા જાય છે, તે માંદો છે અને મંદવાડમાં પણ જે ભાવ ચડતા રહેતા હોય તે તેને દેહ માંદો છે ને જીવ સાજે છે એમ છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૨૦૮ અગાસ, તા. ૨૯-૮-૪૦ તત કૅ સત શ્રાવણ વદ ૧૧, ગુરુ, ૧૯૯૬ આત્મજ્ઞાન મુજમાં નથી, ભક્તિમાર્ગ ન લેશ; ભવજળ કેમ કરાય તે, તારક રાજ વિશેષ. વિ. આપને પત્ર પ્રાપ્ત થયું છેજી. આપના સદૂગત પિતાશ્રી સંબંધી સમાચાર લખ્યા તે વાંચી તેમને શુભભાવથી તેમની શુભગતિનું અનુમાન થાય છે. વૃદ્ધાવસ્થામાં પણ છેવટે પરમકૃપાળુદેવ પ્રત્યે તેમને આપના નિમિત્તે પ્રેમભાવ, ગુરુભાવ થયે હતે એ તેમની સાથે ગયે; સગાં, ઘર, ઘરેણાં, પુત્રાદિ બધાં પાછળ પડી રહ્યાં એ પ્રત્યક્ષ આપણે જોયું. તે ઉપરથી જે જીવની સાથે જાય છે એ ધર્મ આરાધવાની બુદ્ધિ દરેકે વધારવા ગ્ય છેજ. શા માટે આ મનુષ્યદેહ આપણે પામ્યા છીએ, અને રાતદિવસ કેવા કામમાં તેને ગાળીએ છીએ? આપણે બધાએ દરરોજ વિચારી જે ઉત્તમ કાર્ય માટે ઉત્તમભવ મળે છે તેનું આરાધન ઉત્તમ રીતે કરી લેવા તત્પરતા વધારવી ઘટે છેજી. પર્યુષણ જેવા ઉત્તમ પર્વના દિવસોમાં લૌકિક ઉત્તરક્રિયાની રડવા-કૂટવાની કુરૂઢિઓ નહીં અનુસરતા હે એમ ધારું છું. આપણા વડીલના નિમિત્તે કેઈને સધર્મ પ્રત્યે વૃત્તિ થાય તેવું વાચન, ભક્તિ, સ્મરણ આદિ લૌકિક રિવાજને બદલે રખાય તે સ્વ-પર બનેને હિતકારક છે. બેરસદના પૂ...ને હમણાં જ થોડા દિવસ ઉપર અચાનક દેહ છૂટી ગયો. તેમના કુટુંબના બધાં સંસ્કારી હોવાથી તેમણે રડવા-કૂટવાનું બંધ કરી વચનામૃત વાંચવાને નિયમ રાખે છે તે જે આવે તે સાંભળે અને સદ્દગતને પરમકૃપાળુદેવ તથા પ. પૂ. પ્રભુશ્રીજી તરફ જે ભાવ હતો તેની વાત કરતા કે સાંભળતા જાય તેવું નિમિત્ત રાખ્યું છે, તે સર્વ મુમુક્ષુઓને દષ્ટાંતરૂપ છે તે જાણવા સહજ આપને જણાવ્યું છે. બાકી “કઈ પણ કારણે આ સંસારમાં લેશિત થવાયોગ્ય નથી” (૪૬૦) એવું પરમકૃપાળુદેવનું વચન છે તે સ્મૃતિમાં રાખી આત્મકલ્યાણને લક્ષ ન ચુકાય તેમ વ્યવહારમાં પ્રવર્તતા રહી નિવૃત્તિ, સત્સંગ, ભક્તિની ઈચ્છા રાખ્યા કરવી ઘટે છે. જી શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #234 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૨૧૧ ૨૦૯ અગાસ, તા. ૧-૯-૪૦ તત્ છે. સત્ શ્રાવણ વદ ૧૪, રવિ, ૧૯૯૬ દેહા –“સદ્દગુરુની કરુણ થકી ઊપજે આતમજ્ઞાન; સંશય શેક ટળે બધા, થાય પરમ કલ્યાણ. સ્મરણ કરશે પ્રીતથી, તજી દેહ અભિમાન, નિત્ય નવીન ઉત્સાહથી, ધરજે પ્રભુનું ધ્યાન. રંગ લગાડી ઈષ્ટને, ગણજે અન્ય અસાર, ગુરુપદે મન રાખીને, તરજે આ સંસાર. સત્ય વિનયયુક્ત બોલજે, નવ જેશ પરદોષ, સ્વદોષ સર્વે ત્યાગ, તેથી થશે સંતેષ.” પૂ. શેઠજીને વેદનીયકર્મ ભારે હોવા છતાં તેમને પુરુષાર્થ તેને હઠાવે તે ભારે છે તેથી તેમને માંદગીને કારણે ભાવવ્યાપારમાં ખેટ જાય તેવું તેમણે રાખ્યું નથી. બહારની ઉપાધિ સગાં-ઓળખીતાં ઘણું હોવા છતાં તે સર્વે તરફ પૂઠ ફેરવી પરમકૃપાળુદેવના માર્ગનું આરાધન એકનિષ્ઠાએ તેમણે કરવા માંડ્યું છે. પુરુષના આશ્રિતને સદ્દગુરુદેવની કૃપાથી, બીજા ને આર્તધ્યાન થાય તેવા પ્રસંગે ધર્મધ્યાન થયા કરે છે, એ ચમત્કાર આ કળિકાળમાં પ્રત્યક્ષ નજરે જોવાય તેમ છે. લગભગ આશ્રમના કામે યથાશક્તિ સેવામાં રહેલાઓની મદદથી તેઓ વર્યા જાય છે અને શ્રદ્ધા જે દઢ થયેલી છે તે તે સદાય સાથે જ રહે. “ફિકરકા ફાકા ભર્યા તાકા નામ ફકીર” એવી દશા સહજ કરી મૂકવા ગ્ય છે. પરમકૃપાળુદેવ તથા પ્રભુશ્રીજીના જણાવ્યા પ્રમાણે તેમને વાચન વગેરેમાં લક્ષ છે. બીજું, આપે છપદના પત્રને છેલ્લે ભાગ સ્પષ્ટ સમજવા પત્રમાં જણાવ્યું હતું તે વિષે – લાખ રૂપિયા ખરચીને ભક્તજને દેરાસરની રચના કરે છે, તેના કરતાં કરોડગણી કીમતી છપદના પત્રની રચના છે. પરમકૃપાળુદેવે યોગ્યતા દેખીને પ. પૂ. પ્રભુશ્રીને જ્ઞાનદાનરૂપ એ પત્ર મોકલ્યા છે. જેમ દેરાસર ઉપર સેનેરી કળશ શોભે છે તેમ છપદના પત્રને એ છેલ્લે ભાગ નમસ્કારરૂપે શેભે છે. પુરુષને શા માટે નમસ્કાર કરીએ છીએ તે વાત તેમાં જણાવી છે. પુરુષનાં વચને ભવસાગર તરવા માટે સફરી જહાજ છે, તે જણાવતાં કહે છે? જે કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી (સપુરુષની કૃપાથી સમ્યક દષ્ટિ થયા પછી કેવી ભાવના આત્મા વિષે રહે છે તે કહે છે), પણ જેના વચનના વિચાગે (સપુરુષનાં વચનને વિચાર યથાર્થ થાય તેનું ફળ કહે છે) શક્તિપણે કેવળજ્ઞાન છે એમ સ્પષ્ટ જાર્યું છે. (દીવાસળીની પેટી પાસે પડી હોય ને કઈ કહે દીવા વિના અંધારું છે, તેને કેઈ કહે કે તારી પાસે દીવાસળીની પેટી છે તે સળગાવી દી કર, તે સાંભળી તેને જેમ મૃતિમાં આવી જાય કે હા, હવે ગભરાવાની જરૂર નથી, જરૂર દીવાસળી ઘસી કે અંધારું જતું રહેશે.) (પરમકૃપાળુદેવે પત્રાંક ૧૫રમાં લખ્યું છે કે આજે પદ કર્યું “કેવળજ્ઞાન હવે પામશું પામશું, પામશું રે”) શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું છે (આત્માની જેને પ્રતીતિ થઈ તેને આત્માના કેવળજ્ઞાનાદિ ગુણેની પણ પ્રતીતિ થાય છે. “સર્વ ગુણાંશ તે સમ્યક્ત્વ” (૫) એમ પરમ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૨ બાધામૃત કૃપાળુદેવે સમકિતની વ્યાખ્યા કરી છે તેા સમ્યક્ત્વને કેવળજ્ઞાનનેા 'શ પણ કહેવાય : “વહુ કેવલકા ખીજ જ્ઞાની કહે”) વિચારદશાએ કેવળજ્ઞાન થયું છે (પૂ. સાભાગભાઈ તથા પૂ. ડુંગરશીભાઈ ઉપરના પત્રોમાં કેવળજ્ઞાનની જે ચર્ચા કરેલી છે તે કેવળજ્ઞાન સંબંધી વિચારાનું ફળ છે. જેને જેવા થવું હાય તેને તે વિચાર કરે છે, સભ્યષ્ટિ પ્રાપ્ત કરવી છે તે તેના વિચાર કરે છે, મુનિ થવું હોય તે તેના વિચાર કરે છે ને જેને કેવળજ્ઞાન પ્રાપ્ત કરવું છે તે તેના વિચારમાં રહે છે. કાઈ બ્રહ્મરસના ભોગી, કોઈ જાણે વિરલા ચેાગી” એમ જેની મુમુક્ષુદશા વ માન થઈ સમકિતઃશા પ્રગટી ને સ્થિતપ્રજ્ઞદશા પહેલાં વિચારદશા હોય છે તે વિચારદશામાં જેને કેવળજ્ઞાનના જ વિચાર રહ્યા કરે છે), ઇચ્છાદશાએ કેવળજ્ઞાન થયું છે (ભાવના જેના હૃદયની ખીજી નથી, માત્ર કેવળદશાની જ ભાવના રહે છે), મુખ્ય નયના હેતુથી કેવળજ્ઞાન વર્તે છે (નિશ્ચયનય તે મુખ્ય નય છે, આત્માને નિર્વિકલ્પદશા તરફ દોરી જનાર અને સૃષ્ટિને સમ્યક્ કરનાર નિશ્ચયનય છે, તે મુખ્ય નયના અભ્યાસ થઈ જતાં માત્ર આત્મા જ શુદ્ધ રીતે જેની દૃષ્ટિમાં રમ્યા કરે છે અને સર્વ અવ્યાબાધ સુખ-મેાક્ષનું કારણ પણ તે જ છે એટલે કેવળજ્ઞાનની સડક જેવા નિશ્ચયનયથી કેવળજ્ઞાન વર્તે છે), તે કેવળજ્ઞાન સર્વ અવ્યાબાધ સુખનું પ્રગટ કરનાર (સાચું આત્મજ્ઞાન, શુદ્ધ આત્મસ્વરૂપનું ભાન), જેના યેાગે સહેજમાત્રમાં જીવ પામવા ચેાગ્ય થયા (સત્પુરુષને પ્રભાવ કેવે છે? કેવળજ્ઞાનની નજીક, કેવળજ્ઞાનને ચેાગ્ય બનાવી, સમીપમાં મૂકી દે), તે સત્પુરુષના ઉપકારને સત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર હા! નમસ્કાર હા !!’” ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૨૧૦ તત્ સત્ અગાસ, તા. ૮-૯-૪૦ ભાદરવા સુદ ૭, ચિત્ર, ૧૯૯૬ વેઠવું છે તેને થાડો ભાગ પણ અનંતકાળના પરિભ્રમણમાં આ જીવે પરવશપણે ઘણું – જો સ્વવશ – જાણીજોઈ ને ખમીણૢ દે તા ચિત્ત સમભાવ ભણી આવે અને ઘણાં કર્યાં ખપાવવાનું અને તેમ છે. નરકમાં જીવ જે જે દુઃખા લાંખા કાળ સુધી વેઠે છે તેને સેમા ભાગ પણ આ મનુષ્યદેહમાં દુઃખ દેખાવાના સાઁભવ નથી. પૂર્વે કરેલાં પાપનાં ફળરૂપ જે વ્યાધિ વેદના જણાય છે તે તે પૂર્વાંનું દેવું ચૂકે છે એમ જાણી સમભાવ ધારણ કરી, સત્પુરુષના આશ્રયે ધીરજ રાખી જે જે દુઃખ આવી પડે તે ખમીખૂંદવાના અભ્યાસ પાડી મૂકનારને મરણુ વખતે ગભરામણ થતી નથી. આપણા જેવા ઘણા જીવા જગત ઉપર મનુષ્યનામધારી ફરે છે, પણુ જેને સત્પુરુષનાં દર્શન થયાં છે અને જેને આત્મજ્ઞાની પુરુષે કોઈ આત્મહિતકારી સાધન આપ્યું છે અને તે સાધનને મરણ સુધી ટકાવી રાખી, તેને આશ્રયે દેહ છેડવાની જેની તૈયારી છે તેવા જીવા વિરલા છે; તેવા ભાવ જેના અંતરમાં નિશદિન વર્તે છે અને યથાશક્તિ તે ભાવને જે આરાધે છે તેને જાણ્યે-અજાણ્યે આ ભવમાં જે કરવું ઘટે તે થયા કરે છે, સ્વરૂપસ્થિતિને યા તે જીવ થાય છેજી. મરણુ વખતે કે વેદના વખતે કોઈ કોઈ ને બચાવી શકે એમ નથી, પરંતુ સત્પુરુષની શ્રદ્ધાથી ભાવ દેહમાંથી છૂટી આત્મહિતકારી સાધનમાં રખાય તે તે જીવને આગળ વધારનાર, સદ્ગતિ પ્રાપ્ત કરાવનાર છેજી. Page #236 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૨૧૩ “જ્ઞાની કે અજ્ઞાનીજન, સુખદુઃખરહિત ન કોય; જ્ઞાની વેદે ધૈર્યથી, અજ્ઞાની વેદે રેય.” (૧૫) આમ ધીરજ રાખી આવી પડેલાં દુઃખમાં સ્મરણમંત્ર એ ઉત્તમ દવા છે એ નિશ્ચય સખી તે પ્રમાણે રાતદિવસ જ્ઞાનીની આજ્ઞામાં વૃત્તિ જોડી રાખવાથી ચિત્તસમાધિ કે આનંદ ઊપજે છે. બીજા લોકોને પુરુષને આશ્રય નહીં હોવાથી જે માંદગી આર્તધ્યાનનું કારણ બને છે તે પુરુષના આશ્રિત જીવને ધર્મધ્યાનનું કારણ બને છેજી તે વિચારે છે કે હવે શેડો કાળ આ મનુષ્યદેહમાં રહેવાનું છે તે નકામે વખત આળપંપાળમાં ગાળવાયેગ્ય નથી, પણ પુરુષે દર્શાવેલા સાધનથી જરૂર મારા આત્માનું હિત જ થશે એ વિશ્વાસ રાખી તેના બતાવેલ માર્ગે તે વધારે બળ કરી મન તેમાં જ જોડી રાખે છે. આ દેહ છૂટી ગયા પછી કીડી-મકોડી કે કાગડા-કૂતરાના ભવ લખચોરાશીમાં ભમતાં મળે તેમાં કંઈ આત્મહિત થવાનું નથી, માટે હવે પ્રમાદ કરવા યોગ્ય નથી, ચેતી લેવા જેવું આપણે સર્વને જી. ૨૧૧ અગાસ, તા. ૮-૯-૪૦ તત્ સત ભાદરવા સુદ ૭, રવિ, ૧૯૯૬ છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ-મૂળ, એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ-મૂળ.” આપે પૂછેલા પ્રશ્નનો ઉત્તર નીચે લખે છેજ. પુરુષાર્થ કરીએ અને કામ ન બને ત્યાં પ્રારબ્ધને દોષ છે એ વાત ખરી, પણ પુરુષાર્થ નિષ્ફળ જતું નથી. એક વાર ખેતર ખેડીને વાગ્યું હોય પછી વરસાદ ન વરસે તે ઊગેલું સુકાઈ જાય, પણ ખેડાયેલું જતું રહેતું નથી; જમીન સુધરી છે તે ફરી વાવતાં વાર ન લાગે. આપણે જે ફળ લાવવું હતું તે અમુક વખત સુધી આવેલું ન દેખાય, તે પણ સવિચારસહ પુરુષાર્થ કર્યા કરવાથી જરૂર આત્મા સંસ્કારી, સહનશીલ અને સભાવનાવાળે બને છે જી. બીજું, છઠ્ઠ પદ સંબંધી પૂછયું તેને ઉત્તર : જ્ઞાન, દર્શન, સમાધિ વિષે “પંથ પરમપદ બેધ્યો” એ પદમાં પરમકૃપાળુદેવે જણાવ્યું છે કે (૧) દર્શન = સર્વજ્ઞ ભગવાને જડ ચેતન પદાર્થો જેમ દીઠા છે તેવી ખરેખરી ખાતરી થાય તેને ભગવાને સમ્યફદર્શન કહ્યું છે. “મૂળમાર્ગમાં પણ તે જ વાત બીજારૂપે કહી છે કે સદ્દગુરુના ઉપદેશથી દેહ અને આત્મા ભિન્ન છે એમ જે જ્ઞાનથી જણાય છે વા જ્ઞાનલક્ષણથી જેનું સ્વરૂપ જણાય છે તે આત્માની શુદ્ધ પ્રતીતિ થવી તે સમ્યક્દર્શન કે સમકિત છે એમ ભગવાને કહ્યું છે. (૨) જ્ઞાન = જડ અને ચેતન પદાર્થોનું સ્વરૂપ સમ્યફપ્રમાણુ સહિત જેનાથી જણાય અને જેમાં સંશય (આવું સ્વરૂપ હશે કે આવું?), વિભ્રમ (હોય તેથી ઊલટું માનવું, છીપના ચળકતા કકડાને ચાંદી માની લે તેમ), અને મેહ (બેદરકારી છીપ હશે કે ચાંદી હશે તેય આપણે શું; પ્રમાદને લીધે નિર્ણય ન થે કે નિર્ણય કરવાનો વિચાર પણ ન ઊગ) એ ત્રણ દોષો ન હોય તેને સમ્યકજ્ઞાન કહ્યું છે. બીજારૂપે “મૂળમાર્ગમાં કહ્યું કે દેહાદિથી આત્મા ભિન્ન Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ બેધામૃત છે, જ્ઞાનલક્ષણવાળ અને અવિનાશી આત્મા છે એવું સદ્દગુરુના ઉપદેશથી જાણવું તે આત્મજ્ઞાન કે સમ્યકજ્ઞાન છે. (૩) સમાધિ = પાંચ ઇદ્રિના વિષય તથા હિંસાને ત્યાગ કરી રાગદ્વેષ તજે; તથા સફદર્શન હોય તે તેને શુદ્ધ ચારિત્ર કે સમાધિને સદુપાય કહ્યો છે. અથવા “આત્મપરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર “સમાધિ કહે છે.” (પ૬૮) મૂળમાર્ગમાં આત્માની પ્રતીતિ આવી, સર્વથી ભિન્ન અસંગસ્વરૂપ જાણ્યું તે સ્થિર સ્વભાવ પ્રગટે તે શુદ્ધ વેષવ્યવહારથી ભિન્ન (અલિંગ) ચારિત્ર જાણવું. તે જ સમાધિ છે. (૪) વૈરાગ્ય = પુરુષ પ્રત્યે અત્યંત પ્રેમ પ્રગટતાં જગતના છે કે અન્ય પદાર્થોનું અણગમવું; મંદવાડમાં જેમ સારી સારી રઈ પણ રુચતી નથી, તેમ આત્મસ્વરૂપ સમજાયા પછી કે તેનું કારણ પુરુષનું ઓળખાણ થયે અન્ય પદાર્થોમાંથી રુચિ ઊઠી જીવ આત્મહિતની નિરંતર વિચારણા કરે, તેમાં બીજા પદાર્થો વિશ્નરૂપ લાગવાથી ઉદાસીનતા રહે છે: “અધ્યાત્મકી જનની અકેલી ઉદાસીનતા.” આત્મા માટે જીવ તલપાપડ થાય, બીજે ક્યાંય મનને ગોઠે નહીં તે વૈરાગ્ય. (૫) ભક્તિ = વૈરાગ્ય અને ભક્તિમાં ઝાઝો ફેર નથી. પુરુષની કે આત્માની ભક્તિ, તેમાં ને તેમાં વૃત્તિની રમણતા રહેતી હોય તે સ્વાભાવિક રીતે સંસારની વિસ્મૃતિ થાય છે. તે વિસ્મૃતિ, અલ્પ મહત્તા તે વૈરાગ્ય; અને પરમ પુરુષમાં તન્મયતા તે ભક્તિ. સાધન કે નિમિત્ત આશ્રયી મોક્ષના ઉપાયમાં ભેદો ગણાવ્યા છે પરંતુ પરિણામની અપેક્ષાએ તે આત્માની ઉપાસના કે આત્મ-પ્રાપ્ત પુરુષની શ્રદ્ધા, તેનું ઓળખાણ અને તેના પ્રેમમાં તન્મયતા તે મોક્ષમાર્ગ છે. આત્માને ઉદ્ધાર કરનાર આત્મા છે. પુરુષના વચનના અવલંબને જીવે જાગ્રત થવાનું છે”. “જબ જાએંગે આતમા તબ લાગેગે રંગ.”— શ્રીમદ્ રાજચંદ્ર એ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૨૧૨ અગાસ, તા. ૧૩-૯-૪૦, શુક્ર શ્રીમદ્ રાજચંદ્ર ગુરુ જ્ઞાની – શરણે મુજ હિત સાધું રે, ભવ ભમતાં અતિ કષ્ટ પા ચરણ શરણ આરાધું રે. શ્રીમદ્ એવા સદ્દગુરુ સમીપ વસતાં દિનદિન દશા વિચારું રે, અપૂર્વ ગુણના આદરથી હું ગુરુ - શિક્ષા ઉર ધારું રે. શ્રીમદ્ વિષય- કષાય વિદેશ જતા રહે, સ્વપ્ન પણ નહિ દેખું રે, ઉપશમ રસમાં નિત્યે ન્હાતાં દેહ કેદ નહિ લેખું રે. શ્રીમદ્ (પ્રજ્ઞાવબેધ - ૬૭) બીજા છ પ્રત્યેનું વર્તન સારું રાખવું એ નીતિ છે અને તે ધર્મને પાયો છે, તેમ જ પિતાના આત્મા પ્રત્યે પણ બેદરકારી ન રાખતાં તેની દયા ખાઈ તેને જ્ઞાનીની આજ્ઞામાં પ્રવર્તાવવાને લક્ષ રહે, તે ધર્મ સ્વરૂપ છે. અનેક મુદ્ર ભામાં ભટકતાં ભટક્તાં આ જીવ દુઃખી દુઃખી થઈ રહ્યો હતે તે કઈ કૃપાળુની કૃપાથી મનુષ્યભવ નહોતે તે વખતે એવા કોઈ સદાચરણમાં વર્તી પુણ્યસંચય કરી મનુષ્યભવ પામે, ઉત્તમ ફળ પામ્ય, દીર્ઘ આયુષ્ય પામ્ય, શ્રવણ Page #238 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૨૧૫ આદિ ઇન્દ્રિય ખામી વગરની પાસે, સરુષને વેગ પામ્ય, તેને બંધ પામ્યો, તેની અનંત કરુણાથી તેને ઉદ્ધાર થાય તે અનુપમ મંત્ર પામ્ય, તેથી મારા આત્માનું હિત જરૂરી થશે એવી સારી ભાવનારૂપ શ્રદ્ધા પણ પામે; હવે તે પુરુષને આશ્રયે તેના કહ્યા પ્રમાણે વર્તવાને જે આ જીવ નિશ્ચય કરી તે નિશ્ચયને મરણપર્યત તજે નહીં તે તેને કેટલે બધે લાભ થાય? બસે-પાંચ રૂપિયાનો લાભ થતા હોય તે મુંબઈ સુધી દોડી જાય, પણ જે પરભવમાં પણ ભાથારૂપ થાય તેવા સત્સાધન માટે બે ઘડી નવરાશ લેવી પડે તે જીવને ટાઢ ચઢે છે. થોડી વાર મારે બીજા વિચાર કરવા નથી, માળા ગણતાં સુધી કે ભક્તિ કરતાં સુધી બધું ભૂલી જવું છે એમ વિચાર કર્યા છતાં કેમ મન ઠેકાણે નહીં રહેતું હોય? કેમ કે તેણે સુખની કલ્પના બીજી વસ્તુઓમાં કરી છે. જ્યાં જ્યાં મનને ગમે છે ત્યાં ત્યાં તે વારંવાર જાય છે. માટે સપુરુષનું કહેવું મનને ગમે, તેવું કરવા વિશેષ પુરુષાર્થની, વિશેષ સત્સંગની, સન્શાસ્ત્રના અભ્યાસની જરૂર છે. તેમાં વિઘ કરનાર દેશે નહીં ટાળીએ તે સમાધિમરણ કેમ થશે? એવી જીવને હજી ફિકર પિડી નથી. માટે વિશેષ વિશેષ વિચાર કરીને વિષય કષાય આદિની તુચ્છતા ઘડીએ ઘડીએ પ્રસંગે પ્રસંગે વિચારી મનને ચેતાવતા રહેવાથી તેને ધર્મ ધ્યાનમાં રહેવાની ટેવ પડશે. નહીં તે આર્તધ્યાન કરી ઢરપશુની ગતિમાં ખેંચી જાય તે મનને નીચે ઢાળે છે. તેથી ચેતીને ચાલનારની સદ્ગતિ થશે અને કાળજી નહીં રાખે તે લક્ષ ચોરાશીના ફેરા પૂરા હજી થયા નથી ને અનંતકાળથી જન્મમરણ કરતે આવ્યો છે તેવાં હજી કરવાં પડશે. અત્યારે કેઈ ગધેડો કહે તે ચિડાય છે પણ ગધેડે થવું પડશે. તે ટાળવા હવે કેડ બાંધી મંત્રમાં મંડી પડવું. એ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૨૧૩ અગાસ, તા. ૧૩-૯-૪૦ તતુ કે સત્ ભાદરવા સુદ ૧૨, શુક્ર, ૧૯૯૬ આપને પત્ર પ્રાપ્ત થયું છે. તેમાં જણાવેલા ભાવ પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રત્યે કર્તવ્ય છેજી. આપણે સર્વ તે અત્યંત પરાક્રમી પરમ પુરુષની ચરણરજના આરાધક છીએ. નાનાં બાળક જેમ માતાના સ્તનપાનથી પિષણ પામી ઊછરે છે તેમ તે મહાપુરુષનાં વચનરૂપ અમૃતનું પાન કરી આપણે આ ભવરેગથી થતી અસહ્ય પીડાને શમાવવાનો પુરુષાર્થ કરી રહ્યા છીએ. તે પુરુષના યુગબળે ૫. ઉ. પ. પૂપ્રભુશ્રીજીને લાભ આપણને મળે છે અને તેમના સમાગમ બેધની સ્મૃતિ કરી તેના આધારે આ આયુષ્યનાં જેટલાં વર્ષો ગાળવાનાં સર્જિત હશે તે આપણે તે આત્મજ્ઞાની ગુરુની ભક્તિની વૃદ્ધિ કરી ગાળવા પુરુષાર્થ કરવાને છે. “એક મત આપડી અને ઊભે માર્ગે તાપડી” – એવી શિયાળની વાત પૂ. પ્રભુશ્રીજી કરતા, તેમ તેમણે પરમકૃપાળુદેવની ભક્તિ આપણને કરવા કહ્યું તે એકનિષ્ઠાએ કઈ બીજાના તરફ દષ્ટિ કર્યા વગર કર્યો જઈશું તે અવશ્ય કલ્યાણ થશે. આપણે સ્વછંદ રોકી તેની આજ્ઞાને માથે ચઢાવી બને તેટલે પુરુષાર્થ શક્તિ ગેપડ્યા સિવાય કર્યા જવાની આપણી ફરજ છે, અને તે કરીશું તે પરમકૃપાળુદેવ તે કૃપાના ભંડાર જ છે, તેમને ફળ આપવાની વિનતી પણ કરવા જેવી નથી. વગર ચિંતવ્ય ફળ આપે એવા વીતરાગ ભગવાનને ધર્મ Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ બધામૃત અચિંત્ય ચિંતામણિ કહેવાય છે તે પામીને પ્રમાદ કરીએ એટલે આપણે વાંક છે. નહીં તે અવશ્ય સતના આરાધનથી સની પ્રાપ્તિ થાય જ, તેમાં કંઈ સંશય નથી. તે વાત પ્રત્યક્ષ અનુભવ કરીને પ. પૂ. પ્રભુશ્રીજીએ આપણને કહ્યું છે. “વીમો ઉતરાવીએ છીએ” એમ પણ કહેતા. “પરમકૃપાળુદેવની ભક્તિ કરનારને વાંકે વાળ થાય તેના અમે જોખમદાર છીએ, પણ પિતાને સ્વછંદ ઉમેરે તે અમે જવાબદાર નથી", એમ પણ કહેતા હતા તે લક્ષમાં રાખી પરમકૃપાળુદેવની ભક્તિમાં અરિહંત, સિદ્ધ, પ્રભુશ્રીજી આદિ સર્વ આવી જાય છે, આપણે આત્મા પણ તેમાં આવી જાય છે, આત્માની જ ભક્તિ ત્યાં થાય છે, કંઈ બાકી રહી જતું નથી એ લક્ષ ન ચૂકવા ભલામણ છેજી. છે. શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૨૧૪ અગાસ, તા. ૧૭-૯-૪૦ તત છે સત્ ભાદરવા વદ ૧, ૧૯૯૬ જન્મ-મરણરૂપ ગહન નદીમાં ઘણે તણાતે આવ્યા રે, ગુરુ પરમકૃપાળુ શિખા રહી જે ખેંચી લે તે ફા રે. તટ નિકટ આ નરભવ દુર્લભ પૂર્વ પુણ્યથી પાપે રે, સદ્દગુરુગ અચાનક મળતાં ખટપટથી વિરા રે. અપૂર્વ બેધ-કર લંબાવી ગુરુ ભવ-જળથી ઉદ્ધારે રે, પરાધીનતા પરી થાય સૌ, ગુરુકૃપાદષ્ટિ તારે રે. નાના નયને બેમ સમાયે તારા રવિ શશી સાથે રે, તેમ સમાયે સદ્દગુરુપદમાં દેવ, ધર્મ, જિનનાથે રે. શ્રીમદ્ રાજચંદ્ર ગુરુ જ્ઞાની-શરણે મુજ હિત સાધું રે, ભવ ભમતાં બહુ કષ્ટ પામ્ય ચરણ શરણ આરાધું રે. (પ્રજ્ઞાવધ ૬૭) આપને ક્ષમાપનાપત્ર મળે. આ વર્ષે અહીં પણ પર્યુષણ પર્વ પરમકૃપાળુદેવનાગબળે બહુ સારી રીતે આરાધાયું છે. સભામંડપમાં માઈ શકે નહીં તેટલાં બધાં ભાઈબહેને એકત્ર થયાં હતાં, પણ જેને જેને પુરુષની શ્રદ્ધા જેટલા પ્રમાણમાં થઈ હશે તેટલું આત્માનું કલ્યાણ થશે. મહાભાગ્યશાળી હશે તેને આવા હડહડતા કળિકાળમાં સાચા પુરુષ પ્રત્યે, તેના વચન પ્રત્યે, તેના અનુયાયી વર્ગ પ્રત્યે પ્રેમપ્રતીતિ જાગશે. જપ તપ શાસ્ત્રજ્ઞાન આદિ સર્વ ધર્મકાર્યને પાયે પરમ પુરુષ પ્રત્યેની શ્રદ્ધા છે”. જેની શ્રદ્ધા બળવાન છે તેને પુરુષાર્થ પણ ભૂલે ન રહે. લેકો ભલે જાણે કે ન જાણે પણ તેને આત્મા પરમાર્થ માટે તલપાપડ થઈ રહે. છૂટું છૂટું અંતરમાં થઈ રહ્યું હોય તે છાનું ન રહે. ભરત ચક્રવતી લડાઈઓ લડતા હતા ત્યારે પુંડરિક ગણુધરે શ્રી ઋષભદેવને પ્રશ્ન કર્યો કે “હે ભગવાન! અત્યારે ભારત ચક્રવતી છ ખંડ સાધે છે અને મેટી લડાઈમાં પડ્યા છે તે વખતે તેમના આત્માનાં પરિણામ કેવાં વર્તે છે?” ભગવાને ઉત્તર આપ્યઃ “તારા જેવાં.” ક્યાં ગણધરની પ્રવૃત્તિ અને ક્યાં રાજ્ય જીતવાની પ્રવૃત્તિ! પણ આત્મા જેને જાગે છે તેને સંસાર કે લાગે, તેનું એ આબાદ દષ્ટાંત છે. તે જ પરિણામ દઢ રાખીને અરીસાભુવનમાં તેમણે કેવળજ્ઞાન Page #240 -------------------------------------------------------------------------- ________________ પરસુધા ૨૧૭ પ્રગટાવ્યું. બહારથી કઈ જાણે કે એ તે અકસ્માત કેવળજ્ઞાન થઈ ગયું હશે. પણ તેને માટે રાતદિવસ તેમને કેટલે પુરુષાર્થ હતી અને શ્રી રાષભદેવ સ્વીકારે તેવાં આત્મપરિણામ ટકાવી રાખતા હતા. કર્ણ થાય છે. માટે કર્મના સંગે ગમે ત્યાં રહેવું થાય પણ આત્મા વિના કોઈ કાર્ય થઈ શકતું નથી. માત્ર તેના તરફ લક્ષ રાખી મમતા મૂકતા રહેવાને અભ્યાસ નિરંતર મારે તમારે કર્તવ્ય છેજી. ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીને પ્રથમ સમાગમ થયા પછી એટલે બધે તેમના પ્રત્યે પ્રેમ ઢળી ગયો કે તેમના વિના ક્યાંય ગોહતું નહીં. અમદાવાદ તેઓશ્રી સૅનેટોરિયમમાં રહેતા ત્યાં વારંવાર જતે ત્યારે તેઓશ્રીએ એક દુહે મને લખાવ્યું હતું અને પૂ. મગનલાલ તારમાસ્તર આણંદ હતા તેમની સાથે વિચારવા સૂચના કરેલ. તેમાં બહુ મર્મ રહે છે. તે નીચે પ્રમાણે છે: જે જે પુદ્ગલ ફરસના, નિશ્ચ ફરસે સોય; મમતા - સમતા ભાવશું કર્મબંધ - ક્ષય હોય.” ઘણું આશ્વાસન, શાંતિ અને ધીરજ, બળ તેથી મળે તેમ હોવાથી આપને વિચારવાને લખે છે, તે અવકાશે વિચારી જેટલે રસ લૂંટાય તેટલે લૂંટતા રહેશે. આખી જિંદગી ચાલે– ભવ ભમવાનું હશે ત્યાં સુધી ચાલે તેટલું બધું અને નિકટ લાવી મૂકે તેવું ભાથું તેમાં ભર્યું છે. જ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૨૧૫ અગાસ, તા. ૨૧-૯-૪૦ તત્ જ સત્ ભાદરવા વદ ૫, શનિ, ૧૯૯૬ અનુષ્કપ– વિષયાસક્તિ મૂકીને, મન જે હદયે રહે, આત્મામાં લીનતા પામી, પરમ પદ તે લહે. સદુવિધા કહી સર્વ, ભવ ઉછેદ કારિણી, સંતે સે સદા તેને, મોક્ષમાર્ગ પ્રદાયિની. (યોગપ્રદીપ) આપને પત્ર મળ્યો છે. પવિત્રાત્મા બહેનને પ. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીનાં દર્શન થયાં છે તે તેનાં મહાભાગ્ય ગણવા ગ્ય છે જ. આપણા જેવા પામર જીને મેક્ષગામી મહાત્માએનાં દર્શનસમાગમ મહા દુર્લભ છે તેવા જેગમને જગ તેમને મળ્યો છે, તે તેની સ્મૃતિ વારંવાર કરી તેમણે જે કંઈ આપણા હિતનું કહ્યું હોય તે વારંવાર યાદ કરી તે મહાપુરુષને ઉપકાર તાને રાખી આત્માને સારા ભાવમાં રાખવો. બીજો સગાંવહાલાં, ઘરખેતર કે ધનઘરેણુ, કપડાં-વાસણમાં મન ફરતું અટકાવી સપુરુષ અને તેની કરુણાથી મળેલું સતસાધન આ જીવને આખર વખતે કામ લાગે છે. તેમની ભાવના સત્સાધન માટે થઈ છે તે તેમને જણાવશે કે ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ જણાવ્યું છે કે પરમકૃપાળુદેવની સાક્ષીએ સાત વ્યસનને ત્યાગ કરવા ચોગ્ય છે : ૧. જુગાર ૨. દારૂ ૩. માંસ ૪. મોટી ચોરી ૫. વ્યભિચારી પુરુષોને સંગ ૬. શિકાર – જાણી જોઈને માંકડ, ચાંચડ, જૂ, સાપ, વીછી મારી ન નાખવા – પકડાવીને દૂર કરી દેવા ૭. પરપુરુષને સંગ. આ સાતે વ્યસન કે તેમાંથી જીવતાં Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ * બેધામૃત સુધી ત્યાગી શકાય તેટલાની પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ વિનયપૂર્વક પ્રતિજ્ઞા લેવા જણાવશોજી. સાત અભક્ષ્યમાંથી જેટલા સહેલાઈથી જીવતાં સુધી તજી શકાય તેની પણ સમજણ પાડીને પ્રતિજ્ઞા લેવા જણાવશોજી. તે સાત અભક્ષ્ય – ૧. વડના ટેટા ૨. પીપળના ટેટા ૩. પીપળાના ટેટા ૪. ઉમરડા ૫. અંજીર ૬. મધ ૭. માખણ, મધ, માખણની દવા માટે જરૂર પડે તેમ તેમને જણાય તે દવા સિવાય સ્વાદ કરવા ન વાપરવા નિયમ લે હોય તે પણ લેવાય. કોઈ દવા ખાઈએ તે ચરી પાળવી જોઈએ તેવો આ સહેલે અને પહેલ કરવા ગ્ય ત્યાગ બને તે પ્રમાણે રાખી તેમને “સહજત્મસ્વરૂપ પરમગુરુ તે મંત્ર થોડી વાર બેલાવશો અને મુખપાઠ ચેખ્ખી રીતે થઈ જાય એટલે તેનું સ્મરણ કરતા રહેવા જણાવશે. પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ હાથ જોડી “હે ભગવાન! આપની આજ્ઞાથી અમુક ઉપર જણવેલ ત્યાગ રાખી આપના સ્વરૂપને જણાવનાર મંત્ર હું આરાધીશ” એવું કહેવાનું કહી ચિત્રપટને ચરણસ્પર્શ કરાવશે. ખરેખરું કામ તે આત્માને તારે એ જ છે અને પુરુષના શરણ વિના તે બને તેવું નથી. માટે આજથી મારા આત્માને પરમકૃપાળુદેવના શરણમાં પું છું અને તેણે જણાવેલ મંત્ર એ જ મીંઢળ ને નાડું લગ્નને વખતે હાથે બાંધે છે તેમ મારા હૃદયમાં હવેથી રાખીશ અને તે પરમપુરુષમાં વિશ્વાસથી જ હવે હું સનાથ છું, એનું મારે શરણ છે, તે મરણથી પણ મારે ડરવાનું નથી. જે થવાનું હોય તે થાઓ. હું તે તે પરમકૃપાળુદેવની ભક્તિમાં જ ચિત્ત રાખીશ એવી ભાવના દઢ થાય તેમ તેમને જણાવશેજી અને ભક્તિમાં ભાવ વિશેષ રહે તેમ છતાં સુધી વર્તવા ગ્ય છે. છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૨૧૬ અગાસ, તા. ૨૪-૯-૪૦ તત ૩ સત્ ભાદરવા વદ ૮, મંગળ, ૧૯૯૬ નિત્ય નિરંજન અંતરજામી, રહો નિરંતર અંતરમાં, સમતામાં રમતા રાજેશ્વર દીઠા નહિ દેશાંતરમાં; સમય સમય તુજ ચરણશરણની છત્રછાંય ઉર છાયી રહે, નિષ્કારણ કરુણની કથની, વચન વિષે ન સમાય અહો! પૂજા સંબંધી તમે પૂછ્યું તે સંબંધી જણાવવાનું કે અહીં આવે ત્યારે પૂજાની વિધિ શીખી લેશે. પત્રથી લખે આવડી જાય એમ નથી. મંદિરમાં ભક્તિ, નિત્યનિયમ થત હોય તે ઘેર ન બની શકે તે ચાલે અને વધારે વખત થાય તે વિશેષ ફળનું કારણ છે જી. જેને માળા બોલાવવાની આજ્ઞા મળી નથી, તેણે સાચા અંત:કરણથી ભાવના રાખવી કે મારાં ભાગ્ય એવાં ક્યારે ખીલશે કે તેની આજ્ઞા મને મળે? પણ બીજા હોય ત્યાં સુધી તેણે આગળ પડી બોલાવવા મંડવું એ તેને માટે અયોગ્ય છે. દેવ અપૂજ્ય રહે કે દેવની પૂજા થઈ એ બધા બાહ્ય પ્રશ્નો છે. હજી દેવને ઓળખ્યા નથી. તે ઓળખવા સત્સંગ, સત્સાધન, વિનય અને વિચારની જરૂર છે જી. દેવને માટે પૂજા કરવાની નથી. પિતાના આત્માને જ્ઞાનીપુરુષની દશા તરફ દેરવા માટે ભક્તિપૂજા કરવાની છે. તે ઘેર કે મંદિર ગમે ત્યાં કરવા Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૧૯ પત્રસુધા યોગ્ય છે. જ્યાં પિતાના ભાવ સપુરુષ પ્રત્યે વિશેષ ઉલ્લાસવાળા બને ત્યાં તે કરવા ગ્ય છે. દેવ કદી અપૂજ્ય થતા નથી અને અપૂજ્ય રહેતા નથી. આપણા દેવ પ્રત્યે ભાવ કેવા છે, આપણે રેજ તપાસતા રહી દેવ પ્રત્યે ભક્તિભાવ વધારતા રહીશું તે કલ્યાણ થશે. કોઈને દે તરફ નહીં જોતાં પિતાના દોષે જોઈ પિતાના દોષે ટાળવા સૌ ભાઈબહેને પ્રયત્ન કરતાં રહેશે અને પિતાને માટે “અધમાધમ અધિકે પતિત, સકળ જગતમાં હુંય” એમ જોતા રહેશોજી. મોટા હોય તેમને માન આપી તેમને મળતા રહી, તેમના ગુણે તરફ લક્ષ રાખશો તે ધર્મ પામવાનું કારણ બનશે. ૩૦ શાંતિઃ શાંતિઃ શાંતિઃ - ૨૧૭ અગાસ, તા. ૧-૧૦-૪૦, તત્ સત્ ભાદરવા વદ ૦)), મંગળ, ૧૯૯૬ હરિણી છંદ– પ્રશમ-રસથી જેને આત્મા સદા ભરપૂર છે, સ્વપર હિતને સાધે જેની રસાલ સુવાણું એક અતિ કૃશ તનુ તેયે વર્ષો સુપુણ્યતણ પ્રભા, પરમ ગુરુ એ શ્રીમદ્ રાજ–પ્રભુપદ વંદના. સકળ જગને જેણે જીત્યું અપૂર્વ બળે કરી, ગહન જબરી માયા જેને જતી નહિ છેતરી; પરમ સુખી તે માયા–સુખે જૂનાં તરણાં ગણે, સતત લડતા સાક્ષી–ભાવે ઉપાધિરણાંગણે. (પ્રજ્ઞાવધ - ૬૪) પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ પ્રત્યે આપને ભક્તિભાવ તથા સત્સંગની ભાવના જાણુ સંતોષ થયે છે. ૫. ઉ. ૫. પૂ. પ્રભુશ્રીજી કહેતા કે પરમકૃપાળુદેવે વિયેગમાં રાખીને અમારા ભાવની વૃદ્ધિ કરાવી ફળ પકવ્યું છે. અંતરંગમાં ભાવના એટલી બધી કે નિરંતર સત્સંગમાં રહીએ; તેમ ન બને તે પત્ર દ્વારા બંધથી દરરોજ ઉલાસ વધારતા રહે તેવી ભાવના, પ્રબળ ખેંચાણ રહેતું; છતાં ઘણું કાગળ જાય ત્યારે કેઈક દિવસે ઉત્તર મળતું. પણ જે દિવસે પત્ર આવે તે દિવસે જાણે સેનાને સૂર્ય ઊગ્યો તેમ લાગતું. પત્ર વાંચ્યા પહેલાં તે પત્રનાં દર્શનથી જાણે સાક્ષાત્ સપુરુષનાં દર્શન થયાં એમ લાગતું. સંઘાડામાં બીજા વિધી સાધુઓ હોવાથી કોઈ બીજાના સિરનામે પત્ર મંગાવ પડત. તે પત્ર મળે એટલે તુર્ત તે વંચાય નહીં. પાછો તે અનુકૂળ વખત મળે કે જંગલમાં સ્વાધ્યાય વગેરે અર્થે જાય ત્યારે નમસ્કાર આદિ વિનય કરી ઉલ્લાસભેર પત્ર ઉઘાડી મતીના દાણુ જેવા પરમકૃપાળુદેવના સ્વહસ્તાક્ષર ઈ રેમાંચ થઈ આવતે. ધીમે ધીમે અમૃતના ઘૂંટડા ભરે તેમ બધે પત્ર સહર્ષ વાંચી, ફરી વાંચતા, વળી ફરી ફરી વાંચી વિચારતા; સપુરુષના પરમ ઉપકારને, તેની નિષ્કારણ કરુણાને હૃદયમાં ખડી કરી અત્યંત ભક્તિભાવે તે પત્રના આશયને હૃદયમાં ઉતારતા. અમને સમજાય નહીં પણ કેઈ ગહન વાત લખી છે, આ પત્રથી આત્માનું અપૂર્વ હિત કરવા કરુણું કરી છે, તેને ગ્રહણ કરી આમહિત કરવાને અપૂર્વ સુપ્રસંગ પ્રાપ્ત થાઓ એવી ભાવના કરતા. પછી પૂ. અંબાલાલભાઈ જેવા ક્ષપશમવાળા મુમુક્ષુ સઋદ્ધાવંત હોય તેમની પાસે એકાંતમાં Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ બેધામૃત વાંચી, વિશેષ સમજી, જે સમજાય તે હદયમાં ધારણ કરી તેમણે કહ્યું છે તેમ કરવું છે એવી ભાવના પિતા રહેતા. કંઈ ન સમજાય તે કેવી રીતે પૂછવું, કયા શબ્દોમાં ક્યારે તે રૂબરૂમાં જેગ મળે તે ખરેખર ખુલાસે થાય એમ તેની તે ભાવનામાં મન પ્રેરાયેલું રહેતું. આપણે પણ તેવા ભાવો સાંભળી, વિચારી, ઉલ્લાસ લાવી આત્માને પરમકૃપાળુ સદ્દગુરુ પ્રત્યે સન્મુખ કરવાને છે. પરમકૃપાળુદેવ પત્રાંક ૩૭૧માં લખે છેઃ રૂડે પ્રકારે મન વર્તે એમ વર્તે. વિયેગ છે, તે તેમાં કલ્યાણને પણ વિયેગ છે, એ વાર્તા સત્ય છે, તથાપિ જે જ્ઞાનીના વિયેગમાં પણ તેને જ વિષે ચિત્ત વર્તે છે, તે કલ્યાણ છે. ધીરજને ત્યાગ કરવાને ગ્ય નથી.” જે સત્સાધન પરમકૃપાળુદેવની કૃપાથી પ્રાપ્ત થયું છે તેને જેટલું વધારે લાભ લેવાય તેટલે લઈ લેવા કમર કસવી ઘટે છે. છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૨૧૮ અગાસ, આસો સુદ ૩, શુક્ર, ૧૯૯૬ લેક- ગણે ના જે કશું મારું, તે ઐક્ય ધણી જ તું; ગેને એગ્ય જાણી લે, રહસ્ય પરમાત્માનું. દોહે – આખા ભવમાં મરણ તે, આવે એક જ વાર, તે પણ કાયર જીવને, ભડકાવે બહુ વાર. આપને પત્ર મળ્યું હતું. તેમાં પૂ. સત્સાધકને એક વર્ષના બ્રહ્મચર્યવ્રતની ભાવના છે એમ લખ્યું તે જાણ્યું છે. તેમને પરમકૃપાળુદેવના ચિત્રપટ સન્મુખ હાથ જોડી ભાવના કરવાનું કહેશે કે, “હે ભગવાન! બાર માસ પર્યત એટલે આવતી દિવાળી સુધી મારા આત્માના હિતને માટે બ્રહ્મચર્ય હું પાળીશ – કાયાએ કરી નિયમ નહીં તેડું” એમ ભાવવ્રત લેવા જણાવ્યું છે એમ જણાવશે. શરીર સુકાતું જાય, કે વેદના વધતી જાય તે તરફ બહુ લક્ષ દેવા જેવું નથી. દેહના દંડ દેહે ભગવ્યા વિના છૂટકે નથી પણ ભાવ સદ્દગુરુની આજ્ઞામાં – સ્મરણમાં રાખવાથી આત્માને હિત થાય છે. જ્ઞાનીએ જાણે છે તે આત્મા હું છું; દેહાદિ હું નથી. બીજામાં વૃત્તિ જાય તે પાછી વાળી આત્મભાવને અભ્યાસ પાડ ઘટે છે. જે આપણું છે નહિ, અને આપણે આપણું કર્યું આપણું થવાનું નથી, આખરે જેને છોડીને જવાનું છે, તેમાં ને તેમાં વૃત્તિ રાખવાથી જન્મ-મરણ વધે છે અને જ્ઞાનીએ જાણે છે તે શુદ્ધ આત્મા મારે છે, એવી ભાવના કરવાથી, “સહજાત્મસ્વરૂપ પરમગુરુ મંત્રમાં ચિત્ત રોકાવાથી – રહેવાથી આત્મા દેહને દાસ મટી દેહને નેકર ગણતે થશે અને દેહ પાસે આત્માનું કામ – ભક્તિસ્મરણ કરાવશે. કાયર થઈને કમને ગા ગા કર્યો કર્મ કંઈ ઓછાં થવાનાં નથી, દર્દને દયા આવવાની નથી અને શૂરવીર થઈને આત્માને બચાવવા જ્ઞાનીની આજ્ઞામાં ચિત્ત રાખવાથી કંઈ દર્દ વધી જવાનું નથી. માટે આત્માનું કામ શા માટે ન કરી લેવું? આ મનુષ્યભવ છે ત્યાં સુધી જ્ઞાનીની આજ્ઞા ઉઠાવવા પુરુષાર્થ થઈ શકે એમ છે. પછી લખારાશીમાં ભમતાં કંઈ ધર્મ નહીં બને, માટે રાતદિવસ પુરુષની આજ્ઞામાં જ રહેવું છે એમ દઢ કરવું. છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #244 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૨૨૧ ૨૧૮ અગાસ, તા. ૧૦-૧૦-૪૦ (દશેરા) “સદૂગુરુને નહિ વિસરું, સ્મરું સદા ઉપદેશ; પરમ પ્રતીતિ ઊપજે, અન્ય ન યાચું લેશ.” આ અસાર સંસારમાં જીવ સુખની કલ્પનાથી દોડાદોડ કરી દુઃખી થાય છે. જ્યાં સુખ નથી ત્યાં સુખ શોધે છે, તે તે ક્યાંથી મળે ? આપણી કઈ વસ્તુ ઘરમાં ખોવાઈ ગઈ હોય તેને બજારમાં શોધવા જઈએ તે ક્યાંથી હાથ લાગે? તેમ આત્મભ્રાંતિ કે આત્માના ભુલાવાથી જીવ દુઃખી થાય છે તે કારણ નહીં જાણવાથી જીવ ધન, મિત્ર, પુત્ર, સ્ત્રી આદિ દ્વારા સુખ મળશે એમ માની તેની પ્રાપ્તિ અને પ્રીતિ માટે ઉત્તમ આયુષ્ય એળે ગુમાવે છે. પરમકૃપાળુદેવે કહ્યું છે કે “આત્મબ્રાંતિ સમ રોગ નહિ, સદ્દગુરુ વૈવ સુજાણ; ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન” આ રેગ મને થયો છે એવું પણ જીવને ભાન નથી. આત્મજ્ઞાન વિના હું દુખી છું એવું એને ખરેખરું લાગ્યું નથી. માત્ર પૈસા નથી, બૈરી નથી, પુત્ર નથી કે મિત્રે નથી તેથી હું દુઃખી છું એમ જ માની લીધું છે. પુણ્યને એ બધું મળે તે પણ જીવ દુઃખી ને દુઃખી રહે છે, કારણ કે કલ્પનાને અંત નથી. એક મળે તે બીજું ઈચ્છે અને બીજું મળે તે ત્રીજું છે. માટે ઈચ્છાને નાશ થયા વિના જીવના દુખને કદી અંત આવવાને નથી. - “ક્યા ઈરછત ખેવત સબે, હૈ ઈચ્છા દુઃખમૂલ; જબ ઈચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ.” સદ્દગુરુના ઉપદેશ વિના, તેને વિચાર કર્યા વિના, તેની આજ્ઞાનું આરાધન કર્યા વિના ઈચ્છાનું મૂળ ટળે તેવું નથી અને તે કર્યા વિના જીવને શાંતિ પ્રાપ્ત થાય તેમ નથી, તો લૌકિક વાતે ઉપરથી મન ખસેડી જ્ઞાની પુરુષની અનંત કૃપાથી જે સત્સાધન મળ્યું છે તેનું એકાગ્રતાથી લેકલાજ મૂકી આરાધન કરશે તે સુખને સંચય વગર કહે થયા કરશેજી. “હું દુઃખી છું, હું દુખી છું' એમ જીવ માન્યા કરે છે તેનું નામ આર્તધ્યાન છે, તેથી માઠી ગતિ જીવ કમાય છે અને સત્સાધનમાં ઉપગ જોડવાથી ધર્મધ્યાન થાય છે ને મોક્ષમાર્ગ મળે છે. જે ઠીક લાગે તે માર્ગે પ્રવર્તે. એ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૨૨૦ અગાસ, તા. ૧૦-૧૦-૪૦ આ સુદ ૧૦, ગુરુ, ૧૯૯૬ દોહા- ગતાનુગતિક થઈ ઊંઘ નહિ, નિરાંતે તું ભાઈ! દેખી અંધ કૂવે પડે, પડે શું દેખતે, ધાઈ? અનિત્ય સંસાર જાણી જે, રહે નિરાંતે ત્યાંય, બળતા ઘરમાં ઊંઘતા, સમ નિશ્ચિત ગણાય. શરીર શકટ સમ જાણીને, બધ ન પામે કેમ? યંત્ર અનર્થોથી ભર્યું ક્ષણ ક્ષણ અટકે જેમ. Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૨. બેધામૃત પૂર્ણચંદ્ર સમ પામીને પ્રભુ – વચન સાક્ષાત્ ચંદ્રકાન્ત સમ ઉર ઝરે સદ્ભાવ-સુધા વિખ્યાત. હું ડાહ્યો સમજું ઘણું” એ જ ઊડે છે દેષ, તે મૂક્યા વિણ કેઈ જવા પામ્યા નથી જ મેક્ષ. “કંઈ જ નથી હું જાણતે” દઢ કરી એ જ વિચાર; સદ્દગુરુને શરણે જજે તે તરશે ભવપાર. રાત ગમાયી સોય કર, દિવસ ગમાયા ખાય, હીરા જન્મ અમલ થા, કેડી બદલે જાય. જ્યાં માયા છૂપી છૂરી, ત્યાં મૈત્રીને નાશ, જ્યાં મનમાં ભીંખ માનની ત્યાં ઊભે ભવવા. કામ માન ઉતાવળે દોષિત આ જીવ થાય; નિષ્કામી, દન ને ધરે ભવ્ય જીવ ગણાય. ઘણું ઘણું વિચાર કરતાં શ્રી તીર્થંકર આદિ મહાત્માઓએ નિર્ણય કર્યો છે કે આ સંસાર એકાંત દુઃખમય છે. જેમણે સ્વપ્ન પણ સાંસારિક દુઃખ જોયું નહોતું, સર્વ પ્રકારની ભેગસામગ્રી પૂર્વના પુણ્યને લીધે જેમને મળેલી હતી, જેમનું શરીર પણ તે સર્વ ભેગેને લાંબા કાળ સુધી જોગવી શકે તેવા વાહષભનારા સંઘયણના ધણ મેક્ષગામી તે ભગવંતોએ સર્વ ભેગેને અસાર અને સંસારમાં ભુલાવામાં નાંખનારા, મોક્ષમાર્ગમાં આગળા સમાન વિઘર્તા જાણ સર્વ સંપત્તિ ત્યાગી, ભિખારીની પેઠે ભટકીને, પરિષહ – દેવ, મનુષ્ય અને તિર્યંચના કરેલા વેઠીને, અનેક કષ્ટોથી પણ નહીં કંટાળતાં ધર્મ–આત્માની શુદ્ધતા–સાધી, તેવું ઉત્તમ કાર્ય કરવાનું આ અલ્પ જીવનમાં જીવ ચૂકી જૂનાં ચીંથરાં જેવા આ શરીર વડે ભોગ ભેગવવા લલચાય તે તેની કેટલી તુચ્છ વૃત્તિ છે અથવા સહજ કર્મના ગે ધર્મ આરાધી શકાય તેવી તક હાલ નહીં તે બે-પાંચ વર્ષે પણ નિવૃત્તિસુખ પામી આ બળતા આત્માને સંસારતાપથી બળતે બચાવવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયા છતાં જે જીવ આંખ મીચીને ઉદીરણા કરી ભેગાવળી કર્મ ઊભું કરશે તે તે કલેશ કદી સુખરૂપ નહીં નીવડે એમ વિચાર કરનાર મુમુક્ષુને લાગ્યા વિના નહીં રહે બે-પાંચ વર્ષ મુશ્કેલી વેઠી લઈ આત્મહિત તે દરમિયાન થાય તેટલું કરતા રહી પછી ઉપાધિ વિના નિર્વિઘપણે ધર્મધ્યાન થઈ શકે તેવો વેગ આવેલે ગુમાવી સંસારકૂપમાં જાણીજઈ પડવાનું વિચારવાન જીવ ન કરે. મનુષ્યભવમાં હવે કેટલે કાળ કાઢવે છે? શા કામમાં મનુષ્યભવ ગાળવા યોગ્ય છે? અને કેવી રીતે હાલ કાળ જાય છે? તે વિચારવાન એકાંતે વિચારે તે તેને ચેતવા જેવો વખત જણાય. પરમ કૃપાળુ મહાત્માઓએ જે માર્ગ અનંત કૃપા કરી આપણને દર્શાવ્યો છે તેનું આરાધન કયા ભવમાં કરીશું? રાશી લાખ જીવ નિમાં બીજે કઈ ઠેકાણે આ ભવમાં થશે તેટલું થવા સંભવ નથી તેને વિચાર કરવા વિનંતી છેજી. ૐ શાંતિઃ Page #246 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધી ૨૨૩ ૨૨૧ અગાસ, તા. ૧૧-૧૦-૪૦ આસો સુદ ૧૧, શુક્ર, ૧૯૯૬ અનુબ્રુપ – દેહાત્મ-બુદ્ધિથી મૂઠ, આત્માને દેહમાં પૂરે, આત્મામાં આત્મબુદ્ધિવાન, આત્માની મુક્તિ આદરે. દેહા – સુણવા ગ્ય સુસંતની, વાણુ ધર નહિ કાન; સ્મરવા ગ્ય સુમંત્રનું, રહ્યું નહીં બહુ માન. કરવા યોગ્ય સુકાર્યમાં, નહીં પાથર્યા પ્રાણ; સુંદર ધરી નરદેહ તે, શું સાધ્યું કલ્યાણ? સ્મરણ કરશે પ્રીતથી, તજી દેહ અભિમાન, નિત્ય નો ઉત્સાહથી, ધરજે પ્રભુનું ધ્યાન. પૂ.. .ના દેહત્યાગના સમાચાર તથા ઠેઠ આખર સુધી તેમની રહેલી સંભાવનાના સમાચાર જાણ્યા છે. પ્રથમથી ભક્તિ પ્રત્યે તેમની વૃત્તિ વળેલી અને પરમકૃપાળુદેવને આશ્રય ઠેઠ સુધી રાખી તે ભાવના સહિત દેહ છોડ્યો છે તે સદગતિનું સૂચક છે. ધર્મને આવો પ્રગટ પ્રભાવ નજરે જોયા છતાં તેને માટે આપણા હૃદયમાં જે ઉલલાસ અને તેને આરાધવાને પુરુષાર્થ ન જાગે તે આપણા સમાન અધમ કોણ કહેવાય? દરેકને માથે મરણ ભમે છે પણ મેહને લીધે જીવ તેને વિચાર સરખો કરતું નથી. ખેતરના નજીવા કામની ચિંતામાં રાતે નિરાંતે ઊંઘતે નથી અને સમાધિમરણ જે ઉત્તમ લાભ પામી મનુષ્યભવ સફળ કરવાને લાગ વહ્યો જાય છે, તેની આ પ્રમાદી નફટ જીવને ફિકર ચિંતા થતી નથી. સંસારના ક્ષણિક સુખમાં એવું શું આશ્ચર્યકારી ફળ મેળવવાનું જ ધાર્યું હશે કે તેને આત્માના સુખ માટે ઈચ્છા જાગતી નથી? ગમે તેટલી મહેનત-મજૂરી કરી ગમે તેટલું ધન એકઠું કર્યું હશે તેમાંથી કંઈ સાથે કેડી પણ લઈ જઈ શકાશે ? પેટ ભરાય તેથી વધારે ખાઈ શકાશે? ત્યારે આ બધી ધમાલ શું કરવા કરું છું? એવો એકાંતમાં જીવ વિચાર કરે તે શો ઉત્તર મળે? “જબ આવે સંતેષ ધન, સબ ધન ધૂળ સમાન.” એને વિચાર અને અનુભવ જીવ ક્યારે કરશે ? આત્મકલ્યાણ કરી શકે તેવી દુર્લભ સામગ્રી જીવને જે મળી છે તે અચાનક મરણ આવીને લૂંટી લે તે પહેલાં તેને કંઈ સદુપયોગ કરી લેવા હવે વિચાર, નિર્ણય કરીશું? કે પુરુષને ગ નથી મળે તેવા જીવની પેઠે નાશવંત વસ્તુ મેળવવામાં મળ્યા રહી છેતરાયા કરીશું? શ્રી આત્મસિદ્ધિજીની છઠ્ઠી ગાથાની ટીકામાં પરમકૃપાળુદેવ લખે છેઃ સંસાર પ્રત્યે બહુ ઉદાસીનતા, દેહની મૂછનું અલ્પત્વ, ભેગમાં અનાસક્તિ, તથા માનાદિનું પાતળાપણું એ આદિ ગુણે વિના તે આત્મજ્ઞાન પરિણામ પામતું નથી.” (૭૧૮) આ ગુણ વિના ગ્યતા અટકી છે તે ક્યારે પ્રાપ્ત કરીશું ? આ કામ કેઈ કરી આપે તેવું નથી માટે વેળાસર ચેતી લઈ તેને માટે સત્સંગ, સવિચાર અને સત્કાર્યમાં મંડી પડવા જેવું છે. આ અવસર ફરી ફરી મળનાર નથી. પ. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજી કહેતા કે ક્ષણ લાખેણી જાય છે. લૂંટમલ્ટ લેવાય તેટલું સાચું ભાથું લઈ લેવું. પરભવમાં પછી કંઈ બની શકશે નહીં માટે અંતે પસ્તાવું ન પડે તેમ Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ બોધામૃત વિચાર કરી ત્વરાથી આત્મહિત માટે યુવાની નવી પ્રાપ્ત થઈ હોય તેમ કમર કસીને પરમાર્થ સાધી લે. એક પુરાણી દંતકથા સ્મૃતિમાં આવવાથી લખું છું તે વિષે સર્વ વિચાર કરીને પિતાનાથી બને તેટલું પિતાનું હિત કરવા ચૂકશો નહીં. એક રાજા હતું. તેણે પિતાની રાજધાનીમાં રહેતા અમીર ઉમરાને કેઈ ઉત્સવના પ્રસંગે જમવા આમંત્રણ આપ્યું. પરંતુ તેમને ડર લાગ્યો કે રાજાના આમંત્રણમાં જઈશું તે તે કોઈ કીમતી વસ્તુ માગશે તે આપવી પડશે એમ વિચારી દરેકે કંઈ ને કંઈ બહાનું કાઢી પરગામ જવાનું નક્કી કર્યું. રાજાએ રસેઈ તથા વરઘેડાની તૈયારી કરાવી છતાં કેઈ અમીર ઉમરાવ કે તેમના પરિવારમાંથી જણાયા નહીં તેથી નગરજનોને રાજાએ કહેવરાવ્યું કે બધા સામાન્ય માણસોને વરઘોડામાં આવવાનું તેમ જ રાજાને ત્યાં જમવાનું આમંત્રણ છે તેથી લેકે રાજી થઈ વરઘોડામાં જવા લાગ્યા. પરંતુ કેટલાક લેકે ફાટેલાં અને કાળાં કપડાં પહેરી આવ્યા હતા તેમને વરઘોડાની શોભા બગાડનારા છે એમ જાણી રાજાએ કેદમાં પૂર્યા. બીજા બધાને જમાડી વિદાય કર્યા. આ સાદી દંતકથામાં જણાવ્યા પ્રમાણે ઉમરા ન આવ્યા તે બીજા બધાને ઉત્તમ જમણને લાભ મળ્યો, તેમ પૂર્વના પુણ્યને લઈને જેમને વિશેષ લક્ષ્મી મળી છે તેવા મોટા શેઠિયા ધામણ રાજમંદિરના કામમાં ભાગ ન લે તે સામાન્ય ત્યાંના રહેનારને ઉત્તમ જમણુની પેઠે તેમને માટે કરેલી રસેઈ આરોગવાને લાભ મળી શકે છે એમ જાણી પિતાની પાસે જે સારાં કપડાંરૂપ યથાશક્તિ સામગ્રી હોય તે ધારણ કરીને વરઘોડામાં જવું અને એ મહા કલ્યાણકારી પુણ્યના કામમાં બને તેટલે ટેકે કર. તેથી મોટા માણસોને મળવાને લાભ આપણને અનાયાસે મળી જશે. પણ મેલાં કપડાં પહેરીને જનારથી રાજા નાખુશ થયા ને તેમને કેદમાં પૂર્યા, તેમ તે કામ કરતાં મન મેલાં રાખનારને હાનિ થવાને સંભવ છે એમ જાણી ઉજજવળ અંતઃકરણે જે કામ કરવા લાગશે તે શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના મંદિરનું ઉત્તમ પુણ્યદાયક કામ કરવાને સદ્ભાગી થશે. ફરી ફરી આવાં કામ થતાં નથી અને જ્યાં સુધી તેમાં ભક્તિ કરનારા લાભ લેશે ત્યાં સુધી તેમાં મદદ કરનારને પુણ્યને હિસ્સો મળ્યા કરશે. આવા સત્કાર્યમાં પિતાના ઘરનાં કામ કરતાં વધારે કાળજી રાખવી ઘટે છે. કાવિઠામાં કાળજી રાખીને કામ કરનાર મુમુક્ષુઓએ કેવું પ્રભાવનાગ્ય દેરાસર કરાવ્યું તે દરેકની નજર આગળ ખડું છે. માત્ર સંપ અને સાચા દિલની લાગણીથી કામ કરનારને પિતાનું અને ઘણુ જીવનું હિત થાય તેવું કામ સદ્ભાગ્ય મળી આવ્યું છે તે આપણું જીવતાં કરી લેવું. એ ઉત્સાહ દરેક મુમુક્ષુના મનમાં વસતાં એ કામ તે રમતમાં થઈ જવા જેવું છે. પરમાર્થના કામમાં મન પાછું પડે તે પોતાના હિતમાં હાનિ કરવા તુલ્ય છે એમ સમજી આવેલા અવસરને પૂરેપૂરો લાભ લઈ લેવા આગળ થવું, તત્પર થવું. આમાં કોઈને કહેવું ન પડે તેમ પોતાનું હિત સમજી દરેકે પોતાના આત્માના ઉદ્ધાર માટે લેભ, સ્વાર્થ અને સુખશાળિયે સ્વભાવ તજ ઘટે છેજી. બને તેટલું ઘસાઈ છૂટવું. જાતમહેનતથી થશે તેટલું બીજા કશાથી નહીં બને. પારકી આશ સદા નિરાશ.' એ શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #248 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા રરપ ૨૨૨ અગાસ, તા. ૧૨-૧૦-૪૦ આસો સુદ ૧૨, શનિ, ૧૯૯૬ દેલ: – દુર્લભ માનવ ભવ મહા ફરી મળવો મુશ્કેલ, કર્મ તણાં ફળ આકરાં નહીં સૂઝે ઉકેલ. સમકિતી રેગી ભલે જાકે દેહ ન ચામ, વિના ભક્તિ ગુરુરાજકી, કંચન દેહ નકામ. ઇરછે આશ્રય સંતને, અવર ને મનમાં આશ, પરમારથને પામવા, જેને થઈ જિજ્ઞાસ. સહનશીલતા ધાર, ભાવે સમતા ભાવ, વૃત્તિને વળ રેકજે, અલભ્ય આ ત્રણ લ્હાવ.” પ્રમાદ વિષે પ્રથમ આપને લખેલું “એક પળ ખેવી તે એક ભવ ગુમાવવા તુલ્ય છે” તે વિષે પાછળના પત્રોમાંથી જેવા વિનંતી છે.જી. પરમાં વૃત્તિ રમે તે ખરી રીતે પ્રમાદ છે. તે અનાદિની કુટેવ ટાળવા દઢ નિશ્ચયની જરૂર છે. તે એ છે કરવાને જેણે નિશ્ચય કર્યો છે, તે મહાપુરુષો કાળના મુખમાં પેસતી અનેક પળોને ઝૂંટવી લઈ એટલે અવકાશ મળે તેમાં મોક્ષમાર્ગ કે આત્માના વિચારમાં રહે છે. પ્રમાદ એ છે કરે જ છે એ લક્ષ ચુકાય નહીં તે જે કરવું છે તેને વિચાર થાય; અને “કર વિચાર તે પામ” કહ્યું છે તેમ આત્મસ્વરૂપને નિર્ણય થયે તેમાં પ્રમાદ ન થાય ત્યાં સુધી અપ્રમત્ત રહેવાય તે જ માર્ગમાં કે આત્મામાં સ્થિતિ છે. હવે સ્થિતપ્રજ્ઞનાં લક્ષણ શ્રીમદ્ ભગવદ્ગીતામાંથી ઉતારી મોકલું છું તે વિચારશે. અર્જુને પૂછે છે (અધ્યાય બીજે શ્લેક ૫૪ થી ૭૨) “હે કેશવ! સમાધિમાં રહેલા સ્થિતપ્રજ્ઞનું લક્ષણ શું? સ્થિતપ્રજ્ઞ કેવી રીતે બેલે? કેવી રીતે બેસે-ઈન્દ્રિયોનો નિગ્રહ કરે? અને કેવી રીતે વર્તે ?” શ્રી ભગવાન બેલ્યાઃ હે પાર્થ ! જ્યારે મનમાં રહેલી સર્વ કામનાઓને મનુષ્ય તજી દે છે, અને આત્માવડે જ આત્મામાં સંતોષ પામે છે ત્યારે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. દુઓમાં ઉદ્દેગરહિત મનવાળે, સુખમાં સ્પૃહારહિત અને જેના રાગ, ભય તથા ક્રોધ દૂર થયા છે એવા મુનિ (વીતરાગ, વીતક્રોધ, વિતભય) સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. જે સર્વત્ર આસક્તિ વિનાને હેઈ, તે તે શુભ કે અશુભ પામીને આનંદ પામતું નથી કે દ્વેષ કરતું નથી, તેની બુદ્ધિ સ્થિર થયેલી છે. જેમ કાચબે સર્વ તરફથી અંગને સમેટી લે છે તેમ આ મનુષ્ય જ્યારે સર્વ ઇંદ્રિયોના વિષયમાંથી ઈન્દ્રિયોને ખેંચી લે છે ત્યારે તેની બુદ્ધિ સ્થિર થાય છે. નિરાહારી મનુષ્યના વિષય (વાસના ગયા વિના રસ જ નથી) નિવૃત્ત થાય છે; પરંતુ બ્રહ્મને સાક્ષાત્કાર કરીને એની વાસના પણ નિવૃત્ત થાય છે. હે કૌતેય (અર્જુન) ! મથી નાખનારી ઈન્દ્રિય પ્રયત્ન કરતા વિદ્વાન પુરુષના મનને પણ બળાત્કારે વિષયમાં ખેંચી જાય છે. માટે તે સર્વ ઈન્દ્રિયોને વશ કરી સ્થિરચિત્ત અને મારા પરમાત્મા) પરાયણ રહેવું. કેમકે જેની ઈન્દ્રિયે વશ હોય છે તે(જિતેન્દ્રિય)ની બુદ્ધિ સ્થિર થાય છે. વિષયનું ચિંતન કરતા મનુષ્યને તેમાં આસક્તિ થાય છે, આસકિતથી કામના Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ બેધામૃત થાય છે, કામથી ક્રોધ ઊપજે છે, ક્રોધથી સંમેહ (વિવેકહીનતા) ઊપજે છે, સંમોહથી સ્મૃતિને - નાશ (ઉપયોગ ચૂકે છે), સ્મૃતિનાશથી બુદ્ધિ(પ્રજ્ઞા)ને નાશ થાય છે, તેથી સંપૂર્ણ નાશ થાય છે. વશ અંતઃકરણવાળો (દઢ નિશ્ચય, પકડવાળો) મનુષ્ય રાગદ્વેષરહિત અને સ્વાધીન થયેલી ઈન્દ્રિયે વડે વિષને ભેગવતાં છતાં ચિત્તની નિમળતાને પામે છે. ચિત્તની નિર્મળતા થતાં એનાં સર્વ દુઃખને નાશ થાય છે. કારણ કે નિર્મળ ચિત્તવાળાની બુદ્ધિ તત્કાળ સ્થિર થાય છે. અયુક્તને (અગી-ચિત્તને વશ ન કરનારને) બુદ્ધિ નથી અને તેને ભાવના પણ (બ્રહ્માકાર અંતઃકરણની વૃત્તિને પ્રવાહ: “વૃત્તિ વહે નિજભાવમાં પરમાર્થે સમકિત”) નથી; ભાવનારહિતને શાંતિ નથી અને શાંતિરહિતને સુખ ક્યાંથી હોય? કારણકે વિષયમાં ભટકતી ઇન્દ્રિયોમાંની જે ઈન્દ્રિય સાથે મન જોડાય છે તે ઈન્દ્રિય આ પુરુષની બુદ્ધિને, જેમ વાયુ જળમાં નાવને ખેંચી જાય છે તેમ, ખેંચી જાય છે. માટે હે મહાબાહ (મુમુક્ષુ)! જેની ઈન્દ્રિય સર્વ પ્રકારે ઈન્દ્રિયના વિષયેથી રોકાયેલી છે તેની બુદ્ધિ સ્થિર થાય છે. જે સર્વ પ્રાણીઓની રાત્રિ છે (આત્મ-અજ્ઞાન) તેમાં સંયમી પુરુષ જાગે છે, જ્યાં જગતો પ્રમાદ કરે છે એવા પરમાર્થમાં જ્ઞાની જાગ્રત છે, અને જેમાં (અજ્ઞાનરૂપ રાત્રિઃ વ્યવહારમાં) અજ્ઞાની પ્રાણીઓ જાગે છે તે (વ્યવહારરૂપ રાત્રિ) આત્મદર્શી મુનિની રાત્રિ છે. (કાર્તિ અડમિન સુપુત્રામmજ = જે વ્યવહારમાં જાગે છે– ઉપયેગવંત છે તે પરમાર્થમાં ઊંધે છે–ઉપયોગરહિત છે.) જેમ સર્વ તરફથી ભરાતા અચળ મર્યાદાવાળા સમુદ્રમાં પણ પ્રવેશ કરે છે, તેમ સર્વ વિષયે જે મનુષ્યમાં (જેના આત્મામાં) પ્રવેશ કરે છે (વિલીન થાય છે, સમાઈ જાય છે, મરી જાય છે, નિર્જરી જાય છે) તે શાંતિને પામે છે; પરંતુ વિષયને ઈરછનારે શાંત થતું નથી. જે મનુષ્ય સર્વ કામનાઓને તજીને નિસ્પૃહ, મમતારહિત અને અહંકારરહિત થઈને વિચરે છે, તે શાંતિને પામે છે. હે પાર્થ (અર્જુન)! આ બ્રાહ્મી સ્થિતિ છે. આને પામીને (મનુષ્ય) મેહ પામતે નથી; અને અંતકાળે પણ આ સ્થિતિમાં રહીને તે સ્થિતપ્રજ્ઞ) બ્રહ્મ-નિર્વાણને પામે છે.” દીક્ષા લે તે તારું કલ્યાણ થશે” એવાં વાક્ય તીર્થંકરદેવ કહેતા નહતા. તેને હેતુ એક એ પણ હતું કે એમ કહેવું એ પણ તેને અભિપ્રાય ઉત્પન્ન થવા પહેલાં તેને દીક્ષા આપવી છે તે કલ્યાણ નથી. જેમાં તીર્થંકરદેવ આવા વિચારથી વર્યા છે, તેમાં આપણે છ છ માસ દીક્ષા લેવાને ઉપદેશ જારી રાખી તેને શિષ્ય કરીએ છીએ, તે માત્ર શિષ્યર્થ છે, આત્માર્થ નથી.” (૪૩૦) –શ્રીમદ્ રાજચંદ્ર બીજું હિતકારી વાત કહી બતાવતાં પણ ‘તું આમ જ કર’ એમ ભગવાન કહેતા નહીં, તથા આત્મા સંબંધી ઉપદેશ પણ છદ્મસ્થ અવસ્થામાં તીર્થકર કરતા નથી. કેઈનું અહિત થાય તેવી આજ્ઞા માગવા તીર્થંકર પાસે કોઈ જાય તે મૌન રહેતા. એક માણસે ભગવાનને બેટા પાડવા પિપટનું બચ્ચું હાથમાં લઈ ભગવાન પાસે જઈ તેમને પૂછયું કે તેનું આયુષ્ય કેટલું છે? અમુક દિવસનું કહે તે તેને મારે ડોકું મરડી મારી નાખવું એ નિર્ણય તેને હતું અને હમણું મરી જવાનું છે કહે તે તેને ઉરાડી મૂકવાને વિચાર કરી રાખ્યો હતે. જેને જ્ઞાનનું અભિમાન ન હતું તે ભગવાને કહ્યું કે એનું આયુષ્ય તારા હાથમાં છે. એવી કથા Page #250 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૨૨૭ ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રી પાસે સાંભળી હતી. આવા પ્રસંગમાં વીતરાગ જે વચને કહેતાં ડર્યા છે ત્યાં અજ્ઞાની છે તડફડ જવાબ દઈ પિતાની અલ્પજ્ઞતાનું પ્રદર્શન કરે છે. એ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૨૨૩ અમાસ, તા. ૨૯-૧૦-૪૦ આસો વદ ૧૪, મંગળ, ૧૯૯૬ હરિગીત – (ગુરુ) રાય વૈરાગ્યે વદે રે! આમ જ સૌને ચાલવું, માથે મરણ નૃપ-રાંકને નિરાંતથી નહિ મહાલવું; બીજા ઉપચારે જૂઠા નહિ જન્મમરણે તે હરે, આત્મધર્મ ઉપાસતાં જૈવ શિવપદ સહજે વરે. (પ્રજ્ઞાવધ – ૨૮). દેહા – સુખ વસે આત્મા વિષે તેને નહિ નિર્ધાર; શેઠે સુખહન વસ્તુમાં, જડમાં નહિ જડનાર. મિથ્યા માર્ગ તજી ગ્રહે, મહપુરુષને પંથ; છૂટે પરિગ્રહ કલ્પના, પામે સુખ અનંત. ભવનું મૂળ આરંભ જે, મમતા તેનું મૂળ મમતા અલ્પ કરાય તે, મુમુક્ષુને અનુકૂળ. (પ્રજ્ઞાવબોધ - ૨૭) વિ. આપને પત્ર આજે મળે છેછ. પૂ. ” ની તબિયત ઘણી નરમ છે એમ જાણ આજે અવકાશ ઘણો ઓછો હોવા છતાં બે અક્ષર પરમકૃપાળુદેવ સુઝાડે તે લખવા પ્રેરાય છું. હે પ્રભુ! શરીરના દુઃખને દુઃખ માની આ જીવ તેથી છૂટવા ઈચ્છે છે અને તેને માટે દવા, ઉપચાર બને તેટલા કરવામાં પ્રમાદ કરતા નથી. તે ન કરવા એમ કહેવું નથી, પણ એ દુઃખ જાય અને શરીર સારું કેમ થાય, ખાધેલું કેમ પચે? શક્તિ કેમ આવે? ઘરનાં કામકાજ કરતે કયારે થાઉં? આવી ઈચ્છાઓ ઊંડાણમાં અંતરમાં પડી હોય છે, તે ઈરછાથી એટલે દેહના સુખની ઈચ્છાથી આખું જગત પ્રવર્તી રહ્યું છે. તેવી ને તેવી ઈચ્છા જે મુમુક્ષની રહ્યા કરતી હોય તે પુરુષને જીવને સમાગમ થયા ન કહેવાય, સપુરુષના માર્ગને પામેલે પુરુષ ન કહેવાય; કારણ કે પુરુષને જેને વેગ થયે હેય, બોધ થયો હોય અને સપુરુષની શિખામણ માન્ય થઈ હોય તે તે જ્ઞાનભાવનાવાળો હોય. દેહ જે આત્માથી જ છે એમ સપુરુષ પાસેથી સાંભળીને માન્યું હોય તે તેને સુખે સુખી અને તેના દુખે દુઃખી આત્મા થાય છે એમ ન માને. પરમકૃપાળુદેવે કહ્યું છે – છે દેહાદિથી ભિન્ન આતમા રે ઉપગી સદા અવિનાશ – મૂળ૦ એમ જાણે સદ્દગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ – મૂળ૦ જે જ્ઞાન કરીને જાણિયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત – મૂળ, કહ્યું ભગવંતે દર્શન તેહને રે, જેનું બીજું નામ સમકિત – મૂળ૦ જેમ આવી પ્રતીતિ છવની રે, જાણે સર્વેથી ભિન્ન અસંગ –મૂળ૦ તે સ્થિર સ્વભાવ તે ઊપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ – મૂળ” . Page #251 -------------------------------------------------------------------------- ________________ આધામૃત આમ પરમકૃપાળુદેવે દેહથી ભિન્ન, દેહના રાગેાથી ભિન્ન, દેહનાં સુખથી ભિન્ન, દેહનાં દુઃખથી ભિન્ન, જેને કંઈ લાગેવળગે નહીં એવે અસંગ આત્મા કહ્યો છે. તેવું મારું સ્વરૂપ છે. અત્યારે જે દેહ, વેદના, સગાં, ઘર, ધન આદિમાં સુખદુઃખની કલ્પના થયા કરે છે તે કરવાની જ્ઞાનીપુરુષ ના કહી છે. ખીજા વિચારે। ભૂલી જઈ, મનમાં આવે તે તેના તરફ અનાદર રાખી, મારે તે જ્ઞાનીએ કહ્યું છે તે માનવું છે કે આત્મા અજર, અમર, અવિનાશી, નિત્ય, અછેદ્ય, અભેદ્ય, વ્યાધિપીડાથી રહિત પરમાનંદસ્વરૂપ છે, તે જ મને હિતકારી છે. પરમગુરુએ પ્રગટ કરેલું શુદ્ધ આત્મસ્વરૂપ જ મારે માનવું છે. બીજું બધું સ્વપ્ન જેવું અને એઠ જેવું છે, તે તરફ હવે મારી નજર કરવી નથી. મને તારનાર તા શ્રી પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર દેવ છે. શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવા નિગ્રંથ માના (આત્મધમ ના) મને સદાય આશ્રય રહેા. હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્રી પુત્રાદિ કોઈ પણ મારા નથી, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવા હું આત્મા છું. એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનેા ક્ષય થાય.’ (૬૯૨) આ ભાવના વારંવાર કરતા રહેવા ભલામણ છે. મંત્રનું બને તેટલું આરાધન અંતકાળ સુધી ચાલતું રાખવું. કોઈ મંત્ર એલે તે તે સદ્ગુરુએ કહેલા મત્ર છે તેમાં ચિત્ત રાખવું. વેદનામાં જતા મનને રકી સત્પુરુષના શરણે, આશરે રહેવું. એ જ. ૨૨૮ તા. ક. આલેાચનાદિ પદ સ`ગ્રહમાંથી “અમને અંત સમય ઉપકારી વહેલા આવજો રે’’ અને “કાણુ ઉતારે પાર, પ્રભુ બિના કોણ ઉતારે પાર” એ બન્ને પદો કોઈને ગાતાં આવડતું હાય તે ખેલાવી સાંભળી તેમાં વૃત્તિ રાખવા ભલામણ છેજી. ૨૨૪ તત્ સત્ 14 મંદાક્રાંતા — ↓ હું ના કાયા, નાઁ મુજ કશું” આટલું માનશે જે, ત્રૈલેાક૨ે તે વિજય વરશે, વિશ્વરાજા થશે તે; નિઃસ્વાર્થી આ વચન ગોંને સત્ય વિશ્વાસ ધારા, તા ના થાશે અસર તમને મેહની, કાલ મારે.” અગાસ, તા. ૨-૧૧-૪૦ (પ્રજ્ઞાવબોધ ૭૪) પેાતે જે પ્રમાણે વ્રત લીધું હાય તેમ પાળવું. જો રાત્રે બીડી ન પીવાના નિયમ લીધે હાય તા તે પાળવાથી લાભ છે. શરીરના લાભ કરતાં આત્માના લાભ તરફ વિશેષ લક્ષ આપનાર મુમુક્ષુ કે આત્માર્થી કહેવાય છે. બાકી શરીરની જરૂરિયાત પૂરી પાડનારા જગતમાં ઘણા છે, તે જગતમાં ભમે છે. તે પરિભ્રમણથી છૂટવું હોય તેને માટે મેાક્ષમાર્ગ જ્ઞાનીપુરુષ પ્રરૂપ્યા છે. તે જ્ઞાનીની આજ્ઞા યથાશક્તિ ઉપાસશે તેનું કલ્યાણ થશેજી. “કાઈ પણ કારણે આ સૉંસારમાં ક્લેશિત થવા યગ્ય નથી” (૪૬૦) એવું કૃપાળુદેવનું વચન છે તેને વિચાર આપ કરશે.. આપણાં અહાભાગ્ય ગણવા યાગ્ય છે કે જગતનાં આટલાં બધાં પ્રાણીઓમાંથી જ્ઞાનીને શરણે જવાના ભાવ આપણને જાગ્યા. હવે તેની આજ્ઞા ઉઠાવવા પુરુષાર્થ કરતાં કાયર થવા ચેાગ્ય નથીજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #252 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૨૨૯ ૨૨૫ અગાસ, તા. ૬-૧૧-૪૦ તત 8 સત્ર કાર્તિક સુદ ૭, બુધ, ૧૯૯૭ સ્વરૂપ –સ્થિત સમતાપતિ રે, સર્વ અવસ્થામાંય, રાજચંદ્ર પદ તે નમું રે, સ્થિર મન થાઓ ત્યાંય. સમતા – સ્વામી તે રે, જે રમતા સમભાવે. ઇદ્રિ વિષયે ચહે રે, ખેંચે અવિરત પંથ; સંયમરૂપ લગામથી રે, વારે તે નિગ્રંથ. સમતા રાગાદિક કાંટાભર્યું રે, દુર્ગમ ભવન દેખ; સમતા-બૂટ બચાવતા રે, કઈ નડે નહિ રેખ. સમતા આત્મભાવના ભાવતાં રે, સમતાથી ભરપૂર સર્વ પદાર્થ નિહાળતાં રે, રાગાદિ રહે દૂર. સમતા મોહ-પંક પરિહર્યો રે, તૂટે રાગાદિ પાશ વિશ્વવંદ્ય સમતા – સતી રે, કરે ઉરે ગૃહવાસ. સમતા સામ્ય ભાવના જાગતાં રે, નાશ આશને થાય; અવિદ્યા ક્ષીણ તે કરે રે, ચિત્ત સર્પ મરી જાય. સમતા. ટાળે કર્મ નિમેષમાં રે, સમભાવે મુનિ જેહ, કેટી ભવનાં તપ વડે રે, અન્ય ન ટાળે એહ. સમતા. જે જ્ઞાની સમતા ધરે રે, સર્વ વસ્તુમાં નિત્ય કેવળ સમ સુખ તે લહે રે, માનું નિત્ય ખચીત. સમતા આત્મવિશુદ્ધિ જે ચહે રે, સમ્યફ સ્વાભાવિક મહાભાગ્ય તે ધારશે રે, સમતામાં મન ઠીક. સમતા સૌ પરદ્રવ્યથી જુદો રે, પરપર્યાર્થી ભિન્ન આત્માને નિશ્ચય થયે રે, સમતાને જે જન્મ. સમતા અવિચળ સુખ તેને મળે રે, અવ્યય પદ લે તે જ; બંધ-મુક્ત પણ તે બને છે, જે ભેગી સમ રહે જ. સમતા કમઠ જીવ દશ ભવ સુધી રે, દે પીડા મરણાંત (પ્રાણત); તોપણ પાર્થપ્રભુ ધરે રે, સમતા અહો ! અનંત. સમતા દેહ દશા તેવી કરી રે, વર્તે દેહાતીત; રાજચંદ્ર આ કાળમાં રે, સમતા વેગ સહિત. સમતા (પ્રજ્ઞાવબોધ – પ૬) વિ. આપને પત્ર વાંચી બહુ સંતોષ થયે છે. મહાપુરુષોએ કહેલે એક પણ ઉત્તમ બેલ આ કાળમાં જીવ વિપરીત સંગેમાં પણ આરાધે તે કેવું ઉત્તમ ફળ પિતાને મળે છે અને ચંદનની સુગંધી આખા વનમાં પ્રસરી જાય તેમ સર્વ સગાંસંબંધી કે દુશ્મનને ૧. આંખને પલકારે, આંખ મીંચતામાં ૨, જરૂર Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ બધામૃત પણ હિતકારી બને છે તેનું દૃષ્ટાંત તમે બનેલ છે. માહાસ્ય તે એ જ્ઞાની પુરુષનું છે. જેમ શ્રી પાર્શ્વનાથ ભગવાને કમઠ ધૂણી તપતું હતું તેમાંના લાકડામાંથી સાપ ને સાપણને બળતાં કાઢક્યાં અને મંત્રનું સ્મરણ દીધું તે તેટલા દુઃખમાં પણ ભગવાનનાં દર્શન અને તેમની આજ્ઞાથી ધરણેન્દ્ર પદ પામે તે ભાવપુરુષાર્થ કરીને મહાપુરુષના મંત્રને પ્રભાવ પ્રગટ કરનાર બન્યાં તેવી જ સ્થિતિ તમારી અત્યારે સંભળાય છે પણ પરમપુરુષનાં દર્શન જેને થયાં છે, જેણે તેમના બેધનું પાન ઘણા દિવસ સુધી કર્યું છે, તથા તે મોક્ષમાર્ગને આપનાર સપુરુષ ઉપર દઢ વિશ્વાસ જેના હદયમાં દઢ થયો છે, ધર્મ આરાધવાની અને આ સંસારનાં સર્વ દુઃખોથી છૂટી જવાની જેને મનમાં અત્યંત અભિલાષા છે તેને જે જે દુખ આવે તે પણ આત્માને હિતકર્તા નીવડે છે. મોક્ષગામી શ્રી ગજસુકુમાર મુનિની આપના જેટલી જ ઉંમર હતી પણ દઢતા ધર્મમાં કેટલી બધી હતી કે માથા ઉપર કાદવની પાળ કરી ધગધગતા અંગારા ભર્યા પણ કાઉસગ્નમાં જ રહ્યા, કેઈને પિતાને શત્રુ ન ગયે. પિતાનાં બાંધેલાં પોતાને ભેગવવાં પડે છે તેમાં કઈ વાંક નથી; ઊલટો ગુણ માન્યું કે મારા સસરાએ મને મોક્ષની પાઘડી પહેરાવી. આવાં દુખ તે આ ભવમાં આપણે માથે આવે એ સંભવ એક છે, પણ હિમ્મત તેટલી હોય તે જ મેક્ષરૂપ પરમ ફળ પ્રાપ્ત થાય. જે ગુણે પરમકૃપાળુદેવ આદિ મહાપુરુષોએ પ્રગટાવી ટકાવી રાખ્યા તે તે ગુણે આપણે બધાએ પ્રાપ્ત કર્યા વગર મોક્ષ થાય નહીં કે મુમુક્ષતા પણ ટકે નહીં. માટે ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજી કહેતા કે ખમી ખૂદવું, સહનશીલતા રાખવી, ભૂંડું કરે તેનું પણ ભલું થજે એવી અંતરમાંથી આશિષ આપવી. કેઈની સાથે બેલી બગાડવું નહીં, તેમ પિતાની ટેક તજવી નહીં. “થાવું હોય તે થાજો રૂડા રાજને ભજીએ.” એવા ભાવ હૃદયમાં રાખી સર્વને રાજી રાખી, તાળી તાળી દઈ આ સંસારથી છૂટી જવું છે. પથરા નીચે હાથ આવ્યું હોય તે કળે કળે કરીને કાઢી લે. ઉતાવળે ખેંચવા જાય તે આંગળીઓ તૂટી જાય. ધીરજનાં ફળ મીઠાં છે; કઈ ગમે તેમ બેલે, આપણી વાત કરે તે સાંભળી આપણું ભાવ બગડવા ન દેવા; મનમાં કંઈ ક્રોધ જેવું કે ઓછું આવે તે ભૂલી જવું, સંકોમાં તણાઈ ન જવું પણ મંત્રના સ્મરણમાં મનને જોડી દેવું. વ્યાધિ પીડા કર્મને લઈને ખાટલામાં પડયા પડયા ભોગવવી પડે છે, તેવા જ આ કર્મના યોગે સંગે આવી પડ્યા છે, તેમાં સમભાવ છે તેથી વધારે બળવાન બનાવી પરમકૃપાળુદેવને શરણે આ ભવ પૂરે કરે છે એ ચૂકવા જેવું નથી. જ્યાં સુધી શરીરમાં ભાન હોય ત્યાં સુધી તે પરમ પુરુષનું મને શરણું છે તે મારે ફિકર કરવા જેવું કશું નથી એ દઢ નિશ્ચય કર્તવ્ય છે. “ધીંગ ધણી માથે કિયા રે કુણ ગંજે નર બેટ-વિમલજિન દીઠાં લેયણ આજ.” એ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૨૨૬ અગાસ, તા. ૯-૧૧-૪૦ તત્ સત કાર્તિક સુદ ૧૦, ૧૯૯૭ હરિગીત – તૃષા વિના પાણી ન બળે, ભૂખ તે ભજન ભલું, તૃષ્ણારૃપી અગ્નિ બળે, તેનું શમન, સુખ - થીગડું; Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૩૧ પવસુધા જે ક્ષણિક વિહ્વોથી ભર્યું, આધાર પર માગતું, સમતા હરે, ઈન્દ્રિય સુખ તે દુઃખ બુધને લાગતું. ઈન્દ્રિય વૃત્તિ છતતા, ઉપશમ સમાધિ-સુખ જે, તે મોક્ષ-સુખની વાનગી, અભ્યાસ પૂર્ણ મેક્ષ દે, પરમાત્મપદમાં મગ્ન તેને સુખની ખામી નથી, શંગાર શાને તે ચહે? શાંતિ ખરી સ્ત્રી તે કથી. માયાઊં સુખ દેહનાં, દુઃખે ગણે, ફળ કર્મનાં, લાગે સુખે એ મેહથી ત્યાં સુધીં જીવ અધર્મમાં, દષ્ટિ યથાર્થ થયે જણાશે હેય જગ-સુખદુઃખ છે, જીવ કર્મફળ સૌ ત્યાગ, લે પુરુષાર્થ કર શિવસુખ તે. (પ્રાવધ-૭૫) આપે જે ભાવ પત્રમાં દર્શાવ્યા છે તે પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ વારંવાર પ્રાર્થનાપૂર્વક પ્રદર્શિત કરવા યોગ્ય છેજ. પરમકૃપાળુદેવની શ્રદ્ધા સંતના યોગે જેને થઈ છે તેને તે પ્રભુ દૂર નથી, તે સૌ સાંભળે છે, માટે વિશ્વાસ રાખી પ્રાર્થના, સ્તવન, સ્મરણ, ભક્તિ નિયમિત કર્તવ્ય છે. દેહના કામની જેટલી કાળજી રાખીએ છીએ તેના કરતાં અનંતગણી કાળજી આત્માની રાખવાનું પરમકૃપાળુદેવે કહ્યું છે તે વારંવાર વિચારી ચેતવા જેવું છે. ૫. ઉ. ૫. પૂ. પ્રભુશ્રીજી પણ કહેતા કે રેજ મરણને સંભારવું. જેવી મરણ વખતે અસહાય દશા છે તેવી જ અત્યારે પણ એક રીતે છે, પણ તે તરફ લક્ષ નથી. પિતાનાં કરેલાં કર્મ જ ઉદય આવે છે અને તે કર્મને ફેરવવા કોઈ સમર્થ નથી. કોઈનું દુઃખ કઈ લઈ શકતું નથી એ નજરે પ્રત્યક્ષ દેખાય છે. તેવી જ રીતે ક્ષણે ક્ષણે જે શુભ અશુભ ભાવ થયા કરે છે તેને અનુસરતાં કર્મોથી જીવ સમયે સમયે ઘેરાય છે. તેમાંથી કેણ બચાવે તેમ છે? તે ઉદય આવશે ત્યારે પરવશપણે ભેગવવાં જ પડશે. આ ક્રિયાઓ તરફ નજર જ જીવ કરતું નથી. માત્ર બહારની લેવડદેવડમાં આખે મીંચીને વર્યા કરે છે. હવે વિચારવું ઘટે છે કે પુરુષને વેગ થયા પછી પણ આ જ ક્રમ રહેતું હોય તે છુટાય શી રીતે ? “એ પર પરિણતિ રંગથી રે, મુજને નાથ બચાવ રે – દયાલરાય.” એમ પૂ. દેવચંદ્રજી સ્તવનમાં ગાઈ ગયા છે. તે કહી દર્શાવે છે કે પરપરિણતિમાં જીવ પડ્યો છે, પણ સત્સંગ સપુરુષને યંગ જેને થયે છે તેને ત્યાં આનંદ નથી આવતે; ઊલટો ત્રાસ પામે છે કે આ પૂર્વનાં કર્મ ઉદય આવ્યે જીવ ગભરાઈ જાય છે, તે નવાં કર્મ બંધાશે તે શું સુખ આપવાના હતાં? માટે હવે તે સત્સાધન સદ્દગુરુએ આપ્યું છે તે જ એક તરવાને ઉપાય છે તે ન છે. કારણ જ્ઞાનચક્ષુ વિના અનંતકાળથી ભટક્યો અને હજી તેની પ્રાપ્તિ નથી ત્યાં સુધી ભટકવાનું છે તે અંધારામાં પણ આંધળાને લાકડી સમાન આટલું સાધન છે, તેથી ધીમે ધીમે નિજ ઘર શોધીને ત્યાં જ સુખી થવું છે. આ રસ્તામાં ધક્કા, ઠપકા ખાતાં ચાલવું પડે છે તેમાં સુખ કદી ન માનું, આવી માન્યતા જેની થઈ છે તેને રાગદ્વેષરૂપ પરિણતિ થઈ જાય છે, પણ તેમાં રંગાઈ ન જવાય તેવી પ્રાર્થના પ્રભુને કરી છે કે રાગદ્વેષને શત્રુરૂપે જાણું તે જ તે છૂટે. જે તેમાં આનંદ, રંગ કે સુખ લાગે તે કદી ન છુટાય. માટે હે પ્રભુ! તેમાં જે Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ બાધામૃત રંગાઈ જવાય છે તે ભાવથી મને બચાવે. તેવા વૈરાગ્ય માટે મરણ વારંવાર વિચારી સમાધિમરણ માટે આજે શું કર્યું? એવું જ સૂતી વખતે વિચાર કરવાની ટેક રાખવા ગ્ય છે. પાણી પહેલાં પાળ બાંધી નહીં મૂકીએ તે આખરે પસ્તાવું પડશે. છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૨૨૭ અગાસ, કાર્તિક સુદ ૧૧, ૧૯૯૭ “વિઘત લક્ષમી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તે જળના તરંગ, પુરંદરી ચાપ અનંગ રંગ, શું રાચીએ ત્યાં ક્ષણને પ્રસંગ ?” સગત ભાઈ ................ના દેહત્યાગના સમાચાર જાણ્યા. તેમણે જે ધર્મભાવના કરી લીધી હતી તે તેમની સાથે ગઈ. દુઃખ આપણી નજરે દેખાય છે તેની તે વખતની અવસ્થા માની લેવા ગ્ય નથી, કારણ કે તે તે પૂર્વે કરેલાં કર્મનું ફળ છે, પણ તે ભેગવતાં જેવા તેના વર્તમાનમાં ભાવ રહેતા હોય તે તેની દશા ગણવા યોગ્ય છેજી. પરમકૃપાળુદેવે લખ્યું છેઃ “વિશેષ રેગના ઉદયથી અથવા શારીરિક મંદ બળથી જ્ઞાનીનું શરીર કંપાય, નિર્બળ થાય, જ્ઞાન થાય, મંદ થાય, રૌદ્ર લાગે, તેને બ્રમાદિને ઉદય પણ વર્તે; તથાપિ જે પ્રમાણે જીવને વિષે બેધ અને વૈરાગ્યની વાસના થઈ હોય છે તે પ્રમાણે તે રોગને જીવ તે તે પ્રસંગમાં ઘણું કરી દે છે.” (પ૬૮) અંત વખતે “ધ અને વૈરાગ્યની વાસના” કામ આવે છે માટે આપણે તે પ્રસંગ આવવાનું છે તે પહેલાં બેધ અને વૈરાગ્યની વૃદ્ધિ થાય તે અર્થે સત્સંગ, સશાસ્ત્ર દ્વારા બનતે પુરુષાર્થ કરી લે. મનુષ્યભવમાં અત્યારે ખરો અવસર આત્માનું કલ્યાણ કરવાને આવ્યું છે, તે વખતે પ્રમાદ કરી દેહ કે ધંધાનાં કાર્યો પાછળ ભવ ગાળી નાખીશું તે આખરે પસ્તાવું પડશે. માટે લૂંટમલ્ટ લેવાય તેટલે લહાવો લઈ લે. લખચોરાશીના ફેરામાં પછી શું બનવાનું છે? મેહરૂપી ઊંઘમાં જગત આખું પડ્યું છે તેમાંથી પૂર્વના પુણ્ય સદ્ગુરુને યોગ અને સત્સાધન પ્રાપ્ત થઈ ગયાં, તે હવે લઈ મંડવું. ઘણાં વર્ષો ભાન વગરની દશામાં ગયાં. હવે સપુરુષને યોગ થયા પછી તેવા ને તેવા રહી જઈશું તે આ યોગ મળે તે ન મળ્યા જે અફળ ગણાશે. તેમ થઈ ન જાય માટે ચેતવાનું છે. - સદ્દગત ....... જે કામ કરતા અને પિતાનું માની જે ભાર બજે વહેતા તે જેવા પણ હવે આવનાર છે? એમ કેટલાય ઠેકાણે આ જીવ જ , મોટો થયો, મારાં માની મરતાં સુધી કામ કર્યા, ત્યાં ને ત્યાં અધૂરાં મૂકી ચાલી નીકળ્યો પણ જન્મમરણના ચક્કરમાંથી છુટાય તેવું કાંઈ કર્યું નહીં. તેથી આ ભવમાં હજી જીવ ભમે છે. હવે તેવું કંઈ કરી શકાય તે યોગ આવી મળે છે તે બીજી બાબતેમાંથી મન ઉઠાવી લઈ આ આત્માની પરભવમાં શી વલે થશે? આત્મા માટે મહાપુરુષો કેટલું બધું રાતદિવસ મથે છે? અને હું કયારે આત્માની દયા લાવી તે મહાપુરુષોને પંથે વિચરીશ? એવી ભાવના રોજ કર્યા કરવી ઘટે છે જી. સાચા દિલથી કરેલી ભાવના સફળ થાય છે.જી. અત્યારે જે જોગવીએ છીએ, તે પૂર્વે કરેલી ભાવનાનું ફળ છે. શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #256 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા હરિગીત — ૨૩૩ અગાસ, તા. ૧૬-૧૧-૪૦ કાર્તિક વદ ૧, શનિ, ૧૯૯૭ તત્ २२८ સત્ બહુ ક રૂપી ઇંધનાને, કાળ બહુ બળતાં થતા, ને અલ્પ સંચય હાય તા, તે અલ્પકાળે બળી જતા; કારણ વિષે છે સત્યતા જો, તુર્ત પુરુષાર્થે વળે, વર્ષા થતાં ખેડૂત વાવે ધાન્ય; નરભવ આ કળેા. શ્રદ્ધા સુધર્મે તે ટકે, સક્રિયા સાધી શકે; તે જ તૈયારી કરે, આ મેાક્ષ તત્ત્વ જે ધરે મુમુક્ષુતા તે યાગ મોટો, પાંચે પદાને જે વિચારે, પોતે કમર કસૈં મેક્ષ લેવા; દહે— “સ્થાનક પાંચ વિચારીને, છ વર્તે જે; પામે સ્થાનક પાંચમું (મેાક્ષ), એમાં નહિ સંદેહ.’ શ્રી આત્મસિદ્ધિજી આપનો પત્ર મળ્યા. વાંચી તમારી મનેરથદશા જાણી છેજી. પ્રશસ્ત ભાવા પૂર્વે આરાધનના સંસ્કારરૂપ છે, તેને આ ભવના દૃઢ પુરુષાર્થે સફળ કરવાના છેજી. ખરે પુરુષાર્થ તત્ત્વવિચારણારૂપ છેજી. વૈરાગ્ય અને દૃઢ જિજ્ઞાસા તેનેા આધાર છે. પ્રાપ્ત સયેાગામાં ખની શકે તેટલા કાળ સાંચન, સદ્વિચાર, સદ્ભાવનામાં ગાળવા ઘટે છેજી. જે જે મુખપાઠે કર્યું છે તે તે બધાં વચનેા મનનને વખત માગે છે. યથાશક્તિ દરરાજ પા-અડધા કલાક બીજા વિચારો, બીજી પ્રવૃત્તિ અધ કરી સત્પુરુષના એકાદ વાકય, કડી કે વિચારને આધારે પોતાના ખળ પ્રમાણે ખીલવવા, વિસ્તારવા અને ઊંડા ઊતરીને સમજવા તથા આત્મભાવ તે વચનના આશય તરફ વાળવા પુરુષાર્થ હવે કતવ્ય છેજી. પેાતાને શકા મનમાં રહેતી હોય, દુઃખ વેદાતું હાય કે કઈ કહેવા જેવું લાગતું હાય તે મુમુક્ષુવને વડીલ સમજી તેના આગળ ખુલ્લા દિલથી ચર્ચા કરી તેના નિકાલ લાવવામાં શરમાવું ઘટતું નથી. મેાક્ષમાર્ગે વિચારતા સદ્ગુરુની આજ્ઞાને શિરાધાર્ય કરતા સર્વ મુમુક્ષુજના આપણા સાચા સગા છે, કારણ કે તેમની દૃષ્ટિ સદ્ગુરુની દૃષ્ટિને અનુસરીને છૂટવાની દષ્ટ થઈ છે, માટે ગભરાવાનું, મૂઝાવાનું કંઈ કારણ નથી. પાછી પાની ના ધરે. (પ્રજ્ઞાવખાધ-૭૫) ધીંગ ધણી માથે કિયા રે, કુણુ ગજે નર ખેટ, વિમલજિન દીઠાં લેાયણુ આજ, મારાં સીધ્યાં વાંછિત કાજ, વિમલજિન૦’ જેણે યથાર્થ આત્મા જાણ્યા છે, એ સદ્ગુરુનું શરણું આ ભવમાં જે મહા ભાગ્યશાળી જીવને મળ્યું છે તેને હવે તેા તેણે ખતાવેલ માર્ગે સત્પુરુષાર્થ કરવાના છે. માટી મૂંઝવણુ-કાનું કહ્યું માનવું ? અને કોને પૂછવું ?- તે જીવને હાય છે. તે તે તેને હવે ટળી ગઈ. જેટલેા પુરુષાર્થ જીવ હવે કરશે તેટલું તેનું વીર્ય સફળ ખની પ્રગટ જણાઈ આવશેજી. “કઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યેાગ્ય નથી’ (૪૬૦) એમ પરમકૃપાળુદેવે કહ્યું છે તે ત્યાં સત્સ`ગમાં સર્વે મળી વિચારવા યાગ્ય છેજી. એ જ વિનતી. ૐ શાંતિ: શાંતિ: શાંતિ: Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯ ૨૩૪ . બાધામૃત અગાસ, તા. ૨૮-૧૧-૧૦ ૫ ને જણાવવાનું કે તેમણે લીલેતરીને ત્યાગ કર્યો છે તેમાં અથાણુને સમાવેશ થતું નથી. લીલેરીમાં તે સચિત્ત ઉગેલી કે ઊગતી વનસ્પતિ સમાય છે, અને અથાણામાં અચિત્ત થઈ ગયેલી વસ્તુઓ મુખ્યપણે હોય છે. એટલે કોઈ ને મારે મારા આહાર અર્થે હણવા નથી એવી ભાવના લીલેતરીના ત્યાગીને હોય છે, કારણ કે બીજા ને હણવાથી મારા આત્માને સંસાર-પરિભ્રમણનું કારણ રાગદ્વેષ છે તેમાં પ્રવૃત્તિ થાય છે, તે રાગદ્વેષ ટાળવા આ લીલેતરીના જીવ પ્રત્યે દયા રાખું છું એટલે મારા જીવને જ બચાવું છું. રસમાં લુબ્ધ થવાથી ઘણી વખત આ જીવ છેદા છે, ભેદાયે છે, શેકા છે, તળાય છે અને વારંવાર સંતાપ પામે છે, તે ભાન નહોતું, પણ પરમકૃપાળુદેવની કૃપાથી આ જીવની હવે તેવી દશા ન થાય તે અર્થે બીજા છ પ્રત્યે તેવા દુઃખની આ જીવને હવે ઈચ્છા નથી. બીજું, અથાણુમાં ફૂગ આવે છે તે વનસ્પતિકાયના જીવે છે, અને તે ન સચવાય તે લીધેલા વ્રતમાં દોષ થવાનો સંભવ છે. જે વિચારવાન છે લીલેરીનો ત્યાગ કરી શકતા નથી તેવા છે પણું અથાણુને ત્યાગ એવી ભાવનાથી કરે છે કે એકેદ્રિય બધા બચાવી શકાય તેમ હાલ લાગતું નથી, પણ બેઈદ્રિય આદિ ત્રસ (હાલતાં-ચાલતાં) છ અથાણામાં પડે છે તે એક જાતને કહેવારે છે તે ખાવો ઘટતે નથી; તથા રસના લેભી જીવ અથાણા કરી રાખી, શાક ન મળી શકે તેવી મોસમમાં અથાણુથી રસ પિષવાનું કરે છે તે રસ ઘટાડવાને અથાણાને ત્યાગ કરે છે. જેમ જેમ દયાની લાગણી વધતી જાય તેમ તેમ જીવ પિતાના આત્માને પાપના કારણેથી બચાવી થેલી વસ્તુઓથી પેટ પૂરતે રાક નિર્દોષપણે લેવાની જના કરીને જીવે છે. ત્યાગ વૈરાગ્યના નિયમ કોઈ લેવાની વૃત્તિ થાય તે પિતાથી સહેલાઈથી બની શકે અને તેને ભંગ થવાને સંભવ ન દેખાય તેવા નિયમ પરમકૃપાળુદેવની આજ્ઞાથી લેવામાં હરકત નથી). આત્માને બંધનથી મુક્ત કરવા હવે પુરુષાર્થ કરે છે તે સદ્દવિચારથી બને છે. છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૨૩૦ અગાસ, તા. ૧-૧૨-૪૦ તમારા પત્રો બને મળ્યા. રૂબરૂમાં વાત થાય તેવી પરભારી થવી અને સમજાવી મુશ્કેલ છે, છતાં ભાઈને કહ્યું છે તે તમને જણાવે તે પ્રમાણે ત્રણ પાઠ “તત્ત્વજ્ઞાન”માંથી મુખપાઠ કરી રેજ બલવાને નિયમ સખશે. મુખપાઠ ન થાય ત્યાં સુધી એક વખત વાંચી જવાનું ચૂકવું નહીં. જ્ઞાની પુરુષ, સન્માર્ગે ચઢવા માટે પ્રથમ કરવા ગ્ય કહેલી આજ્ઞા આપને તે જણાવશે. તે ભાવપૂર્વક પ્રત્યક્ષ જ્ઞાની સમક્ષ પ્રાર્થના કરતા હોઈએ તેવા હૃદયના સાચા ભાવથી જ બતાવેલી પ્રાર્થના કરશે અને તેને વિચાર કરશે તે સન્માર્ગપ્રાપ્તિ સુલભ થશે. જેમ કે વૈદ્ય દવા આપે અને તેણે બતાવેલી ચરી હોય તે પાળે તે દવા ગુણ કરે છે તેમ સાત વ્યસન અને સાત અભક્ષ્ય વસ્તુઓમાંથી જીવતા સુધી જેટલાને ત્યાગ થઈ શકે તેટલે ત્યાગ હૃદયમાં વિચારી તેની આજથી પ્રતિજ્ઞા લઉં છું એ દૃઢ નિર્ણય કર્તવ્ય છેજી. કેમ કે પાપના પંથથી પાછા હઠયા સિવાય સન્માર્ગમાં સ્થિરતા થતી નથી. Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૫ પત્રસુધા “જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તે; ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ.” વડીલને વિનય, સેવા અને સદુવચન તથા સદ્વર્તનથી પિતાને અનુકૂળ કરવા બનતે પ્રયત્ન કર્તવ્ય છે. આપના તરફ તેમની સાચી લાગણી હેય તે તમારું દિલ દૂભવવા તે ઈચ્છે નહીં. તમારા હિત માટે તમે પ્રવર્તાવા ઈચ્છે તેમાં સમજુ હોય તે, કે અંતરના પ્રેમવાળા હોય તે વિશ્વ ન કરે. માત્ર મહિને લઈને ધર્મમાર્ગે જતાં તે વારે, પણ તમારે અને તેમને બનેને એ જ અંતે કામનું છે એમ પ્રસંગે પ્રસંગે તેમની સાથે વાત કરતા હો તે જેમ પૈસા કમાવા બહાર આફ્રિકા સુધી પુત્રોને મોકલે છે તેમ માબાપે પિતાનું અને બાળકનું હિત સત્ય ધર્મથી થાય છે એમ સમજે તે તે ધર્મ આરાધવામાં વિદ્મ કરે નહીં. જે શાંતિઃ શાંતિઃ શાંતિઃ - ૨૩૧ અગાસ, તા. ૧-૧૨-૪૦ તત્ સત્ માગશર સુદ ૨, રવિ, ૧૯૯૭ આજ ગુરુ રાજને પ્રણમી અતિ ભાવથી, યાચના શુદ્ધતાની કરું છું; આપ તે શુદ્ધભાવે સદાયે રમે, બે ઘડી શુદ્ધભાવે ઠરું છું. આજ પામ જાતિસ્મરણ જાણ લીધે તમે, જે સનાતન મહાધર્મ સાચે; આત્મ-હિતકારી તે યાચતે બાળ આ, પરમકૃપાળુ કાઢે ન પાછો. આજ (પ્રજ્ઞાવબોધ ૭૭) વિ. આપના પત્રો બન્ને મળ્યા. પરમ પુરુષ પરમકૃપાળુદેવ પ્રત્યે આપની વધતી જતી શ્રદ્ધા જાણુ સંતેષ થયે છે. આ દુષમ કળિકાળમાં આપણા જેવા હનપુણ્ય અને સાક્ષાત્ મહાવીર સ્વામીનાં વચનને પરિચય કરાવનાર એ મહાપુરુષ ઉપર શ્રદ્ધા કરાવનાર ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીને અથાગ ઉપકાર જેમ જેમ સમજાતે જાય છે, તેમ તેમ તે પુરુષે બતાવેલા સન્માર્ગ પ્રત્યે વિશેષ વિશેષ પ્રેમ અને પુરુષાર્થવૃત્તિ જાગે છેજ. તેને વિગ હજી વિશેષ સાલશે તેમ તેમ બીજેથી વૃત્તિ સંકોચાઈ તેની આજ્ઞામાં વારંવાર વળતી જશે અને તેને જ રંગ રુચિકર જણાતાં આખું જગત એઠવાડા જેવું, નીરસ, અપ્રીતિકર અને શત્રુસમાન લાગ્યા કરશે. તે પુરૂષના દર્શન, સમાગમ, બેધ, સર્વ આત્મહિતપ્રેરક ચેષ્ટા અત્યંત કરુણાપૂર્ણ, પ્રીતિકર, સ્મૃતિ કરવા ગ્ય, કરવા યોગ્ય, આનંદદાયી અને ઉલ્લાસપ્રેરક સમજાતાં જીવને બીજી ઈચ્છાઓ કરવાનું કંઈ કારણ નહીં રહે. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમ ભેદ સુ ઉર બર્સે વહ કેવલકો બીજ જ્ઞાની કહે, નિજક અનુભવ બતલાઈ દિયે.” આપના દાદા પૂ .ભાઈ ઘણી વખત યાદ આવે છે. ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજી ઉપર તેમને પ્રેમ બહુ સંસ્કારી હતે. પોતે કોઈ કોઈ વખત પ્રેમનાં કાવ્ય પણ લખતા. એ ભક્તોને પણ ધન્ય છે કે જેમનાં હદય જગતને ભૂલીને એક પરમ પુરુષમાં લીન રહેતાં. તે કાળે, તે પ્રસંગે, તે વખતના ઊછળતા ભાવે વચનથી વર્ણવી શકાતા નથી, પણ સ્મૃતિપટ ઉપર બધા ચીતરાઈ રહ્યા છે. નાના નિર્દોષ છોકરાની પેઠે તે વખતે સારું સારું નવું નવું જોઈ આનંદસાગરમાં જીવ ઊછળ્યા કરતે, પણ તે પુરુષની ગંભીરતા, દીર્ઘદ્રષ્ટિ અને અપૂર્વ ગી Page #259 -------------------------------------------------------------------------- ________________ ૩૬ બેધામૃત પણું, ગુપ્ત ચમત્કાર સમાન કે વાદળમાં ઢંકાયેલા સૂર્યના તેજ સમાન છૂપી છૂપી અસર અદશ્યપણે કરતું તે કાંઈ સમજાતું નહીં. માત્ર તે પ્રત્યે જીવ અજાણ્યે આકર્ષાયા કરતો. એક પ્રકારની ઉન્મત્તતા જ રહ્યા કરતી. એ સત્પષના પ્રત્યક્ષ યોગમાં જે સહજપણે હૃદયરંગ વૃદ્ધિ પામતા તે ઘણુ પુરુષાર્થ પણ વિયેગમાં પામવા હવે દુષ્કર છે. પણ તે મહાપુરુષની આજ્ઞા, તેનાં વચને, તેણે કહેલી શિખામણે હદયમાં રાખી જીવને બીજેથી છોડાવી તેમાં જ રાખ્યા વગર બીજો કોઈ ઉપાય હવે નથી. જેવા દહાડા આવી પડે તેવા સમભાવે જોયા કર્યા સિવાય અન્ય ઉપાય નથી. તળાવ કે ગમતીમાં સ્નાન કરવા સિવું પડે પણ મગરને ડર હોય તે જેમ ઝટ પરવારી બહાર નીકળી જાય તેમ બીજાં કામમાં બેટી થવું પડે ત્યાં આત્મહિત નથી એમ જાણી ત્યાંથી છૂટી જે આત્મહિતકારી જ્ઞાનીનાં વચનામૃત છે તેમાં ચિત્તની તલ્લીનતા કરવાથી જીવને શાંતિ વળે તેમ છેજી. વ્રતનિયમ વિષે કોઈ વખત સમાગમ વાત થશે. હાલ તે જે પુરુષનાં વચનામૃત વાંચે છે તે વિચારી તે પુરુષની સમ્યકજ્ઞાનમય અસંગ અપ્રતિબંધ દશાની ભાવના કરતા રહેવા ભલામણ છે. એ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૨૩૨ અગાસ, તા. ૨-૧૨-૪૦ તત્ સત માગશર સુદ ૩, સોમ, ૧૯૯૭ “રાગ દ્વેષ અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ.”—આત્મસિદ્ધિ “શુદ્ધતા પરિણામ-સ્વરૂપ, અપૂર્વકરણ નામે અનુપ; દઢ તીક્ષણ કઠિન કુઠાર, એક આખે તેને ઉદાર, કાનમાં વળી કહી એક વાત, તવ ઉલ્લલ્યું વીર્ય વિખ્યાત; યુક્તિશું યક્ત પ્રકારે, પિળે જઈ તેહ કુઠારે, નિબિડ રાગ અને બીજે દ્વેષ, પરિણતિરૂપ લહ સવિશેષ; ગ્રંથિ નામ કમાડની જેડી, તëણ તે નાખી ત્રોડી.” ભુવનભાનુ કેવલીને રાસ – જૈનકથા રત્નષ ભાગ-૫ પૃષ્ઠ ૨૦૮ આપના પત્રમાં પરમકૃપાળુદેવના પ્રત્યે ભક્તિભાવ પ્રદર્શાવ્યું છે તે જાણી આનંદ થયે છેછે. આપના પ્રથમ પ્રશ્ન વિષે મથાળે જણાવેલા કાવ્યમાં આજે વિસ્તારથી કરેલું વર્ણન વાંચવામાં આવ્યું તેમાંથી થેડી કડીઓ આપને વિચારવા ટાંકી છેજ. આત્મપરિણામ છઘસ્થ જીવને સમજાવો દુર્ઘટ છે તેથી રૂપક, ઉપમાઓ વગેરેની મદદથી કથા જોડેલી ઉપમિતિભવપ્રપંચ જેવી કવિ ઉદયરત્નની છે. કેવળજ્ઞાની સ્પષ્ટરૂપે સૂક્ષ્મ પરિણામો જાણી શકે છે અને તે દિવ્યધ્વનિ દ્વારા કહેલું કરણાનુગ ગ્રંથમાં કંઈક સંગ્રહાયું છે તે કેવળજ્ઞાનની મહત્તા દર્શાવે છે. જ્ઞાનીનું શાસ્ત્રમાં કહેલું કહી જવા જેવું જ આપણાથી હાલ બને તેમ છે. પરમકૃપાળુદેવ પત્રાંક ૫૭૦ માં લખે છે – અનિત્ય પદાર્થ (દેહાદિ) પ્રત્યે મેહબુદ્ધિ હોવાને લીધે આત્માનું અસ્તિત્વ', “નિત્ય અને “અવ્યાબાધ સમાધિસુખ ભાનમાં આવતું નથી. તેની મેહબુદ્ધિમાં જીવને અનાદિથી ૧. ફરસી, કુહાડી ૨. બેધ ૩, ૪. તીવ્ર અનંતાનુબંધી કષાય Page #260 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૨૩૭ એવું એકાગ્રપણું ચાલ્યું આવે છે, કે તેને વિવેક કરતાં કરતાં જીવને મૂંઝાઈને પાછું વળવું પડે છે, અને તે મેહગ્રંથિ છેદવાનો વખત આવવા પહેલાં તે વિવેક છેડી દેવાને વેગ પૂર્વકાળે ઘણી વાર બન્યું છે, કેમ કે જેને અનાદિકાળથી અભ્યાસ છે તે, અત્યંત પુરુષાર્થ વિના, અલ્પકાળમાં છેડી શકાય નહીં. માટે ફરી ફરી સત્સંગ, સશાસ્ત્ર અને પિતામાં સરળ વિચારદશા કરી તે વિષયમાં વિશેષ શ્રમ લે યોગ્ય છે, કે જેના પરિણામમાં “નિત્ય, “શાશ્વત', “સુખસ્વરૂપ” એવું આત્મજ્ઞાન થઈ સ્વરૂપ આવિર્ભાવ (પ્રગટ) થાય છે. એમાં પ્રથમથી ઉત્પન્ન થતા સંશય ધીરજથી અને વિચારથી શાંત થાય છે. અધીરજથી અથવા આડી કલ્પના કરવાથી માત્ર જીવને પોતાના હિતને ત્યાગ કરવાનો વખત આવે છે, અને અનિત્ય પદાર્થને રાગ (ભ) રહેવાથી તેના કારણે ફરી ફરી સંસાર પરિભ્રમણને વેગ રહ્યા કરે છે.” આમ ગૂઢ શાસ્ત્રની વાત પરમકૃપાળુદેવે સમજાય તેવી સ્પષ્ટ શબ્દોમાં કરી છે. યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ નામના એક એક કરતાં વિશેષ નિર્મળ પરિણામ તે દર્શનમેહ અને ચારિત્રમેહનું બળ ઘટાડી સમ્યક્ત્વ કે શ્રેણીને યોગ્ય જીવને બનાવે છેછે. તેની અસર ક ઉપર કેવી થાય છે તેનું બહુ સૂક્ષ્મ વર્ણન શાસ્ત્રોમાં છે તેના સારરૂપઃ પહેલા અંતમુહૂર્ત કાળ સુધી અધઃકરણ કે યથાપ્રવૃત્તિકરણ હોય ત્યારે ચાર આવશ્યક (જરૂરની ક્રિયા) બને છે. (૧) સમયે સમયે અનંતગુણ વિશુદ્ધતા હેય. (૨) એક એક સૂક્ષમ અંતમુહૂર્ત નવા બંધની સ્થિતિ ઘટતી જાય તે સ્થિતિબંધ-અપસરણું આવશ્યક થાય. (૩) સમયે સમયે પ્રશસ્ત પ્રકૃતિઓને રસ અનંતગુણ વધે અને (૪) સમયે સમયે અપ્રશસ્ત પ્રકૃતિને અનુભાગ (રસ) બંધ અનંતમા ભાગે થાય; એવાં ચાર આવશ્યક થાય. તે પછી અપૂર્વકરણ (કદી નહીં થયેલાં તેવાં મંદમેહવાળા પરિણામ) થાય છે. તેને કાળ યથાપ્રવૃત્તિના કાળનો સંખ્યાતમો ભાગ છે. તેમાં એક વધારાનું આવશ્યક થાય છે. એક એક અંતર્મુહૂર્તે સત્તામાંનાં પૂર્વકર્મની સ્થિતિ ઘટાડે તે સ્થિતિકડક ઘાત છે તેથી નાના એક એક અંતમુહૂર્ત પૂર્વકર્મને રસ (અનુભાગ) ઘટાડે તે અનુભાગકાંડક ઘાત છે; ગુણશ્રેણીના કાળમાં કમે અસંખ્યાતગુણા પ્રમાણપૂર્વક કર્મ નિર્જરાને યોગ્ય બનાવે છે, તે ગુણશ્રેણી નિર્જરા છે. આ અપૂર્વકરણ પછી અનિવૃત્તિકરણ થાય છે, તેને કાળ અપૂર્વકરણના કાળથી અસંખ્યાતમાં ભાગે જાણુ. તેમાં ઉપર કહેલાં આવશ્યક સહિત શેડો કાળ ગયા પછી અનિવૃત્તિકરણ કરે છે. અનિવૃત્તિકરણના કાળ પછી એક મુહૂર્ત (બે ઘડી સુધી)માં ઉદય આવવા યોગ્ય મિથ્યાત્વકર્મને અભાવ કરે છે એટલે તે કર્મની સ્થિતિને આઘીપાછી કરે છે એટલે બે ઘડી સુધી મિથ્યાત્વ ઉદયમાં ન આવે, આંતરે પડે તેવું કરે તેને અંતરકરણ ક્રિયા કહે છે. પછી ઉપશમકરણ કરે છે, ઈત્યાદિ ક્રિયાથી બે ઘડી સુધી મિથ્યાત્વ ઉદયમાં ન આવે તેવું બન્યું તે પ્રથમ ઉપશમ સમ્યકત્વ કાળ છે. પરમકૃપાળુદેવે માત્ર જરૂરના ઉપાય જણાવ્યા છે તે કર્યાથી ઉપર જણાવેલી, ભગવાને દીઠેલી બધી ક્રિયાઓ આપોઆપ થયા કરે છે. સં. ૧૯૫૦, ભાદ્રપદ સુદ ૩ને પત્ર શરૂ કરે છે – “જીવને જ્ઞાની પુરુષનું ઓળખાણ થયે તથા પ્રકારે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લેભ મોળા પડવાને પ્રકાર બનવા યોગ્ય છે કે જેમ બની અનુક્રમે તે પરિક્ષીણપણાને પામે છે. ...” (૫૨) Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ બેધામૃત બીજો પ્રશ્ન દઢપ્રહારી વિષે છે તેની કથા પરમકૃપાળુદેવે ભાવનાબેધમાં ટાંકી છે, ત્યાં તપ એ નિજરાનું કારણ છે તે મુદ્દો લક્ષમાં રાખીને લખી છેજી. જે અભિપ્રાયે કથા લખાઈ હોય તે લક્ષ કથાનુગમાં રાખ ઘટે છે. કથાનુગમાં અને સિદ્ધાંતગ્રંથમાં ઘણે ફેર છે, માટે કથાનુગમાં જે ઉલેશે કથા લખાઈ હોય તે તરફ લક્ષ રાખવાથી વાચકનું હિત થાય છે. આજના વાચનમાં આવ્યું હતું કે “કાવવાની રહી છે #ર જ પથ આ વાના થી એયર હૈ” અન્ય રીતે તે જ કથા “અભિધાન રાજેદ્રકોશમાં આજે જોઈ. નગર લૂંટવા દઢપ્રહારી જાય છે ત્યાં સુધી સરખી કથા છે પછી ફેર છે. એક ચેર, ભિક્ષા માગી લાવી છોકરાં માટે ખીર રાંધીને પીરસી હતી, તે થાળી લઈને જતો રહ્યો. તેથી છોકરાઓએ તેને બાપને ફરિયાદ કરી. તે હથિયાર લઈ ચેરને મારવા લાગ્યા. તે દઢપ્રહારીને ખબર પડતાં તેને તેણે માર્યો. તેવામાં ગાય સામી થઈ તેને મારી અને તેની સ્ત્રી લડવા આવી તેને શસ્ત્રતરવારથી કાપી નાખી. તે સગર્ભા હતી, તેને ગર્ભ પણ કપાઈને પડ્યો. તે જોઈ તેને પશ્ચાત્તાપ થયો અને બાળકોએ રડતાં રડતાં કહ્યું: “અમને પણ મારી નાખ, મા-બાપ વગર ગરીબાઈમાં અમેય મરી જ જવાનાં છીએ.” તેથી તે તેને વિશેષ નિર્વેદ થયો કે હવે આ પાપથી કેમ છૂટીશ? એવામાં સાધુઓને દીઠા. પાપને ટાળે તે સદુપદેશ તેમણે દીધે તેથી તે બેધ પામી દીક્ષિત થયે અને ક્ષમા ધારણ કરવાને દઢ નિર્ણય-નિયમ લીધે. વળી “જ્યાં સુધી આ પાપની સ્મૃતિ રહે ત્યાં સુધી મારે આહાર ન કરવો” એવી પ્રતિજ્ઞા ગ્રહણ કરી ત્યાં જ તિરસ્કાર, માર વગેરેના ઉપસર્ગ સહન કરતે તે રહ્યો. પિતાનાં કરેલાં પાપ જ ભગવાઈને છૂટે છે એમ ગણી સર્વ સહન કરવા લાગે. કર્મશત્રુઓ પ્રતિ તપશસ્ત્ર ધારણ કરી ખરેખરો દઢપ્રહારી તે બન્યું. છ માસમાં સર્વ કર્મ નિર્મૂળ કરી કેવળજ્ઞાન ઉપજાવી તે તપસિદ્ધ થયે. મૂળ મુદ્દો સાચવી પ્રસંગનુસાર કથાનકમાં આચાર્યો વિસ્તાર, સંકેચ કે ફેરફાર કરે છે. એમાં કઈ દોષ કે મૃષાવાદ નથી. ધર્મકથાથી ધર્મહેતુ સધાય છે તે લક્ષ રાખવો. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૨૩૩ તમારે પત્ર મળે. ભવિષ્યની ચિંતા કરી મૂંઝાવા જેવું કશું નથી. જે થાય તે જોયા કરવું. જગતમાં આપણું કશું નથી. મે'માનની પેઠે થડા દિવસ માટે આ મનુષ્યભવમાં આવવું થયું છે, તે કાળ પૂરો થયે અહીંથી ચાલી જવાનું નક્કી છે. પરમાર્થ માર્ગની જેને દઢ ઈચ્છા હશે તે જરૂર વહેલે મોડે તે પામશે, પરંતુ પ્રમાદ કરી બીજા કામનું મહત્વ રાખી વ્યર્થ કાળ ગુમાવવા જેવું નથી. પ્રાપ્ત સંગોમાં પિતાનાથી બને તેટલે પુરુષાર્થ આત્મા સમજવા માટે સદુઉપદેશ અને સત્સમાગમથી કરતા રહે ઘટે છે. રોજ મરણને સંભારવું ઘટે છે. પૂર્વે બાંધેલાં શુભાશુભ કર્મ ભેગવવા માટે જ આ દેહ પ્રાપ્ત થયું છે તે જેવાં બાંધ્યાં હશે તેવાં યથા-અવસરે દેખાશે. જેમ કેઠીમાં ઘઉં નાખ્યા હોય તે કાઢે ત્યારે ઘઉં નીકળે, ડાંગર નાખી હોય તે ડાંગર નીકળે અને કદરા નાખ્યા હોય તે ઘઉં નીકળે નહીં, તેમ કર્મ જેવાં જેવાં ઉદયમાં આવે તે સમભાવે મૂંઝાયા સિવાય જોયા કરવાં; તેમાં આસક્તિ થાય તે નવાં Page #262 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૨૩૯ કર્મ જે અત્યારે નથી ગમતાં તેવાં અડધાવાનું કારણ છે, માટે અને તેટલી જાગૃતિ રાખી, સત્પુરુષનાં વચનામાં ચિત્ત તલ્લીન કરવાના અભ્યાસ કરશે! તેા સમભાવે રહેવા ચૈાગ્ય જાગૃતિ આવતી જશે. શરૂઆતમાં તે સત્પુરુષે આપેલી શિખામણ ખરે વખતે યાદ નથી રહેતી, ભૂલી જવાય છે, ખીજામાં તલ્લીન થઈ જવાય છે. પણ પછી યાદ આવે કે રાગદ્વેષ નહેાતા કરવા અને થઈ ગયા પણ ફરી હવે નહીં થવા દઉં. આમ વારવાર ભૂલેા કરતાં કરતાં પણુ, બાળક જેમ પડતાંઆખડતાં ચાલતાં શીખી જાય છે અને દોડી પણ શકે છે તેમ જે શિખામણ પ્રથમ નહેાતી સાંભરતી અને પાછળ પશ્ચાત્તાપ કરાવતી તે અણીને વખતે સાંભરે તેવા વખત કાળજી રાખી ચેતતા રહેનારને બને છે. પછી તેા તેવા પ્રસગે આવતા પહેલાં ચેતતા રહેવાની ચેતવણી મળતી રહે છેજી. ગભરાયા વગર અને તેટલું અત્યારના સ`જોગામાં સાચન શ્રીમદ્ રાજચ'દ્ર' ગ્રંથ વગેરેમાંથી કરતા રહેશે। તે માર્ગ પ્રાપ્ત કરવાની ચેાગ્યતા આવતી જશેજી. પત્રાંક ૮૧૯ મુખપાડ કરી રોજ વિચારવાનું કરશેા તે શાંતિનું કારણ થશેજી. અભ્યાસ મૂકી દેવાની ઉતાવળ કરવા યેાગ્ય નથી. હાલ જે શીખા છે તેથી વિચારશક્તિ ખીલવાનું કારણ છે, અને વિચાર કર્યાં વિના કોઈ રીતે ધર્મનું આરાધન થતું નથી. અને આજીવિકા જેટલું કમાઈ શકતા ન હોય તે અધૂરે અભ્યાસે ધર્મ આરાધવા દોડે તે નહીં ઘરના નહીં ઘાટના એવા ધાબીના કૂતરાની દશા તેને પ્રાપ્ત થાય. માટે આજીવિકાના સાધન પૂરતી ચેાગ્યતા પ્રથમ કરી લેવી અને સાથે સાથે ધ પ્રેમ પણ વધારતા રહેવું. ધમને મૂકીને કાઈ કાર્ય કરવા યાગ્ય નથીજી. અમાસ, તા. ૫-૧૨-૪૦ માગશર સુદ ૬, ગુરુ, ૧૯૯૭ ૨૩૪ તત્ છે. સત્ . શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય, તે કોઈ અન્ય લઈ ન શકાય; એ ભાગવે એક સ્વઆત્મ પાતે, એકત્વ એથી નય સુજ્ઞ ગાતે. નથી ધર્યાં દેહ વિષય વધારવા, નથી ધર્યાં દેહ પરિગ્રહ ધારવા; નહિ દે તું ઉપદેશ, પ્રથમ લેહિ ઉપદેશ; સખસે ન્યારા અગમ હૈ, વાસાનીકા દેશ. જપ તપ ઔર વ્રતાદિ સબ, તહાં લગી ભ્રમરૂપ; જહાં લગી નહિ સંતકી, પાઈ કૃપા અનૂપ. પાયાકી એ ખાત હૈ, નિજ છ'નકા છેડ; પિછે લાગ સત્પુરુષકે, તા સમ ખાધન તેાડ. ઉઘાડ ન્યાય-નેત્ર તે, નિહાળ રે ! નિહાળતું, નિવૃત્તિ શીઘ્રમેવ ધારોં તે પ્રવૃત્તિ ખાળ તું.” –શ્રીમદ્ રાજચંદ્ર વિ. આપના પત્ર આજે મળ્યા. તમારી તબિયત નરમ રહે છે એમ જાણ્યું. કર્માંધીન શરીરસ્થિતિ છે”. આપણા હાથની વાત તેા ભાવ સુધારવા તે છે”. તેમાં સત્સ`ગ એ જ ઉત્તમ નિમિત્ત છે અને તે દ્વારા અનાર્ત્તિથી ભૂલા પડેલા આ આત્માને પાતાના હિત માટે Page #263 -------------------------------------------------------------------------- ________________ બધામૃત ૨૪૦ તત્પર કરવાનો છેજ. તે વેગ પણ મહત પુણ્યના ગે બની આવે છે. તે વેગ ન મળી આવે ત્યાં સુધી તેવા યુગની ભાવના રાખી પુરુષનાં વચનામૃતને પ્રત્યક્ષ સત્પરુવ તુલ્ય સમજી કાળજીપૂર્વક ઉપાસવાથી અપૂર્વે ફળ થવાનો સંભવ છે.. અનેક યુગમાં અનેક પ્રકારની કલ્પનાઓ અનેક છોને સંસારપ્રવાહમાં ફેરવ્યા કરે છે. તેમાં આ કળિકાળ કે દુષમકાળ તે મહાભયંકર છે. કલ્યાણનું સ્વરૂપ યથાર્થ સમજાયું નથી ત્યાં સુધી જીવ અકલ્યાણનાં કારણેને કેઈ ને કોઈ આકારમાં કલ્યાણરૂપ કપી, પાણી લેવી ઘી કાઢવા જે પુરુષાર્થ કર્યા કરે છે. આશાને આધારે જીવે છે. આજીવિકાનું સાધન ન હોય તે આજીવિકા અર્થે કલપનાઓ કર્યા કરે છે. આજીવિકાનું સાધન પૂર્વપશ્યને લીધે જેમને છે તેમાંના ઘણા છે તેની વ્યવસ્થા અને વૃદ્ધિને માટે કલ્પના કર્યા ઉપરાંત દાન, ધર્મ આદિની કલ્પનાઓને ઉમેરે કરે છે. કેઈને તેવી વૃત્તિ ન હોય તે વિષયભેગાદિની કલ્પનાઓ વધાર્યા કરે છે. કેઈ કીર્તિની કલ્પનાઓ ઘડતા રહે છે. કેઈને પુત્ર ન હોય તે પુત્રને માટે સૂર્યા કરે છે અને પુત્રસુખનાં સ્વપ્નમાં વહ્યો જાય છે. કેઈને સ્ત્રી ઉપર આસક્તિ હોય તે તેના સંબંધી મને રથે કર્યા કરે છે. આમ નાશવંત વસ્તુઓમાં સુખની કલ્પના કરી તે મેળવવા મથે છે, મળે તે તેને વિયેગ ન થાય તેને માટે પુરુષાર્થ કર્યા કરે છે, પણ નાશવંત વસ્તુ કદી શાશ્વત થઈ શકતી નથી તેથી આખરે દુઃખ, પશ્ચાત્તાપ, શેક અને સંતાપમાં છવ બળાતે રહે છે. તે બધાં દુખેથી મુક્ત થવા આત્મજ્ઞાનની જરૂર છે, એમ પરમપુરુષો કહી ગયા છે પણ પિતાની કલ્પના ઉપર વિશ્વાસ છૂટે તે પુરુષનાં વચને ઉપર વિશ્વાસ આવે અને સપુરુષે પ્રાપ્ત કરેલું, માન્ય કરેલું જે સમ્મત થાય તે આ જીવને બીજા પ્રકારે સુખી થવાની શેધ કરવા જેવું રહેતું નથી. પરમકૃપાળુદેવે લખ્યું છે: “બીજું કાંઈ શોધ મા. માત્ર એક સત્પરુષને શોધીને તેના ચરણકમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વત્યે જા. પછી જે મેક્ષ ન મળે તે મારી પાસેથી લેજે.” (૭૬) આને વિશ્વાસ આવે તે પછી તે તેનું જ, કહેલું કરવા માટે કેડ બાંધી પુરુષાર્થ કરવો રહ્યો. બીજા બધાં વિક૯પ મૂકી, મારું કલ્યાણ હવે ત્વરાથી મારે કરવું છે તે કેમ કરી શકું, એને સૌથી પ્રથમ વિચાર કર્તવ્ય છે. સપુરુષનાં વચનની હૃદયમાં છાપ પાડવાની જરૂર છે તે જેણે જેણે કર્યું છે તે તે મોક્ષ માર્ગના ઉપાસક અને મોક્ષગામી થયા છે. સત્સંગ, બધ અને સદ્દવિચારની જીવને ખાસ જરૂર છે; તે ખોટ પૂરવા ખરેખરો પુરુષાર્થે આ ભવમાં કર્તવ્ય છે. રેજ મરણને વિચાર કરી વૈરાગ્યમાં વૃદ્ધિ કરતા રહેવા ભલામણ છે છેશાંતિઃ શાંતિઃ શાંતિઃ ૨૩૫ અગાસ, તા. ૫-૧૨-૪૦ આપે *પિટની વાર્તા વિષે પુછાવ્યું છે તે સત્યરુષ પાસેથી સાંભળેલી આપને વિચાર અર્થે કહેવરાવી હતી. તેને યથાર્થ આશય તે જ્ઞાની જાણે છે, પરંતુ મુમુક્ષુએ પિતાની મુમુક્ષતા વધે તેમ વિચાર કર્તવ્ય છે. આ જીવ આ સંસારમાં પોપટની પેઠે લાલનપાલન, સુખવૈભવમાં મગ્ન છે. તેને તે ડાહ્યા પોપટની પેઠે છૂટવાને ભાવ જાગશે ત્યારે પાંજરા સમાન પિપટની વાર્તા માટે જુઓ – મંથન્યુગલમાં સમાધિશતકની ૧૭મી ગાથાનું વિવેચન. Page #264 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા રા આ સંસાર દુઃખરૂપ, પરાયા, સ્વાધીનતાના શત્રુ અને તજવા જેવા લાગશેજી. પાતાનું ડહાપણુ પેાતાને પરાધીનકર્તા, દુઃખકર અને બંધનકારક છે એમ સમજાયું ત્યારે છૂટવાની શેાધમાં તે રહેતા. પેાતાને ઉકેલ ન આવ્યેા, ત્યારે જેણે છૂટવાને–ત્યાગના વેષ ધારણ કર્યાં હતા તેને જોઈને તે ભાવ જાગ્રત થતાં તેના ઉપર સેવામુદ્ધિએ ઉપકાર થાય તેમ વચનપ્રવૃત્તિ, વિનય અને દાનની અનુમેાહના કરી. પછી તેનામાં મુમુક્ષુતા હતી તેથી તેણે જાણ્યું કે આ તા મારા પ્રશ્નના ઉત્તર આપે તેમ નથી, પણ તેને દીક્ષા આપનાર જ્ઞાની હશે તે મને ઉત્તર મળશે, એમ ધારી જ્ઞાનીને પ્રશ્ન પુછાવ્યા. જ્ઞાનીએ, પેાપટ સમજી શકે તેવી સાનથી ઉપદેશરૂપ ચેષ્ટા કરી. તેનું વર્ણન જાણી પાપટની મુમુક્ષુતાએ માર્ગ સમજી લીધે અને અનુફૂલ અવસરે તેના અમલ કરી (મેાક્ષપ્રાસ) મુક્ત થયા. પોતાની પરિસ્થિતિ વિચારી સાંસારિક ડહાપણ માત્ર બંધનકારક છે એમ જાણી સત્પુરુષના વચનના, મુમુક્ષુતા વધારી વિચાર કરવાથી જે આશય અંતરમાં સમજાય તે પ્રમાણે વર્તન કરવાથી ક`બંધ છૂટવાના પ્રસંગ આ જીવને આવે એમ એ વાર્તાના મુખ્ય પરમાર્થ સમજાય છેજી. વૈરાગ્ય-ઉપશમ ચેાગ્યતા વધારવાના ઉપાય છેજી. ખીજે ચિત્ત જતું અટકાવી સત્પુરુષે જણાવેલા સત્સાધનમાં વાર'વાર લક્ષ રાખવા ચેાગ્ય છેજી. આધિ, વ્યાધિ, ઉપાધિથી આખા લેાક મળતા છે, તેમાં સત્પુરુષનાં વચના એક શાંતિ આપે તેવાં છે. તેની ઉપાસના માટે, વિચાર માટે શરીર આદિનાં સુખદુઃખથી બળ કરીને મન ખસેડી વારંવાર સદ્ગુરુની શિખામણમાં મન રાકવા ચેાગ્ય છેજી. “હું કાણુ છું ? કયાંથી થયા? શું સ્વરૂપ છે મારું ખરું ? કાના સખપે વળગણા છે ? રાખું કે પરહરું ? ” એ 16 અગાસ, તા. ૭-૧૨-૪૦ માગશર સુદ ૮, શિન, ૧૯૯૭ ૨૩૬ તત્ સત્ સૂક્ષ્મ તત્ત્વ પ્રતીતિ પામ્યા, અચળ આ કળિકાળેજી, એવા સદ્દગુરુ-ચરણે નમતાં, ભવ-ભાવઠ તે ટાળેજી. સૂક્ષ્મ શ્રીમદ્ સદ્ગુરુ રાજચંદ્રપ-સેવા નિત્યે ચાહુંજી, પરમપ્રેમ-રસ દાન પ્રભુ દ્યો, તેા તેમાં હું હાઉજી. સૂક્ષ્મ જગ-સ’કલ્પ-વિકલ્પે ભૂલા, થશેા શુદ્ધ ઉપયાગીજી, લક્ષ થવા નિર્વિકલ્પતાનેા, થવું ઘટે સ્થિર-યાગીજી. સૂક્ષ્મ જ્ઞાની પુરુષના દૃઢ આશ્રયથી, સુલભ મેક્ષપદ ભાખ્યુંજી, આત્મ-સ્થિરતા, મોક્ષમાગ રૂપ કેમ સુલભ નહિ? દાબ્યુંજી. સૂક્ષ્મ॰ જ્ઞાની પુરુષના વચનતણા દૃઢ આશ્રય જે નર પામ્યાજી, તેને સાધન થાય સુલભ સૌ, અખડ નિશ્ચય માન્યાજી. સૂક્ષ્મ૦ તાપણ કાળ દુઃષમ તેથી રહેા સૌ સત્સ`ગ સમીપેજી, કે દૃઢ આશ્રય-નિશ્ચયપૂર્વક ટકતાં આત્મા ીપેજી. સૂક્ષ્મ Page #265 -------------------------------------------------------------------------- ________________ r બેધામૃત અત્યંત નિવૃત્તિ અસત્સંગથી, જરૂરની આ કોલેજ, કઠણ સાધને પ્રથમ ઈછતાં, સૌ સાધન ઝટ ફાલેછે. સૂક્ષ્મ અનંત ભવનાં અનંત દુખે વધારવા નહિ સારાંજી, અવસર આવ્યો વહી જતે આ, કરતાં “મારાં, મારાંજી. સૂક્ષ્મ સત્ય વિચારે ગ્રહ ઉપદેશે, સદાચાર સૌ સેજી, રાગ-રેષને ઘટાડવાને લક્ષ નિરંતર લે છે. સૂક્ષ્મ અપક્ષપાતે દોષ દેખી નિજ, મુમુક્ષુતા ઍવ ધારેજી, તે સદ્દગુરુની ભક્તિ તેને ભવ-જળ-પાર ઉતારે છે. સૂમ (પ્રજ્ઞા -૭૮). આપના પત્રમાં મુમુક્ષુતાના અંશે જોઈ પ્રસન્નતા થાય છેજી. જીવે અનંતકાળથી દેહાધ્યાસ પિષ્યો છે તેથી સ્વમમાં પણ તે આપણને છોડવા ઇચ્છતું નથી. પણ જેણે જ્ઞાનીપુરુષનાં દર્શન કર્યા છે, તેને સજીવન ચમત્કારી બેય સાંભળ્યું છે, તેની આજ્ઞા ઉઠાવવાની અંશે પણ તત્પરતા રાખે છે તથા જન્મમરણથી થાક્યો છે તેવા જીવનું પ્રથમ કર્તવ્ય તે દેહાધ્યાસને ઘસી ઘસીને તેને અંત આણવાનું છે જી. પરમપુરુષની દશાના સ્મરણથી, તેની અનંત કરુણને આભાર હદયમાં વારંવાર ચીતરી, તે પ્રસન્ન થાય તેવી વિચારણા અને આચારથી આ જીવને સમજાવી, મનાવી, ઠપકો આપી કે હઠ કરીને પણ તેને બીજા પ્રકારની અણછાજતી ઇરછાઓથી પાછે હઠાવ્યે જ છૂટકે છે. “એનું સ્વપ્ન જો દર્શન પામે રે, તેનું મન ન ચઢે બીજે ભામે રે; થાયે સદૂગુરુને લેશ પ્રસંગ રે, તેને ન ગમે સંસારીને સંગ રે.” આ વચને જેનાં દઢ અનાસક્ત પરિણામ થયાં હતાં તેવા મહાપુરુષના મુખથી ગવાતાં આપણે સાંભળ્યાં છે, તેને ગવરાવ્યાં ગાયાં છે, તેવા ભાવના ઉલ્લાસમાં જીવ ઊછળ્યો છે, તેને હવે આ અસાર, નીરસ, ભયંકર અને બળતા સંસારમાં કૂદાની પેઠે પડવાનું કેમ ગમતું હશે ? તે બહુ ઊંડા ઊતરીને વિચારી તે મહાપુરુષના પંથે તેમની પાછળ પાછળ તેમના પગલે પગલે ચાલવા માટે જરૂર કમર કસવી ઘટે છે. “ભક્તિ શૂરવીરની સાચી, લીધા પછી કેમ મેલે પાછી?” “પરથમ પહેલું મસ્તક મૂકી વરતી લેવું નામ જેને ” આ ભક્તિમાં ગવાતાં પદોને રંગ ઊતરી ન જાય પણ ચોમાસામાં નદીમાં પૂર આવે તે ભલે ઊતરી જાય પણ બારે માસ પ્રવાહ વહેતું હોય તે તે સુકા ન જોઈએ તેમ પુરુષના ગે જે ઉત્સાહ પરમપુરુષના સંગના બળે હતું તેટલે હાલ ન જણાય તેપણુ જે વલણ થયું છે તે ટકી રહે અને તેમાં વૃદ્ધિ અત્યારે ન બને તે ભલે પણ તેની સ્મૃતિ કરી તે ભાવના, તેની ઉત્તમતા વારંવાર સાંભરી આવે તેમ વાચન, સ્મરણ તથા વિચારથી આ નિર્માલ્ય જગતનાં ઝાંઝવા જેવાં સુખ કહેવાતાં દુખેની ઈરછા તે જરૂર થવા દેવી જોઈતી નથી. વખતે પૂર્વ અભ્યાસને લઈને તેવી વૃત્તિ ઊઠે તે તેને ધિક્કારીને કાઢી મૂકવી ઘટે છેજી. હવે દીન થયે પાલવે તેમ નથી. કર્મોની સામે આપણા જ બાહુબળથી ગૂઝવાને અવસર આવી પડ્યો છે, ત્યાં કચાશ રાખીશું તે જરૂર પાછા આપણને તે ભાવે સંસારની અગતિમાં ખેંચી જશે; માટે જેટલું બને તેટલે પુરુષાર્થ કરી, પોતાના દોષ દેખી, તેથી કાયર નહીં બનતાં શુરવીરપણું ગ્રહીને જ્ઞાનીને Page #266 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ર૪૩ માર્ગે ચાલવાનો પુરુષાર્થ પ્રગટાવવાને કટોકટીને પ્રસંગ આવી લાગે છેજ. સિંહનાં સંતાન સિંહ સમાન જ હોય, આખું જગત બકરાંના ટોળા જેવું છે, તેના સંગે તે રંગ પુરુષના શિષ્યને રખેને લાગી જાય એ ભય રાખી, બીજા સંગ તજી, જ્ઞાનીપુરુષનાં પુરુષાર્થ પ્રેરક વચન જ સેવી, પ્રબળ બળ જગાવી, આ ભવમાં જરૂર આત્મજ્ઞાન કરી છૂટી જવું છે એ દઢ નિશ્ચયવાળો વિચાર ટકાવી રાખે ઘટે છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૨૩૭ અગાસ, તા. ૮-૧૨-૪૦ તત્ સત્ માગશર સુદ ૧૦, સેમ, ૧૯૯૭ દેહા – જેના જ્ઞાને ન્યૂનતા, દેશે પણ નહિ હોય, રાજચન્દ્ર ગુરુ તે નમું, સંશય સર્વે ખાય. ગૃહજજાળી જીવની, ધર્મ-ક્રિયા ગજ-સ્નાન, પ્રવૃત્તિ અતિ પાપની, સંતકૃપા સુખ-સ્થાન. કુટુંબ કાજળ-કેટરી, ક્યાંય જરી અડ જાય, ડાઘ પડે તે ભૂસતાં, કાળે કાળું થાય. ગણ સેવા પુરુષનીસાબુ, બધ-જલ જાણુ, સદાચાર પથ્થર ઉપર, આત્મા વસ્ત્ર વખાણ. સદ્ગુરુના શિષ્ય ગણે, વિષમય આ સંસાર, સદ્ગુરુ-આજ્ઞા જડબૂટી, ગણે પરમ આધાર. નિર્વિષ રહી ગભરાય નહિ, વિકટ કરે પુરુષાર્થ, વિષમ ઉદયમાં ચેતતા રહો સાથે આત્માર્થ. (પ્રજ્ઞાવબોધ-૩૭) ચારેક દિવસ ઉપર તમારે પત્ર આવ્યું હતું. સમાચાર જાણ્યા. “કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા ગ્ય નથી.” (૪૬૦) એમ પરમકૃપાળુદેવે કહ્યું છે તે ઘણું આશ્વાસનનું કારણ વિચારતાં થઈ પડે તેમ છે. સર્વ જીવ સુખને ઈરછે છે અને કલેશ તે સુખને નાશ કરનાર છે, દુઃખનું બીજ છે. તેમાંથી બીજું કંઈ ફળ મળતું નથી. પુરુષને આશ્રય જે નરનારીએ ગ્રહણ કર્યો છે તેણે મોક્ષને લક્ષ રાખે હોવો જોઈએ. તે મેક્ષનાં કારણે પ્રત્યે કાળજી રાખે અને કર્મબંધનાં કારણે દૂર કરવા પુરુષાર્થ કરે, પૂર્વ બાંધેલાં કર્યો તે મે'માન સમાન છે નોતર્યા હતાં તે આવ્યાં છે. તે જમીને (સુખદુઃખે દેખાડીને, તેને ભાવ ભજવીને, આપણને આપણા ધર્મકાર્યમાં ખૂટી કરાવી) જતાં રહેશે. સમતાપૂર્વક ધીરજથી સદ્દગુરુના શરણ સહિત મંત્રમાં ચિત્ત રાખીને વેદી લેવાય તે એવાં બીજાં નહીં બંધાય. પણ જે ક્લેશ થાય કે સુખમાં મીઠાશ મનાય તે પાછાં બીજા બંધાશે, તે ઉદયમાં આવશે ત્યારે વળી વધારે આકરાં લાગશે. માટે ટૂંકામાં જ અત્યારે માંડવાળ કરી હાથ જોડી તેને રજા આપવી. જવા જ આવે છે પણ નેતરું દઈએ એટલે તેમાં હર્ષશેક કરીએ તે ફરી તેવાં આવે. સમાધિસોપાનમાં પાછળ પરમકૃપાળુદેવના પત્રો છાપ્યા છે તેમાંથી પત્ર નં. ૮૨ * હાથી નાણા પછી ડિલ ઉપર ધૂળ કે છે તેથી નાહ્યો તે ન નાહ્યા જે Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ બેધામૃત અને ૮૩ મુખપાઠ ન કર્યા હોય તે મુખપાઠ કરી જ બલવાન અને વિચારવાને નિયમ રાખવા યોગ્ય છે. ઘણી શાંતિનું કારણ થાય તેમ છે. આ અવસર આત્મકલ્યાણ કરવાને વ્યર્થ વહ્યો જાય છે તેને ખેદ કરવાનો પડી મૂકી, કંઈક બળતામાંથી કાઢી લે તે તેટલું બચે, તેમ દરરોજ અમુક વખત એકાંત વિચાર, ભક્તિ, આત્મસાધના માટે ગાળવાની જરૂર છે. ઘણા સત્સંગની જરૂર છે. મેલું કપડું જેમ વારંવાર દેવાય તે ચેખું થાય તેમ આત્મા અનાદિકાળથી મલિન મલિન થતું આવ્યું છે તેને હવે સાફ કરવા સદ્દગુરુનાં અમૃત સમાન વચનના પ્રવાહ ખમવાની અને દોષ દૂર કરવા પુરુષાર્થ કરવાની ખરી આવશ્યકતા છેજી. પરમ પુરુષ પરમકૃપાળુદેવનાં વચનને અલ્પબુદ્ધિથી જેટલે વિચાર થાય તેટલ કરતા રહેશે અને દેહદષ્ટિ ઘટાડી આત્મકાળજી વધે તેમ પ્રવર્તતા રહેવા ભલામણ છેજ. આત્માની સંભાળ અનંતકાળ વહી ગયે પણ લીધી નથી. જગતના કામને તે પાર આવે તેમ નથી. બધા ગયા તે અધૂરાં મૂકીને ગયા અને આપણે તેમ હાયય કરતાં મરી જવું ન પડે માટે ચેતી લેવાની જરૂર છે. લીધે કે લેશે એમ થઈ રહ્યું છે ત્યાં પ્રમાદ કરે ઘટતું નથી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૨૩૮ અગાસ, તા. ૨૬-૧૨-૪૦ તત્ સત્ માગશર વદ ૧૩, ગુરુ, ૧૯૯૭ દેજે સેવા શ્રી ગુરુરાજ, જેથી નરભવ લાગે લેખે—ટેક કામ વિના મન રહે ન નવરું, આપ પદે હવે રાખું, પ્રપંચની આકુલતા એકી, સ્વરૂપ સુખ હું ચાખું. દેજે. ભવદવ પડે ક્યાં સુધી આ? જ્યાં સુધ હું ના નાહ્યો,જ્ઞાનસુધાસાગરમાં પ્રીતે, મર્મ હવે સમજાયે. દેજો, યથાર્થ આત્મસ્વરૂપને નિશ્ચય, આજ જ હું કરવાને. અનાદિ અવિદ્યા જાળ છેદને, કર્મ વિજયી બનવાને. દેજો, સર્વ પ્રકારે સુખ – ર્શીલતાને, ત્યાગ કરે મુમુક્ષુ, સર્વ કામના શાંત કરી તે, અનાસક્ત રહે ભિક્ષુ. દેજો વિષય કષાયે અતિ મૂઢ જે, સત્ય શાંતિ શું જાણે? વીર પ્રભુ કહે મેહ નગરમાં ઠગાય તે શું માણે? દેજે. પાણી ભરેલી રહે ન ચાળણી, અનિત્ય તેવા ભેગે, જન્મમરણની રંટ-માળ તજી, સાધે વીર સુયેગે. દેજો. (અજ્ઞા ૬૬) તીર્થ શિરોમણિ સજ્જનમનવિશ્રામધામ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમથી લિ. પુરુષના ચરણકમળની સેવાને ઈચ્છક દાસાનુદાસ બાળ ગોવર્ધનના જયસદ્ગુરુવંદન સ્વીકારવા આપ સર્વ મુમુક્ષુ ભાઈબહેને પ્રત્યે વિનંતી છેજી. | વિ. કેઈને પૂર્વના સંસ્કારે કંકાસક્લેશ અને અપશબ્દોને વરસાદ વરસાવનારી મા મળી હોય તેનાં છોકરાં પણ ટેવાઈ જાય છે અને જાણે છે કે એ તે એવું જ બેસે છે, Page #268 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા २४५ લગાડશે ક્યાં પાર આવે તેમ છે? તેમ પ્રતિકૂળ સંગોથી ભરપૂર આ સંસારરૂપ જનની સાથે પાનાં પડ્યાં છે તેને પણ તેણે વારંવાર ગણકારવા યોગ્ય નથી; તે તેને સ્વભાવ ભજવે અને આપણે આપણું–સપુરુષે બતાવેલું–કામ કર્યા જવાનું છેજ. સંસારની ઉપાધિ પ્રત્યે પ્રીતિ–અપ્રીતિ કર્યો પાર આવે તેમ નથી. સંસાર સંબંધી જેમ થતું હોય તેમ થવા દઈ મેમાનની પેઠે થડા દિવસ હવે સંસારમાં રહેવાનું છે ત્યાં સુધી તે દુઃખદાયી સંસારમાં ફરી જન્મવું ન પડે તેવું કાર્ય – જ્ઞાનીની આજ્ઞાનું આરાધન – કરી લેવાની ચાનક હૃદયમાં નિરંતર રાખવી ઘટે છે. રયણાદેવીની વાત છે. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજી કહેતા. તેવું સંસારનું સ્વરૂપ છે. તેના તરફ નજર પણ કરવા ગ્ય નથી; નહીં તે સશુરુએ આપેલા સાધનરૂપ મગરમચ્છની પીઠ ઉપરથી ઉછાળી કટકેકટકા કરી સમુદ્રમાં પત્તો ન લાગે તેમ વેરી દે, અનંત પરિભ્રમણ કરાવે તે સંસાર છે. પ. પૂ. પ્રભુશ્રીજીના બોધની સ્મૃતિને આધારે આટલું નીચે લખ્યું છે તે સર્વેએ મુખપાઠ કરવા યોગ્ય, વારંવાર વિચારવા યોગ્ય છે? એક શ્રદ્ધા કરવા યોગ્ય છે કે આ સત્પરુષે આત્મા જાણે છે તે માટે માન્ય છે. બીજા ગમે તે વિકપિ આવે તે ખબર પડે છે, તે તે જાણનારો તે સર્વથી જ કરે છે. તે જાણનારને માન. સદ્દગુરુએ કહ્યું છે તેવું તેનું સ્વરૂપ છે; મને અત્યારે ભાન નથી તો પણ મારે બીજું કંઈ પણ માનવું નથી, એ તે મારા હાથની વાત છે, એમ દઢ નિશ્ચય થાય તે જે સંકલ્પવિકલ્પ, સુખદુઃખ આવે છે તે જવા માટે આવે છે. ભલે! બમણું આવે, પણ તેને માનવું નથી એટલી પકડ થવી જોઈએ. અરીસામાં સામેના પદાર્થ જણાય, પણ અરીસે અરીસારૂપ જ છે; તેમ ભલે ગમે તે મનમાં આવે તે પણ આત્મા આત્મારૂપ જ છે. બીજું બધું પહેલાંના કર્મના ઉદયરૂપ ભલે આવે, તે બધું જવાનું છે; પણ આત્માને કદી નાશ થનાર નથી. તેમાં માથું મારવા જેવું, ઈwઅનિષ્ટપણું માની હર્ષ-શેક કરવા જેવું નથી. આટલી ઉમ્મર થતાં સુધીમાં અનેક સંકલ્પ-વિકલ્પ થઈ ગયા, પણ કોઈ રહ્યા નથી, બધા ગયા. તે નાશવંત વસ્તુની ફિકર શી કરવી? એની મેળે જ જે નાશ પામવાના છે તેથી મૂંઝાવું શું? ફિકરના ફાકા મારી જવા જેવું છે. સ્મરણને અભ્યાસ વિશેષ રાખવો. સંક૯પ-વિકલ્પ આવે કે સ્મરણનું હથિયાર વાપરવું અને માનવું કે ઠીક થયું કે મારે સ્મરણમાં જતું રહેવાનું નિમિત્તા બન્યું; નહીં તે પ્રમાદ થાત. સદ્દગુરુએ મંત્ર આપે છે તે આત્મા જ આપે છે, તે પ્રગટ થવા માટે પ્રેમની જરૂર છે. પ્રેમમાં બધું આવી ગયું. હરતાં-ફરતાં, બેસતા-ઊઠતાં એક આત્મા જ જે, બેટ્ટો હોય તે બીજું જુએ. આવો દઢ અભ્યાસ થઈ જાય તેને પછી જે ઉદયમાં આવે તે કંઈ હાનિ કરતું નથી, મરવા આવે છે; પછી તેને કંઈ ફિકર નથી.” | (ઉપદેશામૃતઃ પૃષ્ઠ ૩૩૯) આટલું વારંવાર વિચારી, સમજી જે જીવ આચરણમાં મૂકે તે પછી તેને સંસાર શું કરી શકે ? કાયર થયા વિના બીજી ઈચ્છાઓ અને નિમિત્તોમાં તણાઈ ન જવાય તેવી જાગૃતિ રાખી જીવ અભ્યાસ આદરે તે અમૃત સમાન આટલો બધ જીવને જન્મમરણનાં દુઃખમાંથી બચાવી પરમપદ પમાડે તેવે છેજ. જ્ઞાની પુરુષએ અનંત દયા આણીને આપણા જેવા માર્ગના Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ બેધામૃત અજાણ જીવને આ કાળમાં સર્વ શાસ્ત્રના સારરૂપ ટૂંકી વાત જણાવી તેની પકડ કરી લેવી તે આપણા હાથની વાત છે. એમાં બીજા કેઈનું બળ કામ આવે તેમ નથી. માટે મરણિયા થઈને આટલું તે જરૂર કરી લેવા યોગ્ય છે. છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૨૩૮ અગાસ, તા. ૨૮-૧૨-૪૦ તત્ સત્ માગશર વદ ૦)), શનિ, ૧૯૯૭ સદ્દગુરુ સેવીએ રે સજ્જન, નિશક્તિ થાવા – ટેક સદ્દગુરુ-વંદન, સદ્ગુરુ—પૂજન, સદ્દગુરુ-ભક્તિ સારી; સદ્દગુરુ-બેધે તત્ત્વ વિશેધ, ઊઘડશે શિવબારી. સદ્દગુરુ (પ્રજ્ઞાવબેધ – ૮૩) આપને શુભ ભાવનાવાળો પત્ર મળે છે. એ બધા ભાવ પરમકૃપાળુદેવ પ્રત્યે કર્તવ્ય છેજ. તે પામર, તે મહાપુરુષની ચરણરજ તુલ્ય છું. એ પરમપુરુષની ઉપાસનાથી આપણે બધા તેની દશા પામી શકીએ તેમ છે. તેમની એક પણ આજ્ઞા કે વચન સાચા અંતઃકરણથી ઉઠાવીશું તે જરૂર કલ્યાણ થશે. તેને પ્રત્યક્ષ પુરા ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજી છેજ. છાતી ઠેકીને તે કહેતા કે પરમકૃપાળુદેવની ભક્તિથી કલ્યાણ ન થાય તે અમે જવાબદાર છીએ, પણ કઈ પિતાની બુદ્ધિથી “આય જ્ઞાની છે ને “આય જ્ઞાની છે એમ કરી સ્વચ્છ પિષશે તેનું જોખમ અમારે માથે નથી. બાઈઓ જેમ એક જ ધણી કરે છે તેમ પરમકૃપાળુ દેવમાં સર્વ જ્ઞાની સમાય છે એમ માની એકની જ ઉપાસના કરશે તે બધાય જ્ઞાનીની ઉપાસના થશે. “સદ્ગુરુપદમેં સમાત હૈ, અહંતાદિ પદ સર્વ; તર્તિ સદ્દગુરુ-ચરણ કું, ઉપાસે તજી ગર્વ.” એ રોજ આપણે બોલીએ છીએ, તે નિરંતર લક્ષમાં રાખવા યોગ્ય છે. હું સમજું છું. કે આ સમજે છે એમ પિતાની મતિથી માનવાને બદલે, પ. પૂ. પ્રભુશ્રીજીએ આપણને બતાવ્યા તે સંતના કહેવાથી માનીએ તે કઈ પ્રકારે તેમાં દોષ ન આવે. આપને તે શ્રદ્ધા છે, તે દઢ અને એકાંગી, અનન્ય શરણરૂપ થવા અને રહેવા આટલું જણાવવા ગ્ય લાગવાથી જણાવ્યું છેજી. વળી પ. પૂ. પ્રભુશ્રીજીનું વચન સ્મૃતિમાં આવે છે – “નવી છિદ્ર વગરની અંદર હોડીમાં તમને બેસાર્યા છે. હવે લાંબે ટૂંકે હાથ કર્યા વિના તેમાં બેસી રહેશે તે તે પાર ઉતારશે.” પણ હોડીમાંને માણસ પાણીમાં રમત કરવા હાથ કે પગ લાંબા કરે તે મગર આવી પકડી ખેંચી પણ જાય, કે પોતે હેડીમાંથી પાણીમાં કૂદી પડે તે ડૂબી મરે તેમ પોતાના સ્વરદે સંસારનું કારણ હજી પણ થવા લાગે છે એવો ડર રાખી માત્ર તેને જ શરણે આટલે ભવ ગાળવાની જરૂર છે. બીજું, એંજિન સાથે ડબા જોડાય છે તેમ આંકડો ભરવી દેવાનું પણ ઘણી વખત તેઓશ્રી કહેતા. આ શ્રદ્ધા જેની પાકી અને નિર્મળ હશે તેનાથી બીજા વ્રત, નિયમ, શાસ્ત્રાભ્યાસ કે જપ, જાત્રાદિ નહીં બને તે પણ તે વહેલેમોડે મે જશે, પણ જે શ્રદ્ધામાં ખામી હશે તેને બધે પુરુષાર્થ ખામીવાળે થશે. તેથી તે જ દઢ કરાવવા ઘણી વખત ઉલ્લાસભેર બાધ દેતા તેમાંનાં થોડાં વચને નીચે લખ્યાં છે– Page #270 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૨૪૭ “મેરેમ એ સાચે, સાચે, સાચે થઈ રહ્યું છે. અઢાર દૂષણથી રહિત કે એ દેવ! ક્રોધ નહીં, માન નહીં, માયા નહીં, રતિ-અરતિ નહીં, વગેરે દોષથી રહિત! એ કરી તરસ્યા થયે છે? (આત્મા) ભૂખે થયો છે? રોગી છે? બ્રાહ્મણ છે? સ્ત્રી છે? પુરુષ છે? એક સમજ ફરે તે ચમત્કાર જેવું છે. “પણે હું ગયો' કહે ત્યાં મિથ્યાત્વ. “હું” અને “તું” જુદું થયું છે તેને થયું છે. બાકી બીજા કહે તેમાંનું કશું ગમતું નથી. મેટા કાશીના પંડિત હોય કે ગમે તે હોય, પણ એક સાચાની માન્યતા થઈ ગઈ છે તેથી બીજે કઈ ગમતું નથી, અને એ જ કર્તવ્ય છે. “વાત છે માન્યાની”. સત્પરુષની યથાયોગ્ય પ્રતીતિ વિના જીવાજીવનું જ્ઞાન થતું નથી તે સત્ય છે....બાવળીએ બાથ ભીડીને કહે છે કે મને છેડા, મને કેઈ છેડા. છેડી દે એટલે છૂટો થઈશ. પુરુષ તે કહી છૂટે. ગેર તે પરણાવી આપે. શું ઘર પણ માંડી આપે?” તા. ૧૪-૬-૨૫; જેઠ વદ ૮ રવિ સં. ૧૯૮૧ (ઉપદેશામૃત : પૃષ્ઠ ૨૮૨) પ્રમાદને જ્ઞાની પુરુષોએ મેટો શત્રુ ગણ્યો છે, તેથી ડરતા રહી સ્મરણમાં નિરંતર ચિત્ત રાખવાને અભ્યાસ પાડી મૂકવા ગ્ય છે. લીધે કે લેશે એમ થઈ રહ્યું છે. કાળને ભરોસો રાખવા ગ્ય નથી. કર્યું તે કામ એમ સમજી, ભવિષ્ય ઉપર આધાર રાખ્યા વિના બને તેટલે સપુરુષાર્થ કરી મળેલા માનવપણને સાર્થક કરવામાં પાછી પાની કરવી ઘટતી નથીજી. જાગ્રત થા, જાગ્રત થા. એ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૨૪૦ અગાસ, તા. ૩૦-૧૨-૪૦ મિક્ષ મહા સુખદાર્યો નિરંતર કર્મ ઘટાડ, મટાડોં વરે જે, તે દૈવ ધન્ય, ધરે નહિ જન્મ ફરી ભવમાં, જગને શિખરે તે; મક્ષ ઉપાય સુધર્મ ધરઃ તપ, જ્ઞાન, સુદર્શન, ભક્તિ, વિરાગે, કર્મ છૂટે સમભાવ ક્ષમાદિથ; મુક્તિ વરે સહુ કર્મ જ ત્યાગે. (અ. ૧૬) વિ. આપને પત્ર પ્રાપ્ત થયે. બે માસ વધારે બ્રહ્મચર્યવ્રત પાળવા વિચાર રહેતું હોય તે આપના પિતાની સંમતિ લઈ પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ ભાવવ્રત લઈ લેવા ભલામણ છેજી. સર્વને અનુકૂળ રહી, તેમને રાજી રાખી ધર્મ આરાધવાથી સ્વપરહિતનું કારણ જાણી આપના પિતાને કાને વાત નાખવાનું જણાવ્યું છે, કારણ કે તે ધર્મ કરવામાં વિદ્ધ કરે તેવા નથી. પિતાને ધર્મનું આરાધન કરવું હોય તે કઈ ખાળે તેમ જગતમાં નથી; પણ જે કાર્ય કરીએ તેમાં બીજાની સંમતિ હોય તે તે વિશેષ સારું બને છે. જેમ જેમ વૈરાગ્ય ઉપશમની વૃદ્ધિથી વિચારણું, સપુરુષનાં વચનેમાં તલ્લીનતા થતી જશે, સત્સંગને વિશેષ લાભ મળતું જશે તેમ તેમ અત્યારે મુઝવતા પ્રશ્નોને આપોઆપ ઉકેલ આવતે જશે. પરમકૃપાળુદેવે ઉપદેશ છાયામાં જણાવ્યું છે તેમ કાંટે કપડું ભરાયું હોય તે બને તે ઉકેલી લેવું અને નહીં તે ત્યાં ખળી રહેવું નહીં. જંગલમાં જેમ રાત્રિ રહેવાય નહીં તેમ સંશયમાં ઘણો વખત રહેવા ગ્ય નથી. યથાવસરે તેને ખુલાસો થશે ધારી પુરુષની આજ્ઞામાં ચિત્તને તત્પર કરી દેવું. અત્યારની ભૂમિકામાં ગહન વિષયમાં મન પ્રવેશ ન કરી શકે તે મુઝાવા જેવું નથી. અવસરે સર્વ વાતને નિકાલ થઈ રહેશે એ શ્રદ્ધા પણ જરૂરની છે. આ શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #271 -------------------------------------------------------------------------- ________________ ર૪૮ બેધામૃત ૨૪. અગાસ, પિષ સુદ ૨, ૧૯૯૭ પૂર્વે જે જે છે સાથે જે જે પ્રકારે નિબંધન થયાં છે, તે તે પ્રકારે અત્યારે આંટા ઊકલે તેમ પ્રગટ જણાય છે. તે પ્રસંગે કોઈ પણ સપુરુષના આશ્રિત જીવે બીજા જીવને વાંક કાઢી તે પ્રત્યે દ્વેષ ધારણ કરે ઘટતું નથી. માત્ર મેહને વશ પડવાથી જીવ લેશિત થઈને કેટલી બધી નીચે પ્રવૃત્તિ પ્રત્યે ઢળી પડે છે તે જોઈ કરુણ – દયા ખાવા જેવી સ્થિતિએ પડેલા પ્રત્યે નિંદા આદિ ભાવમાં પણ આપણાથી ન પડાય, તેથી દૂર રહેવાય છે તેવા પ્રસંગથી છૂટી ન શકાય ત્યાં સુધી સત્સાધન, સ્મરણ આદિ સાધન ચુકાય નહીં – તેટલી આપણું આત્મા પ્રત્યે પણ દયા ચિંતવવી ઘટે છે. ઉપદેશબધ અને સિદ્ધાંતબેધવાળા પત્ર ૫૦૬ માં વૈરાગ્યઉપશમના અર્થ પરમકૃપાળુદેવે કર્યા છે તે વારંવાર સ્મૃતિમાં રાખી, વૈરાગ્ય-ઉપશમ કેટલે આ જીવમાં પરિણામ પામ્યો છે તેની પરીક્ષા કરવા જ જાણે પરમકૃપાળુદેવે આ પ્રસંગે ઉપસ્થિત કર્યો છે એમ સમજી, તેવા પ્રસંગે વિશેષ વીર્ય સકુરે; અને હડકાયું કૂતરું કરડેલું ત્યારે જેમ જાગૃતિ રહેતી, તેથી વિશેષ જાગૃતિ રાખવા જેવો આ પ્રસંગ છે એમ ગણી મનને વીલું મૂકવું નહીં, પ્રાસંગિક વાતમાં બહુ છૂટું મૂકવું નહીં, પણ ક્ષણે ક્ષણે તે શી ચિંતવના કરે છે તેની ચકી રાખતા રહેવા ભલામણ છેજી. કૂતરાના પ્રસંગમાં કઈ પ્રત્યે દ્વેષને સંભવ નહોતે, માત્ર મરણભયથી બચવાને પુરુષાર્થ કર્તવ્ય હતે. અહીં તે તેથી વિશેષ જાગૃતિની જરૂર છે કારણ કે અત્યારે અનિષ્ટ ભાસે છે તેવા પ્રસંગમાં એક અંતર્મુહૂર્ત જે ચિત્ત સતત લાગ્યું રહ્યું તે આર્તધ્યાન થયા વિના રહે નહીં, અને તે વખતે આયુષ્ય બંધાય તે તિર્યંચ આદિ અર્ધગતિનું બંધાય, તે તે તે માં દ્વેષની વૃદ્ધિ કરતે જીવ ભટકે, ત્યાં પછીથી છૂટવાના પ્રસંગે કેટલા દૂર રહે તે સાવ સમજાય તેવું છે, માટે મુમુક્ષુ જીવે કોઈ પણ કારણે ક્લેશિત થવા ગ્ય નથી. ધર્મધ્યાનનાં કારણે વિશેષ બલ કરી, બીજા ભાઈઓને વિનંતી કરીને પણ જોડતા રહેવા યોગ્ય છેજ. કંઈ ન બને તે તેવાં સ્થળોને અમુક કાળ સુધી ત્યાગ કરીને પણ દુર્ગાનથી બચવાની જરૂર છે. અવિચારી અને ઉતાવળિયું કામ આપણે હાથે ન થઈ જાય તે લક્ષમાં લેશોજી. એ જ. ૨૪૨ અગાસ, તા. ૨૨-૧-૪૧ તત્ સત્ પિષ વદ ૧૦, બુધ, ૧૯૭ રાજચંદ્ર ભગવાન, નમું હું ભાવથી, બાળબુદ્ધિ મુજ ટાળ, કરું એ વિનતિ, સદ્દગુરુ-ભક્તિ ન હોય, વચન ઉર ના વસે; આશયમાં અનુરાગ વિના હિત શું થશે? (પ્રાવધ – ૮૫) ગમે તેવા સોગમાં પણ સદ્ગુરુશરણ હૃદયમાં રહે તેવા અભ્યાસની આ ભવમાં કમાણી કરી લેવી ઘટે છે. સદ્દગુરુ કરતાં કોઈ પણ બાબત પ્રત્યે વિશેષ પ્રેમ ન થાય, એટલું થાય તે કશાની ફિકરચિંતા ન રહે. તેને માર્ગ, અલ્પ પણ કાર્ય કરતાં તેના ઉપકારની કે આજ્ઞાની સ્મૃતિ કરી આત્મા પ્રત્યે વૃત્તિ વાળવી એ છે. મેહી જીવોને જેમ દીકરે ન હોય Page #272 -------------------------------------------------------------------------- ________________ પત્રસંધા ૨૪૦ ત્યારે મારે બધું છે પણ એક દીકરે નથી એમ રહ્યાથી બીજા સુખ સુખરૂપ લાગતાં નથી, તેમ મુમુક્ષુને સમ્યગ્દર્શન માટે રહ્યા કરે તે તેને પ્રાપ્ત કરવાની તાલાવેલી લાગે. તેવા કેઈને દીકરો થાય તે અતિ હર્ષ થાય છે અને બીજાં દુઃખે આવી પડે, દીકરે પરદેશ ગયે હોય તેપણ મારે દીકરે છે એવી માન્યતાથી પોતાને સુખી ગણે છે તેમ સદ્ગુરુને વેગ જેને થયે છે, તેણે સત્સાધન આપેલું જે આરાધે છે તેને અનેક પ્રકારની પ્રતિકૂળતાઓમાં પણ એમ રહ્યા કરે કે મને તરવાનું સાધન તે મળ્યું છે, ભલે અત્યારે મારાથી ઝાઝું બનતું નથી પણ અવસર આવ્યે રાતદિવસ તેની આજ્ઞામાં જ રહેવાય તેમ કરવું છે. એ સત્સાધન પ્રત્યે જેને અપૂર્વ ભાવ આવે છે તેને બીજાં દુખે કંઈ ગણતરીમાં હતાં નથી. જે આવી આવીને નાશ જરૂર પામવાનાં છે તેની ફિકર કેણ કરે? સર્વ અવસ્થામાં રહેનાર આત્મા પ્રત્યે વળવાને ઉપાય સદ્દગુરુની કૃપાથી મળેલું સ્મરણ છે તેમાં ચિત્તવૃત્તિ વિશેષ રાખવાથી શાંતિનું કારણ થશે, એ જ. છેશાંતિઃ શાંતિઃ શાંતિઃ ૨૪૩ અગાસ, તા. ૨૨-૧-૪૧ તત્ છે. સત્ પષ વદ ૧૦, બુધ, ૧૯૯૭ “જે સ્વરૂપ સમજ્યા વિના, પાયે દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્દગુરુ ભગવંત.” -શ્રીમદ્ રાજચંદ્ર આપે બે વાકયો ભાવાર્થ સમજવા અર્થે લખ્યાં હતાં. દર વખતે પુસ્તકના પાનસહિત વાક્યો લખતા. આ વખતે વીસરી ગયા છે. ફરી પત્ર લખવાને પ્રસંગ બને ત્યારે બીજા વાયનું પાન લખવા વિનંતી છે. પ્રથમ વાક્ય વિષે જ યથામતિ સદ્દગુરુ શરણે જે સમજાય છે તે જણાવવા પ્રયત્ન કરું છું. બૃહદ્ આચનામાં આવે છે – સમજ સાર સંસારમાં, સમજુ ટાળે દેષ; સમજ સમજ કર છવ હિ, ગયા અનંતા મોક્ષ.” શ્રી તીર્થંકરાદિએ ફરી ફરી જીવોને ઉપદેશ કર્યો છે, પણ જીવ દિશામૂઢ રહેવા ઈચ્છે છે ત્યાં ઉપાય પ્રવર્તી શકે નહીં. ફરી ફરી ઠોકી ઠોકીને કહ્યું છે કે એક આ જીવ સમજે તે સહજ મોક્ષ છે, નહીં તે અનંત ઉપાય પણ નથી....જીવનું સહજ જે સ્વરૂપ છે તે જ માત્ર સમજવું છે.” (૫૩૭) “સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય; સદ્દગુરુ આજ્ઞા જિનદશા, નિમિત્ત કારણ માંય.”– શ્રી આત્મસિટિજી “અમક આચાર્ય એમ કહે છે કે દિગંબરના આચાર્ય એમ સ્વીકાર્યું છે કે “જીવને મેક્ષ થતું નથી, પરંતુ મેક્ષ સમજાય છે, તે એવી રીતે કે જીવ શુદ્ધ સ્વરૂપ છે, તેને બંધ થયેલ નથી તે પછી મેક્ષ થવાપણું ક્યાં રહે છે? પરંતુ તેણે માનેલું છે કે હું બંધાણે છું” તે માનવાપણું વિચારવાડીએ કરી સમજાય છે કે મને બંધન નથી, માત્ર માન્યું હતું તે માનવાપણું શુદ્ધ સ્વરૂપ સમજાયાથી રહેતું નથી; અર્થાત્ મેક્ષ સમજાય છે. આ વાત “શુદ્ધ Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ આધામૃત નય'ની અથવા ‘નિશ્ચયનય'ની છે. પર્યાયાર્થી નયવાળાએ એ નયને વળગી આચરણ કરે તે તેને રખડી મરવાનું છે.” (વ્યાખ્યાનસાર ૧-૮૦) (6 જેણે ત્રણે કાળને વિષે દેડાદિથી પાતાને કઈ પણ સબધ નહાતા એવી અસંગ દશા ઉત્પન્ન કરી તે ભગવાનરૂપ સત્પુરુષોને નમસ્કાર છે. ' (૭૭૯) અનાદિકાળથી મિથ્યાત્વના ઉદયે અપરમાને વિષે જીવને પરમાથ નેા દૃઢ આગ્રહ થયે છે તેથી તેની પરમાથ દૃષ્ટિ ઉય પ્રકાશતી નથી' એટલે જેમ છે તેમ જીવ સમજી શકતા નથી. સ્વપર–પ્રકાશક ગુણ જીવમાં છે તેથી પુદ્ગલ, દેહાદ્ધિ પદાર્થો દેખે છે અને પેાતાને દેહાદ્ધિરૂપે બ્રાંતિથી માને છે. નાવમાં બેઠેલાની દૃષ્ટિ એવી કોઈ ભ્રાંતિ પામે છે કે પેાતાની નાવની ગતિ તેને લક્ષમાં આવતી નથી, પર`તુ કિનારા ઉપરનાં વૃક્ષાદિ દોડતાં દેખાય છે, તેમ ભ્રાંતિના પ્રભાવે જીવ પોતાના ઉપયાગ તરફ ઉપયાગ રાખી શકતા નથી, પેાતાને ભૂલીને પરને પાતાના સ્વરૂપે ગણતા આવ્યેા છે. તમે જેમાંથી લખ્યું છે તે પત્રમાં જ આગળ સ્વમદશા વિષે સ્પષ્ટ સમજાવ્યું છે અને તેના ઉપાય સત્સ`ગ, સત્પુરુષાદ્ધિ સાધન જણાવી તેમાં પુરુષા ને ગાપવ્યા સિવાય પ્રવત`વાની ભલામણ કરી છે. તે લક્ષમાં રાખી વર્તવાથી સર્વ શાસ્ત્રને કહેવું છે તે સમજાય છેજી. વૈરાગ્ય અને ઉપશમની વૃદ્ધિ થવાથી વિપરીતપણું દૃષ્ટિમાં છે તે દૂર થાય છે એટલે જીવનું, જે સહુજ સ્વરૂપ છે તે સમજાય છે. એટલે હાલ તે સદ્ગુરુના વચનામૃતરૂપ એધથી, સત્સ`ગથી, સદ્ગુરુએ દર્શાવેલ સત્સાધનમાં વિશેષ મનને જોડી રાખવાથી મિથ્યાત્વ મંદ થયે, ગયે, જીવને જીવનું સહજ સ્વરૂપ સમજાવા યેાગ્ય છેજી. એ માર્ગ મૂકી અન્ય પ્રકારે પ્રવત`વાથી અન ત ઉપાયે પણ મેક્ષ થાય કે સમજાય તેમ નથી. “ યમ, નિયમ, સયમ આપ કયા ” એમાં આજ સુધીના પ્રયત્ને નિષ્ફળ થયા તે કહ્યા પછી · પર પ્રેમ પ્રભુસેં' કરવા કહ્યું છે તે કરવા. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ** ܕ ૨૪૪ અગાસ, તા. ૨૫–૧–૪૧ પેાષ વદ ૧૩, શિન, ૧૯૯૭ તત્ સત્ આપને પત્ર પ્રાપ્ત થયેા છેજી. સાચા દિલની ભાવના સદ્ગુરુકૃપાએ યથાવસરે સફળ થાય છેજી. માવના મયનાશિની' કહેવાય છે. માટે પેાતાનાથી અને તેટલે પુરુષાર્થ સદ્ગુરુઆજ્ઞા ઉઠાવવામાં કરી, ન બને તેના મનમાં ખેદ રાખી તે અર્થે વિશેષ પુરુષાર્થ જાગ્રત થાય તેવી ભાવના, પ્રાર્થના, સૂરણા કરતા રહેવાની જરૂર છેજી. સત્સ`ગના જોગના વિયેાગ રહેતા હોય તેવા પ્રસંગમાં સત્પુરુષનાં વચન, તે પુરુષના ઉપકારની સ્મૃતિ તથા પેાતાના વિચારનું ખળ તથા વૈરાગ્ય ઉપશમ આદિ વડે થયેલી પેાતાની દશા માત્ર મચાવનાર છેજી. તે આધાર પ્રત્યે વાર'વાર ચિત્ત દેતા રહેવાની ભલામણ છેજ. તેમાં જેટલી ખામી, પ્રમાદ, વિષય, કષાય કે દેહાધ્યાસથી થાય છે, તેટલું કલ્યાણનું દૂર થવું થાય છેજી. થાળીમાં ઉત્તમ પકવાન પીરસ્યાં હાય છતાં હાથ ન માંડે ઘેલેજી.” તેમ આવી ઉત્તમ સામગ્રી કલ્યાણુ કરવાની પરમકૃપાળુદેવની કૃપાથી પ્રાપ્ત થઈ છે, તેના જો લાભ ન લેવાય તે આપણા જેવા મૂર્ખ કાંઈ ન ગણાય. કાંકરે કાંકરે પાળ બધાય છે, ટીપે ટીપે સરાવર ભરાય છે, તેમ યથાશક્તિ થાડે Page #274 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૨૫૧ ઘેાડે જગતભાવા ભૂલી સત્પુરુષ પ્રત્યે, તેનાં અમૃતતુલ્ય વચને પ્રત્યે, તેના આશય પ્રત્યે પ્રીતિભક્તિ વધતી. જાય અને સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી આ ભવ સફળ કરી લેવાનું કાર્ય વારવાર સાંભર્યાં કરે તેા જીવની પ્રગતિ જરૂર થયા વિના ન રહે. જેમ ધન-સંચય કરવા જે ધારે છે, તે પાઈ પાઈના હિસાખ રાખે છે, અને થાડે થાડે તેમાં વૃદ્ધિ થયા કરે તેવા ઉદ્યમ જારી (ચાલુ) રાખે છે; તેમ ધર્મરૂપી ધન કમાવા માટે જ આ મનુષ્યભવ છે એમ જેનું હૃદય દૃઢ થયું છે તે પણ પળેપળનેા હિસાબ રાખે છે અને બચતી બધી પળેા ધમ ધ્યાન અર્થે ગાળે છે. તેને માટે જેમ જેમ વિશેષ અવકાશ અને સામર્થ્ય મળે તેવા ઉદ્યમ, ખાજ, વિચાર કર્યાં કરે છે. આ વાત પરમકૃપાળુદેવની ચર્ચામાં કેટલી પ્રગટ દીવા જેવી દેખાઈ આવે તેમ છે? આપણે બધાએ તેમને જ પગલે પગલે ચાલી તેમની દશા પ્રાપ્ત કર્યે છૂટકો છેજી. ક્ષણ ક્ષણ જતાં અનંતકાળ વ્યતીત થયા, છતાં સિદ્ધિ થઈ નહીં.” (૨-૪) એ પુષ્પમાળાનું વાકચ વારંવાર વિચારી આત્મજાગૃતિ અર્થે પુરુષાર્થમાં પ્રેરાવા યેાગ્ય છેજી. જખ જાગે ગે આતમા, તબ લાગેંગે ર’ગ.” “જાગ્રત થા, જાગ્રત થા.” “પ્રમાદ તજી સ્વરૂપને ભજ, આત્મા છેજી” આમ પ. પૂ. પ્રભુશ્રીજી ‘તત્ત્વજ્ઞાન’માં લખી દેતા, તે વિચારી ભાનમાં આવવું ઘટે છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૨૬-૧-૪૧ પોષ વદ ૧૪, રવિ, ૧૯૯૭ સમતાપૂર્ણાંક જ્યાં હાઈ એ ભાવનાએ (દાહા ૩૧ થી ૨૪૫ તત્ સત્ તમારા પત્ર વાંચ્યા. ભક્તિ, સ્વાધ્યાય અને સદ્વિચાર સહ ત્યાં કાળ ગાળવેા ચેાગ્ય છે. હાલ પ્રજ્ઞાવમેધ પુષ્પ ૧૮માંથી ખાર ૪૩) મુખપાઠ કરી વાર વાર વિચારવા જોગ છે તથા તીર્થંકરપદ પ્રાપ્ત કરાવે તેવી સેાળ ભાવનાએ “સમાધિસેાપાન”માં છે તે અવકારશે થાડે થાડે વાંચતા રહેવા ભલામણ છેજી. વેદનામાં ચિત્ત રહે અને “હું દુઃખી છું, હું દુઃખી છું, મને દુઃખ થાય છે, ખળ્યું કત્યારે મટશે ?’’ આવા વિચારે આત્તધ્યાન થાય છે. તેવે વખતે આયુષ્ય બધાય તે તિર્યંચગતિ એટલે ઢાર, પશુ, કાગડા, કૂતરાના ભવમાં ઉત્પન્ન થઈ દુઃખ ભોગવવાં પડે; માટે જ્ઞાનીપુરુષાએ ઉપર જણાવેલી ખાર ભાવના કે સેાળ ભાવનાઓમાં ચિત્ત રાખવાથી ધર્મધ્યાન થાય છે એમ કહ્યું છે તે આત્મહિતને પેાષનાર છેજી. આપણને દુઃખમાંથી ખચાવી ધર્માંનાં ફળ જે આત્મકલ્યાણુરૂપ છે તે માટે મહાપુરુષાએ જે ઉપદેશ કર્યાં છે તે આવા વખતે અત્યંત ઉપયાગી છે. માટે પ્રમાદ છેડી સ્મરણ, ભક્તિ, સત્શાસ્ત્રનું વાંચન, સદ્વિચાર, ભણવા-ગેાખવામાં ચિત્તને રોકયાથી દેહદુ:ખ બહુ જણાશે નહીં, તેમ જ આત્મશાંતિ ભણી વૃત્તિ વળશે. કર્મ પૂર્વે મધ્યાં છે તે અત્યારે દેખાય છે; તે ન ગમતાં હેાય તે તેવાં ફરી ન બંધાય તેવી કાળજી રાખી ીરજ, સહનશીલતા અને સમભાવ રાખી ખમી લેવાં તે છૂટવાના રસ્તા-મેાક્ષમાર્ગ છેજી. હાયવાય આકુલવ્યાકુલ ચિત્ત કરીએ તાપણુ ઉદયમાં આવેલાં કર્યાં ફળ આપ્યા વિના જવાનાં નથી, તે શૂરવીર થઈ સામે માઢ શત્રુ સાથે લડી તેને નાશ કરે તેમ ગભરાયા વિના સહન કરવાનું ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ મળ રાખવામાં લાભ છે. Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨પર બોધાત ૨૪૬ અગાસ, તા. ૧-૨-૪૧ તત કે સત મહા કુદ ૫, શનિ, ૧૯૯૭ સત્યરુષાર્થે મોક્ષ મળે છે, એને જે નહિ લક્ષ અહો! અસત્યરુષાર્થો તે માને, ભવ-ફળ કે પ્રત્યક્ષ અહે! શ્રી રાજચંદ્ર ભગવંતપદે, હું કરું વંદન અગણિત અહો ! બાળ, મૂર્ખ, ઉન્મત્ત કહ્યા જે, લહે નહીં વિવેક અહે! કનક-થાળમાં ધૂળ ભર્યા સમ, વિષય-વાસના દેખ અહો! શ્રી, કાચ ચિંતામણિ બદલે લે, અમૃતથી ધવે પાય અહે! વહે ઈધરા ગજવર પીઠે, ધન કાજે ભવ જાય અહો ! શ્રી સાચાં મોટા મેતી વેરે, તેહ હાર લે સૂત્ર અહે! કલ્પ – તરું છેદી રે! વાવે, ધતૂરા વિચિત્ર અહો ! શ્રી, ભરદરિયે ખીલા કાજે હા! કાણી કરતે નાવ અહ! ઉત્તમ ચંદન દહી ભસ્મ લે, તેવા અને બનાવ અહે! શ્રી જે ધન, ભેગે કાજે નરભવ, ગાળે ધર્મરહિત અહો શા માટે આ જન્મ ધર્યો છે? કે કર વ્યતીત અહે? શ્રી. (પ્રજ્ઞા૮૬) “યમ નિયમ સંયમ આપ કિયે, પુનિ ત્યાગ વિરાગ અથાગ લો વહ સાધન બાર અનંત કિયે, તદપિ કછુ હાથ હજુ ન પ. અબ કર્યો ને બિચારત હૈ મનસે, કછુ ઔર રહા ઉન સાધનસે ?” આપને પત્ર ૮ પાનને મળે છે. સદ્દવિચાર વાંચી સંતેષ થયે છે. લંબાણથી લખાણ કર્યા છતાં સત્સમાગમે જેવું મનનું સમાધાન થાય તેવું પત્રથી થાય તે સંભવ નથી. તેથી અવકાશે આવવાને વેગ બને છે તે વાત અહીં બે સમજુ જન સમક્ષ મૂકતાં સંતેષકારક ખુલાસે મળી રહે. જીવનના અગત્યના પ્રશ્નોને ઉકેલ ટપાલ દ્વારા ઈચ્છો એ તે પ્રશ્નોનું મહત્ત્વ આંકવામાં હજી કચાશ સમજાય છે. બીજું, આપે પ્રશ્નરૂપે પૂછ્યું છે કે વિષયના નિમિત્તો વધારી કર્મ ખપે કે કેમ? એમ પૂછી નિશ્ચય કરેલાનાં મૂળ ખેતરવા જેવું કર્યું છે. એક વાર નિશ્ચય પ્રતિજ્ઞારૂપે કર્યો હોય તે તેને પુષ્ટિ મળે તેવી વિચારણા કરવી ઘટે છે. પ્રતિજ્ઞા લીધા પહેલાં સર્વ પ્રકારે વિચાર કરી, પૂછી, નિર્ણય કરી પ્રતિજ્ઞા લેવી ઘટે છે, નહીં તે “મનમાં પરણ્યા અને મનમાં રાંડ્યા” જેવો ઘાટ બને છે અને પ્રતિજ્ઞાથી મનને દઢ કરવા જતાં નિર્બળ બનાવવાને ઉપાય થાય છે. પચખાણનું સ્વરૂપ જાણ્યા વિના જીવે “યમનિયમ”માં જણાવ્યા પ્રમાણે અનંત સાધન કર્યા તથાપિ જન્મમરણ ન ટળ્યાં તે હવે શું કરવું તે વિચારવા, પુરુષાર્થ વધારવા રજ એ ત્રાટક છંદ બેલાય છેજી. પોતાની પાસે જે મૂડી હોય તેને જેમ બે જણને પૂછી સારે આસામી હેય તેને ધીરે છે, તેમ જીવનરૂપી મૂડી કેમ વાપરવી તેને માટે પણ મેટા પુરુષે ધર્મ આરાધતા હોય તેવાને પૂછી પિતાની શક્તિ, વય અને વિકારે તપાસી Page #276 -------------------------------------------------------------------------- ________________ ૫ત્રસધા ૨૫૩ પિતાથી ઉપાડી શકાય તે ધર્મભાર ઉપાડ ઘટે છે. “ભાઈ, આટલું તારે અવશ્ય કરવા જેવું છે.” પૃષ્ઠ ૮૫ તત્વજ્ઞાનમાં છે તે વિચારી વર્તવા ગ્ય છેજી. પિતાની કલ્પનાથી કઈને જ્ઞાની માની લેવામાં માલ નથી. હું તે પરમકૃપાળુદેવને દાસાનુદાસ છું. હું તેવું કઈ જ્ઞાન ધરાવતું નથી કે આપને ભવિષ્યમાં આ કાર્યથી આ જ ફળ આવશે તેવું નિશ્ચયપૂર્વક કહી શકું. પરમકૃપાળુદેવની આજ્ઞા ઉઠાવવાની ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રી દ્વારા જાણી, ભાવના છે. આત્મજ્ઞાન પામવાને પુરુષાર્થ તજી દીક્ષા લેવા દોડનારા ઘણું નિષ્ફળ નીવડતા આ કાળમાં જોયા છે. તેવે ભયંકર રસ્તે જવા મારી મારા દુશ્મનને પણ સલાહ ન હે! એ જ. એ શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૩-૨-૪૧ તત્ સત્ મહા સુદ ૭, સેમ, ૧૯૯૭ આમ મુમુક્ષુ ચિંતવે, શરીર વિષ્ટા-વાડો રે, જીવ વિચારે કેમ ને દુખતણે ભવખાડો રે? પાપ-બીજ આ કાર્યમાં, જીવન જાય અલેખે રે; મેહમદિરા છાકમાં સુખ દુઃખે જન દેખે રે. ૐવન અનિશ્ચિત જન્મથી, આત્મહિત કર લેવું રે બંધું બંધન માનવા, સઘળું સ્વપ્ના જેવું રે. ભેગ ભયાનક હું ગણું જન્મ–કેદ સમ કાયા રે; વિશ્વ-ઉપકારી પ્રભુ, મુકાવે મુજ માયા રે. (પ્રજ્ઞાબેધ - ૮૮) પૂ શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત વાંચે છે, તેની સાથે વખત મળતો હોય તે વાંચવાવિચારવાનું રાખશે તે બીજેથી વૃત્તિ સંકેલી પુરુષનાં વચનમાં જોડવાનું થશે અને પરસ્પર વિચારની આપ-લે થવાથી જ્ઞાનીને શું કહેવું છે તેમાં ઊંડું ઊતરવાનું બનશે. વિશેષ વખત ન મળતા હોય તે તે શું વાંચી ગયા, તથા વાંચતાં શા શા વિચારે કુર્યા હતા વગેરે વિષે અવકાશે પૂછી તેમાં આવેલા વિષયની વાતે ચર્ચવાની ટેવ પાડશે તે સત્સંગની ગરજ જાગશે, વિશેષ વિચારવાનું જાણવાનું મળશે અને વાંચનારને પણ “કહેવું પડશે જાણીને વિશેષ કાળજીપૂર્વક વાંચવાનું બનશે. થોડું વંચાય પણ વિશેષ વિચારાય એવું કરવાની જરૂર છે. મનને નવરું ન રહેવા દેવું; વાંચવા-વિચારવામાં, નવું ગેખવામાં કે ગેખેલું ફેરવી જવામાં, ભક્તિમાં મરણમાં વા વૈરાગ્યના વિચારે કુરે કે મૂંઝવતા પ્રશ્નો હોય તેના ઉકેલ લાવવા શબ્દોરૂપે લખી રાખવામાં વૃત્તિ રોકાશે તે વ્યર્થ ભટકતા મનને સમ્પ્રવૃત્તિથી સન્માર્ગમાં વાળવાનું બનશે. આમ ટેવાઈ જવાશે તે તે બીજી બળતરામાં નહીં પ્રવર્તે. કંઈ ને કંઈ સપુરુષના જણાવેલા કામમાં તે ગૂંથાયેલું રહી આત્મવિચારમાં રસ લેતું થશે, જ્ઞાનીની અંતર્યા સમજતું થશે અને જે કરવા યંગ્ય છે તેમાં તત્પર થઈ સુવિચારણા જાગતાં મેહની મૂંઝવણને હણ આનંદસ્વરૂપ પિતાના આત્માની ઓળખાણ કરાવશે. સત્પના અપાર ઉપકારને, મેહાધીને મન રહેતું હોવાથી વિચાર જ આવતું નથી. નિગદમાં અનંતકાળ સુધી પરિભ્રમણ Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ બેધામૃત કરી કોઈ પુરુષની નિષ્કારણ કરુણાના ગે જીવ આ મનુષ્યભવ સુધી આવી પહોંચે છે તે જેના વેગે આટલી ઊંચી સ્થિતિ પામે છે, તેના આધારે હવે આત્મદશા પ્રગટાવવા અંતરમાં દાઝ રાખી પુરુષાર્થ આદરે તે જરૂર આ ભવમાં અપૂર્વ દિશા પામી શકે એમ જી. આ યુગ ફરી ફરી પામ દુર્લભ છે એમ વિચારી ક્ષણવાર પણ સત્પરુષને કે તેના સાધનને ન વીસરાય તેમ પ્રવર્તવું ઘટે છેજ. ધન, ધંધા કે સગાંવહાલાં કરતાં આ મનુષ્યભવરૂપી પૂંજી બહુ બહુ કીમતી છે તે પ્રમાદ લૂંટી રહ્યો છે તેનું ભાન નથી, તેથી જીવને હજી પ્રમાદમાં જ રતિ, મીઠાશ વર્તે છે. હવેથી પ્રમાદ ઓછો કરે છે એ જરૂર જીવે નિશ્ચય કરવા યંગ્ય છે. પરમકૃપાળુદેવે જણાવ્યું છે કે “ઓ છે પ્રમાદ થવાને ઉપયોગ એ જીવને (મોક્ષ) માર્ગના વિચારમાં સ્થિતિ કરાવે છે, અને વિચાર માર્ગ (મેક્ષમાર્ગ)માં સ્થિતિ કરાવે છે, એ વાત ફરી ફરી વિચારી, તે પ્રયત્ન (ઓ છે પ્રમાદ થવાને લક્ષ, માર્ગને વિચાર અને માર્ગમાં સ્થિતિ) ત્યાં વિયેગે પણ કોઈ પ્રકારે કરવું ઘટે છે. એ વાત ભૂલવા જોગ્ય નથી.” (૪૨૩) શિયાળામાં વસાણું ખાવાથી જેમ બારે માસ તેની શક્તિની અસર રહે છે તેમ આટલી ટૂંકી શિખામણ જે અંતરમાં ઊતરી જાય તે આખી જિંદગી સફળ થાય તેમ છેછે. સમજુ જીવ હિતકારી વાતને કડવી ઔષધિની પેઠે ગમે તેમ કરી ગળે ઉતારી દે છે, તેમ આ વખતે લખેલી આ વાત કાગળ ઉપર ન રહેતાં હૃદયમાં ખટક્યા કરે તેમ વારંવાર વાંચી, વિચારી, મુખપાઠ કરી, પરસ્પર સ્મૃતિ આપી જાગ્રત થવા રહેવા યોગ્ય છે. આ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૨૪૮ અગાસ, મહા સુદ ૧૧, શુક્ર, ૧૯૯૭ શ્રી રાજચંદ્ર ગુરુ ઉરે, આનંદ અનુપમ પૂરે રે, કરું વંદના બહુ ભાવે, કળિકાળે અતિ ઉપકારી, મળી સત્ય સહાય તમારી રે. કરું. અંતમુહૂર્ત અમોને, પ્રભુ સમ્યગ્દર્શન ઘોને રે. કરું સત્સંગ વસિષ્ઠ ષિને, અંતમુહૂર્ત સુધીને રે. કરું, ધરણી અધર ધરો રાખે, અતિ આશ્ચર્યકારી ભાખે રે. કરું, રે! સમ્યગ્દર્શન તેવું, ભવ-ભાર હરે, ગણી લેવું રે. કરું(પ્રજ્ઞા૯૦) આપને પત્ર મળે. “વચન, નયન યમ નહિ”ને ખુલાસે આમ અવધારશેઃ સપુરુષનું જેને ઓળખાણ થયું છે, તેને પિતાનાં અહેભાગ્ય પ્રગટ થયાં એમ ગણવા ગ્ય છે તેના વેગે આ અપાર ભવસાગર જરૂર તરાશે એવી તેને દઢતા હદયમાં થાય છે. પણ કેઈ અંતરાય કર્મના યોગે તેને વિગ રહેતું હોય તે તેના વિયોગમાં માત્ર તેની આજ્ઞામાં જ વૃત્તિ રાખીને જીવવું ઘટે છે, તેમ વર્તાય તે વિગ પણ કલ્યાણકારી નીવડે એમ છે. છતાં આ જીવની એવી અધમ દશા છે કે તે વિગ વારંવાર સાંભરી આવો જોઈએ અને તે મહાપુરુષની સ્મૃતિની વિસ્મૃતિ કરાવનારી પ્રવૃત્તિ ઝેર જેવી લાગવી જોઈએ. તેને બદલે બેલ બેલ કરવામાં અને અનર્થકારી રૂપાદિને નિહાળી તેમાં તલ્લીન થવાથી, તે શા માટે જન્મે છે અને શામાં કાળ ગાળે છે તેનું તેને ભાન રહેતું નથી. વચનની પ્રવૃત્તિ, બેલવા Page #278 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૨૫૫ રૂ૫ અને પરનાં અહિતકારી વચન સાંભળવારૂપ, સંયમમાં ન રહે તે તે પુરુષને અને તેના બેધને ભુલાવી સંસારવર્ધક કર્મમાં પ્રેરે છે, તેમ જ “નયન યમ' એટલે રૂપાદિ નિહાળવાની પ્રવૃત્તિને સંયમ ન કરાય છે તેનું ફળ પણ તેવું જ આવે છે. જેમ કે પતિવ્રતા સ્ત્રીને તેના પતિને વિગ રહેતું હોય, તે કાળે તે સારા શણગાર પહેરતી નથી તથા બીજાનાં શણગારેલાં શરીર જતી નથી, બીજા માણસ સાથે બકબકાટ કરતી નથી, વાતેમાં ગૂંથાતી નથી, પણ પતિના ગુણગ્રામ ચિતવતી સાદો ખેરાક, સાદો વેષ અને એકાંત સ્થાન સેવી દહાડા કાઢે છે, બધા શેખ તજી દે છે તેમ સદ્ગુરુના વિયોગે ભક્તાત્માઓ બીજેથી વૃત્તિઓ પાછી વાળી સદ્ગુરુના ગુણે, ઉપકારે, તેણે જણાવેલ બેધમાં વૃત્તિ રાખી જીવે છે. પણ હે પ્રભુ! હું તે વચન, નયન આદિને સંયમ સાધી શકતું નથી તે મારી શી વલે થશે? મારે એક પુરુષને આધારે તરવું છે અને તેમાં વિદ્ધ કરનાર વૃત્તિઓને ત્યાગ થતો નથી તે મૂંઝવણ મુમુક્ષુજને રહ્યા કરે છે તેને પિકાર એ કડીમાં કર્યો છે. આંધળા માણસને કોઈ દેખતાનું અવલંબન હેય તે તેને ઘેર પહોંચી જાય, પણ તેને હાથ મૂકી દઈ કોઈ તકરાર સાંભળવા બેટી થાય તે શી વલે થાય? તેમ અચિંત્ય જેનું માહાભ્ય છે તેવા પુરુષનું અવલંબન તજી સિનેમા, નાટક કે ફ્લેશકારી વાતે જોવા સાંભળવામાં શી હાનિ છે. તે વિચારી પુરુષમાં અહોનિશ વૃત્તિ રાખવી ઘટે છે. એ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૨૪૮ અગાસ, ૧૨-૨-૪૧ તત છે. સત મહા વદ ૧, બુધ, ૧૯૯૭ ક્ષત્રિય કુળના સચ્ચા બચ્ચા, સામે મોઢે શસ્ત્ર સહે, શત્રુને નહિ પૂઠ બતાવે, કેસરિયાં કરી મરણ ચહે; તેમ વીર વીતરાગ શરણ લઈ, અશુભ કર્મ પ્રહાર સહે, દેહત્યાગ કરે પણ, દનતા કે કાયરતા કેમ ચહે? પરમ ધર્મનું શરણ ગ્રહીને, સર્વ વેદના હવે સહ, કર્મ કટી કસે શરૌરને, જ્ઞાતાદ્રષ્ટા તમે રહે. નથી અનંત ભવમાં આવ્યું, અવસર આવે હિતકારી, ૐતી જવા આવ્યા છે બાજી, હવે નહીં જાઓ હારી. (પ્રજ્ઞાબેધ - ૫૩) વિ. આપને પત્ર મળે. સમાચાર જાણ્યા. બનનાર છે તે ફરનાર નથી. આયુષ્ય જે નિર્માણ થયું છે તેમાં કઈ મીનમેખ કરી શકે તેમ નથી. તે પણ ચેતતા નર સદાય સુખી કહેવાય છે, તેમ સદ્ગુરુ શરણે નિર્ભય બની આખરની ઘડી માટે તૈયાર રહેવું એ હિતકારી છે. આજ સુધી આટલી જિંદગીમાં જે બાંધ્યું હતું તે ભેગવાયું. અનંતકાળથી કમની કડાકુટમાં જીવ પડ્યો છે તે પ્રત્યેથી હવે ઉદાસ થઈ જ્ઞાનીઓએ આત્માને નિત્ય, અજર, અમર, છેદ્ય, અભેદ્ય, પરમાનંદરૂપ જાણ્યો છે, માન્ય છે તે સમ્મત કરી તેણે અનંત કૃપા કરી જે મંત્ર આપે છે તે જ છેલ્લે આધાર છે એમ માની છેલ્લા શ્વાસે શ્વાસ સુધી તેમાં Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ બેધામૃત ચિત્ત રાખી પરમકૃપાળુદેવને શરણે તેને આશ્રય હૃદયમાં રાખી આયુષ્ય પૂર્ણ કરવા યોગ્ય છેજી. પિતાથી બોલવાનું ન બને તે કેઈ કાનમાં મંત્રનું સ્મરણ આપનાર હોય તે તેમાં ચિત્ત રાખવું કે હૃદયમાં પરમકૃપાળુદેવની સ્મૃતિ રાખી, “હે ભગવાન, આપનું શરણ છે. મને કંઈ ખબર નથી. પણ તમને હે તે મને હ ! મારે બીજે ક્યાંય ચિત્ત રાખવું નથી. આત્માનું પરમ હિત કરનાર આપ જ છે. આપના ચરણમાં સર્વભાવ અર્પણ થાઓ,” એવી ભાવના કર્યા કરવી અને “થાવું હોય તે થાઓ, રૂડા રાજને ભજીએ.” એ જ લક્ષ રાખી દેહની ચિંતામાં ચિત્ત ન રોકતાં પરમકૃપાળુદેવ પ્રત્યે વાળવામાં હિત છે. “સમાધિ સોપાન”માંથી “મૃત્યુ મહત્સવ’ તેમને સંભળાવવા યોગ્ય છે. “આલેચનાદિ પદ સંગ્રહમાંથી ભક્તિ આદિનાં પદ, આલેચના, વીસ દેહરા, ક્ષમાપનાને પાઠ, છપદને પત્ર, આત્મસિદ્ધિ આદિ આપણે ભક્તિમાં છંદ વગેરે બોલીએ છીએ તેમાંથી અવસર પ્રમાણે તેમને આગળ ભક્તિને ક્રમ રાખ્યું હોય તે સ્વપરને હિતકારી છેજ. ક્ષણે ક્ષણે સર્વના આયુષ્યમાંથી કાળ જાય છે તે મરણ થયા જ કરે છે. આખર વખતે જેમ સ્મરણ આપવાની કાળજી રાખીએ છીએ, તેમ ક્ષણે ક્ષણે પિતાના આત્માને સદ્ભાવમાં લાવવા સ્મરણમાં ચિત્ત રાખવાની આપણે બધાએ ટેવ પાડી મૂકવા જેવું છે. કરી મૂક્યું હશે તે આખરે કામ આવશે. તેથી પાણી પહેલાં પાળ બાંધી રાખવી ઘટે છેજી. પાઘડીને છેડે જેમ કસબ આવે છે તેમાં બધી પાઘડીની કિંમત આવી જાય છે, તેમ છેવટને ભાગ સુધારી જેણે સમાધિમરણ માટે કેડ બાંધી તેમાં અચળ ભાવ રાખી આશ્રયસહિત દેહ છોડ્યો તેનું બધું જીવન સફળ થયું એમ ગણવા ગ્ય છે. છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૨૫૦ અગાસ, તા. ૧૮-૨-૪૧ તત્ સત્ મહા વદ ૭, મંગળ, ૧૯૯૭ ભુજંગ- વધું મેળવીને થવા સુખ માગે, ભિખારી જ રાજાધિરાજાય લાગે; અહો! જ્ઞાનીએ માર્ગ જુદો જ જે, “ગ્રહ કાંઈ સુખને માર્ગ છે.” સ્વઆત્મા અહે! દેહ આદિથ ભિન્ન, સદા તિરૂપે પ્રકાશે સ્વઅન્ય, સુગુરુથી જાણી સ્વરૂપે સુમગ્ન, રહે તે રસાસ્વાદ ચાખે સુવિજ્ઞ. (પ્રજ્ઞા ૯૩) આપને પત્ર મળે. સમાચાર જાણ્યા. અનાર્ય જેવા દેશમાં જવાનું હોવાથી વિશેષ કાળજી રાખીને સદ્વર્તન, સવિચાર અને સત્પરુષની આજ્ઞામાં વર્તાવાને પુરુષાર્થ કર્તવ્ય છે. પિતાના વિચારબળ વગર ત્યાં બીજું કઈ અનાચાર આદિ માર્ગે જતાં અટકાવનાર નથી; માટે કુસંગથી બચતા રહેવા અને સશાસ્ત્ર વાચન-વિચારમાં બચતે વખત ગાળવા ભલામણ છે. આ કાળમાં અલ્પ આયુષ્ય આ ક્ષેત્રે જેને હોય છે, છતાં જાણે મરવું જ નથી એમ પ્રવર્તવાને અભ્યાસ પડી ગયું છે તેથી આત્મહિતના કર્તવ્યમાં પ્રમાદ, ગૌણતા, સામાન્યપણું થઈ જાય છે, માટે જ મરણ સંબંધી વિચાર કરતા રહેવાની જરૂર છે. મરણ અચાનક આવી પડે તે હું કેમ પ્રવર્તે? મરણ સુધારવાનું કોઈ સાધન મને મળ્યું છે? તેમાં મારું ચિત્ત કેટલું પ્રવર્તે છે? બીજે મન ભટકતું ફરે છે તેનું કારણ શું? સંસારમાં એવું શું સુખ Page #280 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૨૫૭ છે કે જેને માટે આત્મહિત ભૂલી આમ પ્રવર્તવું થાય છે? હવે કેમ વર્તવું? વગેરે વિચારે અવકાશે વિસ્તારથી વિચારવા લાગ્યું છે. સ્ટીમરમાં તમને બિલકુલ કામ ન હોય, માત્ર ખાવાપીવા કે હાજતે પૂરી કરવા પૂરતું જ પેટી થવું પડે, બાકીને બધે વખત નવરાશ હોય છે. કાળ ગાળવા અણસમજુ અને પત્તાં રમવામાં કે ઊંઘવામાં વે નકામા વિકપમાં કાળ ગુમાવે છે. તેવી ભૂલ તમે ન કરો અને ધંધામાં પછી વખત બચાવ મુશ્કેલ પડશે ગણી તે વખતે સદ્વાચન, વિચાર અને આત્મહિતનું સાધન સગુરુકૃપાએ મળ્યું છે તેમાં વિશેષ ભાવ રાખી જરૂર જાણે ગુફામાં પેસી જાય તેમ આત્મસાધન કરવા જ દરિયાની મુસાફરી સ્વીકારી છે એમ દાઝ રાખી જાગૃતિને બધે વખત સ્મરણ આદિ ધર્મકાર્યમાં જ કાઢે છે એ દઢ નિશ્ચય કર્તવ્ય છે જ. એટલે વૈરાગ્ય અને ધર્મ પ્રત્યે ઉલ્લાસભાવ હશે તે પ્રમાણે આ તમારા કસોટીના વખતને તમે ગાળી શકશે ત્યાં આફ્રિકા પહોંચ્યા પછી પણ વખત મળે કે સત્સાધનમાં જોડાઈ જવું. મનને નવરું ન રાખવું, તે દુરિચ્છા કરે તે પિષવી નહીં, પણ તેની સામે પડી સન્માર્ગમાં હઠ કરીને પણ મનને રાખવું. આમ પુરુષાર્થ આદરશે તે કઈ હાથ ઝાલવા આવનાર નથી. કળિકાળ કે અનાર્યક્ષેત્ર એ માત્ર બાહ્ય નિમિત્તો છે, પુરુષાર્થ આગળ બધાં નિર્બળ છે, એમ માની આ આત્માને જન્મમરણનાં મહા દુઃખોથી મુક્ત કરે છે એ ભાવદયા ભૂલી જવા યોગ્ય નથીજી. એ જ વિનંતી. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૨૫૧ અગાસ, તા. ૨૬-૨-૪૧ તત સત મહા વદ ૦)), ૧૯૯૭ દેવાનંદન હે, રાજચંદ્ર પ્રભુ પ્યારા, આ કળિકાળે હો અમને ઉદ્ધારનારા. વંદન-વિધિ ન જાણું તેયે, ચરણે આવી વળગું, અચળ ચરણને આશ્રય આપે, મન રાખું ના અળગું. દેવા અહે! શિખામણ આપે આપી, સદા સ્વરૅપ ભજવાની, અલ્પ શિથિલપણું પણ ત્યાગી, ટંકેત્કીર્ણ થવાની. દેવા લઘુશંકા સમ અ૫ દેષથી ભવ નવસે અનુભવીને, દુષ્ટ દોષ ઉઘાડો પાડ્યો, અનહદ દયા કરી એ. દેવા. (પ્રજ્ઞાવબે-૯૫) વિ. આપના કરકમળથી લખાયેલ પત્ર આજે ત્યાંથી આવેલા ભાઈએ આપે, વાંચી આપ સર્વને અશાતાને ઉદય અચાનક ઉદ્ભવેલે જાણી ધર્મનેહથી દિલગીરી થયેલી, પણ આપને આરામ થતું આવે છે જાણે સંતોષ થયા છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ વિચારી જેમ આપને અનુકૂળ પડે તેમ વિચરવા વિનંતી છે.જી. કર્મ તે બે ડગલાં આગળ ને આગળ જ ચાલ્યા કરે છે પણ મહાપુરુષો તેનું સ્વરૂપ સમજી રહેલા હોવાથી એ ઉદયરૂપ કાંટાવાળા માર્ગે મુસાફરી કરી શિવપુર પહોંચ્યા છે. પ. પૂ. પ્રભુશ્રીજીએ સ્વ. મનસુખલાલ દેવશી મહેતા ઉપર પત્ર લખાવેલ તેમાંથી આપણે સર્વને વિચારવા એગ્ય એક ફકરે લખી મોકલું છું – 17 Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ બેધામૃત “મનને લઈને બધું છે. બાંધ્યાં તે જાય છે, ત્યાં ગભરાવા જેવું છે જ નહીં. આવ્યાં તે જાય છે, તેમાં ક્ષમા-સહનશીલતાથી, આનંદ-અનુભવરૂપ આંખથી જુઓ. પુરુષને બેધે, સવિચાર-દ્વાર ઉઘાડી જ્ઞાનચક્ષુએ અંતર્યામી ભગવાનનાં દર્શન કરે. “જોવા મા પમાણ સમય માત્રને પ્રમાદ કર્તવ્ય નથી, તે વિચારથી સમજવાની જરૂર છેજી. કર વિચાર તે પામ” એ જ્ઞાનીનું વચન છે તે સત્ય છે.” (ઉપદેશામૃત : પૃષ્ઠ ૭૯) “સપુરુષાર્થ, સત્ય, અહિંસા, પ્રામાણિકતા, સમભાવ, ગુણાનુરાગ, ઉદાસીનતા, ક્ષમા, નિરભિમાનતા, નિષ્કપટતા અને નિર્લોભતાઃ આ ગુણનું પાલન કરીને વ્યાપારકાર્ય, ઘરામ અને શરીરરક્ષા કરે છે તેથી સમદષ્ટિ જીવને કર્મબંધન લૂખું અને થોડું થાય છે.”–મેલની કૂંચી કઈ પણ કારણે આ સંસારમાં કલેશિત થવા ગ્ય નથી” (૪૬૦) એવું પરમકૃપાળુદેવનું વચન સર્વ અવસ્થામાં શાંતિ પ્રેરી ઘણી ધીરજ આપે તેવું છે, તે વિચારવા વિનંતી સહ વિરમું છું જી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૨૫૨ અગાસ, તા. ૩-૩-૪૧ તત્ ૩ સત ફાગણ સુદ ૫, સેમ, ૧૯૯૭ ચારે ગતિ ભટકતાં બહુ થાક લાગે, પાયે અચાનક સુગ વિચાર જાગે; હે જીવ! શાંતરસપૂર્ણ વિભુ ભજી લે, દુખો અનંત છૂટશે, હિત આ સજી લે. (પ્ર. ૯૮). પત્ર બને મળ્યા છે. આડીઅવળી કલ્પનામાં નહીં તણાતાં એક પરમકૃપાળુદેવને પરમ ઉપકાર માની તેની કૃપાથી જ તેને ગબળે આત્મહિત જરૂર થશે એ વિશ્વાસ રાખી તેનાં વચનામૃતમાં તલ્લીન રહેવા ભલામણ છે. પિતાના દોષ જોવાનું કામ ઘણું મોટું છે, તે અપક્ષપાતપણે જોવાશે તે મુમુક્ષુતા વધશે, દોષ ટાળવાની તત્પરતા વધશે અને જીવ બળવાન થઈ દોષે ટાળશે. મારે માથે પણ તે જ કાર્ય છે. “હું તે દોષ અનંતનું ભાજન છું.” સમજવા યોગ્ય તે પુરુષનું સ્વરૂપ છે. આપે “અષ્ટ મહાસિદ્ધિ” સંબંધી પુછાવ્યું. પત્રમાં તેનું વર્ણનથી સ્વપરહિતનું કારણ નહીં જણાવાથી ઉત્તર લખે નહોતે. હેય વસ્તુ કરતાં ઉપાદેય તરફ વધારે લક્ષ દેવા યોગ્ય છે. અદ્ધિસિદ્ધિ તરફ મહાપુરુષેએ પૂંઠ દીધી છે; તે નહીં સમજાય તેય હાનિ નથી, સમજાયે લાભ નથી એમ જાણીને જ પત્ર લખ્યો નથી. ધર્મનું સ્વરૂપ વિચારવા અર્થે નીચે લખ્યું છે – “હે ભવ્ય ! પ્રાણીમાત્ર પર દયા કરવી, સત્ય બોલવું, ક્ષમા ધારણ કરવી, પવિત્રતા સમજવી, લેભને ત્યાગ કર, તૃષ્ણા ઘટાડવી, અને સમ્યફજ્ઞાન તથા વૈરાગ્યરૂપ સંપત્તિ ધારણ કરવી એ ધર્મ છે. અધર્મનું સ્વરૂપ તેથી ઊલટું છે. જેમ પ્રજ્વલિત અગ્નિથી અધિક સંતાપ થાય છે તેમ છેને વિષયમાં આસક્તિ થવાથી સુખની તૃષ્ણ વધે છે, તૃષ્ણને તાપ દૂર કરવાની ઈચ્છા કરતે જીવ પાપમાં તલ્લીન થાય છે અને ધર્મને દ્વેષ કરે છે. આમ ધર્મ તરફ દ્વેષ રાખીને અધર્મ-સેવન કરવાથી અગતિ પામે છે.” છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૫૯ પગસુધા ૨૫૩ અગાસ, તા. ૬-૩-૪૧ તત્ ત્ ફાગણ સુદ ૮, ગુરુ, ૧૯૯૭ સદ્દગુરુના ગુણ તે ઘણું, સ્મરું પારમાર્થિક સત્ય રે, વંદન કરી ફર ફર કહું, મારે તે એની અગત્ય રે. સદ્ વસ્તુ સ્વરૂપ યથાર્થ જે, જાણી, અનુભવી બેલે રે, સત્ય ગણ્યું તે બોલવું, સત્ય બ્રહ્મરત્ન ખેલે રે. સદ્. (પ્રજ્ઞા. ૯૬) વિભાવ તજી શ્રી રાજચંદ્ર ગુરુ, સ્વભાવમગ્ન થયા છે, તે માટે પ્રણમું ચરણે હું, સૌને ગમી ગયા છે; તે પદ-પ્રાપ્તિ જે જન ઈરછે, તે તે તેને ભજશે, થઈ લયલીન પરાભક્તિમાં સર્વ વિભાવે તજશે. મેલું પાણી, મેલ ન પાણી, જે વિચારી લેશે, પાણી નિર્મળ તે જ દશામાં સમજી, સંશય ખાશે; તેમ પ્રતીતિ શુદ્ધ જીવની, અત્યારે પણ આવે, સ્વરૃપ વિચારે જૈવ-પુદ્ગલનું, શુદ્ધિ કોણ છુપાવે? ક્ષીર-નીરમાંથી ક્ષૌર પીતા, રાજહંસ ઉર ધારે, તેમ કર્મ-સંગે તેયે, આત્મા શુદ્ધ વિચારે સાધ્ય અર્થ અવિધ રીતથી બતાવતાં દષ્ટાંતે, વિચારવાં હિતકારી સર્વે, ભૂલવી વિભાવ વાત. (પ્રસ્તાવનેધ - ૯૨) સર્વ જીવ આત્માપણે સમસ્વભાવી છે. બીજા પદાર્થમાં જીવ જે નિજબુદ્ધિ કરે તે પરિભ્રમણુદશ પામે છે અને નિજને વિષે નિજબુદ્ધિ થાય તે પરિભ્રમણદશા ટળે છે.” (પ૩૯) આટલાં વચન વારંવાર વિચારી અંતરમાં ઊંડાં ઉતારી તરી જવા યોગ્ય છેજ. શબ્દો વડે જ્ઞાની પુરુષે નિષ્કારણ કરુણાથી જે પરમ પદાર્થ તરફ આ દુષ્ટપરિણામી જીવની દષ્ટિ ખેંચી સ્થિર કરાવવા ઇરછે છે, તે પદાર્થ મને, તમને, સર્વને અનન્યપણે ભાસે, તે જ પ્રીતિકર નિરંતર સુખની ખાણ સમજાએ; તેને માટે પ્રાણ જતાં પણ પુરુષાર્થ કરવાનું ન ચૂકું, ભાન હોય ત્યાં સુધી સપુરુષે કરેલી આજ્ઞાને સર્વોપરી માની જીવાદોરીની પેઠે તેમાં જ વૃત્તિ રાખીને જીવું, એને ભૂલીને જીવવું ઝેર જેવું જાણું તે જ પ્રાણપતિ, તે જ આધાર, તે જ બચાવનાર, તે જ જ્ઞાની, તે જ સમાધિમરણનું દાન કરનાર પ્રભુની ભક્તિ ન ભૂલું એવી દેઢતા અખંડ હૃદયમાં ઊભરાતી સદા સર્વને રહે; સર્વ એ સર્વોત્તમ પદના પ્રેમી થાઓ, તેને માટે મરણિયા થાઓ, તેને માટે જ જીવનારા થાઓ, તેમાં જ અભેદભાવે વસનારા થાએ, તુહિ તેહિ તેને જ જાપ નિશદિન જ પાયા કરે. “અપૂર્વ અવસર એ કયારે આવશે?” સપુરુષના સંગે જાગેલા ભાવ જાગતા રાખવા હવે કેડ બાંધીને મંડી પડવા જોગ અવસર આવ્યું છે. પાછલા પહોરના આથમતા સૂર્ય જેવાં બે ઘડીનાં જીવન માટે હવે ફિકર કરવી નથી. દેહનું જેમ થતું હોય તેમ થવા દઈ “થાવું હોય તે થાજે, રૂડા રાજને ભજીએ” એ ભાવ નિરંતર હદયમાં રાખી, તેને ચરણના શરણથી નિર્ભય રહેવું, Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ બેધામૃત આનંદિત રહેવું અને સોનેરી ક્ષણે જે સત્પરુષના યુગમાં ગાળી છે તેનું સ્મરણ વારંવાર સ્મૃતિમાં લાવી તે જ રંગમાં રંગાયેલા રહેવા ઉત્તમ નિમિત્તો ઈરછવાં. “અન્ય કારણે અન્ય ક કલ્પ નહીં, દેહે પણ કિંચિત્ મૂછ નવ જેય જે – અપૂર્વ અવસર એવો કયારે આવશે ?” “સર્વ પ્રકારે જ્ઞાનીના શરણમાં બુદ્ધિ રાખી નિર્ભયપણને નિઃખેદપણાને ભજવાની શિક્ષા શ્રી તીર્થંકર જેવાએ કહી છે અને અમે પણ એ જ કહીએ છીએ. કઈ પણ કારણે આ સંસારમાં કલેશિત થવા યોગ્ય નથી” (૪૬૦) ઠેઠના ભાથારૂપ આ શિખામણ હૃદયમાં કતરી રાખવા યોગ્ય છે. વિશેષ શું લખવું? » શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૨૫૪ અગાસ, તા. ૧૪-૩-૪૧ ફાગણ વદ ૧, શુક, ૧૯૯૭ શરીરના ફેરફારે શરીરના ધર્મોપે માનવા અને આત્માના ધર્મો ન વિસરાવા અર્થે, પરમકૃપાળુદેવની દઢ શ્રદ્ધા પરમ હિતકારી વિશેષ દઢ થવા અર્થે જાણે લખાયેલ હોય તે તથા સત્તામાં રહેલી અવ્યકત અશ્રદ્ધાને નિર્મૂળ કરે તે તેઓશ્રીની અનંત કરુણાથી પ્રેરાયેલે અપ્રગટ પત્ર આપ સર્વને પિતાને જ અર્થે વાંચી-વિચારી હૃદયના ભાવ ઉલ્લાસિત થવા નીચે ઉતારી મોકલું – (જુઓ શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૬૮૦) આપે આ પત્ર વખતે વચ્ચે પણ હશે; પણ સ્મૃતિ તાજી થયે શ્રદ્ધાબળ વર્ધમાન થવા યોગ્ય, એક પ્રકારની નિશ્ચિતતા - અંતઃસંતેષ વર્ધમાન થવા યોગ્ય જાણી નકલ કરી મકલી છે. “પ્રથમ નમું ગુરુરાજને જેણે આપ્યું જ્ઞાન, જ્ઞાને વરને ઓળખ્યા ટળ્યું દેહ અભિમાન”—રેજ બેલીએ છીએ તે પ્રબળપણે આ પત્રથી સમજાઈ સચેટ થાય તેવું છે. નિર્ભયતા વધે તેમ છે. “ધિંગધણી માથે કિયા રે, કુણ ગંજે નર બેટ, વિમલ જિન દીઠાં લેયણ આજ.” છેશાંતિઃ શાંતિઃ શાંતિઃ - ૨૫૫ અગાસ, તા. ૧૬-૩-૪૧ તત ૩ સત્ ફાગણ વદ ૩, રવિ, ૧૯૯૭ દેહરા – વંદન ગુરુ-ચરણે થતાં, પ્રભુ પાર્શ્વ વંદાય; અભેદ ધ્યાને પરિણમ્યા, તે ફૂપ શ્રી ગુરુરાય. - પ્રણમી પ્રગટ સ્વરૂપને, સર્વ સિદ્ધ, જિનરાય, સહજ સ્વરૂપે સ્થિરતા યાચું, કરે સહાય. (પ્રજ્ઞાવધ - ૧૭) આપે પુછાવ્યું છેઃ “સપુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ, એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે.” (૨૫૪) તેને શો પરમાર્થ છે? અલ્પ મતિથી પરમ ગંભીર જ્ઞાનાવતાર મહાપુરુષના એ વાક્યને સંક્ષેપાર્થ સમજાય તે પ્રકારે લખવા પ્રયાસ કરું છું. “સપુરુષ એ જ કે નિશદિન જેને આત્માને ઉપગ છે” (૭૬) તથા “હે પુરુષપુરાણુ! અમે તારામાં અને પુરુષમાં કંઈ ભેદ હોય એમ સમજતા નથી; તારા કરતાં અમને તે પુરુષ જ વિશેષ લાગે છે, કારણ કે તું પણ તેને આધીન જ રહ્યો છે, અને અમે સપુરુષને ઓળખ્યા વિના તને ઓળખી શકયા નહીં, એ જ તારું દુર્ઘટપણું અમને પુરુષ પ્રત્યે પ્રેમ ઉપજાવે છે, કારણ કે તે વશ છતાં પણ તેઓ ઉન્મત્ત નથી; અને તારાથી પણ સરળ Page #284 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૨૬૧ છે, માટે હવે તું કહે તેમ કરીએ?” (૨૧૩) આ અને આવાં અનેક વાક્યો, સદ્દગુરુ દ્વારા દેવ ઓળખાય છે એ “સદગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ; સમજ્યા વણ ઉપકાર શો? સમયે જિનસ્વરૂપ.” ગુરુપદ સમાત હૈ, અરિહંતાદિ પદ સર્વ; તાતેં સદ્ગુરુ-ચરણકે, ઉપાસે તજી ગઈ.” એ સર્વ સાક્ષી પૂરે છે કે આત્મજ્ઞાનરૂપ પરમ ધર્મ સપુરુષ કે સદ્દગુરુની ભક્તિથી પ્રાપ્ત થાય છે. છપદના પત્રમાં અંતે જણાવે છે: “જે સત્પષેએ સદ્ગુની ભક્તિ નિરૂપણ કરી છે, તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદ્ગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દષ્ટિગોચર થઈ અન્ય સ્વછંદ મટે, અને સહેજે આત્મબોધ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે, તે ભક્તિને અને તે સપુરુષને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હો !” (૪૯૩) પરાભક્તિ વિષે લખતાં પોતે લખે છે: “પરમાત્મા અને આત્માનું એકરૂપ થઈ જવું () તે પરાભક્તિની છેવટની હદ છે. એક એ જ લય રહેવી તે પરાભક્તિ છે. પરમાત્માને નિરંજન અને નિર્દેહરૂપે ચિંતવ્ય જીવને એ લય આવવી વિકટ છે, એટલા માટે જેને પરમાત્માને સાક્ષાત્કાર થયો છે, એ દેહધારી પરમાત્મા તે પરાભક્તિનું પરમ કારણ છે. તે જ્ઞાનીપુરુષનાં સર્વ ચરિત્રમાં ઐક્યભાવને લક્ષ થવાથી તેના હદયમાં વિરાજમાન પરમાત્માને ઐકયભાવ હોય છે, અને એ જ પરાભક્તિ છે. જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી; અને જે કેઈ અંતર માને છે, તેને માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે. જ્ઞાની તે પરમાત્મા જ છે અને તેને ઓળખાણ વિના પરમાત્માની પ્રાપ્તિ થઈ નથી; માટે સર્વ પ્રકારે ભક્તિ કરવા ગ્ય એવી દેહધારી દિવ્ય મૂર્તિ – જ્ઞાનીરૂપ પરમાત્માની –ને નમસ્કારાદિ ભક્તિથી માંડી પરાભક્તિના અંત સુધી એક લયે આરાધવી, એ શાસ્ત્રલક્ષ છે. પરમાત્મા આ દેહધારીરૂપે થયે છે એમ જ જ્ઞાની પુરુષ પ્રત્યે જીવને બુદ્ધિ થયે ભક્તિ ઊગે છે, અને તે ભક્તિ ક્રમે કરી પરાભક્તિરૂપ હોય છે.....પંચપરમેષ્ઠીમંત્રમાં પણ “નમો અરિહંતાણં' પદ પછી સિદ્ધને નમસ્કાર કર્યો છે; એ જ ભક્તિ માટે એમ સૂચવે છે કે પ્રથમ જ્ઞાની પુરુષની ભક્તિ; અને એ જ પરમાત્માની પ્રાપ્તિ અને ભક્તિનું નિદાન (કારણ) છે”(૨૨૩) આમ પરમકૃપાળુદેવના જ શબ્દોમાં મુખ્યપણે તે વાક્યને પરમાર્થ સમજાય તેવું વિવિધ સ્થળે કહેલું આપને વિચારવા લખ્યું છે તે ઉપરથી પરમકૃપાળુદેવ પ્રત્યે પ્રેમની વૃદ્ધિ થાય તેમ છે એમ જાણી લખ્યું છે. તેને પોતાની મતિ પ્રમાણે અર્થ કરી અન્ય વ્યક્તિ પ્રત્યે પ્રેમ ઢોળ વિઘકારી છે એ પણ ચેતવણરૂપ જણાવવાની જરૂર લાગવાથી જણાવ્યું છે. તે પરસ્પર વિચાર કરી બીજા દષ્ટિરાગ તજી એક પરમકૃપાળુદેવ પ્રત્યે અનન્ય ભક્તિભાવ જગાડ. ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજી પણ વારંવાર કહેતા : “અમે અમારે ચિત્રપટ પણ આપ બંધ કર્યો અને બધાને કહી દીધું કે અમારા વચન ઉપર વિશ્વાસ હોય તે કૃપાળુદેવને ચિત્રપટ Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ બેધામૃત રાખવે અને એની આજ્ઞા અમારા થકી મળી મંત્ર) તે ઉઠાવવી; તે ખોટો નીકળે તેનું જોખમ અમારે માથે છે.” એક સપુરુષ કે જ્ઞાનીને ભજતાં સર્વ અનંત જ્ઞાનીઓ ભજાય છે, અને એકની આશાતના થતાં અનંત જ્ઞાનીઓની આશાતના થાય છે. માટે કોઈ પ્રકારની શંકા રાખ્યા વિના જ્ઞાની પુરુષે જોખમ ખેડીને જે પુરુષ આપણને બતાવ્યા તેની ભક્તિમાં ચિત્ત રહેશે તે સર્વ પરમાત્માની ભક્તિ થઈ એમ ગણવા યોગ્ય છે. “ધર્મ કહે આત્મસ્વભાવ, એ સમતકી ટેક.” પરમધર્મ એ પરમાત્મપદપ્રાપ્તિ છે, તેનું કારણ પુરુષમાં જ પરમેશ્વરબુદ્ધિ-શ્રદ્ધા થવી તે છેજી; સર્વ દેને નાશ કરવાને તે જ ઉપાય છે. મેહની મીઠાશ ઓળખી તેને તજવા બળ કરનાર મુમુક્ષુદશા પામે છે. તે મુમુક્ષતારૂપ નેત્રો વિના સપુરુષમાં જ પરમેશ્વરબુદ્ધિ થવી કે દેખાવી વિકટ છે”. માટે મેહને શત્રુ સમજી તેના પાશમાં નહીં ફસાતાં ચેતીને ચાલનાર તે દશા (મેહદશા) તજી મેક્ષમાર્ગ (મુક્તદશા) સદૂગુરુકૃપાએ સમજી આરાધી શકે છે. શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૨૫૬ અગાસ, તા. ૨૧-૩-૪૧ તત ઝું ત્ ફાગણ વદ ૯, શુક્ર, ૧૯૯૭ ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ તેમના પૌત્ર ઉપર એક પત્ર સ્વમુખે લખાવેલ છે તે આપ સર્વને આખી જિંદગી સુધી ઉપયોગી થાય તેવું લાગવાથી તેની નકલ માત્ર આ વખતે ઉતારી એકલું છું. થાય તે મુખપાઠ કરી હૃદયમાં કતરી રાખી પ્રસંગે પ્રસંગે યાદ રાખી વર્તન સર્વ જીવો પ્રત્યે તેમાં કહ્યું છે તેમ રાખવા ખાસ ભલામણ છે. જીવન સુખસંપભર્યું બનાવે તેવું તેમાં અલૌકિક સામર્થ્ય છેજી. [વટામણને પત્ર - જુઓ ઉપદેશામૃતઃ પૃષ્ઠ ૫ (પત્રાવલિ ૧-૧૫૦)] ૨૫૭ અગાસ, તા. ૨૫-૩-૪૧ તત્ ૐ સત ફાગણ વદ ૧૩, ૧૯૯૭ પૂ. શેઠજી જેસંગભાઈને પ. પૂ. પ્રભુશ્રીજીએ લખાવી મેકલેલ પત્ર તેમને માંદગીમાં ઘણે ઉપયેગી નીવડ્યો છે તેની નકલ આપને વિચારવા આ સાથે મોકલી છે “મારા આત્મસ્વરૂપ, તમે મારી પ્રકૃતિના સંબંધમાં શા માટે પૂછે છે? શું તમને ખબર નથી કે મારે આત્મા તે આનંદની ખાણ અને સત્ય છે અને શરીર તે બિચારું હંમેશાં બદલાતું જ રહે છે, અને પ્રતિક્ષણ મૃત્યુની સમીપમાં જ જાય છે, તેમ જ કોઈ દિવસ સુખી પણ રહેતું નથી. આત્માના સંબંધમાં તે તમારું પૂછવું વ્યર્થ છે, કારણ કે એ તે નિત્ય આનંદઘન છે, અને એવી જ રીતે શરીરના સંબંધમાં પણ તમારું પૂછવું એગ્ય નથી, કારણ કે એ તે સદાય મહા દુઃખી જ છે. તે પછી કેની પ્રકૃતિ કે દશા પૂછે છો? નથી સ્તુતિ અગત્યની કે નથી નિંદા, નથી મિત્ર કે નથી શત્રુઓ, નથી પ્રેમીઓ કે નથી ધિક્કારપાત્રો, નથી શરીર કે નથી શરીરના સંબંધીઓ, નથી ગૃહ કે નથી અપરિચિતભૂમિ. આ જગતનું કશુંયે અગત્યનું નથી. પરમાત્મા જ છે, પરમાત્મા સત્ય છે. બધું ચાલ્યું જવા દે. અંતઃકરણ શાંતિથી ભરપૂર છે. સંસારને કોઈ પણ પદાર્થ વિશ્વાસપાત્ર કે આશ્રય કરવા લાયક નથી. Page #286 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૨૬૩ પરમેશ્વરની અત્યંત કૃપા તે એ લોકો ઉપર છે કે જેઓ પિતાને આશ્રય અને વિશ્વાસ કેવલ પરમાત્મામાં જ રાખે છે. હૃદયથી સાચા સાધુ એ જ છે. એવા મહાપુરુષના ચરણોમાં સમસ્ત સૃષ્ટિ સેવા આપે છે. સત્સંગ, ઉત્તમ ગ્રંથ અને ભજનકીર્તનરૂપ ઉપાસના એ ત્રણ વસ્તુઓ ત્રિલોકના રાજા બનાવી દે છે.” ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૨૫૮ અગાસ, તા. ૨૬-૩-૪૧ ફાગણ વદ ૧૪, બુધ, ૧૯૯૭ “ગુરુ ગણધર ગુણધર અધિક, પ્રચુર પરંપર ઔર; વ્રત, તપધર તનું નગનધર, વંદો વૃષ-શિરમોર.” –સ્વામી કાર્તિક અર્થ –ગુણ ધારણ કરનાર ગણધર ગુરુ અને પ્રચુર = છૂટક છૂટક) કોઈ કોઈ પરંપરાએ (ઘણુ) થઈ ગયેલા વ્રત, તપ અને નગ્ન શરીરધારી ધર્મ શિરોમણિ (શિરમોર =માથાના મુગટ) મહાત્માઓને હું નમસ્કાર કરું છું. (વૃષ = ધર્મ) પરમકૃપાળુદેવનાં વચને સત્સંગતુલ્ય જાણું ઉપાસતા રહેવાની જરૂર છે. કોઈ વખતે ન સમજાય અને વારંવાર વિચારવા છતાં ઉકેલ ન આવે તેને ખુલાસો પૂછે તેમાં હરકત નથી; પણ માસમાં અમુક વખત પત્રની આશા રાખે છે તે પ્રતિબંધ ગણાય છેજી. ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ કહેલું – “કઈ પણ વસ્તુને આગ્રહ કરવા યોગ્ય નથી. દષ્ટિરાગને લીધે અમેય કૃપાળુદેવને કહેલું કે ચિત્રપટ નહીં તે કાગળ ઉપર આમ હાથ-પગના જેવું કરીને આપશે તે પણ મારે ચાલશે. કંઈક ભક્તિનું સાધન અને આજ્ઞા મને મળે એટલે બસ. આગ્રહ કરવાથી પ્રતિબંધ થાય છે. આ વસ્તુ ગમે તેમ થાય તે પણ મને મળવી જોઈએ એવું કહે ત્યાં પ્રતિબંધ પડે છે, તેવી વસ્તુ અમને કૃપાળુદેવ ન આપતા.” પ્રતિબંધથી બચવા અને વિચારવા આ લખી મોકલ્યું છે તે લક્ષમાં લેવા ગ્ય છે. બીજું આપે પુછાવેલા પવને અર્થ નીચે પ્રમાણે વિચારશે – આશ્ચર્ય સર્વ ધરતા પ્રભુ ઉંર આવે, સંપૂર્ણ આત્મગુણ દાતણ જગાવે; આત્માર્થી સર્વ હિન છે, નથ માગવું તે, શ્રી ધરૂપ બનવા પ્રભુ જીવવું છે. આ પધ પ્રજ્ઞાવબોધ પાઠ ૯૮ “જિનભાવના'માંથી છે, તેમાં પરમાત્માને પ્રાર્થનારૂપ આત્મવિકાસની ભાવના પ્રદર્શિત કરી છે. પરમાત્મસ્વરૂપ સર્વે ચમત્કારોથી ભરપૂર છે. પૂર્ણ આત્મસ્વરૂપ જ્યાં વર્તે છે, ત્યાં જે સર્વ મહત પ્રભાવજેગ વર્તતા ન હોય તે પછી તે બીજે કયે સ્થળે વર્તે ? તે વિચારવા લાગ્યા છે....આત્મસ્વરૂપનું પૂર્ણ પ્રાપ્તપણું તે ઘટે છે, મહત પ્રભાવગનું પ્રાણપણું ઘટતું નથી, તે તે કહેવું એક વિસંવાદ સિવાય બીજું કંઈ નથી; કારણ કે તે કહેનાર શુદ્ધ આત્મસ્વરૂપના મહ૫ણુથી અત્યંત હીન એવા પ્રભાવગને મહત જાણે છે, અંગીકાર કરે છે, અને તે એમ સૂચવે છે કે તે વક્તા આત્મસ્વરૂપને જાણનાર નથી. તે આત્મસ્વરૂપથી મહતું એવું કંઈ નથી. એ આ સૃષ્ટિને વિષે કોઈ પ્રભાવ જોગ ઉત્પન્ન થયો નથી, છે નહીં, અને થવાનું નથી કે જે પ્રભાવજેગ પૂર્ણ આત્મસ્વરૂપને પણ પ્રાપ્ત ન હોય; તથાપિ તે પ્રભાવગને વિષે વર્તવામાં આત્મસ્વરૂપને કંઈ કર્તવ્ય નથી, એમ Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ બધામૃત તે છે, અને જે તેને તે પ્રભાવગને વિષે કંઈ કર્તવ્ય ભાસે છે તે તે પુરુષ આત્મસ્વરૂપના અત્યંત અજ્ઞાનને વિષે વર્તે છે, એમ જાણીએ છીએ. કહેવાને હેત એમ છે કે સર્વ પ્રકારના પ્રભાવગ આત્મારૂપ મહાભાગ્ય એવા તીર્થકરને વિષે ઘટે છે.” (૪૧૧) ચિચમત્કારથી પૂર્ણ પ્રભુ હદયમાં આવે, પ્રગટ થાઓ ! તે પૂર્ણપદની ઉપાસનાથી ઉપાસકના ગુણે પ્રગટી પૂર્ણતાને પામે છે. ઉપર ઉતારામાં જણાવેલ પુદ્ગલ ચમત્કારે ગુપ્ત આત્મ-ચમત્કારથી હીન છે, તેની હે પ્રભુ! મારી માગણી નથી. મારે તે કેવળજ્ઞાનસ્વરૂપ બનવું છે, તે અર્થે જ જીવવું છે. એ અર્થની એ ભાવનાની કડી છે. “જે સર્વજ્ઞ વિતરાગને વિષે અનંત સિદ્ધિઓ પ્રગટી હતી તે વીતરાગે પણ આ દેહને અનિત્યભાવી દીઠે છે, તે પછી બીજા જીવો કયા પ્રયોગે દેહને નિત્ય કરી શકશે ?” (પ૬૮) એ વિચારશોજી. ૩% શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૨૫૯ અગાસ, તા. ૫-૪-૪૧ તત સત્ ચિત્ર સુદ ૮, ૧૯૯૭ પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન; પાત્ર થવા સેવે સદા, બ્રહ્મચર્ય અતિમાન.” “વર્તમાનકાળમાં ક્ષયરોગ વિશેષ વૃદ્ધિ પામે છે, અને પામતે જાય છે. એનું મુખ્ય કારણું બ્રહ્મચર્યની ખામી, આળસ અને વિષયાદિની આસક્તિ છે. ક્ષયરોગને મુખ્ય ઉપાય બ્રહ્મચર્યસેવન, શુદ્ધ સાત્વિક આહાર-પાન અને નિયમિત વર્તન છે.” (૯૫૬–૨૧) વિ. આપને પત્ર પ્રાપ્ત થયેલ છે. આપના પિતાશ્રી પણ આવ્યા હતા. તેમણે જણાવેલું કે એની ઈચ્છા છે અને તેથી જ એણે અમને અહીં મોકલ્યા છે એટલે મારે તેમને કંઈ કહેવા જેવું રહ્યું નહીં. વળી તે કહેતા કે વ્રત લીધું હોય તે હું પણ ના કહું. મેં ધારેલું કે તમારા કોઈ વર્તન ઉપરથી તેમને તાત્કાલિક આમ વિચાર કરવાની ફરજ પડી હશે એટલે વિશેષ મેં પૂછયું નથી. સામાન્ય શિખામણના બે બેલ કહ્યા. તમારા પત્ર ઉપરથી જણાય છે કે તમને આ વાત પસંદ નથી પણ વખતે તેમની ઈચ્છાને માન આપવા તૈયાર થાઓ એવા ઢીલા ભાવ તે જણાય છે. આખી જિંદગી સુધી વ્રત પાળી શકશે કે નહીં તે તમારે પિતાને વિચાર કરવાનું છે. પરણીને સુખી થશે કે ઉપાધિ વધશે અને મેહ વધશે કે કેમ તે પણ વિચારવાનું જરૂરનું છે. ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીને આપને માટે કે અભિપ્રાય હતે અને તેમને શું પસંદ હતું તે પણ તમે જાણે છે. તમારી હાલ એટલી નાની ઉંમર નથી કે તમે વિચાર કર્યા વિના બીજાના અભિપ્રાયમાં તણએ. તમને ડોસા અફીણનું બંધારણ કરવા સલાહ આપે, આગ્રહ કરે તે અફીણનું વ્યસન ગળે પડવા દો ? જે તે ન પડવા દો તે તેથી વિશેષ ભયંકર જન્મમરણની વૃદ્ધિનું કારણ તમારી પાસે પરાણે કરાવે તે તમારે કેમ કરવું તે તમારા અન્તરાત્માને પૂછશો. એમને તે તમને સુખી કરવા છે, એમની દષ્ટિ પ્રમાણે સુખમાં નાખવા છે, તમારી દષ્ટિ તેવા સુખને માન્ય રાખે છે કે દુઃખ દેખે છે તે વિવેકદ્રષ્ટિએ વિચારશોજી. સ્વ. મોતીભાઈ નરસિંહભાઈ વસેના અમીનનું અપ્રસિદ્ધ જીવનવૃત્તાંત હાલ વાંચું છું. તેમાં તેમને એક પત્ની છતાં પુત્ર નહીં હોવાથી તેમના કાકા એ પિતાની જગ્યાએ હતા તે કોઈની Page #288 -------------------------------------------------------------------------- ________________ પગસુધા ૨૬૫ મારફત કહેવડાવે છે કે તમારે કાકાની ઈચછાને માન આપી લગ્ન કરવું પડશે. તેમણે જવાબ દીધું કે તે (કાકા) જે લગ્ન કરે તે પોતે લગ્ન કરવા તૈયાર છે, પણ તે ના પડે તે મારી ના ચેખી માની લેવી. તે સાંભળી તેમના હૃદયની મક્કમતા જાણી કાકાએ કહ્યું કે તેનું નામ હવે લેશે નહીં, એ તે માને એવું લાગતું નથી. આમ સાચા દિલથી ખોટું લાગતું હોય તે ખખડાવીને એક વખત કહ્યું હોય તે ફરી કેઈ ન પૂછે, પણ બહાનાં કાઢે તેનું કઈ ન માને. જાણે કે એને મરવું અને પરણવું સરખું લાગે છે તે કોઈ એને ફરી કહેવા ન આવે, પણ મનમાં મીઠાશ હોય તે સામે માણસ ડોસીના બચકાની પેઠે મનેમન સાક્ષી છે તે જાણી જાય છે. તમે સાથે આવ્યા હોત તે ડોસાને કંઈક કહી શક્ત કે એની મરજી ન હોય તે આગ્રહ કરવા યોગ્ય નથી. પણ તમે ત્યાં અને હું અહીં તેથી કંઈ સલાહ આપી શકાય નહીં. તમને અહીં મળી જવા પણ સંદેશ મોકલ્યું હતું પણ વખતે તમને મળ્યો ન હોય. સત્સંગને લાંબા વખતનો અભાવ તે સત્સંગે થયેલા ભાવને મંદ કરે છે કે મૂળથી ઉખેડી પણ નાખે છે. માટે તેવા સહવાસથી દૂર થઈ સત્સંગનું સેવન થાય તે જીવ કઈ રીતે પુરુષાર્થગ્ય બને અને વિવેકદષ્ટિથી આવી પડેલા પ્રસંગને યથાર્થ ઉકેલ લાવી શકે. કાગળથી કંઈ બને તેવું લાગતું નથી, એટલે સહજ ઉપર ઉપરથી કંઈક અનુમાન થાય તેવું પત્રમાં જણાવી આ પત્ર પૂરે કરું છું. ઘણે વિચાર કરી સત્પરુષના અભિપ્રાયે વર્તવાને દઢ નિર્ણય કરી તેને વળગી રહેવા યોગ્ય છે. છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૨૬ અગાસ, તા. ૭-૪-૪૧ ચૈત્ર સુદ ૧૦, ૧૯૯૭ વર્તમાન આ કાળમાં, મોક્ષમાર્ગ બહુ લેપ; વિચારવા આત્માર્થીને, ભાખે અન્ન અગો....” શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર લખવું કેમ પડ્યું? તે આ ગાથામાં જણાવ્યું છે. આ દુષમ કળિકાળનું સ્વરૂપ જ્ઞાની જ સમજે છે. તેમને પણ પરાણે તરવા દે તે આ કાળ છે. તેમાં મોક્ષમાર્ગ બહુ લેપ થઈ ગયો છે, અજ્ઞાની છએ આવરી નાખે છે, લોકોને અવળે માર્ગે ચઢાવી દીધા છે. કલ્યાણ કરવાની ઈચ્છાવાળા સંસ્કારી જીવોને પણ અનેક વિધ્રો નાખી, માયામાં તાણી જવા માટે સર્વ સામગ્રી આ કળિકાલે એકઠી કરી રાખી છે. તેમાં નથી મૂંઝાયા એવા તે કઈક સપુરુષ કે તેને આશ્રિતે જ છે. જેમ શ્રી નેમિનાથ ભગવાને પશુઓ મારવા માટે વાડામાં પૂરેલાં જોઈ દયા આવવાથી છેડી મુકાવ્યાં હતાં, તેથી વિશેષ કરુણ આ કાળનું સ્વરૂપ જઈ પરમકૃપાળુદેવના હૃદયમાં કુરી છે. કઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કય; માને મારગ મેક્ષને, કરુણ ઊપજે જોઈ.” આમ તેમનું હદય રડી ઊડ્યું. તેના ફળરૂપ શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રમાં સ્પષ્ટ માર્ગ – જે લેપ થઈ ગયે હતું તે – પ્રગટ કર્યો છે. પુરુષના પરમ ઉપકારને વિચાર જીવે કર્યો નથી, કારણ કે તેટલા વૈરાગ્ય-ઉપશમ વગર તેને ઉપકાર સમજાતું નથી. પાણીમાં બેભાન Page #289 -------------------------------------------------------------------------- ________________ २१९ બધામૃત તણાતે માણસ હોય તેને પાણીના વેગનું જોખમ ખેડી કંઈ જીવના જોખમે બહાર ખેંચી લાવે અને સારવાર કરી તેને જાગ્રત થવાના, ભાનમાં આવવાના પ્રયત્ન કરે ત્યારે તે જાગે પણ જ્યાં સુધી તે તારનારને ઓળખે નહીં ત્યાં સુધી શું ઉપકાર માને? સદ્દગુરુના ઉપદેશવણ, સમજાય ન જિનરૂપ; સમજ્યાવણ ઉપકાર ? સમયે જિનસ્વરૂપ.” તેથી ભાનમાં આવે અને બીજા કહે કે તું નદીમાં તણાતું હતું અને તારનાર પણ તણાઈ જાય તેવા નદીના વેગમાંથી તને પરાણે આ પુરુષે બચાવ્યો છે, ત્યારે તેને સમજાય છે કે અહો ! એ પુરુષની દયાથી હું તે બ, નહીં તે મારી શી વલે થાત? દરિયામાં તણુઈ જાત ત્યાં મારી ખબર લેનાર કોણ હતું? એમ સપુરુષના ઉપકારની સ્મૃતિ જેમ જેમ જીવને આવે છે તેમ તેમ તે મહાપુરુષના હૃદયમાં રહેલી આત્માની અલૌકિકતા, પિતાના સ્વરૂપનું માહાભ્ય પણ તે જાણ થાય છે. “તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે, એવા સર્વ સત્પરુષ, તેને ચરણારવિંદ સદાય હૃદયને વિષે સ્થાપન રહે.” (૪૩) શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા વાંચી હોય તે પણ ફરી વાંચવા ભલામણ છે. તે મહાપુરુષે આ કળિકાળના મુખમાં પેઠેલા આપણા જેવા જીવોને બચાવવા જે અથાગ પુરુષાર્થ અલ્પવયમાં કરે છે તેનું દિગ્દર્શન તેમાં યથાશક્તિ થયેલું છે. કંઈ ગભરાવા જેવું નથી. પથ્થર તળે હાથ આવે છે, કળે કળે કરી કાઢી લેવા યોગ્ય છે. ઉતાવળ કરતાં આંગળીઓ તૂટી જાય તેવું કર્તવ્ય નથી અને ત્યાં ને ત્યાં હાથ દબાયેલે રહે તેમ પણ રાખી મૂકવા યોગ્ય નથી. પુરુષાર્થ કર્તવ્ય છે. ૨૬૧ અગાસ, તા. ૧૨-૪-૪૧ આપને પત્ર મળે. તમારી વિચારણા તથા પ્રશ્ન ઉપરથી જિજ્ઞાસા તમે જાગ્રત રાખી છે એમ જણાય છે. એ કેમ સમજી આરાધના કરવા ઇરછનાર અને આરાધનાર તથા આરાધનારૂપ થયેલા સર્વ વંદનને ગ્ય છેજ. તમને લખેલે પત્ર ફરી ફરી વિચારશે તથા શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃતમાંથી ભક્તિ વિષેના પત્રો વાંચતા રહેવા ભલામણ છેજ. પરાભક્તિ એ ગહન વિષય છે. અત્યારે આપણે સત્પષે આપેલા સાધનને તે પરમ પુરુષ ઉપર પ્રેમ વધે તેમ વારંવાર આરાધી કષાય મંદ થાય અને પ્રમાદ ઘટે તેમ વર્તવા ગ્ય જી. પરમકૃપાળુદેવ પ્રત્યે અખંડ ભક્તિ રહે તેમ પ્રવર્તવા ૫. ઉ. ૫ પૂ. પ્રભુશ્રીનાં પ્રેરણાભર્યા વચને તમને પણ સ્મૃતિમાં હશે. એટલે આ જ્ઞાની કે આ જ્ઞાની એ નિર્ણય આપણી મતિકલ્પનાએ કરવામાં કંઈ માલ નથી. પ. પૂ. પ્રભુશ્રીજીએ છાતી ઠોકીને આપણને કહ્યું છે કે પરમકૃપાળુ દેવની ભક્તિથી કલ્યાણ ન થાય તે અમે જામીન બનીએ છીએ. આવી જવાબદારી લેનાર આપણને મળ્યા છે એ આપણું મહાભાગ્ય છે. હવે તે એક ઉપર દષ્ટિ રાખી આપણુ દોષે દૂર કરી તેની ભક્તિમાં લીન થવા પ્રયત્નવાન થવું. જુએ પત્રસુધા પત્ર નં. ૨૫૫ Page #290 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા “ભક્તિમાર્ગ પ્રવેશ નહિ, નહીં ભજન દેઢ ભાન; સમજ નહીં નિજ ધર્માંની, નહિ શુભ દેશે સ્થાન. , અત્યારે તે આવી સ્થિતિ છે, તે પલટાવી ‘પ્રભુ પ્રભુ લય' લગાડવાની છેજી. પરાભક્તિ કે આત્મા પરમાત્માની એકતા જેવા ગહન વિષયેા તે ચેાગ્યતા આવ્યે તેમાં ચંચુપ્રવેશ થાય તેમ છે. શબ્દો તે માત્ર બુદ્ધિ સ'તેાષવા પૂરતા છે. કંઈક પ્રેમની જાગૃતિની જરૂર છે. પરાભક્તિના નિમિત્તે પરમાત્મા પ્રાપ્ત થાય છે કે પરમાત્મા પ્રાપ્ત થવાથી પરાભક્તિ ઊગે છે ?'’ આમ આપને પ્રશ્ન છે. તેનું સમાધાન આ પ્રમાણે વિચારશેાજી :— ‘પરાભક્તિ નિમિત્તે પરમાત્મા પ્રાપ્ત થાય છે,' એ એક અપેક્ષાએ યથાર્થ છે. ત્યાં પરાભક્તિ એટલે ‘સત્પુરુષની અભેદભાવે ભક્તિ’ ‘તેથી અહુ ભાવ ભુલાઈ જતાં સત્પુરુષના સ્વરૂપમાં તન્મયતા, એકાગ્રતા, કૃતકૃત્યતા અનુભવાતાં પોતાના પરમાત્મસ્વરૂપનું ભાન અનન્યપણે થાય છેજી. ક્ષમાપનાના પાઠમાં રાજ ખેાલીએ છીએ —જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડા ઊતરું છું તેમ તેમ તમારા તત્ત્વના ચમત્કારે મારા સ્વરૂપને પ્રક્રાશ કરે છે. તમે નીરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી, અનત જ્ઞાની, અનંતદર્શી અને ત્રૈલેાકયપ્રકાશક છે.” આ પ્રથમ વાકયમાં પરાભક્તિના સાધનથી અહંભાવ ટળતાં અંતરાત્મા બની જીવ પેાતાનું સ’પૂર્ણ સ્વરૂપ જે પરમાત્મપદ તે પ્રાપ્ત કરે છે એમ સમજવા ચેાગ્ય છે. ૨૬૭ હવે બીજું વાકય વિચારીએ : પરમાત્મા પ્રાપ્ત થવાથી પરાભક્તિ ઊગે છે તે પણ યથાર્થ છે. અહીં પરમાત્મા એટલે પોતાનું સપૂર્ણ સ્વરૂપ ઉપરના વાક્યમાં ફળરૂપે પ્રગટ થાય છે એમ કહ્યું હતું તેને બદલે જે સત્પુરુષે પરમાત્મપદ પ્રાપ્ત કર્યું છે, કૃતકૃત્ય થયા છે તેવા દેહધારી પરમાત્માના ચેાગ પ્રાપ્ત થયે પરાભક્તિ ઊગે છે એમ સમજવું; એટલે અન્ને વાકયોમાં વિરોધ નહીં પણ એક જ ભાવ છે એમ સમજાશે, એટલે પ્રશ્ન કરવા જેવું જ નહીં રહે. બન્ને વાકચોના પરમાર્થ એ છે કે પ્રગટ પુરુષાત્તમ પરમાત્માની ભક્તિથી પેાતાના આત્માનું પોષણ થવારૂપ ભક્તિ પ્રગટ થઈ તે પરાભક્તિરૂપ પરમપદ પ્રગટાવી શકે છેજી. સ્વ. શ્રી રત્નરાજસ્વામીએ ‘દિલમાં કીજે દીવા' એ પદ્ય મંગળદીવારૂપે લખ્યું છે તે ચેવીશી કે આલેાચનામાંથી વાંચી તેમાં બતાવેલા ક્રમ વિચારવા ચેાગ્ય છેજી. કર્મ માહનીય ભેદ છે, દન ચારિત્ર નામ; હણે બાધ વીતરાગતા, અચૂક ઉપાય આમ.” શ્રી આત્મસિદ્ધિજીની આ ગાથા પણ વિશેષ વિચારવા યેાગ્ય છેજી. તેમાં આખું મેહનીય કર્મ ક્ષય કરી પરમાત્મપદ પ્રાપ્ત કરવાના અચૂક ઉપાય બતાવ્યા છે તેના વિચાર કરી વન કરવાનું કામ હવે આપણું છેજી. “કર વિચાર તે પામ” એમ પણ છેવટે કહી દીધું છે તે હવે કયારે તે વિચાર કરીશું? જેમ જેમ વૈરાગ્ય ઉપશમની વૃદ્ધિ થશે તેમ તેમ દૃષ્ટિષ દૂર થતાં જ્ઞાનીનાં અમૃતતુલ્ય વચને યથાર્થ અતર ખેાલી પેાતાના પરમાર્થ દર્શાવશેજી. “પર પ્રેમ પ્રવાહ અઢે પ્રભુસે, સખ આગમ ભેદ સુઉર ખસે; વહુ કેવલકો ખીજ જ્ઞાની કહે, નિજક અનુભવ ખતલાય ક્રિયે.’’ Page #291 -------------------------------------------------------------------------- ________________ ર૬૮ બધામૃત આપને વિચારવા નીચે એક પદ લખ્યું છે તે સમજાય તેટલું વિચારી સવળો અર્થ લેવા ભલામણ છે. (જુઓ પ્રજ્ઞાવલ - પુષ્પ ૯૩ “રસાસ્વાદ) પરમકૃપાળુદેવ પ્રત્યે અનન્ય ભક્તિભાવ રાખવાનું અંતે ફરી સૂચવી તથા બને તે “જીવનકળા વાંચી હોય તે પણ ફરી વાંચવા જણાવી પત્ર પૂરે કરું છુંછ. પૂ. શેઠજી જેસંગભાઈ ઉજમશીની તબિયત પણ ઘણી નરમ રહે છે પણ તેમનું મનોબળ મંદતા પામ્યું નથી તે આપણું જુવાનેને શિખામણ લેવારૂપ દષ્ટાંત વર્તમાનમાં છે. વૃદ્ધાવસ્થા, વેદના, અશક્તિ છતાં ધર્મકર્તવ્યમાં પરાયણ રહે છે જી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૨૬ર અગાસ, તા. ૧૩–૪-૪૧ ચૈત્ર વદ ૨, રવિ, ૧૯૯૭ કેણ ઉતારે પાર, પ્રભુ વિના કણ ઉતારે પાર? ભદધિ અગમ અપાર, પ્રભુ વિના કણ ઉતારે પાર?” વિ. આપના મોટા ભાઈએ આપની કલ્યાણ અર્થેની ભાવના દર્શાવેલી અને આપને તે ભક્તિ કરે છે તે માર્ગ સંમત છે એટલે ટૂંકામાં જણાવવાનું કે કલ્યાણ સપુરુષની આજ્ઞામાં રહેલું છે, ભાવપૂર્વક તે આજ્ઞા ઉઠાવનાર અવશ્ય મોક્ષગામી થાય છે. તમને તેવા ભાવ હોવાથી જે આજ્ઞાની ઊણપ છે તે સદ્દગુરુકૃપાએ પૂર્ણ થાય તે અર્થે આ પત્ર લખ્યો છેજી. ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજી ધામણ પધાર્યા ત્યારે તમને તેમનાં દર્શન થયેલાં એમ તમારા ભાઈ જણાવે છે. તે આત્મજ્ઞાની મહાત્માએ પિતાના અંતકાળ પ્રસંગે જણાવેલું કે કોઈ મુમુક્ષુ તરવાને કામી મોક્ષનું સાધન પૂછે તે “તત્ત્વજ્ઞાન”માંથી ત્રણ પાઠ મુખપાઠ કરી રોજ તેનું વિચારપૂર્વક આરાધના કરવાનું જણાવવું એમ કહેલું. તે જ્ઞાની પુરુષની આજ્ઞાથી હવે હું “હે પ્રભુ! હે પ્રભુ! શું કહું”, “યમનિયમ સંયમ આપ કિયા” અને “હે ભગવાન! હું બહુ ભૂલી ગયો” આ ત્રણ પાઠ નિત્યનિયમ તરીકે જીવતા સુધી કરીશ એમ પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ નમસ્કાર કરી આજ્ઞા માગી તે સ્વીકારી નિત્ય ગમે ત્યાં ગમે તેવી અવસ્થામાં પણ એક વખત તે જરૂર ભણવા વિનંતી છે. તેની સાથે સાત વ્યસનને તેમ જ સાત અભક્ષ્યના ત્યાગની વાત કરવા પણ જણાવેલું છે તે નીચે પ્રમાણે છે તેમાંથી જેટલાને જિંદગી સુધી ત્યાગ અચૂક પળે તેમ હોય તેટલાને ત્યાગ કરવાને નિયમ ચિત્રપટ આગળ નમસ્કાર કરી લઈ લેવા ભલામણ છે”. સાત વ્યસન-(૧) જુગાર મેળામાં લેટરી, આંકફરક, રેસ વગેરેમાં શરત ન લગાવવી.) (૨) દારૂ (૩) માંસ (૪) ચેરી (૫) વેશ્યાગમન (૬) શિકાર (રાજાઓ રમે તે અથવા સાપ, વીંછી, જૂ, માંકણ, ચાંચડ, મરછર વગેરેને જાણી જોઈને મારવારૂપ) (૭) પરસ્ત્રીગમન. સાત અભક્ષ્ય ચીજો – (૧) વડના ટેટા (૨) પીપળના ટેટા (૩) પીપળાના ટેટા (૪) ઉમરડા (૫) અંજીર (૬) મધ અને (૭) માખણ. આટલી બાબતને વિચાર કરી કોઈ વખતે દવાને કારણે કોઈ વસ્તુ વાપરવાની જરૂર લાગતી હોય તે તેને વિચાર કરી દવા સિવાય Page #292 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૨૬૯ સ્વાદ આદિ કારણે ન વાપરવાની ટેક રાખવી હોય તે તે પ્રકારે ભાવના કરી, નમસ્કાર કરી ચિત્રપટ સમક્ષ નિયમ લઈ લેવા વિનંતી છે. કેટલાને કેવી રીતે ત્યાગ કર્યો છે તે પત્ર લખે ત્યારે જણાવશે. આ ઉપરાંત આત્મસિદ્ધિશાસ્ત્ર આદિ મુખપાઠ કર્યું હોય તે તે પણ ભક્તિના વખતે બલવાનું રાખશે. તમારે માટે “તત્ત્વજ્ઞાન” તમારા મોટા ભાઈ એ લીધું છે તે કોઈ સાથે મોકલાવશે. તેને કાળજીથી સાચવી તેમાં કહેલાં વચનને હૃદયમાં ઉતારવા પુરુષાર્થ કરતા રહેશે તે કલ્યાણનું કારણ છે. પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુનું જીવનચરિત્ર જીવનકળા” વાંચવા ભલામણ છે. તે મહાપુરુષ મારા આત્માને ઉદ્ધાર કરનાર છે એમ માની તેમની ભક્તિથી ભવસાગર તરી જવાય તેમ છેજ. વિશેષમાં જણાવવાનું કે “તત્ત્વજ્ઞાન વગેરે વાંચતાં કંઈ શંકા થાય તે પોતે તેને નિર્ણય કરી લેવા કરતાં મધ્યસ્થ રહીને કોઈ વિશેષ જાણનાર મળે ત્યારે પૂછી નિઃશંક થવાનો નિર્ણય કરે, પણ ઉતાવળ કરી “આ તે બરાબર નથી; આમ કેમ લખ્યું હશે” એવા કુવિકલપમાં નહીં પડતાં, “મારી મતિ અલ્પ છે, હજી મને સમજી શકવા જેટલી માહિતી મળી નથી, તે સત્સંગ થયું નથી તે મારો દોષ મને યથાર્થ સમજવા દેતું નથીપણ મહાપુરુષનાં વચન હંમેશાં સત્ય જ હોય, કલ્યાણકારી હોય તે મારે જરૂર માનવા જ છે એમ વિચારવું જી. અગાસ, તા. ૧૬-૪-૪૧ તત્ ૐ સત્ ચૈત્ર વદ ૫, બુધ, ૧૯૯૭ આપના બન્ને પત્રો મળ્યા છે. પ્રથમ પત્રમાં આપે જોયેલ સંતબાલકૃત ટીકાવાળે અપૂર્વ અવસર છપાયેલે હજી દીઠો નથી, પણ લખાયેલો એક મિત્રે છપાયા પહેલાં જોઈ જવા મોકલ્યો હતે તે જોયેલ છે. પુરુષના આશ્રિતને એમાં કંઈ નવું જાણી મેક્ષમાર્ગમાં કામ આવે તેવું જણાયું નથી. કોઈને દોષ તરફ વૃત્તિ જતી રોકવી હિતકારક છેછે. બીજા પત્રમાં આપની ભાવના શહેરના કલુષિત (મલિન) વાતાવરણથી દૂર રહેવાની તથા સ્મરણમાં રહેવાની જણાવી છે તે જાણું સંતેષ થયે છેજી. બીજું સમાધિમરણની ભાવના રાખે છે તે સંબંધમાં જણવવાનું કે આપ અગમચેતી તરીકે અરજ કરે છે તે હિતકારક છે અને સ્વપરહિત થતું હોય તે તેમ વર્તવા તે ભાવના છે પણ તે બહુ અક્કસ ગણાય, કારણ કે અંતર (સ્થળનું) ઘણું રહ્યું. દષ્ટાંત બનેલું આપું છું— સ્વ. પૂ. માણેકજી શેઠ (કરછના ઉમદા સત્સંગપ્રેમી બાહેશ ગૃહસ્થ હતા) ઇંદોર માંદા થયા, તેમણે એક મુમુક્ષુ તેમને મળવા આવે તેને પિતાની આખર સ્થિતિ જાણી રેકી લીધે અને ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીને તાર કર્યો કે મારા છેલા નમસ્કાર સ્વીકારવા કૃપા કરશોજી. ૫. ઉ. ૫. પૂ. પ્રભુશ્રીજીએ બધા ટ્રસ્ટીઓ જે હાજર હતા તેમને બેલાવી સલાહ લીધી કે શું કરવું? મને મોકલવાનું નક્કી થયું. પછી તેઓશ્રીએ મને પૂછ્યું કે આઠમને ઉપવાસ છે ને રસ્તામાં પારણુ વગેરેની અડચણ પડશે. મેં કહ્યું કે મને હરકત કંઈ નથી. વળી કહ્યું કે ન જવાય તે ચાલશે. પણ મને તે તેવી ભાવના હતી કે ગમે તે ભેગે પણ Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ બેધામૃત આજ્ઞા ઉઠાવવી, એટલે પિતે રજા આપી. અડધે રસ્તે ગોધરા જતાં તેમનાં બહેન મુંબઈથી આવતાં હતાં તેમના ઉપર તાર આવ્યો કે તેમને દેહ છૂટી ગયું છે. તે વખતે હું તે સ્તવનમાં સવારે બેઠે હતું. તેમણે મને પૂછ્યું કે તાર મળે? મેં કહ્યું કે હા (અગાસના તારને મને ખ્યાલ હતો. તેમણે આ નવા તાર સંબંધી પૂછ્યું હતું). પછી તે તેમને બંગલે ગયા ત્યારે ખબર પડી. આમ કાળને ભરોસે રાખવા લાયક નથી. ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ કહ્યું છે કે આશ્રમમાં જેને દેહ છૂટશે તેનું સમાધિમરણ થશે. આ આપને લક્ષ રહેવા જણાવ્યું છે. ભાવના છે તે જ રાખવા ગ્ય છે, પછી જે પ્રારબ્ધને ઉદય; પણ પુરુષાર્થધર્મને પ્રધાન રાખી વર્યા જવા વિનંતી છે. પુષ્પમાળાના પહેલા જ પુષ્પમાં “ભાવનિદ્રા ટાળવા પુરુષાર્થ કરવા ભલામણ કરી છે. દ્રવ્યનિદ્રા તે જ ઊંઘવું પડે છે તે અને ભાવનિદ્રા તે મેહ અથવા અજ્ઞાનદશા છે. “અનાદિ સ્વમદશાને લીધે ઉત્પન્ન થયેલે એ જીવને અહંભાવ, મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છપદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે, તે સવમદશાથી રહિત માત્ર પિતાનું સ્વરૂપ છે એમ જે જીવ પરિણામ કરે તે તે સહજમાત્રમાં જાગ્રત થઈ સમ્યકદર્શનને પ્રાપ્ત થાય.” (૪૯૩) મિથ્યાત્વ, સ્વપ્રદશા, અજાગ્રતદશા, બેભાન અવસ્થા, ભાવનિદ્રા આ બધા શબ્દો એક જ ભાવ દર્શાવનારા છે. શ્રી દેવચંદ્રજીકૃત વીશીમાં શ્રી સંભવનાથન સ્તવનમાં આવે છે “અવિસંવાદી નિમિત્ત છે રે, જગતજતુ સુખ કાજ.” અવિસંવાદી = અચૂક લાભ આપે તેવું, અવિરેધી. બે પ્રકારનાં નિમિત્ત હોય છે. એક તે જરૂર કારણથી કાર્ય નિપજાવે તેને અવિસંવાદી કહેવાય છે અને બીજું વિસંવાદી એટલે કાર્ય થવામાં કારણરૂપ પણ હોય અને કાર્યને નાશ કરવામાં પણ કારણરૂપ બને. જેમ કે ઘડો બનાવવા કુંભાર દંડ વડે ચાક ફેરવે છે ત્યાં દંડ એ ઘડો બનાવ વામાં કારણરૂપ થાય છે પણ તૈયાર થયેલા ઘડાને ફેડી નાખવામાં પણ દંડ કારણરૂપ થાય છે, તેથી તે અચૂક કાર્ય કરે જ એવું કારણ ન કહેવાય, કાર્ય બગાડી પણ નાખે માટે વિસંવાદી કારણ કહ્યું છે. અને જિન ભગવાન જીવનું અવશ્ય હિત કરવામાં નિમિત્તભૂત છે, તે કદી જીવનું અહિત કરતા નથી માટે તેમને અવિસંવાદી નિમિત્ત કહ્યા છે તે સહજ સમજી શકાય તેવું છે). એ જ વિનંતી. એ શાંતિઃ શાંતિઃ શાંતિઃ તા. ૧૮-૪-૪૧ વિચાર જીવને ઊગતું નથી, તેથી દુઃખને સુખ જાણી નેતરે છે અને દુઃખ આવી પડે છે ત્યારે કોઈને ગમતું નથી. વિચાર કરીને કે પુરુષ સમ્મત કર્યું છે તે સમ્મત કરીને જીવ આટલા ભવનાં થોડાં વર્ષો બાકી છે તે પુરુષની આજ્ઞા ઉઠાવવામાં ગાળે કે તે પુરુષાર્થ કરવાની ભાવનામાં ગાળે, તે પણ જીતી બાજી હારી ન જાય. પણ જે કુસંગે અનાદિકાળની વાસનાઓને વધારીને જીવ દેહ છોડી પરાધીન પણે એકલે અન્ય દેહ ધારવા ચાલી નીકળશે ત્યારે તેની શી વલે થશે? એનો ખ્યાલ અત્યારથી કરી લઈ કંઈક આત્માને આધારભૂત આશરો મળે તેવું આ ભવમાં બની શકે એમ છે. તે કાળ વ્યર્થ થથાં ખાંડવામાં વહ્યો ન જાય તેની કાળજી વિચારવાનો જીવ Page #294 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૨૭૧ રાખે છેજ. અનંતકાળથી ઇન્દ્રિયસુખની ગૂરણા કરી, પણ જન્મમરણ ટળ્યાં નહીં. હવે પુરુષના ગે તે કંઈક આંટા ઊકલે એ માર્ગ લે છે, એ નિર્ણય વિચારવાન જીવે જરૂર કર્તવ્ય છેજ. મનને અઘરું પડે તે પણ આંખો મીંચીને પણ પુરુષે જણાવેલા સસાધનમાં વિશેષ કાળજી રાખી કંઈક તેને અભ્યાસ પડી જાય, સહેલાઈથી તેમાં જ વૃત્તિ રહ્યા કરે એ ઉપાય કરી મૂક્યા વિના ભારે વેદની કે મરણ પ્રસંગે ટકી શકાય તેમ નથી. માટે સમાધિમરણની ભાવના રાખનાર દરેક મુમુક્ષુ જીવે સત્સાધનનું અવલંબન કર્મના ધક્કાથી છૂટી જાય કે ત્વરાથી તેનું અનુસંધાન કરી તેમાં જ ઘણે કાળ ગાળવા પ્રયત્ન કરતા રહેવાની જરૂર છે જી. વારંવાર મન ક્યાં ફરે છે તેની તપાસ રાખતા રહેવાની ટેવ પાડી મૂકવા ગ્ય છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૨૬૫ અગાસ, તા. ૧૮-૪-૪૧ તત ૩ સત્ ચૈત્ર વદ ૭, શુક, ૧૯૯૭ મનની ચિંતા મટી પ્રભુ ધ્યાવત, મુખ દેખતાં તુમ જિનની, ઈન્દી-તૃષા ગઈ જિનેશ્વર સેવતાં, ગુણ ગાતાં વચનનીહું તે પ્રભુ વારી છું તુમ મુખની.” (૨૦ ધર્મેશ્વર જિન) સંસારે સુખ જરય ન જાણે, દુઃખ ધરે સુખ વેશે રે, અલંકાર તનભાર ખરેખર ! ગાયન રુદન વિશેષે રે. પરોપકાર કારક પરમાત્મા પ્રગટ્યા જગ ઉદ્ધરવા રે; દેહ-ઘસારો કામ વિકારે, જન્મમરણના હેતુ રે, ગર્ભવાસ ટળે જે ભાવે, તે જ મેક્ષ સુખકેતુ* રે. પોપકાર (પ્રજ્ઞાવધ ૧૦૩) વિ. આપને પત્ર મળે. સમાચાર જાણ્યા. મનમાં ઉદ્વેગ રાખવા ગ્ય, મૂંઝાવા ગ્ય નથી. પરમકૃપાળુદેવે કહ્યું છેઃ “કઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા ગ્ય નથી.” (૪૬૦) એ ઉપદેશપૂર્ણ, સુખદાયક વાક્યને વિશ્વાસ સહિત વિચાર થાય તે જગતમાં કઈ વસ્તુ પ્રત્યે આસક્તિ ન રહે. ઉગ એ દુઃખનું કારણ છે, હૃદયની નિર્બળતા છે, મેહમહેલમાં પિસવાનું દ્વાર છે. મનને પૂછવું કે તું શું ઈચ્છે છે? સુખ કે દુઃખ? જે સુખને છે તે સુખને માર્ગ લે કે દુઃખને? ફિકર, ચિંતા, ઉદ્વેગ, કલેશ એ તે સ્પષ્ટ દુઃખ દેનારાં દેખાય છે, તે તે કાંટાવાળી જગ્યાથી ખસીને, જ્યાં દુઃખ પસી પણ ન શકે એવા સદ્દગુરુના સ્વરૂપને વિચાર કરીએ, તેણે આપણને સુખી કરવા જે સત્સાધન ભક્તિ આદિ આજ્ઞા કરી છે તે આરાધીએ તે વર્તમાનમાં પણ ક્લેશનાં કારણે વિસારે પડે અને પુણ્યબંધ થાય તે ભવિષ્યમાં પણ સુખનાં સાધન સાંપડે. આ લાભકારક સુખને માગે તજી કે દુખથી ભય સંસારને સંભારે? અથવા સંસાર ઊભે થાય તેવાં કર્મ કમાવા કેણું કલેશ + ત = નિશાની, ધજા Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ બધામૃત કે ક્લેશનાં કારણેને સેવે? બળતામાંથી બહાર નીકળી જવા માટે સદ્દવિચાર અને સદ્દવિચાર બતાવે તે સદાચાર છે. જે કંઈ કરવું પડે તે આત્માર્થે, છૂટવા માટે કરવાની ધારણા રાખી કરવા યોગ્ય છેજી. ગઈ તિથિ છે જેથી પણ ન વાંચે' એ કહેવત પ્રમાણે બની ગયેલા બનાવને સંભારી શેક કરવાનું વિચારવાન ન કરે. જે થઈ ગયું તે થઈ ગયું, તે અન્યથા થાય એમ નથી. હવે જેટલું જીવવાનું છે તેટલું જીવન ઉત્તમ રીતે કેમ ગાળી શકાય તેની વિચારણા કરી લેવા ગ્ય છે અને તેને માટે પણ બહુ ફિકર કરતા રહેવાની જરૂર નથી; કર્મના ઉદયને રોકવા કોઈ સમર્થ નથી, માત્ર તે વખતે સમભાવ રહે તે તે કર્મથી સદાને માટે છૂટી શકાય એટલે અવકાશ છે, લાગ છે, માટે તેવા સમભાવમાં રહેવાની ટેવ પાડવાને પુરુષાર્થ કર્તવ્ય છે, અને એ સમજણ સપુરુષના બેધને આધારે થયા વિના સમતા રાખવી હોય તે પણ રહે તેમ નથી. તેથી સત્પરુષનાં વચનનું બહુમાનપણું રાખી, હૈયાના હાર કરતાં વધારે કીમતી જાણ સન્દુરુષનાં વચન, તેની આજ્ઞાની ઉપાસના કરીશું તે તેની સમજણે આપણી સમજણ ઘડાશે અને તેનું માનેલું બધું મનાશે, તે રાગ-દ્વેષ, શક, ઉદ્વેગનું જોર નહીં ચાલે અને કરવું છે તે સહેલાઈથી થશે. માટે પ્રથમ જ્ઞાનીએ સંમત કરેલું આપણું હૃદય સંમત કરે, ખરેખરા અંતરના ભાવથી નિષ્કપટપણે સ્વીકારે તેવી વિચારણા વારંવાર કરતા રહેવા ભલામણ છેજ. તરવાનું સાધન તે જ છે. અત્યારે સુખદુઃખની ગણતરી દેહને આધારે થાય છે, દેહને ઠીક પડે, લોકમાં સારું કહેવાય, ઇંદ્રિાને અનુકૂળ પડે તે ચિત્ત પ્રસન્ન રહે છે, પણ કોઈ જરા આપણું ઘસાતું બેલે, વ્યાધિ શરીરમાં ઊપજી પીડા ઉત્પન્ન કરે, કે ઇન્દ્રિયોને ન ગમે તેવા વાતાવરણમાં રહેવાનું થાય તે મન ઊંચું થઈ જાય છે અને પહેલાં ગમતું હતું, સારું લાગતું હતું, બરાબર ખવાતું, પચતું તેવું ક્યારે થશે એમ મનમાં ઝંખના થયા કરે છે. આ બધા પ્રકારો રાગદ્વેષના છે. તે પલટાવી નાખી દેહનું ગમે તેમ થાઓ, કુટુંબનું ગમે તેમ થાઓ, મનને ગમે કે નહીં, લેકે નિંદ કે વખાણે પણ મારા આત્માને અહિત થાય, આર્તધ્યાન રૌદ્રધ્યાન થાય કે મૂંડી ગતિમાં જવું પડે તેવા ભાવ થતા હોય તે મારે જરૂર અટકાવવા છે અને જ્ઞાનીએ કહેલે રસ્તે મારા ભાવ રાખી મારે આ ભવમાં તે મારા આત્માની દયા પાળી તેને ખરેખર સુખી કરે છે. જ્ઞાની જેવા અંતરમાં શાંત પરમસુખી છે તેવા સુખવાળે મારો આત્મા પરમ શાંત થાય તેવા ઉપાયે, ગમે તેટલી અડચણે, નિંદા કે કષ્ટો વેઠીને પણ કરવા છે. પછી લખચોરાશીમાં ભટકતાં કંઈ બને એવું નથી, માત્ર આટલા જ ભવમાં તે ઉપાય લઈ શકાય એમ છે, તેમાં ય જેટલાં વર્ષે ગયાં તે તે વ્યર્થ વહી ગયાં, જેટલું મૂઠી ફાકે જીવવાનું બાકી હોય તેટલામાં કંઈ ને કંઈ સત્ય ધર્મનું આરાધન એવા બળથી આખે મીંચીને કરી લઉં કે ધર્મ-આરાધન ન થાય તેવા હલકા ભવમાં જવું ન જ પડે. જે જ્ઞાની પુરુષના દઢ નિશ્ચયે, તેને આશ્રયે આ દેહ છૂટે તે જરૂર વહેલામોડો મોક્ષ થયા વિના ન રહે એ સન્માર્ગ પૂર્વના પુણ્યને લઈને આપણને મળે છે, તે જેટલી કચાશ રાખીશું તેટલું આખરે પસ્તાવું પડશે. માટે ધર્મના કામમાં ઢીલ ન કરવી. છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #296 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૨૭૩ ૨૬૬ અગાસ, તા. ૧૯-૪-૪૧ અહીં ધજા ફેરવે છે ત્યારે કંઈ વિશેષ વિધિ કરતા નથી. શ્રી આત્મસિદ્ધિ આદિ કોઈ પૂજા ભણાવવાનું નિમિત્ત તે દિવસે રાખ્યું હોય તથા પ્રભાવના પતાસાં વગેરેની હોય તે તે દિવસ ઉત્સવ જેવો ઉત્સાહનું નિમિત્ત બનશે. બીજું, આપ અત્રે પધાર્યા ત્યારે બાળકોને ધર્મશિક્ષણ આપવા માટે નિશાળ ખેલવા તમે વિચાર જણાવ્યો હતો તે સંબંધી જણાવવાનું કે કોઈ મુમુક્ષુને બોલાવી તેના હાથે શાળાની અખા ત્રીજને દિવસે જ શરૂઆત કરી દો તે જુદો દિવસ શોધવો મટે અને માંગલિક કાર્યની શરૂઆતથી નવું વર્ષ પણ શરૂ થયું ગણાય. તે વિષે જેમ તમને ઠીક પડે તેમ વિચાર કરશે. શું ભણાવવું? કેટલો ખર્ચ કરવો ઘટે? વગેરે પૂછવું હોય તે પૂ.ભાગભાઈ વગેરેની કમિટી આશ્રમ તરફથી નિશાળે માટે નીમેલી છે તે સલાહ આપશે અને જરૂર પડ્યે વર્ષ આખરે કંઈ મદદ પણ આપશે તે વિષે તમે પણ કંઈક માહિતગાર છે, એટલે રોજ એકાદ કલાક છોકરા-છોકરીઓને અભ્યાસ કરાવે એવા સારા વર્તનવાળા શિક્ષક મુમુક્ષુમાંથી કે સરકારી ગુજરાતી શાળા-શિક્ષક કઈ મળી આવ્ય મંદિરમાં હાલ એક કલાક વર્ગ ભરવાનું દિવસે કે સાંજે રાખશે તે સહેલાઈથી તે કામ શરૂ થાય તેવું લાગે છેજી. સેવાભાવે કામ કરનાર મુમુક્ષુ મળી આવે ત્યાં સુધી સારું, નહીં તે કોઈને કંઈ નામને બે-પાંચ રૂપિયાને પગાર આપવો પડે તેમ તેમ કરીને ખર્ચ કરવાનો નિર્ણય ત્યાંના મુમુક્ષુવર્ગને થતું હોય તે ઊગતી નવી પ્રજાને નિશાળે ભણતાં અને ભણીને ઊઠી ગયેલાને આશીર્વાદરૂપ તે શાળા થઈ પડશે, ઘણાં દુર્થ સનેમાંથી અટકશે, સભ્યતા, વિવેક, વિચાર, વિનય, ભક્તિ શીખશે અને જીવન સુખરૂપ ગાળવાનું કારણ તે નિશાળ થઈ પડશે. કામ હાથ લઈ તેને ખીલવનાર હોય તે પૈસાની અડચણ નહીં આવે, તે તો ગમે ત્યાંથી મળી રહેશે. માટે કોઈ એવા હોશિયાર કામ કરનાર માથે લઈ શકે તેમ હોય તે અખા ત્રીજ જેવો બીજો સારે દિવસ જડવાને નથી એમ નક્કી કરી આ વર્ષે તે કામ શરૂ કરવા ભલામણ છે.જી. પરમકૃપાળુદેવનાં વચને ગમે તેના કાનમાં પડશે તે પણ તે હિતકારી જ થવા સંભવ છે. તમારા નાના ગામમાં તે એક કુટુંબ જેવો સંપ રાખી કામ લેવા ધારે તે ગમે તેવું કામ સહેલાઈથી થઈ શકે. પરગામ છેકરા પરણાવી જે વહુઓ આવે તે ઘણી ખરી અભણ પણ હોય, તેવાને અક્ષરજ્ઞાન અને વીશ દેહા આદિ શીખવવાનું કામ આ શાળા કરે તે થોડાં વર્ષમાં તમારા ગામમાં કોઈ અભણ ન રહે અને વિશ દેહરા આદિ ન જાણતું હોય તેવું પણ કેઈ ન રહે નિશાળનું કામ સારું થાય ને લેકેને વિશ્વાસ બેસે કે ત્યાં જાય તે સુધરે છે તે કામ સફળ ગણાય. ૨૬૭ અગાસ, તા. ૧૯-૪-૪૧ ચૈત્ર વદ ૮, શનિ, ૧૯૯૭ “જીવ! તું શીદ શેચના કરે, કૃષ્ણને કરવું હોય તે કરે; તારું ધાર્યું થાતું હેત તે, સુખ સંચી દુઃખ હરે. કૃષ્ણને ” 18 Page #297 -------------------------------------------------------------------------- ________________ ર૭૪ બાધામૃત મેહઘેલછા જગ આખામાં, વ્યાપી રહી અપાર અહે! જન્મમરણનાં દુઃખ કેટલાં, તેને નહીં વિચાર અહે! મેહમદિરાના છાકે વ, જાણે ન ઠીક અઠીક અહે! દિન ઉપર દિન ચાલ્યા જાતાં, આવે મરણ નજીક અહે! નજરે મરતાં જન જગમાં બહ, દેખે તેયે અંધ અહે! વિપરતતા કઈ એવી ઊંડી, લાંબી કાળ અનંત અહે! વાત કરે મરવાનું સૌને, લે નહિ નિજ સંભાળ અહે! ખટકે ઉરમાં રહે ન કાંઈ વદે બહુ વાચાળ અહો! વેરઝેરમાં કાળ ગુમાવે, સ્વાર્થ વિષે મશગૂલ અહો! દુર્લભ માનવભવની કિંમત, ગણુ ન એ મહા ભૂલ અહે! દેવ, ગુરુ, ધર્માદિ સાચા, સત્સંગ સમજાય અહે! દયા, દાન, તપ, ભક્તિયેગે, નરભવ સફળ થાય અહો!” (પ્રજ્ઞાવબેધ-૮૬) બનનાર તે ફરનાર નહીં અને ફરનાર તે બનનાર નહીં.” આયુષ્ય અલ્પ લઈને આવેલા મહેમાનને કોણ વધારે વાર રાખવા સમર્થ છે? તેની પાછળ ખેદ કરવામાં કંઈ સાર નથી. જે બની ગયું તે અન્યથા થવાનું નથી. ઊલટું આર્તધ્યાન કરી કર્મ બાંધવાથી આપણું એટલું ભક્તિ કરવા ગ્ય આયુષ્ય એળે જાય અને તેવા વખતમાં આયુષ્ય બંધાઈ જાય તે રોકકળ કરનારને હેરપશુની ગતિમાં જવું પડે. એવું કામ પિતે પણ ન કરવું અને બીજાને પણ સમજાવી રડવા-કૂટવાથી પાછા વાળી કંઈ વાંચી સંભળાવવું. “સમાધિસે પાનમાંથી અનિત્ય, અશરણ, સંસાર આદિ ભાવનાએ જે કઈ રેવા કે સાંભળવા આવે તેમને તે દિવસોમાં સંભળાવવાથી તમારો તેમ જ સાંભળનારાઓને વખત ધર્મકાર્યમાં જવાથી સ્વપરહિત થશે. “સમ્યફદષ્ટિ જીવ સવળું કરે એવું પ. પૂ. પ્રભુશ્રીજી કહેતા હતા. શેક થતું હોય તેને તપાસે કે દીકરા ઉપર બહુ મહ કર્યો હતે તે હવે આ વિશે વધારે સાલે છે. જેમને વધારે મોહ તેના ઉપર નહીં હોય તેમને એટલું બધું લાગતું નથી. તે હવે એ શિખામણ લેવી કે નાશવંત વસ્તુઓ ઉપર મેહ કરે, તેમાં આનંદ માનવ તે ક્લેશકારી આખરે નીવડે છે. માટે હવે વિષયભોગ, સગાંવહાલાં, ધન, ખેતર, કુટુંબ આદિને વિચાર કરી, ઊંડાં મૂળ મેહે નાખ્યાં હોય તેને ખેંચી કાઢવાને, તેને વિચારીને ક્ષય કરવાનો અવસર આવ્યો છે. તે હવે શાના વિના મારે ચાલે એવું નથી? મરતી વખતે મને શું આડું આવે એવું છે? શામાં મારું મન વારંવાર ભમ્યા કરે છે? એના વિચાર કરી મરણ આવ્યા પહેલાં, મરણ બગાડી અર્ધગતિ કરાવે એવી વૃત્તિઓને શોધી શોધીને હવે દૂર નહીં કરું તે અચાનક મરણ આવી પહોંચશે ત્યારે મારાથી એકાએક એટલે બધે પુરુષાર્થ નહીં થાય કે તેમાં મારું મન ન જ જવા દઉં. માટે પહેલેથી વિચારી વિચારી દોષને ઓળખી તે દે દૂર કરવા સદ્દગુરુશરણથી આજે જ કેડ બાંધવી છે એ નિર્ણય કરી જીવન સફળ થાય તે માટે પુરુષાર્થ કરવાને ક્રમ આરંભશે તે પુત્રવિયેગની વાત વિસારે પડશે, અને આ જીવની શી વલે થશે? એ વાત મુખ્ય થશે, અને એ જ હવે તે કર્તવ્ય છે'. બીજાનું ભલું કરવા આપણે સમર્થ નથી, પણ આપણા જીવને અધે Page #298 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૨૭૫ ગતિના મહાદુઃખમાંથી બચાવી લેવા સદ્દવિચાર કરી સદાચારમાં આવી આપણું હિત કરવું તે તે આપણા જ હાથની વાત છે. સુપુત્રે તે પોતે મરીને શિખામણ આપી કે આમ સર્વને વહેલા-મોડા જવાનું છે, માટે જરૂર જરૂર જરૂર ચેતજો. જાતે જોયેલી વાત ભૂલી ન જતાં આપણે માથે મરણની ડાંગ ઉગામેલી જોતાં રહી સત્કાર્યોમાં વધારે ચિત્ત દઈ પાપથી બીતા રહેવા વિનંતી છે. જગતમાં કઈ કેઈનું નથી. કેઈ કેઈનું દુખ લઈ શકતું નથી. કેઈ કેઈને સુખ આપી શકતું નથી. જીવ એકલે જ આવે છે અને એક જ પિતાનાં કરેલાં કર્મ ભેગવવા પરલોક જાય છે. માટે આણે મારું બગાડ્યું કે આ મારો શત્રુ છે, આ મને હિતકારી છે કે આનું તે મેં મને આખરે અવગતિ કરાવશે એવા રાગદ્વેષના ભાવે જીવન અને મરણને બગાડનાર છે. માટે પૂર્વે કરેલાં કર્મથી સુખદુઃખ આવે છે તેમાં કેઈનો દોષ નથી; માત્ર અણસમજથી બીજાના નિમિત્તને લક્ષમાં રાખી જીવ આકુલવ્યાકુલ થાય છે. ભલે કઈ ચાકરી કરનાર હોય કે ન હોય; કેઈ આપણું કામ ચલાવનાર પાછળ હોય કે ન હોય; કેઈ નિંદા કરે કે કઈ વખાણ કરે તે તરફ લક્ષ ન રાખતાં આ જીવે કરેલાં કર્મ તેને અવશ્ય ભોગવ્યા વગર છૂટકો નથી. તેમાં કેઈનો વાંક નથી. હાથનાં કર્યા હૈયે વાગે છે, માટે સમતા રાખી, સદ્દગુરુનું શરણું મળ્યું છે તે મહાભાગ્ય માની, તેને આશરે હવે દેહ છોડે છે એ પાકે નિર્ણય કરી, રેજ તે નિર્ણય પ્રમાણે વર્તાય છે કે બીજે આશરો શોધવા જીવ મેહવશ ભટકે છે તે તપાસતા રહેવા વિનંતી છે. આ પુરુષાર્થ જરૂર જીવને ઊંચે આણે એવે છે. માટે હવે બાહ્ય વસ્તુઓનું, બીજા જીનું અવલંબન છેડી સ્મરણ નિરંતર રહે અને સમભાવ રાખી સર્વ પ્રત્યે મૈત્રીભાવના અને સદ્દગુરુપદમાં અભેદભાવના જેમ વિશેષ રહે તેમ કરતા રહેવા સર્વ આત્મહિતેચ્છુઓને વિનંતી છે. થેડું લખ્યું ઘણું માનોવિશેષ વિચાર કરજે, અને કંઈ પણ આચરણ થાય છે કે નહીં તેની તપાસ રાખશે. એ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૨૬૮ અગાસ, તા. ૨૫-૪-૪૧ તત છે. સત ચૈત્ર વદ ૧૪, શુક્ર, ૧૯૯૭ પૂર્વકર્મને લઈને જીવને જે કરવું છે તે થતું નથી એ સામાન્ય અભિપ્રાય લેકમાં પ્રચલિત છે, પણ તે પુરુષાર્થને હાનિકારક છે. પૂર્વ કર્મ ન હોય તે તે સંસાર જ ન હેય, પણ પૂર્વકર્માને દૂર કરવા યોગ્ય અવસર પ્રાપ્ત થયો છે, છતાં જીવ ચેતતું નથી એ જીવને પ્રમાદ છે; અને માને છે કે મારે આત્મહિત કરવું છે છતાં થતું નથી. ત્યાં પણ હજી તે માન્યતા ઉપલક છે; જેમ ખેરાકની, ઊંઘની અને ધનની જરૂરિયાત જણાઈ છે અને તેના ઉપાય ગમે તેટલા પરિશ્રમે પણ કર્યા કરે છે, તેમ જ્યારે ખરેખરી આત્મહિત કરવાની દાઝ લાગશે ત્યારે તે કામ કઈ કહે ત્યારે કરવું કે અનુકૂળતા મળે કરાય તે કરવું એમ નહીં રહે, પણ આપે આપ એ કામમાં મનને લગાવી દેશે તેવી ભૂખ લાગે નહીં ત્યાં સુધી સત્સંગ, સલ્લા, સદ્દવિચાર, ભક્તિ આદિ ઉત્તમ નિમિત્તોની જીવને જરૂર અત્યારે તે ઘણી જ છેo. જે કામ પ્રસંગે પ્રસંગે, ક્ષણે-ક્ષણે કરતા રહેવાની જરૂર છે, તે કામ “થશે, થશે”, “વખત Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ બેધામૃત મળશે તે કરીશું” એમ રહે છે તે જીવની શિથિલતા છે. તે દૂર કરવા બને તેટલી જાગૃતિ વધારતા રહેવાની જરૂર છે. બીજે બધેથી પ્રેમ ઉઠાડી સન્દુરુષ, તેને બેધ, તેને સમાગમ, તેની આજ્ઞા, તે પ્રત્યે વાળવા યોગ્ય છે જ. એ જ વિચાર હરતાં, ફરતાં, કામ કરતાં, જતાં, આવતાં, સૂતાં, બેસતાં કરતા રહેવાય તેવી ટેવ મારે પાડવી છે એ નિશ્ચય કરી, તે તરફ દિવસમાં ઘણી વાર લક્ષ દેવાય છે કે નહીં તે જોતા રહેવાની જરૂર છે. વાતેએ વડાં નહીં થાય, પણ કરવું પડશે એમ પ. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજી કહેતા હતા તે લક્ષમાં રાખી સર્વેએ શાશ્વત વસ્તુમાં પ્રેમ કરતાં શીખવાની જરૂર છે. સમજણ જ્યારથી આવી ત્યારથી ઉત્તમ વસ્તુ તરફ પ્રેમ વધતું જાય એમ કરવામાં આવે તે દિન દિન આત્મા ઊંચો આવતે જાય અને બીજાં ક્લેશનાં કારણે તેને વિન્ન કરી શકે નહીં તે નિર્ભય બની જાય. પરમપુરુષનાં વચનેમાં મન વિશેષ વાર શેકાય તેવું કરવા ભલામણ છે. # શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૨૬૯ અગાસ, વૈશાખ સુદ ૩, ૧૯૯૭ આપને પત્ર મળ્યો. આપની ભાવના તેમાં તીવ્રપણે પ્રગટ કરેલી છે તે જાણી. કેઈ માણસને ભૂખ લાગી હોય અને “ખાવું છે, ખાવું છે રહેવાતું નથી, બહુ ભૂખ લાગી છે એમ બૂમે મારે તે ભૂખ મટે નહીં; તેમ જ તેને અયોગ્ય ઉપાય લે તે પણ મટે નહીં રસોઈ ચૂલે ચઢતી હોય, બરાબર ચૂલામાં લાગતું હોય પણ અમુક કાળ દાળ વગેરેને ચઢવામાં લાગે તેટલી ધીરજ ન રાખે અને ઉતાવળ કરીને પાણી પી પી કરીને પેટ ભરી દે તે ખાવાની રુચિ તેની મટી જાય, પણ ખોરાકથી શરીરમાં શક્તિ આવવી જોઈએ તે આવતી નથી. ઊલટું રેગનું કારણ થાય છે. તેવી જ રીતે ઇન્દ્રિયની તૃષ્ણા, બળતરાથી જીવ ગભરાઈ જાય છે, જ્ઞાની પુરુષેનાં વચને વિષયોનું વિરેચન કરાવનાર હોય છે, તૃષ્ણારૂપ બળતરા મટાડવાની ખરી ઔષધી એ જ છે પણ તે સમજીને અંતરમાં ઉતારે ત્યારે શાંતિ થાય; પણ તે સમજવામાં વાર લાગે, વિચાર પહોંચે નહીં, સત્સંગ હોય નહીં ત્યારે જીવ ગભરાઈ જાય છે અને સાચો ઉપાય કરવાનો પડી મૂકી, પાણી પીને પેટ ભરી ભૂખની રુચિ બગાડી દેવા સમાન ઇંદ્રિયોને પોષવાની સામગ્રીના વિચારોમાં, તેવી વાત કરનારની વાત સાંભળવામાં અને વિકાર પિષવામાં કાળ ગાળી સત્સંગની રુચિને મંદ કરી દે છે અને વિષયસામગ્રી જ સુખ આપશે એવી ભાવના સેવ્યા કરે છે, તે પાણી વવવાથી માખણની આશા રાખ્યા સમાન નિરર્થક અને માત્ર શ્રમ આપનાર જ છે. માટે ખારા ઝેર જેવા સંસારમાં ક્યાંય, કઈ ભવમાં સુખ નથી એવો દઢ નિશ્ચય કરી, તે સંસારનાં મૂળ ઉખેડી નાખે તેવા સત્સંગમાં જ ચિત્ત વારંવાર આણવાની જરૂર છે જી. દરેક મુમુક્ષુના સાક્ષાત્ અનુભવની વાત છે કે જ્યારે પ્રથમ સત્પરુષને વેગ થશે ત્યારે કેવી ભાવના વર્તતી હતી? કેવાં સુંદર પરિણામ આત્મહિત કરી લેવાનાં ઊભરાઈ રહેતાં હતાં? આપણને સ્મરણ મળ્યું અને તેનું આરાધન કરવા માંડ્યું ત્યારે કેટલું બળ આત્મામાં જણાતું હતું? જ્યારે એ પ્રત્યક્ષ પુરુષને સમાગમ થોં ત્યારે વિષયવાસના કયાં સંતાઈ જતી હતી? એ સમાગમની ખુમારી દેશ ગયા પછી પણ કેવી રહેતી? આ બધી વાતે આપને સ્મૃતિમાં લેવા જણાવ્યું તેનું કારણ એ છે કે એ દવા સાચી છે, તેને લાભ જેણે એક વખત પણ મેળવ્યું Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૭૭ પત્રસુધા છે તેણે તે તે દવા નિરંતર સેવ્યા જ કરવા ચેાગ્ય છેજી. તેને વિરોધી પ્રસંગાથી દૂર રહી, જેથી તે દવા ગુણ કરે તેવા પથ્ય સમાન અનુકૂળ સોગા મેળવી, સત્પુરુષનાં વચન છે તે જાણે પ્રત્યક્ષ પુરુષ આપણને એકાંતમાં ખેલાવીને બેધ જ કરે છે એમ માની તેનું સેવન વિશેષ વિશેષ કર્યાં કરવાથી જરૂર વૈરાગ્યની વૃદ્ધિ થશે અને આ સંસાર એવેા ભયકર લાગશે કે ખળી મરવું સારું પણ સ`સાર વધારે એવું તેા મારે કઈ કરવું જ નથી. સ્વપ્રમાં પણ વિષયે। સારા છે, મીઠા છે એવું ન ભાસે તેવી દૃઢતા થતા સુધી સત્પુરુષનાં વચનરૂપી ઔષધી રાતવિસ સેવવા યાગ્ય છે. પ. . પ. પૂ. પ્રભુશ્રીજી દૃષ્ટાંત આપતા કે કોઈ એક ખાઈ પેાતાના નાના બાળકને ખીર પીરસી કામ હેાવાથી પાણી ભરવા જતાં બાળકને લાકડી આપતી ગઈ ને કહ્યું કે કૂતરું આવે તે લાકડી મારજે. હા બાળકે કહી એટલે તે ગઈ. કૂતરું તાકી રહ્યું હતું તે એકલા બાળકને જોઈ ઘરમાં અંદર આવી બાળકની થાળીમાંથી ખીર ખાવા લાગ્યું. તે વખતે ખાળક તા રડવા લાગ્યું : ‘મારી ખીર ખાઈ જાય છે રે.’ તેમ વિષયકષાય પજવે ત્યારે રડવું તે કંઈ ઉપાય નથી પણ જ્ઞાનીપુરુષની આજ્ઞારૂપ લાકડી સ'ભારી તેમાં હૃદયને જોડી દેવું એટલે વિષયકૂતરાં તુર્ત નાસી જશે, ખેદ કરવારૂપ રડવાથી તે ખસે તેમ નથી, કર્મ પ્રાર્થાંના સાંભળે તેવાં નથી, તે તે શરમ વગરનાં છે. માટે જ્ઞાનીની આજ્ઞા મંત્ર-સ્મરણ, ભક્તિ વગેરેમાં ચિત્ત વધારે રાખવાથી વિષયેાની બળતરામાં પેસવાનેા તેને વખત નહીં મળે. કાં તે કામ, કે કાં તે સ્મરણ આદિ એમ મનને નવરું ન રાખવું. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૨૭૦ અગાસ, તા. ૨૯-૪-૪૧ તત્ સત્ વૈશાખ સુઃ ૩ અક્ષયતૃતીયા, મંગળ, ૧૯૯૭ દાહરા— જે કલ્યાણક ઉત્સવેા, ઊજવે દૈવ વિનીત, ગર્ભ, જન્મ, દીક્ષા અને, જ્ઞાન નિર્વાણ નિમિત્ત. ૧ તે ઉત્સવમાં ઉલ્લસે, ભક્તિ-ભાવ મહાન, સમ્યક્દન આદિનાં પ્રાપ્તિ-પાષણ-સ્થાન. ૨ તે તે ભાવે પામવા, અને પોષવા આજ, યથાશક્તિ લે લાભ સૌ, કરતાં આતમ કાજ. ૩ ઉપકારી ગુરુદેવને, વિરહ સહ્યો નવ જાય, પણ ખાંધી પૂરવભવે, ઉદય થઈ અંતરાય. ૪ વિ. પરમ ઉપકારી પરમ પૂજ્ય વિદેહદશાધારી પ્રભુશ્રીજીની જે તિથિ નિમિત્તે આપ સર્વે મુમુક્ષુજને ભક્તિભાવ અર્થે એકત્ર થયા છે તે તિથિ વિષે સં. ૧૯૯૨મહાવદ ૭, તારીખ ૧૪-૨-૧૯૩૬ને રાત્રે દશેક વાગ્યે પેાતાને મુખે કહેલાં વચનામાંથી થેાડાં લખ્યાં છે : “જેમ આત્મસિદ્ધિના જન્મ આસો વદ ૧ને છે; પરમકૃપાળુદેવને જન્મ કાર્તિકી પૂનમે છે એમ એક તિથિ આ દેહ પણ પડશે ત્યારે નક્કી થશે....તે દિવસ ઉઘાડા ફૂલ જેવા પછી તે જણાશે. તે દિવસે આત્મસિદ્ધિની ભક્તિ કરવી, ઉત્સવના દિવસ ધર્મીમાં ગાળવા, Page #301 -------------------------------------------------------------------------- ________________ ર૭૮ બેધામૃત અને જમણવાર થાય તે બધા જે આવે તે જમી જાય. પણ તે દિવસે મરણતિથિએ જમણ થાય? એમ પિતે પ્રશ્ન ઉઠાવ્યા. પિતે જ જવાબ વાળે કે તે જન્મતિથિ કે મરણતિથિ નહીં પણ આત્માની તિથિ ગણવી. એટલે જમણુ કરવામાં કંઈ બાધ નથી. તે એક દિવસે આત્મસિદ્ધિની ભક્તિ જે કરશે તેને હજાર ઉપવાસનું ફળ થાય તેટલે લાભ થશે. તેમાં પિસહ, જપ, તપ, સંજમ બધું આવી જાય છે.” આવાં વખાણ જે તિથિનાં પિત કર્યા છે, તે તિથિએ સર્વ ભાઈબહેને મોક્ષની ઈરછાથી તકલીફ વેઠીને એકઠાં થયાં છે તે તે દિવસે ઉલ્લાસભાવે આત્મસિદ્ધિશાની ભક્તિમાં આત્માને લીન કરવા ભલામણ છે. સંસારી વાસનાઓ એક દિવસ દૂર કરી, આત્મા અનાદિકાળથી અનાત્મ (જડ) વસ્તુઓમાં રાચી રહ્યો છે, તેને સદ્દગુરુની આજ્ઞારૂપ ભક્તિરંગમાં રંગાય અને ભક્તિની ભૂખ ઊઘડે તેવી રીતે તેની તે વાતમાં રાતદિવસ ગળાય તેમ વર્તશે તે ઉપર જણાવેલું ફળ, હજારો ઉપવાસ કરતાં ચઢી જાય તે લાભ લેવા જોગ આવે છે તે સફળ થશે. દેવ જેમ સ્વર્ગનાં સુખ છોડીને તીર્થકર આદિ પાસે કે નંદીશ્વર દ્વીપ વગેરે પવિત્ર સ્થળમાં ભક્તિ માટે એકઠા થઈ ઉત્સવ ઊજવે છે તે વેગ આજે આવ્યું છે. તે પરમ પાવનકારી ગંગામાં ડૂબકી મારી પવિત્ર થઈ જીવન પલટાવવા, સદાય તેની ખુમારી ટકાવવા, ન જ જન્મ જાણે મળ્યા હોય તેમ નવજુવાન થઈ આત્માના કાર્યમાં મચ્યા રહેવા વિનંતી છેજ. ઘેર ઘેર સંપ, સત્સંગની જરૂર, મુમુક્ષુ ભાઈબહેને પ્રત્યે ઉલ્લાસ, સેવા, વિનય, ભક્તિ, મૈત્રીભાવ ઊછળતાં રહે અને કેઈનો દોષ નજરે ન ચઢે પણ સંસારીભાવ, પહેલાંના અણુબનાવ ભૂલી જવાય અને નવા રાજા ને નવી પ્રજા જેવું નવજીવન સઘળે ફેલાય, દે ઘટી ગુણો ખીલી નીકળે તેમ વર્તવા વિનંતી છે. છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૨૭૧ અગાસ, તા. ૧-૫-૪૧ તત છે. સત વૈશાખ સુદ ૫, ગુરુ, ૧૯૯૭ પૂ.ની ઉત્કંઠા મંત્રસ્મરણની છે તે પરમકૃપાળુદેવની સાક્ષીએ, નમસ્કાર ન થાય તે ચિત્રપટના હાથ જોડી દર્શન કરી ભાવના કરે કે હે પ્રભુ! આપની આજ્ઞાથી “સહજાત્મસ્વરૂપ પરમગુરુ મંત્રનું મારા આત્માના ઉદ્ધારને અર્થે આરાધન કરીશ. ભક્તિ કરીને બીજી કશી સંસારી વાસના પિષવાની ભાવના ન રાખવી. લેકે દીકરા માટે, ધન માટે કે દેવકનાં સુખ માટે ધર્મ કરે છે કે મંત્ર જપે છે, તેમ ન કરતાં જન્મમરણ ટાળવા અને મોક્ષ થાય તેટલા માટે જે આ મંત્ર પરમકૃપાળુદેવની કૃપાથી મને મળે છે, તે જે તે નથી. જ્ઞાની પુરુષે આત્મા જે જાણ્યું છે, અનુભવ્યું છે, અને કહ્યો છે તે આત્મા મારે માને છે, તે આત્મા જણાવવા આ મંત્ર પરમ પુરુષે યે છે તે આત્માર્થે જ હું તેને જગ્યા કરીશ. જે જ્ઞાની પુરુષે માન્યું છે, તે બધુંય મારે માનવું છે મારું માનેલું બધું ઊંધું છે, તે સવળું કરવા આ મંત્રમાં હું ભાવ રાખું છું. જેમ કે કૂવામાં પડી ગયા હોય અને તેને તરતાં આવડતું ન હોય છતાં દેરડું હાથમાં આવી જાય તે પછી તે ડૂબે નહીં, દોરડે દેરડે બહાર નીકળી શકે તેમ આ મંત્ર જ્ઞાનીની આજ્ઞાથી મળેલે મારો ઉદ્ધાર કરનાર છે એટલે વિશ્વાસ રાખી બને તેટલી વાર Page #302 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૨૭૮ રાતદિવસ જગ્યા કરવા ગ્ય છે. બીજેથી ચિત્ત પાછું વાળી એ મંત્રમાં રાખવું. શરીરમાં દુઃખ, પીડા, વેદના થતી હોય ત્યારે મને ત્યાં જાય છે અને હું દુઃખી છું, દુખી છું એમ થાય છે તે આર્તધ્યાન કહેવાય છે, તેથી કર્મ બંધાય છે અને હેર-પશુના ભવમાં જવું પડે. પણ આ મંત્રમાં ચિત્ત રાખે તે ધર્મધ્યાન થાય અને સારી ગતિ થાય છે. જ્ઞાનીએ જાણે છે એ આત્મા દેહથી, દેહના દુઃખથી અને દેહના સર્વ સંબંધથી જુદો છે, પરમાનંદરૂપ છે, નિત્ય છે, તે મરતે નથી, તેને વૃદ્ધાવસ્થા નથી, તે કપાય નહીં, છેદાય નહીં, બળે નહીં, સર્વ વખતે ક્ષણે-ક્ષણે નિરંતર જાણ જાણ કરનાર છે તે આત્મા આ મંત્રમાં કહ્યો છે, તે માટે વારંવાર સંભાર છે. ગમે ન ગમે તેપણ જેમ રોગ મટાડવા કડવી દવા આંખ મીંચીને પી જાય છે તેમ પરાણે પણ મનને મારે મંત્રમાં જ હવે તે રાખવું છે એ દઢ વિચાર કરી તે પ્રમાણે વર્તવા ભલામણ છેજ. શરીર ઠીક થયે પણ રેજ અમુક માળા બેત્રણ રેજ ફેરવવાની ટેક રાખવી અને હરતાં ફરતાં, કામ કરતાં પણ જીભથી મંત્ર બોલતા રહેવાની ટેવ પાડી મૂકી હશે તે તે સમાધિમરણનું કારણ છે. જ્ઞાનીએ જણાવેલી જન્મમરણ ટાળવાની આ અમૂલ્ય દવા છે. માટે તેને સામાન્ય થઈ જવા ન દેવી. સ્મરણ કરતાં મન જ્ઞાની પ્રત્યે રાખવું. જ્ઞાની પુરુષ આત્મા જ છેજી. સમાધિ પાનમાંથી સમાધિમરણ સંબંધી છેવટે પ્રકરણ છે તે તેમને બને તે સંભળાવવા વિનંતિ છે જી. છેશાંતિઃ શાંતિઃ શાંતિઃ ૨૭ર અગાસ તા. ૨-૫-૪૧ તત છે સત્ વિશાખ સુદ ૬, શુક, ૧૯૯૭ ધનવાનને ધનને લેભ હોય છે તેમ શક્તિશાળી વિદ્યાથીઓને પણ બીજાના કરતાં વિશેષતા મેળવી આગળ આવવાને લેભ સહેજે હોય છે. ખરી સ્પર્ધા તે પિતાના વિકાસને વધારવાની છે. “ઉજ્જડ ગામમાં એરંડે પ્રધાન” એ કહેવત મુજબ કેટલીક વખત બીજાના તરફ નજર રાખનાર ઠગાય છે; માટે પોતાના દોષ દેખી દે દૂર કરવા કમર કસવાની છે. અત્યારની કેળવણી એકતરફી છે; વધારે ગેખે, સ્મૃતિમાં રાખે, કહી કે લખી બતાવે તે આગળ આવે છે. એ ગુણો પણ જરૂરના છે, છતાં તમારા પત્રમાં જે દોષ (પ્રમાદ આદિ) તમે વર્ણવ્યા છે તે યથાર્થ રીતે ખૂંચતા હોય તે તે દૂર કરવા કેડ બાંધવી ઘટે છે. નિદ્રા જીતવા સંબંધી તમે ભાવના પત્રમાં જણાવી છે તેના ઉપાયરૂપ સંક્ષેપમાં લક્ષમાં રાખવા યોગ્ય આ છે : (૧) જિતાશ(સ)ન = આહાર અથવા આસનને જય. (૨) આરાધનામાં પ્રદ=માહાભ્ય જેનું પરમ છે એવા નિઃસ્પૃહી પુરુષનાં વચનમાં તલ્લીનતા (૩) સંવેગ = મુક્ત થવા સિવાય બીજી કોઈ પણ પ્રકારની ઈચ્છા-અભિલાષા નહીં (૪) શેકઃ પશ્ચાત્તાપ = જ્યારથી એમ સમજાયું કે બ્રાંતિમાં જ પરિભ્રમણ કર્યું ત્યારથી હવે ઘણી થઈ હે જીવ! હવે થંભ. મુઝાવા નથી. હિંમત હારવી નહીં. ભાવના વર્ધમાન કરવાથી સૌ સારાં વાનાં થઈ રહેશે. “દૃશી માલના ચચ સિદ્ધિમવતિ તારી.” જેવી જેની ભાવના તેને તેવું ફળ મળ્યા વિના રહેતું નથીજી. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ બધામૃત ર૭૩ અગાસ, તા. ૧૦-૫-૪૧ તત્ ૐ સત વૈશાખ સુદ ૧૪, શનિ, ૧૯૯૭ દેવાનંદન હ! રાજચંદ્ર પ્રભુ પ્યારા, આ કળિકાળે હો ! અમને ઉદ્ધારનારા. એરંડા-ડાળે કરી મંડપ, તરણે તરણે ઢાંકે, ક્ષણે ક્ષણે તરણું ઉમેરે, છેલ્લે તરણે ભાંગે. દેવા. અલ્પ અરે! અગ્નિ સંઘરતાં, કેઈન શાંતિ પામે, સકલ વિશ્વને બાળી દે તે, શિથિલપણાને નામે. દેવા સમય માત્ર પ્રમાદ ન કરવા કહ્યું, ન કાઢી નાખે, રે! અત્યંત પ્રમાદ છતાંયે, કેમ ન કાળજી રાખો? દેવા(પ્રજ્ઞા ૯૫) તીર્થ શિરોમણિ ભવદવ ત્રાસિતને શાંતિ પ્રેરક શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસથી લિ. સત્યરુષના ચરણકમળની સેવાને ઈચ્છક દાસાનુદાસ બાળ ગવર્ધનના જય સદ્ગુરુવંદન સ્વીકારવા વિનંતી છે જ. વિ. આપના બન્ને પત્રો મળ્યા. આપની સૂક્ષ્મપણે દોષ જોવાની વૃત્તિ સંતેષકારક છે. તે જ પ્રમાણે દોષ ટાળવાની તત્પરતા રેગ, શત્રુ અને દોષને ઊગતાં જ દાબવા અર્થે પ્રવર્તે એમ ઈચ્છું છું જી. બીજું, આત્મહિતને અર્થે નિવૃત્તિને લક્ષે કૉલેજના અભ્યાસની અભિલાષા રાખે છે તે પ્રથમ કારણ વિચારતાં પ્રશસ્ત જણાય છે. તમે ધારે છે તે ઉપરાંત તેમાં બીજાં કારણે પણ ગર્ભિત રહ્યાં છે. એક તે તમે કમાયા પહેલાં લગ્ન ન કરવાના વિચારવાળા છે, તે બાબત મક્કમ રહી શકે તેમ હો, તે બ્રહ્મચર્ય પાલનને કાળ લંબાય છે. બીજું, તમારા પ્રત્યે કુટુંબી આદિ જનની વૃત્તિ માનભરી થવાનું કારણ પણ તેમાં છે, કારણ કે, એક તે વિદ્યામાં વૃદ્ધિ; બીજું, સારી કમાણી કરી શકે તેવી ગ્યતાની આશા; ત્રીજું, તમારો તેમના પ્રત્યે સદ્ભાવ જાણવાને પત્રાદિ દ્વારા તેમને પ્રસંગ પડે, વિદ્યા સાથે વિનય વધે તે છાપ પાડ્યા વિના ન રહે. વિશેષમાં હાલની વિદ્યાના ફળરૂપ કઈ પણ કમાણીનું સાધન એવું મળવા સંભવ છે કે જેમાં થોડા વખતના (અમુક કલાકના) ભેગે આજીવિકા સરળપણે પ્રાપ્ત કરી શકાય અને બાકીને બચતે વખત આત્મહિતમાં યોજી શકાય. જ્ઞાનના ક્ષેત્રે ઘણાય છે તેનું સિંહાવલેકન પણ થઈ જવાથી સંકુચિત દષ્ટિ ન રહે. બે-ચાર વર્ષ માનસિક તાલીમ લેવાય તેને ઉપયોગ સવિચારમાં પણ થવાને સંભવ છે, એટલે પુરુષનાં વચને દીર્ઘદ્રષ્ટિથી વિસ્તારથી સમજી સમજાવી શકાય તેવી યોગ્યતાનું કારણ બને. પકવ વય થતાં કમાણ આદિ સાધને પણ પિતાની પસંદગી પ્રમાણે અને બીજાના દબાણ વિના વિચારીને ગ્રહણ કરવાને પ્રસંગ બનવા સંભવ છે. આ આદિ અનેક કારણે વિચારતાં તમે અભ્યાસ અર્થે ટૂંકી દષ્ટિ ન રાખે તે હિતકર લાગે છે. બીજું, અભ્યાસને માટે સ્કૉલરશિપ વગેરે પ્રયત્ન કરવા ધારતા હો તે તે કંઈ ખોટું નથી; પણ તબિયત બગડે તેવા પ્રયત્ન કરવા જતાં, પૈડામાંથી ખીલે નીકળી જતાં ગાડું અટકી પડે તેમ બને, તે બધી ધારણા બંધ રહેવાને પ્રસંગ આવે. માટે તેની ફિકર નહીં કરતાં બીજા ઉપાય લેવા. ધર્મલક્ષ્ય જેને આત્મહિત કરવું હશે તેણે સત્સંગ દ્વારા શે વહેલેમોડે પડશે. એ જ વિનંતી. % શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #304 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૨૮૧ ૨૭૪ અગાસ, તા. ૧૦-૫-૪૧ તત છે સત્ વૈશાખ સુદ ૧૪, શનિ, ૧૯૯૭ છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપગી સદા અવિનાશ-મૂળ૦ એમ જાણે સદ્દગુરુ-ઉપદેશથી રે; કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ–મૂળ૦” “મેક્ષ કહ્યો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ; સમજાવ્ય સંક્ષેપમાં, સકળ માર્ગ નિગ્રંથ.” “ભણતાં પંડિત નીપજે, લખતાં લહિયે થાય; ચાર ચાર ગાઉ ચાલતાં, લાંબે પંથ કપાય.” “ફળદાતા ઈશ્વર તણી, એમાં નથી જરૂર; કર્મ સ્વભાવે પરિણમે, થાય ભેગથી દૂર.” હરિગીત– ઈશ્વર કરે છે સર્વ એવું માનતા પુરુષાર્થને અવકાશ કે ના રહે, હિત સાધવા ન સમર્થ, જે. ના બંધ-મેક્ષ ઘટે, પછી ઉપદેશ કરે વ્યર્થ છે, વ યંત્ર સમ ગણવારૂપે સિદ્ધાંત માત્ર અનર્થને. સમ્યફ ગુણે સાધી ગયા ક્ષે ઘણુ, તે આદરે; વૈરાગ્ય, ભક્તિ આદિ સાધન સુગુરુ-આજ્ઞાથી કરે. કુળાગ્રહો તૐ સત્ય પામો, એ જ અંતે વિનતિ, સંક્લેશથી જગે દુઃખી છે, તે લેશ ટાળે સુમતિ. સમ્યકત્વ પામી મોક્ષ પામે, લાભ એ મોટો ગણે, મેલા વિનાશી અન્ય ભાવમાં જાતે ભવ આપણે. ઉપકાર સદ્ગ તણે વિવેકી ના વિસારતા, તેની જ ભક્તિથી સુદર્શન આદિ સૌ લાભે થતા(પ્રજ્ઞાવનેધ - ૫) આપને પત્ર મળે. કંઈક વિચારપ્રમાદમાંથી જાગતાં પ્રશ્નમાળા લખી તે વાંચી. તે સર્વ પ્રશ્નોના ઉત્તર સમાગમે સાંભળવાથી સમાધાન થવા યોગ્ય જણાય છે. તે પણ ટૂંકામાં પ્રથમ પ્રશ્ન અને તેને ઉત્તર યથાશક્તિ લખી મોકલું છું. તે દરરોજ એકાદ પ્રશ્ન વિશેષ વિચારી, ઉત્તરને મનમાં વિસ્તાર બને તેટલ કરવા વિનંતી છે. ટૂંકમાં તે મથાળે લખેલાં પોમાં જ ઉત્તર આવી જાય છે તે પણ ફરી ફરી વિચારશોજી. (૧) પ્રશ્ન – દરરોજ માળા ફેરવવી, ભક્તિ કરવી, યમનિયમ, સામાયિક વગેરે બોલવાથી શું થાય છે? ઉત્તર – જ્ઞાનીએ આત્મા જાણે છે, તે જણાવવા પિતાને જેથી લાભ થાય છે એવાં સત્સાધન બતાવ્યાં છે, તેને વિશ્વાસ રાખી અભ્યાસ કરવાથી જીવને પિતાને સ્વચ્છેદે વર્તવાની ટેવ છે તેને બદલે જ્ઞાનીની આજ્ઞા ઉપાસાય છે. “રેકે જીવ સ્વચ્છદ તે, પામે અવશ્ય મેક્ષ, પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ.” Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ બાધામૃત આત્મા વિષે, મોક્ષ વિષે તેને વિચાર જાગે છે અને મોક્ષના ઉપાય ઉપર પ્રતીતિ આવે છે. કલેશનાં કારણે લેશરૂપ લાગે છે અને સદ્ગુરુ પ્રત્યે, તેના સાધન પ્રત્યે તથા સત્સાધકો પ્રત્યે પ્રેમ, વિશ્વાસ, ભક્તિ વધતાં સંસારની દુષ્ટ વાસનાઓ ઓછી થઈ “સદ્ગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દષ્ટિગેચર થઈ અન્ય સ્વછંદ મટે, અને સહેજે આત્મબોધ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે, તે વ્યક્તિને અને તે સપુરુષોને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હે !” (૪૯૩) (૨) પ્રશ્ન – જ્ઞાન કેને કહેવાય? ઉત્તર – “જાણ્યું તે તેનું ખરું, જે મોહે નવિ લેપાય, સુખદુઃખ આવ્યું જીવને, હર્ષશેક નહિ થાય.” “આવે જ્યાં એવી દશા, સદ્ગુરુબોધ સુહાય; તે બધે સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય. જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિર્વાણ.” આત્મજ્ઞાન એટલે દેહથી આત્મા જુદો છે, સ્વ-પર પ્રકાશક છે, નિત્ય છે, કર્તા છે, ભક્તા છે, મોક્ષ છે અને મેક્ષને ઉપાય છે. આ છપદને યથાર્થ નિર્ણય થાય તેને મારું તારું મટી શુદ્ધ આત્માને અનુભવ થાય. “જે છપદથી સિદ્ધ છે એવું આત્મસ્વરૂપ તે જેનાં વચનને અંગીકાર કર્યો સહજમાં પ્રગટે છે, જે આત્મસ્વરૂપ પ્રગટવાથી સર્વ કાળ છવ સંપૂર્ણ આનંદને પ્રાપ્ત થઈ નિર્ભય થાય છે, તે વચનના કહેનાર એવા સપુરુષના ગુણની વ્યાખ્યા કરવાને અશક્તિ છે.” (૪૩) જિનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્ય સાંભળે.” એ પદ તત્વજ્ઞાનમાંથી વિચારશોજી. (૩) પ્રશ્ન – મોક્ષ કેને કહેવાય? ઉત્તર – શુભ કે અશુભ ભાવ વડે પુણ્ય કે પાપ બંધાય છે, તેની નિવૃત્તિ થયે જીવ સમભાવમાં, આત્મભાવમાં માત્ર જ્ઞાતા દ્રષ્ટા નિર્વિકલ્પ રહે ત્યારે પૂર્વે બાંધેલાં કર્મ છૂટવા માંડે છે અને નવાં કર્મ બંધાતાં નથી. રાગદ્વેષમાં જીવ તણયા કરે છે તે ટેવ પલટાવી મંત્ર આદિ જ્ઞાનીની આજ્ઞામાં સ્થિર થતાં શાંતિ – આત્મસુખ– અનુભવાય તે કશા બીજા વિક ન રહે, ત્યાં માત્ર આત્મા આત્મારૂપે જ રહે, એવી દશાથી કર્મ જેટલાં બાંધેલાં છે તે બધાં ક્ષય થતાં નિરંતર શુદ્ધ આત્મસ્વરૂપે પરમ આનંદમય સદાય રહેવું તે મેક્ષ છે : દેહાદિક સોગને, આત્યંતિક વિયેગ; સિદ્ધ મેક્ષ શાશ્વતપદે, નિજ અનંત સુખ ભેગ.” (૪) પ્રશ્ન – આ દુનિયા કેણે રચી છે? આ બધું એમ જ કેમ થયા કરે છે? ઉત્તર – “કર્તા ઈશ્વર કેઈ નહિ, ઈશ્વર શુદ્ધ સ્વભાવ” આ વાંચી આપને પ્રશ્ન થયે કે આપણે શુદ્ધ સ્વભાવ તેને ઈશ્વર કહ્યો તે આ જગતને કર્તા કોણ છે? મોક્ષમાળા, શિક્ષાપાઠ ૧૦૧માં પ્રથમ વાક્ય છે કે “એક ભેદે નિયમ એ જ આ જગતને પ્રવર્તક છે.. Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૮૩ પત્રસુધા તે વિચારીએ તેા જડ પદાર્થા જડના નિયમે પ્રવર્તે છે અને ચેતન પદાર્થા ચેતનના ધર્મ (નિયમ) પ્રમાણે પ્રવર્તે છે. તમે ચૂલા ચેતાવી તપેલીમાં આધણ મૂકી ચાખાદાળ ચઢતા સુધી લગાડો છે તે ખીચડી થાય છે. તેવી રીતે દુનિયાનાં બધાં કાર્યાં બધા સ`સારી જીવા કરે છે. સ'સારી જીવ કામ કરવાના ભાવ કરે છે અને તેને અનુસરીને તેનું વીર્ય કે શક્તિ પ્રવર્તે છે, તે પ્રમાણે જડ પદાર્થા પોતાના નિયમની મર્યાદા પ્રમાણે પ્રવર્તે છે. વધારે લાગે તેા ખીચડી મળી જાય અને ન લાગે તેા કાચી રહે. દુનિયામાં થતાં કાર્યાના કંઈક ખુલાસા થવા આ દૃષ્ટાંત છે. પણ પ્રશ્ન થાય કે પૃથ્વી, અગ્નિ વગેરે કોણે રચ્યાં ? તેનું સમાધાન કે પૃથ્વીના કણા જેની કાયા છે એવા જીવે એવાં કર્મ ખાંધવાથી ત્યાં ઉત્પન્ન થાય છે, તે પૃથ્વીકાયરૂપ દેહ છોડી બીજે જન્મે છે ને વળી બીજા વનસ્પતિ આદિ જીવા જેમણે તેવાં જ કર્મ બાંધ્યાં હાય તે પાછા પૃથ્વીરૂપ શરીર ધારણ કરે છે. આમ અનત જીવા પૃથ્વી, અગ્નિ, પાણી, વાયુ આદિ શરીરા ધારણ કરી રહ્યા છે, મરે છે, જન્મે છે છતાં પૃથ્વી તેની તે આપણને દેખાય છે. તેવી જ સ્થિતિ સૂર્ય, ચંદ્ર, તારા વગેરેની સમજવી. આ સબધી ઘણા પ્રશ્નો ઊઠે પણ સમાગમ વિના માત્ર પત્રથી તેનું સમાધાન થવા સભવ નથી. છતાં વિચારાય તેટલા પ્રશ્નો વિચારવા, નાંધી રાખવા અને અવસરે તેના ખુલાસા મેળવી નિઃશંક થવાની જરૂર છેજી. આ પ્રશ્નના બીજો ભાગ ‘આ બધું એમ જ કેમ થયા કરે છે ?” તેના કઈક ખુલાસા ઉપરના લખાણથી થશે; છતાં જુદા ખુલાસા લખું છું. રાત્રિ, દિવસ, ઋતુ, ચામાસું આદિ વિજ્ઞાનના પ્રશ્નો વિદ્વાનોએ બહુ વિચાર્યા છે. નિશાળની વાચનમાળામાં પશુ તેવા પાઠ મૂકેલા છે. પૃથ્વી, ચદ્ર આદિની ગતિના નિયમાને અનુસરીને બધા ફેરફારો થયા કરે છે તથા પવનના પ્રવાહાને અનુસરીને વરાળનાં વાદળાં અને વરસાદ જંગલ આદિ અનુકૂળ સ્થળાએ વધારે અને ઉજ્જડ પ્રદેશેામાં આછે આમ થાય છે તેનું વર્ણન આ ટૂંકા પત્રમાં થઈ શકે તેમ નથી. પણ ઈશ્વરને નહીં માનનારા વિજ્ઞાનશાસ્ત્રીઓએ તેનાં કારણેા બુદ્ધિને સતાષ આપે તેવાં આપ્યાં છે. બધાના સાર એ છે કે અમુક અમુક નિયમાને અનુસરીને દુનિયામાં બધું પ્રવન થયા કરે છે. વળી એમ પણ પ્રશ્ન ઊઠે કે રાજા, રક, રાગી, નીરાગી, પાપી, પુણ્યવત વગેરેની વ્યવસ્થા કે હિંસાખ કાણુ રાખે છે ? તેના ઉત્તર પણ કર્મોના નિયમેા વિચારવાથી મળી આવે છે. જેવા ભાવા જીવ કરે છે તેવા પ્રકારના જડ પરમાણુઓના યાગ જીવ સાથે સંબધમાં આવે છે, તે કાળે કરીને બીજ જેમ વાવવાથી ફળ આપે છે તેમ પરભવમાં પેાતાના નિયમને અનુસરીને ફળ આપે છે. જીવ દેહ ોડીને જાય છે ત્યારે કના બનેલા સૂક્ષ્મ દેહ રથની પેઠે તેને જ્યાં તે કમ ફળવાન થવાનાં હેાય તેવી જગ્યાએ – ગર્ભ આદિમાં – લઈ જાય છે. ત્યાં સ્ત્રી, પુરુષ આદિ જેવાં કર્મ બાંધ્યાં હેાય તેવા દેહ, ખીજમાંથી છેડ થાય તેમ પ્રગટે છે, ક્રમે કરીને વધે છે અને જેટલું આયુષ્ય હાય તેટલા વખત સુધી ટકીને પાછે તે દેહસ બંધ છૂટી અન્ય સ્થળે તે જ રીતે જાય છે ને કમ`નાં ફળ ભોગવે છે. જેમ સાત દિવસ સુધીની ચાવીવાળું ઘડિયાળ હાય તે ચાવી દીધી એટલે સાત દિવસ સુધી ચાલ્યા કરે તેમ આયુષ્ય ચાલે ત્યાં સુધી આ ભવનાં કર્માં નિયમિત દેખાયા કરે છે અને ભાગવાઈ રહે તેમ છૂટતાં જાય છે અને રાગદ્વેષના ભાવે પ્રમાણે નવાં બધાતાં જાય છે તે નવા દેહનું કારણ થાય છે. Page #307 -------------------------------------------------------------------------- ________________ બેધામૃત (૫) પ્રશ્ન –માણસ મરી જાય છે તે કેવી રીતે અંદરથી આત્મા જ રહે છે? કંઈ ખબર કેમ પડતી નથી ? ઉત્તર – ઉપરના પ્રશ્નમાં ઉત્તર ઘણોખરો આવી ગયો છે પણ ફરી સ્પષ્ટ થવા લખ્યું છે. આયુષ્યકર્મને આધારે આ દેહ ટકતું હતું તે જેમ દીવામાં દિવેલ કે ઘાસતેલ થઈ રહે એટલે દી બુઝાઈ જાય છે અને જ્યોતિ વગરનું ફાનસ કે કેડિયું પડ્યું રહે છે તેમ દેહમાંથી અરૂપી (આંખે ન દેખાય તેવો) આત્મા કર્મ જ્યાં લઈ જાય ત્યાં ચાલ્યો જાય છે એટલે તેને આધારે શ્વાસોચ્છવાસ, લેહીનું ફરવું, ગરમી વગેરે નિશાનીઓથી જીવ જણાતું હતું તે ન દેખાવાથી આત્મા ચાલ્યો ગયે એવું નક્કી થાય છે. પવન વાતે હોય ત્યારે જેમ ઝાડનાં પાન હાલતાં જણાય છે, પણ સ્થિર પાન જણાય તે પવન પડી ગયા છે એવું લાગે છે તેમ આત્મા આંખે દેખાય તે પદાર્થ નથી અને કર્મ જે સાથે જાય છે તે પણ પવનની પેઠે દેખાય તેવાં નથી. એટલે જ કેમ કરીને ભળાય? પણ જેને આત્મા નિર્મળ હોય છે તે તે મરતાં પહેલાં પણ જાણે છે કે છ મહિના પછી આને દેહ છૂટી જશે. પરમકૃપાળુદેવ ઘણાને કહેતા કે અમુકનું આટલું આયુષ્ય છે. જ્ઞાન ઉપર આવરણ હોવાથી તે શક્તિ ઢંકાઈ ગઈ છે, તેને ખબર નથી પડતી. અરીસા ઉપર કચરો બહુ ઠર્યો હોય તે મુખ અંદર દેખી શકાતું નથી તેમ જ્ઞાનાવરણીય કર્મના થરથી બધું જાણી શકે તે આત્મા મૂઢ જે બની કંઈ જાણ શકતે નથી. (૬) છેલે ભાવના કરી છે કે “છેડેક અનુભવ થવો જોઈએ.” એનું સમાધાન એ છે કે તે અર્થે જ જ્ઞાની પુરુષએ ધર્મ પ્રરૂપે છે. માંદો માણસ ઈચ્છે કે “હવે રોગ મટે જોઈએ તે વૈદ્ય શું કહે? દવા લેશે અને તે જેમ જેમ તેની અસર રેગ ઉપર કરશે તેમ તેમ આરોગ્યતા વધતી જશે, પણ પથ્ય દવા નિયમિત લીધા કરવી પડશે. આત્મસિદ્ધિશાસ્ત્રમાં છેલે કહ્યું છે : આત્મભ્રાંતિ સમ રેગ નહિ, સદ્દગુરુ વૈદ્ય સુજાણ; ગુરુ-આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન.” સદ્ગુરુ વૈધે પિતે અનુભવેલી ખરેખરી ફાયદો કરે તેવી દવા “વિચાર કરવારૂપ ધ્યાનની બતાવી છે. “કર વિચાર તે પામ.” સાથે પથ્ય પણ બતાવ્યું કે સદ્દગુરુએ કરેલા બેધને અનુસરીને વિચાર કરે, તેની કરેલી આજ્ઞા નિયમિતપણે સાચા દિલે વિશ્વાસ રાખી ઉઠાવે, તે આત્મબ્રાંતિરૂપી મહારોગ મટે અને સમ્યકદર્શનરૂપ નેત્ર ઊઘડે, તે સર્વજ્ઞ ભગવાને કહેલું યથાર્થ સમજાય. છપદના પત્રમાં પણ અનુભવ થવા અર્થે લખ્યું છે: “અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલે એ જીવને અહંભાવ (હું સ્ત્રી છું, પુરુષ છું, બ્રાહ્મણ છું, વાણિ છું, ગરીબ છું, ધનવાન છું આદિ), મમત્વભાવ (મારે દેહ છે, સગાં છે, ધન છે, ઘરેણાં છે, કપડાં છે, ઘર છે, વેપાર છે આદિ) તે નિવૃત્ત થવાને અર્થે આ છપદની જ્ઞાની પુરુષેએ દેશના પ્રકાશી છે. તે સ્વપ્નદશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે, એમ જે જીવ પરિણામ કરે, તે સહજમાત્રમાં તે જાગ્રત થઈ સમ્યફદર્શનને પ્રાપ્ત થાય, સમ્યક્દર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે. કેઈ વિનાશી, અશુદ્ધ અને અન્ય એવા ભાવને વિષે તેને હર્ષ શેક, સંયોગ ઉત્પન્ન ન Page #308 -------------------------------------------------------------------------- ________________ * પત્રસુધા ૨૮૫ થાય. તે વિચારે સ્વસ્વરૂપને વિષે જ શુદ્ધપણું, સંપૂર્ણપણું, અવિનાશીપણું, અત્યંત આનંદપણું, અંતરરહિત તેના અનુભવમાં આવે છે. સર્વ વિભાવપર્યાયમાં માત્ર પિતાને અધ્યાસથી ઐકયતા થઈ છે, તેથી કેવળ પિતાનું ભિન્નપણે જ છે એમ સ્પષ્ટ – પ્રત્યક્ષ – અત્યંત પ્રત્યક્ષ – અપરોક્ષ તેને અનુભવ થાય છે.” (૪૯૩) આથી વધારે જ્ઞાની પુરુષ શું કહે? જીવ પિતાની કલ્પનાઓ મૂકીને “જ્ઞાનીએ કહ્યું છે તે સત્ય છે, જરૂર મારે તે જ માનવું છે, નથી મનાતું તે મારો દેશ છે એમ માની વારંવાર જ્ઞાની પુરુષનાં વચને વિચારવાથી તે સાચાં છે એમ ભાસ્યા વિના નહીં રહે. આત્મા આંખ આદિ ઇદ્રિથી દેખાય તેમ નથી માટે તેવી જોવાની કલ્પના મૂકી દઈ, જ્ઞાનીએ જે જાણ્યું છે તે આત્મા માટે માન છે, એટલે દઢ નિર્ણય કરી પરમકૃપાળુદેવનાં વચન વારંવાર વાંચશે, વિચારશે તે શ્રદ્ધા બળવાન થતાં સર્વ સંશય દૂર થઈ, નિઃશંક તે જ સત્ય છે એમ આત્મા સાક્ષી પૂરશે. પિતાની ખામી છે તે દૂર કરવી પડશે અને સત્સંગના આશ્રયની જરૂર છે. તે પણ પ્રાપ્ત થાય તેમ ભાવના રાખી પુરુષાર્થ વધાર્યા જવાથી સૌ સારાં વાનાં બની રહેશે. ઉતાવળ કરીને મૂંઝાવા જેવું નથી. ધીરજથી, સમતાથી સદ્દગુરુશરણે નિરંતર રહેવાય તેમ વર્તવા કમર કસવી ઘટે છે. જે શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૨૭૫ અગાસ, તા. ૧૨-૫-૪૧ વિશાખ વદ ૨, સોમ, ૧૯૯૭ જગસુખાકર, અતિ ઉપકારી, સૂર્ય સમા હિતકારી; ચરાચર જગ-ઉન્નતિકર્તા, અમને થે ઉદ્ધારી રે પ્રભુજી, બેધબળે ભવ તરીએ. (પ્રજ્ઞા ૧૦૫) આપે મહામહનીય સંબંધી પ્રશ્ન પુછાળે છે તેના ઉત્તરમાં જણાવવાનું કે “ઉપમિતિભવપ્રપંચ” નામના ગ્રંથમાં શ્રી સિદ્ધષિ મુનિએ તે “મહામહીને રાજાની ઉપમા આપી છે. તે ઘણે ઘરડો (અનાદિકાળનો) રાજા છે. તેને બે પુત્રો છે. મોટાનું નામ રાગ-કેસરી અને નાનાનું નામ ઠેષ-ગજે છે તે રાજ્યમાં મિથ્યાદર્શન નામે સેનાપતિ છે અને વિષયાભિલાષ નામે મંત્રી છે. આમ સર્વ મેહનીયકર્મના પરિવારનું વર્ણન છે. ત્યાં તે આખા મેહનીયકર્મને મહામહ નામ આપ્યું છે. (Great Britain એવું નામ ઈંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને આયર્લેન્ડને આપેલું છે તેવું દર્શનમેહ, કષાય અને નેકષાયનું એકત્ર નામ મહામહ પાડ્યું છે.) દર્શનમહને ઘણી વખત મેહ” એવું નામ અપાય છે પરંતુ દર્શનમેહનું બળ બતાવવા અથવા તેની સ્થિતિ ૭૦ કોડાકડી સાગરોપમની ઉત્કૃષ્ટ હેવાથી મોહનયકર્મને ત્રાસ જીવને લાગે એ અર્થે દર્શનમોહને પણ મહામહનીય નામ અપાય છે અને મહામહનીયનાં ત્રીસ સ્થાનક સ્થાનકવાસી પ્રતિક્રમણ પુસ્તકમાં છે તે મુખ્યત્વે દર્શનમેહના વિસ્તારરૂપ છે. તે જ અર્થ મુખ્યપણે શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રમાં પરમકૃપાળુદેવે દર્શનમેહનીય કર્મને ત્રાસ બતાવવા વાપર્યો લાગે છેજી: અસદગુરુ એ વિનયને, લાભ લહે જે કાંઈ મહામહનીય કર્મથી, બૂડે ભવજળમાંય.” એ વિચારતાં સહજ સમજાશે. Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ બેધામૃત બીજો પ્રશ્ન દર્શનમોહનીયના ત્રણ ભેદ વિષે છે તે વિષે જણાવવાનું કે – દર્શન મેહનું કામ સમજણમાં વિપર્યાસ કરવાનું છે તેને રસ ત્રણ પ્રકારે પ્રગટ થાય છે. શાસ્ત્રમાં તેનું દષ્ટાંત મદ ઉત્પન્ન કરે તેવા મેણુ કેદરાનું દીધું છે. જે કોઈ માણસ મેણુ કેદરાને દળીને જેટલા કરી ખાય તે તેને એટલે બધે મેણે ચઢે કે તે ઊભે પણ થઈ ન શકે, ભાન પણ ન રહે. તેને પાણીમાં થોડી વાર ઈ પાણી પર તરતા દાણા કાઢી નાખી, પ્રથમની પેઠે રોટલા કરીને ખાય તે તેને થોડે એણે ચઢે, ચક્કર આવે, મેણે ચઢયો છે એમ જાણે પણ કામ કરી શકે નહીં. અને જે બહુ વાર જોઈને તેની અસર બહુ જ થેડી રહે તે પ્રમાણે કરી તેને છડી-ખાંડીને પછી વાપરે તે તેને જરા અસર થાય ખરી પણ કામકાજ કરી શકે પણ કંઈક કેફ જેવું લાગ્યા કરે. અને જે તેને ભરડી, અંદરથી કેદરી કાઢી તેને સાફ કરી સારી રીતે રાંધીને વાપરે તેને બીજા દાણની પેઠે કંઈ પણ નુકસાન થતું નથી, એણે જણાતું નથી, કારણ કે છેડાં દૂર કર્યા છે એટલે બીજા દાણા પેઠે તે બરાક શુદ્ધ બનેલ છે. તેમ મિથ્યાત્વમોહનીયકર્મ અનાદિકાળથી જીવ બાંધતે આવ્યો છે અને તે ઉદય આવ્યે ભગવતે પણ આવે છે, તેના પ્રભાવે દેહાદિ પદાર્થો જે નાશવંત છે તેને સદાય રહેનાર માને છે, અશુચિ મળમૂત્રથી ભરેલા બહુ સુંદર, ભોગવવા યોગ્ય માને છે, જડ સ્વભાવવાળા પર છતાં પિતાનાં, પિતારૂપે જ માને છે. આ કામ મિથ્યાત્વમેહનીયનું છે તેમાં મોક્ષ કે મોક્ષ–ઉપાય સમજાતું નથી. કેઈ સત્સમાગમ ગે સાચી વાત સાંભળવામાં આવે ત્યારે જીવને રુચે છે, સત્યરુષ કહે તેમ માને છે. વળી પાછે કુસંગ થાય કે પિતાની વિપર્યાસબુદ્ધિનું બળ વિશેષ હોય ત્યારે મેક્ષમાર્ગ રેકનાર ઊંધી સમજને પણ સારી માને છે. આમ સાચાને સાચું અને ખોટાને પણ સાચું માનવારૂપ સમજણ કરાવનાર મિશ્રમેહનીય છે, અને જેને વિશેષ બેધને વેગ પ્રાપ્ત થયેલ હોય છે તેને જ્ઞાનીએ કહેલી વાત માન્ય થઈ હોય છે છતાં કંઈક વિપરીત પણું અલ્પ દર્શનમોહના ઉદયે રહ્યા કરે છે જે તેને પણ ખ્યાલમાં આવવું મુશ્કેલ છે પણ સમ્યકત્વને નાશ થતું નથી, મેક્ષ-ઉપાયમાં પ્રવર્તાવા દે છે તેને સમતિ મેહનીય કહી છે. તે વખતે પોતે દેરાસર કરાવ્યું હોય ત્યાં તેને બહુ શાંતિ જણાય, કે વીશ તીર્થકર સમાન શુદ્ધ સ્વભાવના છતાં શાંતિનાથ, પાર્શ્વનાથ આદિમાંથી કેઈના પ્રત્યે વિશેષ રાગ અને હિતકર્તા માની તેમાં કંઈક ભેદ સમજમાં રહ્યા કરે, આદિ દોષ શ્રદ્ધામાં મલિનતા કરે છે. પણ દર્શન મેહને ઉદય ન હોય ત્યારે શુદ્ધ સમકિતની પ્રાપ્તિ થવાથી જીવ નિઃશંક, નિઃસ્પૃહ, નિવિચિકિત્સાવાળે, અમૂઢ, ઉપગ્રહન ગુણવાળે, સ્થિતિકરણવંત, વાત્સલ્ય અને પ્રભાવના કરનાર બને છે. આ આઠે અંગે શુદ્ધ હોય ત્યાં સમકિત મેહને ઉદય હોતું નથી, ત્યારે તે કાં તે ઉપશમ સમકિત કે ક્ષાયિક સમતિવાળે હોય છે અને સમક્તિ મેહનીયન ઉદય હોય તેને ક્ષયે પશમ સમકિત કહ્યું છે. * તમારો ત્રીજો પ્રશ્ન પણ આને લગતે જ છે. પુરુષ કે સર્વજ્ઞનું ઓળખાણ મિથ્યાત્વમેહનીય થવા દે નહીં, તેથી જ્ઞાનીને સગાંવહાલાં, અમુક ધંધે કરનાર, ભાગીદાર કે સારા રાજા, સુધારક, ચમત્કારી શક્તિવાળા, જગતના મોટા માણસોમાંના એક તરીકે ઓળખે; પણ તે અનુકરણ કરવા યોગ્ય, ઈષ્ટ, આદર્શ કે પરમાત્મા તરીકે ન મનાય ત્યાં સુધી મોક્ષમાર્ગમાં પ્રવર્તવાનું જીવથી બની શકતું નથી, એટલે તેવા ઓળખાણથી સેવા વગેરે કરે તે પુણ્ય બાંધે, Page #310 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૨૮૭ પણ સાચી શ્રદ્ધા થયા વગર કર્મથી છુટાય, સંવર થાય તેવા ભાવ જાગ્રત થતા નથી. તેમાં દોષ મિથ્યાત્વને જ છે. સર્વજ્ઞ નામ લેવાથી કલ્યાણ થતું નથી પણ તેનું યથાર્થ ઓળખાણ થાય, તેના સ્વરૂપને ભાવ ભાસે તેવી યોગ્યતા સમ્યકત્વ વિના આવતી નથી. મેક્ષમાં સુખ બધા માને છે, પણ કેવા પ્રકારનું સુખ તે સર્વ સર્વની રુચિ પ્રમાણે કલ્પ છે. જેની સમ્યકત્વ દશા છે તેમને નિરાકુળ સુખને ખ્યાલ આવે છે અને તેની ભાવના રહ્યા કરે છે, અને જેમ જેમ દશા વધે તેમ તેમ વિશેષ મેક્ષ નજીક થાય છે. # શાંતિઃ શાંતિઃ શાંતિઃ તા. ક. – તમારા તરફથી આજે પૂજા પ્રભાવના થઈ હતી. શુદ્ધ ભાવના લશે શુભભાવની પ્રવૃત્તિ શ્રેયસ્કર છે. શુદ્ધ ભાવ સિવાય બીજે ક્યાંય સંતોષ માની અટકી જવા જેવું નથી એમ વિચારવાનના ચિત્તમાં રહ્યા કરે છેજી. ૨૭૬ અગાસ, તા. ૧૪-૫-૪૧ તત્ સત્ વૈશાખ વદ ૪, બુધ, ૧૯૯૭ પરમ પ્રભુને પગલે ચાલે, શેક કર્યું શું વળશે? ઉત્તમ ગુણ અંગીકૃત કરતાં, દોષ આપણા ટળશે રે પ્રભુજી, બોધબળે ભવ તરીએ. શેકાકુલ મન શાંત કરીને, ભક્તિમાં મન રાખે, સહજાત્મસ્વરૂપ પરમગુરુ, જપતાં નિજ સુખ ચાખે છે. પ્રભુજી (અ. ૧૦૫) આપે પરમકૃપાળુદેવના ચિત્રપટનું સ્મરણ ઝાંખું રહે છે એમ જણાવ્યું, તેના ઉત્તરમાં જણાવવાનું કે હૃદય-દર્શન આપણુ ભટકતા મનને રોકવા માટે છે. “ધ્યાનમૂઢ મુર્તિ ” એમ બોલીએ છીએ તે લક્ષમાં રાખવા વિનંતી છે.જી. સ્પષ્ટતા-અસ્પષ્ટતાની ફિકરચિંતા કરવા ગ્ય નથી. પ્રેમપૂર્વક વારંવાર દર્શન કરતા રહેવાથી, તેમાં વૃત્તિ રાખી તેમણે પ્રાપ્ત કરેલી વીતરાગતા, દેહાધ્યાસને અભાવ, સમ્યકજ્ઞાનાદિ પ્રભાવનું ચિંતન કરતા રહેવાથી તે પરમપુરુષમાં તન્મય થવાની આપણી ભાવના વધે છે અને વૃત્તિ ત્યાં રોકાય છે, એકાગ્રતા થતી જાય છે, તે તરફ વિશેષ લક્ષ રાખવા ભલામણ છે. જેમ બને તેમ કલ્પનાઓ શમાવી, સ્વરૂપ પ્રત્યે વળવાથી આત્મહિત થાય છે.જી. જે મહાપુરુષે સર્વ વિકલ્પ તજી આત્મામાં સ્થિરતા કરી, જ્ઞાતા દ્રષ્ટા નિર્વિકલ્પ થયા, તે મહાપુરુષનાં દર્શન, વંદન, ભક્તિ, સ્મરણાદિ આજ્ઞા તે જ અર્થે હોય. તે ન ચુકાય તેવી ભાવના આપણે કરતા રહેવું એ હિતકારક છે”. જ્ઞાનીએ આત્મા જાયે છે તે મારે માન્ય છે અને અત્યારે કંઈ ભાન નથી એટલે હું કલ્પના કરું તેમાં કંઈ માલ નથી. મારું કામ તે જ્ઞાનીએ કહેલા સત્સાધનની આરાધના કરવી એ જ છે. તેનું જે ફળ આવશે તે સત્ય જ હશે, કેમ કે આત્મા જાણીને જે પુરુષે આજ્ઞા કરી છે તે આજ્ઞાનું ફળ આત્મશુદ્ધિ જ આવે, એવી દઢ માન્યતા કરવી – રાખવી ઘટે છે. કોઈ વસ્તુ દેખાય, ન દેખાય તેને વિષે કંઈ વિકલ્પ નહીં કરતાં, બધું ભૂલી જવાનું છે. “અખાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂપ” તે સર્વે બાદ કરતાં બાકી રહે તે છે, તેની ભાવનાને ક્રમ પરમકૃપાળુદેવે એક પત્રમાં જણાવે છે – Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ બેધામૃત “ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઈતી. અમુક કાળ સુધી શૂન્ય (નિર્વિકલ્પતા) સિવાય કંઈ નથી જોઈતું, તે ન હોય તે અમુક કાળ સુધી સંત સિવાય કંઈ નથી જોઈતું, તે ન હોય તે અમુક કાળ સુધી સત્સંગ સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તે આર્માચરણ (આર્ય પુરુષએ કરેલાં આચરણ) સિવાય કંઈ નથી જોઈતું, તે ન હોય તે જિનભક્તિમાં અતિ શુદ્ધ ભાવે લીનતા સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તે પછી માગવાની ઈરછા પણ નથી. ગમ પડ્યા વિના આગમ અનર્થકારક થઈ પડે છે. સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ થઈ પડે છે. સંત વિના અંતની વાતમાં અંત પમાને નથી. લેકસંજ્ઞાથી લેકારો જવાતું નથી. લકત્યાગ વિના વૈરાગ્ય યથાયોગ્ય પામે દુર્લભ છે, એ જ વિજ્ઞાપન.”(૧૨૮) ૨૭૭ વિશાખ વદ ૭, ૧૯૯૭ જેવું દુઃખ ભૂખનું, રોગનું કે સગાંવહાલાંના વિયેગનું લાગે છે તેવું અજ્ઞાનદશાનું દુઃખ લાગતું નથી અને પરમકૃપાળુદેવ તે, મુમુક્ષુ જીવન એટલે વિચારવાન જીવને એક અજ્ઞાન સિવાય બીજે કોઈ ભય હોય નહીં એમ લખે છે. તે આપણે વિચારવું ઘટે છે કે કેટલે ભય સંસારને કે તેના કારણરૂપ અજ્ઞાનને આપણને લાગે છે? જે અનુકૂળતાઓ કે દેહનાં સુખ નથી તે દુઃખરૂપ લાગે છે અને તે મળી જાય તે સંસારને જ સુખરૂપ માને એવા આ જીવના હજી ભાવે વર્તે છે, ત્યાં બોધ હૃદયમાં રહે તથા છૂટવાની ગૂરણા જાગવી ક્યાંથી બને? ઇદ્રિયવિષયેની વાસનાએ આ જીવનું જેટલું ભૂરું કર્યું છે તેટલું કેઈએ કર્યું નથી. અનંતકાળ તેથી રઝળવું પડ્યું અને પોતે પોતાને જ વેરી થયે, તે વિચારી હવે તે શત્રુ તરફની ગમે તેવી લલચાવતી ભેટ પણ ઝેર જાણી તે તરફ વૃત્તિ કરવા નથીજી. સત્પરુષનાં વચનમાં પ્રેમ, ભક્તિ, ઉલલાસ આવ્યા વિના તે મહાપુરુષને ઉપકાર ખરા હૃદયથી જીવ ગ્રહણ કરી શકો નથી, તેનું કહેલું સમ્મત કરી શકતા નથી. તેમ કરવું હોય તેમાં વિષય અને પ્રમાદ આડે આવે છે. તે બન્નેને હઠાવીને આત્માને સપુરુષ, તેમનાં વચન, તેમની આજ્ઞામાં ઉલ્લાસ આવે તે અર્થે સત્સંગની ઘણી જ જરૂર છેજી. પિતાનામાં બળ ન હોય અને સત્સંગને આશ્રય ન લે તે જીવને બચવાનું સાધન શું છે? તે એકાંતમાં વિચારી સત્સંગપ્રેમ વધારશોજી. ૨૭૮ અગાસ, વૈશાખ વદ ૧૦, ૧૯૯૭ પૂત્યાં આહાર રાજમંદિરમાં કામ કરે છે, ભક્તિમાં આવે છે અને સત્સાધન લીધેલું છે તે જાણ્યું. પરમકૃપાળુદેવ પ્રત્યે શ્રદ્ધા દઢ થાય તે બધાં સત્સાધનને પ્રથમ પાયો ગણવા યોગ્ય છે. વખત મળતું હોય ને જિજ્ઞાસા હોય તે “જીવનકળા’ના વાંચનથી કે સાંભળવાથી સપુરુષ પ્રત્યે પ્રેમની વૃદ્ધિ થાય તેવું છે. ગમે તે જગતમાં મોટો માણસ ગણાતે હોય પણ સત્ય વસ્તુ જે આત્મસ્વરૂપ છે તેથી વિમુખ હોય, તેનાં કારણ સપુરુષ, સપુરુષનાં વચન, તેમના ભક્તોને સમાગમ – આ બધી બાબતે મળવી જેને મુશ્કેલ છે તે અત્યારે મેટો ગણાતો હોય તો પણ સમજજને તેને દુર્ભાગી કે અભાગિયે ગણે છે અને જેને તેવાં આત્મહિતનાં સાધને સુલભ થયાં છે, તેને માટે બહુમાન, આદર, રુચિ, પ્રેમ જાગ્યાં છે તે ગમે Page #312 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૨૮૯ તે ગરીબ ગણતે હલકે નેકર કે પશુ હોય તે પણ તે દેવ તુલ્ય છે એમ મહાપુરુષે કહે છે. આ વાત બહુ વિચારવા લાગ્યા છે. જગતમાં સારા ગણાવા માટે કલાજને માન આપીને પિતાનું કલ્યાણ થાય તેવાં નિમિત્ત હોય તેથી પણ ડરતા રહેવું, છુપાતા-નાસતા ફરવું એ મહા હાનિકારક જ્ઞાનીઓએ કહ્યું છે, અનંતાનુબંધીનું કારણ ગણું છેઝ. શ્રી મીરાંબાઈ જેવાં બાઈ માણસ પણ નિર્ભય ભક્તિ કરી શકયાં છે તે સત્સંગને પ્રતાપ છે. મેરે તે ગિરિધર ગોપાલ દૂસરે ન કોઈ - સાધુસંગ બૈઠ બૈઠ લોકલાજ ઈ- મેરે તે.” જેનાં મહાભાગ્ય હશે તેને આવા આત્મકલ્યાણ કરવાના નિમિત્તરૂપ સત્સંગની ભાવના જાગશે; અને તેવી જિજ્ઞાસા પિષ્યા કરશે તે જરૂર જીવ ઊંચે આવશે; અધમ વાસનાઓને કાળાં મેં કરીને કાઢી મૂકશે, હૃદયને પવિત્ર બનાવશે. સાચું જાણ્યું નથી, સાચું સાંભળ્યું નથી અને સાચાની શ્રદ્ધા થઈ નથી ત્યાં સુધી જ તુચ્છ વિષયે, તુચ્છ મિત્રો અને તુચ્છ વાતાવરણમાં જીવને મીઠાશ, સંતોષ અને આસક્તિ રહ્યા કરે છે. નહીં તે કાચ અને હીરાની સરખામણીમાં હીરા પર જ દષ્ટિ સૌની પડે. કારણ કે તેનામાં તેટલી ઉત્તમતા હોવાથી આકર્ષણ કરી શકે છે, પણ તેની કિંમત વગરના બાળકને તે એક પતાસા જેટલી પણ તેની કિંમત લાગતી નથી. તેમ પુરુષનાં અચિંત્ય માહાભ્યવાળાં વચનને પરિચય જેને રહે તેને ધન, સ્ત્રી, પુત્ર કે અલંકારો કરતાં વિશેષ શાંતિ, સુખ અને આનંદનું કારણ તે સમજાય છે. પણ અજાણ્યા માણસને તે છાપાંના સમાચાર જેટલી પણ તેની કિંમત સમજાતી નથી. છાપાં વાંચવામાં કલાક બે કલાક ગાળે પણ પુરુષનાં વચનોમાં ઉલ્લાસ આવતું નથી એ કઈ મેહનીયકર્મને પ્રભાવ છેજ. પણ વારંવાર તે પરિચય રાખતાં રુચિ પણ તેવી થવા ગ્ય છેજ. માટે શરૂઆતમાં મુશ્કેલ જણાય તે પણ સત્પષનાં વચનમાં ચિત્ત વારંવાર રેકતાં, સપુરુષના ઉપકારની સ્મૃતિ આણ તેના ગુણગ્રામ સાંભળતાં નવીન અપૂર્વ પ્રેમ જીવમાં જાગવા સંભવ છેજી. માટે મહાપુરુષનાં વચનની અપૂર્વતા સમજવા પ્રયત્ન કરતા રહેવા વિજ્ઞાપના છેજ. વિશેષ શું લખવું? આપ સર્વ સુજ્ઞ છે. સત્સંગ સર્વ શ્રેયનું મૂળ છે. જે શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૨૭–પ-૪૧ જેઠ સુદ ૧, મંગલ, ૧૯૯૭ નહીં ક્ષમા, નહીં સંયમ, નહીં વિનય, તપ, શીલ, ઉપવાસ, નહિ સેવ્યાં, નહિ ભાવ્યાં, મિથ્યા દુષ્કત મુજ થવા આશ. વિ. આપને ખુલ્લા દિલથી શુદ્ધ થવા વિષેને ક્ષમાપનારૂપ પત્ર મળ્યો છે જ. આપની દષ્ટિ પિતાના દોષ જોઈ તે સર્વને વગેરવીને કાઢી નાખવાની જે જાગી છે તે હિતકારી તથા મને પણ અનુકરણ કરવા યોગ્ય જણાઈ છે. પશ્ચાત્તાપરૂપ પવિત્ર નદીમાં સ્નાન કરીને ઘણા ભવ્ય છે સદ્ગુરુના શરણથી આ ભવસાગર તરી ગયા છેજી. ૫. ઉ. ૫. પૂ. પ્રભુશ્રીજી વારંવાર કહેતા હતા કે “ભૂ ત્યાંથી ફરી ગણ, જાગ્યા ત્યાંથી, સમયે ત્યાંથી સવાર” ગણીને હવે જેટલું ડું જીવવાનું બાકી રહ્યું છે તે એવું જીવવું કે જેથી સર્વને સંતોષ 19 Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ બેધામૃત થાય અને આપણું કલ્યાણ થાય. વળી કહેતા કે પાઘડીને છેડે કસબ આવે છે તેમાં બધી પાઘડીની કિંમત આવી જાય છે, તેમ જિંદગીને છેલ્લે ભાગ જે સદ્દગુરુને શરણે સુધારી સમાધિમરણ કરવા કેડ બાંધી પુરુષાર્થ કરે અને સમાધિમરણ કરે તે જિંદગીના બધા દેશનું અને અનંતકાળમાં થયેલા દેનું સાટું વળી રહે તેમ છેજ. આશ્રમમાં જેને દેહ છૂટશે તેને સમાધિમરણ થશે એમ પણ તેમને બેલતા સાંભળેલ છેછે. અને આપને તે હવે સર્વ પ્રકારે તેવી અનુકૂળતા મળી છે કે કેઈની ચિંતા-ફિકર કરવાનું રહ્યું નથી. છોકરા છોકરાનું કરી લે છે. એક તમારે તે ફક્ત સત્સંગ અને સદ્ગુરુની આજ્ઞામાં હવે પાછલા દિવસે ધર્મધ્યાનમાં ગળાય તેવી ભાવના હોય તે સહેજે બને તેવું છે તે કરી લેવા વિનંતી છેજી. » શાંતિઃ શાંતિઃ શાંતિ ૨૮૦ અગાસ, તા. ૧-૬-૪૧ “પરમ પુરુષ પ્રભુ સદ્દગુરુ, પરમ જ્ઞાન સુખધામ, જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ.” આપની જિજ્ઞાસાને કંઈક સંતેષ થવા પૂરતું ઉત્તરરૂપે લખું છું છતાં તમે પૂછેલા પ્રશ્નોના ખુલાસા સમાગમે યથાર્થ સમજાય તેમ છે. કર્તા ઈશ્વર કઈ નહિ, ઈશ્વર શુદ્ધ સ્વભાવ, અથવા પ્રેરક તે ગણે, ઈશ્વર દેષ પ્રભાવ. અર્થ – જગતને અથવા જનાં કર્મને ઈશ્વર કર્તા કઈ છે નહીં, શુદ્ધ આત્મસ્વભાવ જેને થયું છે તે ઈશ્વર છે, અને તેને જે પ્રેરક એટલે કર્મકર્તા ગણીએ તે તેને દોષને પ્રભાવ થયે ગણવે જોઈ એ માટે ઈશ્વરની પ્રેરણા જીવનાં કર્મ કરવામાં પણ કહેવાય નહીં. જે કર્મના ફળને ઈશ્વર આપે છે એમ ગણીએ તે ત્યાં ઈશ્વરનું ઈશ્વરપણું જ રહેતું નથી, કેમ કે પરને ફળ દેવા આદિ પ્રપંચમાં પ્રવર્તતા ઈશ્વરને દેહાદિ અનેક પ્રકારને સંગ થો સંભવે છે, અને તેથી યથાર્થ શુદ્ધતાને ભંગ થાય છે. મુક્ત જીવ જેમ નિષ્ક્રિય છે એટલે પરભાવાદિને કર્તા નથી, જે પરભાવાદિને કર્તા થાય તે તે સંસારની પ્રાપ્તિ થાય છે, તેમ જ ઈશ્વર પણ પરને ફળ દેવા આદિરૂપ ક્રિયામાં પ્રવર્તે તે તેને પણ પરભાવાદિના કર્તાપણને પ્રસંગ આવે છે અને મુક્ત જીવ કરતાં તેનું ન્યૂનત્વ કરે છે, તેથી તે તેનું ઈશ્વરપણું જ ઉચ્છેદવા જેવી સ્થિતિ થાય છે. વળી જીવ અને ઈશ્વરને સ્વભાવભેદ માનતાં ? પણ અનેક દેષ સંભવે છે. બન્નેને જે ચૈતન્યસ્વભાવ માનીએ, તે બન્ને સમાન ધર્મના કર્તા થયા તેમાં ઈશ્વર જગતાદિ રચે અથવા કર્મનું ફળ આપવારૂપ કાર્ય કરે અને મુક્ત ગણાય; અને જીવ એકમાત્ર દેહાદિ સૃષ્ટિ રચે, અને પિતાનાં કર્મોનું ફળ પામવા માટે ઈશ્વરાશ્રય ગ્રહણ કરે, તેમ જ બંધમાં ગણાય એ યથાર્થ વાત દેખાતી નથી. એવી વિષમતા કેમ સંભવિત થાય? વળી જીવ કરતાં ઈશ્વરનું સામર્થ્ય વિશેષ માનીએ તે પણ વિરોધ આવે છે. ઈશ્વર શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ગણીએ તે શુદ્ધ ચૈતન્ય એવા મુક્ત જીવમાં અને તેમાં ભેદ પડે. ન જોઈએ, અને ઈશ્વરથી કર્મનાં ફળ આપવાદિ કાર્ય ન થવાં જોઈએ; અથવા મુક્ત જીવથી Page #314 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૨૯૧ પણ તે કાર્ય થવું જોઈએ; અને ઈશ્વરને જો અશુદ્ધ ચૈતન્યસ્વરૂપ ગણીએ તે તે સ`સારી જીવા જેવી તેની સ્થિતિ ઠરે, ત્યાં પછી સજ્ઞ આદિ ગુણુને સ`ભવ કયાંથી થાય ?....એ આદિ અનેક પ્રકારથી ઈશ્વરને તેવે સ્વરૂપે માનતાં તેનું ઈશ્વરપણું ઉત્થાપવા સમાન થાય છે.’' ટૂંકામાં આ વાત જણાવી છે તેથી વિશેષ વિચાર કે સત્સમાગમ વિના સમજાવી મુશ્કેલ છેજી. અ‘ગ્રેજીમાં કહેવાય છે — Perfection of humanity is Divinity." એટલે જીવને શિવ થાય છે. આ વાત તમે પણ કોઈ અંશે માનતા હશે. પૂર્ણ પદની પ્રાપ્તિ અર્થે જ સર્વ ધર્માત્માએ પ્રયત્ન કરે છે. અત્યારે આપણામાં અપૂર્ણતાએ પ્રગટ જણાય છે તે સર્વાં ́શે દૂર કરવાના સર્વ ધર્મના ધ્યેય છે. તેવું પદ્મ પૂર્વે શ્રી રામ, શ્રી મહાવીર આદિ અનેક મહાત્માએ પામ્યા છે અને સદ્ગુરુકૃપાથી આપણે પણ પામી શકીએ તેમ છે. જે જે તે પરમપદ પામ્યા છે તે સર્વ ઈશ્વરસ્વરૂપ છે એમ માનવાયેાગ્ય છે; પણ જગતની રચના કરે તે ઈશ્વર એવી વ્યાખ્યા કરતાં ઉપર જણાવેલા અને તેવા અનેક દેાષાને સ્વીકાર કરવારૂપ વિધા જણાય છેજી. ઈશ્વર સંબધી મહાત્મા ગાંધીજીએ શ્રીમદ્ રાજચદ્રને પ્રશ્નો કરેલા છે તે પ્રશ્નો અને ઉત્તરા ‘શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાં પત્રાંક ૫૩૭માં છપાયેલા છે તે વાંચવા ભલામણ છેજી. બીજો પ્રશ્ન આપે લખ્યા છે તે પણ ઘણા વિચારવા યેાગ્ય છે. અનાદિકાળથી જીવ મેહમાં મારું મારું કરતા જન્મમરણ કર્યાં કરે છે. તેને સદ્ગુરુના ખેાધની ઘણી જરૂર છે. કેવી રીતે જીવ ખધાય છે અને કેવી રીતે તે બંધન તૂટે? એને ઘણા વિચાર કરી મુક્તિને માર્ગ યથાર્થ જીવુ Xમજે ત્યારથી તે દેખતા થયા કહેવાય. તે સિવાય એટલે જ્ઞાનચક્ષુ વિના જીવ આધળા ગણાય છે, તેવા જીવા જે જે ક્રિયાએ ધર્માંની કે અધમ'ની કરે છે તે બધી બંધનરૂપ થાય છે. તે તમે જણાવી તેવી અન્નાનત્યાગની – સ્ત્રીને તજીને ચાલ્યા જવાની – વાત સ્પષ્ટ ધનરૂપ છે. વૈરાગ્યના પણ ઘણા ભેદ છે— દુઃખગર્ભિત વૈરાગ્ય, મેહગર્ભિત વૈરાગ્ય અને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય. તેમાં છેલ્લે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય કલ્યાણકારી છેજી. દુઃખસુખની અને ખીજાને દુભવવાની કલ્પનાઓને નિણૅય સત્તમાગમે કરી લેવા ચાગ્ય છે. અત્યારે ન્યાયનીતિ પ્રમાણે પ્રવન રાખવા ભલામણ છેજી. પ્રસિદ્ધ દૃષ્ટાંત રામાયણુનું વિચારવા સૂચવું છું. રામે સીતાની સાથે લગ્ન કર્યું. પછી રામને વનવાસ જવું પડ્યું, તેા સીતાજી સાથે પતિસેવા માટે ગયાં. રાવણે સીતાના રૂપની વાત સાંભળી અને રામને ઠગીને દૂર કર્યાં. સીતાજીને હરી ગયા. સીતાજીનું શીલભંગ કરવા રાવણે માગણી કરી, પણ રાવણુનું મન દુભાય છે એમ જાણવા છતાં અન્યાયમાર્ગ જાણી તેમણે તેની માગણી સ્વીકારી નહીં. રામે સીતાની શેાધ કરી. હનુમાન આદિ દ્વારા સીતા પાછી મળે તે યુદ્ધ કરવું નથી એમ જણાવ્યું પણ રાવણે માન્યું નહીં, તેથી લડાઈ કરી. જગતમાં ન્યાયમાં પ્રવર્તાવવા રાવણુના આખા વંશનું નિકંદન કરવાનું કામ શ્રી રામને કરવું પડયું. આ બધું બહુ વિચારવું ઘટે છેજી. “તું ગમે તે ધર્મ માનતા હોય તેને મને પક્ષપાત નથી, માત્ર કહેવાનું તાત્પર્ય કે જે રાહથી સ`સારમળ નાશ થાય, તે ભક્તિ, તે ધર્મ અને તે સદાચારને તું સેવજે.” એમ શ્રીમદ્ રાજચ'દ્રની શિખામણ છે તે લક્ષમાં લેવા વિનતી છેજી. ૐ શાંતિ: શાંતિ: શાંતિ: Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ બધામૃત ૨૮૧ અગાસ, તા. ૧-૬-૪૧ તત્ સત જેઠ સુદ ૬, રવિ, ૧૯૯૭ “જે ઈરછે પરમાર્થ તે, કરો સત્ય પુરુષાર્થ; ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદે નહિ આત્માર્થ. રેકે જીવ સ્વછંદ તે, પામે અવશ્ય મોક્ષ; પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તે; ત્યાં ત્યાં તે તે આચરે, આત્માથી જન એહ.”–શ્રી આત્મસિદ્ધિજી આપની આત્મનિરીક્ષક સ્વદોષદર્શક દષ્ટિ જાણી સંતેષ થયે છે. કેઈક વખતે તે દષ્ટિ સ્વવર્તન પર દેવા કરતાં જેમ જેમ વારંવાર દેવાશે, તેમ તેમ થતી ભૂલે ઝટ પકડાશે અને તેને ઉપાય શોધી જવાથી દોષ દૂર થવાને પ્રસંગ આવશે. “આજે કઈ કૃત્યને આરંભ કરવા ધારતે હો તે વિવેકથી સમય, શક્તિ અને પરિ મને વિચારી આજના દિવસમાં પ્રવેશ કર.” (૨–૩૪) આ પુષ્પમાં પરમકૃપાળુદેવે જણાવ્યું છે તે વિશેષ વિચારવા યોગ્ય છે. સમય, શક્તિ અને પરિણામ વિષે વિચાર કરી પછી જે કામ કરવા નિશ્ચય થાય તેની આજ્ઞા લઈ પ્રવર્તવાથી તમને જે મૂંઝવણ આવે છે તે આવવાનો સંભવ એ છે છે. એક કામમાં આપણું ચિત્ત વિશેષ વખત સુધી ન રહેતું હોય તે પાંચ, દશ કે પંદર મિનિટ સુધી આ કામ કરવું છે એવી ચક્કસ વખત સુધીની આજ્ઞા લઈ તે પ્રમાણે વિશેષ કાળજી રાખી વર્તવું. વખત ટૂંકો રાખવાથી ચિત્ત થોડા વખત સુધી તે લીધેલા કામમાં જોડાય. એટલે વખત પૂરો થવા આવ્યું તે જ કામ માટે તેટલે કે તેથી એ છે વધતે વખત નક્કી કરી આજ્ઞા લેવી. આમ પિતાની શક્તિ તપાસી સમયનું માપ રાખી વર્તવું અને વારંવાર આજ્ઞા લઈને વારંવાર તૂટે તે પછી આજ્ઞાને કંઈ અર્થ નથી. માટે મનની શિથિલતા પિષવારૂપ પરિણામ ન આવે તે લક્ષમાં રાખી, થોડે થોડે પણ મનની કુટે તજાવવી છે અને નિયમમાં તેને લાવવું છે એ વારંવાર સ્મૃતિમાં લાવી નિશ્ચય કર્યા પ્રમાણે તે જરૂર વર્તવું જ, એવી દઢતા રાખવી. વખતે ભૂલ થાય તે શું કરવું, તે પણ પહેલેથી વિચારી લેવું. પ્રમાદ, નિદ્રા વિજ્ઞ કરે તે તેને ઉપાય પણ શોધો – જેમ કે ઊભા થઈ જવું, ફરતાં ફરતાં વાંચવું, વિચારવું; આંખે પાણી છાંટવું કે સુસ્તી વિશેષ જણાય તે ચિત્રપટ આગળ થેડા નમસ્કાર પાંચ-પચીસ કરવા. સાંજે વિશેષ ઊંઘ નડતી હોય તે રાત્રિ ભોજન તજવું, કે દૂધ વગેરે ઓછાં કરવાં. સવારે વહેલા ઊઠવાની ટેવ પાડવી હોય તે એલાર્મ (ઘંટડીવાળું ઘડિયાળ) કે કઈ મિત્ર જગાડનાર મળે તેવી કેઈ યુક્તિ કરવી. જૂનો રિવાજ પંડિતેના વખતને એ હતું કે ખીલા વગેરે સાથે ચેટલી બાંધી વાંચતા એટલે ઊંઘ આવે કે ડોલું આવે તે એટલી ખેંચાય કે જાગી જાય. આ બધા બાહ્ય ઉપાય છે. પણ ખરો ઉપાય તે ખરેખરી ગરજ અંતરમાં સમજાઈ હોય તે વિશેષ જાગૃતિ રહે છે. જેમ પરીક્ષા વખતે વગર કો વહેલું ઉઠાય અને ઊંઘ પણ બહુ ઓછી આવે, તેમ આ મનુષ્યભવમાં ધર્મકાર્ય કરી લેવાને ઉત્તમ અવસર આવ્યો છે, તેને વારંવાર ખ્યાલ રહે અને જે પ્રમાદ ને આળસમાં Page #316 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૨૯૩ - આ અલ્પ આયુષ્ય વ્યતીત થશે તે પછી લખચોરાશીના ફેરા ફરતાં કોઈ વખતે આવે લાગ આવવાને નથી. માટે ગમે તેમ કરીને પણ આ ભવમાં તે જરૂર આત્માનું ઓળખાણ કરી લેવાનું છે. અનંતકાળ આમ ને આમ પ્રમાદમાં ગયા. પણ હવે તે દેષ ટાળી, આત્માને શાંતિ પ્રાપ્ત થાય તેવો વેગ આવ્યો છે તે તે વખત ઊંઘ આદિ લૂંટારા બહુ લૂંટી ન જાય તે જિંદગી સુખે લાંબી લાગશે. દેષ થયા પછી પણ પશ્ચાત્તાપ જીવને થાય તે ફરી તે પ્રસંગ આવતાં પહેલેથી ચેતવાનું બને. માટે જીવને દેષ કરતે અટકાવવા ઠપકો પણ આપતા રહેવું કે આમ ને આમ વતીને તારે કઈ ગતિમાં જવું છે? ઝાડ થઈને ઊંડ્યા જ કરવું છે? કે વાગોળોની પેઠે લટકી જ રહેવું છે? જે હલકી પ્રવૃત્તિમાં પડી રહીશ તે પછી ઢોરપશુના ભવમાં પરણના માર ખાવા પડશે, આરે ઘેચાશે કે આડાં બરડે પડશે ત્યારે શું કરીશ? માટે સમજીને અત્યારે ધર્મનું આરાધન કરી લે કે જેથી પછી અધોગતિમાં જવું જ ન પડે અને મોક્ષમાર્ગ આરાધી શકાય તેવા ભાવ ફરી મળે. આમ વારંવાર જીવને જાગૃતિ આપતા રહેવું ઘટે છેજ. એ જ. એ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૨૮૨ અગાસ, તા. ૩-૬-૪૧ તત સત્ જેઠ સુદ ૮, મંગળ, ૧૯૯૭ દેહરા - સર્વ ધર્મનું બીજ જે, ધારે ઉર ગંભીર, રાજચંદ્ર-પદ નમું, સત્ય અહિંસક વીર ! રાગાદિક દૂર થાય ત્યાં, ખરી અહિંસા ધાર, રાગાદિ પ્રગટાવતાં, હિંસા સ્વરૃપ વિચાર. (પ્રજ્ઞાબેધ - ૯) તમારો પત્ર મળ્યો. કઈ સંન્યાસી સાથે કંઈ અથડામણ થઈ તેને ક્ષોભ પણ પત્રમાં ઉલ્લેખ પામ્યો છે. ધાર્મિક જીવનની શરૂઆતમાં બહુ સંભાળવાનું એ છે કે કુસંગ કે કુતર્ક ચઢી જવાથી જીવને વિક્ષેપનાં કારણે ઊભાં થાય છે. રાગદ્વેષમાં આપણો આત્મા તણાય કે આપણુ નિમિત્તે કઈને રાગદ્વેષમાં પ્રવર્તવાનું બને ત્યાં બન્ને પોતાનું સ્વરૂપ ભૂલી જાય છે, તે આત્મઘાત છે; આમ પિતે પિતાને વેરી આ જીવ થતો આવ્યો છે. રમત કરવા પણ વીંછીના દરમાં આંગળી ઘાલે તે ડંખ વાગવાને સંભવ છે. બાકી જગતમાં આત્માની વાત તે દુર્લભ છે, ઠેકાણે ઠેકાણે પૂછવાથી પ્રાપ્ત થાય તેમ નથી. દરેક ગજના શિરમાં મોતી હેતાં નથી, વને વને સિંહ વસતા નથી, પર્વતે પર્વતે હીરાની ખાણ હોતી નથી, તેમ સંન્યાસ (ત્યાગીના) વેશવાળા દરેક આત્મજ્ઞાની હતા નથી. ૨૮૩ અગાસ, તા. ૪-૬-૪૧ તઃ ૐ સત્ જેઠ સુદ ૯, બુધ, ૧૯૯૭ તમે સ્મરણમંત્રને અર્થ સમજવા વિનંતી કરી, તેના ઉત્તરમાં જણાવવાનું કે પરમકૃપાળુદેવે લખ્યું છેઃ “સપુરુષના એકેક વાક્યમાં, એકેક શબ્દમાં અનંત આગમ રહ્યાં છે, એ વાત કેમ હશે ?” (૧૬૬) મંત્ર પણ પરમકૃપાળુદેવે જણાવેલ શબ્દ છે, તે તેમાં પણ અનંત Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ બધામૃત શાસ્ત્રોને પરમાર્થ સમાયેલું હોવું જોઈએ. તે ઉકેલવા માટે, સમજવા માટે તેવાં પ્રબળ જ્ઞાનચક્ષુ પણું જોઈએ. પણ તેવી સામગ્રી ન હોય ત્યાં સુધી બેસી પણ રહેવું ઘટતું નથી. શ્રીમંતેને ત્યાં લગ્ન પ્રસંગે ઘણી સામગ્રી હોય તે બત્રીસ પ્રકારની રસોઈ કરી ઉત્તમ રીતે આવેલા મહેમાનોને સંતેષ પમાડે છે અને ગરીબને ત્યાં તે પ્રસંગ હોય તે જે મળી આવે તેવી સામગ્રીથી પણ પ્રસંગ ઊજવે છે. તેમ આપણી અલ્પ સમજણ પ્રમાણે સદ્ભાવનામાં ચિત્ત રાખવા તે મહાપુરુષના હૃદયમાં રહેલા અનંત ભાવોની શ્રદ્ધા હાલ તે રાખી તે પરમ પુરુષે કહેલાં વચનામૃતને આધારે સહજ આત્મસ્વરૂપનું તેમણે જે વર્ણન કર્યું છે તે લક્ષમાં રાખી ડું નીચે લખું છું તે ઉપરથી જે ભાવ કુરે તે મંત્ર ભણતાં લક્ષમાં રાખવા વિનંતી છેઃ સહજ આત્મસ્વરૂપ છે એવું કેવળજ્ઞાન તે પણ પ્રથમ મહિનીયકર્મના ક્ષયાંતરે પ્રગટ છે.” (૫૦૬) “કેવળ નિજસ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહિયે કેવળજ્ઞાન તે દેહ છતાં નિર્વાણ” એ અને તેની નીચેની આત્મસિદ્ધિની ગાથાઓ “કર વિચાર તે પામ” સુધીની વિચારી આત્માનું નિશ્ચયનયે જે શુદ્ધ સ્વરૂપ છે તે સહજ આત્મસ્વરૂપ વિચારવા લાગ્યા છે. દરરોજ ક્ષમાપનાના પાઠમાં બોલીએ છીએ કે “જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડે ઊતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપને પ્રકાશ કરે છે; તમે નીરાગી, નિર્વિકારી, સરિચદાનંદ સ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદર્શી અને ત્રિલેકડ્યપ્રકાશક છે.” તેમાં પણ એ જ વાત દર્શાવી છે. વળી પત્રાંક ૬૯૨ માં “શ્રી સદ્દગુરુએ કહ્યો છે એવા નિગ્રંથ માર્ગને સદાય આશ્રય રહો. હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારાં નથી. શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એ હું આત્મા છું એમ આત્મભાવના કરતાં રાગદ્વેષને ક્ષય થાય.” આ બધું લખાણ “સહજાન્મસ્વરૂપ” અર્થે કર્યું. હવે પરમગુરુ” એટલે જેણે તે સ્વરૂપે પ્રગટ કર્યું છે અથવા હૃદયમાં, ભાવનામાં, સમજણમાં તે સ્વરૂપ યથાર્થ રાખી તે પ્રગટ કરવા પિતાનાથી બને તેટલે બધો પુરુષાર્થ કરવા તત્પર થયા છે તે. અરિહંત ભગવંત અને સિદ્ધ ભગવંત બને સહજાન્મસ્વરૂપ થયા છે; આચાર્ય ભગવંત તે પ્રગટ કરવાના પુરુષાર્થમાં છે, તેમ જ ઉપાધ્યાય અને સાધુ ભગવંત પણ તે અર્થે તત્પર થયા છે, તેથી પંચ પરમેષ્ઠીઅરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુવર્ગ – પરમગુરુ સ્વરૂપે છે. ટૂંકામાં પરમકૃપાળુદેવના ચિત્રપટ પરથી જે તેમની વીતરાગ, નિવિકાર, સચિદાનંદસ્વરૂપ, સહજત્મસ્વરૂપ દશાની આપણા હૃદયમાં છાપ પડે તે ભાવનામાં આપણું આત્માને વારંવાર તન્મય કરે યોગ્ય છે; તે મહાપુરુષની દશાનું યથાશક્તિ હૃદયથી અવકન કરી તેમાં આપણું આત્માને રંગવાને છે, અભેદભાવે ભાવના સહજાન્મવરૂપની કરવાની છે. તે યથાર્થ સમજાય તે અર્થે ઉપર જણાવેલ પત્ર ૫૦૬ માં ઉપશમ અને વૈરાગ્યનું વર્ણન છે તે વારંવાર વિચારી આચરણમાં મૂકવું ઘટે છેજી. વૈરાગ્ય-“ગૃહકુટુંબાદિ ભાવને વિષે અનાસક્તબુદ્ધિ થવી તે “વૈરાગ્ય છે; અને તેની પ્રાપ્તિ-અપ્રાતિ નિમિત્તે ઉત્પન્ન થતે એવો જે કષાયક્લેશ તેનું મંદ થવું તે “ઉપશમ' છે. એટલે તે બે ગુણ વિપર્યાસબુદ્ધિને પર્યાયાન્તર કરી (પલટાવી) સદ્દબુદ્ધિ કરે છે, અને તે સદ્દબુદ્ધિ જીવાજીવાદિ પદાર્થની વ્યવસ્થા જેથી જણાય છે એવા સિદ્ધાંતની વિચારણું કરવા યોગ્ય થાય છે.” બધાનું મૂળ Page #318 -------------------------------------------------------------------------- ________________ ૫ત્રસુધા ૨૫ પલમેં પ્રગટે મુખ આગલર્સ, જબ સદ્દગુરુચર્ન સુપ્રેમ બર્સે પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમ ભેદ સુ ઉર બસેં. ” “મૂળ મારગ સાંભળો જિનને રે” એ પદ મુખપાઠ ન કર્યું હોય તે કરીને રોજ બેલવા યોગ્ય છે, વિચારવા યોગ્ય છે અને તેમાં સંક્ષેપે જણાવેલ ક્ષમાર્ગમાં પ્રવર્તવા ગ્ય છેછે. એ જ વિનંતી. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૨૮૪ અગાસ, તા. ૭-૬-૪૧ તત્ સત્ જેઠ સુદ ૧૩, શનિ, ૧૯૯૭ આપને પત્ર મળે. અનેક પ્રકારની આફતમાં પરમપુરુષનાં વચને આપને ધીરજનું કારણ બન્યાં છે એમ જાણી સંતોષ થયે છેજી. આપણી સાથે એક જ કુટુંબમાં વસનાર મરણને શરણ થાય ત્યારે સ્વાભાવિક રીતે ખેદ અને શોકનું કારણ બને; તે પણ વિચારવાનો જીવ તે ખેદ અને શોકને વૈરાગ્યભાવમાં પલટાવી દે છે અને વિચારે છે કે મોટા પુરુષે પંખીના મેળા જેવાં સગાંસંબંધીઓનું વર્ણન કરે છે તે પ્રત્યક્ષ સત્ય દેખાય છે. પૂર્વ, પશ્ચિમ આદિ દિશામાંથી આવી એક વૃક્ષ ઉપર રાત્રિ ગાળવા પક્ષીઓ એકઠાં થાય છે, પણ પ્રાતઃકાળ થતાં પાછાં જુદી જુદી દિશામાં ઊડી જાય છે, તેમ ચાર ગતિમાંની કઈ કોઈ ગતિમાંથી કુટુંબીઓ એકઠાં કુટુંબમાં મળે છે અને આયુષ્ય પૂર્ણ થતાં કર્મ પ્રમાણે જુદી જુદી ગતિઓમાં વીખરાઈ જાય છે. આપણે પણ આયુષ્ય પૂર્ણ થયે અહીંથી અવશ્ય ચાલ્યા જવાનું છે, અને પરભવને વિષે કેવા હાલ થશે તેને આધાર, આ ભવ જે પ્રકારે ગળાય છે તેના ઉપર છે. માટે બહુ વિચારપૂર્વક વર્તન આ ભવમાં રાખ્યું હશે તે પરભવમાં તેનું ફળ સારું આવશે. હજી આપણા હાથમાં આ મનુષ્યભવના આયુષ્યનાં જે વર્ષ બાકી છે તેને ઉત્તમ ઉપયોગ થાય તેમ ગળાય તેવી વિચારણ મારે જરૂર કરી લેવી એવી પ્રેરણા આ પ્રસંગ કરી રહ્યો છે. પત્રાંક ૬૮૯ વારંવાર વિચારવા ભલામણ છેજી. બીજું, આપે જનહિત થવા અર્થે ફિલમ અને બ્રોડકાસ્ટ વિષે લખ્યું છે તે કાળ આવ્યું બની રહેશે, પણ અત્યારે આપણે આપણું હિત અર્થે શું કરવું એ પ્રથમ વિચારણા હૃદયમાં રાખી, આપણું ચિત્ત પરમકૃપાળુદેવની આજ્ઞા-સત્સાધન સમજવામાં અને સમજાય તે પ્રમાણે વર્તવામાં રોકાય તેમ પુરુષાર્થ કરે ઘટે છે. હાલ તે આપણે આપણી યોગ્યતા, આપણાં આચરણ ઉન્નત થતાં જાય તે તરફ વિશેષ લક્ષ દેવા ભલામણ છે. ઘણું તરંગના ઘોડા દોડાવ્યે જાય છે, પણ હોય ત્યાંથી એક ડગલું આગળ વધતા નથી તેમ આપણું સંબંધમાં સપુરુષને આશ્રય ગ્રહણ કર્યા પછી તે ન જ થવું જોઈએ એમ દઢતાથી વિચારવું ઘટે છે. જેમ બને તેમ આખા જગત પ્રત્યે મૈત્રીભાવનાથી વર્તવું થાય, દયાપાત્ર જીવો પ્રત્યે તેમનાં દુઃખ કેમ દૂર થાય તથા પોતાનાથી બનતી મદદ તેમને કેવી રીતે થાય તે કરુણભાવને વર્તે તેમ જ સર્વને ભવમુક્ત કરવાની ભાવના જાગે, કોઈને પણ ઉત્તમ ગુણે જોઈ હર્ષ થાય, તેવા ગુણે પ્રગટાવવાનું બળ જાગે અને સર્વ દુષ્ટ દેખાતા જી પ્રત્યે ઉદાસીનતામધ્યસ્થભાવના અકલુષિત ભાવે તેમના પ્રત્યે વર્તવું થાય એ લક્ષ રહે તે જીવમાં પાત્રતા Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ બેધામૃત આવે છે. માટે આ ભાવનાઓમાં વિશેષ વિચારે રહે અને બને તેટલું આચરણ થયા કરે તે પુરુષાર્થ જગાવવા ભલામણ છે. શાંતિઃ શાંતિઃ શાંતિઃ ? ૨૮૫ અંગાસ, તા. ૧૧-૬-૪૧ તત્ સત જેઠ વદ ૨, બુધ, ૧૯૯૭ શ્રીમદ્ ગુરુ રાજચંદ્ર-૫૮ ચંદ્ર-ચંદ્રિકા સમ ચળકે, સૌ સંશય ટાળક બાળકના, વંદન કરું હું ઉમળકે; ત્રિવિધ તાપ બાળે કળિકાળે, મહામહ મૂંઝવી મારે, સુરતરુ સમ સદગુરુ જૅવને ત્યાં, આશ્રય દઈને ઉગારે. દેહ-જાળમાં સપડાયે છંવ, દશ્ય દેહ નિજ રૂપ માને, દેહ ગણી ચિંતામણિ રક્ષે, રહે સદા તેના ધ્યાને; રાખી રહે નહિ, જરૃર જવાની કાયા, તોપણ તે દષ્ટિ પરભવમાં લઈને ઍવ જાતે દેહ ગણે નિજ કુદષ્ટિ. (પ્રજ્ઞા ૧૦૬) પ્રથમ, પરમાવગઢ દશા સંબંધી જણાવવાનું કે પ્રથમ તમને વિચારદશા અને સ્થિતપ્રજ્ઞદશા વિષે લખેલું સ્મૃતિમાં છે તે ફરીથી વાંચવા વિનંતી છેજ. સ્થિતપ્રજ્ઞ, તીવ્ર જ્ઞાન અને પરમાવગાઢ દશા લગભગ સરખી સમજાય છે. પરમકૃપાળુદેવના જ્ઞાનમાં જે હોય તે સાચું. એ ઉત્તમ પૂજ્ય દશા–“દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત” – અત્યારે આપણી કલ્પનામાં આવવી દુર્લભ છે છતાં શ્રી સદ્ગુરુએ પ્રાપ્ત કરી છે એ જ મને પ્રાપ્ત થાઓ. મૂળસ્વરૂપ મારું તેવું છતાં હું અત્યારે શામાં આનંદ માનું છું? એ વિચારી “અજ્ઞાનથી અને સ્વસ્વરૂપ પ્રત્યેના પ્રમાદથી આત્માને માત્ર મૃત્યુની બ્રાંતિ છે. તે જ બ્રાંતિ નિવૃત્ત કરી શુદ્ધ ચૈતન્ય નિજ અનુભવ પ્રમાણુસ્વરૂપમાં પરમ જાગ્રત થઈ જ્ઞાની સદાય નિર્ભય છે.” (૮૩૩) આ વાતને લક્ષ લેવો ઘટે છે. એ પત્ર આખે બહુ મનન કરવા યંગ્ય છેજી. બીજું, આપે સ્મૃતિ કે મુખપાઠ થવામાં કઠણાઈ સંબંધી પ્રશ્ન કર્યો તેના સંબંધી જણાવવાનું કે ચિત્તમાં જેમ વિક્ષેપ ઓછ, દેહાધ્યાસ એ છો અને જ્ઞાની પુરુષનાં વચનામાં પ્રીતિ વિશેષ તથા તેના સંચયની ભાવનાની વૃદ્ધિ થાય તેમ તેમ તે વચને કંઠસ્થ થવામાં સરળતા થાય. પિતાની મેળે કરવા કરતાં જ્ઞાનીની આજ્ઞા સમજાય તે વિશેષ ભાવથી મુખપાઠ કરવા વિર્ય ફરે છેકારણ કે તેથી જ હિત છે એમ જીવને દઢ થયેલ હોવાથી તે પ્રત્યે વધારે પુરુષાર્થ કરે છે. દરરોજ કંઈ ને કંઈ મુખપાઠ કરવાને જેને અભ્યાસ હોય તેને તે વાત સરળતાથી બને છે. પૂર્વે મુનિવર્ગ ચૌદ પૂર્વ મુખપાઠ કરી લેતા. - છેલ્લું પ્રશ્ન “અંતર્મુખ વિષે છે. તે સંબંધી જણાવવાનું કે બહિરાત્મપણું એટલે દેહાદિ પદાર્થોમાં મન મગ્ન રહે છે તેને સપુરુષના બધે આત્મા તરફ વાળી સ્મરણ આદિ સત્સાધન, વડે આજ્ઞામાં રોકવું. રાગદ્વેષ આદિ વિક્ષેપ ઓછા કરી જેમ જેમ ભક્તિમાં મન લીન થશે તેમ તેમ “સદ્ગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દષ્ટિગોચર થઈ અન્ય સ્વછંદ મટે અને સહેજે આત્મબંધ થાય.તે વૃત્તિ અંતર્મુખ થશે, રહેશે. Page #320 -------------------------------------------------------------------------- ________________ ૯૦ પત્રસુધા “ઊપજે મેહ વિકલપથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહિ વાર.” (૯૫૪) અહીં શુદ્ધ આત્મા તરફ વૃત્તિ વળતાં સંસારનું વિસ્મરણ થાય છે, એમ દર્શાવ્યું છે. સદ્દગુરુ શુદ્ધ આત્મસ્વરૂપ છે, તેની ઉપાસના તે પણ તે જ પદમાં લીન થવા અર્થે છે. એ જ વિનંતી. ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ - ૨૮૬ અગાસ, તા. ૧૪--૪૧ તત ૩ સત્ર જેઠ વદ ૫, શનિ, ૧૯૯૭ “આ જીવ ને આ દેહ એ ભેદ જે ભાસ્યો નહીં, પચખાણ કીધાં ત્યાં સુધી મોક્ષાર્થ તે ભાખ્યાં નહીં; એ પાંચમે અંગે કહ્યો ઉપદેશ કેવળ નિર્મળે, જિનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્ય સાંભળે.” - શ્રીમદ્ રાજચંદ્ર આપને પત્ર મળે. બીડી તથા ચા એક વર્ષ માટે નહીં પીવાને નિયમ લેવા તમારી ભાવના છે તે પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ નમસ્કાર કરી વ્રતની ભાવના કરી લેશોજી. વ્રત, નિયમ લેવાં સહેલાં છે, પાળવા તેટલાં સહેલાં નથી એ તમારા જ ગામના એક ભાઈના દાખલા ઉપરથી સમજાય તેમ છે; તેથી જ તમને ઉતાવળ કરીને નિયમ લેવા કરતાં પ્રથમ પાળી જેઈ પછી નિયમ લેવા જણાવ્યું હતું. કદી વ્યાધિ આદિના પ્રસંગે દોષ લાગી જાય તો પણ કાયર થઈને વ્રત તજી દેવા ગ્ય નથી. હવે તે મારાથી ન પળે, વ્રત તૂટી ગયું તે તૂટી ગયું, હવે શું બને? એમ કરીને હિંમત હારી જવા જેવું નથી. બાર માસને નિયમ લીધે તે બાર માસ પૂરા અખંડિત પાળવાની કાળજી રાખવી ઘટે. જ્યારથી તૂટે ત્યારથી બાર માસ અખંડિત પાળી લેવા. એક વાર વચન આપ્યું હોય તે જેમ પ્રાણ જતાં પણ સત્યવાદી જન તેડતા નથી, તેમ ધર્માત્મા છએ પણ નિયમ સદ્ગુરુની સાક્ષીએ લીધે તે લૌકિક જનનાં વચન કરતાં પણ વધારે દુર્લભ છે જાણી તે નિષ્ફળ ન થાય તેવી કાળજી રાખી પાળવા માટે પુરુષાર્થ પરાયણ થવાની જરૂર છે. બીજી આપે ભાવના દર્શાવી છે તેના ઉત્તરમાં જણાવવાનું કે આપણને સદ્દગુરુની કૃપાથી મંત્ર મળ્યો છે તે વારંવાર સ્મૃતિમાં રહે તેવી ટેવ પાડવાથી મંત્રને પરમાર્થ પ્રગટવાનું કારણ છે. માટે પુરુષાર્થ કરવામાં પાછી પાની ન કરવી. તમારી નોકરીના ગામે જતાંઆવતાં મંત્રસ્મરણ કે આત્મસિદ્ધિના વિચાર કરવાની ટેવ રાખે તે જ જવા-આવવામાં થત શ્રમ જણાય નહીં અને સદ્દવિચારને અવકાશ એકાંત જંગલપ્રદેશમાં સારે મળે. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૨૮૭ અગાસ, તા. ૨૪-૬-૪૧ તત્ ૐ સત જેઠ વદ ૦)), મંગળ, ૧૯૯૭ ઇન્દ્રવજા – સંસારમાં વૃત્તિ રહે લગાર, મુમુક્ષતા તીવ્ર લ ન સાર; માટે મૂકીને પરભાવ સર્વ, ધારો સ્વભાવે મન મૂકીં ગર્વ. Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ બેધામૃત | ઉન્માદ ને આળસ છેડ જોડે, આજ્ઞા વિષે ચિત્ત સમાન ઘડે, જો વ્યર્થ કાર્યો પળ એક ખેશે, હારી જશે હા! ભવ સર્વ, રેશે. (પ્રજ્ઞાવબોધ ૮). આપને પત્ર મળે, લખેલા સમાચાર જાણ્યા. અજ્ઞાનદશામાં તે પુદ્ગલનાં લાભહાનિથી હર્ષશેક કરવાને જીવે અભ્યાસ કરી મૂક્યો છે એટલે તેવા પ્રસંગે વિષમતા વિશેષ દેખાય તેમાં નવાઈ નથી. પરંતુ જે મહા ભાગ્યશાળી જેને સંસારમાં પ્રવેશતા પહેલાં સપુરુષનાં દર્શન થયાં છે, તે મહાપુરુષને બેધ સાંભળે છે, છે અને તેની ઉપાસના કરવા અને મેક્ષ–મહેલ પર ચઢવા જેનું જુવાન લેહી ઊછળી રહ્યું છે, તેવા સપુરુષના આશ્રિતને તેવા પ્રસંગોમાં “આત્માથી સૌ હીન” એ લક્ષ ન ચુકાય. અમદાવાદ અને મુંબઈમાં હાલ એકાએક ખૂન થયાં જાય છે તેવા પ્રસંગમાં પૂર્વ કર્મના ગે સપડાઈ જતાં પણ તેને પરને દોષ ન ભાસે પણ પિતાનાં કરેલાં કર્મને આ ઉદય આવ્યું છે તે મારે ભોગવ્યે જ છૂટકે એમ વિચારી પ્રાણ લેનાર પ્રત્યે પણ વેર ન રાખે, પણ મારા કર્મો છોડાવવા તે આવ્યું છે એવી દષ્ટિ રાખી, જેમ પિતાના આત્માનું હિત સપુરુષના શરણે દેહ છોડવામાં છે તેમ તે મારનારને પણ તે મહાજ્ઞાની પુરુષનું શરણું મરણ વખતે હેજે અને તેને આત્માનું પણ કલ્યાણ થાએ એવી ભાવના સપુરુષના સાચા આશ્રિતને ઘટે છેજી. કેઈ ચાર અન્યાયીને પૂર્વ કર્મના ઉદયે વેગ મળી આવ્યો અને જે વસ્તુની સાથે આપણે સંબંધ મરતા પહેલાં પૂરા થવાને હતે તે વસ્તુ લઈ જવામાં તેના પુણ્ય-ઉદયે મદદ કરી અને તે તેમાં સફળ થયે, તે મને મોહમાં ઘેરી રાખનાર વસ્તુથી મુકાવનાર તે ભાઈને ઉપકાર માની, તેવા પાપનાં કાર્યોમાં તેની બુદ્ધિ હવે ન પ્રવર્તી અને સપુરુષનું શરણ તેને મનુષ્યભવમાં મળે કે જેથી ચોરીના વ્યસનને ત્યાગ કરવાનું અને આત્મહિત કરવાનું તેને સૂઝે એવી ભાવના મારે ભાવવી ઘટે છે. કોઈ પણ પ્રકારે આપણે આપણા ભાવ મલિન ન થાય તેમ વર્તવાની બળપૂર્વક કાળજી રાખવી ગ્ય છે. - સહજ-સમાધિની ભાવના મુમુક્ષુ છે વારંવાર કરે છે, તે એવા પ્રકારની હોય છે કે હે ભગવાન! એ જ્યારે દિવસ આવશે કે જ્યારે મને આત્માને આનંદ અનુભવાશે? એ આત્માને આનંદ, લાખ રૂપિયાની ખેટ વેપારમાં જાય તે પણ લૂંટાઈ જતું નથી અને લાખો રૂપિયાને લાભ થાય તે પણ તે આનંદ બાહ્ય કારણથી વધતું નથી. માત્ર આત્મભાવનાને આધારે પ્રાપ્ત થતે આનંદ આત્મપરિણામમાં ઉલાસ વધતાં વધે છે અને આત્મભાવનામાં વિશ્વ નડતાં હાનિ પામે છે. તે આત્મનિર્મળતા દિન દિન વધતી જાય અને આત્મિક આનંદ અખંડિતપણે અનુભવાતે જાય તેવી દશાની વારંવાર ભાવના કર્તવ્ય છે. # શાંતિઃ શાંતિઃ શાંતિઃ ર૮૮ અગાસ, અષાઢ સુદ ૪, શનિ, ૧૯૯૭ ઇનવજા- ટીપું કે કેટલ વાર ઘાસે? વાથી ખરી જાય, સુકાઈ જાશે; તેવું જ વિઘોથી જૈવિત તૂટે, માટે મુમુક્ષુ ખૂબ લાભ લૂટે. ક્યાંથી મળે માનવજન્મ આવે? માટે મળેલી તક ના ગુમાવે, જુવાન ચાલી જતેં આ જણાય, ઉતાવળે આવી રહી જાય. Page #322 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા વ્યાધિ પડી ફિકર ને ઉપાધિ, ઘેરી રહી કયાંથી મળે સમાધિ તાકી રહેલા વાળ કાળ ભાળે, તેથી પ્રમાદે નહિ કાળ ગાળે. ઉત્પત્તિ મૃત્યુ વળૉ શેક દુઃખ, ટાળી પમાડે પરમાત્મ-સુખ એવા સુધર્મે મન જેડ દેવું, શાને પ્રમાદે નરઆયુ ખેવું? (પ્રજ્ઞા ૦ ૮). કેઈને રેગ, ગરીબાઈ કે આફતથી ઘેરાયેલે દેખી દયા આવે છે અને આપણું બનતી મદદ કરવા મથીએ છીએ, તેમ જ આપણે આત્મા કર્મગ, પરવશતારૂપ ગરીબાઈ અને ક્ષણેક્ષણે મરણરૂપ આફતમાં આવી પડેલે છે, તેની દયા કયારે ખાઈશું? બનતી મહેનતે તેને બચાવવા કમર કસવી ઘટે છેજ. અમદાવાદ અને મુંબઈના બનાવે વાંચી કે સાંભળી, ત્યાંના લેકે બહુ સંકટમાં છે એમ લાગે છે, પણ આપણે તરફ આપણી દષ્ટિ કેમ જતી નહીં હોય? કાળ આપણુ મનુષ્યભવની દુકાને પ્રમાદરૂપ ઘાસલેટ છાંટી બાળી રહ્યો છે તેવા સમયમાં શું પગલાં લેવાં? આપણે આપણું રક્ષણ નહીં કરીએ તે બીજા એ બાબતમાં શું કરી શકે એમ છે? કઈ માં હોય કે લૂંટાઈ ગયું હોય તેની મદદ તે સેવાથી કે ધન આદિ વડે કરી શકાય પણ આત્માને સુખી કરવા કેઈ બીજાને પ્રયત્ન કામ આવે તે નથી. પુરુષ પણ ઉપદેશ આપી છૂટે, તે સાંભળી આપણુ આત્માને જન્મ-જરા-મરણના દુઃખમાંથી બચાવવાનું કામ તે આપણે જ કરવું પડશે. પિતે પિતાને વેરી બની છવ અનંતકાળથી ભમે છે તે હવે આવા સુયોગે જે તે અનાદિ માર્ગ બદલી પિતે પિતાને મિત્ર બની જાય, તે આ મનુષ્યભવની કઈ રીતે કિંમત આંકી શકાય નહીં તે અમૂલ્ય યેગ મળ્યો છે તે સફળ થાય. કાળને ભરોસે નથી, લીધે કે લેશે એમ થઈ રહ્યું છે ત્યાં ધર્મ ધ્યાનમાં બનતે વખત ગાળતા રહી જેટલું હવે જીવવાનું હોય તે ઉત્તમ રીતે ગાળવા નિશ્ચય કર્તવ્ય છેજી. પ્રમાદમાં જીવે ઘણું ખોયું છે માટે હવે તેને સંગ છેડી અસંગ થવા પુરુષની આજ્ઞાએ કાળજીપૂર્વક પ્રવર્તવું ઘટે છેજી. અત્યારે જે સંસારી કાર્યોમાં મન ભમે છે તેમાંનું કેઈ અંતે કામ આવવાનું નથી માટે સમાધિમરણને મદદ કરે તેવું જીવન જીવવા પુરુષાર્થ કર્તવ્ય છે. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૨૮૯ અગાસ, અષાઢ સુદ ૪, શનિ, ૧૯૯૭ “નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહી; આપ તણે વિશ્વાસ દૃઢ, ને પરમાદર નાંહી.” – શ્રીમદ્ રાજચંદ્ર અનંતકાળથી આ જીવ અનેક નાના મોટા ભ કરતાં અનેક પ્રકારના અકથ્ય દુખે સહન કરતે આવે છે. તેનું કારણ શોધતાં જ્ઞાની પુરુષે મથાળે જણાવેલી કડીમાં કહ્યું છે તેમ નિર્ણય છે કે પુરુષની આજ્ઞા છે હૃદયમાં અચળ કરી નથી, સદ્ગુરુ પ્રત્યે દઢ વિશ્વાસ આવ્યો નથી કે જગતના સર્વ પદાર્થ કરતાં પરમપુરુષ પ્રત્યે વિશેષ ભક્તિભાવ રહેતું નથી. જે સદ્દગુરુની આજ્ઞા હૃદયમાં દઢ થઈ હેત તે જીવ મોક્ષે ગયે હેત; પણ જન્મવું પડ્યું છે તે જ જણાવે છે કે જીવે પૂર્વે જ્ઞાનીની આજ્ઞા ઉઠાવી નથી. પણ હજી મનુષ્યભવને વેગ છે ત્યાં સુધી તે આજ્ઞા ઉપાસી આત્મકલ્યાણ સાધી લેવાને અવસર છે. આખા દિવસની આપણી Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ ખાલામૃત પ્રવૃત્તિ તપાસીએ તેા જણાશે કે જે અર્થે આ મનુષ્યભવ ગાળવા જોઈ એ તે માટે બહુ જ થોડા કાળ ગાળીએ છીએ. એટલે જે જે કઈ માટે ભાગે કરવું પડે છે તે આપણને જન્મમરણના દુઃખમાંથી મુક્ત કરાવે એવું હેાતું નથી. માત્ર પેટની વેઠ કે લેાભ અને મેહને વશ મજૂરી કરવી પડે છે. અત્યારે બીજું કઈ વિશેષ ન ખની શકે તે ષ્ટિ તે યથા રાખવી ઘટે છે; સ'સારના કારણેાને ખધનરૂપ, અહિતકારી અને વહેલાં મેડાં તજવા ચેાગ્ય જાણી દરેક કાર્ય કરતાં, તેથી કાંઈ આત્મહિત થવાનું નથી એટલે તે લક્ષ જરૂર રાખવા ઘટે છેજી. માયિક સુખથી આત્મહિત કોઈ કાળે થનાર નથી એટલા તેા દૃઢ નિશ્ચય રાખી, તેથી રાજી ન થતાં આત્મિક સુખની વાંછના – ભાવના વિશેષ વિશેષ રાખી,મેહમાં દેાડતા મનને નિરક ભાવેાથી પાછું વાળી જ્ઞાનીપુરુષની આજ્ઞામાં જોડવા ચેાગ્ય છે. જ્ઞાનીપુરુષની આજ્ઞા ઉપાસ્યા વિના કોઈ રીતે કયારેય મુક્તિ મળે તેમ નથી, એટલે દૃઢ નિશ્ચય હૃદયમાં રાખી જે જે પ્રવૃત્તિ કરવી તે ઉદાસીનતા-વૈરાગ્યસહુ કરવી ઘટે. ગમે તેટલે ધન આદિના લાભ થતા હેાય તેપણુ, માક્ષને અર્થે જે ભવ છે તે વેચીને આ ક્ષણિક વસ્તુએ ખરીદું છું એ ભાવ ભૂલવા ચાગ્ય નથી. કાડી સાટે રતન આપી દે તેમ અમૂલ્ય મનુષ્યભવ નજીવા પદાર્થોં લેવા જતા કરવા જેવી મૂર્ખાઈ હું કરું છું, તે ભૂલ જેમ બને તેમ વહેલામાં વહેલી તકે યથાશક્તિ ટાળવા ધારું છું એમ મનમાં રહેવું ઘટે છેજી. સત્પુરુષનાં વચને વારવાર વાંચી, વિચારી વૈરાગ્ય-ઉપશમ વધતા રહે તેમ વર્તવા વિનતી છેજી. દરરાજ સાંજે એકાંતમાં વિચારવા ચેાગ્ય છે કે શું કરવા આ મનુષ્યભવમાં આવ્યેા છું ? અને આ દિવસ શામાં ગાળ્યા? હવે કાલના દિવસ જીવવા મળે તેા કેવી રીતે ગાળવા ? આમ જેને વિચાર કરતા રહેવાની ટેવ હાય તે ન-છૂટકે કરવાના કામમાં પ્રવર્તે; પણ તેના ભાવ જે કરવા યેાગ્ય કામ છે તેના પ્રત્યે વિશેષ વધતા જાય અને ધનાદિના લાભમાં મનુષ્યભવ બધા વહી ન જવા દે, પણ આજીવિકા જેટલે ધનસ`ચય થયે તે જરૂર આત્મહિત કરવા તત્પર થાય, તેમ જ દરરાજ જ્ઞાનીપુરુષની આજ્ઞાને ઉપાસતા રહે. આંખા મીંચીને જગત ધનની પાછળ પડ્યું છે તેમ તે વગર વિચાર્યે ધધામાં મડ્યો ન રહે, પર`તુ ધંધાની અને ધર્માંની કિંમત આંકવામાં ભૂલ ન કરે અને શાશ્વત સુખને વિસારી તાત્કાલિક કમાણીમાં મશગૂલ ન થઈ જાય. સદ્વિચાર કરતા રહેવા અને સદાચરણુ પાળતા રહેવા ભલામણ છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૨૯૦ અગાસ આપને ચિંતાનું કારણ ઊભું થયું છે તે સાંભળી એ અક્ષર લખું કે મુમુક્ષુ જીવે સંસારના પ્રસંગેામાં કોઈ દિવસ તન્મય થઈ જવા યેાગ્ય નથી. એક જ્ઞાનીપુરુષ અને ખીજા તેના આશ્રિત મેાક્ષમાગ માં પ્રવર્તે છે એમ પરમકૃપાળુદેવે કહ્યું છે; તેના વિચાર કરશેા કે જ્ઞાનીપુરુષના આશ્રિતનામાં કેવાં ગુણ હેાવા જોઈએ કે જેથી તે મેાક્ષમામાં પ્રવર્તે છે એમ કહેવાય ? પરમકૃપાળુદેવે એક પત્રમાં જણાવ્યું છે કે “કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા ચેગ્ય નથી.” (૪૬૦) જગતના તુચ્છ પદાર્થા કરતાં આત્મા અનંતગણા મૂલ્યવાન છે તે તુચ્છ વસ્તુમાં તન્મય થઈ આત્તધ્યાન ન થાય તેમ મુમુક્ષુને કબ્જે છેજી. એમ સમજી, Page #324 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા * ૩૦૧ ભક્તિ-નિયમમાં વિદ્ધ ન પહોંચે તેમ બનતે પ્રયત્ન કર્તવ્ય છે. “શ્રીમદ્ રાજચંદ્રમાંથી પત્રાંક ૩૨૧ પૂરે વિચારી સદ્દગુરુનું આલંબન દૃઢ થાય તેમ પ્રવર્તવા વિનંતી છે.જી. રેજ મરણને વિચાર કરવાથી વૈરાગ્ય અને અનાસક્ત ભાવ વધે છે એમ ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી કહેતા હતા. # શાંતિઃ શાંતિઃ શાંતિઃ : ૨૯૧ અગાસ, તા. ૧-૭-૪૧ આષાઢ સુદ ૭, મંગળ, ૧૯૯૭ “ઊપજે મેહ-વિકપથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલેકતાં, વિલય થતાં નહિ વાર.” (૯૫૪) આપને પત્ર પ્રાપ્ત થશે. સત્સંગના વિયેગે આપને મૂંઝવણ રહે છે તેમ જ વૃત્તિના ચંચળપણાને લઈને મધુબિંદુની લાલસાનું દષ્ટાંત છે તેમ થયા કરે છે તે વાત જાણી. હે ભાઈ! આપના જેવી જ આ કાળના મુમુક્ષુઓની દશા છે, તે કેમ પલટાય અને પરમાર્થ જિજ્ઞાસા કેમ વધે તેના વિચારમાં જ જાણે ઉપર મથાળે લખેલે દેહ પરમકૃપાળુદેવે છેવટના અંતિમ કાવ્યમાં જણાવ્યું છે. ત્રણ પ્રકારના-જઘન્ય, મધ્યમ ને ઉત્તમ-પાત્રનું વર્ણન કરી સમભાવનું ઔષધ બતાવી સંસારની ઉત્પત્તિ અને નાશનાં કારણ બતાવ્યાં છે. “વિષયવિકાર સહિત જે રહ્યા મતિના યુગ, પરિણામની વિષમતા તેને યોગ અગ” ત્યાંથી શરૂ કરી જે વર્ણન કર્યું છે. તેના સારરૂપ આ છેલ્લે દેહરે છે. મેહના વિકપ મુમુક્ષુ જીવને ઝેર ખવરાવી મારી નાખનાર અપર માતા સમાન છે. અનંતકાળ તેની ગોદમાં આ જીવ ઊછર્યો છે, દુઃખપરંપરા ભગવતે રહ્યો છે. એ મેહના વિકપનું દુઃખ જીવને યથાર્થ લાગશે ત્યારે આ બાહ્યદષ્ટિને છેડી જ્ઞાનીએ જે સત્સાધન કૃપા કરીને આપ્યું છે તે શ્રદ્ધા રાખીને માતુષ મુનિની પેઠે ઉપાસ્યા કરશે તે મોહનિદ્રામાંથી જાગવાનો પ્રસંગ બનશે. તે સાધનને પરમ પ્રેમે ઉપાસવાનું મૂકી દઈ, બૂમ પાડ્યા કરીએ તે પણ કંઈ વળે તેમ નથી. માટે ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ છેવટે સત્સંગ કરતા રહેવા ભલામણ આપી છે અને સત્સાધન આપી તે સમજાવવા ઘણે લાંબો કાળ ઉપદેશ દીધા કર્યો છે તેની સ્મૃતિ આણ આ જીવને માયિક સુખની વાંછાથી પાછો જરૂર વાળવા ગ્ય છે. જ્યાં સુધી બીજે બીજે વૃત્તિ ફરતી રહે ત્યાં સુધી અંતર્મુખવૃત્તિ ક્યાંથી થાય? માટે ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન; અટકે ત્યાગ વિરાગમાં, તે ભૂલે નિજ ભાન.” એ ગાથા વિચારી, ઉપશમ વૈરાગ્યનું બળ વધે તેવું વાંચન, તેવું શ્રવણ, તે અભ્યાસ, તેવી સત્સંગે વાતચીત કરતા રહેવા ભલામણ છે. કારણ મેળવ્યા વિના કાર્ય થાય નહીં, માટે જરૂર આ જીવે કંઈ છૂટવા માટે સાચા થવાની જરૂર છે, એ હૃદયમાં રાખી, છોકરાં છેયાં, વિલાસ-વાસના આદિને મોહ ઓછો કરવા વારંવાર વિચાર કરી જગતના પદાર્થોનું તુછપણું એઠ સમાન લાગે તેવી વૃત્તિ કરવી ઘટે છે. રોજ બેલીએ તે છીએ કે “શું પ્રભુચરણ કને ધરું આત્માથી સૌ હીન” પણ આત્માથી જગતના સર્વ પદાર્થો હીન લાગે છે? કે આત્મા જગતના પદાર્થોથી હીન લાગે છે? શાને માટે આપણે આખો દિવસ ગાળીએ છીએ? એ વિચારી Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ બધામૃત સવિચાર અને સદાચારની મુખ્યતા મુમુક્ષુ તે રાખે, કોઈ પણ કારણે આ ધ્યાન ન થવા દે એમ સાંભળ્યું છે, તે માટે, તમારે, સઘળાએ હવે ઉપાસવા ગ્ય છે. મનુષ્યભવ છૂટી ગયા પછી કંઈ બને તેમ નથી. માટે ચેતી લેવાને ખરો અવસર આવ્યો છે તે વહી જતા પહેલાં “જાગ્રત થા, જાગ્રત થા” કહ્યું છે, તે ચેતી લેવું. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૨૨ અગાસ, તા. ૧૨-૭-૪૧ તત્ સત અષાઢ વદ ૪, શનિ, ૧૯૯૭ દેહરા–બાહ્ય નિમિત્તે નહિ છતાં, મન ઘડતું બહુ ઘાટ, પીંપળ-પાન સમાન મન, ઉપજાવે ઉંચાટ. ૧ પરમ પ્રેમ પ્રભુ પર વળે, મનબળ ભાંગી જાય; આત્મ-રમણુતારૂપ એ, સત્ય ધીરજ સમજાય. ૨ હે જીવ! ઈછે પરમપદ, તે ધીરજ ગુણ ધાર; શત્રુ-મિત્ર, મણિ-તૃણ ભણી, સમદષ્ટિ ધર સાર. ૩ પર પોતાનું માનવું, પરલાભે અભિલાષ, ભોગેચ્છા, આકુળતા –દુઃખશય્યા ગણ ખાસ. ૪ વળ સિદ્ધાંતિક વાત પણ, કહે સુખશા ચાર, સ્વાનુભવ, સંતેષ ને સંયમ ધીરજ ધાર. ૫ ઉપશમ - ત્યાગ વિરાગથી, સન્મુખ વૃત્તિ થાય, ગુરુકૃપાથી જીવને, સ્વાનુભવ સમજાય. ૬ નિર્લોભી સદગુરુતણું, પ્રેમે સેવ પાય, તે સંતેષ ઉરે વસે, એ જ અચૂક ઉપાય. ૭ નદ જળ મીઠાં વહીં વહી, દરિયે ખારાં થાય, જીવન ભેગ વિષે વૃથા જાય, પાપ બંધાય. ૮ દુખ ભેગવવું ના ગમે, દેહ દુઃખની ખાણ, પરમાનંદ સ્વરૂપ નિજ, કરી લે ઓળખાણ. ૯ ભાન નહીં નિજરૂપનું, તેથી ૐવ મૂંઝાય. ધીરજ દુખમાં ના ધરે, આકુળવ્યાકુળ થાય. ૧૦ જે સમ્યક્દષ્ટિપણે શ્રદ્ધ શુદ્ધ સ્વરૂપ, ગુરુકૃપાથી તે તરે, ભવસાગર દુખરૂપ. ૧૧ (પ્રજ્ઞાવબોધ ૧૩) | વિ. આપને પત્ર મળ્યો. આપ બને ભાઈઓની ભાવના તથા વિચારણું વાંચી સંતોષ થયું છે. મહાત્મા પુરુષો મનને વશ કરી શકે છે તેવી આજથી તમને ભાવના રહે છે તે હિતકારી છે. એક મહાત્માએ તેમના ઉત્તમ શિષ્યને શિખામણ ચિત્તને (મનમર્કટને) વશ કરેવા, સ્વસ્થ કરવા આપી છે તે સંબંધી વાર્તા ટૂંકામાં જણાવું છું તે અવકાશે વિચારી યથાશક્તિ પ્રયત્ન કરતા રહેવા ભલામણ છે. Page #326 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૩૦૩ “સંસારરૂપ બજારમાં લાંબી ભવરૂપ (જિંદગીરૂ૫) દુકાનેની હારે છે. તે જિંદગીરૂપ દુકાનમાં સુખદુઃખરૂપ માલ ભરપૂર ભરેલો છે. તેની લેવડદેવડમાં સર્વ મશગૂલ છે. પુણ્યપાપરૂપ મૂલ્ય (Price) આપીને ગ્ય વસ્તુઓ ખરીદી શકાય છે. મહામહ નામને ત્યાં રખવાળ (સરસૂબા) છે; કામ ક્રોધ વગેરે તેના હાથ નીચેના અમલદારો છે. ત્યાં કર્મ નામના લેણદારે જીવરૂપ દેવાદાને કેદખાનામાં નખાવે છે. કષાય નામનાં તફાની છોકરાં બજારમાં બૂમો પાડી રહ્યાં છે. એ બજારમાં રહેલા સર્વે લેકે અંદરખાનેથી બહુ દુઃખી, વિચાર કરતાં, જણાતા હતા. તે વખતે મારા ગુરુએ મારી ઉપર કૃપા કરીને જ્ઞાનરૂપ અંજન (આંજણ) મારી આંખમાં આંક્યું, તેથી મારી દષ્ટિ નિર્મળ થઈ દૂર સુધી દેખાવા લાગ્યું. દુકાને પૂરી થાય ત્યાં એક શિવાલય – મોક્ષધામ મારા જેવામાં આવ્યું. ત્યાં મુક્ત નામના અનંત પુરુષે મારા જેવા માં આવ્યા. તેઓ નિરંતર આનંદથી સુંદર અને કોઈ પ્રકારની પીડા વિનાના મારી સદ્દબુદ્ધિવાળી નજરે જણાયા. હું પણ પેલી દુકાનમાં વેપાર કરતે હોઉં એમ મને જણાયું. પણ પેલા શિવાલયને જોયા પછી મને તે ધામ પ્રાપ્ત કરવાની તીવ્ર ઈરછાવાળો વૈરાગ્ય થઈ આવ્યું. પછી મારા ગુરુરાજને મેં કહ્યું કે હે નાથ ! આપણે આ બજાર છોડીને ચાલે પેલા શિવાલયમાં રહેવા જઈએ. કારણ કે આ અત્યંત આકરા બજારમાં મને તે એક ક્ષણવાર પણ શાંતિ વળતી નથી. મારી તે આપ સાહેબની સાથે પેલા ધામમાં જવાની ઈચ્છા રોકી શકાતી નથી. મારી આવી ઈચ્છા સાંભળી (જાણી) ગુરુરાજે કહ્યું, ત્યાં જવાની ઈચ્છા હોય તે મારા જેવા થવું ઘટે છે.' જવાબમાં મેં કહ્યું, “મહારાજ, એમ હોય તે જલદી દીક્ષા આપી તે બનાવો.” તે સાંભળીને કૃપા કરી ને કરુણસિંધુ કૃપાળુદેવે મને આ પરમાત્માને મતની દીક્ષા આપી અને તે ધામ પ્રાપ્ત કરવાના કારણરૂપ કર્તવ્ય મને બરાબર સમજાવ્યાં. મારા ગુરુરાજે મને તે વખતે કહ્યું કે, “ભાઈ, તારી મિલકતમાં તારે રહેવાને એક સારો ઓરડે (શરીર) છે તેનું નામ કાયા છે, અને તેમાં પંચાક્ષ (પાંચ ઈન્દ્રિય) નામના ગોખ છે; એ ઓરડાના ગેખને ક્ષપશમ (આત્મશક્તિને ઉઘાડ) નામની બારી છે, તેની સામે કાર્મણ (કર્મને સમૂહ) શરીર નામને ચેક છે. એ ચેકમાં ચિત્ત નામનું અતિ ચપળ વાંદરાનું બચ્યું છે. તારે આ વાંદરાના બચ્ચાનું સારી રીતે રક્ષણ કરવું. એ બરાબર જાળવવા ગ્ય છે અને તેનું સારી રીતે જતન કરવાની જરૂર છે. ઘરના ઓરડામાં (મધ્ય ભાગ ચોકમાં) રહે છે ત્યાં કષાય નામના ઉંદરે એને પજવે છે, નેકષાય (હાસ્ય, ભય, શેક, વિકારો) નામના વીંછી તેને ડંખે છે અને ઉન્મત્ત બનાવી દે છે, મહામહ નામને રાની બિલાડો તેને વલૂરી નાખે છે, પરિષહ ઉપસર્ગ (વિડ્યો) નામના ડાંસ તેને કરડે છે, દુષ્ટ ભાવના ને વિકલ્પરૂપ માંકડ તેનું લેહી ચૂસે છે, બેટી ચિંતારૂપ ઘોળીઓ તેને ત્રાસ આપે છે, પ્રમાદ નામના કાંચીડા તેને તિરસ્કાર કરી માથું ડેલાવે છે, અવિરતિ (વ્રત વગરનું જીવન) રૂપ જૂઓ આખા શરીરે તેને ફેલી ખાય છે, મિથ્યાદર્શન નામનું અંધારું તેને અંધ બનાવે છે. આવી રીતે તે વાંદરાનું બચ્ચું હેરાન હેરાન થઈ રહ્યું છે. તેથી તે કંટાળીને રૌદ્રધ્યાન (પાપ કરીને આનંદ માનવારૂપ ટેવ) નામના ખેરના અંગારાથી ભરેલ કુંડમાં કૂદી પડે છે. કોઈ વાર પાસેની ભયંકર આર્તધ્યાન (હું દુઃખી છું, દુઃખી છું એ ભાવ) નામની ઊંડી ગુફામાં Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ બેધામૃત પેસે છે. આમ બિચારા દુઃખી વાનરના બચ્ચાને બહુ સંભાળ રાખી સાવચેતીથી એ બળતા કુંડમાં કે ઊંડી ગુફામાં જતું બચાવી લેવું.' મેં પૂછ્યું, ‘મહારાજ, એને બચાવવાના ઉપાયે શા છે ?’ એટલે ગુરુમહારાજે કહ્યું, પેલા એરડાના ગાખનાં બારણાં પાસે પાંચ વિષય નામના ઝેરી ઝાડ છે; તે બહુ ભયંકર અને તેને વિહ્વળ કરી દે તેવાં છે, ગ'ધથી પણ તેને ઘેન લાવી મૂકે છે, જોવામાં આવે તે દશનમાત્રથી ચપળ બનાવી દે છે, એનું નામમાત્ર શ્રવણ થતાં મરણુતુલ્ય વેદના દે છે; તેા પછી એને અડવામાં આવે કે ચાખવામાં (સ્વાદ લેવામાં) આવે તે એ બચ્ચાને વિનાશ કરી મૂકે એમાં શું આશ્ચર્ય છે! ઉપર જણાવેલા એરડાના ઉપદ્રવાથી ત્રાસીને તે પેલાં વિષવૃક્ષાને આંબા જેવાં જાણી અત્યંત રાજી થઈ તેમાં આસક્ત થાય છે, પાંચ ખારીઓ દ્વારા તે બહાર નીકળી તે વૃક્ષેા તરફ દોડે છે, તેનાં કેટલાંક ફળ સારાં માની લઈ તેના ઉપર ફિદા થઈ જાય છે અને કેટલાંક ફળ સારાં નથી એમ ગણી દ્વેષ કરે છે; વૃક્ષાની ડાળીઓમાં વારંવાર ભમે છે; ઝાડ નીચે કચરામાં આળેાટે છે; ભાગનેહ નામના વરસાદનાં ટીપાંથી તેનું શરીર ભીનું થયેલું હાવાથી ક પરમાણુ નામની પુષ્પપરાગ તેને શરીરે ચાંટી જાય છે. એ ઝેરી રજથી તેના શરીરે ગૂમડાં થાય છે, ઘારાં પડે છે; તેથી તે શરીરને બહુ વલૂરે છે; આખા શરીરે અને ખાસ કરીને મધ્ય ભાગમાં તેને બહુ બળતરા થયા કરે છે; પાછું ઓરડામાં તે આવે છે પણ ત્યાંના ઉપદ્રવેાથી પાછું ઝેરી ઝાડા ઉપર જતું રહે છે. આવાં દુ:ખામાંથી તેને બચાવવા સ્વવીર્ય નામના હાથમાં અપ્રમાદ નામના આ દ'ડ તને આપું છું તેથી તેને ડરાવીને ઓરડાની બહાર જતું અટકાવજે. એ એરડાની મધ્યમાં સારા ભાવાની શ્રેણીરૂપ દાદર છે, તેના ઉપર ચઢે તેમ કરજે. એ વાંદરાનું બચ્ચું ઘણા કાળથી ચક્રમાં પડી ગયું છે તે આ પ્રમાણે : ઉપદ્રવેાથી કટાળી તે ઝેરી ઝાડાને આંબા જાણી તેનાં ફળ ભેગવે છે ત્યારે અને આળેાટે છે ત્યારે ભાગસ્નેહની ભીનાશથી તેના શરીરે કરજ ચાટે છે તેથી ઘારાં પડે છે. તે પાછું એરડામાં આવે છે (કર્માંના ફળરૂપે શરીરા ધારણ કરે છે) ત્યાં પાછા ઉપદ્રવેશ નડે છે, ઝેરી ઝાડામાં ભમે છે, ફરી ક`રજથી લેપાય છે અને ફરી પાછાં શરીર ધારણ કરવારૂપ એરડામાં પેસે છે. આ ચક્રથી તેને બચાવવાની જરૂર છે. ચિત્તને શિખામણ આપવી કે હે ચિત્ત! તારે આવી રીતે બહાર નીકળવામાં શે। લાભ છે? તું તારા પોતાના ખરા રૂપમાં (આત્મસ્વરૂપમાં) સ્થિર રહે, જેથી તું આનંદમાં લીન રહી શકે. આખા સંસાર બહાર નીકળવા જેવા છે, સ ́સાર જ દુઃખાથી ભરેલા છે અને મેક્ષ પેાતાના સ્વરૂપમાં રહેવા જેવું છે, તે જ માત્ર અનેક સુખાથી ભરપૂર છે. " सर्व दुःखं परायत्तं सर्वे आत्मवशं सुखम् । बहिश्च ते पराधीनं स्वाधीनं सुखमात्मनि ॥” વળી અજ્ઞાન અવસ્થામાં આત્માને દુઃખનાં કારણ, કર્મ બંધાવનાર માબતે મનને પ્રિય લાગે છે અને જેથી શરીરને વસમું લાગે પણ આત્માને હિતકારી હાય તે મનને ગમે નહીં તેને વિપર્યાંસ કે ઊંધી સમજણુ કહે છે; તેને લઈને જીવ પાંચ ઇંદ્રિયાના વિષયે અને તેનાં સાધના મેળવવામાં આ અમૂલ્ય માનવભવ ગાળે છે. તે વિષયેા ભાગવતાં ભાગપ્રત્યે આસક્તિરૂપ ચીકાશથી કર્માં બાંધે છે, તે ભેગવવા દેહ ધારણ કરવા પડે છે ત્યાં ઇંદ્રિયા પ્રાપ્ત થાય છે, ઇંદ્રિયના વિષયે વિપર્યાસને લઈ ને પ્રિય લાગે છે તેમાં આસક્તિ રાખી પ્રવૃત્તિ કરે છે અને નવાં કર્મ બાંધે છે Page #328 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૩૦૫ તે ભેગવવા ફરી જન્મે છે. આમ ચક્રમાંથી છૂટવા માટે વિપર્યાલ છેડી દેવાની જરૂર છે. દેહાધ્યાસ કે વિપર્યાસ છોડે તેને મનેવિકારનું જાળું પોતાનાથી તદ્દન અલગ લાગે છે. એક વખત મનને એ જુદું જુએ તે આત્મા તેથી ભિન્ન ભાસે; આત્મા તેને નિરંતર આનંદમય લાગે. પછી એને દુઃખ ઉપર દ્વેષ થતું નથી, સુખ મેળવવા માટે ઇચ્છા થતી નથી. આવી રીતે મનથી તે અલગ થતાં, મન ઉપરથી તેની આસક્તિ દૂર થતાં ઈન્દ્રિયેનાં વિષ ઉપર તેને સ્નેહ થતું નથી. અને એક વાર સનેહ ચીકાશ ગયે એટલે કર્મ પરમાણુને સંચય થતે એકદમ અટકી જાય છે. આમ નિઃસ્પૃહ થવાથી અને સંસારબીજને નાશ થયેલ હોવાથી એ મુક્ત જીની માફક ભવાંતરને આરંભ કરતા નથી અને તેથી ભવચક્ર ફરતું બંધ થાય છે. પરમ સુખરૂપ મોક્ષની પ્રાપ્તિના ઉપાય : रक्षेदं चित्त सद्रत्नं तस्माद् अन्तर्धनं परम् । धर्माधर्मः सुखं दुखं यत्र सर्व प्रतिष्ठितम् ।। जीवाच्च भावचित्तात् च नास्ति भेदः परस्परम् । आत्मा अतः रक्षितः तेन चित्तं येन इह रक्षितम् ।। अर्थार्थ भोगलौल्येन यावद् धावति सर्वतः । चित्तं कुतस्त्यः ते तावत् सुखगंधोऽपि विद्यते ? यदा इदं निःस्पृहं भूत्वा परित्यज्य बहिर्धमम् । स्थिरं संपत्स्यते चित्तं तदा ते परमं सुखम् ॥ भक्ते स्तोतरि कोपान्धे निन्दा कर्तरि चोत्थिते । यदा समं भवेत् चित्तं तदा ते परमं सुखम् ।। स्वजने स्नेहसंबंधे रिपुवर्गेऽपकारिणि । स्यात् तुल्यं ते यदा चित्तं तदा ते परमं सुखम् ।। गोशीर्षचंदनालेपि-वासीच्छेदकयार्यदा। अभिन्न चित्तवृत्तिः स्यात् तदा ते परमं सुखम् ॥ शब्दादि-विषयमामे सुदरेऽसुदरेऽपि च । एकाकारं यदा चित्तं तदा ते परमं सुखम् ॥ सांसारिक पदार्थेषु जलकल्पेषु ते यदा । अश्लिष्टं चित्तपद्मं स्यात् तदा ते परमं सुखम् ॥ दृष्टेषुद्दामलावण्य बंधुरानेषु योषिताम् । निर्विकारं यदा चित्तं तदा ते परमं सुखम् ॥ यदा सत्त्वैकसारत्वात् अर्थकाम - परांमुखम् । धर्मे रतं भवेत् चित्तं तदा ते परमं सुखम् ॥ रजः तमः विनिर्मुक्तं स्तिमितोदधि सन्निभम् । निष्कल्लोलं यदा चित्तं तदा ते परमं सुखम् ।। मैत्रीकारुण्यमाध्यस्थ्य प्रमोदोदाम भावनाम् । यदा मेक्षिकतानं तत्तदा ते परमं सुखम ।। એ ચિત્ત તારું ખરેખરું ધન છે. એના ઉપર ધર્મ અને અધર્મ અને આધાર રાખે છે. એના ઉપર સુખદુઃખને આધાર રહે છે, માટે ચિત્તરૂપ સુંદર રનનું સારી રીતે રક્ષણ કર. 20 Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ બેધામૃત જીવમાં અને ભાવચિત્તમાં પરસ્પર કંઈ તફાવત નથી. તેટલા માટે જે પ્રાણી ભાવચિત્તની રક્ષા કરે છે તે વાસ્તવિક રીતે પોતાના આત્માનું રક્ષણ કરે છે. જ્યાં સુધી એ ચિત્ત ભેગની લાલસાએ વસ્તુ કે ધન મેળવવા માટે દોડાદોડ કર્યા કરે છે ત્યાં સુધી તને (આત્મિક) સુખની ગંધ પણ ક્યાંથી આવી શકે? જ્યારે એ ચિત્ત બહારને સર્વ પ્રકારને ભ્રમ (રખડવું) છોડી દઈ તદ્દન સ્પૃહારહિત થાય, જ્યારે આત્મામાં સ્થિર થાય ત્યારે તને પરમસુખ પ્રાપ્ત થાય. કોઈ ભક્તિ કરે કે સ્તુતિ કરે, કેપ કરે કે નિંદા કરે તે સર્વ પર જ્યારે એકસરખી વૃત્તિ રહે ત્યારે તને પરમસુખ પ્રાપ્ત થાય. પિતાનાં સગાં કે સંબંધી હોય, દુશમન કે નુકસાન કરનાર હેય તે સર્વ પર રાગદ્વેષ ન થાય ત્યારે તને પરમસુખ પ્રાપ્ત થાય. કોઈ ઉત્તમ ગેચંદનનો લેપ કરે કે કઈ વાંસલે છેલે તે બન્ને પ્રત્યે સરખી વૃત્તિ રહે ત્યારે તને પરમસુખ પ્રાપ્ત થાય. ઇદ્રિના વિષયે સુંદર છે કે માઠા છે તે સર્વ પર એકસરખી વૃત્તિ રહે ત્યારે તને પરમસુખ પ્રાપ્ત થાય. સાંસારિક પદાર્થો પાણુ જેવા છે, તારું ચિત્તરૂપ કમળ ત્યાં ન લેપાય ત્યારે તને પરમસુખ પ્રાપ્ત થાય. પ્રચંડ યુવાવસ્થાના જેરમાં ઝળઝળાયમાન થતું લાવણ્ય અને સુંદર અંગે વાળી લલનાઓ દેખી મનમાં વિકાર ન થાય ત્યારે તને પરમસુખ પ્રાપ્ત થાય. અત્યંત આત્મબળ ધારણ કરીને ચિત્ત જ્યારે અર્થ (ધન) અને કામ-સેવનથી વિરક્ત થાય અને ધર્મમાં આસક્ત થાય ત્યારે તને પરમસુખ પ્રાપ્ત થાય. જ્યારે રાજસી અને તામસી પ્રકૃતિથી મન મુક્ત થાય અને સ્થિર સમુદ્ર જેવું ભેજ વગરનું બને ત્યારે તને પરમસુખ પ્રાપ્ત થાય. મિત્રી, કારુણ્ય, માધ્યસ્થ અને પ્રમોદભાવના યુક્ત થઈ જ્યારે ચિત્તને મોક્ષ મેળવવા માટે એક્તાન લાગે ત્યારે તને પરમસુખ પ્રાપ્ત થાય.” વારંવાર આ પત્ર વાંચી તેમાં કહેલી વાતે જીવન દરમ્યાન આચારમાં મૂકતાં જવાય તે જીવન-સાફલ્ય સધાય તેમ છે. આ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૨૯૩ અગાસ, તા. ૨૮-૭-૪૧, સેમ પૂર્વનાં સત્કાર્યોના ફળરૂપે આ મનુષ્યદેહ મળે છે. વિદ્યા, સમજણ, સત્સંગ-પ્રીતિ અને સદગુરુને આશ્રય એ ઉત્તરોત્તર વિશેષ વિશેષ પુણ્યના ફળ છે). આવી અનુકૂળ જોગવાઈને યથાર્થ લાભ ન લઈ શકાય તે આપણા જેવા દુર્ભાગી કે અધમ બીજા કોણ કહેવા? રોજ બેલીએ છીએ કે “અધમાધમ અધિકે પતિત, સકળ જગતમાં હુંય”; પણ તે વિચાર જે હદયમાં ઊંડે ઊતરે તે “કેવળ કરુણામૂર્તિના ચરણ મરણ સુધી મૂકે નહીં, એવી દઢતા એ લઘુતાથી પ્રગટે. પણ વર્તમાન દશા આપણી કેટલી કફેડી છે તેને યથાર્થ ખ્યાલ નથી તેથી જેટલી જોઈએ તેટલી શક્તિ ધર્મકાર્યમાં સકુરતી નથી. ધન, કીર્તિ કે કામિની સુખનાં સાધન મનાય છે અને તેની જેટલે અંશે પ્રાપ્તિ થઈ છે તેટલે અંશે કૃતાર્થતા મનાય છે, ત્યાં સુધી અજ્ઞાનદશાનાં દુઃખ દેખી શકાતાં નથી, સાલતાં નથી, તે તેને દૂર કરવા “પ્રભુ પ્રભુ લય” કયાંથી લાગે? સદ્દગુરુ શું કરવા શોધે? અને નિજ દે દેખવાની બુદ્ધિ ક્યાંથી જાગે ? અને કલ્યાણનાં કારણે ન શોધે તે કલ્યાણ પણ કયાંથી થાય? આમ તરવાને કોઈ ઉપાય ન જડતું હોય અને ડૂબકાં ખાતે હેય અને બચવાની જેવી તીવ્ર અભિલાષા હોય છે તેવી ઉગ્ર ભાવના વગર ગળા-રાગે ગાઈ જવાથી શું વળે તેમ છે? માટે આપણે સર્વેએ છૂટવાની Page #330 -------------------------------------------------------------------------- ________________ ૩૦૭ ૫ત્રસુધા ભાવના દિનપ્રતિદિન વધારતા જવાની છે, સત્સાધન મળ્યું તેટલાથી જ સંતેષ રાખીને બેસી રહેવાનું નથી. “સત્સાધન સમજે નહીં, ત્યાં બંધન શું જાય?” સમજણ સાચી અને ઊડી પ્રગટે તે માટે સત્સંગ, ભક્તિ, વૈરાગ્ય આદિ સાધન ખરા દિલથી કરવાનાં છે. કર્યો અન્ય વિચારો રે, નહીં નિજ સુખ મળે, ગંગાજળ મીઠું રે, ઢળી જલધિમાં ભળે. મનમંદિર આવ રે કહું એક વાતલડી. સુસંગ, સુશા રે, ઉપાસવાં સિદ્ધિ ચહી; મોક્ષમાર્ગ જ ચૂકયા રે, આશા જે બીજી રહી. મન (પ્રજ્ઞા-૨૧) ૨૯૪ અગાસ મિથ્યાગ્રહ, કુસંગ ને ઇંદ્રિય-લેલુપતા પ્રમાદાદિ સૌ દેવ, હૅર થઈ, થાઓ સ્થિરતા. “બંધાયેલાને છેડાવ છેછે. જૂનું મૂક્યા વિના છૂટકો નથી. જે દી તે દી મૂકવું જ પડશે. જ્યારથી આ વચન શ્રવણ થયું ત્યારથી અંતરમાં ત્યાગ-વૈરાગ્ય લાવી, સુખદુઃખમાં સમભાવ રાખી, શાંતિ ચિત્તમાં વિચારી સમાધિભાવ થાય તેમ કર્તવ્ય છે. સર્વ ભૂલી જવું એક આત્મઉપયોગમાં અહોરાત્ર આવવું એટલે આત્મા છે. જે દષ્ટિ દ્રષ્ટામાં પડે છે તે જવાની શરતે બંધાયેલ છૂટે છે, તેમાં હર્ષશેક કરવા જેવું છે જ નહીં.” (ઉપદેશામૃત પૃષ્ઠ ૩૨) | નવરાશના વખતમાં કંઈ ગોખવું, ગોખેલું ફરી બેલી જવું, વિચારવું અથવા વૃત્તિઓ રેકવાને અભ્યાસ પાડવે; મનની દુરિરછાઓને ઓળખી તે કેવી રછ છે, મનુષ્યભવ લુંટી લે તેવી છે, પરભવમાં દુઃખ દે તેવી છે અને માત્ર હલકી વૃત્તિને પિષનારી છે, મહેચ્છાવાનની મહેરછાઓને ધૂળમાં ભેળવી દે તેવી છે એમ વિચારી કદી તેમાં મીઠાશ ન મનાઓ એવી વારંવાર ભાવના કરવી. સ્મરણ કરવાને વિશેષ અભ્યાસ રાખ; ધૂન લગાવે તેમ કઈ કઈ વખત તે સિવાય બધું જગત ભૂલી જવાય તેમ તેમાં ને તેમાં જ વૃત્તિ રહે તેમ પુરુષાર્થ અવકાશે કરતા રહેવાની જરૂર છે. વર્ગમાં હોઈએ ત્યારે જે શીખવાનું હોય તેમાં લક્ષ રાખવાથી પાછળથી વધારે વાંચવું કે ગોખવું ન પડે તે પણ વખત બચાવવાને ઉપાય છે. નપાસ થવાય તેવું શા માટે વર્તવું કે તેને ખેદ આગળ-પાછળ રહે? “જ્યાં જ્યાં જે જે છે, તહાં સમજવું તેહ, ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ.” આત્માથીએ આત્મા તરફ પ્રેમ રાખ ઘટે છે, પણ તેથી કરવા ગ્ય કામ બગાડવાં એ અર્થ થતું નથી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૨૯૫ અગાસ, તા. ૨૯-૭-૪૧ તત્ ૐ સત્ શ્રાવણ સુદ ૫, મંગળ, ૧૯૯૭ રાજચંદ્ર પ્રભુને નમું, ન ગણું લૌકિક કાજ પ્રભુજી; નિર્મોહી નર આદર્યા, યાચકતા તજી આજ પ્રભુજી. રાજ Page #331 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ બાધામૃત સદ્દગુરુ-ધ વિચારતાં, ટળે દેહ-અહંકાર, પ્રભુજી; દશા વિદેહી તે વર્યા, ભાવ-દયા ભંડાર, પ્રભુજી. રાજ, અસાર આ સંસારના ક્ષણિક ભેગ-વિલાસ, પ્રભુજી; ઊંડે વિચાર કરી તજે, માયિક સર્વ મીઠાશ, પ્રભુજી. રાજા તે સદ્દગુરુના સંગથી પ્રગટે બોધ-પ્રકાશ, પ્રભુજી; નિર્મળ વિચારધારથી છેવાય મિથ્યાભાસ, પ્રભુજી. રાજ લેક-સ્વજન-તન-કલ્પના બંધનરૂપ સંબંધ, પ્રભુજી, સસ્ત્રદ્ધા દઢ આદરી, ટાળું બધા પ્રતિબંધ, પ્રભુજી. રાજ દુઃખદાવાનળથી બળે, જગમાં જીવ અનંત, પ્રભુજી; જ્ઞાન-સમુદ્રતટે જતાં તેથી સઘળા સંત, પ્રભુજી. રાજ ક્ષણ પણ મજજન-સંગતિ, જાણું ભવ-જળ-નાવ, પ્રભુજી; પ્રમાદ તજી તે આશરે, પાસું નિજ સ્વભાવ, પ્રભુજી. રાજ વિભાવ મૂળ સંસારનું સુવિચારે બળી જાય, પ્રભુજી; ઈન્દ્રિય-સુખની લાલસા ગયે આત્મસુખ થાય, પ્રભુજી. રાજ દેહ તણું સંભાળ હું, કરીશ નહિ કદી અ૯૫, પ્રભુજી; સદ્દગુરુ-શરણે હું તળું, દેહ વિષે વિકલ્પ, પ્રભુજી. રાજ, કાયા મળ-મૂત્રે ભરી, માત્ર રેગની ખાણ, પ્રભુજી; કેમ અગ્ય પ્રજને, રચે હર્ઝે મુજ પ્રાણ, પ્રભુજી. રાજ આપદ્ ઉપરાઉપરી, પ્રેરે પાપ પ્રકાર, પ્રભુજી; નરક ભયંકર નેતરે, ટકે ન હિત-વિચાર, પ્રભુજી. રાજ સમ-ભાવે પગ ન ટકે, મમતા નહીં મુકાય, પ્રભુજી; વેષ ધરું ભવનાટકે, સ્વભાવ નિત્ય ચકાય, પ્રભુજી. રાજ નરભવમાં હારું નહીં, હવે કરું કલ્યાણુ, પ્રભુજી; એ નિર્ણય હું કરું સાક્ષી શ્રી ભગવાન, પ્રભુજી. રાજ (પ્રજ્ઞાવબેધ– ૪૬) દેહાદિ પદાર્થોને આધારે જે સુખ મળે છે તે માત્ર કલ્પનાવાળું, ક્ષણિક અને આખરે દુઃખનું કારણ થાય છે. પાંચ ઈન્દ્રિય અને મન બાહ્ય પદાર્થોમાંથી સુખદુઃખરૂપ માલ ખરીદવા પુણ્ય–પાપરૂપ મૂલ્ય આપી જીવની પાસે વ્યર્થ વ્યાપાર કરાવે છે. મનુષ્યભવને ઉત્તમ કાળ પરપદાર્થો અને તેની ઈચ્છાઓમાં તથા આશાઓ કે ફિકરચિંતામાં વહ્યો જાય છે અને જીવ આમ ને આમ ઠગાયા કરે છે તે સુખ-શાતાના વખતમાં જણાતું નથી. પણ દુઃખના પ્રસંગોમાં કંઈ ગમે નહીં, ચેન પડે નહીં, ક્યાંય સુખ ભળાય નહીં તે વખતે જે તે પરપદાર્થોની આશાને મેહ ઓછો કરવાની ભાવના રહે તે આ સંસારનું સ્વરૂપ જ્ઞાની પુરુષોએ ભયંકર વર્ણવ્યું છે તેવું જ દેખાતાં હૃદયમાં એવી છાપ પડી જાય કે પછી શરીર ઠીક થયા પછી પણ પિતાનું શરીર કે બીજાના શરીર માત્ર હાડકાં ચામડાવાળાં, પાયખાનાં જાજરાં જેવાં જણાય; Page #332 -------------------------------------------------------------------------- ________________ ૩૦૯ પત્રસુધા સત્પુરુષની વાણી કે ભક્તિના શબ્દો સિવાય બીજો બધા કલબલાટ લાગે; લેાકેાની વાત સાંભળવી ન ગમે; કૂથલી કે નિંદા, અપમાન કે સ્તુતિ બધાં ગંદવાડ જેવાં તજવા યાગ્ય લાગે; નાતજાતમાં ઘરેણાં પહેરી જમનારાં કે વિષયામાં આસક્ત માણસા પતંગિયાં જેવાં કે કાનશિયાળ જેવાં તુચ્છ લાગે, જોવાં ન ગમે; લગ્નના ગીતા કાણમાકાણુ વખતે રડારોળ કરતાં હેાય તેવાં જણાય; સુંદર પથારીએ અને બિછાનાં કાદવ જેવાં જણાય તથા ઉત્તમ તેલકુલેલ પણ ગંધાતા પરુ સમાન ભાસે, પાતાની બડાઈ એ કે સમૃદ્ધિ દેખાડનારા ભવાઈ કરનાર જેવા જણાય; આવા વૈરાગ્ય પ્રગટ કરવાનું કારણ વેદનાનેા વખત છે કારણ કે તે વખતે મેાહની મંદતા હેાય છે એટલે દુઃખ જે સુખના વેશ લઈને આવતું હતું તે ઉઘાડું પડી જઈ દુઃખરૂપ જ લાગે છે. માટે દુઃખથી ક ટાળવા જેવું નથી. નાનાં કરાંને નિશાળે જવું ન પડે તે ઠીક એમ લાગે પણ સાટી વાગે ચમચમ ને વિદ્યા આવે ઝમઝમ' એવી કહેવત છે તેમ શરીરનાં દુ:ખને દુઃખ ગણવા યેાગ્ય નથી; વહેલાંમેડાં તે તે જવાનાં જ છે. પણ તે હાય ત્યાં સુધી જે જે વિષયાદિક પદાર્થોમાં મન ભમતું તે કેવા ચીતરી ચઢાવે તેવા છે! એની ખાતરી કરી લઈ કદી સ્વપ્ને પણ હવે આ સંસારના સુખની ઇચ્છા ન કરું એવું દૃઢ મનને કરી દેવાય તે પછી તે મન પરમકૃપાળુદેવની ભક્તિમાં અને તેનાં વચનામાં બહુ આનંદ લેતું થઈ જશે. કારણ કે બહાર ભટકવાનું તેને નહીં ગમે તેા પછી આત્મવિચાર, સત્સંગ, ભક્તિ, વૈરાગ્ય, શાંતિ એવાં ઉત્તમ સ્થળામાં તેને રમવાનું બની આવશે. અનાથી મુનિને અસહ્ય વેદના એક દિવસ જ ભોગવવી પડી, પણ એક જ દિવસમાં તા તેમણે એવેા દૃઢ નિશ્ચય કરી નાખ્યા કે તે નિશ્ચયને વળગી રહેવાથી તે આત્મા-પરાત્માના નાથ થયા અને ઉપાધિ આદિને ચેાગે અનાથપણું હતું ટાળી સ્વત'ત્ર આત્માનંદના ભાક્તા થયા. બહારના સંચેાગેા આપણા હાથમાં નથી પણ ભાવ તે આપણા હાથની વાત છે. ખાટી વાર્તામાંથી મન ઉઠાવી લેવું અને સત્પુરુષના ઉપકારમાં, તેના આશ્રયના માહાત્મ્યમાં, તેની દશાના વિચારમાં મન રાખી વાંચ્યું હોય, ભાવના કરી હેાય તે ઉપરથી લક્ષ રાખવા. જીવ ધારે તેા મુશ્કેલ નથી. દુઃખના પ્રસંગે પણ ઘણું! કાળ ધર્માભાવનામાં જાય તેવા અભ્યાસ થઈ જાય તે મુમુક્ષુજીવને દુ:ખ ગયે પણ ધ-ભાવ વધતા જાય છે. કડવી દવાની પેઠે આત્માનું હિત કરવા જ માંદગીના પ્રસગ આવે છે તે ધીરજ રાખી સ્મરણુ, શરણુ, મેધ અને વૈરાગ્યના વિચારેાના બળથી પરમકૃપાળુદેવની આજ્ઞામાં : છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયાગી સદા અવિનાશ-મૂળ મારગ સાંભળેા જિનના રે” વિચારતાં રહેશેાજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૨૯૬ ખાદ્યયેાગમાં મીંઠાશ માની વર્તે ત્યાં ન વિચાર વસે, સદ્ગુરુ-મેષ રે સ્પર્શે. અંતર્વાંગ પછી ખનશે, ભક્તિમાર્ગે ગમન થશે. અગાસ, તા. ૧૦-૮-૪૧ આકષ ણુ એ ઓછું કરતાં, વિષયાદિ તે તુચ્છ મનાશે, સદ્ગુરુ-ચરણે સ્થિર થશે મન, Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ બેધામૃત પરિષહ આદિ આવી પડતાં પણ નહિ મન ભક્તિ તજશે, પ્રભુ, પ્રભુ લય લાગે ત્યારે, આત્મા સહજપણે ભજશે. કોઈક વાર વિચારે આવી વાતે, તેથી ન કામ થશે, અનાદિના અભ્યાસતણું બળ, પ્રયત્ન પચે નહિ ઘટશે. અપૂર્વ મોક્ષમાહાસ્ય ટકે ના, લૌકિક ભાવે મન ભમતું, જેની શ્રદ્ધા મનમાં બેઠી, તેમાં ચિત્ત રહે. રમતું, મેહ વિષે મન રકાતું ત્યાં, ભક્તિભાવ મંદ થતા, ઉત્તમતા જેની મન માને, તેના ભાવ સ્વયે કુરતા. (પ્રજ્ઞા. ૧૦-૭) તમારા બન્નેના પત્રો મળ્યા. વાંચી સમાચાર જાણ્યા. “ઉતાવળા સો બાવરા, ધીરા સે ગંભીર” એ કહેવત મુજબ ધીરજથી સસાધન કરતા રહેવા ભલામણ છેજી ગયે કાળ વિચારી જાગ્રત થવાનું છે, પ્રમાદ ન લેવાય તે પુરુષાર્થ કરવાને છે; ગભરાવાનું નથી. પ્રાપ્ત સંગમાં જેટલું બની શકે તેટલું કરવું અને વિશેષની ભાવના રાખવી. આત્મા અજર અમર છે. જે મેક્ષલક્ષ ચુકાય નહીં તે તે વહેમોડે પ્રાપ્ત થયા વિના રહે નહીં. વિઘો આગળ અટકી જવું, કે અટકી રહેવું કાયમ ન બને તેની કાળજી રાખવાની છે. પૂ............પ્રથમ ભાવોની વાત જણાવે છે તે વિષે જણાવવાનું કે દૂધ ઉકાળે ચઢે ત્યારે થોડા દૂધથી તપેલી ભરાઈ ગઈ લાગે, પછી હલાવતાં ઊભરણ ઊતરી જાય તેથી કંઈ દૂધ ઓછું થઈ ગયું ગણવા યોગ્ય નથી, પણ સંઘટ્ટ દૂધ થયું ગણવા યેગ્ય છે. તેમ અવ્યવસ્થિત, મુઝવણ દશામાં થતા પુરુષાર્થ વિશેષ લાગે, પણ વ્યવસ્થિત દશામાં થતા પુરુષાર્થથી તે ચઢી જાય તેવે ગણવા ગ્ય નથી. સારું ખોટું કાર્ય કે ભાવોની પરીક્ષા પિતાની વિચારદશા પ્રમાણે થઈ શકે છે. માટે તે દશા માટે મેગ્યતા પ્રાપ્ત કરવા પુરુષાર્થ કર્તવ્ય છે. તેને અર્થે સત્સંગ, સશાસ્ત્રરૂપ સાધન છે. પૂને લખેલ વચનેમાંથી પુછાવ્યું તેના ઉત્તરમાં જણાવવાનું કે દયેયરૂપે સપુરુષની દશા છેઃ “સપુરુષ એ જ કે નિશદિન જેને આત્માને ઉપયોગ (લક્ષ) છે.” તે જણાવી છે. “એક આત્મ-ઉપગમાં અહેરાત્ર આવવું” (ઉપદેશામૃત પૃષ્ઠ ૩૨) તેને અર્થ ત્યાં જ કર્યો છે – આત્મા નિરંતર છે; દ્રષ્ટા = આત્મામાં જ્યાં દષ્ટિ (ઉપગ-લક્ષ) પડે છે, દોરાય છે ત્યાં જીવ કર્મથી છૂટવાનું કાર્ય કરે છે. પૂર્વે બાંધેલાં કર્મ, આત્મા સ્વરૂપમાં રહે તે છૂટે છે, તે વખતે નવાં કર્મ બંધાતાં નથી કારણ કે આત્મભાવમાં તે હર્ષ-શોક ન થાય તે વખતે જ રહેવાય છે માટે હર્ષશોકનાં નિમિત્તોમાં તણાઈ ન જતાં “સહજાન્મસ્વરૂપ” તરફ વિશેષ ભાવખેંચાણ રાખવાની જરૂર તે વાક્યમાં જણાવી છેજી. વાત ગહન છે પણ તે દશા પ્રાપ્ત કરવા યોગ્ય છે તે તરફ નજર થવા જણાવ્યું છે, કારણ કે રેજ વિચારવા ગ્ય વાક્યની તમે માગણી કરી હતી તેવું તે વાકય છે. બીજું “જ્ઞાનીની આજ્ઞાને વિચારવી” (૪૬૦) એ વિષે પૂછ્યું, તે વિષે જણાવવાનું કે “બાળr, ધો” “આજ્ઞાનું આરાધન એ જ ધર્મ” એમ શાસ્ત્રો પોકારીને કહે છે, તે મને તેવી આજ્ઞા ક્યારે મળે ? આજ્ઞા ઉઠાવવાથી અવશ્ય કલ્યાણ થાય તેમ છે એવું હદયમાં કયારે Page #334 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૩૧૧ નિરંતર રહ્યા કરે ? આજ્ઞા ઉઠાવાતી નથી તેટલે વખત કલ્યાણ થતું નથી એવી સ્મૃતિ રહેવાથી પણ વૈરાગ્ય ઉદાસીનતા અન્ય કાર્યોમાં રહેવી ઘટે, તે થાય છે કે નહીં? શાને જ્ઞાની પુરુષે આજ્ઞા કહે છે? શા અર્થે કરે છે? આજ્ઞા પ્રાપ્ત થતાં જીવને કેટલે પુરુષને ઉપકાર સમજાવે જોઈએ? “તેની નિષ્કારણ કરુણને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે, એવા સર્વ પુરુષ તેના ચરણારવિંદ સદાય હૃદયને વિષે સ્થાપન રહો !” એમ છે પદના પત્રમાં છે. એ આદિ ભાવોને વિચાર જીવને કલ્યાણનું કારણ છે. છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૨૯૭ અગાસ, તા. ૧૫-૮-૪૧ દેહરે – સહનશીલતા ને ક્ષમા, ધીરજ સમતારૂપ; સભ્યશ્રદ્ધા સહિત એ, આપે આત્મસ્વરૂપ. માંદગીના વખતમાં આ ધ્યાન એટલે હું દુઃખી છું, હું દુઃખી છું' એવા ભાવને પ્રવાહ થયા ન કરે તેવી કાળજી રાખવાની જરૂર છે; કારણ કે અશાતા વેદનીયને પ્રસંગ એવા જ પ્રકાર છે અને શરીરમાં જ વૃત્તિ રહ્યા કરે, વારંવાર વેદનામાં ધ્યાન ખેંચાયા કરે તે વખતે જે કાળજી રાખીને લક્ષપૂર્વક સત્સાધનમાં વૃત્તિ ન રાખી તે હમણાં જે પીડા ગમતી નથી તેવી કે તેથી આકરી વેદના ભેગવવી પડે તેવાં કર્મ બંધાવાનું નિમિત્ત વર્તમાન વેદના છે. પણ જે સાવધાની રાખી સત્સાધનમાં વારંવાર ચિત્ત જોડવાનો પ્રયત્ન કરી તેવી ટેવ પાડવાને પુરુષાર્થ જીવ આદરે તે અત્યારે અશુભ કર્મ ન બંધાય અને વેદના ગયે પણ તે ટેવ કાયમ ટકી રહે તે આખી જિંદગી સુધી લાભ થાય તેવું કામ આ વેદનાના પ્રસંગે બની આવે તેમ છેજ. પુરુષનાં વચને, પુરુષની દશા, તેમણે આપેલું સ્મરણ, ભક્તિ, વૈરાગ્ય, સવિચાર તથા સદ્વાંચનનું શ્રવણ આદિ શુભ નિમિત્તોમાં ચિત્ત પરોવાય ને આર્તધ્યાન ન થાય, તેવી ભાવનામાં રહેવા ભલામણ છે. પર્યુષણ પર્વની શરૂઆત શ્રાવણ વદ ૧૩ ને બુધવારે થાય છે અને છેલ્લે દિવસ ભાદરવા સુદ ૫ ને બુધવારે સંવત્સરી પ્રતિક્રમણ કરી ખમાવવાને છે. છેલ્લે દિવસે બને તે ઉપવાસ કરી ધર્મધ્યાન કરવા યોગ્ય છે. એ અઠવાડિયામાં પહેલે અને છેલ્લે દિવસ સામાન્યપણે ઉપવાસને ગણાય છે. તેમાં છેલ્લે દિવસ તે ખાસ દરેકે ઉપવાસ કરવા ગ્ય છે. કેઈ તે એક દિવસ ઉપવાસ, એક દિવસ પારણું, ત્રીજે દિવસે વળી ઉપવાસ એમ યથાશક્તિ તપ કરે છે. કેઈ ઉપવાસ ન બને તે એકાસણું જેટલા દિવસ બને તેટલા દિવસ કરે. લીલેતરીને ત્યાગ બધા દિવસ રાખે. બ્રહ્મચર્ય તે અઠવાડિયું પાળે. દાન, પ્રભાવના, ભક્તિ વગેરે યથાશક્તિ કર્તવ્ય છે. વખત બચાવી દરરોજ બધા ભેગા મળી ભક્તિ, મોટી આલેચનામાંથી ક્ષમાપના વગેરે પદો બેલી કરવી, નિત્યનિયમ કરે; કઈ કઈ દિવસ આત્મસિદ્ધિ સારા રાગથી બે કલાક ગાવી. કેઈ દિવસ કે રોજ “સમાધિસોપાન'માંથી દશલક્ષણધર્મ કે બાર ભાવના કે આઠ અંગમાંથી કંઈ વાંચન કરવું. કેઈ કઈ દિવસ કે રેજ વચનામૃતમાંથી આત્મસિદ્ધિના અર્થ કે ઉપદેશછાયામાંથી વાંચન કરવું. એમ ભક્તિભાવનામાં એક અઠવાડિયું ગાળી ધર્મ Page #335 -------------------------------------------------------------------------- ________________ બોધામૃત ભાવના વર્ધમાન થાય તેમ વર્તવા ભલામણ છે.જી. બની શકે તે કેટલાકે છેલે દિવસ ધામણ – મંદિરમાં જે ભક્તિભાવના થતી હોય તેમાં ભળી જવા યોગ્ય છે. જે જે પ્રકારે આત્મામાં ધર્મને ઉલ્લાસભાવ વધે તેમ તન-મન-ધનથી પુરુષાર્થમાં વર્તવા ભલામણ છેજી. ખાસ ધ્યાનમાં રાખવાની વાત એ છે કે એ અઠવાડિયામાં કષાય ઘટે, પહેલાં જેની સાથે મનમાં કંઈ ભેદભાવ રહેતું હોય તે દૂર કરી મૈત્રીભાવ સર્વ સાથે વધે તેવી રીતે વર્તાય તે પર્યુષણ આરાધના સાચી થઈ ગણાય. ટૂંકામાં આખા વર્ષમાં વેરવિરોધ થયા હોય તે દૂર કરી ચોખ્ખા થવાનું આ ઉત્તમ પર્વ નિમિત્ત છે. સદાચરણની વૃદ્ધિ કરવા ભલામણ છે.જી. ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૨૯૮ અગાસ, તા. ૨૦-૮-૪૧ તત્ ૩ સત્ શ્રાવણ વદ ૧૩, બુધ, ૧૯૯૭ બાંધેલાં કર્મો છે. ઉદયમાં આવે ત્યારે રાગ અને દ્વેષમાં ખેંચાઈ ન જવાય તેટલે પુરુષાર્થ જરૂર કર્તવ્ય છે. સમતા રહેવી મુશ્કેલ છે પણ તે વિના મોક્ષ થાય તેમ નથી એમ વિચારી બને તેટલે તે દિશામાં પુરુષાર્થ કર્તવ્ય છે. સદગુરુની દયાથી જે સત્સાધન મળે છે તેનું વિસ્મરણ થવા ન દેવું. છેશાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, શ્રાવણ વદ ૦)), શુક્ર, ૧૯૯૭ રાગદ્વેષે મમત્વે મેં, જે જે જીવ વિરાધિયા; ક્ષમા ઘો મુજને તે સૌ, હું યે ક્ષમા દઉં સદા. જે સર્વને અનુકૂળ આવે તે એક દિવસ વધારે ધર્મધ્યાન કરવામાં વિશેષ લાભ છે એમ જાણી છેલ્લે પરસ્પર ખમાવવાને પ્રતિક્રમણદિન ભાદરવા સુદ પાંચમને રાખવા ભલામણ છેજી. કષાય જેટલા ઘટે તેટલું કલ્યાણ” એમ પરમકૃપાળુદેવનું જણાવવું છે તે લક્ષમાં રાખી, થોડા છાપરાનું ગામ છે તે સર્વ હળીમળી ધર્મભાવનામાં જોડાય અને છેલ્લે દિવસે કોઈના મનમાં અણબનાવ ન રહે તેવું વર્તન રાખવા વિનંતી છે. ક્ષમા માગવા જતાં બેટું લાગે તેમ જેને હોય તેને પરાણે છંછેડવાની જરૂર નથી, પણ આપણું દિલ ચોખ્ખું રાખીશું તે જરૂર વહેમોડે જે અતડો રહેતે હશે તે ભળી જશે. આપણું ભૂરું કરનારનું પણ ભલું થાએ, એવી અંતરની ઈરછા દરેક મુમુક્ષુના હૃદયમાં પ્રગટ જાગ્રત રહેવી ઘટે છેજ. વિવાહ વગેરેના પ્રસંગે જેમ પાઘડી ઉતારીને પણ સામાને મનાવી લઈએ છીએ તેમ આ પર્યુષણ પર્વ નિવૈર, મૈત્રીભાવ અને ધર્મને પ્રભાવ વધે તે અર્થે છે તે લક્ષમાં લેશે. ઝ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૩૦૦ અગાસ, તા. ૨૩-૮-૪૧ - તત સત્ ભાદરવા સુદ ૧, શનિ, ૧૯૯૭ ભવિષ્યની ફિકરમાં પડવા જેવું નથી. વર્તમાનને જે સુધારે છે, તેનું ભવિષ્ય જરૂર સુધરવાનું જ અને ભૂતને તે ભૂલી જ જવું ઘટે છેજ. તેમ છતાં સંકલ્પ-વિકલ્પને અભ્યાસ જૂના રેગની પેઠે ઊથલા મારીને જીવને સતાવે છે તે વિષે એક ભક્તિમાન બાઈએ પ. ઉ. Page #336 -------------------------------------------------------------------------- ________________ ૩૧૭ પત્રસુધા પ. પૂ. પ્રભુશ્રીજીને પેાતાના જીવનના અંતિમ વર્ષે પ્રશ્ન કરેલા તેના ઉત્તર સાથે અમૃતમય ઉપદેશ દ્વીધેલા તેની ક્રૂ'ક નાંધ લખી છે તે હૃદયગત કરશે. તે જ દિવસે ઉત્તરાધ્યયન સૂત્ર' સભામાં વંચાતું હતું તેમાં પ્રશ્ન આવેલા કે ભયંકર અશ્વ (મન) તમને ઉન્માર્ગે કેમ લઈ જતા નથી ? તે ઉપરથી સચાટ ખાધ ઘણા થયા હતા. એક શ્રદ્ધા કરવા ચેાગ્ય છે....પછી તેને કઈ ફિકર નથી.” (જુએ પત્રસુધા પત્ર નં. ૨૩૮) આવા અભ્યાસ થઈ ગયા પહેલાં માની બેસવું ઘટતું નથી કે મને હવે કર્મ નહીં બધાય. આ અભ્યાસના ક્રમ જણાવ્યા છે તેની સાથે સદાચાર, આત્માની ઝૂરણા, પ્રેમભક્તિ વગેરેની જરૂર છે અને તેટલી ચેાગ્યતા આવ્યે તે અભ્યાસ ફળીભૂત થાય છેજી. યારે-ત્યારે આ જીવને જ કરવું પડશે. કહેનાર કહી છૂટે અને વહેનાર વહી છૂટે એમ તેએશ્રી સ્પષ્ટ કહેતા તે સત્ય છેજી. આવેા અવસર ફરી ફરી મળવેા દુલ ભ છે, એમ વિચારી પ્રમાદ ઘટાડી જ્ઞાનીની આજ્ઞા ઉઠાવવા યથાશક્તિ તત્પર થઈ જવા જેવું છેજી. માથે સને મરણ ભમે છે તે તેવા અવસરે કેમ વર્તવું ? ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૩૦૧ અગાસ, તા. ૨૪-૮-૪૧ ભાદરવા સુદ ૧, રિવ, ૧૯૯૭ આપે બહુ વિસ્તારથી આહેારની દુર્દશા વર્ણવી છે તથા અનુક'પાનું દર્શીન કરાવ્યું છે. એ બધું શાનું ફળ ? એ વિચારી જીવે અશુભભાવથી પાછા ફરવા ચેાગ્ય છેજી. જે જે ફળ પ્રાપ્ત થાય છે તે પુણ્યપાપની રચના અત્યારે જણાય છે પણ ત્યાં અટકી નહીં રહેતાં દુર્ધ્યાનથી છૂટવા સદ્ગુરુનું શરણુ, તેની આજ્ઞા, ભક્તિભાવ આદિ શુભભાવમાં જીવ પ્રવર્તે તે તેવા પ્રસ`ગેા જોવાના ફરી પ્રસંગ પ્રાપ્ત ન થાય અને જો સદ્ગુરુકૃપાથી ધર્મધ્યાનમાં પ્રવર્તે તે કોટી કર્મીના ક્ષય થઈ જાય. વાયુધારણા, જલધારણા આદિ ધમ ધ્યાનના ભેદો છે તે જો સાંભળ્યા હાય તે। જીવને સૉંસાર પ્રત્યેથી વૃત્તિ દૂર થઈ આત્મકલ્યાણ તરફ વળી જાય તેવા છેજી. તાત્કાલિક પ્રસ`ગે કે આ જમાનાને લગતા પ્રસ`ગેામાં જીવને વિશેષ ગૂ'ચવી નાખવા યેાગ્ય નથીજી. પણ જ્ઞાનીપુરુષે દીર્ઘ દૃષ્ટિથી શાશ્વત આત્મા તરફ દિષ્ટ દેવા જે એધરૂપી ધાધ વરસાવ્યે છે તે તરફ લક્ષ દેવા ભલામણ છેજી. પાતાની ફરજ સમજાય અને ચિત્તની પ્રસન્નતાને અર્થે તે અંગે કઈ કાર્ય કરવું પડે તેના નિષેધ નથી; પણ લક્ષ તે આ આત્મા અનંતકાળના કર્મપ્રવાહમાં તણાઈ રહ્યો છે તેની શી વલે થશે ? આ કનું પૂર કયારે ચાલ્યું જશે ? તેની ચિંતના ઝૂરણા વિશેષ ક છેજી. હિંમતે મરદા તે મદદે ખુદા' એ કહેવત પ્રમાણે જે પ્રસ`ગ આવી પડે તેમાં ધીરજ, સહનશીલતા અને દીઘ (િજ્ઞાનીના યાગે મળેલી ષ્ટિ)થી વવા યાગ્ય છેજી. ગુડીવાડા આદિ સ્થળે પત્ર લખે તે પત્ર વાંચનારને મેહમાં તણાવું થાય તેવું વિશેષ લખાણ ન થાય તેમ લક્ષ રાખવા વિન'તી છેજી. મુમુક્ષુનું લખાણ વૈરાગ્યવ`ક અને સ'સારની ક્ષણિકતા જણાવનાર હોવું ઘટે છે તે તમારા લક્ષમાં છે છતાં સાધારણ સૂચના કરી છે કે કોઈ ને માહિતી આપતાં પણ યથાર્થ વર્ણન કરતાં સામાના ઉપર કેવી અસર થશે ? તે લક્ષમાં રાખી લખાયું હોય તે હિતકારી છેજી. એ જ વિનંતી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #337 -------------------------------------------------------------------------- ________________ ૧૪. બેધામૃત ૩૦૨ અગાસ, તા. ૨૫-૮-૪૧ તમારો ક્ષમાપનાને પત્ર મળે. પૂ.સાથે ધંધામાં ચિત્ત ન દેવાનું મેં કહેવરાવેલું નહીં. તેમની સમજફેર થઈ હશે, તેથી તમે પત્રમાં લખે છે તેમ કર્તવ્ય નથી. જેને પગાર ખાતા હોઈએ તેનું કામ સોંપ્યા પ્રમાણે કરવું તે નીતિને માર્ગ છે, તેથી વિરુદ્ધ વર્તવાનું કઈ જ્ઞાની જણાવે નહીં. જ્યાં સુધી પગાર લઈએ ત્યાં સુધી કામ કરવું ઘટે, પરંતુ ચિંતાફિકર કરવા માટે પણ પગાર મળતું નથી, તે સંબંધી હર્ષ-શેક કે માથે બે માની લેવાની જરૂર નથી એમ જણાવ્યું હોય તે તે ઘટિત છે. શરીર સંબંધી કે વેદના સંબંધી બહુ વિચાર ન કરતાં, જ્ઞાનીની આજ્ઞા વિચારી તેનું આરાધન બને તેટલું આ ભવમાં કરી લેવાને ભાવ રાખે. અહીં આવવા ન આવવાનું પણ પ્રારબ્ધ-આધીન છે; ન આવવું એવું કાંઈ તમને કહ્યું નથી. યથાવકાશ આવી શકાય તે લાભનું કારણ છે પણ મુઝાવાનું કંઈ કારણ નથી. પરમકૃપાળુદેવની ભક્તિ ગમે ત્યાં રહીને સાચા દિલથી કરીશું તે તે સદાય આપણી સમીપ જ છે એવું એમણે પોતે જણાવેલું છેજી. માટે બનતી શરીર સંભાળ રાખી ભક્તિમાં ચિત્ત રાખવા આપ સર્વ મુમુક્ષુ ભાઈબહેનેને વિનંતી છે.જી. બે ઘડી બધા ભેગા થઈ ભક્તિ કરવાનું બને તે રાખવું ઘટે છેજ. ન બને તે એકલા પણ કર્તવ્ય છે. ૩૦૩ અગાસ, ભાદ્રપદ સુદ ૩, ૧૯૯૭ વિ. પર્યુષણ પર્વમાં અત્રે ઘણું મુમુક્ષુઓ ગંગામાં સ્નાન કરી પવિત્ર થાય તેમ તપ, જપ, ભક્તિભાવ, પ્રભાવના, ધર્મનેહ, વિનય, પશ્ચાત્તાપ, પ્રાયશ્ચિત્ત આદિથી મંદ-કષાયી બની યથાશક્તિ મહાન પર્વને ઊજવે છે. એક મુમુક્ષુ ભાઈએ બધી ભરસભામાં ઊભા થઈ પોતે પ. પૂ. પ્રભુશ્રીજી પાસે સટ્ટા નહીં કરવાનો નિયમ લીધેલ છતાં સટ્ટા કરી સર્વ મિલકત એઈ ઘરભંગ થયા છે તેને પશ્ચાત્તાપ કરી, ફરી કદી સટ્ટા નહીં કરવાનો નિયમ-નિશ્ચય કરી, લીધેલું વ્રત તેમણે તૂટેલું અનુસંધાન કરી જેડી દીધું છે. લક્ષ્મી બેઈને પણ શિખામણ લઈ પાછા વળ્યા તે તેમને ધન્ય છે! શ્રી રથનેમિ અને શ્રીમતી રાજુલના પ્રસંગમાં શ્રી ઉત્તરાધ્યયનમાં શ્રી રથનેમિનાં ભગવાને વખાણ કર્યા કે તેમણે ફરી ચારિત્ર લઈ મોક્ષ સાધ્યો. બધાને અસર થાય તે તે પ્રસંગ હવે તે સહજ જાણવા અને શિખામણ લેવા જણાવ્યો છેજ. હાર્યો જુગારી બમણું રમે એમ લેકમાં કહેવાય છે તેમ આ જીવ અનાદિકાળથી જન્મમરણની બાજી રમત આવ્યું છે. ઘણી ખેટ ગઈ, પામર થઈ ગયા છે, કર્મને ગુલામ બની ગયો છે તોપણ તે બાજી ફેકી દઈ હવે નથી રમવી એમ આ અભાગિયે જીવ નિશ્ચય કરતું નથી. “ભવે ખેદ પ્રાણીદયા ત્યાં આત્માર્થનિવાસ.” એમ આત્માથીનાં લક્ષણમાં કહ્યું છે છતાં હજી આ જીવને ભવનો ખેદ પ્રગટ્યો નથી. પરમકૃપાળુદેવની કૃપાથી સ્નેહબંધનનું કારણ જે સ્ત્રી તેને વિગ થાય તે મુમુક્ષુ જીવે હર્ષ પામવા ગ્ય છે. વાઘની બોડમાં વસવું સારું છે પણ સ્નેહ કરનારી સ્ત્રી ઉપર રાગ કરી ચીકણ. કર્મ બાંધી ભવભવમાં રઝળવું સારું નથી. મુમુક્ષુ વિષે પરમકૃપાળુદેવ લખે છે કે મોડાસક્તિથી મૂંઝાઈ ક્ષણે ક્ષણે મોક્ષના માર્ગમાં પ્રવર્તવું તે મુમુક્ષુતા છે. તે ભાવ આપણા હૃદયમાં Page #338 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા. ૩૧૫ કેટલી વાર રહે છે અને મેહની મીઠાશ કેટલી વખત રહે છે તે દરેક મુમુક્ષુએ પિતાના આત્માની દયા લાવીને વારંવાર દરરોજ વિચારતા રહેવાની જરૂર છે. ૫. પૂ. પ્રભુશ્રીજી કહેતા કે ઊંધી ઇંટ છે ત્યાં શું કહેવું ! જેને માટે રેવું જોઈએ એવા આત્માને આધ્યાન આદિ કારણે કર્મ બાંધી આ આત્મઘાતી જીવ કચડી મારે છે અને જેમાં પિતાનું કંઈ ન વળી શકે એવા મરણ આદિ પ્રસંગને સંભારી સંભારી પિતે પિતાને વેરી થાય છે. આવા પ્રકારે એક સદ્ગુરુનું શરણું, તેના ચરણમાં આત્માર્પણ, તેની કૃપાથી જે થાય તે ભલું માનવાની ભાવના વારંવાર સેવવાથી જીવનું હિત થવાનો સંભવ છે. બીજે કઈ બચવાને આરે નથી. ખાટકીના કરતાં વધારે ઘાતકી વર્તન આપણે આપણું આત્મા પ્રત્યે ચલાવીએ છીએ તે ક્યારે અટકીશું? ક્યારે સદ્દગુરુના વારંવારના પિકારને કાનમાં પેસવા દઈશું? કયારે આ સંસારભાવનારૂપ વિષને એકીને સદ્ગુરુની પ્રસન્નતાએ આપણે પ્રસન્નતા સમજીશું? આ વાત મારા આત્માને જ મેં કહી છે. કેઈએ બેટું લગાડવા જેવું નથી. દુઃખીને દિલાસો આપવાને બદલે ડામ દે તેવું લખાયું છે તેને સવળું કરીને આત્મહિતની વિશેષ દાઝ જાગે તેવું મારે તમારે વર્તવાયેગ્ય છે. જેણે સાચા દિલથી સદ્દગુરુનું શરણું ગ્રહણ કર્યું હતું અને મરણાંત-પ્રસંગે તે ટકાવી રાખ્યું તેની સદ્ગતિમાં કઈ પણ પ્રકારે શંકાનું કારણ સમજાતું નથી. પણ આ દુષ્ટાત્માની શી ગતિ થશે ? તેણે શું કરવા ધાર્યું છે? . શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૩૦૪ - અગાસ, ભાદરવા સુદ ૭, ૧૯૯૭ (૧) સામાયિક (૨) છેદો સ્થાપના (૩) પરિહારવિશુદ્ધિ (૪) સૂક્ષ્મ સાપરાય અને (૫) યથાખ્યાત એમ ચારિત્રના મુખ્ય પાંચ ભેદ થાય છે પણ પરિણામની ધારા સમયે સમયે ચઢતી, ઊતરતી કે સ્થિર રહેતી હોય છે તેની અપેક્ષાએ અસંખ્યાત ભેદ ચારિત્રના થાય છે. તે ચઢતા-ઊતરતા ક્રમને તારતમ્યતા કહે છે. તરતમ = હોય તેથી ચઢિયાતું થવું, તેથી પણ ચઢિયાતું ઉત્કૃષ્ટ થતાં સુધી થયા કરવું તે તારતમ્ય. “સંયમના હેતુથી ગપ્રવર્તના, સ્વરૂપલક્ષે જિનઆજ્ઞા આધીન રે; તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં, અંતે થાયે નિજસ્વરૂપમાં લીન જો.” એ કડી વિચારશો તે તે વાક્ય પૂછેલું સમજાશે. સદ્દગુરુ એ જ્ઞાનનેત્ર આપનાર છે. તેમની કૃપાથી સમ્યફદર્શન થાય છે, એટલે દેવ ગુરુ. અને ધર્મનું ઓળખાણ આપનાર સદ્ગુરુ છે. આંખ વડે નગર કે આકાશ દીઠું તે તે આંખમાં બધું સમાય છે કે નહીં? તેમ જે સદ્દગુરુની ઉપાસનાથી સમ્યફદર્શન થાય, કેવળી વગેરેનું સ્વરૂપ સમજાય, ઓળખાય તે સદ્દગુરુનું માહાસ્ય કેટલું? સદ્દગુરુની સમજ કે ગુરુગમ વિના કેવળી કે સર્વજ્ઞ કહે તે શબ્દમાત્ર છે, ભાવ સંતના હૃદયમાં રહ્યો છે, તે સમજાતાં સર્વ સમજાય છે. સમ્યક્દર્શનની માતા સદ્દગુરુ અને કેવળજ્ઞાનની માતા સમ્યદર્શન, હવે સમ્યકદર્શનમાં કેવળજ્ઞાન સમાય (કારણ કે તે તેને ઉત્પન્ન કરે છે) તે સદ્દગુરુમાં કેમ ન સમાય? ગુરુ પદ સમાત હૈ અહંતાદિ પદ સર્વ, તાતે સદ્દગુરુ ચરણકે, ઉપાસો તજી ગર્વ.” Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬. બેધામૃત ૩૦૫ અગાસ, તા. ૨૯-૮-૪૧ તત છે સત્ ભાદરવા સુદ ૭, શુક્ર, ૧૯૯૭ આપને પત્ર મળ્યું હતું. જેની સાથે જેટલે સંસ્કાર લેવડદેવડ હોય છે તે પૂરી થતાં તે સંબંધ છૂટી જાય છે. તેને ખેદ કરવાથી ઊલટો જીવ અપરાધી બને છે. આપણું જોર મરણ આગળ કાંઈ ચાલતું નથી. આપણે પણ એક દિવસે કઈ ને કઈ નિમિત્ત આવી પડશે આ દેહને એમની પેઠે નાખી દઈ ચાલી જવું પડશે. એ દિવસ આવી પહોંચ્યા પહેલાં જે ભક્તિભાવના જ્ઞાનીની આજ્ઞાથી કરી લઈશું તેટલું સાથે આવશેજી. બાકી બીજું બધું આ દેખાય છે તેમાંનું કંઈ સાથે આવી શકે તેમ નથી. આખી જિંદગી દુઃખ વેઠીને ધન વગેરે એકઠું કર્યું હશે, મકાન બંધાવ્યું હશે કે હેર-ઢાંખર-ખેતર આદિ જે મેળવ્યું હશે તે ત્યાંના ત્યાં પડી રહેશે. ઊલટું ચિંતાનું કારણ થઈ પડે કે એને કેણ સંભાળશે, એને કણ ભેગવશે? આમ વાસનાને લઈને અનંતકાળથી જીવ જન્મમરણ કરતે આવે છે તે વાસનાને મૂળમાંથી ઉખેડી નાખે તેવી જ્ઞાનીની આજ્ઞા આ ભવમાં મળી છે તે બીજી બધી વસ્તુઓ કરતાં જ્ઞાનીની આજ્ઞામાં ચિત્ત વિશેષ રહે તે પુરુષાર્થ જરૂર આ ભવમાં કરી લેવા ગ્ય છેજી. સગાંસંબંધી, પૈસાટકા, ઘરબાર, બૈરાંછોકરાં એ બધેથી પ્રીતિ ઉઠાવી અહંભાવ, મમત્વભાવ ઉઠાવી લઈ, દેહ આદિ સર્વ પ્રત્યેથી મહમૂછભાવ બાળી જાળી, ભસ્મ કરી, સ્નાનસૂતક કરી ચાલ્યા જવું છે. તે સ્ત્રી છું, પુરુષ છું, નાનું છું, મોટો છું – એ સર્વ પર્યાયદષ્ટિ છેડી શ્રી સદગુરુએ જાયે છે એ એક શુદ્ધ આત્મા હું છું એવી આત્મભાવના રાખવી. જ્યાં સુધી ભાન રહે ત્યાં સુધી “સહજાન્મસ્વરૂપ પરમગુરુ મહામંત્રનું સ્મરણ રાખવું. ઉપગ બધામાંથી ઉઠાવી તેમાં રાખો. એના જેવું કોઈ બીજું શરણ નથી, તે જ કલ્યાણ થશે.” (ઉપદેશામૃત પૃષ્ઠ ૩૯૨) આ શિખામણ ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ આખર વખતે લક્ષમાં રાખવાની જણાવી છે તેની જેને પકડ થશે તેનું કલ્યાણ થાય તેમ છેજ. જી શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૩૦૬ અગાસ, તા. ૨૯-૮-૪૧ તત કે સત્ ભાદરવા સુદ ૭, શુક્ર, ૧૯૯૭ તમારે પત્ર આજે આવ્યું. તમારી ભાવના જાણ. જેને એવા ભા રહ્યા કરે છે કે કરવા યોગ્ય મારાથી થતું નથી, તેને જે કરવું છે તેના કારણરૂપ કે કાર્યરૂપ અંતરંગ ચર્યા રહે છે એમ પરમકૃપાળુદેવે કહ્યું છે તે પત્રાંક ૨૬૨ વિચારવા વિનંતી છે, અને તે દશા યથાર્થ પ્રાપ્ત કરવાની ભાવના કર્તવ્ય છેજી. સત્સંગ એ અનુપમ નિમિત્ત છે. આપને તે ગ હાલ છે. પ્રમાદ દૂર કરી, કરવા ગ્ય ભાવ પ્રત્યે કાળજી રાખી, પ્રાપ્ત સંયોગને ઉત્તમ લાભ લઈ લેવા ભલામણ છે. જ્ઞાની પુરુષને આશ્રયે આ દેહ છૂટે એ ભાવના જેની છે તેને તે વેગ મળી આવે છેછે. સર્વ સ્થળે આપણી ભાવના જાગ્રત હેય તે તે પૂ. જૂઠાભાઈને કહ્યું હતું તેમ “સમીપ જ છું” એમ સમજવા ગ્ય છે. આપણી ખામી આપણે પૂરી કરવા સપુરુષાર્થની જરૂર છેજી. પરમકૃપાળુદેવનું યોગબળ જગતનું કલ્યાણ કરે. Page #340 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૩૧૭ ૩૦૭ અગાસ, તા. ૨૯-૮-૪૧, તત્ સત્ ભાદરવા સુદ ૭, શુક્ર, ૧૯૯૭ “ખમી ખમાવી નિઃશલ્ય થઈ મેલી મિથ્યા ગર્વ; ધન્યપુણ્ય કૃતાર્થ તે, આરાધે સત્ પર્વ.” પૂ.ને આશ્રમમાં આવવાની ઘણું ભાવના રહે છે તે જાણી, પ્રારબ્ધ અને પુરુષાર્થની અનુકૂળતા મળી આવતાં ભાવના સફળ થાય છે. શરીર નરમ રહે તે વખતે મનમાં મંદવાડ પેસી ન જાય એવું બળ જીવ ધારે તે કરી શકે એ મનુષ્યભવને વેગ છે. શરીરના ધર્મને આત્માના ધર્મ સમજવાની ભૂલ અનાદિકાળથી ચાલી આવી છે પણ કૃપાળુદેવે કહ્યું છે છે દેહાદિથી ભિન્ન આતમાં રે ઉપયોગી સદા અવિનાશ – મૂળ.” દેહ માત્ર સંગ છે વળી જડ રૂપી દશ્ય.” ચેતનના ઉત્પત્તિલય, દેહના ઉત્પત્તિલયને આધારે માની ઘણું જીવે વેક્યું છે. હવે તે ભાવ તજી, જ્ઞાનીએ જાણ્યું છે તે આત્મા હું છું અને દેહ તે પ્રત્યક્ષ બધાને મૂકીને ચાલ્યા જતા આપણે નજરે જોયા છે, તે દેહમાં ને દેહમાં આત્માને મૂંઝવી માર નથી, એ દઢ વિચાર કરી વેદનીના વખતે સત્સાધન પરમકૃપાળુદેવની કૃપાથી મળ્યું છે તે પ્રાણ છૂટે તે પણ છોડવું નથી એવી દઢતા આ ભવમાં તે કરી લેવી છે તે અર્થે આ વેદનીને વખત ગાળવે છે અભ્યાસ પાડી મૂકવા માટે જ આ અવસર આવે છે; ભાન છે ત્યાં સુધી કંઈક સપુરુષે કહેલું સ્મરણ કરી લઉં, પછી તે બની શકે તેમ નથી. માટે આળસ, પ્રમાદ કરી આત્માને વેરી શા માટે બનું? ૩૦૮ અગાસ, તા. ૩૦-૮-૪૧ તત છે સત્ ભાદરવા સુદ ૮, શનિ, ૧૯૯૭ ગીતિ – ક્રોધ, માન ને માયા, લેભ વગેરે રાગાદિ દે; થયા અજ્ઞાનવશે તે, દુષ્કૃત મારાં પ્રભુ, બધાં ખેશે. આપને ક્ષમાપનાને પત્ર મળ્યો. આપે પત્રમાં આત્મનિંદા જણાવી તે વાંચી. પણ તે સર્વ દોષો જેમ જણાવ્યા છે તેમ નજરે ચઢથા તે હવે તેને ઝાઝે વખત ટકવા દેવા જોઈતા નથી. દુકાનમાં ચાર પેઠે એમ જાણે તે પછી છાનામાના બેસી રહી એને અંદરને માલ ચેરી જવા દે? ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીના આબુ ઉપરના બધમાં આ પર્યુષણમાં વંચાયું હતું કે “ભક્તિ, ધ્યાન, સ્વાધ્યાય, એકદષ્ટિ, ભાવ, આત્મભાવના એ પોતાનું ધન છે. વેદની આવે છે ત્યારે ધાડપાડુઓ, ચેર, લૂંટારાઓ તે ધન લૂંટી લે છે. તે તેવે વખતે પિતાનું ધન લૂંટાઈ ન જાય તે માટે શું કરવું? વેદની રોગ આવે છે ત્યારે શાતાને ભિખારી જીવ ભીખના ટુકડા જેવી શાતાને ઈચ્છે છે. સામાયિક, કાઉસગ્ગ, ધ્યાન, ભક્તિ, ત્યાગ, વૈરાગ્ય, સ્વાધ્યાય કરવા દે નહીં એમ વેદની વિધ્ધ પાડે ત્યારે શું કરવું? લૂંટારા તે છે. ધન છૂટું મૂકે તે તે લૂંટારાને લઈ જતાં વાર લાગે નહીં, પણ કોઈ તિજોરીમાં મૂક્યું હોય તે લઈ જવાય નહીં. તેમ ઉપાય શું કરે? તપ, જપ, ક્રિયા માત્ર કરી ચૂક્યો. ફક્ત એક આ Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮: બેધામૃત જીવને સમકિત આવ્યું હોય તે બધું આવ્યું. બધાને ઉપાય એક સમકિત છે. સમકિત આવ્યું હોય તે કંઈ લૂંટાય નહીં. બેઠા બેઠા જોયા કરીએ. માટે જ્યાં સુધી વેદની નથી આવી ત્યાં સુધી સમક્તિ કરી લે.” (ઉપદેશામૃત પૃષ્ઠ ૩૮૦) % શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૩૦૯ અગાસ, તા. ૧-૯-૪૧ તત્ ૐ સત્ ભાદરવા સુદ ૧૧, સોમ, ૧૯૯૭ પૂ.ને સહવાસ હવે નથી તે વિશેષ નૈતિક અને આત્મિક બળ વધારીને વર્તવું ઘટે છે, કારણ કે બળવાન સંગ હોય તે દોષ કરતાં જીવ ડરે છે કે સુધરી શકે છે, પણ તે યેગ ન હોય તે પુરુષનાં વચનના આધારે ગમે તેવા પ્રસંગમાં નિર્દોષ રહેવા પુરુષાર્થ કરે ઘટે. તેમ ન કરે તે બચવાને કોઈ ઉપાય નથી. આપે પુછાવેલ પ્રશ્નને ઉત્તર ટૂંકામાં ફરી લખું છું કે * પરમકૃપાળુદેવે મહાત્મા ગાંધીજી જેવાને પણ મુસલમાની મિજબાનીમાં (જ્યાં માંસાહારને લગતે વ્યવહાર હોય ત્યાં જવાને કચવાતે મને રજા આપી છે અને ફળાહાર વિના કોઈ રાંધેલે પદાર્થ ન લેવાય તે ખોટું પણ ન લગાડવાનું બને અને પિતાના આત્મામાં દયાની લાગણી ટકી રહે એવી શિખામણ આપી છે. તે આપણા જેવા નિર્બળ મનના માણસે તે તેવા પ્રસંગોથી દૂર રહેવાય તેમ કરવામાં હિત છે, એ જાણી, સમજી તેમ જ પ્રવર્તવું ઘટે છે. ૩૧૦ અગાસ, તા. ૧-૯-૪૧ તત છે. સત ભાદરવા સુદ ૧૧, સેમ, ૧૯૯૭ જે જે પુદ્ગલ ફરસના, નિરો ફરસે સંય; મમતા - સમતા ભાવશું, કર્મબંધ- ક્ષય હેય.” (બૃહદ્ આચના) આપને ક્ષમાપના પત્ર મળ્યો છેજી. સમાચાર જાણ્યા છે. અનિવાર્ય પ્રસંગે સમતા સિવાય બીજો કઈ રસ્તો નથી. આપણું ધાર્યું કંઈ થતું નથી. એક વખત હું અમદાવાદ ૫. ઉ. પ્રભુશ્રીજીનાં દર્શનાર્થે ગયેલ ત્યારે ઉપરને આલેચનાને દેહરે ઊભા ઊભા તેઓશ્રીએ લખાવ્યું અને આણંદ પૂ. મગનલાલ તારમાસ્તર હતા તેમની સાથે વિચારવા ફરમાવેલું. તેને થોડો અર્થ નીચે લખેલે છેઃ જે જે પુદ્ગલ ફરસના” –માત્ર જ્ઞાતા દ્રષ્ટી તરીકે બાંધેલાં કર્મો જેજે; તેમાં માથું મારવા જેવું, ઈષ્ટ-અનિષ્ટપણું કરી આત્માને લેશિત કરવા જેવું નથી. ચેતાવે છે કે જેને હે, ભૂલતા નહીં, “પુદ્ગલ રચના કારમીજી” તેમાં મનને લીન કરવા જેવું નથી. અથવા જે જે પુદ્ગલ ફરસના પ્રારબ્ધ અનુસાર બને છે, તેમ જ બનવાનું નિર્માયેલું હતું. “નિરો ફરસે સેય” પાંચ ઇન્દ્રિથી જણાતું જગત બધું પુગલમય છે અને સદાય ફરતું જ છે, ફરશે જ; એક આત્મા અવિચળ, નિત્ય, ટંકલ્કીર્ણવત્ ત્રણે કાળ રહેનાર છે; તે સિવાય જ્યાં જ્યાં જીવે વિશ્વાસ રાખ્યું હશે તે બધું પલટાઈ ફરી જવાનું છે. નહીં ધારેલું બનશે. મરણને ખ્યાલ નહીં હોય ને અચાનક આવીને ડોળા કાઢી ડરાવશે. આવા ને આવા દહાડા સદાય રહેવાના * જુઓ પત્રાંક ૭૧૭. Page #342 -------------------------------------------------------------------------- ________________ પગસુધા ૩૧૯ નથી. “પીંપળ પાન ખરંતાં, હસતી કુપળિયાં, મુજ વીતી તુજ વીતશે, ધીરી બાપુડિયા” તેમ કાળા વાળ ધોળા થઈ જશે; કાને સાંભળવું ધબ થઈ જશે; લાકડી વિના ડગ નહીં ભરી શકાય; ચામડી ઢીલી પડી જઈ ટટળશે મુખમાંથી લાળે પડશે; આંખે સૂઝશે નહીં, નાનાં છેકરા પણ તિરસ્કાર, મશ્કરી કરશે. આ બધે અધિકાર હતું ન હતું થઈ જશે. અથવા જે પુદ્ગલની ફરસના માંડી હશે તે જરૂર ભેગવવી પડશે. પિતાનાં કર્યા પિતાને જ ભેગવવાં પડશે, પણ ભોગવવા-ગાવવાની રીતમાં જ્ઞાની અજ્ઞાનીમાં ભેદ પડે છે તે હવે જણાવે છે: મમતા-સમતા ભાવશું કર્મબંધ-ક્ષય હોય.” મમતા કરનાર પ્રારબ્ધ ભગવતાં બંધાય છે અને સમતા ધારણ કરનાર જ્ઞાનીજન તે જ પ્રકારના પ્રારબ્ધને ભેગવી લઈ મુક્ત થાય છે, છૂટે છે. ચમત્કારી વાત છે. સમતા રહેવી દુષ્કર છે. આ પર્વમાં ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીને બોધ વંચાતું હતું તેમાં આવ્યું હતું: “મેટા પુરુષો હોય તે સારા ઉત્તમ સ્થાનમાં રહે છે, પાયખાનામાં રહેતા નથી, તેમ આખું જગત પાયખાનામાં રહે છે. પણ જ્ઞાનીઓનું સ્થાન કયું છે? “સમભાવ.” આ એમનું સ્થાન છે. આ જગાનું કેટલું સુખ, કેટલી સાહ્યબી છે? તે કચ્યું જાય તેમ નથી. આ જગાએ જવાથી દુઃખમાત્ર નાશ પામી જાય છે. ચંડાળ જેવા નીચ ઘેર, હલકા ભાવમાં જ્ઞાની રહેતા નથી, તેથી તેમને ભય માત્ર નાશ પામી જાય છે. “એક આત્માને જાણે તેણે સર્વ જાણ્યું. તેની શ્રદ્ધા, વિશ્વાસ, પ્રતીતિ થયે પણ કામ થઈ જશે. છ પદને પત્ર અમૂલ્ય છે. ઊંડા ઊતરવું જોઈએ, પકડ થવી જોઈએ. બધાંની વચમાં કહ્યું છે, પણ “સમભાવની પકડ કરી લેશે તેનું કામ થશે....અંતર પરિણમન વિચારથી કરવું જોઈએ; પલટાવી નાખવું જોઈએ. હવે તે આત્મા જેવાનું કરો. બીજું જેવાનું કર્યું છે, તેથી ફરીને એક આત્મા જેવાનું કરે. દષ્ટિમાં ઝેર છે, તે અમૃત થાય તેમ કરે. “માત્ર દષ્ટિકી ભૂલ હૈ. જ્ઞાનીઓએ એ જ કર્યું છે, એ જ જોયું છે. કર વિચાર તે પામ” વિચારવડે દષ્ટિ પલટાવી અંતર્દષ્ટિ કરવાની જરૂર છે....સર્વ જ્ઞાની પુરુષે એક જ વાટે મોક્ષે ગયા છે. તે વાટ “સમતા છે. બહુ અદ્ભુત છે! વિષમભાવ છે ત્યાં બંધન છે. સમભાવ છે ત્યાં અબંધતા છે.” (ઉપદેશામૃત પૃષ્ઠ ૩૮૭-૮૮) % શાંતિઃ શાંતિઃ શાંતિઃ હ૧૧ અગાસ, તા. ૫-૯-૪૧ ભાદરવા સુદ ૧૫, શુક્ર, ૧૯૯૭ આપનો પત્ર મળ્યો. વાંચી કર્મની વિચિત્રતા જાણ, એવાં જ કામ એનાં છે એમ ખાતરી થવાથી જ્ઞાની પુરુષે તે સર્વ કર્મોને નિર્મૂળ કર્યા વિના નિરાંતે, જંપતા નથી. જે સદૂગુરુરૂપ તરવાની હેડી છે, તેમાંથી સંસારસાગરમાં કૂદી પડવા માટે દર્શનમેહ નામના કર્મની પ્રેરણું હોય છે તેની શિખામણને અનુસરનાર અનેક જી વિનાશને વર્યા છે. સત્સાધન કે સત્વશિક્ષા જે સૂક્તા નથી તેને વાંકે વાળ કરવા કઈ જગમાં સમર્થ નથી. પણ તે મૂકીને જે દેઢડાહ્યા જ પિતાની ઢેડી જેવી તુચ્છ બુદ્ધિની સલાહ માને છે તેના કેવા હાલ થાય છે તે ઉપર એક કથા છે તેને બધા મળી વિચાર કરશે એમ ભલામણ છે. (જુઓ ઉપદેશામૃત પૃષ્ઠ ૧૯૭–૧૯૮ની ફૂટનેટ – રણદેવીની કથા) Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩ર. બધામૃત યક્ષ એ સદ્દગુરુ છે. જિનરક્ષિત એ ભગવદ્ભક્ત, ટેકવાળ, એક લક્ષથી સત્સાધના કરનાર મુમુક્ષુ છે. જિનપાલિત તે પિતાની બુદ્ધિએ ચાલનાર સંસાર-વાસનાવાળે છે, ને રણદેવી તે માયા છે, મેહ છે, કર્મ છે. પુણ્યકર્મરૂપ વહાણ ભાંગતાં મોહવશ થયેલા સ્વદેશ–મેક્ષને રસ્તેથી એક ચૂક્યો. શાંતિઃ “ત્રાસ ધરે ભવ ભય થકી, મનમેહન મેરે, ભવ માને દુઃખખાણ રે. મન” (બીજી ગદષ્ટિ) સંપાયામ વિનરતિ --- માવતા તા. ક. – સંસાર તો હોય તેણે આ વાત વારંવાર વિચારી જિનરક્ષિત બનવા પુરુષાર્થ, સદ્ગુરુમાં શ્રદ્ધા વધારવી ઘટે છે. બીજા વિકલપમાં ન પડવું, હું શું જાણું? ધર્મ સંબંધી મને કંઈ ભાન નથી. માત્ર મારે તે બતાવેલે રસ્તે આંખો મીંચીને ચાલ્યા કરવું છે એ નિશ્ચય હિતકારક છે. ૩૧૨ અગાસ, તા. ૧૭-૯-૪૧ તત્ ૐ સત ભાદરવા વદ ૧૧, બુધ, ૧૯૯૭ દેહરા – દીન-દયાળ દયા કરે, પરમ ધર્મ આધાર; તુમ સમ સમર્થ કઈ નહિ, આત્મબોધ-દાતાર. અબુધ અવિવેકી છતાં શરણે રાખ નાથ; ઈચ્છું ઉલ્લંગે રમું, સસલા સમ શશી સાથ. ચંદ્ર-પ્રભા સમ તુજ ગુણે, સ્વરૂપ મુંજ જણાય; માગું તુજ ગુણ-રમણુતા, દયા કરો ગુરુરાય. (પ્રજ્ઞા વધ-૪) તમ બનેના પત્રો મળ્યા. જે જે ભાવો પ્રદર્શિત કર્યા છે તે પ્રશસ્ત છે, પણ તે ભાવપૂર્વક પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર ગુરુ પ્રત્યે કરવા ગ્ય છે. એ તરણતારણ સદૂગુરુની ભક્તિ ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ કરવા જણાવી છે તે વિષે આપને કઈ કઈ પ્રસંગે જણાવવું થયું છે. હું તે માત્ર ચિઠ્ઠીને ચાકર છું. મારા પ્રત્યે જે ભાવ દર્શાવ્યું છે, તે અસ્થાને છે. હું હજી સાધક છું; જે પરમ પાવન પરમાત્માનું પરમ ધામ છે તેને પ્રવાસી છું. આપણે એક જ માર્ગે જવાનું છે. જે તમને બતાવ્યો તે રસ્તે સાચે છે. હવે પુરુષાર્થ જેને જેટલે વિશેષ, તેની તેટલી વિશેષ પ્રગતિ. જે રસ્તામાં સૂઈ રહેશે તે આગળ વધી શકશે નહીં, પણ એ જ માર્ગ વહેલેમડે ચાલ્ય મોક્ષનગરે જવાશે. ૫. ઉ. પ. પૂ પ્રભુશ્રીજી કહેતા કે પરમકૃપાળુદેવની ભક્તિ કરવામાં તમારા આત્માને કંઈ હાનિ થાય તેવું હોય તેને અમે જોખમદાર છીએ, વીમે ઉતરાવીએ છીએ, જવાબદારી લઈએ છીએ. આટલું બધું કહેવાનું કારણ માત્ર આ કાળના આપણા જેવા અશ્રદ્ધાળુ અને સન્માર્ગમાં દઢતા થાય તે અર્થ, નિષ્કારણું કરુણા જ હતું. તે મહાપુરુષના ઉપકારનું જેમ જેમ વિશેષ સ્મરણ થશે તેમ તેમ પરમપુરુષ શ્રીમદ્ રાજચંદ્રદેવ પ્રત્યે વિશેષ ભક્તિભાવ ઉલાસ પામશે અને આપણું પામરતા સમજાતાં સ્વપ્નદશારૂપ અહંભાવ-મમત્વભાવ દૂર થવાનું બનશે. માર્ગ બતાવનાર સાચા સજ્જન મળ્યા છે, નવી, કદી ડૂબે નહીં તેવી સ્ટીમરમાં આપણને બેસાડ્યા છે. હવે છાનામાના, ડાહ્યા થયા વિના, Page #344 -------------------------------------------------------------------------- ________________ પગસુધા ૩૨૧ તેના વિશ્વાસે, યથાશક્તિ (શક્તિ ગોપવ્યા વિના) તેની આજ્ઞા આરાધવાને પુરુષાર્થ કર્યા જવાને છે. ધીરજ રાખી જ્ઞાનીને માર્ગે ચાલવાથી વગર ઈરછ એક્ષપાટણ પ્રાપ્ત થાય તેમ છે.જી. બાળક ગર્ભ અવસ્થામાં શું કરે છે? તેને કંઈ ભાન છે? છતાં તેનું પિષણ આપોઆપ થયે જાય છે. તે ફિકર કરે, ઉતાવળ કરે કે કલેશિત રહ્યા કરે તે પણ તેને જેટલી મુદત તે દશામાં રહેવાનું છે તેમાં ફેરફાર થાય તેમ છે? જે ભૂમિકામાં જે કર્તવ્ય છે તેટલું કરતા રહી જેમ બને તેમ શાંતિનું સેવન કરતા રહેવાથી સરળ રીતે આગળ વધાય છે. જેમ જેમ છોડવા મોટા થાય છે, તેમ તેમ તેમને પવનના સપાટા વિશેષ સહન કરવા પડે છે. તે વિશેષ નમી પણ જાય છે, છતાં તેથી મૂળ મજબૂત થતાં જાય છે, વિશેષ પોષણ આપે તેવાં ઊંડે જનાર પણ બને છે, તેમ મુશ્કેલીઓમાં તે જે કરવું છે તેના ભાવ વર્ધમાન થાય છે, લાગ મળે તે વિશેષ ભાવપૂર્વક સાધન થાય છે, નહીં તે તીવ્રતા વધતી જાય છે, તે વિશેષ આગળ વધવામાં પ્રબળ કારણ બને છે. મૂંઝવણનું કઈ કારણ નથી. થાય એટલે પુરુષાર્થ કરતા રહેવું અને ભાવના વધારતા રહેવું. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૩૧૩ અગાસ, તા. ૨૦-૯-૪૧ તત્ સત્ ભાદરવા વદ ૧૪, શનિ, ૧૯૯૭ લાગશે લાગશે લાગશે રે પરબ્રહ્મપદે લય લાગશે – ટેક બ્રહ્મનિષ્ઠ ગુરુ રાજ-પ્રતાપે અનાદિને ભ્રમ ભાગશે રે, પરબ્રહ્મ ગુરુરાજ પ્રતાપે લય લાગશે રે. આત્મજ્ઞાની લઘુરાજે જણાવ્યા રાજગુણે ઍવ જાગશે રે, પરબ્રહ્મ બ્રહ્મજ્ઞાનીની ભક્તિ કર્યાથી બ્રહ્મચર્ય-રુચિ વધશે રે, ગુરુરાજ પ્રતાપે (પ્રજ્ઞાબેધ - ૫૦) આપને એક શંકા થઈ છે, રહે છે કે જડથી ચેતન ઊપજે નહીં છતાં શ્રી રામચંદ્રના ચરણકમળને સ્પર્શ થતાં શિલાની અહલ્યા કેમ થઈ? તે વિષે જણાવવાનું કે કેટલીક બાબતે કથાનુગની એટલે પુરાણની એવી હોય છે કે તેમાંથી માત્ર સાર ગ્રહણ કરવાનું હોય છે, અક્ષરેઅક્ષર બેસાડવા જઈએ તે ન બેસે. માત્ર પરમાર્થ ઉપર દષ્ટિ રાખી પુરાણે વાંચવા ગ્ય છે. શ્રી રામચંદ્રનું માહાસ્ય અને પતિતપાવન સ્વરૂપ જણાવવા મુખ્ય તે તે કથા છે. સિદ્ધાંતગ્રંથમાં બે ને બે ચાર થાય તેમ હિસાબ બેસી જાય તેવી વાત હોય છે; કદી તેમાં લખ્યું હોય તે ફેરફારવાળું ન હોય. આત્મસિદ્ધિશાસ્ત્રમાં સિદ્ધાંતની વાત છે અને રામાયણ એ પુરાણ ગ્રંથ છે. આટલું જણાવી તે દષ્ટાંત સૈદ્ધાંતિક રીતે પણ ઘટે તેમ છે. માત્ર વચ્ચે કાળ જે ગયે તેની ગણતરી કથામાં ટૂંકાવી દીધી છે. ૫. ઉ. ૫. પૂ. પ્રભુશ્રીજી સત્સંગના માહાસ્યની એક પ્રચલિત કથા કહેતા તે ઉપરથી આ પ્રસંગ બરાબર સમજાઈ જશે, ગણું સંક્ષેપમાં તે કથા લખી છે. 21 Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ બેધામૃત એક વખત નારદજીએ ભગવાનને “સત્સંગનું મહાભ્ય શું?”—એમ પ્રશ્ન કર્યો. નારદજીને ભગવાને કહ્યું – અમુક વડ ઉપર એક કાચીંડાનું બચ્ચું હાલ જખ્યું છે તેને જઈને પૂછે. ભગવાનની આજ્ઞા થઈ, તેથી ત્યાં જઈ તેમણે પૂછ્યું કે તે તરફડીને મરી ગયું. એટલે ભગવાન પાસે આવી બધી હકીકત કહી સંભળાવી. ભગવાને ફરી બીજા ઝાડના એક માળામાં પોપટનું બન્યું છે તેને પૂછવા મોકલ્યા; તે ત્યાં પણ જઈ સત્સંગનું માહાસ્ય પૂછ્યું કે તેણે દેહને ત્યાગ કર્યો. ફરી પશ્ચાત્તાપપૂર્વક ભગવાનને નિવેદન કર્યું કે હે ભગવાન! મને પાપ લાગે તેવી જગાએ કેમ મોકલે છે? ભગવાને સમજાવીને ફરી રાજાને ત્યાં કુંવર જન્મ્યા હતા તેને ત્યાં મેકલ્યા. ત્યાં તે જે બાળક મરી જશે તે જરૂર પકડીને તે લેકે શિક્ષા કરશે એ ભય લાગે, પણ ભગવાનની આજ્ઞા મુશ્કેલી ભરેલી પણ પાળવી એ નિશ્ચય કરી ત્યાં જઈ તરત જન્મેલા બાળકને મગાવી નારદ ઋષિએ પૂછ્યું કે સત્સંગનું માહાસ્ય શું? બાળકે કહ્યું: “તમે હજી ન સમજ્યા? પહેલાં કાચીંડાના ભાવમાં તમે મને દર્શન દીધાં તેથી હું પિપટ થયે અને ત્યાં ફરી તમારાં દર્શન થતાં અહીં હું રાજપુત્ર થયે. એ બધા સત્સંગને પ્રતાપ છે.” જન્મેલું બાળક ન બોલે એ વાર્તાકારને ખબર છે, છતાં વાર્તાને રસ જમાવવા જેમ અહીં કહ્યું છે તેમ શિલામાંથી મનુષ્યની ઉત્પત્તિ જાદુ કે ચમત્કારની પેઠે ન થાય તે કથાકાર તેમ જ સમજુ શ્રેતાઓ પણ જાણે છે. પણ ભેળા સાંભળનારાઓ વિચાર ન કરી શકે તેવા તે શિલામાંથી અહલ્યા માની લે તેમાં નવાઈ નથી. ત્યાં શિલા એટલે માત્ર પથ્થર નથી જણાવ્યું. પણ પૃથ્વીકાયને જીવ એટલે શિલા જેનું શરીર છે તે જીવને શ્રી રામચંદ્ર મહાત્માના સ્પર્શથી જે પુણ્ય બંધાયું તેથી તેણે મનુષ્યગતિનું –અહલ્યા થવાના ભવનું આયુષ્ય તે વખતે બાંધ્યું અને કાળે કરીને તે દેહ છોડી મનુષ્યભવમાં તે કન્યારૂપે જન્મે ત્યારે તેનું અહલ્યા નામ પડ્યું. આવું સ્પષ્ટીકરણ કથામાં કરે છે તે પ્રસંગની જે છાપ પડવી જોઈએ તેવી સચોટ ન પડે, માટે ટૂંકામાં કથામાં જણાવ્યું છે તેમ જ શિલાની અહલ્યા કરનાર શ્રી રામચંદ્રજીના ગુણ ગાયા છે. તેને શાપ લાગ્યું હતું તે ભવ બીજે હતે; અને તે મનુષ્યભવને દેહ છૂટ્યા પછી કરેલાં પાપના ફળરૂપે એક ઈન્દ્રિયરૂપ પથ્થરના શરીરમાં ઘણાં વર્ષ અગતિનાં દુઃખ સહતાં રહેવું પડ્યું. પછી જ્યારે તે પાપ ભગવાઈ રહ્યું ને પુણ્યને ઉદય આવ્યો ત્યારે શ્રી રામચંદ્ર મહાત્માને વેગ તે જીવને બનતાં પાછો મનુષ્યભવ મળવાનું કારણ બન્યું. આ બધા ભવમાં તેને તે જીવ હતું તેને અહલ્યા નામથી કથાકારે ઓળખાવ્યા છે આટલું લક્ષમાં રહેશે તે કોઈ જાતની શંકા તે કથામાં નહીં રહે એમ લાગે છે. પૃથ્વી, પાણી, વનસ્પતિ, પવન વગેરેમાં જીવ હોય છે. તે નીકળી જાય ત્યારે માત્ર પૃથ્વી, શિલા, ગરમ પાણી કે લાકડું પડી રહે છે, એ સિદ્ધાંતની વાત છે. એટલે જડમાંથી કદી ચેતનની ઉત્પત્તિ થતી નથી, પણ શિલામાં જે જીવ હતા, તે નીકળીને મનુષ્યગતિમાં ગયે; પથ્થરનું મનુષ્ય બની ગયું નથી, તે વિચારશે. વિચારપૂર્વક વાંચે તેને શંકા થાય તે તેના સમાધાન પણ મળે. નિઃશંક તે જ્ઞાની મહાત્મા છે, તેને આધારે વર્તવું છે. શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #346 -------------------------------------------------------------------------- ________________ ૫ત્રસુધા ૩ ૩૧૪ અગાસ, તા. ૭-૧૦-૧ ભેગ-પંક તજી ઉપર બેઠા, પંકજ પરે જે ન્યારા; સિંહ પરે નિજ વિક્રમ શૂરા, ત્રિભુવન જન આધારા ધન્ય તે મુનિવર રે જે ચાલે સમ ભાવે.” આપે “નૃપચંદ્ર પ્રપંચ અનંત દહો, ભજીને ભગવંત ભવંત લહો” એને ભાવાર્થ પુછાળે છે, તેના વિષે જણાવવાનું કે પરમકૃપાળુદેવે પિતાને ઉદ્દેશીને લખ્યું છે કે હે નૃપ (રાજ) ચંદ્ર! આ અનંત પ્રપંચ (સંસાર) હવે બાળી નાખે, ભગવંતની ભક્તિ કરીને ભવ તરી જાઓ. આ માત્ર શબ્દાર્થ છે. તમે પણ તેટલી વાત તે સમજ્યા હશે. પણ વિશેષ યેગ્યતાએ એની એ જ વાત વિશેષ પુરુષાર્થ પ્રેરક નીવડવા ગ્ય છે. માટે વારંવાર ધૂન લગાવે તેમ તેના જ વિચારમાં રહેવાથી તે મહાપુરુષે કેવા ઉપાયે ભવનો અંત આણે તે સમજાયે તે કડી આપણા આત્માને ઉપકારી બનશેજી, ભક્તિ પણ જાગશે અને ભવને અંત આણવા નિશ્ચય વધશે. “પ્રપંચ શબ્દ પાંચ ઇન્દ્રિયના વિષયના વિસ્તાર અર્થે વપરાય છે. સંસારનું મૂળ મેહના વિકલ્પ છે અને તે ઉત્પન્ન થવામાં પાંચ ઈન્દ્રિયના વિષયે મુખ્ય નિમિત્તભૂત છે. ભક્તિ એ જ એક એવું ઉત્તમ સાધન છે કે જે જીવને ઇન્દ્રિયની જાળમાંથી મુક્ત કરી પ્રશસ્ત ભાવ દ્વારા છૂટેલા પુરુષમાં વૃત્તિ રખાવી રક્ષા કરે છે. અવિષમપણે જ્યાં આત્મધ્યાન વર્તે છે, એવા જે “શ્રી રામચંદ્ર તે પ્રત્યે ફરી ફરી નમસ્કાર કરી આ પત્ર અત્યારે પૂરું કરીએ છીએ.” (૩૭૬) ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૩૧૫ અગાસ, તા. ૧૪-૧૦-૪૧ તત્તા તારું આપ તપાસ, ક્યાંથી આવ્યો? ક્યાં તું જાશ? ખેપ કરીને ખેળી કાઢ, હરીફ હોય તે લાગે હાથ મૂરખને મનમાં નહિ ત્રાસ, તત્તા તારું આપ તપાસ. ફફફ ફેગટ તે કણ ફરે, સચેત થઈ હરિસ્મરણ કરે, જન્મમરણમાં આવે નહીં, જેનું મન વસિયું હરિમહીં, જઠરાવાસ નિશે તે હરે, ફફફ ફેગટ તે કેણ ફરે! બબ્બા બેલે તેને જાણ, મૂકી દે ને મનની તાણ, હું મારું હૃદયેથી ટાળ, પરમારથમાં પિંડ જ ગાળ; દયા દીનતા મનમાં આણ, બબ્બા બેલે તેને જાણ. “અલ્પ આયુષ્ય આ કાળનાં નીરખી, “જીવીશું કાલ” એને ભરેસે નથી; દેહને વેદનાની ગણી મૂરતિ, ધર્મના ભાવની, ભવ્ય, કર પૂરતિ” આપનું કાર્ડ મળ્યું. ધર્મસ્નેહને લઈને ખેદની લાગણી તથા વૈરાગ્યની સ્કુરણા થઈ. અણધારી રીતે તે શ્રદ્ધાળુ આત્માએ સર્વને સંગ તજી પોતાના ભાવિ માર્ગ પ્રત્યે પ્રયાણ કર્યું. આ કાળને આવા જ વધારે વખત સુધી આ ક્ષેત્રે રહે તે પોષાય નહીં, એમ લાગવાથી તેને હરી લીધું હોય તેમ ધર્મયૌવનમાં એકાએક લૂંટ પડી. તેનાથી બને તેટલું તે કરી Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩ર૪ બેધામૃત છૂટ્યો. હવે આપણે કાળ આવી પહોંચે ત્યાં સુધીમાં આપણે કેમ જીવવું તે નક્કી કરવાનું આપણું હાથની વાત છે. એકાએક ચેતવણી આપીને ચાલ્યા જાય તેવું તેનું જીવન સર્વને ચેતવણીરૂપ છે. પ્રત્યક્ષ સમજાય તેવું છે કે બાપ કરે તે બાપની સાથે, પુત્ર કરે તે પુત્રની સાથે, મા કરે તે માની સાથે, સ્ત્રી કરે તે સ્ત્રીની સાથે અને પતિ કરે તે પતિની સાથે જાય છે. કેઈ કઈને કંઈ પણ આપી શકે કે લઈ શકે તેમ નથી. માત્ર કલ્પનાથી મેં આને ઉછેર્યો કે એણે મને આ લાભ કર્યો એમ માનીએ છીએ. પિતે જ પિતાનો મિત્ર કે પિતે જ પિતાને શત્રુ છે એમ વિચારી, હવેથી આ આત્માને જન્મજરામરણરૂપ કસાઈખાનામાંથી છોડાવવા જરૂર પ્રયત્ન કરી પિતે પિતાનો મિત્ર બનવું છે એ દઢ નિશ્ચય કરી, સદ્દગુરુ આજ્ઞામાં પળે પળે વર્તાય તેમ કરવું, એ જ અત્યારે બની શકે તેમ છે જ. બીજાને સંભારી શેક કરવાથી નથી બીજાનું ભલું થવાનું કે નથી પિતાનું ભલું થવાનું, પણ ભક્તિમાં ચિત્ત વિશેષ બળ કરીને રાખીશું તે પિતાના આત્માને આશ્વાસન અને કલેશરહિતપણું પ્રાપ્ત થશે, અને અન્યને પણ શાંતિનું કારણ બનશે. તે વિચારી ત્યાંના સર્વે મુમુક્ષુવર્ગે મળી વધારે વખત ભક્તિમાં ગળાય તેમ કરશે. શાંતિઃ ૩૧૬ અગાસ, તા. ૨૧-૧૦-૪૧ તત ૩ સત્ કાર્તિક સુદ ૧, મંગળ, ૧૯૯૮ વિ. આપને પત્ર મળે. પરમકૃપાળુદેવની કૃપાએ જીવવું છે એ જ ભાવ કર્તવ્ય છેજી. કોઈને દુઃખરૂપ ન થવાય તે ભાવના ભૂલવા ગ્ય નથી, પણ કષાયરહિત થયા વિના તેમ બનવું અસંભવિત જણાય છે. તેથી હાલ તે જેથી કલ્યાણની વૃદ્ધિ થાય તેમ વર્તવું યેગ્ય છે. સદ્ગુરુની ભક્તિ અને મુમુક્ષુપણું વધે તેમ વર્તવા ભલામણ છે. આ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૩૧૭ અગાસ, કાર્તિક સુદ ૩, ૧૯૯૮ સંસાર-આસક્તિ ઓછી થવાનો ક્રમ અંગીકાર કરશે. તે સમાધિમરણની તૈયારીરૂપ જી. પવિત્રાત્મા પૂ.એક અસહાય પરાધીન બાળા છતાં સંસારથી છૂટવા કેટલે બધે પુરુષાર્થ અનેક મુશ્કેલીઓમાં કરે છે ! છતાં આપણે સ્વતંત્રપણે બીજી ઉપાધિઓ સંકેચી શકીએ તેમ છીએ, છતાં વધાર્યા જઈએ છીએ; તે ઉપર ઉપરથી છૂટવું છે, છૂટવું છે એમ કહેવું છે કે ખરેખર છૂટવું જ છે એમ લાગ્યું છે? જે લાગ્યું હોય તે તે પવિત્ર બહેનનું દષ્ટાંત લઈને પણ જેમ બને તેમ બીજા વિકલ્પ ઓછા થાય તે કોઈ કમ શેધી તે પ્રકારે નિશ્ચિત થઈ જવાને યથાર્થ માર્ગ આરાધો અને આ માયાજાળમાં આગળ ને આગળ વધતા ન જવું. એક ધ્યેય નિશ્ચય કરી તેને અનુસરવાનો નિશ્ચય કરી દે એટલે વહેલેમોડે તે અમલમાં મુકાય. એમ કર્યા વિના માત્ર ઘર બળતું દેખી કોઈ ગભરાઈ જાય ને છૂટવાને માર્ગ ન લે તે તે બૂમ પાડતે પાડતે અંદર બળી મરે. માટે જ્ઞાની પુરુષોએ કહ્યું છે કે આ લેક ત્રિવિધ તાપથી બળતે છે, તે તાપ જે સમજાતો હોય તે મરણ આજે આ કે લા વર્ષે આવો પણ મારે તે મેક્ષને માર્ગ નકકી કરી તે રસ્તે ગમે તેટલી મુશ્કેલીઓ આવે છતાં જરૂર જવું જ છે, એટલે નિશ્ચય એક વાર થઈ જાય તે પછી તેને તેના જ Page #348 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૩૨૫ વિચારે મુખ્ય પણે આવે, છાપાં વાંચવાનો વખત પણ ન મળે. પુરુષનાં વચન સિવાય તેને કઈ રુચે નહીં. જે પુરુષ અનંત કૃપા કરી મેક્ષમાર્ગમાં જ જીવ્યા છે, અને તેને ઉપદેશ કર્યો છે એવા પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુનાં વચનનું પાન કરતાં તે થાકે નહીં. રાતદિવસ તે જ લત લાગે અને તેમાં એને એટલે આનંદ આવે કે ધનના ઢગલા કમાવાના છેડી તે તેને સાથે જ જીવે. એ રસ લગાડે આપણા હાથની વાત છે. ઘણી વખત શ્રીમદ્ પરમકૃપાળુદેવનાં વચન વાંચવામાં જે ગાળશો તો તે તરૂપ નીવડશે, અને શું કરવું તે આપઆપ સદ્ગુરુની કૃપાએ સૂઝી આવશે. શબ્દો લખવા કરતાં તે શબ્દોથી થતા ભાવે આપણામાં છે કે નહીં, તેના વિચાર ઊંડા ઊતરી કરતાં રહેવા ભલામણ છે'. સાચા થવું જ છે એ ભૂલવા ગ્ય નથી. ૩% શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૩૧૮ અગાસ, તા. ૨૯-૧૦-૪૧ તત સત્ કાર્તિક સુદ ૧૦, ૧૯૯૮ “ઉપાર્જિત કર્મની સ્થિતિને સમપરિણામે, અદીનપણે, અવ્યાકુળપણે વેદવી એ જ જ્ઞાની પુરુષને માર્ગ છે, અને તે જ ભજવે છે, એમ સ્મૃતિ થઈ સ્થિરતા રહેતી આવી છે એટલે આકુળાદિ ભાવની થતી વિશેષ મુઝવણ સમાપ્ત થતી હતી.” (૪૬૫) વિ. મનમાં કોઈ પણ પ્રકારનો બોજો ન રહે તેવી સમજણ રાખી વર્તવા ગ્ય છેજી. ઈરછાથી જ ચિત્ત વ્યાકુળ રહે છે. અનાદિ વાસનાને કારણે ઈરછાનું થાણું ચિત્તમાંથી ઊઠતું નથી. ક્યા ઈચ્છત? ખેવત સબે, હૈ ઈચ્છા દુઃખમૂલ; જબ ઈચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ.”–શ્રીમદ્ રાજચંદ્ર વધારે વિચાર આ વિષે કરીને આપ બનેને એ ઈચ્છા અને વાસનાથી છૂટા થવા અર્થે વિશેષ પ્રકારે સત્સાધનમાં ચિત્તને વારંવાર રોકવું ઘટે છેજ. નવરું ચિત્ત હોય તે તે અનાદિના ઢાળમાં વહ્યું જાય છે માટે સદ્ગુરુની આજ્ઞામાં પ્રવર્તાવવા વિશેષ જાગૃતિ રાખી ઘડીએ ઘડીએ તેના ઉપર તપાસવાનું કામ કરતા રહેવું જેથી બીજે ફરતું હોય તે પકડાઈ જાય કે સત્સાધનમાં તેને પાછું જેડી દેવું. આમ પુરુષાર્થ કર્યા વિના માત્ર માની લઈએ કે આપણે સમજ્યા છીએ તેથી કંઈ આત્મકલ્યાણ થતું નથી અને ચિત્ત વ્યાકુળ રહ્યા કરે છે. માટે સત્સાધન આ ભવમાં અપૂર્વ પુણ્ય મળ્યું છે તેને જેટલું બને તેટલે વિશેષ લાભ લઈ લે એ અત્યારની આપણી ભૂમિકા પુરુષાર્થ છે, તે કરીશું, તેમાં અપ્રમાદી રહીશું તે તેથી આગળ વધી, શું કરવા યોગ્ય છે તે સમજાઈ રહેશે. સમતા એ અપૂર્વ વસ્તુ છે, તે જ્ઞાનીના ઘરની વાત છે પણ આપણને તે સમર્થ પુરુષનું શરણું મળ્યું છે તે ચકવતીની દાસી પણ તેની રસેઈનાં અબડાં (વાસણે ચોંટી રહેલી ખીર વગેરે) ખાઈને એટલી પુષ્ટ થાય છે કે ચપટીમાં હીરો દબાવીને ચૂરો કરી નાખે છે, તેમ તેને (શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુને) આશરે રહેવાથી, તેનાં વચનનું સેવન કરતા રહેવાથી, તેણે કરેલી આત્મભાવનાની ભાવના કરતા રહેવાથી જરૂર આ જીવ પણ તે જ મોક્ષમાર્ગમાં પ્રગતિ કરશે. માટે ગભરાયા વિના Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ બધામૃત સત્સાધનમાં આપ સર્વે મુમુક્ષુ ભાઈબહેને પ્રવર્તતા રહેવા પુરુષાર્થ કર્યા કરે એ જ ભલામણ છે. સર્વ અવસ્થામાં, શુચિ-અશુચિ ગણ્યા વિના, મંત્રનું સ્મરણ થઈ શકે છે એમ પ. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ કહેલું છે, માટે આત્માને મંત્રરૂપી સ્નાનથી સદાય પવિત્ર કરતા રહેવાનું ચૂકવા ગ્ય નથી. પિતાની કલ્પનાએ તે નથી જ વર્તવું એ દઢ નિશ્ચય મુમુક્ષુએ કર્તવ્ય છે. સંશયનાં સ્થાનમાં કઈ મુમુક્ષુની સલાહ લઈ વર્તવાને ભાવ રાખ. કેઈ ન હોય તે પરમકૃપાળુદેવને હદયમાં રાખી તેને આશરે હું છું, તેણે કહેલું મને સંમત છે એમ માની પ્રવર્તવું. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૩૧૯ અગાસ, તા. ૧-૧૧-૪૧ વિ. આપને પત્ર મળે. આત્મહિતની જિજ્ઞાસા જાગી છે તે રાણી પડી ન જાય તેમ વર્તવા ભલામણ છેજી. શોધે તેને મળી આવે છે. પૂર્વ પુણ્ય બળવાન હોય તે વગર શોધ્યે સહજ સુસંગે પણ જીવને જાગૃતિ આવે છે, પણ પ્રમાદ જે કઈ શત્રુ નથી. મંદવાડ ભારે હોય તે વિચારવાનને એમ થાય કે જે જીવતાં રહેવાય તે જે આજ સુધી કરવાનું રહી ગયું છે તે હવે વધારે કાળજી રાખીને કરી લેવું; પણ સાજા થતાં તે વૃત્તિ ટકતી નથી. જાણે કદી મંદવાડ આવ્યું જ ન હોય કે શુભ વૃત્તિ ઊગી જ ન હોય તેમ પાછ અનાદિના કુસંગમાં આનંદ માનતે જીવ થઈ જાય છે. તે આત્મઘાતક વૃત્તિ ઉછેદવા હવે તે પુરુષાર્થ ખરેખરો કરવાની જરૂર છે. પૂ... સાથે અહીં આશ્રમમાં આવવાનું બનશે તે જેણે આત્મા પ્રગટ કરી આ જગતના જીવો પ્રત્યે અત્યંત કરુણા આવતાં તેમના ઉદ્ધાર અર્થે જીવન પૂર્ણ થવાના અવસરે કંઈ આજ્ઞા કરી છે તેમાંથી આપને યેાગ્ય રૂબરૂમાં જણાવાશે. હાલ તે “હે પ્રભુ! હે પ્રભુ! શું કહું? દીનાનાથ દયાળ” એ લીટીથી શરૂ થતા વીસ દોહરા પ્રાર્થનાના છે તે મુખપાઠ કરી જ બોલવાને નિત્યનિયમ રાખવા ભલામણ છે. તેમાં દરેક શબ્દ મંત્રતુલ્ય છે એમ ગણી અહીં આવતાં પહેલાં બને તેટલા શીખી લેવા ભલામણ છે. જે વાત અહીં આવે કહેવી છે તેમાંની એ પણ છે જ. જેટલે ગોળ નાખે તેના પ્રમાણમાં ગળ્યું થાય છે, તેમ જેટલે હદયને ભાવ આ દેહરામાં રેડાશે તેટલે આત્મા ઊંચે આવે તે એમાં ચમત્કાર છે, તે જેમ જેમ વિશેષ તેનું આરાધન થશે તેમ તેમ સમજાશેજી. હાલ તે મુખપાઠ કરી રોજ ફેરવતા રહેવાને નિયમ રાખશોજી. આ અલ્પ પણ જ્ઞાનીની આજ્ઞા છે તે ઉઠાવતા રહી આનંદમાં રહેતાં શીખો એ ભલામણ સહ પત્ર પૂર્ણ કરું છું. ૩૨૦ અગાસ, તા. ૧-૧૧-૪૧ તત્ ૐ સત કાર્તિક સુદ ૧૩, શનિ, ૧૯૯૮ ધીરજનાં ફળ મીઠાં છે એવી કહેવત છે. એ લક્ષ રાખી જે જે કર્મના ફળરૂપે ભેગવવાનું આવી પડે તે સમતાપૂર્વક સરુમાં લક્ષ રાખી ભેગવી લેવાની શૂરવીરતા શીખી રાખેલી મરણ વખતે કામ લાગે છે'. સમાધિમરણ કરવું હોય તેણે કેટલી બધી તૈયારી કરી રાખી હોય તે તે પ્રસંગને પહોંચી વળાય તેને કંઈક ખ્યાલ, વેદના સહન કરવાના ૧, રાણી પડી જવું =ઓલવાઈ જવું. Page #350 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૩૨૭ અવારનવાર પ્રસંગ આવી પડે છે ત્યારે સમજાય છે, અને જે જે ખામીઓ તેવા પ્રસંગે લાગે તે વેદનાને કાળ પૂરું થયું કે તે દરમ્યાન તે તે ખામીઓ દૂર કરવાના ઉપાય શોધીને આદરતા રહેવાની જરૂર જણાય છે. આત્માને ઉદ્ધાર કરવાની ઊંડી દાઝ જેના હૃદયમાં જાગી છે તેણે તેવા પ્રસંગે મળેલી શિખામણ વિસરવાયોગ્ય નથી. કચાશ જેટલી છે તે દૂર કર્યું જ છૂટક છે. માટે વિશેષ પુરુષાર્થ કુરાવવાની જરૂર છે. પ્રમાદમાં તે પ્રમાદમાં અનંતકાળ વહી ગયે. આવતી પૂર્ણિમાએ પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રની જયંતી છે, તે મહાપુરુષે આપણુ જેવા અબુધ જીવોને માટે લેપ થઈ જવા આવેલે મોક્ષમાર્ગ પ્રગટ કરી સુગમ ઉપાય આ કાળમાં બની શકે તેવા દર્શાવ્યા છે. જીવને આ જંજાળરૂપ સંસારમાં જ સુખ ભાસે છે, ત્યાંથી ઉઠાડી રાજ્યરિદ્ધિ કે દેવના વિલાસને પણ બળતા ઘી જેવા બતાવી (દાક્યા ઉપર ઘી ચોપડાય છે પણ તે જ ઘી ઊભું કરી શરીરે છાંટે તે ફેલ્લા પાડે તેવા દેવોનાં સુખ પણ દુઃખ છે), તેમાં જે લાલસા રહે છે તેને ત્યાગવાની બુદ્ધિ પ્રગટે તેવા વૈરાગ્યવાળું જીવન જીવી, પોતે આ કાળમાં તે પંથે ચાલી આપણને ભેમિયારૂપ બન્યા છે, તેમનાં પ્રગટ આત્મસ્વરૂપને દર્શાવતાં બળવાન વચને શ્રી આત્મસિદ્ધિ, વીસ દેહરા, અપૂર્વ અવસર આદિમાં તે જયંતીને દિવસ ગાળવા ગ્ય છેજી. કોઈ સાથે મળી આવે તે તેમની સાથે, નહીં તે એકલા પણ તે દિવસે ભક્તિમાં ચિત્ત રહે અને તે પરમ પુરુષને અમાપ ઉપકાર વારંવાર હૃદયમાં કુર્યા કરે તેવી ભાવનામાં તે દિવસ ગાળવા ભલામણ છે. સન્માર્ગ દર્શાવનાર મહાપુરુષના ઉપકારને બદલે કઈ રીતે વળી શકે તેમ નથી. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં છેવટે શિષ્ય સદ્ગુરુને ઉપકાર માનતાં જણાવે છે – મેક્ષ કહ્યો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ; સમજાવ્ય સંક્ષેપમાં, સકળ માર્ગ નિગ્રંથ. અહો ! અહા ! શ્રી સદ્દગુરું, કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો ! અહો! ઉપકાર. શું પ્રભુચરણ કને ધરું, આત્માથી સૌ હીન; તે તે પ્રભુએ આપિયે, વર્તે ચરણાધીન. આ દેહાદિ આજથી, વર્તે પ્રભુ આધીન દાસ, દાસ હું દાસ છું, આપ પ્રભુને દીન.” – શ્રીમદ્ રાજચંદ્ર તા.ક.: ઉપદેશછાયામાં લખ્યું છે કે (છૂટવાને કામી) તરવાને કામી હોય તે માથું કાપીને આપતાં પાછો હઠે નહીં. શિથિલ હોય તે સહજ કુલક્ષણ હેય તે મૂકી શકે નહીં. આ વાત પિતાને અર્થે વિચારશે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૩૨૧ અગાસ, તા. ૧-૧૧-૪૧ તત્ સત્ કાર્તિક સુદ ૧૩, શનિ, ૧૯૯૮ આ જયંતી ઉપર આપ આવી નહીં જ શકે એમ લાગવાથી પત્ર લખ્યો છે. શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં પત્રાંક ૮૮૩ વિચારવા વિનંતી છે. “બિના નયન” આદિ વાક્યોને સ્વકલ્પનાએ Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ : બેધામૃત વિચાર કરવાની ના પાડી છે તે શિરસાવદ્ય ગણી ગ્યતા થયે સર્વને ઉકેલ સ્વયં આવી રહેશે ગણી હાલ તે સત્સાધનમાં વૃત્તિ વિશેષ જોડાયેલી રહે તથા પરમ પુરુષ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ પ્રત્યે પ્રેમ વર્ધમાન થતો રહે તેમ કર્તવ્ય છે. “પર પ્રેમ પ્રવાહ બ પ્રભુસે, સબ આગમનભેદ સુઉર બસે.” આવું સ્પષ્ટ લખ્યું છે તે પ્રત્યે વૃત્તિ વાળી, આત્મામાંથી કંઈક મેહ મટે તે અર્થે મૈત્રીભાવની વૃદ્ધિ કરતા રહેવા ભલામણ છે. જીવને યોગ્ય થવા અર્થે ચારે ભાવનાઓ કહી છે તેમાં પ્રથમ ભાવના એટલી બધી દઢ કરવા ગ્ય છે કે જગતમાં કઈ પ્રત્યે વૈરભાવ, અણબનાવ કે ઊંચું મન ન રહે. સર્વ જીવેના આત્મકલ્યાણમાં આપણાથી બનતા ફાળો આપવાની તત્પરતા, કોઈનું દિલ આપણા નિમિત્તે ન દુભાય તેવું બનતા પ્રયત્ન કરતા રહેવાની ફરજ ગણવી ઘટે છેજ. વૈરભાવ હેષભાવના અંશ રહે ત્યાં સુધી મૈત્રીભાવ ટકે નહીં અને મૈત્રીભાવ વિના સપુરુષ પ્રત્યે પ્રેમ ઉલ્લશે નહીં. સર્વ પ્રાણ પ્રત્યે પોતાનું દાસત્વ સમજાયે સપુરુષ પ્રત્યે પરમેશ્વરબુદ્ધિ પ્રગટે છેજ. પછી આપોઆપ ભક્તિકર્તવ્યમાં જીવ પ્રેરાય છે, અને ધર્મકર્તવ્ય એ તે ગહન વાત છેજી. તમે પૂછેલા પુષ્પમાળાના વાક્ય વિષે પ્રશ્ન છે. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીની સમક્ષ ચર્ચા હતે તે સંબંધી રૂબરૂમાં વાત થશે. પરમકૃપાળુદેવની હયાતીમાં પોતે કેમ ભક્તિને ક્રમ રાખેલ તે વર્ણવી ધર્મ સંબંધી કહેલું: “ધર્મનું સ્વરૂપ તે અનુભવ થશે ત્યારે સમજાશે. વિષય, કષાય, પ્રમાદ અને સ્વાદ ટાળવા; અને એ ટળશે.” (ઉપદેશામૃત પૃષ્ઠ ૨૬૨) જેમ બને તેમ નિવૃત્તિક્ષેત્ર, નિવૃત્તિકાળ, નિવૃત્તિદ્રવ્ય અને નિવૃત્તિભાવને ભજતાં રહેવાની પરમકૃપાળુદેવની આજ્ઞા છે તેમાં સર્વ જીની સુચિ થાઓ એ જ તે પરમપુરુષ પ્રત્યે વિજ્ઞાપના છે. ૩% શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૩૨૨ અગાસ, તા. ૭-૧૧-૪૧, શુક નિત્યનિયમ પ્રાણની પેઠે સાચવવા યોગ્ય છે. પુરુષની રૂબરૂમાં જે વચન કે ટેક અંગીકાર કરી હોય તે ન ચુકાય એટલું માહાસ્ય મુમુક્ષુના હૃદયમાં રહેવું જોઈએ. હાથીના દાંત બહાર નીકળ્યા તે નીકળ્યા, પાછા પેસે નહીં તેમ સજજનનું વચન ફરે નહીં. દુર્જનનું વચન, કાચબાની ડેક ઘડીમાં બહાર ને ઘડીમાં પાછી ખેંચે તેના જેવું, “અબી બોલ્યા અબી ફેક થઈ જાય તેવું હોય છે, માટે હવે કદી નિત્યનિયમ ન ચુકાય તેવી કાળજી રાખવા ભલામણ છે”. પૂ..ની ભાવના સત્સંગ અર્થે આવવા ઘણી રહે છે તે જાણ્યું. પરમકૃપાળુદેવની કૃપાથી જે થાય તે ભલું માનવામાં આવે તેવી વૃત્તિ ટકે તે મોટું આશ્વાસન મળી રહેશે. વળી સદ્દગુરુકૃપાએ થડા દિવસમાં અહીંથી ધામણ ભણું આવવાનું બનશે ત્યારે તેમને આશ્રમમાં આવવા તુલ્ય વેગ બની આવવા સંભવ છે. પરમકૃપાળુદેવે ભાર દઈને જણાવ્યું છે કે કંઠે પ્રાણ આવ્યા હોય અથવા વેદના હોય, નિમિત્તો સારા ન હોય તે પણ સર્વ પ્રકારે જ્ઞાનીના શરણમાં બુદ્ધિ રાખી નિર્ભયપણાને અને નિઃખેદપણાને ભજવાની શિક્ષા આપી છે. કોઈ પણ કારણે સંસારમાં કલેશિત થવાયોગ્ય નથી. અમુક અનુકૂળ પ્રસંગને સુખ કલ્પી અને અમુક પ્રતિકૂળ પ્રસંગને દુઃખ કલ્પી હર્ષશેક કરવા ગ્ય નથી. કર્મ માત્ર દુઃખદાયક છે માટે Page #352 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૩ર૯ ધીરજ રાખી આર્તધ્યાન એટલે હું દુઃખી છું, મને દુઃખ આવી પડ્યું એવી વિચારણું ન થાય તેટલા માટે બને તેટલા બળે સત્સાધનમાં મન વારંવાર રોકાયેલું રાખવા ભલામણ છે. આપણે સર્વેએ એ જ પ્રવૃત્તિમાં મનને દોરવા પુરુષાર્થ કર્તવ્ય છે. “વીતરાગને કહેલે પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે, એ નિશ્ચય રાખ.(૫૦૫) ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૩૨૩ અગાસ, તા. ૧૭-૧૧-૪૧ તત સત્ કાર્તિક વદ ૧૪સોમ, ૧૯૯૮ શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજ રૂપ; નથી લઘુતા કે દીનતા, શું કહું, પરમ સ્વરૂપ !” – શ્રીમદ્ રાજચંદ્ર વિ. પત્ર મળે. નિત્યનિયમ ઓછામાં ઓછે તે ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ જણાવેલ છે તે દરરોજ કર્તવ્ય છેજી – અખંડિતપણે જ ઉપાસવા યોગ્ય છે. વીસ દોહરા, ક્ષમાપનાને પાઠ અને યમનિયમ અને મંત્રની અમુક ત્રણ કે પાંચ માળા તથા આલેચના, આત્મસિદ્ધિ, છપદને પત્ર, અપૂર્વ અવસર, આઠ દષ્ટિની સઝાય, “વીતરાગને કહેલ પરમશાંત રસમય ધર્મ ” “હે પરમકૃપાળુદેવ! જન્મ જરા મરણાદિ સર્વ દુઃખોને અત્યંત ક્ષય કરનારે એ વીતરાગ પુરુષને મૂળધર્મ...” આદિ જે મુખપાઠ પત્રો કર્યા હોય તેમાંથી અમુક અમુક રેજ બોલવાને ક્રમ રાખવા યોગ્ય છે. આશ્રમમાં આ દિવસ જે કમ પ્રવર્તે છે તે અહીં રહીને જાણી લેવા ગ્ય છે. તેમ ખરી રીતે તે બને તેટલું કરતા રહેવાની જરૂર છે, પણ એટલું બધું ન બને તે જેટલું બને તેટલું અવકાશના વખતમાં ભક્તિ, વાચન, સ્મરણની માળા કે હરતાંફરતાં પણ મંત્રમાં લક્ષ રહે તેવી ટેવ પાડવી અને જે મુખપાઠ કર્યું હોય વા વાંચ્યું હોય તેને વિચારવાને દરરોજ ઓછામાં ઓછા પા કે અડધે કલાક રાખ ઘટે છે. બીજું વર્તન સંબંધમાં (૧) જુગટું, (૨) માંસ, (૩) મદિરા, (૪) ખરાબ પુરુષોને સંગ, (૫) શિકાર (જાણી-જોઈને કેઈ જીવ મારવારૂપ), (૬) ચેરી (પારકી ઠપકે મળે તેવી વસ્તુ છાનીમાની લેવી), અને (૭) પરપુરુષને સંગ, આ સાત વ્યસન; અને (૧) વડના ટેટા, (૨) પીપળના ટેટા, (૩) પીપળાના ટેટા, (૪) ઉમરડા, (૫) અંજીર, (૬) મધ, (૭) માખણઆ સાત અભક્ષ્ય - આ સપુરુષની – પરમકૃપાળુદેવની સાક્ષીએ જિંદગીપર્યત તજવા ગ્ય પ. ઉ. પ. પૂ. પ્રભુશ્રીએ દરેક મુમુક્ષુ જીવને જણાવેલ છે. અને તે રાત્રિભેજનના ત્યાગને પણ અભ્યાસ પાડતા રહેવાની જરૂર છે એટલે દિવસ છતાં જમી લેવું તથા રાત્રે પાણી પીવાની જરૂર પડતી હોય તે અમુક વખત જ પીવાનો નિયમ રાખી પ્રવર્તાય તે હિતકારી છે. બને ત્યાં સુધી રાત્રે કંઈ જરૂર ન પડે તેવા કેમ ઉપર આવી જવાય તેમ થાય તે રાત્રે ઊંઘ સિવાય ધર્મધ્યાનમાં વિઘ કરનાર કેઈ ન રહે. જે કરવું તે આત્માથે કરવું એ ચૂકવાયેગ્ય નથી. કઈ પણ કારણે આર્તધ્યાન(હું દુઃખી છું, હું દુખી છું એવી વૃત્તિ ચાલુ રહે તે)માં તણાઈ ન જવાય તેની ખાસ કાળજી મુમુક્ષુ જીવે રાખતા રહેવાની જરૂર છે. Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ બેધામૃત ૩૪ અગાસ, તા. ૧૭-૧૧-૪૧ આપને ક્ષમાપનાપત્ર પ્રાપ્ત થયો છેજ. પ. પૂ. પ્રભુશ્રીજી પાસે એક દિગંબર બ્રહ્મચારી શ્રી શીતલપ્રસાદજી આવતા. તેમણે એક વખતે પૂ. પ્રભુશ્રીજીને પ્રશ્ન કરેલ કે વિષય-કષાય, રાગદ્વેષ દૂર કેમ થાય? તેના ઉત્તરમાં તેઓશ્રીએ જણાવેલું કે જેનામાં તે દોષ નથી, ત્યાં વૃત્તિ જવાથી, ટકવાથી તે દોષ દૂર થાય છે. આ ઉત્તરને વારંવાર વિચારવા વિનંતી છે. ૩૨૫ અગાસ, તા. ૧૮-૧૧-૪૧, મંગળ જે સદ્દગુરુ-સ્વરૂપના રાગી, તેને કહિયે ખરા વૈરાગી, જે સદ્ગુરુ સ્વરૂપને ભેગી, તેને જાણે સાચા યેગી. જેટલી ઉતાવળ તેટલી કચાશ અને કચાશ તેટલી ખટાશ” એમ કોઈ અપેક્ષાએ વિચારવા કૃપાળુદેવે કહેલું છે. સત્સાધનમાં પ્રવર્તાવાનું આપણું કામ છે, તેનું ફળ જે થવા યોગ્ય હશે તે જરૂર થશે, એવી શ્રદ્ધા રાખી મૂંઝાયા વિના પ્રવર્તવું. કામના કે પરીક્ષાના ન જોઈતા વિચારમાં મૂંઝાવું નહીં. સાંજે સૂતી વખતે એમ થાય કે આપણે આપણુથી બને તેટલું વ્યવહારપરમાર્થ સંબંધી કરી છૂટયા છીએ એવો સંતેષ રહે તેમ પ્રવર્તવા ભલામણ છે. ધીરજ એ મોટો ગુણ છે. “ઉતાવળા સો બાવરા ધીરા સો ગંભીર” ઉપર સસલા અને કાચબાની વાત વાંચી હશે. ધીરે ધીરે પણ મક્કમપણે જે કરવા ગ્ય છે અને જે કામ હાથમાં લીધું છે, તેમાં બનતી કાળજી રાખવી ઘટે છે. ફળ કેમ નથી દેખાતું? એમ જેને ઉતાવળ થાય છે તેનામાં સંશય, નાહિંમત, ગભરામણ આદિ અનેક દોષે જન્મે છે. માટે દોષે જણાય તે લક્ષમાં રાખવા. એકદમ ઉતાવળ કર્યું તે આપણી ઉતાવળે જવાના નથી. તે દૂર થાય તેટલું બળ જમા કરી તેની સામે થયે તે તુર્ત દૂર થાય છે. માટે પુરુષાથી બન્યા રહેવું. લાગ જેતા રહેવું. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૩૨૬ અગાસ, તા. ૧૯-૧૧-૪૧ તત ૩ સત્ માગશર સુદ ૧, ૧૯૯૮ ઈષત્ પ્રાગ્લાર = સિદ્ધશિલા. ઊર્ધ્વલેક સાત રજજુપ્રમાણુથી કંઈક ન્યૂન છે અને અલેક સાત રજજુપ્રમાણથી કંઈક અધિક છે. આખા લેકનું મધ્યબિંદુ, મેરુપર્વત હજાર જન જમીનમાં છે ત્યાં છે. તેથી આ પૃથ્વીની સપાટીથી લેકાંત સુધીનું માપ કાઢે તે પૂરા સાત રજજુનું માપ થતું નથી. આટલે ખુલાસે હાલ આપના પ્રશ્નને પૂરત છે. વિચાર કરવાથી સમજાય તેમ છે. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૩૨૭. તા. ૧૨-૧૨-૪૧ તત છે સત્ માગશર વદ ૯, ૧૯૯૮ જેટલી ઉતાવળ તેટલી કચાશ અને કચાશ તેટલી ખટાશ” આ અપેક્ષિત વાકય બહુ વિચારવાયેગ્ય છે. આંધળી દોડ સ્વચ્છેદે કર્યો ધર્મ પ્રગટે નહીં, પરંતુ “બાપ ધમો, બાબા તો આ શ્રી આચારાંગમાં પાઠ છે. જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે ધર્મ અને આજ્ઞાનું આરાધન Page #354 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૩૩૧ તે તપ છે. પૈસામાં જ ચિત્ત બાંધી રાખવાથી જેમ ધર્મ પ્રગટતા નથી તેમ પૈસા વગર વિચાર્યે વેરવાથી પણ ધર્મ પ્રગટે તેમ નથી. પણ જ્ઞાનીની આજ્ઞા ઉઠાવતાં ધર્મ પ્રગટે છે એવા તે વાકયને પરમાર્થ વારવાર વિચારી, જ્ઞાનીની આજ્ઞાની મુખ્યતા હૃદયમાં વસે તેમ વવા આખી જિંદગી સુધી સભારી રાખવા જેવી શિખામણ આ *પ્રસ`ગ ઉપરથી શીખી લેવી ઘટે છેજી. યથાશક્તિ દાન અને તપ કરે તેથી લાભ થાય છે, પણ શક્તિ વિચાર્યા વિના આંખા મીંચીને દીધે જાય તેા તે લાંબે વખત બની શકે નહીં; તેમ જ પેાતાને આત્ત ધ્યાનનું કારણ ન થાય અને દાન લેનારને અહિત પ્રમાદ આદિ દેષનું કારણ ન થાય તે સાત્ત્વિક દાન ગણાય છે. એવા ઘણા ભેદ સમજવાની જરૂર છે. માહિતી ન હેાય તે ઉતાવળા ન થવું, કોઈ જાણકારને પૂછ્યું; પણ અસાને મળ્યા તૈસા ને પૈસાને મળ્યા તાઈ, ત્રણે મળીને તતૂડી ખજાઈ” એવું કરવા જોગ નથી. વિવેક એ ધર્મના પાયેા છે તે ભૂલવા જેવું નથી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૩૨૮ અગાસ, માગશર વદ ૧૩, ૧૯૯૮ આપના પત્ર મળ્યા. તેમાં ચિત્ત વ્યાપારમાં બહુ ખેં'ચાય છે, ખીજાને કમાતા દેખીને મન ત્યાં દાડે છે વગેરે સમાચાર જાણ્યા. નિમિત્તાધીન જીવ હેાવાથી જેવા નિમિત્ત મળે તેવા થઈ જાય તેવી દશા હોય ત્યાં સુધી સારાં નિમિત્તો મેળવતા રહેવાની જ્ઞાનીપુરુષાની આજ્ઞા છે, તે લક્ષમાં રાખીને દિવસના ૨૪ કલાકમાંથી અમુક એકાદ કલાક સત્સ`ગની ઇચ્છાવાળા ભાઈઓએ એકઠા મળી કઈ વાંચવા વિચારવાના ક્રમ રાખવા ઘટે છે. અમુક મુમુક્ષુને ત્યાં કે દેરાસર, બાગ આદિ કોઈ નિવૃત્તિનું સ્થળ હેાય ત્યાં એકત્ર થઈ ભાવસહિત ભક્તિ, વાચન, વિચાર થાય તેમ કરવાથી વૃત્તિમાં ફેર થયા વિના નહીં રહે. સમાધિસેાપાનમાં ખારભાવના, સમાધિમરણ વગેરે અધિકાર। વાર વાર વિચારી તે વચના જે અર્થે લખાયાં છે, તેને વારંવાર વિચાર થાય તેા લાગે કે કરવા ચેાગ્ય કાર્ય આ ભવમાં હુંજી કાંઈ થયું નથી અને મરણુ આવે તે આપણી શી ગતિ થાય ? માટે “સ્વધર્માંસ'ચય નાં”િ એમ વીસ દાડુરામાં બેાલીએ છીએ તે વચના હૃદયમાં કાતરાઈ જાય અને હવેથી કંઈ ને કંઈ એવું કરવું કે જેથી ધનસંચય કરવા કરતાં સ્વધર્માંસ ંચય થયા કરે. સત્પુરુષાનાં વચના પ્રત્યક્ષ સત્પુરુષતુલ્ય ગણી બહુમાનપણે એકનિષ્ઠાથી આરાધાય તેા સમકિતની પ્રાપ્તિ કરાવે તેવું તેમાં ખળ છે, માટે સત્સ`ગના યાગ ન બને તેમ હોય તેાપણુ વિશેષ ખળ કરી તે વચનેને પરમાર્થ હૃદયમાં ઊતરે તે અર્થે દિવસના ૨૪ કલાકમાંથી એકાદ-બે કલાક ખેાટી થવાના અભ્યાસ રાખશે! તે તેની અસર બીજાં કાર્યાં કરતાં પણ જણાઈ આવશે. જેમ કે “નિરંતર ઉદાસીનતાના ક્રમ સેવવા” (૧૭૨) એવું વાંચ્યું હાય, વિચાર્યું હાય, તેમ વર્તવાની ભાવના થાડા વખત સેવાઈ હાય તા બીજી પ્રવૃત્તિના પ્રસ`ગેામાં પણ તે સાંભરી આવે કે ઉદાસીનતા સેવવા મારે વારંવાર, પ્રસંગે પ્રસંગે, કાર્યે કાર્યે જાગ્રત રહી પુરુષાર્થ કરવા છે; તે તે ભૂલી જવાય છે કે કાળજી રહે છે ? શા કારણથી સ્મૃતિ રહેતી નથી ? શામાં મન વારંવાર જાય છે ? તે કામમાં ચિત્ત એટલું બધું દેવાની જરૂર છે * કાઈ મુમુક્ષુએ વગર મંગાવ્યું પાક માકળ્યા જેની આખા આશ્રમમાં લહાણી કરવી પડી. તે પ્રસંગે આ પત્ર ક્રીથી આવું વિચારી કામ ન કરવા લખેલ છે. Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ બેધામૃત કે ન જોઈતી વિશેષ તૃષ્ણા મને ખે'ચી જાય છે ? તે અટકાવવા શું કરવું ? કેાઈ સત્સાધન મને તેવું મળ્યું છે ? તેના ઉપયેાગ વધારે કરી અજમાવી જોવા દે, કે તેથી તૃષ્ણા ઘટે છે કે નહીં? આમ ભૂલ શોધી તેના ઉપાય કરી દૂર કરવા પુરુષાર્થ કરે તેા નવરાશ નકામી ચીજો માટે મળે નહીં. માથે બેજો કેટલેા છે તેના વિચાર કરી મુમુક્ષુ હલકા થતા જાય છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ३२८ અગાસ, તા. ૩–૧–૪૨ પોષ વદ ૧, શિન, ૧૯૯૮ પૂ. મ'ગળભાઈના દેહ અચાનક છૂટી ગયા. આવું અસ્થિર આયુષ્ય પ્રત્યક્ષ જોયા છતાં જીવ પ્રમાદ તજવા કેમ તત્પર નહી' થતા હાય ? આખરે ધમ સિવાય કઈ જીવને આધારભૂત નથી, એમ જેટલું વહેલું જીવ જાણે, પ્રતીત કરે અને તેની જાગૃતિ રાખ્યા કરે તેટલું વિશેષ ખળ ધ-આરાધનમાં અવશ્ય મળે તેમ છે. વિમાનમાં મુંબઈથી દાક્તા ખેલાવી તેમની સલાહ પ્રમાણે દવા સારવાર કરવામાં આવ્યા છતાં આયુષ્ય જેનું પૂર્ણ થયું હોય તેને કઈ બચાવી શકતું નથી. આ પ્રસ`ગ પ્રગટ ઉપદેશરૂપ જાણી સર્વ મુમુક્ષુજીવાએ ચેતવા જેવું છે. આસક્તિ એછી કરતા રહી, સમાધિમરણ થાય તેવા અભ્યાસમાં વર્તી જ્ઞાનીની આજ્ઞામાં અપૂર્વ પ્રીતિ, શરણુભાવ અને અનન્ય નિષ્ઠાની દૃઢતા કરી લેવા જેવું છેજી. બીજી બધી તૈયારીએ કરતાં સમાધિમરણની તૈયારીના લક્ષ ન ચુકાય એ દરેક તરવાના કામીનું પ્રથમ કામ છેજી. અનાદિના પરવસ્તુઓને, દેહાદિના અધ્યાસ એકદમ છૂટે એવા નથી, પણ તે છૂટયા વિના મોક્ષમાર્ગે ચલાય તેવું નથી; માટે મુમુક્ષુજીવે તે એ વિકટ કાર્ય માટે પુરુષાર્થ કરવાના લક્ષ સતત રાખવા ઘટે છેજી. ૐ શાંતિ: શાંતિ: શાંતિ: અગાસ, તા. ૪-૧-૪૨ પોષ વદ ૨, ચિત્ર, ૧૯૯૮ ૩૩૦ તત્ સત્ તેનું જ જીવન સફળ સમજવું, વ્રત, તપ, ધર્મ સફળ તેનાં; જગમાં તે જ પ્રશંસાલાયક, સુખદુઃખમાં જે ધર્મ તજે ના. માનવ થઈ. ઉત્તમ પદ પામે, સુમેરુ સમ પરિષહ–કાળે; સમુદ્ર સમા ગભીર રહીને, ભવનાં બીજ બધાં ખાળે. ઘેાર કસેાટી આવે તેાયે, આકુલ-વ્યાકુલ ના થાએ; દેહ ભિન્ન નિજ જ્ઞાયકભાવે, અખ`ડ અનુભવમાં જાઓ. એવા વખતે ટકી રહી; પૂર્વ પુરુષાની તલ્લૌંનતા, તેની સ્મૃતિ કરતાં ઉરમાં, પરમ ધર્માંનું શરણુ ગ્રહીને, કમ કસોટી કસે પ્રખળ, પણ નથી અનંત ભવામાં આળ્યે, જીતાઁ જવા આવ્યા છે બાજી, ધીરજ-ધારા રહે વહી. સંકટ સર્વે હવે સહેા; જ્ઞાતા દ્રષ્ટા તમે રહેા. અવસર આવા હિતકારી; હવે નહીં જાએ હારી. (પ્રજ્ઞાવખેાધ–૫૩) Page #356 -------------------------------------------------------------------------- ________________ ૫ત્રસુધા ૩૩૩ સત્સંગની ભાવના નિરંતર કર્તવ્ય છે. જ્ઞાની પુરુષની આજ્ઞાનું વિસ્મરણ થાય તેવાં નિમિત્તે ભાવમરણનાં કારણે સમજવા ગ્ય છે. આ કડાકૂટથી મારા આત્માનું કેટલું કલ્યાણ થાય છે? શા અર્થે આના આ જ વિચારોમાં ચિત્ત ગૂંથાયા કરે છે? એવા વૈરાગ્યવાળા વિચાર માટે અવકાશ લઈ ચિત્તને ઠપકો આપી, તિરસ્કારીને પણ તેને સન્માર્ગમાં જોડતા રહેવાને પુરુષાર્થ જ્ઞાની પુરુષોએ ઉપદે છે તે આવા પ્રસંગે ચૂકવાયેગ્ય નથી. “ ખેદ નહીં કરતાં શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં એક્ષપાટણ સુલભ જ છે.” એ આખે પત્ર વારંવાર વિચારી મુખપાઠ ન કર્યો હોય તે કરવા ભલામણ છે. * શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૩૩૧ અગાસ, તા. ૬-૧-૨ પષ વદ ૪, ૧૯૯૮ આપને પત્ર મળ્યો. પરમપુરુષ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ પ્રત્યે જેટલો પ્રેમ વધારી શકાય તેટલે વધારવા પુરુષાર્થ કર્તવ્ય છે.જી. માની ન લેવું કે મને તે અત્યંત પ્રેમ છે. હજી ઘણું આગળ વધવાનું છે. પૂ. સોભાગ્યભાઈ જેવાને પરમકૃપાળુદેવે જણાવ્યું છે – “અનંતગુણગંભીર જ્ઞાનાવતાર પુરુષને લક્ષ કેમ જોવામાં આવ્યું નહીં હોય? બીજું, મોટું આશ્ચર્યકારક તે એ છે કે આપ જેવાને સમ્યકજ્ઞાનના બીજની, પરાભક્તિના મૂળની પ્રાપ્તિ છતાં ત્યાર પછી ભેદ કેમ પ્રાપ્ત નથી હોત? તેમ હરિ પ્રત્યે અખંડ લયરૂપ વૈરાગ્ય જેટલે જોઈએ તેટલે કેમ વર્ધમાન નથી થતો? એનું જે કંઈ કારણ સમજાતું હોય તે લખશો.” (૨૪૭) આ બધા પ્રશ્નો જાણે પરમકૃપાળુદેવે આપણને જ પૂક્યા હોય તેમ વિચારી પોતાને પિતે શિખામણ આપતા થવાની જરૂર છે. એ જ વિનંતી. ૩૩ર અગાસ, તા. ૮-૧-૪૨ તત્ કૈં સત્ પોષ વદ ૬, ગુરુ, ૧૯૯૮ ધન, કણ, કંચન રાજ-સુખ સર્વ સુલભ કર જાણ; દુર્લભ છે સંસારમાં એક યથારથ જ્ઞાન.” અરે! ભોગ અર્થે દેહ જાણે ધારતા ભવ-વાસીઓ, જે જ્ઞાન પામી મેક્ષ માટે દેહ ગાળે ગૌએ; જો જ્ઞાન સમ્યફ થાય તે વિષરૂપ વિષયે લાગશે, તે કણ કાયા પિષ પાપે દુર્ગતિ-જ વાવશે ?” “થથ્થા થિર તે રહેવું નથી, કેણ રંક, કણ પૃથ્વી પતિ, આજકાલમાં જાવું સહી, કટિ ઉપાયે રહેવું નહીં, ભાવ ધરી ભજ તીર્થપતિ, થથ્થા થિર તે રહેવું નથી. લલા લે તું આતમ-લ્હાવ, ફરી ફરી નહીં આવે દાવ, છતી બાજી હારીશ નહીં, સમજુને શિખામણ કહી, હવે ન ચૂકીશ આ દાવ, લલ્લા લે તું આતમ-લહાવ.” Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪. બેધામૃત ધનમાલની કેવી અત્યારે અસ્થિરતા થઈ પડી છે તે લખવાની જરૂર નથી પણ આ સપુરુષનાં વચન જે સ્મૃતિમાં રાખ્યાં હશે, વિચાર્યા હશે તથા તે પ્રમાણે વર્તવાની ભાવના કરી હશે તે તે આત્મિક ધન એવું પ્રગટ કરશે કે તે પરભવમાં પણ ઉપયોગી નીવડશે. કોઈ તેને ચેરી શકે નહીં, તેને નાશ થાય નહીં અને સદા સુખનું કારણ થાય તેવું ધર્મ-ધન છે. તેની વિશેષ વિશેષ કમાણું કરવાની ભાવના મુમુક્ષુ જીવ રાખે છે. ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીનાં થોડાં વચને વિચારવા નીચે લખ્યાં છે તે લક્ષમાં લઈ વારંવાર વિચારશોજી: રત્નચિંતામણિ તુલ્ય પુરુષને વેગ પછી આત્મસાધન કરી લેવું, તે મનુષ્યપણાનું મૂલ્ય થઈ શકે નહીં. “નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા.” એક આત્માનું ઓળખાણ કરી લે. બીજું સર્વ મિથ્યા છે, અનેક વાર કર્યું છે – મેહ, માયા, અભિમાન. જ્ઞાનીમાં આ બધું નથી. કારણ કે તેનું બળ અનંત સંપત્તિવાન છે. ચક્રવર્તીનાં કે ઈન્દ્રનાં સુખ જ્ઞાની ધૂળ જેવાં માને છે. તે અસંગ છે, તેના સત્સંગથી આત્મભક્તિ પૂર્ણપણે થાય છે. પૂર્વના સંસ્કાર અને પુરુષાર્થ બેને જેગ મળે ત્યારે કામ થાય. વીતરાગ માર્ગ તે જાણ્યો નથી. તું સમજ. તારી દયા આવે છે. સંતને માર્ગ અપૂર્વ છે. સમજ્યા વગર છૂટકે નથી. જેવા ભાવ તેવા પ્રભુ ફળે. ભેદી મળ્યા નથી, પ્રતીતિ આવી નથી, આસ્થા થઈ નથી. એ તે જ્ઞાનીનાં વચન છે. પણ છે ખરાં. પક્ષવાળાને પ્રત્યક્ષ થશે. અંતરમાં માન્યું તેને પ્રત્યક્ષ થશે. સામાન્ય ન કરી નાખવું. નથી જોયા, નથી જાણ્યા, ઓળખ્યા નથી પણ આવ્યા, સાંભળ્યું ને સમજ્યા તે શી રીતે ? સમજણથી વાત બીજી થઈ. સપુરુષ ભલે કંઈ કહે નહીં છતાં સામા જીવ ઉપર આત્માની અસર થાય. જ્ઞાનીનાં અપૂર્વ વચને હૃદયમાં ઊતરી જાય. જીવ ખપી થાય તે જ બને. ખપી તે થવું જ પડશે. આત્માએ તૈયાર થઈ જવું જોઈએ. હિંમત હારવી નહીં. મારાથી નહીં બને એમ રેવું નહીં. જીવને રળવાની ખબર નથી. શામાં લાભ થાય તે સમજાતું નથી. કહે છે હું જાણું છું પણ બધું તેફાન છે. જાણવાને એક આત્મા છે. મારું મારું કર્યું તે ખોટું છે. અત્યાર સુધી પારકાને પિતાનું માનતે આવ્યા છે. આત્મા પિતાને છે. આ કરવા જેવું છે. હિત થશે. સત્સંગ.” » શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૩૩૩. અગા સ, તા. ૧૯-૧-૨ સગાઈ સાચી સૃષ્ટિમાં, છે સદ્ગુરુની એક બીજી તેને ભક્તની, બાકી ફૂંકી અનેક. “શ્રીમદ્ રાજચંદ્ર મંદિર' નામ રાખવામાં કંઈ અડચણ નથી. ચિત્રપટ તૈયાર થઈ જાય એટલે બધા મળી ભાવભક્તિપૂર્વક “દેવવંદન'ની સ્તુતિ બેલી મંત્રસ્મરણ પાંચ વાર કરી સ્થાપના કરવા ભલામણ છે. “પંચ ત્યાં પરમેશ્વર કહેવાય છે તેમ બધા મુમુક્ષુ મળી તે માંગલિક કાર્ય ઉકેલી લેવું. એકબીજાને ઘટતે વિનય સાચવી સંપથી ભક્તિ કરતા રહેવા ભલામણું છે. એ જ વિનંતી. તનસે મનસે ધનસે સબસે, ગુરુદેવકી આન સ્વ-આત્મ બર્સ, તબ કારજ સિદ્ધ બને અપને, રસ અમૃત પાવહી પ્રેમ ઘને.” – શ્રીમદ્ રાજચંદ્ર Page #358 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૯૩૫ ૩૩૪ અગાસ, તા. ૨૩-૧-૪૨, શુક જે જે પુદ્ગલ ફરસના, નિચ્ચે ફરસે સંય; મમતા-સમતા ભાવશું, કર્મબંધક્ષય હોય.” તમારા બે પત્રો મળ્યા હતા. “વિચારસાગર” વાંચે છે પણ નથી સમજાતું એમ લખ્યું હતું. તેના ઉત્તરમાં જણાવવાનું કે “શ્રીમદ્ રાજચંદ્ર” ગ્રંથ છપાયે નહોતે તે વખતે વિચાર કરી શકે તેવા જીવોને સદ્દગુરુ-આજ્ઞાએ વાંચવા ગ્ય ગણી જેમને તે સમજાય તેવાને તેની ભલામણ કરેલી. તે ગ્રંથમાં જણાવેલા બધા ગ્રંથે ખરીદી વાંચવા બેસે તે પાર આવે તેમ નથી. “શાસ્ત્ર ઘણું મતિ થેલી, શિષ્ટ કહે તે પ્રમાણ” એ વિચારશે અને જેમાં સમજણ ન પડે અને વૈરાગ્ય-ઉપશમનું કારણ ન બને તેવું લાગતું હોય તે, તે વાંચનને બદલે “શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથનું વિશેષ વાચન-વિચાર રાખશે તે વિશેષ હિતકારી છેછે. આપનાં માતુશ્રીને મંત્રનું સ્મરણ વિશેષ કાળજી રાખી જગ્યા કરવા ભલામણ છે. સહનશીલતા, ધીરજ, શ્રદ્ધા તથા સત્પરુષના શરણમાં બુદ્ધિ એ સમાધિમરણનાં કારણ છેછે. તેનું સેવન દરેકે કરતા રહેવા ભલામણ છે. ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૩૩૫ - ઈડર, તા. ૨૩-૨-૪૨ ઔષધિ અમી સમી મળેજ, ઈન્દ્ર સમા સ્વામી હોય, વજ સમાં આયુધ છે જ, મરે ઇન્દ્રાણી તોય. જીવ, જેને ક્ષણ ક્ષણ નરભવ અવસર જાય. ત્રિગુપ્તિ આરાધવાજી, જે ન કરે પુરુષાર્થ; મડદા સમ નર તે ભમે છે, અશરણ, ચૂંક આત્માથે. જીવ અનિત્ય નરદેહે રહે છે, આત્મા નિત્ય સુગુપ્ત; શાશ્વતતા પ્રગટાવવી છે, રહું નહીં સુષુપ્ત. છેવટ (પ્રજ્ઞા૧૨) આપનો પત્ર આશ્રમમાં થઈને અત્યારે મળે. સદ્દગત ભાઈ..ને છેવટ સુધી સારી ભાવના રહી તથા તમે બધા તેમની સેવામાં ધર્મબુદ્ધિથી રહ્યા તે જાણી સંતેષ થયે છે. આવા મરણના પ્રસંગે નજરે બનતા જોઈને પણ જે જીવ નહીં ચેતે, આત્મકલ્યાણ કરવા નહીં પ્રેરાય, તે માત્ર શબ્દરૂપ ઉપદેશ તેને કેટલી અસર કરશે ? જે જે જીવોએ આત્મકલ્યાણ કર્યું છે તે તે એ સદ્ગુરુશરણે દઢ શ્રદ્ધા કરી છે તેથી તેમને ગમે તેટલાં દુઃખ આવી પડયાં છતાં તે દુઃખરૂપ મનાયાં નથી. માત્ર બાંધેલાં કમ છૂટવાના પ્રસંગ ગણી હર્ષ સહિત તેમણે વેદ્યા છે. જેટલી શ્રદ્ધાની ખામી તેટલે જ જીવ દુઃખી છે માટે જેમ બને તેમ પરમકૃપાળુદેવ પ્રત્યે અચળ પ્રેમ થાય તેવી રીતે ભક્તિભાવમાં, સત્સાધનમાં, સ્મરણમંત્રમાં ચિત્ત રાખવા આપ સર્વ ભાઈ બહેનને નમ્ર વિનંતી છે. “કઈ પણ કારણે આ સંસારમાં લેશિત થવાયેગ્ય નથી.” (૪૬૦) એ પરમકૃપાળુદેવનું વચન વારંવાર વિચારી શકનું વિસ્મરણ કરવા ભલામણ છે. આર્તધ્યાન તજી ધર્મધ્યાન કર્તવ્ય છે. * શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૬ બેધામૃત અગાસ, તા. ૨૩-૩-૪૨ તત્ ૩ સત ચૈત્ર સુદ ૬, સોમ, ૧૯૯૮ પ્રારબ્ધઆધીન બધું બને છે તેમાં હર્ષશેક કરવાથી કંઈ વળતું નથી. ઊલટાં કર્મ બાંધવાનું કારણ થાય છે. તેથી જેમ બને તેમ સમભાવ રાખવાને પુરુષાર્થ કરતા રહેવાની આપણી ફરજ છે. સાચા દિલથી ઉત્તમ વસ્તુની ભાવના ભાવ્યા કરે તેને તે પ્રાપ્ત થવાનું કારણ બને છે. માટે ખેદ નહીં કરતાં સત્સાધન, સદ્દગુરુ-આજ્ઞા, ભક્તિ આદિમાં મન રાખવા ભલામણ છે. શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથનું બને તેટલું વિશેષ વાંચન રાખતા રહેવા ભલામણ છે. સત્સંગ એ આત્મહિત કરવા ઈરછે તેને અનિવાર્ય સાધન છે; તેની ભાવના કરતા રહેવી ઘટે છે. પરમકૃપાળુદેવની કૃપાને પાત્ર સર્વ થઈએ એ શુભ ભાવથી પત્ર પૂર્ણ કરું છું. ૩% શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૩૩૭ અગાસ, તા, ૨૫-૩-૪૨ તત્ ૐ સત્ ચૈત્ર સુદ ૮, બુધ, ૧૯૯૮ આપે અશુચિ દોષ સંબંધી પુછાવ્યું તેના ઉત્તરમાં જણાવવાનું કે આગમ ગ્રંથો માટે નિયમ છે કે અમુક અમુક વખતે અને અમુક લેહી પરુ કે ગંદકી પાસે હોય ત્યારે ન વાંચવા, પણ આચાર્ય રચિત ગ્રંથે કે પરમકૃપાળુદેવના ગ્રંથ માટે તેવું નથી. સ્મરણ કરવામાં પણ કંઈ અશુચિ જેવા ગ્ય નથી. ભાવ વર્ધમાન થાય તે તરફ લક્ષ રાખવા ગ્ય છે. તેવી અશુચિ વહેતી હોય ત્યારે પૂજા વગેરેનો નિષેધ કરે છે તે તીર્થકરના બહુમાનપણાને કારણે છે તે લક્ષમાં રાખવા યોગ્ય છે. બાઈ માણસે રજસ્વલા જેવા પ્રસંગમાં મનમાં સ્મરણ કે ભક્તિ કરી લેવી ઘટે, પણ પુસ્તક લઈને સ્વાધ્યાય કરવો ઘટતો નથી; તે તે સદાચાર લકોમાં પ્રસિદ્ધ છે. પત્ર ૨૧૫ કોના ઉપરને છે એમ પુછાવ્યું તેના ઉત્તરમાં જણાવવાનું કે તે પ. પૂ. સેભાગ્યભાઈ ઉપર છે. તેમની ભક્તિ અને વેચતાથી પરમકૃપાળુદેવ પ્રસન્ન થઈ ગયા છે અને ઉલ્લાસનાં વચને તેમને તેમાં લખ્યાં છે. શાંતિપૂર્વક પરમકૃપાળુદેવનાં વચને બીજા ભા વિસારી મનન કરતા રહેવા ભલામણ છે. શેરડીનાં બટકાં મેંમાં નાખી જેમ જેમ દબાવીએ તેમ તેમ તેમાંને રસ જેમ નીકળતે જાય છે તેમ તેમ સપુરુષનાં વચનેવચને સમજવા કષાયની મંદતારૂપ જેમ જેમ પુરુષાર્થ થાય તેમ તેમ વિશેષ આનંદદાયક બને છેજી. ૩% શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૩૩૮ અગાસ, તા. ૩૦-૩-જર જેને કલ્યાણ કરવું છે તેણે તો પુરુષને આશરે શક્તિ છુપાવ્યા વિના આ ભવમાં જેટલું બને તેટલું કરી લેવું ઘટે છે. આવો યુગ ફરી મળ દુર્લભ છે, માટે “આજને લહાવો લીજીએ, કાલ કોણે દીઠી છે?” દેશની ને દુનિયાની ફિકરચિંતા કરી આ અવસર લૂંટાઈ જવા દે યોગ્ય નથી. “એક મત આપડી ને ઊભે માર્ગે તાપડી” એ પ. પૂ. પ્રભુશ્રીજી Page #360 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૩૩૭ કહેતા તેમ જ કરી લેવું ઘટે છે. જેણે પુરુષના માર્ગ પ્રત્યે રુચિ કરી હશે તેનું પણ કલ્યાણ થઈ જાય તે માર્ગ છે, તે જેણે તેની આજ્ઞા ઉઠાવી હોય તેનું તે કહેવું જ શું? ૩૩૯ અગાસ, તા. ૫–૪–૪૨ તત ચિત્ર વદ ૫, રવિ, ૧૯૯૮ આપનો પત્ર આજે પરમકૃપાળુદેવના દેહોત્સર્ગ પર્વ ઉપર મળે છેજ. વાંચી આપની સદ્ભાવને જાણે છે. તેવા ભાવ ટકાવી રાખવા ભલામણ છે.જી. મોટા મેટા મુનિઓને પણ “હું પામર શું કરી શકું, એ નથી વિવેક” એ ભાવ ઊગવો દુર્લભ છે તે તમારા પત્રમાં વાંચી સંતોષ થયો છેજ. તેટલેથી હવે અટકવા ગ્ય નથી. ઘણને તે પોતે પહેરેલું કપડું મેલું છે એવું લક્ષમાં જ આવતું નથી, તેથી તે મેલા કપડાનું પણ અભિમાન કરે છે, કોઈક વિચારવાનને પિતાના કપડા તરફ નજર કરતાં મલિનતા દેખાવાથી શરમ આવે છે પણ તે ધેવા જો પુરુષાર્થ ન કરે તે તે શરમ વધારે દિવસ ટકે નહીં; અને બધાય મારા જેવા જ છે, એમાં શરમાવું શું? એમ વિચારી પાછ, મેલ વધે તેમ વર્યા કરે છે, તેવી રીતે જાગૃતિ રાખી પરમકૃપાળુ દેવે અનંત કૃપા કરી જે સત્સાધન દર્શાવ્યાં છે, પ. ઉ. પ્રભુશ્રીજીની આજ્ઞાથી આપણા જેવા રંક જેને પણ સ્મરણમંત્ર આદિ સત્સાધનની પ્રાપ્તિ થઈ છે, તેને બને તેટલે, શક્તિ ગોપવ્યા વિના પુરુષાર્થ કરતા રહેવાથી આ કળિમલ ટળીને જીવને શુદ્ધતા તરફ વલણ વધતું જશે. મુમુક્ષુતાની જીવને ઘણી જરૂર છે એટલે મહાસક્તિથી મૂંઝાઈ મોક્ષના માર્ગમાં પ્રવર્તાવાની ભાવના દિન-દિન વધવી જોઈએ. કૂતરાં, બિલાડાંની પેઠે પેટ ભરવા અર્થે જ આ મનુષ્યભવ ગાળ નથી, પણ ભવબંધનના આંટા ઊકલે અને મેક્ષમાર્ગમાં આગળ વધાય તે જ આ મનુષ્યભવ મળે છે તે સાર્થક થયે ગણાય. આત્માની શ્રદ્ધા થવા છપદને પત્ર અને શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર પરમકૃપાળુદેવે જે આ કાળમાં આપણે માટે પ્રગટ ઉપદેશ્યાં છે તેને વિશેષ વિશેષ વિચાર કરી “આત્મા છે, તે નિત્ય છે, છે કર્તા નિજ કર્મ; છે ભક્તા વળી મોક્ષ છે, મક્ષ ઉપાય સુધર્મ” – આટલી બાબત હૃદયમાં દઢ થઈ જાય, મરણ પ્રસંગે પણ તે શ્રદ્ધા ચળે નહીં તેવી અટળ બની રહે અને શરીરનાં દુઃખ તથા સુખ પ્રત્યેથી ઉદાસીનતા રહ્યા કરે, આત્મસુખ ચાખવાની નિરંતર તીવ્ર ભાવના રહ્યા કરે એ પ્રકારે વાચન, વિચાર, ભક્તિ, ચર્ચા, પૃચ્છના, ભાવના, સમજણ કરતા રહેવા ભલામણ છેજ. ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ३४० અગાસ, તા. ૧૭-૪-૪૨ તત છે સંત વૈશાખ સુદ ૨, શુક્ર, ૧૯૮૮ સત્સંગને વેગ નહીં એવા સ્થળમાં પ્રારબ્ધવશાત રહેવું પડે છે, તે ત્યાં પણ પિતાનાથી બને તેટલે પુરુષાર્થ, પુરુષની આજ્ઞા, સદાચાર, અને ઉત્તમ ભાવનામાં ગાળવા ગ્ય છેજ. મૂળ વાત તે પરમકૃપાળુદેવ પ્રત્યે અનન્ય ભક્તિ છે. ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ ઠોકી ઠોકીને કહ્યું છે કે એક પરમકૃપાળુદેવની ભક્તિ કરનારને બીજા કેઈનું ધ્યાન વગેરે કરવાની જરૂર નથી. તેમાં ચિત્ત વિશેષ રહ્યા કરે તેમ કરવા ભલામણ છે. મારા વિષે જે કંઈ પત્રમાં ઉલ્લેખ કર્યો છે તે ભૂલી જઈ, તેથી વિશેષ પ્રેમ એક પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રત્યે, 22 Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ બધામૃત તેમની મુદ્રા, વચન અને તેના વચનના આશય પ્રત્યે પ્રેમભક્તિભાવ રાખવા મારી આગ્રહપૂર્વક આપ બન્નેને ભલામણ છે. પૂનામાં પ. પૂ. પ્રભુશ્રીજીએ એક પરમકૃપાળુદેવ ઉપર જ દષ્ટિ કરાવવા ઘણું પોતાનાથી બોલાય તેટલું એક અઠવાડિયા સુધી કહ્યું હતું તેમાંથી થોડી લીટીઓ લખી મેકલું છું તે ઘણું લખ્યું છે એમ વિચારી હૃદયમાં એક પરમકૃપાળુદેવ જ સ્થાન સદાને માટે લે તેવું કરી લેવા વિનંતી છેજી: “અમને તે ભલા એમ થયું કે જે વચન અમને આત્મહિતનું કારણ થયું તે વચન બીજા પણ સાંભળે, શ્રદ્ધે તે કલ્યાણ થાય. તેથી તેની (પરમકૃપાળુદેવની) આજ્ઞા “સહજાત્મસ્વરૂપ પરમગુરુ,” જે અમારી પાસે આવ્યા તેમને કૃપાળુની દષ્ટિએ કહી સંભળાવી. પણ અણસમજણે કઈક તે પિોપટલાલને, કોઈક રત્નરાજને, કઈક આ ભાઈશ્રીને (પૂ. રણછોડભાઈ નારવાળાને) અને અમને દેહદષ્ટિએ વળગી પડ્યા! ઝેર પીઓ છે ઝેર; મરી જશે. ન હોય એ રસ્તે. જ્ઞાની તે જે છે તે છે. એની દષ્ટિએ ઊભા રહો તે તરવાને કંઈક આરો છે. અમને માનવા હોય તે માને, ન માનવા હોય તે ન માને; પણ જેમ છે તેમ કહી દેવું છે. અમે તે ધાર્યું હતું કે હમણ જે ચાલે છે તે છે ચાલે, વખત આવ્યે બધું ફેરવી નાખીશું. કંઈ અમને ફૂલ-હાર, પૂજા-સત્કાર એ ગમતાં હશે? પણ ન ગમતા ઘૂંટડા જાણીને ઉતારી જતા. હવે તે છુપાવ્યા વગર ખુલ્લું કહી દઈએ છીએ કે પૂજા-ભક્તિ કરવા લાયક એ કૃપાળુદેવ; હા, ભલે ! ઉપકારીને ઉપકાર ન ભૂલે – કઈ મેળાપી મિત્રની પેઠે તેની છબી હોય તે વાંધો નથી. પણ પૂજા તે એ જ ચિત્રપટની થાય...બારમા ગુણઠાણ સુધી સાધક, સાધક અને સાધક રહેવાનું કહ્યું છે, આડું અવળું જોયું તે મરી ગયા જાણજો....અમે આ કહ્યું છે તે માર્ગ ખેટ હોય તે તેને અમે જામીનદાર છીએ. પણ જે કઈ સ્વરછંદ વર્તશે અને “આમ નહીં, આમ કરી દષ્ટિફેર કરશે તેને અમે જવાબદાર નથી. જવાબદારી લેવી સહેલી નથી, પણ એ માર્ગમાં ભૂલ નથી.” (ઉપદેશામૃત પૃષ્ઠ ૨૭૨) છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ - ૩૪૧ અગાસ, તા. ૧૭-૪-૪૨ તત સત્ વૈશાખ સુદ ૨, શુક્ર, ૧૯૯૮ બ્રહ્મચર્ય માટે દિવાળી સુધી વ્રત પાળવાની તમારી બન્નેની ભાવના છે તે આપનાં પત્ની સાથે નકકી કરી પરમકૃપાળુદેવની સાક્ષીએ ચારે જણ નમસ્કાર કરી વ્રતની ભાવના કરશોજી. લીધા પ્રમાણે ટેક રાખી પાળવા ખાસ ભલામણ છે. તેમાં ભૂલ ન થાય તેટલી કાળજી રાખતા રહેશો. વ્રત ન પાળે તે જે પાપની પ્રવૃત્તિ કરે તેનું ફળ ભેગવવું પડે; અને વ્રત લઈને તેડે તે પાપનું ફળ તથા વ્રત તેડવાનું ફળ એમ બેવડું પાપ ભેગવવું પડે. માટે વ્રત લેતાં બહુ વિચાર કરીને વ્રત લેવું અને લીધા પછી તેમાં દોષ આવવા ન દેવા કે બારીઓ ન ખેલવી, પણ પ્રાણ જાય તે જવા દેવા, પણ વ્રત તેડવું નહીં આટલી શક્તિ જણાય તે જ પરમકૃપાળુદેવને નમસ્કાર કરી વ્રત લેશો, તે ચેતાવવા માટે લખ્યું છે. ન લેશે એમ કહેવું નથી, પણ જે કરવું તે સારું કરવું. ઉલ્લાસ, વતની મુદત પૂરી થતાં સુધી ટકી રહે તે અર્થે ભક્તિ, વાંચન, સ્મરણ, મંત્ર વગેરેમાં ભાવપૂર્વક ખાસ વર્તવા ભલામણ છેજી. Page #362 -------------------------------------------------------------------------- ________________ અગાસ પત્રસુધા ૩૩૯ ૩૪૨ . “કોઈ પણ કારણે આ સંસારમાં કલેશિત થવા ગ્ય નથી” એમ પરમકૃપાળુદેવે પત્ર ૪૬૦ માં જણાવ્યું છે, છતાં ક્લેશ થાય છે અને તેનું માથું પરિણામ દુર્ગતિરૂપ આવે છે તેનું કારણ જણાવતાં પિતે લખે છેઃ “અવિચાર અને અજ્ઞાન એ સર્વ ક્લેશનું, મેહનું અને માઠી ગતિનું કારણ છે. સવિચાર અને આત્મજ્ઞાન તે આત્મગતિનું કારણ છે.” (૪૬) એમ તેને ઉપાય પણ દર્શાવ્યો છે. તે પ્રથમ શાને સવિચાર કરવો? તે વિષે લખે છે: “તેને પ્રથમ સાક્ષાત્ ઉપાય જ્ઞાની પુરુષની આજ્ઞાને વિચારવી એ જ જણાય છે.” આમ આપણને જે “આત્મબ્રાંતિ સમ રેગ” વર્તે છે તેને ઉપાય બતાવ્યો છે. તે જાણી બીજા બધા રેગ કરતાં આ રોગ અનાદિકાળથી જામી ગયેલે જૂનો છે, માટે તેને કાઢવા માટે જ્ઞાની પુરુષે “ઔષધ વિચાર ધ્યાન” તથા “ગુરુ આજ્ઞા સમ પથ્ય” દર્શાવ્યા છે તે સેવવા પડશે. આ ભયંકર, અસહ્ય સંસારનાં દુઃખથી બચવું હોય તે અનન્ય ભાવે એકનિષ્ઠાએ સર્વસ્વપણે પરમ પ્રેમ પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રને શરણે ચિત્ત રાખી તેને ક્ષણવાર પણ વીસરવા નથી, એવું વ્રત લેવા યોગ્ય છે. એને મૂકીને બીજામાં ચિત્ત જાય છે, ત્યાં બળતરા, બંધન અને ભવભ્રમણ ઊભું થાય છે. માટે આત્મહિતને ઈચ્છનાર સરળભાવી ભદ્ર-પરિણામી જીવે મનમાં એવી ગાંઠ વાળી દેવા યોગ્ય છે કે આટલે ભવ તે આ પરમ પુરુષની ઉપાસના કરવા દે. ભલે લોકો નિદે, ભલે ભીખ માગવી પડે, ભલે વ્યાધિ પીડા આવી પડે, ભલે મરણતુલ્ય સંકટ આવી પડે, પણ જે આત્માનું હિત જરૂર થાય એવું મનમાં લાગ્યું છે તે તે માર્ગ અર્થે આટલે ભવ તે ગાળી નાખું. બહારની અનુકૂળતાએ, સત્સંગ, પુસ્તક આદિ સાધને મળે કે ન મળે, પણ મન તે મારું એ પરમપુરુષની આજ્ઞામાં, સ્મરણમાં, ભક્તિભજનમાં સર્વ શક્તિએ રાખીશ. આ દઢ નિશ્ચય કરી છેડા માસ વર્તાય તે ચિત્તની ચંચળતા તજી સ્થિરતા ભજવા લાગે એમ સંભવ છે. માટે આ પત્ર મળે ત્યારથી બને તેટલી દઢતા નિત્યનિયમ વગેરેમાં રાખવી અને અસ્થિરતા ચિત્તની જણાય ત્યારે વચનામૃતનું વાંચન, વિચાર કે સરખેસરખાને સમાગમ કરતા રહેવું, અને એકાંતને વખત મળે તેટલે સ્મરણ એટલે માળા ગણવામાં કાઢ. કેટલી રોજ માળા ફરે છે તેને હિસાબ પણ રાખે. આંગળી ઉપર વેઢા છે તે ગણતા રહેવાથી સંખ્યાની ગણતરી થશે. તેમાં દરરોજ થોડો થેડે વધારો કરતા રહેવું અને દરરોજ ચાળીસ કે પચાસ માળા ફરવાના ક્રમ સુધી પહોંચે ત્યારે કેમ મન રહે છે, માળાને ક્રમ વધારવા વૃત્તિ રહે છે કે કંટાળો આવવા તરફ મન વળે છે, તે પત્રથી જણાવવા ભલામણ છે. બને તે રાત્રે પણ જાગી જવાય ત્યારે માળા લઈને બેસવું, ઊભા રહીને માળા ગણવી કે ફરતાં ફરતાં પણ ગણવી; પણ ઊંઘ ઓછી થતી જાય અને માળાને ક્રમ વધતું જાય તેમ છેડે થોડે રેજ વધારતા રહેવાની જરૂર છે. એકદમ આખી રાત જાગવાથી બીજે દિવસ ઊંઘવામાં કે ઠેકાણા વગરના કામમાં જશે, માટે ઉતાવળ નહીં કરતાં મહિને મહિને એકાદ કલાક ઊંઘ ઘટાડતા જવું અને પાછલી રાતના ઊંઘ થેડી લઈ લેવી. આમ કરતાં શું પરિણામ આવે છે તે પુરુષાર્થ કર્યો સમજાશે. જે શરીર હાલ અશક્ત હોય તે ઠીક થયે તે ક્રમ કરી જેવાને વિચાર રાખે પણ માંદગી તે વળી સ્મરણને મેટો આધાર છે. સ્મરણ કરતાં કરતાં દેહ છૂટી જાય તે Page #363 -------------------------------------------------------------------------- ________________ ३४० બેધામૃત ઊલટું સારું. એવું ભાગ્ય ક્યાંથી હોય! પણ હાલ જ્યાં સુધી તમારી માતુશ્રીની સેવા વગેરે કરવાની છે ત્યાં સુધી શરીરની કાળજી રાખી તેમને પણ ધર્મધ્યાનમાં મન પરોવાયેલું રહે તેવું તેમને વાંચી સંભળાવવું, કે તેમને ઊંઘ ન આવે ત્યાં સુધી સ્મરણ, ભક્તિ વગેરેમાં મન જોડાય તેમ વર્તવું ઠીક છે. એ જ વિનંતી. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ તા. ક. – ખાવામાં સાદો ખેરાક કંઈક ઊણું પેટ રહે, ઊંઘ ઓછી આવે તે ખેરાક લે એટલે ઘી, દૂધ, દહીં ઓછાં વાપરવાં. બીજી વાતોમાં ન પડવું. નછૂટકે અસત્સંગી જીવો સાથે બોલવાનું રાખવું. માળા ગણતાં પરમકૃપાળુદેવના ચિત્રપટ તથા તેમના ગુણે, તેમના ઉપકારનું સ્મરણ રહે, તેમની વીતરાગમુદ્રા લક્ષમાં રહે તેમ કરવું. ૩૪૩ અગાસ, તા. ૨-૫-૪૨ (૧) પ્રશ્ન–આ જીવની વિષયવાસનાની હાનિ કયારે થશે? ઉત્તર – લેખંડ વાંકું વળી ગયું હોય પણ તપાવીને ઘણ મારે તે સીધું થઈ જાય. તેમ જ આપણું વિષયાસક્ત જીવને ઇંદ્રિયદમનરૂપી તપમાં તપાવીને ઉપર સપુરુષના બેધરૂપી ઘણના પ્રહારની જરૂર છે. પરમકૃપાળુદેવે શ્રી આત્મસિદ્ધિજીની ૧૦૩ મી ગાથામાં જણાવ્યું છે કે “હણે બોધ વીતરાગતા, અચૂક ઉપાય આમ.” તથા ૫. ઉ. પ્રભુશ્રીજીએ વિષયથી છૂટવા તપશ્ચર્યાદિ પાંચ વર્ષ સુધી ઉપાયે કર્યા, પણ છેવટે પરમકૃપાળુદેવે રસ જીત, રસાદિની લેલુપતા મટાડવાના ઉપાયોરૂપી બંધ કર્યો તે પ્રકારે તેઓશ્રીજીએ એકનિષ્ઠાએ આજ્ઞા ઉપાસી વિષયથી વિજય મેળવ્યો; તેવી જ રીતે આપણું વિષયાસક્ત જીવોને જિહાઈદ્રિયની લાલસા છેડાવવા મહાપુરુષે ફરમાવે છે કે જે વસ્તુ ઉપર આપણને વધારે રુચિ હોય તે વસ્તુ આપણા ભાણામાં આવી ગઈ હોય તે બીજાને આપી દેવી અથવા સ્વાદરહિત કરી વાપરવી. સાંભળવા કે વાંચવા માત્રથી નહીં, પણ જ્યારે આ પ્રમાણે બે ગ્રહણ કરી રસેંદ્રિયના સ્વાદ છેડવાનું વર્તનમાં મુકાશે ત્યારે જ વિષયવાસનાની હાનિ થશે. (૨) પ્રશ્ન – સત્સંગને વેગ પૂર્ણ ક્યારે મળશે? ઉત્તર – ભાવના સારી છે, પણ ગામમાં રાજમંદિરે મુમુક્ષભાઈઓ મળી વાંચનાદિ સત્સંગ થાય છે ત્યાં લાભ લેવા ન જવાતું હોય (પાસે રહેલો રોટલે ન ખવાતે હોય) તે પછી બીજી તે વાત જ શી ? માટે પાસે હોય તે તે ખાયા કરવું. કરવા માંડે ત્યારે થાય છે. (૩) પ્રશ્ન – સંસાર-કાર્યની નિવૃત્તિ ક્યારે થશે? ઉત્તર – કરશો ત્યારે. ત્રાસ લાગ્યો નથી. સંસારનું સ્વરૂપ ભયંકર છે. દુશ્મનની આગળ માથું આપે તે કાપી નાખે. કેઈએ પાંચ-પચીસ રૂપિયા આડાઅવળા કરાવ્યા હોય તો તેના પ્રત્યે દુશ્મન તરીકે વર્તે અને તેને ત્યાં લગ્નપ્રસંગે આમંત્રણ આપે તેપણ જાય નહીં, તે પછી આ જીવનું મેહશત્રુએ ભૂંડું કરવામાં મણ રાખી નથી, તે તેના આમંત્રણરૂપી પ્રવાહમાં કેમ તણાઈએ ? માટે સંસારથી છૂટવા મહાપુરુષો ફરી ફરી ભલામણ કરે છે, પણ હજુ આપણને સંસારથી ત્રાસ જ ક્યાં લાગે છે? જ્યારે ખરા અંતઃકરણથી ત્રાસ લાગશે અને Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૪૩ પત્રસુધા આપણે જાતે આવા પ્રસંગેાથી નિવીશું ત્યારે જ સ`સારકા'ની નિવૃત્તિ થશે. તારી વારે વાર” એમ પ્રભુશ્રીજી કહેતા. (૪) પ્રશ્ન — શ્રી પરમકૃપાળુદેવ પર અપૂર્વ સ્નેહ જાગ્રત કયારે થશે ? ઉત્તર બીજેથી ઉઠાશે ત્યારે પ્રીતિ અનંતી પર થકી, જે તેાડે હા તે જોડે એહ; પરમપુરુષથી રાગતા, એકત્વતા હા દાખી ગુણગેડુ – ઋષભ જિષ્ણુ દશું પ્રીતડી.” તેમ જ ભાવદયાસાગર પ્રભુશ્રીજીએ પણ ઠેર ઠેર એ જ આધધારા વરસાવી છે, પણ આપણુ દિશામૂઢ જીવેાને હજી ચટકો કાં લાગ્યા છે ? જીવ પાસે મૂડી છે તે ધનકુટુંબાદિમાં ઠેર ઠેર પ્રેમપ્રીતિરૂપે વેરી નાખી છે તેથી કૃપાળુ પરમાત્મા પ્રત્યે સ્નેહ જોઈ એ તે કયાંથી લાવવે ? જ્યારે બીજે પરથી પ્રેમપ્રીતિ ઊઠશે ત્યારે જ પરમકૃપાળુદેવ પર અપૂર્વ સ્નેહ જાગશે. પ્રશ્ન સારા છે, પણ જીવ પાતે જ ઉકેલ કરશે તે મળી રહેશે. શૂરવીર થવું પડશે. જે અપ્રશસ્ત રાગ છે તે જ્ઞાનીના બેાધે પ્રશસ્ત કરવેા પડશે. હજુ મેહનું દુઃખ લાગ્યું નથી. કાગળ લખ્યું કે પ્રશ્ન પુછાવા માત્રથી દુઃખ મટે તેમ નથી. કોઈ કહે કે ‘હું કયારે પૈસાવાળા થઈશ ?” એમ કહેવામાત્રથી પૈસાવાળા થાય તેમ નથી, પણ ઉપાય કરે તે થાય. પેાતાની શક્તિ છુપાવે તે ચેાર કહેવાય. દિવસે ધંધા, કરાં આદિના કારણે પુરુષાર્થ ન થઈ શકે, તે આખી રાત પડી હાય છે તેમાંથી વિષયભાગ માટે જેમ રાત્રે વખત મળતા તેમ ઊંઘ ઓછી કરી ઘેાડો વખત આત્મહિત કરે તેપણ બની શકે તેમ છે. સત્સ`ગની જરૂર છે એમ મહાપુરુષા ફરમાવે છે. * પ્રિય ભાઈ, આ તમને ઠપકે નધી લખ્યા. દરેક મુમુક્ષુએ હવે બહુ વિચારપૂર્ણાંક વવાની જરૂર છે. સાચા પુરુષના જેને અલ્પ પણ યાગ થયા છે તેને છૂટવાની કામના થાડીઘણી જાગે છે, તે મહાપુરુષના જ પ્રતાપ છે. ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજી કહેતા કે અમારી પાસે આવે તેનામાં અમે કઈક ઘાલી દઈએ છીએ, પણ તેને એ ખબર તે વખતે ન પડે. કાળે કરીને સત્સંગરૂપી જળથી પાષાતાં તે વૃક્ષરૂપ થાય છે અને છૂટવાની વાતનેા આત્માથી ભણકાર થાય છે. સંસારમાં તેને નિરાંતે તે સૂઈ રહેવા ન દે, કયાંય ચેન પડવા ન દે, સૂરણા જગાવે. પણ કયારે કે સાચા પુરુષના ખીજને સાચા થઈને આ જીવ જો ઝીલે, પેાષે, પથ્થ પાળે તેા. નહીં તે વધ્યા ખાઈ, કે જેને ગર્ભ ગળી જતા હોય તેવી બાઈ ને પુત્રપ્રાપ્તિના પ્રસંગ પ્રાપ્ત થવા દુર્લોભ છે, તેમ જીવ ને સત્પુરુષના ઉપકારને સંભારે નહીં, ધન સ્ત્રી કુટુંબના જ વિચારામાં દિવસ ઉપર દિવસેા વિતાવે અને સત્પુરુષના વચનના વિચારથી, તેની આજ્ઞાના આરાધનથી આત્મહિતને પોષતા ન રહે, તેા સત્પુરુષના યાગ મળ્યા તે ન મળ્યા જેવા પણ થઈ જતાં વાર ન લાગે, એવા આ હુંડાવસર્પિણી દુષમ કાળ છે માટે આ વિકટ પ્રસંગમાં પુરુષાર્થ પણ વિકટ કવ્યું છેજી. પહેલાં તે જતાં-આવતાં કે સત્પુરુષ વિહાર કરતાં કઈ દર્શીનમાત્રના લાભ થઈ જાય તેપણ જીવના ભાવ પલટાઈ જતા તેવા સરળ ભદ્રિક જીવા હતા અને અતિશયધારી સત્પુરુષો હતા. તેવા યાગ ન હોય ત્યારે વિશેષ પુરુષાર્થ * અહીં સુધીનું લખાણ એક મુમુક્ષુભાઈએ પૂજ્યશ્રીને પૂછીને તેઓશ્રીએ કહ્યા પ્રમાણે યથામતિ લખેલ છે અને પૂજ્યશ્રી પાસે સુવરાવેલ છે. Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૪ર બોધામૃત કરી, ઘણે સત્સંગ સેવીને પણ, મળેલે યોગ સફળ કરવા છે જાગતા રહેવાની જરૂર છે. અત્યારે ડહોળું પાણી પીવાનું મળે છે તેવું પણ પીને જે તરસ છીપે તેમ હોય તે તેમ કરી લેવું, નહીં તે જેમ રણમાં મૂર્ણ મુસાફર “આવું પાણી કોણ પીએ ?” એમ કરીને આગળ ચાલ્યા જાય અને આગળ તે તેવું ડહોળું પાણી તે શું, પણ માત્ર રેતી, રેતી જ આવ્યા કરે ત્યાં તે જીવ તરસે કંઠ બેસી જવાથી મરી જાય છે, તેવી આપણી દશા ન થાય તે વિષે ઘણું વિચારવું ઘટે છે. આ વેગ આપણા હાથમાંથી વહી ગયા પછી આ પેગ પણ ફરી મળવો કઠણ છે તે તેથી સારાની આશા શું રાખવી? માટે જે બને તે જતા દિવસમાંથી હિતકારી કાળને લાભ લઈ લે એ તમારે, મારે બધાએ કર્તવ્ય છેજ. સર્વ ભાઈબહેને એ બહુ ચેતીને વખતનો દુરુપયોગ કરતાં બચી જવું ઘટે છેજ. શા માટે જન્મ્યા છીએ અને શું કરીએ છીએ? એને વિચાર વારંવાર મનમાં લાવી સન્માર્ગમાં ઉત્સાહ વધે તેમ આપણે સર્વેએ હવે તે કમર કસીને બને તેટલું બળતામાંથી બચાવી લેવું જોઈએ. ઘર લાગે ત્યારે માત્ર રડ્યા કર્યું કશું બચે નહીં, પણ હિંમત રાખી જેટલું બહાર કાઢી લીધું તેટલું બચવા સંભવ છે. માટે જેટલી ક્ષણે જ્ઞાનીની આજ્ઞામાં, મંત્રસ્મરણ વગેરેમાં જશે તેટલી બચી સમજી તેને વિશેષ અભ્યાસ રાખવા હવે સત્સાધન વિશેષ કરતા રહેવું ઘટે છે. તે નિશ્ચય દઢ કરી તે પ્રમાણે વર્તવા ભલામણ છે. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ ' ૩૪૪. અગાસ, તા. ૩-૫-૪૨ તત ૐ સત્ વૈશાખ વદ ૩, રવિ, ૧૯૯૮ “આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચરે ઉદય પ્રગ; અપૂર્વ વાણી, પરમકૃત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય.” આપનું કાર્ડ મળ્યું, તેમાં પૂર્વાપર અવિરોધ’ શબ્દનો અર્થ પુછાળે છે તેને ઉત્તર ઃ જ્ઞાનીની વાણીનું લક્ષણ પૂર્વાપર અવિરોધ હોય છે. એ સમજાવવું, વિવેચન કરવું મુશ્કેલ છે. પણ શબ્દાર્થ તે પત્ર ૬૭૯ માં વાંચવાથી એ સમજાય છે કે જ્ઞાનીની વાણી આત્માથે, આત્મા જાણ્યા પૂર્વક હોય છે તેથી આત્મા ષિાય, જાગ્રત થાય, વૈરાગ્ય તથા પુરુષાર્થમાં પ્રેરાય તેવાં વચને હોય છે. ગમે તે પ્રકારનાં વચને પણ એ જ પરમાર્થને પ્રેરનારાં હોય છે. તેને હાનિ કરે તેવાં વચન જ્ઞાનીનાં હતાં નથી. અને અજ્ઞાનીને આત્મા તરફ લક્ષ થયેલે હોતે. નથી, તેથી એક વખત શૂરવીરતાનાં વચન પુરુષાર્થ પ્રેરક હોય અને બીજે પ્રસંગે કાયરતા ઘર કરે, તેવાં હોય, પણ સતત આત્મવિચારણા વધારનારાં કે આત્મહિતને પિષક એકધારાં હતાં નથી. ૩૪૫ અગાસ, તા ૭-૫-૪ર તત સત વૈશાખ વદ ૭, ગુરુ, ૧૯૮૮ પરમ ઉપકારી અહે! રાજચંદ્ર ગુરુદેવ, જેને શરણે જીવતાં ટળતી ભવ-ભ્રમ ટેવ. Page #366 -------------------------------------------------------------------------- ________________ ૩૪૩ પત્રસુધા "न लाज तीन लोककी, न वेदको कह्यो करे, न शक भूत-प्रेतकी, न देव-जक्षतें डरे । सुणे न कान औरकी, दृशे न ओर इच्छना, कहे न मुख ओर बात, भक्ति प्रेम-लच्छना ।।" "प्रेम लग्यो परमेश्वरसों तब भूलि गयो सिगरे। घरुबारा, ज्यों उनमत्त फिरे जित हि तित, नेक रहीन शरीर-संभारा। श्वास-उसास उठे सब रोम, चलै दृग नीर अखंडित धारा, सुंदर कौन करे नवधा विधि, छाकि पर्यो रस पी मतवारा ।।" વિ. આપને પત્ર પ્રાપ્ત થયે. આપ “યથાશક્તિ ભક્તિ થાય છે' એમ લખો છે તથા “આત્મિક ઊંડી વિચારશ્રેણું જાગતી નથી' એમ સાથે જણાવે છે. પરમકૃપાળુદેવે પત્રાંક ૫૭૨ માં ભક્તિનું ફળ તીવ્રજ્ઞાનદશા કહી છે, તે માટે, તમારે સર્વને વિચારી તે જ પત્રમાં જણાવેલા દે દૂર કરવા પુરુષાર્થ જરૂર કરવો ઘટે છે તે જ જ્ઞાની પુરુષને આશ્રયભક્તિમાર્ગ સફળ થાય. એ ક્રમ આરાધવાથી અવશ્ય કલ્યાણ છે, પણ શક્તિ ગેપડ્યા સિવાય વારંવાર તે લક્ષ ચુકાય નહીં તે ઉપયોગ રહ્યા કરે તેવા પુરુષાર્થની પણ જરૂર છેજી. ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજી ઘણી વખત કહેતા હતા કે આ જીવને રખડાવનાર એક લેભ છે. તેને હણવા અર્થે દાન, ત્યાગ, વૈરાગ્ય કર્તવ્ય છેજી. મૂઠી દાળિયા કેઈ ભિખારીને આપતાં પણ પુણ્ય તે બંધાશે એ ભાવ છોડી, મારે એટલે લેભ છૂટ્યો એવી ભાવના કર્તવ્ય છે. મળેલું બધુંય હું ભેગવું એવી સંજ્ઞારૂપ અનાદિની ટેવ ટાળવા અર્થે દાન આદિ શુભ પ્રવૃત્તિ કરું છું પરંતુ તેના ફળની ઈરછા મારે રાખવી નથી. આત્માથે હવે સર્વ પ્રવૃત્તિ કરવી છે એ લક્ષ મુમુક્ષુછવને સહેજે હોય. આશ્રમમાં રહી પરમપુરુષે બતાવેલ માર્ગે જીવન ગાળવાની ભાવના અંશે મૂર્તિમંત કરવા મકાન કરાવવાને લક્ષ છે તે ભાવના હવે વિશેષ કાર્યકારી બને તેવી બીજી અનકળતાઓ તે જ અર્થે કરતા રહેવા ભલામણ છે. જે જ્ઞાનીપુરુષના દઢ આશ્રયથી સર્વોત્કૃષ્ટ એવું એક્ષપદ સુલભ છે; તે પછી ક્ષણે ક્ષણે આત્મોપગ સ્થિર કરે ઘટે એ કઠણ માર્ગ તે જ્ઞાની પુરુષના દઢ આશ્રયે પ્રાપ્ત થ કેમ સુલભ ન હોય ?....જ્ઞાની પુરુષના વચનને દઢ આશ્રય જેને થાય તેને સર્વ સાધન સુલભ થાય એ અખંડ નિશ્ચય પુરુષએ કર્યો છે, તે પછી અમે કહીએ છીએ કે આ વૃત્તિઓને જય કરવો ઘટે છે, તે વૃત્તિઓને જય કેમ ન થઈ શકે ?” (૫૬૦) આ પત્ર પણ એકાંતમાં સ્વહિતાર્થે મનન કરતા રહી તે પરમપુરુષે જે પુરુષાર્થ બળની પ્રેરણા કરી છે તે આપણને આ કઠિનકાળમાં પણ પ્રાપ્ત થાઓ એવી તે પરમકૃપાળુદેવને વિનમ્ર વિનંતી કરી પત્ર પૂર્ણ કરું છુંછ. ૩૪૬ અગાસ, તા. ૧૦-૫-૪૨ તત્ ૐ સત્ વૈશાખ વદ ૧૦, રવિ, ૧૯૯૮ આપના પિતાશ્રીને જણાવશે કે શરીરના ધર્મો શરીરમાં જણાય છે. નાશવંત દેહ કેઈન અમર રહ્યો નથી. મેટા સમર્થ મહાત્મા પુરુષો પણ દેહ તજીને ચાલ્યા ગયા તે આપણે Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ બધામૃત કોણ ગણતરીમાં છીએ? પણ તે મહાપુરુષોએ દેહ છૂટતાં પહેલાં દેહથી ભિન્ન, સુખદુઃખને જાણનાર, અછેદ્ય, અભેદ્ય, જરા-મરણ-વ્યાધિ-પીડાથી રહિત, નિત્ય આત્માને જાણ દેહને મેહ તદ્દન છેડી દીધું હતું. આપણે પણ પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુને આશ્રયે દેહને મોહ છેડવો છે. તે પુરુષનું શરણું ભવજળ તરવામાં નાવ સમાન છે, માટે સ્મરણમંત્ર નિરંતર હદયમાં રાતે રહે તેવી ટેવ પાડી દેવા ભલામણ છે. તેમ જ “સદ્દગુરુપ્રસાદ”માંથી બધી અવસ્થાના ચિત્રપટનાં દર્શન જ કરાવતા રહેશે તથા રોજ સાંજે તેમની ભાવના રહેતી હોય તે વીસ દેહરા, યમનિયમ, ક્ષમાપનાને પાઠ, છપદને પત્ર, આત્મસિદ્ધિ વગેરેમાંથી સંભળાવતા રહેવું. વિશેષ ભાવના જાગે તે અવકાશે સમાધિસોપાનમાંથી સમાધિમરણ વિષેનું છેલ્લું પ્રકરણ વારંવાર સંભળાવતા રહેવું ઘટે છે. તેમનું ચિત્ત તેમાં રહેશે તે બીજા ભાવ છૂટી જ્ઞાની પ્રત્યે વિશેષ પ્રીતિ થતી જશે, નહીં તે વાંચનારને તે જરૂર લાભનું જ કારણ છે. આપણે તે આપણા આત્માને સંભળાવીએ છીએ એ મુખ્ય લક્ષ રાખી, ભલે જે સાંભળશે તેનું કલ્યાણ થશે એ ભાવે ઘરનાં જે નવરાં હોય તેમને સાંભળવા કહેવું. મંદિરમાં પણ પૂજા વગેરે કર્યા પછી વખત હોય તો એકાદ પત્ર વચનામૃતમાંથી નિરાંતે બેસી વાંચો કે ભક્તિ કરી ઘેર જવું. એકલા હોઈએ તે વધારે સારું છે. ભગવાન સાથે તે એકાંત જ સારી. આપણે આત્મા એકલે જ આવે છે અને એક જ જવાને છે. તેને જ ખરી રીતે સત્સંગમાં પણ સમજાવવાનું છે. તે જોગ ન હોય તો એકલાએ પણ પિતાના આત્માને શિખામણ મળે તેવું દરરોજ થોડું ઘણું વાંચન રાખતા રહેવાથી વૈરાગ્ય, ઉપશમની વૃદ્ધિ થતાં અપૂર્વ આનંદ આવશેજી. જેને કલ્યાણ સાધવું હશે તેને માટે ઉત્તમ સ્થળ તૈયાર થયું છે. હાલ છે તેમાંથી જેને લાભ લે હોય તે લઈ લેશે. તેને લાભ લેવા ઘણું ભાવના ભાવતાં હશે તે ભવિષ્યમાં ત્યાં લાભ લેવા જન્મશે અને ધર્મ આરાધી કલ્યાણ સાધશે. લૂંટમલ્ટ લહાવો લેવા જોગ આવ્યો છે ત્યાં પ્રમાદ કર્તવ્ય નથી. “બહોત ગઈ છેડી રહી, ડી પણ ઘટ જાય.” » શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૩૪૭ અગાસ, તા. ૧૩-૫-૪૨ આવા દુષમ વિકટ કાળમાં જન્મ્યા છીએ તે મુશ્કેલીથી ધર્મ સાધન થઈ શકે તે પ્રસંગ છે તે પણ જેણે આત્મકલ્યાણ અવશ્ય આ ભવમાં જેટલું બની શકે તેટલું કરી લેવું છે એવો નિર્ણય કર્યો હોય અને તે અર્થે ભેગાદિથી પાછા હઠવ્યા હોય તેવા એ વિકટ પુરુષાર્થ કરીને આત્મવૃત્તિને બાહ્ય પદાર્થોમાં તણાતી રોકી સસાધનમાં વારંવાર જોડવા કમર કસીને મંડી પડવા યોગ્ય છેજ. કામકાજ એકલે હાથે કરવાનાં હોય તે દિવસે વખત શેડો મળે, પણ રાત્રિ તે આપણું બાપની જ છે. તેમાંથી જરૂર જેટલી જ ઊંઘ લઈ લીધા પછી સત્સાધનમાં વિશેષ ભાવપૂર્વક પ્રવર્તાવા ભલામણ છે. શરીર બગડે નહીં તેટલે લક્ષ રાખી બને તેટલો કાળ પરમાર્થ ષિાય તેમ ગાળો ઘટે છે. આ યોગ બીજા ભવમાં મળી દલભ છે એમ જાણી બનતી જાગૃતિ અને સ્મરણમંત્રના ૨ટણમાં વૃત્તિ રાખતા રહેવા ભલામણ છે. છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #368 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૩૪૫ ૩૪૮ અગાસ, તા. ૧૪-૫-૪૨ તત છે. સત્ વિશાખ વદ ૧૪, ગુર ૧૯૯૮ “બાળપણે આપણું સસનેહી, રમતા નવ નવ વેશે; આજ તુમે પામ્યા પ્રભુતાઈ, અમે તે સંસાર નિવેશે હે ! પ્રભુજી, ઓલંભડે મત ખીજે. ભગવાન પરિપૂર્ણ સર્વગુણસંપન્ન કહેવાય છે. તથાપિ એમાંય અપલક્ષણ કંઈ ઓછાં નથી!” (૧૯૫) વિષે પુછાવ્યું તેના ઉત્તરમાં જણાવવાનું કે “જ્ઞાનીકી ગતિ જ્ઞાની હી જાણે એ વચન પ્રમાણે તે મહાપુરુષનો આશય તે જ જાણે, પણ આપણે તેનાં બીજાં વચનેને આધારે આત્માર્થને અનુકૂળ અર્થ કરી તેને આશય સમજવા પ્રયત્ન કરીએ તે તેમાં અડચણ જેવું જણાતું નથીજી. પત્રાંક ૨૦૧ માં પોતે લખે છે: “અને વાસુદેવ હરિ ચાહીને કેટલેક વખત વળી અંતર્ધાન પણ થઈ જાય એવા લક્ષણના ધારક છે; માટે અમે અસંગતાને ઈચ્છીએ છીએ; અને તમારે સહવાસ તે પણ અસંગતા જ છે, એથી પણ વિશેષ અમને પ્રિય છે. સત્સંગની અત્ર ખામી છે; અને વિકટવાસમાં નિવાસ છે.” એ આખો પત્ર વાંચવા-વિચારવાથી જે પદની તેઓશ્રીને પ્રાપ્તિ થઈ છે તે ટકાવી રાખવામાં કેટલી મુશ્કેલી પડતી હશે અને તેમાં સાંસારિક પ્રવૃત્તિ કેટલી બાધક સમજાતી હશે તથા સત્સંગની ઝંખના કેટલી છે તે જણાવવા પરમાત્માનાં “અપલક્ષણ રૂપ ઠપકે ભક્તિભાવે પરમાત્માને આપ્યો જણાય છે. તે જ વાત અન્ય પત્રમાં પ્રગટ કરી છે – “નિરંજનપદને બૂઝનારા નિરંજન કેવી સ્થિતિમાં રાખે છે, એ વિચારતાં અકળ ગતિ પર ગંભીર, સમાધિયુક્ત હાસ્ય આવે છે ! હવે અમે અમારી દશા કોઈ પણ પ્રકારે કહી શકવાના નથી, તે લખી ક્યાંથી શકીશું? આપનાં દર્શન થયે જે કંઈ વાણી કહી શકશે તે કહેશે, બાકી નિરુપાયતા છે.” (૧૮૭) એ કવિમય જીવનના અન્યક્તિરૂપ ઉદ્દગારો છે. જેમ સમકિતને દૂષણ આપવારૂપ વચન લખ્યું છે - “મને ગ્રહણ કરવાથી ગ્રહણ કરનારની ઈરછા ન થાય તે પણ મારે તેને પરાણે મેક્ષે લઈ જ પડે છે માટે મને ગ્રહણ કરવા પહેલાં એ વિચાર કરો કે મેક્ષે જવાની ઈચ્છા ફેરવવી હશે તે પણ કામ આવવાની નથી; મને ગ્રહણ કરવા પછી નવમે સમયે તે મારે તેને મોક્ષે પહોંચાડવો જોઈએ. ગ્રહણ કરનાર કદાચ શિથિલ થઈ જાય તે પણ બને છે તે જ ભવે, અને ન બને તે વધારેમાં વધારે પંદર ભવે મારે તેને મોક્ષે પહોંચાડે જોઈએ. કદાચ મને છેડી દઈ મારાથી વિરુદ્ધ આચરણ કરે અથવા પ્રબળમાં પ્રબળ એવા મહને ધારણ કરે તે પણ અર્ધ પુગલ પરાવર્તનની અંદર મારે તેને મેક્ષે પહોંચાડે એ મારી પ્રતિજ્ઞા છે! અર્થાત્ અહીં સમ્યક્ત્વની મહત્તા બતાવી છે.” (વ્યાખ્યાનસાર ૧-૬૬) દૂષણનું નામ દઈ મહત્તા જેમ સમકિતની પ્રગટ કરી છે, તેમ પરમાત્માનાં અપલક્ષણ કહીને તેમનું વિકટતાથી પ્રાપ્ત થયું અને ટકાવી રાખવું થાય છે તે દર્શાવવા તેવી ભાષા વિચારણા પ્રેરવા આનંદદાયીરૂપે (હાસ્યરૂપે) જાણે પરમાત્માના સખા બની તેનાં દૂષણ દેખાડતા હોય તેમ લખાણ છે તે ઊંડા ઊતરી વિચારતાં સમજાય તેમ છે. રોપાંગનાઓ શ્રીકૃષ્ણને ચિત્તનો ચોર કે માખણચાર કહી વગેવતી હતી કે વખાણતી હતી તે તેને આશય સમજતાં આનંદ આવે તેમ છે. Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬. બોધામૃત નિરાકુલ સુખને અર્થ પૂછ્યો તેના ઉત્તરમાં જણાવવાનું કે પુગલનાં, ઈન્દ્રિય દ્વારા ભેગવાતાં સુખ, સુખરૂપ નથી પણ દુઃખને જ પ્રકાર છે. “સઘળું પરવશ તે દુઃખલક્ષણ, નિજવશ તે સુખ લહીએ, એ દષ્ટ આતમગુણ પ્રગટે આદિ ગદષ્ટિની સઝાયમાં કહ્યું છે તેમ આત્માનું સુખ તે સહજ સુખ છે તેને ઉપદેશછાયામાં “સહજસમાધિ” રૂપે વર્ણવ્યું છે. પૃષ્ઠ ૭૨૧-૭૨૨ વાંચી વિચારશો તે સહજ સમજાશે કે પુદ્ગલને સ્વભાવ સુખ આપવાને નથી. તેની તૃષ્ણ આકુળતા જ ઉત્પન્ન કરે છે તેથી તે પુદ્ગલનાં સુખ તે આકુળતાવાળાં સુખ છે. તેનાથી જે ઠગાતા નથી તે સમ્યગ્દષ્ટિ જ છે. “પુદ્ગલ અનુભવ ત્યાગથી કરવી જસુ પરતીત હો મિત્ત; કર્યું જાણું કર્યું બની આવશે, અભિનંદન રસ રીત છે મિત્ત.” એમ સર્વ જ્ઞાનીઓને એક જ મત છેજી. ૩ઝ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૩૪૮ અગાસ, તા. ૧૭-૫-૪૨ તત્ સત્ પ્ર. જેઠ સુદ ૨, ૧૯૯૮ ધર્મ તે નહિ કરે લેક સંતોષવા, પૂછશે આટલું જીવને એક મુક્તિની એક ઈરછા રહે જે ઉરે, મૂક સંકલ્પ વિકલ્પને રે. આજ ગુરુરાજને પ્રણમ અતિ ભાવથી, યાચના શુદ્ધતાની કરું છું. આપ તે શુદ્ધ ભાવે સદાયે રમે, બે ઘડી શુદ્ધ ભાવે કરું છું. રાગ આદિ વિકલ્પ તને મૂકતાં, હોય બાધા જરા તે કહી દે, એમ સમજાવતાં જીવ માની જશે, હિત જાણુ સદા તે મૂકી દે. આજ રાગ આદિ રહિત જ્યાંથ ત્યાંથી થવું, એ સનાતન મહા ધર્મ માને પ્રાપ્ત સંગમાં ભાવ મમતા તણે, સાધવે એ જ ઉપદેશ જાણો. આજ સર્વ ક્રિયા કરી, દાન શલ આચરી, આટલું સાધવું છે, વિચારે સહજ સમભાવ તે નિજરૂપ જાણો, સાચવી રાખવું, જરૃર ધારે. આજ આધિ, વ્યાધિ, ઉપાધિ ઘણી આવશે, આત્મહિતકાર સમતા ન ચૂકે, લક્ષ જે છૂટવાને ઉરે આદરે, તે ઉદાસીનતા કદી ન મૂકે. આજ શાંતિ સૌ ધર્મનું મૂળ જાણી સદા, ક્લેશનાં કારણે ટાળશે જે, સર્વ સંસારનાં દુઃખની આ દવાઃ આત્મઅર્થે સમય ગાળશે તે. આજ (પ્રજ્ઞાવબોધ-૭૭) રૂબરૂમાં વાતચીત થયાથી કંઈક ચિત્તને શાંતિનું કારણ થયું હશે, અને પરમકૃપાળુદેવનાં વચને સાંભળવાને, વાંચવાને ક્રમ રાખશે તે વિશેષ શાંતિનું કારણ થશે. આટલી ઉંમર થતાં સુધીમાં તમારે તે ઘણા પ્રસંગે એવા વેઠવા પડ્યા છે કે જેને યથાર્થ વિચાર જીવ કરે તે વૈરાગ્યનું કારણ શોધવા શારે વાંચવાની જરૂર ન પડે. સંસારનું સ્વરૂપ વારંવાર વિચારી સંસાર-દુઃખથી મુક્ત થવાને એક જ ઉપાય એક આત્મજ્ઞાન છે એટલું હદયમાં દઢ થઈ જાય, તે હવે ગમે તે પ્રકારે પણ આત્મજ્ઞાનના વિચાર સિવાય બીજામાં ચિત્ત બડ પરવવું નથી, એમ નિશ્ચય કર ઘટે છેછે. બીજી ઉપાધિ આવી પડે તેમાંથી છૂટા થવા Page #370 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૩૪૭ બને તેટલે પુરુષાર્થ, તન, મન, વચન, ધન આદિથી કરી, હવે તે એક આત્મકલ્યાણ અર્થે જ જીવતા રહ્યા છીએ એ ભૂલવા યોગ્ય નથી. બધાંની સાથે મોટરમાં હોત તે આ ઉપાધિ લાંબી ટૂંકી કરવા કે તે ઉપાધિથી દુઃખી થવા ક્યાં આવવાનું હતું? માટે આટલું મફતનું જીવવાનું મળ્યું છે એમ માની જે થાય તે સમભાવ રાખી જોયા કરવું અને ધર્મકાર્યમાંથી ચિત્તને બહાર કાઢી વારંવાર ઉપાધિ કાર્યમાં ન જોડવું. જે પ્રારબ્ધમાં હશે એટલે પૂર્વનું પુણ્ય જ્યાં સુધી પહોંચે છે ત્યાં સુધી, કેઈથી કંઈ આઘુંપાછું થઈ શકે તેમ નથી. નસીબમાંથી કઈ તૂટી જાય તેવું નથી એમ વિચારી કશાની ફિકર રાખ્યા વિના સદ્ગુરુની આજ્ઞા અખંડિત હદયમાં રાખવી. બ્રહ્મચારી પૂ....બહેનના મા જ્યારે વિધવા થયા ત્યારે પ. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજી પાસે આવેલાં. તેને દુઃખી દેખીને કરુણામૂર્તિ પૂ. પ્રભુશ્રીજીએ ‘હિંમત ન હારવી, બનનાર છે તે ફરનાર નથી, હિંમતે મરદા તે મદદે ખુદા” વગેરે વચને કહી કહ્યું કે આમાં શું ગભરાઈ જાય છે? મેટા પુરુષોને કેવાં કેવાં દુઃખ આવી પડેલાં–રામને વનવાસ, પાંડેને વનવાસ તથા દુર્યોધનની પજવણી, ગજસુકુમારની ક્ષમા–વગેરે શબ્દોથી ધીરજ બંધાવી કહ્યું કે આથી વધારે આવી પડશે ત્યારે શું કરીશ ? તે વખતે તેમને લાગેલું કે આથી વધારે દુઃખ વળી કેવું આવી શકે? પછી તે પિતાને ગામે ગયાં. થોડા દિવસમાં તેમનાં ઘર લાગ્યાં એટલે તે તે ચિત્રપટ તથા પુસ્તકો વગેરે લઈને બહાર નીકળી ગયાં અને પૂ. પ્રભુશ્રીજીએ કહેલું તે સંભારવા લાગ્યાં કે થવાનું હોય તે જરૂર થાય છે, શેક કર્યું કંઈ લાભ નથી. દૂર રહે રહે ઘર લાગતાં જોયા કર્યું પણ હિંમત છોડી દઈ ગભરાઈ ન ગયાં. પતિને દેહ છૂટી ગયે, ઘર બળી ગયાં, કરાં નાના હતા; છતાં જે થવાનું છે તે મિથ્યા કેમ થાય? એમ વિચારી હિંમત રાખી. તેમ તમારે પણ ગંભીરતાથી સર્વનું સાંભળ્યા કરવું. ભલે લોકો કહે કે એને છોકરા ઉપર ભાવ નહીં તેથી રડતી નથી કે કંઈ ગણતી નથી, પણ તેથી નુકસાન નથી. પણ જે આર્તધ્યાનમાં ચિત્ત રહેશે અને રેવા-કકળવામાં જેટલે કાળ ગાળશો, તે વખતે કર્મ બંધાશે તે ભગવતી વખતે આકરાં લાગશે. અને લોકો સારાં સારાં કહેશે તેથી કંઈ કર્મ ઓછાં નહીં બંધાય. માટે જ્ઞાની પુરુષની આજ્ઞામાં ચિત્ત રાખી સદાચાર અને નીતિપૂર્વક વર્તવાનું રાખવું. કોઈના ઉપર શ્રેષબુદ્ધિ ન આવે તેમ જ કોઈ પ્રત્યે કિંચિત્માત્ર પણ રાગવડે પ્રતિબંધ ન થાય તેવું વર્તન રાખવાને અવસર આવ્યો છે. તેને વારંવાર વિચાર કરી જેટલી સમતા સેવાશે તેટલી સમાધિમરણની તૈયારી થાય છે એમ જરૂર માનશે. જે ભાવ મરણ વખતે આખરે રાખવાના છે તે અત્યારથી જ સેવવા જે કેડ બાંધી પુરુષાર્થ કરશે તેને સમાધિમરણ મહોત્સવરૂપે લાગશે. મરણપ્રસંગ વિકટ દુઃખદાયી નહીં લાગે. માટે શાંતિ સ્વસ્થતા આત્મામાં વર્તે તે અર્થે મંત્રસ્મરણ, ભક્તિ, સત્સંગની ઉપાસના કરવી. પૂ. ને ભલામણ છે કે પત્ર વાંચી-વિચારી તમારાં બહેનને વાંચી સંભળાવતા રહેશોજી. સત્સંગ અર્થે જ તમે ગયા છે તે ચૂકશે નહીં. કલાજમાં તમારાં બહેન તણાય નહીં તેવી ચેતવણી આપતા રહેશે. એ જ વિનંતી. ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ મેધામૃત ૩૫૦ અગાસ, તા. ૧૯-૫-૪૨ પ્ર. જેઠ સુદ ૪, મંગળ, ૧૯૯૮ તત્ સત્ “આથ હમારે હે ગુરુ ! એક જ આપની, આ અવનીમાં અવર નથી આધાર જો; સ્વા રહિત શ્રેયસ્કર સ્વામી, આપ છે, સઘળા બીજો સ્વાર્થ તણા સ`સાર જો. એથ॰ ભામે ગુરુજી આપ મળ્યા છે ભોમિયા, હવે મને ભય શાનેા છે તલભાર જો; ચાર નહીં જ્યાં તેવે માર્ગે દારજો, કરતા આવ્યા છે અગણિત ઉપકાર જો. એથ૦ મુજમાં ભક્તિ કરવાની શક્તિ નથી, વ્હાર કરે। આ વાર સુણી ગુરુદેવ જો; આશ્રિત જનને પાળે છે પ્રભુ, પ્રેમથી, ધન્ય ધન્ય હે પરમકૃપાળુદેવ જો. એથ’ વીત્યેા કાળ અનંત તે, કર્મે શુભાશુભ ભાવ, તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મેાક્ષ સ્વભાવ.”શ્રીમદ્ રાજચંદ્ર આજના પત્રમાં તમે જે સામાન્ય પ્રશ્ન કર્યાં છે તેના યથાસ્થિત ઉત્તર રૂબરૂમાં વિગતવાર થવા યેાગ્ય છતાં પત્રમાં સામાન્યપણે તેના ઉત્તર લખું છુંઃ પ્રશ્ન : પૈસા વાપરવા ભાવના હાય તે કેવાં શુભ કાર્યોંમાં વાપરવા ? તેના ઉત્તરમાં જણાવવાનું કે જે વડે ધ પ્રાપ્તિ તથા ધર્મ આરાધનમાં પોતાને અને પરને મદદ મળે તેવાં કામમાં વાપરવા ઘટે. વપરાયા પહેલાં તે સંબંધી વિચાર કરતાં પણ ધધ્યાન થાય છેજી. જગતના જીવેા પેાતાની સ્વચ્છંદ પ્રવૃત્તિમાં પડયા છે, તે કેવી રીતે જ્ઞાનીના માને પામે, જ્ઞાનીની આજ્ઞાને પામે ? તે વિચારતાં પ્રથમ કા` એક સત્સંગ સમજાય છેજી. જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે જ ધર્મ છે. તેની પ્રાપ્તિ ઘણા જીવાને કેમ થાય? તેના વિચાર કરી, જેને જેને ધન આદિની ખામીને લઈને સત્સંગ આદિ સાધનમાં વિન્ન નડતાં હોય તેને તેવી અનુકૂળતા કરી આપવામાં ધન વપરાય તે સારા માર્ગે વપરાયું ગણાય. દૃષ્ટાંત તરીકે ૫. ઉ. ૫. પૂ. પ્રભુશ્રીના હસ્તક સાધકસમાધિ ખાતાની લગભગ એક લાખ રૂપિયાની રકમ હતી તેનું ટ્રસ્ટ કરી તેના સદુપયોગ કરવા સૂચના કરી છે. તેમાં એક વિભાગ તા બ્રહ્મચારી ભાઈબહેનેા જે આશ્રમમાં જીવન પર્યંત રહેનાર છે અને જ્ઞાનીની આજ્ઞામાં જીવન ગાળનાર છે, તેમના ખારાક, કપડાં, દવા વગેરે તેમ જ તેમને સ્વાધ્યાય માટે ગ્રંથ વગેરે તથા ભણવા-ભણાવવામાં ખર્ચ કરવા પડે તે અર્થે વાપરવાનું નક્કી કર્યું છે. બીજા વિભાગમાં જ્ઞાન ખાતે ખર્ચ કરવાની સૂચના કરી છે કે કોઈ સત્શાસ્ર લખાવવાં હાય, છપાંવવાં હાય, મુમુક્ષુવાને વહેંચવાં હોય, કે નવાં ખરીદ્દીને પુસ્તક ભ`ડાર કરવા હોય તે ખાતે વાપરવા. કેઈ ને સારા અભ્યાસ કરાવવા બહાર ૧. મગળવાર ૨. માદક Page #372 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૩૪૯ ગામ મોકલવા પડે, તથા શિક્ષક વગેરે રાખવા પડે કે પાઠશાળા સ્થાપી પરમકૃપાળુદેવે ઉપદેશેલા સિદ્ધાંતે બાળક કે જનસમાજમાં પ્રચાર પામે તેવાં કામમાં વાપરવા વગેરે અનેક કાર્યોની સૂચના ટ્રસ્ટડીડમાં કરી છે. તે તમે અહીં આવે ત્યારે ઓફિસમાંથી વાંચવા મળી શકશે. એટલે ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ જે જે સન્માર્ગ બતાવેલા છે તેમાં આપણા પૈસા વપરાય છે તે તેમના અભિપ્રાયપણે તેમની આજ્ઞાએ જ વાપર્યા ગણાય. માત્ર દિશા જણાવવા પૂરતો આ પત્ર લખ્યું છે એટલે કોઈ કામમાં ઉતાવળ કર્યા વિના, વિચાર કરીને વખત આવ્યે સત્કાર્ય કરવાની ભાવના હાલ રાખી સુરતમાં તે આર્તધ્યાનમાં કાળ ન જાય તેમ વર્તવું ઘટે. જે માર્ગે પૈસા વાપરવાથી મતાગ્રહ દૃઢ થવામાં મદદ મળે, લકોને ભવિષ્યમાં દુઃખનું, સંસાર-પરિભ્રમણનું પરિણામ આવે તેવા કામ લેકો સારાં માનતા હોય તે પણ અશુભ છેજ. કંઈ વાપરવું હોય તે તે લેભ છેડવા વાપરવું છે એ લક્ષે વાપરવું. પુણ્ય બંધાશે એવી ભાવના રાખવા ગ્ય નથી. લોભ એ પરિભ્રમણનું કારણ છે. તે ટાળવા અને બીજા ને પણ સમજણ, જ્ઞાનીને બોધ પ્રાપ્ત થાય તે તે લેભ તજી પરિભ્રમણ ટાળે એ ભાવનાથી જે ઉપાધિ છે તે ઓછી કરવી છે. પુણ્યરૂપ ઉપાધિ પણ આખરે છેડડ્યા વિના છૂટકો નથી. એક આત્માર્થે જ હવે તે જે કરવું છે તે કરવા યોગ્ય છે. એ લક્ષ ચૂકવા ગ્ય નથી. મેકલેલાં શામાં વિશેષ ચિત્ત રહે તેમ કરવા ભલામણ છે. બીજું બધું આગળ ઉપર થઈ રહેશે. ૩% શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૩૫ અગાસ, તા. ૨૨-૫-૪૨ તત સત્ પ્ર. જેઠ સુદ ૭, શુક્ર, ૧૯૯૮ મુખ્ય વાત તે પ્રારબ્ધાધીન જવા-આવવાનું બને છે. કહેવાય છે કે “તારું તારી પાસ છે, ત્યાં બીજાનું શું કામ? દાણેદાણું ઉપરે ખાનારાનું નામ અથવા અન્નજળના જ્યાંના સંસ્કાર હોય ત્યાં કર્મ તેને ખેંચી જાય છે અથવા ત્યાં જ જવાની તેની બુદ્ધિ થાય છે. છેડા દિવસ ઉપર અહીંથી કાસોર (સુણાવ પાસે) ગામે ત્યાંના એક ભાઈની વિનંતી ઉપરથી ઘણાં ભાઈબહેને ભક્તિ અર્થે ગયેલાં તેમાં એક ધૂળિયા તરફના દક્ષિણ ગૃહસ્થ સમાગમ અર્થે આશ્રમમાં આવેલા તે તેમનાં પત્ની સહિત કાસર આવેલા. પાછા આવતાં સુણાવ રાત રહ્યા ત્યાં તેમનાં પત્નીને એક કૂતરું કરડી ગયું. જે વિચારીએ તે જે ગુજરાતી ભાષા બોલી કે સમજી શકે નહીં તેને અહીં આવવાનું બને, તે વળી ગામડામાં જવાનું અને જ્યાં નહીં ધારેલું તે ગામમાં રાત રહેવાનું બને અને કૂતરાને તેને જ કરડવાનું બન્યું એ પૂર્વના સંસ્કાર સૂચવે છે. તેવી જ વિચિત્ર ઘટનાઓ અનેક બને છે, મુશ્કેલીઓ આવે છે તે પૂર્વકર્મ સાબિત કરે છે. જે જે કર્મ બાંધ્યાં છે તે જોગવવા ગમે ત્યાં જવું, આવવું, રહેવું થાય, તોપણ પ: ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ જે પરમ કૃપા કરીને આપણને પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુની ભક્તિ કરવાનું જણાવ્યું છે તે ચૂકવા જેવું નથી. વીસ દેહરા, ક્ષમાપનાને પાઠ, યમનિયમ, મંત્રની અમુક નિયમ પ્રમાણે માળા ગણવી, આલેચના આદિ જે જે નિત્યનિયમ કરતા હોઈએ તે નિયમ સ્થળ બદલાતાં કે નવા અસંસ્કારી છે સાથે વસવાનું બને ત્યાં લેકલાજ આદિ Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ બાધામૃત કારણે પડી ન મૂક; પરંતુ વિશેષ બળ રાખીને તથા તે જ આધારે આપણું જીવન સુધરવાનું છે એમ માનીને, ગુપ્ત રીતે પણ દરરોજ કર્યા વિના રહેવું નહીં અને લોકે “ભગત’ એવાં ઉપનામ પાડે તેથી ડરીને કે શરમાઈને, કરતા હોઈએ તે પ્રત્યે અભાવ ન લાવે; પરંતુ વિચારવું કે તે લેકોને સત્પરુષને યોગ થયેલ નથી તે તેમનાં કમનસીબ છે અને ધર્મની કાળજી નથી રાખતા તેથી કર્મ વધાર્યા કરે છે. પૂર્વે પુણ્ય કર્યું હશે કે ધર્મની કંઈ જાણે-અજાણ્ય આરાધના કરી હશે તેનું ફળ અત્યારે મનુષ્યભવ અને સુખસામગ્રી મળી આવ્યાં છે, પણ અચાનક દેહ છૂટી જાય તે તેમની સાથે જાય તેવું કંઈ તેમણે આજ સુધી કર્યું નથી અને કરવાના ભાવ પણ સત્સંગ વિના તેવા પામર ને જાગવા મુશ્કેલ છે. તેથી ખાલી હાથે મરીને દુર્ગતિએ જશે. એવા જેને આપણે અનુકરણ કરીશું તે આપણું પણ એ જ વલે થશે. માટે ગમે તેમ તે બોલે તે પણ તેમની દયાજનક સ્થિતિ વિચારી મારે તેમના પર દ્વેષ રાખે નથી કે અહંકાર પણ કરે નથી કે હું બહુ ભાગ્યશાળી છું. પણ તેમના પ્રત્યે દયાની નજરે જોવા જેવું છે. જે આપણી વાત માને તેવા ન હોય, તેમને ધર્મની વાત કરવા જતાં પણ વિક્ષેપનું કારણ બને છે તે લક્ષ રાખી, બને ત્યાં સુધી ધર્મની બાબતમાં એાછું બેલવાનું થાય તેમ રાખી, આપણે આપણા આત્માને ઉદ્ધાર કરવા પુરુષની બને તેટલી આજ્ઞાનું આરાધન કરતા રહેવાની જરૂર છે. સાત વ્યસન તથા સાત અભક્ષ્ય તત્વજ્ઞાનમાં લખેલાં છે, તેમાંથી જેટલાને ત્યાગ કર્યો હોય તે દેહ જાય તો પણ પાળ. કુસંગને વેગે ઢીલું મન ન થઈ જાય, લેકોને દુરાચારમાં વતા દેખી તેવાં ખોટાં આચરણ કરવાનું મન ન થાય તે સાચવવું. # શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૩૫ર અગાસ, તા. ૩૧-૫-૪૨ જો ઈચ્છે પરમાર્થ તે, કરે સત્ય પુરુષાર્થ.” સત્સાધન જેને પ્રાપ્ત થયું છે તેનાં મહાભાગ્ય આ કાળમાં સમજવા યોગ્ય છે. જ્યાં સુધી તેવી ઉંમર નહોતી કે સમજ નહતી ત્યાં સુધી તે શું કરવું તે ખબર ન હતી તેથી કંઈ બન્યું નહીં, પણ જ્યારથી સમજણ આવી, ઘરનાં, દુકાનનાં, કુટુંબનાં કામની કાળજી રાખતા થયા ત્યારથી આત્માની કાળજી પણ કર્તવ્ય છે. ધનની સંભાળ દેહને અર્થે છે પણ દેહ જ નાશવંત છે તે જે વડે પરભવ પણ સુધરે એવી જ્ઞાનીની આજ્ઞા આત્મહિતકારી છે એમ ગણી, ધન કરતાં વિશેષ તેને માટે વિચારણા રહ્યા કરે તે કંઈ પુરુષાર્થ કર્તવ્ય છે. કેવી રીતે તે પુરુષાર્થ કર ? તેનું દષ્ટાંત પતે પરમકૃપાળુદેવ જ છે. # શાંતિઃ ૩૫૩ અગાસ, તા. ૨૧-૬-૪૨ તત ૐ સત બી. જેઠ સુદ ૭, રવિ, ૧૯૯૮ “અચિંત્ય તુજ માહાભ્યને, નથી પ્રફુલ્લિત ભાવ; અંશ ન એકે સ્નેહને, ન મળે પરમ પ્રભાવ.” “પર પ્રેમ પ્રવાહ બ પ્રભુસે, સબ આગમ ભેદ સુ ઉર બ; વહ કેવલ બીજ જ્ઞાની કહે, નિજ કે અનુભવ બતલાઈ દિયે.” Page #374 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૩૫૧ સંસારનું સ્વરૂપ તે એક જ્ઞાની પુરુષે પરમકૃપાળુદેવે યથાર્થ જાણ્યું છે તેથી તેમણે તે સંસારમાં ઠામઠામ દુઃખ જ દીઠું છે અને આપણું જેવા મૂઢ દુષ્ટ જનેને તેમાં વગર વિચાર્યું દેડતા અટકાવવા અર્થે ઉપદેશ કર્યો છે કે “વિચારવાનના ચિત્તમાં સંસાર કારાગૃહ છે, સમસ્ત લેક દુઃખે કરી આર્ત છે, ભયાકુળ છે, રાગદ્વેષનાં પ્રાપ્ત ફળથી બળતે છેએવો વિચાર નિશ્ચયરૂપ જ વર્તે છે; અને જ્ઞાન પ્રાપ્તિને કંઈ અંતરાય છે, માટે તે કારાગ્રહરૂપ સંસાર મને ભયને હેતુ છે અને લેક પ્રસંગ કરવા ગ્ય નથી, એ જ એક ભય વિચારવાનને ઘટે છે.” (૫૩૭) અતજ્ઞનથી સ્મરણ કરતાં એ કઈ કાળ જણાતું નથી વા સાંભરતું નથી કે જે કાળમાં, જે સમયમાં આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય, સંકલ્પ-વિકલપનું રટણ ન કર્યું હોય અને એ વડે ‘સમાધિ' ન ભૂલ્યા હોય. નિરંતર એ સ્મરણ રહ્યા કરે છે, અને એ મહા વૈરાગ્યને આપે છે. વળી સ્મરણ થાય છે કે એ પરિભ્રમણ કેવળ સ્વચ્છેદથી કરતાં જીવને ઉદાસીનતા કેમ ન આવી ? (૧૨૮) કાગળમાં કેટલું લખાય? પણ પુરુષના આશ્રયે વિચારશે તે સમજાશે કે આ જીવે પ્રતિબંધ કરવામાં મણા રાખી નથી. રાંડી, માંડી સર્વ અવસ્થાઓમાં દુઃખ જ ભગવ્યાં છે. “નહીં એકે સદ્દગુણ પણ મુખ બતાવું શુંય ?” જ્ઞાની પુરુષની સન્મુખ યોગ્યતા વિના શું મેટું લઈને જવું? એ પણ જીવને વિચાર કયાં આવ્યું છે? બીજા વિચારોમાંથી મનને દૂર કરી જે વિચારે વિશુદ્ધિ પ્રાપ્ત થાય, નિજ દેષ દેખવા જેટલી નિર્મળતા મળે અને દોષ ટાળવાની તત્પરતા વધે તે અર્થે અત્યંત દીનતાપૂર્વક સત્સંગ, સત્સવાની નિરંતર ભાવના કર્તવ્ય છેજ. બીજા પ્રશ્નમાં “નિર્ધ્વસ પરિણામ (૬૨૨) વિષે પુછાવ્યું તે વિષે જણાવવાનું કે જે જે પદાર્થોને જીવે ત્યાગ કર્યો છે કે તેની મર્યાદા કરી છે, છતાં તેને ન છાજે તેવી રીતે તે જ વસ્તુઓમાં અત્યાગી છે જેવી આસક્તિ રહ્યા કરે છે તે જીવ માત્ર ત્યાગનું અભિમાન કરે છે પણ વાસના કે વૃત્તિનું સ્વરૂપ સમજ્યો નથી, વૃત્તિને રોકવા જ્ઞાનીની સાક્ષીએ વ્રત લીધું છતાં વૃત્તિ વતની મર્યાદા ઓળંગી, અગ્રત અવસ્થા મનથી સેવ્યા કરે છે, પાપની વાંછા કર્યા કરે છે, તેણે જ્ઞાનીની આજ્ઞા ઉપર પગ મૂક્યો કહેવાય, તે નિર્ધ્વસ એટલે આત્મઘાતી, હિંસક પરિણામ ગણાય એ પરમાર્થ સમજાય છે. બીજો કોઈ અર્થ લાગતું હોય તે જણાવવા વિનંતી છે. છેલ્લે પ્રશ્ન, ભક્તિ પ્રદર્શિત કરતાં પરમકૃપાળુદેવે “તે મહાત્મા વર્તે છે તે દેહને, ભૂમિને, ઘરને, માર્ગને, આસનાદિ સર્વને નમસ્કાર” (૬૭૪) કર્યા છે, ત્યાં આપને પ્રશ્ન થયે કે તે ભૂમિ આદિને શા માટે નમસ્કાર કર્યા છે? એમાં કારણ શોધવા જતાં હાથ લાગતું નથી. પણ ભક્તિમાન હૃદય તે તે નિમિત્તે ઉલ્લાસ જરૂર પામે છે, રોમાંચ પણ થઈ આવે છે. “મરતું ઊંટ મારવાડ ભણી જુએ છે” એમ કહેવત છે તેમ પ્રેમના સંસ્કારોથી તે તે દિશાઓ પણ પ્રિય લાગે છે. પરમકૃપાળુદેવને પત્ર આવે ત્યારે પ. પૂ. પ્રભુશ્રીજી નમસ્કાર કરીને તેને ફેડતા, માથે ચઢાવતા. એ બધાં ઉપકારવૃત્તિનાં બાહ્યચિહ્નો છે. “સમજ્યા વણ ઉપકાર શે? સમજે જિનસ્વરૂપ.” પરમકૃપાળુદેવે છેક છેલ્લી વખતે વવાણિયા છોડ્યું તે વખતે તે ઘરને, તે ડેલીને, માતુશ્રી, પિતાશ્રી તથા મિત્રોને નમસ્કાર વારંવાર કરેલા છેવટે જતાં Page #375 -------------------------------------------------------------------------- ________________ પર બેધામૃત ગામને પણ નમસ્કાર કરેલા. તે જોઈને તેમના મિત્રે પૂછ્યું કે કદી નહીં ને આજે કેમ આમ વ છે ? તે કહ્યું કે આગળ ઉપર સમજાશે. તે ભાઈ હજી કહે છે કે હવે સમજાયું કે ફરી તે વવાણિયા આવનાર નહેાતા. જે જે નિમિત્તો ઉપકારભૂત થયાં હોય કે થઈ શકવા સંભવ હોય તેના પ્રત્યેનું બહુમાનપણું જે અંતરમાં ઊંડું રહ્યું છે તે જ તેવી બાહ્ય ચેષ્ટાઓ કરાવે છે. તીર્થંકરાનાં પ’ચકલ્યાણક-સ્થાને કે તેનાં વણુ ના પણ ઉલ્લાસનું કારણ થાય છે. એ પ્રેમદશા જેણે અંશે પણ અનુભવી નથી તેને બુદ્ધિથી તેના ખ્યાલ આવવા અશકય છે. પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડયો ન સદ્ગુરુ પાય; દીઠા નહિ નિજ દેષ તા, તરીએ કાણુ ઉપાય ?”’ આ ભાવ હાલ તેા વાર વાર વિચારી હૃદયગત કરવાના છેજી. કઈ અવિચારી વચન લખાયું હોય તેની નમ્રભાવે ક્ષમા ઇચ્છું છુંજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ દાહા – ૩૫૪ તત્ સત્ અનંત ગુણુના બીજ સમ, સમ્યક્દૅન સાર, વાર વાર વિચારૌંને, હૃદય વિષે દૃઢ ધાર. દિ. અગાસ, તા. ૨૨-૬-૪૨ જેઠ સુદ ૮, સેામ, ૧૯૯૮ આપે પુછાવેલ પ્રશ્નોના ઉત્તરમાં જણાવવાનું કે જ્ઞાન અને વૈરાગ્ય એ નિરાનું કારણુ છે. સમ્યષ્ટિને વસ્તુસ્વરૂપનું યથાર્થ જ્ઞાન— છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયેગી સદા અવિનાશ; એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ.’ એવું ભેદજ્ઞાન હોવાથી શુદ્ધ આત્મસ્વરૂપ પ્રત્યે તેની પ્રીતિ, પ્રતીતિ, લક્ષ રહે છે, તેથી જ આત્માથી સૌ હીન” લાગવાથી પાંચ ઇન્દ્રિયાનાં સુખ તથા તેના સાધનરૂપ સ્ત્રી, પુત્ર, ધન, વૈભવ પ્રત્યે અનાસક્તિ, નિમત્વરૂપ વૈરાગ્ય પણ નિરંતર રહે છે. આત્મા સિવાય ખીજે તેને ચેન પડતું નથી; તેમ છતાં શરીરનિર્વાહ આદિ કારણે પ્રવૃત્તિ કરવી પડે તેમાં તેને મોટાઈ કે મીઠાશ તથા મારાપણાના ભાવ રહેતા નથી. પારકી વેઠ જેવું લાગતું હાવાથી તે પ્રવૃત્તિને લઈને જેવા અજ્ઞાનીને બંધ પડે છે તેવા સમ્યક્દષ્ટિને બંધ પડતા નથી. અજ્ઞાનદશામાં બાંધેલાં જે લાંખી સ્થિતિનાં કર્મ સત્તામાં તેને હાય છે, તેવાં કર્મ તે કદી બાંધતા નથી. પણ થાડા વખતમાં ઉદય આવીને લેાગવાઈ જાય એવાં કર્મ અધાય છે. એટલે પહેલાંનાં સિલકમાં કર્મ છે તે ભાગવાઈ રહ્યા પહેલાં મેાક્ષ ા થવાના નથી અને આ નવાં બધાતાં કર્યાં તે જૂનાં કર્માં ભોગવાઈ રહ્યા પહેલાં ભાગવાઈ જવાનાં છે, એથી મેક્ષે જવામાં વિલ`ખ કરનાર નવાં કર્મ થતાં નથી; તેથી નવાં કર્મ નથી બાંધતા એમ એક રીતે કહી શકાય. અને સમયે સમયે અનતગુણી નિર્જરા થતી જાય છે. સકિત થતા પહેલાં પણ જ્યારથી જીવને એમ હૃદયમાં એસી જાય કે જ્ઞાનીપુરુષની આજ્ઞા એ જ મેાક્ષના સશ્રેષ્ઠ ઉપાય છે, ત્યારથી જ જીવના દાષા નિવવા લાગે છે અને જ્ઞાનીપુરુષની આજ્ઞા સિવાયની પ્રવૃત્તિમાં તેને ઉત્તમતા, પ્રેમ, સાર કે ઉમંગ રહે નહીં, એટલે બધે વૈરાગ્ય વર્તે છે. આવા વૈરાગ્યથી જ જીવ સમકિતને Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩૫૩ પત્રસુધા ગ્ય થાય છે. ત્યાગ વિરાગ ન ચિત્તમાં થાય ને તેને જ્ઞાન.” સમાધિસોપાનમાં પ્રથમ સમ્યફદર્શનનાં આઠ અંગ છાપેલાં છે તે વાંચવા ભલામણ છે. તેમાં વર્ણવેલા નિઃશંકિતતા આદિ ગુણે કેવાં પરિણામ વતે ત્યારે હોય છે તે વિસ્તારથી ત્યાં લખેલું છે. બીજું મિથ્યાદષ્ટિ જે દેહાદિક પદાર્થોમાં હું અને મારું કરી રહ્યો છે તેને રાગદ્વેષની પરિણતિ હમેશાં ચાલુ હોય છે. તેથી જેવી રીતે તે સંસારનાં કાર્યો કરતાં બંધાય છે, તેવી જ રીતે અજ્ઞાન અને રાગદ્વેષનાં પરિણામ સહિત ધર્મને નામે દાન, શીલ, તપ, ભાવ આદિ ક્રિયા કરે છે તેમાં પણ બંધન નિરંતર થયા જ કરે છે. જેમ કે માંદે માણસ જે જે જોવા આવે અને દવા બતાવે તે બધાની દવા કરે તે કદી સાજે ન થાય, ઊલટી વધારે માંદો થાય; તેમ મિથ્યાષ્ટિને છૂટવાના રસ્તાનું ભાન નથી અને ભાન વગરના લેકે જે જે બતાવે છે તે ઉપાયો કરે છે તેથી શુભ કે અશુભ કર્મ બંધાય છે અને તેના ઉદયે ફળ ભેગવવું પડે છે. ટૂંકામાં મિથ્યાદષ્ટિ જે જે ક્રિયા કરે છે તે વખતે “રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ” રૂપ બીજ વાવતો જ રહે છે, તેથી તેની ક્રિયાનું પુણ્ય કે પાપરૂપ ફળ થયા વિના રહેતું નથી, અને સમ્યફદષ્ટિને તે બીજ બળી ગયું હોય છે તેથી વાવે તોપણ ઊગતું નથી. એટલે તેની બધી ક્રિયા છૂટવાના કારણરૂપ થાય છે, પણ બંધાવારૂપ ફળ તેની ક્રિયારૂપ ઝાડ ઉપર બેસતું નથી. સમ્યક દષ્ટિને વિકાસનાં કારણેમાં પણ સદ્દવિચારને લઈને વૈરાગ્ય થાય છે અને મિથ્યાદષ્ટિને અવિચારદશા હેવાથી છૂટવાનાં કારણે પજુસણ જેવાં પણ તકરાર કરી કર્મ બંધાવનારાં થાય છે. છાપામાં હમણાં આવ્યું હતું કે પાલિતાણામાં આદીશ્વર ભગવાનના દેરાસરવાળા ચોકમાં – એવા પવિત્ર સ્થળમાં પણ બે સાધુઓ ચેથ–પાંચમની તકરારમાં લાકડીએ લાકડીએ લડી પડ્યા. એટલે જાત્રાનું સ્થળ પણ તેમને કર્મ બંધાવનારું થયું. તે ફળનું કારણ મિથ્યાત્વભાવ છે જી. ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૩૫૫ અગાસ, તા. ૨૭-૬-૪૨ તત્ સત્ બી. જેઠ સુદ ૧૪, શનિ, ૧૯૯૮ “અગ્નિ સમ તૃષ્ણા વધે, વિષયભગ રૃપ કાઠે રે, દુજન, વિષ, વિષ, અહિ, નાખે છવને કષ્ટ છે. પ્રભુ પરમ ઉપકારી રે. કામ પરિચય – પ્રિયતા, દકું-સુખ વલૂર્ય રે; પરિણામે દુઃખવૃદ્ધિ દે, આત્મ-દિવ્યતા ચૂરે છે. પ્રભુત્વ કામ નરકને દૂત છે, પાપ-તરુને પિષે રે; ભવ-ખાડે પડે અરે! મદન, મદાદિ દોષે રે. પ્રભુ મૃગ વીણા-સૂર સુણતાં, મરણશરણ આરાધે રે; સ્ત્રી દર્શન કે સ્પર્શથી, નર અનર્થને સાધે છે. પ્રભુત્વ મેહ ખુશામતથી વધે, તે સંગ ન સારો રે; કેળ કને કંથાર તે, દે દુઃખો વિચારે છે. પ્રભુત્વ 23 Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ બેધામૃત ઉચ્ચ કુળ જે પામીને, ધર્મ તજે ધન-પ્રેમે રે, ધાન બની બીજા ભવે, પામે એંઠ ન કેમે રે. પ્રભુ ધર્મ બંધુ સમ જાણ, બને લેક સુધારે રે; નાવ સમાન સુધર્મ છે, ભવદુઃખોથી તારે છે. પ્રભુ અગ્નિને જળ બૂઝ, તેમ ધર્મ દુઃખ ટાળે રે, ધર્મ-નિસરણીએ ચઢી, મેક્ષ-સુખ જીવ ભાળે છે. પ્રભુ (પ્રજ્ઞા. ૯૯) "यदा माहात् प्रजायेते रागद्वेषौ तपस्विनः ।। તવૈવ માતૃ સ્વસ્થમામાને રાખ્યત: ક્ષતા” (ાધિરાત5) ભાવાર્થ : જેને ઈચ્છાઓ રોકવી છે એવા તપસ્વીને જ્યારે મેહના ઉદયે રાગદ્વેષની વૃત્તિઓ ઘેરી લે (ઉત્પન્ન થાય) ત્યારે શું કરવું ? તેને ઉપાય બતાવે છે, કે તે જ ક્ષણે (મેહને ઉદય થતાં જ ચેતી જવું, ઢીલ ન કરવી) સ્વસ્થ, શાંત આત્માની ભાવના કરવી [“હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ, સ્ત્રી, પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું એમ આત્મભાવના કરતાં રાગદ્વેષને ક્ષય થાય” (૬૯૨)] કે ક્ષણવારમાં તે રાગદ્વેષ શાંત થઈ જાય છે. તીર્થ શિરોમણિ સમાધિપ્રેરક શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસ સ્ટેશનથી લિ. સપુરુષના ચરણકમળની સેવાને ઈચ્છક દાસાનુદાસ બાળ ગોવર્ધનના જયસદ્દગુરુ વંદન સ્વીકારવા વિનંતી છેજ. વિ. આપને પત્ર મળે. શહેરના ઝેરી વાતાવરણમાં ધર્મભાવના નિર્જીવ ન થઈ જાય તે અર્થે સવાચન, સરખી ભાવનાવાળાને સમાગમ, વિચાર, ભક્તિનો નિયમિત અમુક વખત અને અવકાશે સ્મરણ કરતા રહેવાની ટેવ ચૂકવા ગ્ય નથી. રિસેસ કે રજાના વખતે શું કરવું તે સંબંધી સૂચના જણાવવા પુછાવ્યું તેના ઉત્તરમાં જણાવવાનું કે પા કલાક ઉપરાંત વખત મળે ત્યારે કોલેજ પાસે બોટનિકલ ગાર્ડન છે તે ઉઘાડે રહેતે હોય તે ત્યાં જઈ એકાંતમાં બેત્રણ જણે નિત્ય-નિયમની ભક્તિ મંગળાચરણપૂર્વક કરી લેવી. એકલા ઘેર કરી હોય તે પણ સમૂહમાં અહીં જેમ કરીએ છીએ તેમ ભક્તિ કરવાથી શાંત ભાવનાની અસર ભણતી વખતે પણ રહેશે. બીજી ટૂંકી રિસેસમાં એકઠા થઈ શકાય તે ફરતા ફરતા પણ આત્મસિદ્ધિ આદિ કાવ્યની કઈ કોઈ કડી સામસામી પૂછી બને તેટલે અર્થને વિરતાર કરવાની ટેવ પાડવી. જેમ એકાંતમાં વિચારવાને વખત રાખવાની જરૂર છે તેમ પરસ્પર ચર્ચા તે કડી વિષે થાય, તેના સમર્થનમાં કે વિરોધમાં જે જે વિચારો દર્શાવાય તે નિખાલસપણે દર્શાવવા, અને આખરે પરમકૃપાળુદેવને જે કહેવું હોય તે ખરું એ નિર્ણય છેવટને મનમાં રાખવે. કોઈ બાબતમાં આગ્રહ કરી ખેંચતાણ ન કરવી, પણ ઢીલું મૂકી ખરું હોય તે આપણે ગ્રહણ કરવું છે એ ભાવ રાખે. નિબંધને વિષય આપ્યું હોય તેના ઉપર જેમ વિચાર કરીએ છીએ તેમ કોઈ પણ પરમકૃપાળુદેવનું વચન લઈ તેના વિષે બને તેટલા વિચાર કરતા રહેવા ભલામણ છેજી. ભૂતકાળની વાત ભૂલી જવી. માત્ર ભૂલ થઈ હોય તેવી ફરી ન થવા બાબત શિખામણ તેમાંથી ગ્રહણ કરવી. પણ ભૂલને સંભાર સંભાર ન કરવી. રસ્તામાં પડેલા કાંટા-કાંકરાને કઈ Page #378 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૩૫૫ સંભાર સભાર નથી કરતું, પણ સાચવીને ચાલવાની કાળજી રાખે છે; તેમ વમાન વન પ્રત્યે લક્ષ રાખી રાગદ્વેષ ઓછાં કરવાની કાળજી રાખતા રહેવાયેાગ્ય છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૩૫૬ અગાસ, તા. ૧૨-૭-૪૨ સજ્ઞની સિદ્ધિ વિષે માટાં પુસ્તકો લખાયેલાં છે. ટૂંકામાં જે માણુસ એમ કહે કે કોઈ ક્ષેત્રમાં કોઈ કાળે સČજ્ઞ ન હોય, તે પોતે સર્વજ્ઞ હાવે ઘટે છે; કારણ કે સર્વ કાળ અને સ ક્ષેત્રને જાણ્યા વિના તેને નિષેધ કરવાનું કેવી રીતે ખની શકે ? જ્ઞાનની વૃદ્ધિ થઈ શકે છે એ સર્વાંના અનુભવના વિષય છે, તે જે વધી શકે તે પૂર્ણ પણ થઈ શકે. પૂર્ણ માન તે જ સ`જ્ઞતા છે. અમુક જૂજ સ`પ્રદાયા વિના ઘણાખરા બધા સ`પ્રદાયવાળા પેાતાના ઇષ્ટને સČજ્ઞ માને છે, તે ધ્યેય નિષ્કારણ નથી. તે પદ પ્રાપ્ત થાય છે અને તેના ઉપાયરૂપ માર્ગ પણ છે. મોક્ષમાળા પાઠ ૭૭ થી ૮૦ અને ૮૨ થી ૯૮ સુધી વાંચી વિચારવા ભલામણુ છેજી. અજાણ્યા ડાહ્યા ગણાતા સાથે ચર્ચામાં ઊતરવામાં માલ નથી. પેાતાને માટે હાલ તે પુરુષાર્થ કરતા રહે. પૂ....ભાઈએ પૂછેલા પ્રશ્નના ઉત્તર ઃ — જીવે પૂર્વે અજ્ઞાનભાવે ખાંધેલાં કર્માંના મુખ્ય આઠ ભેદ છે; તેમાં મેાહનીયકર્મ મુખ્ય છે, તેના બે ભેદ છે: દનમેહ અને ચારિત્રમેાહ, પહેલા ભેદના ત્રણ ભેદ છે : — મિથ્યાત્વમેહનીય, મિશ્રાહનીય (સમ્યક્-મિથ્યાત્વ), સમકિતમાહનીય (સમ્યક્ત્વ પ્રકૃતિ). મિથ્યાત્વમેાહનીય કર્માંના ઉદયે જીવને વિપર્યાસ (ઊંધી મતિ) ઉત્પન્ન થાય છે. હિંસા (યજ્ઞાદિ)માં ધર્માંબુદ્ધિ, અચેતન એવા શરીરમાં જીવને પેાતાપણું મનાય છે (જડને ચેતન મનાવે છે); અપવિત્ર લેાહી, માંસ, પરુ, વિષ્ટા, મૂત્રાદિના ભાજનરૂપ સ્ત્રીશરીરને પવિત્ર સુખકર મનાવે છે; ધન, વૈભવ, કુળ આદિ પોતાનાં (ચૈતન્યરૂપ જીવનાં) નથી છતાં પેાતાનાં મનાવે છે આવી ગાઢ વિપરીતતા ઉત્પન્ન કરાવનાર કર્મ મિથ્યાત્વમાહનીય છે. મિશ્રમેહનીયમાં મંદ વિપરીતતા છે તેથી ખાટાને ખાટારૂપે મનાય તેની સાથે સાચાને પણ ખેાટારૂપે મનાય તેવી મિશ્રતા રહે છે, અથવા સદેવ-ગુરુ-ધમ ને સાચા માને અને કુદેવ-ગુરુ-ધર્માંને પણ સાચા માને, એટલે જૂના સ`સ્કાર તદ્ન ન જાય અને નવા સંસ્કારા ગ્રહણ થાય તે વખતની એ મિશ્રશા છે. અને સમ્યક્ત્વમેહનીયમાં નહીં જેવી જ વિપરીતતા છે, એટલે ૨૪ તીર્થંકર સર્વ શુદ્ધરૂપે સરખા પ્રભાવવાળા હેાવા છતાં, કોઈ એક વધારે હિતકારી છે. એમ માની તે પ્રત્યે વિશેષ ભક્તિભાવ કે વિધ્રુવિનાશક વગેરે વિશેષ પ્રભાવ માની તેમાં બુદ્ધિનું અટકી રહેવું વગેરે મલિનતા ઉત્પન્ન કરે છે, પણ તે સમ્યક્દનને નાશ કરવા અથવા સદેવગુરુધનું સ્વરૂપ સમજવામાં વિશ્નકર્તા નથી. જેમ મેણિયા કેઇરાને રોટલેા કાઈ ખાય તેા બેભાન થઈ જાય, તેને ધેાઈ ને ફાટલેા કરી ખાય તા કઈક ભાન કઈક લડથડિયાં આવે પણ કામ કંઈ કરી શકે નહીં, અને તેને વિશેષ ધેાઈ ને કે કાઢરી કરીને ખાયે તેને કઈક અસર જણાય પણ કામ બધું કરી શકે; એવું ત્રણે પ્રકૃતિએ સમજવા અનુક્રમે દૃષ્ટાંત છે. મિથ્યાત્વ અને મિશ્ર માહનીય સમ્યગ્દર્શનના ઘાત કરનારી છે; સમકિત મેઢુનીય માત્ર મલિન કરનાર છે. Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ આધામૃત ક મેાહનીય ભેદ એ, દન ચારિત્ર નામ; હણે મેધ વીતરાગતા, અચૂક ઉપાય આમ.’’ – આત્મસિદ્ધિશાસ્ર બને તેટલા સદ્વિચાર અને કષાયની મંદતા, સદાચરણ કરતા રહેવા વિનતી છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૩૫૭ ॐ અગાસ, તા. ૨૫-૭-૪૨ અષાડ સુદ ૧૩, શનિ, ૧૯૯૮ સ્વપર ઉપકારે સુખ તે ધર્મ પાળા, સ્વપર પરિણામે દુઃખના હેતુ ટાળા; તળ અશુભ ભાવે, શુભમાં કાળ ગાળા, અમલ કમલ જેવા દેહમાં દેહી (આત્મા) ભાળે. મિથ્યા દર્શને શ્રદ્ધાં, ત્રણસેં ત્રે ́સઠ કુસંગ–અજ્ઞાને, હા મુજ દુષ્કૃત મિથ્યા, સત્સ`ગ, સદ્મ, સાને. મહાપુરુષની મહેરથી, જાય જન્મ, સંસાર; વહાણુ વિષેના પહાણુ પણ, પહેોંચે દરિયાપાર.” “તુમ જગમાંધવ, તુમ જગતતાત, અશરણ-શરણબિરુદ વિખ્યાત, તુમ સમ જીવન–રક્ષાપાળ, તુમ દાતા, તુમ પરમાળ; તુમ પુનિત, તુમ પુરુષ પ્રમાણુ, તુમ સમદર્શી તુમ સખ-જાન, જય મુનિ, યક્ષ, પુરુષ, પરમેશ, તુમ બ્રહ્મા, તુમ વિષ્ણુ મહેશ.'' તમારા પત્ર મળ્યા. વાંચી સતાષ થયા છેજી. પર`તુ તમારા પત્રમાં “મે તે આપને જ સજ્ઞ તરીકે માનેલા છે” આદિ લખ્યું છે તે વાંચી મારા દોષાના મને વિશેષ વિચાર થયા અને મારી જ કેાઈ ભૂલને પરિણામે તમને આવી માન્યતા થઈ હશે કે કેમ ? તે તપાસી જોતાં, દરેક પત્રમાં શ્રીમદ્ રાજચ`દ્રના પ્રત્યે માત્ર શ્રદ્ધા રાખી તેની કૃપાથી તરવાની ભાવના રાખનાર, માત્ર તમને તમારી દુઃખી દશામાં તે મહાપુરુષનું શરણ આધારરૂપ થાય એવી ભાવના રાખનારરૂપે જ મેં કઈ લખ્યું હોય તેમ લાગે છે. છતાં વાત કરનારની વહેલે ચડી એસે’’ તેવું તમારું વાકય મને ચાંકાવનાર લાગ્યું અને હાથીની ઉપમા ગધેડાને આપે તેમ જે પરમકૃપાળુદેવને લખવું ઘટે તે તેના ઘરમાં વાસીદું કાઢવાને પણ ચેાગ્ય નથી તેને લખા તે મને પેાતાને શરમાવનાર લાગવાથી આટલું લખ્યું છે. તે તમને ખોટું લગાડવા નહીં, પણ તમારી માન્યતા મારા ઉપરથી ઊઠી તે મહાપુરુષના જ પાલવ પકડી સતી સ્ત્રીની પેઠે ત્યાં જ (પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર ઉપર જ) સવ ભાવે અણુતા થાય તે તમને અને મને પણ હિતકારી જાણી ખરેખરી ધ્યાનમાં રાખવા લાયક વાત લખી છે, તે વાંચી હૃદયમાં ધારણ કરી કદી ન ભુલાય તેવી અચળ કરવા આ સૂચનારૂપ વિનંતી છેજી. તમારા હૃદયમાં શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ પ્રત્યે પ્રેમ છે તે જાણીને જ તમને પત્ર લખવાનું ચાલુ રાખ્યું છે. એક મુમુક્ષુભાઈ તરીકે જ મારા પ્રત્યે ભાવ રાખી આપણે બધા તે મહાપુરુષના Page #380 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૩૫૭ આશ્રિત છીએ, તેનાં વચનોને સાચે ભાવે ઉપાસીશું તો જરૂર સંસારસાગર તરી જવાશે એવી દઢ શ્રદ્ધા રાખી પત્રવ્યવહારમાં કંઈ હરકત નથી. તમને જે શંકા હદયમાં રહે છે તે પરમકૃપાળુ દેવની કૃપાએ અહીં સત્સંગ સમાગમ અર્થે આવવાનું બનશે ત્યારે સમાધાન થઈ રહેશેજી. હજી આપણે બધાને ઘણું સમજવાનું છે. આત્મા વિષે શબ્દો પુસ્તકમાં વાંચીએ તે મીઠા લાગે પણ મુમુક્ષુદશા, વૈરાગ્યદશા, વિચારદશા લાવવા ઘણા સત્સંગ, સદધની ઘણી ઘણી જરૂર છે. કોઈ પ્રકારના વિકલ્પમાં પડવા ગ્ય નથી કે પરમકૃપાળુદેવની ભક્તિ છૂટશે કે શું? પણ જે શિખામણ લખી હોય તે વારંવાર વાંચી લક્ષમાં લેતા રહેવા વિનંતી છે.જી. તમને તે નાની ઉંમરથી ૫. ઉ. ૫. પૂ. પ્રભુશ્રીજીને સમાગમ, દર્શન અને કૃપા પ્રાપ્ત થયેલ છે. એટલે તે પુરુષે જે બીજ વાવ્યાં છે તે સજીવન બીજ છે, ઊખડી કે સુકાઈ જાય તેવાં નથી. માત્ર પિષણની જરૂર છે, વિશેષ વિશેષ પુરુષાર્થની જરૂર છે. તે પરમકૃપાળુદેવનાં વચનોમાં વિશેષ લક્ષ રહેશે તે પોષણ મળ્યા કરશે. “હું પામર શું કરી શકું?” એ લક્ષ મને હિતકારી છે અને તે જ યોગ્ય છે. માત્ર તે પુરુષનાં વચનમાં મારી વૃત્તિ તમને લખતાં પણ રહે અને સ્વપરને ઉપકારક પ્રવૃત્તિમાં ચિત્ત રહે છે તે શુભ કાર્ય છે એમ જાણી માત્ર પત્ર લખવાનું બને છે. હું જાણું છું અને તમે નથી જાણતા તેથી જણાવવા કે ડાહ્યો થવા કંઈ લખવાનું બનતું નથી. તે મહાપુરુષના વિયેગમાં આપણે બધાં દુખિયા બન્યાં છીએ; તેથી એક દુખિયારું બીજાને પિતાના હૃદયની વરાળ દર્શાવી શાંતિ મેળવે તેમાં જે કંઈ લખવું થયું છે તે મહાપુરુષ પાસેથી સાંભળેલી, વાંચેલી વાતોની સ્મૃતિરૂપ લખાયું હોય તેના માલિક તે મહાપુરુષ છે. કેઈ પુસ્તકનો ઉતારે કરવા લહિયે રાખ્યો હોય તેની મજૂરીથી લખાયેલું કોઈને ઉપકારી જણાય છે તે લહિયાને આભાર માને તે અજુગતું છે, મૂળ લેખકને ઉપકાર માને તે જ ગ્ય છે; તેમ તમને શાંતિનું કારણ અહીંથી લખેલા પત્રો નીવડયા હોય તે તે પરમપુરુષની અસંસારગત વાણીનો પ્રભાવ છે. મને તે માત્ર કપૂરના વૈતરાને જેમ સુગંધી મળે તેમ તે તે વચને લખતાં, વિચારતાં જે જે આનંદ થયો હોય તેને બદલે મળી જ ચૂક્યો છે એટલે તમને તે પુરુષની ભક્તિ, તેનાં વખાણું અને તેના ઉપર અનન્યભાવે અર્પણતા કરવાથી જે લાભ થવા યોગ્ય છે તે મારા તરફ ભાવ ઢળી જતાં એટલે થવું જોઈએ તેટલે લાભ થતાં અટકી જવાનો સંભવ દેખી આટલું બધું લખવું થયું છે. કંઈ તમારા પ્રત્યે ક્રોધ, અણગમે કે તિરસ્કાર આમાં અપ પણ નથી એમ વિચારશે. પરમકૃપાળુદેવને સાચા ભાવે ઉપાસે છે તેને હું તે દીનદાસ છું. પરમકૃપાળુદેવને જે હૃદયમાં રાખે છે તેના ચરણમાં મારું મસ્તક નમે એવી ભાવના મારા હૃદયમાં છે તે આજે સ્પષ્ટ આપને જણાવી છે. સ્પષ્ટ પણ હિતકારક વાત કહેતાં તમને કંઈ અણસમજણથી હદયમાં આઘાત જેવું લાગે તે તેની પણ છેવટે ક્ષમા ઈરછી પત્ર પૂરે કરું છું. પરમકૃપાળુદેવનું યોગબળ જગતનું કલ્યાણ કરો. આ ભવમાં એવા પુરુષનું શરણ મળ્યું છે એ જ આપણું અહોભાગ્ય ગણવા યોગ્ય છે. એ શરણ પ્રાપ્ત ન થયું હોત તે અત્યારે આપણી કેવી અધમદશા હોત, કેવા કર્મ બાંધી અધોગતિને માર્ગ ઉપાર્જન કરી રહ્યા હોત? તે વિચારી વિશેષ વિશેષ ઉપકારથી હદય નમ્ર બનાવી તે પરમપુરુષની ચરણરજ સદાય આપણે મસ્તકે રહો એ ભાવના Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ બેધામૃત નિરંતર કર્તવ્ય છે'. એ પુરુષની દશા સમજવા જેટલી પણ આપણી શક્તિ નથી તે તેની પ્રાપ્તિના અભિમાનને જગ્યા જ ક્યાં મળે તેમ છે? છતાં જીવને મેહદશા ભૂલવે છે. તે મેહને સત્વર ક્ષય થાઓ એવી તે અધમેદ્ધારણ પ્રભુ પ્રત્યે સાચા દિલની પ્રાર્થના છેજ. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૩૫૮ અગાસ, તા, ૨૭–૭-૪૨ તત 8 સત્ ગુરુપૂર્ણિમા, સેમ, સં. ૧૯૯૮ તમારું કાર્ડ મળ્યું હતું. છ માસ સુધી બાર તિથિ બ્રહ્મચર્ય પાળવાની ભાવના છે તે પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ નમસ્કાર કરી ભાવવ્રત લઈ લેશોજી. તમારા ઘરમાંથી ત્યાં હોય તે તેમને પણ લેવા જણાવશોજી. વ્રત વગેરે શાંતિ વધારવા અર્થે છે. કલેશનું કારણ ન બને તે લક્ષમાં રાખવા સૂચના કરી છે. “કઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા ગ્ય નથી” (૪૬૦) એમ પરમકૃપાળુદેવનું વચન છે, માટે કલેશનાં કારણે નિર્મૂળ કરવા તરફ દરેક મુમુક્ષુએ લક્ષ રાખવા યોગ્ય છે. કુટુંબમાં, મંડળમાં, ગામમાં, નાતમાં, દેશમાં જેમ કલેશ એછિ થાય તેમ કરવાની વૃત્તિ રાખવાથી ધર્મ પ્રગટવાનું કારણ બને છેજ. પ. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ નાસિકના બોધમાં છેલ્લી એ જ શિખામણ દીધી છે – “સંપ રાખો અને સત્સંગ કર્યા કરે.” ભક્તિ એ જ જીવનમાં મુખ્ય વનિ મુમુક્ષુને તે હોય, પણ જ્યાં સુધી મુમુક્ષતા પ્રગટી નથી ત્યાં સુધી જ્ઞાનની આજ્ઞામાં વિશેષ વિશેષ વર્તાય તેમ કરવાથી વૈરાગ્ય વધતાં ભક્તિ સહજ સ્વભાવરૂપ થવા ગ્ય છેજ. બહુ પુણ્યકેરા પુંજથી શુભ દેહ માનવને મળે, તેયે અરે! ભવચક્રને અટો નહીં એકે ટળે.” એ બધા એકઠા થાઓ ત્યારે વિચારશોજી અને શું કરવાથી આંટો ટળે? શું કરી રહ્યા છીએ? તે તપાસી જીવનપ્રવાહ સદાને માટે બદલાય એવું કંઈક વિચારશોજી. એ શાંતિઃ ૩૫૯ અગાસ, તા. ૨૮-૭-૪૨ તતું છે સત્ અષાઢ વદ ૧, મંગળ, ૧૯૯૮ “પૂર્વ પુણ્યના ઉદયથી, મળે સદ્દગુરુ-ગ; વચન-સુધા શ્રવણે જતાં, થયું હૃદય ગતાગ. નિશ્ચય એથી આવિયે, ટળશે અહીં ઉતાપ, નિત્ય કર્યો સત્સંગ મેં, એક લક્ષથી આપ.” (૧૫૪) આપને પત્રસમૂહ મળે છે. પ્રશ્નો પૂછેલા વાંચ્યા. એક પહેલે પ્રશ્ન કેટલાક મુમુક્ષુઓની સમક્ષ વિચાર્યું. તેના સારરૂપ ઉત્તર નીચે લખું છું તે આપ વિચારવાનું હોવાથી સમજવામાં હરકત નહીં આવે છે. તેમાં પત્રક ૨૭૨ બે-ત્રણ લીટીને છે તેને ભાવાર્થ આપે પૂછયો છે એમ સમજાય છે. સદ્દગુરુનું લક્ષણ પહેલા વાક્યમાં ટૂંકામાં એવું કર્યું છે કે “જે મહપુરુષનું ગમે તેવું આચરણ પણ વંદન યંગ્ય જ છે.” આટલી વાત તે પૂછનાર અને સાંભળનાર બન્નેને માન્ય છે, એ વાત સ્વીકાર કરી, નિઃશંક આમ જ છે એવું ગણી Page #382 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૩૫૯ પછી પ્રશ્ન થાય છે કે “એ મહાત્મા પ્રાપ્ત થયે નિઃસંદેહપણે ન જ વર્તી શકાય તેમ તે. વર્તતો હોય તે મુમુક્ષુએ કેવી દષ્ટિ રાખવી?” મહાત્મા તે ઉપર જણાવ્યા તેવા છે એટલે તેમનું આચરણ જે શિષ્ય (મુમુક્ષુ)ની દષ્ટિમાં નિઃસંદેહપણે ન જ વર્તી શકાય તેવું લાગતું હોય, છતાં વંદન યોગ્ય જ છે. માત્ર શિષ્યની બુદ્ધિ લૌકિક હોવાથી બાહ્યાચરણથી મહાત્મા તેણે માન્યા છે અને બાહ્ય ક્રિયા પૂર્વકર્મને આધીન હોવાથી પૂર્વે એટલે અજ્ઞાનદશામાં બાંધેલા કર્મને જ્ઞાનદશામાં મહાત્માને ઉદય આવ્યું છે તે વખતે મહાત્માનાં અંતરંગ પરિણામ તે જેવું બાહ્ય વર્તન દેખાય છે તેવાં નથી, પણ છૂટવાની ભાવનાથી આત્મજ્ઞાન પ્રત્યે લક્ષ રાખી અંતઃકરણમાં પશ્ચાત્તાપૂર્વક વર્તે છે. પણ શિષ્યમાં જ્ઞાનીનું અંતર કેવું છે તે જોવાની શક્તિ હજી પ્રગટી નથી, તેથી તે તે એમ માને છે કે હું પણ આવા નિંદવા લાયક કમને તજી શકું તેમ છું તે મહાત્મા તેનો ત્યાગ કેમ કરતા નથી? શું મહને લઈને તેમનું જ્ઞાન નાશ પામ્યું હશે? વગેરે તર્કોથી તેને ગુરૂનું આચરણ નિઃસંદેહપણે ન જ વર્તી શકાય તેવું લાગે છે. પરમકૃપાળુદેવ કહેતા કે લેકને શો વાંક કાઢ? નાનાં છોકરાં પણ ત્યાગ કરી શકે તે ત્યાગ અમારામાં ન દેખાય (રાત્રે પાણી પીવું પડે વગેરે) તે લોકોને શ્રદ્ધા થવામાં કે ટકી રહેવામાં દુર્ઘટતા પડે તેમાં નવાઈ શી છે? આ જ્ઞાનીને દયા આવવાથી જણાવ્યું છે પણ મુમુક્ષએ કેવી દષ્ટિ રાખવી તે પ્રશ્ન છે. મુમુક્ષુએ તે, એવા મહાત્માને મને એગ થયો છે તે મારાં મહાભાગ્ય છે, એમ માનવું. મારું અજ્ઞાન તેમની કૃપાથી દૂર થઈ મને આત્મજ્ઞાન તેમની કૃપાથી થનાર છે તે મારે તેમના બેધમાં લક્ષ રાખે છે. આચરણ અને સમજણમાં ફેર હોય, પણ સમજણ મને ઉપકારી છે તેથી આચરણ પૂર્વકમ છે તે તરફ જે હું નજર રાખીશ તે મને અનંતાનુબંધીને ઉદય મંદ પડ્યો હશે તે તીવ્ર થશે ને મારે અનંતકાળ સંસારમાં રખડવું પડશે. આત્મજ્ઞાનીની સર્વ ક્રિયા માટે તે પૂજ્ય છે. તે કરે તેમ મારે કરવું નથી, કહે તેમ કરવું છે. હું તે આંધળા કરતાં પણ ભંડો છું. આંધળે તે દેખે જ નહીં પણ હું તે અવળું જ દેખું છું. ઉપકાર માન ઘટે ત્યાં દેષ દેખી નિંદા કરવા તત્પર થાઉં છું તે મારે તરવાને વેગ ક્યાંથી બનશે? મુમુક્ષુએ પુરુષના દેષ જેવાથી તે પ્રથમ છૂટવું જ જોઈએ, અચળ શ્રદ્ધા કરવી જોઈએ તે તેનાં વચન તેને પરિણામ પામે. કેવી શ્રદ્ધા જોઈએ તેનું દષ્ટાંત પ. પૂ. પ્રભુશ્રીજીએ આપ્યું હતું : એક ગુરુશિષ્ય વિહાર કરતાં વડની છાયામાં વિસામે લેવા બેઠા. શિષ્યને ઠંડા પવનથી ઊંઘ આવી ગઈ. તેવામાં એક સાપ દેડતે આવ્યું. તેને રોકીને ગુરુએ પૂછ્યું, શું કામ આવ્યું છે? તેણે કહ્યું કે તમારા શિષ્યના ગળાનું લેહી પીવા પૂર્વના વેરને લઈને આવ્યો છું. ગુરુએ તેને થોભાવીને કહ્યું, હું તને તેના ગળામાંથી લેહી કાઢીને આપું છું. એમ કહી ગળાની ચામડી ચપુથી કાપવા લાગ્યા કે શિષ્ય આંખ ઉઘાડી પણ ગુરુને જયા એટલે મીંચી દીધી અને માન્યું કે ગુરુ કરતા હશે તે સારું જ કરતા હશે. પછી કાચલીમાં લેહી કાઢી સાપને પાયું. તે પીને તે પાછું વળી ગયે. આ શિષ્યની પેઠે મહાત્માને પિતાનું ગળું કાપતા પિતાની નજરે પ્રત્યક્ષ દેખે તોપણ ગુરુ જે કરે તે મારા હિતને અર્થે જ કરે છે. મારે તેમાંથી કઈક શીખવાનું જ છે. તેમના Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ બેધામૃત આત્માની ચેષ્ટાને વિષે તેની વૃત્તિ રહે તે અપૂર્વ ગુણ દષ્ટિગોચર થઈ અન્ય સ્વછંદ મટે અને સહેજે આત્મબંધ પ્રાપ્ત થાય. પણ ભક્તિ જાગી હોય તે તેમ બને, માટે ગુરુભક્તિ વધારતા જવું એ આપણું કર્તવ્ય છેજી. ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૩૬૦ અગાસ, તા. ૨૯-૭-૪૨ પરમકૃપાળુદેવનું એક વચન છે કે “જાગ્રતમાં જેમ જેમ ઉપગનું શુદ્ધપણું થાય તેમ તેમ સ્વમદશાનું પરિક્ષણપણું સંભવે.” (૨૨) એને બને તેટલે વિચાર કરી સદ્દવિચારની વૃદ્ધિ થતી રહે તેમ ભાવના કરતા રહેવા ભલામણ છે. ધનને માટે આટલે બધે દૂર જીવન જોખમે જઈ પુરુષાર્થ કરે છે અને તે ધન તે મરણકાળે કે તે પછી કંઈ કામ આવનાર નથી. પણ ધર્મ-સંચયને પુરુષાર્થ કરતા રહેશો તે તે હાલ શાંતિ આપી પરભવમાં પણ સાથે આવે એવા પુણ્યસંચયને પ્રગટ કરે તે છે જી. સંસારરુચિ હૃદયમાં રહેલી છે તેનું સ્વમમાં પ્રગટપણું દેખાય છે તેને લઈને તમને શારીરિક ક્ષીણતાના દેખાવ અનુભવાય છે. તે સવિચાર, સંસારની અસારતા અને ક્ષમાર્ગની રુચિ પ્રગટતાં દૂર થવા સંભવ છે. તે અર્થ સારા વાંચનની જરૂર છે અને ત્યાંના માણસોની મિત્રાચારી કે બહુ પરિચય નહીં રાખતાં, અહીંથી સશાસ્ત્રો મંગાવી તેમાં ચિત્ત રોકવાનું કરશો તે તમને વિશેષ હિતનું કારણ સમજાય જી. તેને આધારે ભક્તિ, વાંચન વગેરેથી મનને બીજે ખોરાક મળવાનું નિમિત્ત બનશે તેથી તમે જણાવેલા સાંસારિક નેહભાવો આદિ મંદ થઈ ભક્તિ, વૈરાગ્ય અને વિચારમાં વૃત્તિ રહેશે તે તેની શરીર ઉપર પણ સારી અસર થવા સંભવ છે). ઈસુ ખ્રિસ્ત (Jesus Christ) નાં વચનને યથાર્થ સમજનારા અને આચરનારા પૃથ્વી પર થોડા જ છે છે, તે સમજવા યોગ્ય સાત્વિક વૃત્તિ જ તે દેશમાંથી લેપ થતી જાય છે એમ સમજી અનાર્ય જીને કુસંગ ઓછો કરવા ભલામણ છેજ. સાદો, ઓછો ખોરાક લેતા રહેવાથી શરીર સ્ફર્તિ રહેશે અને સ્વપ્રદેશનું ઘટવું પણ સંભવે છેજી. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૩૬૧ અગાસ, અષ.ઢ વદ ૬, રવિ. ૧૯૯૮ "दया धर्मको मूल है पाप-मूल अभिमान । ___तुलसी दया न छोडिये, जब लग घटमें प्राण ॥" પત્ર વાંચી પૂ...........ની ધર્મવૃત્તિ તથા જીવહિંસાથી ઘતે ખેદ અને “વિચારમાં ઘણે ફેર થઈ ગયો” એ વાક્યથી સંતોષ થયો છેજ. ધાર્મિક અભ્યાસ નહીં છતાં પૂર્વના સંસ્કારે જે પરમકૃપાળુદેવે પુષ્પમાળા- ૨૪ માં જણાવ્યું છે તે તેને ફુરી આવ્યું. “ધાન્યાદિકમાં વ્યાપારથી થતી અસંખ્ય હિંસા સંભારી ન્યાયસંપન્ન વ્યાપારમાં આજે તારું ચિત્ત ખેંચ.” એ ફુરણાનું મૂળ તે પુરુષ જ છે. નાનામોટા જેને જેને જ્ઞાની પુરુષનાં દર્શન, સમાગમ, સેવા, ભક્તિને લાભ મળ્યો છે તે સર્વ મહાભાગ્યશાળી ગણવા ગ્ય છે. તે મહાપુરુષના પ્રતાપે કલ્યાણ કરવાની ભાવના હુરે છે, તે સંબંધી પૂછે છે, તેવા પ્રસંગે યાદ કરે છે, તેમાં તન્મય થાય છે. પરમકૃપાળુદેવને જાતિસ્મરણજ્ઞાન એટલે પૂર્વના ભવોની સ્મૃતિ જાગી – પ્રગટી હતી તેથી તે દુકાને બેઠા બેઠા પણ તે વન, તે ગુફાઓ, તે મહાપુરુષે, તેમનાં વચનામૃતરૂ૫ બેધ, Page #384 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૩૬૧ તેમની દશાની સ્મૃતિ કરી પિતાના આત્માને તે ઉચ્ચ કોટિને બનાવવાને પુરુષાર્થ સેવતા હતા. આપણે તેવા જાતિસ્મરણજ્ઞાનને એગ્ય તે નથી બન્યા પણ આ ભવમાં જે મહાપુરુષનાં દર્શન થયાં છે, તેમની પરમકૃપાળુદેવ પ્રત્યેની અલૌકિક ભક્તિ, તેમની આપણા જેવા મંદભાગ્યવાન જીવો પ્રત્યે અસીમ નિષ્કામ કરુણા, તેમની શાંત મુખમુદ્રા, તેમણે આપણે સમજીએ કે ન સમજીએ પણ કોઈ ચમત્કારી રીતે સત્યનું બીજ વાવવા આપણા હૃદયને આકર્ષણ કરી અલૌકિક આત્મસ્વરૂપની અભિલાષા અવ્યક્ત રીતે પ્રગટાવી તથા તેને પિષણ આપવા અનેક પ્રકારે નાનાને નાના પ્રમાણે, મોટાને મોટા પ્રમાણે, વિદ્વાનને વિદ્વાન પ્રમાણે, અબળાને અબળા પ્રમાણે, જેમ જેવો ઘટે તે બોધ આપી જે ભાવના ઉછેરી છે, તે જ આપણા કલ્યાણનું, મોક્ષનું કારણ બનનાર છે. માટે તે મહાપુરુષનાં પ્રથમ આપણને ક્યારે દર્શન થયાં ? પહેલું આપણને શું કહ્યું? વારંવાર શું કહેતા ? તથા તેમના ઉપકાર જે જે યાદ આવે છે તે સ્મૃતિમાં લાવવાથી તેઓ હાલ હાજર હોય એમ આપણને લાગશે, તે ભાવો ફરી અનુભવાતા સમજાશે, ભૂલવાના કમમાંથી સતેજ થઈ વિશેષ ઉપકારનું કારણ બનશે. તમે ત્રણે જણ પરસ્પર ઉપર જણાવેલી વાતે પિતાના સંબંધી એકબીજાને કહો, પૂછે, તેની ભાવના કરે તે સત્સંગમાં જે કરવા ગ્ય સપુરુષના ગુણગાન તેને લાભ ત્યાં બેઠાં પણ થયા કરે તેવું છે. કંઈ ન બને તે પરમકૃપાળુદેવનાં જે જે વચને આપણને તે મહાપુરુષે મુખપાઠ કરાવ્યાં છે તેની ચર્ચા પરસ્પર કરતા રહેવાથી સર્વની વૃત્તિ ધર્મમાં જોડાયેલી રહેવાને સંભવ છે. જોકે બીજ ન જાય પણ પોષણ થયા કરે. ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૩૬૨ અગાસ, તા. ૨-૮-૪૨ તત્ સત્ આષાઢ વદિ ૬, રવિ, ૧૯૯૮ અનાદિકાળથી આ જીવને અનાદરણીય વારંવાર પ્રાપ્ત થયેલા દેહાદિ પદાર્થો પ્રત્યે આશ્ચર્યકારી માહાસ્ય લાગ્યું છે. તેની મૂછમાં પોતાના શ્રેયને વિચાર, નિર્ણય કે તેને અર્થ અથાગ પુરુષાર્થ કર ઘટે છે તેનું ભાન જાગતું નથી. પરમકૃપાળુદેવે તે વિષે અત્યંત ઊંડા વિચાર મંથન કરી નિર્ણય જણાવે છે કે – ઊપજે મેહ વિકલ૫થી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલેકતાં, વિલય થતાં નહિ વાર.” (૫૪) કપિતનું આટલું બધું માહાભ્ય ? કહેવું શું? જાણવું શું? શ્રવણ કરવું શું? પ્રવૃત્તિ શી ?” (૫૭૬) “અનાદિથી જીવને સંસારરૂપ અનંત પરિણતિ પ્રાપ્ત થવાથી અસંસારપણારૂપ કોઈ અંશ પ્રત્યે તેને બોધ નથી. ઘણાં કારણોને જેગ પ્રાપ્ત થયે તે અંશદષ્ટિ પ્રગટવાને જોગ પ્રાપ્ત થયે તે તે વિષમ એવી સંસાર-પરિણતિ આડે તેને તે અવકાશ પ્રાપ્ત થતું નથી, જ્યાં સુધી તે અવકાશ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જીવને સ્વપ્રાપ્તિમાન ઘટતું નથી. જ્યાં સુધી તે પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી જીવને કંઈ સુખ કહેવું ઘટતું નથી, દુખી કહેવો ઘટે છે, એમ દેખી અત્યંત અનંત કરુણું પ્રાપ્ત થઈ છે જેને, એવા આપ્ત પુરુષે દુઃખ મટવાને માર્ગ Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૬ર બેધામૃત જાણે છે, જે તે કહેતા હતા, કહે છે, ભવિષ્યકાળે કહેશે. તે માર્ગ એ કે જીવનું સ્વાભાવિકપણું પ્રગટ્યું છે જેને વિષે, જીવનું સ્વાભાવિક સુખ પ્રગટ્યું છે જેને વિષે, એ જ્ઞાની પુરુષ તે જ તે અજ્ઞાનપરિણતિ અને તેથી પ્રાપ્ત થયું જે દુઃખ પરિણામ તેથી નિવારી આત્માને સ્વાભાવિકપણે સમજાવી શકવા ગ્ય છે, કહી શકવાને યોગ્ય છે અને તે વચન સ્વાભાવિક આત્મા જાયાપૂર્વક હેવાથી તે દુઃખ મટાડી શકવાને બળવાન છે. માટે તે વચન જે કોઈ પણ પ્રકારે જીવને શ્રવણ થાય, તે અપૂર્વભાવ રૂપ જાણી તેમાં પરમ પ્રેમ વર્તે તે તત્કાળ અથવા અમુક અનુક્રમે આત્માનું સ્વાભાવિકપણું પ્રગટ થાય.” (૩૫) આ વચને વાંચ્યાં હોય તો પણ વારંવાર વાંચી તે ભાવ પ્રગટ થતાં સુધી મનનનિદિધ્યાસનના ક્રમની ખામી પૂરી કરવા જે પુરુષાર્થની જરૂર છે તેની ભાવના નિરંતર રહ્યા કરે તેમ વર્તવા ભલામણ છે. તા. ૨૩-૭-રરને દિવસે પ્રભુશ્રીજીએ મને બેધમાં શિખામણ આપેલી બહુ હિતકારી જાણી નીચે લખી છેઃ “બહુ બેહ (ડ) કરવામાં ધર્મ નથી, તેમજ બહુ ઢીલ કરવામાં પણ નથી. માર્ગ મધ્યસ્થતાને છે.” કૃપાળુદેવને પૂછેલી વાત પ્રભુશ્રીજીએ મને તા. ૬-૯-૨રને દિવસે જણાવેલીઃ “સહજાત્મસ્વરૂપ પરમગુરુ મંત્રના જાપની રાત ને દિવસ ધૂન લગાવેલી, પણ વિકલ્પ ઊઠે કે હજી કેમ કંઈ જણાતું નથી ? આત્મા હોય તે કંઈક દેખાય ને ?” પણ અરૂપી આત્મા દેખાય ? પછી કૃપાળુદેવને વાત કરી કે મંત્ર જાપ ખૂબ કર્યો, પણ તમે કહો છે તેવું કેમ કંઈ જણાતું નથી ? કંઈ નહીં, હજી જારી રાખે” એ જવાબ મળે. આ જડ જેવા દેખાતા દેહમાં ચેતન જાણાય છે, પણ વિશ્વાસ અને દઢતાથી ગુરુ આજ્ઞાનું પાલન કરવું અને જેવા કરવાની ઈચ્છા પણ ન રાખવી. યેગમાં તે માત્ર શ્વાચ્છવાસ સૂફમ થાય છે. જ્ઞાનીએ આત્મા જાણે છે તે જ મારે માન્ય છે, એવી શ્રદ્ધા જ કામ કાઢી નાખે છે. શાંતિપૂર્વક નિશ્ચિતપણે “સહજત્મસ્વરૂપ પરમગુરુને જાપમાં કાળ વ્યતીત કરે. તેથી નિર્જરા થાય.” (ઉપદેશામૃત: પૃષ્ઠ ૨૫૯) ૩% શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૩૬૩ અગાસ, આષાઢ વદ ૧૦, ગુરુ, ૧૯૯૮ વિ. સર્વ કાળમાં સત્સંગ જેવી આત્માને ઉપકારક કોઈ ચીજ નથી. તેમાં પણ આ હડાવસર્પિણી દુષમ કાળમાં અનાર્ય યુદ્ધના પ્રસંગમાં તે તેનું (સત્સગનું) પરમ હિતકારીપણું પ્રત્યક્ષ સહજ વિચારે સમજાય તેમ છે.જી. તેવા સત્સંગને વિયેગ રહે તેવા કર્મને ઉદય હોય તેવા પ્રસંગે ચિત્તમાં વૈરાગ્યભાવનાની વૃદ્ધિ કરી, સર્વ કાર્યમાં ઉદાસીન પણે પ્રવર્તતાં સત્સંગ-ગની ભાવના, સ્મૃતિ જાગ્રત રાખવાની જરૂર છે. સલ્ફાસ્ત્રનું વાચન, નિત્યનિયમમાં ઉલ્લાસભાવ, સવિચાર તથા સદાચરણ એ ઉપકારક જાણી ત્યાં સત્સંગના વિયોગે પણ સેવતા રહી સત્સંગભાવના વર્ધમાન થાય તેમ પ્રવર્તવામાં આત્મહિત છે. એ જ વિનંતી. લિ. પુરુષના ચરણકમળમાં ભ્રમરસમ ચિત્તવૃત્તિ રાખવાની ભાવના રાખ દાસાનુદાસ બાળ ગોવર્ધનના જયસદ્દગુરુ વંદન સહ ક્ષમાયાચના સ્વીકારશોજી. Page #386 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૩૬૩ ૩૬૪ તત ૐ સત્ અગાસ, તા. ૧૨-૯-૪૨ “જ્યાં જ્યાં જે જે ગ્ય છે, તહાં સમજવું તેહ ત્યાં ત્યાં તે તે આચરે, આત્માથી જન એહ.” दरेक धर्मसाधककी फरज अपने धर्मबंधुओंको जरूरतके प्रसंग पर शक्ति अनुसार मदद करनेकी है । जरूर हो तो स्वीकार करनेमें हरकत नहीं है । अपने पास जरूरियातसे अधिक हो तो उत्तम कार्यमें खर्च भी सकते हैं । जैसा प्रसंग आ जाय वैसे धर्मबुद्धि लझमें रखकर कार्य करने पड़ते हैं। व्यवस्थित आवक वाली प्रवृत्ति करनेसे चाहे तब आप सत्संगके लिये स्वतंत्रतासे वक्त और धन बचा सकोगे । व्यवहारकी यह बात है परंतु जब व्यवहारमें लक्ष बिलकुल नहीं रखनेसे परमार्थमें भी विघ्न आ जाय, ऐसे प्रसंगमें दोनों करना पडता है । धर्मकार्यमें प्रेम, और करना पडे ऐसे कार्यमें अत्यंत आसक्ति न रखना, उदर-पूरणार्थ प्रवृत्ति करना, ऐसा लक्ष रखनेसे चित्तशुद्धि होती है, फिजूल चिंताएँ दूर होती है. पराधीनता बिना, दीनता किये बिना धर्ममें यथाशक्ति उन्नति होती रहती है। मंत्रस्मरणमें चित्त रखनेका अभ्यास अवकाश मिलने पर करते रहना । बन सके तो स्मरण करके सर्व अगत्यके काम करते रहना । खाना-पीना, आना-जाना, लेना-रखना ऐसे कार्य करनेके पहले मंत्रका उच्चार मुखसे वा मनमें कर लेने की आदत पड जाय तो सहज भक्ति होती रहे और मेरा कुछ है નહીં શેરી માધના યમ ઘટતી જાય છે પ્રયત્ન કરે નવ કુછ હોતા હૈ # શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૩૬૫ અગાસ, તા. ૧૨-૮-૪૨ તત સત્ આષાઢ વદ ૦)), બુધ, ૧૯૯૮ માત્ર આવા પ્રસંગમાં પૂર્વકર્મના ગે હું ફસાઈ પડવાની તૈયારીમાં હેઉ તે મને શા વિચાર આવવા જોઈએ ? અથવા હું શું કરું? તેને વિચાર મનમાં ઉદ્દભવ કરી મારા આત્માને કોમળ બનાવવા અર્થે પ્રયત્ન કરું છું. જે હું તમારી પેઠે ભાવમાં હોઉં તે એમ વિચારું કે મેં પૂર્વભવમાં કેઈસપુરુષના આગળ સાચેસાચી વાત પ્રગટ કરવાને બદલે માયાકપટ કરી તેમને છેતરવાની બુદ્ધિ કરી હશે, તેથી આ ધિક્કારવા એગ્ય સ્ત્રીવેદ બાંધ્યું હશે. તેને લઈને પરાધીનપણું, નિબળપણું, અતિશય લજજા તથા જ્યાં પુરુષ પ્રત્યે નજર જાય ત્યાં વિકાર થવા ગ્ય ચંચળ પ્રકૃતિ બાંધી આત્માને નિરંતર મેં લેશિત કર્યો છે. પૂર્વે વ્રત લઈને ભાંગ્યાં હશે, તેથી આ ભવમાં વિધવાપણું પ્રાપ્ત થયું. પૂર્વે બહુ ભેગોની ઈરછા કરી હશે, તેથી આ ભવમાં ભેગેની સામગ્રી ઓછી મળી; કારણ કે લેભ પાપનું મૂળ છે. પૂર્વે કોઈની સેવાચાકરી કરી નહીં હોય તેથી આ ભવમાં કોઈ મને સંભાળનાર, મારી સેવાચાકરી કરનાર નથી. પૂર્વે પ્રતિબંધ બાંધે હશે, તેથી આ ભવમાં સદ્દગુરુ ભગવાનની પ્રાપ્તિ થયાં છતાં ધર્મમાં ચિત્ત સ્થિર રહેતું નથી, અને ભંડા ભેગે મેળવવા ભટકયા કરે છે. મોક્ષે લઈ જાય તેવા મહાપુરુષોની તનમનધનથી સેવા પૂર્વે થઈ નહીં હોય તેથી આ ભવમાં મેક્ષે જવા ગ્ય સામગ્રી મળ્યા છતાં, મોક્ષ કરતા મેહ વધારે સારો લાગે છે. જે આ ભવમાં પૂર્વ ભવના જેવી જ ભૂલે કરી ફરી વર્તને તેવું જ રાખીશ એટલે આ ભવમાં જે પુરુષ આદિ પ્રત્યે કપટબુદ્ધિ સેવીશ, તે જીવેદ છેદવાને લાગ આ ભવમાં મળે છે તે વહી જશે અને પરભવમાં કાગડી, કૂતરી, બિલાડી કે ગધેડી જેવા Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ બધામૃત હલકા ભવેમાં સ્ત્રીવેદ પાછળ ને પાછળ ફરશે. જે ભગવાનતુલ્ય સપુરુષ આ ભવમાં મળ્યા છે તેમણે આપેલા વ્રતને મેહને વશ થઈને કે કોઈની ભૂંડી શિખામણથી ભેળવાઈને તેડીશ તે ભવિષ્યમાં ઘણું ભવ રંડાપ ભોગવવાનું લલાટે લખાશે. જે હજી વિષયભેગોને લોભ નહીં છોડું તે નરકમાં કરોડ વર્ષ સુધી દુઃખ ભેગવી, એવા ભવમાં ભટકવું પડશે કે જ્યાં ભોગોની પ્રાપ્તિમાં અંતરાય સદાય પડ્યા કરશે. જે આ ભવમાં સત્સવાના પ્રસંગે શોધી પુરુષની ભક્તિ નહીં કરું ને છોકરાં હૈયાની પંચાતમાં આ ભવ ખોઈ નાખવા જેવું કર્મ કરી બેસીશ તે પરભવમાં નિરાધાર, અનાથ, દુઃખી દિવસે દેખવાનું લલાટમાં લખાશે. આવા વિચારે મનને મેહમાં વહ્યું જતું પાછું વાળી, મારે તે હવે કઈ રાજુમતિ જેવો અવસર આવ્યું છે એમ ગણી, આ ભવ બ્રહ્મચર્યવ્રતમાં જ ગાળવાની પ્રતિજ્ઞા લીધી છે તે તેને માટે પ્રાણ છોડવા પડે તે પણ નહીં ડરતાં મારા મનને અત્યંત દઢ કરી મારા ઉપર મેહ કરનાર રહનેમિ (રથનેમિ) જેવા સાધુ હોય તે પણ મારે તેને સમજાવી ધર્મ માટે આટલે ભવ ગાળવાના ભાવ તેને જાગે તે ઉપદેશ આપી તેને અપકારને બદલે ઉપકારરૂપે આપવા મારે કેડ બાંધી મથવું ઘટે છે. તેના વિકારભાવ પલટાઈ સત્પરુષની આજ્ઞામાં જીવન ગાળવાને તેને નિશ્ચય થાય તેમ મારે હિંમત રાખી વિકાર તજી તેને વૈરાગી બનાવવા બ્રહ્મચર્યનું સર્વોત્કૃષ્ટપણે જણાવવું ઘટે છે: જેમ કે “જે માણસ સ્ત્રીના મેહમાં સડ્યા કરે તે કદી મોક્ષ પામે નહીં, નારી તે નરકનું દ્વાર છે એમ અનેક સંતાએ કહ્યું છે અને મહાવીર ભગવંતે તે એમ કહ્યું છે કે ઘરડી સો વર્ષની ડેસી નાકકાન કાપેલી હોય, રોગી હોય, તેને પણ સહવાસ સાધુ જેવાએ પણ એકાંતમાં કરે ઘટે નહીં, તે મારી સેબતે તમારા ભાવ બગડ્યા વિના કેમ રહે? માટે મારી સેબત છેડી જે સપુરુષને મેક્ષ સિવાય બીજું કાંઈ જોઈતું નથી, મેહને જે ઝેર જે જાણે છે અને તેથી દૂર ભાગતા રહે છે તેવા નિસ્પૃહી મહાપુરુષોના સંગે તમારા ભાવ પલટાવી મોક્ષને માટે તત્પર થશો તે મારા ઉપર મેટો ઉપકાર કર્યો ગણીશ” વગેરે જે પુરુષને આશ્રયે શિખામણ સૂઝી આવે તેવી શિખામણ આપીને તથા મેહને વશ થવાથી કેવાં ફળ ભવિષ્યમાં ભેગવવા પડશે અને આ ભવમાં ધર્મ કરવાની ધારણ કરી હશે તેને માથે પાણી ફરશે એમ સમજાવી પુરુષને માર્ગ તે જીવને દોરવાનું કામ મારાથી ક્યારે બને કે જ્યારે મારામાં મોક્ષે જવાની પ્રબળ ભાવના (ઈરછા) હોય અને તેને માટે પુરુષની આજ્ઞામાં જ જીવવા સિવાય બીજી રીતે જીવવું નથી એવી દઢ નિર્વિકાર ભાવના હોય તે મારાં વચનની બીજા ઉપર છાપ પડે. માટે મારે તે પહેલું એ જ કરવા ગ્ય છે કે બીજા કેઈ સમજે કે ન સમજે, પણ મેં જે પુરુષની સાક્ષીએ જીવનપર્યત બ્રહ્મચર્ય પાળવાની સકળ સંઘની સમક્ષ પ્રતિજ્ઞા લીધી છે તે પાળવા માટે હું કુસંગ એકદમ ડું, વિકાર ઓછા કરવા ઊદરી એકાસણું ઉપવાસ કે છઠ્ઠ અઠ્ઠમ અને તેથી વિકાર ન ટળે તે અઠ્ઠાઈ ઉપર અઠ્ઠાઈ કરી શરીર ગાળી નાખું, તેમ છતાં વિકાર ન છોડે તે બ્રહ્મચર્યરૂપ ધર્મને ખાતર આ વિકારી જીવનને આપઘાતથી, અનશનથી કે ઝેર ખાઈને પાડી નાખ્યું અને ધર્મસહિત આ દેહ છેડી વિશેષ ધર્મ સેવાય તેવા દેહ, દેશ અને વાતાવરણમાં ઉત્પન્ન થાઉં પણ પુરુષના માર્ગને તેડવાને રસ્તે બતાવનાર પ્રથમ પાપી તે Page #388 -------------------------------------------------------------------------- ________________ ૩૬૫ પત્રસુધા આ ભવમાં નહીં જ થાઉં એવો દઢ નિશ્ચય હું તે એવા પ્રસંગમાં જરૂર રાખ્યું અને તેમ જ વર્તન કરું એવી અત્યારની મારી ભાવના હે ભગવાન! ભવોભવ ટકી રહો! આવા વિચારે કુરવાથી આ પાખીને દિવસે, ક્ષમાપના માગવાના દિવસે પણ જો આપને ખોટું લાગવા જેવું બન્યું હોય તે તેની માફી માગી તેવો પ્રયન તમારા પ્રત્યે ફરી નહીં કરવાની ભાવના સેવી પત્ર પૂરે કરું છું. તમારી સાથે ઘણા વખતનું ઓળખાણ હેઈને તમારા પ્રત્યે દયા કુરવાથી લખાયું છે. તેને સવળો અર્થ લેવા વિનંતી છે. ૩૬૬ અગાસ, તા. ૧૭-૮-૪૨ નિર્બળ બાળક જાણીને પરમ કૃપા કરનાર, પરમ કૃપાળુને નમી વનવું ભવથી તાર: છેલ્લા પત્રમાં પરમકૃપાળુદેવે લખેલી સત્સંગ સંબંધી કડીએના અર્થ સમજવા ભાવના જણાવી તેને સંક્ષેપાર્થ લખે છે – (૧) બીજાં સાધન બહુ કર્યા, કરી કલ્પના આપ; અથવા અસદ્દગુરુ થકી, ઊલટો વળે ઉતાપ.” યમ નિયમ સંયમ આપ કિયે” એમાં જણાવેલાં સાધને સદ્ગુરુની આજ્ઞા વિના જીવે ઘણાં કર્યા અને તેનું ફળ ચાર ગતિરૂપ પ્રત્યક્ષ દેખાય છે તેથી મોક્ષ ન મળે તેવી રીતે કરેલા પ્રયત્નને બીજા સાધન' કહ્યા કરી કલ્પના આપ એમાં સ્વચ્છેદે પ્રવૃત્તિ કરી એમ જણાવ્યું અથવા તે અસદ્દગુરુની આજ્ઞાથી કરેલાં સાધનથી પણ સંસારરૂપ ફળ પ્રાપ્ત થયું. જીવને લેશિત કરવા સિવાય બીજું ફળ મળ્યું નહીં. શ્રીકૃષ્ણની સાથે વીરા સાળવીએ ૧૮૦૦૦ સાધુને વંદન કરી પણ શરીરને શ્રમ પડ્યો તે સિવાય બીજું કાંઈ ફળ મળ્યું નહીં, કારણ કે પિતાની મેળે દેખાદેખી, ભાવ વિના વંદનાઓ કરી હતી. (૨) “પૂર્વ પુણ્યના ઉદયથી, મળે સદ્દગુરુ ગ, વચન-સુધા શ્રવણે જતાં, થયું હદય ગૉગ. આમાં અનેક પ્રકારની સુખ-સામગ્રી જીવને મળી હોય તે બધા કરતાં ઉત્તમ ગણવા ગ્ય પુણ્યના ફળરૂપ સદ્દગુરુને ભેગ મળો એ છે એમ પહેલી લીટીમાં જણાવ્યું. જેને સદ્ગુરુને વેગ મળે છે, તે મહાભાગ્યશાળી છે. પૂણિયા શ્રાવકની પાસે પૈસેટકે કે સુખસામગ્રી બહુ નહોતી. પરાણે દિવસ પૂરા થાય તેવી, પૂણિયે વેચીને ગુજરાન ચલાવવું પડે તેવી પુણ્યસામગ્રી હતી. તે પણ શ્રી મહાવીર ભગવતે શ્રી શ્રેણિક રાજા કરતાં તેની મહત્તા વિશેષ બતાવી. તેથી બાહ્ય પુણ્ય કરતાં ધર્મ-આરાધન થઈ શકે તેવો યોગ અને પિતાની તેવી ગ્યતા એ પ્રશસ્ત પુણ્યનું ફળ છે. સદ્દગુરુગ સફળ કેવા કર્મો કરીને થાય છે તે બીજી લીટીમાં જણાવ્યું કે વચનરૂપી સુધા (અમૃત) સાંભળતાં હૃદયમાં જે શેક, અશાંતિ, ઉત્તાપ, કલેશ હતાં તે શાંત થઈ ગયાં અને હૃદય શેકરહિત, પ્રસન્નતાવાળું, હલકું ફૂલ થઈ ગયું. સદ્દગુરુનાં વચને જીવમાં ઉલ્લાસ પ્રેરે છે. તે જ તેને સદ્દગુરુ ઉપર શ્રદ્ધા થવામાં મદદ કરે છે, તે હવે કહે છે: Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ બેધામૃત (૩) “નિશ્ચય એથી આવિયે, ટળશે અહીં ઉતાપ; નિત્ય કર્યો સત્સંગ મેં, એક લક્ષથી આપ.” પિતાની દશા બદલાઈ તે જ સદ્દગુરુનાં વચનને, સદ્દગુરુને ઉપકાર છે એમ જીવને થાય એટલે આત્મા સાક્ષી પૂરે કે આવા સદ્દગુરુનું સેવન જરૂર મારા સંસાર-સંતાપ ટાળી મેક્ષ પમાડશે. તેથી પરમકૃપાળુદેવે સદ્દગુરુ પ્રત્યે ઉપકાર જણાવતાં કહ્યું કે હે સદ્દગુરુ ભગવાન ! મેં આપને સત્સંગ સદાય કર્યો છે તેમાં મેં કંઈ સ્વાર્થની, શરીરની કે કોઈ બીજી અપેક્ષા રાખી નથી. માત્ર મારા આત્માનું હિત જરૂર થશે એ લક્ષ મેં રાખે છે. “માત્ર મોક્ષ અભિલાષ” સિવાય મેં કંઈ મનમાં રાખ્યું નથી તેથી સત્સંગનું ફળ જે અસંગ દશા કે મોક્ષ તે મને મળશે એવો મને અંતરમાં નિશ્ચય થયો છે. આટલા વિસ્તારથી તે ત્રણ કડીઓમાં કહેલે ભાવ સમજાવે સુગમ થશે. પિતાના હૃદયમાં પરમકૃપાળુદેવ પ્રત્યે ભાવ, પ્રેમ વધારી વિચારવાથી વિશેષ વિશેષ સમજાઈ, સંતેષ અને આનંદ અનુભવાશે. તમે પણ શબ્દાર્થ તે જાણતા હશે, છતાં તમારી ભાવનાને માન આપીને પુરુષનાં વચનમાં ચિત્ત રોકવાથી મને પણ હિતનું કારણ છે એમ માની પત્ર લખ્યું છે. તે વાંચી વિચારી પરમકૃપાળુદેવને આપણે બધા ઉપર અપાર ઉપકાર છે તેનું બહુમાનપણું દિવસે દિવસે વર્ધમાન થાય તેમ વૃત્તિ વહે એ જ ભાવના સહ પત્ર પૂર્ણ ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૩૬૭ અગાસ, તા. ૧૨-૯-૪૨ તત કે સત ભાદરવા સુદ ૨, શનિ, ૧૯૯૮ વિ. આપનો પત્ર વાંચી પૂ...ની ગંભીર માંદગી જાણી ધર્મસ્નેહથી ખેદ થયે, પણ તે શમાવ કર્તવ્ય ગણે છે. મનુષ્યભવ અત્યંત દુર્લભ છે છતાં ક્ષણમાં ખોઈ બેસાય તેવા સંજોગોની વચમાં આપણે જીવીએ છીએ; માટે બહુ કાળજીપૂર્વક જીવનની ક્ષણેક્ષણ સદ્દગુરુ શ્રી પરમકૃપાળુદેવની આજ્ઞા, સમરણમંત્ર, ભક્તિ વગેરેમાં ગાળતા રહેવા આગ્રહપૂર્વક ભલામણ છેજી. રસ્તામાં અડચણ વેઠીને પણ આશ્રમમાં ઊતરવાનું બન્યું હોત તે ઘણું લાભનું કારણ હતું, પણ મોહને આડે તથા તેટલા પુણ્યની ખામીને લીધે ન બન્યું તે ભાવિ ભાવ. ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ તે આ તપવન જેવા આશ્રમ માટે એટલા સુધી કહેલું છે કે અહીં જેને દેહ છૂટશે તેનું સમાધિમરણ થશે. તે માન્ય રાખી, બને તેટલી તેની ભાવના રાખી હાલ તે તે મહાપુરુષે જે આપણને આજ્ઞા વીસ દેહરા, યમનિયમ, ક્ષમાપનાને પાઠ, છપદને પત્ર, શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર, મંત્ર આદિ જણાવેલ છે તે પ્રમાદ તજ ખરા અંતઃકરણે કરતા રહેવાની જરૂર છે. ચિ... આદિ નવરા હોય તેમણે પૂ. પાસે જે મુખપાઠ કરેલું હોય તે તથા તત્વજ્ઞાન વગેરેમાંથી વાંચતા રહેવા ભલામણ છેજ. વાંચનાર અને સાંભળનાર બન્નેને તેથી લાભ છે. બીજું કંઈ ન બને તે અખંડ સ્મરણની ધૂન સંભળાવ્યા કરવી. તેનાથી જાતે વંચાય તેમ હોય તે “સમાધિ પાનમાં છેવટના ભાગમાં પાન ૩૨૫ થી છેક છેલ્લા સુધીનો ભાગ વારંવાર વાંચતા રહેવા કે સાંભળતા રહેવા જેવો છેજ. જે “સદ્ગુરુપ્રસાદ ગ્રંથ હોય Page #390 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૩૬૭ તે તેમાંથી, નહીં તે ગમે તે ચિત્રપટ દર્શન કરવા તેની પાસે રહે તેમ કરતા રહેવાની ભલામણ છે. આ બધાં નિમિત્ત પરમકૃપાળુદેવ પ્રત્યે પ્રેમ, શરણ અને આશ્રયભાવ દઢ થવા અર્થે છે, અને બીજેથી મન ઉઠાવી તે પરમપુરુષને શરણે સર્વભાવે અર્પણતા આશ્રયભાવે કરવાને છે. કઈ પ્રકારને ક્લેશ મનમાં ન રાખતાં, દેહ ઉપરને, સર્વ ઉપરને મેહ ઉતારી એક આત્મકલ્યાણની ભાવના “સહજાત્મસ્વરૂપ પરમગુરુ” પ્રત્યે અખંડ વૃત્તિ વહ્યા કરે તે પુરુષાર્થ બને તેટલું કર્તવ્ય છેજી. પરમકૃપાળુદેવનું શરણ એકલું જ આપણને બચાવનાર છે એવી ભાવના દરરેજ કર્યા કરવી. તે માંદગીમાં અને ત્યાર પછી પણ સુખ આપનાર નીવડશે. મેહમાં તે જીવ મુઝાઈને દુઃખી થાય છે અને ફિકર-ચિંતામાં પડી અર્ધગતિને વેગ્ય બને છે. માટે આત્માનું કલ્યાણ કરવું હોય તે કલ્યાણની મૂર્તિ એવા પરમકૃપાળુદેવને ચિત્રપટ, તેનાં વચન અને તેનું કહેલું મંત્રનું સ્મરણ રટયા કરશે તે જરૂર સુખનાં કારણે પ્રગટ થશે, હદયમાં ખરી શાંતિ અનુભવાશે. ખરી કસેટીને આ વખત છે. મનમાં સંસારની ભાવના જાગે કે તેને ખસેડી, ઝેર જેવી જાણ, જ્ઞાનીનું શરણ અને આશ્રય સુખકારી છે એવી ભાવના વારંવાર કર્યા કરવી અને જ્ઞાનીને શરણે દેહ છૂટશે તે મારા આત્માને કદી લાભ નથી થયો તે લાભ આ ભવમાં થવાનો છે એ વિશ્વાસ રાખી નિર્ભય થઈ જવું, મરણથી પણ ડરવું નહીં. આત્મા તે નિત્ય છે, તે કદી મરવાને નથી. એક ઓરડામાંથી બીજામાં જઈએ તેમ નિર્ભયપણે જે થાય તે જોયા કરવું અને પરમકૃપાળુદેવની કૃપાથી સારું જ થાય છે એમ માનવું. % શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૩૬૮ અગાસ, ભાદરવા સુદ ૪, સોમ, ૧૯૯૮ આપ મુમુક્ષુ ભાઈબહેનેમાં કોઈ સાંસારિક કારણે કે ધર્મના નિમિત્તે એકબીજા પ્રત્યે વેરવિરોધનાં કારણે ઊભાં થયાં હોય તે પરસ્પર સમજી લઈને એકબીજામાં ધર્મપ્રેમની વૃદ્ધિ થાય તથા એકબીજાને ત્યાં જતાં આવતાં ન હોય, બેલાચાલીને પ્રસંગ બંધ થયું હોય તેવા નિમિત્તે સમજૂતીથી પાંચ જણ મળી પતાવી આખા ગામમાં સંપ સલાહ શાંતિથી બધા વર્તે તે આ વર્ષના પર્યુષણ પર્વ યથાર્થ થયા ગણાય. પૂર્વ કર્મને લઈને જીવની વૃત્તિ બીજાનું ભૂંડું કરવામાં, નિંદા ઈષ પિષવામાં જાય છે તેને બદલે બને તેટલા એક, બે, પાંચ કે બધા ગામના માણસમાં સંપ કરાવવાને પુરુષાર્થ કરશે તેનું પોતાનું અને બીજાનું કલ્યાણ થવાનું કારણ બને છે. “કલ્યાણ એટલે શું ?” એમ ઉપદેશછાયામાં પ્રશ્ન છે અને ત્યાં તેને ઉત્તર પણ છે કે “કષાય ઘટે તે કલ્યાણ તે આપણે અને બીજા આપણું સંબંધીઓને કષાય ઘટાડવા અર્થે મહાપુરુષોએ આવા પર્વની ભેજના કરી છે, કારણ કે જ્ઞાનીની આજ્ઞા ઉઠાવવામાં, સત્સંગ ભક્તિ આદિના પ્રસંગમાં વિન્ન કરનાર કષાય છે તે દરેકને પ્રત્યક્ષ અનુભવમાં આવે છે. તે કષાય ઘટે અને જ્ઞાનીની આજ્ઞા પ્રત્યે જીવની વૃત્તિ દેરાય, લેકેમાં એમ કહેવાય કે જ્ઞાનીના ઉપાસક બહુ સહનશીલ, ખમી ખૂંદનારા, પરોપકાર કરનારા અને બીજાને સારે રસ્તે ચડાવનારા છે એવું આપણું વર્તન બને તે પ્રયત્ન કરતા રહેવા આપ સર્વ ભાઈબહેનને ભલામણ છેજ. લિ. પુરુષના ચરણકમળની સેવાને ઈચ્છક દીનદાસ ગવર્ધનના વંદન. Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ બાધામૃત ૩૬૯ અગાસ, ભાદરવા સુદ ૬, ૧૯૯૮ જે કંઈ કરીએ તે એક આત્માર્થે કરવાની પ. પૂ. પ્રભુશ્રીજીની શિખામણ હૃદયમાં કતરી રાખવા ગ્ય છે; અને ગમે તેટલું કરીએ તે પણ મારાથી કંઈ બનતું નથી એવી વિનયભાવના હદયમાંથી ન ખસે તે ચૂકવા ગ્ય નથીજી. મારે તમારે બધાને આટલી અગત્યની વાત લક્ષમાં રાખી પ્રવર્તવાનું બનશે તે જરૂર પરમકૃપાળુદેવની કૃપાથી આપણું આત્મકલ્યાણ થયા વિના નહીં રહે એવી હૃદયની દઢ શ્રદ્ધા આપને, આપે જણાવેલા પત્રના ઉત્તરરૂપે લખી છે તે લક્ષમાં રાખવા ભલામણ છેજી. વ્યવહારના પ્રસંગે પ્રારબ્ધ અનુસાર આવી પડ્યા છે તેમાં નહીં મુઝાતાં, મનમાં સ્મરણધારા વહ્યા કરે એવી ટેવ પાડવાનો પુરુષાર્થ યથાશક્તિ કરતા રહેશો તે તે બને તેવું છેજ. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૩૭૦ અગાસ, ભાદરવા સુદ ૬, ૧૯૯૮ પ. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ અત્યંત કરુણાથી અતિ દીર્ઘ દૃષ્ટિએ વિચારીને આ પર્યુષણપર્વની મર્યાદા ભાદરવા સુદ પૂર્ણિમા સુધીની રાખી છે જ, તે બાકીના દિવસોમાં દરરોજના નિત્યનિયમ ઉપરાંત “સમાધિસે પાનમાંથી દશલક્ષણધર્મ નામના પ્રકરણમાં દશ ધર્મનું વર્ણન છે તે છેડે થોડે વાંચવાનું વિચારવા અને બને તેટલું અમલમાં મૂકવા ભલામણ છે. અને ચૌદસને દિવસે યથાશક્તિ ઉપવાસ કે એકાશન તપ કરી શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રની ભાવપૂર્વક બધાં મળી પૂજા ભણાવવાનું કે પારાયણ કરવાનું રાખે તે આત્મહિતવર્ધક છે અને પૂર્ણિમાને દિવસે પણ પારણા પછી શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર મેટા વચનામૃતમાં અર્થ સહિત છાપેલ છે તે વાંચવા વિચારવાનું રાખશે તે ઘણી આત્મ-ઉજજવળતા થવા સંભવ છે. પહેલાં 'સ્મરણમાળા સંબંધી સૂચના કરી હતી તે ક્રમ શરૂ ન કર્યો હોય તે પ્રમાદ તજી કરતા રહેવા ભલામણ છે. પત્રમાં કંઈ ઉલ્લેખ નથી કર્યો તેથી સૂચન કર્યું છે. ન બને એવું નથી. જવ ધારે તે કરી શકે એમ છે, પણ ધારવું અઘરું થઈ પડ્યું છે, કારણ કે પુરુષાર્થ વીર્ય મંદ હોય ત્યાં શું બને? સત્સંગે જીવ બલવાન થાય છે પણ તે યંગ ન બને ત્યાં સુધી તેની ભાવના નિરંતર રાખવી ઘટે છે. જેની જેવી ભાવના, તેવી સિદ્ધિ તેને અવશ્ય પ્રાપ્ત થાય છે, માટે ભાવનામાં ભિખારી ન બનવું. ઉત્તમ ભાવના અખંડ રાખી હાલના સંગમાં બને તેટલે પુરુષાર્થ કરતા રહેવાને દઢ નિશ્ચય દરેક મુમુક્ષુએ કર્તવ્ય છે. એ જ વિનંતી. છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૩૭૧ અગાસ, તા. ૧૯-૯-૪૨ ક્ષમા શૂર અરિહંત પ્રભુ, ક્ષમા ધર્મને સાર, ક્ષમાઅથી યાચે ક્ષમા, ક્ષમા અર્પે ઉદાર. “તીર્થ શિરોમણિ સ@ાંતિપ્રેરક શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસથી લિ. પુરુષના ચરણકમળની સેવાને ઈચ્છક દાસાનુદાસ બાળ ગોવર્ધનના જય સદ્ગુરુવંદન સ્વીકારી ગયા કાળથી આજ દિન પર્યત જાણતા-અજાણતાં, પ્રત્યક્ષ કે પક્ષમાં આપનામાંથી કેઈન પ્રત્યે અગ્ય વર્તાયું ૧. જુઓ પત્રસુધા પત્ર નં. ૩૮ર Page #392 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા હાય અને દિલ દુભાચું હાય તેની સ'વત્સરી સ''ધી ઉત્તમ ક્ષમા આપવા પરમકૃપાળુદેવની સાક્ષીએ અતિ નમ્રભાવે વિન'તી કરું છુંજી. તેમ જ તમારામાંના કોઈ સ`ખશ્રી સાંભળી કરીને કઈ બીજો ભાવ આવ્યે હેાય તે ભૂલી, સ`ને પરમકૃપાળુદેવના આરાધક આત્મા માની મન નિઃશલ્ય કરું છું, સર્વ ભૂલી સનું આત્મહિત થાઓ એવી ભાવના કરું છુંજી. ૫. ઉ. ૫. પૂ. પ્રભુશ્રીજીના બેાધ સાંજના વંચાય છે તેમાં જણાવે છે કે “પરમકૃપાળુદેવે અમને જણાવેલું કે ‘હે મુનિ ! જોયા કરે.' તેમ ન કરતાં જે પરમાં માથુ મારીએ તે શિંગડાં ભરાઈ જાય અને તેથી છૂટતાં મહામુશ્કેલી પડે.” આ બેધ આપણ સર્વેએ પાતાના આત્મા માટે ગ્રહણ કરવા ઘટે છેજી. જોકે જોયા કરવું એ ઊંચી હદની વાત છે, પરંતુ શિંગડાં, ભરાયાં છે તે કળે કળે કરીને કાઢી લેવાનાં છે. પરમકૃપાળુદેવે જણાવ્યું છે કે સત્સંગમાં અનેક માણસે હાય તેપણ એકાંત છે કારણ કે બધા એક જ હેતુએ એકઠા થયા છે. તે લક્ષ રાખી સત્સંગનું સેવન વિશેષ વિશેષ કરતા રહેવા ભલામણ છેજી. એકાંત સ્થળ પરમકૃપાળુદેવની કૃપાથી ત્યાં બની આવ્યું છે. ત્યાં એક જ આત્મહિતના લક્ષથી નિયમિત જવાનું રાખશે તે જરૂર કલ્યાણુ થયા વિના નહીં રહે. કોઈને માટે ધર્મ કરવાને નથી. જેને હૃદયમાં પેાતાનું હિત સાધી લેવાની ઇચ્છા હશે તે સત્સંગ શેષતા રહેશે અને તેની ઇચ્છાના પ્રમાણમાં મળી પણ રહેશે. ‘જ્યાં સંપ ત્યાં જપ' એમ કહેવાય છે તે આ પર્યુષણુપર્વ આવીને ગયા પણુ કષાય ને પ્રમાદને કારણે બધા એકત્ર ન થઈ શકયા. તેા હવે તે કારણેા દૂર કરી ભક્તિના રંગ જે પ્રતિષ્ઠા વખતે દેખાતા હતા તે સ'ભારી ફરી જાગ્રત થવા ભલામણ છેજી. ધન ખર્ચવું સહેલું છે પણ માન મૂકી, અણુખનાવ ભૂલી જઈ, બધા પરમકૃપાળુદેવનાં સંતાન છે એમ દૃષ્ટિ રાખી, કંઈ પેાતાને વિપરીત ભાવ થઈ આવ્યે હાય તે પરસ્પર ખમાવી, એક પિતાના પરિવારની પેઠે હળીમળીને ભક્તિ કરો છે એવા તમારા પત્રની રાહ જોઉં છું. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૩૬૯ ૩૭૨ અગાસ, તા. ૨૨-૯-૪૨ પરમકૃપાળુદેવે પ`ષણપની મર્યાદા પૂર્ણિમા સુધી જણાવી છે તથા અહીં પણુ તે ક્રમ આરાધનાના ચાલુ છેજી. કષાય ઘટે તેટલું કલ્યાણ છે, એમ પરમકૃપાળુદેવે કહ્યું છે તે લક્ષમાં રાખી, મૈત્રીભાવ વધે અને ફ્લેશના કારણેા નિર્મૂળ થાય તે ઉપર લક્ષ રાખવા સર્વ ભાઈબહેનોને વિનંતિ છેજી. અમુક સાથે તે મારે અમેાલા, અણબનાવ કે વહેવાર પ્રત્યે જેના ઊંચા મન છે એમ હાય તે વિચારી દરેકે પેાતાના આત્મહિત માટે નમતું મૂકી કંઈક ઘસાઈ ને કે તેને પગે પડીને પાઘડી ઉતારીને પણ વૈરભાવ ન રહે તેમ પ્રજ્ઞાપૂર્ણાંક કબ્ય છે. માત્ર ઉપર ઉપરથી દેખાવ કરવા નહીં પણ સાચા દિલથી બીજાના દોષ માફ કરીને તથા પેાતાના દોષની ક્ષમા માગીને આ પને સફળ કરવા યાગ્ય છેજી. પરમ વિનયપણું આપણે સર્વ પામીએ એ જ પરમકૃપાળુદેવ પ્રત્યે પ્રાના છેજી. ૐ શાંતિ: શાંતિ: શાંતિ: ૩૭૩ મગાસ, તા. ૨૨-૯-૪૨ અંતઃકરણની ભાવના પરમકૃપાળુદેવના ચેાગખળે સનું કલ્યાણ થાએ એવી ખરા છેજી. મેાટા મેૉટા મુનિવરને પણ મહાજ્ઞાની એવા તીર્થંકરે જાગ્રત જાગ્રત રહેવા ભલામણુ 24 Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ બેધામૃત આપી છે તે આપણે બનતા બનાવમાંથી, સારાં નિમિત્તોથી દૂર ન રહેવાય તેવી શિખામણ ગ્રહણ કરવા ગ્ય છેજી. નિમિત્તાધીન વૃત્તિ ચલિત થઈ જાય તેવી હજી આપણી વૃત્તિ હોવાથી સત્સંગ, સલ્ફાસ્ત્ર, સદ્દવિચાર અને પુરુષાર્થપરાયણ રહેવાની અતિ અતિ આવશ્યકતા મને તે સમજાય છે”. આપ વારંવાર લખો છે કે વ્યવહારના સંયોગે, મુશ્કેલીઓ અણધારી આવી પડે છે, પણ તે તે પ્રસંગોને જોઈએ તે કરતાં વિશેષ મહત્વ અપાયું છે અને સત્સંગભાવનારૂપ કમળ છોડની સંભાળ ઓછી લેવાય છે એમ લાગે છે. વ્યવહારરૂપ જટિલ વૃક્ષને બહુ પિગ્યું છે અને તેના જેટલી આ નવીન છેડની સંભાળ લેવાય તે માટે શું કરવા વિચાર રાખે છે? ૩૭૪ અગાસ, તા. ૨૨-૯-૪૨ તમારો પત્ર મળે. સમાચાર જાણ્યા. તમે તમારા અનિશ્ચિત મનને હાલ તે બને ત્યાં સુધી ભક્તિમાં રેકતા રહો, એ જ ખાસ તે ભલામણ છે. ઉતાવળા થવા યોગ્ય નથી. હજી તમારી ઊગતી જુવાની છે, એટલે મનુષ્યભવની કેટલી કિંમત છે તેની તમને ઝાઝી ખબર નથી. એક એક પળ રત્નચિંતામણિ કરતાં અધિક કીમતી છે, તેને માત્ર વિષયભેગ કે ધન અર્થે ગાળી નાખવા યોગ્ય નથી. શા માટે આપણે આ ભવમાં આવ્યા છીએ અને શું કરીએ છીએ? તેને વિચાર કરવાનું કઈ ભાગ્યશાળીને સૂઝે છે. નહીં તે શરીરની જ કાળજી અને પંચાતમાં ઘણું જીવોનાં આખાં જીવન વ્યતીત થઈ જાય છે અને અચાનક મરણ આવીને ઊભું રહે ત્યારે ગભરાઈ જાય છે. માટે ફરજ ન પડે ત્યાં સુધી આર્યભૂમિને કાંઠે તજવા યોગ્ય નથી. અનાર્યભૂમિમાં સત્સંગનો દુકાળ છે. પત્રવ્યવહાર આદિ બંધ થઈ જવાના પ્રસંગેનો સંભવ છે. એવા વખતમાં જાણી જોઈને કેદમાં જનાર જેવી દશા હાથે કરી શા માટે વહોરી લેવી? લેભને મંદ કરી, આર્યક્ષેત્રમાં વિશેષ વસવું થાય તે હિતકારી જાણી, સામાન્ય સલાહ તમે માગી તેથી જણાવી છે. પછી જેમ પ્રારબ્ધ હોય તેમ બનશે. કોઈ પણ કામ કરતાં પ્રથમ આત્મહિત કેટલું સધાય તેમ છે તે પણ વિચાર કર્તવ્ય છે, પછી પૈસા આબરૂ વગેરે. એ જ » શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૩૭૫ અગાસતા. ૨૪-૯-૪૨ તત છે. સત્ ભાદરવા સુદ ૧૫, ૧૯૯૮ આપને ક્ષમાપન પત્ર મળ્યો. તે વાંચી આપની ભાવના પાત્ર માટે જાણી આ પત્ર લખ્યો છે તે વાંચી કંઈ વિષમ ભાવ ઉદ્ભવવા સંભવ નથી છતાં કષાયયુક્ત વચન લખાય કે કઈ કર્મના ગે તેમ સમજાય તે ફરી તેની પણ ક્ષમા ઈચ્છું છું. માત્ર અનુકંપાબુદ્ધિથી ટૂંકામાં ટૂંકું લખું છું. તમે. વર્તમાન સંજોગોમાં છે તેવા સંજોગોમાં કર્મવશાત હું હોઉં અને જે મને સતપુરુષને એગ થયું હોય તે જરૂર હું તે પૂર્વના ગમે તેવા સંસ્કાર જાતિસ્મૃતિજ્ઞાનથી જાણ હોઉં તે પણ જે બાઈ એ આત્મજ્ઞાની પુરુષની સાક્ષીએ જીવતા સુધી બ્રહ્મચર્ય પાળવાનું વ્રત લીધું છે તેને તે વ્રત તેડવામાં મદદરૂપ કદી જીવ જાય તે પણ સંમત ન થાઉં. જે મારા Page #394 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૩૭૧ પુરુષવેદનું બળવાન પણું જણાય તો તેને કોઈ પણ પ્રકારે રોકું. તેમ ન બને તે કઈ જગતમાં મને ઈચ્છતી અન્ય સ્ત્રી હોય, મળી આવે તે તેની સાથે લગ્ન કરું, પણ જેણે પુરુષની સાક્ષીએ વિષયને ઓકી નાખ્યા છે, તે પિતાની ઈચ્છાએ મને વીનવે, “મારે માથે બધું પાપ એમ દેવગુરુની સાક્ષીએ કહે તે પણ તેને સંગ પ્રાણ જતાં પણ હું તે ન કરું, કારણ કે તેના જેવું ભયંકર બીજું કોઈ પાપ મને નરકે લઈ જનારું જણાતું નથી. શાસ્ત્રોમાં તે આમ કહ્યું છેઃ “જ્ઞાનને નાશ થવાથી અથવા વિવેક ચક્ષને નાશ થવાથી જ સ્ત્રીના મહા ગંધી નિંદ્ય શરીરમાં રાગી બની જીવ તેનું સેવન કરે છે, કામથી અંધ બની મહા અનીતિ કરે છે, પિતાની કે પરની સ્ત્રીને વિચાર પણ કરતું નથી. “આ દુરાચારથી આ લેકમાં પણ હું માર્યો જઈશ, રાજા ભારે શિક્ષા કરશે, મારી આબરૂના કાંકરા થશે, મારી ધર્મકરણીમાં ધૂળ પડશે, હું ધર્મભ્રષ્ટ થઈશ, બુદ્ધિભ્રષ્ટ થઈશ અને ભૂંડા મેતે મરીને નરકે જઈશ, ત્યાં અસંખ્યાતકાળ પર્યત ઘેર દુઃખ ભેગવવાં પડશે, વળી તિર્યંચગતિ(ઢરપશુ આદિ)ના અનેક ભવમાં અસંખ્ય દુઃખ ભેગવવાં પડશે; કદાચ મનુષ્ય થઈશ તે આંધળ, ફૂલ, કૂબડો, ગરીબ, અપંગ, બહેરે, બેબડ થઈશ; ચંડાળ, ભીલ, ચમાર આદિ નીચ કુળમાં જન્મવું પડશે, ત્યાંથી વળી ઝાડ, પહાડ આદિ સ્થાવર જંગમ જતુ થઈને અનંત કાળ સુધી જન્મમરણનાં દુઃખ ભેગવવાં પડશે” આ સત્ય વિચાર કામીને ઊપજ નથી.” જે શીલ સાચવવું હોય, ઉજજવળ યશ ઈચ્છતા હે, ધર્મને ખપ હોય અને પિતાની આબરૂ રાખવા ઈચ્છતા હો તે આ ઉપર જણાવેલી શાસ્ત્રની શિખામણ માની “ભૂલ્યા ત્યાંથી ફેર ગણુ સમજ્યા ત્યાંથી સવાર ગણું આજથી ચેતી જાઓ, પાછા વળી જાઓ; અને બ્રહ્મચર્યભાવને જીવન પર્યત ટકાવવાના નિશ્ચય ઉપર આવી જાઓ; તે જેમ તમે ઉપર ઉપરથી કહો છે કે વિષય માટે અમે પ્રેમ નથી જોડ્યો તે ખરું પડે. સારી સત્સંગતિ વિના આ કાળમાં બ્રહ્મચર્ય પાળવું દુર્લભ છે. સાથે રહીને તેમ પાળવા ધારણુ રાખી હશે તે પણ તેવા લાલચના પ્રસંગમાં ધૂળ સાથે મળી જતાં વાર ન લાગે તે જીવને સ્વભાવ ભગવાને દેખીને સાધુને પણ નવ વાડ કહી છે. છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૩૭૬ અગાસ, તા. ૨૮-૯-૪૨ તત્ સત્ ભાદરવા વદ ૫, મંગળ, ૧૯૯૮ તમારા કાઈથી તમારી શરીરસંપત્તિ ક્ષીણ થતી જાણી ધર્મપ્રેમને લઈને ખેદ સહિત વૈરાગ્યનું કારણ બન્યું છે. પણ તમારા ભાવે મહારોગથી પણ દબાય તેવા નથી એમ જાણ સંતોષ થયે છે. તમે ગઈ વખતે આવ્યા ત્યારે “તત્ત્વજ્ઞાન” લેતા ગયા છે તે તેમાં છેલ્લે પાને તમને લખી આપ્યું હશે. તે નિત્યનિયમાદિ અક્ષરશઃ પ્રાણ ટકે ત્યાં સુધી નહીં ચૂકવા ભલામણ છે. તેમાં સાત અભક્ષ્યના ત્યાગ વિષે લખી આપ્યું હોય તે ફરી વાંચી જજે. જે સાતે અભક્ષ્યને ત્યાગ પ્રતિજ્ઞાપૂર્વક તમે કર્યો હોય તે તમે પુછાલી હવામાંથી કોઈનું સેવન થઈ શકે તેમ નથી, એમ ગણી સંતેષ રાખી બીજી બને તે દવાઓ કરતા રહેવા ભલામણ છે. જો તમે મધ, માખણમાંની કોઈ ચીજ દવા માટે વાપરવા છૂટ રાખી પાંચ કે છ ચીજોને Page #395 -------------------------------------------------------------------------- ________________ ૭૭૨ બેધામૃત ત્યાગ કર્યો હોય, તે જેની પ્રતિજ્ઞા નથી લીધી તે વસ્તુ વાપરવામાં પ્રતિબંધ નથી; અને તેમ જ હોય તે દહીંમાંથી સંસ્થા કે વલેણી દ્વારા લેવી તાજું માખણ દવા કે ખોરાક તરીકે વાપરી શકાશે. બે ઘડીની અંદર એટલે ૪૮ મિનિટ પહેલાં વાપરી લેવું. તેથી વિશેષ રાખી મૂકવું નહીં. પછી અનેક જંતુઓથી ઊભરાતું, માંસ તુલ્ય તેને શાસ્ત્રમાં વર્ણવ્યું છે. બજારમાં મળતા ડબા વગેરે તે કદી વાપરવા ગ્ય નથી. પ્રશ્ન પ્રતિજ્ઞાને છે. નિર્દોષ વસ્તુ પણ નહીં વાપરવાને નિયમ લીધા પછી જે દવા માટે પણ વાપરે તે પ્રતિજ્ઞાભંગને મોટો દેષ લાગે છે. વ્યવહારમાં વચન આપેલું સજજન પાળે છે તે સદ્ગુરુ સાક્ષીએ લીધેલે નિયમ પ્રાણ જતાં પણ તેઓ ઘટે નહીં. ધર્મ અથે ઈહાં પ્રાણને છ છાંડે, પણ નહીં ધર્મ, પ્રાણ અર્થે સંકટ પડે, જુઓ એ દષ્ટિને મર્મ.” તમે માખણ નહીં ખાવાની પ્રતિજ્ઞા જે ન લીધી હોય તે ઉપર જણાવ્યા પ્રમાણે તાજું માખણ લેવામાં દોષ નથી, તે લક્ષમાં રાખવા ભલામણ છે, અને પ્રતિજ્ઞા લીધી હોય તે માખણ કઈ જીવનની વૃદ્ધિ કરી શકે તેમ નથી. આયુષ્ય બાંધેલું છે, તેથી વધારવા કોઈ દવા કે દાક્તર સમર્થ નથી એવો દઢ વિશ્વાસ રાખી પ્રતિજ્ઞારૂપ ધર્મ મરણપર્યત ટકાવવા ભલામણ છેજ. ૩૭૭ અગાસ, ભાદરવા વદ ૧૦, રવિ, ૧૯૯૮ તીર્થ શિરોમણિ પરમ ઉપકારી પુરુષના પ્રગટ સ્મારકરૂપ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસથી લિ. પુરુષના ચરણકમળની સેવાને ઈચ્છક દાસાનુદાસ બાળ ગવર્ધનના જયગુરુવંદન સ્વીકારવા વિનંતી છે જી. પરમકૃપાળુદેવ લખે છે – “રાગદ્વેષનાં પ્રત્યક્ષ બળવાન નિમિત્તે પ્રાપ્ત થયે પણ જેને આત્મભાવ કિંચિત્માત્ર પણ ક્ષોભ પામતું નથી, તે જ્ઞાનીના જ્ઞાનને વિચાર કરતાં પણ મહાનિર્જરા થાય, એમાં સંશય નથી.” (૭૩૬) તે તે જ્ઞાન શું કામ કરતું હશે? એમ વિચાર આવે કે તે અવિષમ ઉપયોગને ટકાવી રાખતું હશે અથવા પરમસુખ સ્વરૂપ પરમોત્કૃષ્ટ શાંત શુદ્ધ ચૈતન્યસ્વરૂપને સર્વકાળને માટે પામ્યા (એવા) તે ભગવંતના પદમાં નિરંતર લક્ષરૂપ પ્રવાહ રાખતું હશે. તે તે લક્ષ આપણે રાખવા યોગ્ય છે કે કેમ? જે પરમ પુરુષને આપણને કોઈ મહા પ્રબળ પુણ્યને યોગે કે ધર્માદાની ડૂબકીની પેઠે અચાનક એગ થઈ ગયે છે, તેમની અપૂર્વ શાંતિ પ્રેરક મુખમુદ્રાનાં પ્રત્યક્ષ દર્શન થયાં છે, હદયને આહલાદ તથા પરમ ઉત્સાહ આપનાર અમૃત સમાન બેધધારાનું જેમની નિષ્કારણ કરુણાથી આ નિપુણ્યક જીવને શ્રવણ થયું છે, જેમની શીતળ છાયામાં આ જીવે ત્રિવિધ તાપથી બળતાં અનુપમ શાંતિ અનુભવી છે, વિશ્રાંતિ લીધી છે તે પરમ ઉપકારી પ્રગટ પ્રભાવશાળી પ. પૂ. પ્રભુશ્રીજીની અનંત ઉપકારી અંતરશાંતિને વારંવાર હૃદયમાં વસાવીને આ ત્રિવિધ તાપથી બળતા જીવને બચાવવારૂપ સ્વદયા કરવાને આટલે આ આથમતા દિવસ જેવા અલ્પકાળમાં લાભ લઈ લેવા જેવો છે, કે પરિગ્રહરૂપ પાપમાં ને પાપમાં પિતાને રગદોળતા આવ્યા છીએ, અનંતકાળથી તેને પ્રત્યે શત્રુતા ક્રૂરતા વર્તાવતા આવ્યા છીએ તેમ જ વર્તતા રહી અંતસમય સુધી અસમાધિના જ કારણે Page #396 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૩૭૩ સેવતા રહેવાનું ધાર્યું છે? આ આત્મહિત કરવાનો અવસર ફરી ફરી પ્રાપ્ત થતો રહેશે એવી કંઈ નિરાંત અંતરમાં વળી છે? કે મહનિદ્રાના ઘેનમાં જ ઠગાતા આવ્યા છીએ તેમ આ મીંચી ઠગાયા જ કરીએ છીએ? કે વ્યાપાર ચાલે છે તે પ્રત્યે ઊંડા વિચારે દષ્ટિ દેવા ભલામણ . તથા મારે તમારે અતિ અતિ જાગૃતિપૂર્વક આ અમૂલ્ય અવસરને સદુપયોગ થાય તેમ કરવાની અતિ અતિ આવશ્યકતા છે. પરમ પુરુષની આજ્ઞાનું અલ્પ પણ ઉઠાવવું બનશે તે જરૂર તે આ જીવને અંત વખતે અને પરભવમાં બહુ કામ આવશે. # શાંતિઃ શાંતિઃ શાંતિઃ - ૩૭૮ અગાસ, તા. ૯-૧૦-૪ર. તત્ ૐ સત્ ભાદરવા વદ ૧૪, શુક્ર, ૧૯૯૮ તીર્થશિરોમણિ ધર્મપ્રેમપષક શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસથી લિ. પુરુષના ચરણકમળની સેવાને ઈરછક દાસાનુદાસ બ્રહ્મચારી બાળ ગવર્ધનના જય સદ્ગુરુવંદન સ્વીકારવા વિનંતી છે. શ્રી સદ્ગુરુપ્રસાદ ગ્રંથ કલ્યું છે તે અપૂર્વ પુસ્તક માની તેમાંના ચિત્રપટનાં વારંવાર દર્શન કરવા ગ્ય છે, તથા સ્વહસ્તે લખેલા પત્રે પણ ઉલ્લાસભાવે બને તે વાંચવા, મુખપાઠ કરવા લાયક છે. ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ પિતાને દેહ ન હોય ત્યારે મુમુક્ષુને સંભારણરૂપે એ પ્રસાદીનું પુસ્તક આપવા કરાવી રાખેલું હતું. તે માંદગી હોય ત્યારે દર્શનપોથીની પેઠે પાસે રાખી તેમાંથી દર્શન કરતા રહેવાથી તથા જે માંદા હોય તેને દર્શન કરાવવાથી ભાવ સપુરુષની આત્મદશા પ્રત્યે વળતાં સમાધિમરણનું તે કારણ થાય તેમ છે, એવું તેઓશ્રીએ જણાવેલું છે.જી. તેમાં વીસ દોહરા, યમનિયમ, આત્મસિદ્ધિશાસ્ત્ર છે તે તમે મુખપાઠ કરેલ છે, એટલે તેમાં જઈને વાંચતાં પરમકૃપાળુદેવના અક્ષરે વાંચતા શીખી જવાશે. તથા કેટલાક પત્રો સમાધિ-સે પાનમાં પાછળ છાપેલા છે તે પણ “શ્રી સદ્દગુરુપ્રસાદમાં લખેલા છે, તે જોઈ જોઈને શ્રી સદ્દગુરુપ્રસાદ પણ વાંચતાં શીખી શકાશે; ન ઊકલે તે હાલ ગભરાવું નહીં. અહીં આવશે ત્યારે બધું બની રહેશે. પણ દર્શન કરવાનું અને સમાધિમરણ માટે માળા ફેરવવાનું ચાલુ રાખવા ભલામણ છેજી. વખત મળે તેટલે આજ્ઞા ઉઠાવવામાં ગાળ. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૩૭૯ અગાસ, તા. ૯-૧૦-૪૨ તત્ સત્ ભાદરવા વદ ૧૪, શુક્ર, ૧૯૯૮ તીર્થ શિરોમણિ સદ્દવિચારપ્રેરક તથા પિષક શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસથી લિ. સપુરુષના ચરણકમળની સેવાને ઈચ્છક દાસાનુદાસ બ્રહ્મચારી વર્ધનના જયગુરુવંદન સ્વીકારવા વિનંતી છે. વિતમને આ બાજુ આવવાને વિચાર થડા દિવસમાં છે એમ સાંભળ્યું તે જણાવવાનું કે માણેકઠારી પૂર્ણિમા પર અવાય અને પડવાને દિવસે રહેવાય તેમ આવવા વિચાર રાખવા વિશેષ હિતકારી જાણે જણાવ્યું છે. કારણ કે તે બન્ને દિવસે મહોત્સવને છે. બાકી જ્યારે અવાય ત્યારે હિત તે જરૂર થાય તેમ છે.જી. વળી સાંભળ્યું કે Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ મેધામૃત શાળા બંધ હાવાથી ઘેર જ રહેવાનું થાય છે. તે જો ખેતીનું ખાસ કામ ન હોય તે સત્સંગ અર્થે જ આ વખત મળ્યા છે એમ ગણી એકાદ-બે માસ આવીને રહેવાનું અને તેમ ગાઠવણ કરી લેવા ભલામણ છેજી. બીજી વૅકેશન ઉપર મુલતવી રાખવા ચેાગ્ય નથી. કારણ કે કાળના ભરાસા નથી. લીધે કે લેશે એમ થઈ રહ્યું. છે. આખું જગત અશાંતિમાં બન્યા કરે છે, તેમાંથી ખચવા તથા ચિત્ત કેાઈ ખીજા હિતકારી માને પ્રિય ગણે તેવું ટેવાવા માટે કેટલાક અવકાશની જરૂર હતી અને છે; તે અવસર પ્રારબ્ધયેાગે હાલ પ્રાપ્ત થયેા છે તે નકામેા વહ્યો ન જાય. શરમમાં કેમ કાકાને કહેવાય વગેરે મનમાં આણ્યા વિના સ્પષ્ટ વિચાર દર્શાવવા કે થેાડા વખત મારે અગાસ રહેવા વિચાર છે. મનમાં અહીં નહીં ગમે એ ડર પણુ રાખવાની જરૂર નથી. એકાદ દિવસ વખતે એમ લાગે પણ જો અમુક મુદત માટે રહેવાના વિચાર હશે તે કેમ દિવસ ગાળવેા તેના કાર્યક્રમ ગાઠવવામાં બનતી મદદ મારાથી થશે તે કરવા વિચાર છે. પછી જેમ ભાવિમાં હશે તેમ થશે. અહીં આવી જવાથી હિંમત, વિચાર અને ધીરજમાં વૃદ્ધિ થશે, મન શાંત થશે, વ્યાકુળતા એછી થવાથી મનની નિર્મળતા વધશે અને જે કરવા ચેાગ્ય ભાસશે તે નિશ્ચિતતાથી થશે, પણ મુલતવી રાખવાની ટેવવાળાને તેની શાણી સ્ત્રીએ શિખામણ આપી સુધાર્યાં હતા એવી એક કથા થાડા વખત ઉપર વાંચી હતી તેના સાર લખું છુંજી. એક વિણક ધન કમાવામાં કુશળ હતા, પણ વાપરતાં તેનું ચિત્ત ચાલે નહીં. તેની સ્ત્રી વિચારવંત હતી. તે વારવાર કહ્યા કરતી કે આપણે જેમ ધન વડે કપડાં, ખારાક આદિ અનુકૂળતા મેળવી સુખી થઈએ છીએ તેમ બીજા જેમને જરૂર હોય તેમને માટે આપણું ધન વપરાય તેા ઠીક તથા આપણું ખાસ ધન કે મૂડી તેા મનુષ્યભવ છે તે દિવસે દિવસે ખૂટી જતું રહે છે તેના સત્સંગ, સત્થાશ્રવણુ, સત્તમાગમ તથા સત્યવ્રત આદિ અર્થે ઉપયોગ થાય તે ઉત્તમ ગણાય. પણ બૈરીનું કહેલું કેણુ માને ? તે કહે, “ઠીક, ઠીક, એને વખત આવશે ત્યારે એ કરીશું. એની શી ઉતાવળ છે?” તે સાંભળી તે સ્ત્રીએ વિચાર્યું કે પ્રયાગ-યુક્તિ વિના તે માનશે નહીં, પણ તેવા પ્રસંગ આવ્યે તેને અમલ કરવા તેણે વિચાર કરી રાખ્યા. ઘેાડા દિવસેા પછી તે ભાઈ બહુ માંદા થઈ ગયા એટલે દાક્તરને બેલાવી દવા લખાવી તથા દવાખાનામાંથી દવા મગાવી કબાટમાં રાખી મૂકી, પણ દરદીને આપી નહીં. એટલે તે વિણકે ઉતાવળ કરતાં કહ્યું કે દવા આણી છે કે નહીં ? તે ખાઈએ કહ્યું કે હા, આણી છે. તે કેમ પાવી નથી ? એમ તેણે કહ્યું. એટલે ખાઈ ખેાલી, “હુમણાં ને હમણાં શી ઉતાવળ છે ?” તેથી તેણે કહ્યું, “કેમ મરી ગયા પછીથી પીવાની દવા છે ?” ખાઈ એ કહ્યું કે, “ધર્મ કરવાની આપણે ઉતાવળ નથી તેા દવાની ઉતાવળ કરવાની શી જરૂર છે? શું મરી ગયા પછી ધર્મ કરવા ચેાગ્ય છે ?'' આ વાત સાંભળી તેને વિચાર આવ્યો કે આની શિખામણ ઉત્તમ હતી છતાં મેં લક્ષમાં લીધી નહીં. કારણ કે સેા રૂપિયે અઢી શેર કેમ્' કહેવાય છે તેમ તે વખતે તેની સલાહને વિચાર કરવાના મને અવકાશ પણ નહાતા. આ માંદગીએ તે વખત આપ્યા અને તેની સલાહ વિચારતાં ઉત્તમ લાગે છે. કારણ કે આયુષ્ય ક્ષણભ'ગુર છે તેા પ્રથમ ધર્માંક વ્ય સમજી લેવું ઘટે છે અને ધમ`પ્રેમ પ્રગટયા પછી યથાશક્તિ કરતા રહેવાની જરૂર Page #398 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૩૭૫ છે. માટે આ માંદગીમાંથી ઊઠીને પહેલું કાર્ય મારે ધર્મ સમજવા સત્સંગ, સલ્ફાસ્ત્ર, સદ્ગુરુને સમાગમ વગેરે આદરવા ઘટે છે. એમ વિચારી તે બાઈની યુક્તિને ધન્યવાદ આપ્યા. પછી દવા વાપરતાં રેગ દૂર થશે અને બન્ને બાઈ-ભાઈ સત્સંગપ્રેમી બની પોતાની યથાયોગ્ય ફરજો અદા કરવા લાગ્યાં. જ્યારથી જીવને સમજણ આવે છે ત્યારથી તે પોતાનાં કપડાં આદિ વસ્તુઓ સંભાળે છે, સગાંકુટુંબીઓનાં મન સાચવે છે, ધન વગેરેની વ્યવસ્થા વિચારે છે, કુટુંબકીતિનો વિચાર કરી વર્તન રાખે છે, ધંધા વગેરેની કાળજી રાખે છે, તે ધર્મની સંભાળ કરવાની તેની ફરજ છે કે નહીં તે સત્સંગ વિના સૂઝતું નથી. વહેલું કે મોડે એ કામ પિતાને જાતે જ કરવું પડશે. કઈ કરી આપે તેવું એ કામ નથી. કોઈને ધન ન હોય તે ધીરનાર મળે, માંદો હોય તે ચાકરી કરનાર મળે, ભૂખ્યો હોય તે ખાવા આપનાર મળે, પણ પિતાના આત્માના હિતનું કામ કેઈન દ્વારા કરાવી શકાય તેવું નથી. તે તો બાપ કરે તે બાપ પામે, પુત્ર કરે તે તેને જ કામ આવે, સ્ત્રી કરે તે સ્ત્રીનું હિત થાય. પણ એક કરે ને બીજાને મળે તેવું આત્મવિચારમાં બની શકે તેમ નથી. માટે વહેલું મોડું એ આપણું કામ આપણે જ કરવું રહ્યું છે તેમાં મુલતવી રાખવામાં શો લાભ છે? ઘર બળતું હોય તેમાંથી જેટલું બહાર કાઢી દૂર મૂકીએ તેટલું બળતામાંથી બચ્યું, પણ કાઢીશું કાઢીશું કરતાં તે બધું બળી જાય, પછી શું કામ આવે ? માટે બને તેટલે બચતે વખત આત્મહિત સાધવામાં વાપરવાની કાળજી સમજુ જનેએ રાખવી ઘટે છે. છોકરવામાં જે વખત ગયે તે કરોડો રૂપિયા આપ્ટે પણ પાછે આવતું નથી, માટે સમય છે તે જ ખરી સંપત્તિ છે. Time is more than money. એ સૂત્ર સ્મૃતિમાં વારંવાર આણી, ધન કરતાં આ અમૂલ્ય અવસર વધારે કીમતી ગણી, તેને કોઈ જ્ઞાનીની આજ્ઞા અનુસાર ઉપયોગ થાય તેવી કાળજી પુરુષાર્થ કર્તવ્ય છેજ. છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૩૮૦ અગાસ, તા. ૧૦-૧૦-જર आपका पत्र तथा मनीआर्डरसे रु. २०/- प्राप्त हुआ। आपकी संतोषवृत्तिसे संतोष हुआ। जैसी जिसकी भावना है वैसा ही उसका फल स्वयं प्राप्त होता है। निःस्पृही, निर्मोही परमपुरुषका अनुयायी वैसा ही होता है। वह रकम एक परमकृपाळुकी भक्तिमें रक्त भक्तजनके उपयोगमें आ चुकी है। सच्ची रकम तो यह मनुष्यभवरूप मूडी है उसका उत्तम उपयोग परमपुरुषकी आज्ञामें लगानेसे होता है। ૩૮૧ અગાસ, તા. ૧૩–૧૦–જર તત્ ૐ સત્ આ સુદ ૪, મંગળ, ૧૯૯૮ પરમ ઉપકારી અહો! રાજચંદ્ર ગુરુદેવ; જેને શરણે જીવતાં, ટળતી ભવભય ટેવ. ૧ શ્ર આત્મસિદ્ધિશાસ્ત્રસૃપ, ગંગા આવી ઘેર; ભવભવનાં પાપ હરે, આપે શિવસુખ લહેર. ૨ તન મન વચને આદરે, ભક્તિ ધર ઉલ્લાસ આત્મસમાધિ કારણે, તૐ સૌ લૌકિક આશ. ૩ Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ બધામૃત તીર્થ શિરોમણિ આત્મહિતષિક શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસ સ્ટેશનથી લિ. પુરુષના ચરણકમળની સેવાને ઈરછક દાસાનુદાસ બ્રહ્મચારી બાળ ગોવર્ધનના જય સદ્ગુરુવંદન સ્વીકારવા વિનંતી છે.જી. મનુષ્યભવ અત્યંત દુર્લભ છે, બહુ પુણ્ય કરીને પ્રાપ્ત થયો છે તેની એક ક્ષણ પણ નકામી જતી રહે નહીં તેની કાળજી વિચારવાન જી રાખવી ઘટે છેજ. ભલે ઘરેણાં-ગાંઠ લૂંટાઈ જાય, ઘર બળી જાય કે બધી મિલકત જતી રહે, પણ આત્મહિતનું સાધન જે મનુષ્યભવને વેગ હશે તે બધું ફરી પ્રાપ્ત કરી શકાશે, કે તેના વિના ચલાવી લેવાશે. પણ જે આ માનવભવ લૂંટાઈ ગયે તે તે પ્રાપ્ત થવા અતિ અતિ દુર્લભ છે. કરોડો રૂપિયા ખર્ચતાં પણ આયુષ્ય લંબાવી શકાતું નથી. માટે જેટલી ક્ષણો જીવવાની મળી છે તેમાંથી બને તેટલી સદ્દગુરુની આજ્ઞામાં ગાળવા ખરેખર પુરુષાર્થ, પ્રમાદ તજીને કર્તવ્ય છે. આસો સુદ ૭ ને શુક્રવારથી આંબેલની ઓળી બેસે છે તે પૂનમને દિવસે પૂર્ણ થાય છે. તે દિવસેમાં લૂખે નીરસ આહાર એક વખત લઈ, આખો દિવસ ગરમ કરી કારેલું પાણી વાપરી વાંચન, વિચાર, ભક્તિ, મંત્રની માળા ગણવી, નવું ગોખવું, જૂનું મુખપાઠ કરેલું ફેરવી જવું, લખવું, ધર્મની વાતચીત કરવી, જાગરણ કરવું આદિ ધર્મ પ્રવૃત્તિમાં રાતદિવસમાંથી બને તેટલે આત્માથે કાળ ગાળવા ભલામણ છે. પૂનમને બીજે દિવસે આસો વદ એકમને દિવસ શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર રચાયાને શુભ દિવસ છે તથા તે જ તિથિ પ. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીને જન્મદિવસ છે. તે દિવસે પરમકપાળુદેવના ચિત્રપટ આગળ “શ્રી સદ્દગુરુપ્રસાદમાંથી આત્મસિદ્ધિ કાઢી ખુલ્લી મૂકીને કે તત્ત્વજ્ઞાનમાંથી આત્મસિદ્ધિ કાઢી ચિત્રપટ આગળ મૂકી મેઢેથી એક એક ગાથા બોલતા જઈ એક એક નમસ્કાર કરતા જ એમ શરીર ઠીક હોય તે ૧૪૨ થી ૧૫૦ સુધી નમસ્કાર ભાવપૂર્વક કરવા ઘટે છે. તેટલી શક્તિ ન હોય તે બને તેટલા શરૂઆતની ગાથાએ નમસ્કાર કરી પછી બેઠા બેઠા બોલતા જવું અને હાથ જોડી ચિત્રપટ આગળ નમસ્કાર કરતા જવું. આમ આખી આત્મસિદ્ધિની ભક્તિ અને તે દિવસે, અને દિવસે વખત ન મળે તે ગમે ત્યારે રાત્રે પણ તે દિવસે ભક્તિ કર્તવ્ય છે.જી. છે. શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૩૮૨ અગાસ, તા. ૧૫-૧૦-૪૨ આપને પત્ર મળે. સમાચાર જાણ્યા. “નહિ બનવાનું નહિ બને, બનવું વ્યર્થ ન થાય; કાં એ ઔષધ ન પીજીએ જેથી ચિંતા જાય?” એ વચન અનુસાર જે થાય તે જોયા કરવાનું છે. પરંતુ જીવને સ્વભાવ એ થઈ ગયો છે કે જે બને છે તેમાં માથું માર્યા વગર રહેતું નથી, અને માથું મારે છે તે શિંગડાં ભરાય છે તે કાઢતાં સાત પાંચ થાય છે. એવાં જ્ઞાની પુરુષનાં અનુભવેલાં વચને યાદ કરી તે સંબંધી વિચાર કરવા માંડી વાળવાની વૃત્તિ રહે છે. તમે કંઈ શિખામણની માગણી કરી તેથી તે ઉપરથી બે બેલ લખવાનું થાય છે. બાકી તે તેવી પ્રવૃત્તિમાં રસ લાગતું નથી. પાણીમાં પેસે તેણે તરતાં શીખવું એ જેમ આવશ્યક Page #400 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૩૭૭ ગણાય તેમ અનાર્ય ક્ષેત્રમાં વસવા જેવું જેનું પ્રારબ્ધ હોય તેને શું જરૂરનું છે એ વિચાર ઉદ્ભવાવી, અતિ સંક્ષેપમાં નીચે બે બેલ લખું છું. પ્રથમ તે– “ધર્મ અર્થે ઈહ પ્રાણનેજી છાંડે પણ નહિ ધર્મ – પ્રાણ અર્થે સંકટ પડે, જુઓ એ દષ્ટિને મર્મ .” (શ્રી યશોવિજયજી) ધર્મ જ્ઞાની પુરુષની આજ્ઞા. શાળા ધો બાપ તવો– એ જ મારું જીવન છે, તે તૂટે તેવી પ્રવૃત્તિ મારે નથી કરવી. સાત વ્યસન, સાત અભક્ષ્યને ત્યાગ, નિત્યનિયમ, ભક્તિ, મંત્રની માળા આદિ, મુખપાઠ કરેલું ભૂલી ન જવાય તે અર્થે ફેરવતા રહેવું. વિચારપૂર્વક વર્તન વગેરે લક્ષપૂર્વક પાળતા રહેવું. તેને વિન્ન કરે તેવી સેબત, વાચન કે વાતચીતને એ છે પરિચય રાખવો. વાંચન, મનન, નવું શીખવાનું વગેરે વિશેષ ન બને તે હાલ જે થાય છે તેમાંથી પાછા હઠવાનું તે ન જ બનવું જોઈએ એટલે ખ્યાલ રાખ્યા કરે. રોજ સાંજે સૂતા પહેલાં તપાસી જવું કે આજે કોઈ એવું કાર્ય મનવચનકાયા વડે બન્યું છે કે જે મારે ગુરુજને આગળ સંતાડવું પડે, કે તે જાણી તેમને ખેદ થાય? ન્યાયનીતિ એ ધર્મને પાયે છે માટે નીતિના નિયમોનું પણ ઉ૯લંઘન ન થાય તેવું વર્તન ત્યાં ખાસ કરીને રાખવાની જરૂર છે. કારણ કે ત્યાં નિરંકુશ જીવન હોવાથી કોઈ ટોકનાર હોય નહીં, કેઈની શરમ નડે નહીં અને મને તે નીચે રસ્તે ઢળી પડે તેવી ઉમ્મર છે, માટે શત્રુઓની વચમાં રહીને સુરક્ષિત રહેવા જેવી જાગૃતિ જોઈએ, તેવી જાગૃતિ ધર્મને માટે રાખવાની જરૂર છે. મન ગમે તેવી વસ્તુઓની ઈરછા કરે પણ પહેલું પૂછવું કે ત્યાં નાર કુટુંબમાં હેલું તે હું કઈ કઈ વસ્તુઓને જરૂરની ગણું? અને અહીં સંજોગ બીજા છતાં ખાસ જરૂરની જે જણાય તે જ મારે વાપરવી છે. નહીં તે બને ત્યાં સુધી મનની ઇચ્છાઓને રોકવી છે. ઈરછાએ કાશે તેટલું ખરેખરું તપ થશે. આ વાતને વારંવાર વિચાર કરી તે પ્રમાણે વર્તશે તે તમે બીજાને શિખામણ આપે તેવું તમારું જીવન ઘડાશે. લીધેલા નિયમ કદી પણ તેડું નહીં એવું જ સૂતી વખતે સંભારતા રહેવા વિનંતી છે). ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૩૮૩ અગાસ, આસો સુદ ૧૧, મંગળ, ૧૯૯૮ આપને પત્ર મળ્યો. સમાચાર જાણ્યા. ભાવ વર્ધમાન થાય તે કરતા રહેવા ભલામણ છે, પરંતુ પાછા પડાય નહીં તેની ખાસ કાળજી રાખવી ઘટે છેજ. ધર્મક્રિયા કરતા રહેવા સાથે આત્માને કષાય અને વિષયના પંજામાંથી છોડાવવાને છે તે લક્ષ ચુકાય નહીં તે માટે રેજ અઢાર પાપસ્થાનક વિચારી જવાં અને શેષ નજરે ચઢે તે ઘટાડવા વિચાર, ઉપાય કર્તવ્ય છે જ. કઈ પ્રત્યે કિંચિત્માત્ર પણ રાગ અને કોઈ પ્રત્યે કિંચિત્માત્ર પણ દ્વેષ ન રહે તેવા ભાવ કરવા બધે પુરુષાર્થ છે. જે બે ઘડી સુધી કોઈ પ્રત્યે દ્વેષ કે ક્રોધને પ્રવાહ ચાલુ રહ્યો તે ઘણું દિવસ અને ઘણી રાત્રિ સુધી કરેલે શ્રમ બે ઘડીમાં બાળી ભસ્મ કરી નાખે તેવી ક્રોધમાં તાકાત છે. તેમ જ કામ, માન આદિ શત્રુઓ પણ જેવા તેવા નથી. જે તેને વશ જીવ થઈ ગયે તે ધર્મને નાશ થતાં વાર ન લાગે તેમ છે તેમ છતાં દરેકના ઉપાય છે. Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ બધામૃત “માનાદિક શત્રુ મહા, નિજ દે ન મરાય; જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય.” કેટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગ્રત થતાં સમાય; તેમ વિભાવ અનાદિને, જ્ઞાન થતાં હૅર થાય.” માટે જાગ્રત થવાની, જાગ્રત રહેવાની, મેહથી દૂર ખસતા – નાસતા રહેવાની જરૂર છેજ. “ચતુરની બે ઘડી અને મૂરખને જન્મારે” એવી કહેવત છે. સમજુ માણસ બે અક્ષરમાં સમજી ચેતી જાય તે કામ કાઢી નાખે અને મૂરખ જન્મારે મહેનત કરે પણ કંઈ સફળતા ન મેળવે. માટે મૂઢતા, અજ્ઞાનદશા, મેહમદિરાને વારંવાર વિચાર કરી “પગ મૂકતાં પાપ છે, જેમાં ઝેર છે અને માથે મરણ રહ્યું છે એ પરમકૃપાળુદેવનું વચન લક્ષમાં લેશેજી. છે. શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૩૮૪ અગાસ, તા. ૩૦-૧૦-૪૨ તત્ સત આસે વદ ૬, ૧૯૯૮ ગીતિ – એક જ સાચું વંદન, શ્રી જિનવરાતિ વર્ધમાન પ્રતિ, નર નારીને તારે, ભયંકર ભવસાગરથી. દેહરા – પરમ ઉપકારી અહો ! રાજચંદ્ર ગુરુદેવ, જેને શરણે જીવતાં, ટળતી ભવભ્રમ ટેવ. શ્ર આત્મસિદ્ધિશાસ્ત્રરૂપ ગંગા આણી ઘેર, ભવભવનાં પાપ હરી, દેવા શિવ-સુખ લહેર. તન મન વચને આદર, ભક્તિ ધરી ઉલ્લાસ, આત્મસમાધિ કારણે, સમરણ શ્વાસોશ્વાસ. આપને પત્ર પ્રાપ્ત થયું. ગઈ એકમ શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર તથા પ. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીની જન્મતિથિ હતી. તે દિવસે બધાં મુમુક્ષુ ભાઈબહેનોએ ઊભાં ઊભાં આત્મસિદ્ધિની એક એક ગાથા જે બેલાય તે ઝીલીને નમસ્કાર કરવાના કામે બધી ગાથાઓએ નમસ્કાર કર્યા હતા. તમે પણ યથાશક્તિ તે દિવસે ભક્તિ કરી હશે. સદ્દગુરુ આજ્ઞાનુસાર ધર્મ ભાવનામાં જેટલે કાળ ગળાશે તે જ ખરું જીવન છે. બાકી તે ધમણની પેઠે શ્વાસોચ્છવાસ લેવામાં ને બીજે બેટી થવામાં જે જે ક્ષણે વહી જાય છે તે રન વેરતાં વેરતાં જવાની ટેવ જેવી મૂર્ખાઈ સમજાય છે. મનુષ્યભવની દુર્લભતા તથા સફળ કરવાની ઉત્કંઠા ચિત્તમાં નહીં વસે ત્યાંસુધી અમૃત જેવાં જ્ઞાનીનાં વચને તે ભેંસ આગળ ભાગવત્ સમાન કંઈ અસર કે ગરજ જગાડે તેવાં બનાવાયોગ્ય નથી. આ મનુષ્યભવ છે ત્યાં સુધી આત્મહિત થઈ શકે એમ છે, માટે આત્મહિત એ જ મુખ્ય કર્તવ્ય છે એ લક્ષ નિરંતર રાખી બીજા કામમાં પ્રવૃત્તિ ઘટે છે. અત્યારે જે સુખદુઃખ ભેગવાય છે, તે પૂર્વે કરેલાં પુણ્ય પાપનું ફળ છે. તે ઉપરથી આત્મા શુભાશુભ કર્મને કર્તા સમજાય છે. તે કર્તાપણું ત્રણ પ્રકારે ભગવાને કહ્યું છે : Page #402 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૩૭૮ (૧) પરમાર્થથી એટલે નિશ્ચયનયથી કે કર્મ તરફ નજર નહીં દેતાં આત્મા શું કરે છે? એમ વિચારીએ તે આત્મા પિતાના સ્વભાવમાં (શુદ્ધ જ્ઞાન દર્શન – માત્ર જાણવા દેખવાના કામમાં પ્રવર્તે છે એમ જણાય, તેથી તે પિતાના સ્વરૂપને કર્તા કહેવાય. એ શુદ્ધ આત્માની વાત થઈ. (૨) હવે શુદ્ધભાવે આત્મા ન વર્તે ત્યારે શુભ કે અશુભ ભાવે જીવ વર્તે તેથી જેમ ચીકટો હાથ હોય તે ધૂળ કે લેટ હાથે ચોંટી જાય તેમ શુભઅશુભ ભાવ કે રાગદ્વેષરૂપ ભાવ થાય ત્યારે પુણ્ય કે પાપરૂપ કર્મ જીવને વળગે છે, તેથી તે જ્ઞાનાવરણાદિ આઠ કર્મને કર્તા કહેવાય છે. આ બીજા પ્રકારે જીવને કર્મને કર્તા કહ્યો તેનું વર્ણન શાસ્ત્રમાં આ પ્રમાણે કર્યું છે કે અનુપચરિત એટલે અનુભવમાં આવવા ગ્ય જે છે અને વિશેષ સંબંધ જેની સાથે જીવને છે એવાં કર્મને કર્તા જીવ વ્યવહાર અપેક્ષાએ કહેવાય છે. આ (૩) હવે ત્રીજા પ્રકારે પણ જીવ કર્મને કર્તા કહેવાય છે જેમ કે સુથારે ઘર કર્યું, રાજાએ નગર વસાવ્યું. આ કર્મ કે ક્રિયાની સાથે જીવને આઠ કર્મની પેઠે નિકટ સંબંધ નથી એટલે દૂરને સંબંધ છે તેથી અનુપચરિતને બદલે ઉપચારથી તે ઘર, નગર આદિને કર્તા કહેવાય છે. આઠ કર્મની પેઠે વિશેષ સંબંધરૂપે આ બધાં કામ અનુભવમાં આવવા ગ્ય નથી. માટે તે વ્યવહારને ઉપચારિત કે ઉપચાર કહ્યો છે. એ શાસ્ત્રીય નામે છે પણ કર્મને કર્તા જીવને કહેવાય ત્યારે અનુપચરિત વ્યવહારની અપેક્ષા ગણવી, અને ઘર, નગર, રસોઈ વગેરે કામ કરનારે જીવને કહીએ ત્યારે ઉપચારરૂપ વ્યવહારથી કર્તાપણું કહ્યું છે એમ સમજવું. ટૂંકામાં આત્મા શુદ્ધભાવને કર્તા છે એમ કહીએ તે પરમાર્થ અપેક્ષા છે, આઠ કર્મને કર્તા છવ છે એમ કહીએ ત્યાં અનુપચરિત (અનુભવમાં આવવા ગ્ય, વિશેષ સંબંધ સહિત) વ્યવહારથી કર્તાપણું કહ્યું છે અને ઘટ, પેટ, રસોઈ, ઘર, નગર વગેરે કામને કર્તા આત્માને કહીએ તે ઉપચારરૂપ વ્યવહારથી કર્તાપણું કહ્યું એમ સમજવું. આ વાત રૂબરૂમાં વિશેષ સમજી શકાય તેમ છે પણ આ વારંવાર વાંચશે તે ત્રણ પ્રકારે કર્તાપણું કેવી રીતે કહ્યું છે તે કંઈક સમજાશે. આત્માને આત્માના ભાવને કર્તા કહેવો તે પરમાર્થ રીતિ છે અને જડ એવાં કર્મને કર્તા આત્મા છે એમ કહેવું તે વ્યવહાર છે. તે કર્મને આત્મા સાથે વિશેષ નિકટ સંબંધ હોવાથી તેને અનુપચરિત વ્યવહાર કહી છેલ્લા ભેદથી જુદે વર્ણવે છે અને કામધંધા વગેરેને કર્તા આત્માને કહીએ ત્યારે તે ઉપચરિત વ્યવહાર કે ઉપચાર નામને વ્યવહાર કહેવાય છે. કારણ કે આત્માથી કામધંધા દૂરના સંબંધવાળા છે. તેને તે ભેગવવા પડે જ એવો સંબંધ નથી. રસઈ કરેલી પોતે ન પણ ખાય. પરંતુ કર્મ કરેલાં તે ભેગવવાં જ પડે. આવો ભેદ સમજવા યોગ્ય છે. | દિવાળીના દિવસો ઉપર સમાધિમરણની તૈયારી કરવારૂપ વ્રત-માળા ૧૦૮ ફેરવવા સંબંધી પહેલાં લખેલું છે તે પ્રમાણે પ્રમાદ તજી પ્રવર્તવા ભલામણ છે. તે કર્મ દૂર કરવા માટે છે એમ વિચારશોજી. ૩% શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ બાધામૃત અગાસ ૩૮૫ “જનમ્યા શ્રી ગુરુરાજ જગતહિત કારણે, કરવા અમ ઉદ્ધાર વારી જાઉં વારણે.” દિવાળી ઉપરના સમાધિમરણ વ્રતની આરાધના પણ બહુ રૂડી રીતે થઈ છેજ. જ્ઞાનપંચમીને દિવસે પણ બધા ઘણાખરા ઉપવાસ આદિ તપસ્યા કરી ભકિતભાવ, દાન વગેરે વડે ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીએ જણાવ્યા પ્રમાણે આત્મહિતને અર્થે પુરુષાર્થ જેનાથી એટલે બનશે તેટલે કરશે. કાર્તિક સુદ પૂર્ણિમાને દિવસે તે પરમકૃપાળુદેવની જન્મતિથિ નિમિત્તે મહોત્સવ થશે. તે દિવસે બહુ ઉલ્લાસસહિત જન્મ મહોત્સવના પદ “આલોચનાદિ પદ સંગ્રહ” માંથી ગવાશે. તથા તે મહાપુરુષ આપણું કલ્યાણનું કારણ છે, તેથી તેને જન્મદિવસ તે આપણા કલ્યાણનો જન્મ ગણી, તે દિવસે તે મહાપુરૂષના જીવન સાથે આપણા જીવનને અભેદભાવ જાગે તેવી ભક્તિ કરી તે દિવસ સફળ કરે ઘટે છેજ. ગાડીને ડબા લગાવ્યા હોય તે આગળ એંજિન ચાલે તેમ પાછળ ચાલે તેવી રીતે પરમકૃપાળુદેવનું શરણ આપણે લીધું છે તે તેમની ગતિ તે આપણી ગતિ હો એવી ભાવના જ કર્તવ્ય છે. તેમણે આત્મગતિ સ્વીકારી છે તે આપણે પણ સંસારભાવના કે સંસારના સુખની વાસના છેડી એક આત્મા ઉપર લક્ષ રાખી આત્મગતિ આરાધી લેવી છેજ. તે મહાપુરુષને છે તે આપણને હે, આપણે બીજું કાંઈ જાણીએ નહીં અને બીજું કાંઈ આપણે જોઈતું નથી એવા સાફ દિલથી ભક્તિભાવના, અભેદભાવના ઉપાસવી ઘટે છેજી. તેમણે સંસારને અસાર જાણ્ય, લેકે શું કહેશે તેની દરકાર કરી નહીં, આત્માનું દિવસે દિવસે વધારે વધારે હિત થતું જાય તે પુરુષાર્થ વધાર્યો અને પરમશાંતરસમય ધર્મમાં લીન થયા તેવી રીતે આપણે પણ તેને શરણે તેની ભક્તિ કરતાં કરતાં તેવા જ થયું છેતે બીજા સંસારના, લેકેના અને દેહ વગેરેના વિચારો ભૂલી જઈ, શું કરવાથી પિતે સુખી? શું કરવાથી પિતે દુઃખી? પિતે શું? કયાંથી છે આપ? એને માગો શીધ્ર જાપ. જહાં રાગ અને વર્ષો ષ, તહાં સર્વદા માને લેશ; ઉદાસીનતાને જ્યાં વાસ, સકળ દુઃખને છે ત્યાં નાશ. સર્વ કાળનું છે ત્યાં જ્ઞાન, દેહ છતાં ત્યાં છે નિર્વાણ; ભવ છેવટની છે એ દશા, રામ ધામ આવીને વસ્યા.” (૧૦૭) આવા શાંતિના વિચારે બને તેટલા કરવાના છે અને એવા વિચાર ન ઊગતા હોય તે પણ રાગદ્વેષ મારે જરૂર દૂર કરવા છે એ નિશ્ચય કરી તે પ્રમાણે વર્તતાં વર્તતાં પરમપુરુષની દશાને તેની ભક્તિ કરનાર પામે છે. એ જ વિનંતી. * શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૩૮૬ અગાસ, તા. ૩-૧૨-૪૨ બાળ યૂલિ-ઘર-લીલા સરખી ભવચેષ્ટા ઈહિ ભાસે રે, રિદ્ધિસિદ્ધિ સવિ ઘટમાં પેસે અષ્ટ મહાસિદ્ધિ પાસે રે. એ ગુણ રાંજ તણે ન વિસારું, સંભારું દિનરાત રે.” Page #404 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૩૮૧ વિશેષાર્થ આ સંસારમાં અગત્યનાં ગણાતાં કામ, વ્યવહાર, કુટુંબ, ધન, સગાંનાં મેં રાખવાં, દેહની સંભાળ કે દેવલોકનાં સુખ અને આજીવિકા આદિની ચિંતાઓ-બધાં કામ નાનાં બાળકોની રમત જેવાં જ્ઞાનીને લાગે છે નિરર્થક સમજાય છે. પરંતુ આત્મહિત સિવાય કઈ કામ અગત્યનું લાગતું નથી. આત્માની મહત્તા એટલી બધી છે કે જે જે ચમત્કાર કે વૈભવે જગતમાં ગણાય છે તે આત્મવિભૂતિ આગળ તુચ્છ છે. જે જે કંઈ મહત્ત્વનું ગણાય છે તે આત્મસ્વરૂપની પૂર્ણતામાં આવી જાય છે. એવું કંઈ બાકી રહેતું નથી કે જેના વિના જ્ઞાની સુખી થઈ ન શકે. આવું અપૂર્વપદ પરમકૃપાળુદેવની કૃપાથી, તેની આજ્ઞા ઉઠાવવાથી પ્રાપ્ત થઈ શકે તેમ છે, તે તેને ઉપકાર રાતદિવસ સંભારવા ગ્ય છે. વિ. આપને પત્ર મળે. સમાચાર જાણ્યા. પરમાર્થના કામમાં પુરુષાર્થ કરે એ જ આ ભવનું મુખ્ય કર્તવ્ય છે એમ માની બીજાં કાર્યો પ્રત્યે વૈરાગ્ય રાખી ઊંચા મને, વેઠની પેઠે તે કરી છૂટવાં પણ તેમાં તન્મય થવા જેવું નથી. વ્યવહારના કાર્યોની મહત્તા માનીને જ જીવે જન્મમરણ ઊભાં કર્યા છે. દેહમાં ને દેહમાં જ બુદ્ધિ રહેવાથી દેહ મળ્યા કર્યા છે. હવે તે કોઈ પણ પ્રકારે આવા દેહરૂપી કેદખાનામાં ફરી ન પડવું પડે અને આવી પરાધીનતા, દુઃખદ સ્થિતિ ભવિષ્યમાં ભેગવવી ન પડે તેવું કાર્ય આ ભવમાં જરૂર કરી લેવું જ છે, એ દઢ નિશ્ચય મુમુક્ષુ જીવે વારંવાર વિચારીને કરી લેવો ઘટે છે. “યાદશી માવના થી સિદ્ધિર્મત તારી જેવી જેની ભાવના હોય છે તેથી તેને સિદ્ધિ (પ્રાપ્તિ થાય છે. ભૂખ લાગી હોય ત્યારે ખાવાની ઈચ્છા થાય છે, તે રસોઈ કરીને જમી લઈ ભૂખ મટાડે છે. રેગ થાય ત્યારે નીરોગી થવાની ભાવના થાય છે, તે દવાખાનામાં કે વૈદ્ય પાસે જઈ દવા લાવી, કડવી લાગે તે પણ આ મીંચીને ઉતારી જાય છે. એમ દવાના સેવનથી નીરોગીપણું પ્રાપ્ત કરે છે. પૂર્વે મનુષ્યભવ મળે તેવી ભાવના કરી હશે તેનું ફળ મનુષ્યપણું મળ્યું છે અને દુઃખ થાય તેવાં કાર્ય કર્યા હશે, કરાવ્યાં હશે કે કરનારને ભલાં જાણ્યાં હશે તે આ ભવમાં દુઃખના દિવસે દેખવા પડ્યા. તેવી જ રીતે જે આ ભવમાં આત્માની, મેક્ષની, મહાપુરુષની દશાની ભાવના જે જે પ્રકારે કરીશું તેવું ફળ વહેલું મોડું આવ્યા વિના નહીં રહે. માટે બેસતાં, ઊઠતાં, ખાતાં, પીતાં, પિતાના દેહાદિનાં કાર્યો કે કુટુંબ આદિનાં કાર્યો કરતાં પણ જે ઉદાસીનતા, વીતરાગતા, મુમુક્ષતા, દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય આદિ આત્મગુણોની ભાવના કરતા રહીશું, તે જરૂર ઉત્તમ ફળ પ્રાપ્ત થયા વિના નહીં રહે. માટે ખરેખરી કમાણી કરવાનું ચૂકીને નકામી વાતે, નાશવંત વસ્તુની ચિંતાઓ અને દુઃખનાં કારણોમાં બેટી થવાનું જેમ બને તેમ વહેલું તજી દઈ ઉપર જણાવી તેવી આત્મભાવના “હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ સ્ત્રી પુત્રાદિ કઈ પણ મારાં નથી, શુદ્ધચૈતન્ય સ્વરૂપ અવિનાશી એ હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષને ક્ષય થાય.” (૬૯૨) આવી પરમકૃપાળુદેવની આજ્ઞામાં ચિત્ત વાળવાથી, તેમાં સુખ માનવાથી, જગતની વાતે વિસારે પડશે અને જગતનાં સુખ અને દુઃખ બને દૂર થઈ આત્માના સુખ તરફ વૃત્તિ વળતાં પરમ શાંતિ પ્રાપ્ત થશે. એ જ કર્તવ્ય છેજી. ૩% શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ બેધામૃત 3८७ અગાસ, તા. ૩-૧-૪૩ તત સત્ માગશર વદ ૧૨, રવિ, ૧૯૯૯ આપને પત્ર મળે. તેમાં પ્રશ્નોને ઢગલે આબે, તેમાંનાં પ્રથમ પ્રશ્નને પ્રથમ વિભાગ માર્ગનુસારી દશા સંબંધી છે તેને ટૂંક ઉત્તરથી જ આ પત્ર પૂરે થવાનો છે, પણ તે વિષે વિશેષ લક્ષ કરાવવા પરમકૃપાળુદેવે પત્રાંક ૪૩૧ માં સમ્યફદષ્ટિ તથા કેવળજ્ઞાન સુધીના ખુલાસા જણાવ્યા છે તે લક્ષમાં રાખવા ભલામણ છેજી. નીચે માત્ર માર્ગાનુસારીના ૩૫ બોલ જે રૂઢ પ્રચલિત છે તે ઉતારી આ પત્ર પૂર્ણ કરવા ધારું છું. માર્ગાનુસારીના ૩૫ બેલ (૧) ન્યાયસંપન્ન વિભવ - ન્યાયથી ધન મેળવવું. સ્વામીદ્રોહ, મિત્રદ્રોહ, વિશ્વાસ દઈને ઠગવું, ચેરી કરવી, થાપણ ઓળવવી વગેરે નિંદવા યોગ્ય કામ ત્યાગ કરીને ધન કમાવું તે. (૨) શિષ્ટાચાર પ્રશંસા - ઉત્તમ પુરુષોનાં આચરણનાં વખાણ કરવાં. (૩) સરખા કુળાચારવાળ પણ અન્ય ગેત્રી સાથે વિવાહ કરે. (૪) પાપનાં કામથી ડરવું. (૫) પ્રસિદ્ધ દેશાચાર પ્રમાણે વર્તવું. (૬) કોઈને અવર્ણવાદ બેલ નહીં. (૭) જે ઘરમાં પિસવા નીકળવાના અનેક રસ્તા નથી તથા જે ઘર અતિ ગુપ્ત અને અતિ પ્રગટ ન હોય અને પાડોશી સારા હોય તેવા ઘરમાં રહેવું. (૮) સારા આચરણવાળા પુરુષની સેબત કરવી. (૯) માતા તથા પિતાની પૂજા કરવી–તેમને સર્વ રીતે વિનય સાચવ અને તેમને પ્રસન્ન રાખવાં. (૧૦) ઉપદ્રવવાળા સ્થાનકને ત્યાગ કરવો – લડાઈ, દુકાળ વગેરે અડચણવાળાં ઠેકાણું છોડવાં. (૧૧) નિંદિત કામમાં ન પ્રવર્તવું, નિંદવાયેગ્ય કામ ન કરવાં. (૧૨) આવક પ્રમાણે ખર્ચ કરવું. (૧૩) ધનને અનુસરત વેષ રાખે –પદાશિ પ્રમાણે પોશાકી રાખવી. (૧૪) આઠ પ્રકારના બુદ્ધિના ગુણોને સેવવા – ૧. શાસ્ત્ર સાંભળવાની ઈચ્છા, શુશ્રષા ૨. શાસ્ત્ર સાંભળવાં, શ્રવણ ૩. તેને અર્થ સમજ ૪. તે યાદ રાખવે. ૫. ઉહ = તેમાં તર્ક કરે તે સામાન્યજ્ઞાન. ૬. અહિ = વિશેષ જ્ઞાન. ૭. ઉહાપેહથી સંદેહ ન રાખવો. ૮. જ્ઞાન = આ વસ્તુ આમ જ છે એ નિશ્ચય કરવો. (૧૫) નિત્ય ધર્મને સાંભળવા જેથી બુદ્ધિ નિર્મળ થાય. (૧૬) પહેલાં જમેલું ભોજન પચી જાય, ત્યાર પછી નવું ભેજન કરવું. (૧૭) જ્યારે ખરી ભૂખ લાગે ત્યારે ખાવું, પણ એક વાર ખાધા પછી મીઠાઈ વગેરે આવેલી જોઈ લાલચથી તે ઉપર ખાવું નહીં, કારણ કે અપચ થાય. (૧૮) ધર્મ, અર્થ અને કામ એ ત્રણ વર્ગને સાધવા. (૧૯) અતિથિ તથા ગરીબને અન્નપાનાદિ આપવાં. (૨૦) નિરંતર અભિનિવેશ રહિત રહેવું – કોઈને પરાભવ કરવાનાં પરિણામ કરી અનીતિથી કામ આરંભ કરે નહીં તે. (૨૧) ગુણ પુરુષોને પક્ષપાતા કરે – તેમનું બહુમાન કરવું. (૨૨) નિષિદ્ધ દેશકાળને ત્યાગ કરવો – રાજા તથા લેકેએ (ત્યાગ કરેલા) નિષેધેલા દેશ કાળમાં જવું નહીં. (૨૩) પિતાની શક્તિને અનુસરીને કામને આરંભ કરવો. (૨૪) પિષણ કરવા યોગ્ય જેવાં કે માબાપ, સ્ત્રીપુત્રાદિકનું ભરણપોષણ કરવું. (૨૫) વ્રતને વિષે રહેલા તથા જ્ઞાન કરીને મોટા એવા પુરુષોને પૂજવા. (૨૬) દીર્ઘદર્શી – જે કંઈ કામ કરે તેમાં લાંબી દષ્ટિ ફેરવી તેનાં શુભાશુભ ફળની તપાસ કરી ચાલવું. (૨૭) વિશેષજ્ઞ – દરેક વસ્તુને તફાવત સમજી પિતાના આત્માના ગુણદોષની તપાસ કરવી. Page #406 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા (૩૧) દયાળુ — (૨૮) કૃતજ્ઞ (કર્યાં કામના જાણુ) — કરેલા ઉપકાર તથા અપકારને સમજવા. (૨૯) લેાકપ્રિય વિનય આદિ ગુણે કરી લેાકપ્રિય થવું. (૩૦) લજ્જાળુ (લાજવાળા) — લાજ-મર્યાદામાં રહેવું. - દયાભાવ રાખવા. (૩૨) સુંદર આકૃતિવાન — ક્રૂર આકૃતિના ત્યાગ કરવા, શરીરના સુંદર આકાર રાખવા. (૩૩) પરીપકારી — પરને ઉપકારી થવું. (૩૪) 'અ'તર’ગ અરિ-જિત કામ, ક્રોધ, લેાભ, માન, મદ તથા હર્ષ એ છ અંતર`ગ વેરીને જીતવા. (૩૫) વશીકૃત ઇંદ્રિયગ્રામ – ઇંદ્રિયાનાં સમૂહને વશ કરવાં, સર્વે ઇંદ્રિયાને વશ કરવાના અભ્યાસ કરવા. - પરપ્રેમ પ્રવાહ પઢે પ્રભુસે, સબ આગમભેદ સુર ખર્ચે; વહુ કેવલકો ખીજ ગ્યાનિ કહે, નિજક અનુભૌ ખતલાઈ ચેિ.'' સર્વ આગમના ભેદ હૃદયે વસે — સર્વ શાસ્ત્રાને કહેવું છે તે સમજાય. જ્યાંથી આગમની ઉત્પત્તિ થઈ છે એવા શુદ્ધ પરમાત્મ-સ્વરૂપની પ્રાપ્તિ જેને છે તેને પણ શ્રુતકેવળી કહે છે. ઉત્કૃષ્ટ ત્યાગ છે ત્યાં ઉત્કૃષ્ટ જ્ઞાન છે. કેવળ અણુતા' એ કેવળજ્ઞાનનું કારણ છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ હરિગીત ૩૮૩ ૩૮૮ તત્ સત્ રે! મૂર્ખ કોઈ લાગતામાં તેલ રેડી એલવે, તેવું કર્યું મેં શાંતિ સારુ વિષય-ભાગે ભાગવ્યે; જે શરારથી ભાગે મળે તે મૂત્ર-મળની ખાણુ છે, છે પાપકારણ દેહને ધિક્કાર ! ધૂળ સમાન એ. કાયાની વિસારી માયા, સ્વરૂપે શમાયા એવા, નિગ્રંથના પથ ભવ'તના ઉપાય છે.” અગાસ, તા. ૬-૧-૪૩ માગશર વદ ૦)), બુધ, ૧૯૯૯ (પ્રજ્ઞાવખાધ ૧૦) પણ ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીના કૃપાપાત્ર આપ સર્વ સેવાભાવી ભાઈબહેનેાએ ઘણી વખત આધ શ્રવણુ કરેલા છે. વારંવાર એક પકડ કરવાની તેઓશ્રી ભલામણ કરતા તે તમારા લક્ષમાં છેજી. શ્રહ્મા પરમ પુદ્દા એ વાકય હજી દરેક મુમુક્ષુઓના કણમાં તેઓશ્રીના શ્રીમુખથી સાંભળેલું રણકયા કરે છે. “શારીરિક વેદનાને દેહના ધર્મ જાણી અને ખાંધેલા એવા કર્મોનું ફળ જાણી સમ્યક્પ્રકારે અહિંયાસવા યાગ્ય છે” (૪૬૦) એ પત્ર વાંચ્યા તે ઘણી વખત હશે તે વારવાર શ્રવણ થાય તેમ કરવા આપને તથા સેવામાં જે ભાઈબહેનેા હોય તેમને ભલામંણુ છેજી. ક્રૂ'કામાં મુમુક્ષુજીવે આત્તધ્યાનનાં પ્રમળ નિમિત્તો પ્રબળ દેખાવા છતાં આન્તધ્યાન ન થવા દેવું એ અત્યારના પ્રસંગમાં મૂળ કર્તવ્ય છેજ. જ્યાં નિરુપાયતા ત્યાં સહનશીલતા એ જ આધાર છે. આવા ભાવા વડે મન દૃઢ કરી, કોઈ મહા પ્રબળ પૂર્વ પુણ્યના યાગે આ કાળમાં, દુ`ભ જેનાં દન છે તેવા, મહાપુરુષના યાગ થયા છે, તેમનાં વચનામૃત પ્રત્યક્ષ સાંભળ્યાં છે, તેમના શ્રીમુખથી સ્મરણમંત્ર આદિ સત્સાધનની આજ્ઞા પ્રાપ્ત થઈ છે તેવા મુમુક્ષુએ કોઈ પણ કારણે મનને ફ્લેશ તરફ વળવા દેવું ઘટતું નથી. કશામાં ચિત્ત પરોવી Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ બેધામૃત રાખવા જેવું નથી. બનનાર તે ફરનાર નથી અને ફરનાર તે બનનાર નથી, તે જ્યાં આપણે ઉપાય ન ચાલે તેવા પ્રારબ્ધની ચિંતા કરવી વ્યર્થ છે. માત્ર જ્ઞાની પુરુષે જણાવેલા ધર્મધ્યાનમાં અહોનિશ તત્પર થવા હવે તે કેડ બાંધી અંતરંગ પુરુષાર્થની જ જરૂર છે. તેનું શરણું જેને છે તેને જ તે સૂઝી આવે છે માટે હિંમત નહીં હારતાં શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીના શરણે બુદ્ધિ રાખશે. ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૩૮૯ અગાસ, તા. ૧૧-૧-૪૩ તત ૩% સત્ પષ સુદ ૯, ૧૯૯૯ હરિગીત – શું શરણ અજ્ઞાનીજનોનું કે કુદેવ ધનાદિનું? દુખદાયી આખર નીવડે, તે મૂળ છે મહાદિનું. નિર્મોહનરને આશ્રયે સ્વ-સ્વરૃપ સ્થિતિ સંભવે, તેથી ન બુદ્ધિમાન એવું શરણ લે જે ભૂલવે. વૈરાગ્યભાવે ભાવના, ભાવે વિવિધ વિચારથી, મૃત્યુ ફરે માથાપરે, યૌવન જરા રથ સારથિ. સામ્રાજ્ય, લક્ષ્મી, લેગ સૌ વિનાશ વાદળસમ અહા! ક્ષણમાં જ લૂંટાઈ નર-ભવ, દેવને દુર્લભ મહા. માતા, પિતા, પરિજન જુદાં, નથી કઈ જગમાં જીવનું, સાથે રહે આ શરીર નિત્યે, તેય તત્વ અજીવનું મન, વચન, કાયા, સર્વ જુદાં કર્મ કૃત સૌ અન્ય છે, માટે ગ્રહે રે ! રત્નત્રયમય, શુદ્ધ રૂ૫ અનન્ય છે. (પ્રજ્ઞાવધ ૧૦) આપને પત્ર પાંચેક દિવસ ઉપર આવ્યું તે મળે. પરમકૃપાળુદેવે જે આત્મસ્વરૂપ અનુભવ્યું છે, ઉપદેશ્ય છે, તેવું અનુભવપૂર્વક જણાવનાર આ કાળમાં વિરલા સંભવે છે. તેની સરખામણમાં મૂકી શકાય તે કેઈ અપવાદરૂપ પણ નજરે જતું નથી. આ કાળમાં જીવના કેવા પ્રકારના દોષ જીવને મૂંઝવી રહ્યા છે તેનું જેને સ્પષ્ટ ભાન હતું તેથી અનંત દયા આવવાથી પિતાનું આત્મકાર્ય સાધતાં સાધતાં અન્ય જીને માર્ગ મળે તેવાં વચનામૃતની વૃષ્ટિ કરતા ગયા છે. તેમાં જ આખી જિંદગી ગાળવા ગ્ય છે. તેને વિશેષ સમજવા બીજો કોઈ અભ્યાસ કે વાચન કરવું હોય તે કરવું ઘટે, પણ મૂળ આત્મા સંબંધી વાત તે જ્યારે ત્યારે પરમકૃપાળુદેવને આધારે જ નિર્ણય કરે છે એ અચળ અભિપ્રાય હૃદયમાં મરતા સુધી ટકી રહે તેવું કર્તવ્ય છે. - તમે “વિચારસાગર’ વાંચતાં જણાવ્યું કે “પંચકેષથી ને કારણશરીરથી આત્મા જુદો છે તે તે ખરું છે કે કેમ? આપણે કૃપાળુદેવને પુસ્તકમાં એમ છે કે કેમ ?” એ પ્રશ્નથી સંતોષ થાય છે, કે તમે ગમે તે પુસ્તક વાંચી આત્માનો નિર્ધાર કરવા ઈચ્છતા નથી, પરંતુ પરમકૃપાળુ દેવે માન્ય કર્યું હોય તે જ માન્ય કરવા ભાવના છે, તે જાણી તે પુરુષને અભિપ્રાય જ માનવા યંગ્ય છે, એ દઢ થવા જ આ પત્ર લખે છેજ. પરમકૃપાળુદેવ કઈ મુમુક્ષુને પુસ્તક Page #408 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૩૮૫ જૈન કે વેદાંતનું વાંચવા ભલામણ કરતા તે શા અભિપ્રાયે? તે પિતે જણાવે છે: “જીવને કુળગે સંપ્રદાય પ્રાપ્ત થયેલ હોય છે તે પરમાર્થરૂપ છે કે કેમ? એમ વિચારતાં દષ્ટિ ચાલતી નથી; અને સહેજે તે જ પરમાર્થ માની રાખી જીવ પરમાર્થથી ચૂકે છે; માટે મુમુક્ષુ જીવને તે એમ જ કર્તવ્ય છે કે જીવને સદ્દગુરુગે કલ્યાણની પ્રાપ્તિ અલ્પકાળમાં થાય તેનાં સાધન વૈરાગ્ય અને ઉપશમાથે ગવાસિષ્ઠ’, ‘ઉત્તરાધ્યયન આદિ વિચારવા યોગ્ય છે, તેમ જ પ્રત્યક્ષ પુરુષનાં વચનનું નિરાબાધ પણું, પૂર્વાપર અવિરોધપણું જાણવાને અર્થે વિચારવા યોગ્ય છે.” (૫૩૪) “શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે અને તે જીવને અધિકારી થવા માટે કહી છે; મેક્ષ થવા માટે જ્ઞાનની પ્રત્યક્ષ આજ્ઞા આરાધવી જોઈએ.” (૨૦૦) “જીવે ધર્મ પિતાની કલ્પના વડે અથવા કલ્પનાપ્રાપ્ત અન્ય પુરુષ વડે શ્રવણ કરવા જેગ, મનન કરવા જોગ કે આરાધવા જોગ નથી. માત્ર આત્મસ્થિતિ છે જેની એવા પુરુષથી જ આત્મા કે આત્મધર્મ શ્રવણ કરવા જોગ છે, યાવત્ આરાધવા જોગ છે.” (૪૦૩) “શમ, સંવેગાદિ ગુણો ઉત્પન્ન થયે, અથવા વૈરાગ્યવિશેષ, નિષ્પક્ષપાતતા થયે, કષાયાદિ પાતળાં પડે તથા કંઈ પણ પ્રજ્ઞાવિશેષથી સમજ્યાની યોગ્યતા થયે જે સદ્દગુરૂગમે સમજવા યોગ્ય અધ્યાત્મગ્રંથે, ત્યાં સુધી ઘણું કરી શસ્ત્ર જેવા છે, તે પિતાની કલ્પનાએ જેમ તેમ વાંચી લઈ નિર્ધારી લઈ તે અંતભેદ થયા વિના અથવા દશા ફર્યા વિના, વિભાવ ગયા વિના પિતાને વિષે જ્ઞાન કરે છે, અને ક્રિયા તથા શુદ્ધ વ્યવહારરહિત થઈ વર્તે છે. ઠામ ઠામ જીવને આવા પેગ બાઝે તેવું રહ્યું છે, અથવા તે જ્ઞાનરહિત ગુરુ કે પરિગ્રહાદિ ઇરછક ગુરુઓ, માત્ર પિતાનાં માનપૂજાદિની કામનાએ ફરતા એવા, જેને અનેક પ્રકારે અવળે રસ્તે ચડાવી દે છે અને ઘણું કરીને ક્વચિત જ એવું નહીં હોય. જેથી એમ જણાય છે કે કાળનું દુષમપણું છે.” (૨૨) હવે એવો નિશ્ચય કરે ઘટે છે, કે જેને આત્મસ્વરૂપ પ્રાપ્ત છે, પ્રગટ છે, તે પુરુષ વિના બીજો કોઈ તે આત્મસ્વરૂપ યથાર્થ કહેવા યોગ્ય નથી, અને તે પુરુષથી આત્મા જાણ્યા વિના બીજો કોઈ કલ્યાણને ઉપાય નથી.” (૪૪૯) આ વારંવાર વિચારવા અર્થે લખ્યું છે. બાકી “મૂળ મારગ સાંભળે જિનને રે” તેમાં સ્પષ્ટ લખ્યું છે કે : છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ-મૂળ૦ એમ જાણે સદ્દગુરુ-ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ–મૂળ” પરમકૃપાળુદેવનાં વચનોને વિશેષ પરિચય કર્તવ્ય છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૩૦૦ અગાસ, તા. ૧૧-૧-૪૩ પૂ..ને પત્ર આવ્યો હતો. તેમને પરમકૃપાળુદેવ પ્રત્યે અખંડ ગુરુભાવ પ્રગટે અને ટકી રહે તે વારંવાર જણાવતા રહેવા યોગ્ય છે”. આપણે મુમુક્ષુઓમાં એકબીજા દ્વારા જે પ્રકારની મદદ મળે તે પરમકૃપાળુદેવના યુગબળનું ફળ છે. હું તે એક પામર પ્રાણી તેના શરણે રહી આત્મહિત કરવા મથી રહ્યો છું. જેના દ્વારા આપણને ઉપકાર થયો હોય તે ભૂલ નહીં, પણ ભક્તિભાવ એક પરમકૃપાળુદેવ પ્રત્યે પતિવ્રતાની પેઠે રાખવાથી ઘણે લાભ છે એમ તેમને જણાવશે તથા હાલ આત્મકલ્યાણની ઈચ્છા છે તે મંદ ન થાય તે પણ 25 Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ બેધામૃત સાથે જણાવશોજી. પરમકૃપાળુદેવ લખે છે – “શું કરવું? અથવા કોઈ પ્રકારે થતું નથી એવું તમારા ચિત્તમાં વારંવાર થઈ આવતું હશે; તથાપિ એમ ઘટે છે કે જે પુરુષ બીજા બધા પ્રકારને વિચાર અકર્તવ્યરૂપ જાણી આત્મકલ્યાણને વિષે ઉજમાળ થાય છે, તેને કંઈ નહીં જાણતાં છતાં, તે જ વિચારના પરિણામમાં જે કરવું ઘટે છે, અને કોઈ પ્રકારે થતું નથી એમ ભાસ્યમાન થયેલું તે પ્રગટ થવાનું તે જીવને વિષે કારણે ઉત્પન્ન થાય છે, અથવા કૃતકૃત્યતાનું સાક્ષાત્ સ્વરૂપ ઉત્પન્ન થાય છે.” (૨૬૨) આ વાકયો તમે બધા મળી વિચારશો, તથા તેમાં જણાવેલ “બીજા બધા પ્રકારના વિચાર અકર્તવ્યરૂપ” ભાસે તેવી વિચારણા–ભાવનામાં રહેવા પુરુષાર્થ કરતા રહેશોજી. વૈરાગ્ય, ઉદાસીનતા, ધીરજ, દયા, શાંતિ આદિ ગુણ જીવને ઉન્નતિમાર્ગમાં અત્યંત ઉપકારી છે તેનું સેવન કરતા રહેશે. ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજી કહેતા – “તારી વારે વાર.” ગ્યતાની ખામી, આપણે પ્રભુભક્તિ આદિ દ્વારા પૂરી કરવાની છે જી. એ જ. છે શાંતિઃ શાંતિ શાંતિઃ ૩૯૧ અગાસ, તા. ૧૨-૧-૪૩ તત્ ૐ સત પોષ સુદ ૭, મંગળ, ૧૯૯૯ ધર્મધ્યાનનું કારણ સગુરુની મુખમુદ્રા તથા તેમનાં વચનામૃત આ કાળમાં છે તેના પ્રત્યે જે જે જીવોને આદરભાવ, ઉલ્લાસભાવ વર્તે છે તેને સહેજે મદદરૂપ થવું એવું અંતરમાં રહ્યા કરે છે. તેથી તમારો કાગળ વાંચી બીજા વિચારો દબાવી જઈ આવવું એવું નક્કી કર્યું છે. પરમકૃપાળુદેવનું ગબળ જગતનું કલ્યાણ કરે. ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૩૯૨ અગાસ, તા, ૧૫-૧-૪૩ તત્ સત્ પષ સુદ ૧૦, શનિ, ૧૯૯૯ અનુબ્રુપ – ચારે અંગેય દુપ્રાપ્ય, ને જગમાં ઘણાં (બહુ) મનુષ્યત્વ, શ્રુતિ, શ્રદ્ધા, સંયમે વીર્ય કુરણ (જાગવું). આપ બન્ને ભાઈઓના પત્રે મળ્યા. બન્નેનો મૂળમાર્ગ પ્રત્યે ભક્તિભાવ તથા નિઃશંક થવાની જિજ્ઞાસા યથાશક્તિ સમજાઈ છેછે. તમારે આગળ વધવાને પુરુષાર્થ તથા શોધકવૃત્તિથી સંતોષ થયે છેજ. પૂ...ની વિચારણા સુંદર છે. જ્ઞાની પુરુષના એક એક વાક્યમાં અનંત અર્થ-આગમ રહ્યાં છે, એ લક્ષ રાખી આપણી બુદ્ધિને વિકાસ મળે તેમ વિચારણ કરવામાં હરકત નથી, પણ તેથી સપુરુષનાં વચનો આશય અત્યંત વિશાળ છે, અપાર છે એટલો લક્ષ રાખ. આગમ અનુસાર હિતકારી વિચારણા કર્તવ્ય . અનંતાનુબંધીનું સ્વરૂપ ગહન છે. શ્રી અંબાલાલભાઈએ કાર્તિક સુદ ૨, સં. ૧૯૫૨ના એક પત્ર પરમકૃપાળુદેવને લખ્યું છે, તેમાં લખે છે –- “રવિવારે રાત્રિના પ્રથમ ભાગમાં અનંતાનુબંધી ક્રોધ, માન, માયા ને લેભનું સ્વરૂપ વિચારતાં તેમ જ તે પછી સમ્યફદશાનાં પાંચ લક્ષણનું સ્વરૂપ વિચારતાં પદાર્થના સ્વરૂપને નિર્ણય થયો હોય એમ સમજાય છે. માટે આ વાત ખરી છે કે નહીં? અથવા એ પદાર્થના સ્વરૂપને નિર્ણય થયો હોય તો તે નિર્ણય ધારી રાખી અથવા મૂકી દઈ આગળ આગળ અભ્યાસમાં કેવી રીતે પ્રવર્તવું? એટલે કે હાલ Page #410 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૩૮૭ કયું શાસ્ત્ર વાંચવું અથવા વિચાર કરે તે યોગ્ય લાગે તે જણાવવા દયા કરશેજી. સ્વછંદી છું, અનંત દેષથી ભરેલું છું, જેથી કરી કલ્પનાથી કંઈ કપાયું હોય તે ત્રિકરણ વેગથી અને આત્મભાવથી વંદન કરી ક્ષમાવું છું અને તેથી વિશેષ અથવા બીજી રીતે સમજવા ઈચ્છું છું... સત્પરમાત્માનો વિયોગ થયા પછી આ આત્માને કમ (ઉપગ) એક જ ધારાને ચાલ્યો આવે છે, તે સહજ ભાવે વિદિત થવા લાગે છે – રતંભતીર્થક્ષેત્રથી દેહધારી આત્માના આત્મભાવે નમસ્કાર.” તેને ઉત્તર પત્રાંક ૬૫૪ તથા વ્યાખ્યાનસાર ૧-૧૬ થી ૨૩ વાંચી પિતાને માટે વિચારશોજી. “અધીરજથી અથવા આડી કલ્પના કરવાથી માત્ર જીવને પિતાના હિતને ત્યાગ કરવાનો વખત આવે છે.” (૫૭૦) એ વાક્યને વારંવાર વિચાર કરી ધીરજ વધારવા ગ્ય છે.જી. બને તે પત્રાંક ૪૫૪ મુખપાઠ કરી તેમાં જણાવેલી ગ્યતા પ્રથમ પ્રાપ્ત કરી ગ્યતા વધારતા જવાથી આપોઆપ ઘણું સંશયો સમાઈ જવા સંભવ છે. જેટલી જેને પિતાની લઘુતા, દીનતા સમજાઈ છે, તેટલી તેને સન્માર્ગ પ્રાપ્તિ સુલભ છે. ગચ્છ મતની જે કલ્પના, તે નહિ સવ્યવહાર ભાન નહીં નિજ રૂપનું, તે નિશ્ચય નહિ સાર.” “હું કોઈ ગચ્છમાં નથી, પણ આત્મામાં છું, એ ભૂલશે નહીં.” (૩૭) આત્માને ધર્મ આત્મામાં છે. આત્મતૃપ્રાણ પુરુષને બધેલ ધર્મ આત્મતામાર્ગરૂપ હોય છે. બાકીના માર્ગના મતમાં પડવું નહીં.” (૪૬૬) બુદ્ધિબળ ઉપર મુખ્ય આધાર ન રાખતાં, અનુભવી જ્ઞાની પુરુષે નિષ્કારણ કરુણથી કલ્યાણને માર્ગ પ્રરૂપે છે તે મારે ઉપાસવા ગ્ય છે એ બુદ્ધિ હૃદયમાં દઢ ધારી, સત્સંગસમાગમે નિઃશંક થવા ધર્મચર્ચામાં હરકત નથી. સમાધાન ન થાય તે આગળ ઉપર ગ્યતા વચ્ચે કે વિશેષ સમાગમ થશે એમ વિચારી ધીરજ રાખી સશીલનું આરાધન ઉત્સાહપૂર્વક કર્યા રહો એ જ હાલ તે ભલામણ છે. ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૩૯૩ ધામણ, તા. ૨૬-૧-૪૩ “અનંતકાળથી પિતાને પિતા વિષેની જ ભ્રાંતિ રહી ગઈ છે; આ એક અવાચ્ય, અદ્ભુત વિચારણાનું સ્થળ છે. જ્યાં મતિની ગતિ નથી, ત્યાં વચનની ગતિ ક્યાંથી હોય?” (૧૭૨) પર પ્રેમ-પ્રવાહ બ પ્રભુસે, સબ આગમ-ભેદ સુરિ બસે, વહ કેવલ બીજ જ્ઞાની કહે, નિજ કે અનુભવ બદલાઈ દિયે.” તમે બદલીનું પત્રમાં જણાવ્યું તેથી બધું ભાદરણનું મંડળ વીખરાઈ ગયું એમ જાણ્યું. કળિકાળ છે તેથી સત્સંગનાં નિમિત્તો મળવા પણ દુર્લભ થઈ પડ્યાં છે. સત્સંગના વિયોગમાં જ તેની કિંમત સમજાય છે. પુણ્યાનુબંધી પુણ્યનું ફળ સત્સંગ છે એમ પરમકૃપાળુદેવે કહ્યું છે, તે સાચું છે. આ કાળમાં તેવા પુણ્યના સંચયવાળા છે ડા જ સંભવે છે. જ્યાં ત્યાં પાપના ઉદયવાળા કે પુણ્યના ઉદયમાં પણ પાપ બાંધતા છ જણાય છે. વળી પરમકૃપાળુદેવે કહ્યું છે કે ભક્તિ અને સત્સંગ વિદેશ ગયાં છે. એવા વિકટ વખતમાં પણ આત્મકલ્યાણ કરવું હોય તેણે વિકટ પુરુષાર્થ કર્તવ્ય છે અને પુરુષને વેગ ન હોય ત્યારે તે Page #411 -------------------------------------------------------------------------- ________________ બેધામૃત ૩૮૮ વિશેષ બળ કરીને તેનાં વચને પ્રત્યક્ષ સપુરુષ તુલ્ય ગણી ઉપાસતા રહેવાની જરૂર છે જી. જેટલી વિરહ વેદના વિશેષ તીવ્રપણે વેદાશે તેટલું કલ્યાણ વિશેષ થવા સંભવ છે. પ. પૂ. પ્રભુશ્રીજી કહેતા કે અમને પરમકૃપાળુદેવે વિયેગમાં રાખીને વિરહાગ્નિના તાપમાં તપાવીને હિત કર્યું છે. આપણા હાથમાં હવે એ રહ્યું છે કે તે તે ભાવની સ્મૃતિ, તે તે પ્રસંગો, વચને, સમાગમ અને બોધ સકુરી આવે તે અવકાશ મેળવી તેમાં વૃત્તિ જોડી રાખવી, તે પરમપુરુષના આશય સુધી પહોંચાય તેવી વિચારણા જગવવી અને તેમને જે કરાવવું હતું તે કરવા મંડી પડવું. અમરેલી તરફ કેઈ મુમુક્ષુ હોય એમ સ્મૃતિમાં નથી પણ સરખેસરખા સ્વભાવના શોધકને મળી આવવા સંભવ છે. તે ગ ન બને ત્યાં સુધી મંત્ર-આરાધના વિશેષ કરતા રહેવા ભલામણ છે. એકાગ્રતાનું, જાગૃતિનું મુમુક્ષુ જીવને એ પ્રબળ કારણ છે. ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજી તે એટલા સુધી કહેતા કે મંત્ર આપીએ છીએ તે આત્મા જ આપીએ છીએ, પછી જેવી જીવની યોગ્યતા. પ્રત્યક્ષ સત્સંગને યેગ ન બને ત્યારે પક્ષ સત્સગરૂપ પત્રવ્યવહાર મુમુક્ષુઓ સાથે રહે તે પણ હિતકારી છે.જી. “જબ જાએંગે આતમા, તબ લાગેંગે રંગ.” જાગે ત્યારે માગે એમ કહેવાય છે; તેમ અંતરંગમાં આત્મહિતની ભૂખ જેમ જેમ વધશે તેમ તેમ તેના રસ્તા જીવ શોધી લેશે, અને પિષણ પામતે રહેશે. “Sermons in stones & books in brooks” એમ એક સ્થળે શેસ્પિયરે લખ્યું છે તે એમ સૂચવે છે કે બેધગ્ય ભૂમિકા જીવને થાય છે ત્યારે તેને સર્વત્ર, સર્વ પ્રસંગે બોધદાયક નીવડે છે. જ્યાં વિકાર થાય તેવા પ્રસંગે પણ વિચારવાનને વૈરાગ્યનું કારણ થાય છે. જેને ગરજ નથી જાગી તેને વૈરાગ્યનાં ધામમાં પણ વિકાર કુરી આવે છે. માટે પાત્રતા, યોગ્યતા વધે તે પુરુષાર્થ કરતા રહેવાની આપણે જરૂર છે. “વિષયવિકાર સહિત જે, રહ્યા મતિના ગ; પરિણામની વિષમતા, તેને વેગ અગ. મંદ વિષય ને સરળતા, સહ આજ્ઞા સુવિચાર; કરુણા, કોમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર. રોક્યા શબ્દાદિક વિષય, સંયમ સાધન રાગ; જગત ઈષ્ટ નહિ આત્મથી, મધ્ય પાત્ર મહાભાગ્ય. નહિ તૃષ્ણ જીવ્યાતણી, મરણ પેગ નહિ ભ; મહા પાત્ર તે માના, પરમ ગ જૈતલોભ.”(૫૪) પાત્ર વિના વસ્તુ ન રહે, પા આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવા સદા, બ્રહ્મચર્ય પ્રતિમાન.” ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૩૯૪ ધામણ, તા. ૩૦-૧-૪૩ તમારા બને પત્રો મળ્યા છેજી. તમે કેવું વ્રત લીધું છે, માંદગી પ્રસંગની છૂટ રાખી છે કે કેમ, તે મને ખબર નથી. પણ છૂટ રાખી હોય તે ઠીક છે, અને છૂટ ન રાખી હોય અને Page #412 -------------------------------------------------------------------------- ________________ ૩૮૯ પત્રસુધા પાણી વાપર્યું હોય તે હવેથી જાગ્રત થઈ જઈ જે પ્રકારે જેવા ભાવે વ્રત લીધું હતું તેવા જ ભાવે, વેદનાને નહીં ગણતાં પાળવા ભલામણ છેજી. પશુ જેવાં પણ લીધેલું વ્રત પાળે છે તે આપણે તે જરૂર પાળવું. ભૂલ્યા ત્યાંથી ફેર ગણા, પડ્યા ત્યાંથી ઊભા થઈ જાએ. પાણી કંઈ આયુષ્ય વધારનાર નથી. એક વખત જ મરણ આવવાનું છે, તેનાથી ડર્યા વિના વ્રત એ જ ખરું જીવન છે' એમ જાણી બળ રાખી પાળશેા તેા કલ્યાણ છેજી. ધર્મ અર્થે ઈદ્ધાં પ્રાણનેછ છાંડે, પણ નહીં ધર્મ, ,, પ્રાણ અર્થે સ'કટ પડેજી, જુએ એ દૃષ્ટિના મર્મ .’’ એમ રાજ એલીએ છીએ તે પાળવાના હવે કસેટીના વખત આવ્યે છે ત્યારે પાછી પાની કરવી નહીં. જો મંદવાડની છૂટ રાખી હોય તેા માંદવાડ ચાલે ત્યાં સુધી પાણી વાપરવા હરકત નથી. યાદ ન હેાય તે બળ કરી પ્રતિજ્ઞાને પ્રાણુ ગણવા ભલામણ છેજી. એ જ વિન'તી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ રિગીત ધામણુ, તા. ૩૦-૧-૪૩ પોષ વદ ૯, શિન, ૧૯૯૯ ૩૯૫ તત્ સત્ શ્રીમદ્ સદ્ગુરુ રાજચંદ્રપદ, વંદું સહજ સમાધિ ચહી, સદ્ગુરુ-ચરણે ચિત્ત વસેા મુજ, એ જ ભાવના હૃદય રહી; દેહ છતાં જેની નિત્ય વર્તે દેહાતીત અપૂર્વ દશા, તે ભગવંત નિર"તર ભજતાં, દેષ રહે કહેા કેમ કશા ? (પ્રજ્ઞા. પર) સંગ્રામ આ શૂરવીરને આવ્યા અપૂર્વ દીપાવજો, કરતાં ન પાછી પાનૌં ત્યાં ગુરુરાજ પડખે ભાવો; સમતા, સહનશીલતા, ક્ષમા, ધીરજ સમાધિમરણમાં, મિત્રો સમાન સહાય કરશે, મન ધરા પ્રભુ-ચરણમાં. કેવળ અસંગ દશા વા, પ્રતિબધ સર્વે ટાળો, સ્વચ્છંદ છે।ડી શુદ્ધભાવે, સર્વાંમાં પ્રભુ ભાળો; દુશ્મન પ્રમાદ હણી હવે, જામત રહેા ! જાગ્રત રહે ! સદ્ગુરુ-શરણે હૃદય રાખી, અભય આન ંદિત હા ! (વીરડાક) પરમકૃપાળુદેવનું શરણુ ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ ખાસ ભાર દઈ ને પૂના ક્ષેત્રથી જણાવ્યું છે તે લક્ષમાં રાખી ‘એક મતિ આપડી ને ઊભે માર્ગે તાપડી' એમ પ્રભુશ્રીજી કહેતા તે લક્ષમાં રાખી સ્મરણમાં ચિત્ત રાખવાને અત્યંત તીવ્ર પુરુષાર્થ કરવાના અવસર આવી પહેાંચ્યા છે. તે વખતે ઢીલા નહીં થતાં જિંૠગીમાં કદી ન આવ્યા હાય તેવા અપૂર્વ ભાવે તે પરમપુરુષની અનન્ય શ્રદ્ધા દૃઢ કરતા રહેશેાજી. એ જ જીવનદારી છે. શ્વાસોચ્છ્વાસ ધમણની પેઠે લેવા એ જીવન નથી પણ શ્રદ્ધામાં, પરમપુરુષના ઉપકારની સ્મૃતિમાં, તેની આજ્ઞા “સહજાત્મસ્વરૂપ પરમગુરુ'' છે તેમાં વૃત્તિ રાખવી એ સમાધિમરણનું કારણ અને ખરી મુમુક્ષુતા છેજી. પરમકૃપાળુદેવની આજ્ઞા જેને શિરસાવદ્ય છે, માથે રાખી છે તેના વાંકે વાળ થાય તેમ Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ બેધામૃત નથી. ગમે તે ગતિમાંથી તેને મોક્ષમાર્ગ ચઢાવી આગળ વધારી ક્ષે લઈ જાય તેવું તેનું ગબળ વર્તે છેજી. આપણા ભાવ તે પ્રવાહમાં વહે તે ફિકર નથી. અનાદિને દેહાધ્યાસ આપણને એવા પ્રસંગે ફસાવવા ફરે તે રયણાદેવી જેવો તેને ગણી તેના તરફ નજર પણ કરવા જેવી નથી. હવે તે “જેમ થાવું હોય તેમ થાજે, રૂડા રાજને ભજીએ.” એને શરણે આટલે દેહ અર્પણ હો! હવે કશું ઈચ્છવું નથી, કશું કરવું નથી, કશું જોઈતું નથી. એને હે તે મને હો! હું કંઈ જાણતો નથી. ધીંગ ધણી માથે કિયા રે કુણ ગંજે નર બેટ, વિમલ જિન, દીઠાં લેયણ આજ, મારાં સીધ્યાં વાંછિત કાજ, વિમલ૦ આત્મા જ્ઞાનીએ જાણ્યા તે છે, તેવું જ મારું સ્વરૂપ છે, તે નિત્ય છે, કર્તા છે, ભક્તા છે, મોક્ષ છે, મોક્ષના ઉપાય સમ્યફ જ્ઞાન, દર્શન અને સર્વભાવથી વિરામ પામવારૂપ સંયમ છે. તેમાં અચળ શ્રદ્ધા મરતી વખતે પણ થઈ શકે. જ્ઞાનીએ એ કહેલું છે તે મારે માની લેવું એ જ ભાવના કલ્યાણકારી છેy. * શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૩૯૬ આહાર, તા. ૧૭-૨-૪૩ નિત્યનિયમમાં વિશેષ ભાવ વર્ધમાન થતા રહે તેવી વિચારણા પૂર્વક ભક્તિ કરતા રહેવા ભલામણ છેજી. સત્સાધનની સફળતાને આધાર ભાવ જી. ભાવની મંદતા માંદગી કરતાં વધારે નુકસાનકારક છે; માટે ઉલાસપૂર્વક રેજ ભક્તિભાવ તથા તે વખત વધારતા રહેવા ભલામણ છે. ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૩૦૭ આહાર, તા. ૧૭-૨-૪૩ શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત વાંચવા-વિચારવાનું તથા સ્મરણ-ભક્તિ વગેરેમાં મન રાખવાનું કરશે તે આત્મહિતનું કારણ છે. કલ્પનાના ઘેડા દોડાવ્યા કરતાં વીસ દોહરામાં જણાવેલા ભાવ હૃદયમાં સ્થિર થાય; હું કંઈ જાણતા નથી પરંતુ પરમકૃપાળુદેવની કૃપાથી તેના ગબળે આ જીવનું કલ્યાણ થાય તેવો યોગ બન્યા છે તે સાર્થક કરી લેવો છે, તેણે આત્મસ્વરૂપ યથાર્થ પ્રગટ કરી ઉપદેશ્ય છે તે પ્રમાણે માન્યતા રાખી તે પરમપુરુષ ઉપર અનન્ય ભક્તિ રાખી આટલે ભવ તેને શરણે જશે તે જરૂર મારું કલ્યાણ થશે એવી શ્રદ્ધા દિનપ્રતિદિન વર્ધમાન અને બળવાન બને તેમ વિચારણા કર્તવ્ય છે. સાચી ઉપાસનાનું ફળ વગર ઈરછ પણ અવશ્ય આવશેજી. વીતરાગ શબ્દ વિષે આપે પૂછ્યું તેના ઉત્તરમાં જણાવવાનું કે જેને રાગ, દ્વેષ અને અજ્ઞાનને નાશ થયે છે તે વિતરાગ છે. શુદ્ધ આત્મા હોય ત્યાં વીતરાગપણું છે. આત્મા મૂળ સ્વરૂપે સર્વ સરખા છે. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રમાં છેવટના ઉપસંહારમાં કહ્યું છે – સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય, | સરુ આજ્ઞા જિનદશા, નિમિત્ત કારણમાંય.” એ શબ્દ સાંભળતાં કે વાંચતાં આપણી દષ્ટિ ક્યાં જવી ઘટે ?” એમ તમારો પ્રશ્ન છે. તેના ઉત્તરમાં જણાવવાનું કે પરમકૃપાળુદેવનાં વચને આપણને જગાડ્યા છે, તેમને વચન Page #414 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૩૯૧ દ્વારા પરિચય કે માહાત્મ્ય આપણને હદયગત થાય તેવું બીજાં નામે દ્વારા થવું મુશ્કેલ છે. બાકી “જીવનકળા”માં, ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીને છેવટે પરમકૃપાળુદેવે જણાવ્યું છે તે, છપાયું છે કે વીતરાગમાં અને અમારામાં ભેદ ગણશે નહીં. તમારો બીજો પ્રશ્ન રૂબરૂમાં ચર્ચે સમાધાન થાય તેમ છે. હાલ તે ત્યાગ વૈરાગ્યની વૃદ્ધિ થાય અને જિજ્ઞાસા વર્ધમાન થાય તેવી ગ્યતા લાવવા પુરુષાર્થ કર્તવ્ય છે. આત્મા એક છે કે અનેક છે તેની કંઈક તુલના કરવા યોગ્ય શક્તિ થયે, સત્સંગ વિશેષ થયે અને શ્રીમદ્ રાજચંદ્ર પુસ્તક વિશેષ કાળજીથી વાંચે સમજાય તેમ છે. એટલે હાલ ધીરજ રાખી, રૂબરૂમાં સમાગમ સમજાશે એવી ધારણા રાખી પુરુષાર્થ વધાર્યા જવા ભલામણ છે.જી. હાલ જે પુસ્તકો પાસે હોય તે મધ્યસ્થદષ્ટિથી, ત્યાગવૈરાગ્યની વૃદ્ધિને અર્થે વાંચવા-વિચારવાનું કરશે તે સિદ્ધાંતિક વાતો યોગ્યતા આવ્યે સહજ પ્રયાસે સમજાઈ રહેશેજ. ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૩૯૮ અગાસ, તા. ૨૧-૨-૩ અચિંત્ય તુજ માહાભ્યને, નથી પ્રફુલ્લિત ભાવ; અંશ ન એકે નેહને, ન મળે પરમ પ્રભાવ.” વિ. આપે શંકા લખી કે “મહાત્મા વાસુદેવ” એમ કહ્યું અને ‘પરમ મહાત્મા ગાંગનાઓ' કહી છે તેનું શું કારણ? તેના ઉત્તરમાં જણાવવાનું કે હવે પત્રાંક ૨૨૩ માં સુધારે કરેલ છે તેમાં પરમ મહાગ્યા ગોપાંગનાઓ મહાત્મા વાસુદેવની ભક્તિમાં’ એમ છાપેલું છે. તે એમ સૂચવે છે કે પરમ માહાસ્ય જેમને સમજાયું છે એવી પરમ મહામ્યા ગોપાંગનાઓ, પણ માહાભ્ય તે શ્રી વાસુદેવનું જ છે, તેથી શ્રી વાસુદેવ મહાત્મા છે અને તેમનું માહાસ્ય સમજનાર પરમ મહાભ્યા અથવા પરમ ભક્તિવંત છે એમ સમજવા યોગ્ય છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૩૯૯ ઈડર, તા. ૧૫-૩-૪૩ તત્ સત્ ફાગણ સુદ ૯, સોમ, ૧૯૮૯ આપનું કાર્ડ મળ્યું. આપની ભાવના હાલને નવરાશને વખત સત્સંગમાં ગાળવા જાણી સંતેષ થયો છેજ. વિનંતી કે હોળી સુધી અહીં રહેવા વિચાર છે ત્યાં સુધીમાં અહીં આવવું હોય તે આ રમણીય ક્ષેત્રની યાત્રા થશે. “જીવનકળા”માં જે વર્ણન છે તે સ્થળો પ્રત્યક્ષ જોવા અહીં મળશે. પર્વત ઉપર ગરમી નથી, પવન ખૂબ રહે છે. સત્સંગ, એકાંત, વિચારને અનુકૂળ સ્થળ જાણી આજથી અઠવાડિયા સુધી અહીં રહેવાનું રાખ્યું છે. આપને જેમ અનુકૂળ આવે તેમ કરશે. ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૪૦૦ અગાસ, તા. ૭-૪-૪૩ તત સત ચૈત્ર સુદ ૪, ગુરુ, ૧૯૯૯ ધીરજ ન રહે એવા પ્રકારની તમારી સ્થિતિ છે, તેમ છતાં ધીરજમાં એક અંશનું પણ ન્યૂનપણું ન થવા દેવું તે તમને કર્તવ્ય છે; અને એ યથાર્થ બોધ પામવાને મુખ્ય Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૯ર. બેધામૃત માર્ગ છે. કોઈ પણ પ્રકારે ભવિષ્યને સાંસારિક વિચાર છેડી વર્તમાનમાં સમપણે પ્રવર્તવાને દઢ નિશ્ચય કર એ તમને યોગ્ય છે, ભવિષ્યમાં જે થવા ગ્ય હશે તે થશે, તે અનિવાર્ય છે, એમ ગણું પરમાર્થ પુરુષાર્થ ભણું સન્મુખ થવું યોગ્ય છે... લજજા અને આજીવિકા મિથ્યા છે. કુટુંબાદિનું મમત્વ રાખશો તે પણ જે થવાનું હશે તે થશે. તેમાં સમપણું રાખશે તે પણ જે થવા યોગ્ય હશે તે થશે; માટે નિઃશંકપણે નિરભિમાની થવું યોગ્ય છે. સમપરિણામે પરિણમવું ગ્ય છે, અને એ જ અમારે બેધ છે. આ જ્યાં સુધી નહીં પરિણમે ત્યાં સુધી યથાર્થ બોધ પણ પરિણમે નહીં.” (૩૭૪) ૫. ઉ. પ્રભુશ્રીજીને બોધ તથા સમાધિ-પાનમાંના પત્રો આદિ વાંચતા રહેશે અને સમભાવ બને તેટલે રાખશે તે ધર્મધ્યાનમાં વૃત્તિ રહેવા સંભવ છે. બાકી સંસાર તે ક્લેશરૂપ છે, તેની નિવૃત્તિ વારંવાર ચિંતવી સત્સંગને જેગ બને તેટલે મેળવતા રહેવા ભલામણ છેજ. સમજાય, ન સમજાય તે પણ જ્ઞાની પુરુષોના વચનમાં વૃત્તિ જોડી રાખવાને પુરુષાર્થ કરતા રહેશો; તેનું ફળ અલૌકિક આવશે. કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવું ગ્ય નથી. આપણું ધાર્યું થતું નથી તે પ્રગટ દેખાય છે, તે જે થાય તે હેગ્યે જ થાય છે, એમ જ થવાનું ભગવાને દેખેલું હશે તે તેમ જ થયું, એમ ગણી ઈચ્છાઓ રોકી સ્મરણમંત્રનું આરાધન કર્યા કરવું યોગ્ય છે. છત્રીસ માળાને કમ ચાલુ હશેશાંતિ, સમાધિ, ભક્તિ, વાંચન, વિચારમાં વધારે કાળ ગાળતા રહેવા ભલામણ છે. અહીં જેમ ક્રમવાર ભક્તિમાં વખત જતા તેમ ત્યાં પણ પુસ્તકને આધારે, ચિત્રપટના અવલંબને પરમકૃપાળુદેવનાં વચનમાં તલ્લીનતા રહે અને વૃત્તિ સાંસારિક પ્રસંગમાં ન ભટકતી રહે તેવી કાળજી રાખી મનને વારંવાર ધર્મની પ્રવૃત્તિમાં જોડવા ભલામણ છેજ. જ્ઞાની પુરુષોએ કહેવામાં કચાશ નથી રાખી, આ જીવે કરવામાં કચાશ રાખી છે; તે હવે દૂર કરી, સાચા પુરુષનું શરણું આ ભવમાં મળ્યું છે તે સાચા થઈ તે મરતા સુધી પકડી રાખવું છે, અને આત્મહિત અર્થે જ જીવવું છે, એ દૃઢ નિશ્ચય કરી તેમ વર્તતા રહેવાનું છે. ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૪૦ અગાસ, તા. ૧૦-૪-૪૩ તત્ સત્ ચૈત્ર સુદ ૬, શનિ, ૧૯૯૯ આત્મપરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થકર સમાધિ કહે છે.” (પ૬૮) “છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપગી સદા અવિનાશ-મૂળ૦ એમ જાણે સદ્દગુરુ-ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ–મૂળ જે જ્ઞાન કરીને જાણિયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત—મૂળ૦ કહ્યું ભગવતે દશન તેહને રે, જેનું બીજું નામ સમકિત-મૂળ૦” (૭૧૫) વસ્તુ વિચારતા ધ્યાવતે, મન પામે વિશ્રામ રસ સ્વાદત સુખ ઊપજે, અનુભવ યાકે નામ.”—બનારસીદાસ તમે પુછાવેલ કડીઓને પરમાર્થ ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ અને સત્સંગને વિશેષ પરિચય થયે હદયગત થાય તેમ સમજાય છેછે. તેમ છતાં હાલ તમારા ચિત્તને સંતેષ થવા અર્થે Page #416 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૩૭ ભાવારૂપ અર્થ કઈક આ પત્રને મથાળે અને અલ્પાંશે નીચે જણાવ્યેા છે, તે વિચારી પરમપુરુષ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુની અલૌકિક દશા તેમનાં અમૂલ્ય વચનામૃતાના વાંચન દ્વારા હૃદયમાં ચિંતવતા રહેશે। તેા આપની મનેાવાંછિત ભાવના પરમકૃપાળુ યથાઅવસરે પૂર્ણ કરશેજી. આચાર્ય શ્રી અમિતગતિકૃત સામાયિક પાઠમાંની કડીઓને ભાવાર્થે “જેનું સ્વરૂપ સમાય છે, સજ્ઞાન દર્શીન યાગથી, ભંડાર છે આનંદના જે, અચળ છે વિકારથી; પરમાત્મની સંજ્ઞા થકી, ઓળખાય જે શુભ ધ્યાનમાં, તે દેવના પણ દેવ વ્હાલા, સિદ્ધ વસને હૃદયમાં.” ૧૩ - ભાવાર્થ — દેહને જ પેાતાનું સ્વરૂપ માનનાર અહિરાત્માને ઉદ્દેશીને તેને પરમાત્મસ્વરૂપનું ભાન થવા શ્રી આચાર્ય પ્રાથનારૂપે કહે છે કે જે સ્વરૂપ સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શનની પ્રાપ્તિથી (યાગથી = પ્રાપ્ત થવાથી) સમજાય છે, તે આત્મસ્વરૂપ અનંત સુખ (આનંદના ભંડાર) રૂપ છે, તથા તને અત્યારે જે જે પ્રસ`ગે, જે જે નિમિત્તોમાં વિકારભાવ થાય છે, તેવા પ્રસ`ગે અથવા કોઈ પણ નિમિત્તે જેના આત્મામાં વિકાર થાય તેવાં કર્મ રહ્યાં નથી, પરંતુ અચળ, સ્થિરરૂપ, અસગ પરમાત્મા છે. જ્યારે મન અને ઇંદ્રિયાની પ્રવૃત્તિ તદ્ન રાકાઈ જાય ત્યારે જે જ્ઞાતા, દ્રષ્ટા, નિર્વિકાર આત્મા શુદ્ધસ્વરૂપે સમજાય છે, તે પરમાત્માના નામ(સ'જ્ઞા)થી ઓળખાય છે. તેને સ્વના દેવા પણ પરમ દેવ માની પૂજે છે. તે પ્રેમમૂર્તિ, પ્રિયતમ સિદ્ધભગવાન મારા હૃદયમાં સદાય વસજો એવી વિનતી છેજી. “હું માગતા નહિ કાઈ આસન, દ` પૃથ્થર કાષ્ઠનું, મુજ આત્મના નિર્વાણ કાજે, ચેાગ્ય આસન આત્મનું; આ આત્મવિશુદ્ધ ને, કષાય દુશ્મન વિષ્ણુ જો, અમૂલ્ય આસન થાય છે, શુભ સાધવા સમાધિ તા.” ૨૨ ભાવાર્થ - અડાલ આસન ને મનમાં નહીં ક્ષેાભતા, પરમ મિત્રના જાણે પામ્યા યાગ જો. - અપૂર્વ અવસર એવે કયારે આવશે.’’ દાલનું આસન પાથરી, કોઈ ઊભા ઊભા કે કોઈ પદ્માસન વાળી ધ્યાન સમાધિ લગાવે છે, પણ શ્રી આચાર્ય કહે છે કે દાભના, પથ્થરના કે પાટ વગેરે લાકડાના આસનની મારી માગણી નથી. મેાક્ષની જેને ઇચ્છા છે તેણે તે આત્માને આત્મામાં સ્થિર કરવારૂપ આસન લેવું પડશે. જે પદાર્થા ઇંદ્રિયાથી જણાય તેમાં રાગ, દ્વેષ અને માહુ નહીં કરવાથી મન સ્થિર થાય છે. તે જ ખરું આસન છે. રાગદ્વેષ અજ્ઞાન એ, મુખ્ય કમની ગ્રંથ; થાય નિવૃત્તિ જેથી, તે જ મેાક્ષના પથ.” એમ આત્મસિદ્ધિમાં કહ્યું છે તેમ, કર્મ ન બ ંધાય તેમ રહેવાય તે ખરું આસન કે ધ્યાન છે અને તે મેાક્ષનું કારણ છે. કષાય = ક્રોધ, માન, માયા, લાભ. “જ્ઞાનમય વિશુદ્ધ આત્મસ્વ-આત્મથી જોવાય છે, શુભ યાગમાં સાધું સકળને, અનુભવ આ થાય છે; નિજ આત્મમાં એકાગ્રતા, સ્થિરતા વળી નિજ આત્મમાં, અખંડ સુખને સાધવા તું, આત્મથી જે આત્મમાં.” ૨૫ ભાવાર્થ - દેવતા ચીપિયા વડે પકડાય છે તેમ આત્મા આત્માથી (જ્ઞાનથી) ગ્રહણ થાય છે. ઇંદ્રિયા કે મન વડે તેને અનુભવ થતા નથી. દેહાદ્ધિ પદાર્થાથી ભિન્ન આત્મા સદ્ગુરુના Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ બોધામૃત બેધે સમજી, અંતમું પ્રવૃત્તિના અભ્યાસરૂપ યોગે એટલે અંતરાત્મા થઈ પરમાત્માની ભાવના કે તેમાં તલ્લીનતા સ્થિરતારૂપ ભેગથી મહાત્માઓ પરમાત્મપદ પામે છે. પરભાવથી છૂટી સ્વભાવમાં સ્થિર થતાં અખંડ સુખ સધાય છે. “આ આત્મ મારે એક ને, શાશ્વત નિરંતર રૂ૫ છે, વિશુદ્ધ નિજ સ્વભાવમાં, રમી રહ્યો છે નિત્ય તે વિશ્વની સહુ વસ્તુનો નિજ કમ ઉદ્દભવે થાય છે, નિજ કમથી વળી વસ્તુને, વિનાશ વિનિમય થાય છે.” ૨૬ ભાવાર્થ – આ કડીનું સંસ્કૃત ઉપરથી ગુજરાતી કરતાં ક્લિષ્ટતા થઈ ગઈ છે. મૂળ ગાથામાં એમ ભાવ છે કે મારે આત્મા નિર્મળ, શાશ્વત, જ્ઞાનસ્વરૂપ છે; બીજા બધા ભાવે બાહ્ય છે, અનિત્ય છે, કર્મથી થયેલા વિભાવ ભાવ છે, સ્વભાવરૂપ નથી. ગુજરાતી કરનાર ગૂંચાઈ ગયે છે તેથી લખે છે કે મારો આત્મા એક છે, નિત્ય છે, નિર્મળ સ્વભાવી છે. કમથી –મોહનીય આદિ કર્મના વિકલ્પથી સંસાર ઊભે થાય છે અને કર્મથી – પુણ્યપાપથી સારી બેટી વસ્તુઓ મળે છે અને નાશ પામે છે. પણ પહેલાં જણાવેલ અર્થ સરળ અને શુદ્ધ છે. શાંત ચિત્તે વાંચશે તે ચારે કડીઓ ઉપર જણાવેલા અર્થની મદદથી સમજાશે, કંઈક અંતવૃત્તિ કરવાના ભાવ થશે; બીજી કડાકૂટમાંથી મન પાછું પડશે. કરવાનું એક જ છે: જગતનું વિસ્મરણ કરવું અને સના ચરણમાં ચિત્ત રાખવું. પરમકૃપાળુદેવ પ્રત્યે, તેનાં વચન પ્રત્યે, તેના વચનના આશયરૂપ આત્મા પ્રત્યે પરમપ્રેમ જાગે એવી વૃત્તિ રાખતા રહેવા વિનંતી છે. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૪૨ અગાસ, તા. ૧૦-૪-૪૩ તત્ સત્ ચૈત્ર સુદ ૬, શનિ, ૧૯૯૯ પરમ ઉપકારી અહો ! રાજચંદ્ર ગુરુદેવ; જેને શરણે જીવતાં, ટળતી ભવ-ભ્રમદેવ. “પ્રભુભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન, પ્રભુ મેળવવા ગુરુ ભગવાન; ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય, તે ઊપજવા પૂર્વિક ભાગ્ય. તેમ નહીં તે કંઈ સત્સંગ, તેમ નહીં તે કંઈ દુઃખરંગ. સમજણ બીજી પછી કહીશ, જ્યારે ચિત્ત સ્થિર થઈશ.” (૧૦૭) પ્રશ્ન- “સપુરુષમાં જ પરમેશ્વરબુદ્ધિ એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે અને એ બુદ્ધિ પરમ દૈન્યત્વ સૂચવે છે, જેથી સર્વ પ્રાણી વિષે પિતાનું દાસત્વ મનાય છે.” (૨૫૪) એ વાકથને ભાવાર્થ શો છે? ઉત્તર – કલ્યાણનું કારણ સત્પરુષ, તેનું યથાર્થ ઓળખાણ, તેને બંધ અને તેની શ્રદ્ધા છેછે. એટલે જેના દ્વારા કલ્યાણ થાય એમ છે તે પુરુષની પ્રતીર્તિ, અત્યંત પ્રતીતિ એને જ્ઞાનીઓએ પરમધર્મ અથવા સમકિત કહ્યું છે. “સ્વચ્છેદ મત આગ્રહ તજી, વર્તે સદ્દગુરૂલક્ષ સમકિત તેને ભાખિયું કારણ ગણી પ્રત્યક્ષ.” “બીજું કાંઈ શોધ મા. માત્ર એક પુરુષને Page #418 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૩૯૫ શોધીને તેના ચરણકમળમાં સર્વ ભાવ અર્પણ કરી દઈ વત્યે જા. પછી જે મોક્ષ ન મળે તે મારી પાસેથી લેજે.” (૭૬) આટલે ભાર દેવાનું કારણ, તે જ પ્રથમ પ્રાપ્ત કરી પરમ પ્રેમે ઉપાસવા યોગ્ય છે. તેમાં વિન્ન કરનાર “માનાદિ શત્રુ મહા” છે. તે કેમ ટળે? “જાતાં સદ્દગુરુ શરણમાં અલપ પ્રયાસે જાય.” તે શરણ જીવ કયારે શોધે ? પિતે “અધમાધમ અધિક પતિત સકળ જગતમાં હુંય, એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શુંય ?” આવી લઘુતા ધારણ કરે તે જ અચિંત્ય માહાભ્ય પુરુષનું લાગે. પુરુષને પુરુષરૂપે એટલે પરમેશ્વરતુલ્ય ગણે તે જ પિતાનું અહંપણું ટળે, “અહંભાવથી રહિત થાય. પરમેશ્વર તુલ્ય પુરુષને જે માને છે તે, પુરુષનાં અંતઃકરણ કેટલાં નમ્ર હોય છે તે પણ જાણી જાય છે. આખા જગતના દાસ થવાને તે ઈચ્છે છે, તે તેને ભક્ત સર્વ પ્રાણ પ્રત્યે દાસભાવ કેમ ન રાખે ? સદ્દગુરુના ઉપદેશ વિના અને જીવની સત્પાત્રતા વિના એમ થવું અટકર્યું છે.” (૪૭) “વીતરાગને કહેલે પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે એવો નિશ્ચય રાખ. જીવના અનધિકારીપણને લીધે તથા સત્પષના વેગ વિના સમજાતું નથી.” (૫૦૫) અનંતકાળમાં આ પેગ સાથે મળી ન આવ્યું. કઈ વખતે જીવને આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવા તીવ્ર જિજ્ઞાસા જાગી હશે, યેગ્યતા મેળવી હશે, પણ સત્પરુષના યુગ વિના તે યોગ્યતા કોઈ કારણે લૂંટાઈ ગઈ હશે; કોઈ વેળા સત્પરુષને વેગ પૂર્વના પુણ્યાનુબંધી પુણ્યના ઉદયે મળી આવ્યું હશે, ત્યાં જીવની યોગ્યતા વિના કે શિથિલતાને લઈને નિષ્ફળ વહ્યો ગયેલે, પણ બન્ને કારણે મળી આવ્યાં હોત તે મોક્ષ જરૂર થયો હોત. વળી પત્રાંક ૧૯૪ માં છે-“હે આયુષ્યમને ! આ જીવે સર્વે કર્યું છે. એક આ વિના, તે શું? તે કે નિશ્ચય કહીએ છીએ કે પુરુષનું કહેલું વચન, તેને ઉપદેશ તે સાંભળ્યાં નથી, અથવા રૂડે પ્રકારે કરી તે ઉઠાવ્યાં નથી. અને એને જ અમે મુનિઓનું સામાયિક (આત્મસ્વરૂપની પ્રાપ્તિ) કહ્યું છે.” એ જ પત્રને મથાળે છે-“ભાવ-અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાનીપુરુષનાં ચરણારવિંદ, તે પ્રત્યે અચળ પ્રેમ (યોગ્યતા-અધિકારીપણું) થયા વિના અને સમ્યફ પ્રતીતિ આવ્યા વિના સસ્વરૂપની પ્રાપ્તિ થતી નથી....એ માર્ગ આરાધ્યા વિના જીવે અનાદિકાળથી પરિભ્રમણ કર્યું છે.” પત્રાંક ૧૯૬ પણ વિચારશોજી. તેમાં પણ જ્ઞાનીની આજ્ઞા અને પ્રતિબંધ ટાળવા પુરુષાર્થરૂ૫ ગ્યતા એ બે કારણે ગણાવ્યાં છે. કલ્યાણ કરવામાં વિજ્ઞરૂપ હોય તે પ્રતિબંધ રાગાદિરૂપ છે, તે ભાવરૂપ પ્રતિબંધ જેને અંતરંગમાં ન હોય તેને બાહ્ય પ્રતિબંધ પ્રારબ્ધ” વહેલાંમડાં દૂર થવા સંભવે છે”. “જ્ઞાની પુરુષને આશ્રય કરવારૂપ ભક્તિમાર્ગ જિને નિરૂપણ કર્યો છે, કે જે માર્ગ આરાધવાથી સુલભપણે જ્ઞાનદશા ઉત્પન્ન થાય છે.” (૫૭૨) પત્રાંક ૫૬૦, ૫૭૨, ૬૪૭, ૫૭૫, ૮૧૭ અને પર૧ વિચારશોજી. કાળજીપૂર્વક શંકાઓની નેટમાં જુદી નોંધ રાખતા જઈ વચનામૃત વાંચતા રહેવાથી ઘણી શંકાઓ પરમકૃપાળુદેવના પત્રો દ્વારા ટળી જવા સંભવ છેજી. હાલ નહીં સમજાય તે આગળ ઉપર વિશેષ વિચારે સમજાવા યોગ્ય છેજી. માટે મૂંઝાયા વિના સપુરુષનાં વચનને અભ્યાસ નિયમિત કરતા રહેવા ભલામણ છે. Page #419 -------------------------------------------------------------------------- ________________ બેધામૃત ટૂંકામાં આપણને જે આજ્ઞા મળી છે તેનું આરાધન વિશેષ વિશેષ થશે તેમ તેમ વિશેષપણે નિર્મળ વિચાર થશે અને નથી સમજાતું તે સમજાતું જશે, એટલું ખાસ સમજવા યોગ્ય છે. છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૪૦૩ અગાસ, તા. ૧૫-૪-૪૩ “હું પામર શું કરી શકું? એ નથી વિવેક ચરણશરણ ધીરજ નથી, મરણ સુધીની છે.” આપની ધર્મભાવના જાણી સંતોષ થયે છેજ. ધર્મપ્રયત્નમાં કેઈના તરફ દષ્ટિ કરી બીજાની દશાની સાથે પોતાની સરખામણી કરવા ગ્ય નથી. પૂર્વે કરેલાં કર્મોનું ફળ અત્યારે દેખાય છે. વર્તમાનમાં મંદ કષાય આદિ વર્તતાં હોય તે વિચારવાની હોય તેને જ સમજાય તેમ છે. પણ પિતે પિતાના દેશે જોઈ તે દોષ કાઢવા કે પ્રયત્ન કરે છે તેની પિતે સંભાળ રાખતા રહેવી ઘટે છે. બીજાની સાથે મેળ મળે તેમ નથી. આપણને જાગૃતિ રહે અને આગળ વધવામાં બળ મળે તે અર્થે બીજાના ગુણ જોઈ રાજી થવું, પિતે તે થવા પ્રવર્તવું, સંયમ આદિની અભિલાષા રાખવી, પણ ખેદ કરી અટકી રહેવા જેવું નથી. યોગ્યતા વધે તેને માટે પુરુષાર્થ, કાળજી, વિચાર વિશેષ કર્તવ્ય છે. “યા માવના વય, સિદ્ધિર્મવતિ તાદૃશ” જેની જેવી ભાવના તેવી તેને સિદ્ધિ મળે છે. “ખેદ નહીં કરતાં શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં એક્ષપાટણ સુલભ જ છે” (૮૧૯) એમ પરમકૃપાળુદેવે કહ્યું છે તે પત્ર વારંવાર વિચારવા ભલામણ છે. બીજું, ચૈત્ર વદ ૫ એ પરમકૃપાળુદેવના દેહવિલયની તિથિ મહાપર્વરૂપ છે. તે દિવસે અવકાશ લઈ, બને તે ઉપવાસ આદિ સંયમભાવ સહિત ભક્તિમાં તે દિવસ-રાત્રિમાંથી યથાશક્તિ વખત બચાવી આત્મહિત સાધી લેવા પુરુષાર્થ કર્તવ્ય છે. “આલોચનાદિ પદસંગ્રહમાં વિરહનાં પદો છે તે, તે દિવસે અહીં ગવાશે. આત્મસિદ્ધિ તથા જીવનકળા આદિમાંથી અવકાશ પ્રમાણે વાંચી-વિચારી આત્મભાવના જાગ્રત-પુષ્ટ થાય તેમ કર્તવ્ય છેજ. સત્સંગી ભાઈબહેનને યોગ છે તે સમૂહમાં ભક્તિ કર્તવ્ય છે. તેમ ન બને તે વ્યક્તિગત પુરુષાર્થ તે ચૂકવા યોગ્ય નથી. એ જ વિનંતી. તેની નિષ્કારણ કરુણને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે એવા સર્વ સત્પરુષે તેના ચરણારવિંદ સદાય હૃદયને વિષે સ્થાપન રહે !” (૪૯૩) | # શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૨૪-૪-૪૩ તત્ ૩ સત્ ચૈત્ર વદ ૪, શનિ, ૧૯૯૯ આપની ભાવના આશ્રમમાં આવવાની અને કંઈ લેભ છેડવાની રહે છે એમ જાણી શુભ ભાવના પૂરતે સંતેષ થયે છેજ. પણ આ મનુષ્યભવમાં જેને સદ્દગુરુનો યોગ થયે છે, તેની આજ્ઞા ભક્તિ સ્મરણમંત્ર આદિ રૂપે પ્રાપ્ત ધંઈ છે તેણે આવા પ્રસંગે આત્મકલ્યાણ અર્થે પરમ ઉપકારી પરમકૃપાળુદેવનું એક શરણ, તેને જ આશ્રય, તે જ વીતરાગતા, શુદ્ધ સ્વરૂપ અને અલૌકિક દશામાં જ વૃત્તિ નિરંતર રાખવા યોગ્ય છેજી. વારંવાર પ. પૂ. પ્રભુશ્રીજી કહેતા Page #420 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૩૯૭ કે તેની (પરમકૃપાળુદેવની) ભક્તિ કરનારને વાંકે વાળ થવાને નથી. એક પરમકૃપાળુદેવને આશ્રયે આટલું આયુષ્ય ગાળવું છે અને તેને જ આશ્રયે દેહ છોડે છે, એ નિશ્ચય મુમુક્ષુએ અંતકાળ સુધી ટકાવી રાખવાનો છે. તે પરમજ્ઞાની પુરુષે જાણે છે તે મારો આત્મા છે, તેની મને અત્યારે ખબર નથી, પણ મારે તેણે જાણે છે તેવા આત્મા સિવાય બીજે ચિત્ત રાખવું નથી, બીજી કઈ ચીજ ઉપર તેથી વિશેષ પ્રેમ થવા દેવું નથી. આત્મા સિવાય કંઈ જોઈતું નથી, ઈચ્છવું નથી, દુઃખથી ગભરાવું નથી, મરણથી ડરવું નથી, કોઈ પ્રત્યે રાગ કે કઈ પ્રત્યે કિંચિત્ દ્વેષ રાખ નથી એવી જ્ઞાનીની આજ્ઞા મને અંતકાળ સુધી ટકી રહે. કઈ પણ કારણે આ સંસારમાં લેશિત થવા યોગ્ય નથી.” (૪૬૦) જે દુઃખ આવે છે તે જવા માટે આવે છે. ભલે હાલ છે તેથી વધારે આવે તે પણ મારે ગભરાવું નથી. (અપૂર્ણ) ૪૦૫ અગાસ, તા. ૨૪-૪-૪૩ તત્ સત ચિત્ર વદ ૪, શનિ, ૧૯૯૯ ઠગાયે આજ સુધી અત્યંત, હવે તે માફ કરો ભગવંત; બોટાં ખાતાં ખતવ્યાં મેં તે, જૂઠો રાખો હિસાબ રકમ શરર ખાતાની માંડી, આત્મા ખાતે સાફ ઠગા સદ્ગુરુ સમીપ ગણ્યા ના તેથી, માયા લાંબી ચાલી, હવે હાજરી હરદમ ગણીને, વૃત્તિ અંતર વાળી. ઠગાઇ આપની ભાવના જાગૃતિ અર્થે જાણી સંતેષ થયે છેજ. ઘણા દિવસ પ્રતિક્રમણ કર્યા છતાં જીવ પાછા ફરતે નથી, અંતવૃત્તિ શખતા નથી. જે સહવાસ સગાંવહાલાંને ઈરછે છે તેવો સહવાસ સદગુરુ પ્રત્યેને સમજાતું નથી. પિતાની હાજરી પ્રગટ ભાસતી નથી, તે તેને વિયેગ ક્યાંથી ચાલે? તે પછી જેને પ્રાર્થના કરીએ છીએ તેની હાજરી કે વિયાગ ક્યાંથી લાગે? બહિરાત્મભાવના ભાર નીચે જીવ દબાયો છે, તેને હલ કરવા પરોક્ષપણે પણ આત્મપ્રતીતિ કરવી જરૂરી છે. “નિરંતર ઉદાસીનતાને કમ સેવ” (૧૭૨) આદિ જ્ઞાની પુરુષનાં વચને વિચારી, આ જીવે હાલ સુધી કરવા ગ્ય કંઈ કર્યું નથી, માત્ર ઠગાતે આવે છે તે આત્મવંચનામાંથી જીવ હવે જાગે, સત્ય સન્મુખ થાય, સાચી આત્મઅર્પણતા સમજે અને આદરે એવી વિચારણામાં પ્રયત્નપૂર્વક વર્તવું ઘટે છે. બહિરાતમ તૐ અંતર આતમા, રૂપ થઈ થિર ભાવ સુજ્ઞાની, પરમાતમનું હો આતમ ભાવવું, આતમ અર્પણ દાવ સુજ્ઞાની; આતમ અર્પણ વસ્તુ વિચારતાં, ભરમ ટળે મતિ દોષ સુજ્ઞાની, પરમ પદારથ સંપત્તિ સંપજે, આનંદઘન રસ-પોષ સુજ્ઞાની.” નીચેનો ફકર બળવીર્ય ફુરવા અર્થે વારંવાર વિચારવા યોગ્ય છે? “જે આપણે પ્રાર્થનાની સફળતાને સાક્ષાત્કાર કરવા ઈચ્છતા હોઈએ તે આપણામાં અખૂટ ધીરજ હોવી જોઈએ. અસંખ્ય મુનિઓ, રષિઓ, ઓલિયાઓએ પોતાની શ્રદ્ધાના બળ વડે પ્રાર્થનામાં લેહીનાં આંસુ ઢળ્યાં છે, હાડકાની અને માંસની સૂકવણી કરી છે. આપણા Page #421 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ બેધામૃત રસ્તામાં કાદવ, કીચડ, જંગલ, ઘોર અંધારું, ઝાંખરાં, પહાડે, ખાઈએ, વાઘ, વરુ, અનેક જાતના ભય અને ત્રાસ આવવાના જ છે, તેમ છતાં નામ ન થઈએ અને એ બધી મુસીબતેની સામે થવાની હિંમત કેળવવી રહેલી છે. પ્રાર્થનામય પુરુષના શબ્દકોશમાં “પાછા હઠવું,” હાર ખાવી, પલાયન કરવું” એવી વસ્તુ જ નથી.” ભક્તિ શીશતણું સાટું, આગળ વસમી છે વાટું.” સદ્દગુરુ-શરણ સાચા અંતઃકરણે સ્વીકારાય તેટલી માર્ગનિકટતા છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૪૦૬ અગાસ, ચૈત્ર વદ ૧૪, ૧૯૯૯ આત્માનું હિત કરવાને અનુપમ યોગ, સામગ્રી પૂર્વ પુણ્યથી આ ભવમાં મળી આવ્યા છતાં જીવ જે મામૂલી બાબતે માટે તે બેઈ નાખશે તે આખરે પસ્તાવું પડશે. માટે બાઈ ભાઈ જે જે સમજી શકે તેવા હોય તેમણે સત્પરુષે આપેલા મંત્ર સ્મરણ, ભક્તિભાવમાં ચિત્ત વિશેષ વિશેષ પરાવતા રહેવાની ટેવ પાડી મૂકવા ગ્ય છે. બધા મુમુક્ષુજને ભક્તિ કરતા હોય તે વખતે બને તે સત્સંગ, વાચન, ભક્તિનો લાભ લે. તે ઉપરાંત પણ એટલે વખત મળે તે ધન આદિ કરતાં અનંતગણે કીમતી અમૂલ્ય ગણી સત્સાધનમાં જેડ. પ્રમાદ, ઊંઘ, વિલાસ, દેશકથા કે શિથિલતામાં કાળ વહ્યો ન જાય તેની વિશેષ કાળજી રાખવા, ચેતતા રહેવા ભલામણ છે. આયુષ્યને ભરોસે નથી, લીધે કે લેશે એમ થઈ રહ્યું છે, ત્યાં પરભાવ અને પરકથામાં વાપરવાને વખત સાચા મુમુક્ષુના હાથમાં ક્યાંથી હોય ? ગમે તે રીતે પણ યોગ્યતા વધે તેવી પ્રવૃત્તિમાં સત્સંગના વિયોગે વર્તવું ઘટે. તે જ સત્સંગે વિશેષ લાભ થવા સંભવ છેછે. અગાસ, તા. ૫-૫-૪૩ અનુબ્રુપ – ચારે અંગેય દુષ્માણ્ય, જીવને જગમાં બહ; મનુષ્યત્વ, કૃતિ, શ્રદ્ધા, સંયમે વીર્ય જાગવું. અવકાશ મળી શકે અને રજા લઈ શકાય તે વૈશાખ સુદ ૮-૯ બે દિવસ ભક્તિના અહીં ગાળવા જેવા છે.જી. વાવેલાં બીજ વરસાદ વિના ઊગતાં નથી કે ઊગ્યાં હોય તે કરમાઈ જાય છે, તેમ સત્સંગના વિરહમાં તમે પત્રમાં વર્ણવી તેવી જીવની દશા થઈ જાય છે તે સાવ સમજાય તેવી વાત છે. પણ તેને ઉપાય કરવા જીવ પુરુષાર્થ ન કરે ત્યાં સુધી ઊંધા તને વશ થઈ પિતે પિતાને શત્રુ બની, આત્મઘાતના મહા પાપને આચરનાર આતતાયી બને છે. આ જીવ કુતર્કથી, સ્વછંદથી કે કુગુરુની શિખામણે અનંતકાળ સુધી રખડ્યો, તોપણ થાકયો નથી. ઇદ્રિના વિષયમાં મીઠાશ છે, ત્યાં સુધી મન બધા વિચાર કરીને પાછું ઇંદ્રિય સુખને જ ઈષ્ટ ગણી તેની અનાદિની ઊંધી દોડમાં ઘાંચીના બેલની પેઠે ફેરવ્યા જ કરે છે. “મોક્ષમાળા'માંથી શિક્ષાપાઠ ૬૮ (જિતેન્દ્રિયતા વિષે વારંવાર વાંચી મુખપાઠ કરી તેના રહસ્યને હૃદયમાં સ્થિર કરવા ભલામણ છે. “સુખ વિષે વિચારના છ ભાગ, 'અમૂલ્ય તત્ત્વવિચાર, જિતેન્દ્રિયતા અને બ્રહ્મચર્યની નવ વાડ આ પાઠને એક એકના આધારરૂપ અનુપમ સંકલનામાં ગૂંથેલા છે. તે બધા કાળજીપૂર્વક વાંચી હૃદયમાં તેમાં જણાવેલા ઉત્તમ સારને સ્થાન આપશે, તે Page #422 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૩૯૯ જે શાંતિ તમે ગુમાવી ગણે છે તે ફરી નવપલ્લવિત થતી જણાશે. આઠ દષ્ટિની સઝાયમાં શ્રી યશોવિજયજી લખે છે – “ભી, કૃપણ, દયામણજી, માયી મચ્છર ઠાણ ભવાભિનંદી ભય ભજી, અફળ આરંભ અયાણ મનમોહન જિનજી, મીઠી તાહરી વાણ. એવા અવગુણવંતનુંછ, પદ છે અવેદ્ય કઠોર સાધુ સંગ આગમતણેજી, તે જ ધુર ધેર. મન તે છત્યે સહજે ટળેજ, વિષમ કુતકે પ્રકાર; દૂર નિકટ હાથી હણેજી, જેમ એ બઠર વિચાર. મન” ન સમજાય ત્યાં મધ્યસ્થ રહેવું. કોઈને પૂછવું, આગળ ઉપર વિચારવાનું રાખવું કે પિતાની યોગ્યતાની ખામી છે તે દૂર થયે સમજાશે એટલે વિશ્વાસ રાખવો, પણ ઢયડી જેવી પિતાની કુતર્ક શક્તિને વાપરી ગમે તેવા નિર્ણય ઉપર આવી જઈ ધર્મમાર્ગથી નુકસાન થાય છે એવા વિચારને મનમાં સ્થાન આપવું ઘટતું નથી. સાચું સુખ તે ત્યાગમાંથી તે વૈરાગ્ય વધશે તેમ સમજાશે. પણ ન સમજાય ત્યાં સુધી પોતાની અધમતા આંખ આગળ રાખી ભવભીરુ, પાપથી ડરનાર, અધમાધમ બની જ્ઞાનીની આજ્ઞા સર્વોપરી હિત સાધનાર છે તેમાં મને વર્તવા દે, તેનું સારું જ ફળ આવશે એમ દઢતા વધારવી. ૪૦૮ અગાસ, તા. ૮૫-૪૩ તત છે. સત વૈશાખ સુદ ૪, શનિ, ૧૯૯૯ આપના આત્મહિત કરવાના ભાવ જાણ સંતેષ થયે છેજી અને તેવા ભાવ આપણને બધાંને રહ્યા કરે તે જરૂર કલ્યાણકારી છે. જીવ નિમિત્તાધીન છે, ત્યાં સુધી પિતાને કે પિતાનાં ગણાતાં સંબંધી વર્ગને સારા નિમિત્ત બને તે પ્રકારે વિચારણું, પુરુષાર્થ, પ્રભુ-પ્રાર્થના કર્તવ્ય છે. યાદૃી માવના થી સિદ્ધિર્મવતિ તાકૃશી” જેવી જેની ભાવના તેવી તેને સિદ્ધિ મળે છે. પરમકૃપાળુદેવનાં વચનેમાં આપની વૃત્તિ રહે છે તે પ્રશંસાને પાત્ર છેજ. પિતાની મતિ, બુદ્ધિ, કલ્પના મંદ કરતાં રહી નિર્મળ ભાવે, જે જ્ઞાનીને કહેવું છે તે સમજવું છે અને સમજાય તે પ્રકારે વર્તવું છે, આટલે લક્ષ રાખી પરમપુરુષનાં વચને પ્રત્યક્ષ સન્દુરુષ તુલ્ય સમજી આરાધતા રહેશે તે ગમે તે સ્થળ હિતકારી થવા સંભવ છેછે. આપણી પ્રબળ ભક્તિભાવના જાગી તે તે સમીપ જ છે એમ સમજવું. “આપ સમાન બળ નહીં અને મેઘ સમાન જળ નહીં” એ કહેવત પ્રમાણે પિતાનું કરવા પોતે જ કમર કસીને તૈયાર થવું પડશે, બીજાની મદદ તે પુણ્યદયને આધીન છે જી. પરમકૃપાળુદેવે પિતે કહેલું એક ભાઈ પાસેથી સાંભળ્યું છે કે જે તમે છ આની બળ કરશે તે અમે દશ આની નાખી સોળ આની કરી આપીશું, પણ એટલું તે કરવું જ રહ્યું. “કંઈક આપકા બળ તે કંઈક દેવકા બળ,” એમ પુરુષાર્થ કર્યો સફળતા મળે છેજી. પરમકૃપાળુદેવે એક ભાઈને જેમ બને તેમ વહેલી આરાધના કરતા રહેવા પત્રાંક ૭૦૨ માં જણાવ્યું છે તે વારંવાર વાંચી જે પ્રેરણા મળે તે ગ્રહણ કરવા Page #423 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ મેધામૃત ભલામણ છેજી. પત્રાંક ૮૪૩ મુખપાઠ ન કર્યાં હેાય તે મુખપાઠ કરી, વારવાર વૃત્તિ તેમાં કહ્યા પ્રમાણે રાખવા પુરુષાર્થ ક બ્ય છેજી. મરણની ફિકર કર્યું કંઈ વળે તેમ નથી, તેની તૈયારી કરતા રહેવામાં શૂરવીરપણું છેજી. આલાચનામાંથી ‘વીરહાક’ નામનું કાવ્ય મુખપાઠ કર્યાંથી વિશેષ પુરુષાર્થ જાગે અને આખરે શું કરવું તે તરફ ષ્ટિ દેવાની તેમાં પ્રેરણા છેજી, તે લક્ષમાં લેવા ચેાગ્ય છે. “તારે માથે કાપી રહ્યો કાળ રે, ઊંઘ તને કેમ આવે ? પાણી પહેલાં બાંધી લેને પાળ રે, ઊંઘ તને કેમ આવે?” મારે, તમારે, બધાને જેમ બને તેમ ઉતાવળે, પહેલી તકે આરાધનાનું કામ પ્રમાદ તજી હાથમાં લેવું ઘટે છેજી. બે-ત્રણ વર્ષ તે શું પણ કાળની કેને ખખર છે? માટે વેળાસર ચેતવું. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૪૦૯ તત્ ૐ સત શાર્દૂલ. — “હું પાપિષ્ટ, દુરામ, મદમતિના, માયાવી ને લેાલિયા, રાગ-દ્વેષ ભર્યાં મલિન મનથી, દુષ્કર્મીમાં ડૂબિયે; ત્રેલાવ્યાધિપતિ જિનેન્દ્રપ્રભુના શ્રીપાદ-મૂળે લળી, નિંદાપૂર્ણાંક પાપ દાદા — “દુશ્મન એ હું પરિહરું દુષ્કર્મ જાજો ગળી.’’ દુનિયા વિષે, સૌ સ'સારી સાથે; = રાગ-દ્વેષ એ નામના, જીતે તે જગનાથ.'’ અગાસ, તા. ૧૧-૫-૪૩ વૈશાખ સુદ ૭, મંગળ, ૧૯૯૯ આપના બે પત્રો વાંચ્યા. પહેલામાં ક'ઈક અને ખીજામાં વિશેષપણે વૃત્તિ ક્રોધભાવ તરફ વહે છે એમ જણાવ્યું તે વાંચ્યું, તથા તે દૂર કરવા તમારી શુભ ભાવના છે તે જાણી સ`તેાષ થયા છે કારણ કે એક તેા પેાતાના દોષ દેખવાની ગરજ અથવા તે દેખાય તેવી નિમ`ળતા બહુ એછા માણસામાં હેાય છે. તમને સ્મરણ કરતા રહેવાની ટેવથી તેટલી હૃદયપરીક્ષા કરવાની ચેાગ્યતા તથા દોષને દેષરૂપ દેખી દૂર કરવાની ભાવના તથા ઉપાય પૂછવા જેટલી હિમ્મત, તત્પરતા પ્રગટી છે તે સતેષનું કારણ છે”. મનુષ્યભવની દુ`ભતા જેને જણાય છે તેને માતપિતા પ્રત્યે સહજ ઉપકારબુદ્ધિ ઊગે છે. ચેારાસી લાખ જીવયેાનિએમાં ભટકતાં આ જીવને અન`તકાળથી અનંત દુઃખ ખમવાં પડયાં છે. હવે રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયું, '' માક્ષમાર્ગ દેખી, પૂછી, ખાતરી કરી તે માર્ગે ચાલતાં મેક્ષ પ્રાપ્ત થાય તેવા સુર્યાગ પ્રાપ્ત થયા છે. પૂના સંસ્કારે આ કુળમાં જન્મ પામી સત્સ†ગયેાગ્ય માતાપિતાની કૃપાથી વિદ્યા, સદાચાર, કેળવણી અને કમાણીની જોગવાઈ તથા સત્પુરુષનાં દન, સમાગમ, બેધ અને આજ્ઞાની પ્રાપ્તિ પરમ હિતકારી સમજાયાં છે, તા થાડા પ્રયાસે હાલ જે દાષા દેખાય છે તે દૂર થવા સભવ છેજી. 'માનાદિક શત્રુ મહા, નિજ છંદે ન મરાય; જાતાં સદ્ગુરુ શરણુમાં, અલ્પ પ્રયાસે જાય.” Page #424 -------------------------------------------------------------------------- ________________ પત્ર સુધા તમે હાલ ધર્મપ્રયત્નમાં કેમ વર્તે છે તે વિશેષ વિસ્તારથી જણાવ્યું નથી તેથી ઉત્તર પણ વિગતવાર આપી શક્યો નથી. નિત્યનિયમ તે કરતા હશો અને સ્મરણ અવકાશને વખતે કર્યા કરે છે એમ જણાવ્યું છે. હવે સ્મરણ કેટલી માળાનું થાય છે તેની ગણતરી રાખવા ભલામણ છે. માળા ન રાખો તે આંગળીના વેઢાથી પણ ગણતરી કરતા રહી રોજ કેટલી માળા થાય છે તેની નોંધ ખાનગી નોટમાં રોજ રાખવી. તેથી વધે છે, ઘટે છે કે તેટલી જ માળા થયા કરે છે તે સમજાશે. માળાની શરૂઆતથી અંત સુધી પૂરી માળા ફેરવવાને અવકાશ હોય ત્યારે લક્ષ સ્મરણ ઉપરાંત એક દોષ દૂર કરવાના નિશ્ચયને કે એકાદ ગુણ પ્રગટ કરવાની ભાવનાને રાખો, જેમ કે અત્યારે બે-પાંચ મિનિટ અવકાશ છે તે જરૂર એક-બે માળા ફેરવાશે એમ લાગે ત્યારે પહેલી માળામાં કોધ દૂર કરવાને એટલે કઈ પણ પ્રાણી પ્રત્યે ક્રોધ કરવો. નથી, પ્રાણ લેવા કોઈ અત્યારે આવે તેના પ્રત્યે પણ ક્રોધ કરે નથી, એ નિશ્ચય કે ક્ષમાગુણ પ્રગટ કરે છે એવી ભાવના રાખવી. સામાન્ય રીતે એક મંત્ર બેલા હોય ત્યારે મન ડી વારે બીજી કઈ બાબતમાં ખેંચાઈ જાય છે. મંત્ર ઉપરાંત કંઈક કરી શકે તેવી તેનામાં શક્તિ હોય ત્યારે તે મંત્રને મૂકી દઈને પણ બીજી બાબતમાં તણાઈ જવાની તેની નિર્બળતા દેખી આવી સલાહ જ્ઞાની પુરુષેએ આપી છે કે તેને જરૂર પડે તે આ નક્કી કરેલી બાબત હાથ પર લેવી; પણ ગમે ત્યાં ભટકતું તેને રે કર્યું છે. બીજી માળા ફેરવતાં માન દૂર કરી વિનયગુણ વધારવાના પ્રયત્નમાં જરૂર પડશે રેકવું. ત્રીજીમાં માયા તજી સરળતા ધારણ કરવા, ચિથીમાં લેભ ઘટાડી સંતેષ વધારવા મનને વાળવું. આમ જે તેને કઈ પણ રીતે મંત્ર કે કઈ ગુણના વિચારમાં રોકવા પ્રયત્ન કરી જે તે જરૂર તમે ઈચ્છે છે તેથી સુંદર અને આનંદદાયી ફળ મળશે. આમાં મદદ મળે માટે સમાધિસોપાનમાંથી ઉત્તમ ક્ષમા, માર્દવ, આર્જવ, સત્ય, શૌચ આદિ દશલક્ષણરૂપ ધર્મનું પ્રકરણ છે તે કાળજીપૂર્વક વાંચતા રહેવા ભલામણ છે. નવરાશ હોય તે ઓફિસમાં પણ એકાદ પુસ્તક રાખવું કે લેતા જવું, અને બીજા બીડી, ચા કે ગપ્પાંમાં વખત ગળે ત્યારે આપણે સલ્ફાસ્ત્રમાંથી કંઈક વાંચવું, વિચારવું કે કંઈ ન બને તે સ્મરણમાં મનને જોડવું. જે નવરું મન રહ્યું છે તે નખેદ વાળે તે તેને સ્વભાવ છેછે. “આહાર તે એડકાર” – “અન્ન તેવું મન' એવી કહેવત છે, તે વૃત્તિને ઉશ્કેરે તેવા મસાલા આદિ તામસી ચીજો આહારમાંથી ઓછી થાય તેમ હોય તે તે પણ અજમાવી જેવા ભલામણ છે. આપણાથી બને તેટલે વિચાર કરી મનને સવિચારમાં, ભક્તિ, સ્મરણ, ગોખવામાં કે લખવામાં જોડી રાખવું ઘટે છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ४१० અગાસ, તા, ૨૨-૫-૪૩ તત છે તું વૈશાખ વદ ૩, શનિ, ૧૯૯૯ “અબ તક મેહ્યો દેખતાં, સુંદર જડ-પર્યાય, અધિક અધિક વધી બંધને, થયું ભ્રમણ ભવમાંય. 26 Page #425 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ બોધામૃત જબથી મહ્યો દેખતાં, શ્રીમદ્ સદ્દગુરુરાય; સમય સમય ઘટ બંધને, વિમલ વિમલ છવ થાય.” પરમ અધ્યાતમ લખે, સદ્ગુરુ કેરે સંગ, તિનકે ભવ સફળે હવે, પાકે પ્રગટે રંગ. ધર્મધ્યાન હેતુ તન, શિવસાધન કો ખેત એ અવસર કબ મિલે, ચેત સકે તે ચેત.” “વાણીનું સંયમન એયરૂપ છે, તથાપિ વ્યવહારને સંબંધ એવા પ્રકારને વર્તે છે કે, કેવળ તેવું સંયમન રાખે પ્રસંગમાં આવતા જીવોને લેશને હેતુ થાય; માટે બહુ કરી સપ્રયજન સિવાયમાં સંયમન રાખવું થાય, તે તેનું પરિણામ કોઈ પ્રકારે પ્રેયરૂપ થવું સંભવે છે . જીવનું મૂઢપણું ફરી ફરી, ક્ષણે ક્ષણે, પ્રસંગે પ્રસંગે વિચારવામાં જે સચેતપણું ન રાખવામાં આવ્યું તે આ જગ બને તે પણ વૃથા છે.” – શ્રીમદ્ રાજચંદ્ર (૪૭૯) “દહ જેને ધર્મોપગ માટે છે તે દેહ રાખવા જે પ્રયત્ન કરે છે તે પણ ધર્મને માટે જ છે.” (૩૭) વિ. આપને પત્ર મળે. વાંચી તમારા ભાવ સંતવૃત્તિરૂપ થવાના જાણી તેષા થયે છેજી. પત્રને અંતે જણાવેલી બીને સંબધે થોડું પ્રથમ જણાવી લઉં. ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ આખરે મુમુક્ષુ જીવને તરવાના સાધનરૂપ પરમકૃપાળુદેવની આજ્ઞા જણાવવા સ્મરણ આદિ સત્સાધન બતાવવા – ફરમાવેલું તે આપને જણાવી દીધું છે. તેનું બને તેટલું મહાભ્ય હૃદયમાં રાખી આરાધના કરવાનું છે. ભાઈ, હું તે માત્ર ચિઠ્ઠીને ચાકર છું. ભીડના વખતે તમને કઈ પરોપકારી પુરુષે મારી મારફતે હૂંડી મોકલાવી, તેથી તમને અને વખતે મળેલી મદદથી આનંદ થાય, મારા પ્રત્યે સદ્ભાવ થાય, પણ તેને માલિક હું થવા જાઉં તે દોષિત થાઉં. જેનું ધન છે તેને ધન્ય છે, તેને ઉપકાર વારંવાર હદયમાં રાખી, તેની વાત ગમે ત્યાંથી સમજી આત્મહિત આ ભવમાં કરી લેવું એ જ મારી સવિનય સલાહ છે. પરમકૃપાળુદેવને માનનાર મહાભાગ્યશાળી જીમને હું એક છું, તેની ના નથી, પણ હવે “પરપ્રેમપ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમભેદ સુઉર બસેં” તે અર્થે, પરમકૃપાળુદેવ એ જ આપણા બધાના આધાર છે એટલે લક્ષ વિશેષપણે રાખવા વિનંતી છેજ. કંઈ કામ પ્રસંગે જેમ તમે તમારા મોટા ભાઈને પુછા, ખુલાસે મગાવે તેમ તમને મુઝવણના પ્રસંગે મને ઉકેલ આવે તે પ્રમાણે તમને જણાવવા હરકત નથી. પ. પૂ. પ્રભુશ્રીજીના એક પત્રમાંથી ઉપયોગી ઉતારે ટૂંકામાં આ પ્રસંગે વિચારવા લખું છું? શમભાવ, સમતા, ક્ષમા, સવિચારમાં રહો. કઈ સંકલ્પ-વિકલ્પ ઊઠે કે તરત વૃત્તિ સંક્ષેપી, જે કઈ પ્રત્યક્ષ જ્ઞાની પુરુષોની કોઈ ભાવિક જીવાત્મા પ્રત્યે આજ્ઞા થઈ છે તે, મહામંત્ર કેઈ સત્સંગના યોગે આ જીવાત્માને મળી આવે તે બીજું સર્વ ભૂલી જઈ તેનું જ સ્મરણ કર્તવ્ય છે. તેથી ચિત્ત સમાધિ પામી, વિભાવવૃત્તિને ક્ષય થાય છે. તે કર્તવ્ય છેજી. સર્વ મુમુક્ષુ જીવાત્માને પણ તે જ લક્ષ કર્તવ્ય છેજ.(ઉપદેશામૃત પૃષ્ઠ ૪૪) Page #426 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૪૦૩ મૂળ મારગ સાંભળો જિનને રે, કરી વૃત્તિ અખંડ સન્મુખ-મૂળ” એ પદ “તત્વજ્ઞાનમાં છે તે મુખપાઠ ન કર્યું હોય તે મુખપાઠ કરી લેવા ભલામણ છે તથા તેને વિચારમાં વૃત્તિ જેડી જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ આત્માની વિશેષ વિચારે ઓળખાણ કરી તેમાં આનંદ જીવને આવે તેમ કર્તવ્ય છેજી. હવે સ્વાધ્યાય પૂરો થયા પહેલાં કુદરતી હાજત વગેરેને કારણે તે તૂટક થાય કે કેમ? એવા ભાવને તમે પ્રશ્ન કર્યો છે. તેના ઉત્તરમાં જણાવવાનું કે બનતા સુધી નિત્યનિયમ કરવને વખત એ રાખો કે તેવી હાજતે પતી ગયા પછી અવકાશે ઘડી ચિત્ત સ્થિર થાય તે ધર્મધ્યાનમાં વિક્ષેપ ન પડે, એટલે વીસ કલાકમાંથી ગમે ત્યારે અનુકૂળ વખતે નિત્યનિયમ – વીસ દેહા, યમનિયમ, ક્ષમાપનાને પાઠ – આટલું એકચિત્તે કરી લેવું. પછી માળા દ્વારા મંત્રનું સ્મરણ કરવામાં પણ અમુક માળા અને ઓછામાં ઓછી એક માળા તે નિવિઘ પૂરી થાય તેવી ટેક રાખવી. જે છત્રીસ માળાને ક્રમ રાખ્યું હોય અને આસન બહુ વાર બદલવાની જરૂર ન પડતી હોય તે તેમાં પણ ૧૮ માળા સાથે લગી એક આસને ફેરવવાની રહે તે આસન-જયરૂપ ગુણ થવા સંભવ છે. આ બધું ઉતાવળ કરી કરવું નથી, પણ ક્રમે કમે કરી શકાશે. - હવે નિત્યનિયમ ઉપરાંત મુખપાઠ કરેલાં કે બીજે પરમકૃપાળુદેવનાં વચને વાંચવા, ગોખવા, બોલી જવા કે વિચારવા માટે વખત મળે તે વખતે, કામ હાથમાં લીધું હોય તેમાંથી પેરેગ્રાફ, પાન કે અમુક પદ પૂરું થયે તે કામ પડી મૂકી બીજા કામે જરૂર પડે લાગવું ઠીક છેજ. પણ શરીરની ટટ્ટી આદિ હાજતે ન રેકવાનું શાસ્ત્રમાં જણાવ્યું છે તે પણ લક્ષમાં રાખવું યોગ્ય છે . એટલે ધર્મધ્યાન કરતા પહેલાં વખત નક્કી ન કર્યો હોય કે પરમકૃપાળુ દેવની આજ્ઞા અમુક વખત સુધીની ન લીધી હોય તે તે કામ જરૂર લાગે બંધ કરી બીજા કામમાં ચિત્ત દેવામાં હરકત નથી; પણ વખત એક કલાક કે બે ઘડી નક્કી કરી આજ્ઞા લીધી હોય તે તે પાળવામાં વિશેષ લાભ સમજાય છે. સહનશીલતા, કઠણાઈ વધવાને પ્રસંગ છે. બાકી અમથું પુસ્તક વાંચતાં કે વિચારતાં ગમે ત્યારે તે કામ પડી મૂકવું પડે તે કંઈ બાધ નથી. સહનશીલતા વધારતા રહે તેને સમાધિમરણ કરવામાં સુગમતા થાય છે જી. અત્યારની દશા દેખી નિરાશ થવા જેવું નથી, વૈરાગ્ય અને અભ્યાસથી સર્વ શકય છે. તમારા પિતાના વિચારે ઉદાર છે, મને પણ તે સંમત છે; પણ તમને મનમાં ખેંચ રહેતી હોય કે “અધૂરો અભ્યાસ પડી મૂક નથી”, “હાથમાં લીધું તે કામ પૂરું કરવું તે જ અભ્યાસને બે આવી તબિયતમાં માથે ઉઠાવ, નહીં તે જેમ ઘણું વિદ્યાર્થીઓ ઊઠી ગયા તે ઊઠી જ ગયા છે તેમ વિચાર માંડી વાળવે હોય તે પણ કંઈ ખોટું નથી. વૃત્તિમાં તેનું મહત્ત્વ રહેવું ન જોઈએ. કરવું હોય તે કરી લેવું એટલે તેના વિચાર આવતા મટે અને જે મનમાંથી તે વાત નીકળી ગઈ હોય તે ફરી ઊભી કરવા યોગ્ય નથીજી. હવે તમારા માતાપિતા પ્રત્યે કેમ વર્તવું તે સંબંધી તમને ગૂંચવણ રહે છે તેના ઉત્તરમાં જણાવવાનું કે તેમની સલાહ આપણું હિત કરવાની ભાવનાથી હોય છે. માત્ર તેમની સમજમાં ફેર હેવાથી જુદારૂપે લાગે. જે આપણા ભાવો સ્પષ્ટ તે સમજે તે આપણને દુઃખી Page #427 -------------------------------------------------------------------------- ________________ ४०४ બેધામૃત કરવાનો વિચાર તેમને નથી હોતે, તેથી આપણે કરીએ છીએ તે જ કરવા તે કહે. પણ તેવી સમજ તેમની થાય ત્યાં સુધી આપણે મુશ્કેલી વેઠવાની રહી. એક તો તેમને દેહને મેહ હોય છે તેથી દેહને માટે કાળજી રાખવા કહે. મૌન રાખવાથી તે તેમના વિચારો ફરે એવી અત્યારે તમારી દશા નથી, તેથી તેમના કાનમાં જ્ઞાની પુરુષનાં વચને પડતાં રહે તેવું કંઈક કરવું ઘટે. એટલે તમારે કે તેમને પસંદ પડે તેવા કેઈએ એકાદ કલાક તેમની આગળ વાચન કરવાનું રાખ્યું હોય તે સ્વજને તરફની ફરજ બજાવવા પૂરતે સંતેષ પણ તમને રહે અને તેમને પણ સારું શું છે તેને વિચાર કરવાને અવકાશ પ્રાપ્ત થાય. હાલ તે તમને ઈચ્છા થતી હોય તે મોક્ષમાળાનો એક પાઠ વાંચી તેને ભાવાર્થ, તેમની સાથે વાત કરવાને પ્રસંગ બને ત્યારે જણાવ, કે બાર ભાવના “સમાધિસોપાનમાં છે તેમાંથી થોડું થોડું વાંચી વાતચીતના પ્રસંગોમાં તે ભાવ રેડતા રહેવા ગ્ય છે.જી. અને તેમને એમ થાય કે તમે બે ઘડી વાંચે તો અમે સાંભળીએ, તે પૂ...નાં માતુશ્રી, તમારાં માતુશ્રી, તમારાં ભાભી વગેરેને અનુકૂળ નવરાશને વખત હોય ત્યારે કલાક તે ગામમાં રહેવું બને ત્યાં સુધી ખોટી થાએ તે તેમને રસ પડે તે પછી જેને વાંચતાં આવડતું હોય તેની પાસે પછી વંચાવવાનું તે ચાલુ પણ રાખે. શરીર સાચવવાની વાત કરે તે આપણે જણાવવું કે શરીર પાડી નાખવાના નિર્ણય ઉપર હું આવ્યું નથી, દવા કરવા માટે તે આવ્યો છું; ભક્તિથી શરીર બગડતું હોય તે અગાસમાં બધાંનાં બગડવાં જોઈએ, શરીરને આધારે જ્ઞાનીની આજ્ઞાનું આરાધન આ ભવમાં કરી લેવાને વિચાર છે તેથી તમે કહો છે તેવી સંભાળ તે હું વગર કહે લઉં છું; પણ બાંધેલાં કર્મ ભગવ્યા વિના છૂટકે નથી તે પણ સાંભળ્યું છે તેથી મને વિશેષ લાગતું નથી અને તમે શરીર સુકાતું દેખી શેક કરે છે. આપણાથી બને તેટલું કરીએ, પછી જે થવાનું હશે તે થશે. માટે હવે મને શરીર ન જાણશે; મારા આત્માનું કલ્યાણ થાય તેવી આશિષ આપની પાસે માગું છું અને આપને પણ, મારા અંતરની ઈચ્છા એવી છે કે હવે આત્મા ઓળખવા તથા તેનું હિત સાધવા ભણી તમારી વિશેષ કાળજી થશે તે મને સંતેષ રહેશે. ગમે તે રીતે પણ દેહભાવ ઓછો થાય અને આત્માનો વિચાર થાય, તેનું હિત કરવા જ્ઞાનીઓએ કહ્યું હોય તે આપણે સાંભળીએ, વિચારીએ, ઠીક લાગે અને બની શકે તેટલું વર્તનમાં મૂકીએ તે આપણે છીએ ત્યાંથી ઊંચી દશામાં આવીએ – એવી વાતે, વાચન, ભજન દ્વારા તેમની સમજ ફરવાનો સંભવ છે. નરસિંહ મહેતાનાં, પરમકૃપાળુદેવનાં, આનંદઘનજી આદિનાં સામાન્ય પદો ગાઈ બતાવવાથી પણ ભાવે પલટાવી શકાય તેમ છેજી. પ્રથમ દેહદષ્ટિ હતી, તેથી ભાયે દેહ - હવે દષ્ટિ થઈ આત્મમાં, ગયે દેહથી નેહ.” – શ્રીમદ્ રાજચંદ્ર આ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૪૧૧ અગાસ, તા. ૨૭-૫-૪૩ આપે પુછાવેલ પ્રશ્નના ઉત્તરમાં જણાવવાનું કે આપણું અનુભવની જ વાત જ્ઞાનીએ ચમત્કાર લાગે તેવા શબ્દોમાં જણાવી છે. “પરાર્થ કરતી વખતે લક્ષ્મી અંધાપ, બહેરાપણું Page #428 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૪૦૫ અને મૂંગાપણું આપી દે છે.” (૩૦) લક્ષ્મીને વિષય તે આપ સર્વના અનુભવને છે. “પરાર્થ કરતા” એટલે બીજાનું ભલું થાય તે કરતાં પિતાનામાં આવા દોષો આવવાનો સંભવ છે. અથવા બીજાનું તે ભલું થાય કે ન પણ થાય, પણ તે કરતાં, વખતે (કદાચિત) ક્યાંક પિતાને પણ અંધાપો (અવિવેક) જોયું ન જોયું કરવારૂપ દોષ આવી જવાનો સંભવ છે. લીમી પરાર્થ માટે વપરાશે એમ કરીને કમાયા પછી પરાર્થ તે કયાંય પડી રહે અને પૈસાદાર થયો તેનો ગર્વ થઈ આવે છે, આંખ તીરછી થઈ જાય છે; વિપરીત ભાવ પ્રગટવાથી બીજાને નુકસાન કરવામાં પણ લક્ષ્મીને દુરુપયોગ કરે તો તેને આંધળો જ કહે ઘટે. આંખ સપુરુષનાં દર્શન કરવા માટે તથા સંયમને મદદ કરવા અર્થે વાપરવી ઘટે છે, તેને બદલે જે પાપમાં પ્રવેશ કરવા માટે લક્ષમીની મદદથી વપરાય તે તે અંધાપો જ ગણાય. તેમ જ કાનને સશુરુ કે સત્શાસ્ત્રના શ્રવણને અર્થે વાપરવા જોઈએ તેને બદલે જે પોતાની પ્રશંસા કે બીજાના અવગુણ સાંભળવામાં વપરાય તે તે બહેરાપણું છે; અથવા તે ગરીબની દાદ ઉપર, પ્રાર્થના પ્રત્યે ધનવાન કાન ન દે તે પણ બહેરાપણું જ છે; અને વચનને પુરુષના કે પરમાત્માના ગુણગ્રામમાં વાપરવાને બદલે તિરસ્કાર કે અપશબ્દો બોલવામાં વપરાય તે મૂંગાપણું છે કે : ધનમદને લઈને મૌન રાખે, બોલાવે પણ બોલશે તે કંઇક આપવું પડશે જાણી મૂંગા રહે તે પણ મૂંગાપણું છે. આમ સવળા અર્થમાં સપુરુષનાં વચનો સમજવા ઘટે છેજ. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૪૨ અગાસ, તા. ૩૧-૫-૪૩ વિ. આપને પત્ર મળ્યો. વાંચી આપની અભ્યાસ વધારવાની ભાવના જાણી. મારી સલાહ પૂછી તે વિષે જણાવવાનું કે દરેકે પોતાના મનને પૂછવું અને એમ મનમાં લાગે કે આ કામથી પાછળ પસ્તાવું નહીં પડે, લાભ થશે, તે તે કરવા યોગ્ય છેછે. આપણે પુરુષાર્થ કરી છે, પછી અંતે તે પ્રારબ્ધ પ્રમાણે બનવાનું છે, અને તેમાં સંતોષ માનવો. ખરું કર્તવ્ય આત્મહિત છે, તેને માટે સત્સંગ, સલ્ફાસ્ત્ર, પુરુષાર્થની જરૂર છે). એ લક્ષ ન ચકાય તેમ વ્યવહારમાં વતી લેવું ઘટે છે. મનુષ્યભવ એ મેટી સંપત્તિ પ્રાપ્ત થઈ છે તેને કેવો ઉપયોગ થાય છે અને કે ઉપયોગ કરવો ઘટે છે તેને વિચાર મુમુક્ષુ જીવને રહ્યા કરે છેજ. એ જ. ૩% શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૪૩ અગાસ, તા. ૧-૬-૪૩ તત્ ૐ સત્ વૈશાખ વદ ૧૪, ૧૯૮૯ જે સદ્ગુરુ-ચરણથી અળગા, તે થડ છેડી ડાળે વળગ્યા, જેને સદ્ગુરુ-પશું રાગ, તેનાં જાણે પૂર્વિક ભાગ્ય. પ્રભુ પણ નિજ સંભારોને, દુઃખને કરશે દૂર, સમય થયે રેલાવશે, પવિત્ર સુખનાં પૂર. સદ્દગુરુને સ ધથી, કરી શોધ, શ્રદ્ધા ધારજે, સત્સંગથી ઉલાસ, પુરુષાર્થમાંહિ વધારજો. Page #429 -------------------------------------------------------------------------- ________________ બધામૃત આપને પત્ર ગઈ કાલે મળે. વાંચી સમાચાર જાણ્યા. ગમે તે વાંચીને પરમકૃપાળુદેવનાં વચને અને તેને ઉપકાર પ્રત્યે પ્રેમભક્તિ વધે તે કર્તવ્ય છેજી. અનેક શાસ્ત્રોને સાર તે મહાપુરુષે એક કડીમાં ભરી દીધા છેઃ - “બે બોલેથી બાંધિ, સકળ શાસ્ત્રને સાર, - પ્રભુ ભજે, નીતિ સજે, પરઠો પરોપકાર.” “પર પ્રેમ પ્રવાહ બ પ્રભુસે, સબ આગમ ભેદ સુઉર બસે, વહ કેવલો બીજ જ્ઞાની કહે, નિજક અનુભવ બતલાય દિયે.” આવાં વચન વાંચી, વિચારી, ભાવના કરી તેમાં લીન થઈ જવા જેવું છે. જેને તે મહાપુરુષને ઉપકાર સમજાય છે તે મહાભાગ્યશાળી ગણવા ગ્ય છે. ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીની સાથે શ્રી દેવકરણજી મુનિ હતા તેમને પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુને ઉપકાર સમજાય ત્યારે પહેલાં અણસમજમાં તેઓશ્રી પ્રત્યે જે સામાન્ય ભાવ હતો તેના પશ્ચાત્તાપરૂપ એક પત્ર લખ્યું છે, તેમાંથી આપણે વારંવાર વિચારવા યોગ્ય ભાગ આપને માટે નીચે ઉતારી મોકલું છું, તે વાંચી સદ્દવિચારમાં વૃત્તિ વિશેષ રહે તેમ વર્તવા વિનંતી છે. “ વિશેષ ઉદાસી આપે છે તે એ કે આપને પ્રથમ સમાગમ મુંબઈમાં આપ નિવૃત્તિ-સ્થળ – આપના એકાંત સ્થળમાં બિરાજમાન હતા તે વખતે લલ્લુજી મહારાજ (પ્રભુશ્રીજી) સાથે હતા તે વખતે આપે મને પૂછ્યું કે સ્ત્રી દષ્ટિએ પડતાં પરિણામ ચળે છે? તથા વ્યાખ્યાનમાં અહંભાવ સફરે છે? તે આપે પૂછવાથી મેં યથાતથ્ય જેવા ભાવ વર્તતા હતા તેવા કહ્યા અને તે જ વિચારવાને આપે પ્રથમ બેધ કર્યો હતો, તે હું અહંકાર વડે– દ્રવ્યત્યાગના અભિમાન વડે– જાણ ન હતા અને સાધુપણું માની બેઠેલે તે આપે જાગ્રત કર્યો હતો. હવે બનતે પુરુષાર્થ કરું છું, અને આપની શાંતમૂર્તિ ઉપર દષ્ટિ રાખ્યા કરું છું અને તમારી એકાગ્રવૃત્તિ અને સ્વરૂપસ્થિરતાનું માહાસ્ય જાણી શકતા નથી તે આપની પૂર્ણ કૃપા વડે જણાશે તે આશા રાખું છું. જેમ બાળક માતા-પિતા સન્મુખ પિતાનું દુઃખ જણાવે છે તે જ રીતે હું આપની પાસે દુઃખની વાતે વર્ણવું છું કે સૂક્ષ્મ અહંભાવ વડે સૂક્ષ્મ વિષયાદિ–રાગદ્વેષ રહી જતાં આ દેડ પડી જશે ને તે બીજનાં વૃક્ષો થઈ પડશે ને જન્મમરણ ચાલુ રહેશે, તે ભયભરેલા વિચાર આવતાં મનમાં આકુળતા આવી જાય છે ને વળી વિચાર આવે છે કે આવી જોગવાઈ મળી છતાં જીવ ઘણી વાર રઝળે એવું શાસ્ત્ર આધાર વડે જણાય છે કે આપ પ્રત્યક્ષજ્ઞાની પણ કહે છે તે આવી અપૂર્વ જોગવાઈ મળી છતાં આ દેહ પામ્યાનું નિષ્ફળપણું થાય એવી ચિંતા કેઈ વખત થયા કરે છે ને વળી આપની સન્મુખ વૃત્તિ થતાં હિમ્મત આવે છે કે અપૂર્વ જોગવાઈ મળી ખાલી નહીં જ જાય. પણ દઢ નિશ્ચય થાય તેવો આશ્રય આપશો તે હું પરમ સુખી થઈશ ને જીવ્યું સફળ ગણીશ. કેઈ વખત આત્માને વૃત્તિ દુર્ગાનમાં ખેંચી મૂળથી ચુકાવી દે છે પણ ઘેડા સમયમાં તરત જ પાછી ખેંચાઈ આવે છે ને આપના સન્મુખ થાય છે. મર્યાદ ઓળંગતી નથી. લજજા પામી ગુરુ સન્મુખ થઈ જાય છે.” આવે પુરુષાર્થ આપણે કરીને વૃત્તિને પરમકૃપાળુદેવની મુખમુદ્રા તરફ વાળતા રહેવાને અભ્યાસ કર્તવ્ય છે. પરમકૃપાળુદેવ સહજાન્મસ્વરૂપ છે, તેમના તરફ વૃત્તિ રાખવાથી આત્મવૃત્તિ Page #430 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૪૦૭ થવા સ'ભવ છેજી. તેમનાં વચને, તેમની વીતરાગ મુખમુદ્રા વારવાર લક્ષમાં લેવાથી આ ત્રિવિધ તાપથી બળતાં સ'સારમાં શાંતિ સાંપડે છેજી. એવે! ઉપરના પત્રમાં લખ્યા પ્રમાણે ઘણા સંતાને સાક્ષાત્ અનુભવ થયેા છેજી. પ્રારબ્ધ અનુસાર જ્યાં હાઈ એ ત્યાં ભક્તિ, સ્મરણ, સાંચન, સદ્વિચાર અને આત્મભાવના કરતા રહેવામાં આપણું કલ્યાણ સમાયું છેજી: “હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહુ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવા હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય.'' (૬૯૨) ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૪૧૪ અગાસ, તા. ૧૨-૬-૪૩ “નિયમથી કરેલું કામ ત્વરાથી થાય છે, ધારેલી સિદ્ધિ આપે છે; આનંદના કારણરૂપ થઈ પડે છે.” તત્ત્વજ્ઞાન પૃષ્ઠ ૬૦ (૨૧-૧૧) આપના પત્ર પ્રાપ્ત થયા. તમારી સંસારભાવ સાચવાની વૃત્તિ આદિ જાણી સતાષ થયા છેજી. આજ્ઞામાં અમુક વખત લેવે એ કંઈ સમજ પડતી નથી'' એમ કહ્યું તેના ઉત્તરમાં જણાવવાનું કે જ્યારે આપણને એકાદ કલાક કે અમુક વખત તદ્ન નિવૃત્તિ છે એમ સમજાય, ત્યારે વખતની મર્યાદા સબંધી પણ આજ્ઞા લેતી વખતે મનમાં નિય કરી શકાય કે કલાક સુધી મારે આત્મા સિવાયની બીજી કોઈ પ્રવૃત્તિમાં પડવું નથી, તેવે। નિયમ લીધા પછી કોઈ મિત્ર આદિ આવી ચઢે તે કાપલીમાં લખી રાખ્યું હોય કે અમુક આટલા વાગ્યા પછી ખીજા સાથે વાતચીત કરવાના મારે નિયમ છે, તે બતાવી દીધાથી તે પણ સમજી જાય એટલે કાં તે તેટલા ટાઇમ રાહ જોઈ બેસે કે તેને ફાવે તેમ કરે. આ બધું સ્વતંત્ર જીવનને અંગે છે તેની ઉતાવળ કરવા જેવું નથી, પણ તેમ કરવાથી પત્રને મથાળે જે વાકય લખ્યું છે તે પ્રમાણે ઘણા લાભ થાય છે, તે સૂચવવા માત્ર ૧ગયા પત્રમાં લખ્યું હતું. ખીજું તમારાં માતુશ્રી સંબધી તમને મનમાં કઈ વિચાર વારવાર ન આવતા હોય તા કંઈ તે વિષેની પ્રવૃત્તિમાં પડવા ચેગ્ય નથી. જે પ્રસ`ગે જેમ ઠીક લાગે તેમ બને તેટલી સમતા સાચવવાની ટેવ પાડતા રહેવું તે શ્રેયસ્કર છેજી. હાલ તમે નિડયાદ રહેા છે તેથી તમારાં માતુશ્રી આદિને સ તાષ રહેતા હોય તે ત્યાંના જ સારા ગણાતા વૈદ્યની દવા લીધા કરવી. પ્રારબ્ધ હશે તેમ સુખદુઃખ જે કર્માંનાં ફળ છે તે આવ્યા કરશે એમ માની, મુખ્ય કાર્ય આત્મહિત કરવાનું છે તે થતું હાય તેા અમદાવાદ વગેરેની પ્રવૃત્તિ પણ ઠીક લાગતી નથી. પછી જેમ સયેાગવશાત્ કરવું પડે તે કરી છૂટવું; તેમાં મુખ્ય લક્ષ રાખવા ચેાગ્ય નથી. અનેક જણ સલાહ આપનાર આવે તેમ દરેકનું કહ્યું કર્યાં કરે તે દરદીને ત્રાસ સિવાય બીજો લાભ એ જ સભવે. દવામાં શું આવે છે વગેરે મને પૂછવાની ક'ઈ જરૂર નથી. સાત બ્યસન અને સાત અભક્ષ્ય ચીજોના તમે નિયમ લીધેા છે તેમાંની કોઈ ચીજ આવે છે કે નહીં, તે દવા આપનાર પાસેથી ખાતરી કરી લેવી. દાખલા તરીકે, કોઈ ગાળીએ વૈદ્ય આપતા હોય તે મધમાં ગાળીઓ વાળેલી છે કે કેમ ?' એમ ૧ જુએ પત્રસુધા પત્ર નં. ૪૧૦ Page #431 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ બેધામૃત સભ્યતાથી પૂછી લેવું કે “મધ હું વાપરતો નથી તો તેવી ચીજો દવામાં હોય તે મને તે મહેરબાની કરીને આપશો નહીં' આમ કહી શકાય. મરણની વિચારણા વૈરાગ્યની વૃદ્ધિને અર્થ છે. તેને અર્થ એ નથી કે મરણને ભય માથે વર્તે છે માની સાધનમાં ઉતાવળ કર્યા કરવી. આત્મા અજર, અમર, અવિનાશી, અદ્ય, અભેદ્ય, નિત્ય પદાર્થ છે તે પણ ભૂલવા ગ્ય નથી, એમ સ્વાદુવાદ છે, તે આત્માને બળવાન બનાવે તેવો છેજ. સત્સંગ, સશાસ્ત્રને વિશેષ પરિચય અને વિચારની વૃદ્ધિ થયે તે વિશેષ સમજાશેજી. ધીરજ એ મોટો ગુણ છે, તેમ જ સહનશીલતા પણ જીવને સ્થિરતા તરફ વાળનાર છે તે કેમે કમે સાધ્ય છે. બને તેટલા તે ગુણ કેળવવાના પ્રસંગેનો લાભ લેતા રહેવાને લક્ષ રાખ. જે થાય છે તે ભલાને માટે જ થાય છે. દરેક પ્રસંગ કંઈ ને કંઈ શિખામણ આપનાર બને તે હોય છે, વિચારણાની માત્ર જરૂર છે. તેને માટે જેનો પુરુષાર્થ છે તે તેમાં વહેલેમડે સફળ થાય છે. છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૪૧૫ અગાસ, તા. ૨૮-૬-૪૩ તત્ સત્ જેઠ વદ ૧૧, સોમ, ૧૯૯૯ કક્કા કર સગુરુને સંગ, હૃદય-કમળમાં લાગે રંગ, અંતરમાં અજવાળું થાય, માયા મનથી દૂર પળાય, લિંગ-વાસના હેયે ભંગ, કકકા કર સદ્ગુરુને સંગ. ડહા ડહાપણ મૂકી દે, સદ્ગુરુને શરણે જઈ રહે, વચન તણો રાખી વિશ્વાસ, કુકલ્પનાને કરશે નાશ, ઉપાધિથી અળગો રહે, ડડ્ડા ડહાપણ મૂકી દે. નન્ના નિશ્ચય ગુરુને છેય, ધીર વીર પગ રોકી રેય, કાયર નરનું નહિ ત્યાં કામ, શૂરવ્વરને સાચે સંગ્રામ. જીત્યા જગમાં જિનવર જેય, નન્નો નિશ્ચય ગુરુને છે. રરા રાજ ભજનમાં રહે, બીજું બકવું મૂકી દે, વળતે શીદ વદે છે વાત, નીર વલે ના'વે સ્વાદ. રાજ શરણ તું હેતે ગ્રહે, રરા રાજ ભજનમાં રહે. સસ્સા સાધન સર્વે થયું, જેનું ચિત્ત ગુરુશરણે રહ્યું, હરતાં ફરતાં પ્રભુનું ધ્યાન, તેને તપ, તીરથ, બહુ દાન; કેટિ વિઘન ભયંકર ગયું, સસ્સા સાધન સર્વે થયું.” પૂ.ની તબિયત દિવસે દિવસે નરમ રહ્યા કરે છે એમ લખ્યું તે જાણ્યું. પ્રારબ્ધકર્મ પ્રમાણે વેદનીય આવેલી ભગવ્યા વિના છૂટકો નથી. “જ્ઞાની કે અજ્ઞાની જન સુખદુઃખરહિત ન કેય જ્ઞાની વેદે શૈર્યથી, અજ્ઞાની વેદે રેય.” (૧૫) Page #432 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૪૦૯ એ આપ સમજે છે છતાં વિશેષ સાવધાની રાખી આ વખતની વેદની વેદી લેવાય તે જીવને સમાધિમરણનું કારણ બને તેમ છે. સદ્ગુરુનું શરણું, તેની આજ્ઞાની ઉપાસના, સ્મરણ કરતા રહેવાની ટેવ, સદ્દગુરુના બોધને ઊંડા ઊતરીને શાંતિથી કરેલ નિર્ણય, ભક્તિ આદિ અપૂર્વ સામગ્રીની જોગવાઈ પુણ્યગે આ ભવમાં સમીપ સમજી, વૃત્તિ એવી ઉત્તમ બાબતમાં રાખશે, તથા મરણને ડર ન રાખતાં તેની તૈયારી જરૂર કાળજીપૂર્વક શાંત ભાવે સદગુરુશરણે કરતા રહેવા ભલામણ છેજ. આ કાળમાં અચાનક આયુષ્ય તૂટી જતાં સાંભળીએ છીએ. આપણને આટલું જીવવાનું મળ્યું છે તે કોઈ પૂર્વનું પુણ્યને વેગ ગણવા ગ્ય છેજ. ભલે પથારીમાં પડી રહેવું પડતું હોય, વેદના ભોગવવી પડતી હોય, ચેન ન પડતું હોય, પણ એ એય મનુષ્યભવ છે ત્યાં સુધી સશુરુના અપાર જ્ઞાન, સુખ, વીર્ય અને નિરંતર આત્મઉપયોગ તરફ દષ્ટિ દઈ, તેને શરણે આ જીવનું જરૂર કલ્યાણ થશે, એવું આશ્વાસન એવા દુઃખના વખતમાં મેળવી શાંતિથી સર્વ દુઃખ ખમવાનું બળ મેળવી શકાય તેમ છે. આ જીવે આજ સુધી કરવા જેવું છે તે તે કંઈ કર્યું નથી, નહીં તે આવે વખતે બીજા જીવોને પણ પૂ. સોભાગ્યભાઈની પેઠે ઉપદેશરૂપ થઈ પડે; આવે વખતે ધીરજથી વેદની વેદાય તે પિતાનું પણ કલ્યાણ થાય અને બીજા જેને પણ “માર્ગ ઉત્તમ છે, આ ભાઈ આરાધે છે તે જ માર્ગ આરાધવા યોગ્ય છે,” એવી ભાવના થવાથી માર્ગ પામવાની જિજ્ઞાસા જાગે. ધીરજ ખોઈ બૂમો પાડવાથી કાંઈ કર્મને દયા આવવાની નથી. ઊલટી કંઈ રહી-સહી શક્તિ હોય તે ભક્તિમાં ગાળી શકાત તેને બદલે બરાડા પાડવામાં ને બીજાને ગભરાવવામાં ખલાસ થઈ જાય. માટે શાંતિથી, ધીરજથી, સમભાવથી સહનશીલતા લાવી ગમે તેવી વેદના હોય તે જવા માટે આવી છે, જોગવી લીધા પછી ફરી આવવાની નથી, દેવું પડે છે એમ જાણી હિંમત રાખી કઠણાઈ કેળવવા વિનંતી છેજ. દવા પીવાની હોય તે કડવી છે, નહીં પીઉં એમ કરીને પણ નાનાં છોકરાની પેઠે પરાણે આખરે પીવી પડે છે અને સમજુ હોય તે ન ગમે તે પણ આખો મીંચી કઠણ મન કરી પી જાય છે, તેમ આત્મામાં કલેશવૃત્તિ ન ઊપજે પણ શ્રી ગજસુકુમારની પેઠે, મોક્ષની પાઘડી માની વેદના સહન કરી તેમ, પ્રસન્ન ચિત્તે “સદગુરુએ જ આપણને ઊંચી દશામાં લાવવા આ કઠણાઈ મોકલી છે એમ માની સદ્ગુરુને શરણે દુઃખને સુખ ગણી આનંદમાં રહેતાં શીખવાની ભલામણ છેજ. નરકમાં કેવાં કેવાં આકરાં દુઃખ પરાધાનપણે ભેગવીને આ જીવ આવ્યો છે તેને વિચાર આવે તે અહીંનાં દુઃખની તે કંઈ ગણતરી ન રહે. ઊલટું, મનુષ્યભવથી મોક્ષ સુધી માર્ગ ખુલ્લે છે એમ સમજી પૂ. ભાગ્યભાઈની પેઠે એકાગ્ર ભાવ જ્ઞાનીની આજ્ઞામાં, સ્મરણમાં રાખવો ઘટે છેજી. પૂ. પ્રભુશ્રીજીની ભલામણ થોડી જણાવી પત્ર પૂરે કરું છું તે વારંવાર વાંચવાથી હિંમત રહેશે અને કલ્યાણનું કારણ બનશે એમ વિચારી લક્ષમાં લેશેજ: “અમને જે પરમકૃપાળુ દેવે આજ્ઞા કરી છે.....આ કઈ પુરાણપુરુષની અત્યંત કૃપા છે.” (જુએ ઉપદેશામૃત : પૃષ્ઠ ૪૮૯-૯૦) શ્રી સદ્દગુરુ-પ્રસાદમાંથી પૂ.....ને રોજ દર્શન કરાવશે તથા આ પત્ર સંભળાવશેજી. ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #433 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ મેધામૃત ૪૧૬ તત્ સત્ મેં મેરા'એ જીવડું, ખંધન માટા જાન, મેં મેરા' જાકું નહીં, સા હી મેક્ષ – પિછાન. ઢઢ્ઢા ઢોલ વગાડી કહ્યું, રૂડા પુરુષને હૃદયે રહ્યું, સમજ્યા તેણે લીધે સાર, ગાફલ નર તે ખાશે માર. જોતાં જોખન તા વહી ગયું, ઢઢ્ઢા ઢોલ વગાડી કહ્યું. અમાસ, તા. ૨-૭-૪૩ જેઠ વદ ૦)), શુક્ર, ૧૯૯૯ એક વાત સમજી રાખવાની જરૂર છે કે આપણી આશાઓને અનુસાર ફળ પ્રાપ્ત થતાં નથી. વાંચન વગેરેથી મેટા મુનિવરોને દુર્લભ એવા મન વશ કરવા સબધી કે બ્રહ્મચર્ય કે આત્માના ઓળખાણુ સ'ખ'ધી અભિલાષાએના કિલ્લા રચીએ છીએ. તેની પ્રાપ્તિને માટે કેવા પુરુષાર્થની જરૂર તેનેા આપણને ખ્યાલ નથી, તેના ક્રમનું ભાન પણ નથી; છતાં એ અભિલાષાએ એકદમ ફળે એવી અધીરજ તે ભરેલી જ હાય છે. આ લખ્યું છે તે ધ્યેય બહુ દૂર છે એમ જ બતાવવા લખ્યું નથી; પણ કારણ-કા'ને સબધ છે તે મેળ ખાય તેવી વિચારણા થવા લખ્યું છે. હવે તમે સામાન્ય ભક્તિભરપૂર પત્રમાં બ્રહ્મચર્યની માગણી કરી છે, તે ચેાગ્ય છે. તેની જ મારે તમારે બધાને જરૂર છે. તેને માટે પુરુષાર્થ કરવા પરમ ઉપકારી પરમકૃપાળુદેવે કહેલું કહું છું તે આપણે આદરીએ અને નિરાશ ન થઈએ એમ ઇચ્છું છું. સ્વાદને ત્યાગ એ આહારને ખરો ત્યાગ જ્ઞાનીએ કહે છે.'' (૨૧-૯૩) આ ચાર આંગળની જીભ જીતવા કમર કસેસ જોઈએ. જ્યાં જ્યાં મીઠાશ આવે તે વખતે વૃત્તિ ત્યાં ન જવા દેતાં તેવી વસ્તુને બેસ્વાદ બનાવવા કે તેને દૂર કરવા તુર્ત ઉપાય લેતા રહેા; તેવા પ્રસ`ગા લક્ષમાં રાખી, તે વિષે વિચાર કરી તેની તુચ્છતા ભાસે તેમ વિચારતા રહેવા સાચા દિલે આ પત્ર મળે ત્યારથી તૈયાર થાએ. પેટ ભરવા માટે, જીવન ટકાવવા પૂરતું ખાવું છે તેમાં જીભ ભજવાડ કરી, વિક્રિયાઓ ઉત્પન્ન થાય તેવા વિકલ્પા ઊભા કરી ર'જાયમાન કરે છે; તેના ઉપર પહેરી રાખવા છે, પિકેટિંગ કરવું છે એવા નિર્ણય કરી જે મળી આવે તે મિતાહારીપણે લઈ તે કામ પતાવતાં શીખેા; પણ ધીરજથી તબિયત ન બગડે તેમ આહાર ઉપર હાલ તા વિશેષ લક્ષ રાખો. વિશેષ ખાખતા વિષે મળશેા ત્યારે વાત થશે. કોઈ પણ કારણે આ સ‘સારમાં ક્લેશિત થવા યેાગ્ય નથી.” (૪૬૦) એ પરમકૃપાળુદેવનું વચન વારવાર વિચારી અને તેટલું અમલમાં મૂકતા રહેવા વિનંતી છેજી. અહીં ન આવવું એવા નિય કરવામાં પેાતાને નુકસાન છેજી. સદ્વિચારની વૃદ્ધિ કરવાની અને કલ્પનાએ એછી કરવાની કાળજી રાખશેાજી. લિ. આપના હિતેચ્છક દીનદાસ ગાવĆનના જયસદ્ગુરુવંદન સ્વીકારશેજી. અગાસ, તા. ૩-૭-૪૩ અષાઢ સુદ ૧, ૧૯૯૯ ૪૧૭ તત્ સત્ પરમકૃપાળુદેવે આખા લેાક ત્રિવિધ તાપથી બળતા છે” એમ જણાવ્યું છે તેના વિચાર કરે તેા મુમુક્ષુજીવને પ્રગટ નજરે દેખાય તેવા કાળ આવી લાગ્યા છે. તેમાંથી આપણે કેવી રીતે ખચવું ? ખચવાની ચીવટ હૃદયમાં રહે છે કે આંખ મીંચીને તે બાબતમાં ઘાસતેલ છાંટી Page #434 -------------------------------------------------------------------------- ________________ ૪૧૧ પત્રસુધા ઓલવવાનો પુરુષાર્થ કરીએ છીએ? તે વિચારી શાંતિને માર્ગે વૃત્તિ વળે અને મનમાં તેવી દશા ન આવે ત્યાં સુધી ખટકે રહ્યા કરે, બને તેટલો પુરુષાર્થ કરવાની પ્રેરણા આપોઆપ થયા કરે અને અત્યારે અશકય લાગે તેની ભાવના સેવાયા કરે તે ગમે તેવા વિકટ પ્રસંગમાં પણ જ્ઞાનીની આજ્ઞાને આરાધનારને આનંદ કુર્યા વિના ન રહે. પરમ પુરુષ શ્રીમદ્ રાજચંદ્રનાં વચનામૃત એ ત્રિવિધ તાપથી બચવાને અચૂક ઉપાય છે, તાપને તાપરૂપ સમજાવે તેવાં છે. તથા તે તાપની શાંતિના ઉપાય તરફ વૃત્તિ વાળે તેવાં રહસ્યમય, ચમત્કારી અને પ્રેરક છે. એક પરમકૃપાળુદેવ આપણને અને સર્વ શરણાગતને આધારરૂપ છે, પ્રગટ તેમનાં વચન કાને આવ્યાથી સમજાય તેમ છેજ. સદૂગુરુના ગુણગ્રામ, તેમાં ઉ૯લાસ અને પ્રેમ એ કેટિ કર્મોનો નાશ કરનાર ઔષધિ છે. છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ. ૪૧૮ અગાસ, તા. ૬-૭-૪૩ તત્ ૐ સત્ આષાઢ સુદ ૪, મંગળ, ૧૯૯૯ “નરખીને નવયૌવના, લેશ ન વિષયનિદાન; ગણે કાષ્ઠની પૂતળી, તે ભગવાન સમાન.” “સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે, લેશ એ લક્ષે લહે, ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહે! રાચી રહે? લક્ષ્મી અને અધિકાર વધતાં શું વધ્યું છે તે કહે? શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નય ગ્રહે; વધવાપણું સંસારનું નરદેહને હારી જ, એને વિચાર નહીં અહોહો! એક પળ તમને હ!” વિ. આપ બન્નેને પત્ર પ્રાપ્ત થયું. વાંચી સમાચાર જાણ્યા. કઈ રીતે ગભરાવા જેવું નથી. સલાહ સંપ સમજૂતીથી કામ થાય છે તે દીર્ઘ કાળ ઉત્સાહથી પળે છે, તે થવા અર્થે વિલંબ થાય તે વિલંબરૂપ નથી. મકાન ચણવા પહેલાં પાકે પાયે કરવા માટે કે એકાદ ચોમાસું મજબૂતી માટે પાય પૂરી પડી રહેવા દે છે તે ભવિષ્યમાં મકાન થયા પછી પાણી આવતાં ફાટ ન પડે કે તૂટી ન પડે તે અર્થે હોય છે તેમ જિંદગી પર્યત વ્રત પાળવાની ઉતાવળ કરતા હતા અને આટલી તૈયારીઓની કચાશ છે તેની તમને પણ ખબર નહોતી. પણ તે કામ માટેની તૈયારીને લક્ષ ન ચૂક. હાલ જેમ સમાધાનીપૂર્વક કર્મોદયમાં બને તેટલી, શુભ ભાવના રાખી શકાય તેટલી રાખી ભાવિ આદર્શમાં મદદરૂપ થાય તેનું શિક્ષણ તેમને હૃદયગ્રાહી થાય તેમ કરવું. આપણે આગ્રહ તેમને વ્રતમાં પ્રેરે તે કરતાં વ્રત પ્રત્યે તેમને પ્રીતિ ઉત્પન્ન થાય તેમ કરવા ભલામણ છેજી. ઉત્તમ ઉપાય તે ઉત્તમ વાતાવરણ છે તે લક્ષમાં રાખવા જણાવું છું. જ્યાં અપરિણીત કન્યાઓ જિંદગી પર્યત બ્રહ્મચર્ય પાળી રહે છે, જ્યાં પરણેલાં પણ સંતાન વિનાનાં સ્ત્રીપુરુષ બ્રહ્મચર્ય પ્રત્યેની પ્રીતિથી સુખપૂર્વક જીવન ગાળે છે, એવા આ આશ્રમના વાતાવરણમાં કુટુંબ સહિત વૅકેશનના વખતમાં રહેવાનું અને તે તમે જે ન કહી શકે કે ન કરાવી શકે તે સહજ તેમના હૃદયમાં ઊગી નીકળે, તેમની જ ભાવના Page #435 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ બેધામૃત તમારા વગર કહે આત્મકલ્યાણ માટે તીવ્ર બને આ સંભવ જાણી, વખત મળે ત્યારે કે વેકેશન જેવા વખતે તેમની ભાવના આશ્રમમાં આવવાની, રહી જવાની થાય તેવી વાતે પ્રસંગોપાત્ત કરશે તે કમે કમે તમારી આદર્શ ભાવના સફળ થવા ગ્ય જણાય છે. શ્રી જબુકુમારે પૂર્વભવે બ્રહ્મચર્યની આરાધના કરેલી હોવાથી તેને આઠ કન્યાઓ અપ્સરાએ જેવી પરણાવી છતાં તેના બ્રહ્મચર્યમાં ખામી ન આવતાં સર્વને સંસારની અસારતા ગળે ઉતારી સર્વસંગત્યાગી થયા, અનેકને ત્યાગ કરાવનાર થયા. જેટલું કૂવામાં હોય તેટલું હવાડામાં આવે એવી કહેવત છે, તેમ આપણે આપણી દશા, વૈરાગ્ય-ઉપશમ ઉપાસી, વધારતા જઈશું તેમ તેમ વગર કો બીજાને તે ચેપી રોગની પેઠે અસર કરશે. જે કંઈ કરવું તે પાકે પાયે કરવું છે, ઉપલક કરવું નથી; આ એક દઢ નિશ્ચય વ્રત લેનારે કરવા યોગ્ય છેજ. ધર્મ એ વાત અંતરની છે તેથી કેઈની કરાવી તે થતી નથી. બીજા નિમિત્ત માત્ર છે. અને શુભ નિમિત્તે ઘણાને શુભ ભાવના થાય છે અને વધે છે. માટે શુભ નિમિત્તા ઉપર શાસ્ત્રોમાં આટલું બધું ભાર મુકાય છે, પણ તે નિમિત્તોમાં પણ જીવને લાભ ન થાય તે નિમિત્તાને વાંક નથી એટલો લક્ષ ભૂલવા યોગ્ય નથીજી. જે પરણેલા છે તેમને કેવાં વિઘો આવે છે તે વિચારી, પરણ્યા નથી તેમણે પોતાના જીવનને કમ કેમ રાખે તે શીખવા ગ્ય છે. સમજુને વિશેષ શું કહેવું? રૂબરૂમાં મળશે ત્યારે જણાવશો તે સ્મૃતિમાં આવશે તે જણાવવા હરકત નથી. કાગળમાં આવી વાતે વિષે લખવા મન થતું નથી. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ સ્ત્રીઓને આપણા વિચારને લાભ પૂરો મળતા નથી એ મુશ્કેલીનું મૂળ છે. ૪૯ અગાસ, તા. ૭-૭-૪૩, બુધ તમે પુછાવે છે કે કંડલિવર ઓઈલ લેવું પડે તે લેવું કે કેમ? તેને ઉત્તર નકાર સિવાય બીજું શું હોઈ શકે? મારાથી તેવી દવામાં અનુમતિ કેમ અપાય ? તે આપ જ વિચારી લેશે. દવા જ મટાડે છે, શક્તિ આપે છે તેમ નથી. એ તે માર્ગ અનુકૂળ કરનાર છે. બાકી શક્તિ છે જેમાંથી આવવાની છે તેમાંથી જ આવશે. નિમિત્તનો નિષેધ નથી કરવો પણ જેનું ફળ અત્યારની માંદગીથી ભારે દુઃખદાયી આવે તેમ હોય તેવી દવા તે દવા નથી, પણ રેગની માતા છે. આટલે લક્ષ રાખી દાક્તરથી દબાઈ જવા યોગ્ય નથી. બીજી નિર્દોષ દવા ન આપે તે થોડા દિવસ અમદાવાદ જઈ કઈ દેશી દવા જરૂર લાગે તે લેવી. વ્યાધિ વ્યાધિના કાળે ક્ષય થઈ જાય છે તે શ્રદ્ધા આવા વખતે વધારે બળપૂર્વક ટકાવી રાખવી ઘટે છે. સ્મરણનો અભ્યાસ વિશેષ રાખવા ભલામણ છેજી. ખરી દવા પુરુષની કૃપાથી મળી છે તે જ છેજી. દેહની જેટલી કાળજી રાખીએ છીએ તેટલી નહીં, પણ તેથી અનંતગણી કાળજી આત્માની રાખવાની પરમકૃપાળુદેવે કહેલ છે તે લક્ષમાં હશે. હિંમત હારવી નહીં અને જે પરમપુરુષનાં વચને યાદ આવે તેના વિચારમાં ઊંડા ઊતરવા ભલામણ છે. જગતની વિસ્મૃતિ કરી સત્પષના ચરણમાં રહેવાની ભાવના એ સર્વોત્તમ સલાહ પરમકૃપાળુદેવની છે તે પોષાતી રહે તેમ નિવૃત્તિને કાળ ગાળતા રહેશોજી. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #436 -------------------------------------------------------------------------- ________________ ૪૧૩ પત્રસુધા અગાસ, અષાઢ સુદ ૬, ૧૯૯૯ खामेमि सव्व जीवे सव्वे जीवा खमंतु मे । मित्ती मे सव्व भूएसु वेरै मज्झं न केणइ ॥ જે સંસારને જ્ઞાનીઓએ અતિ અતિ વિચાર કરીને અસાર, અનિત્ય અને એકાંત દુઃખરૂપ માને છે, તે સંસારમાંથી સાર વસ્તુ શોધી સુખી થવાની અને તે નાશવંત વસ્તુઓને ટકાવી રાખવાની વૃત્તિ જીવની રહે છે, તે માત્ર આ જીવની અશ્રદ્ધા જ પ્રગટ કરે છે. સમુદ્ર મંથન વખતે બધા જલચર જેને સમુદ્રમાં અત્યંત દુઃખ થયું હતું એમ પુરાણમાં વર્ણન આવે છે તે તે કલ્પિત છે, પણ રાગદ્વેષરૂપ નેતરાં વડે આ કર્મ રૂપ મેરુથી ત્રણે લેકમાં મંથન થઈ રહ્યું છે. તેમાં કોઈ જીવ સુખની કલ્પના કરી રાજી થાય તે માત્ર મિથ્યાત્વનું જ માહાસ્ય છે. ત્રિવિધ તાપમાં બળતા લેકને શરણરૂપ એક પરમકૃપાળુદેવનાં દિવ્ય અમૃતમય વચન છે, તેને રસ પીનાર મુમુક્ષુઓ પણ મહાભાગ્યશાળી છે, પણ તેને રસ ચાખવા માટે જીવને ધીરજ, શાંતિ, ક્ષમા, દયા, સમતા આદિ ગુણોની જરૂર છે. તે આપણામાં આવી જાય તે પછી જગત જખ મારે છે કોઈ આપણું કિંચિત્ પણ બગડવા સમર્થ થાય તેમ નથી. શ્રી શાંતિનાથજીનું સ્તવન શ્રી આનંદઘનજીએ ગાયું છે-“ધીરજ મન ધરી સાંભળે, કહું શાંતિ પ્રતિભાસ રે”, એમ કહી શાંતિસ્વરૂપનું વર્ણન શું કર્યું છે તે સર્વ મળી વિચારવા વિનંતી છેજી. ૪૨૧ અમાસ, અષાઢ સુદ ૭, ૧૯૯૯ આપને પાખી ઉપર પત્ર લખવા વિચાર હતું પણ વહેલો મોકો મળે તે વહેલી ક્ષમાયાચનામાં કંઈ દોષ નથી. ગયા કાળથી ચમાસી પાખી પર્યત આપના તથા આપના કુટુંબી પ્રત્યે કંઈ દોષ થયા હોય તેની ઉત્તમ ક્ષમા નમ્રભાવે પરમકૃપાળુદેવની સાક્ષીએ જય સદ્દગુરૂવંદન પૂર્વક યાચું છું તે સ્વીકારી ઉત્તમ ક્ષમા આપવા કૃપાવંત થશેજી. ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીની અનંત કૃપાથી જે જે જીને પરમકૃપાળુદેવની ભક્તિનો રંગ લાગ્યો છે તે ચેલમજીઠના રંગ જેવો છે. જે પરમકૃપાળુદેવને આશ્રિત થયે તે વહેલેડો તેની દશાને પામશે, એમ વિચારી સર્વ પ્રત્યે પૂજ્યબુદ્ધિ રાખી સર્વની ક્ષમા યાચી શિલ્ય થવાને પ્રાચીન રિવાજ વિચારવાન જ્ઞાનીઓને આપણ સર્વને અત્યંત ઉપકારી છે જી. આજે સભામંડપમાં સ્વયં બુદ્ધ મહાત્માઓનાં જીવન વંચાયાં હતાં તેમાં શ્રી કરકડુ મુનિ એક યક્ષના મંદિરમાં પૂર્વ દ્વારથી પિઠા અને ધર્મધ્યાનમાં ઊભા રહ્યા. પછી બીજા શ્રી દ્વિમુખ મુનિ પધાર્યા, ત્રીજા શ્રી નમિરાજર્ષિ પધાર્યા અને ચોથા શ્રી નગ્નતિ મુનિ પધાર્યા. સર્વ ધર્મધ્યાન કરતા હતા. તેમાં શ્રી કરકને ખરજ આવતાં વલૂરવાનું સાધન કાંસકી જેવું રાખેલું તે કાઢી ખરજ મટાડી, પાછું કપડામાં રાખવા જતાં શ્રી દ્વિમુખ મુનિ બોલ્યા કે હે કરકંડ મુનિ ! આખું રાજ્ય તજીને આટલા નજીવા જેવા પરિગ્રહમાં કેમ બંધાઈ રહ્યા છે? ત્યાં શ્રી નમિરાજર્ષિ બોલ્યા કે તમે મુનિપણું લીધા છતાં બીજાના દોષ જેવાનું કેમ છેડતા નથી? ત્યાં ત્રીજા શ્રી નગતિ બોલી ઊઠયા કે તમારે એમની પંચાતમાં પડવાની શી જરૂર છે? પછી શ્રી કરકડુ બોલ્યા કે દ્વેષ કે રેષમાં આવીને દોષ કહે તે નિંદા ગણાય પરંતુ હિતકારક શિક્ષા Page #437 -------------------------------------------------------------------------- ________________ ૧૪. બેધામૃત આપતાં બીજાને છેટું લાગતું હોય તો પણ બેલિવું ઘટે છે. મારામાં દેષ હતું તે તેમની દષ્ટિએ ચડ્યો અને દયાભાવે મને સુધારવા કહી બતાવ્યો તે નિંદા નથી. એમ કહી તેમણે પિતાનું વલૂરવાનું સાધન તજી દીધું અને ખરજ આવે તે પણ સહન કરવાનો નિશ્ચય કર્યો. શ્રી દ્વિમુખ મુનિ પણ વિચારમાં પડી ગયા કે મારે જરૂર વિના બોલવું પડ્યું તે ઠીક થયું નથી, માટે હવે સમતા જ ગ્રહણ કરવા ગ્ય છે. એમ સર્વ અંતર્વિચારમાં વળી ગયા અને કેવળ અંતરમુખ થઈ બધા એક જ કાળે કેવળજ્ઞાન પામ્યા. આમ સ્વદોષ દેખી તેને દૂર કરનારા મહાત્મા ઓની કથા આપણે સાંભળી ક્યારે ગણાય કે જ્યારે આપણે આપણા દોષ દેખી તેને દૂર કરવા તત્પર થઈએ ત્યારે. પૈસાની કિંમત લાગી છે તે આપણે તેને માટે દિવસને ઘણે ભાગ પૈસા કમાવામાં ગાળીએ છીએ. વિષય સુખરૂપ છે એમ અંતરમાં લાગ્યું છે ત્યાં સુધી રાત્રે તેને માટે જાગીને પણ વૃત્તિને પોષીએ છીએ. કીતિની મીઠાશ લાગી છે તે પરદેશ જઈ દુઃખ વેઠી કમાણી કરેલું ધન લેકલાજમાં અને સારું દેખાડવામાં હોંશથી ખરચીએ છીએ. તેમ જ્યારે આત્મા માટે લગની લાગશે ત્યારે એને માટે સર્વસ્વને ભેગ આપતાં પણ પાછી પાની નહીં કરે. પણ એ દિવસ ક્યારે આવશે ? આ ભવમાં તેને માટે શું કરીએ છીએ? નહીં ચેતીએ તે શી વલે થશે? એ ડર કેમ રહ્યા કરતું નથી તેને દરેક મુમુક્ષુછવે એકાંતમાં વિચાર કરતા રહેવાની જરૂર છે). શ્રી ભરતેશ્વર શ્રી કષભદેવજીને વિનંતી કરે છે? “આ સંસારે રે હું હજી ડૂબિયે, પાપે ન કેવળજ્ઞાન; જ્યારે જ્યારે રે હે પ્રભુ! આપશે, આ બાળકનેય ભાન ? જાગો હે! જીવો રે મોહ કરો પરે. ભાર ઉતારે ગહન ભવચકને, ગમતા નથ આ ભેગ; તારો તારો વિભાવ-પ્રવાહથી, ઘો નિત્ય શુદ્ધ ઉપગ. જાગો એક અટૂલે રે રડવડું રાજ્યમાં દુઃખી અંધા સમાન; દીધું આપે રે ભૌતિક રાજ્ય આ, ઘો હવે કેવળજ્ઞાન.” જાગે (પ્રજ્ઞાવબોધ ૧૦૪) જાગ્રત થવાની જરૂર છેજ. પુરુષના આશ્રિત થઈ આપણે હવે ક્યાં સુધી કુંભકર્ણની પેઠે ઊભા કરીશું? ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૪૨૨ અગાસ, તા. ૧૨-૭-૪૩ તતું કે તું અષાઢ સુદ ૧૦, સોમ, ૧૯૯૯ “સંસાર કાંતાર પાર કરવા, પદ સાર્થવાહ સમ ગુણ ગરવા; આશ્રિત શરણાપન્ન-ઉદ્ધરણું, મમ સદ્ગુરુચરણ સદા શરણું.” મેઘ રૂડા આણ્યા અમ ઉર મરુક્ષેત્રમાં, ટહુકી સ્વર્ગીય મધુરા રાગ મલ્હાર જજે, નવપલવતા અપ જીવન-બાગમાં, કીધાં અમને ઉન્નત અધિક ઉદાર જે સાધુચરિત ગુરુ સ્મરણ તમારાં શાં કરું ? Page #438 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૪૧૫ જે કામ કરવા હાથમાં લીધું હોય તે કાળજી રાખી કરી લેવું. નકામા સંકલ્પ-વિકલ્પની નદીમાં તણાયા જવું નહીં. નિત્યનિયમ અનુકૂળ વખતે કરી લે. અભ્યાસમાંથી બચતે વખત કંઈ સવાંચન, મુખપાઠ કર્યું હોય તેનું પરાવર્તન કે મનન વા ભાવના, સ્મરણ વગેરેમાં ગાળ. કૉલેજ જીવનમાં ઘણી વખત મળી શકે એવો લાગે છે. તેને સદુપયોગ કરનાર પછીના જીવનમાં સુખી, પરોપકારી, યશસ્વી અને સાર્થક જીવન કરનાર નીવડ્યા છે. “પૂ. મોતીભાઈનરસિંહભાઈ અમીન – તેમનું જીવન અને કાર્ય” નામનું પુસ્તક ઘેડે થોડે કરી આ ટર્મમાં પૂરું વાંચી જવા ભલામણ છે. ઘણી વાતે તેમના જીવનમાંથી વિદ્યાર્થીઓએ શીખવા યોગ્ય છે. વ્યવહારનીતિ એ ધર્મને પામે છે. પ્રથમ જ્યારે પૂ. મોતીભાઈ સાહેબ પેટલાદ હેડમાસ્તર થયા અને અમને મણિલાલ નભુભાઈનું “ચારિત્ર” (characterનું ભાષાંતર) નામનું પુસ્તક ગુજરાતીના પિરિયડમાં શીખવતા તે વખતે સત્ય સંબંધી વિવેચન કરતાં બેલેલા કે આટલી ઉમ્મર થતાં સુધી એક પણ અક્ષર હું જૂઠું બોલ્યા નથી. એ વાકયની અસર આખા પુસ્તક કરતાં વિશેષ અસરકારક નીવડેલી અને ત્યારથી તે આજ સુધી તેમના પ્રત્યે બહુમાનપણું વધતું રહ્યું. એ પુસ્તકમાં આ વાત નથી પણ ઘણી બાબતે જીવન ઘડનારને લક્ષમાં લેવા જેવી છે અને તેમણે કોલેજ જીવન જે ઉમદા રીતે ગાળેલું તેનું જ પરિણામ તેમની પાછલી જિંદગીમાં સ્પષ્ટ રીતે અનેક કાર્યોમાં ઝળકી ઊર્યું છે. આપણે તે તેમનાથી આગળ જવું છે તે તેમણે જે પરિશ્રમ ચારિત્રગઠન માટે સેવ્યો છે તે અવેલેક ઉપકારી છે. અનાદિના અભ્યાસની સામે થવાનું જીવમાં તીવ્ર કર્મના બળે વીર્ય ચાલતું નથી ત્યારે ગભરાઈ જાય છે, ધર્મશિથિલતા તેમાંથી વખતે જન્મવાને પ્રસંગ થઈ આવે છે, પણ હિંમત નહીં હારતાં જીવે સત્પરુષને શરણે નીચી મૂંડી રાખી પુરુષાર્થ કર્યો જવું. પુરુષાર્થનું ફળ તરત ન જણાય તેથી ગભરાવું નહીં. કેઈ વખત જીવ બળવાન બને છે, તે કોઈ વખત કર્મ બળવાન બને છે. એમ લડાઈ તે ચાલતી જ રહી છે, પણ જીવ પુરુષાર્થ ન છોડે તે કર્મ મંદ થતાં પિતાને પ્રભાવ પ્રગટાવવા જીવ પોતે સમર્થ થાય છેજ. ઘણી વખત નિરાશામાંથી અમર આશા જન્મે છે. પણ હતાશ થનારના ભાગ્યમાં તેનું ફળ હોતું નથી. “હિંમતે મરદા તે મદદે ખુદા” એ કહેવત કહેવતરૂપ નથી પણ સાચી છે. કોઈ પણ પ્રસંગમાં હિંમત હારવા જેવું નથી. જ્યાં રહેતા હોય ત્યાં સર્વ સાથે બને ત્યાં સુધી હળીમળીને રહેવું; અતડા રહેવા કરતાં મનુષ્યસ્વભાવને અનેક પ્રકારે અનુભવવાના પ્રસંગો બોર્ડિંગમાં મળે છે. પણ હર્ષશોકના પ્રસંગમાં કે અત્યંત એકાદ જણની સાથેના પ્રતિબંધમાં પડતાં બચવાની પણ જરૂર છે. ગમે ત્યાંથી શિખામણ લઈ પિતાનું જીવન ઉન્નત બને, પાપથી બચે, પ્રભુભક્તિમાં વારંવાર રંગાત રહે તેમ કરતા રહેવા ભલામણ છે. કર્મ શૂરા તે ધર્મ શૂરા” એમ કહેવાય છે તે કાર્ય કુશળ બનવા પૂરતું છે. ગીતાજીમાં “T: કર્મસુ વૌરાસ્ટમ” એવું વાકય સ્મૃતિમાં છે તે હાલ લક્ષ રાખવા સૂચવ્યું છેજ. છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #439 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬, બેધામૃત ૪૨૩ અગાસ, તા. ૧૩-૭-૪૩ તત્ સત્ અષાડ સુદ ૧૧, મંગળ, ૧૯૯૯ કર્મ પૂછે છે જીવને, તને સાંભરે રે ? હે જી અનંત પુગલ પરાવર્ત, મને કેમ વીસરે રે ? આપણે મિત્ર અનાદિના, તને હ છ ક્ષણ એકનોન વિયોગ, મને દ્રવ્ય પરાવર્તન કર્યા, તને. હાં પુદ્ગલ ભેગવ્યાં સર્વ, મને અનુક્રમે ગ્રહણ કર્યા, તને. હાં છ ઔદારિક દેહે પ્રથમ, મને વૈક્રિયિક દેહે ગ્રહણ કર્યા, તને. હાં જ તૈજસ ને કામણ, મને ક્ષેત્ર પરાવર્તન કર્યા, તને હાં જ જન્મમરણથી ત્યાંય, મને ક્ષેત્ર સ્પર્યા ત્રણ લેકનાં, તને હ છ સામાન્યપણે એમ, મને પ્રથમ જમ્યો મેરુ તળે, તને હા જી અસંખ્ય અસંખ્ય વાર, મને બીજે પ્રદેશ જન્મ થયો, તને હાં જ ત્રીજે-થે મળ્યો જન્મ, મને૦ કમથી પ્રદેશ પૂરા કર્યા, તને હાં છ મરણથી પણ સ્પર્ધો તેમ, મને કાળ પરાવર્તન કર્યા, તને હ છ જન્મમરણથી એમ, મને ઉત્સર્પિણી-અવસર્પિણી વિષે, તને હજી જન્મમરણની ગાંઠ, મને પ્રથમ સમયે જમ્યો હતે, તને હાં જ બીજે, ત્રીજે, ઘણે કાળ, મને સમય ખપાવ્યા અનુક્રમે, તને હજી ઉત્સર્પિણ-અવસર્પિણીના જ, મને મરણ કર્યા પણ તે રીતે, તને હાં આ ભવમાં ભમ્યો હું એમ, મને ભાવ પરાવર્તન થયાં, તને. હાં જ મૃત્યુ સમયના ભાવ, મને કષાયની તરતમ્યતા, તને. હાં જ ઉત્કૃષ્ટ શુભથી અશુભ, મને અનુક્રમે થયા મરણપળે તને. હા જી વિભાવ ભેદ અનંત, મને અનંતકાળથી થયો, ગુરુરાજજીરે, અરે!કમની સેબતે એમ, મને કર્મની મૈત્રી તેડવા, ગુરુરાજજી રે, ખરે! આપનું ચરણ-શરણ, મને સમાધિમરણ કરશું હવે, ગુરુરાજજી રે, હાં જ લઈશું ભવને પાર, મને.” સત્સંગ અર્થ તમને જે ભાવના વર્તે છે તે જાણી સંતોષ થયો છેજ. વાચન વગેરેમાં પ્રવર્તતાં આનંદ તમને આવે છે તેને ઊભરા જણાવે છે, તે તમારી સજજનતા દર્શાવે છે છે. પરંતુ છેલ્લા પત્રમાં જે કષાય પરિણતિ વિષે જણાવ્યું તેવા પ્રસંગે બહુ ચેતવા જેવું છે. ડુંગળી ખાય તે તેના ઓડકાર તેવા જ આવે, રોક્યા રોકાય નહીં, ગંધાય, ગમે નહીં, બીજાને પણ અપ્રિયતા ઊપજાવે અને પિતાને પણ પસ્તાવે, ક્લેશ કરાવે; તેમ કષાયને હદયમાં અલ્પ પણ સ્થાન આપ્યું તે તે ધર્મ, દાન, તપ વેળા પણ બધું બગાડી નાખી પિતાની સત્તા અંતઃકરણ ઉપર જમાવે એ એને સ્વભાવ છે, માટે મહાભયંકર વિષ સમાન સમજી કષાયના પ્રસંગે કુટુંબીઓને કારણે, ધનને કારણે કે દેહાદિની સગવડને કારણે પણ ઊભા ન કરવા, ઊભા થતા હોય તે પોતે તેમાં તણાવું નહીં, બને તે શાંત કરવા. ગમે તે ધનને, માનને કે હઠને ભેગ આપીને, ન છાજે તેવી દીનતા કરીને, પગે લાગીને પણ તેથી દૂર રહેવા યોગ્ય છે. પોતાની સત્તા વાપરીને, બીજાને દબાવીને ઈ કષાય Page #440 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૪૧૭ શમાવવા જાય તે તે માત્ર દેખાવ પૂરતું બને છે. પણ મૈત્રીભાવ, સર્વ જગત પ્રત્યે નિરબુદ્ધિ, અત્યંત દીનભાવ અને સદ્દગુરુએ આપેલ મંત્ર આદિ આધારે પિતાના અંતઃકરણને સમજાવી, તેવા કારણોથી દૂર રહી, ભક્તિમાં વિશેષ કાળ જાય અને તે પ્રસંગોની વિસ્મૃતિ થાય તેવા વાચન, મનનના અભ્યાસથી પાછું શાંતિનું રાજ્ય સ્થપાય છે. સર્વ ઉપાયમાં શ્રી સદ્ગુરુ પ્રત્યેને શરણભાવ, સદ્ગુરુકૃપા સર્વોત્તમ મને તે સમજાઈ છે. આપે પૂછેલા પ્રશ્ન સંબંધી અહીંના પુસ્તક ભંડારમાં તપાસ કરતાં “દશાશ્રુતસ્કંધ નથી એમ પૂ. પંડિતજીએ જણાવ્યું, અને હોત તે પણ તેમાંથી આપને ઉપયોગી વાત વિશેષ મળવી મુશ્કેલ સમજાય છે. ઉપગ જેટલું અવતરણ “જ્ઞાનમંજરી”માં તે શાસ્ત્રમાંથી જ આપેલું છે, તે વિશેષ વિચારે સ્પષ્ટ થાય તેમ છેજ. પુદ્ગલપરાવર્તનને કંઈક ખ્યાલ આવે તેવું એક કાવ્ય આ પત્રને મથાળે ઉતારેલું અહીંનાં એક બ્રહ્મચારી બહેને લખેલું આપને ઉપયોગી જાણી લખી મેકહ્યું છે. તે વિચારતાં વૈરાગ્ય અને સદ્દગુરુ-શરણ તથા સમાધિમરણની ભાવના પિોષાય તેમ છે. બીજા પ્રશ્નના ઉત્તરમાં શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં જણાવેલ મતાર્થી તથા આત્માર્થીનાં લક્ષણે વારંવાર વિચારી પિતાના દોષ દેખાય તેટલા દૂર કરવાને પુરુષાર્થ હાલ તે કર્તવ્ય સમજાય છે. કષાયની ઉપશાંતતા, માત્ર મેક્ષ અભિલાષ; ભવે ખેદ અંતર દયા, તે કહીએ જિજ્ઞાસ.” “દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય; હેય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય.” પરમકૃપાળુદેવે કહેવામાં કંઈ બાકી રાખ્યું નથી, તેણે કહેલે રસ્તે ચાલીશું તે જરૂર મોક્ષ મળ્યા વિના નહીં રહે એટલે વિશ્વાસ અટળ કરી તેની આજ્ઞા ઉપાસ્યા જવાનું કામ હવે આપણું છે. # શાંતિઃ શાંતિઃ શાંતિઃ ४२४ અગાસ, તા. ૧૭–૭-૪૩ તત્ સત્ અષાઢ સુદ ૧૫ (ગુરુપૂર્ણિમા), ૧૯૯૯ નીચેના ચાર દમને એકે દેષ હોય તે જીવને સમ્યકત્વ થાય નહીં: ૧. અવિનય ૨. અહંકાર ૩. અર્ધદગ્ધપણું ૪. રસલુખ્યપણું.” (ઉપદેશનેધઃ પૃષ્ઠ ૬૭૮) વિ. આપે “સેન્દ્રિયાદિકની સ્વાદિષ્ટ વસ્તુઓમાં લુપતા રહ્યા કરે છે એમ જણાવ્યું તે વિષે આપણે વિશેષ વિચાર કરી કંઈક નિયમમાં અવાય તેમ વર્તવા પુરુષાર્થ કર્તવ્ય છેજી. ચાર આંગળની જીભ અને ચાર આંગળની ઉપસ્થ (કામ) ઈન્દ્રિયને નહીં જીતવાથી અનંતકાળથી જીવનું રખડવું થયું છે. હવે તેને નિરંકુશ તે નથી જ રાખવી, એવી દઢ ભાવના કરી તેને અમલ દિનપ્રતિદિન થતું જાય તેમ કર્તવ્ય છેજી. પરમકૃપાળુદેવની આગળ પ. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ પિતે કરતા હતા તે તપસ્યા કહી બતાવી કે પાંચ વર્ષથી એકાંતરા ઉપવાસ કરું છું, પણ મનની વૃત્તિઓ ઉપર કાબૂ આવતું નથી; વૃત્તિઓ શમતી નથી. તેના ઉત્તરમાં 27 Page #441 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ બેધામૃત તેઓશ્રીએ જણાવ્યું કે સ્વાદને જય તે ખરે ઉપવાસ છે; ઈન્દ્રિય જીતવા પ્રથમ સ્વાદની આસક્તિ તજવી. જે વસ્તુ વધારે પ્રિય, પુષ્ટિકારક કે મનને આહ્લાદક લાગે તે બીજાને આપી દેવી, પોતે ન વાપરવી. બહુ સ્વાદ આવે ત્યારે બેસ્વાદ કરવા પાણીનો ઉપયોગ પણ કરે. દાળ વગેરે બહુ સરસ લાગે તે અંદર પાણી ઉમેરી દેવું, તેવું જ શાક વગેરે માટે. ભાણામાં પાણી રેડવાની હિંમત ન ચાલે તે મુખમાં કોળિયે ભર્યા પછી તુરત પાણી લઈ ઉતારી જવું. જેને હવે આ જીભની પરાધીનતાથી મુક્ત થવું હોય તેણે તે જમતી વખતે સ્વાદમાં તલ્લીન થઈ સ્મરણ વગેરે ધર્મકાર્ય ભૂલવું ન ઘટે. મનને કાં તે સ્મરણમાં કે આહારની તુચ્છતા વિચારવામાં, ગમે તેવા સ્વાદિષ્ટ ખોરાકનું બીજે દિવસે કેવું પરિણામ આવવાનું છે તેનું કે ઊલટી થાય તે કેવા રૂપે બહાર નીકળે? તેને ખાવાની ઈરછા કેમ થતી નથી ? વગેરે સ્વાદથી વિપરીત ભાવના વિચાર કરી, તેથી ઈન્દ્રિય-જય અને આખરે સમકિતનું વિધ્ધ દૂર કરનાર જાણી સંયમમાં વૃત્તિ દોરાય, મોક્ષ સમાન કોઈ ચીજ મધુર નથી તેવી ભાવના ખાઈ રહેતાં સુધી ટકે તેવા પ્રયત્નો કંઈ ને કંઈ કરતા રહેવા ભલામણ છેજી“એકાંત સુખી મુનિ વીતરાગ” આદિ યોગ્ય વચનેની મનમાં ધૂન ચાલતી રહે તેવી ગોઠવણ રડા તરફ જતાં પહેલાં કરવી ઘટે છે. પુરુષાર્થ, અભ્યાસ અને આત્મોન્નતિની જિજ્ઞાસા દિન દિન પ્રતિ વર્ધમાન થાય એ જ સરળ માર્ગ છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૪૫ અગાસ, તા. ૧૯-૭–૪૩ જે મહાપુરુષના આશ્રિત જે છે તે મહાપુરુષોના હૃદયમાં રહેલી “અદીનતા” સમજે છે, આદરે છે, ભાવે છે અને ઉપાસે છે. "एगाहं नत्थि मे कोइ नाहं अण्णस्स कस्सइ । ___ एवं अदीणमणसो अप्पाणं अणुसासइ ।।" ભાવાર્થ : હું એકલું છું, મારું કોઈ નથી તેમજ હું કોઈને નથી, એમ મુમુક્ષુ જીવ અદીનભાવે (દીનતા દાખવ્યા વિના) પિતાના આત્માને શિખામણ આપે. તમે મુશ્કેલીમાં ફસાએ એવી ઈચ્છા શત્રુ સિવાય કોઈ ન કરે, પરંતુ કર્મના ફળરૂપે તેવા પ્રસંગમાં આવી ફસાયા હો ત્યારે મુમુક્ષુને ઘટે તેવી રીતે તે પ્રસંગે વર્તન રાખી તમારી મુમુક્ષતા દીપાવે એમ આપના ઓળખીતા સર્વ સજ્જને છે. પિતાની ફરજ સમજી જે મદદ કરે તે તેના આત્માની ઉજજવળતાનું કારણ છે, પરંતુ કોઈને ફરજ પાડવારૂપ ઈરછા પણું ન કરવી એમાં આપની મહત્તા છે. શ્રી સદ્દગુરુ દ્વારા જેને યથાર્થ સમજણ પ્રાપ્ત થઈ હોય તેમે આવા પ્રસંગે આગળ વધારનારા થઈ પડે છેજી. * શ્રી અનાથી મુનિરાજને અસહ્ય શારીરિક વેદનાને પ્રસંગ પ્રાપ્ત થયે, તેમને મદદ કરવા તેમના પિતાએ પોતાનું સર્વ ધન આપવા તત્પરતા બતાવી, તેમની માતા તથા પત્નીએ તનતોડ મહેનત અને ઉજાગરા કરી સેવા બજાવી, નિપુણ વૈદ્યોએ સર્વ પ્રયોગ અજમાવી જોયા; પણ પુત્રપ્રેમ, પતિભક્તિ કે વિદ્યાબળ ત્યાં નિષ્ફળ નીવડ્યાં. પરંતુ શ્રી અનાથીકુમાર તે તે વખતે કોઈને પ્રત્યે દષ્ટિ ન દેતાં પોતાનું અનાથપણું વિચારી, ભૂતકાળની ભૂલથી આવી Page #442 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૪૧૯ પડેલી આફતનું જેમ થવું હોય તેમ થાઓ પણ ભવિષ્યજીવન કેમ સુધરે, મનુષ્યભવની સફળતા શામાં રહી છે, આ મટયા પછી શું કરવું એવા પ્રશ્નોના નિકાલ લાવતા હતા અને પ્રતિજ્ઞા પણ કરી લીધી કે આ લપ છૂટી જાય કે સમસ્ત વ્યવહાર પ્રસંગને ત્યાગી એક પરમાર્થ અર્થ જ જીવવું. તે પ્રતિજ્ઞા પાળી તે આપણે તેમને પરમાત્મારૂપે વંદીએ છીએ, પૂજીએ છીએ, ધ્યાન ધરીએ છીએ. એ પુરાણી વાત કરતાં તાજી – શ્રી ભાગ્યભાઈની અનેક મૂંઝવણમાં પરમકૃપાળુદેવે જે નિસ્પૃહતા ઉપદેશી છે તે તે દરેક પત્રમાં આપણને નિષ્કાંક્ષિત અંગે સ્પષ્ટ પ્રગટ થતું દેખાય છે. સમ્યક્દર્શનની જેને પિપાસા છે તેણે તો જરૂર નિષ્કાંક્ષિત અને નિઃશંકિત અંગ ઉપાસ્યા વિના છૂટકો નથી. તેમાં કંઈ ઊંડી ખામી હશે તે દૂર કરાવવા પરમકૃપાળુદેવે આવો પ્રસંગ મોકલ્યો છે એમ સમજી અદીનપણે જે થાય તે જોયા કરવાની શ્રી ભાગ્યભાઈને પરમકૃપાળુદેવે શિખામણ આપી છે તે ચિંતામણિ રત્ન તુલ્ય છે એમ સમજી તે ઉપાસવા આગ્રહપૂર્વક ભલામણ છે. “મર જાઉં માગું નહીં, અપને તનકે કાજ” એવું એક કાઠિયાવાડી કવિએ ગાયું છે, તે વિચાર દઢતા આપનાર છે. “નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા.” (૧૫) ૩% શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ જેમ દુકાન વગેરેની કાળજી રાખે છે, શરીર વગેરેની સંભાળ રાખે છે, તેમ આત્માની કાળજી દેહ કરતાં અનંતગણ લેવા ગ્ય છે એમ પરમકૃપાળુદેવે કહ્યું છે તે નહીં ભૂલવા ભલામણ છે. સ્મરણ મંત્રને અભ્યાસ દિવસે દિવસે વધારતા રહેતા હશેજી. ભઠ્ઠીમાંથી લો બહાર કાઢીને તુર્ત ટીપે તે જે ઘાટ ઘડો હોય તે ઘડાય, પણ જે પ્રમાદ કરી લુહાર વાતેમાં પડી જાય તે લેડું ઠંડું પડી જતાં પછી ગમે તેટલા ઘણના ઘા મારે તે પણ જોઈએ તે ઘાટ થાય નહીં. તે દષ્ટાંતે કાળજી રાખીને જે જે ભાવે અહીંથી જતી વખતે ઉદ્ભવ્યા હોય તે વૃદ્ધિ પામે તેમ વર્તવા ભલામણ છેછે. શ્રીમદ્ રાજચંદ્ર મંદિર બંધાવી જે ખર્ચ અને પરિશ્રમ વેઠયો છે તેનો લાભ પૂરેપૂરો લેવા ચૂકતા નહીં હો. પ્રમાદમાં ગયેલી એક પણ પળ પાછી મળવાની નથી તે બને તેટલી કરકસર કરીને જિંદગીની પળે બચે તેટલી ભક્તિભાવમાં, સ્મરણમાં, સત્સંગમાં, સપુરુષનાં વચનો આશય અનુસાર વર્તવામાં ગળાય તેવી તાકીદ રાખવા સૂચના છેy. પૂ. ખુશાલભાઈ ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીની સેવામાં અને આશ્રમમાં આત્માથે રહેલ. તેમણે પાંચ-સાત દિવસથી ખાવું, પીવું, બેસવું છોડી સ્મરણમાં રહેવાનું કંઈ અંતરંગ પચખાણ જેવું લીધું લાગે છે. વાતચીત કરતા નથી એટલે તેમને અભિપ્રાય સ્પષ્ટ જણાતે નથી, પણ કષાયાદિનું કારણ નથી. એકાદ માસથી આહાર, અન્યને પ્રસંગ છે કરી દીધે હતું. આ બીના સહજ જાણવા લખી છે. આપણે તે કેઈને પુરુષાર્થ કરતે જાણું આપણે પુરુષાર્થ વધે તેમ લક્ષ રાખ ઘટે છેજ. તેમણે ખાવું-પીવું છેડી ભક્તિભાવને લક્ષ રાખે Page #443 -------------------------------------------------------------------------- ________________ ४२० બાધામૃત છે તે આપણે ખાઈને પણ તેમ ન કરી શકીએ તે કેટલું શરમાવા જેવું છે? આત્મહિત વધે તેવી વિચારણામાં રહેવા વિનંતી છે. અગાસ, તા. ૨૨-૭-૪૩ તત છે. સત્ અષાડ વદ ૬, ગુરુ, ૧૯૯૯ અષાડ સુદ ૧૩ ના સાંજના છએક વાગ્યે પવિત્ર આત્મા પૂ. ખુશાલભાઈ એ દેહત્યાગ આશ્રમમાં કર્યો છેજ. છેક છેવટ સુધી તે ભાઈની લેગ્યા સારી હતી. સ્મરણમાં તેનું ચિત્ત હતું. છેવટે સંગે પણ સારા મળ્યા. ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીની તેમણે ઘણી સેવા કરેલી, તેમની આજ્ઞા ઉઠાવેલી અને નિઃસ્પૃહપણે સાધુ જેવું જીવન ગાળેલું. તેના પ્રભાવે તે આ ક્ષણિક દેહ ત્યાગી કરેલાં શુભ કર્મ ભેગવવા અન્યત્ર ગયા છેછે. આપણે બધાને એવો એક દિવસ જરૂર આવવાનું છે તેની તૈયારી કરતા રહીએ તે પુરુષના આશ્રિત યથાર્થ ગણાઈએ અને જે પ્રમાદમાં, ક્ષણિક વસ્તુઓની લેવડ-દેવડમાં જે તૈયારી કરવાને વખત મળે છે તે ગુમાવી બેસીશું અને એકાએક તે દિવસ આવી ચઢશે તે ગભરામણને પાર નહીં રહે, પસ્તા વારંવાર થશે છતાં કંઈ વળશે નહીં. માટે બને તેટલી પળો એક્ષ-ઉપાયમાં ગાળવાને લેભ રાખવા યોગ્ય છે. ધન કરતાં આ ભવનું આયુષ્ય અનંતગણું કીમતી છે, એમ ગણી જતા દિવસની જેટલી ક્ષણે ધર્મધ્યાનમાં જાય તેટલી સંપત્તિ, સાચી કમાણી ગણી તે તરફ વિશેષ વૃત્તિ વળગી રહે તે અભ્યાસ પાડી દેવાની જરૂર છેજ. વચમાં કઈ કારણે તમને લાગેલું કે હવે વધારે જીવવાનું નથી, તે કેવી ચીવટ જાગૃતિ રહેતી હતી અને તે વૈરાગ્યની મંદતા થતાં જાણે હવે કંઈ ફિકર નથી એમ થતું હોય તે તેનું શું કારણ છે તે શોધવા યોગ્ય છે. મરણ નથી આવવાનું એમ તે છે જ નહીં, પણ હમણાં કાંઈ એ સંભવ નથી એમ જાણી જીવ આંખમીંચામણ કરે છે. પણ જ્ઞાની પુરુષે તે મરણને સમીપ સમજીને કેવળજ્ઞાન થતાં સુધી સપુરુષાર્થમાં મંડ્યા રહે છે. તે પછી આપણે નિરાંતે સૂવા જેવું શું પ્રાપ્ત કર્યું છે તે વિચારવા યોગ્ય નથી? “હું મૂઢ છું, હું નિરાશ્રિત છું, અનાથ છું” આ ભાવ વારંવાર આ મૂઢ જી વિચારી જાગૃતિ વિશેષ આરાધવા યોગ્ય છે.જી. - ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૪૨૮ અગાસ, તા. ૨૭-૭-૪૩ તત્ ૐ સત અષાઢ વદ ૧૧, મંગળ, ૧૯૯૯ “હે! બ્રહ્મચર્ય, હવે તું પ્રસન્ન થા, પ્રસન્ન થા” – શ્રીમદ્ રાજચંદ્ર આપને પત્ર પ્રાપ્ત થયે. સંસ્કૃત અભ્યાસ શરૂ કર્યો છે તે વિશેષ સમજણું થવાનું કારણ જાણી પ્રમોદ થયેલ છે. તે જાતે જ શીખવાનું શરૂ કર્યું હોય એમ પત્ર ઉપરથી લાગે છે પણ એકલા જ શીખવાનું હશે તે ચેડા દિવસમાં કંટાળી જવાય તે તે લાંબે અને કઠણ વિષય છે, એટલે કોઈ સાથે શીખનાર અને સત્ ચારિત્રવાન શીખવનાર હોય તો સારું. પણ તેવી જોગવાઈ ત્યાં બનવી મુશ્કેલ છે. અહીં તેવી જોગવાઈ છે. ઘણી બહેને સંસ્કૃત અભ્યાસ કરે છે. પણ તે પુણ્યને યેગ હોય તે આ ક્ષેત્રમાં અભ્યાસ તથા સત્સંગ અર્થે લાંબી Page #444 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા - ૪૨૧ મુદત રહી શકાય. વર્ષ બે વર્ષને ચાલુ અભ્યાસ સંસ્કૃતને ન થાય ત્યાં સુધી સંસ્કૃતમાં કંઈ ગમ પડે તેવું લાભકારક શીખી શકવું મુશ્કેલ છે. તમે ધાર્યું હશે કે માસ છમાસ મહેનત કરીશું એટલે સંસ્કૃત શીખી જવાશે, પણ તેવી સહેલી ભાષા એ નથી. છતાં પુરુષાર્થ કરેલે નકામે નહીં જાય. ગુજરાતીમાં લખાયેલું સારી રીતે સમજાય તેટલે લાભ થ સંભવે છે. પરમકૃપાળુદેવને એક કે પત્ર આપને આ પ્રસંગે વિચારવા ઉતારી મોકલું છું: “જ્ઞાનનું ફળ વિરતિ છે. વીતરાગનું આ વચન સર્વ મુમુક્ષુઓએ નિત્ય સમરણમાં રાખવા ગ્ય છે. જે વાંચવાથી, સમજવાથી તથા વિચારવાથી આત્મા વિભાવથી, વિભાવનાં કાર્યોથી અને વિભાવનાં પરિણામથી ઉદાસ ન થયે, વિભાવને ત્યાગી ન થે, વિભાવનાં કાર્યોને અને વિભાવનાં ફળને ત્યાગી ન થયે, તે વાંચવું, તે વિચારવું અને તે સમજવું (ભણવું વગેરે) અજ્ઞાન છે. વિચારવૃત્તિ સાથે ત્યાગવૃત્તિ ઉત્પન્ન કરવી તે જ વિચાર સફળ છે, એમ કહેવાને જ્ઞાનીને પરમાર્થ છે.” (૭૪૯) ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૧-૮-૪૩ સંગ્રામ આ શૂરવીરને, આ અપૂર્વ દિપાવજે, કરતા ન પાછી પાની, ત્યાં ગુરુરાજ પડખે ભાવજે. (વીરહાક). ભાવાર્થ : સમાધિમરણ કરવા કેડ બાંધી તૈયાર થયેલા શૂરવીર ભગવદ્-ભક્તને ચેતાવ્યા છે કે વ્યાધિ આદિ વિભાવ-પ્રેરક પ્રસંગે સામે લડવાને શૂરવીરને સંગ્રામ(યુદ્ધ)ને કાળ આવ્યો છે, તે પ્રસંગે ભક્તજીવને શોભે તેવી સહનશીલતા, સમ્યક્દષ્ટિ, સમભાવ રાખી તે પ્રસંગ શેભાવ પણ કાયરની પેઠે લડતાં લડતાં પાછા હઠી જશે નહીં, પાછી પાની ફેરવી ઘરભણી દોડી જશે નહીં, અનાદિ દેહદષ્ટિરૂપી ઘર તરફ પાછા ફરશો નહીં. સમ્યફદષ્ટિ દેહને પર ગણે છે અને આત્માને પિતાનું સ્વરૂપ માને છે અને સાક્ષી રૂપે જે થાય તે જોયા કરે છે. પરંતુ સહનશીલતા ખૂટી પડે ત્યારે સામાન્ય માણસની પેઠે સદ્દગુરુને સેવક પણ એમ વિચારે કે હવે નહીં ખમાય, હવે તે હું મરી જઈશ, મને કેઈ બચાવે ! એમ થાય તે સમ્યકદર્શન કે સદ્દગુરુને આશ્રય ઈ બેસે છે અને દેહને મુખ્ય માની, દેહની સેવા કરનાર કે દરદ મટાડનારને મોટો ઉપકાર માને છે. આમ કરનાર મહાયુદ્ધમાં પાછી પાની કરી, ભાગી જવા ઈચ્છનાર કાયર સમાન છે, તે સત્પરુષને ઉપકારને ઓળવે છે, પિતાના આત્માનું હિત ગુમાવે છે અને સમાધિમરણ કરવાને અવસર આર્તધ્યાનમાં ગાળી તિર્યંચ આદિ આયુષ્ય બાંધી અગતિમાં ભ્રમણ કરવાનાં કારણે ઊભાં કરે છે. તે નહીં કરવા આ કડીમાં હિંમત આપી છે કે એવે પ્રસંગે હિંમત હાર્યા વિના, પરમકૃપાળુદેવ જાણે સમાધિમરણ કરાવવા પાસે જ પધાર્યા છે, જાણે પિતાની સાથે લઈ જવા આપણને તેડવા જાતે આવ્યા છે, એવી ભાવના ભાવજે. આ માસમાં અષાઢ વદ ૯ રવિવારે ભાદરણના એક ભાઈનું કેન્સરના દરદથી મરણ થયું. તેમણે કહેલું “ભગવાન આવ્યા છે, દર્શન કરો, દર્શન કરે.” આવી શુભ લેથા તેમની વર્તતી હતી. તેવી ભાવના કરવા આ કડી લખેલી છે. આખરે એ ભક્તિભાવ અનેકને પ્રગટરૂપે Page #445 -------------------------------------------------------------------------- ________________ ૪૨ મેધામૃત જણાયા છેજી. શ્રીમદ્ સદ્ગુરુ રાજચદ્ર પાસે જ છે, પડખે છે, સમીપ છે એમ ભાવના કરજો એવા એ કડીનેા અર્થ છેજી. અગાસ, તા. ૧- ૮-૪૩ આષાઢ વદ ૦)), વિ, ૧૯૯૯ ૪૩૦ તત્ સત્ અનુષ્ટુપ— “સમરસ મહાયાગ, પ્રત્યક્ષ વિદ્યમાન છે, ચૈાગ યાગ’ કહી તાયે, શેાધે મૂઢ દશે દિશે.” દેહરા—પરિષાદિ અનુભવ વિના, આતમધ્યાન પ્રલાપ; શીઘ્ર સ`વર નિર્જરા, હેત કમકી આપ.' - ચેપાઇ — ભૈયા ભાવે। ભાવ અનુપ, ભાવત હાય તુરત શિવભૂપ; સુખ અનંત વિલસે નિશદિશ, ઈમ ભાવેા સ્વામી જગદીશ.’’ દાહરણ — “રાજ ચરણમાં રાચતા, ધરી હૃદય ઉલ્લાસ; પ્રણમું પાતક ટાળવા, મળા મેાક્ષનેા વાસ.’ આપે પ્રશ્ન પૂછ્યો છે ‘વિચારવાન કાને યથાર્થ કહેવાય ?' તેના ઉત્તરમાં પરમકૃપાળુદેવે પત્ર ૫૩૭ લખ્યા છે તે વાંચશેાજી. “મુમુક્ષુજીવને એટલે વિચારવાન જીવને આ સંસારને વિષે અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હાય નહીં,'' એમ જણાવી સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય અને યથાર્થ વિચારવાન બને તેવા એધ તે પત્રમાં છેજી. સત્પુરુષોના યાગબળ”ના અર્થ પૂછ્યો છે તેના ખુલાસા પણ શ્રીમદ્ સદ્ગુરુદેવે પાતે પત્ર પર૧ માં તથા પત્ર ૨૧૨ માં કર્યાં છે તે વિચારશેાજી. છેલ્લા ખુલાસે લખવા જણાવ્યું છે: “આપને વિજ્ઞાપન છે કે વૃદ્ધમાંથી યુવાન થવું અને આ અલખ વાર્તાના અગ્રેસર આગળ અગ્રેસર થવું (૧૭૦) પૂ. શ્રી સૌભાગ્યભાઈ ને જણાવેલું છે કે ઉંમરમાં વૃદ્ધ હોવા છતાં ભાવથી યુવાન થવું. પુષ્પમાળામાં પાતે લખે છે કે “જો તું યુવાન હાય તેા ઉદ્યમ અને બ્રહ્મચર્ય ભણી દૃષ્ટિ કર.'' ઉદ્યમ એટલે સત્પુરુષાર્થ અને બ્રહ્મચર્ય તે આત્મચર્યાં, આત્માની એળખાણ કરી તેમાં પિરણમન કરવું. આ બન્ને કરાવીને પરમપુરુષ જે અલખ વાર્તાના અગ્રેસર જ છે તેમણે પેાતાની હયાતીમાં સમાધિમરણમાં અગ્રેસર કર્યાં અને મહામુનિને દુર્લભ એવું સમાધિમરણ કરાવ્યું, તેથી એ વાકયના પરમાર્થ અક્ષરેઅક્ષર તે પુરુષે સત્ય કરી ખતાન્યેા છેજી. પરમકૃપાળુદેવનાં વચને અલખ વાર્તાના સાચા લેખ છે, તે જેના હૃદયમાં વસશે તેને નમસ્કાર છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૪૩૧ અગાસ, તા. ૨-૮-૪૩, સામ જ જાળમાં પરમાર્થ વિસર્જન અનંતકાળ વ્યવહાર કરવામાં વ્યતીત કર્યાં છે, તેા તેની ન કરાય એમ જ વવું, એવા જેને નિશ્ચય છે, તેને તેમ હાય છે, એમ અમે જાણીએ છીએ. વનને વિષે ઉદાસીનપણે સ્થિત એવા જે યાગીઓ-તીર્થંકરાદિક-તેનું આત્મવ સાંભરે છે.” (૩૬૩) કલ્યાણકારી ગુરુકૃપા, વરસા નિર'તર અંતરે; શાંતિ, સમાધિ, ધૈર્ય રૂપે, અકુરા ઊગા રે. Page #446 -------------------------------------------------------------------------- ________________ પગસુધા ૪૩ આપને પત્ર મળે. આશ્રમમાં ભક્તિભાવ, સત્સંગ અર્થે આવવામાં કંઈ પ્રતિબંધ નથી, લાભનું કારણ છે. પરમકૃપાળુદેવને અપાર ઉપકાર છે કે આ કળિકાળમાં આપણા જેવા અબુધ જનેને ઉત્તમ અધ્યાત્મમાર્ગ સરળપણે સુગમતાથી સમજાય તેમ ગુજરાતી ભાષામાં સંપૂર્ણપણે પ્રગટ કર્યો છે. સંસ્કૃત અને માગધી ભાષાના ધુરંધર પંડિતને પણ હદયગત થ દુર્લભ એ આત્મધર્મ જેણે બાળા-ભેળા જીને ગ્રાહ્ય થાય, સમજાય, અધ્યાત્મભૂખ પ્રગટે અને પોષણ મળે, તેવા સુંદર પત્રો, કાબે અને ગદ્યપદ્ય હાથને લખી આ કાળમાં મેહનિદ્રામાં ઊંઘતા આપણા જેવાને જગાડવા પ્રબળ પરિશ્રમ લીધે છે તે મહાપુરુષને પરમપ્રેમે નમસ્કાર હે ! ૪૩૨ અગાસ, શ્રાવણ સુદ ૭, ૧૯૯૯ પરમકૃપાળુદેવ જેના હૃદયમાં વસ્યા છે, પરમકૃપાળુદેવ પ્રત્યે જેમને પૂજ્યભાવ થયા છે, પરમકૃપાળુદેવના જે જે ગુણગ્રામ કરે છે તથા તેમના પ્રત્યે જેમને અદ્વેષભાવ છે તે સર્વ ભવ્ય જ પ્રશંસાપાત્ર છેજ. આ કળિકાળમાં પણ જે કોઈ જીવનું કલ્યાણ થવું હશે તે અમથકી, બીજાથી નહીં – એવાં શ્રદ્ધાપ્રેરક અને પોષક વચને જેને ગમ્યાં છે, રોમ રોમ ઊતરી ગયાં છે તેને ગમે તેવાં દુઃખ આવે, લેશનાં કારણે ઉત્પન્ન થાઓ કે મરણને પ્રસંગ ભલે માથે ઝઝૂમતે જણાય તે પણ તે નિર્ભય રહી શકે છે, તે અનાથ, દીન, અશરણ નથી બનતે, પણ “ધીંગધણું માથે કિયે કુણુ ગંજે નર બેટ, વિમલજિન દીઠાં લેણુ આજ” એવી હિંમત રહે છે; વ્યાધિ આદિ કારણે આર્તધ્યાનને પ્રસંગ હોય તે પણ તેને તે મહાપુરુષની ભક્તિના પ્રભાવે ધર્મધ્યાન થાય છે. આ વાત વારંવાર વિચારી ક્લેશનાં કારણ દૂર થાય અને પરમકૃપાળુદેવનું જ એક શરણ મરણ સુધી ટકી રહે તેવી વિચારણે સર્વ કુટુંબીજનોને કરતા રહેવા ભલામણ છે. જગતની કઈ ચીજ કે કઈ જીવ આપણને મરણપ્રસંગે ઉપકારી થનાર નથી; પણ પરમકૃપાળુદેવનું શરણ, તેમના પ્રત્યે પ્રેમ અને તે પુરુષનું અચિંત્ય માહાભ્ય, સદાય તે આપણી સમીપ જ છે એ ભાવ પિષાય તેમ વર્તવાથી, ચર્ચવાથી, શ્રદ્ધવાથી જીવ સુખી થાય છેજી. o શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૪૩૩. અગાસ, ભાદરવા સુદ ૨, ૧૯૯૯ જેવી વૈરાગ્યની વાત પત્રમાં લેખ પામી છે તેવી હૃદયમાં જે આલેખાઈ રહે તે કલ્યાણ જીવને સમીપ છે એમ સમજવું ઘટે છેજી. વૈરાગ્યનાં વચને હદયમાંથી નીકળી જાય તે કલ્યાણકારી નથી; ટકી રહે અને પુરુષને બેધને પરિણામ પામવાનાં કારણ બને તે જ ઉપકારી ગણવા ગ્ય છે. ઘણી વખત તે, સગર ચક્રવર્તી ૬૦૦૦૦ પુત્રના મૃત્યુની ખબર આપનાર બ્રાહ્મણને પ્રથમ તે પુત્રને શેક નહીં કરવા શિખામણ દે છે, પણ જ્યારે પિતાના પુત્રના મરણની વાત સાંભળે છે ત્યારે તે બેભાન થઈ જાય છે અને વિલાપ કરે છે. આપણે આ દષ્ટાંતથી ચેતી આપણે આપણને બંધ આપતા થઈએ અથવા પરમ પુરુષના બેધને હદયમાં રાખી કલ્યાણ-સાધક બનીએ એ જ ભાવનાથી આ બે વચને લખ્યાં છે, તે મારે તમારે બધાએ લક્ષમાં રાખવા યોગ્ય છેજી. Page #447 -------------------------------------------------------------------------- ________________ કરક બેધામૃત પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ પ્રત્યે આપને પૂજ્યભાવ જાણી, પોતાના દેષ જોવામાં અપક્ષપાતતા એ મુમુક્ષતા ઉત્પન્ન થવાનું બીજ સમજી, આપના પત્રથી થયેલી પ્રસન્નતાના પ્રત્યુપકારરૂપ કિંચિત્ લખાયું છે તે ક્ષમાને પાત્ર છેજ. દિન દિન ચઢતા સાચા વૈરાગ્યને પાત્ર આપણે બનીએ એવી પરમકૃપાળુદેવ પ્રત્યે નમ્ર પ્રાર્થના છેછે. જ્ઞાનગર્ભિત વૈરાગ્યનું સ્વરૂપ ત્યાં મુમુક્ષુવર્ગમાં ચર્ચવા વિનંતી છે. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ - ૪૩૪ અગાસ, ભાદ્રપદ સુદ ૬, ૧૯૯૯ પરમકૃપાળુદેવે આ લેક ત્રિવિધ તાપથી બળતે વર્ણવ્યો છે તેવી જ દશા વર્તમાનમાં આખા દેશમાં પ્રગટપણે દેખવામાં આવે છે, તેમાંથી બચવાના ઉપાય પણ તેઓશ્રીએ જણાવ્યો છે કે કલ્પવૃક્ષ સમાન પુરુષનાં વચનની શીતળ છાયા છે, તે મને તમને બધાને શાંતિનું કારણ થાઓ. કારણ કે બીજું કંઈ ઈચ્છવા જેવું નથી. કયા ઈચ્છત? છેવત સખે, હૈ ઈચ્છા દુઃખ-મૂલ; જબ ઈચ્છાકા નાશ, તબ મિટે અનાદિ ભૂલ” (હ. ને. ૧-૧૨) આ અનાદિની ભૂલ ટાળવાની સાચી ઇચ્છા હોય તે ઈચ્છા માત્રને ઊગે ત્યારથી છેદી નાખવી ઘટે છે. સમજવા માટે એક સાચું બનેલું દષ્ટાંત લખું છુંઆશ્રમમાંથી સ્ટેશને જતાં આડી કાચી સડક આવે છે, ત્યાં એક સિમેન્ટના થાંભલા ઉપર સિમેન્ટના પાટિયા ઉપર અંગ્રેજીમાં એમ લખેલું હતું કે “જૈન મંદિર”. રે જ ત્યાં થઈને જતાં તેના પર નજર પડે ત્યારે વિચાર થતું કે “દિરને સુધારી “મંદિર” કરવું હોય તે સહેલાઈથી થાય તેવું છે. થડા દિવસમાં તે કોઈએ તે થાંભલે પાડી નાંખ્યો અને અત્યારે જમીન પર પડેલે છે તે જોઈ વિચાર આવ્યો કે તેમાં સુધારો કરવાની મહેનત કરી હતી તે તે પણ નિષ્ફળ હતી, ધૂળમાં મળી જાત. મોટા મોટા કીર્તિસ્તંભે ધૂળભેગા થઈ ગયા તે આ એક અક્ષરમાં સુધારે કરવાની ઈચ્છા પૂરી પાડી હતી તે પણ કેટલા દિવસ ટકનાર હતી? ચિત્તોડમાં એક લડાઈમાં હિંદુઓ જીત્યા તેની સ્મૃતિમાં તેર-ચૌદ માળને ઊંચે કીર્તિસ્તંભ કર્યો છે તે જોયેલે સાંભરી આવ્યો કે આવાં મોટાં પથ્થરનાં મકાન પણ કાળના ઝપાટા આગળ કંઈ ગણતરીમાં નથી તે તુચ્છ ઈચ્છાઓ સંતોષે શું કલ્યાણ સધાવાનું છે? માટે ઉપશમસ્વરૂપ પુરુષોએ ઉપશમસ્વરૂપ એવાં આગમમાં ઉપશમને જ ઉપદેશ કર્યો છે, તે હદયમાં કોતરી રાખી દુષ્ટ ઈરછાઓ ડેકિયાં કરે કે તુર્ત જ તેમને ઉખેડી નાખવી ઘટે છે. ખેતી કરનારા ખેતરમાં વાવેલું હોય તેની સાથે જે નકામું ઘાસ ઊગી નીકળે છે તેને નીંદી નાખે છે, નહીં તે જે પાકનું વાવેતર હોય તેના છેડવાને પિષણ મળે નહીં, તેમ હદયમાં સત્પષે જે બેધ અને વૈરાગ્યનાં બીજ વાવેલાં છે તેને પિષણ આપી ઉછેરવાં હોય તે બીજી બિનજરૂરી ઈચ્છારૂપી નકામાં છેડનું નિકંદન કરવું ઘટે છે. તે કામમાં આળસ કરીએ તે નકામા છોડ મોટા થઈ સારા છેડને નિર્માલ્ય બનાવી દે છે. તેમ એક પછી એક ઊઠતી નિરર્થક ઈચ્છાઓ જે વધવા પામી તે આખી જિંદગી તેમાં જ વહી જશે અને આ ભવનું સાર્થક કરનાર પુરુષના બેધ અને વૈરાગ્યને વધવાને લાગ નહીં મળે અને તે નિર્બળ બની સ્મૃતિમાંથી ભૂંસાઈ પણ જવા પામે. માટે Page #448 -------------------------------------------------------------------------- ________________ ૪૩૫ પત્રસુધા કરપ મુમુક્ષુછવે વિશેષ વિશેષ જાગૃતિ રાખી ઇરછાદિ દે દૂર કરતા રહેવાને પુરુષાર્થ કર્યા કરવો ઘટે છે”. સાચા અંતઃકરણે પુરુષનું એક પણ વચન ગ્રહણ થશે તે જીવનું અવશ્ય કલ્યાણું થશે એમ પરમકૃપાળુદેવે લખ્યું છે તે આપણે નિરંતર લક્ષમાં રાખતા રહેવું ઘટે છે. માથે મરણ છે એમ વારંવાર બધમાં સાંભળ્યું છે, હાલ તે પ્રત્યક્ષ અગોળા આદિ પ્રસંગેથી તથા ગેળીબાર વગેરેના સમાચારોથી સંભળાય છે. મરણ સમીપ જ સમજીને વિચારવન જીવે વૈરાગ્યની વૃદ્ધિ કરતા રહેવાની જરૂર છે. ક્ષણ ક્ષણ આયુષ્ય ઓછું થતું જાય છે તે મરણતુલ્ય સમજી જીવન સફળ થવા, સત્સંગ થયેલે નિષ્ફળ ન થવા દેવા જ્ઞાની પુરુષના શરણમાં બુદ્ધિ રાખી નિર્ભય હવે તે થઈ જવું ઘટે છેજ. જેટલી નિઃશંકતા તેટલી નિર્ભયતા પ્રગટે; માટે “પરમ દુરસ્ત્રદા” કહી છે તે ગમે તેમ કરી આટલા ભવમાં કરી લેવી ઘટે છે. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, ભાદરવા સુદ ૭, ૧૯૯૯ આત્મ-આરાધના એ મોટું કામ છે તે જેણે કરવું હોય તેણે તુચ્છ વસ્તુઓ – પરભાવ અને પરવૃત્તિઓ –ને છેડી પિતાના તરફ વૃત્તિ વાળવાની જરૂર છે. આ જીવ આટલા કાળ સુધી પારકી પંચાતમાં પડી પોતાનું હિત કરવાનું ચૂકી ગયે છે તેને લઈને આ ભવ ધારણ કરે પડ્યો છે, તે હવે તે ભાવ મંદ કરી પિતાના તરફ વિશેષ લક્ષ નહીં રાખે તે તેની શી વલે થશે? “પગ મૂકતાં પાપ છે, જોતાં ઝેર છે અને માથે મરણ રહ્યું છે” આમ પરમકૃપાળુદેવે પુષ્પમાળામાં કહ્યું છે તે હવે તે હૃદયમાં અત્યંત-અત્યંતપણે દઢ થાય એ જ મારું કર્તવ્ય છે. કાળ ગટક ખાઈ રહ્યો છે, લીધે કે લેશે એમ થઈ રહ્યું છે ત્યાં આ જીવને પારકી પંચાતમાં પડવાને વખત જ ક્યાં છે? જે આ જીવ આટલી યોગ્યતા પામ્યા છતાં નહીં ચેતે તે મરણ વખતે તે બધું લૂંટાઈ જવાનું છે તે વખતે નિષ્ફળ પશ્ચાત્તાપ કરશે. ક્યાંય દષ્ટિ દેવા જેવું નથી. બધે બળતરા, ત્રાસ અને ભય ભય દષ્ટિગોચર થાય તે કાળ આવી પહોંચ્યો છે, તે વખતે વિચારવાન જીવે શું કરવું? કોને સંગ કરે? કેવી રીતે આ પ્રબળ લૂંટથી બચવું? તેને વારંવાર વિચાર કરી “સર્વ પ્રકારે જ્ઞાનીના શરણમાં બુદ્ધિ રાખી નિર્ભયપણને, નિઃખેદપણુને ભજવાની શિક્ષા શ્રી તીર્થકર જેવાએ કહી છે અને અમે પણ એ જ કહીએ છીએ” (૪૬૦) એમ પરમકૃપાળુદેવે લખ્યું છે તે ઉત્તમ દવા શાંતિનું કારણ છેજી. સમાધિમરણ પ્રાપ્ત કરાવે તેવું તે વચનમાં બળ છે પણ આ જીવ જે લક્ષમાં લે તે જ. એ જ વિનંતી. શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૪૩૬ અગાસ, ભાદરવા સુદ ૮, ૧૯૯૯ અનંત કાળથી જીવને જન્મમરણ, જન્મમરણ થયા કરે છે તેનું કારણ અણસમજણ અને કષાયભાવ છે. તે દેને દોષરૂપ જાણી તેથી સદાયને માટે છૂટવાની ભાવના સદુગુરુયોગે જાગે છે. ધર્મને નામે અનેક ઉપવાસ આદિ ક્રિયા કરવા જીવ દોડે છે પણ કષાય ઘટાડી સદૃગુરુની શિખામણ પ્રમાણે સમજણ કરવાનું જ કર્યું નથી. તે કરવાને લાગ એક Page #449 -------------------------------------------------------------------------- ________________ બેધામૃત આ મનુષ્યભવમાં છે તે જેમ બને તેમ સર્વ જીવ પ્રત્યે નિરબુદ્ધિ, મૈત્રીભાવ રાખી વર્તવાનું કરે, બીજાના ગુણે જોવાની દૃષ્ટિ રાખે અને પિતાના દોષે દેખી ટાળવાને પુરુષાર્થ કરે તથા સર્વ જીવનું કલ્યાણ થાઓ એમ ઈ છે. પિતાનાથી બને તેટલી બીજાને સારા કામમાં મદદ કરે અને પિતાનું બને તેટલું કર્યા છતાં કેઈનું હિત ન થાય તેમ લાગે ત્યાં મધ્યસ્થ ભાવ રાખવાને અભ્યાસ કરે તે જીવ જ્ઞાની પુરુષના માર્ગને ગ્ય થાય. જે જે બંધનના, કષાયના, અજ્ઞાનના ભાવ છે તે દૂર કર્યા વિના પુરુષની સમજણને વારસ જીવ કેવી રીતે બને ? શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૪૩૭ અગાસ, તા. ૧૧-૮-૪૩ ભાદરવા સુદ ૧૦, બુધ, ૧૯૯૯ નહીં હરે મિથ્યાત્વ જે, સર્વ દુઃખનું મૂળ તે શાને શૂરવીર (ર) જે, આત્માને પ્રતિકૂળ. ગણના તારાગણ તણી, ગગને કદી કરાય; પણ સદ્ગુરુના ગુણ તણું, માપ ન થાય જરાય. અકસ્માતથી બયા, ઈજા થઈ નથી અને મક્તનું જીવવાનું મળ્યું છે એ વિચાર ઊગે છે તે પિલાતે રહે, મરી ન જાય તે માટે શું વિચાર્યું છે? તે વિચારણામાં મદદ કરે તે એક લેખ પરમકૃપાળુદેવને “તત્ત્વજ્ઞાન'માં છપાયેલ છેઃ ભાઈ, આટલું તારે અવશ્ય કરવા જેવું છે”(૮૪) તે વારંવાર વિચારી બને તે મુખપાઠ કરી લેવા જેવો છે. કોઈ પારિભાષિક શબ્દો ન સમજાય તે ત્યાં અટકી રહેવા યોગ્ય નથી. આત્મલક્ષ રાખીને વાંચવાથી સવળું પરિણમશે. “તત્વજ્ઞાનમાં તો ઘણી બાબતે છે પણ તે સર્વ એક આત્માર્થે જ છે, એ લક્ષ ન ચકાય તે વારંવાર વાંચે નવા નવા ભાવે આગળ વધવા પ્રેરે તેવા સ્કુર્યા કરે તેમ છે. ચિત્ત-પ્રસન્નતા સાચવશે. “ચિત્ત પ્રસન્ન રે પૂજનફળ કહ્યું, પૂજા અખંડિત નેહ, કપટરહિત થઈ આતમ અરપણું, આનંદઘનપદ રેહ.” ચિત્તની નિર્મળતા, નિર્દોષતા એ પ્રસન્નતા છે, રાગદ્વેષ છે ત્યાં મલિનતા, આસક્તિ, લેશ છે. પ. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીનું એક વચન અનેક રીતે વિચારી આત્મહિતમાં આવવા અર્થે ઉપદેશેલું નીચે લખું છું તે વ્યવહાર, પરમાર્થ બનેમાં ઉપયોગી છે – “શું કરવા આવ્યા છે? અને શું કરે છે?” તે રોજ વિચારશોજી. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૪૩૮ અગાસ, તા. ૧૬-૮-૪૩ દિવસે દિવસે મુમુક્ષતા વર્ધમાનતાને પામે તેમ કર્તવ્ય છેજી. “ધર્મરંગ જીરણ નહીં, દેહ તે જરણ થાય” એમ શ્રી યશોવિજયજી મહારાજે લખ્યું છે, તે પ્રત્યક્ષ સદ્દગુરુનો વેગ જેને થયું છે તે મહાભાગ્યશાળી જીવે પોતાના ભાવ દિવસે દિવસે વર્ધમાન થતા જાય તેમ પ્રવર્તવાની તથા તેની ચેસી રાખવાની જરૂર છે. ધનની કાળજી રાખી વૃદ્ધિ થાય તેવી ... Page #450 -------------------------------------------------------------------------- ________________ ४२७ પત્રસુધા વ્યવસ્થા કરીએ છીએ, શરીરની આરેાગ્યતાના ઉપાય લઈ એ છીએ, કુટુંબની આબરૂ માટે નિર'તર ચિંતા હાય છે તે આ બિચારા આત્માની સંભાળ લેવાનું, તેને ક'ઈ ઉન્નતિના ક્રમમાં આણવાનું તથા યથાર્થ સુખી કરવાનું ખાસ કરવા યાગ્ય કાર્ય વિસ્મરણ ન થાય તે જોતા રહેવાની જરૂર છેજી. અનતકાળથી પોતે પેાતાના વૈરી થઈ ને ત્યાં છે, તે માર્ગ પલટાવી પોતે પોતાના મિત્ર અને તેવી ઘણી અનુકૂળતા, સામગ્રી, સયાગેા આ ભવમાં પ્રાપ્ત થયા છે તે નિરર્થીક ન નીવડે તે અર્થે શું કરીએ છીએ ? અને શું કરવા ધાર્યું છે? આના દરેકે પેાતાને વિચાર કરવા વિનંતી છેજી. પરમકૃપાળુદેવનું ચેાગબળ સનું કલ્યાણ કરી એ જ પ્રાથના. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૪૩૯ અગાસ, તા. ૨૧-૮-૪૩ નહિ તૃષ્ણા જીવ્યાતણી, મરણુયાગ નહિ ક્ષેાલ; મહાપાત્ર તે માના, પરમચેગ જિતલેાભ.’ (૯૫૪) તીથ શિરામણિ સત્સ`ગધામ આત્મવિશ્રામ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસ સ્ટેશનથી લિ. સત્પુરુષના ચરણકમળની સેવાના ઇચ્છક દાસાનુદાસ બાળ ગોવર્ધનના જયસદ્ગુરુવદન સ્વીકારવા તથા સ'વત્સરી પર્યંતના દેાષાની ઉત્તમ ક્ષમા આપવા નમ્ર અરજ છેજી. વિ. પત્ર મળ્યા છેજી. તમિયત નરમ થતી જાય છે તથા અશક્તિ રહે છે તે જાણ્યું. શરીરના ધર્મ શરીર બધી અવસ્થામાં અાવે છે તે આત્માએ બધી અવસ્થામાં આત્મધમ શા માટે ચૂકવા જોઈ એ ? એ વાર વાર વિચારી શરીરમાં વેદના વગેરે દેહના ધર્માં દેખાય, તેને દેખનારે। આત્મા પરમાનંદરૂપ જ્ઞાનીએ કહ્યો છે, અનુભવ્યા છે, તેવા જ મારે માનવા છે, તે જ મારું ખરું સ્વરૂપ છે. સદાય ટકી રહે તેવા એ અવિનાશી, અજર, અમર, શાશ્વત, અન ́ત સુખસ્વરૂપને હવે તેા હૃદયમાં કોતરી રાખવું છે, તેમાં જ મરણુ પર્યંત વૃત્તિ રાખવી છે. એ સહજાત્મસ્વરૂપ જ ભવસાગર તરવા માટે જહાજ છે. પરમકૃપાળુદેવે અનંત કૃપા કરી પરમ ઉપકારી શ્રી પ. પૂ. પ્રભુશ્રીને સમાધિમરણ અર્થે જે મત્ર કહ્યો તેથી તેમણે પરમ પુરુષાર્થ ફેરવી તેમાં તન્મયતા સાધી આત્મકાર્ય સાધ્યું; તે જ મહામત્રનું દાન તેઓશ્રીની આજ્ઞાથી મને મળ્યું છે. હવે તેમના જેવી જ દશા પામવાના મને અપૂર્વ અવસર સાંપડચો છે, તે આ દેહની પ'ચાતમાં પડીને નહીં ગુમાવું; દેહનું ગમે તેવું થવું હા તે થાઓ, સુકાઈ જાઓ, સડી જાએ, પડી જાએ અને આથી ખમણી વેદના ભલે આવેા પણ તેની કાળજીમાં મારા આત્માનું કલ્યાણ કરવાનું આ ભવના છેલ્લા શ્વાસેાશ્ર્વાસ સુધી તે નહીં જ ચૂકું, એવી દૃઢતા રાખી, કાયરપણું તજી શૂરવીર થવાના પ્રસંગ આવ્યા છે તે દીપાવજો. વીરહાક’ આલેાચનામાંથી સાંભળવાનું અને તેમ ગોઠવણુ કરશેાજી તથા સમાધિસેાપાનમાંથી સમાધિમરણ” પાન ૩૧૩ થી પાછલા પત્રા પૂરા થતા સુધીનું લખાણ પણ સાંભળતા રહેવા ભલામણુ છેજી. કંઈ ન મને તે એક શરણુ પરમકૃપાળુદેવનું છે તે જ મને તારનાર છે એવી ભાવના, દુઃખ ગમે તેટલું હાય તાપણુ ભુલાય નહીં તેમ, વારવાર અભ્યાસથી કંબ્ય છેજી. જીભે સ્મરણુ અને હૃદયમાં પરમકૃપાળુદેવની પરમ શાંત રસમય મુદ્રા અખ`ડ રહે તેવા અનતે Page #451 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ બેધામૃત પુરુષાર્થ કર્યા જ કરે ઘટે છેજી. શ્રી સદ્ગુરુપ્રસાદમાંથી વારંવાર વીતરાગ-મુદ્રા-દર્શન દ્વારા તે મહાપુરુષની અલૌકિક દશામાં તન્મય થવાય એ જ કર્તવ્ય છેજ. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ તા. ૨૩-૮-૪૩ * ‘દિવસે તેલ નાખું નહીં” = પુરુષે દિવસેય માથામાં તેલ નાખવું નહીં, એટલે કે નાખવું જ નહીં, કારણ કે હજામત, સ્નાન વગેરે સાધનેથી શિર સ્વચ્છ રહેવાનું કારણ પુરુષને બને છે. રાત્રિએ તેલ માથામાં નાખનાર એટલે વેશ્યાદિ તથા અત્યંત મહાસક્ત સ્ત્રીઓ હોય. સામાન્ય સ્ત્રીઓ તે દિવસે શરીર-સંસ્કાર કરી લે છે. વાળ ઉપર જેટલી આસક્તિ છે એટલે દેહાધ્યાસ છે, એ સહજ વિચારે સમજાય તેવી વાત છે. માથું હળતાં વાળ કાંસકા ઉપર આવ્યા હોય તેને ઘરના કેઈ ખૂણામાં પણ રાખવા કઈ ઈચ્છતું નથી, તથા હજામત કરાવેલા વાળ દૂર ફેંકી દે છે. કેઈ કપડામાં ભરાયે હોય તે ખૂચ ખૂચ કરે. તેવી નિરર્થક ચીજમાં વારંવાર વૃત્તિ રાખી તેની ઠીકઠાકમાં મનુષ્યભવની મેંદી પળે ગુમાવવી એ વિચારવાનને કેમ પાલવે ? ઘણું સ્ત્રી-પુરુષોને વારંવાર માથાના વાળ ઠીક કરવા કે જેમ હળીને રાખી મૂક્યા હોય તેવા રહ્યા છે કે નહીં તેની પરીક્ષા કરવા માથે હાથ ફેરવતા જોઈએ છીએ અને તે ટેવનું રૂપ લે છે એટલે વગર કારણે શિર પર હાથ ફર્યા કરે છે. આ મેહની ઘેલછા છે. તેનું સૂક્ષમ અવકન કરી અંતવૃત્તિઓને તપાસી તેને સન્માર્ગે વાળવી ઘટે છે. જેમને દેહાપ્યાસ એ મહાદોષ ભાસ્યો છે અને જે સંસારથી વિરક્ત થયા છે તે મહાપુરુષ તે કેશને કલેશરૂપ જાણી, મેહનાં મૂળ જાણ તે પરમપુરુષ શ્રી તીર્થકર જેવા તે તેને મૂળથી ઉખેડી નાખે છે. “કુટિલ, ધૂર્ત વિલાસ-વાસ ગણ કેશ-લેચ તે કરતા રે; તજી શણગાર, અણગાર બની તે મહાવતે ઉચરતા રે; પોપકારકારક પરમાત્મા ઊઠયા જગ ઉદ્ધરવા રે.” (પ્રજ્ઞા. ૧૦૩) દરેક બાબતને ઊંડો વિચાર કરતાં શીખે એ જ વિનંતી. અગાસ હાથીના બે દાંત સમ, સજજનના ગણ બોલ, વચન દઈ વર્તે નહીં, તે તરણને તેલ. આપને પત્ર મળે. ત્યાંની મુશ્કેલીઓની હકીકત લખી તે જાણી. સાથે મુમુક્ષુતામાં હાનિ થતી આવી છે તે પણ જાણી ખેદ થયા. હિંમત હારવી નહીં. લીધેલું વ્રત બને તેટલી ધર્મભાવના અને ચીવટ, દાઝ રાખી પાળવું ઘટે છે. ધર્મ અર્થે ઈહાં પ્રાણનેજી, છાંડે પણ નહિ ધર્મ, પ્રાણ અર્થે સંકટ પડેઝ, જુઓ એ દષ્ટિને મર્મ - મનમેહન જિનજી, મીઠી તાહરી વાણુ.” જુઓ સાતસે મહાનીતિઃ આંક ૬૫૪-૬૫૫. Page #452 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૪૨૯ આ જીવે પરવશે ઘણાં દુ:ખ વેઠ્યાં છે; પણ સ્વવશે સમભાવ અર્થે ધ બુદ્ધિએ વેશે ત્યારે જ કલ્યાણ થવા ચેાગ્ય છે. રેશનિંગના કાયદાને અંગે ઘી જેવી વસ્તુ ઘટાડવી પડે; પણ પાપનું કારણ સમજાયું હોય, છતાં કંદમૂળ વાપરવાની વૃત્તિ રહે તે પડતી મુશ્કેલીઓને લક્ષમાં લીધી છતાં મુમુક્ષુતાની – ધમ ભાવનાની ખામી, પરભવમાં શી વલે થશે એવા વિચારની ખામી - ટૂંકામાં અનાર્ય અસરની મૂર્છા સમજાય છે. પાપમાં પ્રવવાના અનાર્ય વિચારને ઉત્તેજન આપી કેમ દેવાય ? આવી રીતે જ કંઈ પુરુષાર્થ કરી ઊંચે આવી પંત પરથી પડતું મૂકે એમ કરી અન`તકાળથી રઝળતા આવ્યેા છે. તેમાં નવાઈ જેવું નથી. નવાઈ જેવું તે તેવા પ્રસંગેાથી બચી જવાય તે છે. એક મેાક્ષગામી પુરુષની જ્ઞાનીપુરુષે કહેલી કથા સાંભળી, લીધેલા વ્રતથી પડી ગયા હૈ તે ઊભા થવાને બળ મેળવવા અર્થે ટૂંકામાં લખું છું, તેને શ્રદ્ધાપૂર્વક વિચારી આત્મહિતમાં તત્પર થવા ભલામણુ છે. (જુએ પ્રવેશિકા શિક્ષાપાઠ ૪૪-૪૫-૪૬, રાત્રિભાજનત્યાગ વિષે કથા) આ ટૂંકી વાતમાં ઘણું રહસ્ય છે. એક પણ જ્ઞાનીની આજ્ઞા જો મરતાં સુધી ટેક રાખી પાળે તે તેના ભવચક્રના આંટા ટળી જાય છે. જાણે આ પત્ર મળે ત્યારથી ફરી આજ્ઞા મળી છે એમ માની, તૂટેલું વ્રત સાંધી લઈ ટકાવી રાખવા ભલામણ છેજી. શાક વિના ખાવું પડે કે પાતાને હાથે રસોઈ કરવી પડે તે તેમાં હરકત નથી; પણ પાપનાં ફળ ખૂરાં છે અને આજ્ઞાભંગ એ મોટું પાપ છે, માટે પાપથી ડરતા રહી સદ્ગુરુની આજ્ઞા એ જ તરવાને ઉપાય છે. માટે મારે હવે પ્રાણ જાય પણ તે તજવી નથી એવી દૃઢતા મરણાંત સુધી ટકાવી પરમકૃપાળુદેવ પ્રત્યે પરમ પ્રેમ વધતા જાય તેમ વવા, વાંચવા, વિચારવા, ભાવના કરવા વિન'તી છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૪૪૨ અમાસ, તા. ૨૪-૮-૪૩ દુઃખના વખતમાં સામાન્યપણે જીવના ઉપયાગ જ્યાં દેહમાં વેદના થતી હાય ત્યાં વારવાર જવાના સ્વભાવ છે, તેને લઈ ને હું દુઃખી છું, દુઃખી છું એવેદન રહ્યા કરે છે. તેને જ્ઞાનીપુરુષોએ આત ધ્યાન કહ્યું છે. મુમુક્ષુ જીવે તેમ નહીં કરતાં જ્ઞાનીની આજ્ઞામાં વૃત્તિ રાખવી ઘટે છે. જ્ઞાનીએ દેહને પુદ્ગલને કહ્યો છે, વેદનીયકર્મ પણ પુદ્ગલ છે, તેના ઉદયે સૂર્યના પ્રકાશ જેમ વાદળાંથી રાકાય તેમ આત્માના આનંદ કે સુખ પણ વિકાર પામી દુઃખની કલ્પના ઊભી થાય છે અને મેહને લઈને ‘હું દુઃખી છું, મને વેદના છે, નથી રહેવાતું, હવે શું થશે ? મટશે કે નહીં? મરી જવાશે ?’ વગેરે વિકલ્પોની પરપરા દેહાધ્યાસને લઈ ને થાય છે તે દૂર કરી, સુખી થવાની કલ્પનાએ દૂર કરી, સુખદુઃખની કલ્પનાઓમાંથી કોઈ પણ કલ્પના કરવાની જ્ઞાનીની આજ્ઞા નથી એમ વિચારી, સત્સ`ગ કે સત્શાસ્ત્રમાં ભાવ રાખી, સ્મરણમત્ર વગેરે સાધનેાના અવલ અને ભાવ સદ્ગુરુ અને તેની આજ્ઞામાં રહે તે ધર્મધ્યાન થવાને સ‘ભવ છેજી. માટે માત્ત ધ્યાન દૂર થાય અને ધમ ધ્યાનમાં ભાવ રહે તેવા પુરુષાર્થ કરવા ભલામણ છેજી. શાંતિ: Page #453 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ બધામૃત ૪૪૩ અગાસ, તા. ૧૦-૯-૪૩ તત છે સત્ ભાદરવા સુદ ૧૧, શુક્ર, ૧૯૯૯ “સ્વધર્મકી ખેજના કરના, ભૂલ પગ પાછા નહીં ધરના મુક્તિગઢ કાયમ હી કરના, સમજ દિલ સંશય સબ હરના.” “અંતરંગ મુજ આત્મમાં, પદપંકજ ધરે, નાથ; સેવું, સમરું શુદ્ધ મને, કૃપા કરી ગ્રહો હાથ.” ગુરુ-રાજ-ગુણ ઉર વિષે, સત્ય રુચિ, બહુમાન; નિકટ-ભવિ ભવ અલ્પમાં, પામે પદ નિર્વાણ.” “અબ વસો મમ ઉરમાં સદા, પ્રભુ, તુમ ચરણ-સેવક રહું; વર ભક્તિ દઢ હોતું મેરે, અન્ય વિભવ હું નહીં ચહું.” શ્રીમદ્ વીર-જિનેશપદ, વંદુ વારંવાર; | વિક્ષહરણ, મંગલકરણ, અશરણ-શરણ, ઉદાર.” અત્યારે જે જે અનુકૂળ કે પ્રતિકૂળ સંયોગે જીવને પ્રાપ્ત થયા છે તે પૂર્વે કરેલા ભાનું ફળ છે, તેમ જ અત્યારે જે શુભાશુભ ભાવો થાય છે તેનું પણ અવશ્ય ફળ પ્રાપ્ત થશે. માટે જેવું ભાવિ ઘડવું હોય તેવી ભાવના અત્યારે ભાવવાથી તેવું જ ફલ પ્રાપ્ત થશે. માટે સદ્દગુરુ-શરણે મન દેઢ રાખી આત્મકલ્યાણને પિશે તેવી જ ભાવનાઓ કરતા રહેવાથી કલ્યાણ થશે. જેને એક પરમકૃપાળુદેવની દઢ શ્રદ્ધા નથી થઈ તેને જેવાં નિમિત્ત જગતમાં નજરે ચઢે તેવા થવાની, તેવું પ્રાપ્ત કરવાની ઈચ્છાઓ, સંકલ્પ-વિકલપ થયા કરે છે અને દુઃખનાં બીજ વાવ્યા કરે છે. કહ્યું છે કે – “કથા ઈચ્છત? ખેવત સબૈ, હૈ ઈરછા દુઃખમૂલ; જબ ઈચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ. જહાં કલપના-જલપના, તહાં માનું દુઃખ છાંય; મિ. કલપના-જલપના, તબ વસ્તુ તિન પાઈ.” – શ્રીમદ્ રાજચંદ્ર માટે મોક્ષ સિવાય બીજું કંઈ ઈચ્છવા જેવું નથી. “કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ, પ્રાણી-દયા, ત્યાં આત્માર્થ નિવાસ. ચૈત્યવંદન-વીશીના છેલ્લાં પાનાંઓમાં “આઠ દૃષ્ટિની સઝાય” નામે કાવ્ય છે. તે કાવ્ય જૂની ગુજરાતીમાં છે. તેમાં આઠે ભેગનું ટૂંકમાં વર્ણન કર્યું છે અને મોક્ષે જનારને કેવા કેવા ગુણો અને કેવી ભૂમિકાઓ પ્રાપ્ત થાય છે તેનું વર્ણન છે. તે ઉપરથી, આપણે કેટલામાં છીએ તેનું પણ માપ નીકળે તેવું છે. તાવ માપવાનું થરમૅમિટર જેમ કેટલે તાવ છે તે જણાવે છે તેમ છૂટવાની ભાવના કેટલે અંશે જાગી છે તેનું તેમાં માપ નીકળે તેવું છે. સંસ્કૃતમાં શ્રી હરિભદ્રસૂરીએ “ગદષ્ટિસમુચ્ચય” ગ્રંથ લખી પિતે તેની ટીકા કરેલી છે તેને સાર એ નાના આત્મસિદ્ધિ જેવડા કાવ્યમાં છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #454 -------------------------------------------------------------------------- ________________ પગસુધા ૪૩૧ , અગાસ તા. ૧૨-૯-૪૩ તત છે. સત્ ભાદરવા સુદ ૧૩, ૧૯૯૯ ક્ષમા શૂર અરિહંત પ્રભુ, ક્ષમા આદિ ગુણ ધાર; ક્ષમા-અર્થી યાચે ક્ષમા, ક્ષમા અર્પે ઉદાર. જેમ તીર્થમાં સ્નાન કરવાથી શરીરને મળ દૂર થઈ પવિત્ર થવાય છે તેમ આવા સંવત્સરી પર્વ જેવાં પર્વમાં પણ પૂર્વ પાપ છોડી હદય નિર્મળ કરવા ખમતખામણું કરવાનાં છે. ભૂતકાળને ભૂલી જઈ, મોક્ષમાર્ગમાં આગળ વધાય તેવું બળ મળે તેવા ભાવ, નિર્ણ અને પરિણામ કરવાથી તે બની શકે એમ છે. પૂ. ત્યાં હોય તે મારા તરફથી તેમના કુટુંબને ક્લેશનું કારણ બન્યાનું તેમના ચિત્તમાં રહેતું હોય તે વિસારી ક્ષમા આપવા નમ્ર વિનંતી છે . મારા ચિત્તમાં કોઈને દૂભવવાને ભાવ હતું નહીં અને તે પણ નહીં, છતાં કર્મના ઉદયે તેમ કોઈને લાગ્યા કરતું હોય તે વિનયભાવે ખમાવવું એ વીતરાગ ધર્મની શોભા છે. અને આપણામાં વિનયભાવની ઉજજવળતાનું કારણ છે. કેટલે કાળ આ દેહમાં આપણે બેસી રહેવું છે.? લીધે કે લેશે એમ થઈ રહ્યું છે, કાળ ગટકા ખાઈ રહ્યો છે. વારાફરતી વારે આવે તેમ આપણે માથે મરણ ભમે છે તે અચાનક ઉપાડી જાય ત્યાર પહેલાં નિઃશલ્ય થઈ સદ્ગુરુ-શરણમાં બુદ્ધિ રાખી નિર્ભય બની જવા જેવું છે. આપણું ધાર્યું કાંઈ બનતું નથી, તે નકામા સંકલ્પ-વિકલ્પમાં બેટી થઈ કરવા ગ્ય એ આત્મવિચારરૂપ ધર્મ આરાધવામાં ઢીલ શા માટે કરવી? જેને સદ્દગુરુની આજ્ઞા મળી છે તે મહાભાગ્યશાળી જીવે તે હવે પ્રમાદ તજી પ્રાણની પેઠે તે આજ્ઞા પ્રત્યે અત્યંત આદર રાખી, પ્રાણુતે પણ તે ચકાય નહીં તે અભ્યાસ કરી દેવા ગ્ય છેજ. ઘણું ભવમાં સજજનેને સમાગમ જીવને થયે હશે, પણ પિતાની બેદરકારી અને મેહમાં જીવે સાચી વસ્તુને હૃદયમાં સ્થાન આપ્યું નથી તે ભૂલ આ ભવમાં કાઢી નાખવા ગ્ય છે. ૩% શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૪૪૫ અગાસ તા. ૧૪-૯-૪૩ તત સત્ ભાદરવા સુદ ૧૫, મંગળ, ૧૯૯૯ જેમ બને તેમ કોઈ પ્રત્યે વેરભાવ ન થાય તેમ વર્તવાથી તથા ભક્તિમાંથી બીજે ચિત્ત વારંવાર ન જાય તેમ કરવાથી આત્મહિત સધાશે, નહીં તે સંસારનાં જન્મમરણ છૂટવા બહ મુશ્કેલ છે. ગમે તેવા સંયોગોમાં પણ પરમકૃપાળુદેવના ચરણકમળ હદયમાં શીતળતા પ્રેરતા રહે તેવી વૃત્તિ કર્યા વિના સંસાર તરી શકવે દુર્ઘટ છેજી. ચિત્ત અસ્થિર રહે તેવા લેશમાં ઊતરવા યોગ્ય નથી. પ્રારબ્ધમાં બાંધેલું હશે તેટલું જ જીવને મળે છે. કલેશ કર્યો વધારે મળે નહીં, કે કઈ નસીબમાંથી લૂટી શકે નહીં. “નહીં બનવાનું નહિ બને, બનવું વ્યર્થ ન થાય; કાં એ ઔષધ ન પીજીએ, જેથી ચિંતા જાય.” ધર્મ આરાધવાને વખત નકામી બાબતોમાં વહ્યો ન જાય એ વિચારવાને લક્ષમાં રાખવા ગ્ય છે”. * શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #455 -------------------------------------------------------------------------- ________________ બેધામૃત અગાસ, તા. ૧૫-૯-૪૩ તત્ છે. સત્ ભાદરવા વદ ૨, બુધ, ૧૯૯૯ પૂના પત્રથી આપનાં ધર્મપત્નીને દેહત્યાગના સમાચાર મળ્યા. નાની ઉંમરમાં એ બાઈને ધર્મભાવનાના અંકુર ઊગવા લાગ્યા હતા, ત્યાં તે મનુષ્યઆયુષ્યરૂપ ધર્મધન લૂંટાઈ ગયું એ ખેદનું કારણ છે, પણ તે ખેદનું ફળ સાંસારિક પરિભ્રમણનું કારણ ન થાય તે અર્થે ખેદને વૈરાગ્યના રૂપમાં પલટાવવા વિનંતી છે. એક રીતે આ પ્રસંગ આપની, પ્રથમ પત્રોમાં જણાવતા હતા તેવી મહદ્ અભિલાષાઓને માર્ગ ખુલ્લે કરનાર સમજવા યોગ્ય છેજ. જીવન કેમ વ્યતીત કરવું તેને યથાર્થ વિચાર કરવા યોગ્ય અવસ્થામાં અત્યારે તમે મુકાયા છે તે મેહને વશ થઈ અન્યના સંકુચિત સાંસારિક વિચારોને માન આપતા પહેલાં આપણે કેવા થવું છે, અને તે કયા માર્ગે થવાય તેમ છે તે વિચારવા, જોઈતો વખત છ બાર માસ બ્રહ્મચર્ય પાળી પછી જેમ એગ્ય લાગે તે ક્રમ અંગીકાર કરે ઘટે છેછે. એટલે કેઈ સાથે વચનથી બંધાઈ ન ગયા છે તે વચન આપતા પહેલાં કેળવાયેલા માણસે કે આત્મહિતઈરછકે જે જે વિચાર કરવા ઘટે તે કર્યા પહેલાં વચન આદિ બંધનમાં ફસાઈ ન જાઓ એટલા માટે આ ચેતવણી આપી છે.જી. બનનાર તે ફરનાર નહીં અને ફરનાર તે બનનાર નહી” એવી કહેવત છે, છતાં વિચાર કરી પગલું ભરનારને પસ્તાવું પડતું નથી. પોતાને પિતાની પરીક્ષા લેવાનો પ્રસંગ આવે છે ત્યાં ઉતાવળ ન કરવી એવી સૂચના છે. તમે અહીં ઊતરશે એમ અનુમાન કર્યું હતું, પણ તે પુણ્યસંચય નહીં હશે તેથી બાબર ત્યાં તણાવું પડ્યું. પણ પસ્તા પાછળથી થાય તેવું પગલું ઉતાવળે ન ભરવા જેટલી હિંમત રાખશે તે હિતવિચાર કરી શકશે. નિઃસ્વાર્થે સહજ વિચાર આવ્યું તે ચેતવા, ચેતાવવા ગ્ય જાણી લખે છે. એ જ વિનંતી. * શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૪૪૭ અગાસ, તા. ૧૭-૯-૪૩ ભાદરવા વદ ૪, ૧૯૯૯ સત્સંગના પ્રતાપે કલ્યાણ કરવાના જીવને ભાવ થાય છે; વ્રત નિયમ પાળવાનું બળ મળે છે અને ચેતે તે આત્મહિત કરવાને દાવ આવે છે તે સાધી શકે છે. સત્સંગના વિયેગે જે જીવ કાળજી ન રાખે તે મંદ પરિણામ થવા સંભવ છે, પણ તેવા પ્રસંગમાં જે ફરી સત્સંગને વેગ થાય તે વ્રત પરિણામ, આત્મદાઝ નવપલ્લવિત, પ્રકુટિલત થાય છે. ૪૪૮ અગાસ, તા. ૨૦-૯-૪૩ જીવને વૈરાગ્યની જરૂર છેજી. તે આસક્તિ ઘટયા વિના તે પ્રગટે કે ટકી રહે તેમ નથી. જેના હદયમાં વૈરાગ્યને વાસ હોય તેને તે આ કાળ તેની વૃદ્ધિ કરે તેવી ઘટનાઓ ઉપરાઉપરી કર્યા કરે છે તેને યથાયોગ્ય વિચાર થયે એ મોક્ષમાર્ગના મિયારૂપ વૈરાગ્ય જાગે અને જરૂર મોક્ષમાર્ગે આગળ વધવાનું બળ આપે. મારે તમારે બધાને આ જ જરૂરી વસ્તુ છે. વૈરાગ્ય ને ઉપશમને જ્ઞાની પુરુષે વખાણ્યા છે તથા આરંભ પરિગ્રહના ત્યાગને ઉપદેશ બહુ ભાર દઈને કર્યો છે તે વારંવાર પરમકૃપાળુદેવનાં વચને લક્ષમાં લેવાયેગ્ય છે. Page #456 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા અગાસ, ભાદ્રપદ વદ ૮, ૧૯૯૯ નિરંતર સત્સંગની ભાવના પરમકૃપાળુદેવ જેવા પરમ પુરુષે કરી છે તે આપણે પણ તે જ કર્તવ્ય છેજ. તે ભાવનાનું બળ વધતાં તે ફળવાન થશે. જેની જેવી ભાવના, તેને તેવું ફળ (સિદ્ધિ) જરૂર મળે છેજ. છપદનો વિશેષ વિચાર કરવા ભલામણ છેજી. ૪૫૦ અગાસ, ભાદરવા વદ ૧૦, ૧૯૯૯ પરમકૃપાળુદેવની કૃપાથી જે જીવનું કલ્યાણ થવા લાગ્યા હશે તે તેની આજ્ઞા-આરાધનરૂપ સપુરુષાર્થથી થશેજી. આ કલિકાલમાં સર્વ તરફ દુઃખ, દુઃખ અને દુઃખનાં દર્શન થઈ રહ્યાં છે, ત્યાં એક વૈરાગ્ય અને ભક્તિ એ જ જીવને શરણરૂપ છે. જે જીવ મેહાધીન વર્તી સ્વાર્થમાં મશગૂલ, તલ્લીન થઈ રહ્યા છે તેમને આ સ્વપ્ન સમાન બધી માયાજાળ સત્યરૂપે ભાસે છે. “તે સ્વપ્નદશાથી રહિત માત્ર પિતાનું સ્વરૂપ છે એમ જે જીવ પરિણામ કરે તે તે સહજમાત્રમાં જાગ્રત થઈ સમ્યગ્દર્શનને પ્રાપ્ત થાય, સમ્યગ્દર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે.” (૪૯૩) આ વાક્ય વારંવાર વિચારવા ભલામણ છે. ૫૧ અગાસ, તા. ૨૯-૯-૪૩ “અમને અંતસમય ઉપકારી વહેલા આવજો રે. વસમી અંતસમયની વેળા, હારે ધાજો હાલા, વહેલા પ્રણતપાળનું પહેલાં પણ પરખાવજે રે – અમને” (રત્નરાજ) વિ. આપનું કાર્ડ મળ્યું, તેથી બે બ્રહ્મચર્યવ્રતધારી પરમકૃપાળુદેવના ઉપાસક ભાઈએ આપની પાસે આજે આવે છેજી. પરમકૃપાળુદેવની કૃપાથી તેમના મુખે ભક્તિ, મંત્ર વગેરે જે જે સંભળાય છે તે મહાપ્રભુને ઉપકાર હદયમાં માની તેના શરણે આનંદવૃત્તિમાં રહેવાને અભ્યાસ રાખવા ભલામણ છેજી. ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીના સંદેશારૂપ ચેડાં વચને નીચે લખ્યાં છે. જાણે તે પ્રભુ પિતે જ સમાધિમરણ કરાવવા હાજર થયા છે એમ માની, હૃદયમાં કેતરાઈ જાય તેવા ભાવથી શ્રવણ, મનન, તેમાં કહ્યા તેવા ભાવમાં પરિણમન કરવા વિનંતી છેજીઃ “જેમ વણાગનટવરને પ્રત્યક્ષ પુરુષથી આજ્ઞા પ્રાપ્ત થયેલ ..માટે ખેદ ન કરતાં સદા આજ્ઞામાં લક્ષ-ઉપગ રાખી વર્તતા આનંદમાં રહેવું. આ જ કરવું જ એમ નિશ્ચય કરે. અને આ જ ખરું વ્રત છે, આરાધવા ગ્ય છે.” (ઉપદેશામૃત: પૃષ્ઠ ૪૮૯-૯૦) » શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૪૫૨ અગાસ, તા. ૨૯-૯-૪૩ “જગત-જીવ હૈ કર્માધીના અચરજ કછુ ન લીના આપ સ્વભાવમાં રે અબધુ સદા મગન મન રહેના.” (શ્રી આનંદધનજી) તમારા પત્રમાં “આજ્ઞા” શબ્દ તમે વાપર્યો છે તેની ગેરસમજૂતી ન થાય તે પૂરતું આ લખ્યું છે જી. “આજ્ઞા” એ કલ્યાણકારી, ભવભ્રમણહારી શબ્દ છે. તેનું ઉલંઘન તે જીવને 28 Page #457 -------------------------------------------------------------------------- ________________ બેધામૃત મહાદુઃખકારી છે. પણ મેં જે કંઈ પત્રમાં લખ્યું હતું તે ઉપદેશરૂપે કે સૂચનારૂપે હતું, તેને તેવા રૂપે સમજવાથી જીવને કલેશનું કારણ ન થાય. હું કોઈને “આજ્ઞા” કરતું નથી. જ્ઞાનીની “આજ્ઞા” કહી બતાવું ખરો. અને જે તેની “આજ્ઞા” ઉઠાવે તેનું કલ્યાણ થાય. સપુરુષનાં વચનમાં બે પ્રકાર હોય છે. એક ઉપદેશરૂપ અને બીજે આજ્ઞારૂપ. તેમાં ઉપદેશરૂપ પણ કલ્યાણકારી છે પણ તેમાંથી યથાશક્તિ ગ્રહણ કરી, બીજાની ન બને ત્યાં સુધી ભાવના રાખવાની છે. બીજો પ્રકાર “આજ્ઞારૂ૫ છે તે તે મરણતુલ્ય સંકટમાં પણ અનુલંઘનીય છે. “બાળry ધ ગાળ ત” એવું આચારાંગજીનું ફરમાન છે માટે જે “સપુરુષની આજ્ઞા” આપણને પ્રાપ્ત થઈ છે તે તે મરણપ્રસંગે પણ ચૂકવા યોગ્ય નથી અને બાકી તે આજ્ઞાને પિષનાર હિતકારી ઉપદેશવચને જે જે મળ્યાં હોય કે ભવિષ્યમાં મળે તે સર્વને પિતાની શક્તિ વિચારી અમલમાં મૂકવા ગ્ય છે. આ ખુલાસે જે કહ્યો છે તે માત્ર તમારા મનના સમાધાન અર્થે નથી પરંતુ શાસ્ત્ર પ્રણાલી આ જ પ્રકારની છે, જે તમને જાણવામાં વખતે ન હોય તે જે જે પત્રમાં લખાય તે આજ્ઞારૂપ માની, ન બને તેને ક્લેશ કરે તેમ ન થાય અને આર્તધ્યાનમાં વૃત્તિ ન જાય એટલા માટે લખ્યું છે. પણ પુરુષાર્થ મંદ કરવા કે સ્વછંદનું, વિષયનું કે પ્રમાદનું પોષણ થાય તે અર્થે પણ લખ્યું નથી. આ બધા દોષે તે ટાળવાના જ છે અને ટાળવા માટે જ જ્ઞાનીઓએ ઉપદેશ દીધેલ છે. માટે બનતા પ્રયત્ન સદાચાર તરફ અહિંસા, બ્રહ્મચર્ય આદિ ઉત્તમ ગુણ તરફ ખેંચ રાખી યથાશક્તિ પ્રવર્તવા ભલામણ છે. સ્મરણ, ભક્તિ આદિ જ્ઞાનીએ જણાવ્યું છે તે આપણું ખરું જીવન છે, બાકી તે ધમણની પેઠે શ્વાસે શ્વાસ લેવાય છે તે તે પૌગલિક જીવન છે. માટે આત્મ-સંભાળ રાખવા વારંવાર ભલામણ છે. ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૫૩ અગાસ, ભાદરવા વદ ૦)), ૧૯૯૯ બવા, શર્તન, ચિંતવન, સેવન, વૈન, ધ્યાના રધુતા, સમતા, પ્રતા, નવધા મદિં પ્રમાણ I” ૧. શ્રવણું – સદૂગુરુનાં વચને સાંભળવા, વાંચવાં કેમલ પરિણામ સહિત, માહાસ્ય જેનું પરમ છે એવા નિઃસ્પૃહી પુરુષનાં વચનમાં તલ્લીનતા તે આસ્થા. ૨. કીર્તન – સત્પરુષના ગુણગ્રામ કરવા. સ્તુતિ, મંત્રને ઉચાર, ગોખવું, ઉતાવળે ફેરવી જવું, કોઈને કહી બતાવવું. ૩. ચિંતવન – જે વાંચ્યું હોય, સાંભળ્યું હોય, મુખપાઠ કર્યું હોય, ઉતાવળે સાદે ફેરવી જતા હોઈએ, સ્તુતિ કરતા હોઈએ, તેના અર્થને વિચાર કરવો; ન સમજાય તે પૂછવું હોય તેની સ્મૃતિ કરી હવે સમજાયું કે હજી શંકા રહે છે અને વિચાર કરે. ૪. સેવન – ભાવના, બાર ભાવના વગેરે વારંવાર વિચારી આપણું ભાવ, જે ચિતવનથી આત્મહિતને નિર્ણય થયે હોય તે રૂ૫ રહ્યા કરે એવો અભ્યાસ પાડવે. જેમ માળામાં ચકલી ઇંડા ઉપર બેસી રહે છે અને બચ્ચે થતાં સુધી ઈડું સેવે છે, તેમ આત્મજ્ઞાન થતાં સુધી સદ્ગુરુની આજ્ઞાનું સેવન કરવાનું છે. Page #458 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૪૩૫ ૫. વંદન – સંસારભાવમાંથી વૃત્તિ વાળીને સદ્ગુરુચરણે રાખવાને પુરુષાર્થ; “એક વાર પ્રભુવંદના (પ્રભુને ઓળખીને) આગમ રીતે થાય.” “ફવિ નમુaો વિનવવસહસ્ત वद्धमाणस्स, संसारसागराओ तारेइ नरे व नारी वा." ૬. ધ્યાન – આર્તધ્યાન, રૌદ્રધ્યાન છેડી ધર્મધ્યાન, શુક્લધ્યાનને પુરુષાર્થ, એક સદ્ગુરુચરણે ચિત્તને બાંધવું, સંસારને ભૂલી જ ૭. લઘુતા – “અધમાધમ અધિક પતિત, સકળ જગતમાં હુંય.” મારું કંઈ નથી. સર્વ દોષ મારામાં છે. માટે મને ગમે તે હલકાં અયોગ્ય વચન કહે, નિંદે તે તેવાં કર્મ કરેલાં માટે તેને લાયક જ હું છું. મારે કોઈને શત્રુ માન નથી. બધા ભલા છે એમ જેવું. બધા આત્મા છે, તેમનું ભલું થાઓ એમ ગણવું. ૮. સમતા – આમ કરવાથી રાગદ્વેષ ન થાય એટલે સમતા આવે. એ જ તરવાનું સત્સાધન છે, પ્રભુતા પામવાને માર્ગ છે. ૯. એકતા - સમતા, ક્ષમા, શાંતિ સેવતાં ભગવાન જેવું જ પિતાનું સ્વરૂપ પ્રગટે. અસંગાપણું એ જ એકતા છે. એ પરાભક્તિ છે જી. # શાંતિઃ શાંતિઃ શાંતિઃ ४५४ અગાસ, તા. ૧-૧૦-૪૩ તત્વ છેસત્ . આ સુદ ૨, શુક્ર, ૧૯૯૯ વિ. તમારું કાર્ડ મળ્યું. ઉત્તરમાં જણાવવાનું કે જે વ્રત દઢપણે પાળી શકાય તે લેવું અને જે પાળી ન જોયું હોય તે થોડો વખત પાળી જોઈ, એમ લાગે કે હવે સારી રીતે પ્રસન્ન મનથી પાળી શકાશે તે વ્રત પરમકૃપાળુદેવની સાક્ષીએ લેવાં ઘટે છે. એકાસણા એક દિવસને આંતરે તમે કરતા હો અને તમને લાગતું હોય કે એક વર્ષ સુધી થઈ શકશે તે પણ તેની હમણું ઉતાવળ કરી બાર માસનું વ્રત નહીં લેતાં ચાર માસનું કે હેળી સુધીનું લેવા ભલામણ છે, પછી ઠીક લાગે તે વધારવું; કારણ કે તેમાં અશક્તિ આદિના કારણે પછી આર્તધ્યાન થવાનો સંભવ જાણી ઉતાવળ કરી લાંબી મુદત ન રાખવા લખ્યું છે. ફરી તે મુદત પૂરી થયે ઉત્સાહ ચાલુ રહે તે ફરી બે-ચાર માસનું વ્રત લેવું વળી તે મુદત પૂરી થતાં ફરીથી યંગ્ય લાગે તેટલી મુદતનું લેવું, પણ એકદમ લાંબી મુદતનું વ્રત લઈ લીધા પછી અશક્તિ, વ્યાધિ કે બીજા કારણે તેડવું પડે તે ઠીક નથી. રાત્રિભોજન, કંદમૂળ, લીલેરી વગેરેને જે પ્રમાણે તમે ધાર્યો છે તે પ્રમાણે ત્યાગ કરવામાં પ્રતિબંધ નથી. તથા નિત્યનિયમમાં શ્રી આત્મસિદ્ધિ, આલેચનાદિ જે ભાવપૂર્વક થઈ શકે તેટલું લાગે તેને નિયમ લઈ લેવામાં બાધા નથી. ધર્મકાર્ય બને તેટલું ભાવપૂર્વક કરવાથી જ લાભ છે. વેઠ જેવું થાય તે ઠીક નથી. અનુકૂળ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ વિચારી બને તે સત્સંગયોગ મેળવી મુશ્કેલી વેઠીને પણ આત્મહિતનું કાર્ય કર્યું હશે તે જ સાથે આવશે. ધનધાન્ય માટે કેટલી તનતોડ મહેનત કરીએ છીએ ? પણ તે તે બધું શરીરને અર્થે છે અને અહીં પડી રહેનાર છે. માટે આત્મા જે શાશ્વત પદાર્થ અને આપણું ખરું ધન છે તેની સંભાળ રાખશોજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #459 -------------------------------------------------------------------------- ________________ બેધામૃત ૪૫૫ અગાસ, આસો સુદ ૯, ૧૯૯૮ ઘણી વખત તમે આશ્રમમાં આસો વદ ૧ ઉપર હાજર હશો એટલે વિશેષ સૂચના આપવા જેવું નથી પણ જીવને સત્સંગને વેગ ન હોય ત્યારે પ્રમાદમાં પર્વના દિવસે પણ ઉલ્લાસ રહે મુશ્કેલ થઈ પડે છેજ. તેથી પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ “શ્રી સદ્ગુરુપ્રસાદમાંથી શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર કાઢી સારી રીતે બિરાજમાન કરી તથા તે ગ્રંથ ન હોય તે શ્રી “તત્ત્વજ્ઞાન” જે ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ આપેલું હોય તેમાંથી શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર રાખી એક એક ગાથા બોલી કુટુંબના બધા ભક્તિ કરવાને કમ એક-બે કલાકનો સવાર-સાંજ ગમે ત્યારે રાખશો એવી ભલામણું છે જી. ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીની જન્મતિથિ પણ તે જ દિવસે છે. આવા ઉત્તમ દિવસને લાભ પિતે લે, અને જે પિતાને મળતા હોય તેમને આમંત્રણ આપીને જમણવાર વગેરેથી પ્રભાવના કરીને પણ લઈ શકાય. જેવો અવસર હોય તેમ સ્વપરના હિતને વિચાર કરી પ્રવર્તવું એગ્ય છે. દીકરાના લગ્નપ્રસંગે ઉલ્લાસ આવે તેથી વિશેષ ઉલલાસ જ્યારે આપણું પરમ ઉપકારી પુરુષના જન્મદિવસે આવે ત્યારે જીવને ધર્મનું માહાત્મ્ય લાગ્યું છે એમ કહેવાય. પ્રારબ્બાધીન ગમે ત્યાં રહેવું થાય પણ ધર્મના દિવસો એ આત્માને સંસારભાવથી ઉઠાડી કંઈ પરમાર્થ તરફ વાળે તેવા ગાળવાની ભાવના રાખી કંઈક ખર્ચ કરવું પડે તે નહીં ગણતાં, ભાવ જે વધતા હોય તે તે કામ કરી લેવું ઘટે છેજી. “ભાવે જિનવર પૂજીએ, ભાવે દીજે દાન; ભાવે ભાવને ભાવીએ. ભાવે કેવળ જ્ઞાન.' ૪૫૬ અગાસ, આસો સુદ ૧૨, ૧૯૯૯ તત્ : સંત કવાલી – પરમકૃપાળુ પરમાત્મા, સદા છે શુદ્ધ તે આત્મા; ખરા હૃદયે કરું વંદન, ખરું ભવ-તાપહર ચંદન. આપના પિતાની ગંભીર માંદગી જાણ કરુણાભાવે બે અક્ષર લખવા વૃત્તિ થઈ છે. સુપુત્ર સદા પિતા પ્રત્યે પૂજ્યબુદ્ધિ રાખી, તેમના આત્માનું હિત કયા પ્રકારે થવું સંભવે છે એને વિચાર કરી પિતાની શક્તિ પ્રમાણે તેમને સમાધિમરણમાં સહાય મળે તેવા વિચાર કરે છે, વાંચી સંભળાવે છે તથા વાતચીત દ્વારા તેમની વૃત્તિ બાહ્યાભાવમાં ફરતી હોય તે ધર્મ પ્રત્યે વળે તેવી યેજના કરે છે. તેમના શરીર-આરોગ્ય માટે તે દવા, ચાકરી વગેરે કરતા હશે, પરંતુ તેમના આત્માને શાંતિ થાય, સગા, કુટુંબી, ધન, જ્ઞાતિ આદિ પ્રત્યેનો મેહ દર થઈ પરભવમાં સહાયરૂપ નીવડે તેવાં દાન, ભક્તિ, સન્શાસ્ત્રના શ્રવણરૂપ નિમિત્તથી શુભ ભાવમાં તેમનું મન વળે તે લક્ષ રાખવા નિઃસ્વાર્થભાવે સૂચના છેજી. “સમાધિ પાન” ગ્રંથમાંથી છેલ્લે પ્રકરણ “સમાધિમરણ પૃષ્ઠ ૩૨૫ થી છે તે ક્રમે કરીને પુસ્તક પૂરું થાય ત્યાં સુધી તેટલી તેમને ધીરજ રહે તે સંભળાવવા લાગ્યા છે. જે તેટલે વખત લંબે લાગે તે પૃષ્ઠ ૩૫૫ થી થોડું થોડું નિયમિત વાંચી સંભળાવશે તે તમને અને તેમને બન્નેને હિત થવું સંભવે છે. જેમના ઉપર તેમને મેહ રહેતું હોય તેમને પરિચય એ છે થાય તે પણ હિતકારી, Page #460 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૪૭. છે. વૈરાગ્ય, ઉપશમ અને છૂટવાની ભાવના પિવાય તે આ ભવમાં તથા પરભવમાં લાભનું કારણ છે. “ભાવે જિનવર પૂજીએ, ભાવે દીજે દાન; ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવળ જ્ઞાન.” ભાવ એ જ સંસારથી તરવાનું કે સંસારમાં બૂડવાનું કારણ છે, અને સારા ભાવ તે સારાં નિમિત્ત વિના બનતા નથી. તેથી જે આપના પિતાના આત્માનું હિત સાચા હૃદયે ઈચ્છતા હો તે, તેમને પરમ પુરુષના માર્ગ પ્રત્યે રુચિ થાય કે સાંભળવાનું નિમિત્ત બને તેવી કંઈક ગોઠવણ રાખતા રહેવા નમ્રભાવે, નિષ્કારણપણે વિનંતી છે. એ ઉત્તમ કાર્યમાં જે ત્યાંનાં મુમુક્ષુભાઈબહેનેની તમને જરૂર જણાય તે પૂ. વગેરેને જણાવશે તે તે ઘણી ખુશીથી કોઈ કઈ વાંચવા કે ભક્તિનાં પદ વગેરે અર્થે તમારે ત્યાં આવશે. મૂળ આધાર તે તમારા પિતાના ભાવ તથા તમારા અંતરમાં તેમના આત્માનું હિત થાય તેવી લાગણી હોય તેના ઉપર છે. ગંભીર પ્રસંગ છે, તે ગંભીર પણે વિચારી તેમના આત્માને ધર્મભાવ તરફ સબળ કરવા જે પ્રયત્ન કરશો તે ખરી આખર વેળાની ચાકરી છે. બાકી બીજી મેહની વાતે તેમની આગળ કરી સંસારમાં વૃત્તિ હોય તેને પિગ્યા કરશો તે તેમના શત્રુની ગરજ તમે સારશે. માટે વિચારવાનને ઘટે તેવી રીતે આ પ્રસંગને લાભ લઈ લેવા અને બને તેટલે લાભ તમારા પિતાને આપવા આગ્રહપૂર્વક ભલામણ છે. ૩ શાંતિઃ શાંતિઃ શાંતિ ૫૭. અગાસ, તા. ૧૩-૧૦-૪૩ તત્ ૐ સત્ આ સુદ ૧૫, ગુરુ, ૧૯૯૯ કમળ મળ-મૂત્રાદિ સમ, સમ ચંદન ને ડામ સમતા-સ્વામી રાજચંદ્ર-ચરણે ભાવ પ્રણામ. પરમકૃપાળુદેવરૂપી ધગધણી જેણે માથે ધાર્યો છે તેવા સત્સંગી ભાઈની સેવા અંત સુધી મળે અને તેમની આશિષને પાત્ર થઈએ તે પરમકૃપાળુદેવની આશિષ તુલ્ય છે. બાળાના સેવાભાવી ઇવેનું પરમકૃપાળુદેવની કૃપાથી કલ્યાણ થઈ જશે અને ડાહ્યા ગણાતા પણ નહીં ચેતે તે હાથ ઘસતા રહી જશે એમ સાંભળેલું સ્મૃતિમાં છે. ઘણાએ ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજી પાસેથી સાંભળ્યું હશે પણ જેણે પકડ કરી લીધી છે તેને કલ્યાણનું કારણ બનેલું સંદૃગુરુકૃપાથી પ્રગટ જણાય છે. પૂ.... વગેરે જેમને સેવાનું માહાતમ્ય, સત્સંગનું માહાસ્ય સમજાયું છે, તેઓ તે ગમે તેવી કુટુંબની કે લેકોનાં વચન સહન કરવાની મુશ્કેલીઓ વેઠીને પણ પિતાને સમજાયે તે લાભ છોડતા નથી. પરમકૃપાળુદેવનાં બાળકો ઉપર જેને પૂજ્યબુદ્ધિ છે, તેને પરમકૃપાળુદેવની કૃપા પ્રાપ્ત થાય છે. "संतनकी सेवा किया, प्रभु रीझत है आप । નાવિશે વા િવિઝા, તા તાત વાપ ” Page #461 -------------------------------------------------------------------------- ________________ ४३८ બેધામૃત જે જે કઈ ક્રિયા છે, તે તે સર્વ સફળ છે, નિરર્થક નથી.” એમ છપદના પત્રમાં બોલીએ છીએ તેને વિચાર કરીએ તે સજજનોની સેવાને કેટલે બધે જીવને લાભ થાય છે તે સહજે સમજાય તેમ છે. આ દુષમકાળમાં હરિ અને હરિજને મળવા મુશ્કેલ છે તે આપણાં પૂર્વનાં પુણ્યથી જે હરિના ભક્તોની સેવા મળી છે તે આપણા આત્માને ઉપકારી છે, હરિની સેવા અપાવે એવું એમાં દેવત છે એમ વિચારીને આત્માર્થે સેવા બજાવીશું તે જરૂર તે આપણા આત્માને ઊંચે લાવશેજી. આ અવસર અત્યંત વૈરાગ્યપ્રેરક છે. ઘણાં પુસ્તક વાંચવાથી કે ઉપદેશે સાંભળવાથી આત્મા નમ્ર વિનયવંત અને કોમળ બને તેના કરતાં થોડા આત્માર્થી જનની સાચા દિલે કરેલી સેવા જીવને વૈરાગ્યવંત, દયાળુ, નિરભિમાની, વિનયવંત અને પરભવના ભયવાળે બનાવી શકે છે. મહાપુરુષોએ કામ જીતવાના અચૂક ઉપાયોમાં એક ઉપાય વૃદ્ધસેવા પણ કહી છેજી. આ પ્રસંગ જેને સહજે બની આવ્યું હોય તેનાં અહોભાગ્ય ગણવા ગ્ય છેજી. આખી જિંદગીમાં સજ્જન આત્માર્થી જીવે જે વિચાર્યું હોય, પિતાને ઉપયોગી લાગ્યું હોય તે સેવામાં રહેનાર પાસે વંચાવે, બોલાવે છે તે સંબંધી પિતાને થયેલ લાભ જણાવે છે જે જીવ લક્ષમાં લે તે તેને અનેક પુસ્તકના સારરૂપ અને સમાધિ મરણમાં ખરું ખપ લાગે તેવા આધારરૂપ થાય છે. આખરે કંઈ કામ આવતું નથી, સગાંકુટુંબી, ધન વગેરેથી આત્માને કંઈ ઉપકાર થતું નથી, પણ પરમકૃપાળુદેવ અને તેના રાગી ભવ્ય જીવે જ આ જીવને ઉત્તમ નિમિત્તરૂપ આધારરૂપ અને નિઃસ્વાર્થ ભક્તિને ઉત્તમ પાઠ વગર બધે આપી શકે છે. આ સત્ય જ પહેલેથી સમજી લે તે ખરો અંતરત્યાગી બની ભક્તિરાગી બને છે અને આખરે તે પરમપુરુષને આશ્રયે જ દેહ છોડે છે કે જે આશ્રયના બળે તે જ ભવમાં કે ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે છે. દેહદૃષ્ટિવાળું તે આખું જગત છે, અને તે દષ્ટિએ સગાંવહાલાંની સંભાળ મરતાં સુધી તનતોડ મહેનત કરીને પણ કરે છે, છતાં જેને કંઈ પણ સ્વાર્થ નથી એવા હરિભક્તો પ્રભુના બાળની સેવા કરતા હોય તે સ્થળ આ કળિકાળમાં દેરાસર જેવું જ માનવા ગ્ય છેજ. તે સેવા એ મોટું તપ છે, શીલ છે, શાસ્ત્રાભ્યાસ છે, સત્સંગ છે. ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૪૫૮ અગાસ, તા. ૨૧-૧૦-૪૩ તત્વ છે સત આસો વદ ૮, ગુરુ, ૧૯૯૯ જન્મમરણના દુઃખ સકલ, મેટણ સમરથ સોય; જ્ઞાની સહી સમરીએ, તા સમ ઔર ન કેય.” સાધ્વીજી શ્રી મહાસિણગારજીની વાત આપે લખી, તેમને પરમકૃપાળુદેવ પ્રત્યે પ્રેમ થયો હોય તે મરણપર્યત ટકાવી રાખવા ભલામણ છે . એ પરમપુરુષનું યોગબળ અપૂર્વ છે, કલ્યાણકારી છે, ને જેનું કલ્યાણ થવું હશે તેને તે પુરુષની ભક્તિભાવે આરાધના થશે. બીજું શું લખવું? પૂ.ની મદદ ઉપર બીજું તે રહ્યું, પણ ભાવ પોતાના હાથમાં છે તે પતિવ્રતાની પેઠે જે સાચા હશે તે બધું બની આવશે જી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #462 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૪૩૯ અગાસ અનન્ય શરણના આ૫નાર એવા શ્રી સદગુરુ શ્રીમદ રાજચંદ્ર પ્રભુને અત્યંત ઉપકાર મરી પરમપ્રેમે નમસકાર હે ! નમસ્કાર હે ! શ્રવા, જીર્તન, ચિંતવન, કવન, ચિંતન, ધ્યાના "ધુતા, “ક્ષમતા, પ્રતા, નવધા મત્તા પ્રમાણ છે” વિ. એકમ ઉપર શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રની ભક્તિ બહુ ઉલ્લાસભાવે અપૂર્વ આનંદ સાથે થઈ હતીછ. ઘણા છે એ નિમિત્તે પુણ્યદયથી આવી ગયા હતા. સભામંડપ અને તેની બહારની ખુલ્લી જગામાં પણ માઈ શક્યા ન હતા તેથી કેટલાક તે દેરાસરમાં રહીને નમસ્કાર કરતા હતા. આ કાળના જીવોના કલ્યાણને અર્થે રચાયેલ શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનું અગમ્ય માહાય તે પૂ. શ્રી લઘુરાજસ્વામીએ યથાર્થ જાણેલું અને તેથી ઘણા ઉલ્લાસથી તેનાં વખાણ કરતા. “જાણે તે જ માણે, માણે તે જ વખાણે.” તે ભક્તિને કંઈક રંગ ભવિષ્યમાં જીવને લાગવાનું નિમિત્ત બને તે અર્થે એકમના દિવસને પિતાને જન્મદિવસ જણાવી તે તિથિને બમણા વેગબળવાળી બનાવી છે. તેને અનુભવ જે હાજર હોય તે જ કંઈ જાણી, ચાખી શકે તેમ છે. આ તે માત્ર શબ્દ દ્વારા દિગ્દર્શન કરાવ્યું. આપે ઉપરના દેહરાને પાંચ પ્રકાર વંદનભક્તિ વિષે પુછાવ્યું તેને કંઈક ખ્યાલ એકમને દિવસે હાજર રહી શક્યા હોત તે પ્રત્યક્ષ સમજાત. પણ તે સુગ પ્રાપ્ત થયે નથી એટલે શબ્દથી સંતોષ માનવો રહ્યો. इक्को वि नमुक्कारो जिणवर वसहस्स बद्धमाणस्स । संसार सागराओ तारेइ नरं व नारी वा ॥ અર્થ : એક જ વંદન સાચું, જિનવરપતિ શ્રી વર્ધમાન પ્રતિ (પદે), નર નારીને તારે, ભયંકર ભવસાગરથી. તમે પુછાવેલી ગાથાને આ અર્થ છે. જી હજી નમસ્કાર પણ કર્યા નથી, દર્શન પણ કર્યા નથી, બધ પણ સાંભળ્યો નથી એમ પ. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજી કહેતા હતા, તેથી શરીરથી નમસ્કાર કરીએ તેની ગણતરી તેમણે ગણી નથી. માત્ર પુણ્ય બંધાય એમ પણ કહેતા. કેને નમસ્કાર કરે છે એમ પણ પૂછતા, અને આત્મા પ્રત્યે દષ્ટિ કરાવવા અથાગ શ્રમ લેતા હતા પણ આ અભાગિયા જીવને તે વખતે તે અનંત ઉપકારી પ્રભુનું જોઈએ તેવું માહાન્ય લાગતું નહીં. જે સામાન્ય કરી નાખ્યું છે એમ પણ વારંવાર કહેતા તે હવે વારંવાર સાંભરી આવે છે. તે વખતના ઉપરના ભાવે તે ઘણુ હતા, પરંતુ જ્ઞાની પુરુષ માગે તેવી ગ્યતાની ખામીને લીધે જેટલે લાભ એ સત્પરુષને લેવું જોઈએ તેટલે લઈ શકાય નથી. તેને હજી ખેદ વર્તે છે. ઘણી વખત ગળું બતાવી કહેતા, આટલા સુધી ભર્યું છે પણ ક્યાં કહીએ ? કોને કહીએ ? કહેવાનું સ્થળ જોઈએ ને? જેને વંદન કરવા છે તેને જાણ્યા વગર વંદન થાય તે દ્રવ્ય વંદન કે બાહ્ય શરીરનું વંદન ગણાય; પણ આત્મા જ્યારે આત્મા ભણી ખેંચાય, તે મહાભ્ય પ્રત્યે ઉ૯લાસ આવતાં સહેજે તે પરમપુરુષની દશામાં રંગાય, તેના ચરણારવિંદ હૃદયમાં સ્થપાય, તેને જ્ઞાની પુરુષ વંદન કહે છે. અને એવા એક વાર વંદન થતાં ગમે તે સ્ત્રી કે પુરુષ ભવસાગર તરી જાય Page #463 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦ બેધામૃત તેવું સમ્યફત્વપણું તેના હૃદયમાં પ્રગટે છે. એ વદન મને તમને સર્વને સહજ સ્વભાવે પ્રાપ્ત હે એ જ ભાવના પરમકૃપાળુદેવ પ્રત્યે છે. “જે સત્પરુષોએ જન્મ, જરા, મરણને નાશ કરવાવાળો, સ્વસ્વરૂપમાં સહજ અવસ્થાન થવાને ઉપદેશ કહ્યો છે તે પુરુષોને અત્યંત ભક્તિથી નમસ્કાર છે. તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે, એવા સર્વ સપુરુષ, તેના ચરણરવિંદ સદાય હૃદયને વિષે સ્થાપન રહે !” (૪૯૩) “પર પ્રેમ-પ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમ ભેદ સુ ઉર બસે; વહ કેવલકે બીજ જ્ઞાની કહે, નિજ કે અનુભવ બતલાઈ દિયે.” » શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૪૬૦ અગાસ, આસો વદ ૧૪, ૧૯૯૯ પરમકૃપાળુદેવે જે લખ્યું છેઃ “જગત આત્મરૂપ માનવામાં આવે, જે થાય તે ગ્ય જ માનવામાં આવે; પરના દોષ જોવામાં ન આવે, પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે તે જ આ સંસારમાં રહેવું યોગ્ય છે.” (૩૧) તે વારંવાર વિચારતા રહેવા ભલામણ છેછે. તેવા પ્રકારની ભાવના, વૃત્તિથી વર્તવાની ટેવ પાડનાર મુઝાતે નથી; સર્વ અવસ્થામાં તેને જેમ બની આવે તેમ ગ્ય જ બને છે એવું લાગ્યા કરે તે હર્ષશોકનું કારણ રહેતું નથી. જેમ બનવાનું હોય છે તેમ બન્યું જાય છે, તેવા આ પ્રારબ્ધજાળથી પ્રવર્તતાં સંસારમાં આપણું ધાર્યું કાંઈ બનતું નથી. આપણા ભાવ કેવા રાખવા તે આપણા હાથની વાત છે. તેમાં જે પુરુષાર્થ કરવા ધારે તે જીવ કરી શકે તેમ છે. તેને વીસરી જઈ, જગતની ચીજોને આઘીપાછી કરી, “આ મેં સારું કર્યું કે આ મેં ખોટું કર્યું, આણે અન્યાય કર્યો કે આણે પોપકાર કર્યો એમ વિચારી, જીવ બીજી ગડમથલમાં પડી પારકી પંચાતમાં બહુ બેટી થયે છે, તેને હવે તે જે થાય તે જોયા કરવા તરફ વાળવાની જરૂર છે, તે શાંતિને માર્ગ છે. અવશ્ય બનવાની વાતે ફરનાર નથી. તેમાં કલ્પનાઓ કરી આત્મહિત શા માટે ગુમાવવું? જે સહજે બની આવે તે કરતા રહી “શું થશે ? કેમ થશે ?' એની ચિંતા તજી દઈ “સર્વ પ્રકારે જ્ઞાનીના શરણમાં બુદ્ધિ રાખી નિર્ભયપણને, નિઃખેદપણાને ભજવાની શિક્ષા શ્રી તીર્થકર જેવાએ કહી છે, અને અમે પણ એ જ કહીએ છીએ. કઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી. અવિચાર અને અજ્ઞાન એ સર્વ કલેશનું, મેહનું અને માઠી ગતિનું કારણ છે. સદ્દવિચાર અને આત્મજ્ઞાન તે આત્મગતિનું કારણ છે. તેને પ્રથમ સાક્ષાત્ ઉપાય જ્ઞાની પુરુષની આજ્ઞાને વિચારવી એ જ જણાય છે.” (૪૬૦) આના વિચાર અને વર્તન તરફ વિશેષ પુરુષાર્થ કરતા રહી જે થાય તે જોયા કરવાને અભ્યાસ પરમકૃપાળુદેવે ઉપદે છે તે અમલમાં મૂકવાને ખરેખર પ્રસંગ પ્રાપ્ત થયેલ છે. તેમાં જ આપણું હિત છે એમ માની નિઃશંક, નિર્ભય અને નિઃખેદ ચિત્ત રાખવા ભલામણ છેજી, “ગઈ વસ્તુ શે નહીં, આગમ વાંછા નહિ; વર્તમાન વર્ત સદા, સે જ્ઞાની જગમાંહિ.” Page #464 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૪૪૧ જ્ઞાની એવા હોય તે તેના આશ્રિતને માર્ગ એ જ હોય કે બીજે? તે ઊંડા ઊતરી વિચારવા ભલામણ છે. “ફિકરકા ફાકા ભર્યા, તાકા નામ ફકીર એ જ કર્તવ્ય છે. ક૬૧ અગાસ, તા. ૩૦-૧૦-૪૩ કાર્તિક સુદ ૧, ૨૦૦૦ | વિ. દિવાળી ઉપર સમાધિમરણ વ્રતની ૩૬-૩૬ માળા ચાર દિવસ ફેરવી હશેજી. જપ, તપ, ક્રિયા, કમાણી બધું કરીને છેવટે સમાધિમરણ કરવું છે, એ લક્ષ મુમુક્ષુના અંતરમાં હોય છે. એક વાર સમાધિમરણ થાય તેને કોઈ ભવમાં પછી અસમાધિમરણ થાય નહીં એ નિયમ છે, તે એ કેટલી બધી સાચી કમાણી ગણાય? તેને માટે પ. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ અનંત કરુણુ કરી અચૂક ફળ આપે એવું વ્રત કર્યું છે, પણ પ્રમાદને લઈને છ લાભ લઈ શક્તા નથી. સમજ્યા ત્યારથી સવાર ગણુને પ્રમાદથી મુક્ત થઈ સ્વરૂપને ભજવાની આજ્ઞા ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીની છે, તે જ પ્રસંગે પ્રસંગે લક્ષમાં લેવા યોગ્ય છે. ન બને તે પણ મારે કરવું છે તે તે મહાપુરુષે કહેલું જ, આટલે જે લક્ષ રહે તે પણ કલ્યાણ થાય તેમ છે. એ કર્યા વિના કંઈ આરે આવે તેમ નથીજી. માટે જેમ બને તેમ ત્વરાથી કરવા ગ્ય કાર્ય કરી લેવાની કાળજી રાખી વર્તે છે તેને ધન્ય છે જ. એ જ વિનંતી. છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ ४६२ અગાસ, તા. ૩૦-૧૦-૪૩ તત છે. સત કાતિક સુદ ૧, ૨૦૦૦ કવાલી – મળે સૌ સુખ જે સમજણ, ગણે દુઃખવાસ અણસમજણ; સમજતા ના અરે ! જન જન, સમજતા તે તપોધન ધન્ય! આત્મકલ્યાણની ભાવના તમને વર્તે છે તે પ્રશંસાપાત્ર છેછે. પરંતુ જે વિનંતી કરી છે તે બધી પરમકૃપાળુદેવ પ્રત્યે રોજ કર્તવ્ય છેજી. પરમકૃપાળુદેવનું યોગબળ અપૂર્વપણે વર્તે છે.જી. અનેક છે તેના અવલંબને કલ્યાણ સાધી લેશે એમ ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજી કહેતા. તે સાંભળીને જે જે જે પરમકૃપાળુદેવની ઉપાસનામાં જોડાશે તેનું કલ્યાણ થશેજ. ગભરાવાની જરૂર નથી. આપણે આપણાં પ્રારબ્ધ ભગવ્યા વિના છૂટકો નથી. પરંતુ તે ભોગવતાં ભાવ એક પરમકૃપાળુદેવ પ્રત્યે રહ્યા, તેણે સમ્મત કરેલું આ ભવમાં સમ્મત થાય તે જીવનું જરૂર કલ્યાણ થાય એમ છે. જગતની અનેક મેહક વસ્તુઓમાંથી જેણે પ્રેમ ઉઠાવી એક પરમકૃપાળુદેવ અને તેનાં વચનામૃતમાં સ્થાપ્યો છે, તેને પૂર્વમાં વિઘકર્તારૂપ કર્મો ભગવાઈ રહ્યું એક આત્મઆરાધના થાય તેવી સર્વ પ્રકારની અનુકૂળતા પ્રાપ્ત થવા ગ્ય છેજી. ભાવના જેની સદાય જાગ્રત છે તેને કઠણાઈને કાળ પૂરો થતાં ભાવના અનુસાર વર્તવાને વખત આવી મળે છે. માટે અનેક પ્રકારની કસોટીમાં આત્મકલ્યાણની ભાવના મંદ ન પડી જાય પણ સતેજ થતી જાય તે પુરુષાર્થ કરતા રહેવા વિનંતી છે. ભાવે જિનવર પૂજીએ, ભાવે દીજે દાન, ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવળ જ્ઞાન.” Page #465 -------------------------------------------------------------------------- ________________ બેધામૃત ક્ષણિક માયાના સુખ માટે આત્મા જેવું અમૂલ્ય રત્ન વિસારી દેવા.નથીજી. કંઈ ન બની શકે તેપણું તમારા કહેલા રસ્તામાં અહેરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ !” એ ક્ષમાપનામાં પ્રાર્થના કરીએ છીએ તેની સ્મૃતિ સદાય રહ્યા કરે એમ વર્તવા ગ્ય છેજી. પરમપુરુષ શ્રીમદ્ રાજચંદ્રને અટલ આશ્રય ભવપર્યત મને તમને ટકી રહે એ યાચનાપૂર્વક પત્ર પૂર્ણ કરું છું. અંતિઃ શાંતિઃ શાંતિઃ ૪૬૩ અગાસ, ૨૦૦૦ તઃ ૐ સત "Many a moralist here may lie, That teach the rustic how to die." – Gray's Elegy ગ્રામ્ય જનને મરણ કેરી કળા શખવે જ્ઞાનીએ, તેવા અહીં સૂતા હશે ! કેટલાય, વિચારી જે. (સદ્ગુરુ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ પદ સેવાથી શુદ્ધ જ્ઞાન થશે - એ રાગ) શ્રીમદ્ સદ્ગુરુ રાજચંદ્રપદ વંદુ સહજ સમાધિ ચહી, સદ્દગુરુ-ચરણે ચિત્ત વસે મુજ, એ જ ભાવના હદય રહી; દેહ છતાં જેની નિત્ય વર્તે દેહાતીત અપૂર્વ દિશા, તે ભગવંત નિરંતર ભજતાં, દેષ રહે કહે કેમ કશા? સદ્દગુરુ-બેધે, અંતાઁધે શુદ્ધ સ્વરૃપ જે ઓળખશે, તેમાં તર્લીન રહેવાને તે પુરુષાર્થ કર્યા કરશે, સ્થિરતા વીર્ય વિના ન ટકે ત્યાં વ્રતાદિથી શુભ ભાવ કરે, સમાધિસહિત મરણ, ફળ વતનું, નિશ્ચય એ ઉરમાંહી ધરે. સુવર્ણ મંદિર ઉપર શેભે રત્નકલશ સુંદર છે, તેમ સમાધિમરણ વેગ પણ વ્રતમંડન માની લે. જે ન સમાધિ-મરણ સાચવે, વ્રત-અભ્યાસ ન સફળ થયે; શસ્ત્રોની તાલીમ નકામી, રણક્ષેત્રે જે ૨ક ગ. જન્મમહોત્સવ સમ સંતે તે મૃત્યુમહત્સવ પર્વ ગણે, સત્કાર્યો નિષ્કામ કરેલાં દે સંતોષ અપૂર્વ પણે આત્મા નિત્ય પ્રતીત થયે તે મરણ કહે કોને મારે? જે ઉત્પન્ન થયું તે મરશે, દેહ નહીં હું, સુવિચારે. હું ચેતન અવિનાશી જુદે, દેહ વિનાશ વિષે વસતે, વગર કહે વહેલે મોડે જડ કાયગ દીસે અસતે; કરોડ ઉપાય કર્યો નહિ ટકશે, કાયા અમર ન કેઈ તણી, અનંત દેહ આવા તે મૂક્યા હું રત્નત્રયને જ ધણી. Page #466 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા રત્નત્રયીપ ધર્મ જ દુર્લભ, દેહ જતાં પણ તે ન તળું, સંસાર-પરિભ્રમથી બચવું છે, બચાવનાર સુધર્મ ભજું; દેહ ઉપરની મમતા તજી, પંડિતમરણ પુરુષાર્થ કરું, સફળ સમાધિમરણ સાધવા મહતુ માર્ગને અનુસરું. હે દેહતણ સંબંધી સર્વે ! આજ સુધી સંબંધ રહ્યો, દેહ વિનાશિક નાશ થવાને અવસર મેં અતિ નિકટ લહ્યો; આયુષ્પ આધીન દેહ રહે, નહિ નેહ ઘટે એ દેહતણે રાખે રહે નહિ દેહ, ભલે સૌ સ્નેહ દેહ પર ધરે ઘણે. અગ્નિમાં બળે ભસ્મ થશે, પરમાણું બની ખરાઈ જશે, પત્તો પછી લાગે નહિ એને, દેહ સ્નેહ મેહે વધશે. જ્ઞાનસ્વરૃપ આત્મા અવિનાશી માન મને સૌ સુખી થશે, દેહ નથી હું, આત્મા છું તે, દેહ-સ્નેહ સૌ ભૂર્ભો જજે. જ્ઞાનસ્વરૂપ મુજ ઉજજવળ કરવા, વીતરાગતા પ્રાપ્ત થવા, સપુરુષાર્થ કરીશ હવે હું રાગાદિક દે હણવા. વિપરતતાવશ બહુ ભટક્યો હુ, ચાર ગતિમાં દેહ ધરી, સમ્યગ્દર્શનજ્ઞાનચરણરૅપ સ્વરૂપ માન્યતા હવે કરી. સદારાધના સમ્યફદર્શન-જ્ઞાન-ચરણ-તપ રૂપ ગણી કળિકાળમાં અસત્યસંગે વિરલ ગૃહાશ્રમમાંહિ ભણ; તે પણ ઉત્તમ જનને યેગે પુરુષાર્થ સફળ થાશે, સ્નેહ, મેહને પાશ તછ આરાધક શાંત સ્થળે જાશે. શાંતિસ્થળ એકાંત વિષે પણ પરવશ સંગ પ્રસંગ પડે, તે કર ત્યાગ જ વાતચીતને, મૌન રહે નહિ કાંઈ નડે શુદ્ધ સ્વફૅપનું સ્મરણ, શ્રવણુ, સજજન સંગે ર્જીવ જે કરશે, તે કળિકાળ વિષે પણ સંયમ સાધી ઉર હિતથી ભરશે. (તાવળેધ - ૫૨) તમે માનતાઃ “ભક્ત હું પ્રભુને, આજ્ઞા પ્રભુની પાળું છું; વ્રત, શલ, સંયમ પ્રભુ પ્રીત્યર્થે ધર, બેથે મન વાળું છું. અનંત ભવમાં દુલભ શ્રદ્ધા, જ્ઞાન, ચરણ તે પ્રગટાવ્યાં, મિથ્યા દર્શન-જ્ઞાન-અવિરતિ ગુરુકૃપાએ અટકાવ્યાં.” એ નિર્ણય છતાં હવે કંઈ વ્યાધિવેદના આવી કે પરિષહ કાળે ભય પામે તે કાયરતા હંwવી દે. દુખને ડર ના ઘટે આટલે, બહુ તે દેહ તજવી દે, દેહ જરૂર જવાનું છે આ, આત્મહિતે તક આવી છે. Page #467 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪ બેધામૃત સમ્યક્દષ્ટિ વ્રતવાળા ગૃહી, મુનિ, વાચક, આચાર્ય મહા, નિર્ભયતા ધરી ધૈર્ય સહિત ચહે મરવાને લાભ અહા ! તમેય નિરંતર કરી ભાવના, હવે સમાધિમરણ વરે, મનવાંછિત આ ઉત્સવ આવે, સમતા ધર, આનંદ કરે. આત્મજ્ઞાન ને પરમ શરણને કણ પ્રભાવ કહી શકશે? દેહાદિથી ભિન્ન અનુભવ આત્માને એ અજબ દીસે. અકંપપણું અનુભવો મુનિવરનું નિર્ભયતા ઉરમાં ભરશે, ભવદુખ દાવાનળથી બળતા પામરને પણ ઉદ્ધરશે. પરમ ધર્મનું શરણ ગ્રહીને સર્વ વેદના હવે સહ કર્મ-કસોટી કસે શરીરને જ્ઞાતા દ્રષ્ટા તમે રહો. નથી અનંત ભામાં આવ્ય અવસર આવે હિતકારી, જૈતી જવા આવ્યા છે. બાજી, હવે નહીં જાઓ હારી. આખા ભવમાં ભણી ભણને જ્ઞાન-ઉપાર્જન જે કીધું, શ્રદ્ધા ઉજજ્વળ કરી સદા જે, તપ-ત્યાગાદિ વ્રત લીધું, તે સૌ આ અવસરને કાજે સદ્વર્તન સંચિત કર્યું, શિથિલ થતાં જે ભ્રષ્ટ થયા તે પૂર્વ પ્રવર્તન કપટ કર્યું. તેનું જ જીવન સફળ સમજવું વત, તપ, ધર્મ સફળ તેના જગમાં તે જ પ્રશંસાલાયક સ્વર્ગ-સુખે પણ ધર્મ તજે ના. માનવ થઈ ઉત્તમ પદ પામે મેરું સમ પરિષહ કાળે; સમુદ્ર સમ ગંભીર રહીને, ભવનાં બીજ બધાં બાળે. ઘર વેદના ઘણી આવે પણ આકુળવ્યાકુળ ના થાઓ, દેહ ભિન્ન નિજ જ્ઞાયકભાવે અખંડ અનુભવમાં જાઓ. પૂર્ણ પુરુંની તર્લીનતા એવા ટાણે અચળ રહી, તેની સંસ્કૃતિ કરતાં ઉરમાં ધીરજ ધારા રહે વહી:નવદીક્ષિત સુકુમાલ મુનિને ખાય શિયાળ બચ્ચાં સાથે, પગ પૂરો કરી, પેટ ફાડતાં, થાય મરણ ત્રીજી રાતે. રાઈ ખૂચે તેવા કેમળ નર ઘેર વેદના સહે, અહા ! તે તમને શું ભૂખ-તરસનું દુઃખ અસહ્ય જણાય, કહો! પરવશ ચાર ગતિમાં વેડ્યાં દુઃખ, હવે ખુશથી સહવા, મરવાનીય ન ઇચ્છા કરવી, ભય તર્જી સલ્તરણ ગ્રહવા. સ્વજન-મિત્રની સ્મૃતિ તો નહિ ભેગ-નિદાન કદી કરશે, એ અતિચારે રહિત સમાધિમરણ કરે તે ભવ તરશે. (પ્રજ્ઞાવધ - ૫૩) Page #468 -------------------------------------------------------------------------- ________________ ૪૫ પત્રસુધા મંદાક્રાંતા – મંત્ર મં સ્મરણ કરતે, કાળ કાઠું હવે આ, જ્યાં ત્યાં જેવું પરભણી બૅલી, બેલ ભૂલું પરાયા આત્મા માટે જીવન જીવવું, લક્ષ રાખી સદા એ, પામું સાચે જીવનપલટો, મોક્ષમાર્ગી થવાને. (પ્રજ્ઞાબેધ–૭૪) આપે પત્રની ઈરછા દર્શાવી, તેને ઉત્તરમાં સમાધિમરણ અર્થે લક્ષમાં લેવા જેવી કેટલીક કડીરૂપ આ પત્ર લખે છે, તે પુસ્તક હાથમાં ન લેવાતું હોય તો પણ સૂતાં સૂતાં વાંચવા કામ લાગે એમ ગણી લખી મોકલેલ છે. એટલું બધું વાંચવાની શક્તિ ન હોય તે ૫ ગાઈ સંભળાવશે. તેમાં વૃત્તિ રાખવાનું ઠીક લાગે તે કરશે કે એક વાર વાંચી રહ્યા પછી અમુક અમુક કડી નિશાની કરી લઈ બોલતા રહેવાથી મુખપાઠ પણ થઈ જવા સંભવ છે. એવી શક્તિ ન હોય તે માત્ર સ્મરણમાં એકતાર થવાને પુરુષાર્થ કર્યા કરશોજી. અમુક નિત્યનિયમ વગેરે ન બને તે તેને ખેદ કર્તવ્ય નથી. બધું કરીને પરમકૃપાળુદેવના શરણમાં અર્પણતા થાય, તેને જ આશરે આ દેહ છેડે છે, છેલ્લા શ્વાસે પણ “સહજાન્મસ્વરૂપ પરમગુરુ” મંત્રની ભાવના હૃદયમાં રહે તેના ઉત્તમ સ્વરૂપમાં તન્મયતા, નિઃશંકતા, નિર્ભયતા અને નિઃસંગતા અભેદભાવે રહે એ જ અંતિમ કર્તવ્ય છેજ. પરમકૃપાળુ પરમ પુરુષનું સ્વરૂપ એ જ મારું સ્વરૂપ, એથી જે કંઈ ભિન્ન વ્યાધિરૂપ, નેહરૂપ, સ્મરણરૂપ, બેદરૂપ કે અન્યથા છે તેને મન, વચન, કાયાથી ત્રિકાળ ત્યાગ હે ! “Úહિ હિની લય લગાડવાની છે. પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદ્દગુરુ પાય; દીઠા નહિ નિજ દોષ તે, કરીએ કેણ ઉપાય ?” સમાધિસેપાનમાં છેલ્લે “સમાધિ-મરણનું પ્રકરણ છે તે અવકાશ હોય ને બની શકે તે વાંચવા ગ્યા છે. તેને જ સાર પ્રજ્ઞાબેધના ઉપર જણાવેલા પદ્યમાં છે. તેમાં પરમકૃપાળુદેવનાં વચનેને આશય છે તે હિતકારી છે. * શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૨–૧૧–૪૩, મંગળ તત્ સત્ કાર્તિક સુદ ૫, જ્ઞાનપંચમી, ૨૦૦૦ મનુષ્યભવ બહુ પુણ્યના ઢગલા કમાયા પછી મળે છે એમ પ. પૂ. કૃપાળુદેવે લખ્યું છેઃ “બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવને મળે, તેયે અરે! ભવચક્રને આંટો નહીં એકે ટ ” આટલી કડીને પણ બરાબર વિચાર થાય તે આ જીવ મનુષ્યભવ મળે છે તેની દરેક ક્ષણ રત્નચિંતામણિ કરતાં અધિક આંકે, પણ સમજણ વગર બધું પ્રવર્તન જીવ કર્યા કરે છે તે જન્મમરણને નિવેડે ક્યાંથી આવે? જેમ ઘી મધું મળે છે એમ સમજાયું છે તે તેને પાણીની પેઠે કઈ વાપરતું કે ઢળી દેતું નથી, પણ મનુષ્યભવ શા માટે મળે છે, અને શામાં દિવસ ઉપર દિવસે વહ્યા જાય છે તે જો નહીં વિચારીએ તે મરણ વખતે પસ્તાવું પડશે અને માઠી ગતિમાં દુઃખી થવું પડશે. માટે ખેટી ગતિ ઊભી થાય તેવાં કામમાં તે મારે આ ભવ ગાળો Page #469 -------------------------------------------------------------------------- ________________ બધામૃત નથી; જન્મમરણ છૂટે એવું સત્સાધન પરમકૃપાળુદેવની કૃપાથી આ ભવમાં મળ્યું છે, તે હરતાં, ફરતાં, કામ કરતાં, રાંધતાં, સીંધતાં, જાગતાં હોઈએ ત્યાં સુધી પરમપુરુષની પ્રસાદીરૂપ મંત્રનું સ્મરણ ચાલુ જ જીભે રટાયા કરે એવી ટેવ પાડી મૂકી હોય તે કેવી કમાણી થયા કરે ! ફિકર, ચિંતા, ક્રોધ, અરતિ, કલેશ, કંકાસ, શેક, દુઃખ બધાં આર્તધ્યાનના કારણે, કૂતરાં લાકડી દેખી નાસી જાય તેમ એકદમ દૂર થઈ જાય અને આ સંસારતાપમાં તપતા બિચારા આત્માને શાંતિ, સુખ, આનંદ અને ભક્તિને ઉલ્લાસ તુર્ત જ વર્તમાનમાં અનુભવાય અને પરભવ પણ સુધરે તથા મેક્ષમાર્ગ સુખે સુખે આગળ વધાય એવું સત્સાધનનું આરાધન નિશ્ચય કરી કરીએ તે બની શકે એવું છે. માટે બીજા કામ કરતાં પણ આત્માની દયા ન વિસરાય, લખોરાશીના ફેરા ફરતાં દુઃખી થઈ રહેલે આત્મા આ મનુષ્યભવમાં બિચારો થાક ખાવા આવે ત્યાં તે હજારો ફિકર અને લેશની હળીમાં તેને ઘાંચીના બળદની પેઠે આંખે પાટા બાંધી હોમી દીધું. હવે તેની દયા ખાવા જેવું છે. આ ભવમાં ધર્મ-આરાધન થયું હશે તે તેને સુખ શોધવું નહીં પડે, એની મેળે મળી રહેશે. માટે સ્મરણ રાતદિવસ કર્યા કરવાની અને પરમકૃપાળુદેવને આશ્રય દઢ થાય તેવી ભાવના ચાલુ રાખવાની ટેવ પાડશે. તે તા. ક. – રોજ સૂતાં પહેલાં પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ બની શકે તેમ હોય તે બ્રહ્મચર્યની ભાવના કરી સૂઈ જવું અને ઊઠીએ ત્યારે પણ જોગવાઈ હોય ત્યાં સુધી વ્રત એક દિવસનું પણ લઈ લેવું તે લેખે આવશે. ૪૬૫ અગાસ, તા. ૪-૧૧-૪૩ તત્ સત કાર્તિક સુદ ૭, ૨૦૦૦ કમલ મલમૂત્રાદિ સમ, સમ ચંદન ને ડામ; સમતા સ્વામી રાજચંદ્ર-ચરણે ભાવ પ્રણામ. “પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવા સદા, બ્રહ્મચર્ય પ્રતિમાન.” આપની તબિયત સંબંધી જણાવ્યું તે વિષે જણાવવાનું કે જેને સદ્દગુરુશરણ, સત્સાધન પ્રાપ્ત થયેલ છે તેણે આ મનુષ્યદેહને રત્નકરંડ (રત્નની ડબ્બી) સમાન સાચવવા ગ્ય છે. જેમ ધન સંબંધી આપણી નજર પહોંચે તે પ્રમાણે વિચાર કરી કાળજીપૂર્વક વર્તીએ છીએ તેથી વિશેષ કાળજી મનુષ્યદેહ જે “બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવને મળ્યો છે તે ધર્મકાર્યમાં વાપરવા માટે વિશેષ ટકે તે સારું એ ભાવનાથી તેની કાળજી લેવી ઘટે છે. બાકી મહને અર્થે દેહની મમતા તે અનંતકાળથી જીવ કરતે આવ્યા છે. એમાં કહેવું પડે તેમ નથી.પણ આ દેહે જ્ઞાની પુરુષની આજ્ઞા આરાધી શકાય તે લાભ પ્રગટ જાયે તે તે અર્થે દેહની સંભાળ કર્તવ્ય છે.જી. પછી તે જે થવાનું હોય તે થાય. તેને માટે નિર્ભયતા પણ સંઘરી રાખવી ઘટે છે. આપણું ધાર્યું બધું થતું નથી, પણ થાય તેટલું કરી છૂટવું. અને તે છૂટવામાં મદદ કરનાર છે. માટે આ લક્ષે જે દવા તથા ચરી વા બ્રહ્મચર્ય આચરવાં ઘટે તે Page #470 -------------------------------------------------------------------------- ________________ પગસુધા સર્વ સાધવા યોગ્ય છે. માત્ર એક્ષ અભિલાષ” એ આત્માર્થી જીવનું લક્ષણ છે. તે લક્ષ ચુકાય નહીં એમ સર્વત્ર પ્રવર્તાવા યોગ્ય છે. " તમે બ્રહ્મચર્ય સંબંધી છ માસ માટે અનુજ્ઞાનું લખ્યું તે સંબંધી મારી અનુમોદના છેજી. પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ તમે બન્ને પતિપત્ની પવિત્રભાવે મોક્ષ થવાની ભાવનાએ છ માસ સુધી મૈથુનત્યાગરૂપ વ્રતની, નમસ્કાર કરી ભાવના કરી લેશોજી. આ વ્રતના અભાવે આ કાળમાં ઘણા રેગોની ઉત્પત્તિને સંભવ સમજાય છેજ. કોઈ વિચારવાન વૈદ્ય તમને મળે લાગે છે. ભાવતું હતું અને વૈદે કહ્યું એમ જાણું ધર્મ-આરાધન અર્થે એટલે આત્માર્થે આ વ્રત પાળું છું, દેહને માટે નહીં એટલી ભાવના જે તમારા અંતરમાં છે તે જ સબળ રહેશે તે આ વ્યાધિએ તમને લાભ કર્યો એમ સમજવા યોગ્ય છેજી. વ્રત લીધા પછી પ્રાણુતે પણ તૂટે નહીં એટલી દઢતા બનેએ અત્યારથી મનમાં ગાંઠ વાળી દે તેમ ઊડી ઉતારી દેવી. રોગ તે કાલે મટી જાય પણ છ માસ સુધી બ્રહ્મચર્ય તે જરૂર પાળવું છે એવી ઉત્કટ ઈરછા બનેની હોય તે જ વ્રત પરમકૃપાળુદેવની સાક્ષીએ લેશોજી. તેવી દઢતા ટકે તેમ ન લાગતું હોય તે વગર વ્રત લીધે પળાય તેટલે કાળ પાળવાનું નક્કી કરવું. વ્રત લીધાથી જે બળ મળે છે તેના કરતાં વ્રત તેડવાથી જીવને વિશેષ બંધન થાય છે માટે વિચારીને વર્તવા લખ્યું છે જી. “આજ્ઞાનું આરાધન એ જ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ જ તપ” એવો માર્ગ છે ત્યાં આજ્ઞાને લેપ એ ધર્મના ત્યાગ સમાન છે. ધર્મ અર્થે ઇહાં પ્રાણુનેજી, – છાંડે, પણ નહિ ધર્મ, પ્રાણ અર્થે સંકટ પડે, જુઓ એ દષ્ટિને મર્મ; | મનમોહન જિનજી, મીઠી તાહરી વાણું. એવું આઠ ગદષ્ટિની ચોથી દષ્ટિમાં કહેલું છે, તે લક્ષ રાખી આત્મહિત થાય તેમ વર્તવા ભલામણ છેજ. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ જખૌ-કચ્છ, તા. ૨૦-૧૨-૪૩. પરમકૃપાળુ પરમાત્મા, સદા છે શુદ્ધ તે આત્મા; ખરા હૃદયે કરું વંદન, ખરું ભવતાપહર ચંદન. તમે સંસ્કૃત શીખો છો તે જાણી સંતોષ થયે છે. મહેનત લેશે તે અલેખે નહીં જાય. ગુજરાતી વધારે સારું સમજી શકાશે, વિચારમાં મદદ મળશે. પણ “હું કંઈ જ જાણું નહી” એ નિશ્ચય દઢ કરી રાખવા ગ્ય છે, નહીં તે અહંકારને આમંત્રણ આપવા જે બધો અભ્યાસ છે. હું મારું હૃદયેથી ટાળ, પરમારથમાં પિંડ જ ગાળ” – એ વચન હૃદયમાં કોતરી રાખવા યોગ્ય મારે તમારે બધાને છેજી. “પગ મૂકતાં પાપ છે, જેમાં ઝેર છે, અને માથે મરણ રહ્યું છે, એ વિચારી આજના દિવસમાં પ્રવેશ કર.” (પુષ્પમાળા – ૩૫) આવાં વચને મુખપાઠ કરી લક્ષ લેવા વિનંતી છે. પહેલાં લખેલા પત્રો ફરી ફરી વાંચવા ભલામણ છે. હવે તે વિશેષ સમજી શકાશે. સર્વનું આત્મહિત ઈચ્છી પત્ર પૂર્ણ કરું છું. Page #471 -------------------------------------------------------------------------- ________________ માધાત માંદગીના વખતમાં મંત્રનું સ્મરણ અને ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ કરેલા ઉપકારનું સ્મરણુ ખરી દવા છેજી. મયંત્રમાં ચિત્ત રાખી પરમકૃપાળુદેવને શરણે દેહ છૂટે તેને સમાધિમરણ થાય એમ પૂ. પ્રભુશ્રીજીએ કહેલું છે. એક વખત સમાધિમરણ થાય તે કઈ ભવમાં મોક્ષ થતાં સુધી અસમાધિમરણ થાય નહીં, થોડા ભવમાં મોક્ષ થાય. માટે જ્ઞાનીને આશ્રયે આ દેહ તેા છેડવા છે એવી ભાવના વાર વાર કન્ય છેજી. ૐ શાંતિ: શાંતિ: શાંતિ: ૪૪૮ ૪૬૭ તત્ સત્ અગાસ, તા. ૨૮-૧-૪૪ મહા સુદ ૩, શુક્ર, ૨૦૦૦ તીક્ષેત્ર સત્સ’ગધામ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસથી લિ. સત્પુરુષના ચરણકમળની સેવાનેા ઇચ્છક દાસાનુદાસ બાળ દીન બ્રહ્મચારી ગેાવનના જયસદ્ગુરુવ'દન સ્વીકારવા તથા પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રની ભક્તિ અને તેમનાં અમૂલ્ય જીવન-આધાર વચનના ઉત્તમ આશયને હૃદયમાં ઉતારી તે આધારે જીવવા વિન'તી છેજી. એક વાત તરફ તમારું લક્ષ દારવા ચેાગ્ય છે તે એ કે જગત દુઃખથી ભરેલું છે તેમાં કોઈ કાળે, ગમે તેવા સારા સ ંજોગા મળી આવે તેપણ તેમાંથી સુખની આશા રાખવી એ વ્યર્થ છે. એક ઋભુરાજા ભગવાનના અનન્ય ભક્ત હતા. તેમની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાને તેમને જે માગે તે આપવા કૃપા કરી માગવા જણાવ્યું ત્યારે તેમણે કહ્યું કે “હે ભગવાન ! આવી જે રાજ્યલક્ષ્મી મને આપી છે તે ઠીક જ નથી. તારા પરમ અનુગ્રહ (કૃપા) મારા ઉપર હાય તા ૫'વિષયના સાધનરૂપ એ રાજ્યલક્ષ્મીનું ફરીથી મને સ્વપ્નું પણ ન હા, એ વર આપ. પરમાત્મા સ્વિંગ થઈ જઈ ‘તથાસ્તુ' કહી સ્વધામગત થયા. કહેવાનેા આશય એવા છે કે....કઠણાઈ અને સરળાઈ, શાતા (સુખ) અને અશાતા (દુઃખ) એ ભગવદ્ભક્તને સરખાં જ છે; અને વળી કઠણાઈ અને અશાતા તા વિશેષ અનુકૂળ છે કે જ્યાં માયાના પ્રતિબંધ દર્શનરૂપ નથી....પરમાત્મા એમ કહે છે, કે તમે તમારા કુટુંબ પ્રત્યે નિઃસ્નેહ હા, અને તેના પ્રત્યે સમભાવી થઈ પ્રતિબંધરહિત થાઓ; તે તમારું છે એમ ન માને, અને પ્રારબ્ધયેાગને લીધે એમ મનાય છે, તે ટાળવા આ કઠણાઈ મેં મોકલી છે. અધિક શું કહેવું ? એ એમ જ છે.... પરમાત્માની ભક્તિ જ જેને પ્રિય છે, એવા પુરુષને એવી કઠણાઈ ન હેાય તે પછી ખરા પરમાત્માની તેને ભક્તિ જ નથી એમ સમજવું....એ કઠણાઈ માયાની છે; અને પરમાત્માના લક્ષની તેા એ સરળાઈ છે, અને એમ જ હા.” (૨૨૩) દુ:ખમાં ભગવાન વધારે સાંભરે છે. સુખમાં તેા સેાની સાંભરે. માટે દુઃખથી ગભરાવું નહીં. તેથી છૂટવા માટે પ. ઉ. ૫. પૂ. પ્રભુશ્રીજીએ તમને પરમકૃપાળુદેવની ભક્તિ અને ઉત્તમ વચનામૃત આપ્યું છે તે મરણ સુધી શ્રદ્ધા રાખી આરાધશે। તે આ ભવમાં અને પરભવમાં સુખી થશે.. પ. પૂ. પ્રભુશ્રીજી એટલું બધું ભાર દઈને કહેતા કે અમને પણ ગુરુ ન માનશેા, પણ અમે જે શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુને ગુરુ માન્યા છે તેને તમે અમારા કહેવાથી ગુરુ માનશે તે તમારું કલ્યાણ થશે. માટે આ જ્ઞાની અને આય જ્ઞાની છે એમ કરવાનું પડી મૂકી, પરમકૃપાળુદેવમાં બધાય જ્ઞાની આવી ગયા એ લક્ષ રાખી એક મત આપડી ને Page #472 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૪૪૯ ઊભે માર્ગે તાપડી’ એમ સમજી ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ' મંત્રનું સ્મરણ મૂંઝવણના પ્રસંગે કરતા રહેવા ભલામણ છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૪૬૮ સત્ તત્ “સંતચરણ આશ્રય વિના, સાધન કર્યાં અનેક; પાર ન તેથી પામિયા, ઊગ્યા ન અશ વિવેક.’’ અગાસ, તા. ૨૯-૧-૪૪ મહા સુદ ૪, શનિ, ૨૦૦૦ નહીં ? સત્સંગના યાગ થવાને વખતે તેમને ડિયાણા જવાનું બન્યું એ કર્મની વિચિત્રતા છે, પરંતુ ભાવની વાત એર છે. ૫. ઉ. ૫. પૂ. પ્રભુશ્રીજી એક વાત કરતા કે એ ભાઈએ એક જ્ઞાની પાસે કથા સાંભળવા જતા અને તેમની આજ્ઞાથી ધર્મક્રિયા કરતા. નજીકના સગામાં કોઈનું મૃત્યુ થવાથી મોટા ભાઈ એ નાના ભાઈને કહ્યું —– “ભાઈ, તું જો સ્મશાનમાં જાય તે મારે બે ઘડી ધર્મ કરવા જ્ઞાની પાસે જવાય.” ત્યારે નાના ભાઈ એ કહ્યું, “શું મારે ધર્મ કંઈ નથી કરવા ? તમારે જવું હેય તે સ્મશાને જાએ, હું તે। આ ધર્મ કરવા ચાલ્યા.” એમ કહી તે તે મહાત્માના મુકામ તરફ ચાલ્યા. ત્યાં તે રસ્તામાં કેઈ મિત્ર આવી મળ્યા. તેણે કહ્યું કે આજ તે નાટકમાં ખરી મજાના ખેલ આવવાને છે, તું આવીશ તેણે કહ્યું, “આ ધર્મક્રિયા થઈ રહે કે તુર્ત તારે ત્યાં આવું છું.' એમ કહી મહાત્મા પાસે ગયા અને ધમ ક્રિયાની આજ્ઞા તે લીધી, પણ મન તે નાટકની મજાના વિકલ્પો ઘડ્યા કરતું હતું અને ત્યારે અમુક પાઠ પૂરા થાય કે મિત્રને ત્યાં જવાય અને ચા-પાણી કરી નાટક જોવાના લહાવા લેવાય, એમ થયા કરતું હતું. ગમે તેમ ગાટા વાળી ક્રિયા પૂરી કરી ચાલી નીકળ્યા અને નાટકમાં રાત ગાળી. મોટા ભાઈને સ્મશાને જવું પડ્યું, પણ તે વિચાર કર્યાં કરતા હતા કે આ કામ આવી ન પડ્યું હાત તા આત્મજ્ઞાની સદ્ગુરુ ભગવાનની શાંત મુદ્રાનાં દન મને થાત, તેમની જગત-હિતકારી, શાંતિપ્રેરક, અમૃતમય વાણી સુણી આખા દિવસના ક્લેશરૂપ તાપને ટાળી ચિત્ત શાંતિ અનુભવતું હત. તેમની ભવભ્રમણ ટાળનારી આજ્ઞા પ્રાપ્ત કરી, તેમાં વૃત્તિને રેકીને જેટલા કાળ શુભ ક્રિયામાં ગાળ્યા હાત તેટલું મારું આયુષ્ય લેખામાં ગયું ગણાત. અહીં અજ્ઞાનીઓની વચમાં લૌકિક અર્થે આવી આત્માર્થ વિસારી રહ્યો છું એ મારું કમભાગ્ય છે. એમ વિચારતા પેાતાના કાળ ગાળી ઘેર જઈ ભગવદ્ભક્તિ કરી સૂઈ ગયા. સવારે મહાત્મા જ્ઞાની ગુરુનાં દર્શને હ ભેર ગયા અને ગઈ રાતના ખેદ દર્શાવી પેાતાને પ્રભાતમાં સદ્ગુરુનાં દન કરવા જેટલું આયુષ્ય મળ્યું છે તે મહાભાગ્ય માનવા લાગ્યા અને દન, સ્તુતિ કરી શ્રી સદ્ગુરુનાં વચનામૃતથી શાંત થઈ ઘેર પાછા ગયા. નાના ભાઈ રાજની રૂઢિ મુજબ મહાત્માનાં દર્શન કરવા ગયા. તેને તેના માટા ભાઈના ખેદની વાત મહાત્માએ કરી દર્શાવી ત્યારે તે ખેલ્યું કે, “મહારાજ, મને સ્મશાનમાં મારા મેટા ભાઈને મોકલવા હતા અને ધમ કરવા તેમને અહીં આવવું હતું, પણ મને કઈ ધર્મ વહાલા નહીં હાય ? મેં કેવી ધ ક્રિયા કરી ? અને તેમને લૌકિકમાં જવું પડ્યું. ” મહાત્માએ કહ્યું, “ભાઈ, ધ ક્રિયા સાચી ભાવપૂર્વક તે તારા માટા ભાઈને સ્મશાનમાં બેઠાં થઈ છે અને તેં 29 Page #473 -------------------------------------------------------------------------- ________________ - ૪૫૦ આધામૃત તા ધર્મના સ્થાનમાં જ્યાં ચિત્ત ભગવાનમાં રાખવું જોઈ એ તેને બદલે નાટકમાં ને મિજબાનીના તર'ગમાં રાખ્યું હતું. તેથી તને સ'સારફળની પ્રાપ્તિ થઈ છે અને માટા ભાઈ ને વૈરાગ્યને લઈ ને મેાક્ષનું કારણ બન્યું છે.” આમ ‘ભાવ તિહાં ભગવ'ત' કહ્યું છે તે લક્ષમાં રાખવા યાગ્ય વાત છેજી. “મન ચંગા (પવિત્ર) તે કથરોટમાં ગગા” એ કહેવત પ્રમાણે સદ્ગુરુ-આજ્ઞામાં જેટલા કાળ ભાવપૂર્વક ગાળશેા તેટલું જીવન સફળ થયું માનવા ચેાગ્ય છેજી. શાસ્ત્ર ઘણાં મતિ થાડલી, મન॰ શિષ્ટ કહે તે પ્રમાણુ રે, મન॰ સુયશ લહે એ ભાવથી, મન॰ ન કરે જૂઠડફાણુ રે, મન'' ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ આપેલા મ`ત્રસ્મરણનું વિસ્મરણ ન ભલામણ છેજી. ૪૯ અગાસ, તા. ૩૦-૧-૪૪ આપના ભક્તિભાવ જાણી સહતેષ થાય છેજી. પત્રાંક ૮૪૩ વાર વાર વાંચી મુખપાઠ કરવા ચેાગ્ય છેજી. ન સમજાય તે પૂ... આદિ પાસેથી સમજી તેના વિચાર કરી પરમકૃપાળુ દેવની શ્રદ્ધા દૃઢ કર્યંબ્ય છેજી. તે પરમપુરુષ ઉપર જેટલા પ્રેમ વÖમાન થશે. તેટલેા લાભ વિશેષ થશે. એ પત્રમાં સર્વાં માટે સુગમ ઉપાય દેહાર્દિ સ`બંધી હષઁ વિષાદ દૂર કરી આત્મભાવનાના નિશ્ચય અને આશ્રય ગ્રહણ કરવાનું કહ્યું છે તે આપણે સર્વે એ કરવાનું છેજી. અધીરજ, અવિશ્વાસ એ માર્ગ ઉપરથી પડી જવાનાં કારણુ છે અને પરમપુરુષ ઉપર પૂર્ણ વિશ્વાસ અને પરમ પ્રેમ એ સત્મામાં આગળ વધારનાર છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ܟܘ થાય તેટલી દાઝ રાખવા ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૪૭૦ ૐ સત્ અગાસ, તા. ૩૦-૧-૪૪ મહા સુદ ૫, રવિ, ૨૦૦૦ આપના ચિત્તમાં ઉપાધિના બન્ને સાલ્યા કરે છે તેની, તથા તેથી છૂટી આત્મહિતમાં મન જોડાય તેવી ઈચ્છાની વિગત લખી તે જાણી. તેના ઉત્તરમાં જણાવવાનું કે પ્રારબ્ધ-અનુસાર કર્મીના ઉદયની પર’પરા ચાલ્યા કરે છે તેમાં વારવાર ચિત્ત દેવું અને આત્મસાધના કાઈ જ્ઞાનીની આજ્ઞાથી પ્રાપ્ત થયું હાય તેને ગૌણુ કરવું કે વિસ્મરણ સ્થિતિમાં વહ્યા જવા દેવું એ વિચારવાનનું ક બ્ય નથી. આ પ્રસંગે તે વિશેષ વીર્ય ફેરવી આ ધ્યાન ન થાય અને થઈ જાય તે તેના પશ્ચાત્તાપ ખેદ રહ્યા કરે કે ફરી તેમ ન બને તેવી ચીવટની જરૂર છેજી. પરમકૃપાળુદેવે શ્રી સેાભાગ્યભાઈ ને ફરી ફરી પત્રો દ્વારા ચેતાવ્યા છે કે વ્યવહાર સંબંધી ચિંતા રાખીએ કે ન રાખીએ તે બન્ને સરખું છે, કારણ કે મનનાર તે ફરનાર નથી અને ફરનાર તે મનનાર નથી તેા ઉપાધિ આડે આત્મહિતની વિસ્મૃતિ શા માટે કરવી? માત્ર જે થાય તે જોયા કરવું એવી સુગમ શિખામણ આપી છે તે આપણને પણ અમૃત જેવી છે. પણુ મરચાંના કીડાને સાકરમાં મૂકે તેપણ તડફડે છે. તેમ આપણને વ્યવહારની મીઠાશ તાળવે ચાંટી છે તેથી પરમાર્થ-સાધક શિખામણ અંગીકાર કરતાં પગ ધ્રૂજે છે. જ્યાં આપણું કંઈ ચાલે તેમ નથી તેની ફિકરચિંતા કરીએ તે આપ્તધ્યાન સિવાય બીજું શું ફળ મળે ? અને Page #474 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૪૫૧ તેવા પ્રસંગે જે આયુષ્ય બંધાઈ જાય તે તિર્યંચગતિના ત્રાસ સહન કરતાં પણ પાર આવે તેમ નથી, એમ વિચારી સદૂગુરુનો આશ્રય તેવા પ્રસંગમાં બહુ ઉપકારી છે. જેમ કેઈ બાળકને સતાવે ત્યારે તે તેની માની સેડમાં સંતાઈ જાય છે તેમ આવા વિકટ પ્રસંગમાં જેમ પુણ્યપાપને આધારે બનવા ગ્ય હોય તે બને પણ મારું ધન તે આ મનુષ્યભવ છે તે વ્યર્થ ચિંતામાં વહ્યું ન જાઓ અને સદ્દગુરુનું શરણ મને સદાય દઢ રહો. “શ્રી સદ્દગુરુએ કહ્યો છે એવા નિગ્રંથમાર્ગને સદાય આશ્રય રહો. હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ પુત્રાદિ કોઈ પણ મારાં નથી. શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એ હું આત્મા છું એમ આત્મભાવના કરતાં રાગદ્વેષને ક્ષય થાય.” (૬૯૨) આ ઉત્તમ દવા લેતા રહેવા ભલામણ છે. શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાંથી પત્રાંક પ૭૫, ૫૯૨ વારંવાર વિચારવા ભલામણ છે. સદ્દગુરુના આશ્રયનું બળ તેમાં છે. વળી જનક વિદેહી અષ્ટાવક્ર ગુરુનું અવલંબન લઈ હુસ્તર માયાના વિકટ પ્રસંગમાં મન તણાઈ ન જાય તેમ વર્તતા એ પત્ર પરમકૃપાળુદેવે લખે છે, તે પત્રાંક ૩૨૧, ૩૪૮ પણ વિચારવા ગ્ય છેજી. વારંવાર શ્રી સદ્દગુરુનું માહાત્મ વિચારી ગમે તેમ થાય, પિતાની શક્તિ કરતાં વિશેષ કર્મનું બળ જણાય ત્યાં “હે ભગવાન! મારું કંઈ બળવીર્ય ચાલતું નથી, આપ જ એક મારે શરણ છે” એમ વિચારી સ્મરણનું અવલંબન મુખથી તે ચાલુ રાખવા ગ્ય છે. “તું ગતિ તું મતિ આશરે, તું આલંબન મુજ પ્યારે રે વાચક યશ કહે માહરે, તું જીવજીવન આધારે રે.” ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૪૭૧ અગાસ, તા. ૧-૨-૪૪ તત્ ૐ સત્ મહા સુદ ૮, મંગળ, ૨૦૦૦ હરિગીત – અંધક મુનિના શિષ્ય સૌ ઘાણી વિષે પિલાઈને, સંકટ સહી સર્વોપરી પામ્યા પરમપદ ભાઈ તે નિજ અમર આત્માને સ્મરીને અમરતા વરતા ઘણા, એ મેક્ષગામી સપુરુષના ચરણમાં હે વંદના ! સંગ્રામ આ શૂરવીરને આવ્યો અપૂર્વ દિપાવજે, કરતા ન પાછી પાની ત્યાં ગુરુરાજ પડખે ભાવજે સમતા, સહનશીલતા, ક્ષમા, ધીરજ, સમાધિમરણમાં, મિત્રો સમાન સહાય કરશે, મન ધરો પ્રભુચરણમાં કેવળ અસંગ દશા વર પ્રતિબંધ સર્વે ટાળજો, સ્વછંદ છેડી શુદ્ધ ભાવે, સર્વમાં પ્રભુ ભાળજે; દુશ્મન પ્રમાદ હણી હવે, જાગ્રત રહે, જાગ્રત રહો! સદ્ગુરુ-શરણે હૃદય રાખી, અભય આનંદિત હો! (વીરહાક) Page #475 -------------------------------------------------------------------------- ________________ ૪૫૨ આધામૃત - પરમકૃપાળુદેવનું યોગબળ ઘણું કામ કરી રહ્યું છે એમ નજરે જણાય છેજી. ‘જીવનકળા”માં વાંચ્યું હશે કે સદ્ગત પૂ. ચતુરલાલજી મુનિ વસેામાં માળા ફેરવતા હતા, ત્યાં પરમકૃપાળુદેવ આવી ચઢયા અને પૂછ્યું “મુનિ, શું કરે છે ?”” તા કહે, “માળા ફેરવું છું.” ફરી પૂછ્યું – “શાની ?’” તા કહે – “ખાઉં ખાઉં થયા કરે છે તેની.” પરંતુ તે પવિત્ર વાતાવરણમાં વિચાર સ્ફુર્યાં તે તેમણે જણાવ્યા કે હે પ્રભુ! આવી વૃત્તિમાં મારા દેહ છૂટી જાય તેા શી વલે થાય ? કયાં રખડું ? '' પરમકૃપાળુદેવે કહ્યું – “મુનિ, અમારી આજ્ઞા ઉઠાવતાં દેહ છૂટી જશે, તે ગમે તે ગતિમાંથી તમને તાણી લાવીશું. અમે તમારા દેહના સ્વામી નથી, આત્માના છીએ.” આ ઉપરથી વિશ્વાસની દૃઢતા રાખવી કે આપણે આ આત્મા પરમકૃપાળુદેવને અર્પણ કર્યાં છે, એને શરણે આત્માનું જરૂર કલ્યાણ થશે. આપણું કામ તેા તેની આજ્ઞા ઉઠાવવાનું છે, તે યથાશક્તિ કર્યાં જ કરવું. વેની કર્મ તેના ક્રમ પ્રમાણે ઉદયમાં આવી દેખાવ દેશે, તેથી ગભરાવાનું નથી, હિંમત હારવા જેવું નથી. કૂતરું ભસતું આવે પણ જેના હાથમાં લાકડી છે તે જો ઉગામી તા બે પગ વચ્ચે પૂછડી ઘાલી ભાગી જાય છે; તેમ વેદનીયકના ગમે તેવા આકરા ઉદય આવે પણ જેણે આપ્તધ્યાન નથી જ કરવું એવે નિશ્ચય કર્યાં છે, હું દુઃખી છું એમ માનવું જ નથી, મનાય તેટલી મારી કમજોરી છે, ભ્રાંતિને અભ્યાસ છે; પણ આત્મા પરમાન દરૂપ છે “સુખધામ અનંત સુસંત ચહી, દિનરાત્ર રહે તથ્યાન મહીં; પરશાંતિ અન ંત સુધામય જે, પ્રણમું પદ તે, વર તે, જય તે.” (૯૫૪) આ પરમકૃપાળુદેવના છેલ્લા કાવ્યની છેલ્લી કડી જ મારે તે માનવી છે, તેણે જોયા, અનુભબ્યા તેવા અનંત સુખધામ, અનંત પરમશાંતિરૂપ સુધામય આત્મા મારે તે। માનવે છે, ખીજું શરીર કે શરીરના ધર્મ સુખદુઃખ મનાય છે તે મારી ભૂલ છે તે ટાળી મારે તેને શરણે આટલા ભવ તેનાં જ વચનેાને આધારે જીવવું છે, માનવું છે અને મરવું છે, આવા નિશ્ચયવાળાને કશા ડર નથી. મારી સમજણુ ઉપર મારે મીંડું મૂકી ચાકડી તાણવી છે; તે ઢેડડીના કહ્યા પ્રમાણે વર્તી અનંતકાળ જન્મમરણ કર્યાં. છે; હવે તે જે પરમકૃપાળુદેવે માન્યું છે તે જ મારે માનવું છે. શારીરિક વેદનાને દેહના ધર્મ જાણી અને બાંધેલાં એવાં કર્માનું ફળ જાણી સભ્યપ્રકારે અહિંયાસવા યેાગ્ય છે.” (૪૬૦) કસોટીના પ્રસ’ગમાં મહાપુરુષોને મરણાંત ઉપસર્વાંમાં પણ જે આત્મા છે, નિત્ય છે આદિ છ પદના અખ’ડ નિશ્ચય રહ્યો છે તે વાર'વાર યાદ કરવાથી જીવને ધર્મધ્યાનમાં વૃત્તિ રહે છે. જ્યાં આત્તધ્યાન થાય તેવા પ્રસંગેામાં ધર્માંધ્યાન થાય, નિરા થાય અને આત્મા બળવાન બને છે. આ વેદનાથી બમણી વેદના ભલે આવે, પણ મારે જ્ઞાનીનું શરણુ મરણ સુધી ટકાવી રાખવું છે, તેમાં કોઈ વિશ્ર્વ પાડી શકે તેમ નથી. વૃત્તિ કેમ રહે છે તેના લક્ષ વારવાર રાખી, જ્ઞાનીની આજ્ઞામાં, સ્મરણમાં, શૂરવીરપણામાં વૃત્તિ ષહે તે વીર્ય વિશેષ સ્ફુરી આત્માનંદ અનુભવાશે. તે કઠણાઈના પ્રસ ંગ બહુ હિતકર અને ચિરસ્મરણીય ખની રહેશે. માટે હિંમત રાખી સત્પુરુષાર્થ ચાલુ રાખેા. અને તે પુનમ ઉપર આવવાનું રાખશેા. સૌ સારું થશે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #476 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૪૭૨ અગાસ, તા. ૧૩-૨-૪૪ તત્ સત્ મહા વદ ૪, ૨૦૦૦ સંસાર તમે જણાવે છે તેમ ક્લેશરૂપ છે, પણ વિચાર કરીને અંતરમાંથી તેની વાસના નીકળી જાય અને સ્વપ્ને પણ તેમાં મીઠાશ ન આવે એવા ભાવમાં જીવને રાખવા ઘટે છેજી. સુખના પ્રસંગેામાં ધર્મ કરવાની કાળજી રહેતી નથી અને દુઃખના પ્રસંગેામાં ઇચ્છા હોય તે પણ બનવું કાણુ પડે તેમ છે માટે જ્ઞાનીએએ ચેતાવ્યા છે કે જ્યાં સુધી વૃદ્ધાવસ્થા આવી નથી, રાગોથી ઘેરાયા નથી અને મરણથી કંઠે પ્રાણ આવ્યા નથી ત્યાં સુધી કાળજી રાખીને હે જીવ! જેટલું બને તેટલું ધર્માંનું આરાધન કરી લે. પછીથી નહીં બને અને ભૂતકાળ વ્યર્થ ખાયા એમ પશ્ચાત્તાપ થશે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ચોપાઇ ૪૭૩ - જે સદ્ગુરુ-ચરણથી અલગા, તે થડ છોડી ડાળે વળગ્યા; જેને સદ્ગુરુ-પદશું રાગ, તેનાં જાણેા પૂર્વિક ભાગ્ય. ૧ જેને સદ્ગુરુ સ્વરૂપશું પ્યાર, તેના જાણેા અલ્પ સ'સાર; જેને સદ્ગુરુચરણશું રંગ, તેને ન ગમે અવરના સોંગ. જે સદ્ગુરુ ચરણના રાગી, તે કહિયે સત્ય વૈરાગી; જે સદ્ગુરુ સ્વરૂપના ભાગી, તે જાણા સાચા યેગી. 3 ૪૫૩ અગાસ, તા. ૧૩-૨-૪૪ ૨ તમારા પત્ર આજે મળ્યા. સત્સંગના અભાવે ખેદ થવા સ્વાભાવિક છે. પરંતુ તે ખેને વૈરાગ્યમાં પલટાવી આ જીવે ઘણા સત્પુરુષાર્થ આદરવાની જરૂર છે. પૂર્વ પુણ્યની ઊણપ હાય અને તેની જરૂર સ્પષ્ટ સમજાય ત્યારે તે વિશેષ આરાધનાના ક્રમ સેવવો યાગ્ય છેજી. સત્સંગના ાગે જીવની સંસારદશા અંતર`ગથી પલટાઈ વૈરાગ્ય, સદ્ગુરુભક્તિ અને આત્મજ્ઞાનનું કારણુ અને છેજી. તેવા ચેાગના વિયાગ રહેતા હેાય ત્યારે વિચારવંત જીવને સત્સ`ગયેાગે પ્રાપ્ત થયેલી આજ્ઞા, શિખામણ, પ્રેરણા તથા સત્પુરુષનાં વચનાને પ્રત્યક્ષ સત્સંગતુલ્ય જાણી તેના અભ્યાસ, ચર્ચા, સ્મૃતિ, ભાવના, તન્મયતા કરતા રહેવાથી વિશેષ કલ્યાણ થવાયેાગ્ય જ્ઞાનીપુરુષે કહેલું છેજી. ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજી વારંવાર કહેતા કે પરમકૃપાળુદેવે વિરહમાં ને વિરહમાં રાખી અમારું વિશેષ કલ્યાણ કર્યું છે. બીજા મુમુક્ષુએ ગૃહસ્થ હાવાથી મુંબઈ વગેરે સ્થળે પાતે (પરમકૃપાળુદેવ) બિરાજતા હેાય ત્યાં જાય અને તેઓશ્રીનાં દર્શન-સમાગમનેા લાભ વધારે પામે. અને પાતે (પ્રભુશ્રીજી) મુનિવેશે હાવાથી વિહાર કરીને મુંબઈ કયારે જાય ? કોઈ વખત આ તરફ પધારે ત્યારે કોઈ સ્ટેશને ગાડીમાં દર્શીન થાય કે વિશેષ સ્થિરતા કાઈ સ્થળે હાય તેા દર્શન, સમાગમ, ખેાધના લાભ વધારે મળે પણ ક્વચિત જ. પર`તુ તેમની ભાવના નિર'તર અહેારાત્ર જાગ્રત રહેતી હેાવાથી બધા મુમુક્ષુએ કરતાં વિશેષ પ્રેમ, તન્મયતા અને ઝૂરણા રહેવાથી ફળ વહેલું અને સ'પૂર્ણ પાયું. માટે જેમ અંતરની ભાવના આત્મકલ્યાણ કરવાની વિશેષ વિશેષ બળવાન બને, અને તેની જાગૃતિ પ્રમાદ આડે મન થતાં પ્રજ્વલિત રહ્યા કરે તેવી લાગણી દાઝ વધારવાની જરૂર છેજી. જે જે વસ્તુએ અન'તકાળના પરિભ્રમણમાં Page #477 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ બેધામૃત અનંત વાર પ્રાપ્ત થઈ, તે તે સર્વને વિયોગ પણ થયો. પણ જે અનંત વાર ચાખી, સ્પર્શ, સૂંઘી, સાંભળી, જોઈ, વિચારી તે તે વસ્તુઓ પ્રત્યેની વાસના પ્રીતિ હજી એમને એમ ચિત્તમાં ચાલી આવી છે, તે સર્વ પ્રત્યેથી ઉદાસ થઈ, કંટાળો લાવી, અત્યંત અપ્રીતિકર અને અહિતહેતુ જાણું, કદી સ્વપ્નમાં પણ તે તે વસ્તુઓ પ્રીતિકર ન લાગે તેવી તે તે વસ્તુઓ પ્રત્યેની તુરછતા વિચારી, તે તે વાસનાઓ ઓકી કાઢવા જેવી છે, વિસ્મરણ કરવા જેવી છે એવી દઢતા હદયમાં ધારી; જે અપૂર્વ પદાર્થ કદી જોયે નથી, જાણે નથી, અનુભવ્યું નથી, જેનું કંઈ પણ યથાર્થ ભાન-સમાધિ-સુખની પ્રાપ્તિ એક ક્ષણ પણ થઈ નથી છતાં તે પદાર્થ છે એવું સદ્ગુરુનાં વચન દ્વારા હૃદય કબૂલ કરે છે, તે જ નિત્ય છે, આ નજરે દેખાય છે તે બધું તે નાશવંત છે. તે જ પ્રાપ્ત કરવા યોગ્ય છે અને તેના ઉપાય શ્રવણ, મનન, નિદિધ્યાસન, જ્ઞાન,દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભક્તિ આદિ સદગુરુએ ઉપદેશ્યા છે તે પરમ સત્ય છે. જીવ ધારે તે તે આરાધી શકે તેવા છે. તે જ આ મનુષ્યભવમાં પ્રાપ્ત કરી લેવા ગ્ય છે. ગમે તેવાં શારીરિક કષ્ટો વેઠીને પણ જેની ઉપાસના કરવા યોગ્ય છે, જેને માટે મૂરવા યોગ્ય છે, મરણિયા થવા યોગ્ય છે અને જેની પ્રાપ્તિથી અનંતકાળના દુઃખની નિવૃત્તિ થઈ પરમપદની પ્રાપ્તિ હોય છે, પરમ શાંતિ અનુભવાય છે, નિરંતર અનંત સુખ અનંતકાળ સુધી જેથી મળે છે, એવા અપૂર્વ પદાર્થની પ્રાપ્તિનું સાધન આત્મજ્ઞાની પુરુષની આજ્ઞા આ ભવમાં પ્રાપ્ત થઈ છે, તે તે અનન્ય ભાવે ઉપાસવા ગ્ય છે, અત્યંત અત્યંત તેમાં જાગૃતિ રાખવા ગ્ય છે, એમ વિચારી એક ક્ષણ પણ સ્મરણમંત્રનું વિસ્મરણ ન થાય તથા આ જ વેગથી જીવને અપ્રાપ્ય વસ્તુની પ્રાપ્તિ થવા યોગ્ય છે એવી શ્રદ્ધા દઢ કરી અહોનિશ યથાશક્તિ પરમપ્રેમે પરમકૃપાળુદેવને શરણે તેની આજ્ઞાનું આરાધન, તેમાં તન્મયતા–એકતાન થવાય તેમ કરતા રહેવા ભલામણ છે. ૩% શાંતિઃ શાંતિઃ શાંતિઃ ४७४ અગાસ, તા. ૧૭-૨-૪૪, ગુરુ તમારો પત્ર આજે મળે. વળી પુછાવો છે કે ઈંટર આસમાં શું option હિતકારી છે? હવે તમે તમારો અભ્યાસ વિચારીને જેમાં ચિત્તમાં રસ પડતું હોય તે વિષય પસંદ કરવા ગ્ય છે. તમને જે ઠીક પડે અને ચિંતાનું કારણ ન થઈ પડે તે માર્ગ ગ્રહણ કરવા યોગ્ય છે. બહુ મહેનત કરી distinction માટે મથવા કરતાં સહજ પ્રયત્નથી થાય અને પરીક્ષાને બોજો ન લાગતાં ચિત્તને અન્ય ઉચ્ચ આદર્શો ભણી પણ જતું ન રેકવું પડે, તેને ક્રમ સ્વીકારવા ભલામણ છે. ઘણા યુનિવર્સિટીમાં ઊંચા નંબર મેળવેલા પછીના જીવનમાં કયાંય સંતાઈ જાય છે, દટાઈ જાય છે, માટે વિદ્યારસિક વૃત્તિ થાય અને તત્ત્વજ્ઞાનની જિજ્ઞાસા પિલાતી રહે તેની હાલ જરૂર છે. વખત મળ્યું જેમાં પ્રીતિ છે એવી સદ્દગુરુની આજ્ઞામાં વૃત્તિ વાળતા રહેવું, નહીં તે વૅકેશન જેવા વખતમાં ધાર્મિક વાચન બને તે પ્રયત્ન કર, અને તેવા પ્રસંગ પણ પ્રાપ્ત ન થાય તે પણ નિરાશા ભજવા યોગ્ય નથી. પરમકૃપાળુદેવ લખે છે – “કેવળ નિરાશા પામવાથી જીવને સત્સમાગમને પ્રાપ્ત લાભ પણ શિથિલ થઈ જાય છે. સત્સમાગમના અભાવને ખેદ રાખતાં છતાં પણ સત્સમાગમ થયે છે એ પરમપુણ્ય Page #478 -------------------------------------------------------------------------- ________________ ૪૫૫ પત્રસુધા પેગ બને છે, માટે સર્વસંગત્યાગગ બનતાં સુધીમાં ગૃહસ્થવાસે સ્થિતિ હોય ત્યાં પર્યત તે પ્રવૃત્તિ, નીતિસહ, કંઈ પણ જાળવી લઈને પરમાર્થમાં ઉત્સાહ સહિત પ્રવર્તી વિશુદ્ધિ સ્થાનક નિત્ય અભ્યાસમાં રહેવું એ જ કર્તવ્ય છે.” (૭૭૮) “ગેવાધિષ્ઠાત્તે મા છે જાવન ” % શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૪૭૫ અગાસ, તા. ૨૦-૨-૪૪ બધા ભાવપૂર્વક ભક્તિ કરે છે તે જાણી સંતોષ થયે છેજી. વિકટ પ્રસંગમાં વર્તવાનું છે તે પુરુષાર્થ પણ વિકટ નહીં કરીએ તે વર્તમાન યુગમાં સહજ કર્મબંધના કારણે ઉપસ્થિત થાય છે તેમાં તણાઈ જવું બને તેવું છે, તે તે ઉપગ રાખવા ભલામણ છેજી. “ઉપયોગ એ જ સાધના છે.” (૩૭) ४७६ અગાસ, તા. ૨૦-૨-૪૪ તત્ કે, સત્ મહા વદ ૧૪, બુધ, ૨૦૦૦ દોહરો– આત્મા શુદ્ધ જ જાણિ, અશુચિ શરરથી ભિન્ન તે શાસ્ત્રો સૌ જાણિયા, શાશ્વત સુખે લીન મોક્ષમાળાના વાચનથી ઘણું જાણવાનું શીખવાનું તથા સદ્ભાવમાં પ્રેરાવાનું બનશેજી. સત્સંગના વિયેગમાં પરમકૃપાળુ દેવના વચને અને ભક્તિભાવ, સ્મરણ વગેરેની આજ્ઞા મળી છે તે આધારરૂપ છે. નિત્યનિયમ અખંડપણે પાળવા ગ્ય છે. કષાયની મંદતા થયે, દેહદષ્ટિ દૂર થવા સૂક્ષ્મ વિચારથી પુરુષની દશા સમજવા વિશેષ વિશેષ પુરુષાર્થ કર્તવ્ય છે. જેમ જેમ સદ્ગુરુના અચિંત્ય માહાભ્યને પ્રફુલ્લિત ભાવ સ્ફરશે તેમ તેમ આપણે દશા પણ વધતી જશે. સદ્દગુરુની ભક્તિ એ સર્વોત્તમ ઉપાય છે. | # શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૪૭૭ અગાસ, તા. ૨૧-૨-૪૪ તત્ ૐ સત્ ઉપજાતિ – “સર્વને ધર્મ સુશર્ણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી; અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કોઈ ન બાંહ્ય હશે.” આપનું કાર્ડ મળ્યું. છેલ્લે “મારાં પૂ. માતુશ્રી એલી અવસ્થા ભેગવે છે” વગેરે લખ્યું તે વાંચી પત્ર તુર્ત લખવા વૃત્તિ રહેલી પણ નિવૃત્તિના અભાવે વિલંબ થયો છે તે ક્ષમાગ્ય છેજ. મનુષ્યભવમાં અનેક જીવોની સાથે પ્રયજન પડે છે તેમાં માતપિતાને ઉપકાર સર્વોપરી સંસારસંબંધી ઉપકારમાં ગણાય છે. તેમનું ત્રણ કઈ રીતે વાળી શકાય એમ નથી. માત્ર તેમને ધર્મમાર્ગમાં સ્થિર કરવામાં કે અંતિમ સેવામાં પિતાનું બનતું કરવાથી કંઈ અંશે તે જણ પડે છે એમ જ્ઞાની પાસેથી સાંભળ્યું છેજી. તેમની આશિષ પણ જીવને શાંતિદાયક અને શ્રેયનું કારણ છે છે. માટે બીજાં બધાં કામ કરતાં માતાની સેવામાં તેમને પરમકૃપાળદેવનાં વચનનું પાન કરાવવામાં, પરમકૃપાળુદેવના અચિંત્ય માહાભ્યનું બને તેટલું વર્ણન કરવામાં, તે મહાપ્રભુ આ કાળમાં આપણું તરણતારણ છે, તે જ “ગ્રહો પ્રભુછ હાથ” “ચરણ તળે Page #479 -------------------------------------------------------------------------- ________________ બેધામૃત રહી હાથ” ભવસાગરમાં વહેતા પ્રાણીને બચાવનાર, ઉત્તમ ધામમાં સ્થાપનાર, પરમ વિશ્રામરૂપ છે. એ પુરુષના ગુણગ્રામમાં, માવતરની સેવામાં કાળ જશે તે લેખાને છે. “એ શું સમજે ? એમને હવે સંભળાતું નથી, અત્યારે ક્યાં ભાન છે?” એમ ગણી આપણે સેવામાં પ્રસાદી થવાની જરૂર નથી. એ સાંભળે કે ન સાંભળે પણ બોલનાર તે સાંભળે છે ને! આપણે આપણી ફરજ ન ચૂકવી. ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ દેહ છૂટતાં પહેલાં ઘણી વખત અગાઉ કહી મૂકેલું કે એ વખત આવે ત્યારે બીજી બધી વાતે, વાચન વગેરે બંધ કરી “સહજાન્મસ્વરૂપ પરમગુરૂ” મંત્રની ધૂનથી આખે ઓરડે ગાજી ઊઠે તેવું વાતાવરણ કરી મૂકવું; અને દેહ છૂટી ગયે છે એમ ખબર પડે તે પણ થોડી વાર તેમ જ કર્યા કરવું. તેઓશ્રીની આજ્ઞા પ્રમાણે તેમ જ બન્યું હતુંઅને પછી જ બારણું ખેલી બધાને ખબર આપ્યા હતા. એક વખત પૂ. ચુનીભાઈને નાને દીકરે રસિક બે-અઢી વર્ષને મરણપથારીએ હતું ત્યારે પ્રભુશ્રીજી ગયા હતા અને તેને ઉપદેશ આપવા લાગ્યા. બધાને લાગ્યું કે આટલે નાનો છોકરો ઉપદેશ શું સમજે? એવામાં પિતે જ બોલ્યા કે “પ્રભુ, આત્મા છે ને? ભલે તે નાને હય, મૂછમાં હોય પણ આત્મા છે, તેને (ખાસ કરીને મનુષ્યને) ઉત્તમ વાતાવરણની છાપ પડે છે. એકેન્દ્રિય જીવોને પણ તેની છાયામાં મુનિ સ્વાધ્યાય કરતા હોય તે લાભ થાય છે, ઉરગતિનું કારણ થાય છે.” | માટે પરમકૃપાળુદેવનું શરણ, તેમની કથા, તેમનાં વચને, મંત્રનું સ્મરણ, ભક્તિ, ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીનાં દર્શન-સમાગમ થયો હોય તેનું સ્મરણ, સદ્ગુરુપ્રસાદમાંથી ચિત્રપટોનું દર્શન, આશ્રમમાં કે ધામણમાં જ્યાં મંત્ર મળ્યો હોય તે પ્રસંગેની યાદી આપવાથી પણ ઉલ્લાસભાવ પામી જીવ બળવાન થાય છે અને મરણસંકટને સહેલાઈથી તરી સમાધિમરણ થાય તેવા ભાવમાં આવી જાય છે. ટૂંકામાં જગતનું વિસ્મરણ અને જ્ઞાની પરમકૃપાળુદેવના શરણમાં બુદ્ધિ સ્થિર થાય તેવી મદદ તેમને મળતી રહે તેવા પુરુષાર્થની યોજના કરવા વિનંતી છે. સંભળાતું હોય અને તેમની ભાવના સાંભળવાની હોય તે “સમાધિ પાનમાંથી સમાધિમરણ,” “મૃત્યુમહોત્સવ તથા પૂ. પ્રભુશ્રીજીને નાસિકને બેધ સંભળાવતા રહેવા વિનંતી છે.જી. # શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ ૪૭૮ - પૂ... અહીંથી તત્ત્વજ્ઞાન સ્મરણ સાધન લઈ ગયા છે એ તેમનાં અહેભાગ્ય ગણાય. તેનું અહોરાત્ર આરાધન કરે તેનું તેથી પણ વિશેષ ધન્યભાગ્ય ગણાય. પણ એવું સુંદર સાધન મળ્યા છતાં, સત્સંગને લાભ અને તેના રૂપ “આત્મસિદ્ધિ વિવેચન” આદિ સગ્રંથ, પરમકૃપાળુદેવ અને પ. પૂ. પ્રભુશ્રીજીના ચિત્રપટ આદિ ભક્તિનાં સાધન સમીપ હોવા છતાં જે આત્મા લેશિત રહે, બળી મરવા ઇરછે તેના જેવું દુર્ભાગી પ્રાણી કઈ દેખાતું નથી. આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્તા છે, આત્મા ક્તા છે, મોક્ષપદ છે અને તે મોક્ષના ઉપાય Page #480 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૪૫૭ — આ છપદના નિશ્ચય વાર વાર વિચાર કરીને કવ્યુ છે. તે વિષે ઊંડા વિચાર કરી “હું આત્મા છું, આ દેહરૂપે દેખાઉં તે કલાક છે, મારું તે સમ્યજ્ઞાનદર્શનસ્વરૂપ છે; તે સિવાય જગતમાં કહેવાતી કોઈ ચીજ કે માણસ મારાં થઈ શકે નહીં, અને મારાં મનાય છે તે જ ક્લેશનું મૂળ છે” એવા નિશ્ચય થયે કોઈ તરફથી સુખની કે દુઃખની અપેક્ષાદૃષ્ટિ નહીં રહે. હું એકલા છું, એકલા આવ્યા છું, એકલેા જ કર્મ બધું છું અને ભાગવું છું અને ખાંધીશ તે એકલે જ ભોગવીશ. માટે કોઈના તરફ દોષદિષ્ટ નહીં રાખતાં, આ આત્માને જ વાંક છે, તેનાં સર્વ સાધન ધનરૂપ થયાં છે તે સવળાં કરી મેક્ષમાર્ગીમાં આ ભવમાં જો મન નહીં લગાડું તે પરભવમાં મારી શી વલે થશે? એ વિચારી, સંસારની સર્વ ક્રિકરને વૈરાગ્યરૂપ ઘાસતેલ છાંટી ખાળીજાની ફૂંકી દઈ એક સદ્ગુરુ-સ્મરણુ, પરમકૃપાળુદેવને ચિત્રપટ અને તેનું શરણુ હૃદયમાં દૃઢ રાખી બીજેથી વૃત્તિ ઉઠાવી લઈ હું પરમાનંદરૂપ છું, પરમકૃપાળુદેવના હૃદયમાં જે શીતળીભૂત સુખ છે તે જ મારું સ્વરૂપ છે; મારે કોઈ રીતે દુઃખી થવું ઘટતું નથી. આ ભવમાં તેની ભક્તિ મળી છે તે મારાં મહાભાગ્ય છે; તે જો ચૂકીશ અને કષાયને વશ થઈ અવળું કરી બેસીશ તે મારી મહાકમબખ્તી થશે. માટે ગમે તેમ થાય તેપણ ભક્તિ કરવા જ જીવવું છે” એ નિશ્ચય તજવા ચેાગ્ય નથી એ ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ જ ભલામણ. ૪૭૯ સત્ તત્ થાય, તે કોઈ અન્ય લઈ ના શકાય; એથી નયસુજ્ઞ ગાતે.’ અગાસ, તા. ૨૮-૨-૪૪ ફાગણ સુદ ૫, સામ, ૨૦૦૦ શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ એ ભાગવે એક સ્વઆત્મ પાતે, એકત્વ —શ્રીમદ્ રાજચંદ્ર – . શ્રીમદ્ રાજચંદ્ર એકત્વભાવના આત્મશુદ્ધિની ઉત્કૃષ્ટતા કરે છે.’ સંખ`ધી તમે ખુલાસે મુશ્કેલ છે, તેમ છતાં મનમાં પણ ખેલાય. આપનું કાર્ડ આજે મળ્યું. આપની તબિયત નરમ રહ્યા કરે છે તે જાણ્યું. થૂકને લઈને વાર વાર ઊઠવું પડે છે અને નિત્યનિયમમાં પણ વિશ્વ પડે છે તે પુછાવ્યા, તેના ઉત્તરમાં જણાવવાનું કે ભાવ તા એકસરખા રહેવા નિત્યનિયમ ઉતાવળે સ્વરે જ ખેલવા (કરવા) જોઈ એ એવા નિયમ નથી. વચ્ચે વિા આવે ને ઊઠવું પડે તેા ઊઠવું, પણ તેમાં લક્ષ અને તેટલે રાખીને કરવાની જરૂર છેજી. પરાધીનતાને કારણે ન બને તે વાત જુદી, પણ પ્રમાદને લઈને નિત્યનિયમ ન ચુકાય એટલી કાળજી તેા મુમુક્ષુજીવે રાખવી ઘટે છેજી. કોઈ પ્રસંગે તેવી ગફલત થઈ ગઈ હાય તા સાવધાન થયા ત્યારથી ૩ ખેદ નહીં કરતાં શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં મોક્ષપાટણ સુલભ જ છે .' (૮૧૯) એ પત્ર ભક્તિ-પશ્ચાત્તાપપૂર્વક વાંચી કે મેલીને નિત્યનિયમ કરી લેવેા ઘટે છેજ. બધા દોષોની માફી ક્ષમાપનાના પાઠમાં જ માગી લેવાની આવે છે છતાં કંઈક અવલ બન અર્થે આ પત્ર જણાવ્યેા છે. Page #481 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ બેધામૃત પરમકૃપાળુદેવને શરણે જે થાય તે જોયા કરવા જેવું છે. મૃગાપુત્રનું દષ્ટાંત “ભાવનાબોધ'માંથી વારંવાર વાંચી સંસાર પ્રત્યે વૈરાગ્યભાવ અને મોક્ષમાર્ગ – જ્ઞાનીની આજ્ઞા – પ્રત્યે પ્રેમભાવ વર્ધમાન થાય તેવી વૃત્તિ વધારતા રહેવા વિનંતી છે. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ - ૪૮૦ અગાસ, તા. ૬-૩-૪૪ તત સત્ “શું પ્રાચીન પૂર્વજ સંભારું, આંખે આંસુ આવે, વીર! શી હિમ્મત એના હૈયાની, રે! શા એનાં નૌતમ નીર! હાય! હાય! આ ગતિ થઈ શી ! હાય! હાય! શે કાળો કેર ! રાય હૃદય ફાટે છે હર ! હર ! (નથી જોવાતી આવી પર)”– શ્રીમદ્ રાજચંદ્ર ઊપજે મેહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવેલેકતાં, વિલય થતા નહિ વાર.” (લ્પ૪) આપને પત્ર આવ્યા તે વાંચી સમાચાર જાણ્યા છે. દિવસ પછી રાત અને રાત પછી દિવસ આવે છે તેમ સુખની પાછળ દુઃખ અને દુઃખની પાછળ સુખ આવ્યા કરે છે તેને સમજુ છ સમભાવે સહન કરે છેજ. જેને સત્સંગને વેગ આ ભવમાં થયેલ હોય અને પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુની ભક્તિમાં પ્રેમ ના હોય તેવા જીવે એક પ્રકારે અંતરમાં ઊંડી શાંતિ રાખવી ઘટે છે કે મારા આત્માનું કલ્યાણ થાય અને મારા આત્માની રક્ષા કરે તે ધગધણી, આ ભવમાં ભક્તિ કરવા ગ્ય પરમાત્મસ્વરૂપ સાચો પતિ મને મળે છે. આ દેહનું તે પુણ્ય કે પાપ પૂર્વે બાંધ્યાં છે તેને અનુસાર થવું હોય તેમ થાઓ, પણું મારા આત્માને તેથી ક્લેશિત કરે ઘટતું નથી, પણ મારે મારા આત્માને ઉદ્ધાર કરનારની શોધ કરવાની તે રહી નથી પણ તેની આજ્ઞા ઉઠાવવાની દાઝ વધે અને સંસારની ફિકર કરતાં આત્માની કાળજી અનંતગણું રાખવાની છે એ વાત મારા હૃદયમાં ઘર કરે તેવી સમજણની જરૂર છે. તે પરમકૃપાળુદેવની ભક્તિથી અને તેના ગબળે બની આવશે એટલી શ્રદ્ધા રાખી બને તેટલી ભક્તિ ભાવપૂર્વક કરતા રહેવા વિનંતી છે જી. વખત વધારે ન મળે તેને માટે ખેદ કર્તવ્ય નથી, કે અહીં આવી ન શકાય તેવી પરાધીનતાને માટે પણ બહુ ચિંતા કરવા ગ્ય નથી. પણ જેટલે વખત ભક્તિમાં ગાળવાનો લાગ મળે તેટલે વખત એકનિષ્ઠા અને કલાસમાં જાય તેમ કરતા રહેવા વિનંતી છે.જી. રામ, પાંડવો અને ગજસુકુમાર જેવા રાજવંશીઓને માથે અસહ્ય આપત્તિ આવી પડી છે તે આપણુ જેવા હીન પુણ્યને સંકટો આવે તેમાં નવાઈ નથી. પણ તેમણે ધીરજ રાખી ભારે દુઃખમાં પણ આત્મહિત ન વિચાર્યું તેવી ધીરજ અને ધર્મભાવ આપણને વધે અને મરણકાળ સુધી ટકી રહો એવી ભાવના કર્તવ્ય છે). પરમકૃપાળુદેવે એક મુનિને કહેલું: “તમે અમારી આજ્ઞા ઉઠાવશો તે ગમે ત્યાં મરણ પછી ગયા હશે તો પણ તમને પકડી લાવીશું.” આવી Page #482 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૪૫૯ આત્માની સભાળ લેનાર સદ્ગુરુનું જેને શરણું છે તે મહાભાગ્યશાળી છેજી. ફિકર કરવા ચેગ્ય નથી. એ જ વિનતી ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૪૮૧ દાહરા——જ્ઞાની કે અજ્ઞાની જન, સુખદુઃખરહિતન કાય; જ્ઞાની વેદે ધૈર્યાંથી, અજ્ઞાની વેઠે રાય.'' કમળ મળ-મૂત્રાદિ સમ, સમ ચંદન ને ડામ, સમતા સ્વામી રાજચંદ્ર-ચરણે ભાવ-પ્રણામ. અગાસ, તા. ૭-૩-૪૪ – તમે બધા શારીરિક વેદનાના ભાગ થતા જાણી ધર્માનુરાગથી ખેદ થયા, પણ નિરુપાયતા આગળ તે શમાવ્યા વિના છૂટકો નથી. સમભાવ એ મેાક્ષના દ્વારપાળ છે. તેની રજા વગર કોઈ મેાક્ષ પામ્યા નથી અને તે સહનશીલતાથી પ્રાપ્ત થાય છે. સહનશીલતાને આધાર સમ્યક્ સમજણુ-આત્મજ્ઞાન છે. તેને આધાર સદ્ગુરુ પ્રત્યે શરણભાવ, તેનાં વચને – એધની ઉપાસના અને તેનાં વચનના આશય પ્રત્યે પ્રીતિ, પ્રતીતિ, ભક્તિ એ છે. એક રીતે આપણાં અહાભાગ્ય છે કે હડહડતા કળિકાળ જેવા નાસ્તિક યુગમાં આત્માનું માહાત્મ્ય હૃદયમાં ઘાંચી ઘાલે તેવા પ્રત્યક્ષ ઉપકારી પ. પૂ. પ્રભુશ્રીજીનાં દન, સમાગમ, સેવા, આજ્ઞા આદિ ધર્મનાં ખીજની પ્રાપ્તિ થઈ છેજી અને તેને પાષણ મળે તેવા સત્સ`ગધામને તે પાછળ મૂકતા ગયા છેજી. જયાં સુધી અસાધ્ય વ્યાધિ આવી નથી, ત્યાં સુધી જ્ઞાનીપુરુષની આજ્ઞાનું મુશ્કેલીથી આખા મીંચીને પણ આરાધન કર્તવ્ય છેજી. પરમકૃપાળુદેવ લખે છે કે “કળિયુગ છે માટે ક્ષણ વાર પણ વસ્તુવિચાર વિના ન રહેવું એમ મહાત્માએની શિક્ષા છે.” (૨૫૪) સમજ્યા ત્યારથી સવાર ગણી તેની જ ભાવના નિરંતર રહે એવા લક્ષ (ઘસારા પાડી દેવેા – ઘસી નાખવું એમ પૂ. પ્રભુશ્રીજી કહેતા) હૃદયમાં દૃઢ કરવા યેાગ્ય છેજી. માથે મરણુ ભમે છે, લીધેા કે લેશે એમ થઈ રહ્યું છે તે આ જીવ કયા કાળની રાહ જોઈ હવે મ`ડી પડતા નથી ? ખાસ કરીને વેન્નુનાના પ્રસંગમાં જીવ જો ન ચેતે તે અનાદિના અધ્યાસ હેાવાથી વૃત્તિમાં દેહાર્દિ અશાતામાં ઉપયાગ તણાઈ જાય અને મને દુઃખ થાય છે, હું માંદો છું, દુઃખી છું આમ થઈ જવું સહજ છે અને એને જ સ્વપ્નદશા મહાપુરુષોએ કહી છે અને તે જ આત્ત ધ્યાનનું કારણ છે. માટે “હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ શ્રી પુત્રાદિ કોઈ પણ મારાં નથી; શુદ્ધચૈતન્યસ્વરૂપ અવિનાશી એવા હું આત્મા છું એમ આત્મભાવના કરતાં રાગદ્વેષને ક્ષય થાય'' – કેવળજ્ઞાન થાય. આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે.’’ – સુખ દુઃખ એ કનું ફળ છે; તેથી આત્માના અનુભવ જુદા છે. પાણીમાં સાકર નાખી ચાખે તે સાકરના સ્વાદ આવે, પાણીને ન આવે; તેમ પુદ્ગલના ધર્મ રૂપ, રસાદ્ધિ પર છે, તેનું જ્ઞાન તે પુદ્ગલ આધીન છે. તેમાંથી નિમિત્તને લઈને જે વિકાર જણાય છે તેથી જુદું જ્ઞાનીએ જાણ્યું છે તેવું મારું સ્વરૂપ છે એવી શ્રદ્ધા, વેદના વખતે અત્યંત ઉપકારી છે. “સથી સર્વ પ્રકારે હું ભિન્ન છું, એક કેવળ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, પરમેષ્કૃષ્ટ, અચિંત્ય સુખસ્વરૂપ માત્ર એકાંત શુદ્ધ અનુભવરૂપ હું છું, ત્યાં વિક્ષેપ શા ? વિકલ્પ શે? ભય શે? ખેદ શે!? બીજી Page #483 -------------------------------------------------------------------------- ________________ ४६० બધામૃત અવસ્થા શી ? હું માત્ર નિર્વિકલ્પ શુદ્ધ શુદ્ધ, પ્રકૃષ્ટ શુદ્ધ પરમશાંત ચૈતન્ય છું. હું માત્ર નિર્વિકલ્પ છું. હું નિજસ્વરૂપમય ઉપયોગ કરું છું, તન્મય થાઉં છું.” (૮૩૩) “ઉપયોગ શુદ્ધ કરવા આ જગતના સંકલ્પ-વિકલ્પને ભૂલી જજે.” (૩૭) ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૪૮૨ અગાસ આપે પત્રમાં ઉપાધિ વિષે લખ્યું તે વાંચ્યું. જેણે ઉપાધિનું સ્વરૂપ વિચાર્યું છે તે ઉપાધિને દુઃખરૂપ માને છે અને તેવી ઉપાધિના કોઈ અંશને હિતકારી, સુખકારક કે ઈચ્છવા લાયક માનતા નથી, એટલું જ નહીં, પણ તેવી ઉપાધિરૂપ દુઃખથી જેમ બને તેમ વહેલા છૂટવાના ઉપાયમાં પ્રવર્તે છે. મેહને લઈને સ્ત્રી, પુત્ર, કુટુંબ, ધન આદિમાં જે મીઠાશ લાગતી હતી તે વિચારણા જાગતાં બદલાઈ જાય છે અને નાશવંત વસ્તુને મોહ કરીને જે દુઃખ ઉઠાવ્યું તેથી કંઈ આત્મકલ્યાણ ન થયું, ઊલટી માયાજાળ વધારી એમ લાગે છે. હવે આવા સંસારમાં ફરી જન્મવું ન પડે તે માટે શું કરવું તે જીવ વિચારવા લાગે છે અને જેમ જેમ ઉપાધિ ઘટે તેમ તેમ વિચારવાને અવકાશ મળે અને શાંતિ અનુભવવાનો પ્રસંગ પ્રાપ્ત થાય. માટે જેમ બને તેમ, જ્યાં સુધી સત્સંગને યેગ ન બને ત્યાં સુધી, સત્સંગની ભાવના રાખી સપુરુષનાં વચન, આજ્ઞા, ભક્તિમાં કાળ વ્યતીત થાય તે પ્રકારે પ્રવર્તવા ભલામણ છે. બીજું વિશેષ ન બને તે જે જે મુખપાઠ કરવા જણાવેલું છે તે મુખપાઠ કરી નિત્ય ફેરવવાને પુરુષાર્થ કર્યા કરશો અને હરતાં, ફરતાં, બેસતાં, ઊઠતાં, ચાલતાં, ખાતાં, પીતાં, જાગતા હોઈએ ત્યાં સુધી સ્મરણમંત્રમાં ચિત્ત રાખવાને લક્ષ રાખશે. જેવું કારણ ઉપાસીએ તેવું કાર્ય થાય છે. તેથી સંસારનાં કારણથી દૂર રહી, અથવા લૌકિક ચિંતાઓ ઓછી કરી જ્ઞાની પુરુષની આજ્ઞા ઉપાસવાને પુરુષાર્થ કરવા માંડીશું તે જ્ઞાની પુરુષોએ જે પ્રાપ્ત કર્યું છે તે પ્રાપ્ત કરવા ભાગ્યશાળી બનીશું. માટે સંસારની જંજાળમાંથી બચતા વખત વ્યર્થ ગુમાવવા કરતાં પુરુષનાં વચનના વિચારમાં અને બને તેટલી શાંતિ પ્રાપ્ત કરવામાં જેટલે કાળ જશે તેટલું જીવન સાર્થક ગયું ગણાશે. જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય, ઉત્તમ જહાં વિચાર; એ ભાવે શુભ ભાવના, તે ઊતરે ભવ પાર.”.–શ્રીમદ્ રાજચંદ્ર સંસારસાગર તરવાને જેણે નિશ્ચય કર્યો છે તેણે કેવી રીતે જીવવું? બચતે વખત કેમ ગાળવો? આત્મહિત કેટલું સાધી શકાય છે? તેની તપાસ રાખવી, અને જીવન ઉત્તમ કેવી રીતે ગળાય તેને નિર્ણય કરી રાખ ઘટે છે. એ લક્ષ જેને હશે તે વહેમોડે તે તે સાધન શોધી પ્રાપ્ત કરી સંસાર તરવા શક્તિમાન થશે. માટે મેહમાં કાળ બધે વહ્યો ન જાય અને મરણ વખતે પસ્તાવું ન પડે, માટે પાણી પહેલાં પાળ અથવા - ઘર લાગ્યા પહેલાં કૂ ખોદાવી પાણીની સગવડ કરી રાખવી કે જેથી આફતમાંથી બચી જવાય. તેમ મરણ તે દરેકને આવવાનું છે, તો સમાધિમરણ કેમ થાય? ઉપાધિનું દુઃખ કેમ ન લાગે? વગેરે વિચારો Page #484 -------------------------------------------------------------------------- ________________ ૪૬ પત્રસુધા વિચારવાનું કરી લેવા ઘટે છે. તેને માટે સત્સંગની ઘણી જરૂર છે તો તે અવકાશ મેળવી સત્સંગ કરતા રહેવા ભલામણ છે. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૪૮૩ અગાસ, તા. ૧૩-૩-૪૪ તત્ ૐ સત ફાગણ વદ ૩, સોમ, ૨૦૦૦ કવાલી – કૃપાળુની કૃપા ધારી, બનીશું પૂર્ણ બ્રહ્મચારી, સહનશીલતા, ક્ષમા ધારી, સજી સમતા નૉતિ સારી. પરમકૃપાળુદેવે પ. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીને પ્રથમ પત્ર લખ્યું છે તેમાં “નિરંતર ઉદાસીનતાને કમ સેવ, સપુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું...” (૧૭૨) લખ્યું છે તે કમ ઉપર તમને આવતા જાણે હર્ષ થાય છે. તે પત્ર મુખપાઠ ન કર્યો હોય તે કરી તેમાં જે માર્ગ દર્શાવ્યા છે તે હૃદયમાં અંકિત કરવા ગ્ય છે. વૈરાગ્ય અને અપ્રમત્તપણે પુરુષે દર્શાવેલા માર્ગનું આરાધન એ જ પરમકૃપાળુદેવે સ્વાત્મવૃત્તાંતરૂપ કાવ્ય “ધન્ય રે દિવસ આ અહો !” ગાયું છે તેને સાર છે. તે પણ મુખપાઠ કરી તેમાં જણાવેલા ક્રમે, પગલે પગલે ચાલવા પુરુષાર્થ કર્તવ્ય છેજ. બીજું તમે પચખાણ લીધેલું છે અને અશક્તિ રહેતી હોવાથી ઉપવાસ મહિનામાં એક કરે છે તે ન કરવા વૈદ્યની સલાહ જણાવી, શું કરવા યોગ્ય છે એમ પુછાવ્યું તેના ઉત્તરમાં જણાવવાનું કે પ્રતિજ્ઞા લીધેલી પાળતાં વિદ્ગો આવે ત્યાં જ જીવને આગળ વધવાને માર્ગ છે. દેહાધ્યાસ છોડવાના પુરુષાર્થરૂપ વ્રતનિયમો છે. છૂટે દેહાધ્યાસ તે, નહિ કર્તા / કર્મ નહિ ભક્તા તું તેહનો, એ જ ધર્મને મર્મ. એ જ ધર્મથી મેક્ષ છે, તું છે મેક્ષસ્વરૂપ; અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ.” શ્રી આત્મસિદ્ધિ અશક્તિ જણાય છે એ કંઈ મોટું વિશ્વ નથી તેમ છતાં દવા ચાલુ હોય અને એક દિવસ ન લેવાથી ઘણું દિવસની દવાની અસર થયેલી તૂટક થવાથી દવા નિષ્ફળ થાય છે એમ વૈદ્યનું કહેવું થતું હોય અને તેથી તમને વિકલ્પ રહ્યા કરતા હોય કે શરીરમાં વૃત્તિ રહી આર્તધ્યાન થવા તરફ વલણ થતું હોય તો તે દૂર કરવા અપવાદમાગે છે તે જણાવું છું. જોકે જે ભાવથી નિયમ ગ્રહણ કર્યો છે તેવા શૂરવીરપણે છ માસને નિયમ પૂર્ણ થાય તે નિર્ભયતા તરફ પગલાં ભર્યા ગણાય. આત્મવીર્યની વૃદ્ધિનું કારણ છે પણ વૃત્તિ વ્રતમાં ટકતી ન હોય તે એક ઉપવાસને બદલે બે એકાશન કરી શકાય છે. એટલે અજવાળિયામાં એક અને અંધારિયામાં એક એમ બે એકાશનો કરવાથી એક ઉપવાસ શાસ્ત્રીય નિયમે કર્યો ગણાય. દવા વગેરે જમતી જ વખતે લેવાની હોય તે લઈ શકાય એટલે દવામાં તૂટક નહીં પડે અને ધર્મધ્યાન માટે બે દિવસ મળશે. એક વખત ખાઈ લીધા પછી બધા દિવસ લગભગ ધર્મધ્યાન અર્થે ગાળો છે એ લક્ષ રહેશે તે પણ લાભનું કારણ છે. Page #485 -------------------------------------------------------------------------- ________________ બેધામૃત પૂ. ભાઈ.... તથા તમારા કુટુંબના સર્વે દિવસમાં એકાદ વખત સમૂહભક્તિમાં બેસતાં હશે. બધાને અનુકૂળ હોય તે એક કે અર્ધો કલાક સાથે ભક્તિ રાખવાથી નાનાં મોટાં સર્વને ધર્મના સંસ્કાર દઢ થાય, ઉત્તમ વાતાવરણને શોખ લાગે, પિતાને અવકાશે ભક્તિવાચન વગેરે માટે વૃત્તિ જાગે. માટે તેવો ક્રમ રાખે ન હોય તે થોડો વખત બીજી ફેકલાજ તજી સાથે ભક્તિ કરવાની ટેવ પાડવા ભલામણ છેજી. ગવાસિષ્ઠ મહારામાયણ ત્યાં મળી શકે તે વૈરાગ્ય અને મુમુક્ષુ એ બે પ્રકરણો વાંચવા યોગ્ય છેજી. વૈરાગ્યદશાની વૃદ્ધિ માટે ઉપયોગી છે જી. એ જ વિનંતી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૪૮૪ અગાસ, તા. ૨૩-૩-૪૪, ગુરુ તત્ સત્ આપના પિતાશ્રીને દેહ-અવસાનના સમાચાર મળ્યા. તથા તમારે શિર બધી જવાબદારી આવી પડી છે એમ સાંભળ્યું. પૂર્વ કર્મ અનેક રૂપ લઈને આવે છે, તેમાં આપણે કટી થઈ રહી છે. પુરુષના આશ્રિતને છાજે તેવી રીતે હિમ્મત હાર્યા વિના તથા જ્ઞાની પુરુષની આજ્ઞાનું વિસ્મરણ થાય નહીં તેમ જે કંઈ આડું આવે તે યથાયોગ્ય રીતે કોરે કરવાનું છે, ખસેડવાનું છે. પથ્થર તળે હાથ આવ્યો હોય તે કળે કળે કરીને કાઢી લેવાને છે. પરમકૃપાળુદેવે એક સુંદર શિખામણ આવા પ્રસંગે લક્ષમાં રાખવા યોગ્ય જણાવી છે કે “બાહ્યભાવે જગતમાં વર્તી અને અંતરંગમાં એકાંત શીતલીભૂત-નિલેપ રહો.” (૭૨) આ શિખામણ પોતે અમલમાં મૂકીને પ્રદર્શિત કરી છે. આપણે તેના શરણે તેમને પગલે પગલે અબંધ થવા પુરુષાર્થ કરવાને છે. | નાના છોકરાને કોઈ ડરાવે ત્યારે તેની મા તરફ જેમ દોડી જાય છે તેમ કર્મના ત્રાસમાં પરમકૃપાળુદેવ એક શરણરૂપ છે. તેનાં અમૃતમય વાકયોમાંથી કોઈ એકનું અવલંબન લઈને તેની અલૌકિક દશાની સ્મૃતિમાં આશ્ચર્ય અને આનંદ સહિત ઉપાધિને પ્રસંગ વ્યતીત થાય તેમ કરવા ભલામણ છે. વિશેષ વાચનને વખત ન મળતું હોય તે જે મુખપાઠ કર્યું છે તેના વિચાર ટ્રેન વગેરેમાં મુસાફરી કરતાં કે ફરવા જતાં પણ ચાલુ રહે એવી ટેવ પાડશો તે આ મુશ્કેલી એક સારી આદત બેસાડવારૂપ ઉપકારકર્તા નીવડશેજી. બીજું કંઈ ન બને તે સ્મરણમાં વારંવાર વૃત્તિ રાખતા રહેવાથી ઘણાં કર્મથી બચી જવાનું કારણ થાય તેમ છે. ભલે ઉપાધિપ્રસંગ વધતું જાય પણ આપણું વીર્યબળ વધારવાને પુરુષાર્થ આપણે વિશેષ જાગ્રત કરતા રહેવાની જરૂર છે, નહીં તે આ કાળમાં પરમાર્થનું કામ પડ્યું રહે અને નિષ્ફળ પ્રવૃત્તિઓમાં આખું જીવન વ્યતીત થાય તેવે વખત આવી લાગે છે. માટે “ચેતતા નર સદા સુખી” કહેવાય છે તેમ કાલે શું થશે તેની ક્યાં ખબર છે? માટે વૈરાગ્યની વૃદ્ધિ કરી, સંસારને જાળરૂપ જાણી, મનની વૃત્તિ નિવૃત્તિ તરફ વારંવાર વળે અને પરમ શાંતિપ્રેરક પરમકૃપાળુદેવની શાંત, વીતરાગ મુખમુદ્રા સ્મૃતિમાં આવે તેમ લક્ષ લેવા યોગ્ય છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #486 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૪૩ ૪૮૫ અગાસ, ચૈત્ર સુદ ૪, ૨૦૦૦ જ્યાં સુધી અનિત્ય પદાર્થોમાં ચિત્તની પ્રવૃત્તિ પ્રીતિસહ વર્તે છે, તેને અર્થે હર્ષશોક થયા કરે છે અને તેની વાસના રહ્યા કરે છે ત્યાં સુધી શાંતિની આશા કયાંથી રાખી શકાય? શાંતિ, સુખને વાસ તે શુદ્ધ આત્મસ્વરૂપમાં કે તે પદ પામેલા પરમકૃપાળુદેવમાં છે, તે જેણે સસુખ પ્રાપ્ત કરવું હોય તેણે જ્યાં તેને વાસ છે તેની યથાર્થ ઉપાસના કર્તવ્ય છે. બાગની શોભા જેવા રખડતે માણસ ભૂખ્યો થયે હોય, તે તે રખડવું છેડીને ધુમાડો બૂક પડે તેપણ ચૂલે ચેતાવી રસોઈ કરે અને જમે તે ભૂખ ભાંગે, તૃપ્તિ થાય; તેમ જગતના ચિત્ત-આકર્ષક અનિત્ય પદાર્થોમાં રખડતું મન રોકીને મુશ્કેલી લાગે તે પણ મુક્તિમાર્ગને આરાધવા જ્યારે જ્ઞાનીનું કહેલું ગળે ઉતારશે ત્યારે જ જીવને આત્મ-તૃપ્તિ, સસુખની પ્રાપ્તિ થશેજી. વધારે શું લખવું? સન્મુખ વિના આ જીવ નિરંતર દુઃખી છે એમ હજી નિર્ણય પાકો થયે નથી, તે વારંવાર વિચારી દઢ નિર્ણય કર્તવ્ય છે. પછી દુઃખ માનશે ત્યાં ચિત્ત ટકશે જ નહીં; જ્યાં શાંતિ હશે ત્યાં ભ્રમરની પેઠે શેધતું ફરશે, પ્રાસ પણ કરશે એ જ વિનંતી. ૪૮૬ અગાસ, ચૈત્ર સુદ ૪, મંગળ, ૨૦૦૦ તમારી ભાવના જાણી. કરાળ કાળમાં કાલની કોને ખબર છે? અખા ત્રીજને દિવસે ધામણ તરફના એક ગામમાં ચિત્રપટની પ્રતિષ્ઠા કરવાની હતી તે ભાઈને દેહ છૂટી ગયાના સમાચાર આવ્યા છે માટે ધર્મના કાર્યમાં ઢીલ કર્તવ્ય નથી. “કાલ કરવા ધારતે હોય તે આજ કર, આજ કરવું હોય તે હમણાં કર’ એમ કહેવાય છે તે ખરું છે. ધનન કરતાં ધર્મની વિશેષ અગત્યતા લાગે અને નાશવંત વસ્તુઓ કરતાં શાશ્વત વસ્તુ અર્થે વિશેષ આયુષ્યને વખત ગળાય તે નિર્ણય અને તદનુસાર પુરુષાર્થ જ્ઞાનીને વિશ્વાસે તેને શરણે કર્તવ્ય છે. તમારી વિનંતી ભાવનારૂપે ઠીક છે, પણ વિશેષ વિચારે તમે શ્રી આશ્રમમાં ચાતુર્માસ રહેવા વિચાર રાખે તે વિશેષ લાભનું કારણ સમજાય છે. આશ્રમનું સ્થળ જ્યાં પરમ ઉપકારી પ્રભુશ્રીજીએ ચૌદ માસાં કર્યા છે, જ્યાં અનેક મુમુક્ષુઓ પિતાને સ્વાર્થ ઘેડા વખત માટે કે લાંબા વખત માટે તજી એક ધર્મધ્યાન અર્થે જ રહે છે તેવા વાતાવરણમાં અમુક વખત અવકાશ લઈ રહેવાય તે આખો દિવસ નિવૃત્તિયોગે નિરુપાધિપણે ધર્મધ્યાનમાં જાય તેવો સંભવ છેછે. બીજા ની વાત ગૌણ કરી હાલ તે જેને પરમ સત્સંગની પ્રાપ્તિ થઈ છે તેવા એ તેની સફળતા કરી લેવાની ઉતાવળ અંતરમાં રાખવી ઘટે છે . આ વિચારે ક્યાંય વિશેષ રહેવાની વૃત્તિ થતી નથી. પ્રારબ્ધયેગે જવું પડે તે ટૂંકામાં પતાવી નિવૃત્તિ વિશેષ આરાધાય તેમ ધારણા હોવાથી આપની વિનંતી તરફ વૃત્તિ રહેતી નથી. જેને આવા કાળમાં પણ ધર્મજિજ્ઞાસા જાગશે તે તે ગમે ત્યાંથી દૂરથી પણ આવી તેની આજ્ઞાના આરાધનમાં જોડાઈ જશે અને કલ્યાણને ભાગી બનશેજી. માટે આપણે આપણી જિંદગીને જે કીમતી અને પરમ પુરુષની આજ્ઞા પ્રાપ્ત થવાથી મહામૂલ્યવાન માનતા હોઈએ તે તે વ્યર્થ નિરર્થક કાર્યોમાં વહી ન જાય તેમ કોઈ ઉત્તમ ક્રમમાં નિયમિતપણે ગાળવી ઘટે છે. ધન, સ્ત્રી, પુત્રાદિ પિતાના નથી છતાં પિતાના જ્યાં સુધી મનાય છે ત્યાં સુધી તે કમ કેમ આરાધાય? પરમ Page #487 -------------------------------------------------------------------------- ________________ ૪૬૪ આધામૃત કૃપાળુદેવની કહેલી વાત માન્યા વિના, હૃદયમાં જાગ્રત રાખ્યા વિના કોઈ કાળે મેાક્ષની પ્રાપ્તિ થવી સંભવતી નથીજી, તેા ઢીલ શા કામની ? આ વાત વારંવાર વિચારવા યાગ્ય છેજી. એ જ વિનતી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ તા. ૩૧-૩-૪૪ ચૈત્ર સુદ ૭, શનિ, ૨૦૦૦ ૪૮૭ તત્ સત્ “વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તેા જળના તરંગ; પુરંદરી ચાપ અનંગ ર'ગ, શું રાચીએ ત્યાં ક્ષણના પ્રસ`ગ ?” આપના પત્ર એ ભાઈ એના દેહેાત્સર્ગ સબંધી ખેદકારક સમાચારવાળા મન્યેા. કર્માધીન દશામાં પરાધીનતારૂપ દુઃખ એ જ ખરું દુઃખ છે. બીજા પ્રકારનાં દુઃખ તે અવશ્યભાવિ તેને લઈને જ છેજી. માટે મહાપુરુષાએ બીજા ઉપાયાને ગૌણ કરી એક કક્ષયને માર્ગ પસંદ કર્યાં છેજી. સંસારમાં તે માટે ભાગે દુઃખ જ છે, શાતાજનિત સુખ પણ નહીં જેવું જ છે. ખરી રીતે તેા એકાંત દુઃખરૂપ જ સંસારનું સ્વરૂપ પરમકૃપાળુદેવે વર્ણવ્યું છે; તે સમજી નિર'તર સાંસારિક પ્રસંગેામાં ઉદાસીનતા ઉપાસવા યોગ્ય છેજી. પરાપદેશે પાંડિત્ય’ તે આ જીવે ઘણી વાર કર્યું છે; પણ હવે અંતરમાં સાચી ઉદાસીનતા જાગે, અને આ કલ્પિત વસ્તુનું આટલું બધું માહાત્મ્ય હૃદયમાં વસ્યું છે તે ઝાકળના જલની પેઠે ઊડી જાય, જગતમાન્ય વસ્તુ સાવ તુચ્છ નજરે જણાય અને બધા પરવસ્તુ પ્રત્યે ઢળેલા પ્રેમ પરમકૃપાળુદેવ પ્રત્યે ઢળે એવા ભાવની ઉપાસના મારે તમારે બધાએ વગર વિલ'એ કન્ય છેજી. વમાન પ્રસ’ગા આપણને જાગૃતિ આપવા સમર્થ છે કે આપણા ઉપર જ આવી પડે ત્યારે જાગવું છે ? અન ત પરિભ્રમણના વિચાર કરીએ તે આપણા ઉપર પણ આવા અનેક પ્રસંગો આવી ચૂકયા છે, છતાં જેમ સવાર થતાં ઠંડી પડે ત્યારે ઊડવાને બદલે ચાદર ખે ́ચી ખે'ચીને માથું ઢાંકી ઊંધવા પ્રયત્ન કરતા આળસુની પેઠે તે તે પ્રસ`ગેા પ્રત્યે આંખ આડા કાન કર્યાં છે, મેાહનિદ્રાની મીઠાશ અનુભવી છે, ઝેર જેવું લાગ્યું નથી. આ આદત ફેરવ્યે જ છૂટકો છેજી. જે સામાન્ય વિચારે મનમાં વતા હતા તે સહજ જણાવ્યા છેજી. અમુકને ઉદ્દેશીને લખ્યું નથી, સર્વાંને મારે તમારે હવે તે ચેતવા જેવું છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૪૮૮ અગાસ, તા. ૧-૪-૪૪ આપનું એક કાર્ડ મળ્યું. આપની સખત બીમારી સંબંધી સમાચાર તથા દાનભાવના દર્શાવી તે જાણ્યું. ઘણી વખત એવી માંદગી શ્રી અનાથીમુનિ જેવાને પરમ કલ્યાણનું કારણ થઈ પડે છે. બીજું કંઈ નહીં તેા અસાર વસ્તુ તે વખતે અસાર – તજવા યાગ્ય – લાગે છે. તેના વિચાર થાય તેા ક્રી તીવ્ર મેહ થવાનું કારણ ન અને. તેવા પ્રસંગ વારવાર સ્મૃતિમાં લાવવાથી તથા એક સદ્ગુરુ અને તેનું શરણ જ તે વખતે ઉપયેાગી છે એ લક્ષ રહે તે વૈરાગ્યનું કારણ બને છે. Page #488 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૪૬૫ નિમિત્તાધીન જીવે છે, તેથી ઉત્તમ ઉત્સવના પ્રસંગમાં ભાવની વૃદ્ધિ થાય તે કલ્યાણકારી છેજ. શરીર અને શરીરના આશ્રિતમાં મેહમમતાભાવ છે તે દૂર થાય તે પિતે પિતાને બોધ કરવા ગ્ય છે. “આપ સમાન બળ નહીં અને મેઘ સમાન જળ નહીં.” ઉત્તમ નિમિત્તે પણ પોતે જાગ્રત થશે ત્યારે કામ થશે. ૪૮૮ અગાસ, તા. ૬-૪-૪૪ આપે પુછાવેલ પત્ર ૩૫૮ ની શરૂઆતમાં બે દષ્ટિની વાત છે. એક લોકેની દષ્ટિ તે લૌકિક દષ્ટિ અને બીજી જ્ઞાનીના અભિપ્રાયવાળી અલૌકિક દષ્ટિ. એ બન્નેનું સ્વરૂપ અને ફળ પરસ્પર વિરોધી છે. એક પુદ્ગલસુખને ઈષ્ટ માનનારી બહિરાત્મ ની દેહદૃષ્ટિ છે અને બીજી દષ્ટિ (“પુદ્ગલ અનુભવ ત્યાગથી કરવી જસુ પરતીત હો મિત્ત” શ્રી દેવચંદ્રજી કહે છે તેમ) દેહ તે હું; દેહાદિ સુખો, તેની મીઠાશ, ધનાદિક મારાં, તેની મમતામાં વિશ્વાસ અને સુખબુદ્ધિ એ અજ્ઞાનદષ્ટિના ત્યાગથી સ્વીકારવા ગ્ય જ્ઞાનીની દષ્ટિ છે. હું કંઈ જાણતો નથી, જ્ઞાનીએ આત્મા જાણે છે. તે કહે છે તે મને માન્ય છે, માન્ય કરવું છે. મારી માન્યતાઓ અનંત પરિભ્રમણ કર્યું. હવે ઇન્દ્રિય અને દેહાદિ પુદ્ગલ સુખની પુષ્ટિ કરવાની વૃત્તિ તજી, અનાદિ સ્વપ્નદશાથી રહિત પુદ્ગલના સુખદુઃખથી ભિન્ન જે સન્મુખ આત્મગુણ છે, તે જીવને નિષ્કાંક્ષિતગુણ પ્રગટશે સમજાય છે. તે આત્મિક સુખ સર્વે અનુકૂળતાએ તજીને પ્રાપ્ત કરવું છે, એ નિર્ણય તે જ્ઞાનીના અભિપ્રાય પ્રમાણે છેજી. દેહાદિ પદાર્થોનું સ્વરૂપ જ્ઞાની કહે છે તે સ્વીકારે તેને સમ્યફદર્શન પ્રાપ્ત થાય છે એવું એ બે લીટીમાં જ્ઞાનીને કહેવું હોય તેમ ભાસે છે”. “મૂળમાર્ગ'માં તે સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે— છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ-મૂળ એમ જાણે સદ્દગુરુ-ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ-મૂળ” જગત જેને સુખ માને છે ને જગત જેને દુઃખ માને છે તે જ માન્યતા જેની રહી હોય તે જ્ઞાનીને આશ્રિત નથી. જ્ઞાનીનું કહેલું જેને સર્વ પ્રકારે સંમત છે, તે જ્ઞાનીને આશ્રિત અને સમ્યફદર્શનને અધિકારી છેજ. તે વારંવાર વિચારવા યોગ્ય છેo. o શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૭-૪-૪૪ તત છે સત્ ચૈત્ર સુદ ૧૪, શુક, ૨૦૦૦ જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ પદાર્થને બેધ પામે છે. જ્ઞાનના અભિપ્રાય પ્રત્યે જેઈને પામે નથી. જે જીવ જ્ઞાનીના અભિપ્રાયથી બંધ પામે છે તે જીવને સમ્યફદર્શન થાય છે.” –શ્રીમદ્ રાજચંદ્ર (૩૫૮) કર્મના ઉદય વખતે કેવા ભાવ રાખવા શ્રેયસ્કર છે? કેવા પરિણામ રાતદિવસ રહ્યા કરે છે? અને તેનું કેવું ફળ આવવા યોગ્ય છે? એ વિચાર મુમુક્ષુ જીવે વારંવાર કર્તવ્ય છે. જે દોષ દેખાશે, તે ખૂચશે, તે જીવ જ્ઞાનીએ દવારૂપ સત્સાહન આપ્યું છે તેને સંભારીને તુર્ત ઉપાય કરશે. પણ જેમ ખેરાક વિના દુઃખ લાગે છે, ધન વિના દુઃખ લાગે છે કે કેઈ અણુ 30 Page #489 -------------------------------------------------------------------------- ________________ બેધામૃત ગમતું કહી બેસે તે દુઃખ લાગે છે તેવું દુઃખ – ધર્મ નહીં આરાધીએ તે, નથી ગમતું એવા દુખથી અનંતગણું દુઃખ આવી પડશે એવાં કર્મ બંધાશે તેનું – લાગતું નથી. તેથી ધર્મકાર્યમાં પ્રમાદ થાય છે, તે નહીં કરીએ તે આજે ચાલશે એમ કંઈ અંશે રહેતું હોવાથી અવશ્ય કરવા યોગ્ય ધર્મ કાર્ય કોઈ દિવસે ભુલાઈ પણ જાય છે. મૂંઝવણભર્યા પ્રસંગે વધારે સાંભરવું જોઈએ એવું જે જ્ઞાનીનું કહેલું, તેનું માહાસ્ય જોઈએ તેટલું નહીં હોવાથી વીસરાઈ જાય છે, નહીં તે મુશ્કેલીના પ્રસંગે ખરે આધાર તે જ્ઞાનીનાં વચન, તેનું પ્રબળભાવે ગ્રહેલું શરણ છે. હવે તે એવી ભાવના કર્યા કરવી ઘટે છે કે હે ભગવાન! મારે કોઈ તમારા સિવાય આધાર નથી; તમારે આધારે જ બાકી રહેલી જિંદગીના દિવસે જાઓ. આટલા કાળ સુધી તે મને આપના તરણતારણ પ્રભાવનું ભાન નહતું, તેથી મૂંઝવી મારે તેવા આધાર ગ્રહણ કરીને દહાડા એળે ગાળ્યા. પણ હવે મારા આત્માનું જરૂર આપના શરણે કલ્યાણ થશે, એવી અંતરમાં શ્રદ્ધા પ્રગટી છે તે જ મારે આધારરૂપ છે. આ દેહનું ગમે તેમ થાઓ, ગમે તેટલી મૂંઝવણે આવી પડે, પડોશી, ઘરનાં માણસ કે આખું જગત વિરોધ કરીને કનડતું હોય તોપણ એક જે તમારી આજ્ઞા, મંત્રસ્મરણ મારા હૃદયમાં સદાય જાગ્રત હોય તે મને કોઈ મૂંઝાવી શકે તેમ નથી. મારા આત્માને વાંકે વાળ નહીં થાય એટલી આપની શક્તિને મને વિશ્વાસ છે. જગતના તરફ નજર રાખીને આખે આવરદા ગાળે, પણ પાણી વચ્ચે માખણ ન નીકળે તેમ મારા આત્માનું તેથી કંઈ કલ્યાણ થયું નહીં. પણ હવે તે તમારી આજ્ઞા આરાધવામાં જેટલે પુરુષાર્થ કરીશ તેટલે મારો આત્મા તમારી સમીપ આવશે, તમારા જેવો થશે. માટે હવે તે મારી જ ખામી છે, મારો જ પ્રમાદ મને નડે છે તેને હવે નહીં ગણતાં જરૂર જેટલું ખાવાનું, ઊંઘવાનું કે ઘરનું જરૂરનું કામ પતી ગયું કે હવે તે હે પ્રભુ! આપની આજ્ઞા અહોરાત્રે આરાધવાની અંતરમાં દઢ ભાવના-પ્રતિજ્ઞા જેવી-કરવી છે કે એ આરાધના અને મરણ વખતે, રેગ વખતે, ક્રોધાદિ વિકારોના પ્રસંગે કર્મબંધથી બચાવે. આ પુરુષાર્થ આ ભવમાં નહીં કરું અને અચાનક દેહ છૂટી જશે તે કરવાનું છે તે મનમાં રહી જશે; અને આજ સુધી આંધળાની પેઠે પિતાને દુશ્મન બની મેં પિતાને દુઃખ દેવામાં બાકી રાખી નથી, અનેક કર્મો બાંધ્યાં છે, તે ભોગવવા કેવાય ભવમાં ભમવું પડશે. માટે જ્યાં સુધી આ મનુષ્યભવ છે ત્યાં સુધી કાળ પ્રમાદ તજીને જરૂર આત્મહિત થાય તેમ જ ગાળી લઉં, એ દઢ નિશ્ચય કરી કંઈ ને કંઈ કામ કરતાં પણ ધર્મકાર્યમાં ચિત્ત રાખ્યા કરવાની ટેવ પાડી મૂકવા ગ્ય છે. મેહને મારવાને લાગ આવ્યું છે તે વખતે ઊંડ્યા કરીશ તે વેદના, મરણ કે તેવા મૂંઝવણના પ્રસંગમાં મહને વશ થઈ તેમાં તણાઈ જવાથી માઠી ગતિમાં ઘસડાઈ જવાને પ્રસંગ આવશે. માટે હવે તે મેહ-નિદ્રામાંથી જાગ્રત જાગ્રત થવાની, રહેવાની જરૂર છેજ. મેહશત્રુને મારવાને લાગ આવ્યું છે, તે વખતે પ્રમાદ આડે કરવાનું તે કાર્ય રહી ન જાય તેની ફિકર હદયમાં રાખીને, જે કંઈ કરવા ધાર્યું હોય તે કર્તવ્ય છેછે. બીજી વસ્તુઓ તરફને પ્રેમ તે જરૂર ઘટાડે જ પડશે તે વિના છૂટકે નથી. તે વિષે વારંવાર વિચાર કરતા રહેવાની જરૂર છે. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #490 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૪૬૭ ૪૯૧ અગાસ, ચૈત્ર વદ ૩, મંગળ, ૨૦૦૦ આપે પુછાવ્યું છે કે એક ભાઈ ને ‘સદ્ગુરુપ્રસાદ' વાંચવા ભાવના રહે છે; તે કેમ કરવું ? તેના ઉત્તરમાં જણાવવાનું કે ‘સદ્ગુરુપ્રસાદ’માં છપાયેલા પત્રો બધા મોટા પુસ્તકમાં છપાયેલા છે અને તે પુસ્તક તમારી પાસેથી એકાદ ભાગ લઈ જઈ શકે છે; કેટલાક સમાધિસેાપાન’માં પણ છે. ‘સદ્ગુરુપ્રસાદ'ની વિશેષતા તે જેને પરમકૃપાળુદેવ પ્રત્યે પ્રેમ જાગ્યા છે, તેને તેના અક્ષરા પ્રત્યે, તેના ચિત્રપટો પ્રત્યે મન્દિર અને વેદવાકયથી વિશેષ ઉલ્લાસ પ્રગટ્યાનું નિમિત્ત છે. એટલે છાપેલા પત્રો કે હસ્તલિખિત તેમને તા હાલ સરખા છે. પરમકૃપાળુદેવ પ્રત્યે જેમ જેમ પૂજ્યબુદ્ધિ વધશે તેમ તેમ તેમને તેનું મહત્ત્વ યથાયેાગ્ય કાળે લાગવા સંભવ છે; જે હાલ તમારી પાસેથી વાંચી લેવાથી સામાન્યપણું થઈ જાય અને ભવિષ્યમાં પ્રેમપૂર્વક દર્શનાર્થે રાખવાની ભાવના આળસી જાય એ રૂપ તેમને પેાતાને વિશેષ લાભનું કારણું ભવિષ્યમાં થવા યેાગ્ય છે, તેમાં વિન્નકર્તા હાલની તે ઈચ્છા કુતૂહલરૂપ છે. તેમની ભાવના અહીં આવી ગયા પછી વમાન થયેલી લાગ્યે જેમ ચેાગ્ય લાગે તેમ પ્રવ`વા પછીથી હરકત નથીજી. સત્તાધનનું દિવસે દિવસે અપૂર્વીપણું ભાસે તેવા સત્સંગ સદ્વિચારમાં રહેવા ભલામણ છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૪૯૨ તત્ સત્ વિ. તમારી ધ ભાવના જાણી સતાષ થયા છેજી. પૂર્ણાંકના આધારે સામગ્રી સને મળી છે તેને સદ્ઉપયાગ કબ્ય છેજ. તમે દાનભાવના જણાવી તે વાંચી. એક પુસ્તક “જીવનકળા” ક્રીથી છપાય છે તે હાલ મોંઘવારીને લીધે વિશેષ ખર્ચ થાય તાપણુ છ આના કિંમત હાલ છે તે ચાલુ રાખવાના વિચાર ટ્રસ્ટીઓના છે; તેમાં મદદરૂપે તે રકમ આપવા વિચાર થાય તાપણુ જ્ઞાન-દાનરૂપ હિતકારી છેજી. મૂળ જ્ઞાન તેા પરમકૃપાળુદેવે કહ્યું છે તે છે. અાસ, તા. ૧૧-૪-૪૪ ચૈત્ર વદ ૩, મંગળ, ૨૦૦૦ છે દેહાર્દિથી ભિન્ન આતમા રે, ઉપયેગી સત્તા અવિનાશ, મૂળ॰ એમ જાણે સદ્ગુરુ-ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ, મૂળ” સદ્ગુરુના ઉપદેશ જીવમાં પરિણામ પામે તેવું કોમળ, યેાગ્યતાવાળું હૃદય થવા કષાય ઘટાડવાની જરૂર છેજી. કષાયેામાં લેાભની મુખ્યતા છે. જેને લેભ આછે, તૃષ્ણા ઓછી, તેના ભવ પણ ઓછા. નવું મેળવવાના લાભ આછે કરાય તથા એકઠું કરેલું દાન આદિ સન્માર્ગે વપરાય તે પણ લેાલ ઘટાડવાના ઉપાય છે. સતેાષી નર સદા સુખી ગણાય છે. સમજણુ વગર સ`તેાષ આવવા દુલ ભ છે. સમજણ પ્રાપ્ત થવા સત્સ`ગની જરૂર છેજી. સટ્સ'ગ આરાધવા હાય તેણે સ'સારભાવ ઓછો કરી સત્સંગે પ્રાપ્ત થયેલી આજ્ઞા શ્રદ્ધાપૂર્વક આરાધવી ઘટે છે. બીજો સ'સાર-સગાંકુટુંબીઓનેા પ્રતિબધ પણ ઘટાડવા ઘટે છેજી. મીરાંબાઈ ગાય છે— અખ તે મેરે રાજ, રાજસરા ન કોઈ, સાધુ સ`ગ એ એઠ, લેાકલાજ ખાઈ–અખ’ Page #491 -------------------------------------------------------------------------- ________________ ધાણા પરમકૃપાળુદેવ અને તેનાં મોજાં અહોરાત્ર વૃત્તિ વાળના રહી તેમાં જ તલ્લીન થવાય એવું ત્યાં રહ્યાં પણ બળ કરે તે થઈ શકે અને સત્સંગમાં તે બહુ ઓછા બળે થાય છે. જ શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, . ૧૨-૫-૪૪ તત્ ૐ સત્ વૈશાખ વદ ૪, શુક્ર, ૨૦૦૦ પૂ.ને પત્ર હતું. તેમાં આપની તબિયત વિશેષ નરમ રહે છે એમ લખ્યું છે. બનતી સંભાળ રાખતાં હશે. જોકે આપણું ધાર્યું કંઈ થતું નથી, શરીર કર્મને આધીન છે અને ભાવ આત્માને આધીન છે, તે પણ જેમ શરીરની માવજત, દવા વગેરે ઉપચારથી કરાય છે, તેમ મોટો રોગ તે મરણને છે અને તે અચૂક આવનાર છે, છતાં જીવ મેહવશ તેની તૈયારી કરતું નથી, ગફલતમાં રહે છે. મહાપુરુષે મરણને સમીપ જ સમજીને ચેતતા રહે છે, તે મહાપુરુષના આશ્રિતે પણ તે જ માર્ગ ગ્રહ ઘટે છે. # શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૪૯૪ અગાસ, તા. ૧૬-૫-૪૪ વૃત્તિ આત્મભાવે સંસાર ન સેવવાની દઢ કરવા ભલામણ છે. નિમિત્તાધીન જીવ છે, અનાદિકાળથી વિષયકષાયની સાથે પટ્ટાબાજી ખેલતે આવ્યું છે, લાગ ફાવે ત્યારે ફટકો લગાવે, વળી તેને લાગ ફાવે ત્યારે આને ફટકે લગાવે, એમ રમત રમ્યા કરે છે, પણ હવે ખરેખરી પ્રાણ લેવાની ધગશવાળી, બાળઝાળી, સ્નાનસૂતક કરીને ચાલ્યા જવાની કેસરિયાં કરવાની લડાઈ જરૂરી છે. આ આત્મિક યુદ્ધ આમ પ્રબળ જામ્યા વિના મેક્ષ પ્રાપ્ત થાય તેમ નથી. “ખબરદાર મનસૂબાજી, સત્ય લડાઈ એ લડવું છે, ખાંડાની ધારે ચઢવું છે.” % શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૪૮૫ સીમરડા, તા. ૧૭-૫-૪૪ જે શુદ્ધ બુદ્ધ સ્વરૂપી સ્વઆત્મ, ચર્યા પર દ્રવ્ય તજી પ્રવૃત્યે; તે બ્રહ્મચર્ય વ્રત સર્વ શ્રેષ્ઠ, પાળી મહાનંદ વરે નૃશ્રેષ્ઠ. – અણુગાર ધર્મામૃત, અધ્યાય ૪-૬૦ આપને સસાધનથી શાંતિ વર્તાતી જાણી સંતોષ થયે છે. અનંતકાળથી જીવે સાચા અંતઃકરણે પુરુષના વચનનું ગ્રહણ કર્યું નથી, તેમ થવામાં અનેક પ્રકારે અંતરાયે આવ્યા કરે છે. પણ તે જ કરવું છે એ જેણે નિશ્ચય કર્યો છે, તેને તે અંતરાયે નરમ પડી પરમ પ્રતીતિને વેગ આવે છેછે. મુમુક્ષુતા જેને પ્રગટી છે તેને મેહનાં બહુરંગી કારણ લલચાવી શકતાં નથી, ઊલટાં મુઝવણનું કારણ થાય છે. તે મુઝવણ ટાળવા જ જીવની વૃત્તિ રહ્યા કરે છે, તેથી તે અટકી જવાને બદલે ઊલટો વિશેષ પુરુષાથ બને છે. દુઃખ, અપમાન, અશક્તિ, ખેદ આદિ કારણે તેને Page #492 -------------------------------------------------------------------------- ________________ પત્ર સુધા ૪૬૯ આગળ વધારનારાં, વૈરાગ્યપ્રેરક, પરમદઢતાથી સæરણને ગ્રહણ કરાવનાર નીવડે છે. એક્ષમાળામાં “સુખ સંબંધી વિચાર”ના છ પાઠ પરમકૃપાળુદેવે વાર્તારૂપે લખ્યા છે તે વારંવાર વિચારવા લાગ્યા છે. લેક સુખ કહે તે સુખ નથી, કે જેને દુઃખ કહે તે દુઃખ પણ નથી, પણ જ્ઞાની પુરુષે જેને દુઃખ કહ્યું છે તે દુઃખ જ્યારે લાગશે, આખું જગત દુઃખથી દાઝતું અનુભવાશે અને તેની ઝાળ પિતાની તરફ વીંટાયેલી લાગશે ત્યારે જીવ તે દુઓની કઈ ભવમાં ફરી ઈચ્છા નહીં કરે અને જ્ઞાનીપુરુષનાં વચનામૃતરૂપ દવાથી દુઃખની બળતરા દૂર કરી તેણે જે સન્મુખ ચાખ્યું છે, વચનામૃત વડે સમજાવ્યું છે અને તે જ પ્રાપ્ત કરાવવા પ્રેરણા કરે છે તેની સાચી ભાવના જાગશે ત્યારે જીવ જાગ્રત થશે અને જાગશે ત્યારે માગશે. જબ જાગેંગે આતમા, તબ લાગેંગે રંગ” એમ પરમકૃપાળુદેવે કહ્યું છે. હાલ તે આ મોહનિદ્રાની મીઠાશ છોડી, બપૈયા જેમ પિયુ પિયુ પિોકારે છે તેમ સત્સંગની ભૂખ લાગશે ત્યારે કયાંય ચેન નહીં પડે. સર્વ સુખ, વૈભવ, વિનાશિક, અવિશ્વસનીય, અરમણિક, ઠગારાં, નરભવ લુંટી જનારાં સમજાશે અને પરમકૃપાળુ પ્રત્યે પરમ પ્રેમ એ જ સાચું જીવન સમજાશે; તેને અર્થે મીરાંબાઈની પેઠે અનેક સંકટો વેઠવાં તે અમૃત સમાન સમજાશે. આ ભાવના વારંવાર કરવા યોગ્ય છે), તે પરમકૃપાળુદેવનાં વચનમાં વિશેષ વૃત્તિ રહ્યા કરવાથી આપોઆપ જાગશે. “ગમે તેમ હો, ગમે તેટલાં દુઃખ વેઠો, ગમે તેટલા પરિષહ સહન કરે, ગમે તેટલા ઉપસર્ગ સહન કરે, ગમે તેટલી વ્યાધિઓ સહન કરે, ગમે તેટલી ઉપાધિઓ આવી પડે, ગમે તેટલી આધિએ આવી પડો, ગમે તે જીવનકાળ એક સમયમાત્ર (મરણાંત પળ) છે અને દુનિમિત્ત (મરણ બગાડે તેવાં નિમિત્ત) હો, પણ એમ (રાગદ્વેષ તજી સમાધિમરણ) કરવું જ, ત્યાં સુધી હે જીવ! છૂટકો નથી.” (૧૨૮) અગાસ, તા. ૨-૬-૪૪ તત ૐ સત્ જેઠ સુદ ૧૧, શુક્ર, ૨૦૦૦ આવ્યું આવ્યું અનુપમ નાવ ભવજળ તરવાને, તૈયાર ભવિકજન થાવ, શિવસુખ વરવાને. ચતુર્થ કાળમાં પણ દુર્લભ છે, તે જોગ જણાય રે, ભાગ્યવંતથી પ્રતીત કરીને, આશ્રય ગ્રહી તરાય. શિવ” હાં રે મારે સજની ટાણું આવ્યું છે ભવજળ તરવાનું, મેં મનુષ્યને વારે, ભવજલ તરવાને આરે, ડાહ્યા દિલમાં વિચારે, સત્સંગ કીજીએ.” હરિગીત – સંગ્રામ આ રવીર, આવ્યા અપૂર્વ દપાવજે, કરતા ન પાછી પાની ત્યાં ગુરુરાજ પડખે ભાવ; સમતા, સહનશલતા, ક્ષમા, ધીરજ સમાધિમરણમાં, મિત્રો સમાન સહાય કરશે, મન ધરો પ્રભુચરણમાં. (વરહાક) Page #493 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦ ' બેધામૃત કળિકાળ જેવા દુષમકાળમાં આપણા જેવા રંક જનેને પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુનું શરણ મળ્યું છે, તે ચમત્કારી અલૌકિક વાત છે; ૫. ઉ. ૫. પૂ. પ્રભુશ્રીજીને તે પરમ ઉપકાર છે. બાકી તે મહાપ્રભુની હાજરીમાં હતા તે પણ આપણા જેવા પામર, જ્ઞાનીને ઓળખી તેનું શરણ ગ્રહણ કરી શક્યા ન હોત. તે તેની ગેરહાજરીમાં પણ આપણને, જાણે સમીપ બિરાજતા હોય તેવી શ્રદ્ધા તે મહાપુરુષના ઉપદેશથી, તેનાં પ્રબળ વચનબળથી આપણને સહજ સમજાયું છે, તે અપાર ઉપકારનો બદલે આપણાથી કઈ રીતે વાળી શકાય તેમ નથી. ગુરુકૃપાબળ ઔર છે – “જંગલમાં મંગલ બને, પાપી બને પવિત્ર; એ અચરજ નજરે તરે, મરણ બને છે મિત્ર.” છપદની દઢ શ્રદ્ધા રાખી, આત્મા કદી મરતે નથી, મર્યો નથી, મરશે પણ નહીં એમ વિચારી નિર્ભય રહેતાં શીખજે જી. વેદના ગમે તેવી આકરી લાગે પણ તે જવાની છે, આત્માને નાશ નથી; માટે જે થાય તે જોયા કરવું અને સદ્ગુરુનું શરણું મહા બળવાન છે. આત્માને વાળ વાંકે કરવા કઈ સમર્થ નથી. ધીરજ, સહનશીલતા, સમભાવની માત્ર જરૂર છે. કંઈ ન બને તે હે પ્રભુ ! મારું હવે કંઈ ચાલતું નથી, માત્ર તારું શરણું સાચું છે, તે જ મારી ગતિ અને મારો આધાર છે, તે વગર મારે ક્યાંય ચિત્ત રાખવું નથી, છતાં તે આ દેહની વેદનામાં તણાઈ જાય છે તે તેને માટે કેમ કરવું? તું જાણે, તને હવે સર્વસ્વ સેંપી હું તે નિશ્ચિત થઈ જોયા કરું છું કે કેમ થાય છે. “જે થાવું હોય તે થાજે, રૂડા રાજને ભજીએ.” એ અનન્ય શરણ પરમ ભક્તિએ ઉપાસવા યોગ્ય છે; અને અંતરંગમાં નિર્ભય, શીતળીભૂત રહેવા યોગ્ય છે કે, ભલું થવાનું છે તેથી જ આવા શુભ ગ આ ભવમાં મળી આવ્યા છે. હવે કંઈ ફિકર નથી. ઘણે મુશ્કેલીને કાળ વહ્યો ગયે, હવે થોડો વખત ધીરજ રાખી પરમકૃપાળુદેવની કૃપાથી તેના સ્મરણમંત્રનું બળ અંત સુધી ટકાવી રાખે તે સમાધિમરણને અપૂર્વ લાભ થવાને યોગ આવ્યો છે. ૩% શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૪૭ સીમરડા, તા.૬-૬-૪૪, મંગળ “રે મન ! આ સંસારમાં, દુઃખથી તું ન ડરીશ; સમ સમશેર વડે કરી, ધાર્યું તે જ કરીશ.” ઓળખાણ આત્મા તણું, ટાળે ત્રિવિધ તાપ; ગુરુ ઓળખાવે આતમા નિશ્ચય ગુરુ તે આપ. ચિત્તશાંતિ સાચવવા, વ્યાધિ સંબંધીના વિચારો ચિત્તમાં આવે, જાય પણ ઘર કરી ન જાય, આકુળતાનું કારણ ન બને તેમ લક્ષ રાખવા ભલામણ છે. ગભરાવાનું કંઈ કારણ નથી. બનનાર છે તે પ્રમાણે બને છે. આપણું કામ ધીરજ રાખી સહન કરવાનું, ખમી ખૂંદવાનું છે. બને તેટલી ખેંચ આત્મકલ્યાણ કરવા પ્રત્યે રાખવી, પછી જે બની આવે તેથી સંતોષ માનવો. “ફિકરકા ફાકા ભર્યા તાકા નામ ફકીર.” Page #494 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૪૭૧ ૪૯૮ તત્ ૐ સત્ અાસ, તા. ૧૨-૬-૪૪ જેઠ વદ ૬, સેામ, ૨૦૦૦ શકશે ? શરણના કાણુ પ્રભાવ કહી અજખ દસે; આત્મજ્ઞાન ને પરમ દેહાર્દિથી ભિન્ન અનુભવ આત્માને એ અકંપપણું અનુભવોઁ મુનિવરનું, નિર્ભયતા ઉરમાં ભરશે, ભવદુખ દાવાનલથી મળતા પામરને પણ ઉદ્ધરશે. ૧ પરમ ધર્મોનું શરણુ ગ્રહીને, સર્વ વેદના હવે સહેા, કર્મ-કસાટી કસે શરીરને, સાતા દ્રષ્ટા તમે રહેા; નથી અનંત ભવામાં આવ્યેા, અવસર આવે। હિતકારી, જીતી જવા આવ્યા છે માજી, હવે નહીં જાએ હારી. ૨ (પ્રજ્ઞાવખેાધ – ૫૩) પૂ..... ની તમિયત નરમ વિશેષ રહ્યા કરે છે એમ પત્રમાં હતું. હવે તે તેમણે મનમાં એવા જ નિશ્ચય કરવા ઘટે છે કે જાણે આ દેહ છૂટી ગયા છે અને મતનું આયુષ્ય મળ્યું છે, તે માત્ર આત્મતિ થાય તેમ જ ગાળવું છે. જેને દેહ છૂટી ગયા હાય તે, દેહમાં શું થાય છે તેની પ'ચાત કરતા નથી; તેમ કને લઈને વેદના, ક્ષીણતા કે અશક્તિ દેખાય અને ઉઠાય-એસાય નહીં, તેાપણ કંઈ ઇચ્છાઓ ઊભી થવા દેવાની જરૂર નથી. જે થવાનું છે, જેમ પરમકૃપાળુદેવના જ્ઞાનમાં પ્રગટ જણાયું છે તેમ જ આ બધું થયા કરે છે; તે તેમાં આપણી ઇચ્છા નકામી છે, આપણે માત્ર જોયા કરવાનું છે, હુ શાક ન થાય તેટલી સભાળ રાખવાની છે. જેમ થવું હોય તેમ થાજો, રૂડા રાજને ભજીએ” એવું પ. પૂ. પ્રભુશ્રીજી ઘણી વખત ખાલતા અને ઉપદેશતા હતાજી. મરણ સંબંધી પણ કંઈ વિકલ્પ કરવા યાગ્ય નથીજી. જીવવાનું હશે ત્યાં સુધી ભક્તિભાવ અર્થે જીવવું છે અને આ દેહ નહીં હાય કે છૂટી જશે ત્યારે પરમકૃપાળુદેવના શરણે દેહ છેડવાથી જીવનું ભલું જ થવાનું છે એવા દૃઢ વિશ્વાસ રાખવાની જરૂર છે. તેથી કઈ સંકલ્પ-વિકલ્પ કે ફિકર-ચિંતાનું કારણ રહેશે નહીંજી. દેહ તેા અનંત વાર જીવે ધારણ કર્યાં અને અન ́ત વાર છેડા પણ આ ભવમાં જે પરમકૃપાળુદેવનું શરણું પ્રામ થયું છે તે સહિત તે પુરુષને આશ્રયે આ દેહ છેડવાના અપૂર્વ અવસર આવી લાગ્યા છે, તા ગભરાયા વિના જેમ આશ્રમમાંથી સેઢાપુર ગયા તેમ સદ્ગુરુશરણે જ્યાં નિર્માણુ હશે ત્યાં જવું છે એવું મનમાં દઢ કરી રાખવું. જેનું ભલું થવાનું હાય તેને ફિકર શાની હોય ? માટે નિશ્ચિતપણે, સ ક્લેશ વિના સદ્ગુરુશરણે બુદ્ધિ રાખી સ્મરણમાં મન રહે અને સત્પુરુષની સ્મૃતિ, દર્શન-ભાવના, શ્રવણ વગેરે કર્યાં કરવા યાગ્ય છેજી. ‘સદ્ગુરુપ્રસાદ'માંથી ચિત્રપટનાં વારવાર દર્શન કરાવવાં તથા સ્મરણ, ભક્તિ, શ્રવણ, ભજનમાં તેમનું ચિત્ત રહે તેવી ગાઠવણુ કરવા આપ સર્વને વિનતી છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૪૯૯ અગાસ, જેઠ વદ ૮, ૨૦૦૦ સત્સ`ગના વિયાગમાં જીવનાં પરિણામ શિથિલ થવા સ`ભવ છેંજી. તેથી કામકાજ આઘાંપાછાં કરીને પણ સત્સંગના જોગ ત્યાં જે હાય તેનેા લાભ લેવા ચૂકવું નહીં. જ્યાં પરમકૃપાળુ Page #495 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ - બધામૃત દેવનાં વચનામૃતે સાંભળવાનાં મળે, તેની ચર્ચા થાય, મહાપુરુષના ઉપકારની સ્મૃતિ થાય, ધર્મધ્યાનમાં પ્રવર્તવાનું પ્રોત્સાહન (પ્રેરણા) મળે તેવાં સ્થાનેમાં ચાહીને, મુશ્કેલી વેઠીને પણ જવું, તેમાં બનતે ભાગ લેવે, કંઈ ન બને તે બેઠાં બેઠાં સાંભળ્યા કરવું. જ્ઞાન, ધ્યાન, ભક્તિ, ભજનમાં વર્તતાં મુમુક્ષુ ભાઈબહેનેને અનુમોદન દેવાથી પણ ધર્મધ્યાન થાય છે જી. મનુષ્યભવ છે ત્યાં સુધી આ લહાવે લઈ શકાશે. ૫૦૦ અગાસ, તા. ૧૪-૬-૪૪; બુધ પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદ્દગુરુ પાય; દીઠા નહિ નિજ દેણ તે, તરીએ કેણ ઉપાય?” આપનું કાર્ડ મળ્યું. આપ બન્નેની માંદગી જાણી. આવા વખતે પરમકૃપાળુદેવનું શરણ એ જ એક આધાર છે. કર્મ તે બાંધેલાં આવ્યાં છે, તે જવાનાં છે, પણ જે મંત્રનું સ્મરણ, ભક્તિભાવમાં ચિત્ત રહ્યું તે એવાં કર્મ ફરી નહીં ભોગવવાં પડે. છૂટવાનો લાગ આવ્યું છે ગણીને પરમકૃપાળુદેવને પ્રગટ આધારરૂપ માની, તેને શરણે જે થાય તે જોયા કરવું. આપણું ધાર્યું કાંઈ થતું નથી. સારું ખોટું કર્યા વિના સહનશીલતા અને ધીરજ ધારણ કરી આ આત્મા જન્મમરણથી છૂટે માટે આત્મજ્ઞાની એવા પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રનું મારે શરણું છે તે જ ભજવા ગ્ય છે, રાત્રિદિવસ તેમનું જ મને ભાન રહે, મારા આત્માના એ પરમ ઉપકારી છે, એમણે જણાવેલ મંત્ર અને અંત વખત સુધી સ્મૃતિમાં રહો, એ ભગવંતની ભક્તિ એ જ મારા જીવનનું ફળ છે, એને શરણે આટલે ભવ પૂરે થાઓ એવી ભાવના કરતા રહેવા યોગ્ય છે. આત્મા છે, તે નિત્ય છે, તે કર્મને કર્તા છે, કર્મને ભોક્તા છે, મિક્ષ છે અને મોક્ષના ઉપાય છે આ છ પદના વિચારે આત્મશ્રદ્ધા કર્તવ્ય છેજી. પરમકૃપાળુદેવે કહેલાં આ છ પદ પરમ સત્ય છે, તે જ મારું સ્વરૂપ છે. એ જ વાત મંત્રમાં પણ જણાવી છે. માટે મારે આખર વખત સુધી તે પરમકૃપાળુદેવ અને તેણે કહેલે મંત્ર આધારરૂપ છે. તે સદાય મારા હદયમાં પરમ પ્રગટ રહો. એ ભાવના કલ્યાણકારી અને સર્વ અવસ્થામાં ઉપાસવા યોગ્ય છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #496 -------------------------------------------------------------------------- ________________ પત્ર સુધા ૫૦૧ અગાસ, તા. ૧૭-૬-૪૪ તત છે ત્ જેઠ વદ ૧૨, શનિ, ૨૦૦૦ અનન્ય શરણના આપનાર એવા શ્રી સદગુરુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુને અત્યંત ભક્તિથી નમસ્કાર હે ! નમસકાર છે ! * अणुगुरुदेहप्पमाणो उवसंहारप्पसप्पदो चेदा । असमुहदो ववहारा, निच्छयणयदो असंखदेसो वा ॥ (द्रव्यस ग्रह) (ચૈતન્ય) જીવ વ્યવહારથી નાનામોટા દેહને અનુસરીને સંકોચવિકાસરૂપ બને છે. માત્ર સમુદ્યાત નામની (દેહ તન્યા વિના આત્મપ્રદેશને દેહ બહાર ફેલાવવારૂપ) ક્રિયામાં સંસારી જીવ દેહપ્રમાણ નથી રહેતા અને નિશ્ચયથી તે અસંખ્યાતપ્રદેશી આત્મા ત્રણે કાળ રહે છે. તીર્થ શિરોમણિ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસથી લિ. પુરુષના ચરણકમળની સેવાને ઈચ્છક દાસાનુદાસ બાળ ગોવર્ધનના જય સદ્ગુરુવંદન સ્વીકારવા વિનંતી. આપને પત્ર મળે. પૂ..ને શંકા રહે છે કે જીવ સંકેચ-વિકાસનું ભાજન છે એમ કેમ બને ? આત્મા તે અરૂપી છે. તેને ઉત્તર યથામતિ લખતા પહેલાં જણાવવું જરૂરનું છે કે આવા સિદ્ધાંત ધરૂપ પ્રશ્નો સમજવા, નિર્ણય કરવા પ્રથમ ઉપદેશબોધની ઘણી જરૂર છે; ઉપદેશબોધ પરિણામ ન પામ્યો હોય એટલે જેને આ સંસાર અસાર, અશરણરૂપ, જન્મમરણનાં દુઃખથી ભરેલું અને તેમાં ક્યાંય સુખ નથી એમ જાણી વહેલામાં વહેલી તકે તેથી મુક્ત થઈ એક આત્મહિત જ આ ભવમાં કરી લેવું છે, એવી દાઝ ન જાગી હોય, ત્યાં સુધી અરૂપી એવા આત્મા સંબંધી વાત કરે કે સાંભળે તે અજાણી ભાષાનું ગીત સાંભળ્યા જેવું છે; કંઈક કર્ણપ્રિય લાગે પણ ભાવ સમજાય નહીં. એટલે મારે તમારે બન્નેએ વૈરાગ્યઉપશમની વૃદ્ધિની હાલ જરૂર છે અને વૈરાગ્યાદિ કારણોથી વિચારની નિર્મળતા થતાં સહજમાં સમજી જવાય તેવી દશા પ્રાપ્ત થવા યોગ્ય છે. હાલ તે આપની શંકા દૂર થાઓ કે ન થાઓ પણ ચિત્તસમાધાન થવા અર્થે ઘણું જ ટૂંકાણમાં લખું છું, જે ઉપર વિચાર કરવાથી બુદ્ધિને સંતેષ થવા સંભવ છે. | વેદાંત સિદ્ધાંત અને જિન સિદ્ધાંતમાં ભેદ છે. વેદાંત એક જ આત્મા સર્વવ્યાપી માને છે. જિનભગવાન આખું વિશ્વ (લેક) ઠસેઠસ કાજળની કુપીની પેઠે થી ભરેલું વર્ણવે છે એટલે ત્રણે લેક જીવથી ભરેલા છે. તેને જીવજાતિ અપેક્ષાએ કહીએ તે ચૈતન્યસાગરરૂપ આખું * લઘુગુરુ દેહ પ્રમાણે ચેતન સે કેચ-વિકાસશાળી છે, અસમુદ્રઘાત વ્યવહારે, નિશ્ચયનયથી અસંખ્યદેશી છે. (દ્રવ્યસંગ્રહ-અનુવાદ) Page #497 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪ બેધામૃત વિશ્વ કહેવાય. કેઠીમાં ઘઉં ભર્યા છે એમ કહીએ કે ઘઉંની કેડી કહીએ એ બને જેમ સરખું છે, સર્વ ઘઉંના દાણામાં એક જ પ્રકારને સરખો ગુણ છે તેમ સર્વ જીવ ચૈતન્ય અપેક્ષાએ સરખા છે. પણ ચૈતન્ય અરૂપી છે અને કર્મ પ્રગટ દેખાય છે, તેને લીધે વિવિધતા જણાય છે. તે કર્મ ટળી જતાં પણ બધા આત્મા એકરૂપ થઈ જતા નથી પણ સર્વ મુક્ત જીવ શુદ્ધ સ્વરૂપે સ્વસ્વરૂપમાં રહે છે. આ એક સામાન્ય વાત કરી. જ્યાં સુધી જીવને કર્મને સંગ છે ત્યાં સુધી જીવને કોઈને કોઈ દેહમાં રહેવું પડે છે અને કર્મને આધીન દેહ જન્મ, બાળ, યુવાન, વૃદ્ધ અને મરણની અવસ્થાવાળો જણાય તે વખતે તે તે દેહના ફેરફારો પ્રમાણે જીવ તેમાં રહેલું છે તે સ્પષ્ટ નાના-મોટા વિસ્તારવાળે દેખાય છે. ગર્ભમાં જેટલી જગા તેણે રેકેલી હોય છે તેટલી જ સંકેચવાળી જગા(દેહ)માં વ્યાપીને જીવના અસંખ્ય પ્રદેશ રહેલા છે. પૂરા માસ થયે જન્મ યોગ્ય દેહ થાય ત્યારે દેહમાં સર્વ સ્થળે વ્યાપેલે હેવાથી જીવ વિસ્તારવાળી જગા રેકે છે. જન્મ પછી વર્ષ, બે વર્ષ, પાંચ-પંદર વર્ષમાં શરીર જેટલું વધે છે તે પ્રમાણમાં આત્માના પ્રદેશે વિકાસ પામે છે એટલે દેહપ્રમાણું બની રહે છે. યુવાવસ્થામાં સ્કૂલ શરીર થાય ત્યારે તેટલી જગામાં હોય છે; વળી રેગને લીધે કે ખેરાક ઘટી જવાથી શરીર સુકાઈ જાય ત્યારે તેટલા પ્રમાણમાં રહે છે, તેમ જ વૃદ્ધાવસ્થામાં બને છે. મરણ કાળે કોઈ એ એવાં કર્મ બાંધ્યાં હોય છે કે તે વખતે દેહ છેડતાં પહેલાં જે દેહ છોડવાને છે તે દેહથી તે જ્યાં નવ દેહ ધરવાનો હોય ત્યાં સુધી પ્રદેશોની એક હાર થઈ જાય છે અને ગર્ભસ્થાન કે ઉત્પત્તિસ્થાનને સ્પર્શ કરી પાછો દેહમાં આવી જાય છે. આવી અવસ્થાને સમુદુઘાત (મરણ સમુદ્દઘાત) કહે છે. પછી દેહ છેડી જૂના દેહના આકારે જ્યાં ઉત્પત્તિ થવાની હોય ત્યાં કર્મને આધારે જીવ જાય છે, ત્યારે ગર્ભને જેટલું જ મૂળ દેહસ્થિતિરૂપ સંકેચાઈ જાય છે. આ બધી બાબતે કેવળજ્ઞાનીએ કેવળજ્ઞાનથી જેઈને વર્ણવી છે તે હાલ તે શ્રદ્ધાને આધારે માન્ય થાય તેમ છે. એમાં બુદ્ધિને પ્રવેશ થાય તેમ નથી. જ્ઞાનીએ, પરમકૃપાળુદેવે જેવું આત્માનું સ્વરૂપ પ્રગટ કર્યું છે, બોધ્યું છે, સંમત કર્યું છે તેવું મારે માનવું છે. એ શ્રદ્ધા દેઢ કરી વૈરાગ્ય ઉપશમ વધારવાથી સર્વજ્ઞદશાની શ્રદ્ધા સચોટ થાય છેજી. વૈરાગ્ય એટલે પરવસ્તુ પ્રત્યે અનાસક્તિ અને ઉપશમ એટલે ક્રોધ, માન, માયા, લેભરૂપ કષાય-ફ્લેશ શાંત પાડે અને ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતોષ ગુણોની વૃદ્ધિ કરવી – આ હાલ થઈ શકે તેમ છે, અને તેથી આત્મા નિર્મળ અને સુખી બને છે. પરમકૃપાળુદેવની કૃપાથી જે મંત્રની પ્રાપ્તિ થઈ છે, તે સર્વ પ્રસંગમાં ચિત્તની શાંતિ રાખવાનું સર્વોત્તમ રામબાણ ઔષધ છેછે. તેનું વિસ્મરણ થાય છે, તેટલા કષાયક્લેશથી આત્મા સંતાપ પામે છે. માટે દેવલેક કે આ લેકનાં માયિક સુખમાં ભટકતા મનને પાછું વાળી, જે થાય તે ભલું માનવામાં આવે એવા કામમાં લાવવા ગ્ય . પરમકૃપાળુદેવનું પુસ્તક વાંચતા રહેવાથી ઘણા ખુલાસા આપોઆપ થાય તેમ છેજી અને ન સમજાય તે પૂછવામાં હરકત નથીજી. આત્મહિત પિષવા માટે પરમકૃપાળુદેવનાં વચને મને તે સર્વોત્તમ લાગ્યાં છેજ. તેથી વારંવાર તે જ ભલામણ કરવા વૃત્તિ રહે છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #498 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૫૦૨ ૪૭૫ અગાસ, તા. ૧૮-૬-૪ જેઠ વદ ૧૩, રવિ, ૨૦૦૦ મનુષ્યભવ, આટલું લાંબું આયુષ્ય, સત્પુરુષની આજ્ઞા, સત્સંગ અને સત્સંગે સાંભળેલી સદ્ગુરુની આજ્ઞા આરાધવાના તથા સમાધિમરણુ કરવાના ભાવ – આ ખધી દુર્લભ ખાખતા મળી છે તે સફળ કરીને આત્મકલ્યાણ આ ભવમાં ખની શકે તેટલું જરૂર કરી લેવું છે એવા નિશ્ચય મુમુક્ષુજીવને રાખવા ઘટે છે, તથા તે નિશ્ચયને આરાધતા રહેવાની ઊંડી દાઝ રાખવી ઘટે છે”. બહારથી મદદ કરનારાં પુણ્યના યેાગને લઈને મળી આવે છે પણ ઉલ્લાસભાવ, ધીરજ, સહનશીલતા, ક્ષમા, સનું ભલું ઇચ્છવું, પરમકૃપાળુદેવ પર પરમભાવ તે પોતે જ કરવાના છેજી. આ ખાખતા જે વારંવાર વિચારી હૃદયમાં ધારણ કરે છે, તે પ્રમાણે વર્તે છે, તે શરીરના રોગને લઈને માંદા કહેવાતા હોય તેાપણુ ખરી રીતે માંદા નથી. પરંતુ જેનામાં તે ગુણેા નથી અને તે મેળવવા કઈ પુરુષાર્થ કરતા નથી પણ પ્રમાદમાં પડી રહ્યો છે, તે સાજો હાય તેપણ પુરુષાની મતાને લીધે માંદા કહેવા ચાગ્ય છેજી. જેને પરમકૃપાળુદેવની ભક્તિ ગમે છે, જે પરમકૃપાળુદેવને આધારે જ જીવે છે, જેને સંસાર ઉપરથી ભાવ અંતરમાં વૈરાગ્ય પ્રગટવાથી ઊઠી ગયેા છે અને પેાતાને ઘેાડા દિવસના મહેમાન જેવા ગણી પરમકૃપાળુ દેવના પરમ ઉપકાર માની તેને આશ્રયે દેહત્યાગ કરવા ઇચ્છે છે, એવા ભવ્ય જીવની સેવા મળવી એ પણ મહાભાગ્યની નિશાની છે; વૈરાગ્યનું, પુણ્ય કમાવાનું અને સત્પુરુષની આજ્ઞા ઉઠાવવાનું તે મહાન નિમિત્ત છેજી. પૂર્વે જીવે કમાણી કંઈક પુણ્યની કરી છે તેથી આ ભવમાં સર્વ પ્રકારની અનુકૂળ સામગ્રી મળી છે. પુણ્ય આમ આંખે દેખાય નહીં. પણ જે કંઈ સુખ-સામગ્રી જીવને દેખાય છે તે પુણ્યનું ફળ છે; તે પુણ્ય કમાવાનું કારણ તેા કોઈ સત્પુરુષની શ્રદ્ધા, તેનાં હિંતકારી વચના પ્રત્યે પ્રીતિ, તેના અનુયાયી સાધર્મી ભાઈ-બહેનેાની સેવાચાકરી અને ધનાં કાર્યો કરવાના ભાવ એ છેજી. અત્યારે લેાકોની માન્યતા એવી છે કે દુકાન કરીએ, વેપાર કરીએ કે મહેનત કરીએ તેથી કમાવાય છે; પણ મહેનત કરનાર તેા ઘણા હાય છે, આખા દહાડા ભીખ માગવા ભિખારી કરે છે પણ પૂરું પેટ પણ ભરાતું નથી, કારણ કે પાપના ઉદયથી ઇચ્છેલા લાભ થતા નથી. માટે પૈસા તરફ કે શરીરની મહેનત, ઉજાગરા વગેરે પૂ....ની સેવામાં થતા હોય તેથી નહીં ક ટાળતા, તેમને લઈને આપણને ધર્મની પ્રાપ્તિ થઈ છે અને પરમકૃપાળુદેવના એ ભક્તની ભક્તિથી આપણને કમાણી થઈ રહી છે તે આપણી આંખે ન દેખાય પણ જ્ઞાની જાણી રહ્યા છેજી. વિનય વૈયાવચ્ચ તે મેટ ગુણ છે, તેથી તપ થાય છે અને જીવને ઘણા લાભ થાય છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૫૦૩ દુલ ભ મનુષ્યદેહ શાં શાં કામમાં વહ્યો જાય છે તેની વિચારવાન જીવે લક્ષ રાખવા નોંધ રાખવા લાયક છેજી. ધનની કાળજી હાય તેા તેને માટે નામું લખવા જીવ ચૂકતા નથી; પણ મનુષ્યભવની કિંમત સમજાઈ નથી તેથી કાળ કેમ જાય છે અને બને તેટલે વખત મચાવી શામાં ગાળવા લાયક છે તેની જોઈ એ તેવી દાઝ જીવને જાગી નથી, ફરી ફરી આવે Page #499 -------------------------------------------------------------------------- ________________ ૪૭૧ આધામૃત અવસર મળવા દુČલ છે; તેા આર્ત્તધ્યાન કે ક્રોધાદિમાં રૌદ્રધ્યાન ન થાય તેની પણ બહુ સભાળ રાખવીં ઘટે છેજી. ક`ને કોઈની શરમ નથી. મહાત્મા હેાય પણ જો સંસારી ભાવનામાં ચિત્ત જાય તેા તેને પણ કર્મ બંધાય, તે આપણે શા હિસાબમાં ? માટે મનને નવરું ન રાખવું; વાંચવા, વિચારવા કે ગેાખવામાં તેને જોડી રાખવું. કંઈ ન બને તેા મંત્ર-સ્મરણ તેલની ધાર પેઠે અતૂટ રહ્યા કરે તેવા પુરુષાર્થ જીવ જો હાથમાં લે, આદરે તે ક ંઈ ને કંઈ તે દિશામાં કરી પણ શકે. સ્મરણમાં નથી વિદ્વત્તા જોઈતી, નથી ખળ વાપરવું પડતું, નથી કળા-કુશળતા જોઈતી કે નથી ધન ખરચવું પડતું; પણ માત્ર છૂટવાની ધગશ લાગવી જોઈએ, કે આ કેદખાનામાં -- હાડકાં-ચામડાં મળમૂત્રની કોઠીમાં – છત્ર પુરાયા છે તે ક્રીથી આવા ભવ લેવા ન પડે તે અર્થે સદ્ગુરુશરણે તેણે જણાવેલા મંત્ર કઈ પણ ઇચ્છા રાખ્યા વિના આત્માર્થે આરાધે તે પોતાનું અને પોતાના સ'સર્ગ'માં આવતા ઘણા જીવેાનું કલ્યાણ કરવા સમર્થાં થાય તેવે ઉત્તમ મત્ર પૂર્વના પુણ્યે અને પરમકૃપાળુદેવની કૃપાથી મળ્યા છે તેનું રાજ વધતું જતું માહાત્મ્ય હૃદયમાં રહ્યા કરે તે જગતનાં દુઃખ તેને કંઈ પણ ન જણાય. માથા ઉપર સગડી કરી અંગારા ભર્યા તેાપણ જેને કઈ ન થયું, ન આવ્યેા ક્રોધ કે ન લાગ્યા મરણના ડર, પણ એક મેાક્ષની અભિલાષા વિશેષ પ્રદીપ્ત બની અને અંગારા ભરનારને ઉપકાર સમજાયા, મેાક્ષની પાઘડી માથે ખ'ધાવી એમ માન્યું એવા શ્રી ગજસુકુમારનું દૃષ્ટાંત જેમણે સાંભળ્યું હોય તેમણે હવે શું કરવું? એ વિચારવાનું કામ તમને સોંપું છું. ૐ શાંતિ: શાંતિ: શાંતિ: ૫૦૪ અગાસ આ સસાર અસાર છે એમ જ્ઞાનીપુરુષા પાકારી પાકારીને કહે છે, તે તેમાં ને તેમાં વૃત્તિ નહીં રાખતાં, આ વર્ષે તે પરમકૃપાળુદેવ એક મારા પતિ છે તેને રાજી રાખવા આટલે મનુષ્યભવ ગાળવા છે એમ નિશ્ચય કરી તેની વાત પૃથ્વી, તેની જ વાત કરવી, તેની જ ભાવના કરવી, ખીજું કઈ ઇચ્છવું નથી એમ અંતરમાં દઢ કરવા ચેાગ્ય છેજી. ઘણા ભવ સંસારની સ`ભાળ લીધી છે, હવે આટલા ભવ બધું બહુ ઉપયાગી નથી એમ માની માત્ર પરમકૃપાળુદેવે કહ્યો છે તે મેાક્ષમાર્ગ આરાધવા છે, છ પદની શ્રદ્ધા દૃઢ કરવી છે, અપૂર્વ અવસરની ભાવના કર્યાં કરવી છે, મ`ત્રનું અખંડ રટણ જીભ ઉપર રહ્યા કરે એમ અહેારાત્ર વવું છે. આવી ભાવના રાખી અને તેટલું રાજ કર્યાં કરવું તે જરૂર આત્મહિતમાં વધારો થશે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૫૦૫ તત્ ૐ સત્ અગાસ, તા. ૨૧-૬-૪૪ આષાઢ સુદ ૧, બુધ, ૨૦૦૦ તાહરી ગતિ તું જાણે હે દેવ, સ્મરણુ ભજન તે વાચક યશ કરેજી.” પૂ....ના દેહત્યાગના સમાચાર જાણી સને ખેદ થયા છેજી કે આટલી નાની ઉંમરમાં તેમના મનુષ્યભવ લૂંટાઈ ગયા. ઉત્તમ સામગ્રી ફરી ફરી મળવી દુર્લભ છે. પરમકૃપાળુદેવે કહ્યું છે. “પ્રત્યક્ષ સત્પુરુષના સમાગમ અને તે આશ્રયમાં વિચરતાં મુમુક્ષુઓને મોક્ષ સ’બધી Page #500 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૪૭૭ બધાં સાધના અલ્પ પ્રયાસે અને અલ્પ કાળે પ્રાયે (ઘણું કરીને) સિદ્ધ થાય છે; પણ તે સમાગમના ચેગ પામવા દુર્લભ છે. તે જ સમાગમના ચેાગમાં મુમુક્ષુજીવનું નિર'તર ચિત્ત વર્તે છે.’ (૭૮૩) આવું પરમકૃપાળુદેવે કહ્યું છે તે સાચું છે. તેના આશ્રિતનું તેા કલ્યાણુ જ છેજી. તેની ગતિ વગેરે જે થાય તે તેને કર્મ ખપાવી મેાક્ષમા માં દોરનાર જ હોય છે, એટલે તેમના સંબધી આપણે ક'ઈ વિકલ્પ કરવા ચેાગ્ય નથીજી. તેમના નિમિત્તે તમારા બધા કુટુંબીજનાને પરમકૃપાળુદેવની ભક્તિ પ્રાપ્ત થઈ છે, તે હવે વમાન કરી તેમની પેઠે પરમકૃપાળુદેવની અડગ શ્રદ્ધા સહિત દેહત્યાગ કરી સમાધિમરણ કરી લેવા ચેાગ્ય છેજી. સ્વ....ને જ્યારથી પરમકૃપાળુદેવનું માહાત્મ્ય સમજાયું ત્યારથી તે આશ્રમવાસી બની ગયા અને ઠેઠ સુધી તેમની ભાવના પરમકૃપાળુદેવના શરણમાં રહી એ બહુ સારું બન્યું છેજી. પૂર્વીના સસ્કારને લઈને તમારા બધાની સેવાભાવના બળવાન બનાવી તેએ આ ભવમાં કરવા યાગ્ય મુખ્ય કાર્ય સાચા પુરુષની શ્રદ્ધા તે દૃઢ કરી સાથે લઈ ગયા છે. તેવી શ્રદ્ધા વિશેષ વિશેષ સત્સંગના પ્રસંગ મેળવી આપણે સર્વ નાનામેાટાએ કરી લેવાથી આ મનુષ્યભવ મળ્યાની સફળતા માનવી ઘટે છેજી. તેમની માંદગીમાં તમને બધાંને જે પરમકૃપાળુદેવની ભક્તિના લાભ મળ્યા તેવા લાભ આશ્રમમાં અવકાશ લઈ અવાય ત્યારે જ બને તેવું હવે છેજી. બીજાં સંસારનાં કામ કરવાં પડે તાપણુ ઉદાસીનતા વધારતા રહી બાર માસથી જે ભક્તિના યેાગે શ્રદ્ધાભાવના વધુ માન થઈ છે તે મેાહમાં લૂંટાઈ ન જાય, માટે વારવાર પરમકૃપાળુદેવનાં વચનેાનું વાંચન, ભક્તિ, સ્મરણુ બધા કુટુંબમાંનાં નાનાંમોટાં એકઠાં મળી કરતા રહેવા ભલામણ છેજી, તથા પૂનમ કે એવાં શુભ પર્વ ઉપર આત્મસિદ્ધિશાસ્ત્રની ભક્તિ-ભજન આત્માર્થે કબ્ય છેજી. જેમ માંદગી વખતે વખત મચાવી સ્વ....ની સેવાભક્તિ ખજાવી તેમ જ પૂ. માજીની સેવા સાાં હોય તેપણુ તેમને કઈ કઈ સમાધિસોપાન, તત્ત્વજ્ઞાન વગેરેમાંથી રાજ સ'ભળાવતા રહી સ્મરણુ વગેરે કરાવતા રહી કરી લેવા ચેાગ્ય છેજી. અગાસ, તા. ૨૨-૬-૪૪ અષાડ સુદ ૨, ગુરુ, ૨૦૦૦ ગમે તે કામ હાથમાં લીધું હેાય તેથી કંટાળ્યા વિના તથા તેમાં આસક્તિ રાખ્યા વિના બનતી ક્રૂરજ બજાવી, ખચતા વખત આત્મકલ્યાણને અર્થે વાંચન, વિચાર, સ્વાધ્યાય, ભક્તિ, સ્મરણમાં ગાળતા રહેવા ભલામણ છેજી. સ્મરણમાં આનંદ આવે તેમ વૃત્તિ રાખતા રહેવા વિનંતી છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૫૦૬ ૫૦૭ અમાસ .... તેમ દવા, કેાઈની સેવાચાકરી કે હવાપાણીથી કંઈ ફેર જણાય, પણ વહેલેમાડે ખાંધેલ કર્મ ભોગવી લીધા વિના છૂટકો નથી. વાતે વડાં નહીં થાય, કરવું પડશે, ખમી ખૂંદા; આટલા ભવ ભક્તિના લાગ મળ્યા છે તે વ્યર્થ મીજી ચિંતામાં ન ગાળા; આખા મીંચીને અઘરું લાગે તાપણુ સત્સંગ, સ.પ. અને સત્શાસ્ત્રના અવલંબને સદ્ગુરુશરણે આ ભવમાં સમાધિમરણ કરી લેવું છે. એવી અનેક હિતકારી શિખામણ હૃદયમાં ઊંડી ઊતરી જાય તેમ તે મહાપુરુષે Page #501 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮ ઐાધામૃત દરેકને આપી છે, અને દેહભાવ જતા કરી આત્મભાવમાં વારવાર વૃત્તિ લાવવા ઘણા કડક શબ્દોમાં ઉપદેશ આપતા — આત્મા જુએ, એટ્ટો હાય તે ખીજું જુએ અને માને.” આમ ભરી સભામાં પેાકાર કરતા હતા. તેમાંથી જેટલું યાદ આવે તેટલું હૃદયમાં વારવાર એકાંતમાં વિચારી, તે આશ્રયે હવે તેા જેટલા દહાડા તે પરમ સત્સ`ગના વિયેાગમાં તેને શરણે જીવનના ખાકી હાય તે પરપ્રેમ પ્રવાતુ બઢે પ્રભુસેં, સખ આગમભેદ સુર ખસેં, વહુ કૈવલકે ખીજ જ્ઞાની કહે, નિજક અનુભવ ખતલાઈ ક્રિયે'' — તે લક્ષ રાખી તે પરમપુરુષના શરણે ગાળવાના છેજી. પૂ. અંબાલાલ મારવાડીનેા જેઠ વદ ૧૦ ની રાત્રે દેહ છૂટી ગયા છે. આમ તે તે ઢીલેા જણાતા હતા પણ પરમકૃપાળુદેવની પકડ તેની સારી હતી. ખ્યાવરના જીગરાજ અને એ અ'ખાલાલ એ મિત્રો હતા. તેમણે જીવનકળા' વાંચી અને આશ્રમ છે તે કેવું છે તથા કેવી સગવડ છે તે જોવા સ્વ. અખાલાલને અહીં પહેલા મેાકલેલા. તે આવ્યા અને તેને ગમવાથી તે તેા રહી જ પડચા. છેલ્લે તેમને નછૂટકે આશ્રમ છેડવું પડયું. પણ છેવટ સુધી તેની શ્રદ્ધા રારી રહી. આપણે પણ સમાધિમરણની રાજ ભાવના તથા તૈયારી કરતા રહેવાની જરૂર છેજી. દરરાજ સૂતી વખતે તે પરમકૃપાળુદેવને શરણે આત્મઅપ ણુતા સ ́ભારી તે જ શરણું સાચું છે, હું કઈ જ ન જાણું, પણ પરમકૃપાળુદેવે જેવા જાણ્યા છે તેવા આત્મા મારે છે એમ મારે માનવું છે, તે જ મને હા એ ભાવના કરતા રહેવા જેવી છેજી. ૐ શાંતિ: શાંતિ: શાંતિ: = ૫૦૮ તત્ ૐ સત્ આપને પત્ર આજે મળ્યા. તે વાંચતાં વિચાર આવ્યે કે આમ કાળ કર્યું છે, ઉતાવળે કામ કરી લેવાની દોડ કરી છે. જે કામ કરવાનું હોય તેની પૂરી માહિતી કે તૈયારીઓ વિચારપૂર્વક જીવે કરી નથી. જ્યારે જીવને મુશ્કેલીએ આવી પડે છે ત્યારે તેના ઉપાય શોધે છે અને તે વખતે મળી આવે કે ન પણ મળી આવે, પછી પસ્તાય; પણ પહેલેથી શી શી જરૂર પડશે તેના બનતા વિચાર કરી લેવાના કે તૈયારી કરી લેવાના જીવ વિચાર, પુરુષાર્થ ધારે તે કઈ કઈ કરી શકે તેમ છે. આ પ્રસંગ તેા નજીવા છે, પણ પરભવ જરૂર જવાનું છે તેને માટે પણ જીવ ચેતતા રહે. નવાં કર્મ બાંધે છે તે વખતે જો સવિચાર કે જ્ઞાનીની આજ્ઞાના લક્ષ રહે તે ઘણુા ફેર પડવા સંભવ છેજી. એવી અગમચેતી કેાઈ વિરલા પુરુષા રાખે છે તેમાંના આપણે એક ગણાઈ એ, થઈ એ તેમ વવાની જરૂર છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૩૦-૬-૪૪ અષાડ સુદ ૯, શુક્ર, ૨૦૦૦ ને આમ જીવે અન`ત ૫૦૯ અગાસ, તા. ૫-૭-૪૪ અષાડ સુદ ૧૪, જીવ, ૨૦૦૦ તત્ સત્ પૂ. 'બાલાલ મારવાડીના દેહ તેના ગામે ગયા માસમાં છૂટી ગયા છે. તેના ભાવ છેવટ સુધી સારા રહેલા એવા સમાચાર હતા. પરમકૃપાળુદેવનું ચેાઞમળ આમ પાંચ-સાત વર્ષોંના નવા સમાગમીના મરણ-પ્રસ`ગે પણ પ્રગટ જણાય છે, તે જૈને ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીનાં Page #502 -------------------------------------------------------------------------- ________________ ૪૭૯ પદ્મસુધા સાક્ષાત્ દન, ઉપદેશ, સ્મરણુ, સમાગમનેા લાભ મળ્યા છે તેનાં તે અહેાભાગ્ય માનવાં ઘટે છેજી. પ. પૂ. પ્રભુશ્રીજી કહેતા કે “તારી વારે વાર” તે તદ્ન સાચું જણાય છેજી. જીવ મળ કરે તે પરમકૃપાળુદેવની પ્રગટ અનંત દૈયા અનુભવાય તેમ છેજી. પ્રમાદ અને પરભાવે જીવનું ભૂંડું કર્યું છેજી. ખભાતમાં પરમકૃપાળુદેવે જણાવેલું પૂ. ત્રિભોવનદાસે, અહીં આવ્યા ત્યારે, જણાવ્યું હતું કે તમે છ આની મહેનત કરે તે અમે દશ આની ઉમેરી આપીશું. આ વાત કેટલી અદ્ભુત છે; અને પુરુષાર્થ પ્રેરક છે, તે કરી જોયે ખબર પડે. આપણામાં તે અનંત દોષો ભરેલા છે, પરંતુ પ. ઉ. ૫. પૂ. પ્રભુશ્રીજીના યાગ થયા પહેલાંની અને અત્યારની અવસ્થા તપાસીએ તે તેમાં આભ-જમીન જેટલેા ફેર સ્પષ્ટ સમજાય તેવા છે; તેમાં મુખ્ય કારણ તે પરમકૃપાળુનું યેાગબળ મને તેા સમજાય છેજી. નહીં તેા આ જીવનું વીર્ય આ કાળમાં કેવું અને કેટલું તથા કંઈ પણ તેણે માથું મૂકીને કરવા જેવે પુરુષાર્થ પણ કર્યાં નથી છતાં જે કઈ રંગ બદલાયા છે તે તેની માત્ર નિર્ગુણી ઉપર પણ કરુણા કરવાની ઉદારતા જ સમજવા ચેાગ્ય છેજી. અધિક શું લખવું ? ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૫૧૦ તત્ સત્ અગાસ, તા. ૫-૭-૪૪ આષાઢ સુદ ૧૪, બુધ, ૨૦૦૦ વિ. ભાઈ....ના પત્ર મળ્યા. તે ઉપરથી એક જૂના પ્રસ`ગ યાદ આવ્યા. શ્રી સુખલાલ પંડિત અમદાવાદથી અહીં આશ્રમમાં ૫. ઉ. ૫. પૂ. પ્રભુશ્રીજીના દર્શનાર્થે આવેલા. પછી દર્શન કરી તેમની આરડીએ તે ગયા ત્યારે મારે તે તરફ જવાનું થયું એટલે તેમણે મને પ્રશ્ન પૂછ્યો : જીવન એટલે શું ?” તેમની સાથે બેસી મેં તેમને પૂછ્યું : “જીવન એટલે તે જીવવું એમ સામાન્ય અર્થ થાય છે, પણ આપ કેવા જીવન સબંધી પૂછે છે ? વિદ્યાર્થીજીવન, વાનપ્રસ્થજીવન, ગૃહસ્થજીવન કે ત્યાગીજીવન એમ વિશેષતાથી પૂછવાથી વિશેષતાના ઉત્તર મળે.” એવામાં ૫. . પ. પૂ. પ્રભુશ્રીજી પાસેથી મને ખેલાવવા માણસ આવ્યું એટલે હું તેઓશ્રીની સેવામાં હાજર થયા અને નકામા વિકલ્પોથી છૂટયો. આજે લગભગ દશ-પદર વર્ષે આ પત્રમાં તે જ પ્રશ્ન હેાવાથી તે સ્મૃતિ તાજી થઈ અને તે મહાપ્રભુના મારા ઉપર કેટલા બધા ઉપકાર તથા મારી કેટલી કાળજી રાખતા તેની સ્મૃતિનું કારણ ભાઈ.... બન્યા છે. તેમના મનનું સમાધાન તેવા મહત્પુરુષાનું યાગમળ કરશે. હું તે પામર પ્રાણી છું. આજના પત્ર વાંચતાં મને સ્ફુરી આવ્યું : નહિ દે તું ઉપદેશ, પ્રથમ લેહિ ઉપદેશ; સબસે ન્યારા અગમ હૈ, વે!જ્ઞાનીકા દેશ.” તે ઉપરથી હું કેવા દોષમાં (પંડિતાઈમાં) દેરાતા હતા ત્યાંથી બચાવી મને મારી સાધનામાં સદ્ગુરુએ જોડયો હતા, તે તે વખતે સમજાયું નહોતું. આપને સમજવા અર્થે પરમકૃપાળુદેવે ક્ષાયકસમ્યક્ત્વની ચર્ચાના પત્રમાં જે લખ્યું છે તેમાંથી થાડું લખું છું તે વિચારશે, સમજાય તેટલું સમજશેા, બાકીનું સમાગમે સમજવા ભાવ રાખશેાજી. મહાપુરુષાએ જેને માટે ઘણાં વર્ષાં ગાળ્યાં છે તે સમજવા જેટલી શક્તિ આવ્યા પહેલાં સમજાવવા જવાના જીવના Page #503 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦ બેધામૃત અનાદિને અભ્યાસ છે તે ઉપર પરમકૃપાળુદેવે, નીચે જણાવું છું તેમાં, સખત પ્રહાર કર્યો છે તેને પ્રથમ લક્ષ લેવા ગ્ય છે. બીજી બધી વાત સમાગમે ક્રમે કરીને સમજાય તેમ છે. હવે આપણે આત્મા કઈ દિશામાં હાલ છે, અને તે ક્ષાયિકસમકિતી જીવની દશાને વિચાર કરવાને યોગ્ય છે કે કેમ, અથવા તેનાથી ઊતરતી અથવા તેથી ઉપરની દશાને વિચાર આ જીવ યથાર્થ કરી શકે એમ છે કે કેમ? તે જ વિચારવું જીવને શ્રેયસ્કર છે, પણ અનંતકાળ થયાં જીવે તેવું વિચાર્યું નથી, તેને તેવું વિચારવું યોગ્ય છે એવું ભાસ્યું પણ નથી, અને નિષ્ફળપણે સિદ્ધપદ સુધીને ઉપદેશ જીવ અનંત વાર કરી ચૂક્યો છે તે ઉપર જણાવ્યું છે, તે પ્રકાર વિચાર્યા વિના કરી ચૂકયો છે, વિચારીને યથાર્થ વિચાર કરીને કરી ચૂક્યો નથી. જેમ પૂર્વે જીવે યથાર્થ વિચાર વિના તેમ કર્યું છે, તેમ જ તે દશા (યથાર્થ વિચારદશા) વિના વર્તમાને તેમ કરે છે. પિતાના બોધનું બળ જીવને ભાનમાં આવશે નહીં ત્યાં સુધી હવે પછી પણ તે વર્યા કરશે, કઈ પણ મહાપુણ્યને વેગે જીવ ઓસરીને તથા તેવા મિથ્યા-ઉપદેશના પ્રવર્તનથી પિતાનું બધબળ આવરણને પામ્યું છે, એમ જાણી તેને વિષે સાવધાન થઈ નિરાવરણ થવાને વિચાર કરશે ત્યારે તે ઉપદેશ કરતાં, બીજાને પ્રેરતાં, આગ્રહે કહેતાં અટકશે. વધારે શું કહીએ ? એક અક્ષર બેલતાં અતિશય-અતિશય એવી પ્રેરણાએ પણ વાણું મૌનપણને પ્રાપ્ત થશે અને તે મૌનપણું પ્રાપ્ત થયાં પહેલાં જીવને એક અક્ષર સત્ય બોલાય એમ બનવું અશક્ય છે; આ વાત કોઈ પણ પ્રકારે ત્રણે કાળને વિષે સંદેહપાત્ર નથી. તીર્થકરે પણ એમ જ કહ્યું છે, અને તે તેના આગમમાં પણ હાલ છે, એમ જાણવામાં છે. કદાપિ આગમને વિષે એમ કહેવાયેલ અર્થ રહ્યો હોત નહીં, તોપણ ઉપર જણાવ્યા છે તે શબ્દો આગમ જ છે, જિનાગમ જ છે. રાગ, દ્વેષ અને અજ્ઞાન એ ત્રણે કારણથી રહિતપણે એ શબ્દો પ્રગટ લેખપણું પામ્યા છેમાટે સેવનીય છે.” (૩૯૭) - નિરાશ થવા જેવું નથી. પણ મેં ઘણું વાંચ્યું છે એ પ્રકારનું અભિમાન ભૂંસી નાખી હજી મારે તે દિશા શોધવાની છે, તે દિશાને નિર્ણય થયે જેટલે પુરુષાર્થ થશે તેટલે સવળે, ધ્યેયને પ્રાપ્ત કરાવનાર, નિકટ લાવનાર થશે. તેને અર્થે સત્સંગ, સપુરુષના સમાગમની જરૂર છે, તે તમને વૅકેશન જેવા વખતમાં પ્રાપ્ત થવા લાગ્યા છે. હાલ તે જે કામ હાથમાં અભ્યાસનું લીધું છે તે પૂર્ણ કરવા તરફ વૃત્તિ રાખી બીજા વિચારે ગૌણ કરી, વખતની અનુકૂળતા અને સત્સંગના ગે તે સર્વ પ્રશ્નોને નિવેડે આવવા ગ્ય છે એમ ગણી, તેની ભાવના રાખતા રહે. આકુળતા કે અશાંતિને દૂર કરી સદાચરણ, વૈરાગ્ય વગેરે વડે યોગ્યતા વધારતા રહેવા ભલામણ છેજી. અગાસ, તા. ૭-૭–૪૪ આપનો પત્ર મળે. જે કોઈ મુમુક્ષુ ભાઈઓ ત્યાંના પાસેના હોય તે બધાને આમંત્રી જે મળી આવે તેમની સાથે ભક્તિભાવપૂર્વક માંગલિક કાર્ય કરી લેવું ઘટે છેજ. મોટી વાત ભાવની છે). “ભાવે જિનવર પૂછએ, ભાવે દીજે દાન; ભાવે ભાવના ભાવીએ, ભાવે Page #504 -------------------------------------------------------------------------- ________________ ४८१ પત્રસુધા કેવળજ્ઞાન.” ફૂલ નહીં તે ફૂલની પાંખડી વડે ભાવ કરવાના છેછે. આપણે શું કરી શકીએ તેમ છીએ? “હું પામર શું કરી શકું? એવો નથી વિવેક ચરણશરણ ધીરજ નથી, મરણ સુધીની છેક.” એવા નમ્ર, નિરભિમાની ભાવે પરમકૃપાળુદેવ પ્રત્યે કાલાવાલા કરી જેમ ઘરમાં પરમકૃપાળુદેવ પધરાવે છે તેમ હદયમાં પણ તેમનાં વચને અને તેને આશય સંસ્થાપિત રહે તેવી ભાવના ભાવતા રહેવા ભલામણ છેજ. | # શાંતિઃ શાંતિઃ શાંતિઃ - ૫૧૨ અગાસ, તા. ૯-૭-૪૪ પરમકૃપાળુદેવને પરમ ઉપકાર જેમ જેમ તેમનાં વચને વારંવાર વંચાય છે તેમ તેમ વિશેષ વિશેષ સ્કુરે છે. એવા અપવાદરૂપ મહાપુરુષે “મેક્ષમાર્ગ બહુ લેપ” થયેલે તે “ભાખ્યો અત્ર અગો” પ્રગટ કર્યો. એના ગબળે અનેક જીવ સત્ય માર્ગ તરફ વળ્યા, વળે છે અને વળશે. આપણે પણ મહાભાગ્ય કે તેવા પુરુષનાં વચન પર વિશ્વાસ, પ્રેમ, પ્રતીતિ થવાથી તેમના હૃદયમાં રહેલી અનુપમ અનુકંપાને યોગ્ય તેમની આજ્ઞા વડે આપણે આત્મોદ્ધાર કરવા પ્રેરાયા છીએ. તે મહાપુરુષ પાસેથી ધરાઈને જેણે અમૃતપાન કર્યું છે એવા શ્રી લઘુરાજસ્વામીને પણ પરમ ઉપકાર છે કે જેમણે પિતાને અલભ્ય લાભ થયે તે સર્વ આ કાળના જિજ્ઞાસુ છ પામે એવી નિષ્કારણ કરુણાથી આખર વખતે પિતાને પ્રાપ્ત થયેલી આજ્ઞાની પરંપરા ચાલુ રહે તે અભિપ્રાયે સ્પષ્ટ પ્રેરણા કરતા ગયા છે. તેમણે વારંવાર બધવચનમાં પિતાની પ્રતીતિ પ્રદર્શિત કરી છે. તેમાંથી અલ્પ અંશ અહીં આપને વારંવાર વિચારી લક્ષમાં રહેવા તથા તેને લાભ મળ્યા કરે તે અર્થે જ જણાવું છું – “સર્વ શાને સાર, તને સાર શોધીને પરમકૃપાળુદેવે કહી દીધું છે. બહુ દુર્લભ, આ કાળમાં કામ કાઢી નાખે તેવું કૃપાળુદેવે આપ્યું છે. વિશ્વાસ હોય તે કહું. “વીસ દુહા ભક્તિના છે તે મંત્ર સમાન છે. સો વખત, હજાર વખત બેલાય તે પણ ઓછું છે. લાભના ઢગલા છે. ક્ષમાપનાને પાઠ, છપદને પત્ર, યમનિયમ, આત્મસિદ્ધિ આટલાં સાધન અપૂર્વ છે, ચમત્કારિક છે! જ ભણવાં જરૂરનાં છે. જીવતાં સુધી આટલી ભક્તિ રેજ કરવી જ. દરજીને છોકરે જીવે ત્યાં સુધી સીવે', એ તે ખોટી વાત છે પણ તેમ છતાં સુધી આટલું તે કરજો જ. તેથી સમાધિમરણ થશે. સમકિતને ચાંલે થશે. વધારે શું કહું ?....આ અવસર જે તે જાણશે નહીં. વાત સાંભળતાં પરિણમી જવાય છે ત્યાં કોટિ કલ્યાણ થાય છે. આત્મા કેવી અપૂર્વ વસ્તુ છે? તેનું માહામ્ય કહ્યું જાય તેમ નથી. “જે પદ શ્રી સર્વ દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જે.” એની વાત, એને વિચાર, એના ઉપર પ્રેમ-પ્રીતિ ભાવ થાય છે, ત્યાં કેટિ કર્મ ખપે છે. પર્યાયદષ્ટિ ન દીજિયે, એક જ કનક અભંગ રે; નિર્વિકલ્પ રસ પીજિયે, શુદ્ધ નિરંજન એક રે.” (ઉપદેશામૃતઃ પૃષ્ઠ ૩૮૮-૮૯) » શાંતિઃ શાંતિઃ શાંતિઃ 31 Page #505 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨. બેધામૃત ૫૧૩ અગાસ, તા. ૧૮-૭-૪૪ તત્ કે સત્ આષાઢ વદ ૧૩, મંગળ, ૨૦૦૦ દેવદુર્લભ ઘેલછા અમે ઘેલાં થયાં બાઈ રે, ઘેલામાં ગુણ લાગ્યું. આગે તે અમે કાંઈનવ જાણતાં મન માયામાં બાંધ્યું; ભવસાગરમાં ભૂલાં પડિયાં, મારગે મળિયા સાધુ રે-ઘેલામાં ઘેલાં તો અમે પ્રભુનાં ઘેલા, દુર્જનિયાં શું જાણે? જે રસ દેવ-દેવીને દુર્લભ, તે રસ ઘેલાં માણે રે-ઘેલામાં ઘેલાં તે અમને પ્રભુએ કીધાં, નિર્મળ કીધાં નાથ; પૂર્વજન્મની પ્રીતડી રે, પ્રભુએ ઝાલ્યાં હાથે રેઘેલામાં ઘેલા ઘેલાં તમે શું કહે, ઘેલાં ઘેલાનું કરશે; સુખનું કહેતાં દુઃખ જ લાગે, તે નર કયાંથી તરશે રે?–ઘેલામાં ઘેલાં તે અમે કાંઈ નવ જાણતાં, સાધુ શરણાં લીધાં, મીરાં કહે પ્રભુ ગિરધરના ગુણ સમયે કારજ સીધાં રેઘેલામાં બાઈ કહે પ્રભુ રાજગુરુ-ગુણ સમયે કારજ સીધાં રે-ઘેલામાં” ભગવતી બાઈ મીરાંબાઈનું એક પદ આ પત્રને મથાળે લખ્યું છે, તે રાગ બેસાડી વાંચશો તે આનંદ આવશે. ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજી તે પદ સભામાં ગવરાવતા. માર્ગાનુસારી ભક્તોના ભજનથી તેઓશ્રીએ પરમકૃપાળુદેવ ઉપર પ્રેમ કરવાનું શીખવ્યું. તેમાં મુખે તે તેઓશ્રીજીને પરમકૃપાળુદેવ પ્રત્યેને ઉ૯લાસભાવ જ બધાનાં હૃદયમાં ભક્તિભાવ ભરી દેતે હતે. સત્સંગને વેગ ન હોય ત્યારે કોઈ પણ પ્રકારે પરમકૃપાળુદેવ પ્રત્યે ભાવ વર્ધમાન થતું રહે તેવું વાંચન, ભક્તિ, સ્મરણ, વાતચીત કે કંઈ કંઈ નવીન મુખપાઠ કરવામાં, શીખવામાં વૃત્તિ જોડી રાખવી. સંકટ સહી સમભાવ, રૂડા રાજને ભજીએ. જગત-ભગતને વેર અનાદિ, સૌનાં મહેણુ સહીએ; જે કહે તેને કહેવા દઈએ, પ્રભુભજનમાં રહીએ રે, રૂડા સત્સંગમાં તે સહેજે સારી વૃત્તિ રહે, ભક્તિભાવ થાય પરંતુ સત્સંગના વિયેગે પણ પરમકૃપાળુદેવનાં વચને, પ્રભુશ્રીજીને બોધ કે તેવા પત્રોમાં વૃત્તિ રાખી ભક્તિભાવને પોષવામાં ભક્તજનની કેસેટી છે. ધીરજથી એ કસોટીમાં પાર થાય તેને લાભ ઘણે થાય છે જી પ. ઉ, પ. પૂ. પ્રભુશ્રીજી કહેતા કે અમને વિરહમાં રાખીને જ પરમકૃપાળુદેવે પરમ કૃપા કરી છે. વૈરાગ્ય અને ઉપશમ એ બે યોગ્યતા આપનાર ગણે છે. જેને આ સંસારનાં સુખ પણ અગ્નિ જેવાં દાહ ઉત્પન્ન કરનારાં લાગે, પિતાને અધમાધમ જે માને અને એક પરમકૃપાળુ દેવને જ આધારે સત્સંગની ભાવના પિષતા રહી દહાડા કાઢે તેને ધન્ય છે ! અત્યારે જે દુઃખના દહાડા જણાય છે તે ભવિષ્યમાં ઘણું કીમતી અને સુખનાં કારણરૂપ સમજાશે. ઉનાળાના Page #506 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૪૮૭ દહાડામાં ગરમી સહન નથી થતી પણ તે જ ગરમી ચોમાસાના વરસાદનું કારણ છે. તેથી જ બારે માસના રાકને ગ્ય અનાજ પાકે છે. તેમ સત્સંગના વિયોગે જે વૈરાગ્યભાવના વધે, તે પરમકૃપાળુદેવની કૃપા થવાની નિશાની છે. માટે વિપરીત સંગોમાં વસવું થાય ત્યાં સુધી ધીરજ, સમતા, સહનશીલતા, શાંતિ આદિ ગુણો તમારામાં છે, તે વર્ધમાન પામે છે તે જ સમાધિમરણ વખતે ખરા મિત્રો સમાન છેજ. એક ક્ષણ પણ નકામી ન જાય કે આર્તધ્યાનનું કારણ ન થાય તે પ્રમાણે દિવસને કાર્યક્રમ બને તે અહીંના સભામંડપના વખતેની પેઠે બને તેટલે કાળ ધર્મ ધ્યાનમાં ગાળવાને અભ્યાસ પાડી મૂકવા યોગ્ય છે. ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૫૧૪ અગાસ, તા. ૩-૮-૪૪ શ્રાવણ સુદ ૧૩, ૨૦૦૦ ઘણી વાર ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજી પાસે સાંભળ્યું છે કે મનુષ્યભવ દુર્લભ છે, ચિંતામણિરત્નતુલ્ય છે, મોક્ષનું કારણ છે, તેમ છતાં તુચ્છ વસ્તુઓનું માહામ્ય જીવને લાગ્યા કરે તે તે બધા સાંભળ્યું જ નથી એમ થયું. તે હવે તે દુર્લભ મનુષ્યભવ સફળ કરવા શું કરવું? કરવાથી જે માહાસ્ય જ્ઞાનીને લાગ્યું છે તે આપણને લાગે? આપણી ભૂલે આપણને યથાર્થ કેવા પ્રકારે શું કરવાથી સમજાય? અને શાથી તે ટળે? એને વિચાર મારે તમારે બધાએ લક્ષ રાખી વારંવાર કર્તવ્ય છે. ૫૧૫ અમાસ, તા. ૩-૮-૪ હરિગીત – પરમાર્થ દષ્ટિ શીખવે દેતું ન કઈ કઈને, ખમવું બધું પરમાર્થ અર્થે કલેશ-કારણ બાઈને, સંગ સર્વે છૂટશે પણ જાણનારે જોઈ લે, આ ફરી ને વેગ આવે, લાભ સાચે સાધ લે. “નિર્દોષ સુખ નિર્દોષ આનંદ લે ગમે ત્યાંથી ભલે, એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નીકળે.” વારંવાર વિચાર કરવા યોગ્ય તે જ્ઞાનીએ જાણે છે તે આત્માનું સ્વરૂપ છે, તે મહાપુરુષનાં વચનના અવલંબને બને તેટલા કષાય શમાવી શાંતભાવે વિચારવા લાગ્યા છે. સત્સંગે વિવેક જાગૃતિ થાય છે, માટે સત્સંગની ભાવના નિરંતર કર્તવ્ય છેજી. પિતાની બુદ્ધિને જે જ્ઞાનીનાં વચનરૂપ અંકુશ ન વાગ્યા કરે તે મદોન્મત્ત હાથીની પેઠે તે સર્વને નષ્ટભ્રષ્ટ કરી દે તેવી છે. માટે બુદ્ધિ દ્વારા સ્વચ્છેદ ન પિપાય પણ જ્ઞાનીની આજ્ઞાને વિચાર થાય તે લક્ષ રાખી “બાળTE ધ બળાઈ તવો” જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે જ ધર્મ છે, જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે જ તપ છે, એ વારંવાર વિચારી પોતાની મૂઢદશા વિચારવામાં સચેતપણું રાખવું ઘટે છે જી. ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજી વારંવાર કહેતા કે તારી બુદ્ધિ ઉપર મીંડું મૂકી ચેકડી તાણવા ગ્ય છે. કારણ કે અનંત કાળથી તેણે પરિભ્રમણ કરાવારૂપ ફળની પરંપરા આ જીવને આપીને દુઃખી દુઃખી કરી નાખે છે. તે હવે આ ભવમાં તે પરમકૃપાળુદેવે સમ્મત Page #507 -------------------------------------------------------------------------- ________________ બેધામૃત ૪૮૪ કરેલું જ બુદ્ધિમાં બેસાડવું છે, તેણે કહેલું જ માનવું છે ન સમજાય તે પણ તેના વચને, આજ્ઞા ઉપાસતાં જીવનું કોટીગમે કલ્યાણ છે એટલી અટળ શ્રદ્ધા કરી રાખવી છે. માર્ગ સાચે છે એટલે જેણે નિર્ણય કર્યો છે તેને માર્ગે ચાલવાનું બળ રે છે; નહીં તે જીવ નિરાશ થઈ જઈ શિથિલ બને છે. માટે વાચન, વિચાર, ચર્ચા બધાને પાયે સહ્રદ્ધા છે અને તે જ પિવાય તેવા બીજા ઉપાય લેવા ઘટે છેજ. પ. પૂ. પ્રભુશ્રીજીએ આ જ દૃષ્ટિ કરાવવા ઘણાં વર્ષ સુધી અથાગ શ્રમ લીધે છે. બીજું બનો કે ન બને, પણ પરમકૃપાળુદેવ અને તેનાં વચન તથા તેના આશ્રય પ્રત્યે જેને ભક્તિ જાગી છે તેનું જરૂર કલ્યાણ થવાનું છે એ માન્યતા દેઢ અચળ કરી દેવાની છે. ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૫૧૬ અગાસ, તા. ૮-૮-૪૪ તત્વ કે સત્ શ્રાવણ વદ ૪, મંગળ, ૨૦૦૦ આપને શેકસમાચારવાળે પત્ર પ્રાપ્ત થયે. ઘણું પુણ્યના સમૂહથી આ માનવદેહરૂપી હેડી ખરીદેલી છે, તે ભવસાગર તરવા માટે જ છે, માટે તે તૂટી જાય તે પહેલાં પેલે પાર પહોંચવાને પ્રયત્ન આપણે બધાએ કરી લે ઘટે છેજ. “આમ અચાનક આયુષ્ય તૂટી જાય છે એ સચેટ ઉપદેશ આપવા જ જાણે તે ભાઈ મરણને શરણ થઈ આપણને ઉપકારી થયા છે; તે આપણે હવે આ મેહનીંદમાંથી જાગ્રત થવું ઘટે છે, પ્રમાદ તજી સ્વરૂપસાધના તરફ વિશેષ વૃત્તિ વાળવી ઘટે છેજ. જેને માટે ગૂરવાનું પરમકૃપાળુદેવે કહ્યું છે તેની ગૂરણે જીવ કરતું નથી અને જેમાં આપણું કંઈ વળે નહીં, માત્ર આધ્યાન થાય એવા પ્રસંગમાં મેહને લઈને ગૂરે છે તેવી આપણી અંધદશાની કરુણ આણું તે મહાપુરુષ ઉપદેશ છે કે – “અનંતકાળથી જીવનું પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ કાં થતી નથી? અને તે શું કરવાથી થાય? આ વાક્યમાં અનંત અર્થ સમાયેલ છે અને એ વાકયમાં કહેલી ચિંતના કર્યા વિના, તેને માટે દઢ થઈ ગૂર્યા વિના માર્ગની દિશાનું પણ અ૫ ભાન થતું નથી.” (૧૫) દેહ ઇંદ્રિય સંબંધીના સુખની જીવને ઝંખના લાગી છે, તે મેળવવા, સાચવવા કે તેને નાશ થતાં તેની ગૂરણ કરવામાં જીવની બધી વૃત્તિઓ રોકાઈ રહી છે, એટલે પરમાર્થને વિચાર કે ભવ-પરિભ્રમણને ત્રાસ તેને સાંભરતું નથી. એક માખી આંખ આગળ બમણતી હોય કે કાન આગળ મરછર ગણગણતે હોય તે તેની તરત કાળજી રાખી ઉરાડી મૂકે છે, પણ માથે મરણ ઝપાટા દઈ રહ્યું છે તે કયારે ઝડપી લેશે તેને નિર્ણય નથી, છતાં જીવ નિરાંતે ઊંઘે છે એ કેટલું મૂઢપણું છે? સાપના મુખમાં પકડાયેલ દેડકે પાસે ઊડતા મરછરને પકડવા મેં પહેલું કરે છે, તેમ આ જીવ મરણના વિચાર ભૂલી ભેગમાં વૃત્તિ રમાડ્યા કરે છે એને વારંવાર વિચાર કરી જ્ઞાનીપુરુષએ આદરેલે પુરુષાર્થ, સહન કરેલા પરિષહે અને આપેલા ઉપદેશ તથા સત્સાધને, તેનું માહાસ્ય વારંવાર હૃદયમાં લાવી, તેમને પગલે પગલે ચાલવાની ભાવનાથી તેમણે બેબેલે માર્ગે હવે તે નિરંતર વૃત્તિ રહે અને તે લક્ષ ચુકાતાં મૂંઝવણ આવે, ન ગમે તેવું વર્તન કરવું ઘટે છેજી. હવે તે ઈન્દ્રિયેનાં તુરછ સુખમાં વૃત્તિ જતાં મન ગ્લાનિ પામે, જાણે શરમાવું પડે તેવું મનમાં થાય તેમ કર્તવ્ય છે. અનંત ભવમાં Page #508 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૪૮૫ ભમતાં આ જીવે એટલું બધું અનાજ ખાધું છે કે દરેક ભવના ભગવેલા દાણામાંથી એક એક દાણ લઈએ તે મોટો પર્વત જેવડો ઢગલે થાય. દરેક ભવમાં જે પાણી પીધું છે તેમાંથી દરેક ભવનું એક એક ટીપું ભેગું કરીએ તે પણ દરિયે ભરાય એટલા બધા ભવ સુધી જીવે ખા ખા અને પાણી પી પી કર્યું છે તે પણ હજી તેને તૃપ્તિ થઈ નથી તે આ મનુષ્યભવમાં ગમે તેટલું ખાય, પીએ કે ભોગ ભોગવે તો પણ તેની તૃષ્ણા મટે તેમ નથી એમ વિચારી, સંતેષ સિવાય હવે તૃષ્ણ ટાળવાનો બીજો કોઈ ઉપાય નથી. માટે હવે તે ખાવા, પીવા, ભેગ ભેગવવાથી વૃત્તિ પાછી વાળી, જે સુખ અનંત ભવ થયાં છતાં જાણ્યું નથી, ભેગવ્યું નથી એવું આત્માનું સુખ પ્રાપ્ત કરવા જ્ઞાનીની આજ્ઞા આરાધવી છે, આટલે લક્ષ રહ્યા કરે તે જીવને વૈરાગ્યની વૃત્તિ પોષાય અને જ્ઞાની પુરુષની આજ્ઞાન આરાધનમાં ઉત્સાહ રહે તથા સત્સુખને યોગ્ય જીવ થાય. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૫૧૭ અગાસ, તા. ૨૪-૮-૪૪ તત્ સત્ ભાદરવા સુદ ૫, ૨૦૦૦ "यह राग-आग दहै सदा, तातै समामृत सेईए, चिर भज्ये विषय-कषाय, अब तो त्याग निजपद लेईए। कहा रच्यो पर पदमें ? न तेरो पद यहैं, क्यों दुःख सहै ? ___ अब दौल(त) होउ सुखी स्वपद रचि, दाव मत चूको यहै ॥" । “સંગ સંબંધ, સ્ત્રી, પુત્ર, માતા, પિતા, ભાઈ આદિ સર્વ પર્યાય છે કર્મજન્ય વિભાવિક પર્યાય છે અને નાશવંત છે, માટે તે કોઈ મારાં નથી. મારા તે એક સસ્વરૂપી પરમકૃપાળુદેવ છે અને તેમણે જે આજ્ઞા કરી છે અને કહ્યો છે તે સહજત્મસ્વરૂપી એક આત્મા જ છે. તે આત્મસ્વરૂપ – આત્મા છે, નિત્ય છે એ આદિ છપદને પરમકૃપાળુદેવે કહ્યા છે, તે સ્વરૂપવંત છે – એ મારો છે એમ માનવું. અત્યારથી તૈયારી કરી રાખવી અને ભાવના રાખવી કે હું મરણ સમયે આ આજ્ઞા જ માનીશ, બીજું કંઈ નહીં માનું. અને એમ માનવાથી જ, એ માન્યતા રહેવાથી – તે સાથે જે મરણ છે તે – સમાધિમરણ છે.” (પ્રભુશ્રીજીને બધી જ્ઞાની પુરુષે શાતા કરતાં અશાતાને કલ્યાણકારી માને છે; કારણ કે શાતા વખતે અનેક પ્રવૃત્તિમાં ચિત્ત રાખવું પડે છે, અશાતા વખતે અનેક વ્યર્થ પ્રવૃત્તિઓ અટકે છે, ધર્મધ્યાનની ભાવના જાગે છે કે પ્રબળ બને છે, દેહનું સ્વરૂપ વિશ્વાસઘાતી મિત્ર સમાન જ્ઞાનીઓએ વર્ણવ્યું છે તેની પ્રતીતિ થાય છે ઘણું સાચવવા છતાં, વેદનાની મૂર્તિરૂપ તેને સ્વભાવ કૂતરાની પૂછડી સમાન ટાળ્યો ટળતું નથી, તેનું અનિત્ય, અસાર સ્વરૂપ સમજાતાં સમજુ જીવને ભવિષ્યને માટે તેની ચિંતા, તેની શોભા, તેના આધારે સુખની કલ્પનાઓ સંબંધી મંદ આદર થાય છે અને દેહ છતાં દેહાતીત સ્વરૂપે રહેતા પરમ જ્ઞાનીપુરુષના માર્ગને યથાર્થ આરાધવાને નિશ્ચય દૃઢ થાય છે. તદ્દન અસહાય અવસ્થામાં પરમશરણરૂપ પરમકૃપાળુદેવનું યોગબળ ગત ચમત્કારરૂપ, અનેક ભવ્ય જીને અત્યંત વેદના વેદતાં સ્પષ્ટ સમજા છે, તે શ્રી અનાથી મુનિ સમાન ભવ્ય જીવેને જીવન-પલટાનું પ્રબળ કારણ થઈ પડે છે. સંસ્કારી જીવેને અશાતા વેદનીય અવનવા અનુભવ કરાવે છે એ લક્ષ રાખી ખરી નિવૃત્તિને કાળ સમજી, ભાવિ જીવનનો Page #509 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ બાધામૃત ધ્યેય નક્કી કરવા યોગ્ય પ્રસંગ સમજુ જીવે સમજવા યોગ્ય છેજ. પ. પૂ. પ્રભુશ્રીજીને પણ તેવા પ્રસંગમાં ઘણું આગળ વધવાનું બનેલું છે. છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૫૧૮ અગાસ, તા. ૨૫-૮-૪૪ તત્ ૐ સત્ ભાદરવા સુદ ૭, ૨૦૦૦ જીવનો મોટામાં મોટો દોષ મારો હિસાબ તપાસતાં મને તે શિથિલતા સમજાય છે. શિથિલતા ટાળવી જીવને વસમી લાગે છે, પણ વિકટ પુરુષાર્થ વિશેષ જાગૃતિ વધારીને શિથિલતા હવે તે વેળાસર ટાળવાયેગ્ય છેજ. સત્સંગથી જ જીવનું કલ્યાણ થાય છે એ પ્રથમમાં પ્રથમ જીવને નિશ્ચય જોઈએ, અને તેને માટે જે વિધ્રો નડતાં હોય તેના ઉપાય અપક્ષપાતપણે વિચારી, શિથિલતાને માથે ઘણું પડે તેવા નિશ્ચય-બળની જરૂર છે. પરમકૃપાળુદેવે એક વાક્ય લખેલું સ્મૃતિમાં આવવાથી લખીને ટૂંકામાં પતાવવા ધારેલે આ પત્ર પૂરે કરું છું જીઃ જીવનું મૂઢપણું ફરી ફરી, ક્ષણે ક્ષણે, પ્રસંગે પ્રસંગે વિચારવામાં જે સચેતપણું ન રાખવામાં આવ્યું, તે આ જોગ બન્યો તે પણ વૃથા છે.” (૪૭૯) ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૫૧૯ અગાસ, ભાદરવા સુદ ૮, ૨૦૦૦ વેદનીય કર્મ શાતા-અશાતારૂપે ઉદય આવે છે અને આત્માને સુખ-દુઃખ બન્ને વિભાવનાં કારણ છે, એ સમજ વિરલા જીવને રહે છે. જેવું નિમિત્ત મળે તે રૂપે થઈને જીવ ઊભે રહે છે'. આ ભૂલ જ્ઞાની પુરુષોએ દીઠી, ત્યારથી તે શાતાની પણ ઈચ્છા છેડી, પરમ સુખસ્વરૂપ પરમાનંદી સહજાનંદી શુદ્ધ નિરંજન પરમાત્મસ્વરૂપની જ ભાવનામાં લીન થવાને અભ્યાસ આદરે છે. જેને પરમજ્ઞાની પુરુષની શ્રદ્ધા થઈ છે કે એક આ પરમકૃપાળુદેવ જ મને આ ભવમાં પરોપકારી છે, તેવા મુમુક્ષુઓ પણ વેદનીયકર્મના ઉદય વખતે તેમાં તદ્રપ ન બની જવાય માટે તે જ્ઞાનાવતાર પુરુષનું અનન્યભાવે શરણ ગ્રહે છે અને દઢ ભાવનાથી તેની આજ્ઞામાં ચિત્તને ચૂંટાડી રાખે છેજી. તીવ્ર વેદના વખતે પણ બને તેટલી ખેંચ, પુરુષાર્થ તે પરમજ્ઞાનીપુરુષના શરણમાં રહેવાનું રહે છેજી તથા પ્રાર્થના કરે છે કે “કૃપા કરીને રાખજે, ચરણતળે ગ્રહી હાથ રે, ધરમ પરમ અરનાથને,” તથા માને છે કે “મોટાને ઉલ્લંગ, બેઠાને શી ચિંતા તિમ પ્રભુચરણ પસાય, સેવક થયા નિચિંતા” પ્રભુપદ વળગ્યા તે રહ્યા તાજા, અળગા અંગ ન સાજા રે, મનમોહન સ્વામી વાચક યશ કહે અવર ન ધ્યાઉં, એ પ્રભુના ગુણ ગાઉં રે, મનમેહન સ્વામી.” “જે સેવક સંભારજી, અંતરયામી રે આપ; યશ કહે તે મુજ મન તજી, ટળશે સઘળો સંતાપ; સોભાગી જિન, તુમશું મુજ મન નેહ.” “જ્ઞાની કે અજ્ઞાની જન, સુખદુઃખ રહિત ન કેય; જ્ઞાની વેદે પૈયેથી, અજ્ઞાની વેદે રોય.” Page #510 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ४८७ આમ હિંમત રાખીને વેદે તેને નવાં કર્મ બહુ ન બંધાય, અને કાયર બની બૂમ પાડીને આર્તધ્યાન કરતાં વેદે તેપણ કર્મનું ફળ તે ભેગવવું પડે, પણ આ ધ્યાનથી આકરાં કર્મ બંધાય અને જે આયુષ્યને બંધ તેવે વખતે પડે તે તિર્યંચ એટલે પશુગતિ બંધાય. આમ જાણી “હું દુઃખી છું, હું દુઃખી છું એવું આર્તધ્યાન તજી “તમે પરિપૂર્ણ સુખી છે એમ માને” (૧૪૩) એમ કૃપાળુદેવે કહેલું યાદ રાખી તેવી ભાવના ભાવવી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૫૨૦ અગાસ, તા. ૨૯-૭–૪૪ તત સત્ ભાદરવા સુદ ૧૧, ૨૦૦૦ આપે જે જે શુભ ભાવનાઓ દર્શાવી છે, તે પરમકૃપાળુદેવની જાણબહાર નથી. જેટલી આપણી યોગ્યતા, વૈરાગ્ય, મોક્ષની રુચિ, તે પ્રમાણમાં તે પરમકૃપાળુ પરમાત્માની કૃપા નિરંતર વગર માગ્યે મળ્યા જ કરે છેછે. આપણને દેખાય કે ન દેખાય તે પણ તેની કૃપા કર્મની પેઠે અદેશ્યપણે કામ કર્યું જ જાય છેજી. ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજી કહેતા – તું બાંધ અને હું છોડું, તું બાંધ અને હું છોડું એમ થયા કરે છે. “શ્રદ્ધા પરમ દુહા તે પરમપુરુષ શ્રીમદ્ રાજચંદ્ર કૃપાળુદેવનું આ ભવમાં જેણે દઢ શરણ ગ્રહ્યું છે, તેણે કહ્યું છે તે જ છૂટવાનો માર્ગ છે, મારી શક્તિ પ્રમાણે મારે તે આરાધો છે; તેની આજ્ઞા મારે શિર પર ચઢાવી મારું આત્મહિત કરવા અર્થે આટલે ભવ પાપથી ડરતા રહીને ગાળ છે એ જેને દઢ અંતઃકરણથી નિર્ણય છે તેને ગમે તેવા સંગોમાં પણ છૂટવાનું જ બને છે. અજ્ઞાન એ જ અનંત પરિભ્રમણનું કારણ છે તેથી નિવૃત્ત થવાની જેની બુદ્ધિ થઈ છે અને સત્સંગ સપુરુષને સમાગમ આરાધવા જેને નિર્ણય છે તેને પછી જે પૂર્વસંચિત કર્મ છે તે જ અજ્ઞાનના આધારરૂપ છે; અને તે કર્મ તે સમયે સમયે ઉદય આવીને ચાલ્યું જાય છે એટલે કર્મ દૂર થતાં અજ્ઞાન નિરાધાર થઈ નાશ પામે છેજી, આમ પરમકૃપાળુદેવે પ્રકાડ્યું છે. કલ્યાણનું કારણ પુરુષ પ્રત્યે અચળ નિષ્કામ ભક્તિ, તેની આજ્ઞાની ઉપાસના અને ભાવના છે. તે અર્થે ત્યાગ, વૈરાગ્ય, જપ, તપ, દાન આદિ સાધના કર્તવ્ય છે. પૂનું લખેલું કાર્ડ મળ્યું છે. તેમણે તપશ્ચર્યા આદરી પૂર્ણ કરી છે તેમ કર્મના તાપને સમભાવે સહન કરી પરમ શાંતિપદ પામવામાં પુરુષાર્થ અખંડ રાખે અને પરમકૃપાળુ દેવની કૃપાથી તે માર્ગે આગળ વધે એ ભાવના ભાવું છું. ઈચ્છા-નિધિને તપ કહેલ છે. પરમ ઉદાસીનતાના પ્રતાપે ઈચ્છાઓ ઊગવા પામે નહીં અને પૂર્વ કર્મના ધક્કાથી ઈચ્છા ઊઠે તે પરમકૃપાળુદેવના બેધબળે મંદ પડી જાય, નિર્મૂળ થતી જાય અને પૂર્ણ-કામતા, નિસ્પૃહતા, પરમવીતરાગતાને લક્ષ રહ્યા કરે એ જ સાચો પુરુષાર્થ છે. જેની જેવી ભાવનાની પ્રબળતા, તેને તેવી સિદ્ધિની પ્રાપ્તિ થાય છેજ. માટે જ્ઞાની પુરુષે “આતમભાવના ભાવમાં જીવ લહે. કેવળજ્ઞાન રે” એ લક્ષ આપણને ઉપદે છે તે ભૂલવા ગ્ય નથીજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #511 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ બેધામૃત પર૧ અગાસ, ભાદરવા સુદ ૧૫, શનિ, ૨૦૦૦ ગમે ત્યાં પણ પરમકૃપાળુદેવની ભક્તિથી આપણું અંતઃકરણ નિર્દોષ કરવા યોગ્ય છે. મરણનું આવવું અવશ્ય છે, પણ તે અનિયત હેવાથી તેની તૈયારી વિચારવાન જીવે કરતા રહેવી ઘટે છેજી. પરમકૃપાળુદેવનું શરણ દઢતાપૂર્વક આ ભવમાં રહે છે તે બની શકે તેમ છે. શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૫૨૨ અગાસ, ભાદરવા સુદ ૧૫ કષાયની ઉપશાંતતા, માત્ર મેક્ષ અભિલાષ; ભવે ખેદ પ્રાણુ દયા, ત્યાં આત્માર્થ નિવાસ.” પૂ. એ ગાથાને વિશેષ અર્થ જાણવા અભિલાષા રાખે છે, તેના ઉત્તરમાં જણાવવાનું કે જીવને સમ્યકત્વની પ્રાપ્તિ કે તેના કારણરૂપ જે શમ, સંવેગ, નિવેદ, અનુકંપા, આસ્થારૂપ લક્ષણે કહ્યાં છે તેના સારરૂપ આ ગાથા છે. તે વિષે પરમકૃપાળુદેવે પત્રાંક ૧૩૫ લખેલ છે તે વારંવાર વાંચી, બને તે મુખપાઠ કરી તેની ભાવના કર્તવ્ય છે. ઘણી વાર વાંચીએ છીએ, સમજીએ છીએ, સમજવા પુરુષાર્થ કરીએ છીએ, છતાં તેમાં કહ્યું હોય તેમ નહીં કરીએ ત્યાં સુધી, જેમ દવા ખાધા વિના ગુણ કરે નહીં તેમ જ્યાં સુધી કષાયાદિ ઓછા નહીં કરીએ, મેક્ષ સિવાયની બીજી ઈચ્છાઓ ઓછી નહીં કરીએ તથા ભવભ્રમણનાં કારણે નહીં ટાળીએ અને એ રીતે પરમકૃપાળુનાં પરમ ઉપકારી વચનેમાં આસ્થા રાખી આ જીવને કર્મલેશથી બચાવવાની દયા નહીં રાખીએ ત્યાં સુધી આપણે જાણેલું, ભણેલું કે સમજેલું શા કામનું? માટે હવે તે બને તેટલી શાંતિ હૃદયમાં વસતી જાય; દિન દિન તેમાં વૃદ્ધિ થતી જાય; મેક્ષ માટે ખરા જિગરથી સૂરણ જાગે; સંસારની મેહજાળથી મુઝાઈ જીવ કંટાળતે જાય; લાખ રૂપિયા કમાય તે પણ સંતોષ ન થાય, પણ કરવા યોગ્ય છે તે પડ્યું રહે છે તે હદયમાં સાલતું રહે, ખટક્યા કરે; અને પરમકૃપાળુએ અનંત દયા કરી આ જીવને મંત્ર-સ્મરણાદિ નિરંતર અતિમાં રાખવા યોગ્ય આજ્ઞા કરી છે તેનું ક્ષણ પણ વિસ્મરણ ન થાય તેવી જાગતિ રહ્યા કરે તેમાં જ તલીનતા વધતી જાય અને આ પ્રકારે પોતે પોતાને મિત્ર બની, તેને અનંત પરિભ્રમણથી બચાવનાર, ખરે દયાને માર્ગ બતાવનાર, દોરનાર બને તેવું કંઈ ને કંઈ પુરુષાર્થ કર્યા વિના દિવસ ન જાય તેમ કરતા રહેવું ઘટે છે. ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજી વારંવાર પિકાર કરીને કહેતા કે યેગ્યતા લાવે, યોગ્યતા લાવે; તારી વારે વાર, થઈ જા તૈયાર; શું કરવા આવ્યું છે અને શું કરે છે? એ વચને સંભારતા રહી મોહનિદ્રામાંથી હવે તે જાગી જવું ઘટે છેજી. પોતે જ કરવું પડશે. સંસારના પ્રપંચમાં તેની વિસ્મૃતિ થઈ જાય છે. માટે સત્સંગની નિરંતર ભાવના રાખી બને તેટલે સત્સંગ સેવાયા કરશે તે જરૂર જીવપિતાનું હિત કરવા પ્રેરાશે. કેઈને માટે ક્યાં કરવું છે? ખરે સ્વાર્થ જ એ છે, પણ મેહ આડે તે ખબર પડતી નથી અને આવા ભયંકર કાળમાં તે વહેલું ચેતી લેવા જેવું છે. કાળની કોને ખબર છે? લીધે કે લેશે એમ થઈ રહ્યું છે તે હવે પ્રમાદ કરવાથી શું વળવાનું છે? જેનાથી જેટલું બને તેટલું આ ભવમાં કરી છૂટવા જેવું છે. ફરી ફરી આ અવસર Page #512 -------------------------------------------------------------------------- ________________ પગસુધા આવો દુર્લભ છે, માટે લીધે તે લહાવ, બળતામાંથી જેટલું કાઢી લીધું તેટલું તે બચ્યું એમ ગણી એક ક્ષણ પણ પ્રમાદ કર્તવ્ય નથી જ. વિશેષ શું લખવું? આપે પૂછ્યું તેને પરમાર્થ જ્ઞાનીગમ્ય છે, પણ આપણાથી બને તેટલી ગ્યતા તેને શરણે વધારીશું તો તેને ઉકેલ હૃદયમાં આપોઆપ થયા વિના નહીં રહે. “પરપ્રેમપ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમભેદ સુઉર બર્સ” – એમ પિતે કહેલું છેજી તે હવે કરી લેવા વિનંતી છે જી. શાંતિઃ શાંતિઃ શાંતિઃ પરે૩ અગાસ, તા. ૫-૯-૪૪ તત્ સત્ ભાદરવા વદ ૩, ૨૦૦૦ આપની પરમાર્થ સંબંધી ભાવના આત્મહિત અર્થે વાંચી તે પ્રત્યે અનુમોદનની લાગણી થઈ છે. જે પુરુષને આત્મજ્ઞાની સદ્ગુરુનાં દર્શન, સમાગમ, સેવા, ભક્તિ, આજ્ઞાાસિરૂપ મહાભાગ્યને લાભ આ ભવમાં થયું છે તેણે નાશવંત, અસાર અને કર્મબંધકારી અને નિંદવા ગ્ય અહિત પ્રવર્તનથી ભાવ ઉઠાવી આત્મહિતકારી શાશ્વત પ્રશસ્ત કર્મક્ષયકારી જ્ઞાનીએ કહેલી પ્રવૃત્તિ આદરવા યોગ્ય છેજી. કુસંગથી અનંતકાળ પરિભ્રમણ અને અનંત દુઃખ પ્રાપ્ત કરી પિતે પિતાને શત્રુ બની પ્રવર્તી રહ્યો છે. હવે પરમપુરુષનાં વચનના વાચન, વિચાર અને આશયમાં વૃત્તિ વાળી, બલબુદ્ધિ ટાળી, એક આત્મહિતના ભૂલ વગરના માર્ગે જીવન વ્યતીત કરવા યોગ્ય છે”. સમાધિમરણ જે રાહથી પ્રાપ્ત થાય તેમાં વિશેષ શ્રમ વેઠી આ ઉત્તમ નરભવ સફળ કરવા યોગ્ય છે.જી. આવો યુગ ફરી ફરી મળનાર નથી. # શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૫૨૪ અગાસ, તા. ૬-૯-૪૪ તત્ સત્ ભાદરવા વદ ૪, બુધ, ૨૦૦૦ હરિગીત – પરમાર્થ દષ્ટિ શીખવે હણતું ન કોઈ કોઈને, ખમવું બધું પરમાર્થ અર્થે કલેશ-કારણ ખેઈને સંગ સર્વે છૂટશે, પણ જાણનારો જોઈ લે, સમજી જ ના શેક કરતા, લાભ સાચો લઈ લે. ભાવાર્થ : નિશ્ચયનયથી એટલે વસ્તુના મૂળસ્વરૂપને વિચાર કરતાં, પરમાર્થને પામેલા પુરુષની એવી શિખામણ છે કે કોઈ જીવ બીજા જીવને હણી શકતા નથી, મારી નાખતે નથી; કારણ કે આયુષ્યકર્મ કઈ ફેરવી શકતું નથી. (પ. પૂ. પ્રભુશ્રીજી કહેતાઃ “જીવને મારી નાખે જોઈએ ? મરી શકશે? અમર આત્મા મરે નહીં.”) ત્યારે હિંસા શું છે? તે કહે પ્રમાદને આધીન થઈ અન્ય પ્રાણીના પ્રાણને વધ કરે, નાશ કર. બીજા જીવનાં પરિણામ લેશિત દુઃખી થાય છે તે તેની હિંસા છે અને આપણે ઉપગ ચકી પ્રમાદને વશ થયા, તે આપણા આત્માની ઘાત છે. “ઉપગ એ ધર્મ” એમ પરમકૃપાળુદેવે કહ્યું છે. તે શુદ્ધ ઉપગ જ્ઞાનીએ જે જાણે છે તે મારે આત્મા છે તેને લક્ષ ચુકાય છે ત્યાં આપણા આત્માની હિંસા થાય છે. બીજા જીવના પ્રાણ ન દુભાય તે પણ આપણા આત્માની ઘાત થાય છે તે પાપ છે. “આત્મઘાતી મહાપાપી.” “ક્ષણ ક્ષણ ભયંકર ભાવમારણે કાં અહ! રાચી Page #513 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦ ધામૃત રહે?” એમ “બહુ પુણ્યકેરા પુંજથી પદમાં કહેલું છે ત્યાં પણ ઉપયોગ ચૂકી જીવ પરભાવમાં રમણ કરી રહે છે તે પિતાનું ભાવમરણ છે. તેને માટે આપણને સ્મરણમંત્ર મળે છે તેને અહોરાત્ર જાપ થયા કરે એવી ટેવ પાડી વૃત્તિ જ્ઞાનીની આજ્ઞામાં રાખવાથી ભાવમરણ કે આત્મઘાત – પિતાની હિંસા થતી જીવ બચાવી શકે. આમ થવા માટે બીજા ગમે તે કહે, દુઃખ દે, વ્યાધિ-પીડાથી વિઘ આવે પણ સ્મરણમાં લક્ષ રાખી બધું ખમી ખૂંદવું. પિતાનાં પરિણામ લેશિત ન કરવાં. શા માટે? પરમાર્થ – આત્માર્થ સાધવા માટે. લેશનાં કારણોથી દૂર રહેવું અને આવી પડે તો પણ ક્લેશિત પરિણામ એ જ આત્માની ઘાત છે એમ જાણી તેવા ભાવ ભૂલી જઈ આત્મા પરમાનંદરૂપ જ્ઞાનીએ કહ્યો છે તે માટે રાખવા પ્રયત્ન કરે છે. ભૂંડું કરે તેનું પણ મારે ભલું ઈરછવું. સંયોગ જોવા મળે છે, તેવા નિમિત્તમાં જીવ રાગદ્વેષ કરે છે, તેથી મુક્ત થવા કહે છેઃ સંગે બધા છૂટી જવાના છે, તે નાશવંત વસ્તુ માટે મારા આત્માને શા માટે લેશિત કરું? સર્વ અવસ્થામાં, રાગ કે દ્વેષ વખતે તેમ જ ભક્તિ કે સ્મરણ વખતે આત્મા હાજર જ છે. તેના તરફ ઉપયોગ દેવાની ટેવ હવે તે માટે પાડવી ઘટે છે. માટે જે થઈ ગઈ તે વસ્તુ ઉપરથી શિખામણ લઈ, તે દોષ ફરી નથી થવા દેવો એવો નિશ્ચય કરી આ મનુષ્યભવમાં જ્ઞાનીપુરુષ મળ્યા છે તેમણે આજ્ઞા આપી છે, ચેતાવ્યા છે તો તેમનું કહેલું કરી આ મનુષ્યભવ સફળ કરી સમાધિ-મરણ કરવાને લાભ જરૂર લઈ લે ઘટે છેજી. આ ટૂંકામાં છેલ્લી કડીને અર્થ છે તે તમે લખેલા પત્રના ઉત્તરરૂપ સમજવા જેવો છેજ. બની ગયેલ વાત ભૂલી જઈ ભવિષ્યની સંભાળ લેવી ઘટે. તમે પત્ર લખે છે તે ઊકલે છે. અક્ષર નહીં ઊકલે એવા ડરથી પત્ર લખતાં અચકા વાની જરૂર નથી. કંઈ પૂછવું હોય કે મૂંઝવણ હોય તેને ખુલાસો થયે નિઃશંકતા થવાને સંભવ છેછે. ચિત્તને સ્વભાવ ગડમથલ કરવાનો છે અને મનની અશાંતિ શારીરિક અશાંતિ કરતાં વધારે ભયંકર છે. “મન બાળવા કરતાં હાથ બાળવા સારા” એમ કહેવત છે. શરીરના દુઃખ પણ મનમાં જેટલો દેહાધ્યાસ છે તે પ્રમાણે વેદાય છે. શરીરને ગમે તેમ છે તે પણ મારા પરિણામ આત્માનું – જ્ઞાનીની આજ્ઞાનું – વિસ્મરણ કરાવે તેવા થવા દેવા નથી આમ જેને નિર્ણય હોય તે શરીરની પીડા સહન કરતાં પણ આત્મા અઘ, અભેદ્ય, જરા, મરણ, વ્યાધિ આદિથી રહિત છે એવી ભાવના ટકાવી શકે છે. જેની વિશેષ દઢતા, સહનશીલતા હોય અને આત્મભાન સહિત હેય તેને શરીરનાં દુઃખમાં ઉપગ પણ ન જાય અને આત્મદશામાં મગ્ન રહી શકે છે. કહ્યું છે કે – “આત્મભાવે રહ્યા છે તે બાહો છે વ્યવહારથી; અપૂર્વ પરમાનંદ યોગી લે સ્થિર યુગથી. બાહ્ય દુખે દુઃખી તે, યેગી ખેદ ન ધાર; કર્મ કાષ્ટ બળે ઉગ્ર આત્માનંદ પ્રકાશતે.” શ્રી ગજસુકુમારને અસહ્ય વેદનીમાં પણ મોક્ષમાર્ગરૂપ શુદ્ધ ઉપગ રહેવાથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ મોક્ષ થયે હતું. શ્રી દેવકરણછ મુનિને ક્લેરફેર્મ સુંઘાડ્યા વિના સાત વાર પગનું ઑપરેશન કર્યું અને છેલ્લી વખતે દેહ છૂટી ગયે પણ પરમકૃપાળુદેવનું શરણ Page #514 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૪૯૧ ન છોડ્યું, તે મહાપુરુષને આશ્રયે દેહ છોડી સ્વરૂપપ્રાપ્તિ કરી લીધી. આપણે માટે પણ એ જ માર્ગ છે. સમાધિમરણ કરવું હોય તેને તે વેદનીયકર્મ આવકારદાયક છે. સમાધિમરણ વખતે કેવા ભાવ રાખવા? તે શીખવાની નિશાળરૂપ અશાતાદનીય છે. શાતા વેદનીયમાં દેહ ને આત્મા ભિન્ન છે એમ સાંભળેલું દુઃખ આબે ખસી જાય છે, પણ વેદના ભોગવતાં ભેગવતાં દેહના ધર્મ અને આત્માના ધર્મ ભિન્ન વિચારીને ભાવના કરી હોય તે તે તૈયારી આખરે સમાધિમરણ કરાવે છે. જેને પુરુષને વેગ થયું છે તેણે તે વેદનીયકર્મથી ડરવા જેવું નથી. જેટલું આવવું હોય તેટલું આવે. સ્વસ્થતા છે ત્યાં સુધી જે ભેગવી લીધું તેટલું છેવટે નડશે નહીં. ગયું તે ગયું, નવું ન બંધાય તેની સંભાળ લેવાની છે. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ પર૫ અગાસ, તા. ૬-૯-૪૪ તઃ ૐ સત્ ભાદરવા વદ ૪, બુધ, ૨૦૦૦ ક્ષમાશૂર અહે પ્રભુ, ક્ષમા આદિ ગુણ ધાર; આત્માથે ઉપાસવા, પર્યુષણ દિન સાર. આપની ભાવના આત્મકલ્યાણ અર્થે રહેતી હોવાથી, કંઈ તે સંબંધી નથી બનતું તથા મંદભાવ થઈ જાય છે તેમ લાગે છે તે ફેરવવા તમારી ભાવના છે, તે પ્રશસ્ત છે. સંસારનું સ્વરૂપ જીવ વિચારે તે તેમાંથી કંઈ તેની સાથે આવે તેવું જણાતું નથી. ઊલટું કર્મબંધનાં કારણેથી ભરપૂર આ સંસાર વિચારવાનને સ્પષ્ટ સમજાય છે. તેથી જ આવા અસાર સંસાર ઉપરથી મેહ છોડી ચક્રવર્તી જેવા આત્મકલ્યાણ કર્વા ચાલી નીકળ્યા અને આ જીવને જાણે કેટલીય સાહ્યબી હોય તેમ તેવાં દષ્ટાંતે તરફ નજર સરખી નાખતું નથી અને મૂઢતામાં ને મૂઢતામાં વિષ્ટાના કીડાની પેઠે જ્યાં જન્મે છે ત્યાં જ આનંદ માની રહ્યો છે. હવે તે જીવે જરૂર ચેતી નકામી કડાકૂટ માની આ સંસારને મેહ મંદ કરી, નિર્મૂળ કરવા યંગ્ય છે. બીજા ભવમાં કંઈ બનનાર નથી. મનુષ્યભવમાં કંઈક વિચાર, વૈરાગ્ય કે આત્મસાધન બની શકે તે જેગ મળે છે, ત્યાં જીવ પાછે અનાદિના પાંચ ઈન્દ્રિયના વિષય અને ક્રોધાદિ કષાયોની પંચાતમાં પડી ડહાપણ કૂટે છે. તેમાંનું જીવને કંઈ જ કામનું નથી એ વિચાર દઢ કરી એક મંત્રમાં વૃત્તિને વારંવાર વાળવા યેગ્ય છે જ. જ્ઞાનીની આજ્ઞાના આલંબન વિના આ જીવનું કદી કલ્યાણ થવું ઘટતું નથી, તે તે આલંબન વિનાને કાળ જાય છે, તે વ્યર્થ ભવ હારી જવાય છે એટલે ખટકે જરૂર દિલમાં રાખવાગ્ય છેજ. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, ભાદરવા વદ ૭, શનિ, ૨૦૦૦ તમે સટ્ટાની બાધાની માગણી કરી છે તે વાંચી પ્રસન્નતા થઈ છે. જોકે સાત વ્યસનમાં જ એક રીતે તેની બાધા તે આવી જાય છે, છતાં તમારા મનમાં એમ રહે છે કે તેની બાધા નથી લીધી અને હવેથી લેવી છે, તે તે પણ યોગ્ય છે. પણ પરમકૃપાળુદેવની સાક્ષીએ જે કોઈ નિયમ રાખીએ તે પ્રાણ જાય પણ ત્યાગ કરવા ગ્ય નથી જ, એવી તૈયારી થયે લેવા યોગ્ય છે. વ્યવહારમાં કેઈની સાથે બેલીથી બંધાઈ ગયા અને પછી ઘણું નુકસાન વેઠવું Page #515 -------------------------------------------------------------------------- ________________ બેધામૃત પડતું હોય તે પણ આબરૂની ખાતર બેલેલું સજજને પાળે છે, તે જેને આધારે આપણે મોક્ષ મેળવે છે એવા પરમકૃપાળુદેવની સાક્ષીએ કોઈ નિયમ લઈએ તે તેની આજ્ઞારૂપ તે બાધા શિરસાવંઘ ગણી, પાછું પગલું ભરવાને વિચાર જીવનપર્યત કરે ઘટતું નથી. તેવી દઢતા હાલ આપણામાં ન લાગતી હોય તે છ માસ, બાર માસ કરી લેવું કે મન દઢ રહે છે કે નહીં. નિયમ ન લીધો હોય છતાં મનમાં નિયમ લીધે છે એમ વિચારી એકાદ વર્ષ પિતાની દઢતાની પરીક્ષા કરી જોઈ, પછી નિયમ લેવાને વિચાર રાખવો હોય તે તે પણ સુવિચાર છે. અને જે અંતરથી આત્મા બળપૂર્વક નિર્ણય જણાવે તે હાલ પણ પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ તમે જણાવ્યું છે તેમ સટ્ટાને ત્યાગ કરવાનો નિયમ લઈ લેવામાં પ્રતિબંધ નથી. ૐ શાંતિઃ ૫૨૭ અગાસ, તા. ૯-૯-૪૪ તત્ સત્ ભાદરવા વદ ૭, શનિ, ૨૦૦૦ ખમાવું સર્વ જીને, સર્વે જીવે ખમે મને, મૈત્રી હે સર્વની સાથે, વૈરી માનું ન કેઈને. ક્ષમાશૂર અહંતુ પ્રભુ, ક્ષમા આદિ ગુણ ધાર; સૌને ખમી ખમાવવા, પર્યુષણ દિન સાર. જહાં દયા ત્યાં ધર્મ છે, જહાં લાભ ત્યાં પાપ; જહાં ક્રોધ ત્યાં કાળ છે, જહાં ક્ષમા ત્યાં આપ. કષાય અગ્નિ સમાન છે એમ કહેવાય છે, છતાં અહીં દરિયાપાર બનતી વાતે આટલું બધું પાણી ઓળંગીને આફ્રિકા સુધી પહોંચી બીજાનાં મન બાળે એવો કષાય-અગ્નિ તે કોઈ ચમત્કારી કહેવાય. આ પર્વ પર્યુષણ પર્વ કહેવાય છે એટલે આત્મ-આરાધન (પરિ + ઉપાસના) કરવા વર્ષમાં એક અઠવાડિયું નિશ્ચિત થયેલું છે. તેમાં મુખ્ય કાર્ય તે પિતાને આત્મા, ક્રોધાદિ કષાય અગ્નિમાં નિરંતર બળ્યા કરે છે તેને કોઈ શાંતિના સ્થળમાં જઈ સાંસારિક વાતાવરણ ભૂલી જઈ બળતાઝળતા આત્માને નિષ્કષાયભાવરૂપ ઉપશમ-જળમાં નવરાવી પવિત્ર કરવાનો ઉદેશ આ પર્વને છે. એવા શુભ ક્ષેત્રમાં સ્થાન ન બની શકે તે જ્યાં પ્રારબ્ધના ઉદયે વસવું થતું હોય ત્યાં પણ એક અઠવાડિયું બને તે માંદગીના જેવી રજા લઈને એકાંતવાસમાં પિતાના દેશે જોઈ દોષ ટાળવા પ્રયત્ન કરી અંતરશાંતિના પ્રયાસમાં રહેવું ઘટે છે. તે દિવસોમાં મોક્ષમાળા, ઉપદેશછાયા, જીવનકળા, આલેચનાદિ પદ સંગ્રહ, તત્વજ્ઞાન વગેરેમાંથી સદ્વાંચન, વિચાર અને કોઈ પાસે સત્સંગને વેગ હોય તે બે-ચાર મુમુક્ષુના સંગે ધર્મધ્યાન, જપ, તપ, ભક્તિભાવ, જ્ઞાનચર્ચાનું નિમિત્તે દર વર્ષે રાખવા ગ્ય છેજી. સર્વ છે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિરૂપ કાયાવાળા કે કીડા-કીડી, ભમરા ભમરી, માખી, પશુપંખી, મનુષ્ય માત્ર, દેવ, નરકવાસી આદિ જે કઈ છની સાથે આ ભવ પરભવમાં અથડામણ થઈ હોય, વેરવિરોધ થયાં હોય તે સર્વ જીવો પ્રત્યે ક્ષમા ઈરછી Page #516 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૪૯૩ નિવેરબુદ્ધિવાળા બની શાંત થવા યોગ્ય છે. એમ દર વર્ષે નામું માંડી વાળવાના અભ્યાસવાળાને લાંબાં કર્મ બાંધવાને વેગ ઓછો બની આવે છે. જેની સાથે અણબનાવ થયેલ હોય તેની સાથે માંડવાળ કરી લેવાની ભાવના દરેક મુમુક્ષુના હૃદયમાં હોય છે, તેમ કુટુંબીજને પણ પૂર્વને સંસ્કારે એકત્ર થયાં છે, તેમની સાથે પણ કઈ પણ પ્રકારની વેરબુદ્ધિ મનમાં રાખવી ઘટતી નથી. આપણા મનમાંથી કાઢી નાખવું કે “આ ખરાબ છે, દેષિત છે, મારું બગાડનાર છે, મારા કુટુંબને પજવનાર છે કે મારા પ્રત્યે અભાવ રાખનાર છે.” આવા ભાવ ભૂલી જઈ આજથી જાણે ન સંબંધ બંધાતું હોય તેમ ચેષ્મા-કેરા કાગળ જેવા થઈ જવું. મુખ્યપણે તે આપણું અંતર ચેખું કરવું છે અને તે આપણા હાથની વાત છે. જગતમાં મારે કોઈની સાથે વેર નથી, કેઈનું ભૂંડું મારે ઈચ્છવું નથી, ભૂંડું કરી ગયું હોય તેનું પણ ભલું જ. મારે તે ઈચ્છવું છે. આ પ્રકારની ભલાઈ રાખવાથી કઈ પણ પ્રકારે નુકસાન નથી, ઊલટી આત્મશાંતિ પ્રાપ્ત થવાની યોગ્યતા મળે છે. બીજાને આપણા પ્રત્યે અભાવ વર્તતે હોય અને તે કોઈ ઉપાયે ટળી શકે એમ લાગતું હોય તે તન, મન, ધનથી ન્યાયમાર્ગ ઉપાય લઈ લેવા. જે ન બની શકે તે આપણું મનનું સમાધાન કરી ભવિષ્યમાં તેના સદ્ભાગ્યે તેને ભલી મતિ પ્રાપ્ત થાઓ એવી ભાવના રાખી નિર્વેરબુદ્ધિ રાખવી તે સજજન પુરુષનું ભૂષણ છે. આ તે એક તમારા ચિત્તમાં શાંતિ ટકી રહે તેનું સૂચન માત્ર કર્યું છે. બાકી તમારે તે હાલ તે કઈ પ્રસંગ ત્યાં દૂર રહ્યાં છે નહીં. વર્તમાનમાં સારા ભાવ સેવતા રહેશે તે ભવિષ્યમાં કેમ વર્તવું તે આપોઆપ સૂઝી આવશે. આજથી તેની પંચાત કરવા જેવું નથી. કાલે શું થશે તેની કેને ખબર છે? મહેમાનની પેઠે આ સંસારમાં કેટલાય માણસ સાથે સંબંધ અનેક પ્રકારના થયા અને થવા હશે તે થશે, પણ ભલા માણસે પિતાની ભલાઈ તજવા ગ્ય નથી. પ. પૂ. પ્રભુશ્રીજી એક દૃષ્ટાંત કહેતા કે એક સંન્યાસી સાધુ નદીએ નાહવા ગયેલે તેણે પાણીમાં વીંછી તમે જોઈ દયા આવવાથી હાથમાં લઈ કિનારે મૂકવા વિચાર કર્યો, પણ હાથમાં લેતાં જ વીંછીએ ચટકે ભર્યો એટલે હાથમાંથી પાછા પાણીમાં પડી ગયે. ફરી તેણે તે વીંછીને હાથમાં લીધું કે ફરી ચટકે માર્યો, તે પણ ત્રીજી વખત તેણે તેને તણુતે બચાવી હાથમાં લીધે તે ત્રીજી વખત ચટકે માર્યો એટલે હાથમાંથી પડી ગયે. કિનારા પરના માણસે કહે, “ભાઈ! એ કરડ્યા કરે છે તે તું એને શા માટે ઝાલે છે?” તે સાધુએ કહ્યું, એને ધર્મ તે કરડવાને છે અને મારો ધર્મ દયા કરવાનું છે. એ એને ધર્મ નથી છેડતે તે હું મારે ધર્મ કેમ છડું ?” એમ કહી ચોથી વખત તેને હાથમાં લઈ કિનારે મૂકી દીધે. આ દષ્ટાંત આપણે વિચારવા જેવું છે. જિંદગીમાં અનેક વાર ઉપયોગી થાય તેવું છેજ. ગમે તે પ્રકારે પણ સ્વ-પર હિત થાય તેમ હોય તે લક્ષ રાખ. જે શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૫૨૮ અગાસ, તા. ૧૭-૯-૪૪ આપની ભાવના આશ્રમમાં આવવાની છે એમ પત્રમાં હતું. તે પુણ્યને ઉદય થાય ત્યારે જ બને છેજ. પણ સત્સંગની ભાવના તે નિરંતર કર્તવ્ય છે. ઉપાધિના પ્રસંગે પણ પિતે જ બાંધેલા છે, પિતાને જ ભેગવવાના છે, પણ બને તેટલી સમતાથી ભેગવવાની Page #517 -------------------------------------------------------------------------- ________________ ૪૯૪ આધામૃત ભાવના કર્તવ્ય છેજી. તેને બદલે વ્યાકુળ થઈ જઈ ખોટા વિચારાના પ્રવાહમાં તણાઈ રાગદ્વેષની વૃદ્ધિ કરે તેને અત્યારે નથી ગમતાં તેવાં કે તેથી આકરાં કર્મ બંધાય તે પણ આ ચાલુ કર્મ ઉપરાંત પેાતાને જ ભાગવવાનું ભાથું તૈયાર કરે છે. માટે નવાં કર્મ બંધાય છે, તે ભાવના આધારે ખ ́ધાય છે એવી સમજ રાખી, સમભાવથી કર્મ બંધાતાં નથી તે અર્થે જે જે સાધના ઉપયેાગી લાગે તે આ ભવમાં કરી લેવા ચેાગ્ય છે. પછી ખીજા ભવમાં કઈ બની શકે તેમ નથી; માટે ખેદ નહીં કરતાં શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં મોક્ષપાટણ સુલભ જ છે.” (૮૧૯) એ પરમકૃપાળુદેવનું વચન વિચારવા વારવાર ભલામણ છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૨૧-૯-૪૪ આસા સુદ ૪, ૨૦૦૦ ૫૨૯ તત્ સત્ જ્ઞાની કે અજ્ઞાની જન, સુખદુઃખરહિત ન કાય; જ્ઞાની વેદે ધૈર્યથી, અજ્ઞાની વેઠે રાય.’(૧૫) બાંધેલાં કર્મ કોઈ નિમિત્ત પામીને પૂર્વના પાપના ફળરૂપ અશાતાવેદનીરૂપ ફળ ચખાડે છે. તેવે પ્રસ ંગે જે જ્ઞાનીપુરુષા હોય છે, તેમણે દેહનું સ્વરૂપ નાશવત, અસાર, વેદનાની મૂર્તિરૂપ પ્રગટ જાણી તેના ઉપરનેા મેાહ છોડયો છે તેથી ધીરજ ધારણ કરી દેહમાં થતી વેદનાને વેઢે છેજી; સમભાવ કે આત્મભાવના વેદના વખતે પણ તજતા નથી. પણ એવી સમજણુ ન હેાય તેણે એવા પ્રગટ આત્મસ્વરૂપ પરમકૃપાળુ સદ્ગુરુને શરણે તેણે આપેલા સાધનમાં વૃત્તિ રોકી, જે આવ્યું છે તે પોતાનું જ પૂર્વનું કરેલું કર્મ પ્રગટ થયું તે ફળ આપી ચાલ્યું જશે, પણ નવું કર્મ ન બધાય માટે જ્ઞાનીએ જાણ્યા છે એવા આત્મા તથા તેની આજ્ઞા મારે આધારભૂત છે, તેને જ શરણે આ દેહ પૂરા થાએ, એ ભાવના રાખી ગમે તેટલાં દુઃખના પ્રસ`ગમાં પણ આર્ત્તધ્યાન એટલે હું દુઃખી છું, દુઃખી છું એવી ભાવનામાં ન ચઢી જવું. મંત્રનું સ્મરણુ ખળ કરીને પણુ ચાલુ રાખવું. એ જ એક આધાર છે. એ પ્રસંગે કરેલું ખળ એ વેઢનીનેા કાળ નીકળી ગયે પણ કામ આવશે, અને અત્યંત આકરા એવા મરણના પ્રસંગની તૈયારીરૂપ આ કાળ ગયા ગણાશે. જેટલી સહનશીલતા કેળવાઈ હશે તેટલા દુઃખને જો એ લાગશે. વેદનામાં વૃત્તિ તણાઈ જાય ત્યારે જાણવું કે હજી વધારે પ્રયત્ન કરવાની જરૂર છે. માટે આ મટી ગયા પછી પણ સત્તાધનમાં વિશેષ વૃત્તિ રાખી આત્મબળ વધારવાના દૃઢ નિશ્ચય પણ આવા પ્રસ`ગે બની આવે છેજી. અનાથી મુનિ, નમિરાજિષ વગેરેને વેદનાના વખતમાં એવી સુવિચારણા જાગી કે સ'સારનું સ્વરૂપ તેમને યથાર્થ ભાસ્યું અને તેવા સ'સારમાં ક્રી જન્મવું ન પડે તે અર્થે સસાર ત્યાગી એક આત્મા માં જ જીવન ગાળવા તત્પર બની ગયા. આમ દુઃખના પ્રસંગેામાં પણ મેાક્ષનાં કારણેા છુપાયેલાં છે તે સમજી આત્માર્થ પાષવાનુંકામ વિચારવાન જીવનું છેજી. ખીજાનાં દુઃખ દેખીને પણ ખુદ્ધ મહાત્મા જેવા ચેતી ગયા તા પેાતાની ઉપર આવી પડેલાં દુઃખના વિચાર કરી તેથી સર્વથા મુક્ત થવાની ભાવના મુમુક્ષુ જીવને કેમ ન થાય ? થાય જ. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #518 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૪૯૫ ૫૩૦ અગાસ, તા. ૨૪-૮-૪૪ જેને સરુ પ્રત્યે દઢ શ્રદ્ધા છે અને આ દેહે આ મસાધન કરી લેવાનો નિર્ણય છે તેને વિઘો પ્રતિકૂળ થવાને બદલે અનુકૂળ થાય છે. ખરી રીતે તે જેને ભાવ પરમાર્થઆરાધનામાં મંદ થતો જાય છે તે માંદો ગણાય. પરંતુ આ પૂર્વનાં પાપના ફળરૂપ અશાતા દૂર થતાં ધર્મ વિશેષ ઉત્સાહથી આરાધવે છે એવી જેની ભાવના રહેતી હોય તે મંદતા ભજતું નથી. ભાવ ઉપર મોટો આધાર છે. જોકે નિમિત્ત-આધીન ભાવે થાય છે પણ રુચિ કે નિર્ણયને ફેરવવાને વર્તમાન સંગે સમર્થ નથી. વર્તમાન સંગેની ઉપરવટ થઈને પણ રુચિ કે નિર્ણય પિતાનું સામર્થ્ય પ્રવતાવી શકે છેજ. આ વાતને ખાસ વિચાર કરી તેની તપાસમાં ઉપગ પ્રેરવા વિનંતી છેજ. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૫૩૧ અગાસ, તા. ૨૫-૯-૪૪ તત્ સત્ આ સુદ ૮, સોમ, ૨૦૦૦ પતિવ્રતા ભક્તિ વૃત્તિ, લહે ભગવત્ પદ સાર; વેશ્યાવૃત્તિ ભક્તિ થયે, ન લહે પ્રભુ-ભત્તર. ડગમગ ઠાલી શાની કરે ? તારું ધાર્યું ન થાય; ગમતું થાશે ગોવિંદનું, કેઈનું જાણ્યું ન જાય. મનજી મુસાફર રે, ચાલે નિજ દેશ ભણી; દેશે ઘણા દેખ્યા રે મુસાફરી થઈ છે ઘણ-મનજી” પૂ.બહેનને કાગળ હતું. તેમાં તે લખે છે – “મારા મોટા મામા ગુજરી ગયા તેથી મારી બાને બહુ જ આઘાત થયે છે.” શરીરની વેદના કરતાં પણ માનસિક વેદના વિશેષ દુઃખદાયી છે અને ઘણાં કર્મ બંધાવે છે એમ જ્ઞાની પુરુષે કહે છેજ. તેથી એવા પ્રસંગમાં સત્સંગ, સવાંચન, ભક્તિ, મંત્રના સ્મરણમાં રહેવું કે પોતાના મરણને વિચાર કરે કે મારે પણ સમાધિમરણ કરવાનું મહાન કામ કરવાનું હજી બાકી છે, તે જે બાબતમાં મારું કંઈ ચાલે તેવું નથી તેમાં ચિત્ત દેવું, તેને માટે ખેદ કર કે તેના વિચાર કરવા મને છાજે નહીં. ટ્રેનમાં બેસી સંઘ સાથે જાત્રાએ જવું હોય ને ટ્રેનને ટાઈમ થવા આવ્યું હોય ત્યારે બીજી નકામી વાત કરવામાં કઈ બેટી થતું નથી, તે હવે વૃદ્ધાવસ્થાને વખત તે ટ્રેનના ટાઈમ કરતાં વધારે અગત્યને ગણી જેટલું ભાગ્યમાં આ ભવમાં રહેવાનું હોય તેટલી ક્ષણે સન્માર્ગમાં જ જાય તે પ્રબંધ કરી રાખ ઘટે છે. ભરત ચક્રવત જે ઉદ્યોગ, છ ખંડની સંભાળ રાખનાર, તેણે પણ પરમાર્થ ન ચુકાય માટે એક નેકર રાખ્યો હતો કે તે વારંવાર પોકારે કે “ભરત ચેત, મરણ માથે ઝપાટા દેત.” તે આપણે જેવાએ તે બચતી ક્ષણે જ્ઞાનીની આજ્ઞા ઉઠાવવામાં ગાળવા ગ્ય છે. હવે તે એક પરમકૃપાળુદેવનું શરણ આ ભવમાં પુણ્યના ભેગે મળી આવ્યું છે તે તેને જ આશરે દેહ છોડે છે. પતિવ્રતા મીરાંબાઈ જેવી ભક્તિ લઈ મંડવા લાગ્યા છે. કર્યું તે કામ, કરીશું, કરીશું કરતાં કરતાં ઘણા મરણની જાળમાં ફસાઈ ગયા, તે આપણે બીજાના દાંતે Page #519 -------------------------------------------------------------------------- ________________ ૪૯૬ મેધામૃત પણ ચેતી લેવું કે અચાનક મરણુ આવી ઉપાડી જનાર છે, તે પહેલેથી બને તેટલું ધર્મધ્યાન કરી લેવું. આખરે પરાધીન અવસ્થા થશે ત્યારે કંઈ નહીં બને. માટે એક ક્ષણ પણ પરભાવમાં કે પરકથામાં ન જાય તેમ કરવા ભલામણ છેજી. રાજ મરણ સંભારીએ તેા વૈરાગ્ય આવે પણ જીવ બીજામાં રાચીને ભૂલી જાય છે. આખરે શું કામનું છે? તેના લક્ષ રહેતે નથી. પ. પૂ. પ્રભુશ્રીજીએ એધમાં કહેલું — શું કરવા આવ્યા છે? અને શું કરે છે?’’ આટલામાં તેા ઘણી ગહન વાત સમાય છે, પણ વૈરાગ્ય વિના હૃદયમાં આવી વાતા રહેતી નથી, પથ્થર ઉપર પાણીના રેલાની પેઠે વહી જાય છે. “કથા સુણી સુણી ફૂટથા કાન, તેાયે ન આવ્યું બ્રહ્મજ્ઞાન.” આવી ગાળા જ્ઞાનીપુરુષોએ દીધી છે, તેવી ગાળાને પાત્ર હવે નથી રહેવું એવે। દૃઢ નિશ્ચય કરી, તે જ્ઞાનીપુરુષની અનન્ય ભક્તિ કરી આત્મજ્ઞાન આ ભવમાં પ્રગટાવવું જ છે એવી દાઝ ઊંડી અંતરમાં રાખી ભક્તિમાં તદ્દીન થતાં શીખવાનું છેજી. ૫૩૨ અગાસ, તા. ૩૦-૯-૪૪ આપના પત્ર આજે મળ્યા. સમાચાર જાણ્યા. અશાતાવેદનીય દુઃખ ઉપરાંત ધર્મ આરાધનમાં 'તરાયનું નિમિત્ત છેજી પૂર્ણિમા તથા પડવાના દિવસે શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રના અવતારની તિથિ છે તથા પ. પૂ. પ્રભુશ્રીજીના જન્મદિનના મહાત્સવ તે જ દિવસે છે. તે શરીર સારું હોય તે સની સાથે દરેક ગાથાએ નમસ્કાર પણ થાય, પણ તેમ ન બને તે ત્યાં રહ્યા રહ્યા પણ ભાવના કરવી અને જે આવી પડ્યું છે તે સમભાવે સહન કરવાના લક્ષ રાખવે ઘટે છેજી. પ્રારબ્ધમાં હર્ષ શાક ન કરવો તે પુરુષાર્થ, સત્પુરુષાર્થ છે”. તે વખતે સ્મરણ, ભક્તિ તથા સત્પુરુષના સમાગમની સ્મૃતિ વગેરે ભાવનામાં ચિત્ત રાકવું અને શ્રી ગજસુકુમાર જેવા મહા વેદનામાં સમભાવ રાખી શક્યા તે મારે પણ કતવ્ય છે એમ હિંમત રાખી ધર્મધ્યાનમાં વૃત્તિ ટકાવી રાખવી. જ્યાં નિરૂપાયતા ત્યાં સહનશીલતા એ જ આધાર છેજી. પરાધીનપણું જીવે નરક, તિર્યંચગતિમાં ઘણાં દુ:ખો વેઠમાં છે તે સમજણપૂર્ણાંક આ ભવમાં સદ્ગુરુ શરણે જેટલું વેઠી લેવાશે તેટલા મેજો આછે થાય છેજી. “મૂળમાં ઘા કરવો. દેહ અને દેહના અંગે માતા, પિતા, સ્ત્રી, પુત્ર, સ્વજન, કુટુંબ, ધન વગેરે જે કંઈ ‘હું અને મારું' ગણાય છે, તેમાંનું કઈએ મારું નથી. એ સર્વ માત્ર મનની કલ્પના છે, ભ્રાંતિ છે. હું તે હે પરમાત્મા ! તમારું બિરુદ (મંત્ર) ગ્રહું છું, દીન અલ્પજ્ઞ ચરણરજ છું. એમ સમયે સમયે વિચારી — હું શુદ્ધ સચ્ચિદાનંદસ્વરૂપ આત્મા છું, સ્વભાવપરિણામી છું, જે સર્વ વિભાવિક સ્વરૂપ છે તે સ્વરૂપથી ભિન્ન છું, હું સર્વાંના દ્રષ્ટા છું – શ્રી સદ્ગુરુ દેવના મુખથી શ્રવણ થયેલ વચનામૃત વારંવાર વિચારવાં, તેમની મુખમુદ્રા અને ચારિત્ર વાર’વાર હૃદયમાં નિદિધ્યાસન કરવાં.'' ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૫૩૩ જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય, ઉત્તમ જહાં વિચાર; એ ભાવે શુભ ભાવના, તે ઊતરે ભવ પાર. અમાસ, તા. ૧-૧૦-૪૪ Page #520 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૪૭ આવે જ્યાં એવી દશા, સદ્ગુરુબોધ સુહાય; તે બોધ સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય. જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજજ્ઞાન; જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિર્વાણ.” – શ્રીમદ્ રાજચંદ્ર જીવને જ્ઞાનાવરણીય કર્મને ક્ષયે પશમ આંજી નાખે છે એટલે નવપૂર્વ ને ચૌદપૂર્વને વિસ્તાર વાંચી અધધધ થઈ જાય છે. પણ દર્શન મેહનું કાર્ય વિષ સમાન છે. દશ-પંદર મણ દૂધ કઈ વાસણમાં હોય પણ તેમાં નવટાંક સેમલ નાખે તે કઈ કામનું તે દૂધ રહે નહીં. તેમ ચૌદપૂર્વનું જ્ઞાન અને અગિયારમા ગુણસ્થાનક સુધીનું ચારિત્ર ને માત્ર દષ્ટિ ફરતાં, લેભ એટલે પુદ્ગલનું માહામ્ય લાગતાં જેને આધારે તે દશા થઈ હતી તે દેર હાથથી છૂટી જાય છે અને પહેલે ગુણસ્થાનકે આત્મશ્રદ્ધહીન થઈ પડે છે જી. સગુરુ આજ્ઞા જિનદશા, નિમિત્ત કારણમાંય” એમ શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રમાં જણાવ્યું છે. તે આધાર છૂટી જતાં તે જ્ઞાન ઉપર આવરણ આવ્યા પહેલાં એટલે હજી ચૌદ પૂર્વધારી કહેવાય પણ શ્રદ્ધાધન ખોઈ બેઠો તેથી લૌકિક છે જેવી વાસનાને આધીન થઈ પામર બની જાય છેજી. સમકિત નવિ લહ્યું રે એ તે રૂલ્ય ચતુર્ગતિમાંહી” એમ શ્રી દેવચંદ્રજીએ ગાયું છે અને પરમકૃપાળુદેવે પણ કહ્યું છે ? “અનાદિકાળના પરિભ્રમણમાં અનંત વાર શાસ્ત્રશ્રવણ, અનંત વાર વિદ્યાભ્યાસ, અનંત વાર જિનદીક્ષા, અનંત વાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે. માત્ર સત્ મળ્યા નથી, સત્ સુર્યું નથી અને સત્ શ્રધ્યું નથી અને એ મળે, એ સુયે અને એ શ્રધ્યે જ છૂટવાની વાર્તાને આત્માથી ભણકાર થશે.” (૧૬૬) “અઢા પરમ ટુરા” એવું વારંવાર પ. પૂ. પ્રભુશ્રીજી કહેતા. શાસ્ત્રજ્ઞાન દુર્લભ નથી, પણ સમ્યક્દર્શન દુર્લભ તે દુર્લભ જ છેજ. છૂટે દેહાધ્યાસ તે, નહિ કર્તા / કર્મ; નહિ ભક્તા તું તેહને, એ જ ધર્મને મર્મ.” આટલામાં બધાં શાસ્ત્રને સાર, ચારિત્રને સાર મૂકી દીધો છે. તે સમયે અને આચર્યું છૂટકે છે. વિશેષ શું કહેવું? આ કાળમાં પરમકૃપાળુદેવે પણ જેને માટે વારંવાર ગૂરણ કરી છે અને જેનું માહાસ્ય દર્શાવવા અનેક પત્રો લખ્યા છે એ એક સત્સંગ નામને પદાર્થ સર્વથી પહેલે નિરંતર ઉપાસવા ગ્ય છે, ભાવના કરવા યોગ્ય છેજ. તે સિવાય નિઃશંક થવાય તેમ નથી. માટે બનતા પ્રયને ગમે તેટલા ભેગે, શરીરની દરકાર જતી કરીને પણ સત્સંગ અર્થે આટલે ભવ ગાળ છે એમ નિર્ણય થશે તે જરૂર તમે જે ધારણું રાખો છો સમાધિમરણની, તેનું તે અચૂક કારણ છેજી. જોકે પુણ્યને ઉદય જીવને જોઈએ છીએ, તે વિના બનતું નથી. છતાં પુણ્યના ઉદયને પણ શિથિલ ચિત્તને લઈને નિષ્ફળતા મળે, ઢીલ થાય, ધકેલે જાય તે તે પુણ્યને ઉદય દિવસે દિવસે ખવાતે જાય અને પાપને ઉદય આવે ત્યારે કંઈ કરવું હોય તે પણ બનવું અશક્ય થઈ પડે તેમ છે. માટે ઘણી વખત ઉત્તર લખતાં લખતાં મનમાં એમ થઈ આવે છે કે તમને શિથિલતાનું કારણ આ પત્રવ્યવહાર તે નહીં થતું હોય? તેથી સંતોષ માની જીવ ઢીલે તે મૂળે છે અને ઢીલા થવાનું કારણ 32 Page #521 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮ બોધામૃત બને કે અહીં બેઠાં બેઠાં આપણે ખુલાસા થાય છે તે મુશ્કેલી શા માટે વેઠવી? એ વિચાર ટાળવા એગ્ય છેજી. # શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૫૩૪ અગાસ, તા. ૧૬-૧૦-૪૪ મુમુક્ષતાની વૃદ્ધિ થાય અને સદ્દગુરુના શરણની દઢતા થાય તેમ દિન દિન પુરુષાર્થ કર્તવ્ય છે”. જે જ્ઞાની પુરુષના જ્ઞાનમાં છે તે સર્વ સાચું છેજી. તેનું જ કહેલું મારું માનવું છે. આ ભવમાં તેનું સમ્મત કરેલું સમ્મત કરી, યથાશક્તિ તેને આશયે વર્તાય તેમ કરી આટલું પાછલા પહોરનું આયુષ્ય બાકી હોય તે તેને શરણે સમાપ્ત કરવું છે, એ જેને દઢ નિશ્ચય છે તેને નિઃશંકતા વર્તે છે. નહીં સમજાતું હોય તે કષાયની મંદતા થયે અને જ્ઞાનાવરણીય પાતળાં પડતાં સર્વ સ્પષ્ટ થતું જાય છે અને થઈ જશે એ અટળ દઢ શ્રદ્ધા રાખી, અંતર પરિણતિ નિર્મળ થાય તે ઉપગ, પુરુષાર્થ કર્તવ્ય છેo % શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૫૩૫ અગાસ, તા. ૧૬-૧૦-૪૪ વખત નકામો ન જાય અને સંસારના વિકલ્પથી આત્મા કશિત ન બને તેવી કાળજી નિરંતર રાખવા ગ્ય છે. પરમકૃપાળુદેવનાં વચને જેના ઘરમાં છે તે મહાભાગ્યશાળી ગણાય. તેવાં અમૃતતુલ્ય વચને તજીને જે કષાય અને અજ્ઞાની ના સમાગમને રૂડો માને છે કે મૂર્ખ ગણાય? “અવસર પામી આળસ કરશે, તે મૂરખમાં પહેલેજી, ભૂખ્યાને જેમ ઘેબર દેતાં હાથ ન માંડે ઘેલેજી; સેવે ભવિયાં વિમલ જિનેસર દુલહા સજ્જન સંગાઇ.” એમ યશોવિજયજીએ કહ્યું છે તેવી મૂર્ખતાવાળા આપણે ન બનીએ એટલે લક્ષ રાખી, પરમકૃપાળુદેવનાં વચને વાંચવામાં, ગોખવામાં, વિચારવામાં, તેમાં તન્મય થવામાં જેટલો વખત જશે તેટલું આયુષ્ય લેખાનું છે. બાકીને કાળ તે ધમણની પેઠે શ્વાસે શ્વાસ લેવામાં ને મૂકવામાં જાય છે. સત્સંગને યોગ ન હોય ત્યારે સત્સંગની ભાવના સાચા હૃદયથી કર્યા કરવાથી તે વેગ આવી પડે છે. શું થાય છે તે તે પ્રારબ્બાધીન છે. બધી કર્મની ઘટનામાં રાજી થવા જેવું નથી, અને ખેદ કરવા જેવું પણ નથી. જેમ પરમકૃપાળુદેવના જ્ઞાનમાં દેખાયું છે તેમ જ બન્યા જાય છે. તેમાં આપણે આડીઅવળી કલ્પના કરીને શા માટે નકામાં કર્મ બાંધવાં ? આજ સુધી જે બનનાર હતું તેમ બન્યું છે, હજી જ્યાં સુધી કર્મો હશે ત્યાં સુધી બનવાનું હશે તેમ બનશે. આપણું કામ કર્મના ઉદય વખતે સમભાવ રાખવાનું છે. મરણપર્યત પરમકૃપાળદેવનું શરણ ટકી રહે અને તે મહાપુરુષને આશરે દેહ છૂટે એવું આ ભવમાં કરવું છે એ નિર્ણય કરી, તે ભાવના જાગ્રત રાખતા રહેવા જેવી છે. કેને ખબર છે કે કાલે શું થશે ? માટે આજના દિવસમાં જેટલે ભક્તિ, ભજન, વિચારણાને વખત મળે તેટલે લહાવે લઈ લેવો. જતા દિવસમાં કંઈક શાંતિનું કારણ વધે તેવી ભાવના ભાવવી. Page #522 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૪૮૯ “પરમ શાંતિપદને ઈરછીએ એ જ આપણે સર્વસમ્મત ધર્મ છે, અને એ જ ઈચ્છામાં ને ઈચ્છામાં તે મળી જશે. માટે નિશ્ચિત રહો.” (૩૭) “તુજ વિયેગ કુરતો નથી, વચન-નયન યમ નાંહિ; નહિ ઉદાસ અનભક્તથી, તેમ હાદિક માંહિ.” નિત્યનિયમના અર્થની ચોપડી છપાઈ છે તે કાળજી રાખીને બધા અર્થ વાંચી હદયમાં ઊંડા ઉતારી છાપી લેવા યોગ્ય છેજ. “આત્મસિદ્ધિ-વિવેચન' વાંચતા હશોજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ પ૩૬ અગાસ, તા. ૧૭-૧૦-૧૯૪૪ આસો વદ ૦)), સં. ૨૦૦૦ તત્ છે. સત્ દીપોત્સવી દિન, સમાધિમરણપર્વ દેહરા – તારે ને આ દેહને, વિયેગની ક્યાં વાર? શાંતિ શાશ્વત જે ચહે, અહિંસાદિક વિચાર. (પ્રજ્ઞા ૭૧) સદ્ગુરુબોધ વિચાર વિરાગે, ઉપશમ જલમાં ઝીલે રે, તજી અનાદિ ગંદા ભાવ, આત્મદષ્ટિ-રસ પી લે રે. આત્મહિતાર્થે નિયમિત વૃત્તિ શખવી સદ્ગુરુ રાયે રે. સમ્યફદર્શન તે ધ્રુવ તારો દિશા સત્ય બતાવે રે, ત, નિયમ સૌ તેથી સવળાં, વર્તાવે સમ ભાવે છે. આત્મ (પ્રજ્ઞા) ૩૨) પરમકૃપાળુદેવે કહ્યું છે કે “કઈ પણ કારણે આ સંસારમાં લેશિત થવાયોગ્ય નથી.” (૪૬) “ખેદ નહીં કરતાં શૂરવીરપણું રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં મોક્ષપાટણ સુલભ જ છે.” (૮૧૯) આમ છે તે આપણે બીજું શું જોઈએ છે? મેક્ષ મળતા હોય તે આ બધું ભલે ચાલ્યું જાય. જીવને લેકલાજ બહુ આડી આવે છે, તેને જ્ઞાની પુરુષોએ અનંતાનુબંધી કષાયનું મૂળ કહ્યું છે. લો કે શું કહેશે? લેકમાં બેટું દેખાશે' એવા ડરથી જીવ આત્મકલ્યાણનાં કારણોથી દૂર રહ્યા કરે છે. જે લેકની જ જરૂર હોય તે લેક તે તેને પ્રાપ્ત થયેલું જ છે. લેકે કહે તેમ વર્તે તે પણ લોકોને બધાને તે કોઈ રાજી રાખી શકાયું નથી. તીર્થકર જેવાની ગોશાલા જેવા અન્યમતી નિંદા કરતા હતા. અલૌકિક માર્ગનું અવલંબન જીવ લે છે ત્યારે લોકો તેને લૌકિકમાં રાખવા બહુ સમજાવે છે, દબાવે છે અને ન ચાલે તે નિંદા કર્યા કરે છે. અનાદિકાળથી આમ જગતમાં થતું આવ્યું છે. પરંતુ જે શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ટકી રહ્યા તેમને મોક્ષપાટણ સુલભ જ છે એમ જ્ઞાની પુરુષો પિકાર કરીને કહે છે. આપણું કામ જ્ઞાનીનાં વચને ગ્રહણ કરી તેને આશય સમજી આપણું આત્મહિત સાધી લેવું એ જ છેજ. જેના ઘરમાં શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ છે, જેને પુરુષને યોગે પરમકૃપાળુદેવ પ્રત્યે ભક્તિ જાગી છે અને જેને સંસાર પ્રત્યે ઉદાસીનતા જાગી છે, એક મેક્ષની જ અભિલાષા વર્તે છે અને તે અર્થે સત્સંગને ઉત્તમ નિમિત્ત માની સત્સંગની ભાવના કર્યા કરે છે અને પુણ્યના ઉદયે સત્સંગની પ્રાપ્તિ થાય તે અપ્રમાદપણે સત્સંગે આત્મસુધારણું, સભ્રદ્ધા અને સદાચારની વૃદ્ધિ કરે છે તે આવા હડહડતા કળિકાળમાં પણ ભાગ્યશાળી છે. “વાય રે નવિ જાણે કળિયુગ વાયરે રે લે” એમ Page #523 -------------------------------------------------------------------------- ________________ પ૦૦ બેધામૃત સ્તવનમાં આવે છે. તેમ તે કળિકાળના ઝેરી વાતાવરણથી બચીને પરમ પુરુષના બોધરૂપ કપવૃક્ષની છાયાની શીતળતા વર્તમાનમાં અનુભવે છે અને ભવિષ્યમાં તે કલ્પવૃક્ષનાં અમૃતફળને પામશે. માટે પ્રારબ્ધ પ્રમાણે જે સંગે મળી આવે તેમાં તન્મય ન થતાં પરમકૃપાળુદેવનું શરણું, તેની ભક્તિ અને તેની પરમકૃપારૂપ મહામંત્રમાં વૃત્તિ રાખવા વિનંતી છે. શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ ૫૩૭ કળિકાળ અને અસત્સંગના ઘેરાવામાં જીવ બળ કરે તે જ ધર્મમાં વૃત્તિ રાખી શકે. સશાસ્ત્ર, ભક્તિ, સ્મરણ અને સ્વાધ્યાય એ હાલ ઉપગી છેછે. પહેલાં શીખેલું ભુલાઈ ગયું હોય તે તાજું કરી લેવું અને રોજ નવું શીખવાને, ગોખવાને અમુક વખત રાખે. અમુક વખત વાંચવા-વિચારવાને રાખે. બને તે પુસ્તકમાં જોઈ જોઈને લખવાને મહાવરે, ટેવ રાખવા ગ્ય છે", તેથી ચિત્તની એકાગ્રતા અને વિચાર કરવાને અવકાશ પણ મળશે. જે મુખપાઠ કરવું હોય તે જ લખવાનું રાખવાથી થેડી મહેનતે યાદ પણ રહે તેમ છે. ગમે તે પ્રકારે કાળ જ્ઞાનીનાં વચને વાંચવા, લખવા, વિચારવા કે મુખપાઠ કરવામાં જાય અને સમજીને ભાવની વૃદ્ધિ થાય, નિર્મળતા થાય તેમ કર્તવ્ય છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૫૩૮ અગાસ, તા. ૧૯-૧૦-૪૪ તત 8 સત કાર્તિક સુદ ૨, ૨૦૦૧ “મન ન મૈ નહીં, તારૈ સા નિઃ . बाल, तरुण नहि वृद्ध हूँ, ये सब पुद्गल अक।।" સહનશીલતા ને ક્ષમા, ધીરજ સમતારૂપ; સમ્યક્ શ્રદ્ધા સહિત એ, આપે આત્મસ્વરૂપ. આપને પત્ર મળે. વિગત જાણી. ત્રણ બાબતે તમે જે લખી જણાવી તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે : (૧) જ્ઞાની પુરુષના સ્વમુખે જે આજ્ઞા જીવને મળે છે તે એક પ્રકાર છે. (૨) પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ જેને આજ્ઞા કરી હોય તેની મારફતે જીવને આજ્ઞા પ્રાપ્ત થાય, અને (૩) ત્રીજો પ્રકાર – પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ મારફતે પ્રાપ્ત થયેલી આજ્ઞા કેઈ જીવ આરાધતે હોય તેની પાસેથી તેનું માહાસ્ય સમજી તે આજ્ઞા-આરાધકની પેઠે જે જીવ, જ્ઞાનીની આજ્ઞા છે એમ જાણી, હિતકર માની આરાધે છે. આ ત્રણે પ્રકાર જ્ઞાનીની આજ્ઞા આરાધવા અર્થ છે અને ત્રણેથી કલ્યાણ થાય છે. પહેલા ભેદનું દષ્ટાંત – શ્રી ગૌતમસ્વામી ભગવાન મહાવીર પાસેથી રૂબરૂમાં ધર્મ પામ્યા. બીજા ભેદનું દષ્ટાંત – ભગવાન મહાવીરના નિર્વાણને દિવસે શ્રી ગૌતમસ્વામીને ભગવાને કહ્યું કે અમુક બ્રાહ્મણને તમે આ પ્રકારે ધર્મ સંભળાવજે. ત્રીજા ભેદનું દષ્ટાંત – લરછી અને મલ્લી નામના ક્ષત્રિ(કૌરવપાંડ જેવા)ના યુદ્ધમાં (મહાવીર સ્વામીના સમયમાં) ચેડા મહારાજાના પક્ષમાં એક વણાગનટવર નામને શ્રાવક રાજા ભક્તિવાળો હતે. તેને મોટા રાજા – ચેડા મહારાજાને હુકમ થવાથી યુદ્ધમાં ઊતરવાનું હતું. તે બે ઉપવાસ કરી એક દિવસ પારણું કરે અને ફરી બે ઉપવાસ કરે એવી તપસ્યા કરતે Page #524 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૫૦૧ હતા. પારણાને દિવસે હુકમ મળ્યા એટલે તેણે વિચાર્યું કે પારણું કરીને પાપ કરવા જવા કરતાં ત્રીજો ઉપવાસ આજે કરું. એ વિચાર તેણે ગુરુ આગળ જણાવ્યેા, એટલે ગુરુએ તેને ઉપવાસની સ'મતિ આપી અને જણાવ્યું કે યુદ્ધમાં એમ લાગે કે હવે દેહ વિશેષ ટકે તેમ નથી ત્યારે સારથિને કહીને રથ એકાંતમાં ટુકાવી નીચે ઊતરી જમીન ઉપર સ્વસ્થ સૂઈ ને મંત્રનું આરાધનભક્તિ કરવી. તે વાત તેને સારથિ પણ સાંભળતા હતા. તેણે પણ વિચાર્યું કે તે રાજા કરે એમ મારે પણ આખર વખતે કરવું. પછી યુદ્ધમાં ગયા. સામે લડવા આવેલાએ પ્રથમ ઘા કરવા કહ્યું ત્યારે એણે ના પાડી કે હું તે માત્ર બચાવ કરવાનો છું. તેથી પેલા માણસે તે શૂરવીરપણું ખતાવવા ખાતર પાંચ ખાણ રાજાને, પાંચ સારથિને અને પાંચ પાંચ બાણુ ઘેાડાએને માર્યાં, પણ રાજા બચાવ કરી શકયો નહીં; અને મરણુ પમાડે તેવાં તે ખાણુ જાણી તેણે સારથિને રથ એક બાજુ નદી તરફ લઈ જવા કહ્યું. તેણે તે પ્રકારે કર્યું. ત્યાં જઈને ઊતરીને ઘેાડાનાં ખાણ કાઢી નાખ્યાં, તે તે પ્રાણરહિત થયાં. તેવી જ પેાતાની દશા થશે એમ જાણી નદીની રેતીમાં તે રાજા સૂઈ ગયા. સારથિએ પણ તે કરે તેમ કરવા માંડ્યું. પછી તે રાજાએ હાથ જોડી પ્રાના શરૂ કરી. તે દાસને પ્રાર્થના આવડતી નહેાતી, પણ એવા ભાવ કર્યાં કે હે ભગવાન ! હું ક'ઈ જાણતા નથી, પણ આ રાજા જ્ઞાનીનું કહેલું ક'ઈ કરે છે અને તેવું જ મારે પણ કરવું છે; પણ મને આવડતું નથી, પણ તેને હે। તે મને હા. એવી ભાવના તે કરવા લાગ્યા. પછી તેણે બાણુ પાતાની છાતીમાંથી ખે’ચી કાઢ્યાં તેમ તે દાસે પણુ કર્યુ અને બન્નેના દેહ છૂટી ગયા. રાજા દેવલાકમાં ગયા અને દાસનું પુણ્ય તેટલું નહેાતુ તેથી વિદે ક્ષેત્રમાં મનુષ્ય થયેા. ત્યાં તેને જ્ઞાની મળ્યા અને મેાક્ષમાર્ગ આરાધી તે મુક્ત થયા. હજી તે રાજા તે દેવલાકમાં છે. આમ ભાવના કરવાથી જીવનું કલ્યાણ થાય છે, પણ જ્ઞાનીએ જાણ્યા છે તે આત્મા છે તે અર્થે કરવું. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૫૩૯ અગાસ પરમકૃપાળુદેવની જન્મતિથિના દિવસ આપણે માટે પરમ માંગલિક છેજી. આપણા કલ્યાણુકર્તા જે દિવસે જન્મ્યા ત્યારથી જ આપણા કલ્યાણને પણ જન્મ ગણવા યોગ્ય છેજી. જેમ એ'જિનને ડખા લગાડેલા હાય તે એજિનની સાથે જ ગતિ કરે છે એટલે જે ગતિ એજિનની, તે જ ગતિ પાછળના બધા ડખાની થાય છે; તેમ પરમકૃપાળુદેવના સાચા દિલથી મેાક્ષને અર્થે જેણે આશ્રય લીધા છે તેને બીજી મતિ કેમ હોય ? ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજી વારવાર કહેતા કે પરમકૃપાળુદેવને ભજનારનું અહિત થાય તે તેના અમે જામીનદાર બનીએ છીએ, વીમે ઉતરાવીએ છીએ; એના જેવું બીજુ જોખમવાળું કોઈ કામ નથી એમ જાણીએ છીએ, પણુ સાચી વાત છે તેથી છાતી ઠોકીને કહીએ છીએ કે પરમકૃપાળુદેવની ભક્તિ કરનારનું કલ્યાણુ થશે. આ વાતા જેણે સાંભળી હોય તેણે તે માથું મૂકીને હવે તે જ ક!મ આ ભવમાં મુખ્યપણે કબ્ય છે એવા દૃઢ નિશ્ચય કરી લેવા ઘટે છેજી; અને પરમકૃપાળુદેવની જન્મતિથિ ઉપર આપણને નવું જીવન પ્રાપ્ત થાય તેવા ઉલ્લાસથી ભક્તિ કવ્ય છેજી. Page #525 -------------------------------------------------------------------------- ________________ ૫૦૨ આધામૃત ૫૪૦ તત્ ૐ સત્ જ્ઞાનસ્વરૂપ ગુરુરાજ હે ! વિરતિ-ફળ દાતાર, ભવભ્રમણ મુજ ટાળજો, વનવું વારવાર. જ્ઞાનીના પાય સેવે તે, દશા તેની જ પામતા; બત્તી જેમ અડયે અન્ય દીવે, દીવા જ થાય જો. પરમેશ્વર અરુ પરમગુરુ, દેનું એક સમાન; સુંદર કહત વિશેષ ચહુ, ગુરુä પાવે જ્ઞાન.” “સદ્ગુરુ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠપદ સેવાથી યુદ્ધજ્ઞાન થશે, અવર ઉપાસન કોટી કરેા પણુ, શ્રી હરિથી નહીં હેત થશે.” આપે પુછાવેલ “જ્ઞાનનું ફળ વિરતિ છે” (૭૪૯) તેના ઉત્તર ટૂંકામાં નીચે જણાવું છુંજી. છે દેહાદિથી ભિન્ન આતમા હૈ, ઉપયોગી સત્તા અવિનાશ, મૂળ૦ અગાસ, તા. ૨૨-૧૦-૪૪ કાર્તિક સુદ ૫, જ્ઞાનપચમી, ૨૦૦૧ એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ, મૂળ૦’ ઉપરની કડીમાં જે જ્ઞાન કહ્યું છે તે દુર્લભ છે. પુસ્તક વાંચી ભણી લેવાં, સસ્કૃત ભણવું, પુસ્તક લખવાં કે મુખપાઠ કરી લેવું તેને જ્ઞાનીપુરુષા જ્ઞાન કહેતા નથી. “જો હાય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યા નહીં, તે સર્વ તે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ અહીં.” એવું આત્મજ્ઞાન જેને પ્રગટે છે તેને પાંચ ઇંદ્રિયા અને મન વશ થતે એવા પ્રત્યાહાર નામના ગુણ પ્રગટે છે. વિષય-વિકારે ન ઇન્દ્રિય જોડે તે ઇંડાં પ્રત્યાહારી રે, કેવળ જ્ગ્યાતિ તે તત્ત્વ પ્રકાશે, શેષ ઉપાય અસારે રે.’ આત્મજ્ઞાનનું કુળ સયમ અથવા વિરતિ છે. વિરતિ એટલે પાંચ ઇંદ્રિયાના વિષય-રૂપ, રસ, ગ'ધ, સ્પર્શ, શબ્દ – તેમાં જે રતિ-પ્રીતિ હતી તે ટળી ગઈ. તે સારા લાગતા નથી. ઉપરથી સુંદર દેખાતા કિંપાકવૃક્ષના ઝેરી ફળ જેવા ઇંદ્રિયના વિષયેા લાગે છે તથા મનને બાહ્ય પદાર્થામાં જે મેાહ હતા તે આત્માનું માહાત્મ્ય સમજાતાં ‘સકળ જગત તે એઠવત્ અથવા સ્વપ્ન સમાન’ કે “આત્માથી સૌ હીન” લાગે છે; તેથી સ'સારના વિચાર અસાર લાગે, તેથી મન ત્યાંથી પાછું ફરી મહાત્મા પુરુષ, તેનાં વચન, અને તેની આજ્ઞા અને આત્મદશા વધારવાના વિચારે કરવાને મન દાડે છે અથવા તે પરમાત્મસ્વરૂપમાં લીન થાય છે. માટે ખીજેથી મનવચનકાયાની પ્રવૃત્તિ રોકાઈ એક આત્મહિતમાં વર્તે અને આખરે શાંત થાય તેનું નામ વિરતિ છેજી. “સ'યમના હેતુથી ચેગપ્રવના, સ્વરૂપલક્ષે જિનઆજ્ઞા આધીન જો; તે પણ ક્ષણ ક્ષણુ ઘટતી જાતી સ્થિતિમાં, અંતે થાયે નિજસ્વરૂપમાં લીન જો. અપૂર્વ ૰” વિરામ પામવું, શાંત થવું તે વિરતિ છે. જાણ્યા વિના તેમ ખનતું નથી. માટે પ્રથમ આત્મજ્ઞાન કરવું અને પછી તે સ્વરૂપમાં ક્રમે ક્રમે લીન થયું તેનું નામ વિરતિ છે. સ'સારથી વિરામ પામી મેાક્ષ થતાં સુધી તેના ક્રમ છે. એ જ વિનંતી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #526 -------------------------------------------------------------------------- ________________ ૫૦૬ પગસુધા ૫૪૧ અગાસ, તા. ૨૩–૧૦-૪૪ તન કે સત્ર, કાર્તિક સુદ ૭, મંગળ, ૨૦૦૧ જ્ઞાનસ્વરૈપ ગુરુરાજ હે! કરુણાના ભંડાર ભવભ્રમણ મુજ ટાળજે, નવું વારંવાર મરણ-પ્રસંગ વિચારતાં, જાતિસ્મૃતિ થયું જ્ઞાન, જન્મમરણ ટાળી ગયા, રાજચંદ્ર ભગવાન. કળિમાં આયુષ અપ છે, વતી જતાં ને વાર; સુખદુખની કરી કલપના, હર્ષ શેક ના ધાર. સહનશીલતા ધાર, ભાવે સમતા ભાવ; વૃત્તિ વાળે અંતરે, અલભ્ય આ ત્રણ લહાવ. આપને આવી પડેલ વૈધવ્યના દુખદ સમાચાર જાણ્યા તથા તમે ધીરજસહિત ભક્તિભાવમાં કાળ ગાળે છે અને પૂ... આપની પાસે શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાંથી વાંચી સંભળાવે છે એમ જાણી ધર્મ સ્નેહને લઈને પત્ર લખવા વૃત્તિ ઊઠી. પરમકૃપાળુદેવનાં વચને સર્વ પ્રસંગમાં અમૃત તુલ્ય છે, પરંતુ આફતના વખતે તે સાચા આધારરૂપ અને આશ્વાસન દેનાર છે; વૈરાગ્યરંગમાં જીવને તરબોળ કરી સંસારનાં દુઃખની વિસ્મૃતિ કરાવે તેવી છે. અણસમજણને લીધે, સ્વપ્ન જે અનિત્ય અસાર સાગવિયેગથી વ્યાકુળ સંસારસાગર, જીવને મૂંઝવે છે; પણ જેને સદ્દગુરુનો વેગ થયે છે, સગુરુનાં વચનરૂપી અમૃત જેણે પીધું છે અને માયાનાં સુખને જેણે તજવા ગ્ય અને દુઃખરૂપ જાણ્યાં છે, વિચાર્યા છે, માન્યાં છે, તેને આવા પ્રસંગે વધારે બળ પ્રેરે છે. જેવું સદ્દગુરુ ભગવાને સંસારનું દુઃખમય, ભયંકર સ્વરૂપ બેઠું છે તેવું જ તેને અનુભવમાં આવે છે અને સદ્દગુરુની શ્રદ્ધા વિશેષ દઢ થાય છે, સદ્ગુરુનાં સર્વ વચનમાં તેની નિકતા વધે છે, પોતાના સ્વરૂપને જાગ્રત કરે તે વૈરાગ્ય અંતરમાં કુર્યા કરે છે અને આવા દુખપૂર્ણ સંસારમાં ફરી જન્મવું ન પડે તેવા ઉપાયમાં વૃત્તિ વાળે છે. એનું સ્વપ્ન જે દર્શન પામે છે, તેનું મન ન ચઢે બીજે ભામે રે, થાયે સદ્દગુરુને લેશ પ્રસંગે રે, તેને ન ગમે સંસારીને સંગ રે.. હસતાં રમતાં પ્રગટ પ્રભુ દેખું રે, મારું જીવ્યું સફળ તવ લેખું રે, મુક્તાનંદને નાથ વિહારી રે, સંતે જીવનદોરી અમારી રે.” એવી ભાવના આત્મસાક્ષાત્કાર માટે ભવ્ય જીવને આવા પ્રસંગમાં જાગે છે. માટે જે સત્સાધન તમને મળ્યું છે, તેમાં વિશેષ કાળ ગાળ, વાંચવું, સાંભળવું, સમજવું; પણ શોકના વિચારમાં પડી આર્તધ્યાન થવા ન દેવું. આપણે પણ આ મનુષ્યભવનું આયુષ્ય પહોંચે છે ત્યાં સુધીમાં સમાધિમરણની તૈયારી કરી લેવી છે એ વાત હૃદયમાંથી વીસરાય નહીં એવી કાળજી રાખ્યા કરવી. “પગ મૂકતાં પાપ છે, જેમાં ઝેર છે અને માથે મરણ રહ્યું છે, એ વિચારી આજના દિવસમાં પ્રવેશ કર.” એવું પરમકૃપાળુદેવે કહ્યું છે. માટે ક્લેશિત થવા ગ્ય નથી. સત્સાધનમાં વૃત્તિ વારંવાર વાળવાને પુરુષાર્થ કર્તવ્ય છે”. પૂ.ને ધન્યવાદ ઘટે. છે કે આવા પ્રસંગે સહાયક બની ધર્મવૃત્તિ પિષે છેજી. જી શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #527 -------------------------------------------------------------------------- ________________ આધામૃત ૫૪૨ અગાસ, તા. ૨૪-૧૦-૪૪ ખરી રીતે તા લાભના ત્યાગ કરવા અર્થે દાન કરવાનું છે. જન્મમરણનું કારણ મેહ છે અને તેમાં મુખ્ય લાભ છે. તે લાભને લઈને જીવ અનેક પ્રકારનાં પાપ કરીને ભવ ઊભા કરે છે. એ લેાભપ્રકૃતિ ચાહે તે ધન, વિષયભાગ, દેવલાક કે લૌકિક દુઃખાથી છૂટવાના રૂપમાં હા, પણ તે છેડ્યા વિના આ ભવભ્રમણથી છુટાય તેવું નથીજી. જેમ બને તેમ નિઃસ્પૃહી, નિર્માહી થવા અભ્યાસ કભ્ય છેજી. તે અર્થે દાન, તપ, શીલ અને ભાવના કર્તવ્ય છેજી. ભક્તિભાવના સહિત સત્સ`ગની ઈચ્છાની વર્કીંમાનતા કબ્ય છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૫૦૪ અગાસ, તા. ૨૭-૧૦-૪૪ કાર્તિક સુદ ૧૧, ૨૦૦૧ ૫૪૩ તત્ સત્ “શું કરવાથી પાતે સુખી ? શું કરવાથી પાતે દુઃખી ? પેાતે શું ? કયાંથી છે આપ ? એના માગેા શીઘ્ર જવાપ.''—શ્રીમદ્ રાજચંદ્ આપને પત્ર પ્રાપ્ત થયા. આપે લખેલ સૂચના લક્ષમાં છેજી. આપનાં સદ્ગત માતુશ્રી નવા વર્ષની શરૂઆતમાં જ દેહ ત્યાગી ચાલ્યાં ગયાં, તે સમાચાર પણ જાણ્યા. પ. પૂ. પ્રભુશ્રીજી કહેતા કે વૃદ્ધ, ગ્લાન, અપ'ગ કે અશક્તદશા પણ મનુષ્યપણાની કક્યાંથી ? જેવું મનુષ્યભવમાં ધર્મનું આરાધન સુલભ છે તેવું ખીજી ગતિમાં નથી, એ મૂડી તેઓની ખલાસ થઈ ગઈ. પણ જ્યાં સુધી આપણી મૂડી આપણા હાથમાં છે ત્યાં સુધી વિચારવાન મુમુક્ષુપણે તે મૂડીના સ ્વ્યય થાય તેની કાળજી આપણુ સર્વાંને ઘટે છેજી. કોઈ વખત એવું પણ પ. પૂ. પ્રભુશ્રીજી કહેતા કે આ જીવ શું કરવા આવ્યા છે ? અને શું કરે છે? તે લક્ષ ચૂકવા જેવા નથી. તમને ઉદ્દેશીને જ આ લખતા નથી, મારાથી પણ તે જોઈ એ તે રીતે લક્ષ રાખી શકાતે નથી તેને માત્ર ખળાપેા પ્રદર્શિત કર્યાં છેજી. ઘેર ઘેર માટીના ચૂલા છે, દુખિયા છીએ; પણ દુઃખનું ભાન પણ થવું મુશ્કેલ થઈ પડ્યું છે. એવી મૂર્છા-અવસ્થા ટાળવાની ભાવનાવાળા છીએ, તેથી તે મહાપુરુષના વચનની સ્મૃતિ, પાકાર કાને આવે તે સર્વૈને હિતકારી જાણી લખવાનું થાય છેજી. અનિત્ય ભાવના વિષે સાંભળ્યું છે, તેની વાત પણ કરી હશે; પણ આવા પ્રસ`ગ પામીને જે જીવ તે ભાવના ભાવવાની શરૂઆત કરી, સ’સાર-શરીર-ભાગ ઉપરના વિશ્વાસ અસ્થિર, ઠગનાર જાણી, વૃત્તિ પરમપુરુષના આશ્રયમાં દૃઢ થતી જાય અને સદ્ગુરુના શરણને ક્ષણે ક્ષણે ઇચ્છે, તેની આજ્ઞા એ જ આ જીવને આ ભવ-પરભવમાં સુખપ્રદ છે, મેાક્ષનું પરમ કારણ છે એવા નિશ્ચય ઉપર આવે તેમ હવે તેા ખરા ક્રિલથી કવ્ય છેજી. લીધેા કે લેશે એમ થઈ રહ્યું છે, કાળની પણુ ખબર નથી. આવી અવસ્થામાં ધર્મ પુરુષાર્થ માં પ્રમાદ ઘટતા નથી છતાં થયા કરે છે તેના ખેદ રહ્યા કરે એટલી જાગૃતિ તેા અવશ્ય રાખવી જરૂરની સમજાય છેજી— “અચિંત્ય તુજ માહાત્મ્યનેા, નથી પ્રફુલ્લિત ભાવ; અશન એકે સ્નેહના, ન મળે “પરમ પ્રભાવ. Page #528 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા હું પામર શું કરી શકું ? એવા નથી વિવેક; ચરણુ-શરણુ ધીરજ નથી, મરણ સુધીની છેક.'' આ વિવેક-જાગૃતિની ખામી છે, તે પૂરી કરવા કયારે કમર કસીશું ? અન"તકાળથી રખડતાં રખડતાં આ જીવ આટલા સુધી થાક ખાવા જેવી જગ્યાએ આવ્યા છે, છતાં ત્યાં પણ ડહાપણ ફૂટચા વગર રહેતા નથી, એનું કયે કાળે ઠેકાણું પડશે ? એ આપણે સર્વે એ ઊંડા ઊતરીને વિચારવું ઘટે છે અને આ બિચારા અનાથ જીવની દયા દિલમાં પ્રગટાવી સદ્ગુરુશરણે મરણ સુધી છાનામાના પડ્યો રહે તેવું બળ પરમકૃપાળુદેવ પાસે યાચી વિરમું છુંજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૫૪૪ ૫૦૫ અગાસ, તા. ૫–૧૧–૪૪ કાર્તિક વદ ૫, રવિ, ૨૦૦૧ તત્ સત્ આપના પત્ર મળ્યા હતા. તેમાં અનેક પ્રકારની વિશેષણાવલિમાં એક શબ્દ જે “સર્વજ્ઞ” ભગવાનને ચેાગ્ય તે આ પામરને લગાડી તે શબ્દનું ગૌરવ ઘટાડવા જેવું કર્યું છે. કેાઈ શબ્દ પોતાની ઇચ્છાએ સમજવા કે યેાજવા યેાગ્ય નથી, પર`તુ જ્ઞાનીની દૃષ્ટિએ સમજીને યથાયેાગ્ય પ્રયાગ થાય તે। આત્મદ્ગિતનું કારણ છે એમ સમજી તે પ્રમાણે ફરી તેવે પ્રયાગ ન કરવા નમ્ર વિન'તી છેજી. જે પદ્મ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં, કહી શકયા નહિ પણ તે શ્રી ભગવાન જો; તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે ? અનુભવગેાચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. અપૂર્વ અવસર એવા કચારે આવશે ?’’ અગાસ, તા. ૫-૧૧-૪૪ કાર્તિક વદ ૫, ૨૦૦૧ ૫૪૫ તત્ સત્ જ્ઞાનસ્વરૂપ ગુરુરાજ છે, કૃપા તણા અવતાર; ભવ-ભ્રમણુ મુજ ટાળશે, સૌના એ આધાર. પ્રથમ તે સ‘ચા વગેરેનું દેવું માથે હોય તે દૂર કરવું ઘટે. પછી અનુકૂળતા પ્રમાણે આશ્રમ વગેરે તી સ્થળે જવા ભાવના હાય તેા તેમ કવ્ય છેજી. આ માત્ર સૂચના છેજી. હાલ તા પરમકૃપાળુદેવની ભક્તિ યથાશક્તિ કરતા રહી ઋણુમુક્ત થવું એ લક્ષ રાખવા ભલામણુ છેજી. જે જે ભાવેા તમે પત્રમાં પ્રગટ કર્યાં છે તે પરમકૃપાળુદેવ પ્રત્યે વારવાર વીનવવા ચેાગ્ય છેજી. આપણા બધાના એ નાથ છે. તેને આધારે બધા ધર્મ વ્યવહાર પ્રવર્તે છેજી. માટે પરમકૃપાળુદેવની ભક્તિ જે પ. પૂ. પ્રભુશ્રીજીએ અમને બધાને કરવા આજ્ઞા કરી છે તે તમને પણ જણાવી છે. માટે ખીજી કોઈ જગ્યાએ દષ્ટિ દ્વીધા વિના એક પરમકૃપાળુદેવ પ્રત્યે ‘તુદ્ધિ તુદ્ધિ'ની રટના રહે એમ વૃત્તિને વાળવા આગ્રહપૂર્ણાંક આપ સર્વાંને ભલામણ છેજી. તેમાં જ આપણું શ્રેય છેજી. પ. પૂ. પ્રભુશ્રીજીએ એ જ માર્ગ ઉપાસ્યા છે, અને એધ્યેા છેજી. તેમાં જ આત્મહિત સમાયું છેજી. Page #529 -------------------------------------------------------------------------- ________________ ૫૦૬ બેધામૃત ૫૬ અગાસ, સં. ૨૦૦૧ પરસ્પર લાભનું કારણું થતું હોય તે બીજી બાબતે ગૌણ કરી મુમુક્ષુજીને સહવાસ પ્રેમપૂર્વક કર્તવ્ય છે. જેને નેકરી કરવી હોય તેણે નિમકહલાલીથી આજીવિકાળે કર્તવ્ય છે પણ જે નોકરીમાં ઘણે વખત ગાળ પડે અને આત્મહિતને અર્થે કાળ ગાળવામાં મુશ્કેલી પડે તેવી નોકરી કરતાં મુમુક્ષુભાઈને ત્યાં જે રહેવાનું અને તે તે પિતાનું જ કામ જાણી કાળજીથી બને તેટલી નોકરી કરી બાકીને વખત સ્વપરને હિત થાય તેવી ધર્મચર્ચા, વાચન, મનનમાં જાય તે જીવનની ઉન્નતિનું તે કારણ છે. પરંતુ ખાસ લક્ષમાં રાખવાનું એ છે કે ધર્મને નામે બીજાને ભેળવી, ધર્મની વાતેથી રાજી થઈ વગર મહેનતે આજીવિકા ચલાવવાની વૃત્તિ રાખે તે જીવને અર્ધગતિનું કારણ છેજ. માટે જેની પાસેથી આજીવિકાનું સાધન મળે તેને બેજારૂપ ન થતાં નિમકહલાલીથી (પ્રામાણિકપણે) બને તેટલું કામ દુકાનમાં પણ કરવું ઘટે. કામ શીખતી વખતે ઓછા ઉપયોગી થાય તે પછી તેને બદલે કામ શીખ્યા પછી વાળ. પણ કામ શીખીને માત્ર ધનની લાલચે વિશેષ પગાર મળે ત્યાં ન જવું વગેરે વ્યવહારનીતિ લક્ષમાં રાખનાર આ ભવ, પરભવમાં સુખી થાય છે. પ૪૭ અગાસ, તા. ૬-૧૧-૪૪ એક હેય ત્રણ કાળમાં, પરમારને પંથ; પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમત.” “છૂટે દેહાધ્યાસ તે, નહિ કર્તા તું કર્મ, નહિ ભક્તા તું તેહને, એ જ ધર્મને મર્મ ” જો ઈચ્છે પરમાર્થ તે, કરો સત્ય પુરુષાર્થ; ભવસ્થિતિ આદિનામ લઈ, છેદો નહિ આત્માર્થ.”—શ્રીમદ્ રાજચંદ્ર પરમકૃપાળુદેવે કહેવામાં બાકી રાખ્યું નથી. આપણું કામ તેની આજ્ઞા ઉઠાવવાનું છે. પ. પૂ. પ્રભુશ્રીજી કહેતા કે “તારી વારે વાર.” તેને વિચાર કરી આજ્ઞામાં એકતાર થવાને સપુરુષાર્થ કર્યા કરે. “શ્રીમદ્ વીતરાગ ભગવતીએ નિશ્ચિતાર્થે કરેલે એ અચિંત્ય ચિંતામણિસ્વરૂપ, પરમ હિતકારી, પરમ અદૂભુત, સર્વ દુઃખને નિઃસંશય આત્યંતિક ક્ષય કરનાર પરમ અમૃતસ્વરૂપ એવો સર્વોત્કૃષ્ટ શાશ્વત ધર્મ જયવંત વર્તા, ત્રિકાળ જયવત વર્તે.” (૮૪૩) આવા ધર્મનું ફળ માગવું પડે તેમ નથી. ચિંતામણિ પાસે ચિંતવીએ તે ફળ આપે, પણ સાચે ધર્મ વગર ચિંતવ્ય, સંકટ સમયે પણ સમાધિ પમાડે છે. ધર્મ આરાધન વખતે પણ શાંતિ અનુભવાય છે અને આજ્ઞાનું આરાધન મોક્ષ થતાં સુધી શાંતિનું કારણ બને છે. એવી બીજી કઈ કમાણી નથી. અપૂર્વ પ્રેમે જ્ઞાનીને માર્ગે ચાલતાં મોક્ષ-પાટણ સુલભ જ છે. કેવાં શાંતિપ્રેરકએ વચને પરમકૃપાળુદેવે ઉચાર્યા છે ! તેની ઉપમા શોધવી તે જ વ્યર્થ છે. “પરમ શાંતિપદને ઈચ્છીએ એ જ આપણે સર્વ સમ્મત ધર્મ છે અને એ જ ઈચ્છામાં ને ઈચ્છામાં તે મળી જશે, માટે નિશ્ચિત રહે.” (૩૭) ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #530 -------------------------------------------------------------------------- ________________ ૫૭. પત્રસુધા ૫૪૮ આહેર, તા. ૧૯-૧૧-૪૪ મંદાક્રાન્તા – મંત્ર મં સ્મરણ કરતે કાળ ગાળું (કાઠું) હવે આ જ્યાં ત્યાં જેવું પરભણ ભૂલી, બેલ ભૂલું 'પરાયા; આત્મા માટે છેવન ઍવવું, લક્ષ રાખી સદા એ, પામું સાચે જીવનપલટો, મોક્ષમાર્ગ થવાને. (પ્રજ્ઞાવધ – ૭) હે બ્રહ્મચર્ય, હવે તું પ્રસન્ન થા! પ્રસન્ન થા!” (હા. નં. ૩-૨૬) હે જીવ! આ ક્લેશરૂપ સંસારથકી, વિરામ પામ, વિરામ પામ; કાંઈક વિચાર, પ્રમાદ છેડી જાગ્રત થા! જાગ્રત થા !નહીં તે રત્નચિંતામણિ જે આ મનુષ્યદેહ નિષ્ફળ જશે. હે જીવ! હવે તારે પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે.”(૫૦૫) પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુનાં વચનથી તમને અશાંતિના કાળમાં શાંતિનું કારણ બનેલ છે, એમ વાંચી વિશેષ સંતોષ થયે છેજ. આવા વખતમાં જ સત્સંગનું માહા વિશેષ કરીને સમજાય છે, તથા જીવનપર્યત સત્સંગની અસર ટકી રહે તેવી દઢતા થાય છે. આ કાળમાં જીવમાં વૈરાગ્યની ખામીને લીધે નાશવંત અસાર સંસાર મેહક, સુખરૂપ લાગે છે પરંતુ જીવનમાં પૂર્વકર્મના બળે એવા પ્રસંગે પણ પ્રાપ્ત થાય છે કે જ્યારે સંસાર ભયંકર, નિરાધાર, દુઃખના દરિયા જેવો ભાસે છે અને આવા સંસારમાં જીવવું કે ફરી જન્મવું તે અસહ્ય થઈ પડે છે. તેવા પ્રસંગે આત્મજ્ઞાની પુરુષ કે તેના અનુભવરસથી છલકાતાં વચનને આધાર પ્રાપ્ત થાય તે જીવને સંસારનું ભયાનક સ્વરૂપ જે જ્ઞાનીઓએ વર્ણવ્યું છે તે યથાર્થ સમજતાં વાર લાગતી નથી; અને આવા દુઃખદ સંસારથી મુક્ત થવાનું અને આત્માન અનંત સુખની સદા કાળ જ્યાં અનંત કાળ સુધી પ્રાપ્તિ ટકી રહે તેવા મેક્ષ માટે જીવ સર્વે પ્રયત્ન શક્તિ- ગોપવ્યા સિવાય પુરુષાર્થ કરવાનું કરે છે અને જયવંત નીવડે છે. પુરુષના ગે જીવને સત્સાધનની પ્રાપ્તિ થઈ છે તેનું આરાધન અહેરાત્ર જીવ કરે તે દુસ્તર સંસાર ગાયની ખરીથી થયેલા ખાડા-પગલામાં રહેલા પાણી જે સુગમ થઈ જાય છે. હવે જીવે પિતે લેકલાજ મૂકીને પુરુષાર્થ કરવો ઘટે છે જી. “અબ તે મેરે રાજ રાજ દૂસરા ન કઈ સાધુ-સંગ બૈઠ બૈઠ લોકલાજ એઈ. અબ તે મેરે.” એવા ભાવ અનન્ય આશ્રયભક્તિના કરતા રહેવા ભલામણ છે. આપે પત્રમાં ભાવના દર્શાવી છે તે સફળ થાય તેમ કરવા યોગ્ય છે”. આ દુષમકાળમાં સત્સંગ જ શાંતિનું કારણ છે. “સુખદુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં, ટાળ્યાં તે કોઈનાં નવ ટળે, પૂર્વ કર્મનાં જડિયાં.” – નરસિંહ મહેતા “જે થાય તે યોગ્ય જ માનવામાં આવે; પરના દેષ જોવામાં ન આવે; પિતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે તે જ આ સંસારમાં રહેવું એગ્ય છે.” (૩૧) એવું પરમકૃપાળુ દેવનું વચન છે તે લક્ષમાં રાખી, પરમકૃપાળુદેવની કૃપા કંઈક સત્યમાર્ગમાં આગળ વધારવાની હશે ૧. કુસંગે સાંભળેલાં વચન, સંસારી સંસ્કારે Page #531 -------------------------------------------------------------------------- ________________ બેધામૃત ૫૦૮ એ વિશ્વાસ રાખી, હાલ તે આર્તધ્યાન તજી ધર્મધ્યાન માટે બને તેટલે પુરુષાર્થ કરતા રહેવાની જરૂર છે. સદાય સૂર્ય ઉપર વાદળ આવેલું રહેતું નથી તેમ અંતરાય કર્મ પણ કાળે કરીને દૂર કે મંદ થતાં વિશેષ પ્રકાશની પ્રાપ્તિ થવી ઘટે છેજ. સમજાય, ન સમજાય તે પણ પરમકૃપાળુદેવનાં વચનનું આરાધન કર્યા રહેશે તે એ વેગ આવી મળશે કે જ્યારે તે પરમ આનંદનું કારણ ગ્યતા કળે થશે. * શાંતિઃ શાંતિઃ શાંતિઃ પ૪૦ આહેર, માગશર સુદ ૫, સેમ, ૨૦૦૧ પત્રમાં તમે લખો છે કે વાંચતાં આનંદ આવે છે, પણ વિચાર આવતું નથી. તેના ઉત્તરમાં જણાવવાનું કે વાંચનમાં, શ્રવણમાં રસ આવે છે ત્યારથી વિચારદશાની ભાવના જાગે છે. જેમ જેમ શ્રવણ, વાંચનનું બળ વધતું જાય, સ્મૃતિમાં વિશેષ વિશેષ વિચારને સંચય થતે જાય, તેમ તેમ જ્ઞાનીનાં વચને પ્રસંગને અનુસરીને સ્મૃતિમાં કુરતાં જાય; તેને આધારે પિતાના વિચારે પણ નાનાં બાળક માબાપની આંગળી ઝાલી ચાલે તેમ સાથે સાથે પ્રવર્તે છે. એમ કરતાં કરતાં જ્યારે વિશેષ પ્રસંગે પરિચિત જેવા બની જાય છે ત્યારે જ્ઞાનીના વચનને આધાર ન હોય તે પણ તેના વચનના આશયને અનુસરીને જ્ઞાનીને સંમત હોય તેવા વિચારો જીવને સહજ કુરે છે. એ બધાનું મૂળ પુરુષની શ્રદ્ધા, તેનાં વચનેમાં પ્રીતિ અને તેના આશય પ્રત્યે બહુમાનપણું છે). આ પ્રથમ હશે તે બધું ક્રમે ક્રમે પ્રાપ્ત થશે. મૂળ વિચાર તે એ જ વારંવાર કરવા યોગ્ય છે કે “હું દેહાદ્રિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કઈ પણ મારાં નથી; શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એ હું આત્મા છું એમ આત્મભાવના કરતાં રાગદ્વેષને ક્ષય થાય.” (૬૯૨) આ વિચાર વારંવાર લક્ષમાં રાખવા ગ્ય છેજ. તેમાં જાગૃતિ રહેવા અર્થે બીજું વાંચવા-વિચારવાનું, મુખપાઠ કરવાનું છે”. શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૫૫o આ હેર, તા, ૨૦-૧૧-૪૪ તત્ ૐ સત્ માગશર સુદ ૫, સોમ, ૨૦૦૧ મંદાક્રાંતા – મંત્ર મંચે, સ્મરણ કરતે, કાળ કાઠું હવે આ, જ્યાં ત્યાં જેવું પર ભણું બૅલી, બોલ ભૂલું પરાયા; આત્મા માટે જીવન જીવવું, લક્ષ રાખી સદા એ, પામું સાચે જીવન-પલટો મોક્ષમાર્ગી થવાને. (પ્રજ્ઞાવધ – ૭૪) ભાવાર્થ : પરમકૃપાળુદેવની અનંત કૃપાથી જે મુમુક્ષુછવને સંતના ગે અને સાથે સંસાર ઝેર જે, રાગદ્વેષથી બળ અને એકદમ તજવા યોગ્ય તથા સ્વપ્નમાં પણ પ્રિય ના લાગે તે સ્પષ્ટ સમજાય છે તથા મહા પુણ્યના ઉદયથી પ્રત્યક્ષ પરમકૃપાળુદેવ સમાધિમરણના કારણરૂપ મંત્રનું આરાધન કરવાનું જણાવ્યું છે, એવા મહામંત્રની જેને પ્રાપ્તિ થઈ છે તથા તે જ ભવસાગર તરવામાં નાવ સમાન છે એમ જાણ જેણે તે જ્ઞાની પુરુષની આજ્ઞારૂપ મહા મંત્રને આધાર દઢતાપૂર્વક ગ્રહણ કર્યો છે, તે ભાગ્યશાળી મુમુક્ષુ પિતાની ભાવના ઉપરની કડીમાં પ્રગટ કરે છે કે હે ભગવાન! જ્યાં સુધી મંત્ર મળે નહોતે ત્યાં સુધી તે આ જીવ Page #532 -------------------------------------------------------------------------- ________________ Shrimad Sajchandra Ashram. STn. AGAS VIA, ANAND. - શ્રી સનાતન જૈનધર્મ છે , એચન, અગાસ. વાયા આણું. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ. on ૨૬ તા. ૨૦ , ૧૦. ૧૯૪૪ માગનારહે. ૧૦૦૧ 2ઝનન્ય શરતન ના આપનાર ને બા *ની 15 ધીમદ્ રાજ સજન અત્યંત ભંક્તી નમસક ર છે? માના વેગ) મ મં, સ્મરણ કરતા છે – જ્યાં ત્યાં જો પ૨ ભણી લીલ ભલું પરાયા, આત્મા માટે જીવન જીંબનું, લ ન રાખી દે છે, પામું ક્ષાચો ર્જીવન-મલશે, મોમાગી થવાને. ભા નાક-પરમકૃપાળુ દેવની અનંત કપલી જ મુખ્ય જ ન સંતના યા, સબંધે સંસાર, ઝેર જો સમજામો છે, રગ કેબી નળ અને એડે દમ તજ ના યૉગ્સ, વMમાં પણ પ્રિય ન લાગે તેવા સમજામાં છે તો બાપુ ના ઉમેથી યર પરમકૃપાળુ દેવે સમાધિ મરણના રણ 3 મેનનું સાધન ડરવાનું જોવું છે એવા મમિનની જેને પ્રાપ્ત થઈ છે તથા તેજ જળ તરવામાં નાબ સમાન છે એમ જાણે છે તે જ્ઞાની પુરૂષળી સારી મંત્રને તાધાર 2ઢતાપૂર્વક રાહણે ઉમે છે તવો જારમશાણી મુમુકું ખેતાની ના ઉપરની ડી માં પ્રગટ કરી છે ; હું ભગવાન જ્યાં સુધી મા મળ્યો નક્ષેતો ત્યા સુધી તા જીત નો દાસ થઈને વર્તતા તો કુછતની બાજીમાં ગાંડો લઈને પોતાને જતી રહે હળો પ| હવે પરમકૃપાળુ દેવની8ાથી છૂટવાની- મોની-રૂચિ એવી જરી છે કે હવે તો બરબજેમ વીણાના સંગીતનાં ભાન ભૂલી જમ છે જા મની લીધું છે તેમ પોતાના મારવા ધનુષ ચઢાબી બાજુ ડબાની પારધી તૈયારી કરતો નજરે જુએ છે, છi Page #533 -------------------------------------------------------------------------- ________________ મને ડર ૧લીને શીત લહેરને નામ કરે છે, તમે શું જે ડાળ હલે જ બાબાનું બા? કેટલ 3ળ મંત્રનું સ્મત છે ? કરી ને ભાવના જે ભાગ્યશાળી મુઝ કરે છે. પહેલી લીટીમાં ૬૨વામાં જે જે વિછે ને દૂર કરવા _ જ લીરીમાં જણાવે છે. પાંચે ય ઈ ોિ દ્વારા મન ભટકે છે. તેમાં બે વચન નમન કેમ નહીં” એ માં જણાવેલ અાં ને શળે ક નો 2 વિઘન છે. જેમાં ત્યાં જે છે જે ય ફરે ઝને ભાગ ફર્યા કરે તો 36) મોસાન, તે આત્મા ઉપકાર ન ઉરે એ જ પ૨ પદાર્થોન નિરક જો કાનું બંધ ના કર લીજ નિવેમ કરે છે. : અરે ળાલો પૂરૂ પાઠ કરે તો ન બો “બાંધવામાં ઈન્દ્રિયો ખેર) ૨ ને રોમે ખેરા 1શાન દશામાની કે ફળ શ્વર ભારતીનો જે જ છેલો, શી ખાન૨રૂપે કેનBય રૂપે સંઘરી રાખી હોય ને મનમાં ફરી આવે અને તેનો રમણલા કામ તે પણ ર-મ૨ણ નો મનને બા દે. માટે માત્માને ભૂલાવે એ પાર કી બેલે 4 પટેલ રતન યાહોય, ત્યારે સભાतारामला 41 /641 सेयो त र ते બધું ભૂલી જવાનો ને અસર રે છે. બધું તે માટે કેરે છેશા માટે છે છે?તે ભી લીટીનો ર્ડ : બે છે તે જ રાખવા જે જે રતાધનોથી જીત્મતિ થાય તેજ અભિા માટે જ જવ જ છે. કદી ના ૬ મ નહી મા નિય૩ર . ઋા બંધું થાય તાજ માર્ગે ચઢાર છે તેમ તનૂજાયા છે. મું : કોના નું ત્યા૨ સુળનું જ વન પલટાવી ના નવનિર્ણય કરે છે અને તે સાચાંપુરૂષન જે તે પ્રમાણે તે મને પુરૂષને ગલે મગધેજા મૉ નો માત્ર તંત્રની કાર કેર છે. જે સારંનો મસ છે રાનીના પક્ષમાં મરણ પર્યત રહેવાનો તેના નિર્ધક છે લી જાટી જા છે. હવે હું પહેલો હતો કે નઈ પરમાદેવીમાને મને મોક્ષને માં ની ના, માટે હું બીજો બોર પાસે જોઉ તેના જના ભાવૅ , જૂની વાત, જૂન ૨-૨ તજી જ્ઞાની પુર નવા કેરલા બાબા, તેની વાતો , તેના ઝંડાર ચાલુ કરશુળની જેમ ખેળને ૮માં ફરી ૧૮રી મારી જતી રટે છે રોળ મરીનું સન્માન કરતી ફની ભમરી થઈ જાય છે, ઈલિને અટકાવે,ત્સંગી જગ જેનેર” તેમ પરમપિાળુદેવના મંત્ર -મરણ રn 3રતાં પરમ ઉમાદેવની દશા માનવા માં જીવવું છે જ. પરમાણુ યોગબળ અને 20ા જીવનો પુ૨ખાઈ બન્ને મળવાથી મોક્ષમા વાળ વધામ છે તે જણાવવા ના છે રહસ્ય ફી લખાઈ છે Page #534 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ પત્રસુધા દેહના દાસ થઈને વતા હતા, પુદ્ગલની ખાજીમાં ગાંડા થઈને પેાતાને ભૂલી રહ્યો હતા. પણ હવે પરમકૃપાળુદેવની કૃપાથી છૂટવાની – મોક્ષની રુચિ એવી જાગી છે કે હવે તેા હરણુ જેમ વીણાના સ'ગીતમાં ભાન ભૂલી જાય છે, જાણે મત્રી લીધું હોય તેમ પેાતાને મારવા ધનુષ્ય ચઢાવી બાણુ છેડવાની પારધીને તૈયારી કરતા નજરે જુએ છે, છતાં મરણને ડર ભૂલીને સ'ગીતની લહેરને સંભાર્યાં કરે છે, તેમ હું પણુ જેટલા કાળ હવે જીવવાનું ખાકી હશે, તેટલેા કાળ તે મંત્રનું સ્મરણ કર્યાં કરીશ. એવી ભાવના આ ભાગ્યશાળી મુમુક્ષુ કરે છે. પહેલી લીટીમાં કહેલું કરવામાં જે જે વિશ્નો નડે છે તે દૂર કરવા હવે બીજી લીટીમાં જણાવ્યું છે : પાંચે ઇન્દ્રિયા દ્વારા મન ભટકે છે, તેમાં વચન નયન યમ નાંહિ’માં કહ્યા પ્રમાણે આંખા અને શબ્દો મેટાં વિશ્ન છે. જ્યાં ત્યાં જીવ જોયા કરે અને રાગદ્વેષ કર્યાં કરે તેા કદી મેાક્ષ થાય નહીં. તેથી આત્માને ઉપકાર ન કરે એવા પરપદ્યાર્થીને નિરક જોવાનું ખાધ કરવા, એ પડેલી ટેવ ભૂલી જવા તે નિય કરે છે. અત્યારે એવા પુરુષાથ કરે તે નવાં કર્મ બાંધવામાં ઇન્દ્રિયા પ્રેરતી હતી, તે શકાય ખરી. પર`તુ અજ્ઞાનદશામાં અજ્ઞાની ગુરુ કે અસત્સંગવાસીઓના જે જે બેલેા શિખામણેા સાંભળીને પ્રિયરૂપે કે અપ્રિયરૂપે સ`ઘરી રાખી હોય તે મનમાં સ્ફુરી આવે અને તેમાં રમણતા થાય તે પણ મંત્ર-સ્મરણમાં મનને ટકવા, રહેવા ન દે. માટે આત્માને ભુલાવે એવા પારકા ખેલે પહેલાં સાંભળ્યા હોય, અત્યારે સરંભળાતા હાય, કે ભવિષ્યમાં કોઈ ઠપકા દેશે એવા ભય લાગતા હોય તે બધું ભૂલી જવાના નિર્ણાય કરે છે. આ બધું શા માટે કરે છે ? શા માટે હવે જીવવું છે? તે ત્રીજી લીટીમાં કહે છેઃ હવે તે એ જ લક્ષ રાખવા છે કે જે જે સાધનાથી આત્મહિત થાય તે જ કરવું છે. આત્મા માટે જ જીવવું છે; કદી આ લક્ષ ભુલાય નહીં એવા નિર્ણય કરે છે. આ બધું થાય તે જ માક્ષમાર્ગે ચઢાય એવું છે એમ સમજાયાથી તે મુમુક્ષુ પેાતાનું અત્યાર સુધીનું જીવન પલટાવી નાખવા નિણ ય કરે છે અને તે સાચા પુરુષને શાલે તે પ્રમાણે તે મહાઁપુરુષને પગલે પગલે ચાલી મેાક્ષને માર્ગ અંગીકાર કરે છે. સ'સારના પક્ષ છેડી જ્ઞાનીના પક્ષમાં મરણુપર્યંત રહેવાના. તેના નિÖય છેલ્લી લીટીમાં જણાવ્યા છે. હવે હું પહેલાં હતા તે નહીં, પણ પરમકૃપાળુદેવની કૃપાએ મને મેાક્ષના રગમાં રગી નાખ્યેા માટે હું બીજો અવતાર પામ્યા હોઉં તેમ, જૂના ભાવે, જૂની વાતે, જૂના સસ્કાર તજી, જ્ઞાનીપુરુષે સ`મત કરેલા ભાવા, તેની વાતા, તેના સ'સ્કાર ગ્રહણ કરીશ. ભમરી જેમ ઇયળને માટીના દરમાં પૂરી ચટકા મારી જતી રહે છે, પછી ઈયળ ભમરીનું સ્મરણ કરતી કરતી ભમરી થઈ જાય છે. ભૃંગી ઇલિકાને ચટકાવે, તે ભૃંગી જગ જોવે રે’’ તેમ પરમકૃપાળુદેવે આપેલા મ'ત્રનું સ્મરણ કરતાં કરતાં પરમકૃપાળુદેવની દશા પામવા હવે તેા જીવવું છેજી. પરમકૃપાળુદેવનું ચેગમળ અને આ જીવને પુરુષાર્થ અને મળવાથી મેાક્ષમાર્ગે આગળ વધાય છે, તે જણાવવા આ કડી રહસ્યપૂર્ણ લખાઈ છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિ; Page #535 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦ બધામૃત ૫૫૧ આહેર, માગશર વદ ૨, રવિ, ૨૦૦૧ કેટલું જીવવાનું છે તે આપણને ખબર નથી. જગતના ફેરફારે કેવા થવા નિમાયા છે તેનું અનુમાન પણ થઈ શકતું નથી. રાજા કે રંક બધા દુઃખી દેખાય છે. આ યુવાન અવસ્થા રહેવાની નથી અને કાળના મેંમાં બેઠા હોઈ એ તેમ છે. તે જેટલું જીવવાનું આ મનુષ્યભવના આયુષ્યમાંથી બાકી હોય તેને મોટો ભાગ પરભવનું ભાથું બાંધવામાં જાય, પાપકર્મોથી દૂર થવાય, જ્ઞાનીની આજ્ઞા પ્રાણ જતાં પણ ન તૂટે અને યથાશક્તિ ભક્તિભાવ, દાન, શીલ, તપ અને ભાવનામાં ગળાય તે તેનું કેવું સારું પરિણામ આવે ? અસાર સંસારમાં જે વિશ્વાસ રાખે છે, સુખ માને છે તે મુમુક્ષુ નથી. તેને મોક્ષે જવું ગમતું નથી. પણ જે સંસારથી, જન્મમરણ આધિવ્યાધિઉપાધિથી, કષાયક્લેશથી કંટાળી સંસારને બળતા ઘરની જેમ તજવા તત્પર છે, છૂટવાને માર્ગ જ ખેળે છે અને તેને ઉપાસવા મથે છે તે તરવાને કામી, મુમુક્ષુ કે વિચારવાનો જીવ કહેવા યોગ્ય છે. “પગ મૂકતાં પાપ છે, જેમાં ઝેર છે, અને માથે મરણ રહ્યું છે, એ વિચારી આજના દિવસમાં પ્રવેશ કર” – એમ પરમકૃપાળુદેવ ચેતાવે છે, છતાં જીવને મરણ સાંભરતું નથી, તે મરણ પછીના કાળની ફિકર ક્યાંથી રહે? તેથી વિચારવાની છે તે ક્ષણે ક્ષણે મરણ સંભારવા ગ્ય છે. તેથી વૈરાગ્યની ઉત્પત્તિ અને વૃદ્ધિ થવા યોગ્ય છે.જી. જે કોઈ જોષીએ હાથ જોઈને કહ્યું હોય કે આ મહિનામાં તમારી વાત છે તે કેટલી બધી ચેતવણી જીવ રાખે છે! દેવું કરે નહીં, કેઈ મોટાં કામ હાથમાં લે નહીં, કંઈક નિવૃત્તિ મેળવી દાન, પુણ્ય, જપ, તપ, સારા કામમાં ભાવ રાખે; પાપ કરતાં ડરે કે પાપ કરીને હવે મરી જવું નથી. આટલો વિશ્વાસ અજ્ઞાની એવા જોષીને જીવને આવે છે; પણ સપુરુષે પિકારી પિકારીને કહે છે તે જ માનવા યોગ્ય છે કે આ અનિત્ય અસાર સંસારમાં જીવ મહેમાન જે છે; બે દહાડા રહ્યો ન રહ્યો ત્યાં તે મરણ ઝડપીને ઉપાડી જશે, કોઈ તેને અંત વખતે બચાવનાર કે દુઃખમાં ભાગ પડાવનાર નથી. એકલે આવ્યો છે અને નહીં ચેતે તે ખાલી હાથે એકલે ચાલ્યા જશે. માટે આ નાશવંત દુઃખની મૂર્તિ જેવા દેહમાં મહ રાખીને આત્માને ઘણા કાળ સુધી રિબાવું પડે તેવાં કામમાં, મોહમાં ચિત્ત રાખવા જેવું નથી. આખા લેકમાં રાશી લાખ છવાયોનિમાં જીવ રઝળે, અનંત દુઃખ ભેગવ્યાં પણ પિતાને આત્મા સમીપ છતાં તેનું ઓળખાણ થયું નહીં, આત્માના સમાધિસખનું ભાન થયું નહીં, દુર્લભ મનુષ્યદેહ, ઉત્તમ કુળ, સત્સંગ અને સત્સાધન પામ્યાં છતાં જીવ પ્રમાદ છોડે નહીં તે કોઈ કાળે કલ્યાણ થાય નહીં. કર્મ બાંધવામાં જીવ શૂરે છે. કર્મ આવે એવાં કારણે મેળવે છે પણ કર્મ છૂટે એવી પરમકૃપાળુદેવની કોઈ શિખામણ લક્ષમાં લેતું નથી, તે તેની શી વલે થશે? અનંતકાળથી કડાકૂટ કરતું આવ્યું છે, કર્મને ભાર વધારો આવે છે, તેથી નિવૃત્ત થયા વિના, કંઈ અવકાશ લઈ સંયમ આરાધ્યા વિના જીવને શાંતિ કયાંથી આવશે? માટે એક પરમકૃપાળુદેવ એ જ એક મારા તે સાચા સ્વામી છે, તે મને ભવભવનાં દુઃખમાંથી ઉદ્ધાર કરનાર છે. તેની ભક્તિ આ ભવમાં મળી છે તે મરણ જેવા ભયંકર દુઃખના પ્રસંગે પણ તે છોડીશ નહીં. તેને જ આશરે જીવવું છે અને તેને જ આશરે Page #536 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૫૧૧ આ દેહ છોડે છે. બીજે ક્યાંય ચિત્તને ભટકવા દેવું નથી, એવો નિશ્ચય કરવાને કામી હોય તે કરે છે અને એ પરમપુરુષના નિશ્ચય અને આશ્રયથી તરે છે. માટે પરમ દુર્લભ એવી શ્રદ્ધા દિવસે દિવસે વર્ધમાન થાય તેવી ભાવના કર્તવ્ય છેછે. આ સંસારનાં સુખ ઝેર જેવાં છે અને દુઃખ તે સર્વને અનુભવમાં છે, તે કંઈ પણ સંસારી કામના મનમાં હોય તે કાઢી નાખી એક પરમકૃપાળુદેવમાં વૃત્તિ વારંવાર વાળી તે મહાપુરુષ જે દેહાતીત દશામાં પરમ અમૃતમય આત્મિક સુખમાં નિરંતર મગ્ન છે તેની જ ભાવના, અભિલાષા, પિપાસા ચાલુ રહે એમ વિચારવા ગ્ય છે. ભક્તિ, ભક્તિ અને ભક્તિ એ જ આધાર છે. પપર અગાસ, માગશર વદ ૯, ૨૦૦૧ સત્સંગને વેગ પરસ્પર રહ્યા કરે એ પુરુષાર્થ ચૂકવા જેવું નથીજી. આ કાળનું સ્વરૂપ વિચારતાં પણ વૈરાગ્ય વર્તે તે કાળ આવી પડ્યો છે ત્યાં પ્રમાદ એગ્ય નથી. અને જેણે બળતામાંથી બચાવી લેવાય તેટલું બચાવી લેવું એવા વિચારથી બ્રહ્મચર્ય આદિને નિયમ ગ્રહણ કર્યો હોય તેણે તે જાણે છેડી મુદત માટે સાધુપણું સ્વીકાર્યું છે એવો ભાવ રાખી પરમાર્થની જિજ્ઞાસા વધારી જ્ઞાની પુરુષની આજ્ઞાને પ્રાણ કરતાં પણ વિશેષ હિતકારી ગણી વર્તવું ઘટે . જેવું સંસારનું વિકરાળ સ્વરૂપ નજરે પ્રગટ જણાય છે તેથી વિશેષ મેહનું સ્વરૂપ છે એમ વિચારી મેહસિંહના પંજામાં ફસાઈ ન જવાય એટલી જાગૃતિ રાખવાની જરૂર છે. પ્રારબ્ધાનુસાર ધન આદિની પ્રાપ્તિ થાય છે તેમાં હર્ષશોક જે કરતા નથી તે વિચારવાન ગણાય છેજ. પુણ્યના ઉદયમાં રાજી થવું અને તેમાં ને તેમાં વૃત્તિ જોડી રાખવી તથા પાપના ઉદય વખતે ખેદ કરો, લેશિત થવું એને જ્ઞાની પુરુષોએ જુગારમાં હારજીતથી હર્ષશેક થાય છે તેની સાથે સરખાવેલ છે, માટે બને ત્યાં સુધી અવિષમ ઉપગે વર્તવું છે એ દઢ નિશ્ચય મુમુક્ષુ જીવે કરી, તે પ્રમાણે યથાશક્તિ વર્તાય તેવા પુરુષાર્થમાં પ્રવર્તવાની જરૂર છે”. આ મનુષ્યભવમાં અપૂર્વ યેગે જે જીવ કરવા યોગ્ય કાર્ય માટે કાળજી નહીં રાખે તે પછી તે લૂંટાઈ ગયા પછી આવો વેગ ક્યારે પ્રાપ્ત થશે તે તે તરફ નજર નાખતાં પણ સમજાય તેમ નથી. માટે પ્રમાદશત્રુને વશ ન થતાં જાગ્રત જાગ્રત રહેવાની જ્ઞાની પુરુષોને પણ મહાજ્ઞાની પુરુષોએ પ્રેરણા વારંવાર કરી છે, તે લક્ષમાં લઈ આપણે પણ સમાધિમરણની તૈયારીમાં જ રહેવું ઘટે છે. કેઈ રીતે ગફલતમાં રહેવું ઘટતું નથી. આયુષ્યને શે ભરે? લીધે કે લેશે એમ થઈ રહ્યું છે. ભક્તિ, વાચન, વિચાર, સ્મરણ આદિ સત્સાધને આ કાળમાં દુર્લભ છતાં જે પ્રાપ્ત થવાને પુણ્યદય આવી ગમે તે હવે એક પુરુષાર્થ કર બાકી છે અને તે આપણા જ હાથની બાજી છે, તે બને તેટલી એ સાચી દુર્લભ વસ્તુઓની ભાવના નિરંતર રહ્યા કરે તેમ કંઈ કરવા ભલામણ આપ સર્વને છે. અબળાઓ પણ આ પુરુષાર્થ કરી શકે તેમ છે પણ જીવને ગરજ હોય તેટલું જ બને છે. માટે આત્મહિતની ચિંતના દિવસે દિવસે વધતી જાય અને કરવા યોગ્ય જે જ્ઞાની પુરુષોએ જણાવ્યું છે તે વિસ્મરણ ન થાય તેટલે ઉપગ તે રાખ્યા રહે. એક ભવના છેડા સુખ માટે અનંત ભવનું અનંત દુઃખ નહીં વધારવા પ્રયત્ન પુરુષો કરે છે.” (૪૭) એમ પરમકૃપાળુદેવે કહ્યું છે તે વારંવાર વિચારી આ આત્માને અનંત દુઃખમાં Page #537 -------------------------------------------------------------------------- ________________ પાર મેધામૃત હવે નથી નાખવા એવા નિશ્ચય દરેક મુમુક્ષુએ હૃદયમાં કતવ્ય પ્રસંગે પ્રસંગે કાર્યે કાર્યે મેક્ષ માટે મારે આ ભવ ગાળવા છે એ જેવું છેજી. છેજી. વધારે શું લખવું ? ભૂલવા જેવું નથી. ચેતવા ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૫૩ આહાર, તા. ૭–૧૨-૪૪ પરમકૃપાળુūવે જણાવ્યું છે કે “દોષા દેખીને દોષોને ટાળવા.” એ લક્ષ જીવ રાખે તે દોષો દેખાતા જાય, ખૂંચતા જાય અને તેના ઉપાય શેાધે તે મળી પણ આવે, અને તે ઉપાય અમલમાં મૂકે તે જીવ દેાષથી મુક્ત થઈ નિર્દોષ અને તમારા કહેલા રસ્તામાં અહેારાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાએ,” એમ ક્ષમાપનાના પાઠમાં રાજ એલીએ છીએ તે પ્રમાણે યથાશક્તિ વર્તાય તે જીવને સંતાષ વર્તે, આગળ વધે અને પરમપદને પણ પામે. સંસારમાં તે કયાંય સુખ નથી. એકાંત સુખી મુનિ વીતરાગ” એ લક્ષ થોડાઘણેા વર્તાશે તેમ તેમ વીતરાગતા તરફ્ વલણ થશે અને ક્રમે ક્રમે પૂર્ણ વીતરાગદમાં પણ વાસ થાય. એ જ ભાવના વારવાર ભાવવા ચાગ્ય છે”. તે રુચિ થવામાં વિન્નરૂપ જે જે કારણેા સમજાય તે દૂર કરતા રહેવાની જરૂર છે, શીઘ્રપણે તેમ કરવાની જરૂર છેજી; નહીં તા આવે યેાગ રત્નચિંતામણિ જેવા આ મનુષ્યદેહ નિષ્ફળ જશે. હે જીવ ! હવે તારે સત્પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા ચેાગ્ય છે.” (૫૦૫) ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ આહાર, તા. ૯-૧૨-૪૪ ૫૫૪ “તર્ યાત્તપાત્ પૃષ્ઠેશ્, તત્ઝેિક્ તત્વોમવેત્ येनाविद्यामयं रूपं त्यक्त्वा विद्यामयं व्रजेत् ॥” તે ખેલા, તે પૂછો ખીજે, તે ઇચ્છે તન્મય અનેા; છૂટે જેથી અવિદ્યા ને સુવિદ્યા-લાભ હૈ। ઘણેા. (સમાધિશતક) આપનું લખેલું કાર્ડ મળ્યું. કથા ચમરેદ્રની તમને ખબર છે એટલે લખી નથી. તામલી તાપસ પૂર્વભવે તે હતા ત્યારે જે ધર્મ માનતા તે સાચે ભાવે પાળતા. રાજ્ય છેાડી તાપસધર્મ અંગીકાર કરી, વિષયકષાય મંદ કરી પરોપકાર, કાયાકષ્ટાદિ વડે પુણ્ય ઉપાર્જન કર્યું હતું. તે દેવદેવીઓને ખબર પડતાં તેમને અતસમયે દેવલાકના વૈભવ ખતાવી નિયાણું કરવા જણાવ્યું પણ એ મદકદાગ્રહી, ગુણગ્રાહી તપસ્વીએ કચાંક સાંભળેલું કે વીતરાગ કહે છે કે નિયાણું ન કરવું; તે આ વખતે મારે કશી દેવલાક આદિની ઇચ્છા કરવી નથી. એમ જાણ્યેઅજાણ્યે, બીજી શ્રદ્ધા અંગીકાર કરેલી છતાં, વીતરાગ-વચનનું બહુમાનપણું અને તે વચનનું કસોટીને પ્રસ ંગે યાદ કરી અમલમાં મૂકવું એ મહાભાગ્યનું કારણ બન્યું. વિશિષ્ટ પુણ્ય ઉપાર્જન થવાથી તે ઇન્દ્રપદ પામ્યા. બધા ઇન્દ્રોને તીર્થંકરનાં ૫'ચકલ્યાણકામાં જવાના નિયેાગ હાય છે તેથી સમકિત ન હેાય તાપણુ સમકિત પામવાનું કારણુ બંને છે. તે ચમરેન્દ્રપણે ઉત્પન્ન થયા પછી શક્રેન્દ્રનું સિંહાસન પેાતાના સિંહાસન ઉપર જ છે એમ જાણતાં દેખતાં ઈર્ષા થઈ આવી તેથી ક્રોધ પ્રગટ્યો; પોતે પ્રભાવશાળી છે તે તે અપમાન કેમ ખમે ? એવું માન સ્ફુર્યું. પોતાની તેને જીતવાની શક્તિ નથી એવું સલાહકાર . દેવાથી જાણ્યું, છતાં ક્રોધ अनुष्टुप Page #538 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૫૧૩ અને માયાના પ્રભાવે પાછા હઠવાને બદલે પિતાની શક્તિ પ્રગટ કરવાને દંભ , શક્રેન્દ્રને જીતવાન લેભ જાગે; તેમ છતાં મરણ વખતે આગલા ભવમાં વીતરાગ-વચન આરાધ્યું હતું તેના પ્રભાવે વૃત્તિ જાગી કે કોઈનું શરણ લઈને લડવા જવું. અવધિજ્ઞાનથી તપાસતાં ભગવંત મહાવીર છદ્મસ્થ અવસ્થાએ એક રાત્રિની મહાપ્રતિમા ગ ધારી પુઢવીશિલા ઉપર ઊભેલા શરણ યોગ્ય જણાયા. તેમનું શરણ દઢ ધારી વિકિપાવડે શક્રેન્દ્રની સભા સુધી પહોંચી ખળભળાટ મચાવે. પણ અવધિજ્ઞાનથી તેનું સ્વરૂપ જાણી લઈ તેને શિક્ષા કરવા શક્રેન્ડે વજા ફેકયું પરંતુ કેઈનું શરણ લઈને આટલા સુધી તે આવી શક્યો લાગે છે એમ વિચારતાં મહાપુરુષની આશાતના રખે થઈ જાય એવા ડરથી તે પોતે શસ્ત્ર પાછળ દોડ્યા અને શ્રી ભગવંત મહાવિરની સમીપ પહોંચતાં જ વજીને પકડી લીધું. આમ જેને પુણ્યગથી પ્રબળ સામગ્રી મળી છે તે કોઈની, ખાસ કરીને મહાત્માની આશાતનામાં ન વપરાય તેની કાળજી વિચારવાન જી રાખે છે. નિર્બળ છ સબળનું શરણું ગ્રહણ કરે તે તેને બળવાન પણ કંઈ કરી શકતા નથી. “કના બળે બેલું છું?” તે કે “મારા ધણીના બળે.” એમ સબળ ધણી ધારે તે અબળા હોય તે પણ તે બળવંત છે. જ્યાં ક્રોધાદિ દોષે છે ત્યાં સ્વર્ગ સમાન સુખ પણ ભોગવી શકાતાં નથી પણ બળતરાનાં કારણ બને છે. છતાં જે સાચું શરણ પ્રાપ્ત થાય તે તે ક્રોધાદિનાં તેફાનનું ફળ નિષ્ફળ બનવાને પ્રસંગ બને છે. “માનાદિક શત્રુ મહા, નિજ ઈદે ન મરાય; જાતાં સદ્દગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય.” સર્વ સુખનું મૂળ, સમાધિમરણનું કારણ અને મોક્ષનું કારણ સાચા શરણને મરણ સુધી ટકાવી રાખવું એ જ છે. હું પામર શું કર શકું? એ નથી વિવેક ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છે.” એ પૌરાણિક કથાઓ આપણુ જીવનને સ્પર્શ કરનારી પુરુષના ગે જ બને છે. એ માત્ર કથાઓ નથી રહેતી પણ તે દ્વારા આપણું જીવન તેમાં ઉકેલાતું સમજાય છે અને જે મહાપુરુષનું અવલંબન લીધું છે તે પરમકૃપાળુ ભગવંતની પરમકૃપા પ્રગટ સમજાય છેજી. “એમ અનંત પ્રકારથી, સાધનરહિત હુંય; નહિ એકે સગુણ પણ, મુખ બતાવું શુંય ?” ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૫૫૫ આહેર, તા. ૧૦-૧૨-૪૪ આપને પત્ર મળે. ગમે ત્યાંથી આત્મહિત થાય, ગમે તે પ્રકારે તે જ કર્તવ્ય છે. ચિત્તમાં શાંતિ રાખી રજાઓ, વડોદરા કે આશ્રમમાં જ્યાં અનુકૂળતા હોય ત્યાં ધર્મધ્યાનમાં ચિત્ત સ્વસ્થ રહે ત્યાં ગાળવા ગ્ય છે. રેન્ક (Rank) માટે બીજા ઈચ્છા રાખે તે સ્વાભાવિક છે પણ તે તેમના તથા તમારા હાથની વાત નથી. તેમને જણાવવું કે બનતે પુરુષાર્થ 33 Page #539 -------------------------------------------------------------------------- ________________ બાધામૃત ૫૧૪ કરું છું. તેનું ફળ કેવું આવે તે કોઈના હાથની વાત નથી. આપણે જેમ નાપાસ થવું નથી, તેમ નંબર ઊંચે આવે તે ના નથી. પણ એને માટે શરીર બગાડવું, ઉજાગર કરવા એમ તે કઈ પણ ન ઈચ્છે. પ્રારબ્બાધીન થનાર હશે તે થશે, તે સંબંધી ઈચ્છા પણ કરવી નથી. પુરુષાર્થ બને તેટલે કર્યો છે. નકામા સંકલ્પ-વિકલ્પમાં તણાવું નહીં. છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ પપ૬ ઈદેર તા. ૫-૧-૪૫ આપને પત્ર મળે. “સંકલ્પ-વિકલ્પરૂપ બંધનને ચિતાર આપે તે વાં. તેના ઉત્તરમાં એક પરમકૃપાળુદેવની શ્રદ્ધા જ સુખકારી છે. જેને તે શ્રદ્ધા આવી તે દુઃખી હોતે નથી. દુઃખ આવી પડે તે દુઃખ માનતા નથી. તેને એક પ્રકારને આધાર મળે છે. ધીંગ ધણી માથે કિયા રે, કુણ ગંજે નર બેટ, વિમલજિન દીઠાં લેયણ આજ મારાં સીધ્યાં વાંછિત કાજ, વિમલજિન” લેયણ છે તે જ દષ્ટિ શ્રદ્ધારૂપ લેચન છે. જેને અંતરમાંથી વિષયવાસના છૂટી હોય તેને આ જગતનાં સુખ તે દુઃખરૂપ સમજાય છે. તે જવા બેઠાં હોય તે મુઝાતા નથી, પણ સવળું કરી લે છે. જે આ આંખે કરી પુરુષનાં દર્શન થયાં છે, પરમપુરુષ પ્રત્યે શ્રદ્ધા થઈ છે, તે તે નયન સાર્થક થયાં સમજવા યોગ્ય છે. તેને હવે રહેવું હોય તે રહે, જવું હોય તે જાઓ. મારે તે હવે એક પતિવ્રતા સ્ત્રીની માફક પરમકૃપાળુદેવની ભક્તિ કરવી છે, તે કોઈ લૂંટી શકે તેમ નથી. કેઈની તાકાત નથી કે તે આ શ્રદ્ધા પલટાવી બીજી શ્રદ્ધા દાખલ કરી શકે. શ્રદ્ધા એ જ મારું જીવન છે. ભલે સંગ હ, વિયેગ હે, તે તે પલટાતી બાબત છે. પણ આત્માની સાથે અખંડ રહે છે તે એક શ્રદ્ધા છે. તેમાં નથી રૂપ, રસ, ગંધ, સ્પર્શ કે શબ્દની જરૂર. તે તે હદયને વિષય છે. જેમ એક ધણી ધાર્યો તેની માન્યતા બાઈઓ મરણ સુધી ટકાવી રાખે છે, તે મરદ તેટલું પણ ન કરી શકે? જે જે સુખદુઃખાદિના પ્રસંગે છે તે ભક્તજનેને પરમકૃપાળુદેવની પરમકૃપારૂપ સમજાય છે. જે થાય તે ભલું માનવામાં આવે એવું પરમકૃપાળુદેવનું કથન તેને માન્ય થયું હોય છે; તેથી જેમ ગળે પ્રસાદ પ્રસન્ન ચિત્તે આરેગે છે, તેમ કડવો પ્રસાદ પણ તેટલી જ પ્રસન્નતાથી વધાવી લે છે. તેમાં પરમકૃપાળુદેવની કૃપાનું તેને દર્શન થાય છે. નાના બાળકોને તેની મા એક સ્તનમાં દૂધ ખલાસ થઈ જવાથી ત્યાંથી વછોડી બીજા સ્તને લઈ જવા તેનું માથું ફેરવે છે પણ બાળકને ભાન નથી તેથી તે રૂએ છે અને મને મારી મા ધાવતાં છેડાવી લે છે એમ માની કલેશ કરે છે, પણ બીજા સ્તને તેને મૂકે છે ત્યારે શાંત થાય છે તેમ પરમકૃપાળુદેવના આશયનું ભાન ન હોવાથી જીવ સંકલ્પ-વિકલપ કરી દુઃખી થાય છે, પણ પરિણામ આત્મોન્નતિને પિષક સમજાય ત્યારે લેશ દૂર થઈ શાંતિ થાય છે. જેને શ્રદ્ધા સતત ચાલુ રહે છે તેને ક્લેશનું સ્વપ્ન પણ આવતું નથી. આંખ સુખદુઃખનું કારણ નથી. “સમજણ વિના રે સુખ નહીં તુજને.” ઘણા બે આંખેવાળા મરતાં સુધી કર્મો બાંધી આંખરહિત એક-બે-તેઈન્દ્રિયમાં રઝળે છે અને સૂરદાસ, બિલ્વમંગળ, મિલ્ટન, હેલન કેલર આદિ ચક્ષુ ગયા છતાં જગપ્રસિદ્ધ Page #540 -------------------------------------------------------------------------- ________________ ૫૧૫ પત્રસુધા અને ભક્ત થયા છે. એટલે આપણું હિત શામાં છે તે પરમકૃપાળુદેવના જ્ઞાનમાં દશ્ય છે. નાના બાળકની પેઠે કલેશિત થવામાં કલ્યાણ નથી. “જે થાવું હોય તે થાજે, રૂડા રાજને ભજીએ.” એ લક્ષ વારંવાર રાખવાથી અંતરમાં શાંતિ વર્તાશેજી. સઘળું પરવશ તે દુઃખલક્ષણ, નિજવશ તે સુખ લહિયે, એ દષ્ટ આતમગુણ પ્રગટે, કહો સુખ તે કુણ કહિયે રે. ભવિકા, વીરવચન ચિત્ત ધરિયે.” » શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૫૫૭ ઇંદોર, તા. ૬-૧-૪૫ "दानी न होगा आपसा, हमसा न अज्ञानी कहीं, अवलंबन केवल है हमारे आप ही, दूजा नहीं; भवसिंधुके भव-भ्रमरमें हम डूबते हैं हे प्रभो ! बोधि-समाधि-दानसे भवपार कर दो हे विभो !" પ્રારબ્ધ અનુસાર જીવને આજીવિકા યથાપ્રયત્ન મળી રહે છે. તેમાં ધનના લેભ કરતાં કે બીજી અપેક્ષા કરતાં જીવન શાંતિમય જાય એવી ભાવનાથી જે પ્રયત્ન કરવા જવા ઇચ્છે છે તે પ્રશંસાપાત્ર છે. મુમુક્ષુ મુમુક્ષુ પ્રત્યે ભાઈ-ભાઈ કે ભાઈ-બહેનને સંબંધ સચવાય અને કલેશનું કારણ ઊપજે તે પણ ગૌણ કરી, ભક્તિના લાભને મુખ્ય માની વર્તી શકાય તેમ લાગતું હોય તે સાથે રહી ધંધો કરતાં તેમાં કંઈ હરકત નહીં. જ્યાંત્યાંથી કલેશરહિત થવું છે અને રાગદ્વેષને દૂર કરવા મથવું છે, આ એક લક્ષ રાખ ઘટે છેજ. સંપ અને સત્સંગ એ આ કાળમાં જીવને વિશેષ હિતકારી છે. તેનું આરાધન આત્માર્થે કરવા ભલામણ છેજી. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૫૫૮ અગાસ, તા. ૧૧-૨-૪૫ તત કે સત્ મહા વદ ૧૪, રવિ, ૨૦૦૧ પરમ ઉપકારી અહો ! રાજચંદ્ર ગુરુદેવ, મેક્ષ થતાં સુધી રહે, આપ પ્રભુની સેવ. વિ. શુભેચ્છાસમ્પન્ન સાધ્વીજીને પત્ર મળે. તેમાં તમારા સમાગમથી તેમને સમાધિમરણના સાધનની જિજ્ઞાસા જાગી છે એમ જણાવે છે. જે જિજ્ઞાસા જાગી છે તે વર્ધમાન થાય તેવું વાંચન, ભક્તિ, સત્સમાગમની તેમને જરૂર છે. બારમા વિહરમાન ભગવાન ચંદ્રાનનનું સ્તવન શ્રી દેવચંદ્રજીનું વીશીમાં છે તે વારંવાર વાંચી તેમણે અભ્યાસ કરવા જેવું છે.જી. તેમાં જણાવ્યું છે – આણુ સાધ્ય વિને ક્રિયા રે, લેકે મા રે ધર્મ, દંશણ, નાણુ, ચારિત્રને રે, મૂળ ન જાણે મર્મ છે. ચંદ્રાનનટ ગચ્છ કદાગ્રહ સાચવે રે, માને ધર્મ પ્રસિદ્ધ, આતમગુણ અકષાયતા રે, ધર્મ ન જાણે શુદ્ધ રે. ચંદ્રાનન, Page #541 -------------------------------------------------------------------------- ________________ આધામૃત તેમ સત્પુરુષની આજ્ઞા વિનાની ક્રિયા તે ધર્માંનું કારણ નથી. “બાળાપ ધમ્મા બાળાપ તવા એવા શ્રી આચારાંગમાં પાઠ છે : જ્ઞાનીની આજ્ઞાનું આરાધન એ જ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ જ તપ. તા હવે ધર્મ કે સમાધિમરણની પ્રાપ્તિની જેને ભાવના છે તેણે પરમકૃપાળુદેવની આજ્ઞાનું આરાધન કર્તવ્ય છે. પરમપુરુષ શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનાવતાર ભગવંતે જે આજ્ઞા કરુણાનિધાન શ્રીમદ્ લઘુરાજ સ્વામીને જણાવેલી તે જ આજ્ઞા તે સ્વામીશ્રીજીના જણાવવાથી તેમના વિશ્વાસપાત્ર બ્રહ્મચારીએ જણાવવાથી તમને આ જણાવું છું આમ કહી, વીસ દોહરા, ક્ષમાપનાના પાઠ, યમનિયમ આટલું નિત્યનિયમરૂપે કરવા જણાવશે। અને પરમકૃપાળુદેવના ચિત્રપટ તમારે ત્યાં હોય તેને નમસ્કાર કરવા જણાવી તે મહાપુરુષને સદ્ગુરુ ધારી તેમની આજ્ઞાએ માત્ર આત્માર્થ સર્વ સદાચાર ત્રત વગેરે કરવા કહેશે. તેમની હાલ અત્ય'ત ઇચ્છા હાય તા “સહુજાત્મસ્વરૂપ પરમગુરુ” મંત્ર પણ જણાવશે। અને તેમાં નવકાર વગેરે અનેક મત્રોના સમાવેશ થઈ જાય છે. મરણ વખતે એ મત્રમાં ચિત્ત રાખી કયાંય આસક્તિ નહીં રાખા અને સદ્ગુરુ પરમકૃપાળુદેવે જાણ્યા છે, અનુભવ્યેા છે, તે આત્મા મને પ્રાપ્ત હે। એ જ ભાવનાથી મરણુ કરનારને સમાધિમરણ પ્રાપ્ત થાય છે એમ શ્રી લઘુરાજ સ્વામીએ જણાવેલું તમને જણાવ્યું છે. ખીજેથી મન ઉઠાવી એક પરમકૃપાળુદેવમાં ચિત્ત રાખશે તે એકની ઉપાસનામાં સર્વ જ્ઞાની સમાઈ જાય છે. કોઈની વિરાધના થતી નથી. વીતરાગ દશાને પ્રાપ્ત સર્વ પૂજ્ય છે. એ દૃઢતા રાખી પ્રેમ ભક્તિ વમાન થાય તેમ કન્ય છેજી, પ “પર પ્રેમ પ્રવાહ અઢે પ્રભુસે, સખ આગમ-ભેદ સુ ઉર ખસે, વહુ કેવલકો ખીજ જ્ઞાની કહે, નિજક અનુભવ બતલાય દિયે.” લેાકર'જનના માર્ગ મૂકી સમાધિ-મરણની તૈયારી હવે કરવી છે એ લક્ષ રાખી, જે જે સદાચાર, વ્રત, ક્રિયા, ભક્તિ કરશે! તે સદ્ગુરુ આજ્ઞાએ ઉપકારી મેાક્ષમાર્ગ સાધક નીવડશેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૫૫૯ અગાસ, ફાગણ સુદૃ ૩, ૨૦૦૧ આવા કળિકાળમાં જેને ધર્મ પ્રત્યે ચાટ થઈ હેાય તે જ ભગવાનને સભારે, નહીં તે તૃષ્ણામાં આખું જગત અજાયબી પમાડે તેમ તણાઈ રહ્યું છે; તેમાંથી ખચી પરમકૃપાળુદેવના ચરણમાં ચિત્ત રાખશે તે ધન્યવાદને પાત્ર છેજી. ૫૬૦ તત્ સત્ અગાસ, તા. ૧૯-૨-૪૫ ફાગણ સુદ ૮, સામ, ૨૦૦૧ આ કાળમાં વિરલા જીવામાં ધર્મ ઉત્સાહ ટકી રહે છે. ન્યાયનીતિનું ખળ પણ ઘટતું જાય છે તે ધર્મ તેના આધાર વિના કેવી રીતે વૃદ્ધિ પામે ? મહાભાગ્યશાળી હશે તેને સત્પુરુષની શ્રદ્ધામાં વર્ષોંમાનતા થઈ સમિકત સહુ સમાધિમરણને લાભ પ્રાપ્ત થશે, એ લક્ષ રાખી પુરુષાર્થ દિનપ્રતિદિન વધÖમાન થતા જાય તેમ વર્તવું ઘટે છેજી. કંઈ ન અને તે શ્રદ્ધાની દૃઢતા જેમ જેમ થતી જાય તેવે સ'ગ, તેવું વાંચન, તેની ભાવના કરતા રહેવી ઘટે છેજી. પરમકૃપાળુદેવની કૃપાથી ઇંદોરમાં સત્સંગની સામગ્રી અને શુભેચ્છાસ'પન્ન મુમુક્ષુઓનું સંઘ Page #542 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૫૧૭ બળ ઠીક છે. તેમાં સંપ રહે અને સત્સંગ, ભક્તિ, વાચન, વિચારના પ્રસંગ રહ્યા કરે તે અસત્સંગનું બળ ઘટે અને વિચારની નિર્મળતા થતાં સ્વરૂપ પ્રાપ્તિની સરળતા થાય. વ્યક્તિગત પ્રયત્ન અને સમૂહમાં ભક્તિ આદિના પ્રસંગેની પણ જરૂર છે. જે જે નિમિત્તે ભક્તિભાવ વધે, ધર્મપ્રેમ, વાત્સલ્યતા, પ્રભાવના, ગુણવૃદ્ધિ થાય તેમ પ્રવર્તાવા સર્વને ભલામણ છે. વૈરાગ્ય ઉપશમ અર્થે બાર ભાવના, દશ યતિધર્મ, સમાધિમરણ આદિ “સમાધિસોપાનમાંથી વાંચતા રહેવા ગ્ય છેજ. “દેહાદિ સંબંધી જે પુરુષે હર્ષવિષાદ કરતા નથી તે પુરુષે પૂર્ણ દ્વાદશાંગને સંક્ષેપમાં સમજ્યા છે, એમ સમજે.” (૮૪૩) ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ પ૬૧ અગાસ, ફાગણ સુદ ૯, મંગળ, ૨૦૦૧ | વિ. પરમકૃપાળુદેવની કૃપાથી યથાશક્તિ ધર્મ ધ્યાનમાં પ્રવર્તે છે; તે પરમ પુરુષને અવલંબને આ મનુષ્યભવ સફળ કરવાની સામગ્રી પૂર્વના મહતું પુણ્યથી પ્રાપ્ત થઈ છે તે વ્યર્થ વહી ન જાય તેટલી જાગૃતિની જરૂર છે, કારણ કે પુરુષોત્તમ ભગવંતે જ કહ્યું છે – “દુર્લભ એ મનુષ્યદેહ પણ પૂર્વે અનંત વાર પ્રાપ્ત થયા છતાં કંઈ પણ સફળપણું થયું નહીં, પણ આ મનુષ્યદેહને કૃતાર્થતા છે કે જે મનુષ્યદેહે આ જીવે જ્ઞાની પુરુષને ઓળખ્યા તથા તે મહાભાગ્યને આશ્રય કર્યો. જે પુરુષને આશ્રયને પામીને જીવ તે ભવે અથવા ભાવી એવા થડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે.” (૬૯૨) અચિંત્ય તુજ માહાભ્યને, નથી પ્રફુલ્લિત ભાવ, અંશ ન એકે સ્નેહને, ન મળે પરમ પ્રભાવ.” આ દેહરાને ભાવાર્થ તમે પૂક્યો હતો, તેને પરમાર્થ ઉપર ટકેલા પત્રમાં સ્પષ્ટ સમજાય છે કે “જેને બીજું કંઈ સામર્થ્ય નથી એવા અબુધ અને અશક્ત મનુષ્ય પણ તે આશ્રયના બળથી પરમ સુખહેતુ એવા અદ્ભુત ફળને પામ્યા છે, પામે છે અને પામશે. માટે નિશ્ચય અને આશ્રય જ કર્તવ્ય છે, અધીરજથી ખેડ કર્તવ્ય નથી.” (૮૪૩) આવું અચિંત્ય ચિંતામણિરવરૂપ ધર્મનું સ્વરૂપ જેણે નિરૂપણ કર્યું છે તેનું અચિંત્ય માહાસ્ય છે, પણ તે પ્રત્યે પ્રફુલ્લિત ભાવ, પરમ ઉલ્લાસ છવને આવતો નથી. એ કઈ પૂર્વના અંતરાય ભાસે છે. સાંસારિક તુચ્છ વસ્તુઓ પ્રત્યે સર્વ પ્રદેશે આત્મા આકર્ષાઈ તન્મય બની જાય છે, પણ તેને એક અંશ પણ પરમ પુરુષના પરમ ઉપકાર પ્રત્યે ટકો નથી; તેની સાથે પ્રીતિ બંધાતી નથી, તેની સ્મૃતિ વારંવાર આવતી નથી, એ જીવનું નિર્બળપણું પ્રગટ જણાય છે. વળી આ કળિકાળમાં જન્મી પરવસ્તુમાં વૃત્તિ રાખી જીવે પિતાના વીર્યને આત્મઘાતક બનાવ્યું હોવાથી એ પરમ પ્રભાવ જીવમાં પ્રગટી આવે તેમ જણાતું નથી. પરમગુરૂ શ્રી ગૌતમસ્વામી મિથ્યાત્વકુળમાં જન્મ્યા, ઊછર્યા, અધ્યયન કર્યું અને મિથ્યાત્વ પિષી તેમનામાં વેદાંતમાં) અગ્રગણ્ય બન્યા છતાં તે વીર્ય પરમ પ્રતાપી શ્રી મહાવીર ભગવાનના ગે પલટાઈ ગયું તો પટ્ટધર ગણધર પદવી પામ્યા. એ પરમ પ્રભાવ હે પ્રભુ ! મારામાં જણાતું નથી અને પરમ પ્રભાવ વિના આ સ્વયંભૂરમણ સમુદ્ર જેવો મેહ તરી શકાય એ Page #543 -------------------------------------------------------------------------- ________________ મેધામૃત ૫૧૮ નથી; તે હે પરમકૃપાળુદેવ ! આપ સમાન જહાજ જ અમારા આધાર છે, આશ્રયસ્થાન છે. એમ એ ગાથા વિચારવા યાગ્ય છેજી. “અધમાધમ અધિક પતિત, સકળ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શુંય ?’’ એ ગાથા પૂછી તેના વિચાર એમ કબ્ય છે કે નિગાહથી નીકળી પરમકૃપાળુદેવના શરણુ સુધી અવાયું એ કોઈ અલૌકિક મીના બની છે. પરંતુ હવે જો તે શરણુ, મરણ સુધી પકડી ન રાખું તે મારા જેવા આત્મઘાતી મહાપાપી ખીજો કોઈ ગણાય નહીં. તેણે જણાવેલે માર્ગે ચાલવાને બદલે કાળા હાથ અને કાળા મુખવાળા વાંદરા જેવા પશુપણે વતું, કાળાબજારની નીતિથી ધન એકઠું કરવામાં જ જીવન કૃતાર્થ માનું અને આ ભવનું ઉત્તમ કર્તવ્ય આ પત્રને મથાળે જણાવ્યું છે તે વીસરી જાઉં તેા સત્પુરુષને મળી તેની પ્રરૂપણાથી વિપરીત વર્તી તેના દ્રોહી બનવાનું અધમાધમ પુરુષના લક્ષણ જેવું મેં કર્યું ગણાય; પશુ કે અનાર્ય - જનાને તા કોઈ આધાર કે ઉપદેશ કર્યું ગેાચર થયા નથી, તેથી તે તજવા ચેાગ્ય વસ્તુનું અત્યંત મહાત્મ્ય મનમાં રાખે તેમાં તેના દોષ એછે. ગણાય; પણ જેને પરમ પુરુષનાં દન, તારકતત્ત્વથી પૂર્ણ વચને કર્યુ ગોચર થયાં છે, તેના આશ્રિત ગણાય છે, છતાં તેને વગેાવાવે, નિંદાવે તેવું જેનું વર્તન, ચિંતન, કથન હેાય તે અધમાધમ પુરુષ કરતાં પણ અધિક પતિત ગણાય એમ વિચારી પોતાની જવાબદારીના ઉત્તમ ખ્યાલ રાખી જે પુરુષાનું અવલંબન લીધું છે તે જ નિરંતર ધ્યેયરૂપે, આચરણના આદશ રૂપે રહે તેમ પુરુષાર્થ કર્તવ્ય છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૫૬૨ અગાસ, તા. ૨૧-૨-૪૫ આ ભવમાં સમાધિમરણના લાભ એ જ ખરી કમાણી છે. તેને માટે ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ ૩૬ માળાની યાજના દિવાળી ઉપર ગાઢવી છે તે ભાવપૂર્વક થાય તે જીવનાં અહાભાગ્ય ગણવા યેાગ્ય છેજી. રાજ કઈ ને કઈ ખાર ભાવનામાંથી વિચારી સમાધિમરણની સ્મૃતિ કરી આત્મશાંતિના લાભ લેતા રહેવાની ટેવ પાડવા યેાગ્ય છેજી. “આપ સમાન બળ નહીં અને મેઘ સમાન જળ નહીં' એ કહેવત પ્રમાણે પાતે પુરુષાર્થ કરી મૂક્યો હશે તે આખરે બહારની મદદ મળેા કે ન મળેા પણ કરેલું કયાંય જવાનું નથી. આખર વખતે તે ગુણુ દેશે. માટે પૈસાટકાની ચિંતા ઘટાડી પ્રેમપૂર્ણાંક ભક્તિમાં વૃદ્ધિ થાય તેની કાળજી રાખતા રહેવા વિન'તી છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૫૬૩ તત્ સત્ અગાસ, તા. ૨૪-૨-૪૫ ફાગણુ સુદ ૧૩, શનિ, ૨૦૦૧ સુખ નથી સ'સારમાં ખરી વાત સુણાવું, સુધર્મ સુખની ખાણુ રે – ખરી વાત સુણાવું; અંશે પણ પાપા તજે – ખરી॰ તે ત્રર્તો લે કલ્યાણુ રે – ખરી નાવ ડૂબે અતિ ભારથી – ખરી॰ તેમ જ હિંસા-ભાર ♦ – નરક-સમુદ્રે જીવને – ખરી॰ ડુબાડે, ખરી વિચાર ૨ – ખરી Page #544 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦ પત્રસુધી તૃણ ઊંડે ટોળીએ – ખરી. જીવ અસત્યે તેમ રે – ખરી ભમે ભવે ચિરકાળ રે! ખરી જૂઠ ન દેતી ક્ષેમ રે. – ખરી. સ્પર્શ કૌચને દુઃખ દે – ખરી. તેમ અદત્તાદાન રે, – ખરી, પરધન – દારા-પ્રીતિ દે – ખરી. ચિંતા ચિતા સમાન રે. – ખરી, મૈથુન મન્મથ – દાસને – ખરી. નરકે ઢસડી જાય રે; – ખરી. જેમ જમાદાર વડે – ખરી. કેદીજન ઢસડાય રે. – ખરી પરિગ્રહ – કુગ્રહે સહે- ખરી. ભારે દુઃખે સર્વ રે – ખરી. કાદવમાં "કરીવર કળે – ખરી. તેમ રસાદિ – ગર્વ રે. – ખરી. (પ્રજ્ઞા. ૧૦૦) મહા વ૮ ૧૩ ને દિવસે યાત્રામાંથી ત્રણ મહિને આશ્રમમાં પાછું આવવું થયું છે. અત્રે સર્વની શરીરપ્રકૃતિ ઠીક છે. એક માસથી કંઈક વધારે મારવાડમાં આહોર, નાકોડાજી કાવું થયું હતું ઈંદોર દસેક દિવસ રહેવું થયું હતું. ત્યાંથી ૨૪-૨૫ મુમુક્ષુવર્ગ સહિત અલાહાબાદ, કાશી, પટણા, સારનાથ, રાજગૃહી, નાલંદા, કુંડલપુર, ગુણવા, ઈસરી (ઈશ્વરી), મધુવન, સમેતશિખર, ગયા, અધ્યા, મથુરા થઈ આશ્રમમાં સુખરૂપ આવી ગયા છીએ. સમેતશિખર ઉપર વીસ તીર્થંકરો મે ગયા છે, પાવાપુરીમાં શ્રી મહાવીર મેક્ષે પધારેલા, મથુરામાં શ્રી જંબુસ્વામી મોક્ષે ગયેલા. અયોધ્યા અનેક તીર્થકરો અને શ્રી રામની જન્મભૂમિ છે. સારનાથમાં શ્રી શ્રેયાંસનાથનાં ચાર કલ્યાણક છે. કાશીમાં શ્રી પાર્શ્વનાથ અને શ્રી સુપાર્શ્વનાથનાં ચાર કલ્યાણક છે. કુંડલપુરમાં શ્રી મહાવીર સ્વામીને જન્મ થયેલે. મથુરામાં શ્રીકૃષ્ણનો જન્મ થયેલ. ગુણાવામાં શ્રી ગૌતમસ્વામી નિર્વાણ પામેલા. રાજગૃહીમાં શ્રી મુનિસુવ્રતનાથનાં કલ્યાણક તથા શ્રી મહાવીર સ્વામીએ ચૌદ માસાં કરેલાં, તેમ જ શ્રી શ્રેણિક રાજાની રાજધાની હતી. પટણામાં શ્રી સુદર્શન શેઠ બ્રહ્મચર્ય માટે પ્રખ્યાત છે, તે મોક્ષે ગયેલા અને શ્રી સ્થૂલિભદ્ર બ્રહ્મચર્યમાં ઘણું અડેલ ગણાય છે, તેમનાં પાદુકાછ ત્યાં છે. એમ અનેક સ્થળમાં ઘણું મહાપુરુષનાં આશ્ચર્યકારક પરાક્રમની સ્મૃતિ થાય તેવાં પવિત્ર સ્થળોએ પુણ્યયોગે યાત્રાર્થે જવાનું બન્યું હતું. તે કારણે કેઈને પત્રોત્તરને વખત નહીં હવાથી લખાયું નથી. આપણને આ મનુષ્યભવ, ઉત્તમ કુળ, સદ્ગુરુને સમાગમ, સદ્બોધ અને મહામંત્રને લાભ થયો છે, તેની સફળતા માટે બનતે પુરુષાર્થ કરી મોક્ષમાર્ગમાં આગળ ને આગળ વધાય તેવા ભાવ દિનપ્રતિદિન ચઢિયાતા કરતા રહેવાની જરૂર છે. જ્યાં સુધી શરીર કામ આપી શકે એવું છે ત્યાં સુધી જંપીને બેસવા જેવું નથી. શરીરની ઘણી સેવા કરી, તેને આટલાં વર્ષ પાળ્યું છે, તે હવે મોક્ષમાર્ગમાં કામ લાગે તે બધું લેખે આવે તેમ છે. શરીરમાં ને શરીરમાં જેની બુદ્ધિ છે તેને બીજા શરીરરૂપ કેદખાનામાં જરૂર જવું પડશે અને જેને સદુગુરુના બધે દેહાદિથી ભિન્ન, ઉપયોગસ્વરૂપ, અવિનાશી, પરમ પવિત્ર એવા આત્માની શ્રદ્ધા, સમજ થઈ છે, તેણે તે આત્માની ભાવના કરવાથી આત્મશુદ્ધિ કરી કેવળજ્ઞાન અને મોક્ષની કમાણી કરી લેવાની છે. “આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે, જીવ લહે કેવળજ્ઞાન રે.” # શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧ સુખ ૨ કંચના કાંટા કરડ્યા કર ૩ કામવિકાર ભૂત ૫ માટે હાથી; સુખ-અહંકાર ૬ રસગર્વ, સિદ્ધિગર્વ.શાતાગર્વ Page #545 -------------------------------------------------------------------------- ________________ ૫૦ બેધામૃત અગાસ, તા. ૨૪-૨-૪પ તત્ સત્ ફાગણ સુદ ૧૩, શનિ, ૨૦૦૧ "कृपा तिहारी ऐसी हाय, जनम मरण मिटावा मेोय । बार बार मैं विनती करूँ, तुम सेवे भवसागर तरूँ ।।" શિખરિણી – મહાદ્રોહી મિથ્યા, – તિમિરપટ ટાળે તરત આ, મને ના દેખાયે, મુજ ગુણ છતાં ચેતન મહા; ગણાઉ સંસારી, કરમવશ બેભાન બનતાં, કરે કૃપા એવી, અલખ નિધિ દેખું સહજમાં. આપે તે ઘણું વાંચ્યું-વિચાર્યું હશે, પરંતુ હવે પરમકૃપાળુદેવની ભક્તિ અને વૈરાગ્યઉપશમની વૃદ્ધિસહ જે જે આરાધના કરશે તે વિશેષ ઊંડા ઊતરવાનું કારણ થશે. આપે પત્રમાં જણાવેલ છે તે ઉપરાંત “છપદને પત્ર” અને “મૂળમારગ સાંભળે જિનને રે’ એ પદ પરમકૃપાળુદેવની આજ્ઞા લઈ વિશેષ વિશેષ વિચારવા ભલામણ છે. છપદના પત્રના છેવટના ભાગમાં પરમકૃપાળુદેવ જણાવે છે – “જે સત્પરુષે એ સદ્ગુરુની ભક્તિ નિરૂપણ કરી છે તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે વ્યક્તિને પ્રાપ્ત થવાથી સદ્ગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દષ્ટિગોચર થઈ અન્ય સ્વરછંદ મટે અને સહેજે આત્મબંધ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે તે ભક્તિને અને તે પુરુષોને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હો!” આવી ભક્તિ આદરી તેમાં જણાવેલું ફળ પ્રાપ્ત કરી લેવું છે એવો દઢ નિશ્ચય કર્તવ્ય છેજી. વળી, પત્રાંક ૭૧૯, શ્રી લઘુરાજ સ્વામીને શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર મેકલેલું તેની સાથે પરમકૃપાળુદેવે મોકલેલે પત્ર ત્યાગી મહાત્માઓ અર્થે જ લખેલ છે, તે બહુ ઊંડા ઊતરી વિચાર અને બને તે મુખપાઠ કર ઘટે છેછે. શ્રદ્ધાની દઢતા અને જ્ઞાન પરિણામ પામવાને માર્ગ વગેરે તેમાં જણાવેલ છે, તે વિચારી ઉરમાં અચળ કરવા ગ્ય છે. તેમાં છેવટે જણાવ્યું છે – “અનંત વાર દેહને અર્થે આત્મા ગાળે છે. જે દેહ આત્માને અર્થે ગળાશે તે દેહે આત્મવિચાર જન્મ પામવા યોગ્ય જાણી, સર્વ દેહાથની કલ્પના છેડી દઈ એક માત્ર આત્માર્થમાં જ તેને ઉપયોગ કરે એ મુમુક્ષુજીવને અવશ્ય નિશ્ચય જોઈએ. શ્રી સહજાન્મસ્વરૂપ.” હવે કલાજ, કરંજન કે લૌકિક ભાવ તજી આત્મા માટે પરમકૃપાળુદેવની ભક્તિ પરમ સાધન સમજી આત્મસ્વરૂપ અર્થે ગૂરણ જાગે, તે જ મુખ્ય કર્તવ્ય દષ્ટિ સન્મુખ રહ્યા કરે તે જીવનપલટો કર્તવ્ય છે. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૫૬૫ અગાસ, તા. ૨૮–૨-૪૫ તત સત્ ફાગણ વદ ૧, બુધ, ૨૦૦૧ આપના પત્રો બને મળ્યા છે.જી. તેમાં આપે જે ભાવો આ પામર પ્રત્યે દર્શાવ્યા છે તે પરમકૃપાળુ ધીંગધણી પ્રત્યે વારંવાર અત્યંત પ્રેમે પ્રદર્શિત કરવા યંગ્ય છેછે. આપણે પ્રાર્થના એ જ ભાવે કર્તવ્ય છે જ. આપણને પ્રાર્થના કરતાં પણ પિતે જ વીસ દેહરા આદિ દ્વારા શીખવ્યું છે – Page #546 -------------------------------------------------------------------------- ________________ ૫૨૧ પત્રસુધા ભક્તિમાર્ગ પ્રવેશ નહિ, નહીં ભજન દઢ ભાન; સમજ નહીં નિજધર્મની, નહિ શુભ દેશે સ્થાન.” “સેવાને પ્રતિકૂળ છે, તે બંધન નથ ત્યાગ; દેહેન્દ્રિય માને નહીં, કરે બાહ્ય પર રાગ.” રેજ લાખ વાર વીસ દોહા બેલાય તેય ઓછા છે, એમ પ. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ એક વખત કહેલું. “પ્રભુ પ્રભુ લય લગાડવાની છે. પુરુષાર્થ કર્યો જઈશું તે જરૂર જેવું કારણ મળશે તેવું કાર્ય થશે જ. “ખામી નહીં મુજ ખિજમતે, કદીય હશો ફલદાતા રે.” આપણામાં ખામી છે તે દૂર કરવા દઢ નિશ્ચય કર્તવ્ય છેજી. તેમ થશે તે ફળ માંગવું નહીં પડે. આપઆપ પ્રભુ પ્રસન્ન થશે. મારે તમારે ભક્તિ પુરુષાર્થ હજી વિશેષ વિશેષ દઢ કરવાની જરૂર છે. જે ખામીથી મૂંઝવણ થાય છે, તે ખામી પ. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ બતાવેલ માર્ગે પુરુષાર્થ કરતાં દૂર થશે. “કઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવાયેગ્ય નથી.” (૪૬૦) એ તેમની આજ્ઞા શ્રદ્ધાપૂર્વક વિચારી હૃદયમાં અંકિત કરશે. # શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૫૬૬ અગાસ, તા. ૧-૩-૪૫ તત છે. સન ફાગણ વદ ૨, ગુરુ, ૨૦૦૧ ક્ષમા કરે ભગવંત ભૂ બહુ, ભ્રાંતિ હરો ચિરકાળ તણી, સત્યસ્વરૂપ વિષે સ્થિરતા ઘો, સદ્ગુરુ રાજ ઉદાર ધણી; ભાન નહીં ભગવંત મને કંઈ, શુદ્ધ સ્વરૂપ સદાય ચહું, તુજ કરુણથી ભવભવનાં હું કિલષ્ટ કર્મ ક્ષણમાંહિ દહે. આપના પત્રમાં શુભ ભાવના તથા પિતાના દોષ દેખી કંટાળવા જેવું લખ્યું છે, તે એક રીતે યોગ્ય છે. મુમુક્ષુતાની શરૂઆત જ પિતાના દોષ જોવામાં અપક્ષપાતતાથી થાય છે. પિતાના ગુણને બદલે દોષ દેખવાને અને તેને દૂર કરવાને પુરુષાર્થ જે કરે છે તે ધન્યવાદને પાત્ર છે. પણ ખેદ તે કઈ રીતે કર્તવ્ય નથી. “ખેદ નહીં કરતાં શૂરવીરપણું રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં મેક્ષપાટણ સુલભ જ છે.” (૮૧૯) જય પામવાને માર્ગ પરમકૃપાળુદેવે એ પત્રમાં પ્રગટ કહી દીધું છે અને તે વાત સર્વ મુમુક્ષુઓએ મુખે કરી હૃદયમાં સ્થિર કરવા યોગ્ય છે એમ પણ જણાવ્યું છે. “ધીંગ ધણી માથે કિયા રે, કુણું ગંજે નર બેટ, વિમલ જિન” એમ ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીને મુખેથી ઘણી વખત સાંભળ્યું છે. વળી તે એમ પણ કહેતા કે કર્મ તે બકરાં છે. સિંહની ત્રાડ સાંભળે તે ગમે તેટલાં એકઠાં થઈ ગયાં હોય પણ બધાં ભાગી જાય, તેમ કમનું ગમે તેટલું પ્રબળપણું વર્તમાનમાં જણાતું હોય તે પણ તેની સામે થવાને જીવનો નિશ્ચય થયે તે ગમે ત્યારે વહેલેડે તે કર્મને તે જવું જ પડશે. અને આત્મા તે ત્રિકાળ અબાધિત રહેનાર છે. તેને વાંકો વાળ કરવા કોણ સમર્થ છે? માત્ર જીવ પરવસ્તુની મહત્તામાં વીર્યહીન થઈ તેની જ રટના કર્યા કરે છે, તેની ગૂરણા કર્યા કરે છે, તેને સંભાર્યા કરે છે ત્યાં સુધી પિતાના તરફ દષ્ટિ દેવાતી નથી. એવા મૂંઝવણના પ્રસંગે જેમ જનક વિદેહી સદ્દગુરુ શ્રી અષ્ટાવક્રનું શરણ ગ્રહતા તેમ આપણને પરમકૃપાળુદેવની પરમ Page #547 -------------------------------------------------------------------------- ________________ પર માધામૃત પુરુષાવત મૂર્તિનું, તેના પ્રગટ જ્ઞાનાવતાર ગુણુનું, તેના ક્ષાયિક સમ્યક્દર્શનનું સ્મરણ થાય તેા મનને ખીજું વિચારવાના, ખેના કે સંકલ્પવિકલ્પને અવકાશ જ ન રહે. કેટલા અપાર કલ્ટે ઉત્કૃષ્ટ આરાધના કરી આપણને આદશ રૂપ તે પરમપુરુષ બન્યા છે અને આ કાળના અનંત દોષોથી આપણને ચેતાવ્યા છે! તેની મહત્તા હૃદયમાં ભાસે તે ખરેખર આપણે મહા ભાગ્યશાળી છીએ એમ ભાસ્યા વિના ન રહે અને તેને પગલે ચાલવાથી જ સાચું સુખ જરૂર પામીશું એવી દૃઢતા હૃદયમાં જામતી જાય અને નિખળતા દૂર થાય. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૫૬૭ 'ગ લગાડી ઇષ્ટના, ગણજો અન્ય અસાર; ગુરુપદે મન રાખીને, તરો આ સ'સાર. સત્ય વિનયયુક્ત ખેલજો, નવ જોશે પરદેષ; સ્વદોષ સર્વે ત્યાગો, તેથી થશે સ`તેાષ.” પહેલેસે પ્રારબ્ધ બન્યા, પીછે અન્યા શરીર; તુલસી અચરજ એ ખડી, મન ન ખાંધે ધીર.’ અગાસ, તા. ૧૧-૩-૪૫ રહેવામાં હિત છે ત્યારે તેથી ચેતીને અહીંથી લખેલા પત્રમાં જે કંઈ શિખામણુ હોય તે તત્કાળ ઉપયાગી ન જણાય તાપણુ ભવિષ્યમાં પણ કુમાર્ગે વૃત્તિ જતાં અટકે એ પણ ઉદ્દેશ હાય છે. અમુકને જ ઉદ્દેશીને લખેલું હાય એમ નહીં ગણતાં જેનામાં તેવી વૃત્તિ હોય કે તેમાં દેરવાઈ જાય તેણે તેના પ્રત્યે અરુચિ કેળવી, તેવા પ્રસંગથી દૂર સમજવે ઘટે. જગતનું વાતાવરણુ ઝેરી ખનતું હેાય ન તણાવું, ખીજા તેમાં ન તણાય તેવી ચેતવણી આપવી તથા આડકતરી રીતે પણ પાતે તે વાતાવરણમાં ફસાઈ ન જવાય તે ઉદ્દેશે લખેલું. જેવું અન્ન તેવું મન' એવી કહેવત છે. શાસ્ત્રમાં પણ પુણિયાશ્રાવકની કથા છે કે તેની પત્નીએ પાડોશીને ત્યાંથી દેવતા લાવતાં સાથે દેવતા ઉપર છાણાંને ભૂકા વગર પૂછ્યું નાખેલા. તે રસાઈ જે દિવસે તે જમ્યા, ત્યાર પછી સામાયિક કરવા બેઠા તા ચિત્ત સ્થિર થાય નહીં. પાતાના દોષો બારીક દૃષ્ટિએ શેાધ્યા પણુ જડયા નહીં; પત્નીને પૂછ્યું કે કોઈ પાપ એવું આજે થયું છે કે જેથી મારું મન સામાયિકમાં ચેાટતું નથી? તેણે પણ વિચાર કર્યાં ને જડી આવ્યું કે પાડોશીને ત્યાંથી દેવતા સાથે છાણાંના ભૂંકા સળગાવવા વગર પૂજ્યે આણેલા. આ જમાનામાં આ વાત નજીવી લાગે પણ મન જેને સ્થિર કરવું છે તેને તેવા દેાષા પણ વિદ્મરૂપ જરૂર જણાય છેજી. પુષ્પમાળામાં પરમકૃપાળુદેવે લખ્યું છે “તું રાજા હૈ। તેા ફિકર નહીં, પણ પ્રમાદ ન કર. કારણુ નીચમાં નીચ, અધમમાં અધમ, વ્યભિચારના, ગર્ભ પાતના, કસાઈ ને અને વેશ્યાને એવે કણ તું ખાય છે. તેા પછી ?'' વિચારવા ચેાગ્ય છેજી. નિર્દેશનેા, ચડાળના, આ બધું આપણે પણ .................ને જણાવવાનું કે પૂર્વનાં કર્યાં અનેક પ્રકારે ઉદયમાં આવે છે. જાગતાં, તેવા સ ́ભવ હાય એટલેા તેના પરમાર્થ ચાલવું, તેમાં પોતે Page #548 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા પર૩ ઊંઘતાં, વિચારતાં કે એકાએક પણ જે ભાવે પૂર્વે વિશેષ સેવાયા હોય છે તે વગર વિચાર્યું પણ ફુરી આવે છે. સૌ સાધન બંધન થયાં, રહ્યો ન કોઈ ઉપાય; સત્સાધન સમજે નહીં, ત્યાં બંધન શું જાય?” તેમાં જણાવ્યા પ્રમાણે જીવે ઘણાં સાધન, એકાંત સેવન, ગિરિગુફાઓ, સંથાર વગેરે કરેલ છે, છતાં જે ખામી રહી ગઈ છે તેને લઈને જન્મવું પડ્યું છે. માટે સત્સાધન સમજવામાં આ ભવમાં ભૂલ ન રહી જાય તેમ કર્તવ્ય છેજ. તેને અર્થે સત્સંગ, સવાચન, સદ્દવિચાર, સદ્દગુરુની આજ્ઞાનું આરાધન, ગુરુકુળવાસ આદિની જરૂર છેજી. દેહાદિ પદાર્થો કરતાં અનંતગણ કાળજી આત્માની રાખવા પરમકૃપાળુદેવે ફરમાવ્યું છે, તે વારંવાર વિચારી યથાશક્તિ આચરવા ગ્ય છે. બધું એક દિવસે બનતું નથી, પરંતુ લક્ષ તે જ રાખવે ઘટે છે. બને તેટલું આરાધન કરવું. ન બની શકે તેની ભાવના કર્યા કરવી તે અનુકૂળ સંગો સાંપડશે તે ભાવના જરૂર સફળ થશેજ. જેવી જેની ભાવના હોય છે તેવી તેને સિદ્ધિ વહેલીમડી મળે છે જી. # શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૫૬૮ અગાસ, તા. ૧૨-૭-૪૫ તત્ સત્ ફાગણ વદ ૧૩, ૨૦૦૧ “હે મહાયા ! હે શિથિલતા! તમે શા માટે અંતરાય કરે છે? પરમ અનુગ્રહ કરીને હવે અનુકૂળ થાઓ, અનુકૂળ થાઓ.” (હા. નં. ૨-૧૯) "अविनाशी आतम अचल, जग तेथी प्रतिकूल । __ ऐसो ज्ञान विवेक हैं, सब साधनको मूल ॥" જગત તે જેવું દેખશે તેવું કહેશે, પણ મુમુક્ષુ જીવ બીજાના અભિપ્રાય કરતાં પિતાના આત્મહિતને લક્ષ રાખી પિતાના મનને અહિતમાં જતું અટકાવવા બળવાન પુરુષાર્થ કરે છે. મનને આધારે બંધન કે મોક્ષ થાય તેવું ચિંતવન બને છે અને નિમિત્તાધીન મન હોવાથી સારા નિમિત્તમાં જોડી રાખે છે તે તેફાન કરે નહીં, પાપમાં પ્રવર્તે નહીં. આખો દિવસ સ્મરણમાં મનને ગમે નહીં અને બીજે ભટકે, માટે કંઈ ને કંઈ શુભવૃત્તિમાં જોડી રાખવા ભલામણ છેજ. સાજા હોઈએ ત્યારે તે ધંધા વગેરેમાં મન જોડાવાથી અશુભમાં જવાને પ્રસંગ એ છ રહે, માટે માંદગીને વખતે વિશેષ બળ કરીને પણ ભક્તિ વગેરેને કમ યથાશક્તિ રાખ ઘટે છેજી. તાવ ચડ્યો હોય કે તદ્દન અશક્તિમાં વખતે નિત્યનિયમ ન બને તેપણ મનમાં ખેંચ રાખવી કે અત્યારે ન બન્યું તે તાવ ઊતરતાં પણ નિત્યનિયમ કરી લઈશ. પરમકૃપાળુદેવની સાક્ષીએ આજ્ઞાએ નિયમ લીધેલે પાળો જ ઘટે છેજ. કોઈ વખતે ન બને તે પશ્ચાત્તાપ રાખ પણ તેવી ટેવ પડી ન જાય – આજ્ઞાભંગ ન થાય તે ઘણો લાભ થવા ગ્ય છે. ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૫૬૯ અગાસ, તા. ૧૨-૩-૪૫ પૂ. ને પરમકૃપાળુદેવની સમક્ષ તેમની આજ્ઞાની સમજ આપી સાત વ્યસન, નિત્યનિયમ, સ્મરણ પણ ભાવના હોય તે જણાવવા હરક્ત નથી. પણ જેને હાલ સમરણ વિના Page #549 -------------------------------------------------------------------------- ________________ પર બેધામૃત નિત્યનિયમ વગેરેને નિયમ લે હોય તે તેમ લે. કોઈને તે બાબતમાં ગુપ્ત રીતે પણ આગ્રહ કે ભારે શબ્દોમાં દબાવીને કહેવું ઘટતું નથી. તેની જેટલી જિજ્ઞાસા હોય તે પ્રમાણે અલ્પ પણ સાચા પુરુષની આજ્ઞા છવ ઉઠાવશે તે ભવિષ્યમાં વિશેષને માટે યોગ્ય થશે. પ૭૦ અગાસ, તા. ૧૬-૩-૪૫ - તત્ સત્ અધિક ચૈત્ર સુદ ૩, શુક્ર, ૨૦૦૧ સત્સંગની ભાવના રહ્યા કરે છે તથા સ્મરણ કર્યા કરે છે એમ જાણી સંતોષ થયે છે. આ ભવમાં સાચા પુરુષની શ્રદ્ધા તેમ જ તે પરમપુરુષનું શરણ મરણ સુધી અનન્ય ભાવે જે ટકાવી રાખશે તેને આ દુષમકાળ પણ ચેથા આરા જેવું છે. પ. પૂ. પ્રભુશ્રીજીએ એક પત્રમાં મુમુક્ષુ જીવને શિખામણ લખેલી તે આપને લક્ષમાં રહેવા નીચે લખું છું જીઃ ઉદયને સમભાવે વેદવો એ જ્ઞાનીને સનાતન ધર્મ છે. પ્રારબ્ધ એટલે પૂર્વે ઉપજેલાં કર્મ; પુરુષાર્થ એટલે પ્રારબ્ધને વિષે હરખ-શેક ન કરે તે.” ૫૭૧ અગાસ, તા. ૨૩-૩–૪૫, શુક હરિગીત – રે! સેંકડે કામ વડે વ્યાકુળ થઈ જે મન બળે, પામે નહીં શાંતિ કદી, ઈરછા છતાં કોઈ સ્થળે હૃદયે રહેલું સ્વરૃપ પણ પામે નહીં તે જન અરે ! જે સારભૂત વિચાર તŠ પરના વિચાર કર્યા કરે. (હદયપ્રદીપ) તમારો કાગળ મળે. ક્ષમાપનાના ભાવ વાગ્યા. તે જ પ્રમાણે હું પણ આપના પ્રત્યે આ ભવમાં કે ભવભવમાં અપરાધ થયા હોય તેની ઉત્તમ ક્ષમા યાચું છું અને આપના પ્રત્યે પણ સમભાવે ખમું છું. સર્વ ભૂલી જવાનું છે. જેણે વહેલી તે તૈયારી કરી તે વહેલે સુખી થશે. જે સંભાર સંભાર કરશે તે પરભવમાં પણ વેરભાવ લઈ જશે એ સિદ્ધાંત હેવાથી ખમી ખૂદવું, નિર-મૈત્રીભાવ ધારણ કરે અને સર્વને ખમાવી નિઃશલ્ય થઈ પરભવ માટે તૈયાર રહેવું એ ઉત્તમ સનાતન માર્ગ છે જી. પરમકૃપાળુદેવને જેણે હૃદયમાં ઉરચ સ્થાન આપી તેનું જ સાચા અંતઃકરણે શરણું સ્વીકાર્યું છે અને તે પણ સંતના કહેવાથી, તેની સાક્ષીએ જે આશ્રય ગ્રહણ થયેલ છે તે તેનાં અહોભાગ્ય છે. દેહ અને વેદનાઓ આવી અને આથી અનંતગણુ જીવે જોઈ છે. માત્ર તેને અવગણ, કેવળ અર્પણભાવ મરણ સુધી ટકાવવાનું જીવ શીખે નથી, તે આ ભવમાં કરી લેવાનું છે. ગમે તેવા પ્રસંગે, અસાધ્ય વેદનીમાં પણ “નબદું નબદું તે નબદું” દેહ અને દેહની સર્વ અવસ્થાઓથી ભિન્ન મારું સ્વરૂપ પરમકૃપાળુદેવે કહ્યું છે અને તેમ કરી બતાવ્યું છે તે હવે તે માથું મૂકીને તે જ માનું, તેને જ શરણે જવું અને તેને જ શરણે મરું; પણ બીજા ભાવે મારે મારા માનવા જ નથી. જે સ્વરૂપ જ્ઞાનીએ જાણ્યું છે, અનુભવ્યું છે, પ્રગટ તે જ રૂપ થયા છે, તે જ મારું સ્વરૂપ છે એ નિઃશંકપણે માનું છું. તેની સ્મૃતિ માટે મને અનંત કૃપા કરી સંત મહાત્માએ સ્મરણ આપી જે ઉપકાર કર્યો છે તેને બદલે કઈ રીતે વળે તેમ નથી. માત્ર મરણના છેલલા સમય સુધી તેને વિસારું નહીં એ જ એને વિનય, Page #550 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૫૨૫ ભક્તિ, વ્રત કે ધર્મ છે. આ હવે નહીં ચૂકું એટલે નિશ્ચય અવશ્ય કર્તવ્ય છે. આ રહસ્યભૂત મતિ મને અંતે હે. # શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૨-૪-૪૫ લેકસેવા કે માંદાની કે નિરાશ્રિતની સેવામાં દષ્ટિ સદ્ગુરુ પ્રત્યે રહે, તેની આજ્ઞા જ સર્વોપરી હિતકર્તા લાગે તે વૈરાગ્યવાનને ઘણું લાભ, ઘણું જાણવાનું જે પુસ્તકમાંથી ન મળી શકે તે સેવા દ્વારા પ્રાપ્ત થવા યોગ્ય છેજ. જેની જેની સેવામાં રોકાવું પડે તેના જેવી આપણું દશા શરીર, મન આદિની હોય તે વખતે આપણને મદદ કેવી મળે તે સારું તેનું પણ ભાન ના હોય અને તે મળે જાય તે કેટલે આનંદ, ઉત્સાહ, સંતોષ અને સનાથતા અનુભવાય તથા તેવી દશા આપણું ન બને તેવું પણ નક્કી નથી; મરણાદિ પ્રસંગો માથે ઝઝૂમી રહ્યા છે તે પ્રગટ સુદષ્ટિવંતને સમજાય છેજ. ૩. શાંતિઃ પ૭૩ અગાસ, તા. ૧૦-૪-૪૫ તતું કે સત્ પ્ર. ચૈત્ર વદ ૧૩, મંગળ, ૨૦૦૧ દેહરા – “બાળકાય કૂંપળ સમી, યૌવન પાન સમાન, પાકું પાન જરા–સમય, મરણ વાયરે માન. કેઈ ગર્ભ વિષે મરે, મરે જન્મતાં કોઈ, બાળપણામાં પણ મરે, જુવાન મરતા જોઈ નિયમ નહીં વર્ષો તણે, મરણ અચાનક થાય, એક નિયમ નક્કી ખરે – જન્મે તે મર જાય. ગિરિ નીચે ન ઊતરે, તેમ જૈવન વહ જાય; ભેગમગ્ન જીવ ઊંઘતે, મરણ સમય પસ્તાય. પાણ પહેલી પાળ જે બાંધે તે જ સુજાણ; આત્મહિતમાં ઢલ કરે, તે નર નહિ વિદ્વાન.” (પ્રજ્ઞાવબંધ-૧૮) કેવળ અર્પણતા નથી મરણ સુધીની છેક' એ વારંવાર વિચારી, ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ જે કંઈ આત્મસાધન દર્શાવ્યું છે તે જ એક આધાર માની તેની ઉપાસના અત્યંત પુરુષાર્થ ફેરવી આ ભવમાં કરી લેવી ઘટે છે. કાળને ભરેસે નથી. ક્યારે આપણે વાર આવશે તે ખબર નથી, તે રોજ મરણને સંભારી કેવી રીતે મરવું છે તેની તાલીમ લેવી ઘટે છે. સમાધિમરણને અર્થે આ ભવ છે અને જ્ઞાનીને શરણે તેના સ્મરણમંત્રને લક્ષમાં રાખી તેને આશ્રયે દેહ છેડે છે એ જ નિશ્ચય કરી તેની વારંવાર સ્મૃતિ કર્તવ્ય છે. કેઈન સંગ કરવા ગ્ય નથી પણ અસંગ ન રહી શકાય તે સત્સંગ, સપુરુષના સંગની ભાવના કર્તવ્ય છે. ત્રણ લેકમાં કોઈ પણ પદાર્થ ઈચ્છવા ગ્ય નથી, તેમ છતાં ઈચ્છા ન ટળે ત્યાં સુધી એક મોક્ષ-અભિલાષા, માત્ર મેક્ષની જ ઈચ્છા કર્તવ્ય છેજ. કારણ કે તે પ્રમાણે વર્યાથી અસંગ અને નિસ્પૃહ થઈ શકાય છે). આ લક્ષ રાખીને પ્રારબ્ધની વેઠ પૂરી કરવી ઘટે Page #551 -------------------------------------------------------------------------- ________________ ૫૨૬ બેધામૃત છે, પણ ક્યાંય ચિત્તને આસક્ત કરવું ઘટતું નથીજી. ધન કરતાં આ ભવની પળેપળ વિશેષ કીમતી ગણ તેને જ્ઞાનીની આજ્ઞામાં ગાળવી ઘટે છે. એ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૫૭૪ તા. ૧૦-૪-૪૫ તત્ સત્ પ્ર. ચૈત્ર વદ ૧૩, મંગળ, ૨૦૦૧ પરમકૃપાળુદેવમાં નિઃશંકપણે શ્રદ્ધા અને તેને આશ્રયે જીવવાનું અને દેહ તજવાને નિર્ણય રાખી નિર્ભયતા તથા તેના ફળરૂપ નિઃસંગતા આરાધતા રહેવા ભલામણ છે. પિતાનું છે તે નાશ પામનાર નથી અને જે છૂટી જવાનું છે તે પિતાનું નથી, આટલી વાતની જેને દઢતા થઈ જાય તેને મરણને ડર લાગે નહીં, મેહ તેને સતાવે નહીં. પુરુષ પરમકૃપાળુદેવ પ્રત્યે દિનપ્રતિદિન દઢ પ્રેમભક્તિ વધતી રહે અને તેને શરણે નિર્ભયતા તથા પુરુષાર્થની વૃદ્ધિ થતી રહે તેમ વર્તવા ભલામણ છે. # શાંતિઃ શાંતિઃ શાંતિઃ પ૭૫ અગાસ, તા. ૧૩-૪-૪૫ બી. ચૈત્ર સુદ ૧, શુક્ર, ૨૦૦૧ વસંતતિલકા – જે રાજ્યભગ શયનાસન વાહનાર્થ, સ્ત્રીસંગ માલ્ય મણિ રત્ન વિભૂષણાર્થે; ઈચ્છાભિલાષ હદપાર વધારી મહે, તે ધ્યાન આર્ત ગણવું, વદતા વિહે. ૧ બાળી, બગાડ, હોં ભેદન છેદને જે, બંધ-પ્રહાર-દમને અતિ નિર્દયી જે રા, ધરે ન અરરાટ ઉરે નઠારા, તે ધ્યાન રૌદ્ર ગણવું વર-વાક્ય-ધારા. ૨ સૂત્રાર્થ – સાધન – મહાવ્રત – ધારણાર્થે ને બંધ-એક્ષ-ગતિ આગમ હેતુ ચિતે, પંચેન્દ્રિયે વશ કરે, કરુણુ બધાની, તે ધ્યાન ધર્મ ગણવું, વદતા સુજ્ઞાની. ૩ પંચેન્દ્રિય રહીં પરામુખ વિષથી, સંકલ્પ-કલ્પન-વિકલ્પ-વિકાર ક્યાંથી? ત્રિાગ-દેષ ટળતાં નિવૃત્તાન્તરાત્મા જે ધ્યાન-લીન ગણ શુક્લ વદે પરામા. ૪ હરિગીત – તિર્યંચ-ગતિ થતી આધ આર્તધ્યાનમાં ઉર જે વહે, ને રૌદ્રથી ગતિ નારકી; પણ ધર્મથી સુર-ગતિ લહે શુક્લે થતે સંસાર-લય, ભવ-વ્યાધિ-રોગ-કૃપાણ એ, તે આત્મહિત-કર્તા ગણે ભવ-હર ધરે, ભવિ, ધ્યાન એ. Page #552 -------------------------------------------------------------------------- ________________ પત્રા ૫૨૭ મથાળે લખેલી ચાર ધ્યાનની તથા ફળની કડીએ થોડા પ્રયાસે સમજી શકાશે. ન સમજાય તે આવે ત્યારે પૂછી જોશે. આઠ વર્ષીના સાધુ થયેલા મનક નામના બાળકને શીખવા સ’ગ્રહાયેલાં દશવૈકાલિકસૂત્ર (a collection from Purvas) ઉપરની શ્રી હરિભદ્રસૂરિની ટીકામાંથી તે અનુવાદ કરી લખી માકલી છે. છ માસનું તેનું સાધુજીવન ટૂંકું જાણી આચાર્યે સાધુચર્યાં ટૂંકામાં તેમાં વણુ વી છે. તે છ માસમાં મુખપાઠ કરી ધર્મધ્યાનથી દેહ તજી દેવલાક પામ્યા. આ કાળનાં અનિશ્ચિત ટૂંકા આયુષ્ય છતાં મેહુને લીધે તેની સફળતા સાધવાનું જીવને સૂઝતું નથી. પરીક્ષિત રાજાને ખબર પડી કે સાત દિવસનું હવે આયુષ્ય છે, તે રાજપાટ તજી ગંગાકિનારે જઈ તપશ્ચર્યા આદરી, તે સમાચાર જાણી તે તરફના મુનિએ ત્યાં એકત્ર થયા, ધર્મધ્યાન અર્થે તે સમેલન થયું, ત્યાં તે શુકદેવજી ફરતા ફરતા ત્યાં આવી ચઢયા. તેમની પૂજા વિનયભક્તિ કરી પરીક્ષિતે માગણી કરી કે આ અલ્પ આયુષ્ય આપના આધશ્રવણમાં જાય અને સમાધિમરણ થાય તેવી કૃપા કરે. શુકદેવજીને તે તે જ પ્રિય હતું. પિતા વ્યાસજી પાસે શીખેલું શ્રીમદ્ ભાગવત તેમણે કથારૂપે શ્રવણ કરાવવું શરૂ કર્યું. સાત દિવસમાં એકલયે ભગવ ́ત પરમાત્માની અલભ્ય કથાના લાભ પામી તેમણે શ્રેય સાધી લીધું. આ બધું આપણને શું સૂચવે છે ? ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ પરમ કૃપાળુનું શરણું, તરણું – તારણું જાણુ; અંત સમય સુધી રહે, નિર'તર સુખખાણુ. ૫૭૬ કષાય-કીચડ, વિષય-ગટરજલ, ગધાતું તજી ઊઠે જરી, એધતી માં સ્નાન કરી ઝટ, નિ`ળ થા ઉત્સાહ ધરી; નિંદ્ય-કર્મ મચ્છર કરડે આ, જન્મમરણુરૂપ રાગ કરે, ત્વરા કરી જો જાગી ઊઠે, સર્વ દુઃખજ ખાધ હરે. (પ્રજ્ઞા૦ ૧૦૬) અગાસ, તા. ૧૫-૪-૪૫ આપના પુત્ર ગણાતા આત્માએ આ ક્ષેત્ર ત્યાગી અન્યત્ર વાસ કર્યાના સમાચાર લખ્યા, તે ઉપરથી આપણને જે મનુષ્યભવ મળ્યા છે તે એવા જ ક્ષણભ`ગુર છે એમ વિચારી પ્રમાદમાં બધું વધું ન જાય તેવી કાળજી રાખી બહુ આદભ્ભાવ સહિત પરમકૃપાળુદેવ પ્રત્યે અપૂર્વ ઉપકારની સ્મૃતિ સહ ભક્તિ કતવ્ય છેજી. કોઈ અમલદારે ક'ઈ ગામની માહિતી કે બીજી ખામતના ખુલાસા મગાવ્યા હાય કે ગામની રક્ષા કરવા વગેરેનું કામ સોંપ્યું હાય તે તેમાં રખે ભૂલ ન થાય, દઉંડપાત્ર ન થવાય એ બીકે બહુ વિચારીને જાગૃતિપૂર્વક તે કામ કરીએ છીએ; તેા જન્મમરણના ફેરા ટાળવા પરમકૃપાળુદેવની અન'ત કરુણાથી આપણને જે સત્તાધનની આજ્ઞા થઈ છે તે જો ભાવપૂર્વક આરાધીએ તે જરૂર આત્મા વમાનમાં શાંત થાય અને ભવિષ્યમાં પણ સુખી થાય. તે કામ સૉંપરી સમજી, લૌકિકભાવ તજી, વારવાર મરણની સ્મૃતિ કરતા રહી આ ભવ-પરભવમાં હિતનું કારણ સમજી આત્મક બ્યરૂપ ભક્તિ, સાંચન, સત્સ`ગ કરતા રહેવા સર્વાંને ભલામણ છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #553 -------------------------------------------------------------------------- ________________ આધામૃત ૫૭૭ અગાસ, તા. ૧૯-૪-૪૫ તત સત્ ખી, ચૈત્ર સુદ ૮, ગુરુ, ૨૦૦૧ એમ પરાજય કરીને ચારિત્રમેહના, આવું ત્યાં જ્યાં કરણ અપૂર્વ ભાવ જો; શ્રેણી ક્ષપકતણી કરીને આરૂઢતા, અનન્ય ચિંતન અતિશય શુદ્ધ સ્વભાવ જો અપૂર્વ અવસર એવા કયારે આવશે ?” તમે ગયા પત્રમાં પ્રશ્ન પૂછ્યો છે કે અગિયારમે ગુણસ્થાને આવેલા જીવ પ્રમાદવશ પડી પહેલે ગુણસ્થાનકે આવી અન’તકાળ સુધી પરિભ્રમણ કરે અને એક વાર સમકિત પામેલે જીવ વધારેમાં વધારે પંદર ભવ કરે તે કેમ ઘટે છે ? તેના ઉત્તર નીચે જણાવ્યેા છે તે ઉપરથી વિચારશેાજી પરવ એક વાર સમકિત પામીને જે સમિત વમી ન નાખે, સકિતથી પડી ન જાય, પણ મંદ પુરુષાર્થથી રાગદ્વેષ ટાળવાનું કામ કરે તેા વધારેમાં વધારે પંદર ભવ સુધીમાં તે સ કના તે ક્ષય કરી શકે એવું સમ્યક્ત્વનું ખળ ખતાવ્યું છે; કારણ કે ઘણાં કર્યાં હલકાં થયે, અર્ધ પુદ્ગલપરાવર્તનથી કઈક એછે જેને સસારકાળ છે તેને જ સમ્યક્ત્વ થાય છે. એ અર્ધ પુદ્ગલપરાવર્તન કાળ પણ ઘણૈા લાંખેા છે, તેમાં અનંત ઉત્સર્પિણી-અવસર્પણી કાળ (છ આરા કે કલ્પકાળ) થઈ જાય તેવા છે એટલે આપણા હિસાબે અનંતકાળ છે. તેથી અનંતકાળ પરિભ્રમણ કરે એમ કહ્યું છે. પરંતુ કેવળીભગવાને તેના અંત દીઠો છે એટલે તેનું ચોક્કસ માપ અર્ધ પુદ્ગલપરાવર્તનથી કઈક ન્યૂન કહ્યું છે. એટલે એવા નિયમ ભગવંતે દર્શાવ્યા છે કે જેને એક વખતે સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ તેને અવશ્ય મેક્ષ થવાને. વધારેમાં વધારે કાળ, સમ્યક્ત્વ અનેક વાર વસી નાખે તે પણ અર્ધ પુદ્ગલપરાવર્તન પૂર્ણ થતાં પહેલાં તે માક્ષે જાય જ એવું કેવળજ્ઞાનમાં ભગવંતે દીઠેલું પ્રરૂપ્યું છેજી. ખીજું, પૂ....એ વ્રતનિયમે સંબંધી પુછાવ્યું છે. તેના ઉત્તરમાં જણાવવાનું કે સાત વ્યસન, સાત અભક્ષ્યના ત્યાગમાંથી તમે જેટલા નિયમ લીધા હશે તે તમારા તત્ત્વજ્ઞાનને છેલ્લે પાને લખી આપેલા હશે. યાદ ન હેાય, ને તત્ત્વજ્ઞાન પણ પાસે સચવાઈ રહ્યું ન હેાય તા પૂ. સાથે વાતચીત કરી સાત બ્યસન ને સાત અભક્ષ્યમાંથી કેટલી ચીજના આજથી આખી જિંદગી પર્યંત ત્યાગ થઈ શકશે તે નક્કી કરી, બીજા કોઈ નિયમ (બ્રહ્મચર્ય આદિ) ની ભાવના હેાય તે વિષે પણ ટકી રહે તેટલી મુદતને વિચાર કરી નિયમ લેવા હાય તે લખશેાજી. આ તેા દ્રવ્યત્યાગની વાત કરી, તે વાડરૂપ છે. પાપરૂપ પશુને દૂર રાખવા પૂરતી છે. ધર્મધ્યાન થવા અર્થે પ. પૂ. પ્રભુશ્રીજીએ જણાવેલ ત્રણ પાઠ — ‘હે પ્રભુ ! હે પ્રભુ !'ના વીસ દોહા, ‘યમનિયમ’ની આઠ કડી, ક્ષમાપનાનેા પાઠ — એ નિત્યનિયમ પરમકૃપાળુદેવની સાક્ષીએ લીધેા છે તે નિયમ જાણીજોઈને તેાડવા ઘટતા નથી. મુખપાઠે ખેલતાં પૂરું ધ્યાન ન રહે તા, ‘તત્ત્વજ્ઞાન’માં જોઈ ને પણ પા કલાક જેટલા વખત તેમાં ગાળવા ઘટે છેજી. નિયમ લઈ ને તેાડે તે। માનસિક નિબળતાનું તે કારણ છે. મનેાખળ વધારવું ઘટે, તેને ખલે મંદ થવાનું તે કારણ છેજી. આપણી કલ્પનાએ ખીજામાં મન રેાકાતું લાગતું હોય તે!પણ ત્રણ પાઠ તે જરૂર રાજ કરવા યેાગ્ય છે ને મ`ત્રની માળા પણ નિયમિત ગણવી. - Page #554 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધી પર તા. ક. – પોતાની શક્તિ પ્રમાણે માળાને નિયમ રાખવો, પણ એક માળા તે ઓછામાં ઓછી રાખવી ઘટે. માળા વિના પણ સ્મરણમાં બને તેટલું ચિત્ત રાખવાથી ધર્મ ધ્યાન થાય છે. જે આજ્ઞા મળી છે તેને આધારે જે પુરુષાર્થ થાય છે તે ધર્મ ધ્યાનનું કારણ છે. “ગાના ધો, તો આજ્ઞાનું આરાધન એ જ ધર્મ છે, આજ્ઞાનું આરાધન એ જ તપ છે. ૫૭૮ અગાસ, તા. ૨૦-૪-૪૫ તત્ સત્ બી. ચૈત્ર સુદ ૯, શુક, ૨૦૦૧ ગઈ કાલથી અહીં આંબેલની ઓળી (રસત્યાગ કે સાદે આહાર અને ધર્મધ્યાન સહ ગૃહસ્થદશામાં સાધી શકાય તેવું નવ દિવસનું વ્રત) ચાલે છે. હરિવંશપુરાણ સાંજના સભામંડપમાં વંચાય છે તેમાં ઋષભદેવના ગર્ભકલ્યાણકની કથા ગઈ કાલે આવી હતી. ભેગભૂમિનું તથા તેવા પુણ્ય-ઉપાર્જનનું કારણ પાત્રદાન તેનું વર્ણન આવ્યું હતું. સમ્યફદર્શન સહિત મુનિપણું પાળનાર ઉત્તમ પાત્ર, સમ્યફદર્શન સહિત શ્રાવકત્રત પાળનાર મધ્યમ પાત્ર અને વ્રત વિનાના સમ્યક્દર્શનવાળા જીવોને જઘન્ય પાત્ર ગણાવ્યા હતા. તેમને ભક્તિપૂર્વક દાન દેનાર મિથ્યાદષ્ટિ પણ ભેગભૂમિને એગ્ય પુણ્ય પ્રાપ્ત કરે છે. સમ્યફદષ્ટિ કે સમ્યફદષ્ટિ વ્રતવંત શ્રાવક દાતાર મુનિ પણું પામે તે ક્ષે જાય, નહીં તે દેવગતિ પામે. વ્રતનિયમ પાળનાર પણ મિથ્યાદષ્ટિ જીવને ભક્તિપૂર્વક દાન દેનાર કુભોગભૂમિ કે કુમનુષ્ય યોગ્ય પુણ્ય બાંધે; અને વ્રત પણ ન હોય અને સમ્યક દર્શન પણ ન હોય તેને દાન ભક્તિ સહિત દેનારનું દાન વ્યર્થ જાય છે, રાખમાં ઘી રેડ્યા સમાન છે એમ આવ્યું હતું. દયાની લાગણી પિષવા અનુકંપા દાન દેનાર પુણ્ય બાંધે છે પણ પરીક્ષાબુદ્ધિ નહીં હોવાથી કે વિપરીતતાને કારણે અપૂજ્યમાં પૂજ્યબુદ્ધિ આત્મહિતનું કારણ નથી એ સર્વને સાર છે. આ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૫૭૯ અગાસ, તા. ૨૬-૪-૪૫ તત # સત બી. ચૈત્ર સુદ ૧૪, ગુરુ, ૨૦૦૧ “કોણ ઉતારે પાર, પ્રભુ બિન કોણ ઉતારે પાર? ભદધિ અગમ અપાર – પ્રભુ બિના” પરમકૃપાળુદેવની સેવામાં રહેલા તેમના પરમકૃપાપાત્ર સદ્ગત પૂ. અંબાલાલભાઈએ પ. પૂ. પ્રભુશ્રીજી (લઘુરાજજી) ઉપર સંઘાડાથી છૂટા થયા ત્યારે લખેલા પત્રની નકલ આપને ઉપયોગી થઈ પડશે એમ ગણી લખી મોકલી છે તેને સદુપયોગ કરવા લક્ષ લેશોજી. “મારા૫ણુના લૌકિકભાવે ગ૭મતાદિ જીવે માન્ય કર્યા છે અને લૌકિકભાવ, સંસારત્યાગ કરી મુનિપણું ગ્રહણ કરતી વખત ગળામાં પહેરેલે હેવાથી “હું ફલાણું સંઘાડામાં છું, તેમાં હું મનાઉં છું, પૂજાઉં છું, આ અમારે સંઘાડે છે, આ સાધુ શ્રાવક મારા છે, એમ જ હું સંઘાડાથી જુદો પડ્યો, મને તિરસ્કાર થયે, આહાર-પાણ હવે તે સંઘાડાને માન્ય કરતા શ્રાવક-શ્રાવિકા મને નહીં આપે? શું થશે? તિરસ્કાર થશે ? એમ પણ ફુરણા આત્મામાં થાય છે. તેનું કારણ મુનિપણું ગ્રહણ કરતાં જે સંઘાડા આદિનું મમત્વપણું જીવે વરમાળરૂપે પહેર્યું છે તે સત્તામાં ઘણું સૂક્ષ્મ રહેલું હોવાથી એ જ કુરણ કરાવી આત્માને એક સમય 34. Page #555 -------------------------------------------------------------------------- ________________ ૫૩૦ બેધામૃત પણ દીન, ગુનેગાર, રંક બનાવી દે છે, પણ પુરુષના ગે તે ભાવ દબાઈ જવા ગ્ય છે. આવા લૌકિક ઉદયથી મનને સંકોચ નહીં કરતાં મહામુનિઓ આનંદમાં રહે છે અને નીચે પ્રમાણે પરમાર્થ વિચારે છે – “અસત્સંગ સહેજે દૂર થશે; મારાપણું આખા જગતનું છોડ્યું હતું અને તેમાં લપિયા સંઘાડાને લઈને કંઈ વળગ્યું હતું તે સહેજે છૂટ્યું, એ પરમ કૃપા શ્રી સદ્ગુરુની છે. હવે તે હે જીવ! તારે ગ૭, તારો મત, તારે સંઘાડો ઘણું મોટો થયો, ચૌદ રાજલેક જેઘડે થયે. ષટે દર્શન ઉપર સમભાવ અને મૈત્રીભાવ રાખી નિર્મમત્વભાવે, વીતરાગભાવે આત્મસાધનને બહોળો અવકાશ મળે.' જેની વૃત્તિ અંદર આત્મભોવમાં ઊતરતી જાય છે તેને ક્ષેત્ર, કાળ, દ્રવ્ય, ભાવ કંઈ નડતાં જણાતાં નથી. તેને કાળ, દ્રવ્ય, ભાવ, ક્ષેત્ર માત્ર દેહને નિમમત્વભાવે ભાડું આપવા માટે ગષવા છે. તે ગમે તે શહેરમાં, ગામમાં, ગામડામાં આત્મનિવૃત્તિ બનતી હોય તે ત્યાં અડચણ આવશે નહીં. ભેગાવલિ કર્મ પ્રમાણે સઘળી વસ્તુઓ, ભેગે, સુખદુઃખ વગેરે કર્મ અનુસાર આવ્યા જશે, માટે વિકલ્પરહિત જ્ઞાની સદ્દગુરુની આજ્ઞા અનુસાર કરવા આપની વૃત્તિ છે તે બહુ જ ઉત્તમ છે. મારાપણું સમૂળું જાય એમ મનને પ્રબળ કરવાથી, કાયાને પ્રબળ કરવાથી તે લાભ થાય, પણ આત્માને અતિ બળવાન કરવાથી પૂર્ણ લાભ થાય છે. નિર્મળ એવું જ ખારા સમુદ્ર ભેગું મળવાથી શાંત પડી રહેવા ઈચ્છતું નથી, પણ સૂર્યની ગરમીના વેગે વરાળરૂપ થઈ, વાદળારૂપ થઈ જગતને અમૃતમય થવા સર્વ સ્થળે પડે છે, તેમ જ આપ જેવા મહામુનિઓ સત્ એવા પરમસ્વરૂપને જાણ્યાથી નિર્મળ જલરૂપ થઈ આખા જગતના હિતને માટે મારાપણું છોડી, ગ૭મતાદિની કલ્પનાથી રહિત થઈ. આખા લેકને અમૃતમય કરવા વીતરાગ ભાવ સેવે છે. કોઈ પણ કોઈ પણને છૂટો કરવા ભેગો કરવા માગે તે થઈ શકતું હોય એમ જણાતું નથી. જીવ અજ્ઞાન, મિથ્યાત્વભાવમાં જ્યાં સુધી છે ત્યાં સુધી મિથ્યાત્વમાં, આ ગચ્છમાં, તે ગરછમાં જ્ઞાની તેને ગણે છે. મિથ્યા ગયા પછી સમકિત પ્રાપ્ત થવા છતાં તેને તે તે નાત, જાત, ટોળી, મત, ગ૭માં ગયે અને તેરમે ગુણઠાણે ગયે કે ચૌદમે છે તે પણ દેહધારીના ગચ્છમાં ગણયે, પણ શુદ્ધ નિર્મળ, શુદ્ધ સચ્ચિદાનંદ, સિદ્ધસ્વરૂપ પ્રગટ્યું ત્યારે તે કૃતાર્થ થયે, સર્વથી ભિન્ન નિર્મળ થયે એમ મનને નિશ્ચય વતે છે. શુભ-અશુભ ઉદયમાં જેની વૃત્તિ પૂર્ણ આત્મભાવ, વીતરાગભાવ તરફ પ્રયાસ કરે છે તેના મહાન વીતરાગભાવમાં આ લેક રજરેણુવત્, નહીં જેવો છે જે નજરે પણ આવતો નથી; એવા પરમ આત્મભાવમાં રમનાર મહામુનિઓને વારંવાર નમસ્કાર છે. વિચારમાળા પર વૃત્તિ ચડી જવાથી ઉપરનું લખાણું છે. આપ મુનિઓના ચરણ સેવવા લાયક હું રંક અલ્પજ્ઞ હોવાથી અને ભાન થવાથી કલમ અટકી ગઈ છે. અવિનય લખાણને માટે ક્ષમા આપશે. બાળ ઉપર અનુકંપા લાવી એવા ભાવે મારામાં આવે એમ પ્રેરશો. દોષનું નિવારણ કરશે.” અગાસ, તા. ૨૦-૫-૪૫ ૫૮૦ પરમકૃપાળુનું શરણું, તરણતારણ જાણે અંત સમય સુધી રહે, નિરંતર સુખખાણુ. Page #556 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધી - ૫૩૧ આપ જે ભક્તિભાવ વિરહ વેદના દર્શાવે છે, તે બધું પરમકૃપાળુદેવ પ્રત્યે ભક્તિભાવ સહિત કર્તવ્ય છે. કોઈ પણ કારણે આ સંસારમાં લેશિત થવા ગ્ય નથી. ધર્મ ભાવનાની વૃદ્ધિ અર્થે, સદ્ભાવનામાં ચિત્ત જોડાય તે અર્થે સત્સંગ સપુરુષની સ્મૃતિ ઉપકારક છે; સંસારભાવમાં વહી જતા જીવને બચાવે છેછે. તેમ છતાં પૂર્વકર્મના અંતરાયયોગે ભાવના પ્રમાણે ન બને તે ફ્લેશિત થવા યોગ્ય નથી. વારંવાર ભાવના થતાં કર્મની મંદતા થયે તેવી અનુકૂળતા મળી પણ આવે ત્યારે ભાવના સફળ થાય છે. આપણે તે ધર્મભાવના કર્યા કરવી. ફળ આવતું ન દેખાય તે પણ ગભરાવું નહીં. મેટું ઝાડ જાડા થડવાળું હોય તેને કાપવાની શરૂઆત કરે ત્યારથી તે નીચે પડી જતું નથી, ઘણુ ઘા માર્યા છતાં થોડે થોડે થડ કપાતું જાય છે. વધારે કપાય ત્યારે તે પડી જાય છે. તેમ આપણું કામ પુરુષાર્થ કર્યા રહેવાનું છે. સારી ભાવનામાં ચિત્તને રોકવું. હાથપગથી જે પૂર્વે બાંધ્યાં છે તે કામ કરવાં પડે, પણ મનથી અને બને તે જીભથી પણ સ્મરણ કરવાનું ચાલુ રાખવાની ટેવ પાડી મૂકવી ઘટે છે જી. આપણું બાંધેલાં કમ કોઈ ન ભેગવે, આપણે જ ભેગવવાનાં છે; તે ધર્મ સાધન જેને મળ્યું છે તેની મદદથી ધર્મધ્યાનમાં વૃત્તિ રાખી જેટલાં કર્મ હોય તે બધાં ખપાવી ઋણમુક્ત થવું છે એ જ ભાવના કર્તવ્ય છે. ઉદાસીનતા, વૈરાગ્ય, ભક્તિ, ઉપશમ સહજસ્વભાવરૂપ કરી દેવાની પરમકૃપાળુદેવની આજ્ઞા છે તે લક્ષમાં રાખી જે કામ કરવા પડે તે કર્યા જવાં. ગભરાવું નહીં. કર્મ મંદ થયે સત્સંગ આદિને જોગ આવી મળશે. હિંમત હારવા જેવું નથી. મરણપ્રસંગ આવી પડે તો પણ ગભરાવા જેવું નથી. “ધિંગધણી માથે કિયા રે કુણ ગાજે નર બેટ – વિમલ જિન દીઠાં લેયણ આજ; હાં રે મારાં સીધ્યાં વાંછિત કાજ – વિમલ જિન” સપુરુષનું શરણ જેને છે તેણે મરણથી પણ ડરવા જેવું નથીજી. આત્મા તે કદી મર્યો પણ નથી અને કદી મરવા પણ નથી. જેવા દિવસ કર્મના ઉદયે આવી પડે તે જોયા કરવા, હર્ષ વિષાદ કર્તવ્ય નથીજી. રાત ને દિવસની પેઠે હર્ષ શેકના પ્રસંગે આવે તે સમજાવે જોયા કરવા, ગભરાવું નહીં. આથી વિશેષ મૂંઝવણ આવે પણ મારે સ્મરણ ચૂકવું નથી, એટલી દઢતા રાખવી ઘટે છે. ૩% શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૫૮૧ અગાસ, તા. ૨૩-૫-૪૫ દેહ-દેવળ દેવ અરે ! તું, મેહ-મદિરાથી ઘેલે, કાયા-માયા પરસ્ત્રી-પ્રીતિ, તેડી આવ અહીં વહેલે; શરર-ગર્તમાં આળોટે તું ભૂલી ભાન નિજ મંદિરનું, જ્ઞાન-મંદિર અહે! આપણું, આવ બતાવું અંદરનું. (પ્રજ્ઞા ૧૦૬) આપના પત્રે થેકડાબંધ આવેલા મળ્યા. જે કંઈ પૂછવું હોય તે ટૂંકામાં પૂછવા યોગ્ય છે'. આભારની લાગણી અંતઃકરણમાં રાખવી ઘટે છે, વારંવાર પત્ર ચઢાવવામાં કંઈ વિશેષતા નથીજી. પરમકૃપાળુદેવનાં વચને વિચારવામાં, મુખપાઠ કરવામાં કે તે સંબંધી લખાણ ઉતારે ૧. પાઠા – સદ્ગુરુના આશ્રિત અરે ! તુ મેહમદિરામાં ઘેલે. ૨. પાઠા – શરીર-ગટરમાં Page #557 -------------------------------------------------------------------------- ________________ ૫૩૨ બાધામૃત વગેરે કરવામાં કાળ જશે તે લેખામાં છે. આવા પત્રો નકામા વારંવાર લખાય કે વંચાય તે કરતાં તે અતિશયવંત વાણીમાં આપણે દુર્લભ મનુષ્યભવ ગાળીએ તે વિશેષ હિતકારી છે.જી. તમે પૂછ્યું છે કે ઉપદેશછાયામાં જણાવ્યું છે કે “આત્મા આ હશે? તેમ થાય છે તે સમતિ મેહનીય અને આત્મા આ છે એમ સમજાય છે તે સમ્યક્ત્વ છે તેમાં શું ફેર છે? તેના ઉત્તરમાં જણાવવાનું કે કેઈ તમારું ઘર ખ્યાવરમાં ક્યાં છે તે શોધો શોધો બીચરલી મહોલ્લામાં આવે અને તમારા ઘર આગળ આવી, આ જુગરાજભાઈનું ઘર હશે ? એમ અનુમાન કરે પણ નિર્ણય ન થાય કે આ જ છે, ત્યાં સુધી તે તમારા ઘરમાં પ્રવેશ કરે નહીં અથવા તેને નિરાંત વળે નહીં, પણ શોધ્યા કરે; તેમ આત્મા વિષે વાંચી, વિચારી તેનાં લક્ષણે ઉપરથી, આ આત્મા હશે? એવું લાગે પણ કોઈ સંતના પેગ વિના તેને આ જ આત્મા છે એ નિર્ણય ન થાય ત્યાં સુધી સમતિ મેહનીય અસ્થિર પરિણામ કરાવે છે. અને જ્યારે સદ્દગુરુ વેગે આ જ આત્મા છે એમ દૃઢ થાય તે તેને આત્મસ્થિરતાનું કારણ થાય છે. માટે જ્યાં સુધી ચંચળ વૃત્તિ રહ્યા કરે છે અને પ્રતીતિ નિર્ણયાત્મક નથી બની ત્યાં સુધી ગ્ય જીવને પણ સપુરુષના યોગે આત્મપ્રતીતિ દઢ કરવી ઘટે છે એમ કહેવાનો આશય સમજાય છેજ. “સંત વિના અંતની વાતમાં અંત પમાતે નથી” (૧૨૮) એમ પણ પિતે જણાવ્યું છે. ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૫૮૨ અગાસ, તા. ૨૯-૫-૪૫ તત કે સત્ વૈશાખ વદ ૨, મંગળ, ૨૦૦૧ અનુષ્ટ્રપ– ગણે શાને મુમુક્ષુ એ, જે કામેચ્છા ન વારતે; પદે–પદે ખસે પાછે, તરંગાધીન જે થતું? વસ્ત્ર ગંધ અલંકાર, લલના સેજ સુંદર; પરાધીનપણે ત્યાગે, વાસના રહી અંદર. જે સુંદર પ્રિય ભોગે, પ્રાપ્તને પણ પીઠ દે; સ્વાધીન તજતા ભેગો, તે ત્યાગી જ્ઞાનીઓ વદે. આ કાળનું સ્વરૂપ કેવું છે તે શ્રી મહાવીર ભગવાને તેમની હયાતીમાં વર્ણવી બતાવ્યું, તે સાંભળતાં ઘણા તે મુનિ બની રાતદિવસ ધર્મ-ધ્યાનમાં લાગી ગયા, કેટલાક તેવી શક્તિવાળા ન હતા તે નિયમિત અમુક પિતાના અવકાશ પ્રમાણે ધર્મ આરાધી શકાય તેવા મર્યાદાધર્મને આરાધવા લાગ્યા. બધાને લક્ષ એ હતું કે એવા હડહડતા કળિકાળમાં આપણે જન્મ ન થાય. જે વાત સાંભળતાં ત્રાસ છૂટે તેવા પ્રસંગમાં આપણા રાતદિવસ જાય છે, છતાં ત્રાસ છૂટતે નથી, છૂટવાની ભાવના જાગતી નથી, ઊલટા તે કળિકાળને પોષાય તેમ વત્ય કરીએ છીએ એ કેટલી મૂઢતા છે! તે વારંવાર સત્સંગમાં વિચારવા યોગ્ય છેજી. કેઈનું ઘર લાગ્યું હોય અને ચારે બાજુ ભડકા લાગતા દેખાય, છતાં આ ખૂણામાંથી પેલા ખૂણામાં અને પેલા ખૂણામાંથી આ ખૂણામાં પૂળા ફેરવનાર માણસ જેમ મૂર્ખ ગણાય, તેમ ત્રિવિધ તાપથી બળતા આ સંસારમાં ધનથી સુખ થશે કે દીકરા સુખ આપશે, કે ખેતર, ઘરેણાં, બૈરાં, ઢોરાં સુખનાં Page #558 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૫૩૩ સાધન છે ને થશે એમ માને તે બળતા ઘરમાં ને ઘરમાં સુખ શોધનાર જેવા ગણવા ચેાગ્ય છેજી. જ્યાં સુખ છે જ નહીં ત્યાં સુખ શાધનાર કદી સુખી થાય નહીં, એ સાવ સમજી શકાય તેવી વાત છેજી; છતાં જીવ ચેતતા નથી. જે પરભવમાં સાથે આવે નહીં તેવી વસ્તુ માટે આખી જિંદગી ગાળે અને જ્ઞાનીનું કહેલું વીસરી જાય, તે આખરે પસ્તાય એમાં નવાઈ નથી. આપણે તેમ પસ્તાવું ન પડે તેવી ચીવટ – કાળજી રાખતા રહેવું, જાગ્રત જાગ્રત રહેવું ઘટે છે. ઘડી પછી શું થશે તેની કયાં ખબર છે? તે નિરાંતે કેમ ઊંઘવું ઘટે ? ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ હરિગીત ૫૮૩ તત્ સત્ અમાસ, તા. ૧-૪-૪૫ વૈશાખ વદ ૫, શુક્ર, ૨૦૦૧. વસે ? ખસે ? – ક્રોધી જને શું કરી શકે જો ચિત્તમાં શાંતિ શું પ્રેમ ધરનારા કરે જો ખેદ્ય મનથી ના તેથી નહીં યાગીજના જન રીઝવે કે દૂભવે, રાખે ઉદાસĂનતા નિર'તર, સ્વસ્થતા મન ચિંતવે. આપને પત્ર મળ્યા. આ પત્રની નકલ વાંચી આત્મહિત કરવા મેકલેલ છેજી. “બાળાર ધર્મો, બાળાપ તવો” એ લક્ષપૂર્ણાંક વાંચશેાજી. પવિત્ર સેવામાંથી સવિગત અસંગ અપ્રતિમ ધ થવાની ઇચ્છાનેા પત્ર સવિગત વાંચી મને પરમ આનંદ થયા છે, પણ આપની રૂબરૂ થવાની જરૂર છે. તે થયા પછી જેમ આપને યોગ્ય લાગે તેમ વિચરશે. આપ અસ`ગ થાએ એમાં હું ખુશી છું અને તેમ જ ઇચ્છું છું. બાકી સામાન્ય મુમુક્ષુ ખાઈ એ અને ભાઈ આને હવે બિલકુલ આધાર નથી. ચામાસું પૂરું થયે આ તરફ ખેલાવવા એમ મને પણ ઠીક લાગે છે. ચારિત્રધર્મીમાં સર્વ મુમુક્ષુભાઈ એ પ્રમાદાધીન વર્તે છે. તેને જાગ્રત કરનાર કોઈ છે નહીં, બાઈઓને સપ્રદાયના આશ્રય તેાડાવાથી તેઓ બિચારાં તદ્ન નિરાધાર થઈ ગયાં છે; તેઓને તે એક પણ આધાર નથી. તાપણ હવે આપણે આપણા માટે વિચાર કરીએ. પ્રસંગમાં આવેલાં માણસે તેથી તેની દયા આવે છે; બાકી જગતમાં અનંત જીવા છે, જો તેઓની દયા ખાઈશું અને તેમને જ માટે દેહ ગાળીશું તા આપણું સાર્થક (થવું) રહી જશે, અર્થાત્ થશે જ નહીં. માટે આપણે જ જે સભ્યજ્ઞાનઇન-ચારિત્રને શુદ્ધ કરીશું તે આપણું આત્મહિર્ત થશે. તે પછી તે દશાદ્વારે જગતનું ગમે તેમ થાઓ, તે માટે આપણે કોઈ વિચાર નથી. આપણે તે સર્વ જીવ પ્રત્યે અનુક’પાબુદ્ધિ રાખવી. આપની વૃત્તિને ઉત્તેજન મળે તેવા આપની પાસે સત્સ`ગ નથી; અથવા ઈડરમાં આપની જે દશા હતી તેવી દશા આપને પહાડા અગર એકાંતમાં રહેતાં થાય તેમ લાગે છે ? આપ આટલા વખત દક્ષિણ દેશમાં કરમાળામાં નિવૃત્તિથી રહ્યા હશે. તેથી આપને અનુભવમાં આવ્યું હશે. કદાપિ તે દશા પરાણે ખળથી લેવા જઈએ તે એકાદ દિવસ રહી પાછી જતી રહે; કારણ કે અત્યારે તેવી દશા લેવી તે કૃત્રિમ છે, પરાણે ખળ કરી લઈએ તેવી છે, અને પ્રથમ સત્સ'ગમાં તે દશા તે સ્વભાવે જ ઊગી નીકળતી જોયેલી હતી કે આત્મવિચાર સિવાયની બીજી વાત સાવ ઉદાસીન જેવી, પરભાવની લાગતી. એ સહેજે બનતું, અને બનતું તે પરમ સત્સંગનું Page #559 -------------------------------------------------------------------------- ________________ ૫૩૪ બેધામૃત ફળ હતું, સત્સંગને અંશ હતે. હવે આપણે જે ગુફામાં જઈને તેવી દશા બળથી લઈએ તે લઈ શકાય, પણ તે સત્સંગના પ્રત્યક્ષ ફળ વિના વધુ વખત ટકી શકે એ મને તે મુશ્કેલ લાગે છે, તે માટે મારું કહેવું એમ નથી કે નિવૃત્તિમાં ન જવું. જવું પણ થેડે વખત સત્સંગમાં રહેવાની જરૂર છે. તે થયા પછી જવું. એમ કરવામાં આવે તે વિશેષ દશા અને તે દશા વિશેષ કાળ રહેવાનું બને. આ વાત મારા સ્વતઃ અનુભવરૂપ મારા સમજવા પ્રમાણે મેં લખી છે. આપ તે ગુણ છે. આપને ગમે તેમ વર્તવું હોય તે આપ જણાવશે. આત્મદશા જાગ્રત કરવાનું મુખ્ય સાધન મારા અનુભવ પ્રમાણે હું જણાવું છું કેઈ પણ પદ, કાવ્ય અથવા વચન ગમે તેને ઉરચાર થતો હોય અને મન તેમાં જ પ્રેરાઈ વિચાર કરતું હોય તે કાયા શાંત રહે છે જેથી વચનથી ઉચ્ચાર અને મનથી વિચાર એ બે કામ સાથે લયતારૂપે થયા કરે, તે કાયા સ્થિર થઈ આત્મવિચારને જાગ્રત કરે છે. તે માટે અ૫ પરિચય, અલપ પરિગ્રહ, આહારનો નિયમ, નીરસ ભાવ એ બધાં સાધનો કર્તવ્ય છે, અને તે સાધને ઉપરની દશા મેળવવામાં ઉપકારભૂત થાય છે અને તેથી નિર્જરા થઈ કર્મક્ષય કરે છે. જેમ જેમ લયતા વિશેષ, તેમ તેમ આત્મજાગૃતિ વર્ધમાન હોય છે, તેમ તેમ કર્મને અભાવ હોય છે. એટલે દુઃખ કાયાને લાગતું નથી, દુઃખ ઊલટું સુખરૂપ થઈ પડે છે. એ બધામાં વિચારજાગૃતિ મુખ્યપણે જોઈએ છે. તે વિચાર-જાગૃતિની ઘણી જ ન્યૂનતા જોવામાં આવે છે; તેથી દશ વર્ધમાન થતી નથી, બળથી કરવા જતાં વધુ વખત રહેતી નથી અને કૃત્રિમ થઈ તે દશા જતી રહે છે. પછી આપણને યાદ આવે છે કે આ દશામાં શાંતિ ઠીક હતી, કારણ તેમાં અલપ પણ શાંતિ રહે છે, પણ તે મેળવવામાં પાછું ફરી બળ કરવું પડે છે. તેનું કારણ એ જ કે વિચારશક્તિની બહુ જ ન્યૂનતા. જે વિચાર-જાગૃતિ હોય તે સહેજે ઓછા બળે કે વિના પરિશ્રમે તે દશા વર્ધમાન થાય છે. ત્યારે હવે આ સ્થળે આપને પ્રશ્ન થશે કે તે વિચાર જાગૃતિ શેનું નામ કહેવાય? અથવા વિચારવૃત્તિ કેમ સમજાય? તેને ટૂંક ખુલાસે હું લખી જણાવું છું. કોઈ પણ શબ્દ, વાક્ય, પદ કે કાવ્યનું વિચારથી કરી વિશેષ અર્થનું ફેરવવાપણું, તે એટલે સુધી કે જેમ જેમ તેને અર્થ વિશેષ થતાં મન નિરાશા પામતું ન હોય, પણ પ્રફુલ્લિત રહેતું હોય, ઉમંગ વધતે હોય, આનંદ આવતું હોય, લતા થતી હોય; મન, વચન અને કાયા જાણે એક આત્મસરૂપ થઈ તે જ વિચારમાં પ્રવર્તે જતાં હોય ત્યાં કેવી મજા પડે! કે જેને સ્વાદ લખવામાં નથી આવતો. એવી જે રસલયલીનતા એકરસરૂપ તે વિચાર-જાગૃતિ આપે છે, તે જ વિચાર-જાગૃતિની બહુ જ ન્યૂનતા છે. માટે તેવા પુરુષોને જ્ઞાનીઓએ સત્સંગમાં રહેવાની આજ્ઞા કરી છે, કારણ કે વિચારશક્તિના ઓછા બળને લીધે, સત્સંગ છે તે, તે જીવને બળરૂપ થઈ પડે છે. તે વિચારશક્તિ માટે વિદ્યાભ્યાસ, ન્યાય, તર્ક, વ્યાકરણ અને શાસ્ત્રાભ્યાસની મુખ્ય જરૂર છે, કે જેથી વિચારશક્તિને તે ઉપકારભૂત થાય છે. આ બધું લખાણ કર્યું તે વાત રૂબરૂમાં કરવાની હતી, પણ હાલ તે અનિયમિત હોવાથી કાગળે ચઢાવી છે. ત્યારે હવે આ સ્થળે એમ પ્રશ્ન થશે કે એવી દશા ન હોય, તે સત્સંગ ન હોય, વિચાર કરવામાં વિશેષ ગતિ ચાલતી ન હોય, માટે શું કરવું? કાળ કેમ વ્યતીત કરવો? Page #560 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૫૩૫ તમારા સમાગમ ઇચ્છીએ છીએ, માટે તમે જ ચારિત્રધર્મ અંગીકાર કરી જગતનું કલ્યાણુ કરે. એ વગેરે વિચાર આવી જાય તે તેનું સમાધાન પણ આપી દઉં છું કે ચારિત્રધર્મ 'ગીકાર કરવારૂપ દશા અત્યારે નથી (ઇચ્છા છે), તેમ ખમમાં રહી ચારિત્ર લૌકિક રીતે લેવું નથી; જગતનું કલ્યાણ કરવા જેવી દશા નથી, તેવા 'ભ રાખવા નથી, જગત પ્રત્યે અનુકપા વર્તે છે. તે ષપત્તુ યથાર્થ સ્વરૂપ જ્યાં સુધી યથાર્થ આત્મવિચારપણે સમજાયું નથી, ત્યાં સુધી કોઈ પણ મતમંડન કે ખંડન થઈ શકે તેમ નથી. તે છપનું સ્વરૂપ જેમ જેમ વિચારજ્ઞાનની પ્રાધાન્યતા અને ચારિત્રધર્મની શુદ્ધતા, તેમ તેમ અનુભવરૂપે વિશેષ પ્રકારે સમજાય છે. માટે હાલ તે દેશિવરિતપણામાં રહેવાની પણ શક્તિ નથી. માત્ર જ્ઞાનની શુદ્ધતા કરવાની ઇચ્છા રહે છે. આપને પણ હાલ તે ચારિત્રધર્મ ગુણ જે પ્રકારે પ્રગટ થાય તે પ્રકારે વર્તી વિચારદશા જાગ્રત કરવાના પરિચય રાખશે. જેમ જેમ વિચાર-જાગૃતિ વધશે તેમ તેમ એકાંત સ્થળ, અસગપણું વિશેષ રુચિકર થશે, નહીં તેા પછી કટાળેા આવી જશે. આ સ્વતઃ અનુભવસિદ્ધ લખ્યું છે. આચાર્ય ગુણુસ'પન્ન થવા પ્રથમ તેવા ભ રાખી નામાચા પણું કહેવરાવવા લખ્યું નહેાતું, પણ તેવા ગુણા જલદી પ્રદીપ્ત થાય તેમ કરે એ આશયથી લખ્યું હતું. લખવાને માટે આ પત્ર લખતાં આત્માથી ઘણી જ ઊર્મિઓ ઊગી આવતી પણ હવે તે કંટાળા ખાઉં છું. માટે અવસરે બનશે તે રૂબરૂમાં વાત–’ પ. પૂ. પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રની અલભ્ય સેવા અનન્યભાવે આરાધના ૫. પૂ. અબાલાલભાઈ એ પ. પૂ. પ્રભુશ્રીજી ઉપર લખેલા પત્રની આ નકલ આપ સૌ આત્માથી જનાને વાચન, મનન અને નિધ્યિાસન અર્થે મોકલી છે તેના સદુપયોગ કરી આત્મહિતમાં વૃદ્ધિ કરશેાજી. પૂ. શ્રી અંબાલાલભાઈની ગણધરતુલ્ય શક્તિ હતી અને મુનિવરને પણ માર્ગ - દક નીવડે તેવી તેમની લઘુતા, હિતશિક્ષા અને વિચારણા લક્ષમાં લેવા યેાગ્ય છેજી. “ઉજ્જડ ગામમાં એર`ડા પ્રધાન' એ કહેવત પ્રમાણે કઈ પણ સમજાયાનું અભિમાનરૂપ ભૂત વળગે નહીં અને આત્મહિત પરમકૃપાળુદેવને શરણે સાધવાના પુરુષાર્થ પ્રબળપણે વર્યાં કરે એ લક્ષ રાખવાયેાગ્ય છેજી. તમારા પત્ર વાંચી સ`તેષ થયા છેજી. ભક્તિભાવમાં વૃદ્ધિ કર્યાં કરે એ જ ભલામણુ છેજી. ભવિષ્યની ચિંતા અટકાવી આજના દિવસ જીવવા મળ્યા છે તે ઉત્તમ રીતે ગાળીશું તે આવતા દિવસ જીવવા મળશે તે સારી રીતે ગાળવાની શક્તિ વધતી જશે એમ દૃઢતા રાખી પ્રાપ્ત સ'જોગાના ઉત્તમ લાભ પ્રાપ્ત કરવા પ્રયત્ન કર્યંબ્ય છેજી. ૐ શાંતિ: શાંતિ: શાંતિ: ૫૮૪ બ્લેક તત્ સત્ ગણેા શાનેા મુમુક્ષુ એ, જો કામેચ્છા ન પદે પદે પડે પાછે, સ'કલ્પાધીન તે અનાર્ય જેવા ક્ષેત્રે પ્રારબ્ધમળે જવું થાય તે ત્યાંની કુટેવાથી બચતા રહેવા પ્રયત્ન ક બ્ય જી. નહીં સાંભળેલાં અને નહીં જાણેલાં એવાં પ્રલાભનેમાં પણ સ્મરણ કરતા રહી પરમકૃપાળુદેવનું શરણુ ન ચૂકવું એટલી શિખામણુ લક્ષમાં રહેશે તે વાના અખ્તર કરતાં અગાસ, તા. ૩-૬-૪૫ વૈશાખ વદ ૮, ૨૦૦૧ વારતા; થતા ? Page #561 -------------------------------------------------------------------------- ________________ ૫૩૬ બેધામૃત વિશેષ આત્મરક્ષાનું કારણ થશે. કામધંધામાંથી પરવારી વાંચન, ભક્તિ, સ્મરણ વગેરે ધર્મકાર્યમાં જોડાઈ જવું. નાટક, સિનેમા, શેરબજાર કે કુદષ્ટિના પ્રસંગેથી ચેતતા રહેવું. જે લહેરમાં ચઢી ગયો તે પછી ધર્મને માર્ગે વળવું આ કાળમાં મુશ્કેલ છે. માટે પૈસા કમાવતાં જિંદગી બરબાદ ન થઈ જાય તે એવા શહેરમાં સાચવવાની જરૂર છે જી. લેકપ્રવાહમાં તણાવાને બદલે પુરુષોનાં વચનમાં વિશેષ વૃત્તિ રહે તેમ વર્તાશે તે પરમ પુરુષનું ગબળ આત્મહિતમાં પ્રેરશેજી. મુમુક્ષતામાં વૃદ્ધિ થાય અને સત્સંગ પ્રત્યે પ્રેમ વધે તેમ વર્તવા સર્વને ભલામણ છેજ. કાલની કેને ખબર છે? આજે બને તેટલું ધર્મકર્તવ્ય અપ્રમત્તપણે કરી લેવા યોગ્ય છેજ. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૫૮૫ અગાસ, તા. ૯-૬-૪૫ આપનું કાર્ડ મળ્યું. “આ સાલ આત્માર્થે ઘણું જ ઓછો પાક છે” લખે છે તે પાક વધે તેવા ભાવમાં રહેવા વિનંતી છેજી. રાત્રિભોજન બને ત્યાં સુધી તજવા યોગ્ય છે. માંદગીને કારણે તેવી છૂટ રાખી હોય તે તેમ વર્તવામાં બાધ નથીજ. અનાહારી પદ (સિદ્ધપદ)ની ભાવના અર્થે એ રાત્રિભોજન ત્યાગવત કર્તવ્ય છે. નિરપેક્ષ અવિષમ ઉપયોગ એ પરમ શાંતિનું કારણ છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૫૮૬ અગાસ, તા. ૧૬-૬-૪૫ તત્ ૐ સત જેઠ સુદ ૫, શનિ, ૨૦૦૧ આત્માપણે કેવળ આત્મ વર્તે એમ જે ચિંતવન રાખવું તે લક્ષ છે, શાસ્ત્રના પરમાર્થરૂપ છે.” (૪૩૨) મંત્રસ્મરણનું વિશેષ આરાધન વિશેષ લાભનું કારણ છે. પરમકૃપાળુદેવે જે આત્મા જાણે છે, પ્રગટ કર્યો છે, તે માટે માન છે, પ્રગટ કરે છે, તે અર્થે જ આ આરાધન કરું છું. દેહનાં સુખદુઃખ તે પ્રારબ્ધકર્મને આધારે થાય છે પણ આત્માને શાંતિ અનુભવવા, દેહદૃષ્ટિ ભૂલી જ્ઞાનીને આશ્રયે આત્મદષ્ટિ કરવા આ સાધન આરાધું છું એ લક્ષ રાખવા ગ્ય છે. સત્સંગની ભાવના નિરંતર રાખતા રહેવી ઘટે છેજી તથા જેમ બને તેમ વૈરાગ્યઉપશમની વૃદ્ધિ કરવી આ કલ્યાણને રાજમાર્ગ છે. આપણું આત્માને આ અસાર, અશરણ, અનિત્ય સંસારમાં પરિભ્રમણ કરતે પાછો વાળી જ્ઞાની પુરુષના અવલ બને સ્વરૂપની સમજ કરી સ્વરૂપસ્થિતિ થાય તેમ આ મનુષ્યભવમાં કરી લેવું ઘટે છેજી. કાળ દુષમ છે તે પુરુષાર્થ વિકટ કરી છે તે વિઘોને ઓળગી પરમકૃપાળુદેવને અવલંબને પરમપદની પ્રાપ્તિની ભાવના સદાય જાગ્રત રાખતા રહેવી ઘટે છે. ૩% શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૫૮૭ • અગાસ, તા. ૨૮-૬-૪૫, ગુરુ कवित-"चिदानंद के'वे अरु सुणवेको सार एहि, જિન-બાના ધાર, નરમવ લ્હાવો ચીનીe.” વિ. તમારું કાર્ડ મળ્યું. ગભરાવાનું કંઈ કારણ નથી. આ પરીક્ષામાં જેમાં વધારે માર્ક આવ્યા હોય અને જે પિતાને ઓછી તકલીફે તૈયાર થાય તેમ લાગે તે વિષય લઈ લે. Page #562 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૫૩૭ પરીક્ષા એ ધ્યેય નથી. દરદ હોય તે તે જેર ન પકડે કે તેને ટેક ન મળે તે લક્ષ રાખો . અભ્યાસની કાળજીમાં શરીર ન બગડે અને શરીરના વિકલ્પમાં આત્મમાહાઓ ગૌણ ન થઈ જાય. આત્મા માટે અભ્યાસ આદિ છે. પરમકૃપાળુદેવ પ્રત્યે પ્રેમભાવની વૃદ્ધિ થાય તેમ વર્તવા ભાવના રાખો એ જ હાલ ભલામણ છેજી. “કેઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યેગ્ય નથી” (૪૬૦) એ પરમકૃપાળુદેવનું વચન બહુ ઉપયોગી છે. તે શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૫૮૮ અગાસ, તા. ૨૯-૬-૪૫ બંધ-મોક્ષના માર્ગને સમજી ગમતે લે રે, બંધ-માર્ગ દુખે ભર્યો અન્ય સુખ દે એવો રે; વિષય ભવભવ ભેગવ્યા, આત્મસુખ નથી ચાખ્યું રે, અપૂર્વ આત્માનંદથી, કૃતાર્થ જીવન ભાખ્યું રે. સાંસારિક સુખ-લાલસા ટળતાં, કષાય કંપે રે, અક્ષય સુખ લીધા વિના, કેમ મુમુક્ષુ જંપે રે? (પ્રજ્ઞા) ૮૯) કકા કર સરુને સંગ, હૃદય કમળમાં લાગે રંગ; અંતરમાં અજવાળું થાય, માયા મનથી દૂર પલાય, લિંગવાસના હેયે ભંગ, કક્કા, કર સદ્ગુરુને સંગ. નન્ના નામ (મંત્ર) નાવ છે સાર, જે બેસે તે ઊતરે પાર, કાળ, કર્મ નહિ લાગે લેશ, છે આનંદી હરિને (પ્રભુને) દેશ, તે પદને પામે નિરધાર, નન્ના નામ (મંત્ર) નાવ છે સાર. પપ્પા, પુરાણી જે પ્રીત, મેરુ ચળે પણ ન ચળે ચિત્ત, ધવની પરે અવિચળ રહે, સ્તુતિ-નિંદા ને સુખ-દુઃખ સહે, પરમાત્માને નીરખે નિત્ય, પપ્પા, પુરાણી જે પ્રીત. બા, બેલે તેને જાણ, મૂકી દે ને મનની તાણ, “હું, મારું હૃદયેથી ટાળ, પરમારથમાં પિંડ જ ગાળ, દયા દીનતા મનમાં આણુ, બખ, બોલે તેને જાણ ભમ્ભા, ભજન થકી ભય ટળે, નિશ્ચય કાળ કરાળ ન ગળે, ભેખ ધરે જે સિદ્ધિ થાય, ભાંડ ભવાયા વૈકુંઠ જાય, જેવા ભાવ તેવા પ્રભુ ફળે, ભભા, ભજન થકી ભય ટળે. મમ્મા, માયા મનની જાણ, “મારું તારું ખેંચતાણ, સઘળે સરખા આતમરામ, સાંધા-વાંધા મનનું કામ, માટે મન પ્રભુ ચરણે આણ, મમ્મા, માયા મનની જાણ પ્રથમ પૂરણ પ્રેમશું, વંદું સદ્ગુરુ-ચરણ, તાપ ટળે સંસારના, મટે જન્મ ને મરણ.” – પ્રીતમદાસ Page #563 -------------------------------------------------------------------------- ________________ પ૩૮ બધામૃત “સંસાર-સુખથી રહેજે સદા ઉદાસ રે – સમજી લે; જેમ મધુકર ન કરે ચંપક-વનવાસ રે –- સમજી લે, શ્વાસે શ્વાસે સમરણ કરજે સાર – સમજી લે, રખે ધરતે તું દેહતણે અહંકાર રે– સમજી લે.” વિ. તબિયત ઘણા દિવસથી બીમાર રહે છે જાણી ધર્મ-સ્નેહને લીધે ખેદ થયે, પણ પરમકૃપાળુદેવે કહ્યું છે – “કઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી.” (૪૬૦) તેની સ્મૃતિ સર્વ વિષમતા શમાવી દે તેવી છેજ. જ્યાં નિરૂપાયતા, ત્યાં સમતા એ જ આધારભૂત છે. શ્રી હેમચંદ્ર આચાર્યે લખ્યું છે કે સ્વર્ગ તે દૂર છે અને મોક્ષ કે તેથી પણ દૂર છે, પરંતુ સમતા એ મોક્ષની વાનગી છે. જે જીવ સમભાવ સેવે તે તેને તુર્ત ફાયદો સમજાય છે. “શારીરિક વેદનાને દેહને ધર્મ જાણી અને બાંધેલાં એવાં કર્મોનું ફળ જાણું સમ્યક પ્રકારે અહિયાસવા યોગ્ય છે.” (૪૬૦) આવાં પરમકૃપાળુદેવનાં વચને આ વખતે આધારભૂત છે. હમેશાં પુરુષાર્થપરાયણ રહેવું. બીજા હોય ને સ્મરણ વગેરે બેલે તે તેમાં ચિત્ત રાખવું, નહીં તે આપણે વેદનામાં જતી વૃત્તિને વાળીને સ્મરણમાં રોકવી. એમ વારંવાર કાળજીપૂર્વક કર્યા કરવાથી તે અભ્યાસ થઈ જશે એટલે સહેજે કઈ હોય કે ન હોય પણ મને સ્મરણમાં જ લાગેલું રહેશે. જેટલું જીવન બાકી હોય તે પરમકૃપાળુદેવને આશ્રયે ગાળવું છે અને અંતે પરમકૃપાળુદેવને આશ્રયે જ દેહ છોડે છે એવી દઢ ભાવના હદયમાં રાખી, તે શરણ જ જીવન છે તેમાં વૃત્તિ રહેવાથી આનંદ અનુભવાશે. જ્ઞાની પુરુષની આજ્ઞા - સહજાત્મસ્વરૂપ પરમગુરુ – મારે માન્ય છે, બીજું કંઈ મારું નથી અને કંઈ કામનું નથી. તે આજ્ઞા સહિત જ દેહ છેડ છે. આખરે મને એ જ લક્ષ રહે, અંતે બીજું કંઈ માનીશ નહીં. પરમગુરુ શ્રી પરમકૃપાળુદેવની આજ્ઞા – સહજત્મસ્વરૂપ પરમગુરુ – માં વૃત્તિ રાખી દેહત્યાગ થાય તેને સમાધિમરણ ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ કહ્યું છે, માટે એ જ લક્ષ મને ક્ષણે ક્ષણે રહો. જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન એ જ ખરું વ્રત છે, તેમાં બધું સમાય છે. હિંમત હારવી નહીં. પરમકૃપાળુદેવ પ્રત્યે પરમ પ્રેમ, ઉલ્લાસભાવ અને આશ્રયભાવ વધારતા રહેવા ભલામણ છેજ. જ્યાં સુધી ભાન હોય ત્યાં સુધી સ્મરણમાં ચિત્ત રાખવું, પછીનું પરમકૃપાળુદેવને સેંપવું. જે પરમકૃપાળુદેવે આત્મા જાણે છે, પ્રગટ કર્યો છે, અનુભવે છે, તે જ મારો આત્મા છે. તે વિષે મારે કંઈ કલ્પના કરવી નથી. મને જે સાધન મળ્યું છે તેનું આરાધન એ જ મારું કામ છે. દેહ સંબંધી, કુટુંબ સંબંધી, દેવલેક આદિ સંબંધી કંઈ વિકલ્પ નહીં કરતાં– શ્રી સદૂગુરુએ કહ્યો છે એવા નિગ્રંથમાર્ગને સદાય આશ્રય રહે. હું દેહાદિસ્વરૂપ નથી, અને દેહ-સ્ત્રી-પુત્રાદિ કઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એ હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષને ક્ષય થાય.” (૬૯૨) શ્રીમદ્ રાજચંદ્ર આ ભાવ ઠેઠ સુધી રાખતા રહેવા ભલામણ છેજ. કઈ પ્રત્યે રાગ કે કઈ પ્રત્યે દ્વેષ એ જ બંધનું અને જન્મમરણનું કારણ છે. થયેલા રાગદ્વેષની સર્વ પાસે ક્ષમા ઈચ્છી નિરંતર ઉદાસીનતાને ક્રમ આરાધવા ગ્ય છેજ. Page #564 -------------------------------------------------------------------------- ________________ ૫૩૯ પત્રસુધા જહાં રાગ અને વળ દ્રષ, તહાં સર્વદા માને ક્લેશ, ઉદાસીનતાને જ્યાં વાસ, સકળ દુઃખને છે ત્યાં નાશ; સર્વ કાળનું છે ત્યાં જ્ઞાન, દેહ છતાં ત્યાં છે નિર્વાણ, ભવ છેવટની છે એ દશા, રામ ધામ આવીને વસ્યા.” (૧૦૭) ૩% શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૫૮૯ અગાસ, તા. ૩૦-૬-૪૫ જેઠ વદ ૫, ૨૦૦૧ જેને ધર્મની ગરજ જાગી છે, તેનું કલ્યાણ થવા ગ્ય છેજીપરમકૃપાળુદેવનું શરણ મને, તમને અખંડ એકધારાએ સદાય રહો. કાયા-વચનથી પૂર્વ પ્રારબ્ધ અનુસાર વર્તવું થાય છતાં ભાવ તે પરમકૃપાળુદેવના ચરણમાં રમ્યા કરે એવી ભાવના અને વર્તના યથાશક્તિ કાવ્ય છેજી. નિમિત્તાધીન વૃત્તિ પલટાઈ જાય છે તે હજી જીવની ખામી દર્શાવે છે. બાહ્ય પ્રસંગેની પ્રીતિ સાવ ઘટી જઈ વૈરાગ્ય, ઉદાસીનતા, વિરહવેદના, પ્રેમભક્તિ પરમકૃપાળુદેવ પ્રત્યે વત્ય કરે તેવા પુરુષાર્થની જરૂર છે જી. # શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૫૯૦ અગાસ, જેઠ વદ ૫, શનિ, ૨૦૦૧ પ. પૂ. કૃપાળુદેવે કહ્યું છે “નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા” (૧૫) આટલું જે સાચા અંતઃકરણે જીવ ધારી રાખે તે તે જીવ પરમકૃપાળુદેવને શરણે આખરે ઘણી શાંતિ પામે, એમ સમજાય છેજ. પરિગ્રહની બળતરા કષાયના પિષણનું કારણ છે. આખું જગત અને વ્યક્તિગત પરિગ્રહની જાળમાં ફસાઈ માછલાની પિઠે તડફડે છે, અનેક કુતર્કો, અનાચાર અને અશાંતિને અનુભવે છે. તે બળતી હોળીમાંથી પુરુષના આશ્રિત જીવ બચવા પ્રયત્ન નહીં કરે તે બીજા શું કરી શકશે ? મનમાં જે લેભવૃત્તિ છે, મૂછભાવ છે, મમત્વ છે તે મંદ ન થાય તે તે મુમુક્ષતા કેમ કે ? કંઈ પણ ગ્રહણ કર કર કરવાની વૃત્તિ રહે ત્યાં મૂકવાની વૃત્તિનો અવકાશ કેટલે રહે? તે સર્વ વિચારશોજી. વિચારીને આત્મહિત, અસંક્લેશભાવ પ્રગટે તેમ વર્તવા વિનંતી છે . શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૫૯૧ અગાસ, તા. ૧-૭-૪૫ તત કે સત્ જેઠ વદ ૬, રવિ, ૨૦૦૧ હરિગીત – હે ભાઈ, જર મનમાં વિચારે કેમ આવ્યે હું અહીં ? ને શું કર્યું મેં કાજ આજે? વ્યર્થ તે છ નહીં? બગડ્યું જરૂર સુધારવું, સુધરેલ બગડે ના હવે, એ કાળજી પર કાળજે, જીવન ગુજારું આ ભવે. આ કાળના અલ્પ આયુષ્યનાં ઘણાં વર્ષો તે વહી ગયાં તેમાં કંઈ સાર્થક થયું નહીં. હવે જે કંઈ બાકી છે, તેમાં જે પરમકૃપાળુદેવ ઉપર શ્રદ્ધા થઈ છે તે જીવનના અંત સમય સુધી ટકી રહે તો તે મહાપુરુષને આશ્રયે આ દેહ છૂટે અને સ્વરૂપસ્થિતિ અલ્પકાળમાં થાય Page #565 -------------------------------------------------------------------------- ________________ ૫૪૦ બેધામૃત તેવું છે. તેઓશ્રીએ પિતે જ લખ્યું છે – “ઈશ્વરેચ્છાથી જે કોઈપણ જીવનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત હશે તે તે તેમ થશે, અને તે બીજેથી નહીં પણ અમથકી, એમ પણ અત્ર માનીએ છીએ.” (૩૯૮) “પણ આશ્રયપૂર્વક દેહ છૂટે એ જ જન્મ સાર્થક છે, કે જે આશ્રયને પામીને જીવતે ભવે અથવા ભાવિ એવા છેડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે.” (૬૯૨) આ ચાતુર્માસમાં શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત બને તે ક્રમપૂર્વક પિતાને અર્થે તમે ત્રણે સાથે વાંચવા-વિચારવાનું રાખશે તે ઘણે આનંદ આવશે. પહેલાં વાંચ્યું હશે તે પણ હવે નવું લાગશે, નવું સમજાશે, વિશેષ લાભનું કારણ થશે. બીજા કોઈ આવી ચઢે ને સાંભળે તે હરકત નથી, પણ બીજાને વ્યાખ્યાન આપવાને બદલે પિતાને માટે સ્વાધ્યાય કરીએ છીએ, એ ભાવ સહિત ડું પણ વિચારપૂર્વક શ્રદ્ધા દઢ થાય અને વૈરાગ્ય-ઉપશમની વૃદ્ધિ થાય તે લક્ષ રાખી વાચન કર્તવ્ય છેછે. દરરોજ જે વાચન કરે તે પૂરું થયે પત્ર ૭૬૭ નિયમિત રીતે રેજ વાંચી જવાને કે મુખપાઠ થઈ જાય તે એકાદ જણ બોલી જાય તેમ કર્તવ્ય છેછે. એ સમિતિ કે રહસ્યદષ્ટિવાળો પત્ર સમજાયે અંતર્મુખ ઉપયોગ કે આત્મપરિણતિ ઉપર લક્ષ રાખવાની કાળજી રહેશે અને આજ્ઞાનું માહાભ્ય સ્પષ્ટ સમજાશે. આપણે સદ્ગુરુકૃપાએ યથાશક્તિ તેમની આજ્ઞા સમજીને ઉપાસવી છે, તેમાં થતા પ્રમાદને ટાળવો છે. તેમાં કેઈનું કામ નથી, પોતાને જાગૃતિ જોઈએ. જેની જેવી ભાવના તેવી તેની સિદ્ધિ વહેલીમેડી થાય છે. આતમભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે.” ૩. શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૫૯૨ અગાસ, તા. ૬-૭-૪૫ તત ૩ સત્ જેઠ વદ ૧૨, શુક્ર, ૨૦૦૧ જીવ જેવાં કારણ મેળવે તેવું કાર્ય થાય છે. અંગ્રેજીમાં એક કહેવત છે – “He paves the way to Hell with good intentions.” સારી ઈચ્છારૂપ લાદી વડે નરકનો રસ્તે જવા રચે છે. એમ કહેવાનું કારણ શું હશે? શ્રદ્ધા જ્ઞાન લહ્યું છે તે પણ જે નવિ જાય પમા (પ્રમાદ) રે, વંધ્ય તરુ ઉપમ તે પામે, જે સંયમ ઠાણે ન આયે રે – ભલે વીર જિનેશ્વર ગાયે રે.” " એમ જિનમાર્ગમાં પણ કહ્યું છે, તેનું કારણ એમ સમજાય છે કે જીવને લક્ષ જે સાચે અચૂક રહે છે તે આગળ વધ્યા વિના રહે નહીં, પણ રુચિ જ જે પલટાઈ ગઈ (અનાદિના પ્રવાહમાં વળી ગઈ) અને પરમાર્થ માત્ર વાણીના વિલાસરૂપે રહ્યો છે તેને તે નરકે જતાં ખાળે તેટલું તેમાં બળ નથી. બાજરીના રાડા વડે પાડાને ખેતરમાંથી કાઢવા જાય તે તે ન નીકળે, તેમ જીવે શૂન્ય ક્રિયાઓ, શૂન્ય વાત કરી હોય કે કરતે હોય તે કટી પ્રસંગે ટકે નહીં, તેને બચાવે નહીં. “મરણનું આવવું અવશ્ય છે” એમ પરમકૃપાળુદેવે જાગ્રત રહેવા લખ્યું છે, જીવે વાંચું પણ છે, મે બેલે છે, કલમે લખે છે, ભાષણ કરે છે, પણ તેની તૈયારી કેટલી કરે છે તે ઉપરથી તેની સમજણ આંકી શકાય. કહેતા-કહેતી ધર્મ છોડી સાચે ધર્મ ગ્રહણ કર્યો હોય તેણે હવે સાચા જ થવાની જરૂર છે. મરણને વારંવાર સંભારવા ગ્ય છે. Page #566 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૫૪૧ અત્યારે દેહ છૂટે એવી વદના જાગી હાય અને નિશ્ચય મનમાં થઈ જાય કે હવે દેહ નહીં રહે, તે અત્યારે જે ફિકર કરે છે, તેની તે જીવ કર્યાં કરે ? સમજી હેાય તે જ્ઞાનીપુરુષોએ અનંત કૃપા કરી આપણા ઉદ્ધાર અર્થે જે સત્તાધન યાચું, દર્શાવ્યું, સ્મરણુરૂપ અર્પણ કર્યુ, તેના આધાર લઈ બીજી બધી વાતા ભૂલી જાય, તેમાં જ તલ્લીન રહે, બીજાને પણ તેની જ સ્મૃતિ આપવાની ભલામણુ વિનંતી કરે, તેને આશ્રયે જ દેહ છેડે. આ પુરુષાર્થ ફળદાયી છે. તેને ભૂલી જવાથી વધ્ય તરુની ઉપમા અપાય તેવા કે પાણી લાવવા જેવા પુરુષામાં જીવ મથી મરે છે. ક્ષણે ક્ષણે આયુષ્ય ઓછું થાય છે અને એક ક્ષણ એવી આવશે કે જ્યારે નહીં બોલાય, નહીં ચલાય, નહીં પાસું ફરે, નહીં પાણી સરખું ગળે ઊતરે; તે વખતે જીવથી શું બનનાર છે ? માટે જ્યાં સુધી શરીર, ઇંદ્રિયા, મન સાવધ છે, પરમામાં જોડીએ તે આત્મહિતમાં મદદ કરે તેવાં છે, ત્યાં સુધી બનતા પરમા મા”માં પુરુષાર્થ કરી લેવાનું જ્ઞાનીપુરુષા પાકારી પે।કારીને કહેતા આવ્યાં છે. તે સાંભળી જે ચૈતશે, આત્મહિત આરાધવા પાતે પોતાના શત્રુ મટી મિત્ર થવા સત્સાધનમાં મડી પડશે તે બચશે, નહીં તેા લેાકનું સ્વરૂપ જ્ઞાનીપુરુષે વર્ણવ્યું તેવું જ દયાજનક છે. “આખા લેક ત્રિવિધ તાપથી ખળતે છે, બળ્યા કરે છે” એ બળતરામાં કોઈ ઠેકાણે, કોઈ ખૂણેખાંચરે સુખ શેાધ્યે જડે તેમ છે ખરું ? તેનું વિસ્મરણ કરી, સ્મરણના બળથી સત્પુરુષની દશા, તેનું અંતર'ગમાં શીતલીભૂતપણું, અડાલ સ્વરૂપ ચિંતવશે! તે તે દશા પામવાનું કારણ બનશે. એ જ ભલામણ. ૐ શાંતિ: શાંતિ: શાંતિ: અગાસ, તા. ૧૧-૭-૪૫ અષાડ સુ× ૨, બુધ, ૨૦૦૧ ૫૯૩ તત્ સત્ રાગ નહીં પર દેહમાં, સ્વદેહ પણ ના ૧પ્રેય; ચર્ચા બ્રહ્મ સ્વરૂપમાં, બ્રહ્મચર્ય એ ૨શ્રેય. આપનું કાર્ડ મળ્યું. આપની જિજ્ઞાસાથી સતાષ થયા છેજી. યથાપ્રવૃત્તિકરણ સુધી જીવ અનતી વાર આવ્યેા છે'' (૫૯૩) એના ભાવાર્થ સમજવા તમારી ઇચ્છા છે. કમ ગ્રથને લગતા ‘યથાપ્રવૃત્તિકરણ' શબ્દ છે. કેવલજ્ઞાની ભગવાને જીવના સૂક્ષ્મ ભાવા અને કર્મ ઉપર તેની થતી અસર દર્શાવી તે અવસ્થાનું વર્ણન કરેલું છે. સમ્યક્દન પામવાની યાગ્યતાનાં પાંચ કારણેા, ક્રમ કે ભૂમિકાઓનું શાસ્ત્રીય નામ લબ્ધિ છે – (૧) યાપશમ લબ્ધિ, (૨) વિશુદ્ધિ લબ્ધિ, (૩) દેશના લબ્ધિ, (૪) પ્રાયેાગ્ય લબ્ધિ, અને (૫) કરણ લબ્ધિ. છેલ્લી કરણ લબ્ધિના ત્રણ ભેદ છે – (૧) યથાપ્રવૃત્તિ કે અધઃપ્રવૃત્તિ, (ર) અપૂર્વ, (૩) અનિવૃત્તિ. બહુ જ સંક્ષેપમાં પાંચ લબ્ધિનું સ્વરૂપ શાસ્ત્રાનુસાર લખું છુંજી તે હાલ વાંચી વિચારશે. સમાગમે પૂછવા જેવું જણાય તે પૂછવા ભલામણ છેજી. (૧) ક્ષયાપશમ લબ્ધિ — વિશુદ્ધભાવના બળે પૂર્વે ખાંધેલાં કર્માંના રસ(ફૂલ)માં દરેક સમયે અનંતગણી હાનિ થતી જાય તેવી ભૂમિકા, એટલે કર્મ આકરું ફળ આપતાં હતાં તે મદ્ય થવા લાગે તેવી ચેાગ્યતા અને તેવા ભાવરૂપ પુરુષાર્થ. ૧. પ્રિય વસ્તુ ૨. કલ્યાણ Page #567 -------------------------------------------------------------------------- ________________ મેધામૃત (૨) વિશુદ્ધિ લબ્ધિ – ઉપરના પુરુષાર્થના બળે ક્લિષ્ટ – ભારે કર્મ દૂર થતાં શાતા વગેરે શુભ કર્માંબધનું નિમિત્ત બને, પાપ બંધાય તેવા ભાવ પ્રત્યે વિરાધભાવ અથવા અણગમા થાય. (૩) દેશના લબ્ધિ — યથાર્થ તત્ત્વના ઉપદેશ, તેવા ઉપદેશ દેનાર આચાર્ય આદિની પ્રાપ્તિ તથા તેમણે ઉપદેશેલા અને ગ્રહણ કરવાની, ધારણ કરવાની અને વિચારણા કરવાની શક્તિની પ્રાપ્તિ થાય તેવી ભૂમિકા. ૫૪૨ (૪) પ્રાયેાગ્ય લબ્ધિ — પૂર્વે ખાંધેલાં કર્મોની સ્થિતિ ટૂંકી કરી કોડાકોડી સાગરોપમથી કંઈક એછી કરવી (અંતઃકોડાકડી) અને નવાં બધાતાં કર્યાં પણ વિશુદ્ધ પરિણામના ચેાગે અ'તઃ કોટાકોટી સાગરથી વિશેષ લાંબી સ્થિતિના ન બંધાય તેવી દશા. આ ચાર ભૂમિકા અનંતવાર જીવ પ્રાપ્ત કરી ચૂકયો છે. (૫) કરણ લબ્ધિ — અનાદિ મિથ્યાષ્ટિ ભવ્ય જીવ કે એક વાર સમકિત થયા પછી પાછા મિથ્યાદષ્ટિ થઇ ગયા હોય તેવા જીવ સભ્યઇન પામવાની અભિલાષાવાળા, શુભ પરિણામની સન્મુખ થયેલેા એક અંતર્મુહૂર્ત (એ ઘડીમાં કઈક એઠું) સુધી અનંતગુણા સમયે સમયે વધતાં વિશુદ્ધ પરિણામ કરતા, સ'ફ્લેશ પરિણામ દૂર કરી, કષાયની મંદતા કરતા જતા, વમાન શુભ પરિણામના ખળથી સર્વ કર્માંની પ્રકૃતિની સ્થિતિ ઘટાડતા, અશુભ પ્રકૃતિએને રસ ઘટાડતા, શુભ પ્રકૃતિને રસ વધારતા, ત્રણ કરણ (સમ્યક્દર્શીન પ્રાપ્ત કરાવે તેવા આત્મભાવ)ની શરૂઆત કરે છે. આમાં પહેલું કરણ યથાપ્રવૃત્તિકરણ છે. તેની હદ સુધી જીવ અનતીવાર આવી પાછો ફરી જાય છે, મંદ પુરુષાર્થી થઈ જાય છે કે સમિત થઈ ગયું એમ માની બેસે છે કે કોઈ અન્ય મતમતાંતરમાં તણાઈ જાય છે; પણ જે કરણલબ્ધિ છેલ્લી છે તેમાં પ્રવેશી આગળ વધતા નથી, વધ્યા નહીં. કરણલબ્ધિ વડે બે ઘડી પૂરી થતાં પહેલાં સમ્યક્ત્વ થાય છે, ત્રણે કરણમાં, (૧) યથાપ્રવૃત્તિકરણ વખતે અલ્પશુદ્ધિ હોય છે. પહેલાં કદી પ્રાપ્ત ન થયાં હેાય તેવાં પિરણામ પામવાં તેનું નામ યથાપ્રવૃત્તિકરણ. (૨) અપૂર્ણાંકરણમાં સમયે સમયે શુદ્ધતર પરિણામ થાય છે, પહેલાંના કર્માંની સ્થિતિ ઘણી ઘટતી જાય છે, અનુભાગ (રસ) અશુભ પ્રકૃતિને ઘટતા જાય છે અને ગુણશ્રેણીસંક્રમણ નામની ક્રિયાથી નિરા થયા કરે છે, ગ્રંથિભેદ થાય છે. (૩) અનિવૃત્તિ કરણમાં એક સમયે સાથે શરૂઆત કરનાર સર્વ જીવાનાં પરિણામ સરખેસરખાં વધ્યા કરે છે—જેમ લશ્કરી કવાયતમાં સાથે પગ બધાના ઊપડે છે તેમ. અપૂર્ણાંકરણમાં થતી નિરાના ક્રમ ચાલુ રહે છે અને અંતર-કરણ નામની ક્રિયા આ કરણમાં કરે છે. એટલે મિથ્યાત્વ અને અન'તાનુખ'ધી કર્માંનેા ઉદય એક અંતર્મુહૂર્ત સુધી ન આવે તેવા આંતરે પાડી દે છે, અને મિથ્યાત્વના ત્રણ ભેદ કરી નાખે છે, પહેલાં હતું તેવું; મિશ્ર = કંઈક ઘટતા ખળવાળું, સાચી શ્રદ્ધાના ભેગવાળું; અને સમકિત માહનીય = જેના ઉદ્દયમાં સમિતને નાશ ન થઈ જાય તેટલા મંદ બળવાળું. આમ થતાં સાચી શ્રદ્ધા, સમ્યક્દશનનેા ઉદય થાય છેજી, ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #568 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૫૪૩ ૫૯૪ અગાસ, તા. ૧૪-૭-૪૫ માંદગી કરતાં માંદગી પૂરી થવા આવે ત્યારે વિશેષ કાળજી દાક્તરો રાખે છે, તેમ મુમુક્ષુ જીવ પણ માંદગીને પ્રસંગે જેમ મરણ સમીપ લાગતું તેમ ત્યાર પછી પણ મરણને સમીપ જ સમજીને ધર્મમાં વૃત્તિ રાખવાને જ્ઞાનીને માર્ગ આરાધે છે અને આપણે બધાએ તે જ અંગીકાર કર્તવ્ય છેછે. સમાધિમરણ કરવાની ભાવનાવાળા સર્વેએ ક્ષણેક્ષણ સમાધિભાવને પિષે તેમ વર્તવાને પુરુષાર્થ કર્તવ્ય છે, કારણ કે મરણ વખતે અત્યારે જે ભાવો કરીએ છીએ તેના રહસ્યભૂત મતિ આવે છે, તે જ્યારથી જાગ્યા ત્યારથી સવાર ગણે છેવટની ઘડીની અત્યારથી જ તૈયારી કરતા રહેનાર વિવેકી ગણવા ગ્ય છે. પરમકૃપાળુદેવનાં વચને વાંચવા, સાંભળવા, વિચારવા અને સ્મૃતિમાં રાખી તેમાં ઉપગ રાખતા રહેવા વિનય વિનંતી છે.જી. ૫૯૫ અગાસ, તા. ૧૫-૭-૪૫ તમારા બન્ને પત્રો મળ્યા છે. આત્મસુધારણાને જેને લક્ષ છે તેણે પિતાના દોષ દેખવા અને દેખીને ટાળવા. પિતાના દોષ ગમે તેના તરફથી જાણવામાં આવે અને તે આપણને દોષ જ છે એમ અંતરમાં લાગે તે દોષ દેખાડનારનો ઉપકાર માનવો. દોષ ન હોય તે કંઈ ફિકર નહીં, પણ દેખાડનાર પ્રત્યે દ્વેષવૃત્તિ ન જાગે તે સાચવવું. તે જ પ્રમાણે રાગવૃત્તિઓની તપાસ પણ રાખવા ગ્ય છે. ઠેકાણે ઠેકાણે પ્રેમની મૂડી છે એવી જગાએ ધીરી છે કે તેમાંથી જીવનું હિત કંઈ પણ સધાય નહીં અને ત્યાંથી વૃત્તિ ખસે નહીં. માટે નિરર્થક વ્યાપાર ઘટાડવાનું અને તે સાર્થક થાય તેવી પ્રવૃત્તિ માટે જીવને અવકાશ મળે. જ્યાં ત્યાંથી રાગદ્વેષરહિત થવું એ જ મારો ધર્મ છે” (૩૭) એમ પરમકૃપાળુદેવે કહ્યું છે, તે અનુભવવા ગ્ય છે. ૫૯૬ અગાસ, તા. ૧૭-૭-૪૫ તત્ સત અષાઢ સુદ ૮, મંગળ, ૨૦૦૧ શરીર તે કર્માધીન શાતા-અશાતા પૂર્વે બાંધી છે તે અનુસાર ત્યાં કે અહીં વર્તવાનું છે. જેવી ફરસના હોય તેમ થયા કરે છે. તેને આગળ કરીને જીવ વિચાર કરે તે જીવને શિથિલ થવામાં સહાય મળે છે. દેહને અર્થે આત્માને અનંતવાર ગાજે છે એમ પરમકૃપાળુ દેવનું કહેવું છે તે શા અર્થે હશે? તે વિચારશે. બીજું આપે પત્ર ૯૧૭ સંબંધી ભાવાર્થ શે સંભવે છે એમ પૂછી, તમને જે લાગે છે તે જણાવ્યું છે. તે મુખ્યપણે તે ઠીક છે. બાકી જીવનું કલ્યાણ કેમ થાય છે તે જ્ઞાનીના લક્ષમાં હોય છે. જીવ કપે કે મને આમ થાય તે લાભ થાય, આમ મારા પર પુરુષ કૃપા કરે તે ઠીક વગેરે કલ્પનાએ કંઈ કલ્યાણ નથી. જ્ઞાનીપુરુષનાં “મન-વચન-કાયાની પ્રત્યેક ચેષ્ટાના અદૂભુત રહ ફરી ફરી નિદિધ્યાસન કરવાં” એમ એક પત્રમાં જણાવ્યું છે તેમ તેની દરેક ચેષ્ટામાં કંઈક અદ્ભુતતા હોય છે તે વારંવાર વિચાર્યું, જીવની યોગ્યતા થયે સમજાય છે. પ. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજી પણ કહેતા કે પરમકૃપાળુદેવના ગમાં તેમની ઈશારતે અને વચને જે નહીં સમજાયેલાં કે અલ્પાંશે સમજાયેલાં તે હવે સમજાય છે કે તેમને તે દ્વારા Page #569 -------------------------------------------------------------------------- ________________ ૫૪૪ બેધામૃત શું સમજાવવું હતું. બીજાને તેને ખ્યાલ આવે મુશ્કેલ છે પણ જેને અર્થે તેવી ચેષ્ટાઓ કરેલ હોય તેને કાળે કરીને ઘણું લાભનું કારણ થાય છે ત્યારે તે ફળ ઉપરથી, તે બીજ વાવનારનું મહાભ્ય સમજાય છે અને અત્યંત ભક્તિભાવમાં વૃદ્ધિ થાય છે. ટૂંકામાં કલ્પનાથી જીવનું કલ્યાણ નથી. દશા વધારવાની જરૂર છે. ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિ દ્વારા દશા વધી શકે માટે તેને વિશેષ લાભ થતું જાય તેવા પુરુષાર્થમાં રહેવા ભલામણ છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૫૯૭ અગાસ, તા. ૨૦-૭-૪૫ તત્ ૐ સત અષાઢ સુદ ૧૧, શુક્ર, ૨૦૦૧ આપ વારંવાર પત્રમાં મહામુનિને એગ્ય ઉપમાઓ આ સેવક પ્રત્યે લખે છે, તે વાંચી તેવા ગુણો પ્રાપ્ત કરવા ભાવના કરવા સિવાય કંઈ મારામાં તેવી યોગ્યતા ન છતાં તમારા ભાવ અખંડિત વર્ધમાન થવાની અંતરંગ ભાવનાથી કંઈ લખતા નથી, પણ આજ તે ખરા દિલથી ખમાવવાનો પ્રસંગ જાણીને કહું છું કે એક સામાન્ય મુમુક્ષુભાઈ ગણી પત્રવ્યવહાર કરવા વિનંતી છે. પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ તેમ જ ૫. ઉ. ૫. પૂ. લઘુરાજ સ્વામીજી પ્રત્યે આપને કઈ રીતે ભક્તિભાવ જાગ્યું જાણું પ્રસન્ન છું, તે કલ્યાણનું કારણ છે એમ પણ સાથે જણાવું છું. સાથે એક અડગ શ્રદ્ધા પરમકૃપાળુદેવમાં રાખવાથી પરમ કલ્યાણ છે, તેમાં કંઈ શંકાનું કારણ નથી તે જણાવવા, પ. પૂ. પ્રભુશ્રીજીએ પૂનામાં ચોમાસું કરેલ તે વખતે પર્યુષણમાં કરેલ બેધમાંથી કંઈક લખું છું “સાચ ઉપર વાત આવી છે . જે કોઈ કૃપાળુદેવને માનશે તેને કંઈ નહીં તે દેવગતિ તે છે જ.” (જુઓ ઉપદેશામૃતઃ પૃષ્ઠ ૨૭૧-૨૭૩) આ બધું જેણે નજરે જોયું છે, તેને તે મરણપર્યત ભુલાય તેમ નથી. એ જ દષ્ટિ મુમુક્ષુએ કર્તવ્ય છે”. 1 તા. ક. – પરમકૃપાળુદેવના લખેલા પત્રોની મૂળ નકલે જેટલી પરમકૃત પ્રભાવક મંડળમાં સચવાઈ રહેલી તે બધાના ફેટા પડાવી આશ્રમમાં આપ્યા છે. સાત ભાગ વચનામૃત જેવડા છે, તે કૃપાળુદેવને “અક્ષરદેહ દર્શન, શ્રવણ, મનન, નિદિધ્યાસન કરવા યોગ્ય છેજી. ૫૯૮ અગાસ, અષાઢ સુદ ૧૩, રવિ, ૨૦૦૧ એક મહાત્માએ પિતાના શિષ્યોને છેલ્લી શિખામણ આપતાં જણાવ્યું છે કે “કેઈને સંગ કરવા યોગ્ય નથી, છતાં તેમ ન બને તે સત્સંગ કરે, કેમ કે તે અસંગ થવાની દવા છે. કઈ પણ ઈચ્છા કરવા યોગ્ય નથી, છતાં ઈચ્છા વિના ન રહેવાતું હોય તે એક મેક્ષની ઈચ્છા કરવી, કેમ કે તે પણ ઈચ્છારહિત થવાની દવા સમાન છે.” “ક્યા ઈચ્છત? ખેવત સબે, હૈ ઈચ્છા દુઃખમૂલ; જબ ઈચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ.”– શ્રીમદ્ રાજચંદ્ર ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #570 -------------------------------------------------------------------------- ________________ પદ્મસુધા ૫૯ अगास, ता. २५-७-४५ વિ. આપનાં બન્ને કાર્ડ મળ્યાં છે. દરેકને ભારે ગણાતી માંદગીમાં વળતાં પાણી જાણી સંતાષ થયા છેજી. ખરી દવા તે ઉપશમરૂપ જ્ઞાનીપુરુષોએ વખાણી છે, તે સાજા અને માંદા બધાને નિર'તર સેવવા ચાગ્ય છે, ડૉક્ટર અને દરદી બન્નેને સરખી ઉપયેાગી છેજી. આટલે લક્ષ જો જીવને રહ્યા કરે તે જેને સદ્ગુરુનું શરણ પ્રાપ્ત થયું છે તેને મરણને પણ ડર ન રહે, સમાધિમરણ પણ થાય. પણ જીવ પથારીમાંથી ઊઠયો કે જાણે માંદગી આવી જ નથી કે મરણ આવવાનું જ ન હોય તેમ વર્તે છે. તેનું શું કારણ હશે ? તે વિચારી તેના જે ઉપાય હાથ લાગે તે સદ્ગુરુશરણે આરાધતા રહેવા સર્વ નાનાં-મોટાં ભાઈ-બહેનેાને વિન'તી છેજી. ઉપશમસ્વરૂપ એવા જ્ઞાનીપુરુષાએ ઉપશમસ્વરૂપ એવાં શાશ્ત્રા અને મેધ દ્વારા ઉપશમરૂપ દવાને સેવવા જણાવ્યું છે તે જરૂર લક્ષમાં લેવા યાગ્ય છેજી. ॐ शांतिः शांतिः शांतिः ९०० 35 ૫૪૫ अगस, ता. २७-७-४५ अषाढ १६ ३, २००१ તત્ સત્ आपका उल्लासभाव पूरित पत्र प्राप्त हुआ. समाचार पढ लिया. यह विचार आया जो आप ऐसा भाव हृदयमें रखकर परमकृपाळुदेव ही एक उपास्य हैं. प. पू. प्रभुश्रीजी आदि अनेक उसकी उपासनामें आ जाते हैं. सब भक्ति, वाचन, प्रार्थना, अर्पणभाव इसी लक्षको पोषनेके लिये करता हूँ; संसार- सागर तारनेको वह समर्थ है. मैं उसकी आज्ञा कोई संत द्वारा पाकर उसकी (परमकृपाळु देवकी) ही भक्ति करता हूँ. यह भाव आपकी समझमें आ जाय तो विशेष लाभका कारण समझकर यह समझाने के लिये आपकी भाषा में लिखनेका प्रयत्न किया है. मैं तो मात्र चिठ्ठीका चाकर हूँ. आपके पुण्यउदयसे आपको पू.......आदिका समागम हुआ. उनके संबंधसे आप धामण आए. वहाँ परमकृपालुदेवके योगबलसे आपकी श्रद्धा परमकृपालुकी आज्ञा के लिये हुई. जैसा कार्य पू. "ने आपको धामण तक लानेका किया, वैसा कार्य परमकृपाळुदेवकी आज्ञा आरोपणका मेरे द्वारा हुआ. ज्यों ब्राह्मण लग्नकी विधि कर वरकन्याका मिलाप कराता हैं और वरकन्या परस्पर प्रेममें मग्न होते हैं, त्यों आपकी दृष्टि परमकृपालुदेव के प्रति लग गई, पिछे आपका प्रेम परमकृपाळुदेव के प्रति पतिव्रता सती की तरह होना योग्य है, मैं तो पामर प्राणी आपके जैसा मुमुक्षु हूँ, साधकदशामें रहना मेरे लिये हितकारी है. आपके लिये भी वह दशा परमकृपालुदेवकी भक्ति ही योग्य है, ज्ञानी तो वह पुरुष है, यह बात आप विचार कर हृदयमें स्थिर करो, यह मेरी आपसे वारंवार प्रार्थना हैं. अनेक दफे मैं ने पू. और पू. से यह काम करने को सूचना की थी. पर ंतु यह आपकी समझमें नहीं आया है जैसा विचार आपका पत्र पढने से आया. आपका भाव दिनदिन बढता जाये ऐसी परमकृपाळुदेवके प्रति मेरी हार्दिक प्रार्थना है. परतु मंत्रादि आज्ञा आपको बता देना मेरा कार्य था सो सद्गुरु आज्ञासे किया. अब विशेष योग्यता मेरी नहीं है. जो भक्ति करता हूँ वह आप भी करो. आपको कोई मुश्केली धर्ममार्ग में हो तो पूछो. मेरी समझमें उसका उत्तर देने योग्य होगा सो सरल भावसे दे सकता हूँ. परंतु आप परमकृपाळुदेवके संतान हो ऐसा भाव सर्वको हितकारी है. यह परम रक्षकभाव है. उसकी आज्ञा ही सर्व मुमुक्षुओं का जीवन है. प्राणांत प्रसंग में भी उसकी आशा स्मरणमंत्र नहीं भूलना अन्य प्रवृत्ति प्रारब्ध आधीन होगी. शरीर और शरीरका कार्य अचेतन है. आत्मा और आत्माका भाव सचेतन है, वह आत्मभाव सद्गुरु परमकृपालुदेवके चरणों में रहो यही प्रार्थना है. ॐ शांतिः शांतिः शांतिः Page #571 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ હરિગીત — નિજ દોષને ના સાંખે આધામૃત અગાસ, તા. ૩૦-૭-૪૫ અષાઢ વદ ૬, સામ, ૨૦૦૧ દેખતા, પામ્યા પ્રમેાદન પર ગુણે, ૬૦૧ તત્ સત્ પ્રશંસા અન્યની ના, ગાન પેાતાનાં સુણે; ન પરનાં દુઃખ દૂર ચિંતા ધરી નિઃસ્વાથ થી, ચાહે સુખી બનવા છતાં જીવ ચૂકતા પરમાથી. કરવા આપના ક્ષમાપના પત્ર પ્રાપ્ત થયા. આપે વ્યવહારુ સૂચના પૂ....ખાઈ સબધી આપી તે સારું થયું. બાકી પરમા ષ્ટિએ જોઈ એ તે તે જેમ સદ્ગુરુશરણે આવતાં અખડ સૌભાગ્ય પામ્યાં છે. તેમ આપણે બધાં પણ તે પરમપુરુષના શરણુ વગર અનાથ હતાં તે તે જ વિશેષણને યાગ્ય બનેલ છીએ. પ. પૂ. પ્રભુશ્રીજી કહેતા કે તમને બધાંને નવી કાણાં વગરની હાડીમાં બેસાર્યા છે. લાંખાતૢ કા હાથ કર્યાં વિના એસી રહેશે. તે પેલે પાર પહેાંચશે. “ધીંગ ધણી માથે કિયા રે, કુણુ ગંજે નર ખેટ- વિમલ જિન દોઠાં લેાયણ આજ.'' ‘ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરા રે’-શ્રી આનંદધનજી પરમકૃપાળુદેવનાં વચના પવિત્ર હૃદયમાં જ સ્થાન પામે, (વાસ કરે) તેવાં છે. તેથી (૧) વૈરાગ્ય, (ર) ઉપશમ, (૩) ત્યાગ, અને (૪) ભક્તિ દ્વારા હૃદય પવિત્ર કરતા રહેવા ભલામણ છેજી. (૧) વૈરાગ્ય : પ. પૂ. પ્રભુશ્રીજી એધમાં કહેતા : વૈરાગ્ય એ આત્મા છે. પરમકૃપાળુદેવ પણ એને પરમા માના ભેામિયા કહે છે. અનાસક્તભાવ કે અસગભાવ એ આત્માનું જ સ્વરૂપ છે. જેટલું તેમાં તન્મય થવાય તેટલી શાંતિ, આત્મતૃપ્તિ જરૂર અનુભવાય. પરપદ્માર્થાથી જે જે આકર્ષીણ – ક્ષેાભ ઇંદ્રિયા દ્વારા કે મન (કષાયપરિણામ) દ્વારા થાય છે, તે પ્રત્યે ઉદાસીનતા એ વૈરાગ્યનું સ્વરૂપ છે. ક્ષેાભકારી પદાથૅની હાજરી હાવા છતાં, તેની બેદરકારી રહેવી તે વૈરાગ્ય છે. (૨) ઉપશમ પણ આત્મા છે. ક્રોધ, માન, માયા, લેાભ, કામ આદિ વિકારા જ આત્માના અંતરંગ શત્રુઓ છે. ‘સર્વ વિભાવપર્યાયમાં માત્ર પોતાને અધ્યાસ(ભ્રાંતિ)થી ઐકયતા થઈ છે, તેથી કેવળ પેાતાનું ભિન્નપણું જ છે.'' (૪૩) પેાતાનું યથાર્થ સ્વરૂપ ક્રોધાદિની હાજરીમાં ટકી શકતું નથી. તેથી મહાપુરુષોએ હૃદયને પવિત્ર રાખવા તે વિકારેના પરાજય કર્યાં છે અને ઉપશમસ્વરૂપ બન્યા છે; તથા ઉપશમસ્વરૂપ એવાં સત્શાસ્ત્રના પરિચય કરતા રહેવા આધ કર્યાં છે. (૩) ત્યાગ : “આત્મપરિણામથી જેટલેા અન્ય તેને શ્રી જિન ત્યાગ કહે છે.” (૫૬૯) આ અંતર્વાંગ થવા અર્થે બાહ્ય પ્રસંગના ત્યાગ પણ ઉપકારી છે, કાર્યકારી છે. આમ બાહ્ય સબંધ અને પ્રસંગાના અને તેટલા ત્યાગ અને ન બને તેટલા પ્રત્યે વૈરાગ્યવૃત્તિ રાખી વવું તે જ મુમુક્ષુજનાનું કર્તવ્ય છેજી. પદાર્થના તાદાત્મ્ય-અધ્યાસ નિવવા (ભ્રાંતિ અને ક્ષેાભરહિત અસગદશા) Page #572 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૫૪૭ (૪) ભક્તિ એ આત્માની પ્રેમશક્તિને પરમપુરુષમાં લીન કરવારૂપ દશા છે. “પર પ્રેમ પ્રવાહ બ પ્રભુસેં સબ આગમભેદ સુઉર બસે.ઉપર જણાવ્યા પ્રમાણે ત્યાગ – તજવા યેગ્યના અનેક પ્રકાર છે, પણ ભજવા યોગ્ય તે આત્મારૂપ મોક્ષની મૂર્તિ સમાન પરમ પુરુષ એક જ છે અને તેમાં અનન્યભાવે લીનતા થતાં સર્વ જગતનું વિસ્મરણ થવા યોગ્ય છે. આ પરમપદને ટુંકે માર્ગ અનેક મહાપુરુષોએ આચર્યો છે અને આ કાળમાં એ જ પરમ ઉપકારી છે એ ઉપદેશ કર્યો છે. મને, તમને, સર્વને તે દયેયરૂપ છે એવી ભાવના છે. આ બધાને સાર “આત્માને ઓળખ હોય તે આત્માના પરિચયી થવું, પરવસ્તુના ત્યાગી થવું. જેટલા પિતાની પુદ્ગલિક મેટાઈ ઈચ્છે છે તેટલા હલકા સંભવે. પ્રશસ્ત પુરુષની ભક્તિ કરે, તેનું સ્મરણ કરે; ગુણચિંતન કરે.” (૮૫) આ કર્તવ્ય સર્વ અવસ્થામાં યથાશક્તિ કરતા રહેવાની જરૂર છે. સાજા હોઈએ, માંદા હેઈએ, સત્સંગમાં હોઈએ, વિયેગમાં હોઈએ, યુવાવસ્થામાં હેઈએ કે વૃદ્ધાદિ અવસ્થામાં હોઈએ, ગૃહસ્થ અવસ્થામાં હોઈએ કે ત્યાગી અવસ્થામાં હોઈએ તેપણુ એ લક્ષ ન ચુકાય તેમ પ્રવર્તવું ઘટે છે. ૩% શાંતિઃ શાંતિઃ શાંતિઃ દેહે – પ્રભુ ગુણગાન પૂજા કરું, વવાય બીજ સચિત્ત, નંદનવન સમ મમ ઉરે, વર્ષાભક્તિ ખચીત. Great God, adore I Thee in rhyme, That virtues Thine may sow their seeds. Let love for Thee be monsoon-time, My heart be Eden-garden, needs. આગામ, તા. ૧-૮-૪૫ તત્ સત અષાઢ વદ ૮, ૨૦૦૧ પરમકૃપાળુદેવનું અલૌકિક ગબળ સમજવા તેના પ્રત્યે અનન્ય ભક્તિની જરૂર છે. તે વર્ધમાન કરતા રહેશે તે મને વિશેષ પ્રસન્નતા વર્તશે. વિશેષ શું લખવું? અનેક પ્રકારના પ્રશ્નો ઊઠે, તે બધાનું સમાધાન મેગ્યતા વચ્ચે અંતરમાંથી જ મળી રહેશે. “ઊંડા ઊતરે.” એકનિષ્ઠાએ આરાધના કર્યા રહે. લૌકિક ભાનું વિસ્મરણ કરતા રહેવાને અભ્યાસ કર્તવ્ય છેછે. સર્વને સવિનય આત્મભાવે નમસ્કાર સ્વીકારવા વિનંતી છે જી. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ “ડુંગરીએ દવ લાગે રે, કહો ક્યાં રે જઈ એ ? ગિરધારી, કહો કયાં રે જઈએ ?” મીરાંબાઈ ૬૦૩ આગામ, તા. ૬-૮-૪૫ તત સત અષાઢ વદ ૧૪, સોમ, ૨૦૦૧ “જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય, ઉત્તમ જહાં વિચાર, એ ભાવે શુભ ભાવના, તે ઊંતરે ભવપાર.”– શ્રીમદ્ રાજચંદ્ર પરમકૃપાળુદેવની દષ્ટિ, માન્યતા તે જ આપણી માન્યતા વિચારી-વિચારીને કર્તવ્ય છેજ. સંસાર પ્રત્યે વૈરાગ્ય, દેહ પ્રત્યે કંઈ પણ મૂચ્છ નહીં; ભેગ પ્રત્યે અનાસક્તિ; એકમાત્ર Page #573 -------------------------------------------------------------------------- ________________ ૫૪૮ બધામૃત સત્સંગ, સત્સંગ અને નિરંતર અવિચ્છિન્ન સત્સંગની ઉપાસનાનું આટલું આપણા હૃદયમાં વસી જાય તે અસંગપણું, વીતરાગપણું, સંપૂર્ણતા, નિષ્કિચનતા, નિર્મોહીપણું અને આત્મતૃપ્તિ સહેજે આત્મામાં આવવા લાગે. “લેશે વાસિત મન સંસાર, કલેશરહિત મન તે ભવપાર.”—છી વશવિજયજી બને તે ત્યાં વાંચનમાં પરમકૃપાળુદેવના વચનામૃત ઉપરાંત દિગંબરી “ભગવતી આરાધના” થેડી ડી વંચાય તે લાભનું કારણ છે. પરમકૃપાળુદેવે જણાવ્યું છે કે એ એક જ પુસ્તક જીવ કાળજી રાખી આત્માર્થે વાંચે તે બીજું કંઈ વાંચવાની જરૂર નથી. પ. પૂ. પ્રભુશ્રીજી પણ બહુ વખાણ કરતા હતા. સમાધિમરણ અર્થે તે છે. અગાસ, તા. ૧૨-૮-૪૫ તજ તૂષ્ણુ ધન આદિ કેરી, મૂક મમતા ટળશે ભવફેરી; ભવ તરવા ઈચ્છે જો ભાઈ, સંત શિખામણ સુણ સુખદાઈ. ક્ષણભંગુર સંસાર વિચારે, ક્રાંતિ વડે ના જાણે સારો શેક વિયેગ ભયંકર ભારે, ભવદરિયાથી કોણ ઉગારે ? મજબૂત તારે હાથ રહીને, કોણ બેધશે કરુણા કરીને? ઇંદ્રજાલ સમ નિષ્ફળ સહુ તજ, મેક્ષપદે મન રાખી પ્રભુ ભજ. (વૈરાગ્યમણિમાળા) વિ. આપનું કાર્ડ મળ્યું. જે તમને તમારા પિતા ત્યાં ધામણમાં રહી પવિત્ર જીવન ગાળવા કહે છે તે માન્ય કરવામાં તમારું વિશેષ હિત સમજાય છે. મુંબઈને મોહ ઘણાને ગરૂપ, દરિદ્રતારૂપ, વ્યસનની આપત્તિરૂપ નીવડ્યો છે. તેમ છતાં તેવું જ પ્રારબ્ધ બાંધેલું હોય અને મુંબઈને મેહ ન છૂટે તેમ હોય તે બહુ બહુ સંભાળપૂર્વક, આત્મહિતને વિશ્વ કરે તેવી પરિસ્થિતિમાં મુકાયે છું એમ નિર્ણય રાખી, બનતાં સુધી તે વાતાવરણમાંથી અમુક અમુક વખત તે જરૂર વર્ષમાં છુટાય તેવું મારે કર્તવ્ય છે એવી ભાવનાપૂર્વક નછૂટકે રહેવું ઘટે છેજ. તમારા પિતા જે સંતોષપૂર્વક જીવન ગાળે છે તે અમુક વર્ષ પછી પણ મારે કર્તવ્ય છે એ લક્ષ ન ચુકાય તેમ કંઈ ને કંઈ પ્રસંગે વિચારતા રહેવા વિનંતી છે. ' તમે પુછાવેલ પ્રશ્નને ઉત્તર પરમકૃપાળુદેવના શબ્દોમાં નીચે છે – “દયાની લાગણી વિશેષ રહેવા દેવી હોય તે જ્યાં હિંસાનાં સ્થાનકે છે, તથા તેવા પદાર્થો લેવાય દેવાય છે, ત્યાં રહેવાને તથા જવાઆવવાને પ્રસંગ ન થવા દેવું જોઈએ, નહીં તે જેવી જોઈએ તેવી ઘણું કરીને દયાની લાગણી ન રહે તેમ જ અભક્ષ્ય પર વૃત્તિ ન જવા દેવા અર્થે, અને તે માર્ગની ઉન્નતિન નહીં અનુમોદનને અર્થે, અભક્ષ્યાદિ ગ્રહણ કરનારને આહારાદિ અર્થે પરિચય ન રાખવું જોઈએકેટલાંક કાર્યો એવાં હોય છે કે તેમાં પ્રત્યક્ષ દોષ હેતે નથી, અથવા તેથી દોષ થતું હોતું નથી, પણ તેને અંગે બીજા દોષોને આશ્રય હોય છે, તે પણ વિચારવાનને લક્ષ રાખે ઉચિત છે.” (૭૧૭) ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #574 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૫૪૯ ૬૦૫ અગાસ, તા. ૧૨-૮-૪૫ તત્ સત્ શ્રાવણ સુદ ૪, રવિ, ૨૦૦૧ અંતરના અંત્યજે અનાદિ કાળથકી અભડાઊં રહ્યા, તેને અળગા કરવા ઉધમ ને ઉપદેશ અનેક કહ્યા; તે પણ ગ્ય ટ્યૂમિકાવણ સૌ વહી ગયા વરસાદ સમા, પકડ કરે જીંવત બહુ છેઃ એક જ શબ્દ અનુપ ક્ષમા.” વિ. આપને પત્ર ગઈ કાલે મળ્યો હતો. વાંચી સમાચાર, મૂંઝવણ જાણી. પરમકૃપાળુદેવનું ગબળ જગતનું કલ્યાણ કરે. પત્રાંક ૭૧૭ અને ૭૧૬ યથાર્થે વિચારશે તે કંઈક ઉકેલ આવશે એમ લાગે છે. કાળ ફરી ગયો છે વગેરે વિકલપિ બાજુએ રાખી, સપુરુષને જે સનાતન સત્યને બંધ કરે છે તે સમજવા વારંવાર વાંચી-વિચારવા ભલામણ છેy. પિતાની બુદ્ધિને સદ્ગુરુ-બોધને અનુસરનારી પતિવ્રતા કરવી. આ પરમકૃપાળુદેવનાં વચનો વારંવાર વાંચી-વિચારી જે સ્કૂરણ તેને ગબળે થાય તે હદયમાં દઢતાપૂર્વક સાચવી રાખવા વિનંતી છે. જીવનમાં મુશ્કેલીઓ તે ઘણું આવી છે, આવે છે અને આવવા સંભવ છે પણ તેવા પ્રસંગે પરમકૃપાળુદેવનાં વચનને આશય સમજી, તે દ્વારા ઉકેલ આણી તેને ફરમાન પ્રમાણે આપણી વૃત્તિઓ વાળવી છે એટલી જેની શ્રદ્ધા છે, તે ગમે તેવા પ્રસંગમાં પણ પરમાર્થને બાધ ન આવે તેમ વર્તી શકે એમ લાગે છે. મહાપુરુષેએ ગહન પ્રશ્નોના ગહન વિચાર કર્યા છે. આપણું તુચ્છ બુદ્ધિ લૌકિક વાતાવરણને મુખ્ય ગણી, કે વિશેષ સૂક્ષ્મપણે વિચારી શકે તેમ નહીં હોવાથી આગળ વિચારવાનું કંઈ નથી એમ માની, મેં વિચારી લીધું છે એમ માને છે, અને અનુકૂળતા તરફ ઢળી જાય છે, પરંતુ પુરુષના બેધને આધારે ગહનતાને, પરિણામને, સ્વપરહિતનો વિચાર કરી પગલું ભરવું ઘટે છે. લેકપ્રવાહની સામે થવું પડે તે શૂરવીર થઈ સહન કરવું; પણ કઈ પ્રત્યે દ્વેષબુદ્ધિ ન થાય, ખમી ખૂંદવાનું શિખાય અને જ્ઞાનીના માર્ગને અનુસરવા અર્થે વેઠવું પડે છે એ ભાવમાં પણ જે શાંતિ સમાઈ રહી છે તે સમજાય, તેમ વર્તવા ભલામણ છે. કેઈ વ્યવહારુ ચોક્કસ સૂચના આ પત્રમાં નથી, પણ જે વાતાવરણમાં તમારી બુદ્ધિ કુંઠિત થઈ છે તેને વિશાળ, વિચારગ્ય બનાવે તેવી બાબતે પુષ્કળ છે તે વિચારશે. ૩% શાંતિઃ શાંતિઃ શાંતિઃ १०६ અગાસ, તા. ૧૫-૮-૪૫ તત્ સત્ શ્રાવણ સુદ ૭, બુધ, ૨૦૦૧ સહનશીલતા જે સમભાવે ઉરમાં રહી નિરંતર તે, ઉદય આકરે ગભરાવે નહિ, આનંદે જીવ રહે તરતે; સદ્દગુરુ શરણે જૈવન-મરણને, નિશ્ચય અડગ રહે જેને, અસહ્ય કર્મોના ઉત્પાત, નાટક સમ લાગે છેને. કર્મઉદયને કારણે જીવની શક્તિ પરાભવ કઈ કઈ વખતે પામે છે. પરંતુ જેને સદ્ગુરુને યોગ થયો છે, જેણે તે પુરુષની યથાશક્તિ પ્રેમભાવથી ઉપાસના કરી છે અને કરે Page #575 -------------------------------------------------------------------------- ________________ ૫૫૦ બેધામૃત છે તથા સત્સાધનસંપન્ન જે જીવ છે તેણે તે હવે શૂરવીરપણું ગ્રહીને કર્મની સામે ઝૂઝવું ઘટે છે, કારણકે તેની કુમક(સહાય)માં સશુરુશરણરૂપી દિવ્ય શસ્ત્ર ધારણ કરેલ વિશ્વાસરૂપી કેટી-સુભટ છે. આપને એવા બળવાન ધારીને આપને અચાનક આવી પડેલા કઠણુ ઉદયમાં કેમ રહેલું તે યથાશક્તિ જણાવવા કૃપા કરશે. “ગુપ્ત ચમકાર જ સૃષ્ટિના લક્ષમાં નથી (૨૧-૩૦) એમ પરમકૃપાળુદેવ લખે છે તેને જરૂર કંઈક અનુભવ થે ઘટે છેજ. લાંબી માંદગીમાં છૂટવાના ભાવથી વર્તતા પરમકૃપાળુદેવના આશ્રિત જીવેના પુરુષાર્થ, સહનશીલતા, શ્રદ્ધાની વૃદ્ધિ વગેરે જાણવાની આકાંક્ષા સહજ રહે છે. આવા કઠણાઈના કઠણ કાળમાં જે મુમુક્ષુ સદ્દગુરુશરણને દઢતાપૂર્વક વધતા પરિણામે વળગી રહે છે, અનુભવ-અમૃતથી ઝરતાં પરમકૃપાળુદેવનાં વચને વાંચી વિચારી, યથાશક્તિ અમલમાં મૂકી, તેની પરમ ઉપકારક શક્તિ અનુભવી રહ્યા છે તેમને ધન્ય છે! આવા વખતે તે અનુપમ વચનામૃતે પરમ સત્સંગરૂપ નીવડે છે. એક તે મરણ પ્રસંગ ઝઝૂમતે લાગે તેને વૈરાગ્ય હોય, તથા પરમગુરુનું શરણ જે નિત્યત્વ, અદ્યત્વ, અવિનાશી, પરમાનંદ સ્વભાવના આદર્શને ખડું કરતું હોય તેને લક્ષ બળવાનપણે આધારરૂપ હૃદયમાં દઢ થતું હોય તે કાળ, માસામાં પ્રથમ વરસાદ થાય ત્યારે ખેડૂતને જેમ બધાં કામ કરે કરી ખેતર ખેડીને વાવવાની લગની લગાડે છે, તેની સાથે સરખાવવા જેવો છે. નિકટનું કેઈ સગું મરી ગયું હોય તે પણ ઉતાવળે ઉતાવળે તેને અગ્નિસંસ્કાર કરી પોતાના કામ- ખેડ– ઉપર તે ચઢી જાય છે, તેમ જ લખચોરાશીના ફેરામાં ફરતાં ફરતાં અનેક તાપથી તપી રહેલા આ જીવને મનુષ્યભવરૂપ મેસમ આવી લાગી છે. તેમાં સદ્ગુરુનું શરણ, બોધ, અને વિશ્વાસ – પકડરૂ૫ વરસાદ થતાં રૂડા છે બધેથી વૃત્તિ વ્યાવૃત્ત કરી – ઉઠાવી લઈ, એક આત્મહિત ત્વરાથી કરી લેવા તત્પર રહે છેજી. આવા યેગમાં જે જીવ મિથ્યાગ્રહ, સ્વચ્છંદ, પ્રમાદ અને ઇન્દ્રિયપરવશતા તછ સપુરુષાર્થ આરાધે તે અલ્પકાળમાં પરમશાંતિ અનુભવે. પિતાનું વીર્ય ગોપવ્યા વિના, બને તેટલે સદ્દગુરુશરણે પુરુષાર્થ કર્યા કરે, તેને કઈ પણ કલેશનું કારણ રહેતું નથી. જે મહાપુરુષો કૃતકૃત્ય થયા છે, જેમણે આ શરીરથી કરવા ગ્ય - સાધવાનું સાધી લીધું છે, તે તેની કંઈ દરકાર રાખતા નથી, એ આદર્શ લક્ષમાં રાખી, જ્યાં સુધી આ દેહે કરી આત્મકલ્યાણનું આરાધન કરવાનું બાકી છે ત્યાં સુધી, મુસાફર ગાડાની સંભાળ રાખે છે તેમ, શરીર-સંભાળ પણ કર્તવ્ય છે. છૂટે દેહાધ્યાસ તે, નહિ ક તું કર્મ; નહિ ભક્તા તું તેહને, એ જ ધર્મને મર્મ.”—શ્રીમદ્ રાજચંદ્ર ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, શ્રાવણ સુદ ૧૩, ૨૦૦૧ જ્યાં સુધી જીવને સત્સંગની ભાવના પ્રબળપણે નહીં રહ્યા કરે ત્યાં સુધી અને આ સંસારના પદાર્થો ઈષ્ટ-અનિષ્ટપણું કરાવી જરૂરી કર્મબંધન કરાવ્યા વિના રહે તેમ નથી. જીવની બાહ્યદષ્ટિ હવાથી, સત્સંગનું માહાભ્ય જેવું પરમકૃપાળુદેવના હદયમાં અહેરાત્ર વસ્યા કરતું હતું તે કયાંથી સમજાય? અને ન સમજાય તે વસ્તુની ભાવના પણ થવી મુશ્કેલ Page #576 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા પપ છેજ. તેથી સૌથી સહેલું અને સૌથી પહેલું ધર્મકાર્ય સત્સંગ એજી એમ દઢ કરવા યોગ્ય છે.જી. પોતે પોતાની મેળે જીવ ગડમથલ કર્યા કરે અને આથી લાભ છે કે આથી મને હિત છે એમ માન્યા કરે તેથી પિતાની ભૂલે પિતાને સમજાવી મુશ્કેલ છે અને સત્સંગમાં અનેક પ્રકારે કલ્યાણનાં કારણોની ચર્ચા થતી હોય તે જીવના વિચારમાં, લક્ષમાં આવે તે દેશે દેખાય, તે પ્રત્યે તિરસ્કાર થાય, તે દુઃખદાયી સ્પષ્ટ સમજાય અને તેના ઉપાય શોધવા, સાંભળવા અને ગ્રહણ કરવાના પ્રસંગે પ્રાપ્ત થાય છે. તેમ છતાં પુણ્યગ વિના સામાન્ય સત્સંગની પ્રાપ્તિ પણ દુર્લભ છે. બજારનાં કે ઘરનાં કામને ધક્કો મારી બે ઘડી ત્યાં આહેરમાં જ ભક્તિ થતી હોય, વાચન થતું હોય, તેમાં હાજર રહી પિતાના ભાવ ધર્મધ્યાનરૂપ કરવાને પુરુષાર્થ નહીં કરીએ તે તેને માટે રેલવેની મુશ્કેલીઓ વેઠી, ધન ખર્ચ, કમાવાને પ્રસંગ ચૂકી, કામ મૂકી આશ્રમમાં આવી રહેવું કેટલું મુશ્કેલ થઈ પડે તે સહજ સમજાય તેવું છે જી. જેમ સંસારનાં વચને નાનપણથી કાનમાં પડ પડ થયાં અને તે દ્વારા સંસાર હદયમાં ઘર કરી ગયું છે તેમ જ્યારે સત્સંગ મેગે પરમકૃપાળુદેવનાં વચને કાનમાં પડ પડ થશે અને તેનું અલૌકિકપણું હૃદયમાં વસશે તે મેક્ષમાર્ગ જરૂર હાથ લાગશે, સંસારભય દૂર થશે અને “અબ હમ અમર ભયે ન મરેંગે” એવા ઉદ્ગાર સહજ ખુરશેજી. સર્વ ભાઈબહેને ધર્મધ્યાનમાં પ્રવર્તવા પુરુષાર્થ કરતા હશે. મનુષ્યભવની દુર્લભતા સમજાય અને તેની સફળતા પરમકૃપાળુદેવના વચનને આશયે સધાય તેમ પ્રવર્તવા ભલામણ છે. ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૬૦૮ અગાસ, તા. ૨૩-૮-૪૫ તત છે સત્ શ્રાવણ સુદ ૧૫, ગુરુ, ૨૦૦૧ આપની ભાવના પર્યુષણ પર્વ ઉપર આવવા રહે છે તે જાણ્યું. સંયેગો વિચારીને આગળપાછળ ક્લેશનું કારણ ન બને તેમ કર્તવ્ય છે. ધર્મ અર્થે જ જીવવું છે એ જેને આદર્શ છે, તે જ્યાં હોય ત્યાં બનતી ધર્મની આરાધના કરે છે. જોકે સત્સંગ નિરંતર ઈચ્છવા યોગ્ય છે, પણ પ્રારબ્બાધીને તેની પ્રાપ્તિ હોય છે, છતાં પુરુષાર્થ કરતા રહેવાની દરેક મુમુક્ષુ જીવની ફરજ છેજી. શરીરાદિ કારણના ગે અહીં આવવાનું ન બને તે સદ્દગુરુ શરણે જ્યાં હોઈએ ત્યાં બનતું ધર્મ-ધ્યાન સત્સંગ કરતા રહેવા ભલામણ છે. અગાસ, તા. ૨૭-૮-૪૫ તતું છે સત્ શ્રાવણ વદ ૫, સેમ, ૨૦૦૧ વૈરાગ્યના પ્રસંગમાં સત્સંગ, સન્શાસ્ત્ર, ધર્મકથા આદિ વિશેષ હિતનાં કારણ છે. એક તે મેહ મંદ થાય, વૈરાગ્યની વૃદ્ધિ થાય અને આત્મહિતની ગરજ વધતાં ઊંડા ઊતરી મહાપુરુષને આશય સમજી તે ગ્રહણ કરવાને સુગ બને છેજ. યમ, નિયમ, તપ, વ્રત વગેરે કરતાં સત્સંગ અને સત્સંગે થયેલી આજ્ઞાની ઉપાસના જીવને વિશેષ જાગૃતિનું કારણ બને છે. માટે આત્મહિતની ભાવના વર્ધમાન થાય તેમ યથાશક્તિ કર્તવ્ય છે. “આતમ ભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે.” » શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #577 -------------------------------------------------------------------------- ________________ ઉપર બાધાકૃત અગાસ, તા. ૨૮-૮-૪૫ જેના હૃદયમાં પરમકૃપાળુદેવની ભક્તિ વસી છે, તે ગમે ત્યાં દેહભાવે છે પણ તેને અંતરના ભાવ તે આ પુણ્યભૂમિમાં જ હોય. પરમકૃપાળુદેવને જાતિસ્મૃતિજ્ઞાન હોવાથી દુકાન ઉપર બેઠા બેઠા પણ તે તે વન, ઉપવન, ગુફા, ધ્યાન-સમાધિનાં સ્થાને, મહાપુરુષના સમાગમ, બેધના પ્રસંગે સ્મૃતિમાં લાવતા. આપણને તે આ જ ભવમાં પ. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીને સમાગમ થયેલ છે. તે પરમકૃપાળુ પ્રભુશ્રીજીના પ્રસંગે જ્યારે તાજા કરવા હોય ત્યારે થાય તેમ છે. તેમણે આપેલ ઉપદેશ, મંત્ર, ભક્તિ આદિ આજ્ઞાઓનું સ્મરણ જગતનું વિસ્મરણ કરાવી દેવા સમર્થ છે, પણ જીવને જેટલી દાઝ હોય તેટલી તેની કાળજી રાખે. કોઈ સાથે વેર બંધાયું હોય કે તકરાર થઈ હોય તે મહિને બાર મહિને ફરી સંભારે તે જેમ ક્રોધ ફુરી આવે છે તેમ પરમ ઉપકારી, પરમ નિઃસ્પૃહી પરમપૂજ્ય પ્રભુશ્રીજીની સ્મૃતિ કરતાં તેમની અનંત દયા, પ્રેમ અને ઉપકારથી અંતઃકરણ ઊભરાઈ આવે, અને પ્રત્યક્ષ સમાગમ થયા જે જીવને લાભ થાય. પરમકૃપાળુદેવની ભક્તિ કરનારના આત્માને કંઈ જોખમ થાય તે તેની અમે જવાબદારી લઈ એ છીએ, વીમો ઉતરાવીએ છીએ એમ છાતી ઠોકી કહેનાર આપણને આ ભવમાં મળ્યા છે તે તેમણે દર્શાવેલ માર્ગે નિઃશંકપણે વર્તી આત્મકલ્યાણ સદ્દગુરુભક્તિથી સાધી લેવાનું છે. જે શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૨૯-૮-૪૫ તત્ છે સત શ્રાવણ વદ ૭, બુધ, ૨૦૦૧ “નિવાઇરેટ્રા = વિધા” (સૂત્રતા ૧-૬-૨૪) “બધાય ધર્મમાં મુક્તિને શ્રેષ્ઠ કહી છે.” શ્રીમદ્ રાજચન્દ્ર ગારથી વા શૃંગારમિશ્રિત ધર્મથી સંસારની નિવૃત્તિ નથી; એ જ માટે વૈરાગ્ય જળનું આવશ્યકપણું નિઃસંશય ઠરે છે; અને એ જ માટે વીતરાગના વચનમાં અનુરક્ત થવું ઉચિત છે, નિદાન, એથી વિષયરૂપ વિષને જન્મ નથી. પરિણામે એ જ મુક્તિનું કારણ છે. એ વિતરાગ સર્વજ્ઞના વચનને વિવેકબુદ્ધિથી શ્રવણ, મનન ને નિદિધ્યાસન કરી હે માનવી! આત્માને ઉજજવળ કર.” ભાવનાબેધ, શ્રીમદ્ રાજચંદ્ર. અંતરના જ અનાદિ અંત્ય, કામાદિક અભડાવ રહ્યા, તેને અળગા કરવા ઉદ્યમ ને ઉપદેશ અનેક કહ્યા; તે પણ ગ્ય ભૂમિકા વણ સૌ વહી ગયા વરસાદ સમા, પકડ કરે છે ઍવ તે બહુ છે એક જ શબ્દ અનુપ ક્ષમા. . પૂ. ને તમારી ભાવના જણાવી. તેમણે વ્યવસ્થાપકની સલાહથી જણાવ્યું કે અહીં કંઈ અડચણ પડે તેમ નથી, પણ જે કંઈ મળી આવે તેથી ચલાવી લેવું જોઈશે. બીજા કેટલાક મુનિઓથી વ્યવસ્થાપકે કંટાળેલા એટલે અનેક પ્રકારની અણજુગતી માગણીઓથી પરસ્પર અસંતોષ થયેલ તેથી એવી વાત તેમણે કરેલી. તમે તે સત્સંગ અર્થે વૈરાગ્યભાવથી આવે છે તે ગમે તે મુશ્કેલીઓ વેઠી શકે તેમ છે. વૈરાગ્યમાં વિશ્વ ઘણુ” એમ એક Page #578 -------------------------------------------------------------------------- ________________ ૫૫૩ પત્રસુધા કહેવત છે. ઉત્સાહ – આત્મહિતની દાઝ એ જ ખરું ભાથું છે. પત્રાંક ૧૨૮ સંવત્સરી પરના ત્યાં સર્વ વિચારશેાજી. પરમશ્રુત એ જ વૈરાગ્યનું મૂળ કારણ છે. વચનામૃત વીતરાગના, પરમ શાંતરસ મૂળ; ઔષધ જે ભવરંગનાં, કાયરને પ્રતિકૂળ.”(૧૫) ઉત્તરાધ્યયન આદિ સૂત્રો અને પરમકૃપાળુદેવનું વચનામૃત વૈરાગ્યઉપશમ-પ્રેરક છેજી. ઠામ ઠામ ભગવાને જીવની યેાગ્યતા અર્થે વૈરાગ્યમય એધ કર્યાં છે. જેટલી આપણી કલ્યાણુ કરવાની ભૂખ ઊઘડશે તેટલા વૈરાગ્યલાભ જરૂર થશે. તે સિવાય ધર્માંલાભ સમજાવે મુશ્કેલ છેજી. જે ક'ઈ મુખપાઠ કરવાની વૃત્તિ હાલ થાય, તેમાં લેાકર'જન, વ્યાખ્યાનમાં ઉપયાગિતા કે માનાદિક અંકુરથી પ્રેરાઈ ને કઈ થતું હોય તે તે ઉપશમાવી પરમકૃપાળુદેવ અને તેમનાં વચનામાં વૃત્તિ વિશેષ રાખવી છે એ લક્ષ દૃઢ કરવાયાગ્ય છેજી. ત્યાગ-વૈરાગ્યને પેાષક વાંચન ગમે તે ધર્મીમાંથી ગ્રહણ કરવામાં હરકત નથી. આપણા આત્માને ઉલ્લાસ પ્રેરે તેવાં વચન મુખપાઠ કરવા વિશેષ વૃત્તિ થઈ આવે તે પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ આજ્ઞા લઈ તેમ કરવામાં હરકત નથીજી. ઉપરની વાત સામાન્ય જણાવી છે. ખીજું જેમને કંઈ તમારી પાસેથી શીખવું હાય તેને પરમકૃપાળુ તરફ વૃત્તિ થાય તેવી વાતચીતનેા પ્રસંગ રહેતા હેાય તેા વૈરાગ્યપ્રેરક પદો, આલાચના વગેરે શીખે તે સારું. વીસ દેાહરા વગેરે ભલે સાંભળે પણ તે જ શીખવા ભાવ તેને થાય તેા કહેવું કે એ તેા જેને નિત્યનિયમ તરીકે ખેલવાના તેમ જ પરમકૃપાળુદેવની આજ્ઞામાં વવાના ભાવ હાય તેને માટે પુછાવીને શીખવા લાયક છે, માત્ર શીખી ગયા કરતાં પરમકૃપાળુદેવની આજ્ઞા આધીન વૃત્તિ કરવાથી વિશેષ લાભનું કારણ છે. એવી વાત કરી શકાય તેવાં ન હોય તેમને માટે ખહુ ખાટી થવું ચાગ્ય હાલ નથીજી. આપણે આપણું સાધન પ્રથમ કરી લેવું છે એ લક્ષ ન ચુકાય અને બીજાં કામ આવી પડે તે કરી છૂટવાં, એ ધેારણે આત્મવૃત્તિ જાગવા ચેાગ્ય છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ તા. ક.- પત્રાંક ૬૭૭ લક્ષપૂર્વક વાંચવા વિચારવા વિનંતી છેજી. કાર તત્ ૐ તત્ અગાસ, તા. ૧૩-૯-૪૫ ભાદરવા સુદ ૭, ૨૦૦૧ વખતથી રહેતાં, વળી આવતાં. એમ એ વાર વેરા ગામનાં પૂ. જીખા નામનાં એક ડોસી આશ્રમમાં ઘણા તેમના ગામે પણ જતાં; પણ મંદવાડ થાય ત્યારે જરૂર આશ્રમમાં જ સખત માંદગી આશ્રમમાં તેમણે ભેગવી હતી અને ત્રીજી વખત ઘણાં માંઢાં થયાં ત્યારે પણ આશ્રમમાં આવી ગયાં અને ભાદરવા સુદ બીજની રાત્રે તેમને દેહ છૂટો હતા. પ. પૂ. પ્રભુશ્રીજી કહેતા બાળાલાળાનાં કામ થઈ જાય તેવા આ માર્ગ છે. જીવને પકડ થવી જોઈ એ. તેમણે સાંભળેલું કે આ આશ્રમમાં દેહ છૂટે તેને પ્રભુશ્રીજીએ કહેલું; તેથી તેવી જ તેમની ભાવના રહ્યા કરતી હતી અને અંતે તેમની ભાવના સફળ થઈ છેજી. ગમે ત્યાં રહ્યા છતાં ભાવના તેા થઈ શકે છે અને ભાવના પ્રમાણે જ ખધન કે નિર્જરા થાય છેજી. જેને સદ્ગુરુના યાગ મળ્યા છે, તેના પ્રત્યે પ્રેમ-ભાવના સમાધિમરણ થાય એમ પ.પૂ. Page #579 -------------------------------------------------------------------------- ________________ ૫૫૪ બાધામૃત છે, તે પરમ ઉપકારી પુરુષે અનંત દયા લાવી સ્મરણમંત્ર આદિ ભક્તિનાં સાધન આપેલ છે અને તેનું જે ભાવ-ભક્તિથી આરાધન યથાશક્તિ કરે છે તેનું જરૂર ભલું જ થાય છે. માંદગી એ સમજણની ખરી કસોટી છે. જેમ સગાંવહાલાંમાં મરણ આદિ પ્રસંગે વ્યવહારમાં ખાસ પ્રસંગે, નિકટનાં સગાં હોય તે મુશ્કેલી વેઠીને પણ મદદ કરવા તૈયાર થાય છે અને પિતાનાથી થાય તેટલું કરી છૂટે છે, તેમ આપણે નિકટને સગે તે આત્મા છે, તેને દુઃખના પ્રસંગે આધ્યાન કરી માઠી ગતિમાં જતાં બચાવ અને ધર્મધ્યાન ભણી વૃત્તિ કરાવવી એ આપણી પહેલી ફરજ છે. શરીરનાં કામ, તેની સંભાળ તે બીજાથી બને, પણ ભાવ ધર્મ પ્રત્યે વાળવા, વેદનામાં જતી વૃત્તિ પાછી વાળી સપુરુષ, સત્સંગ, સદ્ધ અને ભક્તિમાં રોકવી અને સદગુરુશરણ મરણપર્યત જીવને ઉપગી છે એ લક્ષ રાખ તે પિતાના હાથની વાત છે, કોઈ બીજું તે કામ કરી આપે તેમ નથી. માટે પરભવને ભય રાખી, ધર્મને અચિંત્ય ચિંતામણિ તુલ્ય ગણી તેમાં વારંવાર વૃત્તિ વાળવાને પુરુષાર્થ કર્તવ્ય છે. મુંબઈવાળા પૂ. મણિભાઈ કલ્યાણજીનાં બહેન પૂ. મણિબહેને પર્યુષણ પહેલાં થેડા દિવસ ઉપર દેહત્યાગ કર્યો, તેમની મોટી ઉંમર હતી છતાં માળા ફેરવવાને એમણે એટલે બધે અભ્યાસ રાખેલે કે એમને પથારીમાં સૂતાં હોય તે પણ હાથ માળા ફેરવતા હોય તેમ હાલ્યા કરતે. પૂછે કે શું કરે છે, તે માળા ફેરવું છું એમ જવાબ આપતાં. બીજું મારે હવે શું કરવાનું છે? આટલુંય નહીં કરું? એમ કહેતાં. શું બોલે છે એમ પૂછે તે મંત્ર બેલી બતાવતાં. આ વાત ગઈ કાલે સાંભળી તે ઉપરથી વિશેષ દઢતા થઈ કે જેણે ધર્મની સંભાળ જિંદગી પર્યત લીધી હોય તેની સંભાળ ધર્મ જરૂર આખર સુધી લે છે ને પરભવમાં પણ તે સાથે આવે છે. આવી અગત્યની વાત જેણે વિસારી મૂકી છે અને ધંધા તથા વ્યવહારમાં જે ગૂંચાઈ રહેલા હોય તે આખરે પસ્તાય છે, તેમણે કંઈ કર્યું હોતું નથી, કંઈ વિશ્વાસનું બળ હોતું નથી તેથી મરણ વખતે નારકી જીવની પેઠે પિકાર કર્યા કરે છે; દુઃખી થઈ, શેક-સહિત, વાસના સહિત મરી અધોગતિએ જાય છે. આમ ઘણા પ્રસંગે નજરે જોયા છતાં આ જીવ પોતાની અનાદિની વૃત્તિ પલટાવી, જાગ્યા ત્યાંથી પ્રભાત ગણી, ધર્મનું શરણું કેમ દઢ નહીં કરતો હોય? આ મનુષ્યભવ કમાણી કરવા જેવી ખરી મોસમ છે, તેને શામાં વાપરે છે તે પણ જીવને લક્ષમાં રહેતું નથી. “દેખતભૂલી”માં અનંતકાળ વ્યતીત થયે છતાં તેને વિશ્વાસ જીવ તેજ નથી, અને જેથી જરૂર આત્માનું હિત થાય, આંટા ઊકલે તે જ્ઞાનીને માર્ગ સમજ નથી છતાં સમજવા પ્રયત્ન પણ કરતું નથી. બફમમાં ને બફમમાં હું સમજું છું, મને ખબર છે એમ માની ઠગાયા જાય છે. પ. પૂ. પ્રભુશ્રીજી કહેતા કે ઘરમાં ચાર પેઠા ત્યારે શેઠાણી કહે, કોઈ ખાતર પાડવા પિઠા છે. શેઠ કહે, હું જાણું છું. આ બધી મિલકત લઈ જાય છે, તે કહે, હું જાણું છું. આ ગયા હવે તે કંઈ બૂમ પાડો, ઊઠે, અટકાવે તે પણ કહે, હું જાણું છું. આખરે શેઠાણી અકળાયાં અને કહે, “ધૂળ પડી તમારા જાણવામાં. બધું ગયું તેય તમારું “હું જાણું છું એ ગાફલપણું ગયું નહીં.” આપણને ચેતાવવા આવા ગતકડાં ઘણું તે પરમ ઉપકારી પુરુષ કહેતા, પણ જીવને જાગવાને પ્રસંગ ન બને; એ જ બતાવે છે કે તે પ્રયત્ન કરે છે પણ કંઈક એવી ભૂલ રહી જાય છે કે જેથી આખર Page #580 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૫૫૫ સરવાળે તેની પાસે કંઈ બચું જણાતું નથી. તે ટાળવા હવે કંઈક ઊંડા ઊતરી વિચારવું ઘટે છે અને આખરની તૈયારી માટે વિશેષ તૈયારી કરી રાખવી ઘટે છે, નહીં તે કૃપાળુદેવ જેવાએ પણ ભય દર્શાવ્યું છે કે માઠું થશે માટે જાગ્રત થાઓ, જાગ્રત થાઓ એ પ. પૂ. પ્રભુશ્રીજીને બોધ બધાને ગ્રાહ્ય થાય એવી ભાવના સહિત પત્ર પૂર્ણ કરું છું. ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૬૧૩ અગાસ, તા. ૧૩-૯-૪૫ હરિગીત – ટળે છે દશા પરિભ્રમણની ! વિશ્વાસ વિણ વિચાર ક્યાં ? શ્રવણુ વણ ના ઓળખે, ભક્તિ ન ભાવ વિચાર જ્યાં; વાતે વડાં ના થાય' મંડી પડ વિનય-ભક્તિ સજી, જે જાગશે તે છોડશે; કર સમજ, નિજ ડહાપણ તજી. આપને પત્ર તથા આત્મધર્મ નામે લખાતું છાપું મળેલ છે. આપને વારંવાર તે તરફની વૃત્તિઓના ઉત્તરની ઈચ્છા રહ્યા કરે છે પણ તે બાબત કંઈ લખવું ઠીક લાગતું નથી. પ. પૂ. પ્રભુશ્રીજી કહેતા, “એક મત આપડી અને ઊભે માર્ગે તાપડી.” તેમ. “પુરા 9 સૌ છે , યુ રીતે જોઈ __जो घट शोधे आपनो, तो मोसु बुरा न कोई." એવું આલેચનામાં બેલીએ છીએ તે ભાવના બીજા પ્રવર્તન વખતે પણ સ્મૃતિમાં રહ્યા કરે એ હિતકારી સમજાય છેજ. આપના કાનમાં એ તરફના પર્યાય વારંવાર પડે એટલે લાંબું ચડું લખાઈ જાય છે, પણ તે તમારે કોઈ પ્રત્યે વિરોધભાવ પણ નથી એમ સમજાય છે; છતાં જરૂર વગર કોઈની વાત આપણે શા માટે કરવી? અને મોક્ષમાર્ગે ચાલવું હોય તેણે તે પરભાવ અને પરવૃત્તિઓથી તે છૂટવું જ ઘટે છેજી. કંઈ વિકલ્પમાં પડવા યેગ્ય નથી. પરમકૃપાળુદેવે “વચનામૃતમાં શું લખ્યું છે? “આ કાળમાં આટલું વધ્યું ઃ ઝાઝા મત, ઝાઝા તત્ત્વજ્ઞાનીઓ, ઝાઝી માયા અને ઝાઝે પરિગ્રહવિશેષ.” આથી વધારે શું સાંભળવું છે? પ. પૂ. પ્રભુશ્રીજીને પરમકૃપાળુ પ્રભુએ જણાવેલું કે “હે મુનિઓ ! બાહ્યદષ્ટિ કરશે તે વિક્ષેપને પાર નથી. ઊંડા ઊતરે.” આપણે પણ એ જ લક્ષ રાખ્યા વગર છૂટકે નથીજી. હું તે કંઈ એવું જ્ઞાન ધરાવતું નથી કે બીજાના મનની દશા સમજાય અને તે વિષે હવે નહીં પૂછવા વિનંતી છે જ. આપને કંઈ અસંતોષ જેવું આ પત્રથી લાગે તેની પણ ક્ષમા ઈરછું છું. # શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૬૧૪ અગાસ, તા. ૧૪-૯-૪૫ તત સત્ ભાદરવા સુદ ૭, શુક, ૨૦૦૧ સંસારનું સ્વરૂપ સદ્દગુરુના બેધને અનુસરીને વારંવાર વિચારી, તેનું અસારપણું, અનિત્યપણું, અમેહકપણું હૃદયમાં પ્રગટ ભાસે તેમ કર્તવ્ય છે. સત્સંગના વિયેગે પણ વૈરાગ્યની વૃદ્ધિ થાય તે સત્સંગમાં તે દશા વિશેષ ઉપકારી નીવડે છે. સત્સંગની ભાવના નિરંતર કર્તવ્ય છે. અહીં આવવાને વેગ તે પ્રારબ્ધ આધીન છે. જ્યાં હોઈએ ત્યાં યેગ્યતાની વૃદ્ધિ થાય તેમ કર્તવ્ય છે. Page #581 -------------------------------------------------------------------------- ________________ ५५६ બેધામૃત બને તેટલા પુરુષાર્થે અંતરમાં શાંતિ રહે, શીતલીભૂત રહેવાય, બાહ્ય પ્રસંગમાં સમભાવ ટકી રહે તેમ પ્રવર્તવા વિનંતી છે.જી. ભાવ ઉપર કર્મબંધન કે કર્મથી છૂટવાને આધાર છે તેથી સદ્ગુરુશરણે સંસારી પ્રસંગમાં ઉદાસીન ભાવ અને પરમકૃપાળુદેવના ગુણે અને પરમ ઉપકાર પ્રત્યે આદરભાવ વધી તલ્લીનતા પ્રાપ્ત થાય તેવી ભાવના, વર્તના હિતકારી છે. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૫ અગાસ, તા. ૧૫-૮-૪૫ ભાદરવા સુદ ૮, ૨૦૦૧ આપે ૫. સંબંધી કંઈ લખ્યું છે તેના ઉત્તરમાં જણાવવાનું કે મુમુક્ષુને સંબંધ માત્ર ધર્મ-પ્રોજન પૂરત હોય છે, અને તે પણ પિતાને અને પરને હિતરૂપ થતું હોય તે સંબંધ કરવો કે ટકાવે ગ્ય છે. જે સ્વ-પરને લેશ કે પ્રતિબંધનું કારણ હોય છે તે મેહદયને પ્રકાર સંભવે છેજી. પરમકૃપાળુદેવને શરણે જે જીવ જશે તેનું કલ્યાણ સંભવે છે. તે અર્થે મારે કે તમારે પરિચય હશે ત્યાં સુધી હરકત નથી. પણ પરમકૃપાળુદેવનું ઓળખાણ તથા તેની આજ્ઞા પ્રાપ્ત થયા પહેલાં જે જે ઓળખાણ તથા પત્રવ્યવહાર આદિ પ્રસંગે પડે તે પ્રતિબંધનાં કારણ સમજાય છે. તે અર્થે હું પણ પત્રવ્યવહાર કરતાં ડરું છું; તે તમારે કેમ વર્તવું તે તમે વિચારી લેશોજી. | મુમુક્ષુ જીવને જ્યાંત્યાંથી મુકાવું છે, ત્યાં લફરાં વધારી તે ચિંતાના અગ્નિથી આત્માને વધારે બાળવા કેણ ઈચ્છે? પહેલું જીવનું કર્તવ્ય તે પિતાના આત્માને શાંત કરવાનું છે. પિોતે જ હળીમાં બળતું હોય તે બીજાને શી શીતળતા દેખાડી કે અપી શકે ? તે વારંવાર વિચારવા લાગ્યા છેજી. પિતાને વસ્તુસ્વરૂપ પ્રાપ્ત થયે બીજા તે તરફ સહજે વળતા હોય તે સ્વપરને અહિતનું કારણ ન બને તેમ મહાપુરુષ વર્તે છે તે પણ માત્ર એક દયાના કારણે, પણ માનાદિક શત્રુઓ અજાણ્ય પણ ન પિષાય, સ્વાર્થ સાધવાને લક્ષ કોઈ પણ પ્રકારે અંદર ઘૂસી ન જાય તેની અત્યંત ચેકસી સપુરુષ રાખે છે, અને એ પરોપકારનું કામ પણ સર્વો. ત્તમ તે કદી માનતા નથી. પિતાના જ ગુણની વૃદ્ધિ એ મુખ્ય કર્તવ્ય મહાપુરુષોએ માન્યું છે, અને શ્રી મહાવીરસ્વામી જેવા તીર્થંકરપદ પામનાર પુરુષે પણ સાડા બાર વર્ષ જેટલી મુદત મૌન રહ્યા છે, ત્યાં આપણે ઉપકાર કરવા નીકળી પડીએ તે કેવું વિચિત્ર કાર્ય લેખાય તે વિચારવા અર્થે લખ્યું છેજ. શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૧૫-૯-૪૫ તત સત્ ભાદરવા સુદ ૮, ૨૦૦૧ પરમકૃપાળુદેવ તથા પ. પૂ. પ્રભુશ્રીજીના ઉપકારની સ્મૃતિ વાંચી હર્ષ થયે છેજી. એ જ આ ભવમાં આપણને આધારરૂપ છે.જી. પરમકૃપાળુદેવની કૃપા જ ભવ પાર કરનાર સમર્થ છે. તેમણે પોતે જ અભયદાન આપે તેમ જણાવ્યું છે કે આ કાળમાં કોઈ પણ જીવનું કલ્યાણ થવું હોય તે તે અમ થકી પણ બીજાથી નહીં. આવા પરમ આધારરૂપ સદ્દગુરુની આજ્ઞાએ વર્તવું એ જ આપણા આત્માને મેક્ષ પ્રત્યે પ્રવર્તાવવા તુલ્ય છેજી. બહુ દિવસથી Page #582 -------------------------------------------------------------------------- ________________ પગસુધા ૫૫૭ આપને સમાગમ થયું નથી તે મોરબી જતાં આવતાં આશ્રમમાં પધારવા વિનંતી છે. પરમકૃપાળુદેવ જેવા સમર્થ પુરુષ પણ મુંબઈ તછ વર્ષમાં એકાદ વખત આ ચારેતરની ભૂમિની ફરસના કરતા, તે આપણને તે પ. પૂ. પ્રભુશ્રીજીની સ્મૃતિ તાજી થવાનું આ ઉત્તમ સ્થાન અનેક રીતે ઉપકારકારક છે'. નિમિત્તાધીને જીવ છે ત્યાં સુધી ઉત્તમ નિમિત્તોની ઉપાસના તે આત્મ-ઉપાસનામાં અવલંબનભૂત છે. પરમકૃપાળુદેવનું યોગબળ જગતનું કલ્યાણ કરો. # શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૬૧૭ અગાસ, તા. ૧૫-૯-૫ મુમુક્ષુ જીવે પરમકૃપાળુદેવને શરણે પિતાના ભાવ દિવસે દિવસે વધારે પવિત્ર થાય તેમ કર્તવ્ય છે. ભાવ ઉપર જ છૂટવાનું કે બંધાવાનું બને છે. જેને સદ્ગુરુને યેગ થયે છે, સત્સાધનની પ્રાપ્તિ થઈ છે તેણે તે પ્રમાદ તાજી હવે નિર્મોહી થવા અર્થે પરમકૃપાળુદેવનાં વચનને આધારે પ્રયત્ન કર્યા જ કરે ઘટે છેજી. કામથી પરવાર્યા કે અવકાશને વખત પરમકૃપાળુદેવનાં વચનનું વાંચન, ભક્તિ, સ્મરણ, સવિચાર આદિ ભાવનામાં ગાળવાની જરૂર છે જી. હવે આયુષ્યને પાછલે વખત ગણાય તે ઘણે કીમતી છે. જેમ પાઘડીને છેડે કસબવાળ હોય છે તેમાં બધી પાઘડીની કિંમત આવી જાય છે, તેમ સમાધિમરણ કરવાની જેની ભાવના છે તેણે હવેની બાકીની જિંદગી બહુ મૂલ્યવાન ગણ ક્ષણેક્ષણ સદ્દગુરુના લક્ષે વપરાય તેવી દાઝ રાખવી ઘટે છે. “સંતોષી નર સદા સુખી” એ લક્ષ રાખી કષાય મંદ કરવાનું આપણું કર્તવ્ય છે અને તે જ શાંતિનું કારણ, સુખનું કારણ છે છે. જેની નોકરીમાં છે તે ત્યાં રહેતા હોય અને તેની વૃત્તિ કંઈ આત્મહિત કરવા તરફ રહેતી હોય તે પરમકૃપાળુદેવની વાત કે “જીવનકળામાંથી કંઈ જણાવતા રહેવા ઈચ્છા થાય તે હરકત નથી. સહજે બને તે ખરું. ખેંચી-તાણીને કોઈને કહેવા ગ્ય નથી. જીવના અનાદિના આગ્રહ એકદમ મુકાવા મુશ્કેલ છે, પણ તેની ભાવના હોય તે તમારી સાથે વખતે આવી ચડે તે પરમકૃપાળુદેવને શરણે તેનું પણ કલ્યાણ થાય એ જ વિનંતિ. * શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાંસ, તા. ૧૫-૯-૪૫ | તનું છે સત્ ભાદરવા સુદ ૮, ૨૭૧ આપના પત્રમાં જે કોમળ ભાવે આ પર્યુષણ પર્વ નિમિત્તે પ્રગટ થયાં છે તેવા ભાવે ટકી રહે તે ઘણી ધર્મ જાગૃતિ પ્રાપ્ત થાય. પરમકૃપાળુદેવનાં વચનામૃત, સમાધિ પાન આદિને સ્વાધ્યાય દરરોજ કંઈ કંઈ પણ કરતા રહેવાને નિયમ રહે છે તેવા ભાવે ટકે અને વૈરાગ્યની વૃદ્ધિ થઈ અપૂર્વ વેગ પ. પૂ. પ્રભુશ્રીજીને આ ભવમાં થયું છે તે ફળીભૂત થાય. ક્ષણિક, અસાર વસ્તુઓને મેહ માત્ર અવિચારને લઈને અનંતકાળથી સેવા આવ્યું છે. તે સદ્દગુરુના બેધને પરિચય થયે દૂર અવશ્ય થાય તે ગ ચૂકવાયેગ્ય નથી”. “જ્ઞાનીનાં, વચન વડે દૂર થઈ જાય છે.” શાંતિઃ Page #583 -------------------------------------------------------------------------- ________________ ૫ ૫૮ બેધામૃત ૬૧૯ અગાસ, તા. ૧૭-૯-૪૫ તતું કે સત્ ભાદરવા સુદ ૧૦, સેમ, ૨૦૦૧ આપને પૂ... જેવાં પ્રજ્ઞાવંત સાધ્વીજીને હાલ સમાગમ છે એ મહાલાભનું કારણ છે. તેમના સમાગમમાં “ઉપદેશછાયા', “મેક્ષમાળા' હાલ વાંચવાનું રાખશે તથા એકાંતમાં, જે સાંભળ્યું હોય કે ચર્ચાયું હોય તેને વિચારવાનો વખત રાખશે તે કંઈક ઊંડા ઊતરી અંતરશાંતિ પામવાની પ્રેરણા થશે. “આત્માનુશાસન” વાંચવા તમારા ભાવ છે એમ જાણ્યું છે, પણ તે આગળ ઉપર બની રહેશે. તે પહેલાં આ પ્રાથમિક ભૂમિકા તૈયાર થવી ઘટે છે. શ્રીમને જે કંઈ કહેવું છે તે “મોક્ષમાળા” અને “આત્મસિદ્ધિમાં કહી દીધું છે, પણ તેટલે વૈરાગ્ય જીવમાં જાગે અને કષાયનું બળ મંદ પડે તે તેવી વિશુદ્ધિએ તેમાં દર્શાવેલી અચિંત્ય સમૃદ્ધિ સમજાય તેમ છે. વૈરાગ્યવંત છને સમાગમ વૈરાગ્યપ્રેરક બને છે, તે હાલ સત્સમાગમ બને તેટલો ત્યાં કરે અને અહીં આવવાના પણ ભાવ રાખશે તે પુણ્ય ઉદયે તે પણ બની આવશે અને તે પરમપુરુષના યોગબળને નમૂને જોવાને પ્રસંગ બની આવશે. હમણાં પર્યુષણમાં શરૂ થયેલ પ. પૂ. પ્રભુશ્રીજીને બોધ વંચાય છે તેના સારરૂપ નીચેની કડી છે – હરિગીત – “ટળે છે દશા પરિભ્રમણની', વિશ્વાસ વિણ વિચાર કયાં? શ્રવણ વણ ના ઓળખે, ભક્તિ ન ભાવ-વિચાર જ્યાં વાતે વડાં ના થાય’, મંડી પડ વિનય-ભક્તિ સજી; જે જાગશે તે છોડશે, કર સમજ નિજ ડહાપણું તજી. શાંતિઃ શાંતિઃ શાંતિઃ १२० અગાસ, તા. ૧૮-૯-૪૫ તત્ સત્ ભાદરવા સુદ ૧૧, મંગળ, ૨૦૦૧ “સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય; સદ્દગુરુ આજ્ઞા જિનદશા, નિમિત્ત કારણમાંય.” – શ્રીમદ્ રાજચંદ્ર પૂએ કારતક સુદ ૧ ના દિવસથી કંદમૂળને ત્યાગ પિતાને ઠીક લાગવાથી કર્યો છે તે ઠીક કર્યું છે, પણ પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ લઈ જઈ, તેમને કેવા પ્રકારનાં કંદમૂળને એટલે અમુક જ કંદમૂળ કે છૂટ રાખીને ત્યાગ કરવો છે તથા કેટલી મુદતને ત્યાગ કરે છે તથા દવા વગેરે માટે તેમાંની કઈ ચીજ, આદું વગેરે વાપરવા માંદગીમાં છૂટ રાખવી છે કે નહીં તેને નિર્ણય પછી તેમની જેવી ભાવના હોય તે પ્રમાણે પરમકૃપાળુદેવની સાક્ષીએ તે ધારે તેટલી મુદતને ત્યાગ સ્વીકારવા જણાવશે, એમ પરમકૃપાળુદેવને નમસ્કાર કરી ભાવવ્રત લે તે યંગ્ય છે. બીજું, તેમને ઉપવાસ કરવા ભાવના છે તે જણાવશે કે તમે દુધ પીને ઉપવાસ કરવા ધારે છે તે ઉપવાસ નથી; પણ એક વખત ગમે તે ખાઈને ચલાવવું હોય તે તે એકાસણું કહેવાય છે તે અને તે કરશે, નહીં તે બે વખત આહાર લેવાને નિયમ લેવું હોય તે પણ Page #584 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૫૫૯ લેવાય. બેથી વધારે વખત ખાનાર સંયમ-નિયમરહિત ગણાય છે. આ તપની વિધિ કહી અને તે તપ આજ્ઞા વિના માત્ર લાંઘણુ ગણાય છે. તેનું શારીરિક ફળ છે. વિશેષ ધાર્મિક ફળ થવા પરમકૃપાળુદેવની આજ્ઞા લઈ જે કંઈ નિયમ કે વ્રત, તપ કરવા ઈચ્છા થાય છે તેમ નમસ્કારપૂર્વક ભાવના કરી કવ્ય છેજ. તા. ક – વ્રત-ઉપવાસ કરતાં પણ સ્મરણ વારંવાર જીભ ઉપર રહ્યા કરે તેમ ટેવ પાડવી વિશેષ હિતકારી છેજી. | # શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૨૨-૯-૪૫ તત સત્ આપને પત્ર મળે. સમાચાર જાણ્યા. વૈરાગ્ય ભલે દુઃખથી જાગે હોય તે પણ તેને સત્સંગે પોષણ મળે છે તે વૈરાગ્ય ઘણું ઊંચી દશા સુધી જીવને ભેમિયાનું કામ કરે છે. માર્ગ જ્ઞાની પુરુષ અને પરમકૃપાળુદેવે સ્પષ્ટ જણાવ્યું છે, તે સમજવામાં અને આચરવામાં આડું શું આવે છે તે દરેકે વિચારી સત્સંગયેગે આ મનુષ્યભવ સફળ કરી લે ઘટે છેજ. પત્રાંક ૫૦૫ “વીતરાગને કહેલે.જ ઊંડા ઊતરી વિચારશે. # શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૬૨૨ અગાસ, ભાદરવા વદ ૧, ૨૦૦૧ સત્સંગ એ પહેલામાં પહેલું અને સહેલામાં સહેલું આત્મકલ્યાણનું કારણ છે. વિશેષ શું લખવું? જેનું ભલું થવાનું હશે તેને તે સૂઝશે અને સત્સંગે કોઈ જ્ઞાનીની આજ્ઞા પામી આરાધીને આત્મહિત કરી લેશે તેને મનુષ્યભવ સફળ થશે એ લક્ષમાં લેવા યોગ્ય છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૬૨૩ અગાસ, તા. ૨૪-૯-૪૫ તત સત્ ભાદરવા વદ ૩, ૨૦૦૧ આપને ક્ષમાપનપત્ર મળેલ છે.જી. વાંચી આપની પ્રશસ્ત ભાવનાથી પ્રમોદ થયે જી. મેક્ષમાર્ગના આપણ સર્વ મુસાફરે પરમકૃપાળુદેવના શરણરૂપ ગાડીમાં બેઠા છીએ. એકબીજાના વિચારની, મુશ્કેલીઓની, દુઃખની વાત કરી દિલ હલકું કરી તે માર્ગમાં ત્વરિત ગતિએ ચલાય તે લક્ષ છેજ. પ. પૂ. પ્રભુશ્રીજી કહેતા કે બાળભેળાનું કામ થઈ જશે. જેના હૃદયમાં આડાઅવળા ધર્મને નામે આગ્રહો નથી અને માર્ગ જાણી તે આરાધવાની જ જેને પરમ જિજ્ઞાસા છે તેને આ દુષમકાળમાં પણ પરમકૃપાળુદેવે “ભા અત્ર અગ” કહી મોક્ષમાર્ગ ખુલ્લે કર્યો છે. ચોગાનમાં તરવાર પડી છે, મારે એના બાપની. જે જેટલે પુરુષાર્થ કરશે તેનું તેને જરૂર ફળ મળશે. સાચો અગ્નિ છે તે કામ કર્યા વિના ન રહે. પ. પૂ. પ્રભુશ્રીજીને બંધ આ પર્યુષણમાં વંચાતું હતું તેમાં વારંવાર આવતું – “તારી વારે વાર, થઈ જા તૈયાર, સપુરુષાર્થ છો ત્યાં લગી કરતા રહેજે', “પરમ ટુ ’ આ ભાવેને આરાધવાની ધગશ જોઈએ. એ શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #585 -------------------------------------------------------------------------- ________________ બાધામૃત અગાસ, તા. ૨૪-૯-૪૫ તત્ સત્ ભાદરવા વદ ૩, સેમ, ૨૦૦૧ "कवीरा यह मन लालची, समझे नहीं गमार। भजन करनको आलसु, खानेको हुशियार ॥" આપને પત્ર મળ્યો. “દીઠા નહીં નિજ દેણ તે, તરિકે કોણ ઉપાય ?' જિજ્ઞાસુ, વિચારવાન છવ પિતાના દોષો દેખાતાં, તેને છેદવાને ઉપાય વિના વિલંબે કરે છે. જેટલી મુમુક્ષતામાં ખામી છે તેટલી તેના ઉપાયમાં મંદતા રહે છે. આત્મહિતનાં સર્વ સાધનમાં મુખ્ય સાધન સત્સંગ છે એ નિશ્ચય મુમુક્ષુ જીવે અવશ્ય કર્તવ્ય છે એમ પરમકૃપાળુદેવ જણાવે છે. પૂર્વ કર્મના ઉદયે તથા જીવના શિથિલપણાને લીધે તેને લાભ લેવાતું નથી, તેમાં પણ શિથિલપણાને દેષ તે જરૂર જરૂર ટાળવે ઘટે છે. કર્મ ઉદય આવશે એમ મનમાં રહે તે કર્મ ઉદયમાં આવે! બાકી પુરુષાર્થ કરે તે તે કર્મ ટળી જાય. ઉપકાર થાય તે જ લક્ષ રાખ” (ઉપદેશછાયા) » શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૬૨૫ અગાસ, તા. ૨૮-૯-૪૫ તત્ સત્ ભાદરવા વદ ૮, ૨૦૦૧ તનધર સુખ તે કઈ ન દીઠા, જે દીઠા તે દુખિયા રે, સદ્દગુરુ-શરણ ઉપાસે સુખિયા, મોક્ષમાર્ગમાં મુખિયા રે. શ્રીમદ્ સદ્દગુરુ દેવને સંભારત આભાર; હૃદયાનંદ ઉલ્લભાય છે કરી ઉપકારવિચાર. પરમકૃપાળુદેવની તથા તેમનાં વચનેની ઉપાસનારૂપ યજ્ઞ ચાલુ છે. દુર્લભ એ મનુષ્યદેહ પણ પૂર્વે અનંત વાર પ્રાપ્ત થયા છતાં કંઈ પણ સફળ૫ણું થયું નહીં” (૬૯૨) એ પત્ર વારંવાર વાંચવા-વિચારવા તથા મુખપાઠ કરી જ મનનપૂર્વક લક્ષમાં લેવા વિનંતી છે. એક મુમુક્ષુને પ્લેગની ગાંઠ નીકળી હતી. તેની ઉમ્મર નાની હતી. તેને એક સ્ત્રી અને બાળક હતાં, તેમાં તેની વૃત્તિ મેહને લઈને બંધાયેલી, તે જોઈને તેમના સગા એક મુખ્ય મુમુક્ષુ પૂ. શ્રી અંબાલાલ ખંભાતવાળાએ પરમકૃપાળુદેવને તેના સમાધિમરણ અર્થે આ વિધ દૂર કરવા અને આખર સુધી સદ્ભાવ તથા શરણ ટકી રહેવા યોગ્ય બેધની માગણીપૂર્વક વિનંતી કરી હતી. તેના ઉત્તરમાં એ પત્ર પરમકૃપાળુદેવની પરમકૃપારૂપ છે તે સર્વ જીવને સમાધિમરણની તૈયારી કરવા પ્રેરે તેવો અને મરણ સુધી પુરુષને આશ્રય ટકાવી રાખવાનું બળ પ્રેરે તેવે છે. સમાધિમરણની ભાવના દરેક મુમુક્ષુ જીવે દરરોજ કર્તવ્ય છે અને ક્ષણે ક્ષણે વૃત્તિઓ પ્રત્યે ઉપગ રાખી સદ્ગુરુ આજ્ઞામાં આ અમૂલ્ય મનુષ્યભવ જાય તેવી ભાવનાની સતત જાગૃતિ રાખ્યા કરવી ઘટે છે. અનેક ભવમાં કુમરણ કરતે આવેલ આ જીવ પરમકૃપાળુદેવને શરણે આટલો ભવ જે સમાધિમરણ કરે તે પછીના કેઈ ભવમાં કુમરણ ન થાય એ અલભ્ય લાભ આ ભવમાં પ્રાપ્ત કરી લે છે એવી જેની દૃઢ માન્યતા થાય તેને તેમ થવા ગ્ય છે જ. તે અર્થે જ વાચન, વિચાર, સત્સંગ, ભક્તિ, જપ, તપ, યત્ના Page #586 -------------------------------------------------------------------------- ________________ ૫ત્રસુધા ૫૬૧ આદિ પુરુષાર્થ હાથ ધરવા છે. આ મહાભાગ્યની ભાવના જેની વર્ધમાન થતી જાય તેને સર્વ અનુકૂળતા આવી મળવા ગ્ય છેજી. છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૨૯-૯-૪૫ અહે! આ જીવે અનંતકાળથી કયું દુઃખ ભેગાવવાનું બાકી રાખ્યું છે ? જે સ્વરૂપ સમજ્યા વિના, પાયે દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્દગુરુ ભગવંત.” – શ્રી આત્મસિદ્ધિ અનંત દુઃખમાં અત્યારે ભગવાય છે તેવા અને તેથી પણ ઘણાં આકરાં દુઃખે જીવે અનેક વાર ભેગવ્યાં છે. પરવશપણે દુઃખ ભેગવવામાં બાકી નથી રહી. માત્ર સ્વવશે એટલે આત્માનું હિત થાય તે અર્થે જીવ દુઃખ ખમવા તૈયાર થતું નથી. જેમાં પિતાનું હિત હોય તે જીવને ગમતું નથી અને આધ્યાન કરી, પિતાને અને પરને દુઃખના બીજરૂપ પાપ બંધાય તેવાં કામમાં જીવની રૂચિ છે તે હવે ટળે; અને દુઃખ જેને જ્ઞાની પુરુષે કહે છે તે સુખ પિતાને સમજાતું હોય તો પણ જ્ઞાનીના ઉપર અનન્ય શ્રદ્ધા રાખી તે તજવું જ છે એવી ભાવના જીવને નિરંતર કર્તવ્ય છેજ. વાલ આદિ અપથ્ય દરદીને પ્રિય હોય તે પણ વે ના કહી હોય તે તેને તજે છે, પીરસેલા પણ ચાખતું નથી, તેમ પૂર્વના પ્રારબ્ધ પ્રાપ્ત થયેલ રાગદ્વેષનાં કારણે ઝેર જેવાં જાણી તે તજવા યોગ્ય છેજી; ન તજી શકાય તે પણ તે પ્રત્યે વૈરાગ્યભાવ લાવી પહેલી તકે તે તજવા છે એ નિર્ણય હૃદયમાં દઢ કર્યાથી જીવને છૂટવાનું બને, બહુ જ હળવાં કર્મ બંધાય અને વીર્ય વિશેષ કુરે તે સમક્તિ પ્રાપ્ત થવા જોગ વિચારણા જાગે. સંસારના કોઈ પદાર્થ જીવને પ્રિય કરવા યોગ્ય નથી; અસંગપણું જ વારંવાર સ્મૃતિમાં આણું આ કર્મના ઘેરાવા પ્રત્યે ઉપેક્ષાભાવ, સાવ પરના જાણી દુર્લક્ષરૂપ ભાવ કરવા ગ્ય છે. વેઠ કરવી પડતી હોય તેવી પ્રવૃત્તિ ઈરછારહિત કર્તવ્ય છેજી. ૩% શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૬૨૭ અગાસ, તા. ૪-૧૦-૪૫ જન જાણીએ, મન માનીએ, નવ કાળ મૂકે કઈને.” પરમકૃપાળુદેવે લખ્યું છે કે આ લેક ત્રિવિધ તાપથી બળતે છે, ત્યાં સુખની આશા શી રાખવી? સંસારનું સ્વરૂપ અન્યથા માન્યું હોય તેને આ પ્રસંગે અતુલ ખેદ પ્રાપ્ત થાય; પણ પરમકૃપાળુદેવના આશ્રિત મુમુક્ષુ કહેવાય છે, સર્વ પ્રકારે મુક્ત થવાની જેની ભાવના છે, તેને તે જે થાય તે ભલું માનવામાં આવે એવી એ પરમપુરુષની શિખામણું શિરસાવંઘ સમજાઈ છે તેની કસોટીને આ પ્રસંગ છે એમ સમજી બીજા બધા સાંસારિક વિકલ્પો મૂકી પરમકૃપાળુદેવના ચરણમાં વૃત્તિ વારંવાર વાળી સ્થિર કરવી ઘટે છે. સપુરુષ અને પુરુષનાં અમૃત સમાન વચને એ જ આવા પ્રસંગે પરમ શરણરૂપ છે. આપે છેવટ સુધી તે ભાઈને સ્મરણની સ્મૃતિ આપવાની ફરજ બજાવી હશે. “જગત જીવ હે કર્માધીના, અચરજ કછુ ન લીના અબધુ સદા મગન મન રહેના.” 36 Page #587 -------------------------------------------------------------------------- ________________ માલામૃત - ઉપદેશછાયામાં પરમકૃપાળુદેવે જણાવ્યું છે “બાપ પોતે પચાસ વર્ષના હાય અને તેના છોકરા વીશ વર્ષોંના મરી જાય તે તે (ખાપ) તેની પાસેના જે દાગીના હાય તે કાઢી લે છે. પુત્રના દેહાંતક્ષણે વૈરાગ્ય હતા તે સ્મશાન-વૈરાગ્ય હતા.” વિચારવાન વૈરાગ્યની વૃદ્ધિ કરી સમાધિમરણુ માટે જાગ્રત થાય છે. એ જ. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૫૬૨ ૬૨૮ અગાસ, તા. ૨૮-૧૦-૪૫ લૌકિક દૃષ્ટિમાં વૈરાગ્ય, ભક્તિ નથી. પુરુષાર્થ કરવાનું અને સત્ય રીતે વર્તવાનું ધ્યાનમાં જ આવતું નથી, તે તા લોકો ભૂલી જ ગયા છે.'' ઉપદેશછાયા તીર્થ શિામણિ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસ સ્ટેશનથી લિ. સત્પુરુષના ચરણકમળની સેવાના ઇચ્છક દાસાનુદાસ બાળ ગેાવન બ્રહ્મચારીના જયસદ્ગુરુ વ'દન સ્વીકારવા તથા ગયા કાળથી આ વર્ષ અંતપર્યંત આપ કોઈ ને હું કષાયાદિ દોષનું નિમિત્ત બન્યા હાઉ કે કોઈ જ્ઞાનીની ષ્ટિએ અવિનયાદિ અપરાધમાં આવ્યા હાઉ તેવા સર્વ દોષાની ઉત્તમ ક્ષમા આપવા આપને તથા આપના સમાગમી જીવેા પ્રત્યે નમ્ર વિન’તી છેજી. જગતના ભાવેા સર્વ ભૂલવા યેાગ્ય છેજી. દુષમકાળમાં ધર્મ કાર્ય વિશ્નો વિના સિદ્ધ થાય તેવે સ‘ભવ નથી. વિકટ પુરુષાર્થ વિના વિકટ વિન્નો એળ’ગી શકાય નહીં, મનુષ્યભવમાં જીવ ધારે તે કરી શકે એવા ચૈાગ છે. ભાવની વૃદ્ધિ કરતા રહેવા વિનંતી છેજી. “યાવૃી માવના ચર્ચ સિદ્ધિર્મ તિ તાદૃશી” જેવી જેની ભાવના છે તેને તેવી સિદ્ધિ પ્રાપ્ત થાય છે, તે સદ્ગુરુ શરણે ઉત્તમાત્તમ ભાવના કેમ ન રાખવી ? “આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે.' આવું મ`ત્રસ્વરૂપ વાકય પરમકૃપાળુ શ્રીમદે તેમના ત્યાગી શિષ્ય શ્રીમદ્દ લઘુરાજ સ્વામીને સ્વહસ્તે લખી આપેલું. તેના આરાધનથી તેમણે સમ્યક્દશા આદિની વૃદ્ધિ કરી કલ્યાણ સાધ્યું છે”. અન’ત કાળથી આથડ્યો, વિના ભાન ભગવાન; સેવ્યા નહિ ગુરુ સંતને, મૂક્યું નહિ અભિમાન. સ'તચરણ આશ્રય વિના, સાધન કર્યાં. અનેક; પાર ન તેથી પામિયા, ઊગ્યા ન અશ વિવેક.’’ જો સદ્ગુરુની આજ્ઞા આ જીવે કઈ ભવમાં ઉઠાવી હેાત તે આ જન્મ ન હેાત, મેક્ષે ગયા હોત. આ વાત બહુ ઊંડા ઊતરીને વારવાર વિચારવા જેવી છે અને બીજાં બધાં સાધના કરતાં જ્ઞાનીપુરુષની આજ્ઞાનું આરાધન એ જ મેાક્ષના ઉપાય છે એ હૃદયમાં દૃઢ કરી લેવા ચેાગ્ય છેજી. પરમ કૃપા કરીને પરમકૃપાળુદેવે જણાવ્યું છે — “બીજું કાંઈ શેાધ મા; માત્ર એક સત્પુરુષને શેાધીને તેના ચરણકમળમાં સવભાવ અપણુ કરી દઈ વર્ત્યાઁ જા. પછી જો માક્ષ ન મળે તે મારી પાસેથી લેજે.” (૭૬) કેવી સુંદર રહસ્યપૂર્ણ વાત છે! ૬૨૯ અગાસ, અ સા વિદ ૧૪, ૨૦૦૧ આપના પત્ર મળ્યા હતા. આપે ક'ઈ હાર સંબંધી પુછાવેલું. આપને ભક્તિભાવમાં વૃદ્ધિ થાય તેમ લાગતું હોય તેા જે રકમ કે હાર મેકલવા હોય તે આશ્રમના કારભારીના નામે Page #588 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૫૬૩ મોકલશે. તમારી ઈચ્છા હોય તે શ્રી વવાણિયા પરમકૃપાળુદેવના જન્મસ્થાન ઉપર “જન્મભુવન” નામે મોટું ભવ્ય મંદિર બંધાવ્યું છે ત્યાંથી પરમકૃપાળુદેવનાં પુત્રીએ પ. ઉ. ૫.પૂ. પ્રભુશ્રીજીના મોટી સાઈઝના ચિત્રપટની માગણી કરી છે તે અર્થે, જો તમે એકલા ધારે છે તે રકમ મેકલે તે સારો એલાર્જડ ફેટ ત્યાં મોકલી શકાય. તે હાર કરતાં વિશેષ લાભદાયક સમજાય છે. પછી જેવી આપની ભાવના. બીજું ત્યાં મુમુક્ષુઓ બહારથી આવે તેને માટે એક ધર્મશાળા પણ બાંધનાર છે. તેમાં કંઈ રકમ મેકલવા વિચાર હોય તે મોકલવા ગ્ય છે. આ તે એક લેભ છેડવા અર્થે બાહ્ય વસ્તુને ત્યાગ કરવા મહાપુરુષોએ કહ્યું છે તે વિષે વાત થઈ. પરંતુ પરમકૃપાળુદેવે જે કરવાનું કહ્યું છે “રાગદ્વેષથી રહિત થવું એ જ મારો ધર્મ છે” (૩૭) તેમાં વિશેષ લક્ષ રાખી, આપણું વર્તન તેના માર્ગને વગોવે તેવું તે ન જ હોય. અન્યાયમાર્ગ તજ શરીર, ધન, કુટુંબ કે કીર્તિ આદિને મેહ મંદ કરી તેની આજ્ઞાને અનુસરી વર્તીશું તે જરૂર આત્માનું કલ્યાણ કરશે, તેને આશીર્વાદને પાત્ર થઈશું. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૬૩૦ અગાસ, તા. ૪-૧૧-૪૫ તત્ સત્ આસે, વદ ૦)), રવિ, ૨૦૦૧ કવાલી – હરે જે મુજ ચિવૃત્તિ, કરાવી વિશ્વ-વિસ્મૃતિ, હરિ તેથી ખરા મારા, શ્રીમદ્ ગુરુ રાજજી પ્યારા. અનંતા ભવ તણાં પાપ, કૃપાળું આપ મુજ કાપે, ભુલાવી સર્વ વિક૯પ, ચરણમાં ચિત્ત સ્થિર સ્થાપે. પરમકૃપાળુદેવના પુસ્તકમાંથી અવકાશે રેજ નિયમિત વાંચવાને કમ રાખ્યું હશે. બહુ ન વંચાય તે ફિકર નહીં, પણ જે વંચાય તેને વિચાર રાત-દિવસ રહ્યા કરે તેવી ટેવ પાડવા વિનંતી છેજી. સત્સંગે કેમ વાંચવું, વિચારવું તે સંબંધી માહિતી મળશે માટે તે સત્સંગની ભાવના વર્ધમાન કર્તવ્ય છે. ધર્મનું મૂળ સશ્રદ્ધા છે, તે કેવી હોવી જોઈએ તેનું ટૂંકું સ્વરૂપ પ. પૂ. પ્રભુશ્રીજીના સં. ૧૯૦ના દિવાળીના વ્યાખ્યાનના સારરૂપ નીચે લખ્યું છે – અમે અમારું હૃદય જણાવીએ છીએ........સત્યને વળગ્યા છે તેથી તેમનું કલ્યાણ થવાનું છે.” (જુએ ઉપદેશામૃત પૃષ્ઠ ૩૫૮) ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૬૩૧ અગાસ, તા. ૭-૧૧-૪૫ કાર્તિક સુદ ૨, બુધ, ૨૦૦૨ આપણું ધાર્યું કાંઈ બનતું નથી તેમ છતાં ઉત્તમ ભાવના રાખ્યા કરવી યોગ્ય છે.જી. અત્યારે જે બની રહ્યું છે તે આપણી પૂર્વની ભાવનાનું ફળ છે. તે શુભાશુભ ભાવનાં બીજ પરિપક્વ બની ફળ આપી રહ્યાં છે તે તે ભગવ્યા વિના છૂટકે નથી. આમંત્રણ જેને આપ્યું હોય તેને સત્કારપૂર્વક જમાડી વિદાય કરવા યોગ્ય છે. પણ હવે આ દુર્લભ મનુષ્યભવમાં સદ્દગુરુને જે જીવોને વેગ થયે છે, પ્રભુભક્તિ જેના હૃદયમાં પ્રગટી છે તેવા એ પૂર્વ કર્મ ભેગવતાં Page #589 -------------------------------------------------------------------------- ________________ બેધામૃત કાયર નહીં બનતાં શૂરવીર બની જે શુભાશુભ કર્મ ફળ આવે તે ધીરજ, સમતા ધરી પ્રભુપ્રસાદી ગણું પ્રસન્નતાપૂર્વક સહન કરી લેવાં. પણ તેમાં આસક્તિ કે અણગમે ન થાય તેટલી સમજણ ટકાવી રાખવી ઘટે છે. બહુ આકરાં કર્મ આવ્યાં છે, હું હેરાન થાઉં છું, દુઃખી છું, કયારે આથી છૂટીશ? એવા ભાવને આર્તધ્યાન કહે છે. તેથી પાછાં તેવાં જ કર્મ બંધાવાને સંભવ છે. તે વખતે આયુષ્ય બંધાય તે ઢોર-પશુ-પંખીનું બંધાય. માટે જવા માટે જ કર્મ આવ્યાં છે ગણી આપણે બેજે હલકે થાય છે તેમ માની આવેલાં કર્મ પ્રભુસ્મરણપૂર્વક શૂરવીરપણે ભેગવી લેવાં. ભગવાઈ ગયેલાં પાછાં આવનાર નથી. આથી બમણું કર્મ ઉદયમાં આવે તે પણ હિંમત હારવી નથી. તે બધાં નાશવંત છે. આજ સુધીમાં કેટલાંય આવ્યાં ને ગયાં. તેથી ગભરાવા જેવું નથી. આત્મા અજર અમર અવિનાશી શાશ્વત છે. તેને વાંકે વાળ થનાર નથી. સદ્દગુરુકૃપાથી જે મંત્ર મળે છે, તેમાં વૃત્તિ રાખી ખમી ખૂંદવાને અભ્યાસ પાડી દેવાથી સમાધિમરણની તૈયારી થાય છે. સમાધિમરણત્રતા દિવાળી પર્વ ઉપર અહીં ગુરુકૃપાથી સારી રીતે ઊજવાયું હતુંજી. જ્ઞાન પંચમીને દિવસે શ્રી આત્મસિદ્ધિ આદિમાં દર્શાવેલ છ પદ “આત્મા છે, તે નિત્ય છે, છે કર્તા નિજ કર્મ છે ભક્તા વળી મિક્ષ છે, મોક્ષ ઉપાય સુધર્મ–” વારંવાર વિચારી માન્ય થાય, પરિણામ પામે તેમ ઊંડા ઊતરવું યેગ્ય છે. પછી કાર્તિક પૂર્ણિમા ઉપર પરમકૃપાળુદેવને જન્મમહોત્સવદિન આવે છે. તે તે પર્વો ઉપર ભક્તિભાવ વધે તેવા ભાવ રાખવા હિતકારી છે. આપણું પામરપણું અને પ્રભુનું અચિંત્ય માહાભ્ય હૃદયમાં સદાદિત જાગ્રત રાખી તે તરણતારણ પ્રભુનો આશ્રય મરણની છેલ્લી પળ સુધી રાખી તેને આશ્રયે દેહ છોડનાર સ્વરૂપસ્થિતિ પામે છે, તે ભૂલવા ગ્ય નથીજ. એ જ વિનંતી. ૩% શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૬૩૨ અગાસ, તા. ૨૫-૧૧-૪૫ જે શ્રદ્ધાએ જગ તજી, ગયે સદ્દગુરુ-દ્વાર; તે શ્રદ્ધાએ પાળીએ, ગુણ ગુરુ-આધાર. ભાવાર્થ – સંસારથી વૈરાગ્યવૃત્તિ પ્રાપ્ત થતાં જે ભાવના તથા શ્રદ્ધાએ કરીને સર્વસંગ ત્યાગ કરી જીવ સદ્ગુરુશરણે ગયા છે, તે જ ભાવ-શ્રદ્ધા સહિત સદ્ગુરુની આજ્ઞાના આધારે મૂળ ગુણ ઉત્તર ગુણ (રાગદ્વેષના ત્યાગરૂપ અને તેનાં સાધનરૂપ સદ્દવિચાર સદ્વર્તન) પાળવા શ્રી આચાર્ય શિખામણ દે છે. “વચનામૃત વીતરાગનાં, પરમશાંત રસમૂળ; ઔષધ જે ભવરેગનાં, કાયરને પ્રતિકૂળ.” – શ્રીમદ્ રાજચંદ્ર ભાવાર્થ – નિઃસ્પૃહી પુરુષે પરમાર્થ પામીને કેઈન પરમાર્થ અર્થે અને પિતાના પ્રારબ્ધકર્મની નિર્જરા અર્થે જે કંઈ વચને અકષાયપણે કહે છે તે સાંભળનાર ભવ્ય જિજ્ઞાસુને પરમશાંતરસનું પાન કરવામાં સર્વોત્તમ નિમિત્ત છેજ. ત્રિવિધ તાપથી બળતા આ લેકમાં બચવાને ઉપાય તે પરમપુરુષનાં શાંતિ પ્રેરક વચને જ છે, તેથી જીવ અકષાયભાવ ઓળખીને આરાધે છે અને અનંત દુઃખરૂપ જલથી ભરેલા સંસારને તરી જાય છે. “આત્મબ્રાંતિ સમ Page #590 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૫૬૫ રોગ નહીં, સદ્ગુરુ વૈદ્ય સુજાણ; ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન.” આવો અપૂર્વ લાભ પરમ પુરુષની કૃપાદષ્ટિથી પ્રાપ્ત થાય છે. પરંતુ જેની વિપરીત દષ્ટિ છે, જે હીન પુરુષાર્થી છે, જ્ઞાનીનું કહેલું આરાધવા તત્પર નથી, ઇંદ્રિયે તથા કષાયના જે ગુલામ છે તેમને ત્યાગ, વૈરાગ્ય અને આજ્ઞા ઉપાસવાની પ્રેરણારૂપ વચને પિતાની સંસારભાવનાથી પ્રતિકૂળ હોવાથી ગમતાં નથી; તેને વિરોધ કે ઉપેક્ષા કરે છે. તેથી તેવા જીવોને મદદરૂપ તે વચને થતાં નથી. ઊલટા ત્યાંથી દૂર ભાગી સંસારમાં વિશેષ ઊંડા ઊતરે છે એ દયા ઊપજાવે તેવું છે. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૬૩૩ અગાસ , જો કોઈ વાત વારંવાર ચિત્તમાં આવી તેને નિર્ણય થવાને બદલે મૂંઝવણ થતી હોય તે ફરી પૂછવામાં હરકત નથીજી. અમુક બાબતે તે જીવને યોગ્યતાએ જ સમજાય છે; છતાં સામાન્ય અર્થાદિ તે વારંવાર પરમકૃપાળુદેવનું વચનામૃત વાંચનારને આપોઆપ સમજાવા યોગ્ય છે. તેમ છતાં કેટલાક કર્મગ્રંથ આદિ શાસ્ત્રના શબ્દો વારંવાર ફરી વપરાતા નથી, તેથી ન પણ સમજાય તે ફરી પૂછશે તે તેમાં કંઈ હરકત નથી. “સશબ્દ સંબંધી તમારે ગયા પત્રમાં પ્રશ્ન હતે. કષાયને રસ મંદ પડે એ આદિ સંબંધી પૂછ્યું હતું. જેમ બકરીનું દૂધ, ગાયનું, ભેંસનું આદિ દૂધ કહેવાય પણ રસમાં (ગળપણમાં) ઓછાવતી હોય છે, તેમ કષાય ક્રોધાદિ કહેવાય છે તેમાં પણ ઉદય વખતે એકસરખ રસ-અનુભવ હેતે નથી, પણ મંદ (ઓછો), તીવ્ર (વિશેષ) હોય છે. અનંતાનુબંધી આદિમાંની એક જ જાતિના ક્રોધ આદિમાં મંદ, તીવ્રતારૂપ ભેદ હોય છે, તે રસભેદ કહેવાય છે. એક જ જાતનાં કેરી આદિ ફળમાં જેમ રસ-ફેર જણાય છે તેમ કર્મના ઉદય વખતે જે જીવને સુખદુઃખ કે સંક્લેશ ભાવ થાય છે તે કર્મના ઉદયને રસ કહેવાય છે, તેને અનુભાગ, અનુભાવ, રસ, વેદના, વેદન પણ કહે છે. બીજો પ્રશ્ન કંઈ વિશુદ્ધિ સ્થાનક સંબંધી હ. જીવને કલ્યાણ કરવાની ભાવના થાય ત્યારથી ઈચ્છાયોગની શરૂઆત ગણાય છે, અને જેમ જેમ દોશેકષાયાદિ દૂર થતા જાય તેમ તેમ જીવમાં જે નિર્મળતા પ્રાપ્ત થાય છે તેને સંયમની પ્રાપ્તિ અને સંયમની નિર્મળતા અતિચાર આદિ ટાળતાં થાય છે તેને સંયમની વિશુદ્ધિ કહે છે. એ વિશુદ્ધિને ક્રમ બતાવતાં જ્ઞાની પુરુષોએ જેમ ગુણસ્થાનકના કમની રચના ૧૪ વિભાગરૂપે કરી છે તેમ સંયમના ભેદ અસંખ્યાત થાય છે. તે બધાં સંયમવિશુદ્ધિ સ્થાનકે કહેવાય છે. ૬૭૪ અગાસ, માગસર સુદ ૧૫ ધીરજ, શાંતિ, સમતા, સમભાવ, સમાધિમરણ આદિ શબ્દો પ. પૂ. પ્રભુશ્રીજી પહેલાં તત્વજ્ઞાનમાં લાલ રંગની પેન્સિલથી લખી આપતા, તે તમારા તત્ત્વજ્ઞાનમાં પણ હશે; તે એકાંતમાં વિચારી જાગ્રત રહેવાની જરૂર છેજ. જગત તે નિમિત્તોથી ભરેલું છે, તેમાં તણાઈ ન જવા માટે આપણને સ્મરણ આપ્યું છે તેની ટેવ પાડી મૂકવાની જરૂર છે. બંગડીઓ Page #591 -------------------------------------------------------------------------- ________________ બેધામૃત વેચનાર ગધેડીને “માજી, બેન, ડોશીમા” વગેરે શબ્દોથી અભ્યાસ પાડવા વિષે પૂ. પ્રભુશ્રીજી વાત કહેતા તે સાંભળી હશે. હવે તે બધે બેધ અમલમાં મૂકવા ત્વરાથી પુરુષાર્થ કર્તવ્ય છેજ. # શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૬૩૫ આસ્તા , તા. ૧૧–૧–૪૬ આપે જે આશંકા જણાવેલી છે કે દિગંબર ગ્રંથોમાં એમ જણાવે છે કે તીર્થકરે જે સમયે દીક્ષા ગ્રહણ કરે તે જ સમયે શ્રી કેવળજ્ઞાન પામે, તે શ્રી ત્રાષભદેવ અને શ્રી મહાવીર સ્વામીને ઘણાં વર્ષ પુરુષાર્થ કર્યો કેવળજ્ઞાન થયું છે તેનું કેમ? તેના ઉત્તરમાં જણાવવાનું કે મેં જે દિગંબર મહાપુરાણ વાંચ્યું છે તેમાં કઈ તીર્થંકરને દીક્ષા વખતે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હોય તેવું વાંચ્યું નથી. શ્વેતાંબર ગ્રંથમાં તે નથી જ. કેઈ આચાર્યને અભિપ્રાય કે અભિપ્રાય વિશેષનું લખાણ આપના જોવામાં આવ્યું હશે, તેથી એવી આશંકા સંભવે છે. આપે શામાં વાંચ્યું છે તે જે જણાવવામાં હરક્ત ન હોય તે જાણવા જિજ્ઞાસા છે. બે ઘડીને સમય બતાવ્યું છે એમ આપ દર્શાવે છે, તે કેઈ અપેક્ષાએ ઘટે છે, કારણ કે જ્યારે કેવળજ્ઞાન થાય છે ત્યારે ક્ષપકશ્રેણી માંડ બે ઘડીમાં કેવળજ્ઞાન થાય છે; પણ દીક્ષા લીધી કે તુર્ત કેવળજ્ઞાન થાય જ, એ નિયમ ઘટતું નથી. જે કંઈ સમજફેર હોય અને મન:પર્યયજ્ઞાનની વાત હોય તે તે બનવા યોગ્ય છે, કારણ કે સંયમ ધારણ કરે છે ત્યારથી શ્રી તીર્થકરને એટલી આત્મનિર્મળતા વર્તે છે કે મન:પર્યયજ્ઞાન ઉત્પન્ન થાય છે એટલે ચાર જ્ઞાનના ધર્તા તે બને છે. પણ કેવળજ્ઞાન તે શુધ્યાન દ્વારા ક્ષપકશ્રેણી પૂર્ણ કર્યું પ્રગટે છે એવો લગભગ બધા આચાર્યોને અભિપ્રાય જાણવામાં છેજ. શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૩-૨-૪૬ ભૂતકાળ અને આખા જગતનું વિસ્મરણ કર્યા વિના છૂટકે નથી. જે કરવા યોગ્ય છે તેનું વિસ્મરણ ક્ષણવાર પણ ન થાય, અને જે થાય છે તેનું કારણ વિચારી દૂર થાય તેમ કરવા યોગ્ય છે. હવે તે અંતવૃત્તિ તરફ લક્ષ રાખી કલેશનાં કારણ નિર્મૂળ કરવા ઘટે છે. અણુસમજણ, અસહિષ્ણુતા, પરના તરફ દષ્ટિ અને શાતાની ઈચ્છા એ જીવને મુખ્ય કલેશનાં કારણ પ્રથમ વિચારવા યોગ્ય છે. “વિરહ પણ સુખદાયક માન. અતિશય વિરહાગ્નિ હરિ પ્રત્યેની જલવાથી સાક્ષાત તેની પ્રાપ્તિ હોય છે. તેમ જ સંતના વિરહાનુભવનું ફળ પણ તે જ છે.” (૨૪) વિચારવા અર્થે આ પરમકૃપાળુદેવનાં વચને લખ્યાં છે તે વાંચી પરમકૃપાળદેવ પ્રત્યે વિશેષ પ્રીતિ-ભક્તિ વધે તેમ કર્તવ્ય છેજ. છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૬૩૭ અગાસ, તા. ૮-૨-૪૬ તત્વ છે ત્ મહા સુદ ૭, ૨૦૦૨ દેહાદિ સંબંધી જે પુરુષે હર્ષ વિષાદ કરતા નથી, તે પુરુષ પૂર્ણ દ્વાદશાંગને સંક્ષેપમાં સમજ્યા છે એમ સમજે. એ જ દષ્ટિ કર્તવ્ય છે.” (૮૩૩) Page #592 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૫૬૭ વિ. લખવા, વાંચવાને અભ્યાસ વધારશે તે ઝટ લખતાં અને ઝટ વાંચતાં સારું આવડશેજી, માટી ઉમ્મરે થાક અને કટાળે તેમાં વિશ્ર્વ કરે છે, પણ પુરુષાર્થ સર્વાંના ઉપાય છે. સત્ય'ગની ભાવના રહે છે તે હિતકારી છે. વૈરાગ્ય-ઉપશમ વધે અને નિવૃત્તિને વખત પરમકૃપાળુદેવનાં વચને વાંચવા-વિચારવામાં જાય તથા મુખપાઠ કરી તેમાં વૃત્તિ રમ્યા કરે એમ કરવાથી નિરા થાય છેજી. પરમકૃપાળુદેવના ઉપકાર વાર'વાર યાદ કરી, તેની કરુણાથી જ આ દુષમકાળમાં સાચેા માર્ગ હાથ લાગ્યા છે તથા મનુષ્યભવ સફળ થવાનું કારણ બન્યું છે એમ વિચારી પરમકૃપાળુદેવ, તેમનાં વચના અને તેના આશ્રિત પ્રત્યે પ્રમાદલાવ આવ્યે જીવને ઉલ્લાસ આવે છે, તેનું શરણુ દૃઢ કરી તેને આશ્રયે આ દેહ છૂટે એવી ભાવના થયા કરે છે. આવા - ધર્મ પ્રત્યે ઉપેક્ષા થાય (ગરજ ન જાગે) તેવા -કાળમાં પરમકૃપાળુદેવની વીતરાગ મુદ્રા, તેમનાં વચનામૃત અને તેના માની જિજ્ઞાસા એ જીવને પરમહિતનું કારણ છેજી. છૂટવાની સાચી જિજ્ઞાસા દિવસે દિવસે વધતી જાય તેવા વૈરાગ્ય-ઉપશમ ભાવમાં દિવસે ગળાય તેમ પ્રવતવા ભલામણુ છેજી. અન`તકાળથી આ જીવ પરભાવ અને પરવૃત્તિમાં દુઃખી દુઃખી થઈ રહ્યો છે, તેના ઉપર દયા લાવી પરમશાંતિપદની ભાવના, આતમભાવના ભાવવાથી આત્માને શાંતિ પ્રાપ્ત થશેજી. પરમકૃપાળુદેવને જેટલી મુશ્કેલી માર્ગ પ્રગટ કરવામાં વેઠવી પડી છે, તેટલી આપણને વેઠવી પડે તેમ નથી. માત્ર તેમનું કહેલું માન્ય કરી, સમજીને શમાઈ જવાનું કામ છેજી. જે થાય તે સહન કરવું, પણ આત્માને નકામા વિકલ્પો કરી ક્લેશિત કરવા ચેાગ્ય નથીજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ - ૬૩૮ مر અગાસ, તા. ૮-૨-૪૬ મહા સુદ ૭, ૨૦૦૨ દાહરા — આત્મા શુદ્ધ જ જાણિયા, અશુચિ શૌરથોં ભિન્ન; તા શાસ્ત્રો સૌ જાણિયાં, શાશ્વત સુખે લીન. આપે પ્રશ્ન પૂછેલ છે કે ઉદાસીનતા અને વીતરાગતા એક જ છે કે ફેર છે? તેના ઉત્તરમાં જણાવવાનું કે તે શબ્દ વાપરનારના અભિપ્રાય ઉપર મુખ્ય આધાર છે. જ્યાં જે અર્થાંમાં વપરાયે હોય ત્યાં તે અર્થાંમાં સમજવા ઘટે છે. સરખી દિશાના બન્ને શબ્દો છે, છતાં શબ્દ જુદા હાવાથી અર્થ પણ જુદા થાય છે. અધ્યાત્મની જનની અકેલી ઉદાસીનતા” સુખકી સહેલી અકેલી ઉદાસીનતા.” આમ બન્ને વાકયોમાં કંઈક અફેર સમજાય છે. ઉદાસીનતાને, આત્મભાવ પ્રગટવાનું કારણ પ્રથમ વાકયમાં કહ્યું છે, જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે.’’ એટલે સમ્યક્દનમાં પણ વૈરાગ્યની પેઠે ઉદાસીનતા (સમતા) હોય છે. મિથ્યા સમતાને નામે તેને કોઈ અપેક્ષાએ સમ્યક્દન થવામાં વિજ્ઞભૂત પણ કહી છે. યથાર્થ ઉદાસીનતા (સમતા) સમ્યક્દન થયે ગણવા યેાગ્ય છે, અને સમ્યક્દનનું સ્વરૂપ પણ વીતરાગતા છે. વીતરાગતા એટલે રાગ દૂર થયેલી દશા; કાં તે અન`તાનુબંધી સંખ'ધી રાગ કે સ`પૂર્ણ રાગ દૂર થયે પ્રગટેલી દશા વીતરાગતા કહેવાય છે. વીતરાગતા હેાય ત્યાં રાગ ન હેાય, રાગના કારણેા દૂર કર્યાં હાય. ઉદાસીનતામાં રાગ આદિનાં કારણેા હેાવા છતાં સત્પુરુષના બધે કે પેાતાની પ્રગટ થયેલી દશાએ રાગદ્વેષમાં તણાઈ ન જવાય તેવી દશા સમજવાયેાગ્ય છેજી. પરમકૃપાળુદેવે ઉદાસીનતાના Page #593 -------------------------------------------------------------------------- ________________ ૫૬ આધામૃત અર્થ સમતા સમજાવેલા છે અને સમ્યકૂદનને વીતરાગતા પણ વણુ વેલ છેજી. તે અપેક્ષા સમજાયે હિત છેજી. અસંગ અપ્રતિમ ધ એ શાંતિના માર્ગ છે.'' ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૬૩૯ અગાસ, તા. ૧૧-૨-૪૬ વિ. આપને પત્ર ગઈ કાલે મળ્યા. કૉલેજ કોર્સ માં કઈ આત્મહિત હોય એમ સમજાતું નથી, છતાં અભ્યાસકાળમાં કંઈ નિર્દોષપણું જીવ સાચવી શકે તેા ભવિષ્યની કારકિર્દી અર્થે તે પાયારૂપ છે. પાસ કાર્સ સહેલાઈથી થઈ શકશે એમ લાગે છે” એમ ફિલસૂફી માટે તમે લખા છે, તે પાસ કાર્સ ગુજરાતી સહિત કરવા ધારા તે તેમાં બહુ ગૂ થાવું ન પડે એમ અને કે કેમ ? કારણ ખાર માસ સુધી જે માથાકૂટ કરી હશે તે પરીક્ષા પૂરતી હેાવાથી વ્યર્થ જવા સ`ભવ છે. અને એ વર્ષના કાર્સ એક વર્ષમાં કરવાની ચિંતા માથે ચઢી બેસવા સ`ભવ છે. એકેયમાં આત્મહિત તેા નથી સધાવાનું તે જેમાં શારીરિક, માનસિક ખાજો આછો રહે તેમ પ્રવર્તાવા યેાગ્ય છે. તમારી સાથે ફિલસૂફીના પ્રેફેસર અહીં આવેલા તેણે કૉલેજમાં હતા ત્યારે તેમના પ્રેાફેસર તનસુખરામને પૂછેલું કે આ ભણતરથી ઈશ્વરપ્રાપ્તિ થશે ? તેમણે કહ્યું કે અમે તે પ્રેાફેશનલ પ્રેાફેસર છીએ. હવે તે પ્રેાફેસર થયા છે અને તે જ રીતે ભણાવે છે. જે ભણતરમાં ગ્રંથા ભણવામાં આવે છે તે મુખ્ય તે આત્મજ્ઞાનીના હાતા નથી; નથી તેવા ભણાવનારા. હવે તેવી ખાખતામાં તણાઈ મરવા જેવું નથી. એલામાંથી ચૂલામાં પડવા જેવું છે. સાહિત્યમાં શૃંગારથી કંટાળેલા, તત્ત્વજ્ઞાનના શુષ્કપણાથી કંટાળવા સ'ભવ છે; વખતે તેમાં રસ પડે, તર્ક ની શ્રેણિએ વૃત્તિ ચઢે, તેા માટે જેની પ્રાપ્ત કરવાની દૃઢ મતિ થઈ છે, તેણે પાતે કઈ જ જાણતા નથી એવા દૃઢ નિશ્ચયવાળા પ્રથમ વિચાર કરવા, અને પછી સત્'ની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું; તે જરૂર માર્ગની પ્રાપ્તિ થાય.” (૨૧૧) એવી પરમકૃપાળુદેવની ગૂઢ શિક્ષાને કંઈક પ્રતિકૂળ માર્ગે ચઢે, તે જીવનું ભક્તિમાર્ગમાં દૃઢ ચિત્ત થવું મુશ્કેલ સમજાય છે. બધામાં સસ્કાર એ મુખ્ય છે. આ તે બાહ્ય નિમિત્તોની વાત કરી અને જ્યાં સુધી જીવ નિમિત્તાધીન થઈ જાય છે ત્યાં સુધી નિમિત્તોની ગણતરી કરવી રહી. એક વાત એ પણ છે કે કષાય અને નાકષાય(હાસ્ય, રતિ, અરતિ, ભય, શેાક, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેઢ)માં માટે ફેર છે. સાહિત્યમાં નાકષાયનું ખેંચાણ છે; ફિલસૂર્કીમાં કષાયનું, તેમાં પણુ અનંતાનુબંધી કષાયનું પ્રખળપણું વિચારતાં લાગશે. એકમાં ભક્તિભાવમાં કામ આવે તેવી લાગણીએ જીવ ધારે તે પાષી શકે; એકમાં વિચારશક્તિ – જ્ઞાનમાર્ગીમાં કામ આવે તેવી તૈયારી કરી શકે. જેને પરમકૃપાળુદૅવનું શરણ સમજાયું હોય તેને હવે જ્ઞાનમા ના વિકટ પથ લેવાની જરૂર નથી. કારણ કે તે સર્વ મતાના તત્ત્વાની તુલનાનું અત્યંત વિકટ કાર્ય, તે મહાપુરુષે કર્યું છે, તેના ઉપર વિશ્વાસ રાખી તેની ભક્તિથી પેાતાના દોષો દૂર કરવા તેને પગલે પગલે ચાલવારૂપ ભક્તિમાર્ગ આ કાળમાં સુલભ છે. પરમકૃપાળુદેવ જેવાને જે મુશ્કેલી પડી છે, તે માર્ગે તેવા શક્તિવાળા જીવને પણ હજી તેવી જ મુશ્કેલી વેડ્યે તે માર્ગ પ્રાસ થવા સંભવે છે. પરંતુ આપણા જેવા અશક્ત અને અબુધ જીવાને તેના શરણે ભક્તિ અને Page #594 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૫૬૯ વિશ્વાસને માર્ગ સુલભ લાગે છે. નોકષાય બહુ આત્મઅહિત નથી કરતે. કષાય અત્યંત અહિત કરે છે. મેહ કરે ન ઘટે, થતું હોય તે પુરુષ પ્રત્યે કરે. તે પરમ પુરુષના જીવનની કવિતા સમજવા સાહિત્યનાં ગંદાં ચીથરાં ચૂંથવાં પડે તે થોડો વખત ચૂંથવામાં હરકત લાગતી નથી. ખરી રીતે તે કવિ અને તત્ત્વજ્ઞાનીમાં ભેદ નથી. જ્યાં સત્ય છે ત્યાં એકતા છે. પરંતુ આપણી અપૂર્ણતા વિધરૂપ લાગે છે. સાહિત્યનાં પાત્રોથી ચિત્ત ચંચળ થતું હોય, તે પ્રત્યક્ષ સંસારનાં સ્ત્રીપુરુષોના સંસર્ગમાં કેવું રહેશે તે વિચારી, તે દે દૂર થવા વિશેષ ગૂરણા અને ભક્તિ આદરી ચિત્તશુદ્ધિને માર્ગ લે વિશેષ હિતકર છે. જોકે નિમિત્તો દર કરી પુરુષાર્થ તે દોષ દૂર થાય તેમ કરવાનું યોગ્ય લાગતું હોય તે તે હિતકર છે જેથી વિશેષ જાગ્રત રહેવાનું બને. તે મુશ્કેલ લાગે તે પણ કરવું. કૉલેજ કોર્સ સંબંધી મારે કોઈ પ્રત્યે પક્ષપાત નથી. જે ભક્તિભાવ હદયમાં હશે તે ગમે તેવા કેસથી ડરવાનું નથી. કાયમનું નુકસાન નથી થવાનું. % શાંતિઃ શાંતિઃ શાંતિઃ તા. ક–પવિત્ર હૃદયને શૈલીની પંચાત નથી પડતી. આડંબરની જરૂર નથી. સરળતા જેવી સુંદર શૈલી બીજી કોઈ નથી. પરમકૃપાળુદેવ અને તેમની દિશામાં મહાત્મા ગાંધીજીની ભાષાશૈલી પવિત્રતા, સરળતા, સુગમતા તરફ વહેતી હોય છે. તેમ જે જણાવવું હોય તે સ્પષ્ટ થાય તેવી શૈલી રાખવી. જેમ કષાયની મંદતા તેમ લખાણ પણ સુંદર બનશે. બીજાના તરફ લક્ષ ન આપતાં પિતાના ભાવ સ્પષ્ટ બને તેમ લક્ષ રાખવો ઘટે છેજી. અગાસ, તા. ૧૩-૨-૪૬ તત સત્ મહા સુદ ૧૨, બુધ, ૨૦૦૨ તમારા પત્રો મળ્યા હતા. છેલ્લા પત્રમાં પૂ...ની તબિયત સારી થયાના સમાચાર તથા તમે ભક્તિભાવ સહિત ૩૬ માળાનું આરાધન નિત્ય કરે છે તે જાણી સંતોષ થયે છે. ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ જે મુખપાઠ કરવા આજ્ઞા આપેલ હોય તેમાંથી વિસર્જન થયું હોય તે ફરી યાદ કરવા તથા વિશેષ વિચાર સહિત ભક્તિ કરવા જે જીવવાનું મળ્યું છે તે ચૂકવા યોગ્ય નથીજી. પ. પૂ. પ્રભુશ્રીજીના યોગે ગયેલા કાળની સ્મૃતિ કરી, તે વખતના વીર્યને ફરી પ્રગટાવી એકાંત આત્મહિતમાં જ બચતે વખત ગાળવે છે એટલે હાલ નિશ્ચય થાય અને તે પ્રમાણે છ માસ પણ સતત વર્તાય છે તેવા અભ્યાસની મધુરતા આપોઆપ આગળ વધારશે. જે કંઈ ધર્મધ્યાનમાં કાળ જાય તેમાં બાહ્ય ગણતરી કરતાં સુવિચારણું પ્રગટે, કષાયની મંદતા વધે અને નિર્મળ વિચારધારાની ભાવના વિકાસ પામે એ લક્ષ રાખવા ભલામણ જી. થોડું પણ આત્મસ્પર્શી સાધન વિશેષ લાભદાયક છે. કષ્ટ તે કલ્યાણકારી છે એમ મહાપુરુષને મત છે, તે સર્વ મુમુક્ષુઓએ માન્ય કરવા યોગ્ય છેજી. પાંડેનાં માતુશ્રી કુતામાએ, શ્રીકૃષ્ણ પ્રસન્ન થયા અને કંઈ માગવા કહ્યું ત્યારે ફરી ફરી ઉથલાવીને પૂછ્યું કે તમે આપશે, જરૂર આપશે? એમ ખાતરી કરાવી પછી માગ્યું કે તમે પ્રસન્ન થયા હો તે મને દુઃખ આપજે, કારણ કે દુઃખમાં તમે સાંભરે છે તેવા સુખમાં સાંભરતા નથી. પરમકૃપાળુ દેવે પણ ભુરાજાની તેવી જ સુંદર આખ્યાયિકા લખી છે. હવે તે એ જ માર્ગ – મુક્તભાવથી મક્ષ છે, ગ્રહવું કિંચિત્માત્ર નથી. ૐ શાંતિઃ Page #595 -------------------------------------------------------------------------- ________________ પહo બેધામૃત ૬૪૧ અગાસ, તા. ૨૫-૨-૪૬ મહા વદ ૮, સોમ, ૨૦૦૨ દેહે – મરણના મુખ આગળ અશરણ આ સૌ લેક કાં ચેતી લે નહિ ચતુર, મૂકવી પડશે પિક. હરિગીત – દેહાદિ સર્વ અનિત્ય છે એવી પ્રતીતિ જે થઈ, સગુરુકૃપાથી તત્વશ્રદ્ધા અચળ જે હૃદયે રહી;. તે વન વિષે કે જન વિષે, તું સર્વ સ્થાને છે સુખી, પણ ક્ષણિકતા ને તત્ત્વશ્રદ્ધા વિણ ગમે ત્યાં તું દુખી. (હૃદયપ્રદીપ) દેહરા – મહાપુરુષની મહેરથી, જાય જન્મ સંસાર, વહાણ વિષેના પહાણ પણ, પહેચે દરિયાપાર. પપકાર પરમાર્થની, ઉત્તમ વૃત્તિ સુખકાર, આરાધે આત્માથજન સ્વ-અધિકાર વિચાર, સદૂગત પૂ. પુનશીભાઈને દેહત્યાગના સમાચાર તારથી પરમ દિવસે મળ્યા. અચાનક આવો પ્રસંગ સાંભળી સર્વને ખેદ અને વૈરાગ્યનું કારણ બન્યું હતું. પરમકૃપાળુદેવે લખ્યું છે? “બનનાર તે ફરનાર નથી ને ફરનાર તે બનનાર નથી.” (૪૭) થયું તે ન થયું થનાર નથી. કર્મને આધીન સર્વ પરાધીન છીએ એમ માની તે કર્મશત્રુને નાશ કરવા સદ્ગુરુકૃપાથી જે સત્સાધન મળ્યું છે, તેની ઉપાસના વર્તમાન અને ભાવિ સંકટો દૂર કરવા સમર્થ છે એમ વિચારી, શોક મંદ કરી તેને વૈરાગ્યના રૂપમાં પલટાવી પરમાર્થ-વિચારણામાં મનને રોકવું હિતકારી છે એમ સર્વ મહાપુરુષોએ માન્યું છે. જ્યાં નિરુપાયતા છે ત્યાં સહનશીલતા સુખદાયક છેજ. દેહના સંબંધ તે વહેમોડે સર્વને છોડવા પડ્યા છે, પણ – “આત્મા છે, તે નિત્ય છે, છે કર્તા નિજ કર્મ; છે ભક્તા વળી મોક્ષ છે, મેક્ષ ઉપાય સુધર્મ.” એ છ પદના સુવિચાર અને છઠ્ઠા પદમાં પ્રવૃત્તિ એ જ આપણું અને આપણું સમાગમીઓના સત્ય હિતનું કારણ છે. વૈરાગ્ય, ઉપશમની વૃદ્ધિ થયે તે કાર્ય મારા, તમારા સર્વથી બની શકે તેવું છે. તે સત્સંગ, સવિચાર અને સઆચાર વડે જેટલું બાકીનું જીવન જીવવાનું છે તે સદ્ગુરુશરણે ભાવીએ એવી પરમકૃપાળુદેવ પ્રત્યે પરમ વિનયભાવે પ્રાર્થના છે. ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૬૪૨ અગાસ, તા. ૨-૩-૪૬ તતું કે સત્ મહા વદ ૧૪, શનિ, ૨૦૦૨ તમે લખ્યું તે વાંચી પ્રમેહ થયે છેજ. પુરુષાર્થ કરશે તે સદ્દગુરુશરણે જરૂર આવા આકરા કાળમાં પણ શાંતિ પામે તેમ છે. સદ્ગુરુનાં વચનામૃત પ્રત્યક્ષ સદ્દગુરુ તુલ્ય જાણી જિજ્ઞાસા વધમાન કરી આરાધે તે જરૂર સમ્યક્દર્શન પ્રાપ્ત થાય એમ પરમકૃપાળુદેવે પિતે પણ જણાવ્યું છે. “સાધે તે મુક્તિ લહે, એમાં ભેદ ન કેય.” Page #596 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૫૭૧ તમે શ્રી બૃહદ્રવ્યસંગ્રહ વાંચી રહ્યા છે એમ તમે કહ્યું હતું. ફરી વંચાશે તે વિશેષ સમજાશેજી અને નવીનતા ખાતર ખીજા વાચનની જરૂર લાગે તે ‘પંચાસ્તિકાય’ પરમકૃપાળુદેવે મેાટા પુસ્તકમાં લખેલ છે તે તથા તેના પહેલા દ્રવ્યાનુયાગ વિષેના પત્ર (૮૬૬) પરમકૃપાળુદેવની આજ્ઞા લઈ વાંચવા શરૂ કરશે તે તે પણ હાલ ઠીક છેજી. એક-બે વખત ગુજરાતીમાં વાંચી પછી હિંદીમાં ‘પરમશ્રુત પ્રભાવક મંડળ'થી છપાયેલ “પંચાસ્તિકાય” વાંચશેાજી. દરેક મુમુક્ષુભાઈબહેને નિત્યનિયમ ઉપરાંત કંઈ ને ક'ઈ પરમકૃપાળુદેવનાં વચનમાંથી વાંચવા, વિચારવા કે ભાવના કરવાનું રાખવા ચેાગ્ય છેજી. મને તેા એકાદ કડી મુખપાઠ કરી અવકાશે ખેલતા રહેવાથી તે પરમપુરુષના ઉપકાર વિશેષ વિશેષ સમજાતા જશેજી. રાજ ને રાજ ખાવું-પચાવવું પડે છે તેમ કઈ ને ક'ઈ વાંચીને, સાંભળીને, મુખપાઠ કરીને કે મુખપાઠ કરેલ ફેરવતા જઈને, જે પરમાર્થ પરમપુરુષે હૃદયમાં રાખેલા છે તે હૃદયગત કરવા વારંવાર વિચારવાની જરૂર છેજી, ઊંડા ઊતરવાની જરૂર છેજી. એ દિશામાં પુરુષાર્થ કરેલા ગુરુકૃપાથી સફળતા અશેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૪૩ તત્ સત્ સમર તું, રાજ હૃદયમાં રાખીને; ભમે છે, કાળ રહ્યો છે તાકીને.’’ અગાસ, તા. ૨-૩-૪૬ મહા વદ ૧૪, શિન, ૨૦૦૨ “રાજ સમર તું રાજ માથા ઉપર મરણુ જન જાણીએ મન માનીએ, નવ કાળ મૂકે કોઈને” છે દેહાટ્ઠિથી ભિન્ન આતમા રે, ઉપયાગી સત્તા અવિનાશ-મૂળ૦ એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ-મૂળ॰ તે ત્રણે અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મારૂપ-મૂળ૦ તેહ મારગ જિનનેા પામિયા રે, કિવા પામ્યા તે નિજસ્વરૂપ-મૂળ૦” તમારા પત્ર મળ્યા. વાંચી વિગત જાણી છેજી. પહેલાં તમે તેવા સ્વપ્નની વાત કહેર્લ સ્મૃતિમાં છેજી. તે વખતે પુરુષાર્થ કરવા તથા મરણુના ડર નહીં રાખવા તમને સૂચવ્યુ હશેજી. પરંતુ તમને કોઈ કારણને લઈને વિસ્તૃત થયેલું અને સત્સંગના વિયેાગે તથા સટ્ટ વગેરેના રસમાં તણાવાથી જે કરવા ચેાગ્ય હતું તેની વિચારણા રહેલી નહીં. હવે પૂ પુણ્યના ચેાગે ફરી ચેતવણીના સુયેાગ થયા છે તે તેના લાભ લઈ આત્માને ફરી મેાહનીંદમાં ન ફસાય તેમ જાગ્રત રાખવા જરૂરના છેજી. ભરૂચના એક અનુપચંદ્રજી નામના વિણક ધર્માત્મા જીવને પરમકૃપાળુદેવના પ્રત્યક્ષ ચાગ થયેલા. તેમને ત્યાં સાંસારિક વ્યાપારિક કારણે પરમકૃપાળુદેવને જવું થયેલું. તે વખતે તેમને આત્મહિતમાં પ્રેરવા તેઓશ્રીને વૃત્તિ ઉદ્દભવેલી, પણ તેમનું પ્રવ`ન મતમતાંતરના આગ્રહુવાળું જાણી, હાલ સૂચનાને તેમને જોઈએ તેવા લાભ નહીં થઈ શકે એમ જાણી, વૃત્તિ સંક્ષેપી લીધેલી. પછી તેમને કાઈ ભારે મઢવાડ આવ્યે અને સમાધિમરણની ભાવના જાગી ત્યારે કણુ મને સમાધિમરણ કરાવશે એ વિચારે તેમણે બધે નજર નાખી પણ કોઈ સાધુ, સાધ્વી Page #597 -------------------------------------------------------------------------- ________________ ૫૭૨ આધામૃત શ્રાવક તેવાં નજરે તેમના ગચ્છમાં જણાયાં નહીં, પરંતુ પરમકૃપાળુદેવની અદ્ભુત શક્તિના કંઈક પિરચય તેમને થયેલા તેથી તેમને સમાધિમરણ માટે વિનંતી કરી. તેના ઉત્તરમાં તેઓશ્રીએ એક પત્ર લખ્યા છે તે પત્રાંક ૭૦૨ તેમ જ પત્રાંક ૭૦૬ એ બન્ને પત્રો વાર વાર વાંચી અને તે મુખપાઠ કરવા ભલામણ છેજી; અને સુખપાઠ થયે રાજ નિત્યનિયમમાં ઉમેરી લેવા ચેાગ્ય છે, એટલે રાજ સ્વાધ્યાય થશે તે જરૂર જીવને જાગૃતિનું કારણુ ચાલુ રહેશેજી. ખીજા ભાઈઓને પણ ભાવ રહે તેા મુખપાઠ કર્તવ્ય છેજી. જેને છૂટવાની વૃત્તિ જાગી છે તેણે તે ખચતા બધા વખત પરમકૃપાળુદેવની આજ્ઞા ઉઠાવવામાં જ વ્યતીત કરવા ચેાગ્ય છેજી. તેમાંથી પેાતાને શું કર્તવ્ય છે તે સહેજે સૂઝી આવશે તથા વૈરાગ્યની વૃદ્ધિ થતાં જરૂર આત્મહિત સધાશેજી. પરમપુરુષોની અન`ત કૃપાથી જીવ આટલા સુધી આવ્યા છે. હવે આ ચેાગ સફળ કરી લેવા વૈરાગ્ય-ઉપશમની વૃદ્ધિ કરવાની જરૂર છે. ન જોઈતી ફિકરચિંતા તજી ધર્મધ્યાન અર્થે અને તેટલા વધારે વખત ગાળતા રહેશે! તે છ માસમાં આપેાઆપ જિંદગી પલટાતી સમજાશેજી. જેને સત્પુરુષના યાગ થયા છે, પરમપુરુષ પ્રત્યે શ્રદ્ધા છે, તેને એક પ્રમાદ જ વિશ્નકર્તા છે. તે દૂર કરવા જીવ પુરુષાર્થ – સત્પુરુષાર્થ સત્પુરુષની આજ્ઞાએ પ્રગટાવે તે સત્પુરુષના હૃદયમાં રહેલા મેક્ષમાર્ગ જીવને પ્રગટ થવા ચેાગ્ય છેજી. પત્રાંક ૧૭૨ પ. પૂ. પ્રભુશ્રીજી ઉપરના છે તે પણ સ્પષ્ટપણે, આપણે કરવા યેાગ્ય છે તે ક્રમ બતાવે છે. તેનું પણ આરાધન ક્રમે ક્રમે કરતા રહેવા વિનંતી છેજી. આજીવિકા અર્થે કંઈ કરવું પડે તે નછૂટકે કરી છૂટવું, પણ આખા આત્મા તેમાં જોડવા ચેગ્ય નથી. પૈસા કમાવા દેહ ધર્યાં નથી. નથી ધર્યાં દેહ વિષય વધારવા, નથી ધર્યાં દેહ પરિગ્રહ ધારવા” (૧૫) તે શા અર્થે દેહ ધર્યાં છે. તે વારવાર વિચારી તેનું વિસ્મરણ ન થાય તેમ કર્તવ્ય છેજી. પરમકૃપાળુદેવનાં વચને અને તેની આજ્ઞાનું આરાધન જીવને સમ્યક્ત્વ અને સમાધિમરણનું કારણ છે”. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૬૪૪ તત્ સત્ અગાસ, તા. ૨-૩-૪૬ મહા વદ ૧૪, શિન, ૨૦૦૨ (પ્રજ્ઞાવખાધ – ૭૪) મત્રે મંત્ર્યા, સ્મરણ કરતા, કાળ કાઢું હવે આ, જ્યાં ત્યાં જોવું પર ભી ભૂલી, ખેલ ભૂલું પરાયા; આત્મા માટે જીવન જીવવું, લક્ષ રાખી સદા એ, પામું સાચા જીવન-પલટો, માક્ષ-માર્ગી થવાને. પ્રથમ થોડા લક્ષ રાખવા ચેાગ્ય સૂચના કરું છું. પરમકૃપાળુદેવ પ્રત્યે ગુરુમુદ્ધિ રાખી આપણે બધા સત્સંગી મેાક્ષમાના પથિક છીએ, એક જ માર્ગે એકઠા થયા છીએ, સ’સારદુ:ખથી છૂટવાના કામી છીએ. તમારામાં કોઈ સદ્ગુણુ હોય તે તે મારે પણ કામના છે, મારા ભાથામાં કઈ તીખું-કડવું હેાય તે તમને પણ બીજું તમારું ભાથું જમતાં કામ લાગે તેવું છે તે પરસ્પર મળીને ભેગા થઈ વિચારની આપ-લે કરવારૂપ પતરાળામાં મૂકી વહેં'ચી ખાઈ તે માગ માં આગળ વધીએ એ લક્ષ ચૂકવા ચેગ્ય નથીજી. મંદાક્રાંતા Page #598 -------------------------------------------------------------------------- ________________ પ૭૩ પત્રસુધા હવે દર્શન મેહ અને ચારિત્રમોહ વિષે બે પ્રશ્નો પૂછળ્યા તે બે શાસ્ત્રો લખીએ તે પણ પૂરા થાય તેમ નથી. પણ મહાપુરુષોએ એ સંબંધી જે વિચારો જણાવ્યા છે તે દિશા બતાવવા અહીં પ્રયત્ન કરું છું. “અપૂર્વ અવસરમાં પ્રથમની ત્રણ કડી દર્શનમોહ સંબંધી જણાવી અને પછી ૧૪ મી કડી સુધી ચારિત્ર્યહને પરાજય કરીને કેવળજ્ઞાન પ્રગટાવવા સંબંધી અતિશયયુક્ત અપૂર્વ વાણીમાં કાવ્ય પરમકૃપાળુદેવે રચ્યું છે તે પરથી ટૂંકામાં અહીં તે રૂપરેખા જેવું કે લક્ષણ જેવું લખું છું — (૧) દેખતભૂલી એ દર્શનમેહનું બીજું નામ છે. અનાદિકાળથી જીવ દેહાદિ જે પોતાના નહીં તેને પોતાને માન આવે છે. જે અનાત્મ એટલે પિતારૂપ નથી તેવા ભાવોને પિતારૂપ માને છે. પાટીદાર, વાણિયે, બ્રાહ્મણ, સ્ત્રી, પુરુષ, રૂપાળે, કદરૂપે, ધનવંત, ધનહીન, વિદ્વાન, મૂર્ણ આદિ માન્યતામાં ગૂંચવાય છે. તેથી પિતાના વિચારને બદલે પરના જ વિચાર આવ્યા કરે છે, પરને અર્થે જાણે જીવે છે. વિષયકષાય કંઈક મંદ પડે, વૈરાગ્ય થાય તે આ દર્શનમહ સાપ, અગ્નિ કે ઝેર કરતાં પણ વિશેષ અહિતકારી શત્રુરૂપ સમજાય. દર્શનમોહથી અપવિત્ર દેહાદિ પદાર્થો, “સકળ જગત તે એઠવત’ છતાં, પવિત્ર સુખકર ભેગગ્ય સમજાય છે. દીવાની શગમાં દરેક પરમાણુ ક્ષણે ક્ષણે પ્રકાશરૂપ થઈ મેશરૂપ ધરી ચાલ્યો જતે હોવા છતાં એની એ શગ જેમ દેખનારને દેખાય છે છતાં કોઈ પરમાણુ ત્યાં એને એ નથી, તેમ દેહાદિ પદાર્થો ક્ષણે ક્ષણે પલટાવા છતાં તેના ને લાગે છે અને હંમેશાં આવા ને આવા રહેશે એમ અંતરમાં રહ્યા કરે છે. મરણને ડર તે શું, પણ વિચાર પણ આવતું નથી, તેનું કારણ પણ દર્શન મેહ છે. ધન દેહાદિ વડે પ્રાપ્ત થતા ભેગ ઘણું કષ્ટ પ્રાપ્ત થાય છે, પ્રાપ્ત થયે ટકતા નથી, નાશિના જ કમમાં છે, “સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે અને અંતે શકનું કારણ બને છે, કોઈ સાથે આવતા નથી. છતાં વિચારહીન આ જીવને તે અનિત્ય, અપવિત્ર, અશરણ અને અસાર પદાર્થો દુઃખરૂપ નહીં લાગતાં સુખરૂપ લાગે છે, દુઃખ વેઠીને પણ પ્રાપ્ત કરવા યોગ્ય લાગે છે, તેને માટે મરી છૂટે છે તે પણ દર્શનમોહનું પ્રબળ જેર છે. ટૂંકામાં અવિદ્યા, બ્રાંતિ, મિથ્યાત્વ વગેરે તેનાં બીજાં નામ છે. (૨) ચારિત્રહ– દીવ લઈને કોઈ કૂવામાં પડે તેવા ક્રોધાદિ ચાર કષાય અને હાસ્ય, રિતિ, અરતિ, ભય, શક, દુગંછા, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ એ તેર પ્રકારના ગાંડપણથી જીવ જાણતા છતાં સંયમના અભાવે કર્મબંધનાં કારણમાં પ્રવર્તે છે. તેમાં મુખ્ય કરીને પૂર્વકર્મનું બળ છે. જ્યાં સુધી સમ્યક દર્શન ન થાય ત્યાં સુધી તે આંધળા માણસની પેઠે જીવ દુઃખી દુઃખી છે, પણ સમજણ આબે પણ વીર્યની ખામીને લીધે સંયમમાં ન પ્રવતી શકે તેથી વેર, વિરોધ, મોહ, મત્સર, માન, અપમાન, લોભ, માયામાં જીવ ઘસડાય છે, તે અત્યંત લેશનું કારણ છે. સમજણ ન હોય ત્યારે જાણી જોઈને એટલે દુઃખનાં કારણને સુખનાં કારણ માનીને તે એકઠાં કર્યે જાય છે, અને સમજણ આવ્યું તેનું પ્રવર્તન ખેદયુક્ત હોય છે. જેમ કેઈ આબરૂદાર માબાપના દીકરાને કેઈએ આરોપ મૂક્યાથી ફેજદાર તેને ગુનેગાર ઠરાવી ગધેડે બેસાડી કાળું મોઢું કરી નગરમાં ફજેતી કરી ફેરવે છે, જો કુંભારના દીકરાને ગધેડે બેસાડે કે તે બેસે તે આનંદ માને તેમ મિથ્યાદષ્ટિ દોષ કરી આનંદ માને Page #599 -------------------------------------------------------------------------- ________________ ૫૭૪ મેધામૃત છે, પણુ આખરૂદારને તે મરવા જેવું લાગે છે; તેની ઇચ્છા નહીં હોવા છતાં બધું તેને કરવું પડે છે કારણ કે તે ફેાજદારને વશ છે. તેમ ચારિત્રમેાહનું સ્વરૂપ જેણે જાણ્યું છે તેને તેવા ભાવામાં હાજતા આદિને લઈને પ્રવર્તાવું પડે તેપણ પેાતાને અણુછાજતું, શરમભરેલું, મરણુ તુલ્ય લાગે છે. વધારે સત્સંગે સદ્ગુરુ પ્રત્યે અપૂર્વભાવ આવ્યે તે શબ્દાના ભાવમાં તન્મય મન થાય તેા બીજે ન જાય. તે માટે વિચારદશા વધારવાની અને છૂટવાની કામના વધારવાની તથા વૈરાગ્યની જરૂર છેજી. રાજ મરણ સભારવા ચેાગ્ય છેજી. “રાજ સમર તું, રાજ સમર તું, રાજ હૃદયમાં રાખીને, માથા ઉપર મરણુ ભમે છે કાળ રહ્યો છે તાકીને.” તમે પૂછેલા પ્રશ્નો મેાક્ષમાર્ગ પ્રકાશક' નામના ગ્ર'થમાં વિસ્તારથી સમજાવેલા છે. જડ ને ચૈતન્ય અને દ્રવ્યના સ્વભાવ ભિન્ન” એ એ સવૈયા અને તે મુખપાઠ કરી વિચારતા રહેવા ભલામણુ છેજી. તેમાં દનમે:હના ઉપાય અને સ્વરૂપ અને છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૪૫ તત્ સત્ અંધને, છેઢી લે નિર્વાણુ; જ્યાંથી નથી ફરી આવવું, તે ગતિ હે જૈવ ! પામ. દેહરા જન્મ-મરણના અગાસ, તા. ૫-૩-૪૬ ફાગણ સુદ ૨, મંગળ, ૨૦૦૨ સદ્ગત પૂ....ભાઈના સમાચાર જાણ્યા હશે. આપણે પણ પૂરવેગથી તે દિશામાં વહ્યા જઈએ છીએ અને નહીં કાળ મૂકે કોઈને' એ સદ્ગુરુ-કથન વૈરાગ્યવંત જીવેાના હૃદયમાં રણકારા કરતું જ રહે છેજી. આજના સ્વાધ્યાયમાંથી એ વચને આપની પ્રસન્નતાને અર્થે ટાંકું છુંજી ખરું સુખ શામાં છે? ગમે તેવા તુચ્છ વિષયમાં પ્રવેશ છતાં ઉજજવળ આત્માઓને સ્વતઃ વેગ વૈરાગ્યમાં ઝંપલાવું એ છે.' ભાવનામેાધ. “નિર'તર સમાધિભાવમાં રહેા....તે પુરુષને પ્રત્યેક લઘુ કામના આર'ભમાં પણ સ'ભારે, સમીપ જ છે. જ્ઞાનીદશ્ય તા થાડા વખત વિયેાગ રહી સયાગ થશે અને સર્વ સારું જ થઈ રહેશે.” (૫૯) આ પવિત્ર પુરુષનાં વૈરાગ્યભીનાં વચના વૈરાગ્ય પ્રેરે તેવાં, દરેક ક્ષણે શું કર્યંબ્ય છે તે દર્શાવનારાં તથા સાધકભાવનું દાન દેનારાં ચિ. જૂઠાભાઈ આર્દિને ઉદ્દેશીને લખાયેલાં, પણ જગતનું કલ્યાણ કરનારાં છેજી. આપણે કલ્યાણ કરવું છે? તે તેમાં દર્શાવેલ પુરુષાર્થ મારે તમારે સર્વાંને અત્યત ગભીર ઉપયાગે વૈરાગ્યપૂર્ણાંક કર્તવ્ય છેજી. ૐ શાંતિઃ શાંતિ શાંતિઃ ૪૬ ધીરજ, સહનશીલતા અને પરમાર્થ-જિજ્ઞાસા દિવસે દિવસે ભાવેા દૂર થાય તેમ પ્રવર્તાવા વિનતી છેજી. પરમાર્થ -માર્ગ માં અગાસ, તા. ૮-૩-૪૬ વધે અને કષાય આદિ હેય મુશ્કેલીઓ, અંતરાયા તે Page #600 -------------------------------------------------------------------------- ________________ પત્રા ૧૭૫ અનેક રહ્યા છે; પણ પુરુષાર્થ કરી જે આગળ આવી જાય છે તે સત્સુખ પ્રાપ્ત કરવા ભાગ્યશાળી અને છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૬૪૭ અગાસ, તા. ૧૭-૩-૪૬ “આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદયપ્રયાગ; અપૂર્વ વાણી, પરમશ્રુત, સદ્ગુરુ લક્ષણ યાગ્ય.'' ...શ્રી આત્મસિદ્ધિજી તમારા પત્રના છેલ્લા ભાગના ઉત્તર પ્રથમ લખું છું કે ઉપર જણાવેલી ગાથામાં જણાવેલ સદ્ગુરુનાં લક્ષણ મારામાં નથી. જ્ઞાનીપુરુષે કહેલી આજ્ઞા જે ભવથી તારે તેવી છે તે ચિઠ્ઠી આપનાર ચાકરની પેઠે મેં આપને જણાવી છે, પણ પરમપૂજ્ય પરમકૃપાળુદેવ જ સદ્ગુરુસ્વરૂપે ઉપાસવા યાગ્ય છે, એ મારા અ`તઃકરણની વાત આપે પૂછવાથી જણાવી છેજી. ખીજું, તે મહાપુરુષે સાત વ્યસનને ત્યાગ તત્ત્વજ્ઞાનમાં પૃષ્ઠ ૧૦૮ ઉપર જણાવ્યેા છે તેમાંથી જેને ત્યાગ તમારાથી અશક્તિને લીધે ન બન્યા હાય અને હવે તેવી શક્તિ પરમકૃપાળુ શ્રી સદ્ગુરુકૃપાએ જણાતી હોય તે તે ખાકી રાખેલ ત્યાગ બીજા બધા ત્યાગ કરતાં પ્રથમ કરવાની ભાવના નિશદિન ક બ્ય છેજી. તમારા જીવનમાં ફેરફાર થઈ ગયેલા તમે લખા છે તે સંભિવત છે. સદ્ગુરુકૃપાનું બળ અપૂર્વ છે. મૂંગા વાચા પામતા, પશુ ગિરિ ચઢી જાય; ગુરુકૃપા ખલ આર છે, અધ દેખતા થાય. જંગલમાં મંગલ અને, પાપી અને પવિત્ર; એ અચરજ નજરે તરે, મરણુ અને છે મિત્ર. અખંડ વિશ્વાસે વસું, સાચા શ્રી ગુરુરાજ; રડવડતા યમ રાખશે ? ખનું નહીં નારાજ. સમર્થ શ્રીમદ્ રાજચંદ્ર, હું અજ્ઞાની માળ; અચૂક આશ્રય આપને, પળ પળ લ્યા સભાળ.” બીજી બાબત ક્રોધ સબધી ઉપાયની છે. તેના અને સર્વ દેાષના નાશના ઉપાય મંત્ર છે. તેમાં વારવાર વૃત્તિ રહે, એકતાર તેમાં લક્ષ રહે, તેવી ભાવના કતવ્ય છેજી. તેમાં વિક્ષેપ કરનાર, વિન્ન કરનાર, ક્રોધ, માન, માયા, લાભ અને માહુ છેજી. તેમને શત્રુ જાણી, સંસારપરિભ્રમણનાં કારણ જાણી તેથી દૂર રહેવાની ભાવના તથા મેાક્ષની પરમ જિજ્ઞાસા જાગવાથી ક્રોધ આદૅિ મંદ પડવા સ'ભવ છે. ટૂંકામાં પરમગુરુ પ્રત્યે પ્રેમ જેમ જેમ વધશે તેમ તેમ તેમનું યથાર્થ એળખાણ થતાં ક્રોધાદિ મંદ પડી નિમૂળ નાશ પામી શકે છેજી. પર પ્રેમપ્રવાહ અઢે પ્રભુસેં, સમ આગમ (શાસ્ત્ર) ભેદ સુઉર ખર્ચે; વહુ કેવલા બીજ ગ્યાનિ કહે, નિજક અનુભૌ બતલાઈ ક્રિયે. માટે મહાત્મા શ્રીમદ્ રાજચંદ્ર પ્રત્યે દાષા જરૂર ઘટશેજી. ', ઉપકારબુદ્ધિ, પ્રેમ, બહુમાન વધશે તેમ તેમ ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #601 -------------------------------------------------------------------------- ________________ ૫૭૬ બેધામૃત અગાસ, તા. ૪-૪-૪૬ ધન્યાત્મા પૂ.ની માંદગીના સમાચાર વાંચી ખેદ થયે. પણ પરમકૃપાળુદેવનું તથા સણા સંતશિરોમણિ પ્રાતઃસ્મરણીય પ. પૂ. પ્રભુશ્રીજીના બોધનું જેને શરણું છે, તેને વાળ વાંકે કરવા મરણ પણ સમર્થ નથીજી. ઉનાળો હોય ત્યારે તાપ પડે, ચોમાસું હોય ત્યારે વરસાદ વરસે, કીચડ થાય એ સ્વાભાવિક છે તેમ વ્યાધિના વખતમાં વેદના ડરાવવા પ્રયત્ન કરે, મન નબળું પડતું જાય તેમ સંકલ્પવિકલપિ આવે, ભૂલી જવાય, બકી જવાય, પણ એ તે બધાં બાંધેલાં કર્મ છે. છતાં છત્રીથી જેમ તાપ અને વરસાદને નહીં ગણતા જરૂરના કામે બહાર જઈએ છીએ, તેમ સદ્ગુરુશરણે એ કર્મ અને સંકલ્પ-વિકલપને નહીં ગણતા “ધીંગ ધણું માથે કિયા રે કુણ ગંજે નર બેટ, વિમલ જિન દીઠાં લેયણ આજ, મારાં સીધ્યાં વાંછિત કાજ વિમલ જિન દીઠાં લેયણ આજ” એવી સિંહનાદ જેવી ભક્તિની ધૂન જેણે પ. પૂ. પ્રભુશ્રીજીની હાજરીમાં સાંભળી છે, તેને તે એ કર્મ બધાં બકરાંની પેઠે કયાંય ભાગી જાય. શરીર ઉપર મેહ જેણે છોડ્યો છે, દેહનું જે થવું હોય તે થાઓ, રૂડા રાજને ભજીએ એ નિશ્ચય કર્યો છે તેને કંઈ ગભરામણ હેય નહીં. દેહ ટકશે તે હવે ભક્તિ કરીશું અને જશે તે કંઈ જોઈતુંય નથી. પરમકૃપાળુને શરણે સમાધિમરણ કરવાના નિશ્ચય સિવાય બીજી કોઈ કલ્પના કરવા ગ્ય નથી. પરમકૃપાળુદેવ સમીપ જ છે એમ સમજી તેમના ચિત્રપટ પ્રત્યે, તેમનાં વચનામૃત પ્રત્યે પ્રીતિભક્તિ વધતી જાય તેમ કરવા અને સ્મરણ બોલતા રહેવા કે સાંભળવામાં વૃત્તિ રાખતા રહેવા ભલામણ છે. છેલ્લે શ્વાસે પણ પરમકૃપાળુદેવ અને તેમનું કહેલું સ્મરણ “સહજાત્મસ્વરૂપ પરમગુરુ” ટકી રહે તેવા પુરુષાર્થમાં વર્તવા-વર્તાવવા ભલામણ છેજી. વીર-હાક, અમને અંત સમય ઉપકારી, મૃત્યુ-મહોત્સવ, અપૂર્વ અવસર, વીસ દેહરા, ક્ષમાપનાને પાઠ, યમનિયમ, ઇચ્છે છે જે જોગી જન, ધન્ય રે દિવસ વગેરે અવસર જોઈ સંભળાવતા રહેવા ભલામણ છેજી. * શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૬૪૯ અગાસ, તા. ૫-૪-૪૬ જે જે પુદ્ગલ ફરસના, નિરો ફરસે સોય; મમતા-સમતા ભાવસે, કર્મબંધ-ક્ષય હાય.” ભાવાર્થ – અત્યારે જણુતા જે જે દ્રવ્યોને, ક્ષેત્રને, અનુકૂળ-પ્રતિકૂળ કાળ અને તેવા તાત્કાલિક સ્કુરતા (અનાગ જેવા) સંસ્કારરૂપ ભાવેને જે જે મંદ તીવ્ર આદિ પ્રારબ્ધછે. પૂર્વે સંચિત કર્યો હોય તે તે દેખાય છે તે પ્રમાણે થવાનું નિર્માણ થયેલું હોવાથી થાય છે; એ તે ધનુષ્યથી છૂટી ગયેલા બાણની પેઠે જેટલી વેગવાળી, જેવી દિશાની શક્તિ તેને મળી હોય તે તરફ તેટલા વેગે જાય છે, પરંતુ જેની પાસે ઢાલ હોય છતાં સાવધ ન હોય તે તેટલા વેગે તે બાણ તેને વાગે છે જે સાવધાન રહે અને શ્રદ્ધનો ઉપયોગ કરે તે તે બાણ અથડાઈને ગતિરહિત થઈ પડી જાય છે તેમ પુદ્ગલ-ફરસનારૂપ કર્મને ઉદય તે સંચિત રસ આદિ સામગ્રી સહિત યથાકાળે ઉદય આવે છે, તે વખતે પરમ દુર્લભ Page #602 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૫૭૭ એવી સત્પુરુષ પ્રત્યેની, તેની આજ્ઞાના અચિંત્ય માહાત્મ્યની મહત્તા જેટલી હૃદયમાં વસી હોય અને સાવધાની (ઉપયાગ) રાખે તે તે કર્મ પુદ્ગલ ફરસના દેહાદિ પ્રત્યેની મમતા મુકાવી સમતા કરાવે તેટલેા સત્યધર્મ પ્રગટી ધર્મ ધ્યાન થતાં નિર્જરા થાય, ક ક્ષય થાય; અને સાવધાની ન રહે તેા છતી ઢાલે તે ખાણથી વીંધાઈ જાય તેમ ક`બંધ અવશ્ય થાય. આ રહસ્ય કોઈ આત્મજ્ઞાનીની કૃપાથી સમજી હૃદયગત થાય તે સર્વ શાસ્ત્રના સારરૂપ, સમાધિ મરણ અર્થે પરમ સાધનરૂપ બને તેમ છેજી. પૂ.ને ભલામણુ છે કે ઉતાવળ કરી અહીં આવી જવાની દોડ શમાવી, જે સદ્ભાગ્યે પરમકૃપાળુદેવના ઉપાસક આત્માઓની સેવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું છે, તેના ઉત્તમ લાભ ઉઠાવતા રહેવામાં કલ્યાણ જ છે. પેાતાની કલ્પનાએ કે વૃત્તિઓના વેગમાં તણાવામાં સ્વચ્છંદને અશ સમાય છેજી. આ તેા ભક્તિ આદિની અનુકૂળતાવાળા યાગ છે, પરંતુ તેથી વિપરીત સજોગ હોય છતાં જો તેમાં મહાપુરુષોની સંમતિ હોય તે તેમ વર્ષે કલ્યાણ જન્મે છેજી. પૂ. શ્રી રત્નરાજસ્વામીથી છૂટા થઈ પૂ....વિચરતાં આ આશ્રમમાં ૫. પૂ. પ્રભુશ્રીજીને શરણે રહ્યા એટલે તેમને પૂ. રત્નરાજની સેવામાં પ. પૂ. પ્રભુશ્રીજીએ મેાકલ્યા અને આજ્ઞા ઉઠાવવા ખાતર જ તે નહીં ગમતા સંયોગામાં પણ જઈ તેમની સેવામાં રહ્યા ત્યારે તેમને સ્મરણમત્રના લાભ મળેલા. આવી કસેાટીમાં ક`ટાળી જાય ને વિરહવેદનાને અહાને પ્રાપ્ત લાભ કોઈ જીવ ચૂકી ન જાય એ અર્થે આટલું લખ્યું છે તે લક્ષમાં રાખવા તેમને વિનતી છેજી. અને બન્ને ત્યાગી મહાત્માઓને પણ સમતાભાવ, સ્મરણ અને પરમકૃપાળુદેવના સ્વરૂપ-સ્મરણમાં અહેાનિશ ભાવ રહે તેમ વવા ભલામણ છેજી. તે જ ખરી આત્મલાભ અર્થે મૂડી છે. તેથી પેાતાનું અને પેાતાની સાથે વિચરતાઓનું હિતકર્તાપણું સધાય છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૫૦ તત્ સત્ અગાસ, તા. ૧૨-૪-૪૬ ચૈત્ર સુદ ૧૧, શુક્ર, ૨૦૦૨ પણ વિયેાગ છે; છતાં પરમકૃપાળુદેવે કહ્યું છે કે સત્સંગનેા વિયેાગ છે, ત્યાં કલ્યાણને સત્સ’ગના વિયાગમાં સત્પુરુષ પ્રત્યે, તેનાં વચન પ્રત્યે, તેના અપાર ઉપકાર પ્રત્યે વૃત્તિ રાખી પેાતાના ભાવ સ`સાર પ્રત્યે વહેતા રાકે તા જીવને વિશેષ લાભ પણ થાય. શ્રી ગૌતમસ્વામીને વિરહદશામાં કેવળજ્ઞાન પણ થયું છે કારણ કે તે કેવળજ્ઞાન માટે જ મથતા હતા. તેમ આપણા જીવનના હેતુ પણ જો મેાક્ષ હશે તેા ગમે ત્યારે પણ મેક્ષે જવાશે. તેનાં કારણ સાચાં જોઈ શે. ઉપદેશછાયામાં પરમકૃપાળુદેવ લખે છે કે “વિષયકષાય સહિત મેક્ષે જવાય નહીં.” આટલાના જ જીવ જરા વાર થાલી ઊંડા વિચાર કરે કે મારે માક્ષે જવું છે કે નથી જવું ? જો ‘જવું છે’ એવા અંતરમાંથી અવાજ આવે તે કહેવું કે “વિષયકષાય સહિત માક્ષે જવાય નહીં,” એમ પરમકૃપાળુદેવ કહે છે, તે કયારે એ વિષયકષાય મૂકીશું ? વિષયકષાયના સંગ છાડડ્યા વિના છૂટકો નથી. દુશ્મનને દિલમાં રાખીશું ત્યાં સુધી તે સંસારના માર્ગીમાં પરિભ્રમણ કરાવી આપણને સ’તાકૂકડી રમાડો, જન્મમરણ કરાવ્યા કરશે. માટે આજથી જ — · જ્યારથી આ વાકય શ્રવણુ કર્યું, વાંચ્યું ત્યારથી જ — - તેના ત્યાગ કરવાના અભ્યાસ કરવા દે એવા 37 Page #603 -------------------------------------------------------------------------- ________________ ૫૭૮ - બેધામૃત નિશ્ચય કર્યા વિના આ પરિભ્રમણને અંત આવે તેમ નથી. જગતને અને જગત જેને પ્રિય છે એવા વિભાવને પોષવા માટે જીવે ઘણું કર્યું છે પણ હવે તે – “શું કરવાથી પિતે સુખી? શું કરવાથી પિતે દુઃખી ?” એને વારંવાર વિચાર કરી દુઃખનાં કારણે દૂર થાય અને સુખની સામગ્રી સંઘરાય તેમ કરવા વિનંતી છેજી. કષાય જે કોઈ કટ્ટો શત્રુ નથી અને વિષય જેવું કઈ વિષ નથી માટે જાણી-જોઈને પોતે પોતાના શત્રુ ન બનવું. શ્રી શ્રેણિક રાજાને શ્રી અનાથી મહર્ષિએ એ જ ઉપદેશ દીધું છે કે પિતે જ પિતાને નરકે લઈ જાય છે અને દુઃખી કરે છે, પિતે જ પિતાને સ્વર્ગે લઈ જાય છે અને પિતે જ પિતાને મોક્ષપ્રાપ્તિ કરાવશે. માટે આ વેગ મળી આવ્યું છે તે તરવા અર્થે જ છે. મુમુક્ષુ જીવને વ્યાવહારિક મુશ્કેલીઓ આ કાળમાં તરવા સમાન છે. સુખમાં ઉત્તમ નિમિત્તાની કિંમત પણ સમજાતી નથી. દુઃખમાં, વૈરાગ્યમાં તે સશાસ્ત્ર પણ પ્રત્યક્ષ સમાગમ જેવાં થઈ પડે છેજ. વિશ્વાસ, શ્રદ્ધા પરમ દુર્લભ છે. તે જેને ઘેર છે, તેને કંઈ દુઃખરૂપ નથી. બધાને તે સવળું કરી નાખે છે. # શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૬૫૧ અગાસ, તા. ૧૧-૫-૪૬ વૈશાખ સુદ ૧૧, શનિ, ૨૦૦૨ હાલ તે આપણે આપણા શ્રેય-કલ્યાણ અર્થે પુરુષાર્થ કર્તવ્ય . પિતાના દે દેખી દોષ ટાળવાને પુરુષાર્થ ત્યાં સત્સંગના વિશે પણ કરતા રહેવું ઘટે છે. જેમ બને તેમ બીજે પરિચય ઘટાડી, મૌન કે જરૂર વગરનું ન બેલવાને અભ્યાસ વધે તેમ કર્તવ્ય છે. પરમાર્થ સત્ય સંબંધી પરમકૃપાળુદેવે કહ્યું છે તે બહુ વિચારવું ઘટે છેજ. “ચલણા રાણી અને શ્રેણિક રાજા” બોલતાં પહેલાં તે આત્મા હતા અને તેમના એ ભવની અપેક્ષાએ એવાં નામ હતાં એ લક્ષ થયા પછી બોલાય તેને પરમાર્થ સત્ય કહ્યું છે. તે વગર જેટલું બોલાય છે તે પરમાર્થ સાચું નથી, એમ વિચારી વાણી ઉપર સંયમ આવે એવો દરેકે અભ્યાસ પાડવાની જરૂર છે. પરમાર્થ સાધવામાં, ભગવાનના ગુણગ્રામ ચિંતવવામાં, કેઈને પરોપકાર અર્થ વાણી વપરાય તે લેખે છે, નહીં તે વચનદંડથી જીવ દંડાય છે. પરમકૃપાળુદેવ જેવા સમર્થ પુરુષ આપણે માથે છે તે આપણે તે તેમણે કહેલાં વચન વાંચવાં છે, વિચારવાં છે, તેમણે કહ્યું તે કરવું છે, તેની આજ્ઞામાં જ આટલે ભવ તે ગાળ છે. બીજે વૃત્તિ જતી રોકવામાં પરમ સાધન સ્મરણ છે તેનું વિશેષ વિશેષ આરાધન કરતા રહેવાની જરૂર છેજ. તેમાં વિક્ષેપ કરનાર “વચન નયન” છે તેને “યમ” એટલે સંયમ કરવો ઘટે છેજી. “તુજ વિગ સ્કુરત નથી, વચન-નયન-ચમ નાંહિ; નહિ ઉદાસ અનભક્તથી, તેમ ગૃહાદિક માંહિ.” આ લક્ષ વિશેષ રહેશે તે ત્યાં વાસ ઉપાધિરૂપ નહીં લાગે. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસેં, સબ આગમ ભેદ સુઉર બસેં; વહ કેવલો બીજ જ્ઞાની કહે, નિજો અનુભવ બતલાય દિયે.” શરીર, કુટુંબ, ધન આદિ પ્રત્યે પ્રેમ પ્રભુ પ્રત્યે વાળવાની જરૂર છે, તે પરમપુરુષના Page #604 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૫૭૯ શરણભાવના બળવાનપણથી બનવા યોગ્ય છે. “તમારા કહેલા રસ્તામાં અહેરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ.” આવાં વચને વારંવાર સ્મૃતિમાં આવે અને જાગૃતિ ટકી રહે તેવા પુરુષાર્થમાં વર્તતા રહેવા ભલામણ છે”. શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૬૫ર અગાસ, ૧૪-૫-૪૬ તત્ સત્ વૈશાખ સુદ ૧૩, મંગળ, ૨૦૦૨ ઓળખાણ આત્માતણું, ટાળે ત્રિવિધ તાપ; ગુરુ ઓળખાવે આતમા, નિશ્ચય ગુરુ તે આપ. “શું રાચીએ ત્યાં ક્ષણને પ્રસંગ?” એવા અનિત્યભાવવાળા આ સંસારમાં જીવે એવું શું દીઠું છે કે તેમાંથી મન ઉદાસ થવાને બદલે, ગળફામાં માખી ક્રમે ક્રમે વિશેષ ચૅટતી જાય તેમ લખદાયા જ કરે છે? પાંખ એંટી હોય તે પગના જેરે છૂટા થવા પગથી જેર કરે ત્યાં પગ સપડાય. પગ છૂટા કરવા માથું મારે તે માથું પેસી જાય. તેવી દયામણી દશા આ જીવની સંસાર પરિસ્થિતિમાં છેજી; અને જ્ઞાની પુરુષે તે કહે છે કે “નિરંતર ઉદાસીનતાને ક્રમ સેવ. પુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું” (૧૭૨) આ બન્નેને મેળ કેવી રીતે ખાય ? કામની ભીડમાં પણ મનને તે પુરુષના ચરણમાં રાખ્યા વિના છૂટકે નથી. જગત અને જગતના ભાવે પ્રત્યે તુચ્છબુદ્ધિ અને સત્પરુ તથા મોક્ષસુખમાં આસક્તિ થયા વિના આત્મહિત કેમ બને ? વિરોધી ભાવનું અંતરમાં યુદ્ધ જામ્યા વિના અને પરમસુખનું ઓળખાણ તથા તેને માટે ગૂરણ જાગ્યા વિના જીવને શાંતિ કયાંથી મળે? તેમ થવા અનુકુળ વાતાવરણ, પિષણ અને ઉલ્લાસની જરૂર છે. સત્સંગ, સપુરુષને સમાગમ અને તે પરમપુરુષના આત્માને પ્રગટ જણાવનારાં વચને રૂપ સલ્ફાસ્ત્રના અવલંબને આ ભવમાં આ પરમ મહત્વનું કાર્ય અવશ્ય કરવું છે એવો દઢ નિશ્ચય થયે જીવમાં જાગૃતિ આવે છે, ટકી રહે છે. જેમાંથી જેટલું થાય તેટલું કર” (૮૪) એવું પરમકૃપાળુદેવનું વચન છે. જે સંગોમાં મુકાયા હોઈએ તે પ્રતિકૂળ હોય, ન છૂટે તેવા હોય છે, તે તેને કાળે દૂર થયે જે ભાવના રાખી છે તે પૂર્ણ કરવા પુરુષાર્થ કરવા મૂકવું નહીં. ભાવના મંદ ન પડી જાય, તે જ જે અનુકૂળતા વહેલી મેડી મળે તેને લાભ લઈ શકાય. પરવસ્તુમાં નહિ મૂંઝ, એની દયા મુજને રહી, એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત્ દુઃખ તે સુખ નહીં. હું કેણુ છું? ક્યાંથી થયો? શું સ્વફૅપ છે મારું ખરું? કેના સંબંધે વળગણ છે? રાખું કે એ પરહરું? એના વિચાર વિવેકપૂર્વક શાંતભાવે જે કર્યા, તે સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તવ અનુભવ્યા. તે પ્રાપ્ત કરવા વચન કેનું સત્ય કેવળ માનવું, નિર્દોષ નરનું કથન માને તે જેણે અનુભવ્યું.” # શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #605 -------------------------------------------------------------------------- ________________ ૫૮૦ બેધામૃત ૬૫૩ ગાસ, તા. ૧૬-૫-૪૬ વૈશાખ સુદ ૧૫, ગુરુ, ૨૦૦૨ દેહરે – અશુચિ અશાશ્વત શરર, કારાવાસ સમાન; | મમતા યોગ્ય નથી કદી, હે મોક્ષાર્થી ! માન. ગીતિ – “ખાણ મૂત્ર ને મળની, રેગ જરાનું નિવાસનું ધામ; કાયા એવી ગણીને, માન ત્યજીને કર સાર્થક આમ.” –શ્રીમદ્ રાજચંદ્ર અનાર્ય ક્ષેત્ર જેવા મેહમયી શહેરમાં રહેવાનું બનેલ છે તે બહુ વિચારીને ક્ષણ ક્ષણ ગાળવા જેવી છેઝ. આ કાળ વિકરાળ છે, ક્ષેત્ર પણ પ્રતિકૂળ અને જીવની સામગ્રીરૂપ દ્રવ્ય પણ તેવું જ હોવાથી ભાવને બળ મળે તેવું ન હોય ત્યાં એક સપુરુષની આજ્ઞા અને ભક્તિમાં વૃત્તિ રાખવાની જીવ કાળજી રાખે તે ઘણાં કર્મ બંધાતાં અટકે અને આત્મહિતમાં વૃત્તિ વળે તેમ બને. ખોરાકની, હવાની, કપડાંની જેમ શરીરને જરૂર છે તેમ જીવને પિતાને માટે સત્સંગ, સશાસ્ત્ર, સવિચારરૂપ આહાર, હવા આદિની જરૂર છે. તેની ભાવના કરતા રહેવી ઘટે. આ ભવમાં જે કંઈ કરવું છે તે આત્મહિતને પિશે તેવું જ કરવું છે, એ મુમુક્ષુ જીવને નિર્ણય હવે ઘટે છેજ. એ લક્ષ રહ્યા કરે તે તે ગમે તેવા વિકટ પ્રસંગમાં પણ બચી શકે છે. પ. પૂ. પ્રભુશ્રીજીએ એક વખત બેધમાં કહેલું તે આપને ત્યાં ઉપયોગી નીવડશે એમ ધારી નીચે લખી મોકલું છું તે બને તે મુખપાઠ કરી તેને વિચાર કરતા રહેશે. “ગમે તે પ્રતિબંધ હોય, મરણ સમાન વેદના હય, ગમે તેવા માયાના કંદમાં ફસાઈ જવાનું બને, પણ આત્મહિત કદી ન વીસરવું.” ઘણાં દુઃખ આ જીવે લખચોરાશીના ફેરા ફરતાં ભગવ્યાં છે અને કંઈક પુણ્યસંચય જ્ઞાની પુરુષની કૃપાથી થયો ત્યારે મનુષ્યભવ મળ્યો છે તેને વ્યર્થ એઈ ન બેસો. ક્ષણ ક્ષણ કરતાં કેટલાં બધાં વર્ષ વ્યતીત થયાં! હવે તે જ્ઞાનીની આજ્ઞા, તેના જણાવેલા સ્મરણમંત્રમાં વૃત્તિને વિશેષ રાખવા પુરુષાર્થ કરે છે એ લક્ષ રાખી વર્તશે તે જરૂર જીવનું હિત થશે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૬૫૪. અગાસ, તા. ૧૭-૫-૪૬ - તત્ સત્ વૈશાખ વદ ૧, શુક્ર, ૨૦૦૨ કેમ મુમુક્ષુતા ટકે, જે ઈચ્છા ના જાય? | ડગલે ડગલે દુઃખ છે, જે મન વશ ના થાય. મોક્ષમાર્ગ પ્રત્યે જે ઉલ્લાસ તમે પત્રમાં દર્શાવ્યું છે તે પ્રશંસાપાત્ર છે. સાતે વ્યસનના પૂર્ણ ત્યાગના સમાચાર પત્રમાં જાણી વિશેષ આનંદ થયો છેજ. જે નિયમો લીધા છે તે તમને વિશેષ બળ પ્રેરે તેવા છે. ખાસ કરીને સ્વાદને જય કરવા જે પુરુષાર્થ કરે છે તેને બધી ઈન્દ્રિયે વશ થવી સુલભ છે અને સદ્ગુરુકૃપાથી તેનાં વચને બોધ પ્રત્યે બહુમાન રાખી અમલમાં મૂકતા જવાથી મન પણ વશ થવાને સંભવ છે. મનુષ્યભવમાં જીવ ધારે તે કરી શકે તે ઉત્તમ વેગ મળે છે, તે હવે આત્મહિત આટલા કાળ સુધી વિસારી મૂકહ્યું હતું તેની મુખ્યતા કરી, ભક્તિ અને મંત્રસ્મરણ દ્વારા Page #606 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૫૮૧ આત્મજાગૃતિ પ્રાપ્ત કરવા પુરુષાર્થ વિશેષ વિશેષ કરતા રહો એવી ભલામણ છેજી. ‘તરવજ્ઞાન માંથી કાવ્ય બને તેટલાં મુખપાઠ કરવાને લક્ષ રાખશે તે આગળ ઉપર વિશેષ ઉપયોગી થઈ પડશે. ત્યાં તમને વાંચવા વિચારવાને વખત મળી શકતો હોય તે એકાદ કલાક ભક્તિ કરવી, એકાદ કલાક વાચન કરવું, પા-અડધો કલાક કંઈક નવું શીખવામાં (મુખપાઠ કરવામાં) ગાળ, અડધા કલાક મુખપાઠ થઈ ગયુ હોય તે જ ફેરવી જવામાં ગાળ. આમ વખત બચાવીને પરમપુરુષના વચનમાં વૃત્તિ જોડતા રહેશે તે ઘણો લાભ થશે. અને કોઈ કોઈ વખત અઠવાડિયામાં મળવાનું રાખે તે વાચન-વિચાર સત્સંગે રસિક બને. તે યોગ ન બને તેમ હોય તે એકલા પણ પુરુષાર્થ કર્તવ્ય છે. ધન તે પ્રારબ્ધ પ્રમાણે મળે છે, પણ ભક્તિ આદિ અત્યારના પુરુષાર્થને આધીન છે. કરવા ધારીએ તે થઈ શકે અને જે ન કરીએ તે આટલા કાળ સુધી તે કામ જેમ પડી રહ્યું હતું તેમ પડી રહે. મોક્ષમાળા પુસ્તક તમે પહેલાં વાંચવા લઈ ગયા હતા, પણ તે વખતે આવી ભક્તિની ગરજ જાગી નહતી એટલે ઉપલક વંચાયું હશે. હવે ત્યાં તે પુસ્તક કાળજીપૂર્વક વાંચશે તે તેમાં ઘણી શિખામણ આપણા જીવનને ઉપયોગી થાય તેવી છે. જ્ઞાનવૃદ્ધિ અને સદાચરણ બનેથી જીવન ઉન્નત થાય છે તે લક્ષ રાખી જીવન સુખી બનાવવા પુરુષાર્થ કર્તવ્ય છે . ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૬૫૫ અગાસ, વૈશાખ વદ ૫, ૨૦૦૨ તત્ ૐ સત્ ગયા પત્રમાં “જાગ્રતમાં જેમ જેમ ઉપગનું શુદ્ધપણું થાય, તેમ તેમ રવદશાનું પરિક્ષણપણું સંભવે” (૬૨૨) એ વાક્યના પરમાર્થ સંબંધી પૂછ્યું તે વિષે જણાવવાનું કે પરમકૃપાળુદેવના હૃદયમાં જે વાત રહી છે તે સત્ય છે. “ઉપગ શુદ્ધ કરવા આ જગતના સંક૯પ વિકલ્પને ભૂલી જજે.” (૩૭) આટલું એક પત્રમાં લખ્યું છે તે કરતા રહેવાની જરૂર છે. “અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલે એ જીવને અહંભાવ, મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે. તે સ્વપ્નદશાથી રહિત માત્ર પિતાનું સ્વરૂપ છે, એમ જે જીવ પરિણામ કરે, તે સહજમાત્રમાં તે જાગ્રત થઈ સમ્યકૃદર્શનને પ્રાપ્ત થાય, સમ્યક્દર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે.” (૪૩) આ વાકયોના અનુસંધાને વિચાર કરવા વિનંતી છે. નમેહ વ્યતીત થઈ ઊપજે છે જે, દેહ ભિન્ન કેવળ ચૈતન્યનું જ્ઞાન જે તેથી પ્રક્ષણ ચારિત્રમોહ વિકિ, વર્તે એવું શુદ્ધસ્વરૃપનું ધ્યાન — અપૂર્વ અવસર એ ક્યારે આવશે ?” જ્ઞાની પુરુષનાં સર્વ વચને એક આત્મા દર્શાવવા અર્થે છે તે લક્ષ રાખી વાંચવા-વિચારવાનું થશે તે હિતકારી છે. આત્માથે તે વચનેના અવલંબને જે પુરુષાર્થ થશે તે સવળો થ સંભવે છેજી. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #607 -------------------------------------------------------------------------- ________________ મેલામૃત ૫૬ અગાસ, વૈશાખ વદ ૭, ગુરુ, ૨૦૦૨ આપનો પત્ર મળ્યા. એકલે હાથે બધા બન્ને ઉપાડવાનું થતું હોય તે પોતાની શક્તિ વિચારી તે કામ હાથ ધરવું. કામ સારું હેાય તેપણુ શક્તિ વિચારીને કરવું. ચિત્ત વૈરાગ્યયુક્ત રહે તેવી વિચારણા કરતા રહેવા વિનંતી છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૫૨ ૬૫૭ અગાસ, તા. ૨૫-૫-૪૬ વિરહના વખતમાં તમે પુરુષાર્થ કરી કાળનેા સદુપયોગ કરે છે જાણી પ્રમાદ થયેા છેજી. પ્રમાદમાં વખત ન જાય અને પ. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ જે કઈ મુખપાઠ કરાવ્યું હાય, તેમણે ખાસ ખેલાવીને વાત કરી હોય તે વારવાર વિચારી, યાદ લાવી તેના અમલ કરવાને લાગ આવ્યે છે તે વ્યર્થ વહી ન જાય. અસંગ, અપ્રતિબંધ, ક્ષમા, ધીરજ, સહનશીલતા, જાગ્રત થા, જાગ્રત થા વગેરે શબ્દોના રણકારા વિશેષ વિચાર પ્રેરે અને જીવને વૈરાગ્યમાં વૃદ્ધિ કરાવી ઉન્નતિ પ્રેરે તેમ હવે તા થવું જોઈ એ. નાનાં છેકરાં વખત જતાં ચાલતાં, ખેલતાં, ભણતાં શીખીને વ્યવહારકુશળ બને છે; તેા મુમુક્ષુ જીવે હવે પુરુષાર્થ કરી, વિશેષ વીર્ય ફેરવી અતીન્દ્રિય સુખ, જ્ઞાન, શાંતિ પ્રાપ્ત કરવા ભાવના કબ્ય છે. તેવા પુરુષાર્થ વિના સત્પુરુષનું સાચું ઓળખાણ થવું દેહ્યલું છે”. ૐ શાંતિ: શાંતિ: શાંતિ: ૬૫૮ અગાસ, વૈશાખ વદ ૯, શનિ, ૨૦૦૨ પરમકૃપાળુદેવની ભક્તિ, તેનાં વચનામૃત અને તેમણે જણાવેલી શિખામણ પ્રમાણે વૈરાગ્ય, ઉપશમ, વિવેકવિચારથી વર્તવાથી જીવનું કલ્યાણ છેજી. હું કંઈ ન જાણું, પરંતુ પરમકૃપાળુદેવે આત્મા જાણ્યા છે તેવા મારા આત્મા છે એવી માન્યતા મારે કરવી છે. બીજી કેઈ કલ્પના કરવી નથી. એની આજ્ઞા ઉઠાવવાના મારા ભાવ છે. અસ'ગ, અપ્રતિબંધ, અપ્રમત્ત આત્મસ્વરૂપ જ્ઞાનીએ અનુભવ્યું છે, ઉપદેશ્યું છે તે રત્નત્રયરૂપ સહજ આત્મસ્વરૂપની હું તેા ભાવના અત્યારે કરું છું. આવી. જ્ઞાનીએ ભાવી છે તેવી – આત્મભાવના મારે ભાવવી છે, એમ ચિંતવન-શ્રદ્ધા કવ્ય છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ - ૬૫૯ અગાસ, તા. ૨૮-૫-૪૬ આપનું કાર્ડ મળ્યું છે. ‘જેવી ષ્ટિ તેવી સૃષ્ટિ' એમ પ્રચલિત કહેવત છે, તેા આપણે પરમકૃપાળુદેવના અનુયાયી હેાઈએ તે અલૌકિક દૃષ્ટિનું બળ વિશેષ રાખવું. તે સિવાય બીજામાં ખેંચાવા જેવું નથી, નહીં તેા આપણું કરવાનું રહી જશે. આમ સ્ફુરવાથી લખ્યું છે તે વિચારશેાજી. ૬૬૦ અગાસ, તા. ૩૧-૫-૪૬ જેઠ સુદ ૧, શુક્ર, ૨૦૦૨ તત્ સત્ “હું પામર શું કરી શકું? એવા નથી વિવેક; ચરણુ શરણુ ધીરજ નથી, મરણ સુધીની છેક.”—શ્રીમદ્ ાજચંદ્ર આપને પત્ર મળેલ છેજી. આપે સ્તવનની ૪ કડી વિષે પુછાવ્યું છે તે મહુ વિચારવા જેવી છેજી. ટૂંકામાં ભાવાર્થ નીચે પ્રમાણે સમજાય છેજી Page #608 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૫૮૩ નમિ નમિ નમિ નમિ વનવું, સુગુણ સ્વામી જિર્ણદ નાથ રે ફેય સકળ જાણુગ તુમે, પ્રભુજી જ્ઞાનદિણંદ નાથ રે. નમિ૧ ભાવાર્થ – અત્યંત નમ્રભાવે વારંવાર શ્રી સ્વામીપ્રભ સર્વજ્ઞ ભગવંત ગતચોવીસીના ૧૧માં તીર્થકરને વંદન કરી શ્રી દેવચંદ્રજી મહારાજ (આપણી વતી) વિનંતી કરે છેઃ હે સર્વજ્ઞા સ્વામીજી! આપ તે કેવળજ્ઞાનરૂપી સૂર્યના પ્રકાશમાં સર્વ જાણી શકાય તેવા પદાર્થોને જાણ રહ્યા છે, તે મારા અંતરની વાત આપનાથી છૂપી કેવી રીતે રહે? એટલે વગર કો મારી વાત જાણે છે છતાં પૂછું છું કે વર્તમાન એ જીવની, એવી પરિણતિ કેમ નાથ રે, જાણું હેય વિભાવને, પિણ નવિ છૂટે પ્રેમ નાથ રે. નમિ ૨ ભાવાર્થ – અત્યારે આ જીવની આવી અશુદ્ધ પરિણતિ, સંસારભાવમાં જીવ પરિણમે છે તેનું શું કારણ છે? વિભાવ માત્ર તજવા યોગ્ય છે એમ જાણું છું, પણ તેમાંથી પ્રીતિ કેમ ઊઠી જતી નથી? પર પરિણતિ રસ રંગતા, પર ગ્રાહક્તા ભાવ નાથ રે, પર કરતા પર ભેગતા, શ્વે થયો એહ સ્વભાવ નાથ રે. નમિ. ૩ ભાવાર્થ – જીવને પ્રેમ શામાં છે તે કહી બતાવે છે. શુદ્ધ આત્મા સિવાયના બીજા પર પદાર્થો અને વિભા પ્રત્યે જીવ પરિણમી જાય છે અને તેમાં રાચે છે; પરને ગ્રહણ કરવાના ભાવ રાખે છે; પરવસ્તુને કર્તા અને પારદ્રવ્યને ભક્તા બની પોતાના શુદ્ધ ભાવનું કર્તાપણું, ભક્તાપણું ભૂલી રહ્યો છે એ કે સ્વભાવ છવને પડી ગયું છે તે સમજાતું નથી. વિષય કષાય અશુદ્ધતા, ન ઘટે એ નિરધાર નાથ રે; તોપણ વંછું તેહને, કિમ તરીએ સંસાર નાથ રે. નમિ. ૪ ભાવાર્થ –રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ આ પાંચ વિષયે અને તેને નિમિત્તે જીવમાં ક્રોધ, માન, માયા, લેભ, હાસ્ય, રતિ, અરતિ, ભય, શેક, જુગુપ્સા અને ત્રણ વેદરૂપ કષાયનેકષાય વડે જીવ મેલે થઈ રહ્યો છે તે જીવની શોભા નથી. એને એમ કરવું તત ગેરવાજબી છે. તેમ છતાં તે પુદ્ગલની એઠને ઈચ્છું તે જીવની શુદ્ધતારૂપ મોક્ષની પ્રાપ્તિ અને મલિનતારૂપ સંસારને નાશ કેમ થાય? એવી ભગવંત આગળ તે દોષ જવા અને શુદ્ધભાવ પ્રાપ્ત થવા વિનંતી કરી છેજી. “આણા આરાધન વિના, કિમ ગુણસિદ્ધિ થાય ?” જે સ્વરૂપ સમજ્યા વિના, પાયે દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્દગુરુ ભગવંત.” એમાં પ્રથમ જણાવ્યું કે અનંતકાળથી જીવ અનંત દુઃખ વેઠતે આવ્યા છે, તેમાંના આ ભવની વાત જ જીવ વિચારે કે ગર્ભમાં કેટલાં બધાં દુઃખ વેઠ્યાં; પણ પરવશતા અને બેભાનપણું હોવાથી તે ભૂલી પણ ગયા. બાળપણમાં પણ બોલતાં-ચાલતાં, ખાતાં-પીતાં આવડતું નહોતું, માખી પણ ઉપાડી શકે નહીં તેવી પરાધીન દશામાં જીવે ઘણું સહન કર્યું છે. પછી કંઈ સમજ આવી તે પણ અવિચારદશામાં કુટાતા-પિટાતાં કંઈક ભણીને કામ શીખીને અહંકાર પિળે. મારું તારું, વિષયકષાય અને અજ્ઞાનદશાના ભય, શેક, કલ્પનાના તરંગમાં તણાતાં પૂર્વ પુણ્યના ઉદયે સદ્દગુરુને યોગ, તેની આજ્ઞા, સમાગમ, સેવાને વેગ બનતાં જીવની Page #609 -------------------------------------------------------------------------- ________________ ૫૮૪ બેધામૃત ભાવના કાંઈક પલટાઈ ત્યારે આ ભવની સ`કુચિત ષ્ટિ છૂટી ભવાભવનાં દુઃખ અને ભવિષ્યમાં મેક્ષ નહીં થાય ત્યાં સુધીના પરિભ્રમણને વિચાર જાગ્યા અને તેની (સદ્ગુરુની) આજ્ઞા સિવાય ખીજો કોઈ તરવાના ઉપાય નથી એમ લાગ્યું ત્યારે તે આરાધવા ભણી જીવને ગરજ જાગી. પણ પૂર્વે અભ્યાસી મૂકેલી સ'જ્ઞાએ હજી જીવને હેરાન કરે છે. તેના તરફ કટાક્ષષ્ટિ રાખી, તેને દુશ્મન જાણી, આ શરીરને પણ ઝેર, ઝેર, ઝેર જેવું ગણી તેવાં બીજાં કેદખાનામાં ન પડવું પડે તે અર્થે આત્મભાવના' ક`વ્ય છેજી. શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવા નિગ્રંથમાગ ના સદાય આશ્રય રહેા. હું દેહાદિસ્વરૂપ નથી અને દેહ, સ્ત્રી, પુત્રાદિ કોઈ પણ મારાં નથી. શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવે! હું આત્મા છું એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનેા ક્ષય થાય.” (૬૯૨) આ અભ્યાસ વાર'વાર કરવા પરમકૃપાળુદેવની શિખામણ છે, તે લક્ષમાં રહ્યા કરે તેમ ક`વ્ય છેજી. જીભમાં કે ગળામાં કંઈ દુ:ખાવા થાય ત્યારે જેમ નછૂટકે ખેલે છે, ઇશારતથી ચલાવી લે છે, તેમ કર્મ બંધાય તેવાં નિમિત્તોમાં વિચારવાન જીવ ખેલતાં પહેલાં ડરે છે. રખેને મને કે સાંભળનારને કષાયની પ્રેરણા થાય અને બન્નેને ક`બંધનું કારણ થાય. માટે જ્યાં સુધી મનમાં શાંતભાવની ખાતરી ન થાય ત્યાં સુધી વચનને મુખમાંથી બહાર નીકળવા નથી દેવું એવા લક્ષ રહે કે પરમકૃપાળુદેવનું શરણુ સંભારી વચન ખેલવું છે એવા લક્ષ રહે તે જીવ અ‘કુશમાં રહે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ દાહરા - ૬૬૧ તત્ સત્ કેમ મુમુક્ષુતા ટકે, જો ઇચ્છા ના જાય; ડગલે ડગલે દુ:ખ છે, જો મન વશ ના થાય. અગાસ, તા. ૨-૬-૪૬ જેઠ સુદ ૩, રવિ, ૨૦૦૨ “આખા લેાક ત્રિવિધ તાપથી બન્યા કરે છે'' એમ પરમકૃપાળુદેવે કહ્યું છે તે જીવ વિચાર કરે તે સમજાય એવું છે અને આ કાળમાં તે જ્યાં જુએ ત્યાં પ્રત્યક્ષ દુઃખ, દુઃખ ને દુઃખ જ નજરે ચઢે છે. છતાં જીવને એ દુઃખમાં કે તેની પાછળ સુખ માનવાની ટેવ પડી ગઈ છે તેથી છૂટવાની ઇચ્છા થતી નથી. કોઈ મહાભાગ્યશાળીને સત્પુરુષના યાગ થયા હોય, તેના ઉપર અને તેનાં વચના ઉપર પરમ પ્રેમ થયેા હોય, શ્રદ્ધા ચાંટી હાય તેા તે તેવાં દુ:ખના ઘેરાવામાં પણ ઇચ્છા તેા ચાતક પક્ષીની પેઠે આકાશમાંથી પડતા પાણીની કરે પણ ગંગાજળ જેવું પવિત્ર ગણાતું હોય, અખૂટ પાણી હોય તેપણુ તેમાં ચાંચ સરખી ખેાળે નહીં. તેમ આ સ'સાર જેને પ્રિય ગણે છે એવા ધન આદિના લાભ થતા હોય, કીતિ વધતી હાય, રાજાનું માન મળતું હોય છતાં સ`સારમાં જણાતાં સુખ તેની દૃષ્ટિમાં અભાગ્ય સમજાય છે, તેનું મન ત્યાં ઘડીભર શાંતિ માનવા ઇચ્છતું નથી. “એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત્ દુઃખ તે સુખ નહીં.” જેની પાછળ દુઃખ આવે તેવાં સુખના વિશ્વાસ વિચારવાન જીવ કરતા નથી. અત્યારે આપણે નજરે જોઈ એ છીએ કે તમારા નગરમાં કેટલાય પૈસાદાર ગણાતા દેવાદાર થઈ ગયા, કેટલાય જુવાન યાદ્ધા જેવા રાગી થઈ ગયા, કેટલીય સૌભાગ્યવતી સ્ત્રીઓ વિધવા થઈ ગઈ; એમ અનેક અધૂરાં કામ મૂકી મરણ આવતાં ચાલ્યા જતા નજરે જોઈ એ છીએ. સગાંવહાલાં મરનારની Page #610 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૫૮૫ ઉત્તરક્રિયા કરી તેણે પાપ કરી કમાવેલું ધન વહેંચી લે છે અને મોજ કરે છે, પણ જેણે પાપ કર્યું હોય તેને એકલાને તેનાં ફળ ભેગવવાં પડે છે, દુર્ગતિમાં ત્રાસ વેઠવો પડે છે. આવી વાતે વારંવાર વિચારી પરમપુરુષ પરમકૃપાળુશ્રીએ જે છૂટવાને માર્ગ બતાવ્યો છે, ભક્તિ, સ્મરણ આદિ આજ્ઞા આપી છે તેનું શરણુ બળવાનપણે ગ્રહીશું તે જરૂર આત્મહિત થશે અને હજી જે ગાફેલ રહીશું તે માર ખાઈશું. માટે જે કંઈ કરતા હોઈએ વીસ દોહા, ક્ષમાપના, આત્મસિદ્ધિ, છપદને પત્ર, સ્મરણમંત્ર આદિ, તેમાં ભાવ વધે તેમ કર્તવ્ય છે. કઈ દવા ખાય તે સાથે અનુપાન કે ચરી પાળે છે, તેમ જ્ઞાનીની આજ્ઞા સાથે ભાવ એ ઉત્તમ અનુપાન છે તેની વૃદ્ધિ કરવા પ્રતિદિન પ્રયત્ન કર્તવ્ય છે. સંસારજાળમાંથી મુક્ત થવાની ભાવના પ્રતિકૂળ સંગોમાં પણ મંદ ન પડે, ઊલટે વૈરાગ્ય વધે તેવું બળ વાંચન-વિચાર-ભક્તિથી મેળવતા રહેવા વિનંતી છે.જી. છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૫-૬-૪૬ તત્ સત્ જેઠ સુદ ૫, ૨૦૦૨ ખેદના પ્રસંગમાં પણ પુરુષ પ્રત્યે, તેમનાં વચનામૃત પ્રત્યે જેટલી શ્રદ્ધા જીવને પ્રગટી છે, તેટલું તે કામ જરૂર કરે છે. આત્મા છે, નિત્ય છે એમ જેને દઢ થયું છે તેને દેહને તે શેક કર્તવ્ય નથી. અને આત્મા અજર અમર અવિનાશી દેહાતીત છે એવી ભાવના કરનાર, પુત્ર આદિ કલ્પિત પદાર્થોમાં હર્ષશેક ન કરે, થાય તે તેને ભૂલ માને. આ ભૂલ અવશ્ય ટાળવી છે એ દઢ નિશ્ચય કરે અને બનેલા પ્રસંગને પિતાને આગળ વધવાનું નિમિત્ત બનાવે. સદ્દગતનાં માતુશ્રીને પણ ધીરજ આપશે અને પત્રાંક ૫૧૦ બંધવૃત્તિ સંબંધી વાંચી સંભળાવશે તથા થાય તે મુખપાઠ કરવા સૂચવશે. બધાં મુમુક્ષુ ભાઈબહેનેને એ પત્ર જાણે પિતાના ઉપર જ પરમકૃપાળુદેવે લખે છે એમ માની તેમાં કહેલી વાત લક્ષમાં લેવા યોગ્ય છે. પ્રસંગ પશે જે ભૂલ દટાઈ રહી હોય તે પ્રગટ થાય છે. જેમ ક્રોધને પ્રસંગ ન હોય ત્યાં સુધી કોઇ ન જણાય પણ તે પ્રસંગ પડયે ક્રોધ કેટલે અંશે નરમ પડ્યો છે તે જાણી શકાય છે તેમ બંધવૃત્તિઓને તપાસી તપાસી તેને દૂર કરવાને પુરુષાર્થ સર્વ મુમુક્ષુજીએ કર્તવ્ય છેજ. ધીરજ, સમતા, ક્ષમા, સમાધિમરણ એ બોલે વારંવાર વિચારી તે ભાવ હૃદયગત થાય તેમ કર્તવ્ય છે. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, જેઠ સુદ ૮, ૨૦૦૨ “નહિ બનવાનું નહિ બને, બનવું વ્યર્થ ન થાય; કાં એ ઔષધ ન પીજીએ, જેથી ચિંતા જાય ?” પરમકૃપાળુદેવે પણ કહ્યું છે કે “કઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા ગ્ય નથી.” (૪૬૦) સંસારમાં જન્મીને આજ દિન પર્યત છે જે ગડમથલ કરી છે તેને હિસાબ કાઢે તે સરવાળે દુઃખ, દુઃખ ને દુખ જ જણાય તેમ છે. સર્વ બાજુથી જ્ઞાનીપુરુષેએ વિચાર કરીને નિર્ણય કર્યો છે કે સંસાર એકાંત દુઃખરૂપ છે, એકાંત શેકરૂપ છે, અસાર છે, ભયંકર Page #611 -------------------------------------------------------------------------- ________________ ૫૮૬ આધામૃત છે, માહની જાળરૂપ છે, રાગદ્વેષના ફળથી પ્રગટ ખળતા છે. તેમાં વળી આ કળિકાળમાં તે જ્યાં જુએ ત્યાં ક્લેશ, દુઃખ અને ઉપાધિથી જીવા બળી રહ્યા છે. સ'સારનું સ્વરૂપ વિચારવાને અને સમજવાના ચાગ દુઃખના પ્રસ`ગ છે. સુખના પ્રસંગમાં વિચાર આવવા મુશ્કેલ છે. સત્સ`ગે ક'ઈ સાંભળીને વિચાર કરવા જાય પણ સંસારની અનુકૂળતા આગળ અસારતા ભાસવી બહુ કઠણુ છે. પરંતુ આવા પ્રસંગે જેમ જ્ઞાનીઓએ સંસારનું સ્વરૂપ ઘણા વિચાર કરી નિશ્ચિત કર્યુ છે તેવું ભાસવા સંભવ છે. કારણ કે વૈરાગ્યના પ્રસંગેા મેહને મંદ કરે છે, તે વખતે દુઃખને સુખ માનવાની ભ્રાંતિ ખસવા લાગે છે અને જ્ઞાનીનાં વચના મીઠાં લાગે છે. તે મહાપુરુષે અનંત દયા લાવીને જે ખેાધ આ જીવને જાગ્રત કરવા કર્યાં છે, તેનેા ઉપકાર જીવને સમજાય છે અને અનંતકાળથી જન્મ-મરણ, જન્મ-મરણ કરી રહેલા આ જીવની યા જાગે છે અને હવે એ જન્મમરણની પર‘પરાનાં દુઃખ દૂર થાય તેવી દવા જ્ઞાની ગુરુએ જણાવી છે તે ભાવ ગરજ રાખીને સેવે છે અને તે સ'સારના આંટા ઉકેલવા પુરુષાર્થ ખમણા ખળથી કરે છેજી. તે કેવા પ્રકારે ? “શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવા નિગ્રંથ માના સદાય આશ્રય રહેા. હું દેદ્ગાદિ સ્વરૂપ નથી અને દેહ-સ્ત્ર-પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવા હું આત્મા છું એમ આત્મભાવના કરતાં રાગદ્વેષને ક્ષય થાય.” (૬૯૨) “આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે.” છે દેહાદ્ધિથી ભિન્ન આતમા રે, ઉપયાગી સત્તા અવિનાશ; મૂળ૦ એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. મૂળ’ નિત્યનિયમ – વીસ દોહરા, ક્ષમાપનાના પાઠ, યમનિયમ અને મંત્રનું સ્મરણ કદી એક દિવસ પણ ન ભુલાય તે કાળજી રાખી વતાં, ખેદ નહીં કરતાં શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં મેાક્ષ સુલભ છે. ૐ શાંતિ: શાંતિ: શાંતિ: ૬૬૪ ગાસ, તા. ૮-}-૪ જેઠ સુદ -, શિન, ૨૦૦૨ તત્ સત્ જેમ ખહાર જીવનવ્યવહારમાં મુશ્કેલીથી જીવ મૂંઝાય છે, તેવી 'ઝવણ જીવને પોતાના હિતને અર્થે, જન્મમરણ ટાળવાને અર્થે જ્યારે જાગશે ત્યારે જીવ જાગ્યા કહેવાશે. હજી તે દેહાદ્ધિ સયેાગામાં તલ્લીન થઈ ને પેાતાને ભૂલી રહ્યો છે. તે ભાન પ્રગટવા અર્થે હે ભગવાન ! હું બહુ ભૂલી ગયેા' વગેરે જ્ઞાનીપુરુષાનાં અમૂલ્ય વચના જીવને જાગૃતિ આપે તેવાં રાજ તેની આજ્ઞાએ અત્યંત પ્રેમે ઉપાસવા ચેાગ્ય છેજી. પ્રમાદ અને એકાળજી તે કામ કરવા દેતાં નથી કે વિન્ન કર્યાં કરે છે; તેને દૂર કરી જાગૃતિની ભાવના નિરંતર કરતા રહેવાની જરૂર છેજી. કંઈ કઈ નવું શીખત! રહેવાની જરૂર છે; જે શીખ્યા હાઈ એ તેના વિચાર થવા અર્થે અને તેની વિસ્મૃતિ ન થાય તે અર્થે પણ વારવાર ફેરવતા રહેવાની પણ જરૂર છે. પરમકૃપાળુદેવ જણાવે છે કે ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિ એ સહજ સ્વભાવરૂપ કરી મૂકવા વિના જીવને આત્મગુણુ કેમ પ્રગટે ? એ ભાવ વારવાર વિચારી મમતાભાવ ઘટાડવા ઘટે છેજી. તથા કષાય મદ કરી ભક્તિમાં મનને તલ્લીન કરતા રહેવાની જરૂર છેજી. આત્મહિત કરવું ાય તેણે તે જે જે Page #612 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૫૮૭ કામ કર્યા વિના છટકો નથી, તે તે પતાવી દઈ બાકને બચતે વખત જ્ઞાની પુરુષનાં વચને વાંચવા, વિચારવા, ગોખવા કે ફેરવવામાં વૃત્તિ જોડી રાખે તે મનનું કર્મ બાંધવાનું કામ મંદ પડે અને આત્માને શાંતિનું કારણ બને. રાતદિવસ જીવ કર્મ બાંધ્યા કરે છે તેનાં ફળ પિતાને જ ભેગવવાં પડશે એમ વિચારી આ આત્માની દયા ખાવી ઘટે છે. મનુષ્યભવમાં જ્ઞાની પુરુષની આજ્ઞા ઉઠાવવાને લાગ જે મળે છે તે બીજા કોઈ ભવમાં મળી શકવો દુર્લભ છે એમ જ્ઞાની પુરુષે પિકારી પિકારીને કહે છે પણ જીવ તે તરફ લક્ષ રાખતો નથી અને જે કર્યા વિના ચાલી શકે તેવાં કામને આગળ કરીને તેમાં બેટી થઈ રહ્યો છે. આ ભવમાં જ બની શકે તેવું કામ ધકેલ ધકેલ કરવા યોગ્ય નથી પણ “ધર્મના કામમાં ઢીલ ન કરવી” એવી કહેવત છે તે સંભારી તે પ્રમાણે વર્તન કરી લેવું ઘટે છે. | # શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૬૬૫ અમાસ, તા. ૮-૬-૪૬ તત્ ૐ સત જેઠ સુદ ૯, શનિ, ૨૦૦૨ વિ. આપને પત્ર આજે મળે. વાંચી વિગત જાણી છેજ. જેમ ચાલતા ઊંટ ઉપર બેઠેલા માણસને સ્થિર રહેવું મુશ્કેલ છે તેમ સંસારનાં કાર્યો કરતાં છતાં સ્થિરતા સાધવી અત્યંત મુશ્કેલ છે. પરમકૃપાળુદેવ જેવા આત્મજ્ઞાની અને પુર્વના આરાધક મહાત્મા પણ નિરંતર આ ઉપાધિયોગથી છૂટવાની ભાવના મોટા પુસ્તકમાં વારંવાર જણાવે છે, તે આ જીવે તે તે ભાવ ભૂલવા ગ્ય નથી. નિમિત્તાધીન જીવ છે તેથી જેવાં નિમિત્ત મળે તેવા ભાવ થઈ જાય છે અને તેમાં જ પરિણમી જાય છે. માટે મુમુક્ષુવે પૂર્વે બાંધેલાં કર્ણ ભગવતી વખતે અત્યંત અત્યંત જાગૃતિ અને વિભાવને ડર રાખવે ઘટે છે. “પગ મૂકતાં પાપ છે, જેમાં ઝેર છે, અને માથે મરણ રહ્યું છે એ વિચારી આજના દિવસમાં પ્રવેશ કર.” એવું પુષ્પમાળામાં પરમકૃપાળુદેવ કહે છે તે હૃદયમાં કેતરી રાખવા યોગ્ય છે. “નિરંતર ઉદાસીનતાને ક્રમ સેવો” (૧૭૨) વગેરે આત્મહિતને ઈચ્છનારે સહજ કરી મૂકવાની શિખામણ જ્ઞાની પુરુષે આપે છે, અને આ જીવ બહેરે કે બેભાન હોય તેમ તે પ્રત્યે બેદરકાર રહે તે પરિણામ કેવું આવે? માટે સત્સંગના વિયેગમાં સલ્ફાસ્ત્રને પરિચય વિશેષ કરવાની કાળજી દિનપ્રતિદિન વધતી જાય તેમ કર્તવ્ય છે. ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજી કહેતા કે સાંભળ સાંભળ કર. તેમ તે જોગ ન હોય ત્યારે જીવે વાંચવું વિચારવું કંઈ કંઈ સ્મૃતિમાં રહે તેવું ગેખવું, ગોખેલું ફેરવી જવું, ભક્તિભાવના અર્થે અવકાશ બળ કરીને પણ મેળવતા રહેવું, તે કંઈ ને કંઈ અસર થયા વિના નહીં રહે. શું થશે? કેમ કરવું? માથે બે છે એવા ભાવે દૂર કરી થાય તેટલું કરી છૂટવું પણ તેના વિચારો વધારે વખત મગજમાં આવી ઘર ન કરી બેસે તે સંભાળતા રહેવાની જરૂર છે. ફિકર કર્યો કંઈ બનતું નથી. પ્રારબ્ધ પ્રમાણે અત્યારે તે મોટે ભાગે લાભહાનિ જણાય છે. પુણ્ય વિના કોઈને લાભ થ નથી. પુણ્ય પ્રમાણે તેને સવળી મતિ સૂઝે છે. પાપને ઉદય હોય ત્યારે અવળું જ કરવા જીવ પ્રેરાય છે. પણ તે બધા પ્રસંગમાં હર્ષ-વિષાદ મંદ કરવા જીવ ધારે તે થઈ શકે તેમ છે. મુશ્કેલી છે પણ પરમકૃપાળુદેવે કરી બતાવ્યું છે અને એ જ Page #613 -------------------------------------------------------------------------- ________________ ૫૮૮ બેધામૃત શિખામણ આપી છે કે “બાહ્યભાવે જગતમાં (ઉપાધિમાં) વર્તી અને અંતરંગમાં એકાંત શીતલીભૂત-નિર્લેપ રહે.” (૭૨) આ લક્ષ પ્રસંગે પ્રસંગે જીવ સંભારે તે ઉદાસીનતા જન્મ. લક્ષ ન લે તે ડાહ્યો શાને ? સમજવા જેવું પરમકૃપાળુદેવે જે કહ્યું હોય તે જરૂર કરવું છે એ દઢ નિશ્ચય કર્તવ્ય છે અને યથાશક્તિ તે લક્ષ પ્રમાણે પ્રવર્તવા પુરુષાર્થ કર્તવ્ય છે. જેને જેટલી ગરજ જાગી હશે તેટલા પ્રમાણમાં પરમકૃપાળુદેવની શિખામણ હદયમાં રાખશે. તે સિવાય કેઈ બીજે બચવાના ઉપાય નથી. શુભ શીતળતામય છાંય રહી, મનવાંછિત જ્યાં ફળ-પંક્તિ કહી; જિન ભક્તિ ગ્રહો તરુકલ્પ અહ, ભજીને ભગવંત ભવંત લહે.” શ્રીમદ્ રાજચંદ્ર અગાસ, તા. ૨૬-૬-૪૬ તત્ સત્ર જેઠ વદ ૧૨, બુધ, ૨૦૦૨ વંદન સદ્દગુરુ પાદપમાં પુનિત પ્રેમ સહ કર્યા કરું, ચકર-ચિત્ત સમ રાજચંદ્ર ગુરુ, હુંય નિરંતર ઉર ધરું; વિષય-વિરેચક વચનામૃત તુજ, અંતર્ણોધ થવા ઊંચરું, વારંવાર વિચારી આજ્ઞા ઉઠાવવા પુરુષાર્થ કરું. (પ્રજ્ઞાવર્ષ ૨૦) પૂર્વે જીવે જેવું કોકડું વીંચ્યું છે તેવું જ ઊકલે છે, એમાં કઈને દોષ નથી. અત્યારે સપુરુષાર્થ કરીશું કે ભાવના કરીશું તેનું ફળ સારું જ આવશે એ નિઃસંદેહ વાત છે. ફળની જેટલી ઉતાવળ જીવ કરે છે તેટલી અધીરજ ઊભરાય છે. ખેતરમાં વાવે કે તરત ઊગતું નથી. સદ્દગુરુશરણે ધીરજ રાખી પુરુષાર્થમાં મંડ્યા રહેવું. નિષ્ફળતા તરફ લક્ષ રાખવા યોગ્ય નથી, કારણ કે તે તે પૂર્વ પ્રારબ્ધનું ફળ છે. જે થાય તે જોયા કરવું. જેમાંથી જેટલું બને તેટલું કરી છૂટવું. શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૪-૭-૪૬ તત કે સત અષાઢ સુદ ૬, ગુરુ, ૨૦૦૨ “સર્વજ્ઞને ધર્મ સુશર્ણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણ; અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કોઈ ન બાંહ્ય હાશે.”–શ્રીમદ્ રાજચંદ્ર વિ. આપને પત્ર મળે. પૂ ને નિકટના સગાના મરણને કારણે શક રહ્યા કરે છે એમ લખ્યું તે જાણ્યું. એક મહાત્મા લખે છે: “મેહાધીને જીવેએ જ્યાં જ્યાં વિશ્વાસ કર્યો છે, તેથી બીજું કોઈ ભયભર્યું સ્થાન તેને માટે નથી અને જ્યાંથી તેને ભયની શંકાએ થયા કરે છે તેથી બીજું તેને નિર્ભય થવાનું સ્થાન નથી. એટલે જીવે મેહવશે આ મારા ભાઈ, આ મારી મા, આ મારા પતિ, આ મારાં સંતાન એમ માન્યું છે, તે બધાં સુખનાં કારણ છે એમ માન્યું છે, ત્યાં જ દુઃખ આવીને વસે છે અને વિયેગાદિ કારણે તે પિતાનું પિત પ્રકાશે છે. અમદાવાદમાં હુલ્લડ થયું કે પરદેશમાં બેમ્બથી હોનારત થઈ તેમાં કેટલા બધા માણસેનાં પ્રાણ ગયા, કેટલીય બહેનેના ભાઈ કેટલીય માતાનાં સંતાન, કેટલીય બહેનના ભાણેજ અને કેટલીય પત્નીઓના પતિઓને વિયેગ થયે, છતાં જ્યાં મારાપણું માન્યું નથી ત્યાં દુઃખ થતું Page #614 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૫૮૯ નથી. તેથી હું ને મારું એ મોહને મંત્ર છે. તેથી જગત આખું ગાંડું થઈ રહ્યું છે. તેમાંથી જેમણે સત્પરુષને આશ્રય ગ્રહી તે મંત્રને ભૂલવાને પ્રયત્ન કર્યો અને “સહજાત્મ સ્વરૂપ પરમગુરુ” એ મંત્રનું આરાધન કર્યું તેને મેહ સતાવતું નથી. જેમને મેહ સતાવે છે તેમણે હજી જોઈએ તેવું આરાધન કર્યું નથી, ખરે આશ્રય-ભક્તિમાર્ગ ગ્રહ્યો નથી, હજી સમજણમાં ખામી છે. સમજાય છે તે આત્મા છું, નિત્ય છું, કર્તા છું, ભક્તા છું, મોક્ષ છે અને મોક્ષને ઉપાય છે તે મારે આ ભવમાં આદરે છે એમ લાગે. પિતા સંબંધી ભૂલ ચાલી આવી છે તેથી દેહ છું, હું મરી જઈશ, હું શું કરું? શું ભેગવું ? મેક્ષ થાય તેમ નથી. મોક્ષને ઉપાય શું હશે ? એમ રહ્યા કરે છે તેથી પુરુષાર્થ થતું નથી. તે ભૂલને લઈને બીજાને પણ “આ મારો ભાઈ છે, તે મરી ગયો, તે શું કરશે? શું ભેગવતે હશે? તેને મેક્ષ નથી; તેને હવે કોઈ ઉપાય નથી” વગેરે કલ્પનાઓ કરે છે. પણ ખરી રીતે વિચારીએ તે તે હો ત્યારે તેણે શું તમારું હિત કર્યું, તે વધારે જીવત તે તમારું શું ભલું કરત? માત્ર જીવે તેને નિમિત્તે પિતે મેહ પિવે છે અને તેને પણ મેહના કારણરૂપ પિતે થયેલ છે. આમ જીવ પિતે મેહરૂપી ઝેર પીએ છે અને બીજાને પાય છે. એમ બન્નેનું માઠું કરવામાં જીવે મણ રાખી નથી. જગતમાં કોઈ આપણું છે નહીં અને થવાનું નથી. માત્ર એક સપુરુષે નિષ્કારણ કરુણ કરનાર જગતના સાચા મિત્ર, સાચા ભાઈ આદિ છે. તે મહાપુરુષો આપણને તારી શકે તેમ છે. તેમને વિયેગ જીવને સાલશે ત્યારે જીવનું કલ્યાણ થવું સંભવે છે. આ વાત હૈયે બેસવી અઘરી છે. તેને માટે સત્સંગની જરૂર છે. આ વાત સૌને ચેતવા જેવી છે. દષ્ટિ ફેરવવાની છે એટલું પણ આટલા ઉપરથી સમજાશે તે પણ ઘણું છે. જે કરવું છે તેને માટે પુરુષાર્થ કર ઘટે. જે આખરે આપણને રેવરાવે તેના તરફથી વૃત્તિ હઠાવી આપશુ ઉદ્ધાર તરફ લક્ષ લેવા યોગ્ય છેજી. તેની ભાવના રાખી હશે તે અનુકૂળતા આવ્યું તે કામ થઈ શકશે. ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૧૩-૭-૪૬ તત્ સત્ અષાઢ સુદ ૧૪. શનિ, ૨૦૦૨ દેહની જેટલી ચિંતા રાખે છે તેટલી નહીં પણ તેથી અનંતગણી ચિંતા આત્માની રાખ, કારણ અનંતભવ એક ભવમાં ટાળવા છે.” (૮૪) વિ. આપના બને પત્રો મળ્યા છેછે. તેમાં જે આત્મહિત અર્થે ઉત્સાહ પ્રગટ થયે છે તે જાણી આનંદ વર્તે છે. પત્રોમાં ઉત્તરની ઈચ્છા રાખી છે તે ટૂંકામાં સંતોષાય તેમ નીચે લખું છું. પહેલા પત્રમાંના પ્રશ્નો સંબંધી (૧) પાણી જેની કાયા છે એવા, ટીપાથી ઘણું નાના શરીરવાળા જીના સમૂહરૂપ, પાણી છે. મુનિઓ ઠંડા પાણીને સ્પર્શ પણ જાણી જોઈને કરતા નથી. કારણ કે શરીરની ગરમીથી પણ તેમના પ્રાણ છૂટી જાય છે. પાણીની અંદર પિરા વગેરે છે હાલતાચાલતા પણ હોય છે તથા વનસ્પતિકાયના પણ અસંખ્ય છ એક ટીપામાં હોય છે. તેથી મુનિઓ ગરમ કરેલું પાણી મળે તે પીવા વગેરે માટે વાપરે છે. જેનાથી તેમ ન પળી શકે અને Page #615 -------------------------------------------------------------------------- ________________ ૫૯૦ બેધામૃત હિંસાથી બચવું હોય તે ગૃહસ્થ પાણી ગાળીને વાપરે છે, બે ઘડીથી વધારે વાર ગાળેલું પાણી પડી રહ્યું હોય તે ફરી ગાળીને પીએ છે. જળાશયમાં નાહવા જનાર પણ વિચારવાન તે વાસણમાં ગાળીને કાંઠે બેસી નહાય પણ અંદર નદી વગેરેમાં પડે નહીં. (૨) ભાજીના મૂળમાં જીવ હોય છે, પાંદડાંમાં પણ દરેક પાંદડે જીવ હોય છે, બીજમાં પણ જુદા જુદા જીવ હોય છે. બટાટા, મૂળા, સૂરણ વગેરે જે જમીનમાં કંદરૂપ થાય છે તેમાં અનંત જીવો હોય છે. પાંદડાને આશરે કેટલીક જીવાત રહે છે. છેવાથી પણ દૂર થવી મુશ્કેલ એવી કેટલીક ભાજીમાં જીવાત હોય છે. સીંગ વગેરે ફેલીને શાક કરે તે એમ ને એમ બાફયા કરતાં શુદ્ધ ગણાય. ફૂલમાં પણ જુદા જીવ હોય છે. ફૂલના રસમાં મધના જે દોષ ગણાય. કાકડી અને રીંગણું ઘણું દેષનાં કારણ છે. આમ તમે જણાવેલી ચીજે દેલવાળી છે. માત્ર તાજી છાશ કે દહીં તેવાં નથી. એટલે એમાં જીવહિંસા નથી પણ ઊંઘ, પ્રમાદ વધારનાર મનાય છે - વિશેષ પ્રમાણમાં હોય છે. આ વાત જાણે પિતાની અનુકૂળતા શક્તિ વિચારી દેથી બને તેટલું દૂર રહેવું અને ન બને તે પ્રત્યે આસક્તિ નહીં રાખતાં તેવી શક્તિ પ્રાપ્ત થયે તે દેથી દૂર થવું છે એવી ભાવના કર્તવ્ય છે. સત્સંગની તમને ઘણી જરૂર છે પણ તે તે હિંદમાં આવવાનું બન્યું અને તેમ છે. હાલ તો મંત્રસ્મરણ વાચન વિચાર યથાશક્તિ સદ્વર્તન કરતા રહેશો. બીજા પત્રમાં તમે એક કલાક વખત મળે છે તેનો ક્રમ પુછાવ્યો છે તે નીચે પ્રમાણે જાણશોનિત્યનિયમના ત્રણ પાઠ (જિનેશવરની વાણી' સાથે) બોલવા, પછી મંત્રની પાંચ માળા બને તો સાથે જ ફેરવી લેવી. પછી છ પદનો પત્ર, કોઈ વખત તેને બદલે આત્મસિદ્ધિ શાસ્ત્રકોઈ વખત મુખપાઠ કરેલાં પદો પણ બોલવા. બીજા પુસ્તકો જે જે મંગાવ્યાં તે તે રજાના દિવસોમાં વાંચતા રહેશો તો ઉત્સાહ ટકી રહેશે. સપુરુષાર્થથી સર્વ બને છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૧૪-૭-૪ “હે જીવ! કયા ઈચ્છત હવે, હૈ ઈચ્છા દુઃખમૂલ; જબ ઈચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ.” (હા. નં. ૧-૧૨) એ દેહામાં અનાદિ ભૂલ સંબંધી “શું અને શાથી મટે ?” તે પૂછ્યું તેના ઉત્તરમાં નીચે લખું છું - જીવનું પરિભ્રમણ તૃષ્ણા, લેભ કષાયને લઈને છે. જેને તૃષ્ણા વધારે તેના ભાવ વધારે એમ પરમકૃપાળુદેવે લખ્યું છે. ઈચ્છા એ લેભનો પર્યાય છે. લેભથી સર્વ ગુણને નાશ થાય છે. લોભ પાપને બાપ કહેવાય છે. ધર્મ પામવામાં પણ દાનાદિથી જેને લેભ મંદ પડ્યો હોય તે ગણાય છે. જીવની સમજણ વિપરીત થવામાં લેભ કષાય મુખ્ય કારણ છે. અગિયારમે ગુણસ્થાને મહામુનિને પાડનાર મહ લેભનું રૂપ લે છે. જીવ શાતાને ભિખારી છે. આત્માના સસુખનું ભાન નથી થતું અને દેહાધ્યાસ ટકી રહે છે. તેમાં પણ મુખ્ય કારણ પૌદ્ગલિક સુખને લેભ છે. બાહ્ય સુખોની ઈચ્છાઓ જાય, આ લેકની અલ્પ પણ ઈરછા ન રહે તે તીવ્રમુમુક્ષુતા સદ્દગુગે પ્રગટે અને મેક્ષ થાય. જીવની મોટામાં મોટી ભૂલ કે મોટામાં મોટો દેષ તીવ્રમુમુક્ષતા કે મુમુક્ષતા નથી તે છે, અને તેને મોટો આધાર ગ્રહણ કરવાની ઇચ્છા એ છે. તે વિપરીત બુદ્ધિ કે વિપર્યાસ પણ કહેવાય છે. વૈરાગ્ય-ઉપશમની વૃદ્ધિ થયે Page #616 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધી તે વિપર્યાસબુદ્ધિ ટળે છે એટલે લક્ષ રાખી વૈરાગ્ય-ઉપશમની વૃદ્ધિ કરવા હાલ પુરુષાર્થ કર્તવ્ય છે. તેમાં નિષ્કામબુદ્ધિ કે બીજી ઈચ્છાઓનો ત્યાગ કરી “માત્ર મોક્ષ - અભિલાષ” ષિાય તેમ પુરુષાર્થ કર્તવ્ય છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૧૪-૭-૪૬ તત્ ૐ સત્ અષાઢ સુદ ૧૫, રવિ, ૨૦૦૨ પરમકૃપાળુદેવને આધાર આ ભવમાં મળે છે તે જીવનું મહદ્ ભાગ્ય છે. પત્રાંક ૬૯૨ મુખપાઠ થાય તે કર્તવ્ય છે, નહીં તે વારંવાર વાંચ. પૂ. શ્રી અંબાલાલ ખંભાતવાળા પરમકૃપાળુદેવને ગણધર તુલ્ય હતા, તેમના સાળાને અંત વખતે ઉપયોગી થયેલે એ પત્ર છે. સમાધિમરણ અર્થ શું ભાવના કરવી? પુરુષના આશ્રયનું કેટલું માહાભ્ય છે? તથા છેવટે મુમુક્ષુઓમાંથી કોઈની હાજરી હોય તે જીવના ભાવ સદ્દગુરુ-શરણે રહી શકે વગેરે સમજી, તેવી ભાવના કરતા રહેવાથી તે જ હિત આખરે પણ સમજાય અને યથાશક્તિ તે પ્રમાણે પ્રવર્તાય. ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીની દવા આદિ માવજત અર્થે મુમુક્ષુ, દાક્તરો આદિ હાજર રહેતા, પણ તેઓશ્રી કહેતા અમને દવા અને દાક્તરોની શ્રદ્ધા હોય? પિતાને પરમકૃપાળુદેવે સમજાવેલું તેની પકડ થયેલી તે જ લક્ષ અહોરાત્રિ તેમને રહે. બીજું જે થતું હોય તે થવા દેતા, પણ તે લક્ષ ચુકાય તે અમારે દેહ ન રહે એમ કહેતા. મૃત્યુને મહત્સવ માનતા અને જણાવતા હતા. ઘણી વખત, શરીર સારું હતું ત્યારે ફરવા જતા તે એકલા બેલતા, “સુખ દુઃખ મનમાં ન આણિયે, ઘટ સાથે રે ઘડિયાં, ટાળ્યાં તે કોઈનાં નવ ટળે, રઘુનાથનાં જડિયાં–સુખદુઃખ.” “આપ સમાન બળ નહીં અને મેઘ સમાન જળ નહી” એ કહેવત પણ ઉપદેશમાં ઘણી વખત જણાવતા. પ્રથમથી જે સહનશીલતા, ધીરજ, સમતા, શાંતિ જીવે સેવી હશે તે આખરે જીવને મિત્ર સમાન મદદ કરશે. માટે પહેલેથી તે અભ્યાસ પાડી મૂકવાની ટેવ રાખવી. સ્મરણમાં ચિત્ત રહ્યા કરે કે પરમકૃપાળુદેવનાં વચનને વિચાર મનમાં રહ્યા કરે એ લક્ષ રાખ્યું હશે તે આખરે બીજું કઈ વિન્ન નહીં નડે. નડે તે પણ તેમાં લક્ષ ન રહે તે અર્થે આગળથી પુરુષાર્થ કર્તવ્ય છેo.પાણી પહેલા પાળ બાંધી રાખી હોય તે તે પાળીએ પાળીએ પાણી ચાલ્યું જાય. વૈરાગ્ય, ઉપશમ, ત્યાગ અને ભક્તિ સહજ સ્વભાવરૂપ થઈ જાય તેમ મુમુક્ષુએ વર્તવું ઘટે એમ પરમકૃપાળુદેવે એક પત્રમાં જણાવ્યું છે તે લક્ષમાં લેવા ગ્ય છે. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૬૭૧ અગાસ, તા. ૧૭–૭–૪૬ ઇન્દ્રવજ - મૃત્યું પ્રમાદે જૈવને સતાવે, કે મેહ અજ્ઞાન વડે મુઝાવે; વિગ સૌ પ્રિયજને તણે કે લક્ષ્મીતણું સુખતણે ઘણયે; કે દુર્ગતિને ડર જે ડરાવે તેથી અશાંતિ ઊભરાઈ આવે, માટે ભજી લે ભગવંત ભાવે, તે આશ્રયે જ્ઞાનથી શાંતિ આવે. (પ્રજ્ઞા. ૮) Page #617 -------------------------------------------------------------------------- ________________ પર બેધામૃત જે ભણે તેની પરીક્ષા હોય. ભક્તિવંતને જ વિઘો આવે. તે કસોટીમાં જે સદૂગુરુશરણ ટકાવી રાખે, તેની આજ્ઞા આરાધે તે તે મુમુક્ષુને સમાધિમરણ અર્થે કરવાની તૈયારી અંશે થઈ ગણાય. દુઃખ ગમતાં નથી, પણ દુઃખ જ જીવને આગળ વધારનાર, પિતાની આરાધનાની ખામી જણાવનાર તથા શ્રદ્ધાની દઢતા કરાવનાર બને છે. એક વખત શ્રીકૃષ્ણ પાંડવેને ત્યાં પધારેલા ત્યારે કુંતામાતા ભાવભક્તિથી ઘણી સેવા કરવા લાગ્યાં. તે જોઈ શ્રીકૃષ્ણ પ્રસન્ન થઈને કહ્યું: “આપને જે ગમે તે માગો !” એટલે કુંતામાતાએ કહ્યું : “જરૂર આપશે કે ફરી જશે?” “જરૂર આપીશ. દ્વારિકાનું રાજ્ય માગશો તે પણ આપીશ” – એમ શ્રીકૃષ્ણે કહ્યું તે પણ ફરી ફરીને બેત્રણ વખત પૂછ્યું કે જરૂર આપશો ? એમ નકકી કરાવી કહ્યું : હે કૃષ્ણ! તમે પ્રસન્ન થયા છે તે મને દુઃખ આપે. સુખમાં તમે સાંભરતા નથી અને દુઃખમાં જ સાંભરે છે, તેથી મારે તે દુઃખ જ માગવું છે.” આ કથા ઉપરથી આપણે કંઈ સમજ્યા હોઈ એ તે દુઃખથી ડરવાનું તે ભૂલી જ જઈએ. ભલે દુઃખ માગવા જેટલી તત્પરતા હાલ ન દેખાય, તોપણ આવી પડેલા દુઃખના દહાડા ભક્તિભજનમાં જ જાય તેટલું તે ધારીએ તે કરી શકીએ એમ છીએ. જેને મંત્રસ્મરણની આજ્ઞા મળી છે, ભક્તિના વીશ દોહરા, યમનિયમ, ક્ષમાપનાને પાઠ વગેરે જ્ઞાનીની આજ્ઞાથી કરવાને જેને અભ્યાસ છે, તેમાં આત્મહિત સમાયેલું છે એટલી જેને સમજણ આવી છે, તેણે તે તેવા વખતમાં જે મુખપાઠ હોય તે બોલ્યા કરવું કે સ્મરણ આદિ આજ્ઞાના વિચારમાં જ રહેવું એ ઉત્તમ છે. જેને તે જે નથી મળ્યું, તે તે દેહની દરકારમાં, મરણના વિચારમાં ગૂંચાઈ કે મિત્રો, ઘર, ધન આદિના વિયેગની કલ્પનાથી ઘેરાઈ આર્તધ્યાન કરી અધોગતિને યોગ્ય કર્મ બાંધે. જેને એમ શ્રદ્ધા છે કે હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ-સ્ત્રી-પુત્રાદિ કોઈ પણ મારાં નથી, પણ જ્ઞાનીએ પ્રગટ કર્યો છે, અનુભવ્યું છે તે હું આત્મા છું, હું કદી મરી શકું જ નહીં, નિત્ય, અવિચળ, અવિનાશી, અજેવ, અભેદ્ય, શાશ્વત આત્મા છું. પૂર્વે અજ્ઞાનભાવે, મેહવશે કર્મ બાંધેલાં તે અત્યારે દુઃખ દેવા તત્પર થયાં છે, પણ તે બધા વિનાશી છે. કેટલાંય આવાં કર્મ તે ગયાં અને આ કર્મ પણ જશે. છતાં આત્માને નાશ થવાનું નથી. તે શા માટે હિંમત હારવી? મરણના વિચાર કરી શા માટે મૂંઝાવું? મરનાર નથી તેના મરણની ફિકર કરે તે મૂર્ખ સમજવા યોગ્ય છે. આમ સુવિચારણથી જેને દઢ આત્મશ્રદ્ધા જન્મી છે તે તે મેક્ષદશાને જ વિચાર કરે. પિતાના શુદ્ધ સ્વરૂપમાં અનંત સુખ, અપાર આનંદ છે, તેની ભાવનામાં તલ્લીન બને. સત્યરુષની કૃપાથી તે દશા મનુષ્યભવમાં પ્રાપ્ત થઈ શકે તેમ છે. શ્રી ગજસુકુમાર, શ્રીકૃષ્ણના નાના ભાઈએ દીક્ષા લીધી તે જ દિવસની રાત્રિએ તેમના માથા ઉપર પૂર્વના વેરીએ કાદવની પાળ કરી સ્મશાનની ચિતાના અંગારા સગડીની પેઠે ભર્યા, પણ શ્રી નેમિનાથ ભગવાનની આજ્ઞામાં જ કલ્યાણ સમજી તેવા વિકટ અવસરે પણ તે શુદ્ધ આત્માને ચૂક્યા નહીં, તે ચેડા કાળમાં જ મોક્ષ પામ્યા. આ તમારા દ્વારિકાના સ્મશાનની કથા છે. તેના હિસાબમાં આપણને જે અલ્પ દુઃખ આવે તેમાં ગભરાવા જેવું કંઈ નથી. મરણ પ્રસંગે પણ મંત્રનું Page #618 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૫૩ વિસ્મરણ ન થાય તેટલી કાળજી રાખે તેને દુઃખ તેા કળિકાળની પેઠે વહેલું ફળ લાવનાર ક્રૂત બને છેજી. માટે વિકટ પ્રસંગે વિકટ પુરુષાર્થ જાગે તેમ વવા ભલામણ છેજી. અગાસ, તા. ૧૭-૭–૪૬ નહિ સબસે ૬૭૨ તું ઉપદેશકું, પ્રથમ લેહિ ઉપદેશ; ન્યારા અગમ હૈ, વા જ્ઞાનીકા દેશ.’’ (૨૫૮) તે સહજ તમે પૂછ્યું : “જીવ સમજે છે, નહીં તે અનંત ઉપાયે પણ નથી.” (૫૩૭) તા શું ખાકી રહી જાય છે? એવે પ્રશ્ન છે. ઉત્તરમાં જણાવવાનું લ્યુમ નિયમ સ'યમ આપ કિયા' શું રહી જાય છે તે જણાવવા જ પરમકૃપાળુદેવે લખ્યો છે. છેલ્લી કડી પરપ્રેમપ્રવાહ મઢે પ્રભુસે, સખ આગમભેદ સુઉર ખસેં, વહુ કૈવલકા બીજ ગ્યાનિ કહે, નિજક અનુભૌ ખતલાઈ ક્રિયે.” આથી વિશેષ કંઈ સૂઝતું નથીજી. – ખીજો પ્રશ્ન આપે ઉથલાવી ઉથલાવી પૂછ્યો છે તે વિષેના એક પ્રસંગ ૫. ઉ. ૫. પૂ. પ્રભુશ્રીજીની સમક્ષ અનેલેા લખું છું તે ઉપરથી વિચારી લેશેાજી. જ્ઞાનપ્રચાર” નામનું માસિક મારા નામે પ્રસિદ્ધ થતું હતું. તેમાંના એક અંક પ'ચાંગ તરીકે બહાર પડેલા. તેમાં તિથિએ સામે મહાપુરુષાનાં વાકયો રાજ નજરે પડે તે અર્થે લખેલાં. તેમાં ગાંધીજીનાં વાકયો પણ હતાં. તેવા એક અંક મૈં ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીને ભેટ કર્યાં. તેએશ્રી ચશ્માં ચઢાવી વાંચતાં. એક વખત હું આવ્યા ત્યારે તે અંકમાંથી નીચેનું વાકય મને વ'ચાલ્યું : “હું તે માટીના માનવી છું, માટીમાં મળી જવાનેા છું.” પછી કહ્યું : “આ જ્ઞાનીનાં વચન હોય ?” આટલું તેઓશ્રી એલ્યા ત્યાં તે વર્ષોં સુધીની જે મહત્તા મહાત્મા તરીકેની મારા હૃદયમાં જામી ગઈ હતી તે ક્ષણમાં વિલય પામી ગઈ તે ફરી નજરે આવતી નથી. આવું કાઈ તે સાચા પુરુષનું અલૌકિક ખળ હતું; નહીં તે તે શ્રદ્ધા મહાપુરુષ તરીકેની ખસવી મુશ્કેલ હતી, પણ પળવારમાં તે નિર્મૂળ થઈ ગઈ. લગભગ પચીસ વર્ષ ઉપરની આ વાત છે. પછી તે સ્વપ્ને પણ મહાત્માપણું ભાસતું નથી. આ કોઈના દોષ પ્રત્યે વાત નથી પણ બનેલેા પ્રસ'ગ પ. ઉ. ૫. પૂ. પ્રભુશ્રીજીના ગુણગ્રામ તરીકે સ્મૃતિમાં આવવાથી લખી જણાવ્યા છે. આ ભવમાં જેટલું આયુષ્ય બાકી હાય તે સત્પુરુષને આશ્રયે જાય અને અંતે પણ તે આશ્રય ગમે તેવા દુઃખામાં ટકી રહે તેવી ભાવના કરતા રહેવી ઘટે છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૬૭૩ અગાસ, તા. ૨૨-૭-૪૬ આજે એક પત્ર....મુનિના આવ્યા છે, તેના ભાવ કંઈ પરમકૃપાળુદેવ તરફ્ છે કે નકામા તડાકા મારનાર છે તે વિષે તમારા અભિપ્રાય લખી જણાવવા વિનંતી છેજી. વાત તેને હૃદય એસવી મુશ્કેલ લાગે છે. પત્રમાં આખરી ભાષા આદિથી નકામા પત્રવ્યવહાર કરવા વૃત્તિ થતી નથી. મળે તે તેને જિજ્ઞાસા પરમકૃપાળુ દેવનાં વચન વાંચવાની થાય તેમ કહેવું ઘટે તેા કહેવું, નહીં તેા તેવા વ્યવહારથી દૂર રહેવું અને આપણી દશા વધે તેમ વવા ભલામણ છે. 38 Page #619 -------------------------------------------------------------------------- ________________ ૫૯૪ બેધામૃત મંદિરમાં નિયમિત જવાનું અને વાંચવાનું બને તેમ કર્તવ્ય છેજી. કેઈ ન જતું હોય કે એકઠા ન થતા હોય તે પણ પિતે પિતાને માટે અમુક કાળ ઘેર બેસી વાંચ્યા કરતાં મંદિરમાં બેસવાનું રાખ્યું હોય તે વિશેષ લાભનું કારણ છે). તે તરફની બેકાળજી સટ્ટા આદિના પિષણનું કારણ બન્યું છે તે પ્રત્યક્ષ જોયું હોય તે તે પલટાવી આત્મહિત તરફ હવે તે વળવું એગ્ય છે. અગાસ, તા. ૭-૮-૪ તત સત શ્રાવણ સુદ ૧૦, ૨૦૦૨ ગયા પત્રમાં મુનિ પાસે જવાનું કંઈ જણાવ્યું નથી. જવાનું થાય અને સહજે વાત નીકળે તે કહેવું કે કલ્યાણની ભાવના પિષાય તેવાં પરમકૃપાળુદેવનાં વચન છે, તે વાંચે તે જીવને મુમુક્ષતા પ્રગટે અને વધે, સત્સંગ-સમાગમે જીવને લાભ થાય તે માત્ર પત્ર વાટે થો મુશ્કેલ છે માટે સત્સંગની ભાવના રાખવી, યોગ્યતા વધે તેમ હાલ વર્તવું. એ આપણે બધાને માટે ઉપયોગી છે”. “જે અનિત્ય છે, જે અસાર છે અને જે અશરણરૂપ છે તે આ જીવને પ્રીતિનું કારણ કેમ થાય છે? તે વાત રાત્રિદિવસ વિચારવા ગ્ય છે.... જીવને પ્રમાદમાં અનાદિથી પતિ છે, પણ તેમાં રતિ કરવાયોગ્ય કંઈ દેખાતું નથી.”(૮૧૦) આ વાત હાલ વિશેષ લક્ષમાં રહે તેમ કર્તવ્ય છે. વિશેષ બળ કરી તે લક્ષ લેશે. # શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૬૭૫ અગાસ, તા. ૭-૮-૧૬ તત્ છેસત્ શ્રાવણ સુદ ૧૦, બુધ, ૨૦૦૨ “તત્તા તારું આ૫ તપાસ, ક્યાંથી આવ્યું? ક્યાં તું જાશ? ખેપ કરીને ખોળી કાઢ; સગુગે લાગે હાથ; મૂરખના મનમાં નહિ ત્રાસ, તત્તા તારું આપ તપાસ.” ગુરુરાજ ગુણ ઉર વિષે, સત્ય રુચિ બહુમાન નિકટ ભવિ ભવ અલ્પમાં, પામે પદ નિર્વાણ.” પૂને અસાધ્ય રોગ લાગુ પડ્યાના સમાચાર જાણી ખેદ થયે, પણ તમારા જેવાની મદદ સાથે છે તથા અંતરમાં પરમકૃપાળુદેવ પ્રત્યે ભક્તિ છે તે ઠીક છે, તેથી જે કર્માનુસાર થવાનું હશે તે થશે, પણ આત્મબળ રાખશે તે ટૂંકામાં ઘણે લાભ થવો સંભવે છે જી. પ. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીને બેધ વંચાય છે તેમાં ગઈ કાલે આવેલું કે બાળભેળા જીવો પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રનું શરણુ પકડે તે કામ કાઢી નાખે અને ડાહ્યા મોટા ગણાતા શંકામાં ગળકાં ખાતાં રખડે. તરવામાં બહુ બુદ્ધિ જોઈએ છે એમ નથી. શ્રદ્ધા પરમ દુર્લભ કહી છે. તે જેના હૃદયમાં કોઈ સત્સગયેગે વસી ગઈ કે “હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી-પુત્રાદિ કોઈ પણ મારાં નથી; શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એ હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષને ક્ષય થાય”, તે શ્રી સદ્દગુરુએ કહેલા નિગ્રંથમાર્ગને તેને આશ્રય રાો ગણાય. “સમાધિ-પાનમાંથી પત્ર ૪૨(પત્રાંક ૪૬૦)ને ખાસ કરી છેલ્લે પેરેગ્રાફ “સર્વ પ્રકારે જ્ઞાનીના શરણમાં બુદ્ધિ” અને પત્ર ૬૬ (પત્રાંક ૬૯૨) છેલ્લા ભાગ સહિત વારંવાર Page #620 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૫૯૫ તેમને ઠસે તેમ વંચાવવા ભલામણ છેજી. વધારે વખત હોય અને તેમને સાંભળવાની રુચિ રહેતી હોય તે છે પ્રકરણ સમાધિમરણ સંબંધી પણ હિતકારી છે જી. એમાંનું કંઈ ન બને તે પણ જે મંત્ર-સ્મરણમાં વૃત્તિ રાખ્યા કરે તે પણ હિતકારી છે. જે કંઈ પરમકૃપાળુદેવનાં વચન તેમને યાદ હોય તે રટ્યા કરે તે વૃત્તિના વિકલ્પ ટળી એક પરમકૃપાળુદેવનું શરણુ દઢ થાય અને સમાધિમરણનું કારણ બને. હવે તે સદ્દગુરુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુને જ આધાર છે, તેને શરણે દેહ છોડવો છે એ નિશ્ચય કર્તવ્ય છે. » શાંતિઃ અગાસ, તા. ૯-૮-૪૬, શુક સગતના દેહત્યાગના સમાચાર જાણ્યા. અંતે સારી લેશ્યા આવી તે શુભગતિનું ચિહ્ન છે. પહેલાં કરી મૂકેલું આખરે કામ આવે છે. તેમણે અવકાશ લઈ જ્ઞાનીની આજ્ઞા આરાધવા જે પુરુષાર્થ કરી મૂકેલે તે છેવટના ભાગમાં કઠિન કર્મોની વચમાં પણ આખરે ઉપર આવ્યા. તેમ આપણે પણ જ્યાં સુધી ભાન છે ત્યાં સુધી જ્ઞાનીની આજ્ઞાનું આરાધન કરવા પુરુષાર્થ કરતા રહીશું તે આખરે તે હાજર થઈ જીવને સમાધિનું કારણ બનશે. આખી જિંદગી સુધી વિષય ભેગવ્યા હશે કે ધન એકઠું કર્યું હશે, કલેશ કર્યા હશે કે વાહ વાહ બેલાવી હશે, તેમાંનું કશું કામ આવવાનું નથી, માટે જ્ઞાનીએ સંમત કર્યું છે તે હદયમાં કતરી રાખી તે જ કરવું છે એ દઢ નિશ્ચય દરેક મુમુક્ષુએ કર્તવ્ય છેજી અને તે નિશ્ચયને જેટલી શક્તિ હોય તે પ્રમાણે આરાધવા પુરુષાર્થ કર્તવ્ય છે”. જે જે મહાપુરુષે મેક્ષે ગયા છે તેમણે જ્ઞાનીની આજ્ઞા પૂર્ણપણે આરાધી છે. આપણે પણ એ જ કર્તવ્ય છેજ. ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૧૫-૮-૪૬, ગુરુ તત્ સત્ હરિગીત – હે ભાઈ! જર્સી મનમાં વિચારે – કેમ આવ્યે હું અહીં ? ને શું કર્યું મેં કાજ આજે? વ્યર્થ તે જીવે નહીં? બગડવું જરૂરી સુધારવું, સુધરેલ બગડે ના હવે; એ કાળજી ધર કાળજે, જીવન ગુજારું આ ભવે. આપનું કાર્ડ મળ્યું. તેમાં જણાવ્યું છે તે બધાનું કારણ સત્સંગને અભાવ છેછે. જેનાથી જેટલા પ્રમાણમાં બની શકે તેટલે સત્સંગગ આરાધ ઘટે છે. સત્સંગના વિયેગમાં આ જગત વિશેષ બળ કરે છે, તેવા પ્રસંગમાં સદ્દગુરુનું શરણું બળપૂર્વક ગ્રહણ કરે તે સંસારપ્રવાહમાં તણાઈ ન જાય. નહીં તે આ કાળમાં પોતાની મેળે સદ્દગુરુના આધાર વિના ગમે તેટલે શ્રમ કરે તો પણ ઊભે હોય ત્યાં ટકી શકે નહીં તેમ છે. તેથી સત્સંગને વેગ ન હોય ત્યારે મનમાં ભવને ભય સાપ કે વાઘ કરતાં વિશેષ રાખી કંપતા હૃદયે મેહનાં કામ ભણી દષ્ટિ કરવી ઘટે છે. ત્રાસ ધરે ભવભય થકી મનમોહન મેરે, ભવ માને દુઃખખાણ રે મન Page #621 -------------------------------------------------------------------------- ________________ મેધામૃત પ. પૂ. પ્રભુશ્રીજી દૃષ્ટાંત આપતા કે નેાળિયાને સાપ સાથે જાતિવેર હેાય છે. સાપ દેખે કે દોડીને પકડે અને તેને વીંખી નાખે. પણ સાપ ચંચળ હોવાથી તેના પજામાંથી સરી જઈ તેને કરડે કે તુરત તેને નાખી દઈ તે જડીબુટ્ટી સૂ'ધી આવે અને ફરી તે સાપને પકડે છે. ફરી કરડે તેા ફરી સુધી આવે. આમ કરતાં કરતાં નાળિયા, ઝેર વગરના છે છતાં ઝેરવાળા સાપને મારી નાખે છે. તેમ સ`સાર ઝેરી નાગ જેવા છે. મુમુક્ષુ નાળિયા જેવા હાવા જોઈએ. તેને સંસારનું ઝેર જણાય કે તરત બુટ્ટીરૂપ સત્સંગ સેવે, વળી પ્રારબ્ધયેાગે સ’સારપ્રવૃત્તિ કરતાં ભક્તિ આદિ ધર્મકાર્યમાં મ'ઢતા દેખાય કે સત્સ`ગ સાધી બળવાન અને. આમ કરતાં કરતાં મુમુક્ષુ મેક્ષે જાય છે, સંસારસાગર તરી જાય છે; પણ પુરુષાર્થ ચૂકી જાય તેા ઝેર ચઢી જાય અને સ‘સારને વશ થઈ જાય; માટે સત્સ'ગની વાર વાર ઉપાસના ક`વ્ય છે. તેવા જોગન અને ત્યાં સુધી તેની ભાવના રાખી ત્યાં જે કોઈ ભાઈબહેનેાના ચાગ હેાય તેમની સાથે કે એકલા પણ ભક્તિરૂપ આધાર ખળપૂર્વક આરાધવાયેાગ્ય છેજી. એ લક્ષ રાખે તે હિતકારી છે. ૐ શાંતિઃ પ અગાસ, તા. ૧૯-૮-૪૬ ૬૭૮ "यादृशी भावना यस्य सिद्धिर्भवति तादृशी” પરમકૃપાળુદેવ પ્રત્યે સાચા હૃદયથી જે ભાવ જીવ કરે છે તે લેખાના જી. એક વખત નવસારી પ. પૂ. પ્રભુશ્રીજી ઉનાળામાં પધારેલા ત્યારે બધાને પ્રશ્ન પૂછ્યો : ‘તમારે શું જોઈ એ છે ? તે બધા વિચારી મૂકો, એમ કહી તે દિશાએ પધાર્યાં. પરવારી પાછા પધાર્યાં ત્યાં સુધી બધા વિચારમાં રહ્યા હતા. આવી તેઓશ્રીએ દરેકને પૂછ્યું અને પછી સામટા ઉત્તર જણાવ્યેા કે ‘જેણે જે ઉત્તમ જાણી માગણી કરી છે તે ભૂલશેા નહીં.' આ ઉપર વિચાર કરીએ તા જીવને જે સારા ભાવ આવે છે તે ક્ષણિક રહી જતા રહે તેમ ન થવું જોઈએ પણ પકડ કરવાની, ચેાટ કરવાની જ્ઞાનીપુરુષની ભલામણ, શિખામણ અને ભાર દઈને આગ્રહપૂર્વક જણાવવાની પ્રણાલી છે તે લક્ષ રહે તે જીવને જાગૃતિનું કારણ છેજી ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૧૯-૮-૪૬ ૬૭૯ કેમ મુમુક્ષુતા ટકે, જો ઇચ્છા ના જાય ? ડગલે ડગલે દુ:ખ છે, જો મન વશ ના થાય. મનુષ્યભવ રત્નચિંતામણિ જેવા અમૂલ્ય છે એમ મહાપુરુષો કહી ગયા છે. તેને કેવી રીતે વ્યય થાય છે તેના લક્ષ રાખવા ઘટે છેજી. ધન તે નાશ પામે તે ફરી કમાવાય પણ ગયા વખત પાછા આવે નહીં. સિલક કેટલી છે તે ખબર નથી, તેા વાપરતાં કેટલી બધી કાળજી રાખવી ઘટે ? મનુષ્યદેહ તે નાશ પામનાર છે, પણ એવા નાશવંત દેહથી અવિનશ્વર શાશ્વત આત્મસિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે એમ નિશ્ચય થાય તે પ્રમાદ ન થાય. સમાધિમરણુ થાય તે આ મનુષ્યભવની સફળતા ગણાય. તે અર્થે અત્યારથી તૈયારી કરવી ઘટે છે. પેાતાનાથી બનતું સદ્ગુરુ આશ્રયે જીવ કરી છૂટે તે તેને એટલે તે સહતેષ આખરે રહે કે મારાથી મનતું મેં કર્યું છે. આગળ કરી મૂકેલું આખરે કામ આવે છે. માટે મત્રનેા વિશેષ અભ્યાસ Page #622 -------------------------------------------------------------------------- ________________ ૫૭ પત્રસુધા રાખ્યું હશે તે તે સમાધિમરણનું કારણ બને તેમ છેજ. જાગૃતિના વખતમાં વારંવાર તેને યાદ કરવામાં કાળ ગળાય તે અભ્યાસ પડી જાય, ઘણા વિકલ્પ તેથી રોકાય અને શાંતિનું કારણ બને. ઈચ્છાઓને પ્રવાહ કર્મબંધનું કારણ છે. તે રકવા પણ મંત્રસ્મરણ અત્યંત આવશ્યક છે. નીચેની એક કડીમાં તેવા પ્રકારને નિશ્ચય પ્રદર્શિત કરે છે? મંદાક્રાંતા – મંત્ર મં સ્મરણ કરતે, કાળ કાઠું હવે આ, જ્યાં ત્યાં જવું પરભણી બૅલી બોલ ભૂલું પરાયા; આત્મા માટે જીવન જીવવું, લક્ષ રાખી સદા એ; પામું સાચે જીંવનપલટો, મેક્ષમાર્ગ થવાને. ૬૮૦ અગાસ, તા. ૨૩-૮-૪૬ તત્ કૈં સત્ શ્રાવણ વદ ૧૧, શુક્ર, ૨૦૦૨ मंगलमय मंगलकरण, वीतराग विज्ञान । नमो ताहि जाते भये, अरिहं तादि महान ।। તમે ચિત્રપટ પધરાવી ભક્તિ કરવા ધારે છે તે સારે વિચાર છે. બીજા ભાઈઓની સંમતિ હોય તે વિશેષ સારું છે. તમને અનુકૂળ હોય તે ભાદરવા સુદ ત્રીજ કે પાંચમ અથવા ગમે તે અનુકૂળ દિવસે ભક્તિ કરી, દેવવંદન સવાર-સાંજનાં છે તે બેલી, મંત્ર બેલી ભાવભક્તિથી સ્થાપના કરવામાં હરકત નથી. ભાવના–વૃદ્ધિનું કારણ છે. પુરુષની આજ્ઞાએ ભક્તિભાવ કરતાં કોટી કમને ક્ષય થાય છે. આ કાળમાં પુરુષ પરમકૃપાળુદેવનું શરણ અને તેની આજ્ઞામાં ચિત્ત રાખશે તેનું જરૂર કલ્યાણ થશે. સાંસારિક કામનાઓ તજી આત્માર્થે ભક્તિ કર્તવ્ય છે, એ લક્ષ ચૂકવા ગ્ય નથી. પૂર્વે બાંધ્યાં છે તે કર્મ – પાપ, પુણ્ય – યથા અવસરે ઉદય આવી જવાને કમ લે છે, પણ જીવ તે વખતે જ્ઞાનીની આજ્ઞાનું અવલંબન રાખે તે ધીરજથી વેદી લેવાય અને તે ચૂકે તે કર્મ બંધાય છે. તે ન બંધાય તેવા પુરુષાર્થમાં વર્તવું ઘટે છે. ગરજ હોય તેટલી સપુરુષની આજ્ઞાની સ્મૃતિ રહે છેજ. ૩% શાંતિઃ ૬૮૧ અગાસ, ભાદરવા સુદ ૨, બુધ, ૨૦૦૨ કઈ વાતે મૂંઝાવા જેવું નથી. પિતાની શક્તિ હોય તે પ્રમાણે ધર્મક્રિયાનું આરાધન કરવું. ન બની શકે તેની ભાવના રાખવી, પણ નિયમ લીધા હોય તેનું પાલન તે બહુ જ દઢતાથી કર્તવ્ય છે. થોડા નિયમ લેવાય તે ચેડા લેવા, પણ પાળતી વખતે બારીઓ શોધવી નહીં. જગત તે સ્વપ્ના જેવું છે. જ્યાં સુધી ધર્મ આરાધવાની સામગ્રી મનુષ્યભવની પહોંચે છે ત્યાં સુધી થાય તેટલું બળ કરી લેવું ઘટે છે. મુખ્ય વાત ભાવ ઉપર છે. પણ સારા નિમિત્તે સારા ભાવ થાય છે માટે જ્ઞાનીની આજ્ઞાનું બહુમાનપણું રહે, તેની શ્રદ્ધા વિશેષ વિશેષ દઢ થતી જાય અને છૂટવાની ભાવના પિશ્વાતી રહે, તેમ ભક્તિ, ભાવ, સદાચાર સેવવા યોગ્ય છેજ. અનાદિકાળથી જીવને પ્રમાદમાં રુચિ છે તે પલટાવી જ્ઞાની પુરુષના માર્ગે પુરુષાર્થ કર્તવ્ય છેજ. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #623 -------------------------------------------------------------------------- ________________ ૫૯૮ બધામૃત • અગાસ, તા. ૪-૯-૪૬ તત સત ભાદરવા સુદ ૮, બુધ, ૨૦૦૨ પ્રભુ ગુણગાન પૂજા કરું, વવાય બીજ સચિત; નંદનવન સમ મમ ઉરે, વર્ષા ભક્તિ ખચીત આવા પર્યુષણના પવિત્ર દિવસમાં પ, ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીના ગે કેવા ભાવ ઉલ્લાસ પામતા તે દરેકના અનુભવની વાત છે. તેની સ્મૃતિ પણ જીવને તે વાતાવરણમાં લઈ જાય છે. તે મહાપુરુષોને આપણું ઉપર અથાગ ઉપકાર થયું છે. તેના પેગ પછી જ જીવને નવજીવન મળ્યું ગણવા યોગ્ય છે. તેની આજ્ઞા ભવજળ તરવામાં આપણને નાવ સમાન છે. ગમે ત્યાં રહ્યો પણ જીવ તે ઉઠાવશે, તે જીવને ઊંચે આવવાનું બનશે; અંધારા ખૂણામાં પણ ગોળ ખાશે તેને ગળે લાગ્યા વિના નહીં રહે. તેમ તે પુરુષની સ્મૃતિ, ભક્તિ, તેના ગુણગ્રામ, તેમાં ચિત્તની ઉલ્લાસવૃત્તિ રમતી હશે તેનું કલ્યાણ જ છે. ૩% શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૬૮૩ અગાસ, તા. ૫-૮-૪૬ તત સત્ ભાદરવા સુદ ૯, ગુરુ, ૨૦૦૨ શ્રાવણ વદ ૧૪ને દિવસે સેજિત્રાના પૂ. શામળભાઈને આશ્રમમાં દેહોત્સર્ગ થયે છે. સારા ભાવ સહિત ભક્તિ વગેરેની અનુકૂળતા અને શુભ પર્વ દિવસમાં તેમનું મરણ થયું તે બધું સગતિ સૂચવે છેજ. ભાગ્યશાળી છેને બધું પાંદડું પડે છે. સમાધિમરણની ભાવના રેજ કર્તવ્ય છે. પૂ. મણિભાઈ કલ્યાણજીએ પ. પૂ. પ્રભુશ્રીજીને મોટો ઇલ પેઈન્ટ ચિત્રપટ પજુસણમાં આર્યો છે. જાણે પ્રભુશ્રીજી હાજર બેઠા હોય તેવું લાગે છે. રાજમંદિરમાં મેડે રાખવાનું બધા ટ્રસ્ટીઓએ ઠરાવ્યું છે. ઘણા છને ઉલ્લાસનું કારણ થયું છે. પ. પૂ. પ્રભુશ્રીજીના ચિત્રપટની પહેલી આરતી ઉતારવાનું હજાર મણ ઉપર ઘી બેલાયું હતું. પત્રમાં જે ભાવના લખે છે તે તાત્કાલિક ન રહે અને તેવા ભાવે રહ્યા કરે તે જીવનું કલ્યાણ ઘણી ત્વરાથી થવા યોગ્ય છે. ગુજરાતીઓને આરંભશૂરા કહે છે, તેમ શરૂઆતમાં ભાવને ભડકે થઈ પછી ઓલવાઈ જાય અને પાછળ અસર ન રહે તેમ કર્તવ્ય નથી. વારંવાર પરમકૃપાળુદેવને શરણે પ. પૂ. પ્રભુશ્રીજીને સાંભળેલે બેધ પરિણામ પામે અને કષાય મંદ પડે તે પુરુષાર્થ કર્તવ્ય છે. સત્સંગના વિયેગે તે પુરુષાર્થ પ્રગટે દુર્લભ છે, છતાં સત્સંગની ભાવના રાખી પરમકૃપાળુદેવનાં વચને પ્રત્યક્ષ સત્પરુષ તુલ્ય સમજી તેનું આરાધન બળપૂર્વક કરવું ઘટે છેજી. સમકિતનાં કારણરૂપ છપદના વારંવાર વિચાર કરતા રહેવાની જરૂર છે. આત્મા છે, તે નિત્ય છે, પિતાનાં કર્મને કર્તા છે, ભક્તા છે, મિક્ષ છે અને મોક્ષને ઉપાય છે એ હદયમાં દઢ થઈ જાય, તે રૂપ પિતાનું સ્વરૂપ ભાસે તે જીવને સમ્યક્ત્વ દૂર નથી, પણ સમીપમુક્તિગામી જીવને સહજ વિચારમાં તે સમજાય છે, પરમ નિશ્ચયરૂપ જણાય છે. એ દિશામાં પુરુષાર્થ કરેલ અલેખે નહીં જાય. તેમાં મુખ્ય તે વૈરાગ્ય-ઉપશમની જરૂર છે. તે વધે તેવું વાચન, વાતચીત, બાર ભાવનાઓ “સમાધિ પાન, મેક્ષમાળા' વગેરેમાંથી વાંચી-વિચારી જીવને અધિકારી ગ્યતાવાળે બનાવવાના પુરુષાર્થમાં રહેવા સર્વ ભાઈબહેનેને ભલામણ છે. મનુષ્યભવ છે ત્યાં સુધી બની શકશે, પછી કંઈ ધર્મની અનુકૂળતા આવી Page #624 -------------------------------------------------------------------------- ________________ પસુધા ૫૯ મળવાની નથી માટે પ્રમાદ એ છે કરી, સ્વચ્છેદ મંદ કરી જ્ઞાનીની આજ્ઞાએ કલ્યાણ છે એવી દઢતા કર્તવ્ય છે. છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૬૮૪. અગાસ, સં. ૨૦૦૨ આપ જે પત્રો લખે છે તેમાં જણાવેલા ભાવે જળવાઈ રહે તેમ કર્તવ્ય છેજ. મગજમાં વિચાર આવે તે લખી નાખીએ, તે કરતાં તેવા ભાવે વારંવાર હદયમાં રહ્યા કરે છે તે ભાવનાનું સ્વરૂપ ગ્રહણ કરે છે. “આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે” એનું માહાસ્ય પ. પૂ. પ્રભુશ્રીજી એવું સચોટ કહેતા કે કઈ વખત એમ થતું કે તેની પાછળ જ પડવું. ઘણા પિતાની ઈચ્છાએ (પ. પૂ. પ્રભુશ્રીજીને જણાવ્યા સિવાય) જંગલમાં જઈ બેભાન થતાં સુધી રટણ કરતા, કેઈ તેમ કરી થાકી જતા; પણ તે ભાવ ટકાવી રાખે તેનું કામ થાય છે. આરંભશરા ગુજરાતી ગણાય છે, પણ જીવતા સુધી શૂરવીરપણું જ્ઞાની પુરુષે માગે છે, તે રકમ ભરપાઈ કર્યું છૂટકે છે. પ. પૂ. પ્રભુશ્રીજી જેવા પુરુષાર્થી તે આ આંખે કોઈને જોયા નથી, અને તે પુરુષાર્થ કર્યા વિના આ કઠિન કાળમાં કલ્યાણ સાધવું વિકટ જ છે એમ સમજાય છે. છતાં જીવ કેની રાહ જોતું હશે? તે બહુ વિચારવા ગ્ય છે. સહજ વિચાર ફુરી આવેલે લખે છે. કેઈન દેષ પ્રત્યે દષ્ટિ નથી. મારે જ દેષ મને સાલે છે તે સહજ પાને ચઢાવ્ય છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૬-૯-૪૬ તત્ સતું ભાદરવા સુદ ૧૦, ૨૦૦૨ તમારાં બે કાર્ડ અને એક કવર એમ ત્રણ પત્ર મળ્યા છે. તેને સમુચ્ચય ઉત્તર પત્રાંક ૨૫૪ “નિઃશંકતાથી નિર્ભયતા”વાળે વિચારવા વિનંતી છે. તેમાં સમકિતને માર્ગ, દેષ જે જે દૂર કરવા ઘટે છે તે તથા ઘણી બીજી વાતે શાસ્ત્રના ગૂઢ પરમાર્થ રૂપે કહેલ છેજી. વૈરાગ્ય-ઉપશમની વૃદ્ધિ થયે, દઢ મુમુક્ષુતા પ્રગટયે, નિર્મળ વિચારધારા પ્રગટયે (સુવિચારણા) ઊંડું ઊતરવાનું બનવા યોગ્ય છેજી. સમાધિમરણ પણ સાચી મુમુક્ષતા પ્રગટ્ય શક્ય છે. બધાને આધાર પુરુષને આશ્રય તેમાં જ પરમપ્રેમને પ્રવાહ વહે, જગતનું માહાસ્ય અને દેહાધ્યાસ ઘટે એ જણાય છે. શૂરવીરપણ સિવાય વીતરાગને માર્ગે ચઢવું અને ટકવું દુઃસાધ્ય છે. બને તેટલું વીર્ય પ્રગટાવી “પ્રભુ, પ્રભુ લય” લગાડવી; ન બને તેની ભાવના રાખવી; દો દેખી દેશે દૂર કરવા મથતા રહેવું, તે હાલ ર્તવ્ય છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૬-૯-૪૬ તત્ ૐ સત્ ભાદરવા સુદ ૧૦, ૨૦૦૨ થાકયાનો માર્ગ છે. જીવને ચારે ગતિનાં દુઃખ સમાધિ–સપાન આદિ વાંચતાં કંઈ સમજાય, તે ટાળવાની તમન્ના જાગે ત્યારે સદ્દગુરુગે વૈરાગ્યવંત જીવને સન્માર્ગ આરાધવાને પુરુષાર્થ જાગે છે. બળતા ઘરમાં ઊંઘતા માણસના જેવી અત્યારે જીવની સ્થિતિ છે, તેને ઉઠાડવા કઈ કહે, બૂમ મારે તે “કણુ પજવે છે? ઊંઘવા દેતે નથી” એવું અત્યારે જીવને લાગે છે, Page #625 -------------------------------------------------------------------------- ________________ બધામૃત પણ બળી મરાશે એ ભય લાગ્યું નથી તેથી નિરાંતે ઊંઘે છે. સમજાય તે જીવને મોહ દુઃખકર લાગે. પરમકૃપાળુદેવ કહે છે કે “સાતમી તમતમપ્રભા નરકની વેદના મળી હોત તે વખતે સમ્મત કરત, પણ જગતની મેહિની સમ્મત થતી નથી.” (૮૫) જગતનાં સુખ ભેગવવામાં બેટી થવું તેને પાલવતું નથી, કારણ કે એક ભવે જેને મોક્ષે જવું હોય તેને બીજે મન રાખે કેમ પાલવે? મોટામાં મોટી ખામી જીવને મુમુક્ષુતા જાગી નથી તે છે, નહીં તે જીવ જ્ઞાનીની આજ્ઞા લઈ મંડે, ઘડીભર પણ નવરો ન રહે. “જબ જાએંગે આતમા, તબ લાગેંગે રંગ.” ૩% શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૯-૯-૪૬ તત્ ૩ સત ભાદરવા સુદ ૧૩, ૨૦૦૨ જેમ થાય તેમ જોયા કરવાનું છે. સત્સંગની ભાવનાનું વિસ્મરણ ન થાય અને પ. પૂ. પ્રભુશ્રીજીએ લક્ષ કરાવે છે તે જ જ્યાં હોઈએ ત્યાં કર્તવ્ય છેજી. કાળ પ્રત્યક્ષ કરાળ દેખાય છે, તે પુરુષાર્થ પણ વિકટ કરીએ તે ટકી શકાય, નહીં તે જગતપ્રવાહમાં તણાઈ જવાય તેવું છે. શહેરમાં વિશેષ સાચવવું ઘટે છે. પરમકૃપાળુદેવને તે મુંબઈ સ્મશાન જેવું વૈરાગ્યપ્રેરક દેખાતું. તેમને આશ્રયે આપણે પણ વૈરાગ્યની તિ જાગ્રત રાખીશું તે કામ થશે. “ઝબકે મોતી પરોવી લે, પાછળ ઘોર અંધાર” એમ પ. પૂ. પ્રભુશ્રીજી કહેતા, તે યાદ લાવી આ જીવનદી છે ત્યાં સુધી કલ્યાણ સાધી લેવું ઘટે છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ પૂને મટતું જતું હશે. સ્મરણની દવા લે. અગાસ, તા. ૧૧-૯-૪ તતું છે સત્ર ભાદરવા સુદ ૧૫, ૨૦૦૨ પરમકૃપાળુદેવનું ગબળ જયવંત વર્તે છે, પણ તે મુમુક્ષુ જીવો દ્વારા જ વર્તશે માટે જેટલી પવિત્રતા મુમુક્ષુ જેના આચરણમાં પ્રગટશે તેટલું તેનું ગબળ વિશેષ વર્ધમાન થતું જગતમાં જણાશે. તે માટે લેભની મંદતા કરી, સટ્ટાની બદીથી બચી, ભક્તિભાવમાં, પરસ્પર પ્રેમ, સહકાર, એકદિલીથી વર્તીશું, તે પ્રથમ તે આપણાં અંતઃકરણમાં જ તેને પ્રભાવ સ્પષ્ટ શાંતિરૂપે ઝળકશે અને જગતમાં તે ઢાંકયો નહીં રહે. કઈ હીરા ઉપર સૂર્યનું કિરણ પડે અને ઠીકરા ઉપર પડે, પણ હીરાના ચળકાટથી જે જુએ તેની આંખ આકર્ષાઈ દિલમાં પ્રસન્નતા પ્રગટાવે છે; પણ ઠીકરા ઉપર તેનું તે કિરણ પડતાં ઠીકરાની કાળાશ પ્રગટ કરી, ત્યાંથી દષ્ટિ ખેંચી લેવા પ્રેરે છે. આમ આપણું અંતઃકરણ સાચી શ્રદ્ધાવાળાં બનશે તે જરૂર સ્વપરની પ્રગતિનું કારણ બનશે; અને જે એકબીજાની ઈર્ષા, નિંદા અને લેભ, અતિસ્વાર્થલંપટતા અને સંસારવાસનાથી ગંધાતાં રાખીશું તે ત્યાં પુરુષનો બેધ પરિણામ પામવા દુર્લભ થઈ પડશે. બીજા આપણી, આપણુ ધર્મની નિંદા કરશે અને સ્વપરને અહિતનું કારણ આપણું વર્તન બનશે. માટે પ્રભાવના કરવી હોય તેણે પિતાના દે દેખી, પરમકૃપાળુદેવની સમક્ષ દેને નિંદી, હૃદયથી દૂર કરવા વારંવાર લક્ષ રાખવાની જરૂર છે. “આપ ભલા તે જગ ભલા” એવી કહેવત છે, તે પોતે ભલા થવા પ્રયત્ન આજથી આદર યેગ્ય છે. તેમાં Page #626 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૬૦૧ મૈત્રી, પ્રમેહ, કારુણ્ય અને માધ્યસ્થ ભાવના રેજ ભાવવી અને સાંજે તેનું જ પ્રતિક્રમણ કરવું કે એ ચારમાં ભંગ કઈ પ્રકારે થયો છે કે નહીં? થયેલ હોય તે તેને પશ્ચાત્તાપ કરી ફરી ન થવા દેવાની કાળજી વિશેષ રાખવાને નિશ્ચય કર ઘટે છે. ૬૮૯ અગાસ, તા. ૧૧-૯-૪૬ આપે “આશ્રયભક્તિ” વિષે પત્રમાં પુછાવ્યું છે તેના ઉત્તરમાં જણાવવાનું કે પત્રાંક ૫૭૨ વિચારશોજી. તે પત્ર ઉપરથી વખતે આપને પૂછવું થયું હોય તે ટૂંકામાં જણાવવાનું કે પરમકૃપાળુદેવે જે આજ્ઞા જન્મમરણ છૂટવા માટે આપી છે, તે મારે તે પરમપુરુષની શ્રદ્ધાએ આરાધવી છે, બીજું મારે આ ભવમાં કંઈ કામનું નથી. એ જ પુરુષને રાજી રાખવા અટલે ભવ ગાળવે છે. તેનાં વચને જે છપાયાં છે તેને અભ્યાસ કરી, તેણે જણાવ્યું છે તેવા ભાવ કરી વર્તવું છે એમ જેના હૃદયને નિર્ણય છે અને પિતાની શક્તિ પ્રમાણે તે ભાવમાં જે વર્તે છે, તેથી વિપરીત પણે વર્તાય ત્યાં ખેદ થાય છે, તે પુરુષને તેની આશ્રયભક્તિ છે એમ સામાન્યપણે ગણાય. ખરી રીતે તે તે પત્રમાં જણાવ્યું છે તેમ “જ્ઞાની પુરુષના ચરણમાં મનનું સ્થાપવું” એ આશ્રયભક્તિનું ફળ છે. જ્ઞાનીપુરુષના ચરણમાં મનનું સ્થાપન થવું પ્રથમ કઠણ પડે છે, પણ વચનની અપૂર્વતાથી, તે વચનને વિચાર કરવાથી તથા જ્ઞાની પ્રત્યે અપૂર્વ દૃષ્ટિએ જેવાથી મનનું સ્થાપન થવું સુલભ થાય છે એમ જણાવી જ્ઞાની પુરુષના આશ્રયમાં વિરોધ કરનારા પંચ વિષયાદિ દોષે જણાવી તેના ત્યાગને ક્રમ જણાવ્યું છે. બહુ બહુ વિચાર કરી અમલમાં મૂક્ય જીવને લાભ થાય છે, તીત્રજ્ઞાનદશા પ્રગટે છે. એટલું બધું તેનું માહાભ્ય જણાવી, તેમાં જ પ્રસંગે પ્રસંગે કાર્યો કાર્યો પ્રવૃત્તિઓ પ્રવૃત્તિએ ફરી ફરી લક્ષ રાખવા ચેતાવ્યા છે, તે પ્રમાણે વર્તાય તે જ જીવનું સાચું હિત સધાય, માટે નિશ્ચયની ખામી જીવમાં છે તે દૂર કરી જીવ રેજ મરણને સંભારી જ્ઞાની પુરુષમાં જ વૃત્તિ રાખે છે તે આ ભવમાં ઘણી કમાણ થઈ શકે તે જેગ જીવને મળે છે, તે જ સફળ કરવા સત્પરુષાર્થ કર્તવ્ય છેજ. શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૧૨-૯-૪૬ તત્ સત ખમાવું સર્વ જીવોને, સર્વે જીવે અમે મને, મૈત્રી હે સર્વની સાથે, વૈરી માનું ન કોઈને. સમાધિમરણની ભાવના રોજ કર્તવ્ય છે અને તેને અર્થે એટલે અંતે સમાધિમરણ થાય તે લક્ષે પાપ, વેર-વિધથી દૂર રહી “શાંત રસમય ધર્મ' વીતરાગે કહ્યો છે તે જ આરાધતા રહેવાની જરૂર છે. આજના દિવસમાં કેઈના પ્રત્યે વિરોધ થયો હોય તે સાંજ સુધીમાં શમાવી દેવા ક્ષમાપના આદિ ઉપાય લઈ શાંત થવું. બાર માસમાં જે દોષ થયા હોય તે યાદ હોય તે તેના ઉપાય લઈ નિર્વેર થવું અથવા યાદ ન હોય તે અંતરભાવથી સર્વ પ્રત્યેથી વેર- વિધરહિત થવું એ આશયથી પર્યુષણ પર્વની ક્ષમાપના હોય છે. જેની સાથે વિરોધ હોય, Page #627 -------------------------------------------------------------------------- ________________ ૬૦૨ બોધામૃત જાણતા હોઈએ છતાં તે વેર મટાડવા ઉપાય ન લઈએ કે વધારીએ અને દૂર જ્યાં વેર ન હેય ત્યાં પત્રાદિ લખીએ એવી હાલ રૂઢિ થઈ ગઈ છે તે પલટાવી હદયમાંથી વેરભાવનું કલંક દૂર કરી, “સર્વ જી મારા મિત્રો છે, તેમણે કરેલા દોષે ભૂલી જઉં છું અને મેં તેમના પ્રત્યે કરેલા દેની ક્ષમા ઈચ્છું છું” આવું ઉદાર દિલ જ “વીતરાગને કહેલે પરમ શાંત રસમય ધર્મ” પામવા ગ્ય છે. આ પત્ર વારંવાર વિચારી, હૃદય કેઈ પ્રત્યે વેરભાવ ન રાખે તેટલી નમનતા, લઘુતા અને સર્વને ક્ષમાવવાની યોગ્યતા લાવે તેમ જ આચરવાની હિંમત ધરી નિઃશલ્ય થાય તેમ કરવા વિનંતી છે. છ શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૧૩-૯-૪૬ દયા નહીં આ જીવ તણી મેં ખાધ ખરા દિલથી હજીયે, ભવ ભમવાને થાક હજી નહિ લાગે ખૂબ ખરે કદીયે; દુઃખ ઘણું દેખ્યાં આ ભવમાં, તે પણ તે પર પગ મૂકી, નિર્દય પેઠે વહ્યો ગયે, ના ચે ચાલ જૂની ચૂકી, આપને પત્ર મળે, વાંચી વિગત જાણી. કર્મના ચગે ધર્મમાં વિશ્વ આવી પડે છે, તે ધર્મભાવના વધતાં દૂર થાય છે. એક પરમકૃપાળુદેવને શરણે વાંચન, વિચાર, ભક્તિ આદિ જે પુરુષાર્થ થાય તે કરવામાં ત્યાં પણ પ્રમાદ કર્તવ્ય નથી. પ્રમાદે જીવનું ભૂંડું કર્યું છે. જે કરવા યોગ્ય છે તે તે જ્ઞાની પુરુષની આજ્ઞા ઉઠાવવી એ જ છે. તે ગમે ત્યાં રહેવાનું થાય પણ ભુલાય નહીં એટલે લક્ષ રહે તે હિતનું કારણ છે. સત્સંગના યેગે જીવને પરમાર્થ પ્રેરક પુરુ ષાર્થમાં બળ મળે છે. જેવાં નિમિત્ત તેવા ભાવ આ દશામાં થઈ જવા સંભવે છે. માટે વિપરીત યોગમાં વિશેષ ભાવનાનું બળ રાખવાની જરૂર છે. આત્મહિત માટે જીવને ઝૂરણા જાગશે ત્યારે કલ્યાણને માર્ગ સુગમ થશે, અને ઉદાસીનતાને ક્રમ સેવાશે. સંસાર ઝેર જેવો લાગ્યા કરશે ત્યારે ખરેખરી મુમુક્ષતા પ્રગટશે. બધાનું કારણ સત્સંગ, સધ, સશાસ્ત્રનું વાંચન, વિચાર, ભક્તિ, પ્રેમરૂપ પુરુષાર્થ છે. માથે મરણ ભમી રહ્યું છે તેને વારંવાર વિચાર કરી આ મનુષ્યભવને લેખે આણવા જાગ્રત જાગ્રત રહેવું ઘટે છેજ. % શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૧૩-૯-૪૬ તત્ સત્ ભાદરવા વદ ૩, શનિ, ૨૦૦૨ આપને પત્ર મળે. તે વાંચી સંતોષ થયે છે. તે પુરુષાર્થ ન પડે અને આરંભરા’ ગુજરાતીને કહે છે તે કલંક મને તે ન જ લાગે એ ભાવ રાખી આત્માને માટે વિશેષ વિશેષ જાગૃતિની જરૂર છે. આત્મા દેહાદિથી ભિન્ન અવલેકવાને અભ્યાસ પરમગુરૂના વિશ્વાસે કર્તવ્ય છેજી. છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી (જાણનાર) સદા અવિનાશ – મૂળ એમ જાણે સદ્દગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ – મૂળ.” એ આખું પદ વારંવાર વિચારતા રહેવું ઘટે છે જી. Page #628 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૬૦૩ આ મનુષ્યભવમાં જેવી આત્મકલ્યાણની અનુકૂળતા છે તેવી લખચોરાશી ગતિમાં ભમતાં કોઈ પણ ઠેકાણે મળે તેમ નથી. બહુ પુણ્યથી મનુષ્યભવ મળ્યો છે, તેની એક એક પળ રત્નચિંતામણિથી ઘણી જ મૂલ્યવાન છે. માટે પ્રમાદ, વાસના, વેર, વિરોધ આદિ દુર્ભાવ છોડીને સદ્ગુરુ આજ્ઞામાં જેટલે કાળ ગળાય તેટલું ખરું જીવન છે, બાકી તે ધમણની પેઠે શ્વાસોશ્વાસ લેવામાં કાળ જાય છે. ખરી મોસમમાં જેમ ખેડૂતે બધાં કામ મુલતવી રાખી એક ખેતીના કામમાં તનતોડ મહેનત કરે છે તેમ મનુષ્યભવની ઉત્તમ માસમાં આવી છે, તે મેક્ષને જ અર્થે છે. આજીવિકા કે જરૂરનાં દેહાદિ સંબંધી કાર્યો પતી જતાં નવરાશનો વખત બને તેટલું આત્મઉન્નતિ થાય તે અર્થે ગાળતા રહેવાથી જીવનું કલ્યાણ ત્વરિત ગતિથી થવું સંભવે છે. સમજુ જન સહેલાઈથી સમજી જાય છે. મૂર્ખ માણસે આખી જિંદગી આવી વાત સાંભળે છતાં ચેતતા નથી અને અચાનક કાળ આવી પહોંચે ત્યારે સિકંદર(Alexandar)ની પેઠે આખર પસ્તાય છે પણ અંતે કંઈ બની શકતું નથી. જ્યારે સંસારનાં કામ કરવાની શક્તિ હોય, તે જ વખતે ધર્મનાં પણ કામ સાથે સાથે થઈ શકે છે એ પરમકૃપાળુદેવે કરી બતાવ્યું છે. પણ ઘરડા થઈશું ત્યારે કરીશું એમ જે મુલતવી રાખે છે, તે મહાજનમાં (પાંજરાપોળમાં) મૂકવાના ઢેર જેવા નકામા થઈ જાય ત્યારે ધર્મ આરાધવા જાય; પણું શરીર કહ્યું કરે નહીં, દ્વિયે કામ આપે નહીં તેવી સ્થિતિ થઈ ગઈ હોય તે તે શું કલ્યાણ તેવે વખતે કરે? માટે આજથી જ જે મંડી પડશે તે મહાભાગ્યશાળી ગણવા ગ્ય છેજી. ૩% શાંતિઃ શાંતિ શાંતિઃ ૬૯૩ અગાસ, તા. ૨૨-૯-૪૬ તત ૐ સત ભાદરવા વદ ૧૨, ૨૦૦૨ પૂન્મનું કાર્ડ મળ્યું. તેમાં એક ઘૂંટડે પાણે અજાણતાં પિવાઈ ગયું લખે છે, તે ઉકાળેલા પાણીને બદલે ઠંડું પાણી હશે એમ લાગે છે. હવેથી જે નિયમ લીધું હોય તેને વિશેષ ઉપગ રાખવા કાળજી રાખશોજી, તથા પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ ભાવપૂર્વક નમસ્કાર કરી ધીમે ધીમેથી પશ્ચાત્તાપૂર્વક ક્ષમાપનાને પાઠ બેલી જવા ભલામણ છે. | સર્વ ભક્તિ વખતે એકઠા હજી મળતા હશે. મેક્ષમાળાને એક પાઠ વાંચવાનું રોજ રાખ્યું છે? ભક્તિ પૂરી થયે ઊઠતાં એક પાઠ સાંભળી બધા ઊઠે તે તે સંસ્કાર કે તેથી થતા વિચાર પણ પછીથી રહ્યા કરે. બીજે દિવસે આગલા પાઠની યાદી આપી એક ન પાઠ સાંભળ. આમ મોક્ષમાળા ચાર માસમાં પૂરી થાય. વળી ફરીથી વંચાય એમ થતાં જીવને ઘણું સમજવાનું ક્રમે ક્રમે થશે. ફરી ફરી વંચાશે એમ વિશેષ વિશેષ સમજાશે. સપુરુષનાં વચન પ્રત્યક્ષ સત્પરુષ તુલ્ય ગણુ આરાધવાથી સમકિતનું કારણ થાય છે. નિયમિત એકઠા થતા હે તે દશ-પંદર મિનિટ પાઠ વાંચતાં લાગે એટલે વખત જરૂર તે અર્થે કાઢવા ગ્ય છેજ. બધા મળે ત્યારે આ પત્ર વાંચશે, અને ઠીક લાગે છે તે પ્રમાણે આત્માથે વર્તશે. દિવસે દિવસે મુમુક્ષુતા વધે, ધર્મની ભૂખ લાગે તેમ ર્તવ્ય છે. તે થવા સપુરુષનાં વચનેમાં પ્રીતિ, તેનું નિયમિત આરાધન એ છે. પૈસાટકા એ લૌકિક ધન છે અને જ્ઞાનવૃદ્ધિ એ આત્મિક ધન છે. સપુરુષને શરણે તે કમાણી વધારવી. Page #629 -------------------------------------------------------------------------- ________________ ૬૦૪ આધામૃત ૬૯૪ દયા નહીં આ જીવ તણી મેં ખાĂ ખરા દિલથી હજીયે, ભવ ભમવાના ત્રાસ નહીં હō લાગ્યા ખૂખ ખરો કદીયે; દુઃખ ઘણાં દેખ્યાં આ ભવમાં તેપણ તે પર પગ મૂકી, નિય પેઠે વહ્યો ગયા, નહિ ચેત્યા ચાલ જાની ચૂકી. અગાસ, તા. ૨૩-૯-૪૬ આ જીવનમાં કેઈએ પણ આપણા ઉપર મહદ્ ઉપકાર કર્યાં હાય. તેમાં સર્વોપરી પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના છે. તેની નિષ્કારણુ કરુણાને નિરંતર સ્તવવામાં પણુ આત્મસ્વભાવ પ્રગટે છે. એનાં અપૂર્વ વચનને હૃદયમાં ઉતારનારને નિર્વાણુમાંની પ્રાપ્તિ થાય છે. આવું અચિંત્ય માહાત્મ્ય જેનું છે એવા નિસ્પૃહી મહાત્માનું શરણુ આપણને મળ્યું છે તે જો મરણ સુધી ટકાવી રાખી તેને આશ્રયે આ દેહ છૂટે તે જીવ સમાધિમરણ પામે. એવું એક વાર મરણ જેનું થાય તેને મેક્ષે જતાં સુધી કદી અસમાધિમરણ ન થાય એટલે ભવાભવ તેવા લાભ મળતા રહે એવી અપૂર્વ કમાણી આ ભવમાં કરી લેવાની છે. માટે જગતની મેહક વસ્તુઓ ઉપરથી મનને ખસેડી શાશ્વત આપણા આત્મા જેના ચાગબળે શુદ્ધ થાય, મેક્ષે જાય તે મહાપુરુષ ઉપર દિન દિન પ્રેમ-ભક્તિભાવ વધતા જાય તેમ કન્ય છે. તે અર્થે ભક્તિ, પત્રવ્યવહાર, ઓળખાણુ કે વાંચન-વિચાર કબ્જે છેજી. નહીં તેા જગતની કોઈ વસ્તુ આખરે મદદ કરે તેવી નથી. માટે મનમાં સમજી જઈ બધેથી માહ સ`કારી લઈ એક પરમપુરુષ ઉપર પ્રેમ, પરમપ્રેમ કબ્ય છેજી. આ લહ્યે જેટલેા કાળ જશે તેટલું આયુષ્ય સફળ થશે, લેખે આવશે. બાકીનું તે વેઠ જેવું છે. કારણ કે આપણી સાથે કઈ આવવાનું નથી. આપણું દુઃખ પણ કાઈ લઈ શકે એવું નથી, તે આત્માનું હિત થાય તેવું સ્મરણ, ભક્તિ, સાચન, વિચાર અર્થે કેમ ન જીવવું ? અંતરમાં આ દાઝ જાગશે તેા જીવન પલટાઈ જશે. મંદાક્રાંતા — મંત્ર મંત્ર્યા સ્મરણ કરતા, કાળ કાઢું હુવે આ, = જ્યાં ત્યાં જોવું પરભણી ભૂલી, ખેાલ ભૂલું પરાયા; આત્મા માટે જૈવન વવું લક્ષ રાખી સદાાએ, પાસું સાચા જીવનપલટામાક્ષમાર્ગી થવાને. (પ્રજ્ઞાવખાધ – ૭૪) પરસ્પર મુમુક્ષુઓને સમાગમ કે પત્રવ્યવહાર પણ આત્માર્થં થાય તે હિતકારી છે. અહુંકાર ન થાય, માત્ર છૂટવાની ભાવનાથી મેાક્ષમાગની ચર્ચા, વાર્તા કે વિચારોની આપ-લે થાય તે હિતકર્તા છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ પ અગાસ, તા. ૧૩–૧૦-૪૬, વિ દિવાળીપર્વે અહીં નીચે પ્રમાણે ઊજવાય છે, તે યથાશક્તિ તમારે ભાવ પ્રમાણે ઊજવી શકાય તે અર્થે લખ્યું છે, જેને સમાધિમરણ સહિત દેહ છેડવાની ભાવના છે તેને આચરવા અર્થ વર્ષીમાં ચાર દિવસ ૫. ઉ. ૫. પૂ. પ્રભુશ્રીજીએ કૃપા કરી જણાવેલ છે — ધનતેરસ, કાળીચૌદશ, દિવાળી અને નવા પઢવા. આ ચાર દિવસ ધર્મ-ધ્યાનમાં એટલે ભક્તિભાવમાં ગાળવા; બ્રહ્મચર્ય તેટલા દિવસ પાળવું; સાદા ખારાક કે એક વખત જમવાના નિયમ, Page #630 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૬૦૫ ઉપવાસ આદિ બને તેટલે ત્યાગ વૈરાગ્ય રાખો. નિત્યનિયમમાં ભક્તિ કરતા હોઈએ તે ઉપરાંત નીચે જણાવ્યા પ્રમાણે રેજ ૩૬ માળા ગણવી. કુલ ૧૪૪ માળા ચાર દિવસે મળીને થાય. એક સાથે ૩૬ માળા ન ગણાય તે ૧૮ માળા ગણી કંઈ આરામ લઈ ફરી ૧૮ માળા ગણવી. તેને કામ અને માળા ફેરવતાં જે ભાવના રાખવાની તે હવે લખું છું – “સહજાન્મસ્વરૂપ પરમગુરુ” એ મંત્રની ત્રણ માળા પ્રથમ ગણવી. પહેલી માળામાં સમ્યફદર્શન પામવાની ભાવના, બીજીમાં સમ્યકજ્ઞાન અને ત્રીજીમાં સચ્ચારિત્રની ભાવના કરવી. ૨૮ માળા “પરમગુરુ નિગ્રંથ સર્વ દેવ” એ મંત્રની નીચેની ભાવના સહ ફેરવવી. પહેલી ત્રણ માળા મિથ્યાત્વમેહનીય, સમકિત મેહનીય અને મિશ્રમેહનીય ક્ષય થવા એટલે ક્ષાયક સમકિત થવા એ ત્રણ માળા ફેરવવી. પછી અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લેભ જવા ચાર માળા, અને અપ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા, લેભ જેવા બીજી ચાર માળા અને પ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા, લેભ જવા ત્રીજી ચાર માળા અને સંજવલન ક્રોધ, માન, માયા, લેભ જવા થી ચાર માળા; એટલે સમકિતને રોકનાર અનંતાનુબંધી કષાય, દેશવ્રતને રોકનાર અપ્રત્યાખ્યાન કષાય અને મુનિપણને રેકનાર પ્રત્યાખ્યાન કષાય તથા પરમશાંતિ કે કેવળજ્ઞાનને ન પ્રગટવા દે તેવા સંજ્વલન કષાય ટાળવા એ ૧૬ માળા થઈ. હવે ૯ માળા નવ દેષ જવા ફેરવવાની છે. હાસ્ય, રતિ, અરતિ, ભય, પશેક, દુર્ગા (જુગુપ્સા), સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ એ ત્રણ મલિન ભાવ ક્ષય થવા નવ માળા ગણવી. પાંચ માળા રહી તે જ્ઞાન ઉપર આવરણ કરનાર પાંચ કર્મો ટાળવા ભાવના કરવાની છે. ૧. મતિજ્ઞાન નિર્મળ થવા, ૨. શ્રુતજ્ઞાન પ્રગટવા, ૩. અવધિજ્ઞાન થવા, ૪. મનઃ પર્યાવજ્ઞાન ઊપજવા, ૫. કેવળજ્ઞાન પ્રકાશવા પાંચ માળા “આતમભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે.” બન્ને મળી ભક્તિ ચાર દિવસ કરશે તે ઘણો આનંદ અને ઉત્તમ ભાવ ખુરશે. રોજ ન બને તે પહેલે દિવસ ભેગા મળી માળા ફેરવશો. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૧૬-૧૦-૪૬ પ. પૂ. પ્રભુશ્રીજીએ દિવાળી પર્વ ઊજવવા ફરમાવ્યું છે તેનું ફળ સમાધિમરણ છેજી. જેમ મયણાસતીએ શ્રીપાલને કોઢ જવાને ઉપાય ગુરુમુખે સાંભળી આદર્યો તે ઈચ્છિત પ્રાપ્તિ થઈ તેમ જેને સમાધિમરણ પ્રાપ્ત કરવું હોય તે આ દિવાળીપર્વ વર્ષમાં એક વખત આદરે તે સમાધિમરણની પ્રાપ્તિ થાય તેવું તેમાં દૈવત રહેલું છે. સામાયિક લઈને બેઠા હોઈએ તેમ સામટી ૩૬ માળા ન ફેરવાય તે ૧૮ માળા કે ૨૨ માળા પ્રથમ ફેરવી, છેડે વખત જવા દઈ અનુકૂળતાએ ફરી ૧૮ માળા કે બાકીની પૂરી કરવી. મૃત્યુ મહત્સવરૂપ લાગશે. ૭. અગાસ, તા. ૨૬૧૦-૪૬ દેહર – સદ્ગુરુ પદ ઉપકારને, સંભારું દિનરાત; જેણે ક્ષણમાંહિ કર્યો, આ અનાથ સનાથ, આપને પત્ર પ્રાપ્ત થયું છે. પરમકૃપાળુદેવ પ્રત્યે જેટલે પ્રેમ કરશે તેટલે લેખે લાગશે. આપણે બધા એને આશરે પડેલા છીએ. સર્વનું કલ્યાણ એના શરણે રહ્યાથી છે. સપુરુષ Page #631 -------------------------------------------------------------------------- ________________ બોધામૃત પ્રત્યે પરમેશ્વરબુદ્ધિ અને જ્ઞાનીઓએ પરમધર્મ કહ્યો છે અને એ બુદ્ધિ સર્વ પ્રાણીઓ પ્રત્યે પિતાનું દાસત્વ સૂચવે છે, એવું પરમકૃપાળુદેવે દીનત્વ કે પરમ વિનય વિષે લખ્યું છે તે જીવને તરવાનું પ્રથમ સાધન છે. તેથી જ સર્વ પ્રકારની યોગ્યતા જીવને પ્રાપ્ત થાય છે, અને ભક્તિ જાગે છે. પ. પૂ. પ્રભુશ્રીજીએ એક વાક્ય લખાવેલું- “બગડેલું સુધારવું અને સુધરેલું બગડવા ન દેવું.” અને વિચાર કરી જીવન પવિત્ર કર્તવ્ય છે. ૩% શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૬૯૮ અગાસ, તા. ૨૭–૧૦-૪૬ તત્ ૐ સત્ કાર્તિક સુદ ૨, ૨૦૦૩ આ પાંચમ જ્ઞાનપંચમી ગણાય છે. તે દિવસ માટે પ. પૂ. પ્રભુશ્રીજીએ એક વખત બધાને કહેલું – “આ વ્રત જબરું છે. વર્ષમાં એક વખત ઉપવાસ કરવાનું છે. જેને જિંદગી સુધી એ વ્રત લેવું હોય તે ઊભા થાઓ.” તે સાંભળી ઘણાખરાએ યથાશક્તિ એ વ્રત લીધું હતું. તે સ્મૃતિમાં આવ્યાથી આપને જણાવ્યું છે. જેને તે દિવસે જેવું બને તેવું તપ આત્માર્થે કરવા ગ્ય છેજ. પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ નમસ્કાર કરી વ્રતની ભાવને કરવી હોય તેમણે કર્તવ્ય છે. છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૨૮-૧૦-૪૬ અંશે હોય ઈહ અવિનાશી, પુદ્ગલ જાળ તમાસી રે; ચિદાનંદઘન સુયશ વિલાસી, કેમ હોય જગને આશી રે. એ ગુણ રાજ તણે ન વિસારું સંભારું દિન-રાત રે.” તમે એક કાર્ડમાં મથાળા ઉપરની કડીને અર્થ પુછાવેલ છે તે સંક્ષેપથી નીચે પ્રમાણે જણું છું. પાંચમી દષ્ટિની એ છેલ્લી કડી છે. પાંચમી દષ્ટિ એ ક્ષાયિક સમકિત વિષેની છે. આ કડીની ઉપરની કડીમાં પુણ્યને પ્રાપ્ત થયેલાં દેવલેકનાં વિષયસુખો પણ જેને ઈષ્ટ નહીં પણ અનિષ્ટ લાગે છે, તેના જેવાં? શીતળ ચંદન જેનું (ઘસેલા ચંદનનું) ટીપું ઊકળતા તેલમાં પડ્યું હોય તે તે તેલ ઠંડું થઈ જાય તેવા ચંદનના વૃક્ષનાં ડાળ પરસ્પર ઘસાવાથી અગ્નિ પ્રગટે છે, તે આખા ચંદનના વનને પણ બાળી નાખે છે તેમ સમ્યફદષ્ટિ ક્ષાયિક દશા. પામ્યો તે તે ગમે તેવાં પુણ્ય પણ, આત્મા સંબંધીને અનેક વિચારો અને અનુભવદશાને વિન્ન કરનાર ગણી, બળતરા સમાન તે સુખને દુઃખરૂપ ગણે છે. જેને સુખદુઃખ સમાન કર્મનાં ફળરૂપ સ્પષ્ટ સમજાયાં છે તેની દશા છેલલી કડીમાં વર્ણવી છે. અંશે અવિનાશીપદ એટલે સિદ્ધપદ જેને પ્રાપ્ત થયું છે, પુદ્ગલની જાળ પુણ્ય-પાપ બનેને ગણે છે, તેનાં ફળ જે સુખદુઃખ તે પણ પુદ્ગલરૂપ–કલ્પનારૂપ માની તેને તમાસો જોનાર દ્રષ્ટારૂપ તે રહે છે. ચિદાનંદઘન એટલે ચૈતન્યને પરમાનંદરૂપ સ્વભાવ; તેના સુયશ = પ્રશંસાને; વિલાસીક અનુભવ કરનાર ક્ષાયિક સમ્યફદષ્ટિ જીવ જગનાં સુખને ઈચ્છક કેમ હોયઆ બધાનું કારણ શું? એ ગુણ = ઉપકાર પરમકૃપાળુ પરમ પુરુષને છે, તે કેમ વીસરી શકે? રાતદિવસ સંભારવા ગ્ય પરમપુરુષની નિષ્કારણ કરુણ છે. તેની નિષ્કારણ કરુણને નિત્ય પ્રત્યે Page #632 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૬૦૭ નિરંતર સ્તવવામાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે, એવા સર્વ સત્પરુષ તેના ચરણારવિંદ સદાય હૃદયને વિષે સ્થાપન રહે.” (૪૯૩) “પર પ્રેમપ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમભેદ સુઉર બર્સ, વહ કેવલ બીજ જ્ઞાની કહે, નિજો અનુભવ બતલાય દિયે.” ૭૦૦ અગાસ, તા. ૩૧-૧૦-૪૬ તત સત્ર કાર્તિક સુદ ૬, ૨૦૦૩ કવાલી – ઝુકાવ્યું ભક્તિમાં જેણે, દુઃખ કાપ્યા બધાં તેણે, કૃપાળુની કૃપા સાચી, ગણે તે ધન્ય અયાચી; ભલે આવે દુખો ભારે, પ્રસાદી તેન વિચારે, જવાનું તે જશે, હું તે – અમર આત્મા સદા છું, જે. મળે પદ જે અવિનાશી, જવા દઉં સર્વ વિનાશી, નથી કંઈ ઈચ્છવું મારે, કૃપાળુની કૃપા તારે. ડરાવે બાલને કેઈ, જતે માની કને રે મળે ત્યાં માર તેાયે તે, તજે ના માતને કદીયે. આપના સંબંધી પત્ર આજે મળે. આપની માનસિક અશાંતિના સમાચાર વાંચી આ પત્ર લખવા પ્રયત્ન કર્યો પણ વચ્ચે ઘણું વિઘો આવવાથી થોડે પૂરે કરવા વિચારું છું. અત્યારે એમ વિચાર કુરે છે કે આવા વખતમાં આપની આશ્રમમાં હાજરી હોય તે અનેક પ્રકૃતિના મુમુક્ષુએરૂપી ફૂલઝાડવાળા સુંદર બાગમાં જેમ મગજ શાંત થાય છે તેમ આશ્રમમાં વસવાથી અનેક પ્રકારના ઉત્તાપ શાંત થવા સંભવે છે. એવા અનેક ઉદેશથી ૫. ઉ. પ. પૂ. કરુણાસાગર પ્રભુશ્રીજીએ આ આશ્રમ-જીવન સમાધિમરણને પિષે તેવું ક્યું છે. તેને અનેક ભવ્ય જીવેએ લાભ લઈ સમાધિમરણ સાધ્યું છે, સાધે છે અને ભવિષ્યમાં સાધશે; તે તમારા જેવા તેથી દૂર રહે એ ઘટતું તે નથી, પણ આપ જેવા સમજુને શું કહેવું? બધી દવા વગેરેની કે શારીરિક અનુકૂળતાઓ શહેરમાં સુલભ હોય તે ગૌણ કરી, સમાધિમરણનું મહત્ત્વ જે હૃદયમાં વસે તે અહીંના વાસ જેવું ઉત્તમ સ્થળ આખર અવસ્થામાં કયાં મળે? પૈસાદારને વિલાયત જવું ગમે, પણ પરમકૃપાળુદેવના ભક્તને તે આ આશ્રમ વિલાયત કરતાં વધારે હિતકારી મારી અલ્પમતિમાં સમજાય છે. દવા માટે મુંબઈ જવું પડે, દવાખાનામાં રહેવું પડે, તે પરમકૃપાળુદેવની દવા જ્યાં વધારે ગુણ કરે તે લક્ષ હવે તે વિશેષ વિશેષ વિચારી, લેકલાજ મૂકી, બીજી મુશ્કેલીઓ વેઠી, જ્યાં આત્મા ઠરે એવા સત્સંગની સહેજે જોગવાઈ પરમકૃપાળુ પરમ પૂજ્ય પ્રભુશ્રીજીના અથાગ શ્રમ અને ગબળે વિદ્યમાન છે, તે આ પાછલા દિવસે તેવા ઉત્તમ વાતાવરણમાં શા માટે ન ગાળવા? બીજાને રાજી રાખવા ઘણું આ ભવમાં કર્યું, હવે તે ગૌણ કરી આત્માની પ્રસન્નતા થાય તેવી કંઈ ગોઠવણ કરવાના નિર્ણય ઉપર આવે તે સ્વપરના હિતનું કારણ સમજાય છે. વેશ્યાઓનો આધાર ભાવ ઉપર છે અને ભાવ નિમિત્તાધીન છે તે સારાં નિમિત્તોમાં સારા ભાવ સહજે થવા સંભવે છે. Page #633 -------------------------------------------------------------------------- ________________ બેધામૃત, ૬૦૮ બનનાર છે તે ફરનાર નથી અને ફરનાર છે તે બનનાર નથી, તે પછી ધર્મ પ્રયત્નમાં, આત્મિક હિતમાં અન્ય ઉપાધિને આધીન થઈ પ્રમાદ શું ધારણ કરે?” (૪૭) આમ પરમકૃપાળુદેવે લખ્યું છે તે પુરુષાર્થની વૃદ્ધિને અર્થે લખ્યું છે. એ વિચારી આત્મહિતમાં પ્રવર્તવા ભલામણ છે”. ઘણું ઘણું વિચારે પત્ર લખતાં પહેલાં આવેલા, પણ પત્રમાં કેટલુંક લખાય? કાર્તિક વદ ૫ ઉપર ઈડર જવા વિચાર રહે છે. ત્યાંથી પાછા ફરતાં આપ અમદાવાદ હશો તે મળી શકાશે. અને અહીં પધારી શકે તે એથી વિશેષ શું હોઈ શકે? # શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૭૦૧ અગાસ, તા. ૧૨-૧૧-૪૬ આ૫ને કામ પ્રસંગે રંગૂન જવું થયું છે, ત્યાં કામની ભીડમાં ધર્મ અત્યંત ગૌણ વિસ્મરણવત્ ન થાય તેટલી કાળજી રાખવા ભલામણ છેછે. અનાર્ય વાતાવરણમાં પણ જે નિત્યનિયમાદિ ટકાવી રાખે તે એક પ્રકારની પરીક્ષામાં પાસ થયે ગણાય. જોકે શરીરની અશક્તિ, પ્રમાદ, માનપૂજાની પ્રેરણું આદિ અનેક સંકટો ઓળંગી સદ્ગુરુના ચરણનું શરણ મરણ સુધી ટકાવી રાખવાનું છે. હજી તે એવી ભારે કસેટી આવી નથી, છતાં તેને માટે તૈયારી રાખી હશે તે તેવા પ્રસંગે પહોંચી વળશે. માટે જ મરણના પ્રસંગને વિચારી, મારે મરણની તૈયારી રાજ કરતા રહેવું છે. અત્યારે ધારે કે એવો પ્રસંગ એકાએક આવી પડે તે પહેલું મને શું સાંભરે કે શું સંભારવા યોગ્ય છે? શામાં બળ કરીને પણ મારે વૃત્તિ રોકી રાખવી? અત્યંત દુઃખ વધતું જતું હોય ત્યારે કેવી આત્મભાવના પ્રત્યે ખેંચ રાખવી? કેમ ઉપગ નાશવંત વસ્તુઓ પ્રત્યેથી પાછે વાળી શાશ્વત, સચ્ચિદાનંદ, અનંત સુખમય આત્મા પ્રત્યે વાળ? આ બાબતેને વિચાર, નિર્ણય કરી તેવા અભ્યાસની કાળજી રાખી હશે તે આખરે ગભરામણ નહીં થાય, પણ જોયેલે રસ્તે નિર્ભયપણે મુસાફરી થાય, તેમ સહજસ્વભાવે આત્મભાવમાં વૃત્તિ રહે અને સમાધિમરણ થાય; માટે બીજી બાબતે બને તેટલી ગૌણ કરી પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રનાં વચનેને વિચાર બને તે બધા એકઠા મળીને કે તે જગ ન હોય તે સૌએ એકાંતે પિતાને માટે કર્તવ્ય છે”. તેમાં ગાળેલે કાળ અલેખે નહીં જાય, બલકે એ જ ખરું જીવન છે. બાકીને કાળ જે લોકવ્યવહારમાં જાય છે, તે તે ધમણની પેઠે શ્વાસ લેવામાં અને મૂકવામાં વ્યર્થ વહી જાય છે. - વિચારવામાં તેનું નામ કે જે આ સંસાર પ્રત્યે ઉદાસીન ભાવ રાખી ત્રણે કાળ ટકી રહે. તેવું આત્મસુખ છે તેની પ્રાપ્તિ અર્થે જ્ઞાની પુરુષે કહેલું આરાધે. પુણ્યાધીન જે ધનસંપત્તિ છે તે સદા રહેનાર નથી. તેને માટે દિવસના ૨૪ કલાક ન ગાળે તે ચાલે તેમ છે છતાં તેમાં જ સુખ કલ્પાયું છે તેથી તેની પ્રધાનતા હૃદયમાં પૂર્વ સંસ્કારે રહેતી હોય તે ગૌણ કરી, મક્ષ અર્થે આ મનુષ્યભવ છે તે તેને માટે જેટલે કાળ ગળાશે તે લેખન છે. શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૭૦૨ અગાસ, તા. ૧૮-૧૧વિ. આપને પત્ર મળે. રોજ નિત્યનિયમ કરવાની તીવ્રતા પ્રદર્શિત કરી તે જાણી સંતોષ થયો છે. ફરી તેવી ભૂલ જિંદગીમાં હવે ન થવા દેવી એ પ્રાયશ્ચિત્ત છેજી. Page #634 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૬૦૯ પૂજા કરવા જાઓ છે તે ઠીક છે. ભગવાનનું સ્વરૂપ સમજીને પૂજા કરવાથી ઘણે લાભ થવા યોગ્ય છે. અહીં આવે ત્યારે યાદ કરશે તે તે વિષે વિશેષ વાત થશે. હાલ તે પૂજા કરતી વખતે વીસ દેહરા કે ક્ષમાપનાને પાઠ બેલતા રહેવા ભલામણ છેજી. ' છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૭૦૩ અગાસ, તા. ૨૦-૧૧-૪૬ કવાલી – ગુમાવ્યું ભક્તિમાં જેણે, દુઃખ કાપ્યાં બધાં તેણે, કૃપાળુની કૃપા સાચી, ગણે તે ધન્ય, અયાચી. ભલે આવે દુઃખો ભારે, પ્રસાદી તેની વિચારે, જવાનું તે જશે, હું તે અમર આત્મા સદા છું જે. “શારીરિક વેદનાને દેહને ધર્મ જાણું અને બાંધેલાં એવાં કર્મોનું ફળ જાણી સમ્યક પ્રકારે અહિયાસવા ગ્ય છે (૪૬૦) એ પત્ર વારંવાર વિચારવા વિનંતી છેજી. આર્તધ્યાન કેઈ પ્રકારે ન થાય તે મુમુક્ષુજી સંભાળે છે. જેટલી સહનશીલતા વિશેષ અને જેટલું ઉપયોગ પરમકૃપાળુદેવના સ્વરૂપમાં–મંત્રમાં રહેશે તેટલી સમાધિમરણની તૈયારી થાય છે એમ જાણું, આ કર્મ સમાધિમરણને પાઠ આપવા પૂર્વ તૈયારી કરાવવા આવ્યું છે એમ જાણી ગભરાયા વિના ધર્મ ધ્યાનમાં વૃત્તિ રહે તેમ કર્તવ્ય છે. જે કંઈ વાંચવું, વિચારવું થાય તેની અસર ઘણી વખત સુધી રહ્યા કરે, તેની અપૂર્વતા લાગે અને આત્મામાં પરમાર્થની ગરજ વિશેષ વધતી જાય તેમ વાંચવા-વિચારવા વિનંતી છે. પરમકૃપાળુદેવે ઉપશમસ્વરૂપ થઈ ઉપશમસ્વરૂપ વચનામૃતની વૃષ્ટિ કરી છે, તે ઉપશમ અર્થ (આત્માર્થે) ઉપશમરૂપ અંતઃકરણમાં સ્થિર થાય તેમ પરમાર્થ સન્મુખ પુરુષાર્થ કર્તવ્ય છે.. ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૭૦૪ અગાસ, તા. ૨૧-૧૧-૪૬ આત્મસિદ્ધિ ચમત્કારી ચીજ છે. તેની શ્રદ્ધા, અભ્યાસ કરે તેમાં તપ, જપ, દાન વગેરે સમાઈ જાય છે. પિતાનાથી બનતે પુરુષાર્થ શ્રી આત્મસિદ્ધિ મુખપાઠ કરવામાં પણ કર્તવ્ય છેજ. મુખપાઠ થઈ ગઈ હોય તે તેના અર્થ વિચારવા અને પરસ્પર એકઠા મળીએ ત્યારે ચર્ચવા, પૂછવા અને સમાધાન થતાં સુધી તે વિચારમાં રહેવું ઘટે છે. છ પદની શ્રદ્ધામાં આત્મદર્શન સમાયેલું છે. છપદને પત્ર પણ તેવો જ ચમત્કારી છે. શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૯૦૫ અગાસ, કાતિક વદિ ૦)), ૨૦૦૩ સંસારનલમાં ભલે ભુલાવી, વિઠ્ઠો સદા આપજો, દ્વારા સુત તન ધન હરી, સંતાપથી બહુ તાવજે. પણ રે પ્રભુ!ના પૈર્ય છૂટશે, હદયે સદાયે આવજે, શ્રી સદ્દગુરુના આશ્રયે, સમભાવે દેહ મુકાવજે. Page #635 -------------------------------------------------------------------------- ________________ બેધામૃત ૬૧૦ ભક્તિમાર્ગમાં આગળ વધવા સત્સંગ એ અનુપમ સાધન છે. જ્યાં સુધી ઇંદ્ધિ સાબૂત છે, બીજાં કામ થઈ શકે તેવું શરીર છે, ત્યાં સુધી આ આત્માની દયા લાવી આત્મહિત અર્થે સત્સંગ, ભક્તિ, વાંચન, વિચાર, સદાચાર આદિ કરી લેવા યોગ્ય છેજી. જ્યારે શરીરમાં રોગ ઘર કરશે, કાન, આંખ આદિ આળસી જશે, અશક્તિ ઘર કરશે ત્યારે પછી કંઈ નહીં બને. માટે વિશેષ કાળજી રાખી આત્મજ્ઞાની પુરુષની આજ્ઞા ઉઠાવવામાં થતા પ્રમાદને પુરુષાર્થથી જીત ઘટે છેજ. પૈસા થડા હોય તે આછું પાતળું ખાઈપીને દહાડા કઢાય, બહુ વિદ્વત્તા ન હોય તે જ્ઞાનીનું કહેલું હૃદયમાં રાખી ચલાવી લેવાય, યશકીર્તિ ન મળે તે તેના વિના પણ ચાલે, પણ જે ખાવામાં ને ઊંઘવામાં જ જીવન ચાલ્યું ગયું અને અચાનક કાળ આવીને ઊભે રહેશે ત્યારે સાથે શું લઈને અહીંથી જીવ જશે? અહીંનું એકઠું કરેલું કે જેમનાં મન સાચવવા તણાઈ મર્યા હોઈએ તેવાં સગાં, વહાલાં બધાં અહીંના અહીં રહી જશે અને પોતે બાંધેલું ભેગવવા એકલે જીવ ખાલી હાથે જશે. આવા વૈરાગ્યભરેલા વિચારે વારંવાર કરવાથી આત્મહિતની ગરજ જાગશે, આ ભવમાં મૂઠી ફાકે થઈ શકે તેટલું કરી લેવાની તત્પરતા વધશે. બધા ભવમાં કાગડા-કૂતરાના મતે જીવ મર્યો છે, તેવું આ ભવમાં નથી કરવું, પણ સમાધિમરણ થાય તેની તૈયારી આજથી કરતા રહેવી ઘટે છે. તે સત્સંગે યથાર્થ સમજાય છે માટે સૌથી સહેલું અને પ્રથમ કર્તવ્ય તે સત્સંગ છે. તેની મૂરણ રહ્યા કરે એવી અગમચેતી લેતા રહીશું તે જરૂર મરણ સુધારવાની કળા હસ્તગત થશે. વેદનામાં મન વળગ્યું ન રહે પણ જ્ઞાનીની આજ્ઞા ઉઠાવવાથી અપૂર્વ હિત થવાયેગ્ય છે તે લક્ષ લેવા ભલામણ છેછે. # શાંતિઃ ૭૦૬ અગાસ, તા. ૨૩-૧૧-૬ તત્ ૐ સત્ કાર્તિક વદ ૦)), ૨૦૦૩ જીવને સંતોષવૃત્તિ પ્રગટે તેવા સંગે આ કાળમાં ઓછા છે, કાં તે પૂર્વના સંસ્કારી સંસારથી કંટાળી સત્ક્રાંતિ અર્થે ગૂરે છે, કાં સત્સંગને રંગ લાગે ને સર્વ અનિત્ય છે એ ભાસ હદયમાં રહ્યા કરે, તેથી ચિત્ત ક્યાંય પ્રસન્નતા પામે નહીં અને જ્ઞાની પુરુષની આજ્ઞામાં વારંવાર વૃત્તિ જાય તે આ જગતને મેહ મંદ પડી વિરામ પામે તેમ બને; નહીં તે આખો લેક ત્રિવિધ તાપથી બળ્યા કરે છે, તેમાં જ જીવ મીઠાશ માની તેની જ ઝંખનામાં મનુષ્યભવ ગુમાવે છે. દરરોજ કંઈને કંઈ નિત્યનિયમ ઉપરાંત વાંચવા-વિચારવાનું અને તે કર્તવ્ય છે. સર્વ દુઃખને વીસરવાનું સાધન પુરુષનાં પરમ શીતલતાપ્રેરક વચને છે, તે જ અત્યારે આધારરૂપ છે. મુખપાઠ કરેલ હોય તે પણ વારંવાર વિચારતા રહેવાની જરૂર છે. “કર વિચાર તે પામ” આમ જ્ઞાનીની શિખામણ છે. # શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૭૦૭ અગાસ, તા. ૨૫-૧૧-૧૬ તત્ ૐ સત્ માગશર સુદ ૨, ૨૦૦૩ આપને પત્ર આજે મળે. તમારા પિતાશ્રીને શાંતિપૂર્વક દેહ છૂટ્યાના સમાચાર જાણી સંતોષ થયો છે. તેમની ભાવના પરમકૃપાળુદેવની જન્મતિથિ જેવાની આ ભવમાં પૂર્ણ Page #636 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૬૧૧ થઈ છે. એવી સંભાવના જેની સારી ગતિ થવાની હોય તેને જ થાય છે જ. આપણે પણ એક દિવસ નિર્માણ થયેલ છે, પણ તે દિવસે શું ભાવના કરીશું તે કંઈ ચોક્કસ કર્યું છે? તે ભાવના ત્યાં સુધી ટકી રહે તેવી બળવાન થવા શું કર્તવ્ય છે, તે વિચારવા આપ સર્વને વિનંતી છે.જી. કંઈક તૈયારી કરી હોય તે કામ દીપે છે, તેમ મરણ સુધારવું હોય તેણે પહેલાં શી શી તૈયારી કરવી ઘટે છે તે પરસ્પર વિચારી, સત્સંગે નિર્ણય કરી તે દિશામાં પગલાં ભર્યા હશે તે ધાર્યું કામ જરૂર થવા જોગ સામગ્રી આ ભવમાં પ્રાપ્ત થઈ છે તે સર્વની સફળ થાઓ એ ભાવના છે. આખરે કાંઈ બને કે ન બને, પણ પહેલાં તેને માટે કાળજી રાખી પ્રયત્ન કર્યો હશે તે અલેખે જનાર નથી, એવો વિશ્વાસ રાખી આત્મહિતની વૃદ્ધિમાં દિન-પ્રતિદિન વૃદ્ધિ થાય તેમ વર્તવા વિનંતી છે. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૭૮૮ અગાસ, તા. ૩૦-૧૧-૪૬ તતું કે સત્ માગશર સુદ ૬, શનિ, ૨૦૦૩ મંદાક્રાંતા – મંત્ર મંચે, સ્મરણ કરતે કાળ કાઢે હવે આ, જ્યાં ત્યાં જેવું પર ભણું બૅલી બોલ ભૂલું પરાયા આત્મા માટે ધૃવન ઍવવું લક્ષ રાખી સદા એ, પામું સાચો વનપલટો એક્ષમાગ થવાને. (પ્રજ્ઞાબેધ – ૭૪) | વિ. આપને પત્ર મળે. માંદગી પાછી ફરી શરૂ થઈ જાણું ધર્મનેહને લઈને ખેદ થયે. પૂર્વ કર્મ નિયમિત રીતે એનું કામ અચૂકપણે કર્યું જાય છે, તે મુમુક્ષુ જીવે સંસારથી મુક્ત થવાનાં સત્સાધન તે પ્રમાણે દૃઢતાપૂર્વક કેમ ન સેવવા? માંદગીમાં મારાથી હવે શું થાય? એવી કાયરતા ન સેવતાં, જ્યાં સુધી ભાન છે ત્યાં સુધી ઉપગ પલટાવવા, આત્ત ધ્યાન થતું અટકાવવા વીસ દેહરા, ક્ષમાપનાને પાઠ, યમનિયમ, છપદને પત્ર કે આત્મસિદ્ધિ કે મંત્રનું સ્મરણ આદિ જ્ઞાનીની આજ્ઞા થઈ હોય તે પદમાં વૃત્તિ રાખવા તેવે વખતે વિશેષ બળ કરવા લાગ્યા છે. તેમ વર્તાય તે આર્તધ્યાનને બદલે ધર્મધ્યાન થવા સંભવ છે. પિતાનાથી બને ત્યાં સુધી પિતે સત્સાધનમાં મન, વચન, કાયાથી પુરુષાર્થ કરવો. અશક્તિ જણાય ત્યારે પાસે હોય તેની મદદથી તે મંત્ર વગેરે બેલે તેમાં વૃત્તિ બળ કરીને રાખવા લક્ષ રાખ. તેમ ન બને અને વેદનામાં વારંવાર વૃત્તિ દોરાઈ જાય ત્યારે બહે ભગવાન! હવે મારું જેર ચાલતું નથી, પણ મારે સત્સાધનમાં જ વૃત્તિ રાખવી છે, દુઃખમાં મન દોરાઈ જાય છે, તે ઠીક થતું નથી. આથી તે કર્મબંધ થશે એવી જાગૃતિ રાખી, ભાવના તે સમભાવે તે વેદની વેદાય તેવી જ રાખવા મથવું ઘટે છેજી. પિતાનાં બાંધેલાં પોતાને જ ભેગવ્યે છૂટે એમ છે, તે હવે બને તેટલી શાંતિથી સહન કરી લેવા દે. બધું નાશવંત છે, તે વેદની કયાં સુધી રહેવાની છે? શાતા વેદની પણ ઈચ્છવા જેવી નથી. કર્મ માત્ર આત્માને બજારૂપ છે. જેના નિમિત્તે પરમકૃપાળુદેવ, તેનાં વચન અને તે મહાપુરુષને પુરુષાર્થ તથા તેની દશાની સ્મૃતિ થાય તે વિચારવા એગ્ય છે, સાંભળવા યોગ્ય છે, સ્મરણ કરવા ગ્ય છે, ભજવા ગ્ય છેજી. Page #637 -------------------------------------------------------------------------- ________________ ૬૧૨ બેધામૃત પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદ્દગુરુપાય; દીઠા નહિ નિજ દોષ તે, તરીએ કેણ ઉપાય?” આમ પિતાના દોષ દેખી સદ્ગુરુની ભક્તિમાં વૃત્તિ રાખી શુદ્ધ ચૈતન્યસ્વરૂપ પ્રભુ ન ભુલાય, તેની જ લય લાગે, જગત, દેહ અને વેદની ભુલાઈ જાય તેમ કર્તવ્ય છે. “પરમ શાંતિપદને ઈચ્છીએ એ જ આપણે સર્વસમ્મત ધર્મ છે.”(૩૭) ૩% શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ ook આપની તબિયત ઘણું દિવસથી અસ્વસ્થ રહ્યા કરે છે એમ સાંભળી ધર્મ પ્રેમથી ખેદ થ, પણ નિરૂપાયતા જાણી તે શમાવ્યો છે જ. રૂડા ને પણ વિશેષ વેદનાને વખતે ધીરજ રાખવી કઠણ થઈ પડે છે, તે પણ તેવા પ્રસંગમાં ગફલતમાં રહેવાથી આકરાં કર્મ વખતે બંધાઈ જાય છે, માટે મુમુક્ષુ જીવે તે બહુ સાવધાની રાખવી યોગ્ય છે.જી. પૂર્વ કર્મ ભોગવતાં કંટાળો કે ખેદ આણ ઘટતું નથી. “ખેદ નહીં કરતાં શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં એક્ષપાટણ સુલભ જ છે (૮૧૯) એમ પરમકૃપાળુદેવે જણાવ્યું છે તે વારંવાર વિચારી, છૂટવાની ભાવના ક્ષણે ક્ષણે વધે અને ઉપશમભાવ, નિઃસ્પૃહભાવ, સુખદુઃખ પ્રત્યે સમભાવ વિશેષ વિશેષ વર્ધમાન થાય તેવી વિચારણામાં વૃત્તિ રાખવી ઘટે છે. જીવે અજ્ઞાનભાવે બાહ્ય સુખની લાલસામાં લપેટાઈ જે પાપ ઉપાર્જન કર્યા તેનું આ ફળ આવ્યું છે, માટે હવે આ સંસારનું સ્વરૂપ જ્ઞાની પુરુષોએ વર્ણવ્યું છે તે જ પ્રકારે મને વિચારવા દે, નિર્ધારવા દે એમ મનને સમજાવી, અનાથી મુનિ, ગજસુકુમાર આદિ મહાત્માઓએ આ શરીરને અશાતાનું ઘર જાણ તેના સુખની ઈચ્છા છેડી, આત્માના ઉદ્ધાર અર્થે જ્ઞાની પુરુષોએ દીધેલી શિખામણ અવધારી, શિરસાવંઘ જાણી, ધીરજ ધરી આજ્ઞા ઉપાસી છે, તેથી તેમણે આત્માને ઉદ્ધાર કર્યો, તે જ પ્રસંગ મારા જીવનને પલટાવવાને મને આવી મળે છે તે મારે વગર ગભરાયે તેમને પગલે પગલે ચાલી જ્ઞાનીની આજ્ઞામાં લક્ષ રાખવા અત્યંત પુરુષાર્થ કર્તવ્ય છે એ દઢ સંકલ્પ કરે ઘટે છે. આત્મકલ્યાણનું પરમ સાધન સત્સંગ છે એમ દઢ નિશ્ચય કરી તેની ભાવના રાખી, પ્રત્યક્ષ સત્પરુષ શ્રી પરમકૃપાળુદેવનાં વચનેને પ્રત્યક્ષ સત્પરુષતુલ્ય જાણી તેનું શ્રવણ, વાંચન, મનન, નિદિધ્યાસન કરવું, સત્સંગે થયેલી આજ્ઞા આરાધવી અને સમાધિમરણની તૈયારી કરાવવા જ આ વેદના આવી છે એમ માની જાગ્રત જાગ્રત રહેવાની જરૂર છે. સમભાવ, પરમકૃપાળુ પ્રત્યે પરમ પ્રેમ અને શક્તિ ગોપવ્યા સિવાય બને તેટલી ખેંચ રાખીને મંત્રસ્મરણ “સહજાન્મસ્વરૂપ પરમગુરુ”નું રટણ હદયમાં રહ્યા કરે એવી દાઝ રાખવા ભલામણ છેજ. “કઈ પણ કારણે આ સંસારમાં લેશિત થવા યોગ્ય નથી. સર્વ પ્રકારે જ્ઞાનીને શરણમાં બુદ્ધિ રાખી નિર્ભયપણાને, નિઃખેદપણાને ભજવાની શિક્ષા શ્રી તીર્થકર જેવાએ કહી છે અને અમે પણ એ જ કહીએ છીએ.”(૪૬૦) એ પરમકૃપાળુદેવની શિક્ષા લક્ષમાં લેશે. શાંતિમાં રહેશે અને બીજા બધાને ગભરાવાનું કારણ ન બને તે ઉપયોગ રાખી પરમપ્રેમપ્રવાહ પરમકૃપાળુદેવ પ્રત્યે નિષ્કામપણે વહે તેમ વર્તશે. ૩% શાંતિઃ Page #638 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૬૧૩ ૭૧૦ કાવિઠા, તા. ૫-૧૨-૪૬ તતું કે સત્ માગસર સુદ ૧૧, ૨૦૦૩ આપને પત્ર મળે. તેમાં બીડીનું પચખાણ લેવા ભાવના જણાવી છે તે પ્રમાણે આ વર્ષ આખર સુધીની ભાવના પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ નમસ્કારપૂર્વક કરી લેવા ભલામણ છે. સાત વ્યસનને વિશેષ વિચાર જીવને જાગશે ત્યારે કોઈ પણ વ્યસન હશે તે જીવને ખૂંચશે; તેને ત્યાગ કરવા તત્પર થશે તથા નવા વ્યસનને તે પ્રસંગ પણ નહીં રહે. ઊંડા ઊતરી જ્ઞાની પુરુષનાં વચનેને વિચાર કરી આ આત્માને અનંત બંધનથી છોડાવવા જાગ્રત જાગ્રત રહેવાની જરૂર છે”. એવી અંતર્દયા જાગવા આવા ત્યાગ કરવાના છેy. સત્યરુષને અપાર ઉપકારની સ્તુતિ કરતાં પણ જીવ નિર્મળ બની પોતાના આત્માની સંભાળ લેતે થાય છે. “તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે એવા સર્વ સત્યુ, તેના ચરણારવિંદ સદાય હૃદયને વિષે સ્થાપન રહે.”(૪૯૩) ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૭૧૧ કાવિઠા, તા. ૧૦-૧૨-૪૬ - તત્ સત્ર માગશર વદ ૨, મંગળ, ૨૦૦૩ દેહરા – પિતા-પુત્ર પતિ-પત્નીની સાંસારિક સગાઈ સપુરુષ સાચા સગા, આત્મિક સુખ કમાઈ. પૂ. સદ્દગત જેસંગભાઈને આપે ગુણગ્રામ લખ્યા તે યથાર્થ છે. પ. પૂ. પ્રભુશ્રીજીના યેગે તેમને આત્મા પરમાર્થ પ્રેમી બન્યું હતું. ઘણી દષ્ટાંત લેવા જેવી લઘુતા તેમણે આરાધી હતી. ટૂંકામાં પાછલું જીવન તેમણે સુધારી લીધું. કર્મ તે પૂર્વે બાંધેલાં ગમે તેવાં ઉદય આવે. શ્રી શ્રેણિક જેવાને આખરે મેં ઝવ્યા હતા. હું અમદાવાદ ગમે ત્યારે તેમનું ચિત્ત ઠેકાણે નહીં રહેતું હોવાથી એક દિવસ રોકાઈ પાછો અગાસ ગયેલું. પણ પછી પત્ર હતું તેમાં તેમની આખર અવસ્થા વિષે પૂ. દેવશીભાઈએ લખેલું કે તમારા ગયા પછી ચિત્તની અસ્થિરતા ઓછી થયેલી અને છેલ્લા બે ત્રણ દિવસે તે શાંતિમાં ગયા. આહાર, પાણીને છેલ્લા ત્રણ દિવસ તેમણે ત્યાગ રાખેલે. બીજાં સગાંવહાલાં આગ્રહ કરે તે હાથ જોડી ના પાડે. બોલાતું નહીં, કંઈ લખતા પણ પછી લીટા થઈ જતા. પોતે ભાનમાં ઠેઠ સુધી હતા. માળા વગેરે ફેરવતા. ભક્તિમાં ધ્યાન રાખતા. છેવટના ભાગમાં આંખે વધારે દેખાતું હતું. બે દિવસ ઉપર એક મુમુક્ષુભાઈ ૮૫ વર્ષની ઉંમરે જ પારડીમાં ગુજરી ગયાના સમાચાર હતા. તેમને ઘણે થે સમાગમ છતાં એક અઠવાડિયું બેભાન (ચિત્તભ્રમ) જેવું રહેલું અને છેલ્લે દિવસે આખો દિવસ ચિત્ત ઠેકાણે આવ્યું. ભક્તિભાવમાં વૃત્તિ રાખતા અને શાંતભાવે દેહ છોડ્યો. આમ પરમકૃપાળુદેવનું યોગબળ આખર વખતે હાજર થાય છે અને શરણરૂપ બને છે તે પૂ. શેઠજીને તે ઘણા કાળનું આરાધન હતું તે કેમ છૂટે? આપણે જ્યાં સુધી હજી મનુષ્યભવને જે છે ત્યાં સુધી મરણની તૈયારી વિશેષ વિશેષ જાગૃતિપૂર્વક કરી લેવી ઘટે છેજી. # શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #639 -------------------------------------------------------------------------- ________________ બેધામૃત ૭૧૨ સીમરડા, પોષ વદ ૧૩, સેમ, ૨૦૦૩ દેહરા – આ વેગ અપૂર્વ આ, કરવા સફળ વિચાર. ભાગ્યશાળી જન જાગશે, મેહનીંદ કર દૂર, વીર હાક સંગ્રામની સુણતાં ઊઠે શૂર. બાળપણે મળમૂત્રમાં, રમે બાળ બહુ વાર; પણ સમજણ આવ્યા પછી, ભૂલતા સર્વ વિકાર. તેમ તજે લૌકિક રીતિ, ગ્રહી અલૌકિક ભાવ, માનવભવની સફળતા, કરવાને આ દાવ. મનુષ્યભવ દુર્લભ છે, તેમાં પુરુષને વેગ થવે એ અત્યંત દુર્લભ છે, તેમને બેધ પ્રાપ્ત થશે અને તે રુચ અથવા તે પ્રમાણે વર્તવા ભાવ થવા, તે માન્ય છે, શ્રદ્ધ એ વળી એથી અત્યંત દુર્લભ છે અને જે તે શ્રદ્ધાપણે વર્તાય તે પછી મોક્ષ દૂર નથી. આ ભવમાં જીવ જે સામગ્રી પામે છે, તેવી સામગ્રી ફરી ફરી મળવી બહુ કઠણ છે. તે હવે આપણું કામ એટલું જ છે કે જેટલે કાળ આપણા હાથમાં છે, ત્યાં સુધી સંતની કૃપાથી જે પરમકૃપાળુદેવ ઉપર શ્રદ્ધા થઈ છે, તે પુરુષનું શરણું આપણને બતાવ્યું છે તે જ ગ્રહણ કરી તેમાં દઢ રહેવું, તે જ આપણે નાથ છે, તે જ તરણતારણ છે. તેણે આત્મા જાણે છે તે જ મારે આત્મા છે. તેના એક વચનનું પણ યથાર્થ ગ્રહણ થશે તે મારું કલ્યાણ થશે. તેને જણાવેલ સ્મરણમંત્ર “સહજત્મસ્વરૂપ પરમગુરુ” એ મારા હૃદયમાં નિરંતર રમણ કરે. મને કંઈ ખબર નથી પણ મને સાચે વળાવે મળે છે, એટલે મારે કશી ફિકર નથી એ નિશ્ચય, દઢ વિશ્વાસ રાખી નિઃશંક રહેવું. આત્મા કદી જ નથી અને મરતે નથી. ભવા જેમ રાજા, જેગી કે બાઈભાઈને વેશ લાવે છે, પણ ભવા દેખાય છે તે કદી થઈ જતો નથી. તેમ ગમે તે દેહ બાઈભાઈને દેખાતે હોય પણ આત્મા કદી દેહ થયું નથી. આત્મા કોઈને ધણી નથી, કેઈની સ્ત્રી થયે નથી, કોઈની મા થયેલ નથી કે બાપ થયે નથી, પણ દેહને દેખીને અજ્ઞાની છ આત્માને દેહરૂપ માની બધે સંસારને ભાર તાણી દુઃખી થાય છે; એ બધી અણસમજ છે, પણ કેઈ સંતના વિશ્વાસે જ્ઞાનીનું કહ્યું માન્ય કરવા ગ્ય છે કે હું દેહ નથી પણ દેહથી ભિન્ન જાણનાર, દેખનાર જ્ઞાનીએ જે છે, જાણે છે, અનુભવે છે, ઉપદે છે તે આત્મા હું છું. હું કપાત નથી, ઘસાતું નથી, છેદા નથી, ભેદા નથી, મરતે નથી, જન્મતે નથી, બળતું નથીદુઃખ વ્યાધિ પીડા દેહમાં થાય છે તેને જાણનાર માત્ર હું છું. એ વેદના તેને કાળ પૂરો થતાં ચાલી જશે, લાંબી હશે તે દેહ છૂટશે તેની સાથે છૂટશે પણ કેઈ કર્મ કે કોઈ દુઃખ સદાય રહેનાર નથી, તેથી અકળાવાની ગભરાવાની જરૂર નથી. ધીરજથી બાંધેલાં કર્મ પ્રમાણે સુખદુઃખ દેખાય છે તે જોયા કરવા અને બને તેટલે સમભાવ રાખ. સ્મરણમંત્રમાં ચિત્ત વારંવાર લઈ જવું. દેહ ઉપરથી ભાવ ઉઠાડી આત્માનું કલ્યાણ થાય એવું સપુરુષનું વચન, તેને કહેલા વીસ દોહા, આત્મસિદ્ધિ, છપદને પત્ર વગેરે જે યાદ હોય કે કાનમાં પડે તે પુરુષનું વચન અમૃતતુલ્ય ગણી તેમાં પ્રેમ પ્રીતિભાવ રાખ. છોકરાં સગાંવહાલાં કેઈ આત્માનું કલ્યાણ કરનાર નથી. એક પુરુષ Page #640 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૬૧૫ ઉપર, તેના વચન ઉપર જેટલે ભાવ રહેશે તેટલું આત્માનું કલ્યાણ થશે અને એ જ સાથે આવશે. એ જ સાચું ભાથું છે, માટે બીજું બધું ભૂલી જઈ સંતે જણાવેલું પરમકૃપાળુદેવનું શરણ અને મંત્ર એ જ આધાર છે એમ મનમાં દઢ કરી જે શરીરમાં દુઃખ થાય છે, તે સમભાવે સહન કરવું. શરીરનું જેમ થાય તેમ થવા દેવું, પણ આત્માને વાળ વાંકે થાય તેમ નથી. એવી દઢ શ્રદ્ધા રાખી પુરુષ સિવાય બીજે ક્યાંય ચિત્ત જવા ન દેવું. આ વાતની પકડ કરશે તે કામ થઈ જશે. પિતાની કલ્પનાથી કોઈને જ્ઞાની ન માનવા, પણ તે આપણને પરમકૃપાળુદેવનું ઉત્તમ શરણું આપ્યું છે તેમાં સર્વ જ્ઞાની આવી જાય છે. માટે મારે પરમકૃપાળુદેવે જાણેલે આત્મા જ માન્ય છે. તે સિવાય કંઈ મારે જોઈતું નથી, એથી વહાલું મારે બીજું કઈ નથી એ ભાવ ૬૦ કરો. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૭૧૩ ભાદરણ, તા. ૨૯-૧-૪૭ સુલભ દેહ દ્રવ્યાદિ સૌ, ભવભવમાં મળ જાય, દુર્લભ સદ્ગુરુગ તે, સદ્ભાગ્ય સમજાય. વિ. આજે તમારું કાર્ડ મળ્યું. વાંચી સમાચાર જાણ્યા. “યાદશી ભાવના જ સિદ્ધિર્મવતિ તાદશી " એક જ આધાર જેના હૃદયમાં છે, તેની પ્રગતિ પ્રબળપણે થાય છે. “એક મત આપડી કે ઊભે માર્ગે તાપડી' એવી એક વાત છે, તે બહુ બહુ કરી સમજવા જેવી છે. અનેક વસ્તુઓમાં મહત્તા મનાઈ હોય તે તે અનેક આદર્શોમાં પુરુષાર્થ વિભક્ત થતાં નિર્બળ થઈ જાય છે એ સાચી વાત છે, તેમ છતાં અત્યારે કર્માધીન છવ છે, તેથી બધું ધાર્યું થતું નથી પણ તે પ્રસંગે ખેદ નહીં કરતાં ધાર્યું હતું તે ભૂલ હતી એમ માની કંઈ ધારવું નથી. એક પરમકૃપાળુદેવની આજ્ઞા ઉઠાવવી એ જ સાચું જીવન છે. બીજું તે જેમ થવું હોય તેમ થાઓ. તે અર્થે હવે હર્ષ શેક કરે નથી. બનનાર તે ફરનાર નથી પણ ભાવ આપણું હાથમાં છે. - તમે લખ્યું છે તેમ જ તત્વજ્ઞાનાદિમાં છપાયેલ છે, પરંતુ મૂળ હસ્તાક્ષર પ્રમાણે “નિગ્રંથ સદ્ગુરુના ચરણમાં જઈને પડવું એગ્ય છે. જેવા ભાવથી પડાય, તેવા ભાવથી સર્વ કાળ રહેવા માટેની વિચારણા પ્રથમ કરી લે.” (૮૪) “ચઢાયને બદલે “પડાય છે તે વધારે ગ્ય લાગે છે અને જેમ પડાય તેમ ટકી રહેવાય તે જ ચઢાય એમ સમજવા યોગ્ય છે. વિચારણા પિતાની શક્તિની, સંયોગોની કરવાની છે. મુખ્ય વાત ચારિત્રની આમાં છે. ચારિત્ર યથાશક્તિએ ગ્રહણ કરવું. દેશચારિત્ર એટલે ગૃહસ્થપણે પણ પાળી શકાય છે અને સંપૂર્ણ ચારિત્ર એટલે સર્વસંગપરિત્યાગી દશા. હાથીના દાંત બે ફૂટે છે, તે નીકળ્યા તે નીકળ્યા. પછી પાછા પેસે નહીં, તેમ સદ્ગુગે અલ્પ પણ ત્યાગ ને લીધે તે પ્રાણત્યાગ જેવા પ્રસંગે પણ ચૂકવે નહીં. આજના જીવોની મનોદશા તથા વર્તન કાચબાની ડોકની પેઠે બહાર નીકળે ને અંદર પિસી જાય તેવાં અસ્થિર છે, તેમ નહીં કરવા માટેની વિચારણું પ્રથમ કરી પછી સદૂગુરુના ચરણમાં જઈને પડવું ને જેવા ભાવથી પડાય તેવા ભાવ છેક મરણુપર્યત ટકાવી રાખવાના નિશ્ચય અર્થે તે વાક્યો લખાયાં છે. તે વાંચી, વાસનાઓની તપાસ કરી વાસનારહિત થવા પુરુષાર્થ Page #641 -------------------------------------------------------------------------- ________________ ૬૧૬ બેધામૃત અને નિર્ણય કરે ઘટે છે. પોતાના હૃદયને અનેક બાજુથી વિચારી પોતાના ભાવની ઓળખાણ કરી, દોષ દેખી દો ટાળવા તત્પર થવા યોગ્ય છે.જી. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૭૧૪ અગાસ, મહા વદ ૪, રવિવાર પૂ. એ સમાચાર જણાવ્યા તે વિશેષ વૈરાગ્યનું કારણ બન્યું છેજ. જેણે મનુષ્યભવમાં આવી જગત જોયું ન જોયું અને અન્યત્ર ચાલ્યા ગયે તેની સ્મૃતિ સમજુ માણસને વૈરાગ્યવિશેષનું કારણ બને તેવું છે. આ બગડતા જતા ભારતની વર્તમાન દશા જોતાં સારી કેરી પણ બગડી જાય ત્યારે નાખી દેવા જેવી લાગે છે, તેમ આ કાળમાં વિશેષ જીવીને પણ શું કરવાનું? જે ધર્મ ભાવના દિવસે દિવસે વધતી ન જાય અને ઘટતી જાય છે તે ક્યાં સુધી ઘટ્યા કરશે? શું સાથે લઈને પછી જશે? આ બધા વિચારો એકાંતમાં આત્મહિતાર્થે કર્તવ્ય છે”. ઘણું જોયું, ઘણું ખાધું, ઘણું ભગવ્યું; હવે તે હે જીવ! થેભ. એમ વિચારી સમાધિમરણની તૈયારી આપણા જેવા ઉમ્મરે પહોંચેલાઓએ તે જરૂર કર્તવ્ય છે. જે આપણે આટઆટલું થયા છતાં ન ચેતીએ તે આપણને પુરુષને વેગ કેવા પ્રકારને થયો છે? તે વિચારી વિચારી સપુરુષને આશ્રયે હવે તે એક આત્મકલ્યાણ થાય તે જ કામ કરવું છે. બીજું બધું ભૂલી જવા યોગ્ય છે. જેમતેમ કરીને પથ્થર તળે આવેલે હાથ ખસેડી લેવા ગ્ય છે; નિવૃત્તિના વિચાર દઢ કરી અંતરંગમાં તે સાવ નિવૃત્તદશા કરી લેવા ગ્ય છે. કર્મના ઉદયે બહાર ગમે તેવું દેખાય પણ આપણે મહેમાન હવે તે છીએ એમ પળે પળે ભાસ્યા કરે તેવા વૈરાગ્યમાં વૃત્તિ વાળવી ઘટે છેજી. ૭૧૫ અમાસ, તા. ૧૫-૨-૪૭ દેહર-ભવમૂળ ભેગની વાસના, ટાળે જે શૂરવીર; ઉદાસીનતા આદરી, રહે સ્વરૂપે સ્થિર. આપને પત્ર હતું, તેમાં તમે “નેપથ્યમાંથી ઉત્તર મળે છે અને તે યથાયોગ્ય લાગે છે? (૧૨૮) એને ખુલાસો પુછાળ્યું હતું. નાટકમાં નેપથ્ય” એટલે પડદા પાછળ એ અર્થ થાય છે. અહીં ઉપમાવાચક શબ્દ છે. આવરણ પડદા સમાન છે, તેની પાછળ રહેલે આત્મા તે નેપચ્ચે સમજવા યોગ્ય છેજ. અંતરઆત્માને અવાજ એ અર્થ સમજાય છે. વાદળ પારે જેમ સૂર્યને પ્રકાશ જણાય છે તે સૂર્યની સાબિતી તથા તેના આધારે જણાતા પદાર્થોની પ્રતીતિ કરાવે છે તેમ અંતરાત્મા, પરમાત્માના સ્વરૂપની તેમ જ પરમાત્મ-પ્રાપ્તિના માર્ગની પ્રતીતિ કરાવે છે. ગાઢ વાદળ હોય તે પ્રકાશ જૂજ જણાય છે, વાંચી પણ શકાય નહીં, તેમ જ સૂર્ય કઈ દિશામાં છે તે જાણી શકાય નહીં, તેમ બલવાન મોહના આવરણ વખતે જીવને પિતાનું ભાન હોતું નથી અને બીજા પદાર્થોને પણ નિર્ણય યથાર્થ હેતું નથી. તેવી દશાવાળે જીવ બહિરાત્મા ગણાય છે”. એ દશા તજવા અને અંતર્ણોધ કરવા જ્ઞાની પુરુષે કરુણા કરી પિકાર કરતા આવ્યા છે, પણ મોહનદના જોરે જીવ જાગતું નથી, પણ જ્યારે જાગશે ત્યારે તે મહાપુરુષનાં વચનથી જ જાગશે એ નિસંદેહ છે. Page #642 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૬૧૭ આત્માને આ જગત અન્ય રીતે કઈ પણ કામનું નથી. માત્ર જન્મમરણ વચ્ચે કાળ પ્રારબ્ધનાં ચિતરામણ જોવામાં જાય છે. તેમાં પુરુષના ગે અંતર્દષ્ટિ થાય તે આ મનુષ્યભવ મળે છે તે યથાર્થ સફળ ગણાય. પરમકૃપાળુદેવનાં વચને જીવને તે જ દષ્ટિ કરવા પ્રેરે તેવાં છે, તેની ઉપાસના પ્રત્યક્ષ સત્યરુષ તુલ્ય જાણ કરવામાં આવે તે જરૂર વૈરાગ્ય ઊભરાય, તે પ્રત્યે જીવ વળે અને આજ સુધી ગૌણ કરી નાખેલા આત્મહિતની કાળજી જાગે અને સમાધિમરણ કરવા નિશ્ચય કરી તેને પુરુષાર્થ કરવા પિતે પ્રેરાય. માટે તમારે હાલ આ જ પ્રેમપૂર્વક કર્તવ્ય છે. બીજું પૂર્વનું બાંધેલું તે કરવું પડશે, પણ હવે આ જણાવેલી વાતમાં બેદરકારી રાખવા જેવી નથી. “રાજ સમર તું, રાજ સમર તું, રાજ હૃદયમાં રાખીને, માથા ઉપર મરણ ભમે છે, કાળ રહ્યો છે તાકીને.” દિવસે સૂર્ય પશ્ચિમ દિશામાં આગળ વધ્યા ત્યાં આથમતાં કેટલી વાર? જોતજોતામાં સાંજ પડી જાય છે. તેમ હવે કાઢયાં તેટલા વર્ષ ક્યાં કાઢવાં છે? ધર્મના કામમાં ઢીલ કર્તવ્ય નથી એ કહેવત છે તે જાગૃતિ આપે તેવી છે, પણ વિચાર તે ઉપર થયા કરે તે જ. પિતાની સાથે શું આવે તેમ છે? તેને વિચાર કરી તેને સંચય કરતા રહેવાની કાળજી કર્તવ્ય છેજ. આમાં કેઈની સિફારસ ચાલતી નથી. કરશે તેના બાપનું. મંત્રનું સ્મરણ મરણ પર્યત ઉલાસભાવે કરતા રહેવા ભલામણ છેજ. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ સીમરડા, તા. ૧૮-૨-૪૭ તત ૩ સત મહા વદ ૧૩, ૨૦૦૩ દાહરા –“દિવ્યધ્વનિ પ્રભુની ખરે, “અહો ભવ્ય ઍવ સર્વ, શું કરવા આવ્યા તમે? શાને કર ગર્વ ? માનવભવ મેં મળે, કરે કાંઈ વિચાર; સરવાયું આ ભવતણું, કાઢે દિલ મેઝાર. ઉધાર બાજુ પાપની, વધતી વધતી જાય; સરભર ખાતું શું થશે? લે કેઈ ઉપાય. પરિભ્રમણ તે બહુ કર્યું, પાપે દુખ અનંત; આ વેગ જતે વહી, આણે ભવને અંત. દિલ હૅભવ્યાં બહુ જીવન, કર અણઘટતાં કાજ, દયા વસા દિલમાં, બચાવવા ઍવ–રાજ. પરિહરવા સૌ પાપને, ભગવર્તી દીક્ષા સાર; મેક્ષ માર્ગ આરાધવા, ધરે ભવ્ય ઉદાર.” આપે ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીની સાચા દિલે ખરે વખતે સેવા કરી છે, તેથી આપનું તે આ ભવમાં કલ્યાણ જ છે. જે જે પુરુષ તેની કૃપાદૃષ્ટિ તળે આવી ગયા છે તે બધા જીવોનું વહેલુંમોડું કલ્યાણ થનાર છે, તે આપની તે વાત જ શી કરવી? જેના હૃદયમાં Page #643 -------------------------------------------------------------------------- ________________ ૧૮ બાધામૃત અપૂર્ણપણે સત્પરુષની નિષ્કારણ કરુણાની છાપ પડી છે તેને પરભવમાં પણ તેની તે જ ઝંખના રહ્યા કરે છે અને તેવા પુરુષના વેગ વિના તેને ચેન પડતું નથી. ભક્તોએ ભભવ ભક્તિની માગણી કરી છે. પરમકૃપાળુદેવે પણ કહ્યું છે કે જ્ઞાનીને વેગ જેને બને છે તે પ્રાયે જ્ઞાનની માગણી કરતા નથી પણ ભક્તિની જ તેને ભાવને વર્યા કરે છે. “મન મહિલાનું રે વહાલા ઉપરે, બીજાં કામ કરત; તેમ શ્રતધર્મ રે મન દઢ ધરે, જ્ઞાનાક્ષેપકવંત.” પરમપુરુષ પાસેથી મેક્ષના ઉપાયરૂપ સ્મરણમંત્રની જેને આજ્ઞા પ્રાપ્ત થઈ છે, તેના અહેભાગ્ય ગણવા યોગ્ય છે. છેલ્લા શ્વાસોચ્છવાસ સુધી “સહજાન્મસ્વરૂપ પરમગુરૂ” મંત્રમાં વૃત્તિ રાખી સમાધિમરણના મહત્સવને દીપાવવાની નમ્ર વિનંતી આપને છેજ. તમને કંઈ કહેવું પડે તેમ નથી. જેના હૃદયમાં જ્ઞાનીને વાસ છે તેના વચનમાં તેની આજ્ઞા જ કુર્યા કરે છેજ. તે કંઈ કહે તે જ્ઞાનીની આજ્ઞા સંબંધી, પૂછે તે તે પણ તે જ વાત, ઈચ્છા કરે તે તેની જ અને ન બેલે તે પણ તેના ભાવ આજ્ઞામાં જ લીન રહે છે. આ તે પૂ..... ભાઈએ પત્રની ઈરછા જણાવી હતી તે બે બોલ પરમકૃપાળુદેવનાં વચનના સ્મૃતિમાં હતા તે લખ્યાં છે તે મારા પિતાના આત્માને પરભાવમાંથી છોડાવી આત્મહિતના વિચારમાં જોડવા અર્થે છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૭૧૭ અગાસ, તા. ૨૧-૨-૪૭ તત છ સત ફાગણ સુદ ૧, શુક, ૨૦૦૩ દેહરે –-શીલ પ્રતાપે સૌ મળે, ટળે આપદા પાપ; ભય ભવને ટળે જાય ને, અને બ્રહ્મરૂપ આપ. પૂ. એ પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં જણાવવાનું કે જેણે રાત્રે નહીં જમવું એવું વ્રત લીધું છે તેણે પ્રસાદ પણ રાત્રે ન લેવાય. ઉપવાસને દિવસે પણ ન લેવાય. એકાસણામાં માત્ર જમતી વખતે લઈ શકાય. છૂટ રાખી હોય તે દિવસે ઠારેલું પાણી લઈ શકાય. કંઈક પૂર્વના સંસ્કાર હોય તે ધર્મની ગરજ જાગે છે. નહીં તે તે વાત ગમતી પણ નથી. જેને ધર્મની જિજ્ઞાસા જાગી છે, તેણે સત્સંગ, સલ્ફાસ્ત્ર અને સદાચારથી તે પોષવી ઘટે છે. વારંવાર વરસાદ થાય ત્યારે પાક થાય છે, તેમ ઉપર જણાવેલા પુરુષાર્થથી ધર્મ જિજ્ઞાસા પુષ્ટ બને છે અને સફળ થાય છે. જેને સત્સંગને વેગ તેવાં અંતરાયકર્મથી ન બનતું હોય તેણે પણ સત્સંગની ભાવના નિરંતર અહોરાત્ર રાખવાથી, સત્સંગના વિરહમાં પુરુષના વચન પ્રત્યે રૂચિ અને તેનું માહાસ્ય હદયમાં વધારેલ હશે તે સત્સંગે કે સત્પરુષના આત્માને પ્રગટ વર્ણવતા સ@ાસ્ત્રના આધારે અપૂર્વ ભાવ સમજવાની મ્યતા છવામાં આવશે. જે પ્રસંગમાં જેટલું બની શકે તેટલું જીવ કરી છૂટે તે તેથી વિશેષ સાધી શકે તેવા પ્રસંગને યોગ્ય તે બને છે. માટે હાલ સત્સંગના વિયેગે પણ પ્રમાદ તજી, સદાચાર અને સવિચાર તથા સવાંચનથી, બચે તેટલે વખત સફળ કરી લે ઘટે છે. “વિચારની નિર્મળતાએ કરી જે આ જીવ અન્ય પરિચયથી પાછા વળે તે સહજમાં હમણાં જ તેને આત્મજોગ પ્રગટે.” (પ૬૯) » શાંતિઃ Page #644 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૭૮ અગાસ, તા. ૨૫-૨-૪૭ તત્ સત ફાગણ સુદ ૫, ૭૦૩ દેહરા – ઓળખાણ આત્માતણું, ટાળે ત્રિવિધ તાપ; ગુરુ ઓળખાવે આતમા, નિશ્ચય ગુરુ તે આપ. આપને પત્ર મળ્યો છેજ. તેમાં એક કાપલીમાં પ્રશ્ન કર્યો છે તેને ઉત્તર : તીર્થકર અદત્ત એટલે શ્રી તીર્થકરે જે આગમમાં ગૃહસ્થને કે સાધુને વર્તવા સંબંધી છૂટ આપી છે કે આજ્ઞા કરી છે તે આજ્ઞા પ્રમાણે વર્તે તે ચેરી ન કહેવાય અને તે તીર્થકરનાં વચનનું ઉલ્લંઘન થાય તે પ્રમાણે વર્તી એટલે કોઈ વસ્તુ પૂજ્યા વગર લે કે તેને ન ખપે તે ગ્રહણ કરે તે તીર્થકર અદત્ત છે એટલે શાસ્ત્રના નિયમને તેડવાથી તે ગુનેગાર છે, ચાર છે અને ગોચરી વગેરે સાધુ કરે તે વખતે શાસ્ત્રના નિયમને લક્ષ રાખીને લીધું હોય છતાં ગુરુ કે ગુરુ સમાન હોય તેને બતાવ્યા વિના જે ચીજ વાપરે તે ગુરુઅદત્ત કહેવાય છે. ગુરુની આજ્ઞામાં પ્રત્યક્ષ પુરૂષની વાત છે. તીર્થકરની આજ્ઞામાં પરંપરા શાસ્ત્ર અનુસાર વર્તનની વાત છે. કોઈ વસ્તુ લેવામાં સ@ાસ્ત્રની આજ્ઞા વિરુદ્ધ વર્તવું તે તીર્થકર અદત્ત અને પ્રત્યક્ષ જે ગુરુ છે તેની આજ્ઞા વિના કંઈ લેવું તે ગુરુઅદત્ત છે. બન્ને દેશે અર્પણભાવ જેને થયો છે તેમાં વિદ્ધ કરનાર છે. ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૭૧૯ અગાસ, તા. ૨૫-૨-૪૭ તત્ સત્ પૂ.નાં માતુશ્રીની માંદગી સંબંધને તાર મળે છે. તેમના (માજીના) કાનમાં મંત્રનું સાધન પડ્યા જ કરે એમ કર્તવ્ય છે. ભલે ભાનમાં ન હોય તે પણ મંત્ર તેમના આગળ ચાલુ રહે એમ કલાક કલાક વારાફરતી માથે લેનાર થાય તે સ્મરણ કરનારને તે લાભ જ છે. સમાધિમરણ કરાવનારને પણ ઘણે લાભ થાય છે. આયુષ્ય હોય તે બચે, પણ આ ધર્મપ્રેમ પિતાને અને સાંભળનારને લાભકારક છે એમ માની, જેનાથી બને તે કલાક બે કલાક દિવસે રાત્રે તેમના આગળ જાપ કરવાનું રાખશે તેને એ નિમિત્તે લાભ થવા ગ્ય છે. એમાં કંઈ ભણતરનું કે સમજાવાનું કામ નથી. માત્ર ત્યાં જઈ મંત્ર બોલવાને છે તે બાઈભાઈ બધાંથી બને તેવું છે.જી. લૌકિક રિવાજમાં માંદાને જેવા જાય છે, તેને બદલે ધર્મ આરાધવા જાઉં છું” એ ભાવ કરી પિતાના આત્માને એટલી વાર સંસારભાવથી દૂર કરી ધર્મભાવના વાતાવરણમાં રાખવા તુલ્ય છે. માંદાને, વૃદ્ધને જોઈને સામાન્ય રીતે મરણ સાંભરે, સંસાર પ્રત્યેથી વૈરાગ્ય થાય; તે આ તે સાધર્મિક, વયોવૃદ્ધ છેવટની સેવાને યોગ્ય છે. જેનાથી જેટલું બને તેટલે લાભ લેવા ગ્ય છેજ. ઘરના માણસોએ પણ તેમની બનતી સેવા, ખાસ કરીને ધર્મની વાત તેમના કાનમાં હરઘડીએ પડ્યા કરે તેમ કર્તવ્ય છે”. લગ્નના પ્રસંગમાં જીવ રજાઓ લઈને નોકરી-ધંધામાંથી વખત મેળવી ખેતી થાય છે, તેથી વધારે અગત્યને આ પ્રસંગ છે તે જણાવવા આ લખ્યું છે, તે લક્ષમાં લઈ દરેકે પોતાની બનતી મદદ માજીના નિમિત્તે કર્તવ્ય છેજ. પ. પૂ. પ્રભુશ્રીજી કહેતા – બાળા ભેળાનાં કામ Page #645 -------------------------------------------------------------------------- ________________ ६२० બેધામૃત થઈ જાય તે આ માર્ગ છે. અને માજી પણ તેવા જૂના જમાનાનાં ભેળાં છે. તેમની સેવા તે આપણા આત્માની જ સેવા છે. શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૭૨૦ અગાસ, તા. ૨૮-૨-૪૭ सवैया--"चित्त धरी सुणे इष्टकथा सो श्रवणभक्ति, इष्ट गुण गावे सोई कीर्तन कहात है; मन-वाणीसें स्मरण करे समरणभक्ति, इष्ट पद सेवा पाद-सेवन प्रख्यात है। षोडश प्रकार अर्चा करे सोई अर्चन है, तन मन नमे सोई वंदन विख्यात है; दासपनो दासभक्ति, सखापनो सख्यभक्ति, सब ही समर्पे आत्मअर्पण गिनात हैं।" હોદ્દા – “અવન, શીર્તન, પુને વન પર્વના *વંત થાય છે “સવ્યતા, નવમ વાત્મા ” આપને પત્ર બહુ વિચારપૂર્વક લખાયેલે જણાય. તેમાં જણાવેલી ભાવના માત્ર પત્ર અર્થે નથી એમ સમજાય છે. પણ ઘણી વખત પત્રાદિ નિમિત્તે ઉત્તમ ભાવે સકુરે છે, તેની વારંવાર ભાવના ન થાય તે તાત્કાલિક ફળ દઈ તે ભાવે ભૂતકાળમાં ભળી જાય છે. મુમુક્ષ મેહનાં નિમિત્તથી મૂંઝાય છે, મોક્ષનાં કારણે શોધીને આરાધે છે અને મુમુક્ષુદશાની વૃદ્ધિ કરી તીવ્ર મુમુક્ષુદશા પામવાના પુરુષાર્થમાં પ્રવર્તે છેજ. તે અર્થે સત્સંગ એ સર્વોત્તમ સાધન છે અને સત્સંગ સફળ થવા પિતાની દશા નિર્દોષ કરવા વારંવાર પરમકૃપાળુદેવે અનેક પત્રોમાં પંચવિષયનાં સાધનને ત્યાગ કે પરિમાણ આદિ કરી વિષયોની તુરછતાના વિચારમાં મનને આણવા પ્રયત્નશીલ રહેવા કહ્યું છે. આ લેકની અ૯પ પણ સુખેચ્છા રહે ત્યાં સુધી તીવ્ર મુમુક્ષુતા પ્રગટતી નથી આદિ પરમકૃપાળુદેવની શિખામણે, “વચનને હૃદયે લખે” કહ્યું છે તેમ, અંતઃકરણમાં કેતરી રાખવા ગ્ય છે. “માહાભ્ય જેનું પરમ છે એવા નિઃસ્પૃહી પુરુષનાં વચનમાં જ તલ્લીનતા તે શ્રદ્ધા આસ્થા” (૧૩૫) આ વચન દરેક મુમુક્ષુને પરમપદ તરફ પ્રેરે તેવું છે. શ્રદ્ધા પરમ ટુ આ આગમનું વચન ૫. ઉ. ૫. પૂ. પ્રભુશ્રીજી ઘણી વખત બેધમાં દર્શાવતા. એક વખત પર્યુષણ પર્વના છેલ્લા દિવસે બધી સભા સમક્ષ જણાવેલું કે એક વાક્ય ફરી પર્યુષણ ઉપર બધા મળીએ ત્યાં સુધી વારંવાર વિચારવા જણાવું છું, કહીને ઉપરનું વાકય કહ્યું હતું. “શ્રદ્ધા પરમ તુસ્ત્રા” સાચી શ્રદ્ધા જેના હૃદયમાં વસી તેને બેડો પાર થાય તેમ છે. ધર્મને પાયે જ સત્રદ્ધા છે. કંઈ ક્રિયા, જપ, તપ, ઉપવાસ આદિ ન બને તેને વધે નથી, પણ જે સશ્રદ્ધા હૃદયમાં હોય તે તેને શુદ્ધભાવને પક્ષપાત છે. તેનાં વખાણ શ્રી યશવિજયજીએ કર્યા છે – “શુદ્ધભાવ ને સૂની કિરિયા, બહુમાં અંતર કેજી, ઝળહળતે સૂરજ ને ખજૂઓ, તાસ તેજમાં તેજી.” Page #646 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૬૨૧ માત્ર શુદ્ધભાવને પક્ષપાત જેને છે અને જે શુદ્ધભાવના લક્ષ વિનાની શૂન્ય ક્રિયા ઘણું કરે છે પણ પહેલાને સૂર્યના તેજ જેવું વિપુલ અને શાશ્વત ફળ મળે છે અને બીજાને અલ્પ અને ક્ષણિક ફળ માત્ર ક્રિયાનું મળે છે તે આગિયાના અજવાળા-ઝબકારા જેવું છે. ૩% શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૭૨૧ અગાસ, તા. ૭-૩-૪૭ તત્ સત્ ફાગણ સુદ ૧૫, ૨૦૦૩ જગતનો સ્વભાવ વૈરાગ્ય ઉપજાવે તે જ છેજ. પરમ પુરુષની શ્રદ્ધા થવી તેમ જ મરણ સુધી છેક ટકી રહેવી મુશ્કેલ છે. પૂ...મને પ્રથમ મળ્યા ત્યારે પિતાની લઘુતા, નમ્રતા હદ ઉપરાંત લાગે તેવી દર્શાવી હતી. પણ પરમકૃપાળુદેવની જગ્યા અન્ય જને લીધી છે એવું તે તમારા પત્રથી જાણ્યું. કાળદોષ એ જ છે. શ્રદ્ધા ટકાવી રાખશે તેની બલિહારી છે જી. મેહનીય કર્મની ૨૮ પ્રકૃતિ અને પાંચ જ્ઞાન તથા ત્રણ રત્ન મળી ૩૬ માળાનો જે ક્રમ ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ ગોઠવ્યો છે તેને વિચાર થવા તથા સમાધિમરણની તૈયારીરૂપ એ ક્રમ આરાધવા ઇચ્છા અને અનુકૂળતા હોય તે હરકત નથી. રોજ ન બને તે પૂર્ણિમા કે તે કઈ દિવસ નકકી કરી અઠવાડિયે-પખવાડિયે ભાવપૂર્વક કમ સેવવાથી તે તે પ્રકૃતિએનું ઓળખાણ અને કર્મરહિત થવાના ઉપાયની ઝાંખી થાય તેવું બળ મળવા યોગ્ય છે. જેટલી જાગૃતિ આત્મહિતમાં રહેશે, તેમાં વિશેષ પુરુષાર્થ થશે તેટલી સમાધિમરણની તૈયારી થાય છે. દેહાધ્યાસ ઘટાડવા તે જરૂર પુરુષાર્થ કર્તવ્ય છેજ. આમ ને આમ દેહાદિ પદાર્થો પ્રત્યે વૃત્તિ રહ્યા કરે તે આવે છે. આ ભવમાં મળેલ વ્યર્થ વહી જવા દેવા જેવું થાય. એકાંત જગ્યા અને અવકાશ હોય તે બધે જવા-આવવાનું ઓછું કરી પરમકૃપાળુદેવનાં વચનામૃતના અભ્યાસમાં વિશેષ કાળ જાય તેમ કર્તવ્ય છેજી. અંતરમાં શીતલીભૂત રહેવાને અભ્યાસ વિશેષ વિશેષ કર્તવ્ય છેજી. પૂ. વહાલીબહેને આઠ દષ્ટિની સઝાયના અર્થ કરાવ્યા ત્યારે પૂ. સાકરબહેને કંઈક ટાંચણ કરી લીધેલું તે ઉપરથી લગભગ ૭૦ પાન જેટલા આઠ દષ્ટિના અર્થ હમણું લખાયા છે. | # શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૭૨૨ અગાસ, તા. ૨૬-૩-૪૭ જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કેઈને.” વિ. આપના તરફથી સ્વ. કુંદનમલજીના દેહત્યાગના સમાચારને પત્ર વાંચી જેણે જેણે સાંભળ્યું તેને ખેદ થયો છે. અસાર અશરણ અને ભયંકર એવા સંસારનું સ્વરૂપ જ્ઞાની પુરુષે વારંવાર અનંત કુસંગરૂ૫ વર્ણવ્યું છે, છતાં જીવને કેણ જાણે શી મહત્તા લાગી ગઈ છે કે એ સંસાર સિવાય બીજે એની વૃત્તિ દઢ થતી નથી. ચક્રવર્તી જેવા અતુલ્ય પુણ્ય સંચયવાળા અને સંસારભરમાં મહાન મનાતા પણ ખાલી હાથે ચાલી નીકળ્યા, કેઈ તે નરકે ગયા, તે આ પામર જીવ આ સંસારમાંથી શું સાથે લઈ જવા વિચાર કરી તેમાં જ તલ્લીન થઈ રહ્યો Page #647 -------------------------------------------------------------------------- ________________ ૬૨૨ બેધામૃત છે? તે બહુ બહુ વિચારવા જેવું છે. મરણની તૈયારી જે સમજુ પુરુષે યથાશક્તિ કરી રહ્યા છે તે જ વિચારવાન ગણવા ગ્ય છેજી. અનંતકાળ જીવ કાગડા-કૂતરાના મોતે મર્યો છે. હવે પુરુષના યોગે તેની આજ્ઞા પ્રાપ્ત થયા પછી તેવા મેતે તે નથી જ મરવું એવું દઢત્વ જીવમાં જરૂર જાગવું જોઈએ અને અનાદિને અધ્યાસ પલટાવી જ્ઞાનીની આજ્ઞાનું પ્રધાનપણું ક્ષણે ક્ષણે હૃદયમાં જાગ્રત રહે તેમ વર્તવા બનતે પુરુષાર્થ આપણે તે અવશ્ય કર્તવ્ય છેજ. જેને જેટલી પરમકૃપાળુદેવ પ્રત્યે શરણભાવના છે તેનું મરણ તે પ્રમાણમાં સુધરે છે. પૂ. કુંદનમલજીની શ્રદ્ધા સારી હતી અને પહેલાં કરતાં પુરુષાર્થ વધારતા જતા હતા. તેનું ફળ તે લઈ ગયા. આપણે પણ ચેતતા રહેવાની જરૂર છે જી. સાથે આવે તેવી બાબતને વિશેષ લક્ષ રાખ ઘટે છે. આ નાશવંત વસ્તુઓને મેહ છે કરી આત્મહિતમાં વિશેષ વિશેષ પુરુષાર્થ કર્તવ્ય છે. * શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૭૨૩ અગાસ, તા. ૩૦-૩-૪૭ “મારગ સાચા મિલ ગયા, છૂટ ગયે સંદેહ, હતા સો તે જલ ગયા, ભિન્ન કિયા નિજ દેહ” (હા. નં. ૧-૧૨) વિ. આપને પત્ર મળે. ગયા રવિવારે આંખ બતાવવા આણંદ ગયે હતે. એક આંખને પડદો અંદરથી બગડ્યો છે તેથી હમણાં લખવા-વાંચવાનું ઓછું કરી નાખ્યું છે. બનનાર છે તે ફરનાર નથી. એ વિષે કંઈ વિકલ્પ કે ચિંતા જેવું નથી. આત્મામાં પરમકૃપાળુદેવની કૃપાથી શાંતિ રહે એ જ એક લક્ષ રાખવા ગ્ય છેજી. પરમપુરુષએ કહેવામાં બાકી નથી રાખી, પણ આ જીવને ધીરજ અને શ્રદ્ધાપૂર્વક તે મહાપુરુષોની આજ્ઞા ઉઠાવવાનું કામ છે, તે કરવામાં જેટલી તત્પરતા, એકાગ્રતા, અસંગપણું જીવ આરાધશે તેટલે મેક્ષ નજીક આવે તેમ છે; એક હિંદીમાં સુંદરદાસ કવિ મહાત્મા થયા છે તે લખે છે – સુરત ચિંતા મત વસ્ત્ર, તૂ આ ત્રવિવાર शरीर सोप प्रारब्धकू, ज्युं लोहा कूटे लुहार।" આવી જોગવાઈ પરમાર્થ પ્રાપ્ત કરવાની ફરી ફરી મળવી મુશ્કેલ છે, તેથી જીવે હવે તે બીજી વાતે ગૌણ કરી એક આત્મકલ્યાણની મુખ્યતા કરવા ગ્ય છેજી. | તમે રિટાયર થવાના અને સત્સંગની આરાધના કરવાના સમાચાર લખે છે તે જાણી સંતોષ થયે છેજ. જીવને પૈસાથી સુખ નથી થતું પણ સંતોષથી થાય છે. જેને આજીવિકા સંબંધી ચિંતા કરવા જેવી દશા ન હોય તેણે આ મનુષ્યભવની દરેક ક્ષણને ચિંતામણિ રત્નથી અધિક કીમતી જાણે આત્મહિત અર્થે ગાળવા ગ્ય છે. સમાધિ પાન ગ્રંથના પાછલા ભાગમાં પરમકૃપાળુદેવના પડ્યો છે તેમાંથી પત્રાંક ૬૨ જેમાં જ્ઞાનીના માર્ગના આશ્રયને ઉપદેશનારાં ૧૩ વાક્યો છે તે વારંવાર વિચારી બને તે મુખપાઠ કરવા ભલામણ છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #648 -------------------------------------------------------------------------- ________________ પરસુધી ૬૨૩ ૭૨૪ અગાસ, તા. ૭-૪-૪૭ તત્ સત્ ચૈત્ર વદ ૨, સેમ, ૨૦૦૩ સર્વ ઉત્સાહપૂર્વક ધર્મધ્યાનમાં રહે એમ ઇરછું છુંજી. વેદનીયકર્મ જ્ઞાનને અડચણ કરનાર નથી પણ કસોટીરૂપ છે, ચેતવણી આપી જાગ્રત રાખનાર પણ છે. “તમે પરિપૂર્ણ સુખી છે એમ માને, અને બાકીનાં પ્રાણીઓની અનુકંપા કર્યા કરે.”(૧૪૩) એ અભ્યાસ બહુ અગત્યને છેજી. ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૭૨૫ અગાસ, તા. ૮-૪-૪૭ તત્ સત્ ચૈત્ર વદ ૩, મંગળ, ૨૦૦૩ સંસારી શરણ ગણુ સૂનાં, અર્થ અનર્થક વચન પ્રભુનાં; નશ્વર કાયા પ્રબળ જણાતી, વાંછા શાની એની થાતી? પરિજન પુત્ર કલત્ર વિનાશી, સર્વે મળીને દે દુઃખરાશિ ચિંતવ ચિત્ત નિરો ભાઈ કેણ પિતા માં કેની સગાઈ? મા કર યૌવન-ધન-ગૃહ-ગર્વ, કાળ હરી લેશે એ સર્વ; ઈન્દ્રજાલ સમ નિષ્ફળ સહુ તજ, મેક્ષપદે મન રાખી પ્રભુ ભજ. (વૈરાગ્યમણિરત્નમાળા) સંબંધે જે જે સંગે આવી મળે છે, તે છૂટી જાય છે, આમ અનંતકાળથી થતું આવ્યું છે, છતાં જીવ દેહાદિ સંગે ઉપરની પ્રીતિ છેડતા નથી અને દુઃખી રહ્યા કરે છે. કોઈનું પણ મરણ સાંભળીને વૈરાગ્ય વિચારવાન જીવને થાય છે તે કુટુંબીજન જેમની સાથે જિંદગીનાં ઘણાં વર્ષ ગયાં તેમના વિયેગે જીવને વૈરાગ્ય બળવાન જાગે અને સંસારનું સ્વરૂપ અસાર, અનિત્ય, અશરણ અને ભયંકર લાગે, તે વિચારે જીવને સંસાર ઉપરથી સુખવૃત્તિ છોડાવી પરમાર્થમાર્ગનું શરણ ગ્રહણ કરાવે તથા ફરી આવા સંસારમાં જન્મવું ન પડે તેની તૈયારી કરાવે તેવા વૈરાગ્ય, ભક્તિ અને સત્સંગની ભાવનાના વિચારમાં કાળ ગાળવા ભલામણ છે. બીજું કંઈ ન સૂઝે તે પરમકૃપાળુદેવની કૃપાથી જે મંત્રસ્મરણ મળ્યું છે, તેનું રટણ અહોરાત્ર રહે તથા જે ભક્તિભજનની આજ્ઞા મળી છે, તથા મુખપાઠ કરેલું છે, તેમાં મનને રોકીને સાંસારિક વિટંબણાના વિચારોથી પાછું વાળવું. આપણે પણ મરણને પ્રસંગ માથે છે, તેની તૈયારી કરવી છે. આ ભવમાં પુરુષને યાગ થયે છે, તે હવે કાગડા-કૂતરાના મતે મરવું નથી, પણ સમાધિમરણ કરવાને દઢ નિશ્ચય કર્તવ્ય છે. તે અર્થે સત્સંગ, સક્શાસ્ત્ર, સદવિચાર અને સદ્વર્તનનું બળ બને તેટલું સંઘરવું છે. લૌકિક વિચારમાં મન તણાતું રોકીને સદ્દગુરુની આજ્ઞાએ જીવવું છે અને સદ્દગુરુને આશ્રયે જ દેહ છોડે છે. આટલે નિર્ણય કરી લેવાય તે બાકીનું જીવન સુખરૂપ લાગે અને સમાધિમરણનું કારણ બને. “પરમશાંતિપદને ઈરછીએ એ જ આપણે સર્વસમ્મત ધર્મ છે. (૩૭) તે વિચારશે. છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૭૨૬ અગાસ, તા. ૯-૪-૪૭ અનુષ્યપ-કોણ હું? રે! જવાને કયાં? ક્યાંથી હું હાલ આવિયે? કોને હું? મુજ કે બંધુ? એમ આત્મા વિચાર જે. ગપ્રદીપ) Page #649 -------------------------------------------------------------------------- ________________ ૨૪ બોધામૃત પરમકૃપાળુદેવ પ્રત્યે જેની અટળ શ્રદ્ધા છે તેને કંઈ પણ ગભરાવાનું કારણ નથી. સંગ તે સર્વ છૂટવાના જ છે. જે જવા બેઠું છે, રાખ્યું રહે તેમ નથી, તેની ફિકર કોણ વિચારવાન કરે? જ્યાં સુધી નરભવની કાયાને જેગ છે ત્યાં સુધી પરમકૃપાળુદેવને શરણે જીવવું છે અને અંતે તેને જ આશ્રયે દેહ છોડે છે એમ જેને નિશ્ચય છે તેને પછી વેદના કે મુશ્કેલીઓ ગમે તે આવે પણ તેની સામે પડી તે સમાધિમરણ કરી શકે છે. ક્ષણેક્ષણ સત્સાધનમાં ગાળવા કાળજી રાખે છે તેને ધન્ય છે. આત્મવિચાર આત્મભાવના અપૂર્વ છે. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૦૨૭ અગાસ, તા. ૧૧-૪-૪૭ ગુરુકૃપાએ સર્વ સારું થઈ જશે. ભક્તિમાં ઉલ્લાસભાવ રાખી, તે જ ખરું ધન સમજી તેની મુખ્ય સંભાળ રાખવા આપ સર્વને વિનંતી છે. માથે મરણ ભમી રહ્યું છે, તે કઈ રીતે ભૂલી જવા યોગ્ય નથીજી. બે દહાડા કેઈને વહેલું તે કોઈને બે દહાડા પછી જરૂર અહીંથી બધું પડી મૂકીને જવાનું છે, તે બીજાં બધાં કામ કરતાં જે પિતાની સાથે આવે એવા ભક્તિભાવના સંસ્કારનું ભાથું ભરી લીધું હશે તે જીવ સુખી થશે. મેહમાં ને મેહમાં રાતદિવસ ચાલ્યા ન જાય તેની કાળજી મુમુક્ષુએ રાખવી ઘટે છે. “શું કરવા હું આવ્યો છું અને શું કરી રહ્યો છું? કોને માટે આ બધું કરું છું?” એના વિચાર વારંવાર કર્તવ્ય છે. ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૭૨૮ અગાસ, તા. ૪-૫-૪૭, રવિ "सागरवरगंभीरा सिद्धा सिद्धिं मम दिसतु ।" અનંતકાળ જીવે અજ્ઞાનમાં ગાળે છે. તેનું કારણ પરમકૃપાળુદેવ લખે છે: “જીવના અનધિકારીપણાને લીધે તથા પુરુષના યુગ વિના સમજાતું નથી.” (૫૫) તે ઉપરથી એમ સમજાય છે કે બે હાથ વિના તાળી ન પડે. કેઈ વખત જીવે ગ્ય થવા પુરુષાર્થ પણ કર્યો હશે, માર્ગાનુસારી જેવી કરણ કરી આ ભવ ધર્મ આરાધનામાં પણ ગાજે હશે, પણ તેવા યુગ વિના તેવા ભવમાં કંઈ બની ન શકયું. કોઈ વખતે પુરુષને યોગ થયા છતાં જીવે પુરુષાર્થ ન કર્યો, ગળિયા બળદની જેમ મોક્ષમાર્ગમાં ન પ્રવર્યો અને મેગ મળેલ નિષ્ફળ ગયે. આમ ખાંડું બાંડું કરવાથી કંઈ દી ન વળે. હવે જગ જેને સાચે મળે છે, તેણે તે તે સફળ કરવા પુરુષની આજ્ઞા આરાધવામાં પ્રાણ પાથરવા ઘટે છે. આજ્ઞાથી અધિક કોઈ કાર્ય પ્રત્યે પ્રીતિ કરવી ઘટતી નથીજી. શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૭૨૮ અગાસ, તા. ૧૧-૫-૪૭ સંસારમાં જેની સાથે જેટલે સંબંધ હોય છે તે પૂરો થયે વિયોગ થાય છે. પરંતુ બનનાર તે ફરનાર નથી અને ફરનાર તે બનનાર નથી” એ વાત લક્ષમાં લેવા ગ્ય છે. જેણે જ્ઞાનીને શરણે દેહ છોડ્યો છે તેનું કલ્યાણ થાય છે. તેને માટે શેક કર્તવ્ય નથી. પરંતુ આપણું પિતાના માટે વિચાર કર્તવ્ય છે કે માથે મરણ છે. સમાધિમરણ કરવું હોય તે શી Page #650 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૬૨૫ શી તૈયારી કરવી તે જાણ્યું હોય, યથાશક્તિ તે અર્થે પુરુષાર્થ કરતા રહેતા હોય તે તેનું સારું ફળ આવે. માટે મનુષ્યભવમાં જેટલું જીવવાનું બાકી હોય તેટલું જ્ઞાનીને શરણે જિવાય, તેની આજ્ઞા વિશેષ વિશેષ આરાધાય, સંસારની મહત્તા ઘટે અને પરમકૃપાળુદેવના શરણને પ્રેમ વધે તેમ વર્તતા રહેવું ઘટે છે. મોટા પુસ્તકમાંથી કે સમાધિ પાનમાંથી કંઈ કંઈ વાંચવાનું નિયમિત રાખશે. વિગના વખતે સંસારની અસારતા જીવને સહજે સમજાય છે. અનિત્યાદિ બાર ભાવનાઓ વારંવાર વિચારવા યોગ્ય છે. સાંસારિક કારણને લઈને ખેદ પ્રગટતે હોય તે પલટાવીને વૈરાગ્યભાવની વૃદ્ધિ કરવા ગ્ય છે. “રાત્રિ ઘેડી ને વેશ ઘણા તેમ મુમુક્ષુજીવે ટૂંકા જીવનમાં મહાભારત જેવું મેક્ષનું દુર્ઘટ કાર્ય આવા કાળમાં કરવું છે, તે તેમાં પ્રમાદ ન નડે, શેક વગેરેમાં વખત ન જાય, પુરુષાર્થમાં મંદતા ન થાય તેમ વર્તવા યોગ્ય છે. ૭૩૦ અગાસ, તા. ૧૧-૫-૪૭ જેને પિતાના દોષ દેખાય છે તે ભાગ્યશાળી છે. અંતરમાં જે ધર્મ કાર્ય નથી બનતું તેને ખેદ રહે છે તે કલ્યાણકારી છે, સારે છે. ચિત્તની એકાગ્રતા રહી શકે તે અવકાશ હોય ને વાંચવા-સાંભળવાને ગ બને તે તેમ કરવું, નહીં તે સ્મરણમાં ચિત્તને પરવવું. જ્ઞાનીની આજ્ઞા જેટલી ઉઠાવાશે એટલું આયુષ્ય લેખે આવ્યું ગણાશે. વૈરાગ્ય, ભક્તિ, ત્યાગ, ઉપશમ, સદાચરણ એ મુમુક્ષુઓના પ્રાણતુલ્ય છે તે સહજસ્વભાવ કરી મૂકવા ગ્ય છે. માથે મરણ ગાજી રહ્યું છે, લીધે કે લેશે એવું થઈ રહ્યું છે ત્યાં પ્રમાદ કર્તવ્ય નથી. પરકથા અને પરવૃત્તિમાં આખું જગત વહી રહ્યું છે, તેમાંથી કેમ બચવું અને જીવન કેમ સફળ કરવું તેને વિચાર ડાહ્યા પુરુષે કરે છે. ડું વંચાય તેની ફિકર નહીં, પણ જેટલું વંચાય તેને વિશેષ વિશેષ વિચાર થાય તેમ કર્તવ્ય છે. “શ્રીમદ્ રાજચંદ્રમાંથી પત્રાંક ૨૬૨ વારંવાર વાંચી મુખપાઠ કરવા યોગ્ય છે. નિવિકારદશા દિવસે દિવસે વધે એમ કર્તવ્ય છેજી. ૭૩૧ અગાસ, તા. ૧૧-૫-૪૭ પરમકૃપાળુ પરમાત્માએ જે આત્માનું સ્વરૂપે પ્રગટ કર્યું છે અને ઉપદેડ્યું છે તેવું જ મારા આત્માનું સ્વરૂપ છે. મારે એ જ માન્ય કરવું છે. મને કંઈ ખબર નથી પરંતુ જ્ઞાની પરમગુરુની મને શ્રદ્ધા છે. છેલ્લા શ્વાસે શ્વાસ સુધી તે મહાપુરુષનું મને શરણ હો ! “ચરણ શરણ ધીરજ નથી મરણ સુધીની છે.” કર્મના ઉદયે દેહમાં વ્યાધિ, પીડા, અશક્તિ અનેક પ્રકારે જણાય તેને આત્માનું સ્વરૂપ મારે માનવું નથી. હું દુખી છું, હું રોગી છું, હું મરી જઈશ એવી કલ્પના તજીને જ્ઞાનીએ કહ્યું છે એવું નિત્ય, અવ, અભેદ્ય, જરા-મરણ આદિથી રહિત શાશ્વત આત્માની માન્યતા કરું છું. “જ્ઞાનીને હો તે મને હો', શરીરનું જે થવું હોય તે થાઓ, બાંધેલાં કર્મ ભેગવ્યા વગર છૂટકો નથી પણ ભગવતી વખતે ધીરજ, સમભાવ, શાંતિ રાખીશું તેટલે આત્માને લાભ છે. જ્ઞાની જેવી સમતા રાખે છે તેવી ન રહી શકતી હોય તે પણ તેવી સમતા રાખવાની ભાવના પણ કલ્યાણકારી છે. સર્વ જીવો પ્રત્યે ક્ષમાભાવ રાખી એટલે સર્વને ખમી ખમાવી નિઃશલ્ય થવું. એક જ્ઞાનીના શરણમાં જ બુદ્ધિ રાખી 40 Page #651 -------------------------------------------------------------------------- ________________ ૨૬ મેધામૃત નિર્ભયપણે અને નિ:ખેદ્યપણે દેહત્યાગ કરવા ઘટે છે. “કોઈ પણ કારણે આ સસારમાં ગ્લેશિત થવા ચેગ્ય નથી.’(૪૬૦) ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ७३२ ઉમરાટ, તા ૨૯-૫-૪૭, ગુરુ “જગત જીવ હૈ કાંધીના, અચિરજ કહ્યુ ન લીના – મધુ સદા મગનમેં રહેના.” જે ભાવના આ જીવ પ્રત્યે દર્શાવી છે તે સર્વ પરમકૃપાળુદેવ પ્રત્યે કરવા ચેાગ્ય છે, તેને જ શરણે જીવવા યેાગ્ય છે અને દેહત્યાગ કરવા ચેાગ્ય પણ છે. “પરમશાંતિપદ્મને ઇચ્છીએ એ જ આપણા સર્વસમ્મત ધર્મ છે.’(૩૭) એમ પરમકૃપાળુદેવે કહ્યું છે તે એક ક્ષણ પણ વીસરથા ચે।ગ્ય નથી. સભામ‘ડપમાં જેની સાથે વિક્ષેપ થાય તેવા પ્રસંગ થયા હોય તેની વિનયભાવે ક્ષમા ઈચ્છવા ચેાગ્ય છે અને ફ્રી તેવેા પ્રસ`ગ સત્સંગમાં ન બને તેવા લક્ષ રાખવા યાગ્ય છે. પેાતાના વાંક ન હેાય તેપણુ સામાના ચિત્તને સમાધાન થાય તે અર્થે પણ ક્ષમા માગવા ચેાગ્ય છે. ટાઢા પાણી (પીવા) કરતાં કષાય પિરણામ થાય તે માટો દોષ છે. તેવાં પરિણામમાં ક્રી ન અવાય તેવા નિશ્ચય તે ખરું પ્રાયશ્ચિત્ત છે. ફરી એકાસણું કરવું તે દ્રવ્ય-પ્રાયશ્ચિત્ત છે. જીવને ‘હું સમજું છું” એવું અભિમાન રહ્યા કરે છે તેથી બીજા સાથે ફ્લેશ કરે છે : ‘તમે ખરાખર જાણતા નથી, આમ કરવું જોઈ એ, તેમ કરવું જોઈ એ' એ આદિ ‘હું સમજું છું' એવું જીવનું અવ્યક્ત અભિમાન છે. હું અધમ છું' એવા જો નિશ્ચય થાય તેા તે એમ જાણે કે ‘આખું જગત મારા કરતાં સારું છે' એટલે કાઈથી પણ એને ક્લેશ થાય નહીં. પરમકૃપાળુદેવની કૃપાથી અહીંયાં સર્વ ભક્તિભાવના આશ્રમની પેઠે ચાલે છે. મુમુક્ષુજીવ જ્યાં હાય ત્યાં આત્માર્થે જ વવાના ભાવ રાખે છે. પ. પૂ. પ્રભુશ્રીજીએ એક વાકય લખાવેલું છે કે : ‘બગડેલું સુધારવું અને સુધરેલું બગડવા ન દેવું' – તે વિચારવા ચેાગ્ય છે. ૭૩૩ धन्य धन्य हे, हे जीव नरभव पाये एह कारज किया, तिनही अनादि भ्रमण पंच प्रकार तजी वर सुख लिया; एम जाणी, आलस हानि, साहस थानी, यह शीख आदरा, जब लौं न रोग जरा ग्रहे, तब लौं जगत निज हित करे। । यह राग आग बहे सदा, तातैं समामृत सेईए, चिर भज्य विषयकषाय अब तो त्याग निजपद लेईए; દા ઘ્યેા પવનમેં, ન તેરા પરૂ ચન્દ્ હૈં, ચા ૩:ઘુ સૌ, ra to ata सुखी स्वपद रची, दाव मत चूका है | આત્મજ્ઞાનને લેશ નહિ, મુજમાં હે ગુરુરાજ; ભવજળ કેમ તરાય તા, તું મુજ ધર્મ જહાજ, અગાસ, તા. ૨૫-૬-૪૭ વેદનીયકર્મ અઘાતી છે. તે સમજણુને ફેરવવા સમર્થ નથી. પરંતુ દેહાધ્યાસ કે દનમાહ વેદનાને મદદ કરે છે અને તેથી જીવને શરીરમાં તન્મયતા થતાં. અસહ્ય ભાસે છે. . Page #652 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૬૭. “મૂઢ વિશ્વાસ રાખે તે, વસ્તુથી વધુ ભીતિ ક્યાં? ડરે જેથી વધુ ના કે, અભય સ્થાન આત્મના.” - સમાધિશતક ૨૯ ભાવાર્થ – દેહમાં આત્મબુદ્ધિવાળો મૂઢ જીવ ધન, સ્ત્રી, પુત્ર આદિમાં સુખબુદ્ધિ કરી, તે તે પ્રાપ્ત વસ્તુમાં વિશ્વાસ રાખે છે, પરંતુ તે જ તેને કર્મ બંધનનું કારણ છે એમ તેને ખબર નથી. પણ જ્ઞાની પુરુષ, જે ભવબંધનથી ત્રાસ પામ્યા છે તે પુરુષો એમ દેખે છે કે જે જે રાગદ્વેષનાં કારણો જીવને સમીપ વર્તે છે અને કર્મ બંધ કરાવે છે, તેટલાં ભયંકર જંગલના વાઘ, સિંહ આદિ પશુઓ પણ નથી, કે બંદૂકની ગોળી આદિ અસ્ત્ર-શસ્ત્રો પણ નથી. ત્યાગ, વૈરાગ્ય, રોગ, વ્યાધિ, પીડા, પરિષહ આદિથી અજ્ઞાની જીવ ભય પામે છે; કારણકે તેને જે પ્રિય છે એવા પંચવિષયાદિક સુખને વિયેગ કરાવનાર તે લાગે છે. પરંતુ દીર્ધદષ્ટિથી જેનારા જ્ઞાની પુરુષને એમ લાગે છે કે ઉપર જણાવ્યાં તેવાં કારણોથી તે અજ્ઞાની જીવ ડરે છે પરંતુ તે કારણેને સદુપયોગ કરે છે અને પુરુષના ગે સુવિચારણાથી સંસારનું સ્વરૂપ વિચારે તે તેવાં કારણે વડે જીવન-પલટો થવાનો સંભવ છે. નિઃશંકપણે જ્ઞાનીની આજ્ઞા આરાધે તે વ્યાધિ પીડા આદિ નિર્ભય થવાનાં સાધન બને છેકારણ કે તેથી દેહાધ્યાસ ઓછો થાય છે, જ્ઞાની પુરુષનાં વચને સત્ય લાગે છે, સમાધિમરણ કરવાનું બળ પ્રાપ્ત થાય છે, સર્વ દુઃખથી તે અભય થાય છે. આવી કડવી દવા છે તે ભવથી ત્રાસ પામ્યો હોય તેને મીઠી લાગે છે. મહાપુરુષે મેક્ષ માગવાને બદલે, ઉપર જણાવેલા લાભનાં કારણે જેમાં રહ્યાં છે એવા દુઃખને માગે છે, કારણ કે જેથી કલ્યાણ થાય તે જ કરવું છે એ જેને નિશ્ચય છે તે પછી માર્ગ સરળ કે કઠણ તે નથી, કલ્યાણ તરફ જ તેને લક્ષ હોય છે માટે મહાપુરુષોને માર્ગે ચાલવું હોય તેણે દુઃખ સહન કરવારૂપ ભાવનાનું ભાથું સાથે બાંધવા યંગ્ય છે. જે ઉપર ઉપરથી દુઃખ જણાય છે તે સમ્યફપ્રકારે સહન થાય તે તે પરમાત્માની કૃપારૂપ માનવા યોગ્ય છે. માટી ખાણમાંથી કુંભાર લાવે છે, તેને ગધેડે ચઢાવીને ફજેત કરે છે, પાણી રેડીને પગથી ખૂદ છે, ચાક ઉપર મૂકીને ફેરવે છે, ઘડાને આકાર થયા પછી પણ કેટલા બધા ટપલા સહન કરે છે, અગ્નિમાં પાકે છે ત્યારે પાણી ભરવાને લાયક થાય છે. તેમ આ જીવ નરકનિગદ આદિ ભવમાં ઘણા દુઃખ સહન કરતે, વગોવાત આવે છે, કચડાય છે, પિલાય છે, ભમે છે, દુઃખના ટપલા સહન કર્યા છે, પરંતુ જે ગુરુના બેધમાં તવાય તે શાશ્વત જીવનને યોગ્ય થાય, અજર અમર પદને પામે. સુખમાં જીવ લૂંટાય છે અને દુઃખમાં વિચાર કરે તે અનેક અશરણ આદિ ભાવનાઓ દષ્ટિ ફેરવવા મદદ કરે છે. અદુઃખે જ્ઞાન ભાવેલું, દુઃખ દેખી જશે ખસી; તેથી આત્મા મુનિ ભાવે, યથાશક્તિ દુઃખે વસી.”—સમાધિશતક ૧૦૨ ભાવાર્થ – શાતાના વખતમાં દેહથી આત્મા ભિન્ન છે એમ સાંભળીને કંઈક અભ્યાસ કર્યો હોય, પણ આત્મજ્ઞાનની દઢતા ન થઈ હોય તે દુઃખને પ્રસંગે દેહમાં વૃત્તિ તદાકાર થઈ જવાથી “હું દુઃખી છું, મને તાવ આવ્યો છે, હું મરી જઈશ' આદિ વિક જીવને હેરાન કરે છે; એમ જાણીને આત્માથી પુરુષે આત્મભાવનાના અભ્યાસ વખતે યથાશક્તિ દુઃખ સહન કરવાનું પણ રાખે છે, કારણકે તેથી સહનશીલતા પણ વધતી જાય છે, એટલે ? Page #653 -------------------------------------------------------------------------- ________________ ૬૨૮ બેધામૃત દુઃખ ન હોય તે પણ દુઃખ ઊભું કરે છે. કષ્ટ લાગે તેવું આસન રાખે, છાયામાંથી તડકે જઈને અથવા તે ટાઢના પ્રસંગમાં શીત સહન કરવી પડે તેવા સ્થાને જઈને “દેહથી આત્મા ભિન્ન છે એ અભ્યાસ કરે છે. કાયક્લેશાદિ તપ પણ એ અર્થે છે. જેની દૃષ્ટિ ફરી ગઈ છે એટલે જગતમાં સુખબુદ્ધિ જેને નથી, તેને તે અશાતવેદનીકમને ઉદય થયે સહેજે આત્મભાવનાની વૃદ્ધિનું કારણ સમજાય છે. એવા પ્રસંગ કલ્યાણકારી લાગે છે, કારણકે બળ કરીને પણ સમતા રાખવાને પુરુષાર્થ ત્યાં થાય છે. આ વાત વારંવાર વિચારવા યોગ્ય છે. લગ્ન આદિ પ્રસંગમાં જીવ મેહને વશ થઈને ઉજાગરા વેઠીને પણ તનતોડ મહેનત કરે છે, તે સમજુ જીવે આત્મહિતના કારણમાં વિશેષ ઉલ્લાસિત બનવું ગ્ય છે. દુઃખથી કંટાળવું યેગ્ય નથી. મરણ પ્રસંગ પણ મહત્સવ તુલ્ય ગણવા ગ્ય છે, પણ તે ક્યારે બને? કે મેહ મંદ થાય છે. તે અર્થે જ સત્સંગ, સાસ્ત્ર આદિ આરાધવાનાં છે. શું કરવા યોગ્ય છે તેનું ભાન નહોતું ત્યાં સુધી તે જીવે ઘણા નિરર્થક કર્મ બાંધ્યાં છે. પણ હવે પરમકૃપાળુદેવની શ્રદ્ધા થઈ ત્યારથી તે કમ છેડવાં છે એ જ નિશ્ચય કરવા ગ્ય છે. ગમે તેવી વિકટ વાટે પણ સમતાથી આકરાં કર્મને ઉદય પણ નાશ કરે છે, “હિંમતે મરદા, મદદે ખુદા.” હિંમત હારવા જેવું નથી. જેવા દહાડા આવે તેવા જોયા કરવાનું છે. ગભરાવા જેવું નથી. મનુષ્યભવ છે, સદ્ગુરુનું શરણું છે અને ભાન છે ત્યાં સુધી સત્પરુષાર્થ છેડવા ગ્ય નથી. પરવતુમાં નહિ મૂંઝવે એની દયા મુજને રહી; એ ત્યાગવા સિદ્ધાંત કે, પશ્ચાતદુઃખ તે સુખ નહીં.” – શ્રીમદ્ રાજચંદ્ર ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૭૩૪ અગાસ, તા. ૮-૭-૪૭ આપે જે નિયમ સંબંધી પુછાવ્યું તે નિયમો એક વર્ષ ચાલુ રાખવા પરમકૃપાળુદેવ આગળ નમસ્કાર કરી ભાવના કરશે. વિશેષ સૂચના કે બીડી, ચા વગેરે લખ્યું છે તેના ત્યાગનો પહેલા અભ્યાસ ન કર્યો હોય તે બાર મહિના સુધી સાથે લગું વ્રત લેવા યોગ્ય નથી. થોડા મહિના અભ્યાસ કરીને પછી યોગ્ય લાગે તેટલી મુદતનું લેશે. કેટલાક નિયમ લઈને, પછી માથું દુખે, ઝાડો ન ઊતરે એવા બહાનાથી નિયમ તેડી નાખે છે, માટે આ લખ્યું છે. પહેલા એ વિષે નિયમ લીધે હોય અને બરાબર પળે હોય તે પછી બાર મહિના માટે લેવામાં વાંધો નથી. લીધેલા નિયમમાં શિથિલતા ન થાય, અથવા એકને બદલે બીજું ન પેસે તે લક્ષ રાખવા વિનંતિ છે. વૃત્તિ બીજેથી કાય અને આત્મહિતમાં વિશેષ અવકાશ મળે તથા આત્મહિતની વસ્તુ સુખરૂપ લાગે તે ઉદ્દેશ આવા નિયમેને છે, તે લક્ષ રાખવા વિનંતિ છે. અને તે સત્સંગ ત્યાં પણ કરે અને એકાસણા વગેરે અવકાશના વખતમાં વિશેષ ધર્મધ્યાન થાય તે લક્ષ રાખશે. ધન કરતાં જ્ઞાનને લક્ષ વિશેષ રહે તેમ પ્રવર્તવા ભલામણ છેજ. જે કંઈ કરવું તે આત્માર્થ કરવા ગ્ય છે તેટલે લક્ષ ન ચુકાય તે વ્રત નિયમ વિશેષ ફળદાયી થાય છેજી. # શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #654 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૬ર૯ ૭૩૫ અગાસ, તા. ૧૪-૭-૪૭ ‘હટ્ટા ઢોલ વગાડી કહ્યું, રૂડા પુરુષને હૃદયે રહ્યું, સમજ્યા તેણે લીધે સાર, ગાફલ નર તે ખાશે માર, જોતાં જોબન તે વહી ગયું, હઠ્ઠા ઢોલ વગાડી કહ્યું.” આપને ભારે માંદગીમાંથી ઠીક થયું તથા ભાવદયાસાગરની આજ્ઞામાં બને તેટલે કાળ કાઢવાનું લખે છે તે જાણી આનંદ થયે. મનુષ્યભવની એકેક ક્ષણ ચક્રવર્તીની સમસ્ત ઋદ્ધિ કરતાં વિશેષ ઉપયોગી છે એવું પરમકૃપાળુદેવે કહ્યું છે, કારણ કે કઈ ક્ષણે સમકિત પ્રાપ્ત થાય, કોઈ ક્ષણે સર્વસંગપરિત્યાગ થાય, કઈ ક્ષણે શ્રેણી મંડાય, કઈ ક્ષણે કેવળજ્ઞાન થાય, અને કોઈ ક્ષણે સર્વ કર્મ છૂટી સિદ્ધપદ પ્રાપ્ત થાય. આવી અમૂલ્ય ક્ષણે મનુષ્યભવની છે. તેને વિચારવાનો નિરર્થક વહી જવા દે નહીં. આજે “સહજ સુખસાધન' વંચાતું હતું. તેમાં મુનિ પણાને કાળ એટલે છઠ્ઠા ગુણસ્થાનકને કાળ બે ઘડી બતાવ્યું છે. કારણકે બે ઘડીમાં તે અપ્રમત્તદશા પ્રાપ્ત કરી સાતમે ગુણસ્થાનકે જાય છે. ન જાય ને વિશેષ પ્રમાદ થઈ જાય તે પરિણતિ પાંચમા કે ચેથા ગુણસ્થાનક જેવી થઈ જાય. માટે સતત પુરુષાર્થ કરીને બે ઘડી કરતાં વધારે વખત મુનિ પ્રમાદમાં રહેતા નથી. ઊંઘ પણ ચાલુ બે ઘડી કરતાં વિશેષ ન હોય. આટલે પુરુષાર્થ આટલી ઊંચી દશાવાળ પણ કરે છે, તે સમકિત પ્રાપ્ત કરવું હોય તેણે પ્રમાદ કર્યો કેમ પાલવે ? એમાં શરીરનું કામ નથી, ભાવનું કામ છે, રુચિનું કામ છે. “રુચિ અનુયાયી વીર્ય ચરણધાર સધે.” % શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૭૩૬ અગાસ, તા. ૧૯-૭-૪૭ આપને પત્ર મળે. પ. પૂ. પ્રભુશ્રીજીએ જ્યાં ચૌદ માસા કર્યા છે એવા રાજગૃહી તીર્થ સમાન અગાસ આશ્રમમાં આપને આવવાને વિચાર છે, તે જાણીને આનંદ થયો છે. હુંડાવસર્પિણી નામને આ દુષમકાળ કહેવાય છે, તેમાં કઈ ભાગ્યશાળીને જ આત્મહિત કરવાની ગરજ જાગે છે, અનેક પ્રકારના પ્રલેભનેમાંથી અવકાશ લઈ આત્મહિતને વિચાર કરી, યથાર્થ માર્ગનું આરાધન કરવું એ વિચારવાનનું કર્તવ્ય છે. પરંતુ સત્સંગની જોગવાઈ વિના તેવા ભાવ જાગવા અને વર્ધમાન થવા દુષ્કર છે. પરમકૃપાળુદેવે મેટા પુસ્તકમાં ઠામ ઠામ સત્સંગનું માહાભ્ય ગાયું છે તે વારંવાર વિચાર કરવા ગ્ય અને ભાવના કરવા યોગ્ય છે. # શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૭૩૭. અગાસ, તા. ૩૦-૭-૪૭ સંસારનલમાં ભલે ભુલાવી, વિઘો સદા આપજે, દારા સુત તન ધન હરી, સ તાપથી બહુ લાવજો; પણ રે પ્રભુ! ના પૈર્ય મુકાયે, હૃદયે સદા આવજે, અંતે આપ પદે શ્રી સદ્દગુરુ, સમતાએ દેહ મુકાવજે.” Page #655 -------------------------------------------------------------------------- ________________ આધામૃત ઉપાધિ છે તે મુમુક્ષુની કસેાટી છે. તે પ્રસંગમાં સમતાભાવ રહે તે ઘણાં કર્મ ખપે છે. માટે કૃપાળુદેવનું દૃષ્ટાંત લક્ષમાં રાખી અને તેટલી સમતા ભણી ખેચ રાખવી એ જ કન્ય છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૬૩૦ ૭૩૮ તનધર સુખિયા કાઈ ન દેખિયા, જે દેખિયા તે સદ્ગુરુ શરણુ ઉપાસ્યે સુખિયા, મેક્ષ મારગમાં અગાસ, તા. ૯-૮-૪૭ દુ:ખિયા રે; મુખિયા રે. તમારા વિચાર જિંદગી પર્યંત બ્રહ્મચર્ય પાળવાનેા જણાવ્યેા તે ભાવના ટકી રહે તે લાભકારી છે. તેની યાગ્યતા માટે સત્સંગ અને સાધની ઘણી જરૂર છે. અનાર્ય દેશમાં અનાર્ય વિચારોનો પરિચય હોય છે, આત્મભાવના અત્યંત અપરિચિત હોય છે.તેથી તેનો લક્ષ થવો અને ટકવા મુશ્કેલ છે. કૃત્રિમ ઉપાય કોઈ કામના નથી. મનના આધારે ધન થાય છે. મન સવળું થાય તે મેક્ષમાર્ગ પ્રત્યે હોય છે. મનના આધારે ઇંદ્રિયા પણ વર્તે છે માટે મનને વશ કરવું એ સર્વાંત્તમ ઉપાય છે. પરમકૃપાળુદેવે મોક્ષમાળા'ના શિક્ષાપાડ ૬૮ જિતેન્દ્રિયતા, શિક્ષાપાઠ ૬૯ બ્રહ્મચર્યની નવ વાડ, તથા શિક્ષાપાઠ ૧૦૦ મનેાનિગ્રહના વિજ્ઞો એ ત્રણ પાડોમાં જે જણાવ્યું છે તેને હાલ તેા અભ્યાસ કરે અને એ ત્રણ પાઠ મુખપાઠ કરી રેાજ વિચારવાનું રાખવું. તમે જે ઉપાય લેવા ધારા છે તેની સંમતિ કઈ વિચારવાન પુરુષ આપે એમ નથી. માટે મહાપુરુષના માર્ગે તેના વચનોને અનુસરીને મનને વાળવું અને પાપને માટે અત્યંત પશ્ચાત્તાપ કરતાં રહેવું. ક્ષમાપના-પાઠ આદિ વારવાર વિચારવું, પણ સ્વચ્છ દે ધર્મ'ની ભાવનાથી પણ અકૃત્ય કન્ય નથી. લેાભ છેડવા માટે દાન કરવું છે. લેાભ એ પાપના ખાપ છે. લેાભથી જન્મમરણ કરવા પડે છે, માટે અન્ય કોઈના હિતના વિચાર કરતાં પેાતાની લેાભ પ્રકૃતિ મ' કેમ પડે તેને વિશેષ વિચાર કરી યથાશક્તિ દાન કરવાનું ભગવાને કહ્યું છે. સતાષ જેવું સુખ કોઈ ક્રિયાથી પ્રાપ્ત થતું નથી. હાલ વખત નહીં હોવાથી તમારા પ્રશ્નને વિસ્તારથી જવાબ આપ્યા નથી. હિંદુસ્તાનમાં આવવું થાય ત્યારે સભારશા તે ખુલાસા થશે. હાલ તેા સદ્વાચન, સદ્વિચાર અને સવ નમાં પ્રવર્તી એ જ ભલામણ. ૐ શાંતિ: શાંતિ: શાંતિ: ૭૩૯ અગાસ, તા. ૯-૮-૪૭ પૂ....ના મોટા ભાઈના દેહત્યાગ સંબધે ખેદ ક બ્ય નથી. ખેદને વૈરાગ્યમાં પલટાવવા ચેાગ્ય છે. જેના હાથમાં હજી મનુષ્યભવના દુ`ભ ચેાગ છે તેણે તેના ઉત્તમ રીતે ઉપયેગ કરવા યાગ્ય છે. ‘હિંમતે મરદા તા મદદે ખુદા' એ કહેવત યાદ રાખી સદ્ગુરુશરણે આત્મહિતમાં યથાશક્તિ પુરુષાર્થ કર્તવ્ય છે. જીવની ચેાગ્યતા પ્રમાણે સદ્ગુરુકૃપા થાય છે માટે ચેાગ્યતા લાવો, યાગ્યતા લાવા એમ પ. પૂ. પ્રભુશ્રીજી કહેતા; તેનું વિસ્મરણ ન થાય તેમ ક વ્ય આજીવિકા પૂરતું ખાટી થવું પડે તે બાદ કરતા બાકીના વખત પરભવને અર્થે કમાણી કરવામાં ગાળવો છે એવો મુમુક્ષુજીવને નિશ્ચય ક`બ્ય છે. સમાધિમરણની ભાવના Page #656 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૬૩૧ દરેકે રાજ કર્તવ્ય છે તે અર્થે પિતાનાથી શું શું બની શકે એમ છે એને પણ વિચાર કર્તવ્ય છે. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ Oyo અગાસ, તા. ૭-૯-૪૭ મનુષ્યભવ દુર્લભ છે. ભલે શરીર સાજું માંદું હોય કે અપંગદશા હોય, તે પણ જ્ઞાનીપુરુષની આજ્ઞા આરાધતાં જીવનાં કે2િ કર્મને નાશ થાય છે. પરમ પુરુષ પ્રત્યે જેની આશ્રય ભાવના દઢ છે, તેને ગમે તેટલાં દુઃખ આવે તેને તે સુખરૂપ માને છે. “કઈ પણ કારણે આ સંસારમાં લેશિત થવા યોગ્ય નથી” (૪૬) એ જ્ઞાની પુરુષનું વચન વિચારવા યોગ્ય છે. અગોસ, તા. ૨૦-૯-૪૭ વીતરાગ શાસન વિશે, વીતરાગતા હોય, જહાં કષાયકી પિષણા, કષાય શાસન સેય.” તમને પણ અશાતાને ઉદય તીવ્રપણે આવ્યું છે, એ લક્ષમાં છે. ઉપચાર આદિ તે બને તે કર્તવ્ય છે. પણ મુખ્ય લક્ષ જન્મમરણથી છૂટવાને ચૂકવા યોગ્ય નથી. બાંધેલું છે તે જ આવે છે. હવે નવું ન બંધાય તે અર્થે પરમકૃપાળુદેવના આશ્રયે સમભાવની ભાવના કર્તવ્ય છે. તે તમને લક્ષમાં છે. તે લક્ષ જેમ જેમ બળવાન થાય તે સત્યરુષાર્થ કર્તવ્ય છે. જ્યાં આપણું કંઈ ન ચાલે તેવી નિરુપાય દશા વિષે વારંવાર વિચાર ન આવે અને જે નિમિત્તે ભાવ પલટાવી શકાય અને આત્મહિત થાય તેવા નિમિત્તો જોડતા રહેવા ભલામણ છે. પરમકૃપાળુદેવમાં વૃત્તિ વારંવાર રહે, તે પરમાત્મ-સ્વરૂપ છે એવી દઢ માન્યતા વર્ધમાન થાય એવી તે કરુણામૂર્તિ પ્રત્યે પ્રાર્થના કર્તવ્ય છે. જ્યાં સુધી પિતાની વૃત્તિ પલટાવી શકાય એમ છે ત્યાં સુધીમાં જેટલાં કર્મ આવીને જાય છે તેટલું દેવું છૂટે છે. જેટલી હાયેય થાય તેટલાં નવાં કર્મ બંધાય છે એમ સમજી પરમશાંતિપદની ઈચ્છા રહ્યા કરે એમ વૃત્તિ વાળતા રહેવું. આ વેદના જે અત્યારે અનુભવાય છે તેને મરણની વેદના આગળ કંઈ હિસાબ નથી. જન્મમરણનાં દુઃખ અત્યંત દુઃસહ્ય છે એમ ભગવાને કહ્યું છે તે માન્ય રાખી સમાધિમરણની તૈયારી અર્થે જે સહનશીલતાની જરૂર છે તેને અભ્યાસ આવી વેદનામાં થાય છે. તેવી વેદના વેદતાં પિતાની જે કચાશ જણાય છે તે સાજા થતાં પૂરી કરવા પ્રયત્ન દઢ નિશ્ચયથી કર્તવ્ય છે. શારીરિક ગમે તેટલું દુઃખ હોય તે પણ આત્મા પરમાનંદરૂપ છે, એવી માન્યતા જેને ટકી રહે છે તે ભાગ્યશાળી છે. સૂર્ય ઉપર વાદળાં આવવાથી દિવસે વાંચી પણ ન શકાય તેવું બની જાય તે પણ સૂર્ય માં, સામું પણ ન જોઈ શકાય તેટલું તેજ છે તે ખાતરી ભુલાતી નથી, તેમ આત્મા અનંત સુખથી ભરપૂર છે ત્યાં દુઃખને અંશ પણ નથી એવી માન્યતા છે દુઃખ વખતે ટકી શકે તે અસહ્ય દુઃખમાં પણ જીવ શાંતિ વેદી શકે છે. આ વાતે આપને લક્ષમાં રહેવા માટે લખી છે, તે વારંવાર વિચારી કર્મના ઉદય વખતે ગભરામણ ન જમે અને સશ્રદ્ધાને અનુભવ થાય એ લક્ષ લેવા વિનંતિ છે. “ શાંતિઃ શાંતિઃ કરે કૃપાળુ શાંતિ” Page #657 -------------------------------------------------------------------------- ________________ ૬૨ બાધામૃત ૭૪૨ અગાસ, તા. ૨૭-૯-૪૭ પરમકૃપાળુદેવની અનંતકૃપાથી જે આજ્ઞા સ્મરણ ભક્તિ આદિની મળી છે તેનું બહુમાનપણું રાખી બને તેટલું આરાધન કર્યાં રહેવા આપ સર્વને વિનંતિ છે. અનંતકાળથી જીવ પુરુષાર્થ કરતે આવ્યો છે પણ જન્મમરણ છૂટ્યા નહીં, તે એવું શું રહી જાય છે તેને વિચાર મુમુક્ષુ કરે છે. આ ભવમાં એવી કોઈ ભૂલ રહી ન જાય કે જેથી જન્મમરણ પાછાં ઊભાં રહે અને એને વિચાર વારંવાર કરવા યોગ્ય છે. પરમકૃપાળુદેવની આજ્ઞા પ્રત્યે જેને દઢ વિશ્વાસ થયો છે, તેથી મોક્ષ પ્રાપ્ત થઈ શકે છે એમ જે મુમુક્ષુની શ્રદ્ધા દઢ થઈ છે તેને આજ્ઞા સિવાય બીજા કામમાં પ્રવૃત્તિ કરવી પડે તેમાં કરી રસ આવે નહીં. આજ્ઞાના આરાધનથી જીવવું સફળ થશે એવું બીજાં કામ કરતાં પણ ભુલાય નહીં તે તેને વૈરાગ્ય બહુ સુલભ છે અને અવકાશ મળે આજ્ઞાઆરાધનનું કામ કર્યા જ કરે. આ વાત વારંવાર વાંચી લક્ષમાં રાખશે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૭૪૩ અગાસ, તા. ૭-૧૦-૪૭ “ગમે તેવા પ્રતિબંધ હોય, મરણ સમાન વેદના હય, ગમે તેવા માયાના ફંદમાં ફસાઈ જવાનું બને, પણ આત્મહિત કદી ન વીસરવું.” –શ્રી લઘુરાજ સ્વામીજી આ પત્ર લખવાનું કારણ તે મથાળે જણાવેલા પૂ. પ્રભુશ્રીજીના શબ્દોની સ્મૃતિ થવાથી બે બેલ આપને લખી મેકલવા ભાવ થ. ભરત ચક્રવર્તીને છ ખંડનું રાજ્ય સાચવવાનું હતું, બહોળા કુટુંબને માણસનું મન પણ સાચવવાનું હતું, પરંતુ સર્વોપરી કામ તે ભગવાન ઋષભદેવની આજ્ઞા ઉઠાવવાનું હતું. તેમાં જ વૃત્તિ રાખીને બધાં કામ કરતા હતા, તે બાહુબળીજી જેવું તેમને તપ પણ કરવું ન પડ્યું. પણ માત્ર અંતરંગ સાધનાથી આરીસાભુવનમાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું એ ચમત્કારી છે. પરમકૃપાળુદેવે પણ એ ચમત્કાર અંતરંગ સાધનાથી પ્રાપ્ત કર્યો છે. બહાર જગતમાં કે જાણે કે ન જાણે, પણ જેના હૃદયમાં પરમાત્મા વસ્યા છે તેને જગત તૃણવત્ છે, ઉપાધિ સમાધિરૂપ છે તથા મોક્ષલક્ષ્મી અને સ્વર્ગલક્ષ્મી તેને વરવાની સ્પર્ધા કરે છે. જેને કંઈ નથી જોઈતું, માત્ર ભગવાનની ભક્તિમાં જે લીન છે તે કૃતકૃત્ય છે. ભક્તિથી મુક્તિ ખેંચાઈ આવે છે. શબ્દોરૂપે લખેલા ભાવે વારંવાર વિચાર કરવા ગ્ય છે. પરમકૃપાળુદેવનું ગબળ જગતનું કલ્યાણ કરે છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૧૭-૧૦-૪૭ ૭૪૪ ખાણ મૂત્ર ને મળની, રેગ-જરાનું નિવાસનું ધામ; કાયા એવી ગણને, માન ત્યજીને કર સાર્થક આમ.” – શ્રીમદ્ રાજચંદ્ર “પરમકૃપાળુદેવે શરીરને વેદનાની મૂર્તિ કહી છે, તેમાંથી અન્ય પ્રકારની આશા રાખવી વ્યર્થ છે. પરંતુ પરમકૃપાળુદેવનાં વચને જેમ જેમ વિશેષ વિચારાશે તેમ તેમ વધારે ધીરજ રહેશે. “દેહાદિ સંબંધી જે પુરુષે હર્ષ વિષાદ કરતા નથી તે પુરુષ પૂર્ણ દ્વાદશાંગને સંક્ષેપમાં સમજ્યા છે એમ સમજે” (૮૪૩) એ પત્રમાં ટૂંકામાં આ વાત જણાવી છે તેને વારંવાર Page #658 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા વિચારી અનુભવમાં લેવા જેવી છે. જીવ પિતાનું સ્વરૂપ ભૂલી પારકી પંચાતમાં પડવાના અભ્યાસવાળે થઈ ગયું છે. તેને ચેતાવવા આ શિખામણ છે. | મૂળ વસ્તુ બે છેઃ જડ અને ચૈતન્ય. શરીર જડ છે, રૂપી છે, દશ્ય છે; અને આત્મા ચૈતન્ય છે, અરૂપી છે, દ્રષ્ટા છે. બન્નેના સ્વભાવ તદ્દન જુદા છે. જેમ છે તેમ માનવાથી જીવ સુખી થાય છે. પરવસ્તુને બોજે તેને લાગતું નથી. પરમાં મારાપણાની માન્યતા ઘટી જાય છે અને સ્વરૂપસંભાળ લેતે જીવ થાય છે. વેદનાના વખતમાં આ વિચારે બહુ લાભકારક છે કારણ કે તેથી આર્તધ્યાન અટકે છે અને ધર્મધ્યાન થાય છે. અનાથીમુનિ જેવા સંસ્કારી છોને ઊંડા ઊતરવાથી સ્વરૂપ પ્રાપ્તિ થઈ હતી. માટે આ અવસર વ્યર્થ ન જાય, આર્તધ્યાનમાં ન જાય તે પુરુષાર્થ કર્તવ્ય છે. છપદની જેને દઢ શ્રદ્ધા છે તેને, હું દેહ નથી પણ આત્મા છું, હું કદી મરતો નથી પણ નિત્ય છું, સ્વભાવને કર્તા છું, સ્વરૂપાનંદને ભક્તા છું, નિજશુદ્ધતારૂપ એક્ષપદ એ મારે શાશ્વતે વાસ છે અને તે મેક્ષના ઉપાય જ્ઞાની પુરુષની આજ્ઞા, ભક્તિ આદિ આરાધવા ગ્ય છે એવી સમજણ વેદના વખતે પણ ભુલાતી નથી. અત્યંત વેદનામાં પણ કઈ અલૌકિક આનંદની પ્રતીતિ થાય છે. માટે શ્રદ્ધાપૂર્વક છપદના વિચારમાં વિશેષ રહેવા વિનંતી છે. જેના ઘરમાં પરમકૃપાળુદેવનાં વચને છે, તેને ઘેર સપુરુષ જ છે, પ્રમાદ તજી તેનું શરણુ લેવા ગ્ય છે. વિશેષ વેદનામાં વિશેષ બળથી સપુરુષને આશ્રય અંગીકાર કરવા ગ્ય છે.જી. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૭૪૫ સુણાવ, તા. ૨૦-૧૨-૭ મરણ એ એક મોટી પરીક્ષા છે. પહેલાંથી તૈયારી કરી ને રાખી હોય તે સમાધિમરણ કરવું મુશ્કેલ છે. માટે જ્ઞાની પુરુષનાં કઈ વચન આપણને મળે તે તેમાં અપૂર્વ ભાવ લાવી ચિત્તભૂમિમાં બીજની પેઠે રોપવા ગ્ય છે. બીજા વિચારને અભ્યાસ થઈ ગયો હેવાથી ન કરવા હોય તે પણ તે ચિત્તને ઘેરી લે છે. જેમ ખેતરમાં વગર વાગ્યે પણ ઘાસ ઊગી નીકળે છે, તેમ નકામા વિચારો સંયમને અભ્યાસ ન હોય તે સ્ફર્યા કરે છે. પણ કુશળ ખેડૂત જેમ નકામા પાઓને નીંદી નાખે છે તેમ મુમુક્ષુ જીવે સદૂગુરુના શરણથી અને સ્મરણના બળથી અહંભાવ ને મમત્વભાવના વિચારને નિર્મૂળ કરતાં રહેવાની જરૂર છે, નહીં તે સદ્દગુરુના બેધને પિષણ મળતું નથી. “મૂળ મારગમાં કહ્યું છે તે પ્રમાણે આત્માને ઓળખી, આત્મામાં સ્થિરતા કરવાની જરૂર છે. પાપની પ્રવૃત્તિથી ક્યારે છુટાશે ? મેક્ષમાર્ગમાં રાજમાર્ગ જેવાં મહાવ્રતે ધારણ કરીને અચૂકપણે ક્યારે પળાશે? તથા જ્ઞાની પુરુષ સમીપ સર્વે પાપની આચના કરી પરમપુરુષના શરણે તેની આજ્ઞામાં ચિત્ત રાખી સમાધિમરણ ક્યારે થશે? એવી ત્રણ ભાવનાઓ દરરોજ કર્તવ્ય છે. સર્વ તેનું મૂળ અને સમાધિમરણનું કારણ એવું જ્ઞાની પુરુષ પાસેથી પ્રાપ્ત થયેલું સમરણ” અખંડ એકધારાએ રહ્યા કરે એ પુરુષાર્થ કર્તવ્ય છે. ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #659 -------------------------------------------------------------------------- ________________ બેધામૃત દંતાલી, તા. ૩૧-૧-૪૮ ગોખવાનું કંઈ હેય તે વૃત્તિ વારંવાર ત્યાં જાય અને પુરુષના વચનરૂપ વ્યાપારમાં તે લાભ જ હોય. કઈક ક્ષણ એવી આવે કે જ્યારે જીવને જગત વિસ્મરણ થઈ આત્મજાગૃતિ પ્રગટે. કંઈ ન બને તે સ્મરણને અભ્યાસ વિશેષ રાખવે. ૩% શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૭૪૭ દંતાલી, તા. ૩૧-૧-૪૮ “અચિંત્ય તુજ માહાસ્યને, નથી પ્રફુલ્લિત ભાવ; અંશ ન એકે નેહને, ન મળે પરમ પ્રભાવ.” એક કાર્ડમાં આપે જણાવ્યું છે કે વિશેષ વાંચવાથી પરમકૃપાળુદેવનાં વચનોનું સામાન્ય પણું થઈ જાય છે. તેના ઉત્તરમાં જણાવવાનું કે જીવને સત્સંગની ઘણી ખામી છે. વૈરાગ્ય હોય તેને પરમકૃપાળુદેવનાં વચને નિત્ય નિત્ય નવાં લાગે તેવાં છે. અનેક ભવોના અનુભવના સારરૂપ શિખામણ સંક્ષેપમાં એકેક પત્રમાં ટાંકેલી છે. સત્સંગમે તે પત્રોને વિસ્તાર સમજવા ગ્ય છે. પરંતુ તે યુગ ન હોય ત્યાં સુધી “અનંત અનંત ભાવભેદથી ભરેલી’ ઈત્યાદિ મંગલાચરણમાં જણાવેલી ભાવના વિચારવી કે હે ભગવાન! મારા જેવા પામરના હાથમાં, રાંકને હાથ રતન આવે તેમ, આ પત્રો આવ્યા છે. તેમાંના એકેક પત્રના આધારે મુમુક્ષુઓએ પિતાનું જીવન ઘડ્યું છે, આખી જિંદગી સુધી એક જ પત્રના રસનું પાન કર્યું છે અને પિતાની દશા તેને આધારે વધારી છે. મારે પણ એમાંથી અમૃત પીને મારા આત્માને અમર બનાવ છે. વાંચન કે શ્રવણ પછી ક્રમ મનન છે. મનન થયેલા ભાવને હૃદયમાં ઉતારી સ્થિર કરવારૂપ નિદિધ્યાસન કે ભાવનારૂપ પરિણમાવવાને ઉત્તમ ક્રમ છે. તે પ્રમાણે આગળ ન વધાય તે એકલું વાંચન જોઈએ તેવો રસ ઉપજાવી શકે નહીં, તેથી સામાન્યપણું થઈ જાય છે. માટે સત્સંગની ભાવના રાખી મનન કરવાને કમ રાખશે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૭૪૮ સીમરડા, તા. ૫-૨-૪૮ અવકાશ હોય તે જ ભક્તિ કર્યા પછી મોક્ષમાળાને એકાદ પાઠ નિયમિત રીતે વાંચવા-વિચારવા ભલામણ છે. પિતાનાથી બને તેટલો વિચાર-ચર્ચા કરી તે મહાપુરુષે આપણા માટે લીધેલે શ્રમ સફળ થાય અને આપણને તે મહાપુરુષની શિખામણ હૃદયમાં ઊતરે એવું કર્તવ્ય છે. એટલે કાળ તે મહાપુરુષની ભક્તિ, ગુણગ્રામ અને શ્રદ્ધા દઢ કરવામાં જશે તેટલું આયુષ્ય આપણું સફળ થયું ગણવા યોગ્ય છેછે. સ્ત્રીકથા, દેશકથા, રાજકથા તથા ભજનની કથા આદિ વિકથામાં જતો વખત બચાવી પરમકૃપાળુદેવના વચને વાંચવા-વિચારવામાં, મુખપાઠ કરવામાં તથા મુખપાઠ કરેલું ફેરવી જવામાં જેટલે કાળ જશે, તેટલું આયુષ્ય લેખે આવ્યું ગણાશે. ૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ [૭૪૯ અગાસ आपका पत्र प्राप्त हुआ । शांतिपूर्वक परमकृपालुदेवकी आज्ञा "सहजात्मस्वरूप परमगुरु"का स्मरण न चकना । जो जीव जैसी भावना करता है वह जीव तैसी सिद्धि प्राप्त करता है, ऐसी श्रद्धा करनेसे अपना भाव दिन प्रतिदिन अच्छा बनता जाता है । परमकृपाळुदेवकी पराभक्ति इस भवमें प्राप्त हो ऐसी Page #660 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૬૩૫ भावनासे प्रेमभक्तिकी बढवारी होती है। जो नियम लिया है उनमें शिथिलता न होवे ऐसी सावधानी रखकर आत्महितरुप उत्कृष्ट कार्य के लिये यह भव है। सत्संगसे उत्तम भावमें प्रवेश होता है और दृढता भी जामती है । इसलिये निरंतर सत्संगकी भावना बढती रहे ऐसा विचार, भावना, वाचन, चर्चा, बातचीत करना । पाँच इन्द्रियके विषयमें वृत्ति जावे नहीं, परन्तु वैराग्यकी वृद्धि हो ऐसी भावनासे भक्ति वाचन आदि सफल होकर आत्महितकी पहिचान होगी। ___ "रोके जीव स्वच्छंद तो, पामे अवश्य मोक्ष; पाम्या एम अनन्त छे, भाख्यु जिन निदोष." कुछ न कुछ तत्त्वज्ञानमेंसे मुखपाठ रोज करना योग्य है। ૭૫૦. અગાસ, તા. ૭-૪-૪૮ પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર ગુરુવર્ય ને અત્યંત દીનભાવે અર્પણપણે ભક્તિપૂર્વક નમસ્કાર! પ્રાર્થના – અમને આમ હવે ન રઝળા, સ્વામિન્ વિરહાનલ પ્રગટાવે, પરમકૃપાળુ કરુણા કરી મુજ, પાપ વિકલ્પ હઠાવે; અણઘટતા, અણગમતા તે હણી, પ્રભુપ્રીતિ પ્રગટાવો – સ્વામિન વિ. આપના પત્ર વિષે કંઈ પણ લખતાં પહેલાં આપે જણાવેલી અતિશક્તિ મને ખૂંચવાથી બે શબ્દો સમાચિત ટૂંકામાં લખવા જરૂરના જણાયા છે. કલપનામય, માયાપુર્ણ આ જગતમાં સદ્દગુરુની બ્રાંતિ જેવું બીજું કઈ દુઃખ આત્માને જણાતું નથી. પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રગટાવેલી દશાને શતાંશ પણ મારામાં નહીં હોવા છતાં કોઈ મને સદ્ગુરુ કે ત્રિકાળજ્ઞાની માને તે તેનો સ્વછંદ મને તે સમજાય છે. તે પિષવા મારી ઈચ્છા નથી. આપ તે સમજ છે, પ્રમાણુવિરુદ્ધ બાબતને પિષવા ઈચ્છતા નથી એમ જાણું છું. ૫. ઉ. શ્રીમદ્ લઘુરાજસ્વામીએ તેમના આયુષ્યના છેલ્લા દિવસોમાં મરણમંત્ર આદિ મુમુક્ષુ જીવોને જણાવવા મને આજ્ઞા આપી તે તેમના અતિ ઉદાર અને સત્યપ્રિય હૃદયનું ફળ છે. તેમાં મારું કોઈ પ્રકારે મહત્ત્વ હું માનતા નથી. ચિઠ્ઠીના ચાકરની પેઠે તે વાત આપના આગળ રજૂ કરી, તે તમને રુચિકર લાગતાં તમે સ્વીકારી; પણ જ્ઞાની પુરુષના ઘરની તે વાત છે એટલું જ મહત્ત્વ આપના હૃદયમાં રહેશે અને તે દ્રષ્ટિએ પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રત્યે ગુરુભાવ રાખી તે આજ્ઞાનું આરાધન કરશે તે તે આપને આત્મશાંતિનું અને આત્મ-અનુભવનું કારણ છે એ સરળભાવે જણાવું છું. જે નિયમે તમે પરમકૃપાળુદેવના ચિત્રપટ સમક્ષ સમજીને જેવા ભાવે લીધા છે, તેવા ભાવે ભવિષ્યમાં ટકાવી રાખશો તે તમારી કરેલી ભક્તિ ભળાઈ નહીં જાય. રક્ષકરૂપ વાડ સમાન તે નિયમ છે. મૂળ વાત – પરમકૃપાળુદેવની દશામાં શ્રદ્ધા, તેના વચનની અપૂર્વતા અને પિતાના આત્માની ઉન્નતિની તમન્ના-આ છે. આ પાયે પાકે હશે તે તેની આજ્ઞા ઉઠાવવારૂપ જે જે શ્રમ લેશે, તે મેક્ષના કારણરૂપ થશે. આટલી સામાન્ય પ્રસ્તાવના પૂરી કરી આપના પત્રમાં લખેલી બાબત વિષે કંઈક સૂચના નમ્રભાવે કરું છું. “ધર્મ અર્થે ઈહિ પ્રાણનેજી, છાંડે પણ નહિ ધર્મ; પ્રાણ અથે સંકટ પડે, જુઓ એ દષ્ટિને મર્મ. મનમોહન જિનજી, મીઠી તારી વાણુ.” (ચેથી દષ્ટિ) Page #661 -------------------------------------------------------------------------- ________________ મેધામૃત આ ઉત્તમ આચરણુ ગણાય છેજી. સત્ય વચન માટે હરિશ્ચંદ્ર આદિનાં વખાણ તે અર્થ થાય છે; છતાં બધાની તેવી શક્તિ હેાતી નથી. ધર્માંરાજા જેવાને પણ મિશ્રવચન ખેલવાના પ્રસંગ આવેલા છતાં ન્યાયની કેટિએ તે આપદ્ધર્મ નહીં પણ કંઈ અંશે દોષ જ ગણાય છે. ધર્મને તે ધર્મ જ રાખવા ચેાગ્ય છે. આપદ્ધર્મ ગણી તેની કક્ષા સરખી ગણુવા ચેગ્ય નથી. ધર્માંનું પાલન યથાશક્તિ થાય છે તે લક્ષ રાખી જ્ઞાનીપુરુષાએ, ધના ભંગ નથી કરવા' એટલેા લક્ષ જ્યાં સુધી છે ત્યાં સુધી તે જીવને આરાધક કહ્યો છે અને થયેલ કે થતા દોષને અનાચારરૂપ ન કહેતાં અતિચારરૂપ કહેલ છે. એટલે નિયમ તૂટે નહીં પણ દોષયુક્ત પળાય છે, એમ કહ્યું છે. ૬૩૬ માંસના વ્યસનને ત્યાગ કરવારૂપ તમે પ્રતિજ્ઞા લીધી છે. મુશ્કેલીના પ્રસંગમાં માંસ નહીં પણ માંસની કેડિટમાં ગણાતું કેડ નામની માછલીનું તેલ તમે વાપરા છે, તે પણ પરદેશના નિવાસ પૂરતું જ, તમારે નિયમ નથી પાળવા એવી બુદ્ધિ નથી, તે તેલનું પણુ વ્યસન પડી જાય અને પછીથી શરીર જાડું રાખવા તેના ઉપયાગ અહીં આવીને પણ ચાલુ રાખવારૂપ વ્યસન સેવવું નથી એમ જ્યાં સુધી તમે માનેા છે ત્યાં સુધી પ્રતિજ્ઞાનેા સ્પષ્ટ ભ'ગ નથી. ભાવ પ્રતિજ્ઞા પાળવાના છે તે તેના (વ્યસનના) ત્યાગના ઉપાય છે ત્યાં સુધી પતંગની દોરી તમારા હાથમાં છે. ભલે પતંગ દૂર આકાશમાં હે! પણ તમે તેને હસ્તગત કરી શકે એમ છે. વ્યસનની પરાધીનતા તમને પેાતાના સર્કજામાં સજ્જડ કરી શકે તેમ નથી, છતાં દોષ તે દોષ છે અને માંસાહારના દોષરૂપ કર્મ બંધાય છે. પ્રતિજ્ઞાભંગના દોષરૂપ કર્મ તમને પૂર્ણ પણે લાગતું નથી, અશે લાગે છે. આ વાત વારંવાર પત્ર વાંચીને વિચારશે તા તમને સ્પષ્ટ સમજાય તેવી તમારી વિચારદશા છે. જેટલા અંશે આત્મા દોષિત છે તેટલા અંશે ખેદ અને દાસભાવ તે તેલ પ્રત્યે ભજવા ઘટે છે. દવાની પેઠે વાપરી જરૂર પડ્યે પહેલી તકે તે તજી દેવાની તત્પરતા આત્મામાં જાગ્રત રાખવાની જરૂર છે. માંસ કે તેવાં તેલમાં પ્રત્યેક અવસ્થામાં અનંત જીવા ઉત્પન્ન થયા કરે છે. તેને વધુ પાપી પેટ પૂરવા કરવા પડે છે એ ખેદ ભુલાવા ન જોઈએ એટલી ભલામણસહ પત્ર પૂરા કરું છુંજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૭૫૧ અગાસ, ચૈત્ર સુદ ૨, રવ, ૨૦૦૪ પૂ....ની માંદગી ગભીર છે એમ જાણ્યું. ખમી ખમાવી પરમકૃપાળુદેવના શરણમાં રહેવાની ભાવના કરી તે જ આધારે જીવન હેાય ત્યાં સુધી ભાવ દૃઢ રાખી અંતે જ્ઞાનીને શરણે પરમકૃપાળુદેવને આશરે દેહ છોડવાની ભલામણ છેજી. મ`ત્રમાં મન અહેારાત્ર રહે તેવી છેવટે ગાઠવણુ થાય તા જરૂર કવ્યું છેજી. પાતાનાથી ન ખેલાય તે જે સેવામાં હાય તેણે ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ' એ મ`ત્ર દરદીના કાનમાં પડ્યા કરે તેટલા ઉતાવળા અવાજે મેલ્યા કરવા યાગ્ય છે અને સાંભળનારે આ મારા સમાધિમરણની ખરી દવા છે એમ જાણી વેદનામાંથી મન ખસેડી પરમકૃપાળુ પરમાત્માના સ્વરૂપમાં મનને સ્થાપવા પ્રયત્ન કતવ્ય છેજી. એમ મત્રની ભાવનામાં દેહ છૂટે તે તેનું સમાધિમરણ થયું ગણાય એવું પં. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ ઉપદેશ્યું છેજી. Page #662 -------------------------------------------------------------------------- ________________ ૬૩૭ ) પત્રસુધા આ પત્ર મળે ત્યારથી તેવી કોઈ ગોઠવણ કરવા વિનંતી છેછે. જ્યાં બને ત્યાં જાતે કે કોઈ મુમુક્ષુ દ્વારા તેમ કર્તવ્ય છે. ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૭૫૨ અગાસ, તા. ૨૮-૪-૪૮ તમે સ્યાદ્વાદ સંબંધે પુછાવ્યું હતું. તેના ઉત્તરમાં જણાવવાનું કે ભગવાને જે જણાવ્યું છે તે અનેક ભેદે સમજવા ગ્ય છે. તેમાંના એક ભેદ વિષે વાત કરવી હોય ત્યારે સ્વાવાદ આમ પણ સમજવું એમ પણ કહેવાય છે, એટલે અનંત ભાવમાંથી એક ભાવ વિષે જણાવ્યું તેની મુખ્યતા થઈ પણ બાકીના બીજા બધા ભાવ ગૌણપણે લક્ષમાં છે એમ જણાવવા માટે સ્યાદ્દવાદ શબ્દ વપરાય છે, કે સ્યાસ્પદ પણ કહેવાય છે. આજે પરમકૃપાળુદેવની નિર્વાણતિથિ નિમિત્તે સારી ભક્તિ થઈ હતી. તે પુણ્યને ઉદય હોય તે સત્સંગ-ભક્તિને લાભ મળે છે. તેમ ન બને તે ભાવના સત્સંગ-ભક્તિની કર્તવ્ય છે. જ્ઞાની પુરુષના વિયેગમાં તેમના વચને ગ્યતા પ્રમાણે જીવના ભાવ સુધારવામાં મદદરૂપ થાય છે, તેથી કરીને અવકાશ કાઢીને નિત્યનિયમ ઉપરાંત મોક્ષમાળા, સમાધિસો પાન કે મોટા વચનામૃતમાંથી અનુક્રમે વાંચતા રહેવાને અભ્યાસ રાખશેજી. અનાર્ય જેવા દેશમાં પિતાનું આત્મબળ સદ્ગુરુના વચનથી વધતું રહે તેમ કર્તવ્ય છેજ. વિશેષ પ્રતિબંધો દુઃખદાયી માની ઓછા કરતા રહેવાની જરૂર છે. જરૂર પૂરતાં કામ પરવારી પરમકૃપાળુદેવના વચનમાં વૃત્તિ જોડવાને અભ્યાસ પાડતા રહેશે. મરણને ભય માથે ગાજે છે, તેમ છતાં જીવને પ્રમાદમાંથી પ્રેમ ઘટતું નથી એ એક આશ્ચર્ય છે. જેનું ફળ પરંપરાએ પણ ધર્મ આવે તેવું ન હોય તેવી ઇચ્છાઓ ઓછી કરતા રહેવાની જરૂર છે. જિંદગીને પાછલે ભાગ વિચારીને શિખામણ લેવાની જરૂર છે કે આટલાં બધાં વર્ષો જેમાં ગાળ્યાં છે તેવા નિરર્થક વિષય માટે હવેની જિંદગી ગાળવી નથી, પરંતુ સમાધિમરણમાં મદદ કરે તેવા ભાવમાં, તેવા સાધનોમાં વૃત્તિ રહ્યા કરે એમ કર્તવ્ય છે. કેટલી બધી ઉપાધિની ભીડમાં પરમકૃપાળુદેવે આત્મભાવના ટકાવી રાખી છે તે વારંવાર વિચારી અલ્પકાળમાં આત્મહિત કરી લેવા માટે બહુ જ કાળજીપૂર્વક જીવન ગાળવા યોગ્ય છે. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૭૫૩ અગાસ, વૈશાખ સુદ ૫, ૨૦૦૪ જે તે યુવાન હોય તે ઉધમ અને બ્રહ્મચર્ય ભણી દષ્ટિ કર. જે તે સ્ત્રી હોય તે તારા પતિ પ્રત્યેની ધર્મ કરણને સંભાર; – દોષ થયા હોય તેની ક્ષમા યાચ અને કુટુંબ ભણી દષ્ટિ કર.” – પુષ્પમાળા “પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન પાત્ર થવા સેવે સદા, બ્રહ્મચર્ય અતિમાન” – શ્રીમદ્ રાજચંદ્ર ધર્મ અર્થે ઈહાં પ્રાણનેજી, છાંડે પણ નહિ ધર્મ, પ્રાણ અર્થે સંકટ પડે, જુઓ એ દષ્ટિને મર્મ – મનમોહન જિનજી, મીઠી તાહરી વાણ.” Page #663 -------------------------------------------------------------------------- ________________ ૬૩૮ બેધામૃત વિ. પૂ...ના પત્રથી જાણ્યું કે તમે બન્નેએ બે વર્ષના બ્રહ્મચર્ય વ્રતની બાધા લીધી છે તેમાં દોષ લાગે છે અને બે વર્ષ સુધી પાળી શકાશે નહીં એમ તમને લાગે છે. આ બધું અસત્સંગનું ફળ છે. આખી જિંદગી સુધી વ્રત લેવાની જેમની ભાવના હતી તે બે વર્ષ પણ ટકી શકે નહીં એ નવાઈ જેવું છે. મેહનું બળ રેગથી પણ વિશેષ છે. રોગી માણસને અપથ્ય વસ્તુ ખાવાની ઈચ્છા બહુ થાય છે પણ તેમ વર્તે તે રોગ વધીને અસાધ્ય બને તે મરણને શરણ જાય છે, તેમ મોહના પ્રસંગમાં જીવને વ્રત તેડવાના ભાવ થાય છે. પણ તે વખતે જે યાદ આવે કે આપણને સાથે બેસવાની કે એક પથારીમાં સૂવાની ના કહી છે તે યાદ લાવી તેવા પ્રસંગ દૂર કરે તે ભાવ પાછા પલટાઈ પણ જાય; પણ શિખામણ યાદ ન રાખે, મેહ વધે તેવા પ્રસંગે વધારે તે મને કાબૂમાં ન રહે અને કૃપાળુદેવની ભક્તિ ભુલાઈ જાય અને ભેગમાં સુખ છે એમ વારંવાર સાંભર સાંભર થાય. સત્પરુષનાં વચનામૃત જે અમૂલ્ય જાણી વારંવાર વાંચવા વિચારવાનું રખાય તે ભેગ રેગ જેવા લાગે, જન્મમરણથી બચવાની ભાવના થાય, મરણનાં દુઃખ દૂર નથી એમ લાગે અને ધર્મનું શરણું લેવાની ભાવના થાય. બન્નેએ સાથે રાજી ખુશીથી વ્રત લીધું છે, તે હિંમત રાખી પૂ.ની ભૂલ થાય તેવા પ્રસંગે તમારે ચેતાવવા કે આપણે બે વર્ષ સુધી ભાઈબહેન તરીકે વર્તવું છે. જે દોષ મન વચન કાયાથી આજ સુધી લાગ્યા હોય તે ભૂલી જઈ હવે નિર્દોષ ભાવ આરાધવા દઢ ભાવના કરી અને ફરી પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ ક્ષમાપનાને પાઠ બેલી ભાઈ બહેન તરીકે ભાવ રાખવાને નિયમ પરમકૃપાળુદેવની સાક્ષીએ લેશોજી. - શરીરની માંદગી કરતાં મનની માંદગી જબરી છે, માટે રોગ મટાડવા જેમ દવાખાનામાં જવું પડે તેમ સત્સંગની જરૂર છે. થોડો વખત સત્સંગ કરી જવાથી અને જુદા રહેવાનો પ્રસંગ રહેવાથી પાછા પહેલા હતા તેવા ભાવ જાગ્રત થાય તેવો સંભવ છેછે. બળ કરો તે બની શકે તેમ છેજ. લોકલાજ આવા પ્રસંગે આગળ ન કરતાં હિંમત કરી સત્સંગને બન્નેને લાભ મળે તેમ કર્તવ્ય છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૭૫૪ અગાસ, વૈશાખ સુદ ૫, ૨૦૦૪ બ્રહ્મચર્ય વિષે - પરમાર્થ હેતુ માટે નદી ઊતરવાને ટાઢા પાણીની મુનિને આજ્ઞા આપી, પણ અબ્રહ્મચર્યની આજ્ઞા આપી નથી; ને તેને માટે કહ્યું છે કે આપ આહાર કરજે, ઉપવાસ કરજે, એકાંતર કરજે, છેવટે ઝેર ખાઈને મરજે, પણ બ્રહ્મચર્ય ભાંગીશ નહીં.” (ઉપદેશછાયા) વિ. આપનો પત્ર વાંચી ધર્મ સનેહને લઈને ખેદ થયે પરંતુ આ કાળને સ્વભાવ વિચારી ખેદ વિસ્મૃત કર્યો. આ કાળમાં પરિણામ સત્સંગમે ઉગ્ન થયાં હોય તે ટકાવી રાખવા મુશ્કેલ છે. અસત્સંગયેગે જીવને કેમ થાય છે તે પ્રત્યક્ષ અનુભવ થયા પછી તેવા પ્રસંગને પહોંચી વળવા જેટલું બળ ન હોય તે જીવે વારંવાર ચેતતા રહેવાની જરૂર છે જી. સત્સંગની જીવને ઘણી જ જરૂર છે. તે યુગ ન હોય તે નિર્મળભાવે સદ્દગુરુનાં વચનામૃતને આશ્રય લેવાથી બળ વધે, પણ મનનાં પરિણામ ચંચળ હોય અને વચનમાં ચિત્તની લીનતા ન થાય ત્યાં સુધી બળ કુરવું મુશ્કેલ છે. તે વખતે તે – Page #664 -------------------------------------------------------------------------- ________________ ૬૩૯ પત્રસુધા અધમાધમ અધિક પતિત સકળ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શું ?” એવા ભાવ પશ્ચાત્તાપપૂર્વક વારંવાર કરવાથી વિષયરૂપ કાદવથી મલિન થયેલું મન ભક્તિના પિકારે પરાણે ઠેકાણે આવે છેજ. અહોરાત્ર સત્સંગની ઝંખના રાખવા ગ્ય છેજી. વત બે વર્ષ તે શું, પણ તેથી વધારે અને નિર્મળ ભાવે પાળવું છે એ દઢ નિશ્ચય કર્તવ્ય છે અને એકનું મન ઢીલું થાય ત્યારે બીજાએ મક્કમ રહીને વ્રતની યાદી આપી અલગ થઈ જવું અને એવા પ્રસંગે ફરી ન બને તેની સાવચેતી રાખતા રહેવાની જરૂર છે. કાયાથી મૈથુન ક્રિયાનો ત્યાગ કરવા પ્રતિજ્ઞા લીધી છે પણ તે અરસામાં મન મજબૂત કરવા પુરુષાર્થ કરવાનું છે, પણ જે વિષયમાં વૃત્તિ ઢળી જતી હોય તે તેવા એકલા સાથે રહેવાના પ્રસંગો ઓછા કરી નાખવા અને વ્રતભંગથી મહા દોષ થાય છે તેની સ્મૃતિ રાખવી. તરવાર અણી તરફથી પકડે તે પિતાને હાથ કપાય, તેવું સપુરુષની સાક્ષીએ લીધેલું વ્રત તોડવું મહા અનર્થનું કારણ છે. ૩% શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૭૫૫ અગાસ, તા. ૨૩-૫-૪૮ વિશાખ વદ ૧, ૨૦૦૪ “પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવ સદા, બ્રહ્મચર્ય અતિમાન.” -– શ્રીમદ્ રાજચંદ્ર વિ. આપને પત્ર બે વર્ષના બ્રહ્મચર્ય સંબંધી મળે. ઉત્તરમાં જણાવવાનું કે તમે બ્રહ્મચર્ય હાલ પાળે છે તે સારું છે. તેવા ભાવ ટકી રહે તે અર્થે પરમકૃપાળુદેવનાં વચન તથા સત્સમાગમની જરૂર છેજ. મનમાં બે વર્ષ સુધી તે બ્રહ્મચર્ય પાળવું જ છે એવો નિશ્ચય રાખી છ માસનું વ્રત પૂ. પાસે પરમકૃપાળુદેવના ચિત્રપટ સમક્ષ લેવા ભલામણ છે. છ માસ પૂરા થવા આવ્યે ફરી તે જેગ મળે વ્રત વધારી લેવું કે પત્રથી જણાવવું, પણ વ્રત લીધા પછી તૂટે તે ભારે કર્મબંધ થવા સંભવ છે અને તમારી ઉમ્મર તથા તે પ્રદેશને દૂધ ઘીને મનમા ખોરાક, આકર્ષક પહેરવેશ અને પ્રસંગો વિચારી આ ટૂંકા ટૂંકા હપતા તમને અનુકૂળ પડશે જાણી તેમ લખ્યું છે. ફરી વ્રત લેવામાં કંઈ હરકત નથી તથા ઉત્સાહ ઊલટો વધત રહેશે અને તે બહાને પણ સત્સંગનો વેગ મેળવવા ભાવના રહેશે. જ્યારથી વ્રત લે ત્યારથી ભાઈ-બહેન તરીકે રહેવાની ટેવ પાડવી, એક પથારીમાં સૂવું નહીં, જરૂર વિના એકબીજાને અવું પણ નહીં. એકાંતમાં બહુ વખત વાતચીત આદિ પ્રસંગે પણ પાડવા નહીં. આ બધા વ્યવહાર શુદ્ધિના નિયમ વાડ જેવા છે, વતની રક્ષા કરનાર છે; પણ પરમકૃપાળુદેવની આજ્ઞા પાળવાની દઢતા એ વ્રતનું મૂળ છે. તેની સમક્ષ લીધેલા વચનને પ્રાણ જતાં પણ ન તેડું એવી પકડ આત્મામાં થયે તે પુરુષને આત્મકલ્યાણક બેધ હૃદયમાં ઊતરે સુગમ પડે છે, માટે સાદે ખેરાક, સાદો પહેરવેશ, બને તે ગરમ કરીને ઠારેલું પાણી પીવામાં વાપરવું. તમારાં માતાપિતા પણ બ્રહ્મચર્ય પાળે છે તે કુટુંબમાં પીવા માટે ગરમ પાણીની જ ટેવ રાખી હોય તે બધાને લાભકારી છેજી. સારું વાચન, રોજ પરમકૃપાળુદેવનાં વચનેમાંથી કંઈક મુખપાઠ Page #665 -------------------------------------------------------------------------- ________________ બેધામૃત કરવાનું રાખવું, ભક્તિ કરવી અને મંત્રનું સ્મરણ કરતા રહેવાની ટેવ પાડવી. આમ વર્તતાં બ્રહ્મચર્ય સુલભ રીતે પળી શકે. વૈરાગ્યને પિષણ મળે તેવું વાચન, શ્રવણ મંદિરમાં કે ઘેર કરતા રહેવાની જરૂર છે. છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૭૫૬ અગાસ, તા. ૨૫-૫-૪૮ તત સત વિશાખ વદ ૩, મંગલ, ૨૦૦૪ “દુનિયા મને રે, મેરે મન આનંદ્રા ___ कब मरशुं कब भेटशु पूरण परमानंद ॥" આ૫નું કાર્ડ થેડા દિવસ ઉપર આવ્યું હતું. એકાદ અઠવાડિયા એટલે વખત શ્રી કાવિઠા ગામે, પરમકૃપાળુદેવ, પ. પૂ. પ્રભુશ્રીજી આદિની પ્રતિમાઓની પ્રતિષ્ઠા ગઈ તેરસને શુક્રવારે થઈ, તે પ્રસંગે જવું થયું હતું. બહુ આનંદપૂર્વક ભક્તિભાવ સહિત ઉત્સવ પૂર્ણ થયે. એવા પ્રસંગે ભાવ ઉલ્લાસમાન થાય તે અર્થે જાય છે. આપને હજી છે તેમને તેમ જ રહે છે એમ કાર્ડમાં હતું. ભલે શરીર સ્થિતિ શિથિલતા ભજે, પણ સત્સંગ, આત્મહિત અને સત્સાધન તથા સદાચાર અર્થે વૃત્તિ સતેજ રહ્યા કરે તેમ કર્તવ્ય છે”. એ કયારે વખત આવશે કે પરમકૃપાળુદેવ, તેનાં વચન અને ઉપકાર ક્ષણ પણ વીસરાય નહીં? અને આ જોગ જે બન્યું છે તે, તે મહાપુરુષની અનંતકૃપાથી બન્યું છે, તેના આધારે આ વેદનીને કાળ પણ અસહ્ય લાગતું નથી. જે થાય તે ભલું માનવામાં આવે એવી વૃત્તિ રાખવી, તેમ છતાં સત્સંગ, સલ્ફાસ્ત્ર, સદ્વર્તન પ્રત્યે દિવસે દિવસે ભાવ વધતું જાય તેમ કર્તવ્ય છે”. આ રેગ ન હોત તે આ ભવનાં છેલલાં વર્ષો વિશેષ આત્મહિત થાય તેમ હું ગાળી શકત, પણ પૂર્વે બાંધેલા કર્મો આડે આવ્યાં તે સમભાવે તે ભોગવી લેવાથી પૂર્વનું દેવું પડે છે એ પણ એક પ્રકારની સમાધિ છે એમ માની સંતેષને પિષવા ગ્ય છે. ક્યાંય પણ વૃત્તિ પ્રતિબંધ ન પામે (અમુક વગર ન જ ચાલે એવું ન થાય), નિત્યનિયમના પાઠ મુખપાઠ થયા છે તેમાંની કડીએના વિચારમાં મન રેકાય, ક્યારેક છપદના વિચારમાં, ક્યારેક “તમે પરિપૂર્ણ સુખી છે એમ માને” (૧૩૫) આદિ વાકયોની ભાવનામાં વૃત્તિ રહેએમ પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રને શરણે ધર્મધ્યાનમાં રાતદિવસ જાય તેમ કર્તવ્ય છે. લખી આપેલા પત્રોમાં ચિત્ત ન ચૅટે તે જે મુખપાઠ કરેલ હોય તેમાં મન રાખવું કે મંત્રના સ્મરણમાં મન જોડેલું રાખવું, પણ શરીર અને શરીરના ફેરફારમાં જતું મન રેકવું. ભવિષ્યની ફિકર નહીં કરતાં વર્તમાનમાં મળેલી નરભવની બાજી હારી ન જવાય તે લક્ષ રાખી જે થાય તે જોયા કરવું, પણ હર્ષ શેકમાં ન તણાવું. આમ વર્તવાને પુરુષાર્થ સમાધિમરણનું કારણ છે જી. # શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૭૫૭ અગાસ, તા. ૨૫-૫-૪૮ પૂર્વ કર્મના ઉદયે શાતા-અશાતા, સંકલ્પ-વિકલ૫, વિષય-કષાય, સુખદુઃખ આદિ સાંસારિક ઘટનાઓ જીવને પ્રત્યક્ષ જણાય છે તે હંમેશ રહેનાર નથી. કર્મને ઉદય બદલાય તેની સાથે બધી બાજી બદલાઈ જાય છે, એમ જાણી વિચારવાન છો આ દેખાતી વસ્તુમાં મૂંઝાઈ Page #666 -------------------------------------------------------------------------- ________________ પગસુધા ૬૪૧ જતા નથી. પરંતુ એ બધા વખતે આત્મા હાજર છે, તેનું સ્વરૂપ જ્ઞાની પુરુષેએ જાણ્યું છે, અનુભવ્યું છે અને યથાર્થ ઉપદેશ્ય છે. ત્રણે કાળ રહેનાર, અછેવ, અભેદ્ય, જરામરણાદિ ધર્મથી રહિત, પરમાનંદસ્વરૂપ એવા આત્માનો નાશ કરે એવું કોઈ કર્મ નથી, એ કોઈ પદાર્થ નથી કે એવું કઈ પ્રાણી નથી. સદા સર્વદા સ્વભાવમાં રહી શકે એવા આત્માનું અચિંત્ય માહાસ્ય જ્ઞાની પુરુષોએ ગાયું છે તેને સ્મરણમાં લાવવા અર્થે આપણને મંત્ર મળ્યો છે. તેનું આરાધન નિષ્કામ ભક્તિભાવે એક લક્ષથી આ ભવમાં થાય તે જીવને સમાધિમરણનું તે કારણ છેજી. છેવટે સ્મરણ કરવાનું ભાન રહો કે ન રહે, પણ જ્યાં સુધી ભાન છે ત્યાં સુધી પુરુષાર્થ કરવા ચૂકવું નહીં. કેઈ બીજી બાબતમાં ચિત્ત રાખવું નહીં. પરમકૃપાળુદેવને શરણે જે થાય તે જોયા કરવા યોગ્ય છે જી. | # શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૭૫૮ અગાસ “જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તો સમજવું તે; ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ.” શ્રીમદ્ રાજચંદ્ર આપને અંતવૃત્તિ શુદ્ધ કરવાના નિશ્ચયવાળે પત્ર વાંચી સંતોષ થયે છેજ. એવા જ ભાવ વર્ધમાન થયા કરે તેવું વાંચવું, વિચારવું, કહેવું, પૂછવું યોગ્ય છે. મુશ્કેલીમાં જીવને ઘણા વિચારો આગળ વધારે તેવા આવે છે અને તેને પોષણ મળે તેવું વર્તન થાય તે દિશા વિશેષ વધે એ સ્વાભાવિક સમજાય તેમ છેજી. ઉતાવળે પગલું લેવા કરતાં બધાના વિચાર થડા વખતમાં સીધી લાઇન ઉપર આવી જાય તેમ લાગતું હોય તે ઠીક, નહીં તે પિતે તે તેવા પાપના કાર્યથી ચેતતા રહેવાની જરૂર છે. આ વિષે વાતચીત થયેલી છે અને પ્રસંગ વિચારી હિત લાગે તેમ વર્તવા ભલામણ છેછે. આપણી અસર બીજા ઉપર કંઈ થઈ શકે તેમ ન લાગે, તે સંતેષને એટલે ઓછી કમાણ થાય તે હરત નહીં એ માર્ગ આપણી ઉન્નતિ માટે હિતકર દેખાય છે. તમારા ભાગીદાર સાથે સામાન્ય ઉપદેશ૩૫ વાત થઈ છે. ખોટે માર્ગે ન જવાને લક્ષ રાખીશ એમ પણ એ બોલી ગયો છે. તમારા પિતા, તમે વગેરે મળી ઠીક લાગે તેમ વર્તાશે, પણ તમારા પિતા તમારે આધારે પરમકૃપાળુદેવ તરફ ભક્તિભાવવાળા થતા જાય છે ત્યાં એકદમ તમારા પ્રત્યે અભાવ થઈ જાય તેવું પગલું લેતા પહેલાં વિચાર કર્તવ્ય છે. ઉતાવળ એટલી કચાશ અને કચાશ એટલી ખટાશ. છ, બાર માસ માટે પણ તમારી સલાહ માની વર્તવા ભાગિયા તૈયાર થાય તે તેમને પ્રયાગ ખાતર પણ અજમાવી જવા કહેવું, બને તે તમારે તેટલી મુદત ત્યાં રહેવું પડે તે રહેવું અને બધાંને સારા ભાવનું પોષણ મળે તેમ કરવા બને તેટલે પુરુષાર્થ કરવાનું વિચારશે. હાલ એ જ. # શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૭૫૯ અગાસ, તા. ૨–૫-૪૮ તત્ સત્ વૈશાખ વદ ૪, ગુરુ, ૨૦૦૪ રે મન ! આ સંસારમાં, દુઃખથી તું ન ડરીશ; સમ સમશેર વડે કરી, ધાર્યું તે જ કરીશ.” Page #667 -------------------------------------------------------------------------- ________________ १४२ બેધામૃત આપને આ ઉંમરે આ પ્રસંગ આવી પડ્યો તે સહન કરવો જોકે કઠણ છે, પરંતુ સમજુજને જે થાય તે સારાને માટે થાય છે એમ ગણે છે. પૂર્વ કર્મ પ્રમાણે બનવા ગ્ય બને છે. તે વિષે ખેદ કરી મનુષ્યભવમાં કરવા યોગ્ય જે ધર્મ કાર્ય તેમાં પ્રમાદ કર્તવ્ય નથી. મેહને આધીન બની જીવ આવા પ્રસંગમાં જે ક્લેશ કરે છે, છેદ કરે છે કે નિરુત્સાહી બને છે, તેને યથાર્થ સમજ નથી એમ ગણવા ગ્ય છે. તેવા પ્રસંગોને પહોંચી વળવા જેટલું વીર્ય જેને કુરે છે, ભક્તિ અખંડિતપણે કરે છે અને વારંવાર પોતાને માથે ભમતા મરણનો વિચાર કરે છે તથા પરમાત્માની કૃપાથી સર્વ સારું થઈ રહેશે એવો વિશ્વાસ રાખે છે, તે વિચારવાન ગણવા યોગ્ય છે. આટલી દશા ન આવી હોય ત્યાં સુધી જીવે સત્સંગ સલ્ફાસ્ત્રના વિશેષ વિશેષ અવલંબને ધીરજ વધે તથા વૈરાગ્ય ભાવના વર્ધમાન થાય તેમ કર્તવ્ય છે. વખત મળે અહીં આવી જવાનું કરશે તે તે સંબંધી રૂબરૂમાં જણાવવા જેવું લાગશે તે જણવાશે, તથા શેકની મંદતા થવા સંભવ છે. તે યુગ હાલ ન જણાતું હોય તે પૂ..... સાથે એકાદ કલાક વાંચન-વિચારને રાખશે. મૂંઝવણના પ્રસંગમાં કોઈની સાથે દિલ ખોલીને વાત થાય તેવા મુમુક્ષુને સંગ ઉપકારી છે. કારણ કે માત્ર પોતાની મૂંઝવણ જણાવવાથી પણ તે ચિંતા અડધી થઈ જાય છે અને દિલાસાને જેગ મળે તે તેમાં ઘણી મંદતા આવી પરમાર્થ પ્રત્યે જીવની વૃત્તિ વિશેષ બળથી વળે છેજી. આવા પ્રસંગે અનાદિ કાળના પરિભ્રમણમાં જીવને ઘણી વાર બન્યા છે અને તેથી છૂટવાની તેણે ઈચ્છા પણ કરી છે, પણ તેવા પ્રસંગોથી ભરેલા એવા આ સંસારમાં ફરી જન્મવું જ ન પડે તે પુરુષાર્થ તેણે એક લયે આદર્યો નથી. આ ભવમાં હવે સંસારનાં કારણે વિચારી તેની નિવૃત્તિના ઉપાયમાં શક્તિ છુપાવ્યા વિના વિકટ પુરુષાર્થ આદરવા યોગ્ય છેજ. પિતાની સમજણની ભૂલ છે તે પરમકૃપાળુદેવની કૃપાથી દૂર થવા ગ્ય અવસર આવ્યો છે, તેને બને તેટલે લાભ લઈ સ્વરૂપ સમજી તેમાં શમાવા જેટલે પુરુષાર્થ કર્તવ્ય છેજ. બધાં કામ કરતાં આ કામ વધારે અગત્યનું છે અને તે મનુષ્યભવ વિના બીજા ભવમાં બનવું મુશ્કેલ છે માટે શૂરવીર થઈને, કર્મ આઘાપાછાં થાય તેટલાં કરીને એક મેક્ષમાર્ગમાં ભાવ લાગી રહે તેવા પુરુષાર્થમાં મંડી પડવા યોગ્ય છેજી. પરમકૃપાળુદેવ કહે છે : “ખેદ નહીં કરતાં શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં મેક્ષપાટણ સુલભ જ છે.” (૮૧૯) ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૧૪-૧-૪૮ ૭૬૦ “જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય, ઉત્તમ જહાં વિચાર; એ ભાવે શુભ ભાવના, તે ઊતરે ભવપાર.” વિ. આપને કાગળ મળે. વાંચી વિગત જાણ છે. આત્માને અર્થે તપ, સંયમ કર્તવ્ય છે. આપે જણાવ્યા પ્રમાણે રાજમહેન્દ્રમાં રહો ત્યાં સુધી ચૌવિહાર પાળવાની ભાવના પરમકૃપાળુદેવના ચિત્રપટ સમક્ષ કરશે. તથા બેસણુની ભાવના રહે છે તે પણ અનુમોદન યોગ્ય છે. આઠમ ચૌદશના દિવસે શરીરશક્તિ જોઈને ઉપવાસ થાય તેમ હોય તે ઉપવાસ, નહીં તો એકાસણું કર્તવ્ય છે.જી. તમારી દુકાનમાં રજાના દિવસ હોય તે દિવસે આઠમચૌદશને બદલે Page #668 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૪૩ તપ વગેરે કરવામાં વિશેષ લાભ છે. માટે અઠવાડિયામાં એકાદ દિવસની રજા ગુમાસ્તા કાયદાની રૂએ હોય તે બાહ્ય નિવૃત્તિ અને કષાયની અભ્યંતર નિવૃત્તિના ચેગ મળે, તેવી રજા ન પાળતા હાય તા અને બીજાનાં મન દુભાય તેવું ન હોય તેા ઉપવાસના દિવસે ખીજાં કામ પડી મૂકી માત્ર આત્માર્થે તે દિવસ ગાળવાને લક્ષ રાખવા ચાગ્ય છે. તે દિવસે ભક્તિભાવ, વાંચન, વિચાર, સ્મરણ આદિ વિશેષ થાય તેમ કબ્જે છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૭૧ રાગ ન કરવા, દ્વેષ ન ધરવા, શત્રુ મિત્ર સમ જાણુ, એવી ભાવના ભાવે નિત્યે, તે લડે કેવળજ્ઞાન.'' અગાસ, તા. ૨૭-૬-૪૮ પ્રારબ્ધ અનુસાર બનવાનું હેાય તે અને છે. આપણું કામ જ્ઞાનીપુરુષની આજ્ઞા ઉઠાવવાનું છે તે યથાશક્તિ બનતું હોય તે આનંદ માનવા યાગ્ય છે. શિથિલપણું હાય કે દેશષિત પ્રવન હાય તેા તેના ત્યાગ કરી સર્વ શક્તિથી જ્ઞાનીને શરણે આટલા ભવ ગાળવા યેાગ્ય છે. સ`સાર અસાર છે, પણ જ્યાં સુધી મનુષ્યભવને યાગ છે ત્યાં સુધી મેાક્ષમાર્ગ આરાધી લેવા એ જ ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ સાર છે. ૭૬૨ અગાસ, જેઠ વદ ૮, ૨૦૦૪ પરમકૃપાળુદેવની ઉપાસના કરવાના ભાવ જાગવા દુ`ભ છે. લખવું, વાંચવું ઘણા કરે છે પણુ જીવન સફળ થાય તેવી પરમપુરુષની ભક્તિ જાગવી એ મહદ્ભાગ્યનું લક્ષણ છે. તમારી પાસે પૂ..... હાલ આવતા રહેતા હાય તેા ત્રણ પાઠ પહેલા શીખે અને સાત વ્યસનના ત્યાગની ઉપર ઉપરથી વાત કરશેા. ક્રમે કરીને તેમનું કલ્યાણ થવા યોગ્ય વખત હશે ત્યારે સત્સંગભક્તિની ગરજ તેમને જાગશે. પરાણે તેમને તમારે ત્યાં આવવા આગ્રહ ન કરવા. તેમની વાતામાં તમારે વખત વૃથા જવા સ`ભવ છે. તમે વખત કેમ ગાળવા એમ પુછાવ્યું છે તેના ઉત્તરમાં જણાવવાનું કે પુષ્પમાળા – ૭માં પરમકૃપાળુદેવે જણાવ્યું છે “જો તું સ્વત ́ત્ર હોય તે સ'સાર સમાગમે તારા આજના દિવસના નીચે પ્રમાણે ભાગ પાડ.'' તે પ્રમાણે વર્તાશે તા આજ્ઞાને અનુસરવા જેવું થશેજી. તેમાં ઊંઘને છ કલાકની જરૂરની ગણી છે. તે પ્રમાણે ક્રમે કરીને વર્તાય તેા ઠીક છે. ભાષાના અભ્યાસ કરવા વિચાર થતા હાય તા હરકત નથી. સસ્કૃતને થોડો અભ્યાસ થશે તે પરમકૃપાળુદેવનાં વચન પણ વધારે સમજાય તેવા સંભવ છેજી. અઢાર પાપસ્થાનક તમને મુખપાઠ તા હશે, પણ રાજ લક્ષ રાખીને દિવસે થયેલા દોષો તેને અનુસરીને જોઈ જવાને અભ્યાસ રાખશેાજી. દરેક દોષ વખતે આખા દિવસના ભાવેશ પ્રત્યે નજર નાખી જવાનું બનશે એટલે અઢાર વખત દિવસનાં કાર્યાં તપાસવાનેા પ્રસંગ આવશે તે દિવસે દિવસે ભાવ સુધરતા જવાને સભવ છેજી. જેને પેાતાનું જીવન સુધારવું છે તેને તે પરમકૃપાળુદેવનાં વચનામૃત સĆપરી સહાય કરનાર છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ - Page #669 -------------------------------------------------------------------------- ________________ બેધામૃત - ૭૬૩ અગાસ, તા. ૭-૭-૪૮ વિ. આપને પત્ર પ્રાપ્ત થયે છે. વાંચી આપની ભાવના સન્માર્ગમાં આગળ વધવાની જાણે સંતોષ થયે છે. આ કાળ દુષમ હોવાથી સારું ફળ આવશે એવું જાણ કરવામાં આવતા સમાગમથી વિપરીત પરિણામ પણ આવે છે, માટે આ કાળમાં કોને કેટલે સમાગમ કરે તે બહુ વિચારવા ગ્ય છે. જેથી આપણું જીવન સુધરે, શિથિલતા ન પિષાય તે સમાગમ કર્તવ્ય છે. પોતાના દેશ જણાતાં ત્વરાથી તેને 5 ઉપાય લે ઘટે છેજી. દોષને પિતા રહેવાથી તે રોગની પેઠે ઘર કરે છે, પછી તેવા દેષ કાઢવા મુશ્કેલ પડે છેજ. તેવો સારે સમાગમ ન હોય તે પરમકૃપાળુદેવનાં વચને વારંવાર વાંચતા રહેવાથી તે સત્સંગની ગરજ સારે છે. બીજું, આપે અર્ધમાગધી ભાષા શીખવાને વિચાર રાખે છે, તે સારું છેજ. એકાદ વર્ષ તેને અભ્યાસ કરી સામાન્ય કાવ્યો કે ગદ્ય સમજી શકાય તેવું થાય તેટલું વ્યાકરણ સહિત શીખવાની જરૂર છે. પછી સંસ્કૃતને અભ્યાસ પણ કરવા ગ્ય છે. કારણ કે તેથી માગધી અને ગુજરાતી બન્નેમાં મદદ મળે છે. મેક્ષમાળામાં “બ્રહ્મચર્યની નવ વાડ’ વિષે પાઠ છે તથા “જિતેન્દ્રિયતા” વિષે પણ તેની જોડે પાઠ છે તે લક્ષ રાખીને વાંચવા તથા તેમાં જણાવેલી સૂચનાઓ બને તેટલી અમલમાં મૂકવા ભલામણ છેજી. વચનામૃતની નવી આવૃત્તિ છપાવાની છે તેમાં પાંચસો રૂપિયા આપવાને તમે ભાવ દર્શાવે છે તે અનુદન યોગ્ય છેજ. % શાંતિઃ શાંતિઃ શાંતિઃ ७६४ અગાસ, તા. ૮-૭-૪૮ તત્ ૐ સત જેઠ વદ ૦)), મંગળ, ૨૦૦૪ "द्रव्य दृष्टिसे वस्तु स्थिर, पर्याय अथिर निहार; ऊपजत विणसत देखके, हर्ष-विषाद निवार." વિ. આપનું કાર્ડ મળ્યું. વૃદ્ધાવસ્થામાં શિથિલતા સિવાય બીજું શું દેખીશું? એમ પરમકૃપાળુદેવે કહ્યું છે. સાથે વૃદ્ધમાંથી યુવાન થવાનું પણ કહ્યું છે. પરમકૃપાળુદેવનાં વચને વૈિરાગ્ય અને પુરુષાર્થને પ્રેરે તેવાં છેજ. જેના વચનબળે જીવ નિર્વાણમાર્ગ પામે છે, તે વચને જીવને શિથિલ કેમ થવા દે? આત્મવીર્ય વધે તેવાં જેનાં વચન અને આચાર હોય તેની સ્મૃતિથી પણ જીવ જાગૃતિ પામે છે, એ વાત પ. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીને સાક્ષાત્ મળેલા મુમુક્ષુઓના અનુભવની છે. બધાને આધાર સાચી શ્રદ્ધા છે જી. એ ગુણ જેનામાં જાગે તેને પછી છૂટવા ભણી જ વૃત્તિ વહ્યા કરે છે. પરમકૃપાળુદેવ લખે છે કે જેને એટલે દઢ નિશ્ચય થયે છે કે જ્ઞાની પુરુષની આજ્ઞા એ જ મોક્ષનું કારણ છે, તે સિવાય બીજો ઉપાય નથી તેને ત્યારથી બીજા દોષનું નિવર્તવું થાય છે. આજ્ઞા ન ઉઠાવાતી હોય તેવાં કામમાં પ્રવર્તતાં પણ આથી મારા આત્માને કંઈ કલ્યાણ થનાર નથી એટલે વૈરાગ્ય તે રહ્યા જ કરે છે, અને ભાવના આજ્ઞા ઉઠાવવાની રહે છે. આ જ “છૂટવાની વાર્તાને આત્માથી ભણકાર થશે.” (૧૬૬) એ વાકયને પરમાર્થ સમજાય છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #670 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૭૬૫ અગાસ, તા. ૧૦-૭-૪૮ દુશ્મન બે દુનિયા વિષે, સૌ સંસારી સાથ; રાગદ્વેષ એ નામના, જીતે તે જગનાથ. આપે પ્રશ્ન એમ પૂક્યો છે કે શ્રી ભગવંત તીર્થંકર પરમાત્મા જન્મથી જ આહાર લેતા નથી, તે પછી દેવોએ મેકલાવેલ આહાર પણ કેમ લઈ શકે ? ઉત્તરમાં જણાવવાનું કે શ્રી તીર્થકરને આહાર લેવાનું જે પક્ષ અગ્ય માને છે તે પણ, કેવળજ્ઞાન થયા પછીથી કવળ-આહાર ગ્રહણ કરતા નથી એમ માને છે, જન્મથી જ આહાર નથી કરતા એવું કઈ પક્ષવાળા માનતા નથી. જન્મથી શ્રી તીર્થકરને કેટલાક (દસ) અતિશયે હોય છે, તેમાં એક અતિશય એ છે કે તેમને નિહાર તે નથીએટલે જે આહાર લે તેનું પરિણમન શરીરના અવયવો વગેરેને પોષણ પૂરતું જ હોય છે, એટલે કચરો કાઢી નાખવાનો હોતો નથી. ગૃહસ્થ અવસ્થામાં તે દેવેએ આણેલે આહાર કરે છે, પરંતુ દીક્ષા લીધા પછી ગૃહસ્થને ત્યાં આહાર લે છે, અને તે વખતે સુવર્ણ-વૃષ્ટિ વગેરે આશ્ચર્યો દેવ તરફથી થાય છે એવાં વર્ણન શાસ્ત્રોમાં છે. શ્રી મહાવીર ભગવાને કેવળજ્ઞાન ઊપજવા પહેલાં અમુક દિવસ તપશ્ચર્યા કરી છે, અમુક દિવસ આહાર લીધે છે, એવી ગણતરી શામાં છે એટલે આહાર લે છે એમાં શંકા જેવું નથી, અને નિહાર નથી થતે એ તેમને જન્મથી જ અતિશય છે. કેવળજ્ઞાન થયા પછી દારિક શરીર પરમ દારિક બને છે અને આહારની જરૂર રહેતી નથી એમ એક પક્ષ માને છે, એટલે કેવળજ્ઞાન થયા પછી ઘણાં વર્ષ સુધી આહાર લીધા વગર શરીર ટકી શકે છે, કારણ કે અંતરાયકર્મને ક્ષય થવાથી અનંત લાભ નામને ગુણ પ્રગટ થાય છે એટલે શરીરને ટકાવવા પૂરતાં તો આપોઆપ શરીરમાં પ્રવેશતાં રહે છે અને જૂનાં તો દૂર થતાં રહે છે. આ બધી શ્રી તીર્થકરની પુણ્યપ્રકૃતિની વાત થઈ, પરંતુ તેવા દેહને લઈને તે તીર્થકર નથી; પરંતુ પરમાત્માપણું જેમને પ્રગટ થયું છે અને અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય આદિ અનંત ગુણો પ્રગટયા છે અને જગતને કેવળજ્ઞાનથી જણાયેલ સત્યને ઉપદેશ કરવાથી જગત-જનું અજ્ઞાન તેમની કૃપાથી દૂર થાય છે, એ તેમને મહદ્ ઉપકાર છે. શુદ્ધ ચૈતન્યસ્વરૂપ જે પરમાત્માને પ્રગટ કર્યું છે એ જ આપણને ઉપાદેય છે એમ જેને વિશ્વાસ પ્રગટયો છે તે પરમપુરુષની આજ્ઞા આરાધી આ સંસારસમુદ્રને તરી જાય છે. માટે પ્રથમ તે પરમપુરુષના આત્માને વિશ્વાસ કરવાને છે, તેવો જ આપણે આત્મા થઈ શકે એમ છે અને એ જ ધ્યેય રાખી આપણે બનતે પુરુષાર્થ કર્તવ્ય છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ७६९ અગાસ, તા. ૧૩-૭-૪૮ આપણે તે જગતને પૂંઠ દઈ પરમકૃપાળુદેવ પ્રત્યે સન્મુખતા વધે તે પ્રયત્ન આદરવાના છે. પરમકૃપાળુદેવનું માહાભ્ય ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજી દ્વારા જેને જાણવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું છે, તેણે તે પિતાનું હૃદય તે મહાપુરુષની આજ્ઞામાં સમર્પિત થાય તેમ વિશેષ વિશેષ કર્તવ્ય છે જ. પરકથા અને પરવૃત્તિથી પાછું વળવું ઘટે છેજ. 8 શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #671 -------------------------------------------------------------------------- ________________ બેધામૃત ૭૬૭ અંગાસ, તા. ૨૩-૭-૪૮ તત્ કૈં સત્ અષાડ વદ ૨, ૨૦૦૪ (૧) પ્રશ્ન – રાત્રિભેજન વિષે સૂમ ભેદો ? ઉત્તર – ભજન ઉપર, દેહ ઉપર, ગ ઉપર જેને ધર્મ કરતાં વધારે પ્રીતિ હોય, તે પશુની પેઠે રાત્રે અને દિવસે ખાધા કરે છે. રાત્રે જમવાનું કરે, રાત્રે ખાય અને વાસણ-કૂસણ રાત્રે સાફ કરે ત્યાં જીવદયા પાળવી મુશ્કેલ છે. રાત્રે પેટમાં ખોરાકનો ભાર હોવાથી ઊંઘ વધારે આવે કે વિષયભોગ પ્રત્યે વૃત્તિ વધારે જાય. ભક્તિ કરવાનું મન ન થાય; કરે તે ઊંઘ, આળસ કે ચંચળવૃત્તિથી ભક્તિમાં વિશ્વ ઘણાં આવે. રાત્રે ભજન નહીં કરવાનું જિંદગી સુધી વ્રત લે છે, તે દિવસે મૈથુનને ત્યાગ કરે છે. એ રાત્રિભેજનને ત્યાગ છઠ્ઠી પ્રતિમા પાળનાર રાત્રે દળેલા લેટની વસ્તુઓ કે રાત્રે રાંધેલા અનાજને દિવસે પણ ઉપયોગ કરતા નથી. દિવસ આથમતાં પહેલાં બે ઘડી સુધીમાં ભેજન વગેરેથી પરવારી લે છે. સવારે બે ઘડી દિવસ ચઢતાં પહેલાં ચા, દૂધ આદિ ન લે કે દાતણ સુધ્ધાં પણ કરતા નથી. આમ નિવૃત્તિપરાયણ જે બીજા જીવને દુઃખ ન થાય તેમ વર્તે છે અને પિતાના આત્માને શાંતિ દિવસે દિવસે વધારે મળે તે માટે રાત્રિને વખત ભક્તિ, વાચન, વિચાર, મુખપાઠ કરવામાં કે મેઢે કરેલું બોલી જવામાં ગાળે છે. (૨) પ્રશ્ન – સામાયિકના દોષે – સામાયિકમાં ઊંઘવું, આલંબનદેષ, નિદ્રાદેષ. ઉત્તર – આલંબન એટલે ભીંત વગેરેને અઢેલીને બેસવું, તકિયે અડીને બેસવું. ટૂંકામાં ટટાર, જાગ્રતભાવમાં ન રહેવું તે આલંબનદોષ. નિદ્રાદેષ - સામાયિક સાંજે કે સવારે અથવા બપોરે કરે ત્યારે ઊંઘ આવી જાય તે પણ દેશ છે. ઊંઘમાં ચિત્ત ક્યાં ભટકે છે તેની ખબર રહેતી નથી. ઊંઘ એ મરણની માસી છે. મડદા જેવું માણસ થઈ જાય છે. તે ધર્મમૂર્તિ ન કહેવાય. સામાયિકનું વ્રત તે ધર્મમાં ભાવ જોડી રાખવા અર્થે છે તેથી સામાયિકમાં ઊંઘવું તે વ્રતમાં દેષ લા ગણાય. મેક્ષમાળાના ૩૮ માં પાઠમાં એ દેના અર્થ પરમકૃપાળુદેવે લખ્યા છે. (૩) પ્રશ્ન – સર્વ જીવની રક્ષા કરવી એમ કહ્યું છે ત્યાં ફૂલની પાંખડી પણ દુભાય તે દેષ છે, તે આપણે કેમ હાર ચઢાવાય છે? ઉત્તર – “પુષ્પપાંખડી જ્યાં દુભાય, જિનવરની ત્યાં નહીં આજ્ઞાય.” એ કડીમાં સર્વમાન્ય ધર્મ જે દયા તેનું વર્ણન છે. પૂજા આદિ વિષે ત્યાં કંઈ હા કે ના કહેવાનો આશય નથી. જીવ જ્યાં દુભાય ત્યાં પાપ કહ્યું છે તે સાચું છે. જીવને દૂભવવા અર્થે કોઈ હાર ચઢાવતું નથી. હાર ચઢાવનારને ઉદ્દેશ ભક્તિ કરવાનું છે. ભક્તિ કરનાર ત્યાગી હોય તે ફૂલથી પૂજા ન કરે એટલે પુછ્યું કે લીલેરી જે આહાર કે મજશોખને અર્થે વાપરતા નથી તેને ફૂલથી પૂજા કરવાનું કહ્યું નથી. પણ જેને લીલોતરીને ત્યાગ નથી, શાક વગેરેમાં ફલેવર, કેબી વગેરે વાપરે છે, અંબેડામાં પુષ્પ પહેરે છે, ફૂલની પથારીમાં જે જે સૂએ છે, તેવા જીને પિતાના મજશેખ ઓછા કરી ભગવાનને અર્થે ફૂલના જે હાર કરી ચઢાવે છે, તેને તે ફૂલના નિમિત્તે પરમકૃપાળુદેવ ભગવાન પ્રત્યે ઉલ્લાસભાવ થાય છે. તે ઘણું પુણ્ય બાંધવાનું કારણ થાય છે; અ૫ પાપ અને ઘણા પુણ્યની તે પ્રવૃત્તિ છે, એટલે જ્ઞાનીઓએ તેને નિષેધી નથી, ના Page #672 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા પાડી નથી. પાપ માત્રને ત્યાગ કરવાને ભગવાનને ઉપદેશ છે છતાં આપણે સંધવું પડે છે, ખાંડવું પડે છે, દળવું પડે છે કે પાણી વાપરવું પડે છે તેમાં ઘણું પાપ તે થાય છે અને તે તે ધર્મનાં કામ નથી, દેહનાં કામ છે છતાં તે પાપ ઓછાં કરવાનું મન થતું નથી અને ભગવાનને ફૂલ કેમ ચઢાવે છે એવો વિચાર ઊગે છે, તે માત્ર કુલસંસ્કાર હૂંઢિયાના હેવાથી થાય છે. તેને ખુલાસો ન થાય ત્યાં સુધી મનમાં ખટકયા કરે, તેથી પૂછ્યું છે તે સારું કર્યું છે. સાધુને વાંદવા હૂંઢિયા જાય છે ત્યાં સુધી જવામાં ઘણાં જતુઓ મરે છે કારણકે સાધુની પેઠે જીવ બચાવીને શ્રાવક વર્તતા નથી; છતાં સાધુનાં દર્શનથી ઘણો પુણ્યલાભ થશે, મિક્ષ માર્ગ મળશે એવી આશાથી પાપનો ભય ત્યાગી વિશેષ લાભની પ્રવૃત્તિ સ્થાનકવાસી પણ કરે છે. સ્થાનક બંધાવવામાં કેટલી બધી હિંસા થાય તો પણ સાધુઓ તેને ઉપયોગ કરે તે પુણ્યકારણ છે એમ ગણીને મકાન બંધાવે છે, પણ પરિગ્રહનો ત્યાગ કર્યો હોય તે તેવું મકાન ન બંધાવે. તેમ લીલેતરીના ત્યાગી પુષ્પ આદિ સાવદ્ય હિંસા જેમાં થાય તેવી ચીજોથી પૂજા ન કરે. ઊનું પાણી વાપરે તે ભગવાનની પૂજા ઠંડે પાણીએ ન કરે. તેવી જ પદ્ધતિ પુષ્પપૂજાની છે. સાધુઓ કાચા પાણીને અડતા પણ નથી, પણ નદી ઊતરવાનો પ્રસંગ આવે ત્યારે પાપનું કારણ છે છતાં વિશેષ લાભને કારણે સાધુઓને નદી પગે ચાલીને ઓળંગવાની ભગવાને આજ્ઞા આપી છે. જેથી આપણા આત્માનું હિત વિશેષ થતું હોય ત્યાં અલપ દોષો થવાનો સંભવ હોય ત્યાં પણ કાળજીપૂર્વક દયાભાવ દિલમાં રાખી પ્રવર્તવાનું ભગવાને કહ્યું છે. (૪) પ્રશ્ન – અઘરણીનું ઘણા માણસે નથી ખાતા તેનું કારણ ધર્મની દષ્ટિએ શું? ઉત્તર – એવા પ્રસંગોમાં ભાગ લે તે સાંસારિક ભાવેને પિષવા જેવું છે. ત્યાં વાતે, ખેરાક, ગીતે કે પ્રવૃત્તિ થાય તે પાંચ ઇન્દ્રિયોને પોષણ સંબંધી હોય. વૈરાગ્યનું કારણ કંઈ ન હોય. અને વૈરાગ્ય હોય તે પણ લૂંટાઈ જવાને ત્યાં સંભવ છે. જેમ ધનની ઈચ્છા સંસારી જીવોને હોય છે, તેમ પુત્રાદિની ઈચ્છા પણ ઘણાંને હોય છે. ધર્મ કરવાની ઇચ્છાવાળા જીવોને તેવી ઈચ્છાઓ, મોક્ષમાર્ગને ભુલાવી દે તેવી હોય છે. માટે તેવા પ્રસંગોથી દૂર રહેવું અને વૈરાગ્ય વધે તેવો સત્સંગ, સદુગ્રંથનું વાચન કે વાંચેલાને વિચાર કરી આત્મા મોક્ષ પ્રત્યે રુચિવાળો થાય તેમ કર્તવ્ય છે. (૫) પ્રશ્ન – સમ્યક્દષ્ટિ, સમ્યકજ્ઞાન, સમ્યફદર્શન અને સમ્યફચારિત્ર એટલે શું? ઉત્તર – જેનું કલ્યાણ થવાનું નજીકમાં હોય તેવા જીવને આ પ્રશ્ન જાગે છે. સમ્યક દર્શન બે પ્રકારે છે – વ્યવહારથી અને નિશ્ચયથી. વ્યવહાર એ નિશ્ચય સમ્યક્દર્શનનું કારણ છે. વ્યવહાર સમ્યદર્શન :- સદેવ, સધર્મ અને સદ્દગુરુની સાચા ભાવે શ્રદ્ધા થવી તે છે. મોક્ષમાળામાં ચાર પાઠ ૮-૯-૧૦-૧૧ છે તેમાં ત્રણે તત્વની સમજૂતી છે, તે વાંચી લેવા ભલામણ છે. તેમાં પણ જે કુગુરુને સદ્દગુરુ માને તે તે બતાવે તે દેવ પણ કુદેવ હોય અને ધર્મ બતાવે તે કુધર્મ હોય; એટલે તે મેક્ષમાર્ગથી વિરુદ્ધ હોય છે. માટે પ્રથમ શું કરવું? તે વિષે પરમકૃપાળુદેવ લખે છે કે “બીજું કાંઈ શોધ મા. માત્ર એક સપુરુષને શેધીને તેને ચરણકમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વિત્યે જા, પછી જો મેક્ષ ન મળે તે મારી Page #673 -------------------------------------------------------------------------- ________________ ૬૪૮ મેધામૃત પાસેથી લેજે.” (૭૬) માટે સદ્ગુરુ દ્વારા સન્દેવ એટલે સ`પૂર્ણતા પામેલી વ્યક્તિ તથા સધર્મ એટલે તે પૂર્ણ પુરુષાના કહેલા મોક્ષમાર્ગ સમજવા ઘટે છે. આ ત્રણ કારણેા(સદેવ, સદ્ધર્મ અને સદ્ગુરુ)ની ઉપાસનાથી પાતાના આત્માની યથાર્થ શ્રદ્ધા કરવી તે નિશ્ચય સમ્યક્દન છે. તે થવા માટે નીચેની સાત કર્મ પ્રકૃતિને અભાવ થવા ઘટે છે — ૧. મિથ્યાત્વ એટલે દેહને આત્મા મનાવનારું કર્મ, નાશવંત ચીજોને હમેશાં રહેનારી મનાવનાર તથા મળમૂત્રથી ભરેલા ગંદા દેહાર્દિક પદાર્થાને સુંદર મનાવનાર કર્મ; પોતાનું નહીં તેને પેાતાનું મનાવનાર કુબુદ્ધિ. ૨. જે ધર્મ જીવને કલ્યાણકારી હાય તે સુધર્મ, સુદેવ કે સુગુરુ પ્રત્યે ક્રોધ કરાવે તેવું કર્મ. ૩. માન કરાવે તેવું કર્મ. ૪. માયા કરાવે તેવું કર્મ. ૫. સાંસારિક લાભની તેવા ધર્મ કરીને આશા રખાવે તેવું કર્મ. એ પાંચે વિશ્નો દૂર થયે માત્મા આત્મારૂપે મનાય છે તેને સમ્યક્દન નામના આત્માના એક ગુણ કહ્યો છે. ઉપર જણાવેલાં ત્રણ તત્ત્વા (સન્દેવ, સદ્ગુરુ, સદ્ધર્મ) યથાર્થ સમજાય અને આત્મા તથા મેક્ષમાગ માં ઉપયાગી સાત તત્ત્વા— જીવ, અજીવ, આસવ, સંવર, મધ, નિર્જરા ને મેાક્ષ — એ સાત તત્ત્વનું યથાર્થ જ્ઞાન થાય વ્યવહાર સમ્યજ્ઞાન છે, તથા તે જ્ઞાન ઉપર જણાવેલા સમ્યક્દન સહિત હોય તે સમ્યજ્ઞાન નિશ્ચયથી ગણાય છે, એટલે આત્માને યથાર્થરૂપે જાણવા તે નિશ્ચયથી સમ્માન છે, પુસ્તકોનું જ્ઞાન તે વ્યવહારજ્ઞાન છે. સાધુપણાના સદાચાર તે વ્યવહારથી સમ્યક્ચારિત્ર એટલે સદાચાર છે, અને સમ્યક્દન અને સમ્યજ્ઞાનથી યથાર્થ જાણેલા અને માનેલા આત્મામાં સ્થિરતા થવી તેને સમ્યક્ચારિત્ર કહે છે. સમ્યક્દન જેને હાય તેને સમ્યક્દૃષ્ટિપુરુષ કહેવાય છે. મેાક્ષમાળામાં તત્ત્વાવબાધ પાઠ ૮૨ થી ૯૮ વાંચવાથી ઉપર લખેલું સમજાશેજી. (૬) પ્રશ્ન — યત્ના એટલે શું ? ઉત્તર — મેાક્ષમાળામાં ૨૭મો પાઠ યત્ના વિષે છે, તેમાં વિસ્તારપૂર્વક જણાવેલું છે. ટૂંકામાં ધર્મ અને વ્યવહારની ક્રિયાએ કરતાં પાપ ન થાય તેવી કાળજી રાખીને પ્રવવું તે યત્ના કહેવાય છે. ચાલતાં જોઈને પગ મૂકવા, જરૂર વિના નકામું ફરફર ન કરવું. જીવાની હિંસા ન થાય એવી ભગવાનની આજ્ઞા છે પ્રમાણે લક્ષ રાખી ચાલવું તે ઇર્યાસમિતિ કહેવાય છે. તે જ પ્રકારે ભગવાને કહ્યું છે તે લક્ષ રાખી પાપકારી વચના ન ખેલાય તેમ વવું તે ભાષાસમિતિ છે. ભાજનમાં પણ પાપપ્રવૃત્તિ ટાળી ભગવાનની આજ્ઞામાં પ્રવર્તવું તેને એષણાસમિતિ કહે છે. વસ્તુ લેતાં-મૂકતાં પણ આજ્ઞા પ્રમાણે વર્તવું. તેને આદાનનિક્ષેપસમિતિ કહે છે. અને મળમૂત્રને ત્યાગ કરતાં પણ જીવહિંસા ન થાય તેવા લક્ષ રાખવા ભગવાને જણાવ્યું છે, તેમ પ્રવર્તાવું તે પારિડાવણિયાસમિતિપ (પ્રતિષ્ઠાપના) કહેવાય છે. એ પાંચ પ્રકારની પ્રવૃત્તિમાં બધાં કામ લગભગ આવી જાય છે. એ બધી ક્રિયા કરતાં જીવહિંસા ન થાય તેવે ઉપદેશ ભગવાને આપેલા છે તે લક્ષમાં રાખીને વવું તેને યત્ના કહે છે. દૃષ્ટાંત તરીકે ચૂલામાં લાકડાં મૂકતાં પહેલાં ખ'ખેરીને મૂકીએ તે કીડી, ઉધેઈ આદિ જીવા મળી ન જાય; પાણી ગાળવાનું કપડું કાણું કે બહુ પહેાળાં છિદ્રોવાળું ન હોય તે તેની પાર થઈને પારા વગેરે માટલામાં ન જાય. એકવડુંગરણું હોય તેને બદલે માટું રાખ્યું Page #674 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા હોય તે બેવડું કરી ગાળવાથી પાણીની શુદ્ધિ રહે અને જંતુઓ પાર ન જાય; તેથી વાળા વગેરે રોગો પણ ન થાય અને જીવહિંસાનું પાપ ન લાગે. અનાજમાં રહેલા સૂક્ષ્મ જીવજંતુએની અપૂર્ણ તપાસ, એંઠા વાસણ રાત્રે રહેવા દીધાં હોય, ઓરડા વગેરે સ્વચ્છ ન રાખ્યા હેય, આંગણામાં પાણી ઢોળવું, પાટલા વગર ધગધગતી થાળી નીચે મૂકવી, ઇત્યાદિ ક્રિયાઓ અનાથી થાય છે, અને કાળજી રાખી હોય તે સ્વચ્છતા, આરોગ્યતા આદિ સુંદર ફળ પ્રાપ્ત થાય અને ધર્મનું આરાધન પણ થાય. (૭) પ્રશ્ન – ધ્યાનમાં બેસીએ ત્યારે શી પ્રવૃત્તિ કરવી? ઉત્તર – મોક્ષમાળામાં ધર્મધ્યાન વિષે ત્રણ પાઠ ૭૪-૭૫-૭૬ આપ્યા છે તે વાંચશે. તેથી ધર્મધ્યાન વખતે કેવા વિચાર કરવા તે સમજાશે. હાથ-પગ જોડી બેસી રહેવું તે ધ્યાન નથી. ચિત્તની વૃત્તિ સારા વાચનમાં, મુખપાઠ કરવામાં, મુખપાઠ કરેલું બોલી જવામાં કે વિચાર કરવામાં રેકવી તે ધર્મધ્યાન છે. આ પ્રકારે સ્વાધ્યાય-ધ્યાન એ મહાન તપ છે. આત્મા સંબંધી જ્ઞાની પુરુષે છપદના પત્રમાં, આત્મસિદ્ધિમાં કહેલ છે તેને વિચાર કરી “શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયં જ્યોતિ સુખધામ; બીજું કહીએ કેટલું? કર વિચાર તે પામ” એવી કડીઓમાં મનને રોકવું, મંત્રમાં ચિત્તને રોકવું તે પણ ધ્યાન છે. પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ બેસી તેમના ઉત્તમ ગુણો, પોપકાર, આત્મલીનતા, અસંગતા, પરમાર્થ ચિંતન વગેરે “જીવનકળામાંથી જે વાંચ્યું હોય તેના વિચાર વડે પરમકૃપાળુદેવમાં લીનતા કરવી તે પણ ધ્યાન છે. (૮) પ્રશ્ન – પરિગ્રહને ત્યાગ એટલે શું? ઉત્તર – ખેતર, ઘર, દાસ, દાસી, સોનું, રૂપું, ધન, ધાન્ય, કપડાં, વાસણ વગેરેને સંગ્રહ મમતાપૂર્વક કરવો તે પરિગ્રહનું ગ્રહણ કરવું કહેલું છે. એ દશ પ્રકારને બાહ્ય પરિગ્રહ કહ્યો છે. અંતરંગ ચૌદ પ્રકારે પરિગ્રહ છે. ૧. મિથ્યાત્વ એટલે ઊંધી સમજણ, ૨. કો, ૩. માન, ૪. માયા, ૫. લેભ, ૬. હાસ્ય, ૭. રતિ, ૮. અરતિ, ૯, ભય, ૧૦. શેક, ૧૧. દુગછા, ૧૨. પુરુષને સ્ત્રીભેગની ઈચ્છા, ૧૩. સ્ત્રીને પુરુષભેગની ઇચ્છા, ૧૪. સ્ત્રીપુરુષ બને પ્રત્યે વિકાર રહ્યા કરે તે નપુંસક ભાવ છે. ઉપર જણાવેલા ૧૦ બાહ્ય ભેદે અને ૧૪ અંતર ભેદમાંથી જેટલાને ત્યાગ થાય તેને પરિગ્રહ-ત્યાગ કહે છે. ટૂંકામાં મારાપણું કે મમતા ઓછી કરી સમતાભાવમાં રહેવું તે પરિગ્રહત્યાગને મર્મ છે. તમારે પત્ર મળે. તમારા ભાવ સારા ભક્તિમય રહ્યા કરે છે, તેવા ભાવ પરમકૃપાળુદેવ પ્રત્યે રોજ રહ્યા કરે તે કલ્યાણ થવામાં વાર ન લાગે. પરમકૃપાળુદેવ દરેક કામ કરતાં યાદ આવે, ક્ષણ પણ ભુલાય નહીં એમ કરવા વિનંતી છે. પરમ ઉપકાર પરમકૃપાળુદેવને છે. તેમણે આત્મા પ્રગટ કર્યો, આત્માને ઉપદેશ આપે, મ્યાનથી તરવાર ભિન્ન છે તેમ દેહથી ભિન્ન આત્મા જણાવ્યા અને બીજા બેટા માર્ગેથી આપણને છોડાવી સાચા આત્માના માર્ગે વાળ્યા, મોક્ષને માર્ગ બતાવે માટે એમના જેવો કઈ એ આપણું ઉપર ઉપકાર કર્યો નથી. માટે પરમકૃપાળુદેવજી આપણુ ગુરુ છે, તે જ આપણે પૂજવા ગ્ય છે, તેમના પર જ પરમ પરમ પ્રેમ કરવા લાગ્યા છે. તે જ આપણું બંધવ, રક્ષક, તારનાર, ધણી અને Page #675 -------------------------------------------------------------------------- ________________ ૬૫૦ બાધામૃત પરમેશ્વર છે. એ પરમકૃપાનાથની અમને તમને પરમભક્તિ પ્રગટે તે આપણું મહાભાગ્યા ગણાય. એ જ. શિખામણ લક્ષમાં લેવા વિનંતી છે. # શાંતિઃ શાંતિઃ કરે કૃપાળુ શાંતિઃ ગુરુ રાજચંદ્ર જિન વચન હર મમ બ્રાંતિ. કેઈને દુઃખી કરવાની બુદ્ધિ નથી. સૌનું કલ્યાણ થાઓ અને વહેલા મોક્ષે જાઓ, એવી અંતરની ભાવના છે. માટે એકનિષ્ઠાથી પરમકૃપાળુદેવની ભક્તિમાં લીન રહે; એમાં જ કલ્યાણ છે. ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ સંતાડવું પડે, છુપાવવું પડે તેવા કાર્યની ઈચ્છા પણ માંડી વાળવી. ७६८ અગાસ, તા. ૨૪-૭–૪૮ દેહરા – “દુર્લભ માનવભવ મહા, ફર મળ મુશ્કેલ કર્મ તણાં ફળ આકરાં, નહીં સૂઝે ઉકેલ.” મેહી બાંધત કર્મક, નિર્મોહી છૂટ જાય; યાતે ગાઢ પ્રયત્ન, નિર્મમતા ઉપજાય.” “જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય ઉત્તમ જહાં વિચાર; એ ભાવે શુભ ભાવના, તે ઊંતરે ભવપાર.” આપે અઢાર પાપસ્થાનક વિષે કેમ વિચાર કરવા એમ પુછાવ્યું તે વિષે ટૂંકામાં જણાવવાનું કે નિરાંતનો વખત એને માટે દિવસે કે રાત્રે શેડે રાખો અને સવારથી સાંજ સુધી કે સાંજથી સવાર સુધી જે જે પ્રવૃત્તિ થઈ હોય તે ઉપર દષ્ટિ ફેરવી જવી. જેમ કે : પહેલે પ્રાણાતિપાત – આજે કોઈ જીવન પ્રાણ છૂટે તેવી પ્રવૃત્તિ મન, વચન, કાયાથી કરવા-કરાવવા કે અનુમોદવા વડે મારાથી થઈ છે? એમ મનને પૂછવું. તે અર્થે ૮૪ લાખ જીવાજોનિને પાઠ છે તેને ક્રમ લે કે સાત લાખ પૃથ્વીકાય છની નિ કહી છે તેમાંથી કઈ પૃથ્વીકાય જીવ હર્યો છે, હણાવ્યું છે કે હણતાં અનુમેઘો છે ? એટલે માટી વગેરેનું કામ આજે કંઈ પડ્યું છે? મીઠું, રંગ, પથ્થર આદિ સચિત છે પ્રત્યે નિર્દયપણે વગર પ્રજને પ્રવર્તવું પડ્યું છે? અથવા પ્રવર્તવું પડતું હોય તેમાંથી ઘટાડી શકાય તેવું હતું? એવી રીતે અપકાય એટલે સચિત પાણી વગર પ્રજને ઢળ્યું છે? પાણી વાપરતાં આ કાચું પાણી જવરૂપ છે એમ સ્મૃતિ રહે છે? તેની પ્રવૃત્તિ ઓછી થાય તેમ છે? તેઉકાય એટલે અગ્નિનું પ્રયોજન વિના લગાડવું કે ઓલવવું થયું છે? તેવી રીતે વાયુકાયના જીવોની ઘાત થાય તેવી પ્રવૃત્તિ આજે થઈ છે ? પ્રત્યેક વનસ્પતિ, સાધારણ વનસ્પતિ, બે ઈન્દ્રિય, ત્રણ ઈન્દ્રિય, ચાર ઈન્દ્રિય આદિ મનુષ્ય સુધીમાં કોઈ પ્રત્યે ક્રૂરતાથી વર્તાયું છે? તેમ ન કર્યું હોત તે ચાલત કે કેમ? પાપ થયું હોય તે પશ્ચાત્તાપ કરવાથી આવતી કાલે તે બાબતની કાળજી રાખી વર્તવાને ઉપગ રહે. બીજું મૃષાવાદ – જેની જેની સાથે દિવસે કે રાત્રે બેલવું થયું હોય તેમાં જૂઠું, મશ્કરીમાં વા છેતરવા બોલાયું છે? પરમાર્થ સત્ય શું? તે સમજી મારે બોલવાની ભાવના છે તે કેમ પાર પડે? કેવી સંભાળ લેવી ઘટે ? વગેરે વિચારે બીજા પાસ્થાનક વિષે કરવા. Page #676 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૬૫૧ ત્રીજું – ચોરી કહેવાય તેવું પ્રવર્તન મેં કર્યું છે? કરાવ્યું છે? અનુમવું છે? તેવું બન્યું હોય તે તે વિના ચાલત કે નહીં? હવે કેમ કરવું? વગેરે વિચાર કરવા. ચોથું મૈથુન – મનવચનકાયાથી વ્રત પાળવામાં શું નડે છે? દિવસે કે રાત્રે વૃત્તિ કેવા ભાવમાં ઢળી જાય છે? તેમાં મીઠાશ મન માને તેને કેમ ફેરવવું? વૈરાગ્ય અને સંયમ વિષે વૃત્તિ રોકાય તેવું કંઈ આજે વાંચ્યું છે? વિષયની તુચ્છતા લાગે તેવા વિચાર આજે કર્યા છે? નવ વાડથી વ્રતની રક્ષા કરવા પરમકૃપાળુદેવે કહ્યું છે, તેમાં કંઈ દોષ થયા છે? તેવા દે દૂર થઈ શકે તેમ હોવા છતાં પ્રમાદ કે મોહવશે આત્મહિતમાં બેદરકારી રહે છે? વગેરે વિચારેથી આત્મનિરીક્ષણ કરવું. પાંચમું પરિગ્રહ-લેભને વશ થઈ જીવને આજે કલેશિત કર્યો છે? પાંચ ઈન્દ્રિયમાંથી વધારે મૂછ ક્યા વિષયમાં છે? અને તેને પોષવા શું શું નવું સંગ્રહ કર્યું? મમતા ધન, ઘર, કુટુંબ આદિ ઉપરની ઓછી થાય છે કે વધે છે? પરિગ્રહ ઘટાડવાથી સંતોષ થાય તેમ છે? મન મોજશોખથી પાછું હઠે છે? બિનજરૂરિયાતની વિલાસની વસ્તુઓ વધે છે કે ઘટે છે? છ ક્રોધ - કોઈની સાથે અગ્ય રીતે કોઇ થયે છે? કોઈને કહેવાથી ખોટું લાગ્યું છે? કેઈ ઉપર રિસાવાનું બન્યું છે? વેરવિરોધ વગેરેના વિચાર ટૂંકામાં જોઈ જવા. સાતમે માન – પિતાની પ્રશંસા થાય તેવું બોલવું, ઇચ્છવું બન્યું છે? બીજાને અપમાન દીધું છે? વિનયમાં કંઈ ખામી આવી છે? વગેરે વ્યવહાર અને પરમાર્થે લક્ષ રાખી વિચારવું. - આઠમે માયા – કોઈને છેતરવા માટે વર્તવું પડ્યું છે? ઉપરથી રાજી રાખી સ્વાર્થ સાધવાનું કંઈ પ્રવર્તન થયું છે? કઈને ભેળવી લેભ આદિ વધાર્યો છે? નવમે લેભ – પરિગ્રહમાં પ્રાપ્ત વસ્તુમાં મમતા છે ને લેભમાં નવી ઈચ્છાઓ વસ્તુ મેળવવાની કરી હોય તે તપાસી જવી. દશમે રાગ – જેના જેને પ્રત્યે રાગ છે, તેમાં વૃદ્ધિ થાય છે? ઓછું થઈ શકે તેમ છે? પિતાને ગમતી ચીજો મળે ત્યારે પરમાર્થ ચૂકી જવાય છે? રાગ એ છે કરે છે એ લક્ષ રહે છે? વગેરે વિચારવું. અગિયારમે – ધ્રૂષ પણ તેમ જ. બારમે – કલહ થાય તેવું કંઈ બન્યું છે? તેરમે અભ્યાખ્યાન - કેઈને આળ ચઢાવવા જેવું વર્તન આજે થયું છે? ચૌદમે પશુન્ય – કેઈની નિંદા તેની ગેરહાજરીમાં થઈ છે? પંદરમે – રતિ-અરતિ ભાવે દિવસમાં કેવા ક્યાં ક્યાં થાય છે? સોળમે પર પરિવાદ- બીજાનું હલકું બોલવું કે નિંદા થઈ છે? સત્તરમે માયામૃષાવાદ– માયાથી જૂઠું બોલવું થયું છે? અઢારમે મિથ્યાત્વશય– આત્માને વિપરીત પણે માની લેવા જેવું કે કુસંગથી મારી ધર્મશ્રદ્ધા ઘટે તેવું આજે કંઈ બન્યું છે? અન્યધર્મીના ગે થયેલી વાત વિચારી જવી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #677 -------------------------------------------------------------------------- ________________ બેધામૃત અગાસ, તા. ૨૫-૭-૪૮ વેદનીયાદિ ચાર કર્મ વર્તે જહાં, બળી સીંદરીવત્ આકૃતિ માત્ર જે તે દેહાયુષ આધીન જેની સ્થિતિ છે, આયુષ પૂર્ણ મટિયે દૈહિક પાત્ર જો. અપૂર્વ ” આપ વેદનાથી કંટાળી ગયેલા જણાઓ છે અને વેદનાને અંતરાયકર્મ જેવું ગણે છે પણ તેમ યોગ્ય નથી. વેદનીય કર્મને બળ આપનાર મોહનીય કર્મ છે એટલે દેહાધ્યાસને લીધે વેદનીય કર્મ જેમ છે તેમ સમજાતું નથી. સમજણની ખામી છે ત્યાં સુધી એકને બદલે બીજું સમજાય છે. વેદનીય કર્મને દેહની સાથે સંબંધ છે અને મેહનીય કર્મ, દેહ પિતાને નથી તેને પિતાને મનાવે છે, તેથી દેહ પિતાને મનાયે ત્યાં દેહમાં જે થાય તે પિતાને થાય છે એમ મનાય છે. આત્મા અને દેહ બન્ને પદાર્થ ભિન્ન છે એવી દ્રવ્યદષ્ટિ થયે દેહના ફેરફારે કે અવસ્થાએ પિતાનાં મનાતાં નથી. પોતાને સ્વભાવ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યફચારિત્ર છે તેને બાધા કરનાર કારણે દુઃખરૂપ લાગે છે, પણ શરીરને બાધા કરનાર રેગાદિક આત્માને બાધા કરતા નથી, એમ જાણી મહામુનિઓ તેમાં ઉપેક્ષા કરે છે એટલે તેમાં તણાતાં નથી. ધર્મસાધનમાં શરીર પણ એક સાધન છે, એમ જાણી તેની સારવાર કરવા, દવા કરવા જરૂર પડવે પ્રયત્ન કરે, તે પણ લક્ષ બીજે છે. શરીર પ્રત્યે મમતા નથી, પરંતુ પરમાર્થનું સાધન જાણી તેમ કરે છે. જ્ઞાની પુરુષોએ વેદનાને અઘાતી કર્મ કહ્યું છે એટલે આત્મગુણને તે ઘાત કરી શકતી નથી. કેવળજ્ઞાન થયા પછી પણ વેદનાને ઉદય સંભવે છે. વેદનાની હાજરી આત્મગુણને કાંઈ બાધા કરતી નથી, પરંતુ કેટલે દેહાધ્યાસ છે તે વેદનાના અવસરે જણાય છે અને એ દેષ જાણ્યા પછી મુમુક્ષુછવ દેહાધ્યાસ ઓછો કરવા પ્રયત્ન કરે છે, કારણ કે – “છૂટે દેહાધ્યાસ તે, નહિ કર્તા તું કર્મ; નહિ ભક્તા તેહને, એ જ ધર્મને મર્મ.” ૭૭૦ અગાસ, તા. ૨૭-૮-૪૮ તત્ સત્ શ્રાવણ વદિ ૮, ૨૦૦૪ આ મનુષ્યભવ બહુ દુર્લભ છે. આયુષ્ય અપ અને જીવને વિધ્રો કલ્યાણનાં કારણોમાં ઘણું આવવા સંભવ છે માટે પ્રમાદ કર્તવ્ય નથી. ધર્મ ધર્મ જગતમાં સૌ કહે છે પણ ધર્મને મર્મ જાણનાર જગતમાં દુર્લભ છે. માટે જીવનું હિત કરવાની જેની ભાવના છે તેણે બને તેટલે સત્સંગ કરી ધર્મનું સ્વરૂપ સાંભળવું, વિચારવું, પૂછવું અને તેને માટે બેટી થઈ નિર્ણય આ ભવમાં કરી લે ઘટે છે. લોકે આપણને ધર્માત્મા કહે તેથી કલ્યાણ થવાનું નથી, પણ આપણે આત્માને સાચું શરણ મળે, સત્સાધન મળે અંતરથી શાંતિ પ્રગટે તે જ કલ્યાણ છે. માટે જગતની ચિંતા તજી, આત્માની કાળજી પોતાની શક્તિ પ્રમાણે અહોરાત્ર કર્તવ્ય છે. આ કલ્યાણ કરવાનો લાગ ફરી ફરી મળવો મુશ્કેલ છે એમ વિચારી, બીજી અડચણો દૂર કરી આત્મહિત સાધવા તત્પર થવું ઘટે છે. દેહની વ્યાધિના નિરંતર વિચાર કર્તવ્ય નથી, તેથી તે આર્તધ્યાન થાય; પણુ જ્ઞાનીપુરુષનાં વચનેમાં મન રોકશે તે ધર્મધ્યાન થશે. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #678 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૭૭૧ અગાસ, તા. ૨૭-૮-૪૮ પર્યુષણ પર્વ નિવૈર થવાને અર્થે છે. મુમુક્ષુએમાં એકબીજા પ્રત્યે ઊંચું મન રહેતું હોય તેમણે સાચા ભાવથી સામાના દોષોને ભૂલી જઈ પેાતાના દોષાની ક્ષમા, જેના પ્રત્યે દોષ થયા હોય તેની યાચવી, ફ્રી તેવા પ્રસંગ ન આવે તેવી સાવચેતી રાખવી. આમ કરે તેા નવા દોષો થવાના પ્રસંગ એછે થાય, માન ઘટે અને થયેલું વૈર પણ મટે; એવે લાભ આપનારું આ પર્વ છે. માટે હૃદયની શુદ્ધિ અર્થે, પરમકૃપાળુદેવ પ્રત્યે ભાવ વધવાને અર્થે અને માની પ્રભાવના થાય એવા લક્ષથી શ્રાવણ વદિ ૧૨ થી ભાદરવા સુદ્ધિ ૫ સુધી આઠ દિવસ ભક્તિભાવ, તપશ્ચર્યાં, વ્રત, નિયમ આદિ શુભ ક્રિયાએથી ઉલ્લાસભાવ વધે તેમ કવ્ય છેજી, જેમનાથી અને તેમણે આશ્રમના વાતાવરણના આવે પ્રસ`ગે લાભ લેવા ઘટે છે, તેમ ન બને તેા સરખે સરખા મુમુક્ષુએ મળી છૂટવાની ભાવનાથી ઉપર જણાવ્યા પ્રમાણે વર્તવા ચેાગ્ય છે. લીલેતરીને ત્યાગ, રાત્રિèાજનના ત્યાગ, બ્રહ્મચર્ય આદિ સદાચાર સેવવાયેાગ્ય છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૬૫૩ ૭૭૨ અગાસ, તા. ૪-૯-૪૮ ભાદરવા સુદ ૧, ૨૦૦૪ તત્ સત્ આપને પત્ર મળ્યા. પરમકૃપાળુદેવનાં વચને જે વાંચ્યાં હોય તેને વારવાર વિચાર કરવાથી વેદનાના વખતમાં ઘણી ધીરજ રહેવા સ`ભવ છેજી. પરભવમાં જીવે જેવું વાળ્યું છે, આંટા માર્યાં છે તેવા આંટા આ ભવમાં ઊકલતા જણાય છે. પરમકૃપાળુદેવની શ્રદ્ધાસહિત તેના ચરણમાં ચિત્ત રાખી વેદના ખમી ખૂંદવાનું જેટલું બનશે તેટલી સમાધિમરણની તૈયારી કરીએ છીએ એ ભાવના દૃઢ કરવા ચેાગ્ય છેજી. પરપ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમભેદ સુર ખસે; વહુ કેવલકો બીજ જ્ઞાની કહે, નિજકો અનુભવ ખતલાય દિયે.” ચિત્તને જ્ઞાનીપુરુષનાં વચનમાં રાકવું; તે જ પ્રિય લાગે, સ`સાર શરીર અને ભાગ પ્રત્યે ઉદાસીનતા રહે, શાતાનું માહાત્મ્ય મનમાં રહ્યા ન કરે, જે થાય તે ભલું માનવામાં આવે એવા અભ્યાસમાં મનને રાખવાથી ફ્લેશ નહીં જન્મે; આનદ રહેશે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૭૭૩ સુણવા યેાગ્ય સુસંતની, વાણી ધરૌં નહિ કાન, સ્મરવા યાગ્ય સુમંત્રનું, રહ્યું નહીં જો ભાન, કરવા ાગ્ય સુકાર્ય માં,નહીં પાથર્યાં પ્રાણ, સુંદર ધરોં નરદેહ તેા, શું સાચું કલ્યાણુ સંતતિશરામણ સદ્ગુરુ, કૃપાળુ ઢીનદયાળ, ? વંદુ વળો વળી ભાવથી, કરી અંજલિ નિજ ભાલ. અગાસ, તા. ૭-૯-૪૮ .........ની માંદગી લાંખી ચાલવાથી કટાળા જેવું લાગે, પણ પેાતાનાં જ કર્યાં પાતે ભાગળ્યા વિના છૂટકો નથી એમ વિચારી બને તેટલી સહનશીલતા વધારતા રહેવાની ભલામણ છેજી. આથી અધિક વેદના આવે તેપણ સહન કર્યાં વગર છૂટકો નથી. મરણની વેદના આથી Page #679 -------------------------------------------------------------------------- ________________ ૬૫૪ બેધામૃત અનંતગણી છે એમ જ્ઞાની પુરુષે કહે છે. તેને પહોંચી વળવા આજથી તૈયારી કરે તેને આખરે ગભરામણ ન થાય. ક્ષમા, ધીરજ, શાંતિ, સહનશીલતા એ ગુણે જેમ જેમ વર્ધમાન થશે તેમ તેમ સમાધિમરણની તૈયારી થશે. માટે માંદગી આવી પડે ત્યારે તે સમાધિમરણની તૈયારી જરૂર કરવી છે એવો નિશ્ચય કરવા યોગ્ય છે. મુનિવર ઉદીરણું કરીને એટલે જાણી જોઈને દુઃખ ઉત્પન્ન કરીને આત્મભાવના કરે છે. તે એવા આશયથી કે દુઃખના વખતમાં કે મરણ સમયે આત્મભાવના ખસી ન જાય. જેને વેદની આવી પડી છે તેણે યથાશક્તિ સહનશીલતા, ધીરજ આદિ ગુણ ધારણ કરી દેહથી પિતાનું ભિન્ન સ્વરૂપ વિચારી અસંગભાવને ભાવતાં ઘણી નિર્જરા થાય છે. સ્મરણમંત્રને અભ્યાસ પાડી મૂકવા જેવું છે. તેથી દેહ છૂટતી વખતે પણ પરમકૃપાળુ દેવ અને તેમણે આપેલા મંત્રમાં જ વૃત્તિ રહે તે સમાધિમરણ કરે છે. જીવ ધારે તે કરી શકે એમ છે. મનુષ્યભવ છે ત્યાં સુધી જ્ઞાની પુરુષની શિખામણ લક્ષમાં રાખી શકાય છે. ભવ બદલી ગયા પછી બધું ભૂલી જવાય છે. માટે કઈ પણ પદાર્થમાં મેહ નહીં રાખતાં, નિર્મોહી દશા, સમભાવના, આત્મભાવનામાં વિશેષ વિશેષ ઉપગ રહે તેમ પિતે કરવું. પિતાથી ન વંચાય તે બીજા પાસે તેવું વાંચન કરાવવું અને સાંભળવું. બનનાર છે તે ફરનાર નથી અને ફરનાર છે તે બનનાર નથી. માટે ભવિષ્યની ચિંતા નહીં કરતાં તથા મરણનો ડર નહીં રાખતાં મનુષ્યભવની જે ક્ષણે આપણને મહાપુણ્યથી મળી છે તે દરેકને સદુપયેગ થાય, જ્ઞાની પુરુષના આશ્રયે ગળાય તે પ્રકારે સાવધાનીથી વર્તવા ગ્ય છે. જ્ઞાની પુરુષને આશ્રયે આયુષ્ય હોય ત્યાં સુધી જીવવું છે અને અંતકાળે પણ તેમનું શરણ સુકાય નહીં તેવા પુરુષાર્થમાં રહેવું છે, એ નિશ્ચય કર્તવ્ય છે. “કઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી.” (૪૬૦) એમ પરમકૃપાળુદેવે જણાવ્યું છે તે લક્ષ રહ્યા કરે તેમ કરશે. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૭૭૪ અગાસ, ભાદરવા સુદ ૧૦, ૨૦૦૪ નિત્ય નવન ઉત્સાહથી, ધરજે પ્રભુનું ધ્યાન; સ્મરણ કરજે પ્રીતથી, તજી દેહ-અભિમાન. આપે પત્રમાં જે જે ભાવ દર્શાવ્યા છે તે વારંવાર વિચારી વૈરાગ્યની વૃદ્ધિ કર્તવ્ય છેજી. ખેતરમાં ખાતરની પેઠે વૈરાગ્યનું બળ જીવમાં હશે તેટલી જીવ પરમકૃપાળુદેવની આજ્ઞા આરાધી શકશે. બીજું પૂનામાં પરમકૃપાળુ પ્રભુશ્રીજીએ સર્વ મુમુક્ષુઓને પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ હાથ મુકાવી કહેવરાવેલું કે “સંતના કહેવાથી મારે પરમકૃપાળુદેવની આજ્ઞા માન્ય છે.” તે વારંવાર તમે ત્યાં એકઠા થતા હો ત્યારે વિચારશે. અને પરમકૃપાળદેવની આજ્ઞારૂપે વીસ દેહરા, ક્ષમાપનાને પાઠ, યમનિયમ, આત્મસિદ્ધિશાસ્ત્ર, છપદને પત્ર, મહામંત્ર વગેરેની પ્રાપ્તિ થઈ છે તે અહોભાગ્ય છે. તેમાં જેટલો પ્રેમ રાખીશ તેટલું મારું કલ્યાણ થશે. પરમકૃપાળુદેવ જે મારા ઉપર ઉપકાર કરનાર આ ભવમાં કોઈ નથી એ લક્ષ રહેશે તે તે મહાપુરુષોના ઉત્તમ ઉત્તમ ગુણ તેમના પત્રો વગેરેથી વાંચતાં તે પરમપુરુષની દશા વિશેષ વિશેષ સમજાશે અને તે પુરુષનું ઓળખાણ થયે અનંતાનુબંધી આદિ કર્મો દૂર થઈ સમ્યકત્વની પ્રાપ્તિ થવા યોગ્ય છે. આવો મહદ્ લાભ આ કાળમાં આ ભવમાં Page #680 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધી ૬૫૫ આપણને પ્રાપ્ત થવા ગ્ય છે એમ જાણી સંસારના સર્વ પદાર્થો કરતાં પરમકૃપાળુદેવ, તેમનાં વચને અને તે દ્વારા સમજી શકાય તેવી તેની આત્મદશા પ્રત્યે સર્વોત્તમ પ્રેમ પ્રગટે તેમ કર્તવ્ય છે). આ બધા માટે વૈરાગ્યની જરૂર છે). જગતના પદાર્થોમાં પ્રેમ છે તે ઉઠાવી પરમકૃપાળુદેવ પ્રત્યે ઢળ્યા વિના આ સંસારસાગર તરી શકાય તેમ નથીજી. “પ્રીતિ અનંતી પર થકી, જે તેડે હો તે જેડે એહ; પરમ પુરુષથી રાગતા, એકત્તા હે દાખી ગુણગેહ.” -શ્રીમદ્દ દેવચંદ્રજી આ પત્ર વારંવાર વાંચી, તેમાં જણાવેલ બીને શ્રદ્ધાને નિર્મળ કરનારી જાણી, તે પ્રકારે વૃત્તિને વાળવા આપ સર્વને નમ્ર વિનંતી છે. આ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૭૭૫ અગાસ, તા. ૧૨-૯-૪૮ સુખદુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં, ટાળ્યાં તે કેઈનાં નવ ટળે, રઘુનાથના જડિયાં. પૂ...ની માંદગી સંબંધી જાણ્યું. સાથે ભક્તિ કરવાનું બને તેટલું રાખશે. મંત્ર-સ્મરણ કરવાને વધારે અભ્યાસ પાડે એવી ભલામણ છે. શરીરના કારણે પહેલાંની પેઠે ભક્તિ ન થતી હોય, તે કારણે ક્લેશિત થવું યોગ્ય નથી. બને તેટલું કરી છૂટવું અને ન થાય તે ભાવના કરવી કે હે ભગવંત, વ્યાધિ-પીડાને લઈને મારાથી કંઈ બનતું નથી. પણ અહોરાત્ર તમારા કહેલા રસ્તામાં હું રહું એવી મારી આકાંક્ષા ને વૃત્તિ થાઓ એવી ભાવના રહ્યા કરે એ પણ ભક્તિ છે. બને તેટલી જ્ઞાની પુરુષની કહેલી આજ્ઞા ઉઠાવવી, એટલે વીસ દેહરા, ક્ષમાપનાને પાઠ, યમનિયમ, મંત્રનું સ્મરણ વગેરેમાં વૃત્તિ રાખી, જેટલી આજ્ઞા ઉઠાવાય તેટલું આત્માનું હિત છે એમ ગણી સંતેષ રાખે; અને આનંદ માનવે કે મનુષ્યભવ છે ત્યાં સુધી આ બને છે. દેહ છૂટી ગયા હોત તે આટલી પણ ભક્તિ ક્યાંથી થાત? એમ વિચાર રાખે, પણ ખેદ કરવા યોગ્ય નથી. ખેદ નહીં કરતાં શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં, મોક્ષપાટણ સુલભ જ છે.” (૮૧૯) ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૭૭૬ અગાસ, તા. ૧૩-૯-૪૮ યથાશક્તિ પરમકૃપાળુદેવે જણાવ્યા પ્રમાણે પરિણતિ સુધારવા તરફ લક્ષ આપતા હશો. ગમે તે પ્રવૃત્તિ કરવી પડે તે પણ પરમકૃપાળુદેવ પ્રત્યે લક્ષ રહ્યા કરે તેમ કર્તવ્ય છેજી. પરમકૃપાળદેવનું સ્વરૂપ સમજવા તેમના વચનને ઊંડો અભ્યાસ કર્તવ્ય છે. તે પરમપુરુષની દશા સમજવા માટે વૈરાગ્ય અને ઉપશમની વૃદ્ધિ કરવી, તેની ભક્તિમાં જોડાવું ઘટે છે. વધારે વખત ન હોય તે એકાદ વચન ભક્તિ કર્યા પછી વાંચવું, પાંચ દશ મિનિટ વિચારવું અને તેમાં જણાવેલા ભાવ દિવસમાં ઘણી વખત યાદ આવે તેમ કરવા યોગ્ય છે. રોજ એક એક વાક્ય પણ યથાર્થ વિચારાશે, તેની ભાવના આખો દિવસ રહ્યા કરશે તે કલાકના કલાકે વાંચ્યા કરતાં વિશેષ લાભ થવા યોગ્ય છે. તેટલું પણ ન બને તે મંત્રમાં ચિત્ત વારંવાર રહ્યા કરે અને પરમકૃપાળુદેવને ઉપકાર સાંભર્યા કરે તેમ કર્તવ્ય છે”. “તમારા Page #681 -------------------------------------------------------------------------- ________________ ૬૫૬ બાધામૃત કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ” આટલું થાય તે જીવ ઘણે ઊંચે આવે. “આપ સમાન બળ નહીં ને મેઘ સમાન જળ નહીં” એ કહેવત પ્રમાણે પરમકૃપાળુની કૃપાથી જે જે આજ્ઞા મળી છે તે સાધન વડે આત્માને જાગ્રત કરે, જાગ્રત રાખે એગ્ય છેજ. છ શાંતિઃ શાંતિઃ શાંતિઃ - તા. ૨૨-૯-૪૮ પરમકૃપાળુદેવ પ્રત્યે પરમ પ્રેમ પ્રગટે અને અન્ય વિચારેનું વિસ્મરણ થાય એમ ભાવના કર્તવ્ય છે. તે પરમ પુરુષે આત્મા જાણે છે તે માટે માન્ય છે. તેની હા એ હા અને તેની ના એ ને એમ દઢ મતિ કર્તવ્ય છેજ. સ્મરણમાં ચિત્ત વિશેષ રહે તે હિતકારી છે. ૩% શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૭૭૭ ૭૭૮ અગાસ, તા.૬-૧૦-૪૮ આ સુદ ૪, ૨૦૦૪ આપ બન્ને ભાઈઓના પત્રો મળ્યા છે. ઉત્તરમાં જણાવવાનું કે “બ્રહ્મા દુહાં પૂ. પ્રભુશ્રીજી વારંવાર કહેતા, તે શ્રદ્ધાની નિર્મળતા અર્થે આ * વટામણવાળ પત્ર આપને બીડું છું તે વાંચી પરમકૃપાળુદેવ પ્રત્યે જ ગુરુભાવ થાય અને વર્ધમાનતાને પામે તે અર્થે રોજ એ પત્રનું વાંચન કરશો અને બને તે આ પત્ર બને છેડે થડે કરીને મુખપાઠ કરી લેશેજ. તેમાં કષાયની મંદતા, સમતા, શ્રદ્ધાનું જણાવ્યું છે. કર્મને આધીન ધનની કમાણી વગેરે છે પણ ધર્મની કમાણી સપુરુષાર્થને આધીન છે. માટે જેને શ્રદ્ધા કરવાને વેગ મળે છે તેણે તે પરમકૃપાળુ જ્ઞાનીની આજ્ઞામાં જ લક્ષ રાખી વર્તવાને નિશ્ચય કર્તવ્ય છે. “મોક્ષમાળા'માંથી “પ્રત્યાખ્યાન” અને “પરિગ્રહને સંકોચવો એવા બે પાઠ છે તે પણ કાળજી રાખી વાંચતા રહેશો તથા આપનાથી બને તેટલા વિચારી તેમાંથી જે ભાવ સમજાય તે પ્રમાણે પરમકૃપાળુદેવની સાક્ષીએ વર્તન કરવા ગ્ય છેજી. નકામા વિકલ્પમાં મનને રોકવાથી માત્ર કર્મ બંધાય છે. માટે મંત્ર-સ્મરણમાં મનને રોકવાને નિશ્ચય કરી તે પ્રમાણે વર્તાય તેમ કર્તવ્ય છેજ. પ. પૂ. પ્રભુશ્રીજી સંકલ્પ-વિકલપને ઉપાય નીચે પ્રમાણે કહેતા-- * “એક શ્રદ્ધા કરવા ગ્ય છે. પછી તેને કંઈ ફિકર નથી.” આ શિખામણ પ્રમાણે અભ્યાસ કરવા ભલામણ છે. આ પત્ર બધા વાંચશે, વિચારશો અને બને તેટલું આચરણમાં મૂકશે તે તે શાંતિનું કારણ છેજી અગાસ, તા. ૭–૧૧–૪૮ તત છે. સત્ કાર્તિક સુદ ૬, રવિ, ૨૦૦૫ આપનું કાર્ડ મળ્યું. સત્સંગના વિયેગે શિથિલતા આવે છે એમ લખો છે તે ગ્ય છે જી.પણ યથાશક્તિ પુરુષનાં વચનને પ્રત્યક્ષ સપુરુષતુલ્ય જાણી આરાધવાથી તે સત્સંગની ગરજ સારે છે તથા આપણા જેવા છૂટવાની કામનાવાળા કે સત્સંગની વિશેષ ભાવનાવાળા હોય તેમને મળી દિવસમાં અમુક વખત કે બે-ચાર દિવસે પણ એકત્ર થવાનું ધારે તે બની * જુઓ ઉપદેશામૃત પત્રાવલિ ૧-૧૫૦ + જુઓ પત્રસુધા પત્ર નં. ૨૩૮ (ઉપદેશામૃત પૃષ્ઠ ૩૩૮) Page #682 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૬૫૭ શકે તેમ છેજ. પરસ્પરના સહવાસથી મુમુક્ષતા હોય તે વર્ધમાન થાય, સપુરુષના ગુણગ્રામથી પરમ પુરુષ પ્રત્યે પ્રેમભાવ વધે આદિ અનેક કારણે જીવને નિર્મળ વિચારોની પ્રેરણું થવાનું બને. કંઈ ન બને તે સ્મરણ અને નિત્ય નિયમ અપ્રમત્તપણે આરાધવા યોગ્ય છેજી. શ્રદ્ધા એ જ સર્વ ગુણે પ્રગટવાનું મૂળ છે. પરમકૃપાળુદેવનું શરણ મરણપયત અચળ ટકાવી રાખવું ઘટે છે. » શાંતિઃ અગાસ, તા. ૨૧-૧૧-૪૮ સ્વપ્ન જેવા આ સંસારમાં કંઈ સાથે આવનાર નથી. મનુષ્યભવને પૈસા અર્થે વ્યર્થ ગાળી દેવા યોગ્ય નથી. બચે તેટલે વખત બચાવી અપ્રમાદપણે જ્ઞાનીની કોઈ પણ અલ્પ આજ્ઞા પણ ઉઠાવશે તેનું મહદ્ ફળ પ્રાપ્ત થશે, તે કહી શકાય તેવું નથી. તે આ જગતની જૂઠી રેશનીમાં અંજાઈ ન જતાં દરરોજ મરણને વિચાર કરી જ્યાં સુધી તે પળ આવી પહોંચી નથી ત્યાં સુધી સ્મરણભક્તિને લહા લઈ લેવા યોગ્ય છે. આવી સામગ્રી ફરી ફરી મળવાની નથી, માટે ૫. પૂ. પ્રભુશ્રીજી કહેતા તેમ લૂંટમલ્ટ લાભ લઈ લે. આત્મહિતમાં જાગ્રત જાગ્રત રહેવું ઘટે છે. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૭૮૧ અગાસ, તા. ૨૪-૧૧-૪૮ પરમકૃપાળુદેવ પ્રત્યે જેનું હૃદય સંતના કહેવાથી દઢ ભક્તિભાવવાળું બન્યું છે તેવા મુમુક્ષુજનના સમાચાર પણ તે પરમપુરુષની સ્મૃતિ આપે છે. આ ભવ એક પરમકૃપાળુદેવની ભક્તિ અર્થે જ ગાળ છે, એ જેને નિશ્ચય છે અને જગતનું માહાભ્ય જેના હૃદયમાં રહ્યું નથી, પરદેશી પંખીની પિઠે સપુરુષના વિશે તેની સ્મૃતિ અને વચનના આધારે જે કાળ ગાળે છે તેવા વિરહી ભક્તોની ચરણરજ મસ્તકે ચઢાવવાની ભાવના રહે છેજી. ૩% શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૭૮૨ અગાસ, તા. ૨૯-૧૧-૪૮ જ્ઞાની કે અજ્ઞાન જન, સુખદુઃખ રહિત ન કેય; જ્ઞાની વેદે હૈર્યથી, અજ્ઞાની વેદે રેય.” – શ્રીમદ્ રાજચંદ્ર આપે પત્રની માગણી કરી તેના ઉત્તરમાં જણાવવાનું કે “પરમ શાંતિપદને ઈચ્છીએ એ જ આપણો સર્વસમ્મત ધર્મ છે.” (૩૭) એમ પરમકૃપાળુદેવે જણાવ્યું છે, તથા શ્રી રામ, પાંડ અને શ્રી ગજસુકુમારના દુઃખનું દષ્ટાંત આપી, આપણું દુઃખને કંઈ હિસાબ નથી એમ સૂચવ્યું છે તે વારંવાર લક્ષમાં લેવા ગ્ય છે. શરીરના દુઃખમાં બીજું કઈ પ્રત્યક્ષ નિમિત્ત દેખાતું નથી એટલે ત્યાં સમભાવ રહે સહેલ છે પરંતુ “આ મને કલેશનું તથા દુઃખનું નિમિત્ત છે એમ દેખાય છે ત્યાં સમતા રહેવી મુશ્કેલ પડે છે. તે પણ મુમુક્ષુ જીવે તે જે અઘરું હોય તેમાં પણ પરમકૃપાળુદેવની પરમ કૃપા સમજી, આથી મને વિશેષ લાભ થવા સંભવ છે એમ વિચારી, વિશેષ વીર્ય ફેરવી પરના દેષ. નહીં જોતાં પિતાને એવું નિમિત્ત ઉપકારી છે એવું જાણી, તેના પ્રત્યે દ્વેષ ન થવા દેતાં ઉપકારબુદ્ધિ રાખવી અને 42 Page #683 -------------------------------------------------------------------------- ________________ ૬૫૮ બધામૃત મારું ત્રણ પતે છે એવી મનમાં દઢતા રાખવી. આપણે તે પામર છીએ, પરંતુ પરમકૃપાળુદેવ જેવા સમર્થ પુરુષોએ પણ આંખ વડે રેતી ઉપાડવા જેવું કામ દેવું પતાવવા માટે કરતાં છતાં, અન્યનું ભલું કેમ થાય એ વિચારણું રાખી છે. તે જ માર્ગે આપણે પણ ચાલવું ઘટે છેજ. સંકટમાં પણ ચિત્તપ્રસન્નતા ચૂકી જવાશે તે અત્યારે નથી ગમતાં તેવાં કે તેથી વધારે ભારે કર્મ બંધાવા સંભવ છેછે. માટે સ્પેશિત થયા સિવાય હસતે મોઢે દેવું પતાવવું છે. એ જ કર્તવ્ય છે. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૭૮૩ અગાસ, તા. ૪–૧–૪૯ “કલ્યાણકારી ગુરુકૃપા, વરસો નિરંતર અંતરે, શાંતિ સમાધિ ધૈર્ય કેરા, અંકુર ઊગે ઉરે; રાગદ્વેષની દાહ સહુ, દૂર હે અમારી આજથી, કૃપાદષ્ટિ સંતની હે, સર્વ પર ઉલાસથી. સ્વમો સમા ભણકાર જૂના, મંત્રની ધૂનથી જશે; પુરુષાર્થ ને ગુરુગબળથી, સર્વ હિતકારી થશે.” અશાતા વેદનીયને સંજોગ જોઈ મુમુક્ષુ જીવને સહજ વૈરાગ્ય રહેવાનું કારણ છે, તે પણ વિશેષ વેદનાને વખતે કે લાંબી માંદગી હોય તે કંટાળે આવી જવાનું તેમ જ આર્ત ધ્યાન થવાનું કેઈ વખતે બને એ સંભવ છે. માટે એવા પ્રસંગમાં જ્ઞાની પુરુષની આજ્ઞા તથા તેમનાં વચને વારંવાર લક્ષમાં રહે તે પુરુષાર્થ કરવાની ભલામણ જ્ઞાનીપુરુષ કરતા આવ્યા છે, તે લક્ષમાં રાખવાગ્યા છે. પોતાની ઈચ્છા પ્રમાણે અનુકૂળ સામગ્રી મળતી રહે અને વિદ્ગો ન આવે તેવા પુણ્યના ઉદયમાં વૈરાગ્ય રહેવું મુશ્કેલ છે, એમ વિચારી સમજુ પુરુષે વેદનાદિ પ્રતિકૂળ પ્રસંગને હિતકારી માને છે. પરમકૃપાળુદેવે જીવના અનંત દેષમાંથી મેટો દોષ એ બતાવ્યા છે કે જીવને તીવ્ર મુમુક્ષુતા ઉત્પન્ન થતી નથી કે મુમુક્ષુતા જ ઉત્પન્ન થતી નથી, એટલે મુમુક્ષુતાના અભાવમાં બુભુશ્રુતા (ભેગની ઈરછા) નામને મોટો દેષ હોય છે. મુમુક્ષતા ઉત્પન્ન થવા માટે આ દેષને ટાળવાની જરૂર છે, એટલે વારંવાર હૃદયમાં વિચાર કરવા લાગ્યું છે કે વૃત્તિઓ ભેગ તરફ રહે છે કે ભેગના કારણમાં મૂંઝાય છે? એ તપાસ વારંવાર કરવામાં આવે તે દેષ દેષરૂપે લાગે અને મેહની મીઠાશ ઓછી થઈ મુમુક્ષતા યથાર્થ રીતે વધે. “પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદ્દગુરુ પાય, દીઠા નહિ નિજ દેણ તે, તરિયે કોણ ઉપાય ?” – શ્રીમદ્ રાજચંદ્ર હરિ પ્રત્યે અખંડ લય લાગવી એને પરમકૃપાળુદેવ વૈરાગ્યદશા કહે છે. તેવી ભાવના ભાવવાથી સાચી વૈરાગ્યદશા સમજાય અને પ્રગટે તે આ મનુષ્યભવ સફળ થવાનું બને. પરમ કૃપાળુદેવના વચને વાંચવા કે સાંભળવાનું વારંવાર બને તે વેદનાને કાળ આર્તધ્યાનમાં જવાને બદલે, ધર્મધ્યાનમાં ગળાય. તેમ ન બની શકતું હોય તે મંત્રસ્મરણમાં દિવસને ઘણે ભાગ વ્યતીત થાય તેમ કર્તવ્ય છેy. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #684 -------------------------------------------------------------------------- ________________ પત્ર સુધા ૬૫૯ ૭૮૪. અમાસ, તા. ૨૩-૧-૪૯, રવિ બાળ મે ઓળખે બાપને, તેમ આ જીવ સ્વભાવ; પિતૃવત્ પરમકૃપાળુ પર, ધરે અહર્નિશ ભાવ. સત્ય વિનયયુક્ત બોલજે, નવ જેશા પર દેવ; સ્વદોષ સર્વે ત્યાગજે, તેથી થશે સતેલ, પ્રગટ પર દેહાદિકા, મૂઢ કરત ઉપકાર; મુઝવતી એ ભૂલ, તજ કર નિજ ઉપકાર. અહીંના સમાચારની હવે તમારે કંઈ જરૂર નથી. પ્રારબ્ધ અનુસાર જ્યાં રહેવું થાય ત્યાં બને તેટલું જગતનું વિસ્મરણ કરી, પરમકૃપાળુદેવે પ્રગટાવેલું સહજાન્મસ્વરૂપનું રટણ રહે, તે દશાની પોતાને યથાર્થ ઓળખાણ થાય તેટલી નિર્મળ વૃત્તિ થવા ભક્તિભાવ વધારતા રહેશો. દેહાદિ પ્રત્યે જેટલે ઉદાસભાવ રહેશે અને વિષયેની ભીખ ટળી જેટલે સંતેષ અને સહનશીલતા વધશે તેટલી આત્મદશાં પ્રગટ થશે જેને પરમપ્રેમ કરવાનું સાધન મળ્યું છે તેણે તે પિતાના દોષ દેખી, દોષ ટાળવાને પુરુષાર્થ કર્તવ્ય છે. શું કરવાથી પિતે સુખી? શું કરવાથી પિોતે દુખી? પતે શું ? કયાંથી છે આપ? એને માગે શીધ્ર જવાપ.” (૧૦૭) આ લક્ષ રાખવાને છે. પારકી પંચાત છેડી, આ આત્માની શી વલે થશે એ વિચારી, પિતાની દયા ખાવા જેવું છે. # શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૭૮૫ અગાસ, તા. ૨૦-૨-૪૯ રે મન ! આ સંસારમાં, દુઃખથી તું ન હરીશ સમ શમશેર વર્ક કરી, ધાર્યું તે જ કરીશ.” વિ. પત્ર મળે. કંઈ ફિકર કે શોક કરવા જેવું જરાતમાં કશું નથી. અહીં સર્વ કુશળ છે. વહેમમાં, અનર્થક વિચારમાં જતા મનને સમરણ, ભક્તિ દ્વારા રોકવું ઘટે છે. અત્યારે જે કામ હાથમાં લીધું છે તે પૂરતું મંથન કરવું. જે વસ્તુ આવી પડી નથી તેની ચિંતા અને તે સંબંધી સલાહની ઈછા નિવૃત્ત કરવા ગ્ય છે. રિઝલ્ટ જણાયા પહેલાં કયાંય નિર્ણય કરી ન દે એ હિતકારક સમજાય છે. એક રીતે બનનાર તે ફરનાર નથી અને ફરનાર છે તે બનનાર નથી એમ ગણી તુર્ત કરવા યોગ્ય કાર્યમાં મંદતા ન આણવી. આગળ ઉપર થનાર છે તે થઈ રહેશે. કશું કરવું નથી. જે પ્રસંગે આવે તે સમભાવની ભાવના વધારી છે તે પ્રસંગે ઘટતું કરી છૂટવું છે– મૂંઝાવું તે નથી જ. 8 શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૭૬ અગાસ, તા. ૨૧-૨-૪૯ આપને પત્ર મળે. વાંચી સંતેષ થયે છે. તમે ભક્તિ કરે છે અને ભક્તિ અર્થે આયુષ્ય નિર્દોષપણે ગાળવા બ્રહ્મચર્ય સહિત સદ્ગુરુશરણે જીવવા ઈચ્છે છે તે જાણી નિસ્વાર્થપણે આનંદ થયેલ છે. આ કાળમાં જગતના સુખને ન ઈચ્છતા હોય તેવા ચેડા જ ભાગ્યશાળી Page #685 -------------------------------------------------------------------------- ________________ બેધામૃત જીવે છે. અત્યારના ભાવ સત્સંગને વેગ હોય તે ટકી શકે અને વધી શકે નહીં તે ઘણું જીવો સાધુપણું લઈને પણ પાછા લગ્ન કરે છે. માટે વૈરાગ્ય વધે તેવું વાંચવું, વિચારવું અને સત્સંગને વેગ મળે તેમ ભાવના કરતા રહેવા યોગ્ય છે . લગ્ન નહીં કરવાની તમારી ભાવના સારી છે. તેને પિષણ મળે તે અર્થે દિવસમાં એકાદ કલાક ભક્તિ અને એકાદ કલાક વાંચન, વિચાર, સત્સંગ આદિની જરૂર છે. હાલ તમે પરાધીન હો તે ભક્તિ ઉપરાંત તત્ત્વજ્ઞાન, સમાધિ પાન, મોક્ષમાળા આદિ વૈરાગ્યપષક પુસ્તકે બચતા વખતમાં વાંચવાનાં રાખશે, અને મંત્રસ્મરણ અવારનવાર કરતા રહેશો. રૂબરૂમાં મળશે ત્યારે પૂછશો તે કંઈક વિશેષ સૂચના જણાવી શકાશે. હાલ એ જગ્યતા વધારતા રહેશે. ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૭૮૭ અગાસ, તા. પ-૩-૪૯, રવિ પ્રારબ્ધ પ્રમાણે જેવા સંજોગે મળી આવે તેથી સંતેષ રાખી વર્તવું. તીર્થભૂમિમાં રહેવાને ઉત્તમ વેગ પુણ્યગથી બની આવ્યું છે અને નિવૃત્તિનું ક્ષેત્ર છે તે ભક્તિભાવ અને પરિણામની શુદ્ધિ થાય તે લક્ષ રાખી સ્વાધ્યાય આદિમાં અપ્રમત્ત રહેવા ભલામણ છે જી. ગમે તેવું રહેવાનું સ્થળ હોય અને ગામમાં બધે આહારપાણી માટે ફરવું પડે તેમ હોય તેની અગવડ ન ગણતાં આત્મપ્રફુલ્લિતતાથી ઘણાં કર્મની નિર્જરા થવાનો સંભવ છે એમ માની દુઃખને પણ સુખરૂપ માનવું. ચોમાસાને હજી ઘણી વાર છે. જ્યાં પરિણામ વર્ધમાનપણને પામે તેવા સ્થળમાં ચોમાસું પણ ગ્ય છે. તમે વિચારવાની છે એટલે આત્મહિત તરફ લક્ષ રાખી દિવસો જાય તેમ કર્તવ્ય છે. નિમિત્તાધીન વૃત્તિ છે ત્યાં સુધી સારાં નિમિત્તોને ખપ કરે. સગવડતા તરફ લક્ષ ન રાખ. | # શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૭૮૮ અગાસ, તા. ૬-૩-૪૯ “શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજ રૂપ; નથ લઘુતા કે દીનતા, શું કહું પરમ સ્વરૂપ” આ અશરણ સંસારમાં અનંતકાળથી જીવ પરિભ્રમણ કરી રહ્યો છે. બંધનનાં કારણે માં જ તેને પ્રીતિ વર્તે છે તેથી તેનું માહાસ્ય એટલું બધું લાગે છે કે છૂટવાનાં કારણરૂપ સતસાધનની પ્રાપ્તિ થયા છતાં તેની અપૂર્વતા હૃદયમાં રહેતી નથી અને તુચ્છ વસ્તુઓમાં અમૂલ્ય મનુષ્યભવને વખત વહ્યો જાય છે. ખાવાનું ન મળ્યું હોય તે ગમે તેટલી મહેનતે પણ તે પ્રાપ્ત કરે છે, ઊંઘવાનું ન મળ્યું હોય તે તેનાં સાધનો માટે પણ પરિશ્રમ ઉઠાવે છે, પરંતુ પરભવને માટે કંઈ કરવા જાય ત્યાં પ્રમાદ નડે છે. કારણ કે તેની અપૂર્વતા સમજાઈ નથી. જ્ઞાનીપુરુષનાં વચનોથી જીવને વૈરાગ્ય આવે તે આ બધાં કુટુંબનાં કે દેહાથનાં કાર્યો તેને ઠરૂપ લાગે, તેમાં કંઈ મીઠાશ ન રહે. ક્યારે છૂટું, જ્યારે છૂટું એમ મનમાં થયા કરે. જે પ્રારબ્ધાધીન મળી રહે તેમાં સંતેષ રાખી સત્સાધન આરાધવાની ચટપટી જાગે. પરંતુ વૈરાગ્યની ખામી છે. જગત અને જગતનાં કાર્યોને સાચાં માન્યાં છે, તથા અત્યારે નહીં કમાઈએ તે આગળ ઉપર શું વાપરી શકીશું, એમ રહ્યા કરે છે. તે બધા લૌકિક ભાવે સ્વ સમાન છે તેને અસત્ય જાણું આત્મહિત જે આ ભવમાં ન સાધ્યું તે પછી કયા ભવમાં આ સુગ Page #686 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા બનશે? માટે “જે થાવું હોય તે થાજે રૂડા રાજને ભજીએ” એમ દઢ કરી એકાદ કલાક જરૂર આત્મ-આરાધનામાં મન પરોવીને ગાળ છે, એમ કર્યા વિના જીવની શિથિલતા ઘટે તેમ નથી. દિવસે વખત ન મળે તે રાત્રે ઊંઘ ઓછી કરીને કે ઓછું ખાઈને, ઉપવાસ કરીને પણ ભક્તિ ન થઈ હોય ત્યાં સુધી ચેન ન પડે એવી ટેવ પાડવી ઘટે છેજ. ઉપશમ, વૈરાગ્ય, ત્યાગ અને ભક્તિ સહજ સ્વભાવરૂપ કરી દેવાની પરમકૃપાળુદેવની ભલામણ છે, નહીં તે મુમુક્ષુપણું ટકવું મુશ્કેલ છે. જેને આ મનુષ્યભવની દુર્લભતા સમજાઈ હોય, અને દોષ દેખી દોષ ટાળવા પુરુષાર્થ કરે અને મહિને ઘટાડે તેને મુમુક્ષુ ગણવા ગ્ય છે. પરમકૃપાળુદેવ લખે છે કે “આત્મા સમય સમય ઉપયોગી છતાં અવકાશની ખામી અથવા કામના બેજાને લઈને તેને આત્મા સંબંધી વિચાર કરવાનો વખત મળી શકતું નથી, એમ કહેવું એ પ્રાકૃતજન્ય લૌકિક વચન છે. જે ખાવાને, પીવાને, ઊંઘવા ઈત્યાદિને વખત મળ્યો ને કામ કર્યું તે પણ આત્માના ઉપયોગ વિના નથી થયું, તે પછી ખાસ જે સુખની આવશ્યકતા છે, ને જે મનુષ્યજન્મનું કર્તવ્ય છે, તેમાં વખત ન મળે એ વચન જ્ઞાની કંઈ કાળે સાચું માની શકે નહીં. એનો અર્થ એટલો જ છે કે બીજાં ઈન્દ્રિયાદિક સુખનાં કામો જરૂરનાં લાગ્યાં છે, અને તે વિના દુઃખી થવાના ડરની કલ્પના છે. આત્મિક સુખના વિચારનું કામ કર્યા વિના અનંત કાળ દુઃખ ભેગવવું પડશે, અને અનંત સંસાર ભ્રમણ કરવો પડશે એ વાત જરૂરની નથી લાગતી !”(વ્યાખ્યાન સારઃ ૨-૩૦) એ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૭૮૯ અગાસ, તા. ૧૨-૩-૪૯ ના નિર્મળ તેની દશા, જેને હરિ હદયમાં વસ્યા, પિતાના અવગુણને હણે, પરના તે હૃદયે નવ ગણે; કોના દોષ ન દેખે કશા, નન્ના નિર્મળ તેની દશા.” સુખકી સહેલી હૈ અકેલી ઉદાસીનતા; અધ્યાત્મની જનની તે ઉદાસીનતા.” આપનાં બને કાર્યો મળ્યાં છે, વાંચી સમાચાર જાણ્યા છે. આપને એવી વાત જાણવાજણાવવાની હેશ રહે છે તે હવે વિલય થાય તેમ કર્તવ્ય છે. નિરંતર ઉદાસીનતાને ક્રમ સેવવા પરમકૃપાળુદેવે જણાવ્યું છે તે મથાળે લખેલી કડીઓ વિચારીને, “સમજ્યા તે સમાઈ ગયા” એ વાક્યને સફળ કરવા પુરુષાર્થ કરશે. “અબ તે મેરે રાજ રાજ દૂસરા ન કેઈ; સાધુસંગ બૈઠ બૈઠ કલાજ ખાઈ.” જગતને પ્રવાહ માટે ભાગે આવે ને આ જ વહે છે. શ્રી મહાવીરના સમયમાં શાલા આદિના શિષ્ય સત્યમાર્ગ કરતાં પણ વિશેષ હતા અને તેને ભગવાન માનીને શ્રી વીર પરમાત્મા પ્રત્યે પણ વિમુખ રહેતા; તે આવા કાળમાં આમ હોય એમાં નવાઈ નથી. પ. પૂ. પ્રભુશ્રીજીને અનંત ઉપકાર છે કે તેમણે આવા કપ્રવાહમાં તણાતા આપણને બચાવ્યા છે, નહીં તે આપણું ગજું નથી કે ન તણાઈએ. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #687 -------------------------------------------------------------------------- ________________ ६९२ બેધામૃત ૬૦. અગાસ, તા. ૧૫-૩-૪૯ “મનને શોધી પ્રેમથી કરજે અતિ નિર્દોષ અનન્ય ભક્તિ દઢ કરી, પામ બહુ મતેષ, નાન વૈરાગ્ય વધારજો, ભજજે જગદાધાર મન ઇંદ્રિય વશ રાખજે, તજજે સ્થૂલ વિચાર.” આપને પત્ર પ્રાપ્ત થયું. વાંચી સમાચાર જાણ્યા છેજ. ધર્મધ્યાત તરફ વૃત્તિ સારી રહે છે એમ જાણી સંતેષ થયે છેજ. અનાદિકાળની વાસનાઓ ધુમાડાની પેઠે આપે આપ સ્ફરી આવી જીવને ધર્મધ્યાનમાં વિશ્વ કરે છે તેવે વખતે પરમકૃપાળુદેવનું શરણુ, તેમની નિર્વિકાર મુખમુદ્રા અથવા પ. પૂ. પ્રભુશ્રીજીનું સ્મરણ, તેમને પરમ ઉપકાર આદિ ભૂતકાળના સમાગમમાં વૃત્તિ વાળવાથી જીવને બળ ખુરી શાંતિ થવા યોગ્ય છે. કોઈ વખત કર્મની વિશેષતાને લીધે વારંવાર વિક્ષેપ થયા કરે તે આત્મનિંદા કરી કર્મ બંધાશે તેનાં ફળ કેવાં ઉદય વખતે દુઃખ દેશે તેને ચિતાર મનમાં ખડો કરવાથી કમબળ મંદ પડે અને ધર્મધ્યાનમાં વૃત્તિ જોડાય. તેમ છતાં મન ન ગાંઠે તે તેવી પ્રવૃત્તિમાં મારું બળ કંઈ ચાલતું નથી, માટે હે પ્રભુ! આપનું જ એક શરણ છે એવી પ્રાર્થના દીનપણે પરમકૃપાળુદેવ પ્રત્યે કરવી અને મને કહેવું કે તારે જે કરવું હોય તે કર, હું તે માત્ર જોયા કરીશ. એવી વૃત્તિ રા...ને દ્રષ્ટા તરીકે રહેવું, પણ કર્મના ઉદયમાં મીઠાશ માનવી નહીં. બીજું, નિયમ કરતાં પહેલાં વૃત્તિ બળવાન કરવાને અભ્યાસ કર્તવ્ય છે. અભ્યાસ થયા પછી નિયમ પરમકૃપાળુદેવની સાક્ષીએ લે ઘટે છેછે. અભ્યાસને માટે એક દિવસ કે રાત્રિ અથવા અમુક પ્રહર પણ રાખી શકાય. પિતાની શક્તિ ઉપરાંત નિયમ ન લે અને જેટલી શક્તિ હોય તેની વૃદ્ધિ થતી રહે તે પુરુષાર્થ કરે. મેક્ષમાળામાં “જિતેન્દ્રિયતા અને પ્રત્યાખ્યાન' નામના બે પાઠ છે તે લક્ષ રાખીને વાંચવાથી માર્ગદર્શકરૂપ થાય તેવા છે. “ખેદ નહીં કરતાં શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં મોક્ષપાટણ સુલભ જ છે.”(૮૧૯) # શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૩૦-૩-૮૯ ૭૯૧ “જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય, ઉત્તમ જહુ વિચાર; એ ભાવે શુભ ભાવના, તે ઊતરે ભવપાર.” (૧૫) આપને પત્ર આજે મળે છે. વાંચી સમાચાર જાણ્યા છે. નાહિંમત થવા જેવું નથી; આપણાથી થાય તેટલું કરી છૂટવું. તબિયત સારી ન હોય તે કારણે મુલતવી રાખવું પડતું હોય તે વાંધે નથી, પરંતુ સારું પરિણામ આવે એવી આશાએ મુલતવી રાખવા ગ્ય નથી. “ગ્યેવાધિકા તે મા નુ કાચન ” એમ વિચારતાં આ પરીક્ષાને પ્રસંગ જ કરવા જેવું નથી. વહેલું પતી જતું હોય તેને લંબાવવામાં કંઈ માલ નથી. નિષ્ફળતા મળે તે પણ નિરાશ થવા જેવું નથી. પરીક્ષા કંઈ આપણુ શક્તિ લૂંટી જતી નથી. # શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #688 -------------------------------------------------------------------------- ________________ ૫ત્રસુધી ૬૬૩ ૭૯૨ અગાસ, તા. ૨૦-૪–૨૯. ચૈત્ર વદ ૮, બુધ, ૨૦૦૫ સંસારનલમાં ભલે ભુલાવી વિન્નો સદા આપજે, દારા સુત તન ધન હરી, સંતાપથી તાવજો, પણ પ્રભુ ના પૈર્ય મુકાય એમ કરજો, હદયે સદા આવજો, અંતે આપ પદે શ્રી સદ્દગુરુ પ્રભુ સમતાએ દેહ મુકાવજે. જેને વિદ્યમાન સન્દુરુષને વેગ થયે છે, સત્સાધન મળ્યું છે અને અંતરથી છૂટવાની સાચી જિજ્ઞાસા જાગી છે તેને ગમે તેવા પ્રારબ્ધના સંગે આવી પડે તે પણ તેનું મન સપુરુષે કહેલું છે તે સિવાય બીજી બાબતને મહત્તા ન આપે. જગતની કઈ વસ્તુ આપણને સંસારમાંથી તારનાર નથી. માત્ર પ્રમાદ અને અજ્ઞાન જીવને મૂંઝવે છે. સાચી શિખામણ પ. પૂ. પ્રભુશ્રીજીની વિસરાય નહીં એ સદા લક્ષમાં રાખવા વિનંતી છે જ. ઘણી વાર સાંભળ્યું છે કે “તારું ભૂંડું કરે તેનું પણ ભલું ઈચ્છજે.” હે ભગવાન, જગતના બધા જીવોનું કલ્યાણ થાઓ, બધાનાં જન્મમરણ ટળે અને સાચું શુદ્ધસ્વરૂપ પામી બધા આત્મમગ્ન થાઓ. આવી ઉત્તમ ભાવના રાખવાથી આપણું અને સર્વ જીવોનું કલ્યાણ કેઈ અંશે થવા સંભવ છે. એનું નામ મૈત્રીભાવના છે. વૈરાગ્ય વધે તેવું મેક્ષમાળા, સમાધિસોપાન કે વચનામૃત વાંચતા રહેવા ભલામણ છે. “મરણ સમાધિ સંપજે, ન રહે કાંઈ કુવિકલ્પ.” શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૭૮૩ અગાસ, તા. ૨૩-૪-૪૯ આપે પુછાવેલ પ્રશ્નના ઉત્તરમાં જણાવવાનું કે કોઈ જ્ઞાની પુરુષે બાહ્ય ક્રિયાને નિષેધ કર્યો નથી. ધાર્મિક ક્રિયા પુણ્યનું કારણ છે, પરંતુ પ્રથમ કરવા ગ્ય શું છે તે વિષે પરમકૃપાળુદેવે દ્વાદશાંગીનું સળંગ સૂત્ર (પત્રાંક ૪૯૧) લખ્યું છે તે વિચારશે. આમાં યમનિયમાદિક સર્વ સાધનને આગ્રહ અપ્રધાન કરવાને કહ્યો છે, તેને ભાવાર્થ એ છે કે આત્મજ્ઞાન થવાનાં નિમિત્તોને મુખ્ય કરી પ્રતિક્રમણાદિને આગ્રહ નહીં રાખતાં, સત્સંગે થયેલી આજ્ઞા જેટલી વધારે ઉપાસાય તેમાં વિશેષ હિત છે. પ્રતિક્રમણદિ શ્રાવકની ક્રિયા મુખ્યપણે પાંચમે ગુણસ્થાનકે આવેલા આત્મજ્ઞાનીને ગ્ય છે, તે પહેલા આત્મજ્ઞાનના લક્ષે, પુણ્યને લક્ષ ગૌણ કરીને કરવામાં આવે તે તેમાં હરકત નથી. પરંતુ જેમાં સમજણ ન પડે અને રૂઢ ક્રિયામાં ધર્મને નામે કાળ ગાળે, તે કરતાં જ્ઞાની પુરુષનાં વચનેમાં ભક્તિભાવપૂર્વક કાળ ગાળે તે વિશેષ લાભ થવા સંભવ છે. બાર વ્રતને માટે પણ તેમ જ વિચારશે. આત્મજ્ઞાન થયા પહેલાં જે વ્રત કરાય છે તેને લક્ષ આત્મજ્ઞાનને હોય તે કઈ રીતે ઉપયોગી છે, નહીં તે મેટે ભાગે અહંકારનું કારણ થઈ પડે છે. અત્યારે તે કૃપાળુદેવનાં વચનમાં વિશેષ કાળ જાય અને તે વચનેને ગંભીર ભાવે ઊંડો અભ્યાસ થાય તે જ કર્તવ્ય છે. પરમકૃપાળદેવને છે કહેવું છે તે સમજી, યથાશક્તિ તેમનું હૃદય સમજી, તેમને પગલે જ ચાલવું છે એ લક્ષ રાખવા ભલામણ છે. શ્રાવક કહેવરાવવા કે લેકમાં સારું દેખાડવા કંઈ કરવું નથી, પણ વૈરાગ્ય-ઉપશમ વધે અને પિતાની પરિણતિ તરફ લક્ષ રહ્યા કરે તથા ન્યાય-નીતિનું ઉલ્લંઘન ન Page #689 -------------------------------------------------------------------------- ________________ બોધામૃત થાય તેવા સદાચારસહિત પ્રવર્તવું ઘટે છેજ. અંતઃકરણ નિર્મળ થયે પુરુષનાં વચનની નિર્મળ વિચારણા થશે તે શું કરવા ગ્ય છે તે આપોઆપ સમજાશે. # શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૭૯૪ અગાસ, તા. ૨૫-૪-૪૯ તત્ સત્ ચૈત્ર વદ ૧૨, ૨૦૦૫ “સમકિતધારી શ્રેણિક રાજા, પુત્રે બાંધે મુકે ધર્મી નરને કર્મ ધકાવે, કર્મશું જોર ન કિકે.” તમારો પત્ર મળે. “ખેદ નહીં કરતાં શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં મોક્ષપાટણ સુલભ જ છે” (૮૧૯) એમ પરમકૃપાળુદેવ લખે છે તે વિચારશોજી. “અસત્સંગ પ્રસંગને ઘેરાવો વિશેષ છે, અને આ જીવ તેથી અનાદિકાળને હીનસત્ત્વ થયો હોવાથી તેથી અવકાશ પ્રાપ્ત કરવા અથવા તેની નિવૃત્તિ કરવા જેમ બને તેમ સત્સંગને આશ્રય કરે તે કઈ રીતે પુરુષાર્થ યોગ્ય થઈ વિચારદશાને પામે. જે પ્રકારે અનિત્યપણું, અસારપણું આ સંસારનું અત્યંતપણે ભાસે તે પ્રકારે કરી આત્મવિચાર ઉત્પન્ન થાય.” (પ૬૯) આવાં પરમકૃપાળુદેવનાં વચને વિચારી, જીવના કલ્યાણ અર્થે જીવવું છે એમ નિશ્ચય કરી, તે નિશ્ચય બને તેટલો આરાધવામાં તત્પર રહેવું ઘટે છે. પુરુષાર્થ વિના કંઈ બની શકવા ગ્ય નથી અને સત્સંગ, સપુરુષની આજ્ઞાને લક્ષ થયા વિના, રહ્યા વિના પુરુષાર્થ કે તેમ નથી. વૈશાખ સુદ ૮, ૯ પરમકૃપાળુ પ્રભુશ્રીજીના દેહત્સર્ગને આત્મસિદ્ધિને ઉત્સવ છે. આપને આવવા ભાવના હોય તે હરકત નથી. પણ આત્માર્થે જે કંઈ કરવું છે તે કરવું છે, એ લક્ષ ચૂકવા ગ્ય નથીજી. કેઈને સારું લગાડવા કે પિતાના મનની મજ અર્થે કંઈ કર્તવ્ય નથી એ લક્ષ રાખી “માત્ર મેક્ષ-અભિલાષની ભાવના પિષવી ઘટે છેજ. નિત્યનિયમ હવેથી ન ચુકાય તે લક્ષ રાખવા ભલામણ છે. શાંતિઃ શાંતિઃ શાંતિઃ ય ખાબુ, તા. ૩૦-૫-૪૯ “જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય, ઉત્તમ જહાં વિચાર; એ ભાવે શુભ ભાવના, તે ઊતરે ભવપાર.” (૧૫) તમે પત્રમાં સ્વપ્ન સંબંધી પુછાવે છે તે વિષે લખવાનું કે ઘણી વખત તે જે સંસ્કાર પડેલા છે તે નિદ્રા વખતે ફુરી આવે છે, તે ઉપરથી પિતાને કઈ બાબતમાં કેવી રુચિ છે, તે જાણી હિતકારી બાબતોથી ચિત્ત પ્રસન્ન થાય અને તેવી ભાવના પિષવાન બને છે. અહિતકારી જણાય છે તે પ્રત્યે વૃત્તિ જતી રેકી પશ્ચાત્તાપ કરી તેવા સંસ્કારને બળ ન મળે માટે સારા ભાવમાં રહેવા ભક્તિ, સ્મરણ વગેરેને લક્ષ રાખ ઘટે છે જી. - નાની ઉમ્મરમાં ધર્મના સંસ્કાર પડેલા છે, તેથી ઘણી પ્રવૃત્તિવાળી ઉપાધિમાં પણ તે બીજા સંસ્કારને દબાવી ઊંઘમાં પણ પિતાને પ્રભાવ બતાવે છે. તે તે ભૂતકાળમાં પુણ્યઉદયથી શુભ સંસ્કારની કરેલી કમાણે છે. તેને પિષણ ભક્તિ આદિથી નહીં મળે, સ્મરણ મંત્રનું આરાધન કરવાની ટેવ નહીં પાડે, તે તે સંસ્કારને કાળ પૂરે થયે ફરી ઘણી Page #690 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ઈરછા કરશે તે પણ તેવા ભાવ તે દેશમાં જાગવા દુર્લભ થઈ પડશે. માટે જ્યાં સુધી બીજાં કામ થઈ શકે છે ત્યાં સુધી ધર્મકાર્ય, સદ્વાચન, વિચાર, સ્મરણ, ભક્તિ પણ સાથે સાથે કરતા રહેશે તે આંબાને જેમ પિષણ આપતા રહી કેરીઓ ખાવાથી દર સાલ કેરી થયા કરે, પણ પિષવાને બદલે આંબે કાપી નાખી એક સાલ કેરી ખાઈ લીધી તે બીજી સાલ કંઈ પણ મળી શકે નહીં તેમ ધર્મનાં કાર્ય કરવાં પડ્યાં મેલી કે તેને ધકેલ્યા કરી વિસારી દેવાથી શુભ સંસ્કારો લાંબી મુદત ચાલશે નહીં અને અશાંતિ, ભય, તૃષ્ણા, વેદના વગેરેનાં સ્વપ્નથી અને વિચારોથી મન ભરાઈ જતાં જીવ દુઃખી થવા સંભવ છે. માટે આત્મહિતની અને સાચા સુખની ભાવના હૃદયમાં જીવતી હોય તે નિત્યનિયમ, નિયમિત સલ્ફાસ્ત્રનું વાચન, વિચાર અને પરમ પુરુષની દશા તથા ઉચ્ચ જીવનની અભિલાષા માટે અમુક વખત બચાવવાની કાળજી રાખવી ઘટે છે. છ કલાકની ઊંઘ સામાન્ય રીતે દરેક મનુષ્યને પૂરતી છે. તે પૂરી થયે જાગીને ધર્મપ્રવૃત્તિ કરવાની ટેવ રાખે તે થઈ શકે તેમ છે. થોડું એ ઊંઘાશે તેમાં હરકત નથી. ધન કે શરીરની જરૂરિયાત માટે જાગૃતિકાળને મેટો ભાગ પ્રવૃત્તિમાં ગાળ પડે છે, તે આત્માને શાંતિ મળે તે છેડે કાળને ફાળે જુદો કાઢી આત્મવિચાર, જ્ઞાનીની આજ્ઞા તથા દરરેજ થતા કામમાં પિતાના દોષ જેવાને અવકાશ રાખ્યું હશે તે દોષો સમજાશે, તેને દૂર કરવાનાં કારણ પણ સમજાશે અને દૂર કરવા પુરુષાર્થ કરવાનું મન થશે. પણ જે જીવન કેવું જીવવું છે, એના વિચાર કરવાને વખત નહીં રાખે તે પશુની પેઠે ખાવા, પીવા, હરવા, ફરવા ને ઊંઘવામાં જિંદગી વહી જશે અને આખરે પસ્તાવું પડશે. માટે આ પત્ર વાંચી દિનચર્યામાં કંઈક ફેરફાર કરી જન્મ-મરણરૂપ પરિભ્રમણથી કંટાળી ગયેલા આ આત્માને કંઈક રાહત મળે તેવી તેના ઉપર દયા લાવવા, તેનું હિત થાય તેવાં પગલાં ભરવા વિનંતી છે જી. જુવાની હંમેશાં રહેવાની નથી, તે તે આવી કે ચાલી જ જવાની છે, એમ જાણી પ્રમાદમાં, આળસમાં કે બફમમાં કાળી ન જાય તેમ જોતા રહેવાની જરૂર છે. ખાવા, પીવા કે કમાણી કરવા આ મનુષ્યભવ મળે નથી પણ જ્ઞાનીની આજ્ઞા આરાધી જન્મમરણ છૂટે તેવો રસ્તે લેવાની કાળજી દિવસે દિવસે વધે તેમ કર્તવ્ય છેજી. ડું લખ્યું ઘણું કરી માનજે અને રોજ આ પત્ર પાંચ-છ માસ વાંચવા ભલામણ છે. કંઈ વધારે ન બને તે નિત્યનિયમના ત્રણ પાઠ સવારે જાગતાં જ બેલી જવા અને તેમાંથી એકાદ કડી તે દિવસે વારંવાર વિચારવા નક્કી કરી પથારીમાંથી ઊઠવું, અને મંત્રનું સ્મરણ ૧૦૮ વાર તે જમતાં પહેલાં કે પછી કરી લેવું. પછી હરતાં-ફરતાં જેટલી વાર મંત્રનું રટણ રહ્યા કરે તેટલું વધારે લાભ; પણ આટલું તે અવશ્ય કરવું એ દઢ નિશ્ચય કરે. જે દિવસે નિત્યનિયમ સવારે, બપોરે કે સાંજે ૫ણ ન બને તે દિવસે ઊંઘવાને મને હક નથી, એમ માનવું. થાકને લીધે ઊંઘ સિવાય કંઈ પણ ન બને તેવું લાગે તે ઊંઘ પૂરી થયે તે જરૂર તે નિત્યનિયમ પૂરો કરી લે. રાત્રે જાગીને પણ નિત્યનિયમ કરીને પણ ફરી ઊંઘી શકાય. તે પ્રમાણે ન બને તે બીજે દિવસે મીઠું, ગળ્યું કે ઘી આદિ સ્વાદમાંથી કંઈક નથી વાપરવું એ નિયમ કરવાથી નિયમિત થઈ શકાશે. મન ઉપર વાત લીધી તે Page #691 -------------------------------------------------------------------------- ________________ બેધામૃત તેને ઉપાય નીકળી શકશે. માટે ધર્મની બાબતમાં ઢીલા ન પડવા અને બને તેટલા ભલા, વિચારવાની અને સમજણ આપવી ન પડે તેવા થવા પ્રેરણા આ પત્રથી થાય તેમ કર્તવ્ય છે. આ તમારા હિતને અર્થે લખતાં કંઈ તમારું મન દુભાય તેવું લખાયું હોય તે તેની ક્ષમા ઈચ્છી પત્ર પૂરે કરું છું. છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ તા. ક. – વાંચતાં કંઈ ન સમજાય તે એક નેટમાં લખી રાખવું અને પત્ર લખે ત્યારે પૂછવા વિચાર રાખવે. ઘણુંખરું તે વૈરાગ્ય અને વિચારદશા વધતાં આપોઆપ સમજાશે. અહીંથી ઉત્તર ન મળે તે કંટાળવું નહીં કે વાંચવાનું પડી મૂકવું નહીં. આબુ, તા. ૧૬-૬-૪૯ પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવે સદા, બ્રહ્મચર્ય અતિમાન.” – શ્રીમદ્ રાજચંદ્ર વિ. આપને રજિસ્ટર કાગળ મળે છે. વાંચી તમારી બ્રહ્મચર્યની ઉત્તમ ભાવના, જાણું સંતોષ થયો છેજ. અનંતકાળથી જીવ ખાવા, પીવા, પહેરવા, ઓઢવા, લેગ ભેગવવાના લક્ષણે દેહને સુખરૂપ માની, દેહને પિતાનું સ્વરૂપ સમજી પિતાના સ્વરૂપનું ભાન ભૂલતે આવે છે. જગતના જીના અભિપ્રાય અને ઈચ્છાઓ અસાર જાણી જે જ જ્ઞાની પુરુષના નિર્ણયને, તેણે સમ્મત કરેલું સર્વ સમ્મત કરવા ભાવના રાખે છે તેમને ધન્ય છે. આ કળિકાળમાં ભેગ વખતે જેને વેગ સાંભરે અથવા જ્ઞાનીએ દેહથી ભિન્ન આત્મા જાણે છે તે પ્રગટ કરવા અર્થે સત્સંગ, બ્રહ્મચર્ય, ઈન્દ્રિયનું દમન, ભક્તિ, સશાસ્ત્રનું વાંચન, મનન આદિ સત્સાધન જેને સાંભરે છે તે મહા ભાગ્યશાળી છે. આયુષ્ય ક્ષણે ક્ષણે નાશ પામે છે અને મરણ સમીપ જીવ વહ્યા કરે છે. તેને વિચાર કરતાં સૌનાં શરીર બળતા ઘર જેવાં છે. તેમાં નિરાંતે સૂઈ રહી સુખ માનવું તે મૂર્ખાઈ છે, પરંતુ બળતા ઘરમાંથી કીમતી ચીજો કાઢી લઈ બચાવીએ તે ડહાપણ કહેવાય. તેવી રીતે નાશ પામતા આ શરીર દ્વારા ધર્મ આરાધન જેટલું કરી લીધું તેટલું આત્મહિત તેણે કર્યું ગણાય. મરતા માણસને બેઠો કરે તેવું અમૃત કઈ દેવે આપણને આપ્યું હોય, તેને પગ ધોવા માટે હેળી દેવું એ મૂર્ખતા છે, તેમ મોક્ષ મળે તે મનુષ્યદેહ ભેગ, મોજશોખમાં ખેાઈ દેવે તે પણ મૂખતા જ છે. માટે મનુષ્યભવની મૂડી વ્યર્થ ન ખોવાઈ જાય તેવી આખા ભવમાં કાળજી રાખવી. જ્યાં સુધી વ્રત હોય ત્યાં સુધી પરમકૃપાળુદેવનાં વચને વાંચી હૃદયમાં રાખવાનું કરશે તે તે રૂડી રીતે સમજાવા સંભવ છે. શ્રી આત્મસિદ્ધિ, છ પદને પત્ર, અપૂર્વ અવસર વગેરે મુખપાઠ ન થયા હોય તે મુખપાઠ કરી રોજ ફેરવવા ભલામણ છેજી. મુખપાઠ હોય તે જ વિચાર કરી તેમાં જણાવેલ ભાવ હૃદયમાં ઠરે તેમ કર્તવ્ય છેજી. સદાચાર, સરળતા, અ૫ શુભ આહાર આદિ વૈરાગ્યપ્રેરક જીવન-વ્યવહાર અને સારો સમાગમ તથા સદ્દવાંચન વ્રતને પિષનાર છે. તમારા કુટુંબનું વાતાવરણ સારું છે પણ બીજા લેકની વાતે લક્ષમાં ન લેવી. જગત અને ભગતના રસ્તા જુદા છે. કલાજ અને લૌકિક ભાવથી ઉદાસ થવું. ત્રત કરી કશી ભવિષ્યના સુખની ઇરછા ન કરવી. આત્માર્થે જ આ વ્રત કરું છું, મારા Page #692 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા આત્માનું કલ્યાણ થાઓ, જ્ઞાનીએ જાયે છે તે મારો આત્મા છે તે મને પ્રાપ્ત થાઓ, એ ભાવના કર્તવ્ય છે. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૭૯૭ અગાસ, તા. ૩૦-૬-૪૯ માણસની ભૂલ થાય. ભૂલને પાત્ર છે. પણ તેવી ભૂલ ફરી ન થાય તેને લક્ષ રાખ તે કર્તવ્ય છે. બીજું, પરમકૃપાળુદેવનાં વચનામૃત છે તે વૈરાગ્યથી ભરેલાં છે, સજિજ્ઞાસુ જીવાત્માને સંસારથી તારનાર ને સતપંથે દેરનાર, મોક્ષમાર્ગે ગમન કરાવનાર મિયારૂપ છે, તે તે વચનામૃતમાંથી જે જોઈએ તે મળી શકે છે. એ મહાન જ્ઞાની પુરુષે સજિજ્ઞાસુઓ માટે અનંત અનંત એ ઉપકાર કરી કૃતાર્થ કર્યા છે, તે અને તમે સૌ સજિજ્ઞાસુઓને એ જ શરણ રહો. શાંતિઃ શાંતિઃ શાંતિઃ સમાધિમરણની તૈયારી અર્થે જ હવે જીવવું છે એ નિશ્ચય ચૂકવા ગ્ય નથીજી. અગાસ, અષાડ સુદ ૮, ૨૦૦૫ “કોઈ પણ કારણે આ સંસારમાં લેશિત થવા યોગ્ય નથી” (૪૬૦) એ પરમકૃપાળુદેવનું વાક્ય વારંવાર વિચારી લેશનાં કારણેને ભૂલી જવા એગ્ય છે. મરણને વારંવાર વિચાર કરવાથી મેહની મંદતા થઈ વૈરાગ્ય રહ્યા કરશે, તે જગતના અનિત્ય, અસાર અને અશરણ ભાવેને માટે આત્માને લેશિત કરવો યોગ્ય નથી એમ સહજ સમજાશે. સ્મરણમંત્રમાં વૃત્તિ વિશેષ રહ્યા કરે એવો અભ્યાસ પાડી મૂકવા ભલામણ છે. મનને સારું કામ કરવાનું ન હોય ત્યારે જ અશાંતિમાં, વિકલમાં પ્રવર્તે છે. માટે નવરું પડ્યું નખ્ખોદ વાળે તેવું મન છે તેને સ્મરણમંત્રરૂપી વાંસ ઉપર ચઢઊતર કરવાનું કામ સેંપવાનો નિશ્ચય કરી તે નિશ્ચય અમલ થાય તેમ કાળજી રાખતા રહેવા વિનંતી છે. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૭૯૯ અગાસ, તા. ૧૯-૭-૪૯ આપે તપશ્ચર્યા સંબંધી પૂછ્યું. તે સંબંધી જણાવવાનું કે ઈચ્છાઓ કવી તેને ખરું તપ કહ્યું છે. તેના પ્રકાર તરીકે એક દિવસ, બે દિવસ આદિ આહારની ઈચ્છા રેકવી તે પ્રથમ બાહ્ય તપ છે. ખોરાક જ લેતા હોઈએ તેથી પ્રમાણમાં એક, બે કે અનેક કેળિયા ઓછા લેવાને (રસ પડે તે પણ વિશેષ આહાર લઈ ન લેવાય તે) નિયમ રાખવે તે ઊણદરી નામનું બીજા પ્રકારનું તપ છે. વૃત્તિસંક્ષેપ એટલે આજે અમુક શાક કે ગળપણ કે મીઠું કે ફલાફલાદિ નથી લેવાં એવી અંતરમાંથી સંયમની ભાવનાથી વિલાસવૃત્તિ એકવી તે ત્રીજું તપ. રસપરિત્યાગ નામનું છું તપ છે, તેમાં પિતાને પ્રિય લાગતી વસ્તુઓને એક દિવસ, એક અઠવાડિયું કે ચાતુર્માસ આદિ પર્યત ત્યાગ કરે. તેમાં પણ પરવસ્તુને જીભ દ્વારા થતું મેહ અટકે છે તેથી તપ છે. કાયાને કષ્ટરૂપ લાગે તેવા આસને અમુક વખત બેસી વાંચન, સ્મરણ આદિ ધર્મધ્યાનમાં ચિત્ત રેકવું, ઠંડી, તાપ આદિ સહન કરતાં શીખવું તે કાયક્લેશ Page #693 -------------------------------------------------------------------------- ________________ ९९८ બેધામૃત તપ છે. એકાંતમાં બેસવું, સૂવું, વિકાર થાય તેવાં સ્થાનથી દૂર રહેવાને અભ્યાસ પાડવે, તે છઠું સંસીનતા તપ છે. - બીજાં છ અત્યંતર તપ છે, એટલે બીજાને તપ કરે છે એવું જણાય પણ નહીં. (૧) પ્રાયશ્ચિત્ત – ગુરુ સમીપે થયેલા દોષ જણાવી, તે બતાવે તે શિક્ષા ગ્રહણ કરી દોષમુક્ત થવું તે. એમાં માન કષાય આદિને ત્યાગ થાય છે અને દોષ કરવાની વૃત્તિ રોકાય છે. (૨) વિનય કરવા ગ્ય મહાપુરુષોને વિનય કરે. તેમાં પણ માનની વૃત્તિ રોકાય છે. (૩) વૈયાવૃત્ય એટલે સેવા કરવા ગે સંતજનોની સેવા કરવી, તે પણ તપ છે. ઉપવાસ આદિ વડે કાયા કૃશ કરવા કરતાં ખાઈને સેવા કરનારને વધારે લાભ શાસ્ત્રો વર્ણવે છે, કારણ કે કાયાની સફળતા તેમાં છે. (૪) સ્વાધ્યાય-તપ – આત્મામાં પુરુષને બોધ પરિણામ પામે તેવા વૈરાગ્ય અને આત્માર્થ સહિત સપુરુષનાં વચનને પ્રત્યક્ષ સપુરુષ તુલ્ય માની બહુમાન-ભક્તિપૂર્વક વાંચન, વિચાર, ચર્ચા, મુખપાઠ, મુખપાઠ કરેલું વિચારપૂર્વક બેલી જવું, સ્મરણ વગેરે સ્વાધ્યાય-તપ છે. આ કાળમાં સ્વાધ્યાય-તપ સહેલું, વિશેષ ફળદાયી સંતેએ ગયું છે શરીર કૃશ કરવા કરતાં તેથી આત્માના દે કૃશ થવાનું કારણ બને છે. (૫) ધ્યાન – આર્તધ્યાન, રૌદ્રધ્યાન તજીને, મોક્ષમાળામાં ધર્મધ્યાનના ત્રણ પાઠ લખ્યા છે તે પ્રમાણે ધ્યાનમાં વૃત્તિ રાખવી તે પણ પાંચમું અંતતપ છે. (૬) કાત્સર્ગ – દેહથી હું ભિન્ન છું, જાણનાર છું, દેહને થાય છે તે મને થતું નથી એમ વિચારી દેહચિંતા તજી આત્માર્થે મહાપુરુષે કહેલાં છ પદ, મંત્ર આદિ કે લેગસ્સ વગેરેમાં મનને લીન કરવું તે કાર્યોત્સર્ગ નામનું છેલ્લું અને અત્યંત ઉપગી, સમાધિમરણની તૈયારીરૂપ છઠ્ઠ તપ છે. તેમાં સંસારની સર્વ વૃત્તિઓ રોકાઈ, પરમ પુરુષમાં કે તેના વચનમાં વૃત્તિ શેકાય છે. હાલ એ જ. આ શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, સં. ૨૦૦૫ પામો પાપ પ્રલય આજથી, વાસ હૃદયમાં રાજતણે; પરમ પ્રભુશ્રીની સાક્ષીએ, આનંદ આનંદ આજ ઘણે. વિ. આપને લાંબે પત્ર મળ્યું હતું. તેમાં અધૂરા કામે જવાબ આપવે યોગ્ય નહીં લાગવાથી નિરાંતે પત્ર લખવા ધાર્યું હતું. ધીરજનાં ફળ મીઠાં હોય છે એમ કહેવાય છે અને આપે પણ તેવી શિખામણ લખેલી તે પ્રમાણે પરમકૃપાળુદેવની કૃપાથી જે થાય તે જોયા કરવું એમ રાખ્યું હતું. વચ્ચે મન બધેથી ઊઠી ગયેલું અને જરૂર પડ્યે આશ્રમ છોડવાને નિર્ણય કરી લીધું. પછી વિકલ શમાયા અને તે વિક્ષેપમાં મન ન રહે તે અર્થે “મોક્ષમાળાપ્રવેશિકા” લખવાનું શ્રાવણ સુદ ૨ થી શરૂ કર્યું છે. તેના ૮, ૯ પાઠ લખાયા છે. પરમકૃપાળુદેવની કૃપાથી ટ્રસ્ટીઓની અસાધારણ સભા ભરાયેલી તેમાં બધાંને નિવેદન વાંચી સંતોષ થયો છે, એમ જણાવી મને જણાવ્યું કે મુમુક્ષુઓને અને અમારો અભિપ્રાય એ છે કે તમે પ્રતિજ્ઞા ફેરવી શકતા હો તે અબેલ ન કરે. એટલે મેં જણાવેલું કે તે સંબંધી હું સભામાં જાહેર કરીશ. પછી જણાવ્યું હતું કે હવે નમસ્કાર કે પૈસા મૂકવાને પ્રસંગ આવતે નથી એટલે આંબેલનું પણ કારણ નથી રહ્યું તેમ છતાં બધાની સૂચના પ્રમાણે, આંબેલ Page #694 -------------------------------------------------------------------------- ________________ ૬૬૯ પત્રસુધા બાહ્ય તપ છે તેને બદલે કદી તેવા પ્રસંગ બનશે તેા સ્વાધ્યાય કે તેવા રૂપમાં અભ્યંતર તપ દ્વારાએ તે નિયમ પૂર્ણ કરીશ, એટલે હવે આંબેલ નહીં કરું. બધાને સ ંતેાષ થયા છે. આપે છેલ્લા પત્ર ઘણા હૃદયના ભાવસહિત લખેલા તે વાંચતાં મારી આંખમાં પણ આંસુ એક-બે વખત આવી ગયેલાં. હૃદયના ધર્મ એવા જ છે પણ બધાથી ઉદાસ થઈ હવે તા સમાધિમરણની તૈયારીમાં અપ્રમત્ત રહેવું આપણે ઘટે છેજી. સ`સારની અનુકૂળતા પ્રતિકૂળતા જોઈતી નથી. આત્માનું હિત થાય અને પરમકૃપાળુદેવને શરણે સ` જગત ભુલાઈ ને દેહ છૂટે ને રાગદ્વેષ કાઈ પ્રત્યે અંતરથી ન રહે એ જ પુરુષાર્થ પ્રખળપણે કવ્યું છેજી. ભક્તિ, વાંચન, વિચાર, સ્મરણમાં મન મગ્ન રાખવા વિનતી છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૮૦૧ પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન; પાત્ર થવા સેવા સદા, બ્રહ્મચર્ય મતિમાન.” – શ્રીમદ્ રાજચંદ્ર અગાસ, તા. ૩૦-૮-૪૯ વિ. આપને શુભ ભાવનાવાળા પત્ર મળ્યા છે”. તેવા ભાવે। હરદમ રહ્યા કરે અને હું બ્રહ્મચર્ય ! હવે તું પ્રસન્ન થા, પ્રસન્ન થા.” એવા એક ખેલ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાંના છે, તેનું વાર'વાર સ્મરણુ રહ્યા કરે તેવા અભ્યાસ પાડવા ભલામણ છેજ. ક્ષણે ક્ષણે મરણની સ્મૃતિ કરતા રહેવાથી વૈરાગ્યન્યાતિ જાગ્રત રહે અને પાપમાં વૃત્તિ જતી અટકે. માટે પરમકૃપાળુદેવે જણાવેલા જે માર્ગ તેને વિન્ન કરનાર સાત બ્યસન છે તેની જેણે તે સાચા દેવ સમક્ષ પ્રતિજ્ઞા, હાથ જોડી નમસ્કાર કરીને લીધી છે તેણે તે મનથી પણ તે વ્યસનમાં વૃત્તિ ન જાય એટલા આકરા આચાર રાખવા ઘટે છેજી. કારણ કે કર્મ તે મનના ભાવને લઈને ખરૂંધાય છે. જો મન માની જાય કે નીતિના માર્ગ જો હું ચૂકીશ તે ધર્માંના લાભ તા મને કદી મળનાર નથી તેા પાપથી અટકે. ધમના પાયા નીતિ છે, તેથી જ સાત વ્યસનને ત્યાગ, મંત્ર લેતાં પહેલાં લેવાના હેાય છે તે લક્ષમાં રાખી આત્માની સ'પત્તિ વ્યર્થ વિકલ્પામાં ખાવાઈ ન જાય તે માટે તે મન ઉપર મરણુના વિચારની ચાકી બેસાડવાની છે. આવતી કાલે મરવાનું નક્કી જ હાય તા આજે આપણે પાપના કામમાં પગ ન મૂકીએ. તેમ વાર વાર મરણને વિચાર આવે તેા મન અનીતિના ઘાટ ઘડવાનું, પાપમાં પ્રવવાનું માંડી વાળે. માટે જરૂર નિરાશ નહીં થતાં રેાજ પુરુષાર્થ ઉપર જણાવ્યેા છે તે શરૂ કરવા ભલામણ છેજી. આટલાં બધાં વર્ષ જીવવાનું મળ્યું પણુ જીવે ખરી કમાણી કરવા જેવી કરી નથી. પેાતાનું કામ પડી રહ્યું છે અને પારકી પંચાતમાં ખાટી થઈ રહ્યો. હવે તે આ જીવે પોતાનું આત્મહિત સાધવાનું કામ હાથ ધરી તેમાં ઉત્સાહ દિનપ્રતિદિન વધતા રહે તેમ કરવા નમ્ર વિનંતી છેજી. બહુ વીતી થેાડી રહી, થાડીમેંસે ઘટ જાય' એ કહેવત પ્રમાણે થોડું જીવવાનું બાકી રહ્યું છે તેમાંથી ક્ષણે ક્ષણે આયુષ્ય ઘટતું જાય છે. તેને લેખે આવે તેવી રીતે ગાળવું છે એવા નિંય કરી સન્માની આરાધના માટે કમર કસી તૈયાર થઈ જવું, વૃદ્ધમાંથી યુવાન થવું, પણ ઊંડી દાઝ દિલમાં રાખવી કે જગતને રૂડું દેખાડવા હુવે જીવવું નથી પણ રૂડા જ થવું છે. ગમે તેવી નિકટ વાટે પણ આત્મા ઊંચા આવે તેમ જ વવું Page #695 -------------------------------------------------------------------------- ________________ ૬૭૦ આધામૃત છે. શરીર તા વિષ્ટાના ઘડા છે. ગમે તે સ્ત્રી કે પુરુષ હા પણ તે જીવતું મડદું જ છે. હવે મડદાં કે ચામડામાં વૃત્તિ રાખનાર રહેવું નથી. ઝવેરીની પેઠે આત્મરત્ન તરફ દૃષ્ટિ દેનાર થવું છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૩૧-૮-૪૯ ૮૦૨ ‘તારું એક જ શરણું ગ્રહી રહું છું, હવે કહું શું બહુ હું ? તુજ વિષ્ણુ કેાઈની સાથે પ્રયેાજન, ભવમાં ન હશે. એ યાચું — હે ગુરુરાજ! તમે જાણેા છે સઘળું.” આપના હૃદયગત ભાવેા પરમકૃપાળુદેવ સફળ કરો એ સિવાય કઈ લખી શકાય તેમ નથીજી. પરમકૃપાળુદેવની ભક્તિમાં સવ સમાય છે; તેની આજ્ઞામાં અનન્યભાવે પ્રવવું છે એમ જેના નિશ્ચય છે, તેને સ્થળ આદિ બદલાય તાપણુ અંતઃકરણ બદલાતું નથીજી. ૐ શાંતિઃ ૮૦૩ અગાસ, તા. ૨૬-૯-૪૯ સ્મરણ નિરંતર રહે એવી ટેવ પાડી મૂકી હાય તા તે દુઃખના વખતમાં આર્ત્તધ્યાન ન થવા દે અને સુખના વખતમાં માન, લેાભ, શાતાની ઇચ્છા વધવા ન દે. માટે મનને રોકવા માટે ૫. ઉ.પ. પૂ. પ્રભુશ્રીજીએ આપેલું સ્મરણુરૂપ હથિયાર સર્વ અનુકૂળ-પ્રતિકૂળ પ્રસંગે કામ આવે તેવું છે. માટે મનને વીલું ન મૂકવું. કંઈ ને કંઈ તેને કામ સોંપવું. કાં તે સ્મરણુમાં, ભક્તિમાં, ગેાખવામાં, ફેરવવામાં, વાંચવામાં, વિચારવામાં, કોઈ ને કઈ જ્ઞાનીપુરુષની વાત કહેવા-ચ વામાં, કંઈ આત્મા સંબંધી પ્રશ્નાદિ પૂછવામાં કે સદ્ભાવના કરવામાં મનને જરૂર શકયા જ કરવું. નહીં તેા નવરું પડ્યું નખ્ખાદ વાળે, તેવા એને અનાદિના અભ્યાસ છે. તે ફેરવવા અસત્સ`ગના ગેરલાભ વિચારવા અને સત્પુરુષના યેાગે, સદ્બોધના પ્રસંગે, પરમ સત્સ'ગના મહાભાગ્યકાળે કેવા છૂટવાના ભાવ નિર'તર વધમાન થતા તે સ'ભારી, મદ પડતા ભાવેાને ઉત્તેજન મળે, વૈરાગ્યની વૃદ્ધિ થાય તથા સત્સંગની ભૂખ જાગે તેમ પ્રયત્ન કર્યાં કરવા ઘટે છેજી. મનુષ્યભવમાં જે કઈ હવે જીવવાનું બાકી રહ્યું હેાય તે માત્ર આત્મહિતની વૃદ્ધિમાં જ વપરાય અને શાતાની ભીખ ટળે તેવી ભાવના ચિંતવવી. "लाख बातकी बात यह, तोकुं देई बताय । પરમાતમ પર્ નો ચંહૈ, દ્વેષ તન, માર્ં ”—શ્રી ત્રિવાનની ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૮૦૪ અગાસ, તા. ૧૨-૧૦-૪૯ આસા વદ ૫, ૨૦૦૫ તત્ ૐ સત્ શરીર જ ગૂમડું છે, આહાર પાટીસ છે અને કપડાં પાટારૂપ છે. એમાં કશું સાચવ્યું સચવાય તેમ નથી. પરમકૃપાળુદેવની સાક્ષીએ મનમાં દોષડ'ખતા હોય તેની માફી સાચા દિલે માગી નિઃશલ્ય થવા ચેાગ્ય છે; એટલે ફરી તેવા દાષમાં પ્રવેશ થતા અટકે. તેવા પ્રસ’ગ બન્યા પહેલાં કઈ સલાહ પૂછવા યેાગ્ય લાગે તેા નથી, થઈ ગયું તેનું પશ્ચાત્તાપપૂર્વક વિસ્મરણ ઘટે છેજી. પૂછવામાં હરકત Page #696 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધી ૬૭૧. બીજી બાબત આપે લખી તે વિષે જણાવવાનું કે કોઈ પરમકૃપાળુદેવને ભજનાર હોય તેના પ્રત્યે પ્રમોદ ઘટે છે, તેની દશા વિષે કલ્પના કરવી ઘટતી નથી. આવા કળિકાળમાં કઈ પણ તેનું શરણ લેશે તેનું હિત થવાયેગ્ય છે. અયોગ્ય કલ્પના પિતા સંબંધી કરશે તેમાં તેને નુકસાન છે. આપણે તે ડાળાં મૂકીને થડ(પરમકૃપાળુદેવ)ને જ વળગવું કે તેમાં કદી શંકાને સ્થાન જ નથી. આવી કુતૂહલવૃત્તિ ઓછી થાય અને પરમકૃપાળુદેવમાં નિઃશંકિતતા વધતી જાય એ જ કર્તવ્ય મારે તમારે ઘટે છે. જ્યાં ભવિષ્યમાં રહેવાનું, વિચરવાનું થાય ત્યાં આ લક્ષ રહેશે તે તે સમાધિમરણને મદદ કરનાર છે. બીજું શું લખવું? “જો તું વૃદ્ધ હોય તે મત ભણી દષ્ટિ કરી આજના દિવસમાં પ્રવેશ કર.” એ પુષ્પમાળાનું વચન હવે તે નજર બહાર ન જાય તેમ વર્તવું ઘટે છેજ. વિકલ્પ તે હવે ટાળવા છે, એમ દઢ મનમાં નિશ્ચય કર્તવ્ય છેજ. જેમ બને તેમ જગત અને વિભાવને ભૂલીને “શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એ હું આત્મા છું એમ આત્મભાવના કરતાં રાગદ્વેષને ક્ષય થાય” (૬૯૨) આ દવા, અવલંબન, અભ્યાસ નિરંતર સેવવા યોગ્ય છે જી. નિશ્ચયવાણી સાંભળી, સાધન તજવાં નેય; નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય.” – શ્રી આત્મસિદ્ધિ અગાસ, તા. ૧૩-૧૦-૪૯ તત કે સત્ આસો વદ ૬, ૨૦૦૫ દેહરા–ષદર્શનને સાર છે, આત્મસિદ્ધિ સુખ-સાજ; અપૂર્વ જ્ઞાન વરી રચી, નમું સદા ગુરુરાજ. ૧ નિષ્કારણ કરુણ ધણી, અમાપ આપ ઉદાર; કળિકાળે પ્રગટ્યા પ્રભુ, વંદું વારંવાર. ૨ ઉદ્ધારક અમ રંકના, અપાર ગુણ ધરનાર; શક્તિ સ્તવન તણી નથી, શરણ મેક્ષ દેનાર. ૩ આપે પ્રશ્ન પૂછળ્યો છે તે જ મેં પ. પૂ. પ્રભુશ્રીજીને પૂછે કે ભક્તિ અને ધર્મકર્તવ્યમાં ભેદ શું છે? તેને ઉત્તર આપવા પૂ. મેહનલાલજી મહારાજને તેઓશ્રીએ જણાવ્યું. તેમણે કહ્યું કે જે મંત્ર મળે છે તે તથા પુરુષની મુખાકૃતિ વગેરે ચિંતવવું, વસ દેહરા ક્ષમાપના વગેરે કહ્યું હોય તે બોલવું તે ભક્તિ અને સ્વરૂપનું ચિંતવન તે ધર્મ. પછી પિતે પ્રભુશ્રીજીએ પરમકૃપાળુદેવ સાથે ગાળેલા દિવસોમાં કે ક્રમ હતું તે લંબાણથી વર્ણવ્યું હતું (હાલ આશ્રમમાં જે ક્રમ છે તેથી ઘણું વધારે, સાધુને યેગ્ય ક્રમ હતો અને તે વખતે વૃત્તિઓ કેવી રહેતી તે સંબંધી પિતાને અનુભવ કહ્યો હતે. જુદા જુદા ગ્રંથ વાંરયા હોય તેની બધા મુનિઓ રાત્રે ચર્ચા કરતા; દિવસે ઊંઘવાની મના હતી એટલે રાત્રે સૂવાને વખત થવાની રાહ જોતા. બે પ્રહર (છ કલાક) નિદ્રાના વચનામૃતમાં છે, પણ એક જ પ્રહર ઊંધવાને મળતું. ચાર વાગ્યે તે ઊઠતા. પ્રતિક્રમણ વગેરે આવશ્યક કરી સૂર્યોદય પછી કેટલાક ગોચરી જતા, પિતે વાંચતા વગેરે. પછી મને કહ્યું કે જેમ બને તેમ ઘડી બે ઘડી નિયમિત Page #697 -------------------------------------------------------------------------- ________________ ૬૭૨ આધામૃત રીતે એમાં (વચનામૃતમાં, ભક્તિમાં) કાળ ગાળવા, આખા પ્રહર ન બને તેા. ધર્મનું સ્વરૂપ તેા અનુભવ થશે ત્યારે સમજાશે. વિષય, કષાય, પ્રમાદ અને સ્વચ્છંદ ટાળવા અને એ ટળશે. “ધર્મ કહે આત્મસ્વભાવકું એ સમૃતકી ટેક.’' એક વખતે સાંજે ભક્તિ સંબધી વાત નીકળી હતી તેમાં ભગવત્ મુક્તિ આપવામાં કૃપણ નથી, પણ ભક્તિ આપવામાં કૃપણ છે, એમ લાગે છે.'' (૨૮૩) એ પરમકૃપાળુદેવનું વચન ચર્ચાયું હતું. પછી પ. પૂ. પ્રભુશ્રીજીએ કહેલું: મુક્તિ એટલે છૂટવું. ‘તું કર્મ માંધ અને હું છે।ડું' એમ ચાલ્યા કરે છે, પણ પાત્રતા વિના ભક્તિ (આત્મા) આપવામાં તે કૃપણ છે. ઉપરની જૂની વાત યાદ લાવવામાં આપના પ્રશ્ન ઉપકારી બન્યા છે તે બદલ ઉપકાર માનું છુંજી. ખીજું સત્સ્વરૂપ કે શુદ્ધ ધર્માંને નમસ્કાર ભાવ ભક્તિથી તેવા થવા તેવી અભેદ ભાવના કરી કર્યાં છે અને જ્ઞાનપ્રાપ્તિના માર્ગ એક જ વાકયમાં દર્શાવી દીધા છે. પત્રને અંતે જણાવેલા ચાર પ્રતિમ`ધા – લેાકલાજ, સ્વજનકુટુંબ, દેહાભિમાન અને સ’કલ્પવિકલ્પ – જેને ટળી ગયા છે તેવા ભાવ અપ્રતિમ ધપણે નિર'તર વિચરતા જ્ઞાનીપુરુષના ચરણારવિંદની ઉપાસના, તે પ્રત્યે અચળ પ્રેમ અને સમ્યક્ (સત્પુરુષની એળખાણપૂર્વક આત્મસ્વરૂપની) પ્રતીતિ આવ્યા વિના પોતાના યથાર્થ સ્વરૂપની પ્રાપ્તિ (એળખાણુ) જીવને થતી નથી. એટલી યેાગ્યતા આવ્યે સત્પુરુષનું સ્વરૂપ સમજાયે જીવને સત્પુરુષની ભક્તિથી પોતાને જ્ઞાનદશા પ્રાપ્ત થાય છે. આ જ કામ આ ભવમાં કરવા યાગ્ય છે તે પડી મૂકી જીવે ધર્મને નામે અનેક સાધના કર્યાં છે. સત્પુરુષને એ જ કહેવું છે અને તે કહેલું સમજીને જીવ આજ્ઞા રૂડે પ્રકારે ઉઠાવે તે સત્પુરુષની દશા કે સામાયિક અથવા આત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય, એમ સૂયગડાંગ નામના ખીજા અ'ગમાં ઋષભદેવ ભગવાને પાતાના અઠ્ઠાણું પુત્રોને ઉપદેશ દીધા છે તેના આ સાર છે એમ જણાવ્યું છે. “જ્ઞાનીપુરુષની આજ્ઞા છે તે, ભવમાં જવાને આડા પ્રતિબ`ધ જેવી છે.” (૫૧૧) એટલે જીવ સાચા અંતઃકરણે સત્પુરુષની આજ્ઞા ઉઠાવે તેા ફરી જન્મવું ન પડે એવા જ્ઞાનીપુરુષની આજ્ઞામાં ચમત્કાર છેજી. દિવાળીના દિવસે સમાધિમરણ અર્થે સાધના કરવાના છે. તે આવા શાંત અસંગ વાતાવરણમાં ગાળવાનું ભાગ્ય પ્રાપ્ત થાય તે સારું, નહીં તે યથાપ્રારબ્ધ જ્યાં રહેવું થાય ત્યાં માળા વગેરે ક્રમ સમાધિમરણ અર્થે કબ્ય જી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૮૦૬ અગાસ, તા. ૨૨-૧૦ -૪૯ હવે લખવા-વાંચવાનું ઓછું કર્યું છે એટલે હસ્તાક્ષરના કાગળની ઇચ્છા ગૌણ કરશેા અને પરમકૃપાળુદેવનાં છપાયેલાં વચનામાં જ વૃત્તિ રોકવા ભલામણ છેજી. તે વચનાનું અપૂર્વ માહાત્મ્ય છેજી. તેથી જે કઈ શ`કા હશે તે વાંચતાં વાંચતાં જ ખુલાસેા મળી રહેશેજી. મનને પરમકૃપાળુદેષનાં વચનાના વિચારમાં રેકી જગતને ભૂલી જવાનું શીખવાનું છેજી. સમાધિ-મરણ કરવું હોય તેણે તેા જે થાય તે ભલું માનવાના નિર્ણય કરવા ઘટે છે. અ'તર્ વૃત્તિએ કેમ વર્તે છે તેની તપાસ રાખવાના અને તેના પણ સંક્ષેપ કરવાના અભ્યાસ કન્ય છેજી. Page #698 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૬૭૩ ૮૦૭ અગાસ, તા. ૨૪-૧૦-૪૯ તત કે સત કાર્તિક સુદ ૩, સેમ, ૨૦૦૬ આ મનુષ્યભવમાં મુખ્ય કાર્ય તે જ્ઞાની પુરુષની નિરંતર આજ્ઞા ઉઠાવવી એ જ છે, પરંતુ આજીવિકાદિ હેતુથી તથા પૂર્વકર્મના તેવા સંસ્કારે અનાર્ય જેવા દેશમાં વસવું પડતું હોય તેણે વારંવાર બીજાં કામથી ઉદાસ થઈ જ્ઞાનીની અનંત કૃપાથી સ્મરણ, ભક્તિ આદિ સાધન પ્રાપ્ત થયેલ છે તે એક ઉદ્ધાર થવાનું સબળ કારણ માની વારંવાર સત્સાધનમાં વૃત્તિ વાળવી. ધન આદિ પરભાવમાં વહેતી વૃત્તિને જ્ઞાની પુરુષ, તેને સમાગમ, તેનાં વચને તથા તે મહાપુરુષના આત્માની ઉજજવળતા જેટલી લક્ષમાં આવે તેનું અહોનિશ સ્મરણ કરવું ઘટે છે. સત્સમાગમને વિગ છે ત્યાં કલ્યાણને પણ સામાન્ય રીતે વિયેગ છે, પરંતુ વિયોગના વખતમાં જે પુરુષ, તેને ઉપકાર, તેની પરમાર્થની ધગશ સ્મૃતિમાં વારંવાર આવી ઉદાસીનતા પ્રેરાતી હોય તે વિયેગમાં પણ કલ્યાણ થાય છે એમ પરમકૃપાળુદેવ કહે છે, તે માન્ય કરી દૂર રહ્યા છતાં આશ્રમનું વાતાવરણ અને પ. પૂ. પ્રભુશ્રીજીની સ્મૃતિ તથા તેમણે જણાવેલી પરમકૃપાળુદેવની ભક્તિમાં પ્રેમ રાખશે તે ત્યાં રહ્યાં રહ્યાં પણ પરભવ સુધરે તે લાભ થઈ શકે તેમ છે. ભાવ તે ઉત્તમ રાખે. જેમ કે ક્ષમાપનાના પાઠમાં રોજ બેલીએ છીએ કે તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ !” રાતદિવસ જ્ઞાની પુરુષની આજ્ઞામાં જ જાય એવી ભાવના કે આકાંક્ષા રાખવી, પણ તેમ ન બને ત્યાં સુધી બીજાં કામમાંથી આસક્તિ ઓછી કરી વૈરાગ્યપૂર્વક નવરાશના વખતમાં જ્ઞાની પુરુષનાં વચન, તેના સમાગમની સ્મૃતિ, સ્મરણ, ભક્તિ, વાંચન, વિચાર આદિમાં કાળ ગાળવાનું ચૂકવું નહીં. ફરવા જઈએ તો પણ બનતા સુધી એકલા જ જવું, અને મુખપાઠ કર્યું હોય તે બેલતા જવું, કે કંઈ ગોખવાનું હોય તે ગોખતા ગોખતા ફરવું, કંઈ નહીં તે સ્મરણ કર્યા કરવું. પણ સિનેમા, નાટક, પાટી કે ક્લબ વગેરેમાં નવરા માણસની પેઠે બેટી ન થવું. તે બધાં પાપબંધના કારણે છે. જેને જ્ઞાની પુરુષની આજ્ઞા નથી મળી તે શું કરે ? એવાં કર્મ બંધનાં કારણોમાં આનંદ માની જીવન વ્યર્થ ગુમાવે. પણ જેને સત્સંગ થયું છે, આજ્ઞા મળી છે, તેનાં મહાભાગ્ય છે કે, તે તરવાનાં સાધનમાં જ તલ્લીન થઈ તેની ધૂનમાં જ બચતે વખત આત્મહિતાર્થે વાપરે. આ શિખામણ વારંવાર વાંચી બને તેટલે જીવનકમ આત્મસુધારણામાં, નિજ દે દેખી દૂર કરવામાં તથા નિર્દોષ વાંચન, વિચાર કે આનંદમાં ગાળતાં શીખવાને દઢ સંકલ્પ કર્તવ્ય છે. નવું વર્ષ આ રીતે ગાળતા રહેશે તે તે કલ્યાણકર્તા નીવડશે. પૂ .ને પણ જગતની ચિંતાઓ તજી એક આત્મહિતના વિચારો તથા સતપુરુષનાં વચને વાંચવા, વિચારવા તથા મુખપાઠ કરી ફેરવતા રહેવા ભલામણ છેજ. છૂટવા માટે જ જીવવું છે, બંધનાં કારણોમાં આનંદ માન નથી અને જ્ઞાની પુરુષોએ કહ્યું છે તેમ “સુખ અંતરમાં છે, બહાર શોધવાથી નહીં મળે એ માન્યતા દઢ કરી, સંસારને પૂઠ દઈ, એક આત્મહિતમાં જ સુખની માન્યતા થાય તેમ વર્તવા વિનંતી છે. નવા વર્ષમાં અમુક ભાગ તત્ત્વજ્ઞાન કે મોક્ષમાળામાંથી મુખપાઠ કરે છે એમ નક્કી કરવું ઘટે છે. આલેચના, છપદને પત્ર, આત્મસિદ્ધિ, અપૂર્વ અવસર, મૂળમાર્ગ, ધન્ય રે 43 Page #699 -------------------------------------------------------------------------- ________________ ૬૭૪ બેધામૃત દિવસ આ અહો ! આદિ મુખપાઠ ન કર્યો હોય તો કરવાનો નિશ્ચય કરી રોજ કરવાં, અને ભક્તિનો નિત્યનિયમ, અમુક માળા ફેરવવા ઉપરાંત એકાદ કલાક દિવસે કે રાત્રે વાંચનનો નિત્યનિયમ રાખવે. શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત, ક્ષમાળા, સમાધિ પાન આદિ સલ્લામાંથી નિયમિત વાંચન કરવામાં લાભ છેજી. જ્યાં સુધી યુવાવસ્થા છે, જ્યાં સુધી રોગ આદિને ઉપદ્રવ નડતે નથી, બધી ઇન્દ્રિયે કામ આપે છે, ત્યાં સુધી પ્રમાદ તછ આત્મહિતમાં વિશેષ કાળ ગાળવાને વિચાર કરશે તે થઈ શકશે. પછી જ્યારે રેગ આવી પડે, ઇન્દ્રિ બગડે, ઉપાધિ વધે અને વૃદ્ધાવસ્થા કે મરણ નજીક આવે ત્યારે કંઈ બનશે નહીં. માટે પહેલેથી ચેતતા રહે તેને પાછળ પસ્તાવો કર ન પડે, અને સમાધિભાવમાં દેહ છૂટે. પરમકૃપાળુદેવને આ કાળમાં પરમ ઉપકાર છે કે “મોક્ષમાર્ગ બહુ લેપ” એવા કળિકાળમાં આત્માથીને માટે ખુલે મોક્ષમાર્ગ પ્રગટ કર્યો છે. જેનાં ધન્યભાગ્ય હશે તેને તેમણે દર્શાવેલા મોક્ષમાર્ગમાં પ્રીતિ થશે અને ટકી રહેશે. સત્સંગનો જોગ ન હોય તે સશાસ્ત્રમાં મનને રોકવા ભક્તિ આદિ વડે પરમકૃપાળુદેવ પ્રત્યે પરમ પ્રેમ રાખવા ફરી ભલામણ કરી વિરમું છું. # શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૮૦૮ અગાસ, તા. ૧૩-૧૧-૪૯ દોહરા – હે પ્રભુ! શી વિપરીતતા, વળગી આ ઍવ સાથ; દેહ વિકારે લગ્ન મન, રહે સદાય અનાથ. અતીન્દ્રિય નિજ જ્ઞાન ને સુખની ને શ્રદ્ધાય કહ, ભાવના તે તણી, કેવી રીતે થાય? પણ સદ્ગુરુ વેગે થતું સશ્રદ્ધા બળવંત; વચનગ આરાધતા, આત્મા લહું અનંત. વિ. આપને દરદનો ઊથલે મારે માંભળે. બનનાર તે ફરનાર નથી એમ ગણી, આ પૂર્વે બાંધેલું કર્મ જવા માટે આવ્યું છે તે જોગવતાં સ્મરણમાં ચિત્ત રાખવાનો પુરુષાર્થ કરે. શ્રી ગજસુકુમાર આદિ મહા ભયંકર વેદનાને સમભાવે ભેગવનાર મુનિવરોનાં અદ્ભુત પરાક્રમને સ્મૃતિમાં લાવી, તે વખતે દેહ અને આત્માની ભિન્નતાને અખંડ નિશ્ચય તેમણે ટકાવી રાખે તે ધ્યેય લક્ષમાં રાખી સમભાવની ભાવના નિરંતર કર્તવ્ય છેજી. અન્ય વિકલ્પમાં જતું ચિત્ત રોકીને પરમ પુરુષની દશાને ચિંતવવી હિતકર છેજી. હાડકાંના માળા જેવું શરીર પરમકૃપાળુ દેવનું થઈ ગયું છતાં તેમણે આત્મભાવના પિષી છે, તેમ શરીર અશક્ત અને દુઃખદાયી નીવડે ત્યારે આત્માને પુષ્ટિકારક એવાં પરમકૃપાળુદેવના વચને પરમ ઔષધમય માની વૈરાગ્ય અને સંગમાં વૃત્તિ રહ્યા કરે તે પુરુષાર્થ નવીન કમને રોકનાર બને છેજ. આત્મઆરોગ્યની જ ભાવના કર્તવ્ય છેજી. છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૧૫-૧૧-૪૯, મંગળ ભજવા પરમકૃપાળુને, સહજ સુખે ભરપૂર; એ આદર્શ ઉપાસવા, બન તન્મય, હે શૂર! Page #700 -------------------------------------------------------------------------- ________________ ૬૭પ પત્રસુધા આપને પત્ર મળે. વાંચી સમાચાર જાણ્યા. આપણી ગફલતને લીધે બીજા જીવોને સપુરુષ કે કલ્યાણનાં સાધનની આશાતનાનું નિમિત્ત થાય તે કર્મ બંધનનું કારણ જાણી, ભવિષ્યમાં તેમ ન વર્તાય તેની ખાસ કાળજી રાખવી ઘટે છેજી. પરમકૃપાળુદેવને ચિત્રપટ કોઈને ભક્તિ અર્થે ન વાપરો હોય તે આપણે આપણી પિટીમાં રાખી રોજ દર્શન-ભક્તિ આદિનું નિમિત્ત બનાવવું ઘટે છે. તે ચિત્રપટ આગળ નમસ્કાર આદિ વિનયભક્તિ કરી, તમે ધાર્યું તે પ્રમાણે વતની ભાવના કરવા ભલામણ છે તથા નવ વાડ વિષે વિશેષ કાળજી રાખી આત્માર્થે સાવધાનીપૂર્વક વર્તવા ભલામણ છેજ. આત્માથી સૌ હીન” એ વાક્ય વિચારી બીજી બાબતમાં ભટકતા ચિત્તને ઠપકો દઈ, વારંવાર પાછું વાળી પરમકૃપાળુદેવના અચિંત્ય અદ્ભુત સ્વરૂપમાં, સમરણમાં, ભક્તિમાં કે વાંચન-વિચાર આદિ સ્વાધ્યાયમાં જોડવું હિતકારી છે. આ ગ આત્મહિત સાધવાનો વારંવાર બીજા ભવમાં પણ મળવો મુશ્કેલ છે એમ વિચારી આ જ ભવમાં પરમ પુરુષને શરણે બને તેટલું આત્મહિત સાધી લેવાને નિર્ણય કરી સમાધિમરણને અર્થે પુરુષાર્થ કર્તવ્ય છેજી. વારંવાર મરણ સંભારવાથી વૈરાગ્યવૃદ્ધિ થવા સંભવ છેછે. આપણામાં જે દોષ છે તે દૂર થવા નિર્દોષ નરના કથનમાં વૃત્તિ વારંવાર જાય, ત્યાં ટકે તેમ અભ્યાસ કર્તવ્ય છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ બહુ જ સંક્ષેપમાં તમે પૂછેલા પ્રશ્નોને ઉત્તર લખું છું - પ્રતિશ્રોતી=સ્વીકાર કરનાર કંઈ ન બને તે પણ જ્ઞાનીનું કહેલું અંગીકાર કરનાર, માન્ય કરનાર. પારિણામિક વિચારવાળા=જે કાર્ય કે ભાવ થાય છે તેનું શું પરિણામ આવશે એના વિચાર કરનાર, અનુત્તરવાસી થઈને વર્ત =ઉત્તર એટલે ચઢિયાતું, જેથી કંઈ પણ ચઢિયાતું નથી એ આત્મા-“આત્માથી સૌ હીન’ એવા અનુત્તરવાસી એટલે સર્વોત્કૃષ્ટ આત્મા જ્યાં પ્રગટ છે ત્યાં જેના ચિત્તનો વાસ છે તે અનુત્તરવાસી સમજાય છે; તે થઈને વર્ત. એ વિવેક ખરો છે= પરમકૃપાળુદેવે જે મોક્ષમાળામાં વિવેકનો પાઠ લખ્યો છે, અજ્ઞાન અને અદર્શનથી આત્મા ઘેરાઈ ગયા છે તે સમ્યફજ્ઞાન અને સમ્યફદર્શનરૂપે જેથી જેથી જણાય તે વિવેક. સંસાર અસાર ભાસે અને મોક્ષ સર્વોત્કૃષ્ટ, રમણીય, પ્રિય, હિતરૂપ જેથી ભાસે તે વિવેક. મહદશામાં તે વિવેક નથી હોતો કે નથી રહેતું. ઉપેક્ષા=મધ્યસ્થતા, સમતા પરિણામ થાય તેવા વિચાર. જે વિચારનું ફળ સમદષ્ટિતા કે સમભાવ, તેવી ભાવના તે ઉપેક્ષાભાવના છે. મૈત્રી આદિ ભાવનાની ટોચ એ છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૮૧૧ સીમરડા, તા. ૭-૧-૫૦ તત સત પષ વદ ૩, શનિ, ૨૦૦૬ લઘુતામાં પ્રભુતા વસે, પરમકૃપાને વેગ, પરમકૃપાળુ દેવને, ગે સ્મરું અગ. (લઘુગવાસિષ્ઠ-સાર) તીર્થક્ષેત્ર શ્રી સીમરડા ગામથી લિ. પુરુષના ચરણકમળની સેવાને નિરંતર ઈરછક સંતચરણરજ બાળ ગોવર્ધનના આત્મસ્મૃતિપૂર્વક સદ્ગુરુવંદન સહ નમસ્કાર સ્વીકારવા વિનતિ ૧ જુએ પત્રાંક ૮૪ ૨ જુએ પત્રાંક ૧૧૨ Page #701 -------------------------------------------------------------------------- ________________ ૬૭૬ બધામૃત છે. આપનાં ત્રણ કાર્ડ હમણાં હમણાં મળ્યાં છેજ. પોષ સુદ ૬ ને રવિવારે આશ્રમથી વિહાર કરી અહીં આવવું થયું છે અને અહીં શેડા માસ રહેવા વિચાર છે. પછી પરમકૃપાળુદેવ જે સુઝાડે તે ખરું. હવે પત્ર લખવા વિચાર થાય તે શ્રી મોતીભાઈ રણછોડભાઈ ભગતજીને સિરનામે લખવા વિનંતી છે. લખવા કરતાં પરમકૃપાળુદેવમાં લક્ષ વિશેષ ઠરે, સ્થિર થાય તેમ કર્તવ્ય છે. હમણાં આશ્રમનું વાતાવરણ ક્લેશિત લાગવાથી આમ કરવું પડ્યું છેજ. પરમકૃપાળુદેવની કૃપાથી શાંતિ વર્તે છે.જી. આશ્રમમાં સાધકસમાધિખાતાનું રસોડું પણ આજથી બંધ કર્યું છે તે સહજ આપને જાણવા લખ્યું છે. કંઈ વિકલ્પમાં પડવાને બદલે પરમકૃપાળુદેવને શરણે સ્મરણ-ભક્તિમાં, ધર્મધ્યાનમાં કાળ જાય તેમ કર્તવ્ય છે. સૌ સૌના પ્રારબ્ધ પ્રમાણે શુભાશુભ બની આવે છે તેમાં સમતા એ જ બચવાનું સ્થાન અને ઉદ્ધાર કરનાર છે. હાલ એ જ % શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૮૧૨. સીમરડા, તા. ર૯-૧-૫૦, રવિ દેહરા – લાલચથી ખાડે પડે મૃગ, તેમ મેહુ-ખાડ ગંધાતી ત્યાં મૂર્ખ જન, પડતાં ભાંગે હાડ. મનહર દેખી વસ્તુઓ, સાથુ મને મુઝાય, નૃત્ય નિહાળી તે વદે, સ્ત્રીતન, ચંચળ હાય! હરણ-નયન વનવૃક્ષને, આકર્ષક નહિ જેમ; આકર્ષ નહિ રામને, લલના નયને તેમ. (લઘુયે ગવાસિષ્ઠસાર) આપને પડી જવાથી સખત વાગ્યું છે એમ જાણ્યું. “જે થાય તે મેગ્ય જ માનવામાં આવે” એવું પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રનું એક વાક્ય છે તે જીવને શાંતિ આપનાર છે. મુશ્કેલીઓ જગતમાં ન હોય તે જીવને ઉન્નતિ કરવી બહુ વિકટ થઈ પડે તે જીવને સ્વભાવ શિથિલતાવાળો થઈ પડ્યો છે. ધંધામાંથી હમણાં નિવૃત્તિ લેવી પડી હશે. તે નિવૃત્તિને સદુપયોગ છાપાંને બદલે સશાસ્ત્ર વાંચવા-વિચારવામાં ગાળવા ભલામણ છે. કારણ કે હાલ સ્વતંત્ર પ્રજાસત્તાક તંત્રના ઉત્સવ નિમિત્તે સચિત્ર અને અનેક આકર્ષક નીકળેલ છે, તે વાંચવા કરતાં આત્મજ્ઞાની પુરુષનાં વચને વાંચવામાં, મુખપાઠ કરવામાં, વિચારવામાં, ચર્ચવામાં, ભાવના કરવામાં જેટલી ક્ષણે જશે તેટલું આ ભવ પરભવનું હિત સધાશેજી. પૂ...ને ભલામણ છે કે કંઈ ને કંઈ વાંચવાનું એકાદ કલાક જરૂર રાખવું. જે વાંચ્યું હોય તે કોઈને કહી બતાવવાનું રાખવું. તેથી સમજીને વંચાય છે કે નહીં તે ખબર પડશે. સત્સંગની ભાવના રાખવી પણ ઉતાવળ કરવી નહીં. સત્સંગના વિયેગમાં સત્સંગમાં જ ચિત્તવૃત્તિ રહે છે તે સત્સંગતુલ્ય છે, એમ પરમકૃપાળુદેવે કહેલું છે. જે પ્રારબ્ધ બાંધેલું હોય તે આવી પડે ત્યારે કંટાળવું નહીં, પણ શૂરવીરપણે વેઠી લેવું. સ્વમ જેવી વસ્તુઓમાં વિક૯પ ન કરવા. બધું જવાનું છે. જેની સારી ભાવના છે તેનું સારું જ થવાનું છે. સત્સંગના વિયેગમાં અસત્સંગથી ભડકતા રહેવું. ઠામઠામ અસત્સંગના પ્રસંગે આ કાળમાં બને છે. તેથી ઝાઝું સમજવાની ઈચ્છાએ અસત્સંગ ન ઉપાસો. કંઈ નહીં તે મંત્રની માળાઓ ફેરવાશે તે તે પણ પુસ્તકની ગરજ સારે તેમ Page #702 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા છે. માત્ર જીવને સસ્ત્રદ્ધાની જરૂર છે. પોતાની દશા કરતાં ચઢિયાતી દશા હોય તેવાને સત્સંગ કામને છે. તે જોગ ન હોય તે પિતાના જેવી છૂટવાની જેની ઈચ્છા છે તેને સમાગમ પણ હિતકારી છે. તે પણ જગ ન હોય તે પિતાને વિશ્વ ન કરે પણ કહ્યું કરે તેવા જીવને સમાગમ પણ ઠીક કહ્યો છે. તે પણ જોગ ન હોય તે ઘેર બેઠાં મંત્રસ્મરણ કર્યા કરવું, પણ કુસંગતિની ઈચ્છા પણ ન કરવી. આ સમજવા જેવી વાત ભગવાને કહેલી છે. જે લક્ષ રાખશે તે આ કાળમાં ઠગાશે નહીં. ચિત્ત પ્રસને રે પૂજન ફલ કહ્યું રે, પૂજા અખંડિત એહ; કપટરહિત થઈ આતમ અરપણા રે, આનંદઘન પદ રેહ રાષભ જિનેશ્વર પ્રીતમ માહરે રે.” ૮૧૩ સીમરડા, તા. ૨૯-૧-૫૦, રવિ દેહરા – આપદ કે સંપદ ભલે, ઘરમાં શું છે સાર? મિથ્યા મનની કલ્પના, આશા સર્વ અસાર. કટુતા અતિ વેઠી છતાં, વળી વળી વિષયે વાસ; તે નર નહિ પણ મૂઢ તે, ખર સમ સમ ખાસ. (લઘુગવાસિષ્ઠસાર) આપને પત્ર મળે. શ્રી આશ્રમ તરફથી નવી આવૃત્તિ છપાય છે તેમાંથી ઘણો ખુલાસો થવા સંભવ છે. માત્ર તમારી જિજ્ઞાસા જાગ્રત રહે એટલા પૂરતું ટૂંકામાં અત્રે જણાવું છું છે. પત્રાંક ૭૨૮ માં “મરણકાળે શરણ સહિત છતાં ઘણું કરીને ફરી દેહ ધારણ કરતા નથી, અથવા મરણકાળે દેહના મમત્વભાવનું અલ્પત્વ હોવાથી પણ નિર્ભય વર્તે છે.” મરણ તે અનિવાર્ય છે. તીર્થકર જેવાને પણ દેહ છૂટે છે તેથી શરણુરહિત (મરણકાળે) કહ્યું. જ્ઞાનીપુરુષ અને જ્ઞાનીના આશ્રિત, ગીતાર્થ અને ગીતાર્થના આશ્રિત એ મોક્ષમાર્ગમાં છે એ શાસ્ત્રવચન છે. મોક્ષમાર્ગે ચઢેલે જીવ ઉત્કૃષ્ટ પુરુષાર્થ કરે તે તે ભવે મોક્ષે જાય. “સાધે તે મુક્તિ લહે, એમાં ભેદ ન કોય.” જ્ઞાનીનાં વાક્યો સિદ્ધાંતરૂપ છે. પત્રાંક ૬૯૨ માં “દુર્લભ એવો મનુષ્યદેહ પણ પૂર્વે અનંત વાર પ્રાપ્ત થયા છતાં જે આશ્રયને પામીને જીવ તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ (મેક્ષ) કરે.” આ કાળમાં મોક્ષ ન થાય એવી પરમકૃપાળુદેવની માન્યતા નથી. તેથી ઊલટું તેવી વાત સાંભળવાની પણ મના કરે છે. “પુરુષાર્થ કરો અને મોક્ષ જતાં કાળ હાથ ઝાલવા આવશે ત્યારે જોઈ લઈશું” એમ ઉપદેશ છાયામાં છે. જ્યાં મેહના વિકલ્પ છે ત્યાં સંસાર છે. ઊપજે મેહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવેલેકતાં, વિલય થતાં નહિ વાર.” (૫૪) અશરીરી ભાવે આ કાળમાં ન રહી શકાતું હોય તે અમે જ નથી, એમ પણ લખ્યું છે. આ બધું વિચારતાં જ્ઞાનીને મેક્ષ અને લૌકિક મોક્ષ જુદા જણાય છે. એક પત્રમાં મોક્ષ હથેળીમાં છે” એમ પણ લખ્યું છે. ઈષત્ પ્રાગભારા પૃથ્વી પર ત્યાર પછી છે. ટૂંકામાં મોક્ષ પ્રાપ્ત થઈ શકે એમ છે એટલે વિશ્વાસ રાખી મોક્ષાથે સત્પુરુષાર્થ કરવામાં પાછી Page #703 -------------------------------------------------------------------------- ________________ ૬૭૮ બધામૃત પાની ન કરવી. મોહ મૂક્યા વિના મોક્ષ થાય તેમ નથી. તેથી મેહના વિક૯પ, વૈરાગ્ય ઉપશમ વધારી, ટાળવા ઘટે છેજ. છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૮૧૪ સીમરડા, તા. ૨૯-૧-૫૦ દેહરા – ચતુર વિષય ચેરે ઘણા, વિવેક રત્ન હરાય, જ્ઞાની સુભટ વિના રણે, કોણે જીત્યા જાય ? દીપશિખા સમ લક્ષમી પણ, અડતાં દેતી દુઃખ, વિનાશ કાજળ ઉર ધરે, મૂર્ણ ગણે ત્યાં સુખ. (લઘુયોગવાસિષ્ઠસાર) પરદેશમાં રહેવું થાય ત્યાં સુધી એક પણ દિવસ નિત્યનિયમ ન ચુકાય એ લક્ષ રાખવો. દિવસે ન બને તો રાત્રે, રાત્રે ન બને તે દિવસે પણ એક વખત તે ત્રણ પાઠ અને મંત્રની માળા જરૂર કર્તવ્ય છેજી. વધારે વખત હેય તે તત્ત્વજ્ઞાન, મોક્ષમાળા કે સમાધિ પાન જેવાં ધાર્મિક પુસ્તકના વાચનમાં વખત ગાળ. ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીનાં દર્શન, સમાગમ કે બેધ યાદ હોય તે યાદ કરે, બને તે લખી રાખો અને તેને અનુસરીને વર્તવાની ભાવના કર્તવ્ય છે.જી. અનાર્ય દેશમાં પુસ્તક વગેરે ન મળે, તે જે મુખપાઠ કર્યું હોય તે વારંવાર બલવું, વિચારવું. સ્મરણમંત્રનું રટણ કામ કરતાં પણ કર્યા કરવું. સદાચાર એ ધર્મને પાયે છે. માટે જેને પિતાના આત્માનું હિત કરવું હોય તેણે અન્યાય અને પાપને માર્ગે તે કદી ન જ જવું. મન આડાઅવળા વિકલપિમાં ચઢી જાય તે ત્યાંથી પાછું વાળી મંત્રમાં કે જ્ઞાનીપુરુષનાં આત્મસિદ્ધિ આદિ શાસ્ત્રના મનમાં જેડવું. નવરું મન રહ્યું છે તે નખેદ વાળે તેવું છે; માટે તેને સારા કામમાં જોડેલું રાખવું. # શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૮૧૫ સીમરડા, તા. ૩૧-૧-૫૦ હાલ ત્યાં પરદેશમાં રહેવું થાય છે ત્યાં સુધી ખાસ લક્ષમાં રાખવા ગ્ય સૂચનાઓ લખું છું તે વારંવાર વાંચી લક્ષમાં લેવા વિનંતિ છે. હજી નાની ઉંમર છે, છતાં સ્મરણભક્તિમાં દિવસે દિવસે ભાવ વધતું જાય તેમ વર્તવા યોગ્ય છે. રોજ ત્રણ પાઠવીસ દેહરા, યમનિયમ અને ક્ષમાપનાનો પાઠ–અચૂક બલવાને નિત્યનિયમ ન ચૂક, મંત્રની પણ એકાદ માળા તે રોજ ફેરવવી, વધારે અને તે સારું. આત્મસિદ્ધિ આદિ મુખપાઠ કરેલ હોય તે રોજ ન બને તે બે-ચાર દિવસે પણ એક વાર તે જરૂર બોલી જવું. નવું મુખપાઠ કરવા વિચાર થાય તે તત્ત્વજ્ઞાનમાંથી પાછળના કાવ્ય, પદો, છપદને પત્ર તથા પુષ્પમાળા આદિ પરમકૃપાળુદેવને હૃદયમાં સંભારી તેની આજ્ઞાએ મુખપાઠ થાય તે કર્યા કરવું અને મુખપાઠ કર્યું હોય તે ભૂલી ન જવાય તેટલા માટે ફેરવતા રહેવું, વાંચતા રહેવું, વિચાર બને તેટલે કરે. મેક્ષમાળા પાસે હોય તે તે પણ વારંવાર વાંચવી; અંદરથી ઠીક લાગે તે તે સુખપાઠ પણ કરવા. બધી મોક્ષમાળા મુખપાઠ કરવા જેવી છે. કોઈ સાથે ભક્તિ કરનાર નથી એમ ગણી આળસ ન કરવું. એકલે જ જીવ આવ્યો છે અને મરણ પણ એકલાનું જ થવાનું છે, માટે એકલા હોઈ એ તે પણ ધર્મ ચૂકવો નહીં, ગભરાવું નહીં. ધીરજનાં ફળ મીઠાં છે. આગળ ઉપર બધું સારું થઈ રહેશે. કેઈની સાથે અણબનાવ થાય તેમ ન વર્તવું. બધાંયનું Page #704 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૬૭૯ પરમકૃપાળુદેવ કલ્યાણ કરે એવી જ પ્રાર્થના કરવી. બધાંની સેવા કરવી, તેમને રાજી શખવાં; તે આપણને ભક્તિમાં કઈ વિધ્ધ કરે નહીં. મંત્ર મનમાં બેલ્યા કરવાની ટેવ રાખવી. હાથે પગે કામ કરવું પડે; જીભને શું કામ છે ? તેને મંત્ર બોલવામાં રોકવી. સીમરડા, ૯-૨-૫૦ તત્ સત્ મહા વદ ૭, ગુરુ, ૨૦૦૬ દેહરા –. ચિત્ત સેવકો સાચવે, માયામય ઘર-છાજ, દુઃખ બાળકે ત્યાં રડે, ગમે નહીં, મહારાજ. સરે શું ય લક્ષ્મી વડે? રાજ્ય વડે શું થાય ? કાયા કે ક્રિયા બધાં, અ૫ કાળમાં જાય. એના એ અનુભવ કરે, સુખદુઃખ વારંવાર, પણુ પામર લાજે નહીં, તે તનને ધિક્કાર ! હું દેહ ન”, “ન દેહ મુજ’, એમ ગણે જન જેહ, શાંતચિત્ત એ સમજથી, ઉત્તમ સમજું તેહ. તરુ જીવે મૃગલાં છે, જીવે પક્ષી વ્યર્થ, તત્ત્વજ્ઞાને વશ કરે, મન તે જીવે યથાર્થ. (લઘુગવાસિષ્ઠસાર) વિ. આપને પત્ર મળ્યો હતો. આપે પૂછેલ પરમકૃપાળુદેવે લખેલી કડીને ભાવાર્થ યથામતિ સદ્દગુરુશરણે નીચે જણાવું છું હોત આસવા પરિવા, નહિ ઇનમેં સંદેહ, માત્ર દણિકી ભૂલ હૈ, ભૂલ ગયે ગત એહ” (હા. નં. ૧-૧૪) ભાવાર્થ – આસવ એટલે કર્મ આવે તેવા ભાવ અથવા તેવાં બાહ્ય નિમિત્તો. કર્મ આવે તેવા ભાવ થાય તે તે જરૂર જ્ઞાની કે અજ્ઞાનીને કર્મ આવે જ, એ સિદ્ધાંત છે. પણ નિમિત્તા પૂર્વ કર્મને વેગે કર્મ બંધાય તેવાં મળી આવે તે પણ જ્ઞાની પુરુષે જાગ્રત રહેતા હોવાથી તે નિમિત્તોમાં તદાકાર નહીં થતાં, મનને પલટાવી સમભાવ કે શુભભાવમાં લઈ જાય છે. તેથી શુભાશુભ કર્મને કે અશુભ કર્મને આસવ થતે રેકાય છે, તેવી દશાને પરિસવા અથવા સંવર કહેવાય છે. નવાં કર્મ ન બંધાય તેવા ભાવ થાય ત્યારે પહેલાં બાંધેલાં કર્મ ઉદયમાં આવી નિર્જરી જાય છે. આ પ્રકારે જ્ઞાની પાસે એવી યુક્તિ છે કે તેના બળે તે બંધન થાય તેવા પ્રસંગમાં પણ, બંધન છૂટે અને નવે બંધ ન પડે તેવા ભાવમાં રહી શકે છે. બંધન થવાનું કારણ દષ્ટિની ભૂલ છે. “પગ મૂકતાં પાપ છે, જેમાં ઝેર છે, અને માથે મરણ રહ્યું છે એ વિચારી આજના દિવસમાં પ્રવેશ કર.” (પુષ્પમાળા) આમ ઝેરવાળી દષ્ટિ, કષાય અને અજ્ઞાનદશાની દષ્ટિ બંધન કરાવનાર છે, તે ભૂલ છે. આત્મદષ્ટિ થાય તે દેહાદિક પર્યાય તરફ જવાની ભૂલ, રાગદ્વેપ-અજ્ઞાનની ભૂલ ટળે. જેને સત્સાધન સમરણમંત્ર વગેરેની આજ્ઞા મળી છે, તે જે પરમગુરુની દશામાં વૃત્તિ રાખી વૈરાગ્યદશા વધારે છે તે પણ અનાદિ પર્યાયદષ્ટિ ઘટાડી કાં તે સ્મરણ આદિ સાધનમાં રહેવાથી અશુભ ભાવ થવા ન દે Page #705 -------------------------------------------------------------------------- ________________ ૬૮૦ બેધામૃત અને પિતાના દેષ જોવાની ટેવ પાડી તેથી બચવા સદ્દગુરુની અદ્દભુત દશાની સ્મૃતિમાં રહે તે આત્મદષ્ટિ પ્રાપ્ત થવાને વેગ બની આવે; દષ્ટિની ભૂલ છે તે ભૂલ ગયે તે આસવનાં નિમિત્તોમાં ન લેપાય અને સંવરમાં વૃત્તિ પ્રેરાય તેથી નિર્જરા થાય એવી દશા (ગત=ગતિ પ્રાપ્ત થાય. પરમકૃપાળુદેવનું જીવન જાણ્યું હોય તેને પ્રત્યક્ષ સમજાય એવું છે કે ભારે ઉપાધિનાં કામ તેમને કરવાં પડતાં. માંડ વખત પત્રવ્યવહારને પણ બચતે. તેવાં આસવનાં નિમિત્તોમાં તેમણે આત્મ-આરાધના સાધી તે આસવમાં સંવરને જ્વલંત રાખે છે. માત્ર દેહદૃષ્ટિની ભૂલ ટાળી તેમણે આત્મદષ્ટિ પ્રાપ્ત કરી હતી, તેથી આસવમાં સંવર તેમને થતું. પર્યાયદષ્ટિ ટાળી દ્રવ્યદષ્ટિ જેને પ્રાપ્ત થાય છે તેને આસવના સ્થાનમાં સંવર નિર્જરા થાય છે. એ બને લીટીને ટૂંકે અર્થ છે. જેમ બને તેમ જ્ઞાની પુરુષ, પરમકૃપાળુદેવના શરણમાં બુદ્ધિ રાખી બને તેટલે ભક્તિભાવ, સ્મરણ, વાચન, વિચાર, ભાવના કર્યા કરવી. સાચને આશ્રયે વર્તનાર સાચની પ્રાપ્તિના માર્ગમાં વર્તે છે.જી. હાલ એ જ શાંતિઃ શાંતિઃ શાંતિઃ દેહરે – દોષ-મૂર્તિ આ દેહ પણ, ક્ષણિક-શિરોમણિ ખાસ; જીર્ણ તૃણ સમ તુચ્છ તે, માની રહું ઉદાસ. ૮૧૭ સીમરડા, તા. ૧૧-૨-૫૦ તત ૐ સત્ મહા વદ ૯, શનિ, ૨૦૦૬ દોહરો – પૂર્ણ પરમપદ સાધવા, કરું અનેક ઉપાય, ગુરુ શરણે સૌ સફળ હો, બોધિ-સમાધિ સહાય. સત્સંગના વિયેગે જીવે વિશેષ પુરુષાર્થ કર્તવ્ય છે, નહીં તે સત્સંગયેગે જે દશા જીવની સુધરી હોય તે મંદ બની પાછી દેહાદિની કાળજી કરતે જીવ થઈ જાય એ સ્વાભાવિક છે. માટે પરમકૃપાળુદેવના વચને વિચારી જે કંઈ જાગૃતિ તે વચને દ્વારા પ્રાપ્ત થાય તેનું વારંવાર સ્મરણ રાખી, ઉદાસીન દશા વર્ધમાન થાય અને માથે મરણ ઝઝૂમી રહ્યું છે તેની તૈયારી કરવા સદૂગુરુની આજ્ઞા પ્રત્યે ઉ૯લાસિત પરિણામ રહ્યા કરે તેમ પુરુષાર્થ કર્તવ્ય છે. અહીં પત્ર લખવાની વૃત્તિ પણ થતી નથી અને તે અવકાશ પણ રહેતો નથી, તેથી પરમકૃપાળુદેવનાં વચને જે જે સાંભળ્યાં હોય, મુખપાઠ કર્યા હોય કે વંચાય તેમાં વૃત્તિ જોડી રાખી તે મહાપુરુષની અલૌકિક દશા પ્રત્યે આશ્ચર્ય અને પૂજ્ય બુદ્ધિ વધે તથા તેમના શરણે નિસ્પૃહદશા, નિષ્કષાયદશા પ્રાપ્ત થાય તેવી ભાવના, વિચાર, વાતચીત કર્તવ્ય છેજ. નિજ દેષ અપક્ષપાતપણે જોવાની ટેવ પડે, તેના ઉપાય વિચારી બને તેટલી આત્મશુદ્ધિ થાય તેમ લક્ષ રાખ ઘટે છેજ. જગતની વાતે ભૂલી ગયા વિના ચિત્તને તે અવકાશ મળવો મુશ્કેલ છે માટે નિવૃત્તિને વેગ હોય તેણે તે નિવૃત્તિમાં પરમકૃપાળુદેવની સત્સંગની ભાવના, ત્યાગ ભાવના, સહજ સ્વભાવે ઉદયાધીન પ્રાપ્ત થતાં કર્મો પ્રત્યે ઉદાસીનતા અને આત્મવિચારના અદ્ભુત ગુણોમાં વૃત્તિ લય થાય તેમ કર્તવ્ય છે. આ કાળ દુષમ છે અને જીવ તે તે પ્રસંગે ઓળંગવાને પુરુષાર્થ ન કરે તે લૌકિક પ્રવાહમાં તણાઈ જવાને સંભવ છે. માટે પ્રથમ પિતાનું હિત સાધવું છે એ લક્ષ રાખી, Page #706 -------------------------------------------------------------------------- ________________ ૬૮૧ પત્રસુધા પોતાને સંગે જે પરમકૃપાળુદેવની ઉપાસનાની ભાવના રાખતાં હોય તેમના સંગ આત્મહિતાર્થે કરવા ચાગ્ય છે. કોઈ પણ પ્રકારે બીજાના સંગમાં સ્વાંની ગ`ધ પણ ન રહે એવી પેાતાની વૃત્તિને તપાસી અસ’ગપણા અર્થે જ જીવવું છે એ લક્ષ સર્વોપરી રાખવા ઘટે છેજી. ......એ કાઈ સાધ્વીની વાત લખી છે ને વડી દીક્ષા તેની ઇચ્છા હશે તે દેવાની ઇચ્છા તેમની જણાય છે. તેમને ઉપરની વાત જણાવવી અને સાથે રહે તે પરમકૃપાળુદેવના ઉપાસક છે એમ જાણી તેના સત્સંગ ઇચ્છવા, પણ ગુરુપણું પેાતામાં ન પેસી જાય તે લક્ષ્ ઊંડા ઊતરીને વિચારવેા; નહીં તે જે સંગ સહેજે છૂટ્યો છે તેને પાળે ખેલાવી ઉપાધિમાં પડવા જેવું થાય, તેનું મન સાચવવા પેાતાનું કરવાનું ગૌણ કરવું પડે. હાલ તેને વીસ દેહરા, ક્ષમાપનાને! પાઠ અને યમનિયમ મુખપાઠ કરવામાં રસ પડે તેમ ભક્તિમાં સાથે રાખી તેની ઇચ્છા ઉપરાંત ક'ઈ પરાણે પરમકૃપાળુદેવનાં વચન પણ ન ગોખાવવાં એવી સૂચના તેમને જણાવશેજી. પરમકૃપાળુદેવનું માહાત્મ્ય લાગે, પછી તેવા યાગ મળી આવ્યે સ્મરણ વગેરેની આજ્ઞા તેને મળશે. હાલ ઉતાવળ ન કરે. તેના ભાવ જાગ્યે બધું થઈ રહેશે. સ્મરણ સાંભળે તેમાં હરકત નથી. તે પણ તેને ગરજ જાગે અને પૂછે કે મારે શું કરવું ? તેા જ તેને પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ નમસ્કાર કરાવી ત્રણ પાઠ શીખવા કહેવું ઘટે છેજી. સાંભળતાં સાંભળતાં તેને મુખપાઠ થાય તે હાલ ઇચ્છવા ચેાગ્ય છે. માગે તે તત્ત્વજ્ઞાન વાંચવા આપવામાં હરકત નથીજી. ૧૮ તત્ સત્ -કળિયુગ–ઝાળે દાઝતા, જીવ અચાવા કાજ, સુધાઇધિસમ રાજચંદ્ર, નમું, સ્મરું સુખસાજ. જ્યાં પ્રારબ્ધની ફસના હોય ત્યાં જવું આવવું રહેવું મને છે એમ જાણી, કાઈ પણ પ્રકારે સ્થળ તથા સંજોગો પ્રત્યે રાગદ્વેષ ન થવા દેવાની ભાવનાએ વર્તવા યેાગ્ય છેજી. એ ઘડી વખત કામકાજમાંથી બચે ત્યારે પૂ..... પાસે કઈ ચાવી પરમકૃપાળુદેવનાં વચનેાને વિશેષ વિશેષ વિચાર જાગે, તથા જન્મમરણનાં દુઃખ, તેનાં કારણેા, તથા જ્ઞાનીપુરુષે કહેલા ઉપાય આદિમાં વારંવાર વૃત્તિ જાય તથા તે જ લક્ષ વર્ત્યા કરે તેવી ગરજ દિન દિન પ્રતિ વધતી રહે તેવા ભાવની ઉપાસના કરતા રહેવા ભલામણ છે. પરમકૃપાળુદેવ લખે છે કે ખીજા પદાર્થાંમાં જીવ જો નિજબુદ્ધિ કરે તે પરિભ્રમણદશા પામે છે; અને નિજને વિષે નિજબુદ્ધિ થાય તે પરિભ્રમણદશા ટળે છે.” (૫૩૯) આ વાર વાર વિચારી બાહ્ય માહાત્મ્યમાં જતી બુદ્ધિને સદ્ગુરુ શરણે ચૈતન્યભાવ પ્રત્યે સદ્ગુરુના ઉપકારમાં, સદ્ગુરુના સ્વરૂપમાં સદ્ ગુરુએ જાણ્યું છે એવા શુદ્ધચૈતન્યસ્વરૂપમાં રોકવાના પુરુષાર્થ કર્તવ્ય છેજી. જ્ઞાનીએ જાણ્યું છે તેવા સ્વરૂપ કરતાં બીજી ખાખતાનું માહાત્મ્ય ન લાગે, ભાવ ન જાગે અને જ્ઞાનીના સ્વરૂપમાં જ સંતોષભાવ વર્તાય, પ્રસન્નતા રહે તેમ ફર્તવ્ય છેજી, પોતાનાથી બને તેટલી આત્મભાવના સદ્ગુરુ શરણે કરવી ઘટે છેજી. દાહરા સીમરડા, તા. ૮-૩-૫૦ ફાગણ વદ ૫, ૨૦૦૬ Page #707 -------------------------------------------------------------------------- ________________ ૬૮૨ બાધામૃત. હાથે પગે કામ કરવાનું થાય છે, મન પરમકૃપાળુદેવ પ્રત્યે રાખવા યોગ્ય છે.જી. મંત્રસ્મરણને અભ્યાસ પણ વધારવા ગ્ય છેજ. કારણ કે આખરે તે જ એક આધારરૂપ છે. કર્મને વાંક કાઢ્યા વિના આટલા કાળ સુધી થયેલ સત્સંગની સ્મૃતિ કરી જેવા દિવસ આવે તેવા સદ્ગુરુશરણે પ્રસન્ન ભાવે અને સહનશીલતા સહિત ઉત્તમ રીતે ગાળવા છે એમ દઢતા રાખવી. ગોકુળમાં વસનારી ગોપાંગનાઓને શ્રીકૃષ્ણ તે ભવમાં ફરી ગોકુળ જઈને મળ્યા નથી છતાં તેમના અખંડિત પ્રેમને લીધે તે ગોપાંગનાઓ આજ સુધી ભક્તિની બાબતમાં ગવાય છે; તેમ પરમકૃપાળુદેવને શરણે સમાધિમરણ આ ભવમાં સાધવું છે, તે તેમની કૃપાથી બની આવશે એ વિશ્વાસ રાખી આપણુથી થાય તેટલે પુરુષાર્થ કરી છૂટ. નિર્ભય રહેતાં શીખવું, કર્મથી પણ હિંમત હારવી નહીં. બધું જશે પણ આત્મા જવાને નથી એ વારંવાર સાંભળ્યું છે, તે હવે “ફિરકા ફાકા ભર્યા તાકા નામ ફકીર' એમ સમજી નિશ્ચિતપણે સદ્દગુરુશરણે દેહની દરકાર ઘટાડ્યા કરવી અને આત્મકલ્યાણને લક્ષ રાખ. પરભાવમાં જતી વૃત્તિઓ પરમકૃપાળુદેવ તરફ દષ્ટિ કરી ભૂલી જવી એ જ હિતકારક છેજ. પર પ્રેમપ્રવાહ બ પ્રભુસે, સબ આગમભેદ સુરિ બસે, વહ કેવલ બીજ જ્ઞાની કહે, નિજક અનુભવ બતલાય દિયે.” ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૮૧૯ સીમરડા, તા. ૯-૩-૫૦ ફાગણ વદ ૬, ગુરુ, ર૦૦૬ कलिकालानले दग्धान् जीवांस्त्रातुं समुद्यतः । राजचंद्रसुधासिंधुर्नमस्तस्मै स्मराम्यहम् ॥ તમારા બન્ને પત્રો મળ્યા. રાત્રે નહીં જમવાનું પૂને વ્રતરૂપે બાર માસ સુધી પાળવાની ઈચ્છા છે તે પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ નમસ્કાર કરી ભાવના કરવા જણાવશોજી. અને બાર માસમાં પુરુષાર્થ કરી બને તે મોક્ષમાળા મુખપાઠ કરી લેવી છે એવી દૃઢતા રાખશે તે તે અંગે ઘણા લાભ થવા સંભવે છેજી. બનેથી બને તે પરસ્પર સ્પર્ધામાં ઉતાવળ પણ થાય. વાંચવું, વિચારવું અને કંઈ પણ કૃપાળુદેવનું કહેલું ચર્ચાને હૃદયમાં રહ્યા કરે તેમ કરવું છે. એમ આગળ વધવા પુરુષાર્થ કરશે. સદ્દગુરુની ભક્તિ દ્વારા અનેક દોષ, શિથિલતા, મંદ પુરુષાર્થ દૂર થઈ આત્મવિશ્વાસ વધશે અને જે જે કરીશું તે હવે સફળ બનવા જોગ છે એમ લાગશે. મનુષ્યભવ પુરુષાર્થ એ જ છે; તે ઉઠાવવાની ભાવનાને લક્ષ રહ્યા કરે તે મોક્ષમાર્ગ સમજતાં વાર નહીં લાગે. “રુચિ અનુયાયી વીર્ય, ચરણધાર સ” માટે રૂચિ વર્ધમાન થાય તેવું વાચન, વાત, વિચાર, ચર્ચા કર્તવ્ય છેજી. સંસાર અસાર છે, મિહની જાળ છે, દુઃખની ખાણ છે, તેમાં ભેગની કલ્પના એકાંતે અહિતકર્તા છે, સ્વપરના હિતની ઘાતક છે. માટે મેહનું રમકડું બનવું નથી, બીજાને બનાવવું નથી. માનવપણની ગંભીરતા મેક્ષમાળાના અભ્યાસે સમજાશે. શરીરનાં સુખ એ ચામડિયાનાં સુખ છે. તેની વાસના તજવાથી જ બીજા સુખની પ્રતીતિ આવવી સંભવે છે. “પુદ્ગલ અનુભવ ત્યાગથી કરવી જસુ પરતીત હો મિત્ત (દેવચંદ્રજી). સત્સંગના વિયોગે સન્શાસ્ત્રને પરિચય વિશેષ વિશેષ કર્તવ્ય છે. Page #708 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા મોક્ષમાળાના પાઠ મુખપાઠ કરવા વૃત્તિ થાય તે એકાદ વખત પાઠ લખી જઈ પછી મુખપાઠ કરવાથી વિશેષ સમજાશે. જ્યાં પ્રારબ્ધાનુસાર રહેવું થાય ત્યાં સ્વપરઉપકારક શક્તિને ક્રમ આરાધ્યા રહી શ્રદ્ધા દિવસે દિવસે બળવત્તર બને તેમ લક્ષ રાખી વૈરાગ્ય ઉપશમ વડે યેગ્યતા વધારતા રહેવું ઘટે છેજ. # શાંતિઃ શાંતિઃ શાંતિ ૮૨૦ સીમરડા, તા. ૧૭–૩–૫૦ તત્ સત ફાગણ વદ ૧૩, શુક્ર, ૨૦૦૬ રાગ દ્વેષાદિ મજાથી, હાલે ના જે મને જળ; તે આત્મ-તત્વ તે દેખે તે તત્વે અન્ય નિષ્ફળ. (સમાધિશતક) રેજ ભાવપૂર્વક ભક્તિ થતી હશે. એકાદ વાક્ય પરમકૃપાળુદેવનું ભક્તિ કરીને વાંચવાનું રાખવા ભલામણ છેજ. તે વાકયમાં તે મહાપુરુષને શું જણાવવું છે તે વિચારવા આજને અવકાશને વખત ગાળવે છે એમ લક્ષમાં રાખવું અને બે પાંચ મિનિટ દુકાન પર, રસ્તામાં કે ઘેર મળે તે વખતે તે વાક્યની સ્મૃતિ કરી તે ઉપર બને તેટલે વિચાર કરે. કંઈ ન બને તે તે વાક્યને સ્મૃતિમાં રણકાર રહ્યા કરે એમ લક્ષ રાખે છે. આટલે લક્ષ રાખી એક દિવસે એક વાક્ય વિચારવું. તે દિવસે અવકાશગ ન લાગે તે તે જ વાક્ય બીજે દિવસે પણ વિચારવું છે, એમ રાખવું. પણ વાક્ય બદલાય તે કંઈક ચિત્તને પણ નવીનતા અને વિચારની ફુરણાનું કારણ છે. આમ ડું વંચાય પણ વિચાર અને સ્મૃતિને બળ મળે તેવી કાળજી રાખવાની ટેવ પાડવી છે આટલે નિર્ણય કરી તેમ વર્તાય તે ઘણી જાગૃતિનું કારણ બને તેમ છે, ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ સીમરડા, તા. ૧૭–૩-૫૮ “કાળ-દોષ કળિથી થયે, નહિ મર્યાદા ધર્મ તેય નહીં વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ.” વિ. તમારું કાર્ડ મળ્યું. તમે પુછાવેલું વાકય પરમકૃપાળુદેવનું લાગતું નથી. “સંયમ (શરૂઆતમાં) પ્રથમ દશાએ કાળફૂટ વિષની પેઠે મૂંઝવે છે.(૮૦૮) એવું એક વાક્ય તેઓશ્રીએ લખ્યું છે. કારણ કે જીવને બાહ્ય વસ્તુઓની પરાધીનતા મટી નથી ત્યાં સુધી સંયમમાં ઈશ્કેલી વસ્તુ મળે નહીં, અને ઈચ્છા ટળે નહીં એવી અવસ્થામાં સદ્ગુરુને બોધ જીવને પ્રાપ્ત ન થતું હોય તે ઝેર પીધાથી મૂંઝવણ થાય તેવી મૂંઝવણ જીવને સંયમમાં પણ થાય છે. શ્રી કુંદકુંદાચાર્યું પણ કહ્યું છે કે મારા દુશમનને પણ દ્રવ્યદક્ષા ન હશે. સમજણ સાચી થયા પહેલાંને ત્યાગ અને તે દિગંબર દીક્ષાને ત્યાગ જીવને ઝેર જેવું લાગે છે. કળિકાળ વિષે પરમકૃપાળુદેવે ઘણા પત્રમાં જણાવ્યું છે કે જીવને પરમાર્થની જિજ્ઞાસા ઘટી ગઈ છે તેથી પુરુષનું ઓળખાણ પડવું પણ દુર્લભ થઈ પડ્યું છે અને તે યંગ વિના જીવને સાચું સુખ કદી પ્રાપ્ત થાય તેમ નથી, તેથી જે જે સુખે છવ પ્રાપ્ત કરે છે તે ઝેરરૂપ પરિણમે છે. જ્યાં શ્રદ્ધા કરે છે, સુખ શોધે છે, તે સર્વ નિરાશામાં પરિણમે છે. સાચો આધાર પ્રાપ્ત નથી થયે ત્યાં સુધી જીવને અમૃત સમાન મીઠું લાગતું હોય તે પણ તે રાગની વૃદ્ધિ Page #709 -------------------------------------------------------------------------- ________________ ૬૮૪ બેધામૃત કરાવી કડવું ફળ ઉત્પન્ન કરાવનાર હોવાથી સર્વ ઝેરરૂપ જ છે. “કળિયુગ છે માટે ક્ષણવાર પણ વસ્તુવિચાર વિના ન રહેવું એમ મહાત્માઓની શિક્ષા છે.” (૨૫૪) એવું એક વાક્ય : પરમકૃપાળુદેવે દર્શાવ્યું છે તે વારંવાર વિચારી આત્મભાવમાં આવવું યોગ્ય છેજ. “સર્વ પ્રકારે જ્ઞાનીના શરણમાં બુદ્ધિ રાખી નિર્ભયપણાને, નિઃખેદપણને ભજવાની શિક્ષા શ્રી તીર્થંકર જેવાએ કહી છે અને અમે પણ એ જ કહીએ છીએ.”(૪૬૦) એ બહુ ઉપયોગી વાકય અંતપર્યંત કામમાં આવે તેવું છે. % શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૮૨૨ સીમરડા, ફાગણ વદ ૧૪, શનિ, ૨૦૦૬ દેહરા – પુષ્પ ભમરવત્ પામશું, અણ- દંભળ્યે ભિક્ષાય; આત્માર્થે ગ્રહકૃત લઈ વિચરે સાધુ સદાય. ૪ વિદિતતત્વ મધુકર સમા, પ્રતિઘર અપ્રતિબદ્ધ; દાંત સાધુ તે વિચરતા, અ૫ અપ લઈશુદ્ધ. ૫ (શ્રી દશવૈકાલિક પ્રથમ અધ્યયન) અન્યને સંગ અનિવાર્ય હોય છે જેને પરમકૃપાળુદેવની શ્રદ્ધા થયેલી હોય એવામાંથી સાથી કેમ ન શોધો ? રાયણમાં પૂ...ને દીક્ષા લેવાના ઘણા ભાવ છે, પણ ગ્ય સાથ ન મળે ત્યાં સુધી ગમે ત્યાં દીક્ષા ન લેવા તેને જણાવ્યું હતું. તેની વૃત્તિ હજી દીક્ષાની રહેતી હોય તે તમને મદદરૂપ થાય તેવી બળવાન બાઈ લાગે છે અને તેને પરમકૃપાળુદેવની ભક્તિમાં જ સંતેષ રહેતા હોય તે પરાણે પ્રેરીને મૂંડી નાખવા યોગ્ય નથી. આ તે એક પુછાવ્યું ત્યારે સૂચવ્યું છે. શ્રીને મને પરિચય નથી. તમને તે કઈ રીતે મોક્ષમાર્ગમાં મદદ કરે તેવું લાગે કે કંઈ નહીં તે અવિરોધી સ્વભાવ હોય તે જ દીક્ષા આપવા જેવા ગંભીર કાર્યમાં પ્રવર્તવું, નહીં તે પિતાને અર્થે થાય તેટલે થોડાં વર્ષ પુરુષાર્થ કરી આયુષ્ય પૂર્ણ કરવું; પણ બીજાને દોરવાની જોખમદારી ઉઠાવતા પહેલાં બહુ બહુ વિચાર કરવા ઘટે છે. પ્રમાદનું બીજાને ઉદાહરણ આપણે ન બનીએ તે અર્થે વિશેષ વિશેષ જાગૃતિની જરૂર છે. જે રૂઢ માર્ગના હજુ સંસ્કારો ગયા નથી, તે પાછા તેવી સેબતે ગાઢ થતા જઈ પરમકૃપાળુદેવની ઉપાસનામાં બેજારૂપ થઈ પડે તેવું કામ હાથ ધરતાં શેડો કાળ જવા દઈ જેમ પ્રારબ્ધ ગોઠવે તેમ ગેઠવાવું એમ સલાહ છે. આ તે એક ઉતાવળે પગલું ભરી પછી પાછું હઠવામાં હાંસી જેવું ન થાય માટે જણાવ્યું છે. પિતાનું માનેલું જ સાચું એ જેને આગ્રહ હોય અને રૂઢિમાં બહુ આગ્રહ હોય, તેને આપણું અંતર જણાવી શકીએ તેમ ન હોય તે જીવને તેવા સંગમાં માયાચારીને પિષવી પડે. સહેજે છૂટેલી લપ પાછી આવી પડે તેના વિચારે કે નિમિત્તે સ્વસ્થતા ખેઈ બેસવાને પ્રસંગ ન આવી પડે તેને લક્ષ રાખી ગ્ય લાગે તેમ પ્રવર્તવા ભલામણ છે. પુરુષાર્થ મંદ ન પડે તે જ જીવ હિત સાધી શકે. “જે ઈચ્છે પરમાર્થ તે, કરો સત્ય પુરુષાર્થે.”(આત્મસિદ્ધિ) ૩% શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #710 -------------------------------------------------------------------------- ________________ પદ્મસુધા ૮૨૩ ૬૫ સીમરડા, તા. ૨૨-૩-૫૦ પૂ...ને માણસની જરૂર છે. જો તમારા વિચાર હાય તેા વહેલા આવવા તેમણે ઇચ્છા જણાવી છે. બન્નેને ધર્માંની અનુકૂળતા મળે તે અર્થે સાથે રહેવા તેમની ઇચ્છા છે. પૈસાની કંઈ ન પડી હાય અને ઉત્તમ જીવન ભલે પૂણિયા શ્રાવક જેવું હાય તાપણુ સારું જીવન જીવવું છે એ ઈચ્છા જેણે રાખી હાય તેણે તેમ વર્તવાના લક્ષ રાખવા ઘટે છે. ધનના ત્યાગ પ્રશસવા ચેાગ્ય છે પણ જૂના વિચારવાળાં માબાપ તેમાં સમ્મત ન થાય એ સાવ સમજાય તેવું છેજ. પણ તેમના આદર્શથી જુદા આદર્શ હેાય તેમણે તે સ્પષ્ટ થતું જાય તે સારું માનવું. જેમ સુખ ઊપજે તેમ પ્રવશેા. મનમાં ખેદ રાખીને પ્રવવામાં ક'ઈ માલ નથી. ८२४ તત્ ૐ સત્ સીમરડા, તા. ૨૨-૩-૫૦ ચૈત્ર સુદ ૪, બુધ, ૨૦૦૬ તર’ગ; વિદ્યુત લક્ષ્મી, પ્રભુતા પતંગ, આયુષ્ય તે તેા જળના પુરદરી ચાપ અનંગ રગ, શું રાચીએ ત્યાં ક્ષણના પ્રસંગ ? સર્વજ્ઞના ધર્મ સુશણું જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી; અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કોઈ ન માંહ્ય સ્હાશે.’’– શ્રીમદ્ રાજચંદ્ર વિ. આપના તરફથી કાર્ડ અશુભ આવ્યું તે વાંચ્યું. સદ્ગત ભાઈ....ના વિયેાગે આઘાત લાગવા ચેાગ્ય છે, પરંતુ તે ખેદ અને લાગણી પલટાવી વૈરાગ્યમાં વૃત્તિ આપ સર્વ સમજુ જનાએ વાળવા યાગ્ય છે, કારણ કે તે આપણા હાથની વાત નથી અને અવશ્ય બનનાર તેમ જ બન્યું છે. ક્લેશ કરી કાઈ આપઘાત કરે તેપણ તે વિયેાગ ટળી સયેાગને ચાગ અને તેમ રહ્યું નથી, તેા સમજુ જીવે તે કોઈ જ્ઞાનીપુરુષનાં વચનનું અવલ’બન ગ્રહી, વારંવાર થતા ખેદને વિસ્તૃત કરવા ચેાગ્ય છેજી. આપ તે સમજુ છે, છતાં નાનાં મેટાં સર્વ આપનાં કુટુંબીજનાને સમજાય અને વારવાર યાદ આવે એવી એક નિર્માંહી કુટુંબની કથા પ્રાતઃસ્મરણીય પૂજ્ય સ્વામી શ્રી લલ્લુરાજ મહારાજના મુખથી સાંભળેલી અત્રે લખી જણાવું છું, તે વારવાર વાંચી, વંચાવી તેને પરમાર્થ સર્વાંના હૃદયમાં ઘર કરે તે ભવિષ્યમાં પણ આવા પ્રસ`ગેા જીવને જોવામાં આવે તે કઈ પણ ક્લેશ થવાને ખલે પરમકૃપાળુદેવનું શરણુ મળવાનપણે ગ્રહણ કરવાનું બનશેજી. નિર્માહી કુટુ ંબની કથા એક રાજા મોટું રાજ્ય સભાળતા હતા, છતાં તેને સદ્ગુરુનો અપૂર્વ યાગ થયેલા તેથી તેનું ચિત્ત તેા આત્મહિત થાય તેવું જ્ઞાનીએ જણાવેલું તેમાં જ મગ્ન રહેતું. તેના આત્માને શાંતિ રહેતી. તે લાભ રાણીજીને પ્રાપ્ત થાય તે અર્થે તેણે રાણી આગળ તે મહાત્માના ગુણુગ્રામ કર્યાં અને પેાતાને તેમના યાગ થયા ત્યારથી તે ભવ ફરી ગયા જેવું થયું, તે કહ્યું. તેથી રાણીજીને પણ તે સદ્ગુરુનું સ્મરણ ગ્રહણ કરવા ભાવના થવાથી તે સદ્ગુરુના યેાગ મેળવી તેમણે જણાવેલું સાધન તે કરવા લાગ્યાં. તેમને પણ તે સાધનને પ્રગટ અનુભવ થયા એટલે કુંવર યુવાન હતા છતાં તેને સદ્ગુરુને સમાગમ કરાબ્યા અને તેને પણ ધંની લગની લાગી. Page #711 -------------------------------------------------------------------------- ________________ ૬૮૬ બેધામૃત કુંવરે તેની સ્ત્રીને સમજાવી તેથી તેણે પણ સદ્ગુરુની ઉપાસના કરી શાંતિ મેળવી. આ પ્રમાણે આત્માર્થે બધાં સત્સાધન આરાધતાં અને પૂર્વકર્મના યોગે સુખદુઃખ ભેગવવાના પ્રસંગો આવે તેમાં ઉદાસીન રહેતાં, તેનું માહાભ્ય કેઈને લાગતું નહીં. દેવલેકમાં ઈન્દ્ર એક વખત આ રાજાના આખા કુટુંબનાં વખાણ કર્યા. તે સાંભળી એક દેવને થયું કે ઈન્દ્રનું કહેવું ખરું લાગતું નથી. પુરુષ તે કંઈ સમજે પણ બૈરાંમાં ધર્મ સમજવાની બુદ્ધિ ક્યાંથી હોય! તે તે મેહમાં જ આખો ભવ ગાળે છે. તેથી પરીક્ષા કરવા તે રાજાની રાજધાનીને દરવાજે આવી ઊભો રહ્યો. ઘેડી વારમાં રાજકુમાર વનકીડા કરવા એક ટુકડી લશ્કરની લઈ જગલમાં જતા હતા, તે જોઈ દેવે બાવા-ગીનું રૂપ ધારણ કર્યું ને રાજસભામાં ગયો. આંખોમાં આંસુ લાવી, ગળામાં ડૂમો ભરાયો હોય તે દેખાવ કરી તેણે કહ્યું: હે રાજાજી! મેટી ઉમ્મરે આપને એક કુંવરની પ્રાપ્તિ થઈ તે રાજ્ય ચલાવે તેવા થયા ત્યારે શિકાર કરવા આવ્યા હશે તે મારી ઝૂંપડી પાસે વાઘે મારી નાખેલા મેં જોયા, ત્યારથી મારી આંખમાં આંસુ સુકાતાં નથી. રાજ્યનું હવે શું થશે? રાજાએ મેગીને આસન પર બેસાડી પૂછયું : યોગીરાજ! આપ કેટલાં વર્ષથી જંગલ સેવે છે? યેગી બોલ્યા, પચ્ચીસ વર્ષથી. ત્યાં શું કરો છો? તે કહે, ઈશ્વરભજન. રાજાએ કહ્યું : બાવાજી! આપ આટલે ક્લેશ કરો છો તે તમને સાચા ગુરુ મળ્યા નથી એમ લાગે છે. નહીં તે પિતાને દીકરો મરી જાય તે પણ કલેશ કરે નકામે સમજાવો જોઈએ. જો તમને પારકા છોકરાનું આટલું બધું લાગી આવે છે, તે વૈરાગ્ય વિન ઈશ્વરભજન કેવું કરતા હશે? માટે હવે સદ્ગુરુ શોધી સાચો વૈરાગ્ય પામી ઈશ્વરને ઓળખી મનુષ્યભવ સફળ કરો. એમ કહી રજા આપી. ત્યાંથી રાણુ પાસે તે ગયે. ઐરાં આગળ વળી વધારે ફેલ દેવમાયાથી તે કરવા લાગ્યું. હાંફતે હાંફતે છાતી ફૂટતો. તે કહેવા લાગ્યેઃ રાણીજી સત્યાનાશ વળી ગયું, કુંવરજીને વાઘે મારી નાખેલા મારી ઝૂંપડી પાસે જ મેં જોયા. તેથી દોડતો દોડતે તમને ખબર કહેવા આવ્યો છું. રાણીજીએ તેમને બેસાડી પાણી પાયું. મેં માથું સાફ કરી સ્વસ્થ થવા કહ્યું એટલે તે બેઠે, પાણી પીધું. રાણીજીએ કહ્યું: બાવાજી, આ ચોગાનમાં આ આંબો છે. તેના ઉપર ઘણી કેરીઓ બેસે છે. તેમાંથી ઘણી તે ગરી જાય છે. કોઈ વધે તે બીજા તેડી લે છે. તેમ મને ઘણું સંતાન થયાં અને મરી ગયાં. આયુષ્યબળે યુવાવસ્થા આ કુંવર પામે ત્યાં વળી કાળે તેને પ્રભાવ જણાવ્યું. બનનાર છે તે ફરનાર નથી. અમને સદ્દગુરુને ભેગા થયે છે તેથી અમને ભક્તિ એ જ આ ભવમાં અત્યંત પ્રિય છે, તેટલી પ્રીતિ કુંવર પ્રત્યે પણ નથી. હવે જિંદગી ટકશે ત્યાંસુધી ભક્તિ કરી આ આત્માનું હિત કરીશું. પણ આપને આટલે કલેશ થાય છે તે જાણી નવાઈ લાગે છે. ત્યાંથી ઊડી તે દેવ કુંવરની પટરાણી પાસે ગયે. ત્યાં જઈ વાળ તેડવા લાગે, છાતી ફૂટવા લાગે. તે જોઈ પટરાણીએ પૂછ્યું : બાવાજી! આમ કેમ કરે છે ? તેણે કહ્યું : તમારું નસીબ ફૂટી ગયું. કુંવરજીને વાઘે મારી નાખેલા મારી ઝૂંપડી પાસે જંગલમાં જોયા ત્યારથી મને ચેન પડતું નથી. તમને ખબર કહેવા આટલે દૂર આવ્યો છું. તે બાઈ બોલીઃ બાવાજી! આવ્યા તે સારું કર્યું. પણ મારી વાત સાંભળઃ કયાં જન્મેલી, ક્યાં ઊછરેલી અને પૂર્વના સંસ્કારે આ કુટુંબમાં આવી ચઢી, પણ મોટો લાભ તે અમને સદ્ગુરુને ભેગા થયા અને સાચી ભક્તિ પ્રાપ્ત થઈ ત્યારથી Page #712 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા અમે બધાં કુટુંબનાં જાણે મરી ગયાં હોઈએ અને અહીં માત્ર રાજ્યને જોવા માટે આવ્યાં હોઈએ તેમ મહેમાન તરીકે રહીએ છીએ. ભગવાન સિવાય અમને કશું ગમતું નથી. તેની બધી ઈરછા સુખકારી અમે માનીએ છીએ. આપ હવે કલેશ કરશો નહીં. સદ્દગુરુકૃપાએ અમે સુખી થયાં છીએ અને સુખી જ રહીશું. ત્યાં રાજા રણ આવ્યા એટલે તે દેવ બાવાનું રૂપ તજી દેવ થયો. તે કુંવર મરી નથી ગયે. માત્ર તમારી પરીક્ષા કરવાને આવ્યું હતું એમ કહી તેમને નમસ્કાર કરી તે પાછે દેવલોકે ગયે. | # શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૮૨૫ સીમરડા, તા. ૪-૪–૫૦ “જ્ઞાન, ધ્યાન, વૈરાગ્યમય, ઉત્તમ જહાં વિચાર; એ ભાવે શુભ ભાવના, તે ઊતરે ભવપાર.” – શ્રીમદ્ રાજચંદ્ર આપને પત્ર જ્ઞાન પ્રશ્નવાળ વાંચી આનંદ થયેલ છે. જગતના અનેક પ્રકારે ચિત્તમાં પ્રવેશી જીવને અસ્વસ્થ કરે છે, તેમાં ધર્મ પ્રશ્નને અવકાશ મળે એ મહાભાગ્ય છેજ. ધન્ય તું આતમ જેહને, એહવે પ્રશ્ન અવકાશ રે,” એમ શ્રી આનંદઘનજી શાંતિનાથજીના સ્તવનમાં ગાય છે તેમ દેહનું હલન-ચલન કયા કારણે થાય છે? એમ પૂછ્યું તેનું કારણ વિર્યાતરાયકર્મના ક્ષયોપશમે થાય છે. જેમ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમે ઇંદ્રિયપ્રાપ્તિ થાય છે, તેથી દેખવા વગેરેનું કામ થાય છે; પણ જે ક્ષયોપશમ થયે છે તે એવા પ્રકાર હોય છે કે તેને પ્રકાશ આદિ સાધન પ્રાપ્ત થયે આંખ જોઈ શકે. પ્રકાશ કે આંખની રચનામાં કોઈ ફેરફાર થાય તે તેજ કમી પણ થાય છે, દેખાવું બંધ પણ થાય છે તેમ પક્ષાઘાતમાં પણ સ્પર્શ-ઇંદ્રિયને ક્ષયોપશમ હોવા છતાં જે જ્ઞાનતંતુ દ્વારા સ્પર્શ કે હલન-ચલનની ક્રિયા થતી હતી તે સાધનમાં ખામી આવતાં તે ક્રિયાદિ બનતું નથી. ચશ્માં કે દવાથી જેમ કંઈ ફેર જણાય છે તેમ તેવાં કારણ દૂર થયે પક્ષાઘાત મટી પણ જાય છે. આમાં ઘણા પ્રશ્ન થવા સંભવે છે પણ એ દિશામાં વિચાર કરશે તે સમજી શકે તેવી તમારી સમજણશક્તિ છે. રૂબરૂમાં મળવું થયે વિશેષ સમજાશે. એ જ. ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૮૨૬ અગાસ, તા. ૧૭–૪–૫૦ તત્ છે સત ચૈત્ર વદ ૦)), સોમ, ૨૦૦૬ “ધર્મ અર્થે ઈહાં પ્રાણનેજી, છાંડે પણ નહિ ધર્મ, પ્રાણ અર્થે સંકટ પડેછે, જુઓ એ દષ્ટિને મર્મ – મન” આ કળિકાળમાં ધર્મ પરીક્ષામાં પાસ થનારા છેડા નીકળે છે. નિયમ ઘેડા લેવા પણ શુરવીરપણે પાળવામાં આત્મહિત છે. એક ભીલને જ્ઞાની પુરુષે કાગડાનું માંસ ન ખાવાને નિયમ આપેલ. અંતે વખતે તેના ઓળખીતાઓએ દવા કરવાને આગ્રહ કર્યો પણ તેણે માન્યું નહીં. દેહ છેડી તે દેવ થયા. તે દેવભવ પૂરો થયે રાજગૃહી નગરીમાં રાજપુત્ર થયો. ત્યાં શિકાર કરવા એક દિવસ ગમે ત્યાં અનાથી મુનિ ધર્મ (પુણ્ય)ના પ્રભાવે મળ્યા. તેમના ઉપદેશથી તેને આત્મજ્ઞાન થયું. ઘણું રાજાઓને તે ઉપરી થયે. શ્રી મહાવીર ભગવાન તેની રાજધાનીમાં પધાર્યા તેને ક્ષાયિક દર્શન પ્રાપ્ત થયું. તીર્થંકરનામકર્મ બાંધ્યું જેના પ્રભાવે એક ભવ કરી તે Page #713 -------------------------------------------------------------------------- ________________ ૬૮૮ બેધામૃત તીર્થકર બની ઘણું જીવોને તારી પિોતે ક્ષે જશે. આ એક ધાર્મિક ચરિત્ર શ્રી શ્રેણિક મહારાજાનું કહ્યું. હવે તમારા પ્રશ્નનો ઉત્તર લખું છું – છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ – મૂળ એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ – મૂળ” આમાં જણાવ્યા પ્રમાણે દેહ નાશવંત છે, આત્મા અવિનાશી છે. ગમે તેટલી દવાઓ ખાવા છતાં દાક્તરને પોતાને જ મરવું પડે છે, તે બીજાને તે ક્યાંથી બચાવી શકશે? દેહ છોડી એક વાર જરૂર જવું છે. તે દેહ રાખવા કરેલાં પાપ સાથે આવશે, પણ દેહ સાથે નહીં આવે. ભક્તિ કરનારને એટલી શ્રદ્ધા હોવી જોઈએ કે પાપ કરી પછી ભક્તિ કરવાની ઈચ્છા કરતાં પાપ જ ન કરવું એ સારું છે. પાપ કરી પછી પૈસા કમાઈ દાન કરવું તેના કરતાં દાન ન થાય તે ભલે, પણ પાપ તે ન જ કરવું એ બુદ્ધિમાં બેસે તેવું છે. હાથ ખરડીને પછી છે તેના કરતાં બગાડવે જ નહીં તે સારું છે ને? એક પીપા ભગતે કહ્યું છે કેઃ “પીપા, પાપ ન કીજિયે, તે પુણ્ય કિયા વાર હજાર.” દાક્તરે દેહને અર્થે સલાહ આપે છે કારણ કે દેહ એ જ પિતાનું સ્વરૂપ તે માને છે. તમે આત્માને ઉદ્ધાર થાય તે માટે નિયમ લીધે છે, તેથી દેહને અર્થે આત્માનું અહિત ના થાય તેમ વર્તવું ઘટે છે. ઘણું ભવ દેહને અર્થે આત્મા ગાળે છે, હવે આટલે ભવ જે આત્માને અર્થે ગળાશે તે અનંત ભવનું સાટું વળી રહેશે. પૂર્વે પાપ કર્યું છે તેના ફળરૂપ માંદગી આવે છે. તે ટાળવા ફરી પાપવાળી દવા કરે તે ફરી માંદગીને નેતરવા જે ધંધે થાય છે તે વિચાર કરી જે તે યથાર્થે લાગશે. પાપવાળી દવાથી મટવાની ગેરંટી કોઈ આપી શકે નહીં, પણ પાપ થાય તે તે ચોકકસ છે, દવામાં પણ પાપ તે પાપ જ છે. માટે જે વસ્તુને ત્યાગ કર્યો છે, પરમકૃપાળુદેવની સાક્ષીએ જીવતા પર્યત જે જે વસ્તુઓ ત્યાગી છે તે દવા માટે તે શું, પણ સ્વમામાં પણ તેને ઉપયોગ કરવાને ખ્યાલ ન કરે એ સાચા શૂરવીરનું લક્ષણ છે. ઘણું દવાઓ ખાનારા ઘણું માંદા જોઈએ છીએ, એટલે દવાઓથી જ મટતું જ હોય તે દવાખાનાં અને દાક્તરો વધે તેમ રેગ વધવા ન જોઈએ પણ નાબૂદ થવા જોઈએ, તેને બદલે વધારે વધારે રોગને પ્રચાર થતે દેખાય છે, તે પાપનું પરિણામ છે એમ સમજી બને તેટલું સહન કરતાં શીખવું. મન દઢ ન હોય તે નિર્દોષ દવાઓ અજમાવી જેવી, પણ પ્રત્યક્ષ પાપ જણાય છતાં જીવને દેહને અર્થે આત્માને ગરદન મારવા જેવું તે ન જ કરવું. અજાણતાં કોઈ દવા કે ટીકડીમાં તેવું અભક્ષ્ય આવી જાય તેને માટે લાચારી છે, પણ જાણીજોઈને તેવી ટીકડી કે શીશીઓ પણ વાપરવી ઘટતી નથી. - લીધેલા નિયમ કેઈ કારણે તેડવા નથી એ દઢ નિશ્ચય કર્તવ્ય છે એ જ ટૂંકામાં ઉત્તર છે. એક તે પાપી ચીજોમાં થતું પાપ લાગે અને પરમાત્માની સાક્ષીએ લીધેલું વ્રત તૂટે કે આજ્ઞા ન પળે કે ભંગ થાય એ બીજું પાપ સાથે લાગે છે, અને તે મોટો અધર્મ છે. માટે મથાળે કડી લખી છે તે વિચારી પ્રાણ જાય તે પણ આજ્ઞારૂપ ધર્મને ભંગ ન થાય તેમ મુમુક્ષુ વિચારવાનો જીવ તે વર્તે. હાલ એ જ. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #714 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૬૮૯ અગાસ, તા. ૨૦-૪-૫૦ તમારું કાર્ડ આજે મળ્યું છે. પોતાની હયાતી બાદ પૈસા ખર્ચાય તેના કરતાં પિતાની હયાતીમાં ખર્ચાય તે પિતાના ભાવની વિશેષ વૃદ્ધિનું કારણ છે. જે વચનામૃતે આપણને અંત સુધી મદદ કરનાર નીવડે છે તે વચને બીજા જીવોને સુલભ થાય તે દરેક મુમુક્ષુની ભાવના સહજ હોય. જેની પાસે ધનનું સાધન હોય તે તે દ્વારા પિતાના ભાવ પ્રદર્શિત કરે. એક તે પડતર કિંમત કરતાં કંઈ ઓછી કિંમત રાખવાની શરતે ધનની મદદ કરાય, અથવા તે પુસ્તકે પ્રસિદ્ધ થયે અમુક પ્રતે ખરીદી તે ઓછી કિંમતે મફત ગ્યતા પ્રમાણે જેને વહેંચી શકાય. આમાંથી જેમ ઠીક પડે તેમ તમે ટ્રસ્ટીઓને જણાવી જવાબ મેળવી શકો છો. પછી બીજા કોઈ ખાતામાં ભાવના રહેતી હોય તે તેમ. તમારા ભાવ ઉલ્લાસ પામે તેમ કર્તવ્ય છેજી. ૮૨૮ અગાસ, તા. ૨૧-૪-૫૦ તત્ સત્ વૈશાખ સુદ ૪, શુક્ર, ૨૦૦૬ દેહરા – શું પાળે તે સાધુતા, કરે ન ઈચ્છા રે? અશુભ ભાવને વશ થતાં, ડગલે-પગલે ક્ષોભ. તપથી નિજ દોષ ટળે, અન્ય ન આકર્ષાય; કામ-વિપાક વિલેતાં, સુખી ભવે તું થાય. પૂએ વિકલ્પને વ્યાપાર દ્ર કે કરી જે હાથમાં કામ લીધું હોય તે સારી રીતે કરવાનું હાલ રાખવું ઘટે છે. થેડું વંચાશે તેપણ હરકત નથી; પણ મનન વિશેષ થાય, કલ્પનામાં તણાઈ ન જવાય અને વાંચેલામાંથી કે કંઈ સદ્દવિચાર કરતાં સારું લાગે તેની Diaryમાં નેંધ રાખવાનું શરૂ કરવા યોગ્ય છે, પિતાની વૃત્તિઓ પણ લખવા યોગ્ય છે. એટલે મનનને માટે વખત રાખે છે તેમ પિતાની જતા દિવસની વૃત્તિઓ તપાસી, યોગ્ય લાગે તે લખવાની ટેવ હશે તે આગળ વધાય છે કે પાછળ જવાય છે તેને કંઈક હિસાબ રહેશે, માત્ર અને રાજ્યથી સંતેષ પામવા ગ્ય નથી. થોડું પણ સંગીન કરતાં શીખવું છે. “ગજથી ભરે ઘણું પણ તસુ વેતરે નહીં એવું નથી કરવું. બીજું, ઘીની બાબતમાં તમે મૂંઝાઓ છે એમ પત્રથી જાણ્યું. તમે જે નિયમ લીધે છે તે માખણના રૂપમાં તે ન ખાવું એવો છે. પરંતુ વિચારવાનો જીવ પાપથી ડરતો રહે છે કારણકે જે જે કરીશું તે આપણે ભેગવવું પડશે. તેથી જેટલું નિર્દોષ જીવન બને તેટલું કર્તવ્ય છે. આપણે જ આંખ સામે સાત સાત દિવસનું માખણ તાવી ઘી થતું જોવામાં આવે તે જરૂર ઇને ઊકળતા જોઈ આપણું દિલ દુભાયા વિના ન રહે. તેને ઉપાય તમારા હાથમાં છે. તમે વ્યવસ્થા કરી જે કોઈ માણસ દ્વારા તે જ દિવસના માખણનું ઘી કરાવી લાવો તે કોઈ ને નહીં કહે, કે તમે લૂખું ખાઓ તે પરાણે તમને માખણનું ઘી નહીં ખવરાવે. જેટલી તમારામાં દયાની લાગણી ખીલી હોય તે પ્રમાણે સુવ્યવસ્થા કરશે તે સર્વની દયાળુ વૃત્તિને સંતોષ થાય તેવું તમે કર્યું ગણાશે. કસટીના વખતમાં જીવ બળ નહીં કરે તે દયાની વૃત્તિ બુઠ્ઠી થઈ જાય એમાં નવાઈ નથી, અને સાત્વિક વિચારોને બદલે બાહ્ય માહાભ્યમાં જીવની વૃત્તિ રોકાઈ રહે તેવું બનવા ગ્ય છેજ. કાં તે દૂધનું દહીં ઘેર કરી શકાય અને ઘીને બદલે દહીં વાપરવાથી 44 Page #715 -------------------------------------------------------------------------- ________________ ૬૯૦ બધામૃત પણ ચલાવી લેવાય અથવા દહીંનું ઘી ઘેર કરી શકાય. તે ન બની શકે તેવું લાગતું નથી, પણ જીવે તે મન ઉપર નથી લીધું. પણ બધા કરે તેમ કરવું એવી ઘરેડમાં ચાલ્યા કરવું છે અને મેટી મોટી વાતે જ કરવી છે તે બે ન બને. બને તેટલું કરી છૂટવાને વિચાર હશે તે સારું બનશે જ. હાલ પૂ. પરમકૃપાળુદેવનાં વચને વાંચે છે તે ઠીક છે. વચનામૃતમાંથી જે વાંચ્યું હોય તે બધાને યથાશક્તિ કહી બતાવવાનું રખાય તે ઠીક છે. જે પોતે પિતાને માટે વિચાર્યું હોય તે બધા મળે ત્યારે જણાવી શકાય કે વાંચી શકાય તે સાંભળનાર અને જણાવનાર બન્નેને વિશેષ લાભ થવા સંભવ છે. તેમ ન બને તે હાલ ચાલે છે તે પણ ઠીક છે. કહેવા ખાતર કહેવું કે બીજાને સંભળાવવા વાંચવું ગ્ય નથી. પિતાને એકની એક વાત વારંવાર વાંચવા, વિચારવા, ચર્ચવા ગ્યા છે, તે બીજા હોય તે મને વિશેષ સમજવાને પ્રસંગ મળશે. એ લક્ષ રાખી સ્વાધ્યાય કરવા જ બીજાની આગળ પણ વાંચવું ઘટે છેજ. બીજાને કંઈ કંઈ પૂછવું અને તેમના વિચારોની આપ-લે કરવાથી વિશેષ મનમેળ થશે, એકદિલી થશે. હાલ એ જ.તમે મૂંઝાઓ ત્યારે પત્ર લખવામાં હરકત નથી, પણ ઉત્તરની ઉઘરાણી ગ્ય નથી. યથાવસરે, કે રૂબરૂમાં પૂછશે તે જવાબ આપવા જેવું હશે તે અપાશે. હાલ તે આપણે સર્વ યોગ્યતા વધે તેમ પુરુષાર્થ કરીએ એ લક્ષ રાખ ઘટે છેજ. પરમકૃપાળુદેવ આપણા સર્વના પિતા છે, આપણે તેમનાં ઘેલાં બાળક છીએ એ લક્ષ રાખશે. જે શાંતિઃ શાંતિઃ શાંતિ તા. ક. – પૂ. હમણાં જ એક વાર પિતાને માટે, બીજા હોય તે પણ હરકત નથી, પણ ખાસ પિતાને વિચારવા અર્થે પત્રાંક ૩૯૭ ક્ષાયિકસમ્યકત્વ વિષેને ખાસ કરી પાછળ ભાગ પિતાની દશા બેધબળ આવરણ ન પામે તે અર્થે છે તે લક્ષ રાખી વાંચવા યોગ્ય છે, થાય તે મુખપાઠ પણ કરી લે ઘટે છે. અગાસ, તા. ૨૪-૪-૫૦ ધર્મધ્યાનમાં વૃત્તિ રાખતા હશે. દવા કરવી પડે તે નિર્દોષ દવા કરવી. વેદનીયકર્મની મંદતા વખતે દવા કંઈ અસર કરે છે, નહીં તે ઘણી વખત વિપરીત અસર પણ થાય છે. શરીરનું જેમ થવું હોય તેમ થાઓ, પણ આત્મ-આરોગ્યતા વર્ધમાન થાય એવી ભાવના સતત રાખવા યોગ્ય છે. આત્મા અજર અમર અવિનાશી છે તે શ્રદ્ધા મરણ-પ્રસંગે રહી તે નિર્ભયપણે દેહ છોડી જીવ સમાધિમરણ કરે તે અર્થે સદ્દગુરુ-શરણે મંત્રાદિ સાધન કર્તવ્ય છે. ૮૩૦ અગાસ, તા. ૨૪-૪-૫૦ જે અવસ્થામાં કર્મ મૂકે તે અવસ્થામાં મુમુક્ષુઓ બનતી રીતે ઉત્તમપણે વર્તવું ઘટે છેજ. સત્સંગના વિયોગે કે ભાવનાની વૃદ્ધિ મુશ્કેલ છે, છતાં પરમકૃપાળુદેવના ચરણકમલમાં જેની વૃત્તિ વહે છે તેને સર્વ સ્થળ સમાન ગણવા ગ્ય છે. જેમ બને તેમ સ્મરણ, ભક્તિ, મુખપાઠ થયું હોય તેના અર્થના વિચારમાં રહેવું. વખત મળે ત્યારે “કલ્યાણને માર્ગ” વાંચવું. ન વંચાય તે ભાવના કરવી, પણ આર્તધ્યાનમાં વૃત્તિ ન જાય તેમ મુમુક્ષુ જીવ વર્તે છે જી. Page #716 -------------------------------------------------------------------------- ________________ ૬૯૧ ઇદાર, તા. ૧૨–૫-૫૦ વૈશાખ વદ ૧૧, શુક્ર, ૨૦૦૬ પત્રસુધા ૮૩૧ તત્ સત્ પ્રથમ, સયમ વિરતિવ‘ત; આતાપના, દાહરા – ભિક્ષુ કે ભિક્ષુણ્ણ પૂર્વ પાપકર્માં ઘસે, ભાવિ કર્મ ખાળ'ત. (દશવૈકાલિક : અધ્યયન ૪) ઉનાળે શિયાળે વસ્ત્રહીન; ચામાસે એકાશ્રયે, મુનિવર સમાધિલીન. જિતપરિષદ્ધ, જિતમેહ ને, જિતેન્દ્રિય મુનિ મહુ'ત; સર્વ દુઃખના ક્ષય થવા, વર્તે ધરી અતિ ખત. દુષ્કર કરી, દુઃસહુ સહી, કોઈ વષૅ સુરવાસ; કર્મ હણી સિદ્ધિ વરે, તે જ ભવે કે ખાસ. ભાગ ભાગવીનર બની, સયમ તપધર થાય; મેાક્ષમાર્ગ આરાધતાં, તરી તારે, શિવ જાય. (૩ જું અધ્યયન) વિ. આપના પત્ર પ્રાપ્ત થયેા, સમાચાર જાણ્યા. ખેદનું ખાસ કારણ નહીં છતાં ખેદ પત્ર દ્વારા પ્રદર્શિત કરેલ તે તજવા વિનતી છેજી. પરમકૃપાળુદેવને માર્ગ સાચા મનવાના છે, સાચા બનીએ તેવા સંયાગો તે ઊભા કરે છે, તે તેની પરમકૃપા ગણી ખેદ વિસર્જન કરવા વિનતી છેજ. પરમકૃપાળુદેવે શ્રી સેાભાગ્યભાઈ ઉપ૨ સાંસારિક કારણેાના ખેદ દૂર કરવા અનેક પત્રો લખ્યા છે, તે વારવાર વિચારશે. “ ખેદ નહીં કરતાં શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં મેક્ષપાટણ સુલભ જ છે.” (૮૧૯) ઇત્યાદિ વાર વાર વિચારી પ્રતિબ`ધથી છૂટવું છે. કોઈ પ્રત્યે ઈર્ષા થવાના પ્રસ’ગ આવે તે પેાતાનું ભૂંડું કરનારનું પણ ભલું થાએ' એવી પ. પૂ. પ્રભુશ્રીજીની શિખામણ સ ́ભારી, સ`ષપૂર્વક પૂર્વ કર્મ ખ ́ખેરી પેલે પાર જતા રહેવું છે. આવા ફ્લેશકારી સ'સારમાં સુખ અને સગવડ હાઈ શકે એવી કલ્પના પણ ભૂલભરેલી છે. પ્રારબ્ધ બે ડગલાં આગળનું આગળ હોય છે. નાની ખાખર રહેા કે મેાટી ખાખર, કયાંય માહાત્મ્ય રાખ્યા વિના, આત્મા એકલેા જ છે, એકલેા આવ્યેા છે ને એકલા જવાને છે, એ એકવભાવના દૃઢ કરી એકલવિહારીપણે વર્તવું પડે તેપણ નહીં ગભરાતાં, પરમકૃપાળુદેવ નિરંતર સમીપ જ છે એમ જાણી સમાધિભાવમાં વિક્ષેપ આણુવેા ઘટતા નથી. મૂળ પ્રમાદી સ્વભાવ તમારા, તેને તે પૈસાદાર કુટુંબ દ્વારા પાષણ મળે તે આત્માને અહિતનું કારણ જાણી પરમકૃપાળુદેવે દેહ છૂટતાં પહેલાં તેવી સગવડથી દૂર કર્યાં. તે તેની પરમકૃપા માની, ફરી પૈસાદાર કુટુંએને સહવાસ સ્વપ્ને પણ ન હેા એવી ભાવના શ્રી ઋભુરાજાએ ભગવાન પાસે કરેલી માગણી પ્રમાણે કતવ્ય છેજી. જેમ જેમ કહેવાતા ભાગ્યશાળી (પરમાર્થે અનાથ) કુટુંબને પિરચય આઠે રહેશે તેમ તેમ અનાથતા દૂર થઈ પરમકૃપાળુદેવને નાથ તરીકે સહેલાઈથી સ્વીકારી સુખી થવાશે, એમ અનુભવ કરેલી વાત દર્શાવું છુંછ. ભવિષ્યની એક પળના પણ વિચાર કર્યાં વિના વમાનમાં જેમ નિમ`ળ પિરણામ રહે તેમ એકલા વિચરી શકે તે વિશેષ શાંતિ અને આત્મબળ પ્રતીતિમાં આવશે. પછી જેવા સૉંચાગ ઉપસ્થિત થાય તેમ વર્તવામાં હરકત નથી. બીજા કોઈને માટે જીવવું નથી. એક Page #717 -------------------------------------------------------------------------- ________________ બેધામૃત પરમકૃપાળુદેવને શરણે નિસ્પૃહપણે જીવવું છે અને તેને જ શરણે નિર્ભયપણે દેહ પણ ત્યાગ કરે છે. સદ્દગત શ્રીને બેજો લઈને ફરતાં હતાં તેથી હવે તે હલકાં થયાં છે. કલાજ દૂર કરી એક પરમકૃપાળુદેવને જ સહયોગી ગણી આટલે ભવ પૂરો કરે છે, એમ કરવાથી વધારે સ્વતંત્ર અને સુખી થશો. જેને ગરજ હશે તે તમારે સહવાસ શોધશે. તમારે હવે કોઈની પાસેથી કંઈ લેવું નથી. મીરાંબાઈની પેઠે જૈન મીરાં બની છે, તેનાં ગુણગાનમાં મસ્ત બને. “વિઠ્ઠલ વરને વરીએ, જગથી નહીં ડરીએ; સંસારીનું સગપણ કાચું, પરણીને રડાવું પાછું એવું તે શીદ કરીએ? વિ” પૂન આશ્રમમાં આવવાની દઢ ભાવના હશે તે થવા યોગ્ય સૌ થઈ રહેશે. ઉપરથી તે બધાની સાથે બનતું રાખવું અને જેથી લાભ થાય તે લક્ષ રાખી પ્રવર્તવું થશે તે આશ્રમમાં રહેવાથી આત્મહિત વિશેષ થવા સંભવ છે. * શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૮૩૨ અગાસ, જેઠ સુદ ૫, શ્રુતપંચમી, શનિ, ૨૦૦૬ “નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રડ ધારવા.” (૧૫) “લેશે વાસિત મન સંસાર, ક્લેશરહિત મન તે ભવપાર.” “જહાં રાગ અને વળી દ્વેષ, તહાં સર્વદા માને લેશ; ઉદાસીનતાને જ્યાં વાસ, સકળ દુઃખને છે ત્યાં નાશ, સમજણ બીજી પછી કહીશ, જ્યારે ચિત્ત સ્થિર થઈશ.” (૧૦૭) પૂર્વ કર્મ જેવાં બાંધ્યાં છે તેવાં અત્યારે ઉદયમાં દેખાય છે તે પ્રત્યે સમભાવ રાખી વર્તવાથી તેવાં નવાં કર્મ ન બંધાય; માટે મનમાં કલેશને સ્થાન આપવા ગ્ય નથી. પ. પૂ. પ્રભુશ્રીજી બપોરે જમ્યા પછી દર્શન કરવા આવતાં બાળકે આદિને પ્રસાદી વહેંચતા. રોજ તે કંઈ ગળ્યું વગેરે હોય. એક દિવસે મોસંબીનાં છોડાં છોકરાંને અને રને આપ્યાં. બધાએ લીધાં પણ કઈ ખાય નહીં. પ્રભુશ્રીજી બેયા : “કેમ આજે પ્રસાદ ખાતા નથી? કહે છે તેમાં પ્રસાદ તે કઈ દિવસે મીઠે હોય અને કડવો પણ હોય, તેથી ખાઈ જવો પડશે.” એમ કહી બધાંને છેડાં ખવરાવ્યાં. તેમ પુણ્ય અને પાપ બને ઉદય છે તે પ્રભુપ્રસાદી ગણી, પ્રભુ પ્રત્યે ભક્તિભાવ રાખી સમભાવે સહન કર્તવ્ય છે. આ મનુષ્યભવ ઉત્તમ મળ્યો છે. ઉત્તમ કુળ, આર્ય ક્ષેત્ર, સપુરુષને વેગ, તેની આજ્ઞા અને ધર્મ માન્ય થયેલ છે તેણે હવે તે જે બાંધેલાં છે તે કર્મ સમભાવે ભેગવી ઇષ્ટ-અનિષ્ટભાવ ન જાગે, કોઈ પણ જીવ પ્રત્યે ઠેષ પરિણામ ન થાય, દયાભાવ વધે અને સર્વનું ભલું થાઓ એવાં પરિણામે બાંધેલાં કર્મ ભેગવી લેવાં. આપણું ધાર્યું જગતમાં થતું નથી. “જીવ તું શીદ શોચના કરે, કૃષ્ણને કરવું હોય તે કરે” એમ શ્રી દયારામ ભક્તકવિ ગાઈ ગયા છે તે લક્ષમાં લેશે. “સુખદુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં, ટાળ્યાં તે કોઈનાં નવ ટળે, રઘુનાથનાં જડિયાં” એમ શ્રી નરસિંહ મહેતાએ પણ ગાયું છે. દુઃખના વખતમાં ભગવાન વધારે સાંભરે છે, સુખમાં તે Page #718 -------------------------------------------------------------------------- ________________ ૬૯૩ પત્રસુધા ભુલાઈ જવાય છે. માટે ભુરાજા આદિ ભક્તોએ દુઃખ માગ્યું છે, ઇંદ્રિયનાં સુખ સ્વપ્ન પણ ન હો એવી ભાવના કરી છે, તે લક્ષમાં રાખી નિસ્પૃહતા વધારી ભક્તિમાં રહેવાથી જગતનાં સુખોની ઈચ્છા નહીં રહે. અનાદિનું યાચકપણું–ભિખારીપણું મટી વીતરાગતા તથા સ્વાધીનતાનાં સુખ સમજાશે. માટે મૂંઝાવું નહીં અને ભક્તિને કમ ચૂકવો નહીં. અને તે તમારા પાડોશમાં કાવિઠાના મુમુક્ષુ ભાઈ છે તેમના યોગે પરમકૃપાળુદેવનાં વચનો વાંચવાનો અવકાશ કાઢો. તેવા યોગે કંઈ સદાચાર, સત્સવા કે વિચારની ચર્ચા થાય તે કરવી, સાંભળવી; પણ દેશકથા કે આડીઅવળી વાતે તેવા યુગમાં પણ કરવાને કે સાંભળવાનો સંભવ લાગે તે એકલા ભક્તિ, વાચન, વિચાર કરવો. મન ઉપર બીજી બાબતેને બે ન રાખો. કામ હોય ત્યાં સુધી તેને વિચાર કરે પડે તે કરે, પણ તેની ન જોઈતી ફિકરચિતામાં કાળ ન જતે રહે તે લક્ષમાં રાખવું. જેમ ગુમાસ્તે કામ કરે તેમ કામ કરી છૂટવું; પણ મારું છે અને ખોટ જશે કે નફે આવશે એવા વિચારમાં અમૂલ્ય મનુષ્યભવની એક પણ પળ ગુમાવવી નહીં. ભક્તિભાવ વધારે. જે કંઈ કૃપાળુદેવને આત્મસિદ્ધિ આદિમાં કહેવું છે તે સમજવું, સમજવા પુરુષાર્થ કરવો અને સમજાય તે સાચું માની તે પ્રમાણે વર્તવા ભાવ કરે. બીજું વાંચીએ તે પરમકૃપાળુદેવે આત્મસિદ્ધિમાં કહ્યું છે તે સમજવા માટે વાંચવું છે. પરમકૃપાળુદેવે બતાવેલા માર્ગે કલ્યાણ છે તે જીવતાં સુધી ભૂલવા Àગ્ય નથી. આનંદમાં રહી સ્મરણ કરતા રહેવાની ટેવ પાડશે જી. ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૮૩૩ અમાસ, તા. ૨૪-૫-૫૦ વિ. આપને વિવેચનસહ પત્ર મળે. વાંચી સંતોષ થયો છેજ. પુરુષનાં વચનને હદયમાં બીજની પેઠે યોગ્ય ભૂમિકા કરી વાવવાં, તેને તેમ ને તેમ છેડા વખત રહેવા દેવાં, એટલે તે સજીવન બીજ આપે આપ મૂળ તથા પાનને અંકુરને પ્રગટ કરી ઉપર પથ્થર હોય તે પણ તેમાંથી માર્ગ કરી તે ઉપર ઊગી આવે છે. જેમ જેમ મહાપુરુષનાં વચનનું બહુમાનપણું અને પિતાની લઘુતા, દીનતા તથા જિજ્ઞાસા વધે તદ્અનુસાર વચનબીજનું પ્રસરવું, ફાલવું, ફૂલવું, ફળવું થાય છે. પિતાના દોષ જોવામાં અપક્ષપાતતા એ મુમુક્ષુતા પ્રગટવાનું કારણ છે એમ પરમકૃપાળુદેવ કહે છે. પત્રાંક ૨૫૪ “નિઃશંકતાથી નિર્ભયતાઓવાળે કઈ કઈ વખત વાંચવા-વિચારવાને પિતાને માટે રાખવા ભલામણ છેy. ૮૩૪ અગાસ, તા. ૨૬-૫-૫૦ તમારી ભાવના સારી છે, પણ સત્સંગની ઘણી જ જરૂર છે. તમારે દેશમાં આવવાનું બને ત્યારે સત્સંગને અર્થે અમુક દિવસ આશ્રમમાં ગાળવા ભલામણ છે. તમે મધની દવા પૂરતી છૂટ રાખવા પત્રમાં લખો છે, પણ સાત અભક્ષ્યમાં વધારેમાં વધારે પાપવાળું એ મધ છે જી. મધમાખી ફૂલ ઉપરથી રસ ચૂસી મધપૂડામાં જઈ પૂંઠથી છે? છે એટલે મધ એ માખીની વિષ્ટારૂપ છે. તેમાં નિરંતર વિષ્ટાની પેઠે જ ઉત્પન્ન થયા કરે છે. એક ટીપું મધ ચાખે તેને સાત ગામ બાળતાં જેટલાં માણસ, બાળક, પશુ, જંતુઓ મરી જાય તેથી વધારે પાપ લાગે છે. એટલે તમને વિચાર કરવા આ લખ્યું છે. તમારી Page #719 -------------------------------------------------------------------------- ________________ બેધામૃત હિંમત હાલ જીવનપર્યત ત્યાગવાની ન ચાલતી હોય તે થેડે થડે બે-પાંચ વરસના ત્યાગને અખતરે કરી પછી હિંમત આવે ત્યારે જિંદગી પર્યત છોડવું હોય તો પણ બની શકે. ખાંડની ચાસણી મધને બદલે વપરાય છે અને લગભગ સરખે જ ગુણ કરે છે. તમારાથી ન જ પળી શકે તેમ લાગતું હોય તે, આગ્રહ કરે છે માટે પરાણે નિયમ લેવું પડશે એમ ન ધારશે. હિંમત રહેતી હોય તે આત્માને મહત્યાગથી ઘણું પાપના બોજામાંથી બચાવી શકાય એટલા માટે લખ્યું છે. જેટલે તમારાથી હાલ બને તેટલે ત્યાગ પૂ.ની રૂબરૂ પરમકૃપાળુદેવની સાક્ષીએ કરશે. હાલ માળા ફેરવવાને વખત મળે તેમ ન હોય તે ત્રણ પાઠ રોજ ભક્તિ કરવાને નિયમ લેશે તે પણ હરક્ત નથી. એકદમ ઉતાવળ કરી વધારે નિયમો લેવા અને પછી મને વખત નથી મળતું, મારાથી હવે નિત્યનિયમ નથી બનતે, એમ કરવાને વખત ન આવે; માટે પ્રથમ પિતાની શક્તિ પ્રમાણે નિયમ લેવા. નિયમ લીધા પછી પ્રાણત્યાગ જેવા પ્રસંગે પણ ચૂકવું નહીં. પરમકૃપાળુદેવને જ ગુરુ માનવા. તેને આપણે બધા શિષ્યો છીએ. જેનાથી આપણને ઉપકાર થાય તેને ઉપકાર માને પણ કેઈને પરમકૃપાળુતુલ્ય સદ્ગુરુ ન માની લેવા. આ શિખામણ લક્ષમાં વારંવાર રાખવા યોગ્ય છેજી. સ્મરણમંત્ર અત્યંત આત્મહિત કરનાર છે. એક સેકંડને પણ સદુપયોગ કરવાનું તે સાધન છે. પરમકૃપાળુદેવે જાણે છે તે આત્મા તે મંત્રમાં તેમણે જણાવ્યું છે. મને કંઈ આત્માનું ભાન નથી, પણ તે પ્રગટવા, તે પરમકૃપાળુદેવની આજ્ઞા ઉઠાવવા, તેના સાચા સિપાઈ થવાનું સદ્ભાગ્ય મને જે દિવસથી મળે તે દિવસથી મારો જન્મ થયે એમ માની, તે પરમગુરુ શ્રીમદ્ રાજચંદ્રની આજ્ઞા એ જ આપણું જીવન છે એમ માની, છેલ્લા શ્વાસોચ્છવાસ સુધી તે આરાધન કર્યા રહેવાનું છે. હાલ તે અમુક માળા રેજ ફેરવવાને નિયમ લેવો, પણ હરતાંફરતાં, દિવસે રાત્રે સૂતાં સૂતાં પણ તેમાં મન રાખી જીવન સફળ કરવા આ ધર્મ સ્વીકારું છું એ ભૂલશો નહીં. # શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૮૩પ અગાસ, તા. ૨૬-૫-૫૦ “નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા.”(૧૫) શું કરવા માટે હું આવ્યો છું? આ મનુષ્યભવ શા અર્થે ગાળવા ગ્ય છે, અને આપણા દિવસેને મોટો ભાગ શામાં વહ્યો જાય છે? તેને વિચાર કેઈ વિરલા જ કરે છે. બીજું કંઈ વિચારમાં ન આવે તે આટલું તે દરેકે હૃદયમાં નક્કી ધારણ કરી રાખવું ઘટે છે કે ગમે ત્યારે પણ જ્ઞાનીની આજ્ઞામાં જ એક્તાન થયા વિના પરમાર્થમાર્ગની પ્રાપ્તિ બહુ જ અસુલભ છે એમ પરમકૃપાળુદેવે જણાવ્યું છે, તે પ્રત્યે હવે મારે વિશેષ વિશેષ લક્ષ રાખવે છે. જતા દિવસેમાંથી અમુક કાળ જરૂર બચાવી આ આત્માને પરમ પુરુષનાં પરમ ઉપકારી આત્મહિતપ્રેરક વચનમાં તલ્લીનતા થાય, થેડી વાર જગતનું વિસ્મરણું થાય અને તે નિસ્પૃહી પુરુષે કરેલી આજ્ઞામાં લીન થવાય તે અભ્યાસ પાડવાની આવશ્યક્તા (જરૂર) છે. પરમાર્થનું પલ્લું નમે અને જગતના ભાવે તેણે બહુ ભવ સુધી સેવ્યા છે, તે પ્રત્યે Page #720 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૬૯૫ વૈરાગ્યવૃત્તિ ઉદ્ભવે, ટકી રહે તેવા સત્સ`ગ, સદ્વિચાર, સત્શાસ્ત્રને પરિચય કરતા રહી અનતકાળથી રઝળતા આત્માની યા આત્માર્થી જીવે જરૂર ખાવા ચાગ્ય છેજી. પ્રભુશ્રીજીએ કહ્યું છે કે કાળને ભરેાસેા નથી. સાધક રહેવું સારું છે. ચેાગ્યતા લાવા એટલે ભાવ વધારા. પૂર્વે જ્ઞાનીની વાણી આ જીવે નિશ્ચયપણે કદી સાંભળી નથી. નિશ્ચય તે તે આત્મા છે. તેમાં ભેદ નથી. તે ન થયું હેાય ત્યાં સુધી ભાવના રાખવી. સદ્ગુરુની આજ્ઞાએ વતાં પાપથી વિરમવું થાય છે. ભાવના કામ કાઢી નાખે છે. સૂર્ય છે ને વાદળાં છે. વાદળાં વીખરાઈ જશે. વાદળ તે સૂયૅ નથી, ને સૂર્ય તે વાદળ નથી. વાદળને લીધે સૂર્ય ખરાખર ન દેખાય પણ વાદળ વીખરાઈ ગયે સૂર્ય છે તેવા જ દેખાય છે. આત્મા અને આવરણનું આ દૃષ્ટાંત વિચારી શુદ્ધ આત્માની ભક્તિ, સદ્ગુરુની ભક્તિ દ્વારા પરમાત્મપદ પ્રગટવાનું અને છે તે લક્ષમાં લેવા વિનતી છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૪-૬-૫૦, રવિ ૮૩૬ પ્રભુપદ દૃઢ મન રાખીને, કરવા સૌ વ્યવહાર; વિરતિ વિવેક વધારૌંને, તરવા આ સંસાર.' “પ્રભુ ‘પણ' નિજ સંભારીને, દુઃખને કરશે દૂર; સમય થયે રેલાવશે, પવિત્ર સુખનાં પૂર.’ નિત્ય નવીઁન ઉત્સાહથી, ધરો પ્રભુનું ધ્યાન, સ્મરણ કરો પ્રીતથી, તજી દેહ-અભિમાન.’’ “પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન; પાત્ર થવા સેવા સદા, બ્રહ્મચર્ય મતિમાન.” શ્રીમદ્ રાજચંદ્ર ..... બહેન ત્યાં આવી ગયાં હશે. તેને ખરાબર વાંચતાં-લખતાં શીખવવા ભલામણ છેજી. સત્સંગનું તે એક કારણ છે. તમારી પાસે પ્રવેશિકા, મેાક્ષમાળા, સમાધિસેાપાન આદિ પુસ્તકા હાય તે તેને સમજાય તેમ ધીરે ધીરે વાંચશે અને તમને સમજાય તે માંઢેથી કહી ખતાવવાની ટેવ રાખશે, તે તેમને યેાગ્યતા પ્રમાણે કઈક સમજાશે. પણ તમને કહી બતાવતાં વિચાર કરવા પડશે, તેથી વધારે સમજવાનું કારણ છે. બીજી વાર્તામાં ખાટી ન થવું. પવિત્ર મહાપુરુષોનાં અમૂલ્ય વચના વાંચવા, વિચારવા, સમજવા, સમજાવવા પ્રયત્ન કરવા, ન સમજાય તે ફરી ફરી વાંચવાં અને આત્માર્થે જ્ઞાનીપુરુષોએ આપણા માટે પરમ કૃપા કરીને આવાં વચન કહ્યાં છે, તે નથી સમજાતાં તે આપણાં દુર્ભાગ્ય છે; પણ તે સમજવા ભાવ રાખીશું તે આજે નહીં તે। કાલે, આવતે માસે કે આવતી સાલ સમજાશે એવી દૃઢ શ્રદ્ધા રાખી પુરુષાર્થ જારી રાખશે! તેા જરૂર કઈ ને કઈ તેમાંથી સમજાતું જશે. કટાળીને, નથી સમજાતું કરી વાંચવાનું પડી ન મૂકવું પણ રાજના રાજ વાંચવાના ક્રમ રાખ્યાથી આગળ જતાં પરમાર્થ સમજાશે, આન' આવશે, અપૂર્વાંતા ભાસશે અને તે સિવાય ખીજું ગમે જ નહીં તેવું થશે. ૫. ઉ. ૫. પૂ. પ્રભુશ્રીજી પોતે શ્રી આનંદઘનજી, શ્રી દેવચંદ્રજી આદિનાં સ્તવને રાજ સવારે ભક્તિમાં ગાતા. ખીજા સાંભળનારને કે ઝીલનારને કઈ સમજાય નહીં, પણ રાજ Page #721 -------------------------------------------------------------------------- ________________ બધામૃત એને એ ક્રમ ચાલુ રહ્યો તે આજે તેનાં તે સ્તવને અમૃત જેવા લાગે છે. અને તેઓશ્રીને કેમ તેમાં ઉલ્લાસ આવતે તે સમજાય છે. તેમ અભ્યાસ ચાલુ રાખશે તે ટીપે ટીપે સરોવર ભરાય તેમ આગળ ઉપર લાભ સમજાશે. પ્રમાદમાં, આળસમાં બચતે વખત ગાળવાને બદલે સારા વાંચનમાં, ગોખવામાં, ગોખેલું ફેરવી જવામાં, વિચારવામાં કે વાંચેલાની વાત, ચર્ચા કરવામાં વખત ગાળશે તે તે સફળ થશે, જીવન સુખરૂપ લાગશે, ભક્તિમાં રસ વધશે. નાટક, સિનેમા કે રમતમાં વખત ગુમાવશો તે પછી સારાં કામોમાં પ્રીતિ રહેશે નહીં. સારા વાંચન વગેરે માટે વખત મળે નહીં તે સારી ભાવના કે સારું જીવન ક્યાંથી થાય? માટે મહાપુરુષોનાં વચનમાં જ બચતે વખત ગાળ છે. ન સમજાય તો પણ ગભરાવું નહીં. સત્સંગે થડા વખતમાં ઘણું કામ થાય એ વાત સાચી છે, પણ તેવું ભાગ્ય ઉદયમાં ન આવે ત્યાં સુધી જ્ઞાની પુરુષનાં વચને જ આધારભૂત છે. પ્રવેશિકા' નામનું પુસ્તક વાંચશે તે મન કેમ ચુંટતું નથી તેને ખુલાસો છે, તે સમજાશે. જે વસ્તુમાં પ્રેમ હશે કે થશે તે વસ્તુ પ્રત્યે મન જાય કે જશે. માટે મહાપુરુષ અને તેનાં વચન પ્રત્યે પ્રેમ થાય તેવું વાંચન, તેવી વાતચીત, તે પરિચય જીવને હિતકારી છે. મોટા વેગીઓને પણ મન વશ કરવું અઘરું પડ્યું છે. શ્રી આનંદઘનજી ગાય છે કે – મનડું કિમ હી ન બાજે હો કુંથુજિન મનડું કિમ હી ન બાજે, જિમ જિમ જતન કરીને રાખું, તિમ તિમ અળગું ભાંજે હો કુંથુજિન” સર્વને ઉપાય “પર પ્રેમપ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમભેદ સુઉર બસે; વહ કેવલ બીજ જ્ઞાની કહે, નિજકો અનુભવ બતલાય દિયે.” મથાળે લખેલા દોહરા વિચારશોજી. વીશ દેહરા બોલતાં મન ભટકતું હોય તે છેલ્લી કડીથી પહેલી તરફ બોલવા માંડવા તથા દરેક કડીમાં શી ભાવના કરવાની છે તેને વિચાર ગાતાં ગાતાં કરવો તે મનને કામ મળશે એટલે બીજા વિચારમાં જતું અટકશે. વિકારોનો નાશ કરવા માટે સવાંચન અને તેમાં રસ ઉત્પન્ન થાય તે જગત બધું વાંચતી વખતે ભૂલી જવાય છે. સ્મરણ કરવાની ટેવ વિશેષ વિશેષ રાખવી તથા જે વસ્તુમાં બહુ રસ પડે, આનંદ આવે તે વસ્તુ ઓછી ખાવી કે તેને નીરસ કરીને ખાવી. જેમ કે દાળમાં વઘાર સારે બેઠો હોય ને સ્વાદિષ્ટ લાગે છે તેમાં થોડું પાણી રેડીને ખાવું. આમ ખોરાક નીરસ લેવાની ટેવથી બધી ઈન્દ્રિય ઉપર અસર થશે અને વધારે ખવાઈ પણ ન જવાય. આ ઉપાય પરમકૃપાળુદેવે પ્રભુશ્રીજીને બતાવે, તે કરવાથી તેમને લાભ પણ જણાયેલ. સાધુજીવનમાં રસ ઘટાડે મુશ્કેલ છે, કારણ કે ગામમાં ગમે તે ઘરે તે જઈ શકે અને સારામાં સારે ખોરાક ફરી ફરીને મેળવી શકે. પણ તેમ નહીં કરતાં જે કંઈ સારો ખોરાક શ્રાવકો આગ્રહ કરીને પાત્રામાં નાખી દેતા તે બીજા સાધુઓને પ્રભુશ્રીજી આપી દેતા અને પોતે લૂખોસૂકે નીરસ આહાર જીવન ટકે તે પૂરતો જ લેતા. આમ કરવાથી તથા પરમકૃપાળુદેવના પત્રોમાં અત્યંત પ્રીતિ હોવાથી તે મુખપાઠ કરવામાં, વાંચવામાં, વિચારવામાં તેમને કાળ જતે. પરમકૃપાળુદેવે છે કલાક ઊંઘવાની છૂટ આપી છે, છતાં પ્રભુશ્રીજી તે ત્રણ કલાક પણ પૂરું ઊંઘતા નહીં. આમ પરમકૃપાળુદેવની આજ્ઞા આરાધી તે આત્મજ્ઞાન તેમણે પ્રગટાવ્યું. જેટલી આપણી ગ્યતા Page #722 -------------------------------------------------------------------------- ________________ ૬૯૭ પત્રસુધા પાત્રતા હશે તેટલે આપણને લાભ થશે. વાતે કર્યો વડાં નહીં થાય, ઘૂંકે પૂડા ન થાય, તેલ જોઈએ. તેમ છવમાં મહાપુરુષ પ્રત્યે અચળ પ્રેમ અને સભ્યપ્રતીતિ આવશે ત્યારે જીવનું હિત થશે. સાચા ભાવથી જ્ઞાની પુરુષે કહેલા માર્ગે ચાલીશું તે મોક્ષ વિશેષ દૂર નથી. પણ તેનું કહેલું કરવું ન હોય અને જગતનાં તુરછ સુખને જ ભિખારી હોય તે આગળ વધી શકે નહીં. ઉપવાસ આદિ કરવા કરતાં આહારમાં મજા ન પડે તે આહાર રસરહિત, મેળ, કે ધી આદિ ઓછાં વપરાય તે લેવો છે. ફળ વગેરેમાં પણ રસ પિવાય તેવું કરવું નથી. ખાવા માટે જીવવું નથી પણ જીવવા પૂરતું જ ખાવું છે. “નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા.”(૧૫). વિષય એટલે પાંચ ઇન્દ્રિયની મીઠાશ અને પરિગ્રહ એટલે ધન, અલંકાર, સગાં આદિની મમતા. તે અર્થે દેહ ધર્યો નથી. આમ પર ચીજો ઉપરને રાગ ઘટે અને સાદા રાકથી જિવાય તે વૈરાગ્ય વધે, આત્મહિત સાચા દિલથી સાધવા જિજ્ઞાસા વધતી રહે અને પુરુષનાં વચને સમજાય, અને સમજાય તેટલું થેડું થોડું અમલમાં આચરણમાં મુકાય. પરમકૃપાળુદેવ ઉપર જેને ગુરુભાવ હોય તે ભાઈ કે બાઈ આપણુ ધર્મ ભાઈ કે ધર્મભગિની છે. તેમની સાથે વાચન, પત્રવ્યવહાર ધર્મ અર્થે કરવાથી લાભ જ હોય. ભાઈ તરીકે મેહ કે પત્ની તરીકે મોહ ઓછો કરી, તે પરમકૃપાળુદેવને માને છે તેથી તેનાં ધન્યભાગ્ય છે, મારે માનવા યંગ્ય છે. પરમકૃપાળુદેવ તેના મારફતે મારું કલ્યાણ સુઝાડશે એવા ભાવે વર્તવાથી ધર્મની વૃદ્ધિ થાય. આ લક્ષમાં રાખી ધર્મકર્મમાં એવી પ્રવૃત્તિ કરશો કે જેથી આખરે છુટાય. છૂટવા માટે જીવવું છે એ ધ્યેય, નિશાન હૃદયમાં રાખવા ભલામણ છેજી. | # શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૮૩૭ અગાસ, તા. ૫-૬-૫૦ તત્ ૐ સતુ જેઠ વદ ૫, સેમ, ૨૦૦૬ “શત્રુમિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માન-અમને વર્તે તે જ સ્વભાવ જે, જીવિત કે મરણે નહીં ન્યૂનાધિતા, ભવ-મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ છે. અપૂર્વ ” આપના પ્રશ્નનો ઉત્તર મથાળાની ગાથા વિચારતાં સમજાય તેમ છે, છતાં ટૂંકામાં લખું છું – | મુનિપણું સમ્યકત્વસહિત પ્રાપ્ત થયા પછી ઘણા પરિષહ વેઠી સુખ અને દુઃખમાં સમભાવ રાખી શકે છે તેવા મહાત્મા ઉપરની ભાવના કરે છે કે શત્રુ દુઃખ આપવા તૈયાર થાય કે મિત્ર અનુકૂળતાઓની સામગ્રી આપે, પણ બન્ને કર્મને આધીન છે. જેને છૂટવું છે તે કોઈ પ્રત્યે રાગ કે દ્વેષની વૃત્તિ ન ઊઠે તેમ સમભાવે જ્ઞાતાદ્રષ્ટા રહી અસંગ-અલિપ્ત રહે છે, તેમાં જે આત્મશાંતિ આવે છે તેવી શાંતિ શાતાના પ્રસંગમાં હતી નથી. આમ જેણે સમભાવ એટલે બધે કેળવ્યો છે કે “તું છે મોક્ષસ્વરૂપ” એવું આત્મસિદ્ધિજીમાં કહ્યું છે તે તેમને અનુભવમાં વર્તે છે, તેથી બીજું મોક્ષનું સ્થળ વગેરે તે ઈચ્છતા નથી, કારણ કે તે મેક્ષની Page #723 -------------------------------------------------------------------------- ________________ ૬૮૮ બેધામૃત મૂર્તિરૂપ બનેલા છે. ભવ એટલે જન્મવાનું હોય તો પણ કે તે દેહમાં વધારે આયુષ્ય હેય ને રહેવાનું હોય તે પણ તે તેમને બાધ કરી શકે તેમ નથી. પિતાની પાસે જે સુખ છે તે જેણે પ્રગટ કર્યું છે તેને આત્માથી બીજી વસ્તુ ઉત્તમ લાગતી નથી – “આત્માથી સૌ હીન.” જન્મવાનું હોય તો પણ તેમને સમક્તિ લઈને પરભવ જવાનું હોવાથી આત્માની ઓળખાણ ભુલાઈ જાય તેમ નથી. તેવા મહાપુરુષને આત્મા જ સર્વસ્વ છે અને તે જ અનંત સુખનું ધામ છે. ઈચ્છાથી કઈ વસ્તુની પ્રાપ્તિ થતી નથી, તેથી તે કંઈ ઈચ્છતા નથી; કર્મ દૂર કરવાને પુરુષાર્થ નિરંતર કર્યા કરે છે, તેને કંઈ ઈરછયા વિના જ મોક્ષ તેમની પાસે આવ્યા કરે છે. આ વાત વિશેષ એકાંતમાં વિચારશો તે બહુ આનંદ આવશે અને સત્ય છે એમ લાગશે. ખરી રીતે દેહ છે એ જ ભવ છે, અશરીરી છે તે સિદ્ધ છે. દેહ છતાં જેની દશ વર્તે દેહાતીત” એવી દશા જેને પ્રાપ્ત થઈ છે તેને “દેહ છતાં નિર્વાણ” છે. દેહસહિત અને દેહરહિત દશા જેને સરખી થઈ ગઈ છે, સર્વ પ્રકારના વિકપનો અભાવ થઈ નિર્વિકલ્પ દશામાં સદાય રહે છે, તેને શાતા-અશાતા, સંસાર-મોક્ષ, સદેહ દશા કે વિદેહ દશામાં કંઈ ભેદ જણાતું નથી, એટલે તે વિકપનું કારણ બનતાં નથી. બધી અવસ્થામાં તેને અનંત સુખને અનુભવ વત્ય કરે છે. “લેશે વાસિત મન સંસાર, ક્લેશરહિત મન તે ભવપાર.” (શ્રી યશોવિજયજી) શરૂઆતની અવસ્થામાં જ્યાં સુધી સંસારનાં સુખની ઈચ્છાઓ જીવને આકર્ષે છે ત્યાં સુધી તે પ્રત્યે વૃત્તિ જતી રેકી મેક્ષની ભાવના કર્તવ્ય છે – “કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ, પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ.”– શ્રી આત્મસિદ્ધિ પરંતુ જ્યારે પિતાને કે પરને અર્થે પણ કંઈ વિકલ્પ ઊઠે નહીં તેવી નિર્વિકલ્પદશા પ્રાપ્ત થાય છે, ત્યારે “મુક્તિ સંસાર બિહુ સમ ગણે” એ ભાવ રહ્યા કરે છે. સંસારમાંથી જીવો છૂટે અને મોક્ષે જાય એવી પણ ઈચ્છા જેમને સ્કુરતી નથી, “સવિ જીવ કરું શાસનરસી, ઇસી ભાવદયા મન ઉલ્લસી” – એ ભાવે તીર્થંકર થવાના હોય તે પહેલાંના ત્રીજા ભવે એટલે મનુષ્યભવમાં આગલે ભવે હોય ત્યારે કરેલી ભાવનાના ફળરૂપ તીર્થંકર નામકર્મ બંધાયું હોય છે, તે પ્રારબ્ધ પૂરું થવા અર્થે જ તીર્થકરને ઉપદેશકાર્ય હોય છે, પરંતુ “આને તારું કે આને ઉદ્ધારું” એવું તીર્થંકર-અવસ્થામાં હોય નહીં. યંત્રવત્ પ્રારબ્ધ અપાવે છે. ઈચ્છા એ લેભને પર્યાય છે, તે તે મેહને ક્ષય થયા પછી હાય નહીં, તેથી નિઃસ્પૃહપણે શ્રી તીર્થકર વક્તા છે. છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૮૩૮ અગાસ, તા. ૮-૬-૫૦ તત્ ૐ સત્ જેઠ વદ ૮, ગુરુ, ૨૦૦૬ દુષ્કર એવું બ્રહ્મચર્ય વ્રત તેમણે બે વર્ષ પરણીને જ પાળ્યું તે બદલ ધન્યવાદ ઘટે છે. હવે ધર્મમાં ઢીલા થવાની જરૂર નથી. જે આટલું નિશ્ચયબળથી કામ થયું તે તેમને પરમકૃપાળુદેવના વચનમાં વિશેષ શ્રદ્ધા થશે કે “માણસ ચાહે તે કરી શકે.” (વચન સપ્તશતી ૫૫૧) “નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા” (૧૫) Page #724 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૬૯ બ્રહ્મચર્યના આરાધનથી જીવમાં અનેક ગુણે પ્રગટે છે, સવૃત્તિ રહે છે. પરમપુરુષોએ સમ્મત કરેલું બધું માનવું છે, તે સાચું છે, ન બને તોપણ તે પ્રાપ્ત કર્યાથી મને લાભ થશે એવી ભાવના રહે છે. સંસારી લે છે અને તેમની માન્યતાના ગાડરિયા પ્રવાહમાં તણાવાને બદલે તે વિચાર કરતે થાય છે. સાચા સુખને માર્ગ શોધી ન્યાયપૂર્વક પુરુષાર્થથી પ્રાપ્ત કરવા કેડ કસીને તૈયાર થાય છે. હવે નિયમ ન હોય તો પણ આઠમ, પાંચમ, બીજ, ચૌદશ, પૂનમ આદિ દિવસે ધર્મને અર્થે નિર્માણ મોટા પુરુષોએ કરેલા છે તે દિવસેએ તે બ્રહ્મચર્ય પાળવું જ અને બને ત્યાં સુધી એ પશુપણુની વૃત્તિ(મૈથુન)ને વારંવાર વશ ન થવું. તેમાં જ સુખ માની શરીરશક્તિને બરબાદ ન કરવી. જેટલું મન સંયમમાં રહેશે તેટલી દયા પળાશે. ભેગમાં મન આસક્ત રહેશે તેટલી હિંસાપ્રિય વૃત્તિ બનશે. માટે અનંતકાળથી રખડતા, જન્મમરણ કરતા આ આત્માની દયા લાવી તેને આ ભવે મોક્ષમાર્ગ ચડાવી પરમકૃપાળુદેવની આજ્ઞામાં રાચતે કરી સંસારને અંત લાવી મોક્ષે જવું છે એ ભાવ દિન દિન પ્રત્યે વધતે રહે એવી વાતચીત, એવું વાંચન, એવા વિચાર, એવી ભાવના પષતા રહેવા ભલામણ છે અને વખત મળે આશ્રમમાં પણ થોડા થોડા દિવસ રહી જવાય તેવી અનુકૂળતા શેધતા રહે તે સત્સંગને જેમ જેમ લાભ થશે તેમ તેમ આપોઆપ શું કરવું?-તે તમને સમજાતું જશે. વ્રત-નિયમ કરતાં શ્રદ્ધાની દઢતા અને આત્માનું ઓળખાણ થાય તે અર્થે દેહાધ્યાસ એટલે દેહ તે હું, દેહને દુઃખે દુઃખી અને દેહને સુખે સુખી માનવાની અનાદિની બ્રાંતિ છે તે ટાળવા સ્મરણ, ભજન આદિ સત્સાધનરૂપ બનતે પુરુષાર્થ દરેકે કર્તવ્ય છે. તમારી નિશાળ ઊઘડતાં પહેલાં આ કાર્ડ મળી જશે. વૅકેશનને સદુપયોગ કરતા રહેવું. સત્સંગની ભાવના કરતા રહેવાથી પુણ્યયોગે તે અવસર આવી મળશેજી. ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૮૩૯ અગાસ, તા. ૨૪-૬-૫૦ ઇન્દ્રિયાદિના નિગ્રહનું ન હોવાપણું, કુળધર્મને આગ્રહ, માનશ્લાઘાની કામના, અમધ્યસ્થપણું, એ કદાગ્રહ (મિથ્યાગ્રહ) છે. તે કદાગ્રહે જ્યાં સુધી જીવ ન મૂકે ત્યાં સુધી કલ્યાણ થાય નહીં.” (ઉપદેશછાયા) વિ. પુણ્યના ઉદય પ્રમાણે જીવને ધર્મની જોગવાઈ મળી રહે છે. પૂ...ની તબિયત ઠીક હોય તે તેમને ખબર આપશે, તે વખતે પાસે છે તે તે આવી જાય. જરૂર જેવું હોય તે તે રહે પણ ખરા, કારણ કે તેમની ઉંમર થઈ એટલે સત્સંગની ઈચ્છા તેમને પણ રહ્યા કરે. કેઈ ન આવે તે પૂ...એ કાળજી રાખી તેમના પિતાની સેવા બને તેટલી બહારથી તેમ જ ધર્મવાંચન ભક્તિ આદિથી આંતરિક સેવા પણ કર્તવ્ય છે. બીજા કામ તે મજુર આદિથી થઈ શકે, પણ સેવાનું કામ પિતે કરે તે જ બને. તેમનાથી વંચાય તે “સમાધિ પાનમાંથી પાન ૨૬૩ થી ઠેઠ સુધી શેડે થેડે તેમણે વાંચવા ગ્ય છે અને ન વાંચી શકાય તે જે કંઈ વાંચી શકે તેવા હોય તેમણે તેમને વાંચી સંભળાવવું ઘટે છે. જ્યાં સુધી સાંભળી શકાય છે ત્યાં સુધી પરમકૃપાળુદેવનાં વચન, ભક્તિ વગેરે કાનમાં પડ્યાં કરે તેવી ગોઠવણ રાખવી ઘટે છેજી. પૂ..એ મુખપાઠ કર્યું હોય તે તે થોડો વખત અનુકૂળતા પ્રમાણે Page #725 -------------------------------------------------------------------------- ________________ ૭૦૦ બેધામૃત પાસે બેસી બોલે. જે વિશેષ વખત હોય તે નવું પુસ્તક હાલ પ્રવેશિકા બહાર પડ્યું છે તે પણ થોડું થોડું વંચાય તે સારું. મોક્ષમાળા, વચનામૃત, આલેચના આદિમાંથી જેમ બને તેમ જાગતા હોય ત્યાં સુધી તેમને સંભળાવવાને કમ રાખે તે હિતકારી છે. કંઈ ન બને તે મંત્રનું સ્મરણ તે કાનમાં પડ્યા જ કરે અને તેમને પણ મનમાં રટણ થયા કરે તેમ કર્તવ્ય છેજી આ મનુષ્યભવનું સાર્થકપણું પરમકૃપાળુદેવને આશ્રયે દેહ છોડવામાં છે'. બીજું જપ, તપ, શાસ્ત્રશ્રવણ આદિ બને કે ન બને પણ શ્રદ્ધા એક પરમકૃપાળુદેવે આત્મા જાયે છે તે જ મારે આત્મા અસંગસ્વરૂપ, જ્ઞાનસ્વરૂપ, અવિનાશી, પરમ આનંદસ્વરૂપ છે, શરીર, શરીરમાં થતું દુઃખ, સગાં વગેરે કોઈ મારું નથી; મારા એક પરમકૃપાળુદેવ છે તેને મારે ભૂલવા નથી, જે થાય તે જોયા કરવું, ગભરાવું નહીં, દેહ છૂટે તે પણ આત્મા મરવાને નથી, આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોક્તા છે, મોક્ષ છે અને જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભક્તિ આદિ મોક્ષના ઉપાય છે, આ હૃદયમાં કોતરી રાખવા એગ્ય છે. “આતમ ભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે.” » શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૮૪૦ અગાસ, તા. ૧-૭-૫૦ હરિગીત – “એક શુદ્ધ સ્વરૂપ નિજ જાણી સદા તેને ભજે, વાણું ગણું પરરૂપ, અંતર બાહ્ય બન્નેને તજે; એવા પરમ ઉપદેશરૂપે પરિણમી ગુરુ જાણજે, ગુરુરાજ પરમકૃપાળુની કરુણા હૃદયમાં માણજે.” – હદયપ્રદીપ મંત્રનું સ્મરણ કરવું. એ મૂંઝવણના વખતમાં દવા સમાન છે. કમને આધીન આખું જગત છે, તે પ્રમાણે જવું, આવવું, બોલવું, બેસવું, ઊઠવું, ખાવું, પીવું થયા કરે છે. “સુખદુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયા” એમ નરસિંહ મહેતાએ ગાયું છે. માટે કયાંય ચિત્ત રાખવા જેવું નથી. આત્માને કેઈ કારણે સંસારમાં કલેશિત કરવા ગ્ય નથી. ભક્તિમાં મન રાખી, પરમકૃપાળુદેવ રાખે તેમ રહેવાની ટેવ પાડવી. જ્ઞાનીની આજ્ઞા, મંત્રનું સ્મરણ, ભક્તિ, વાંચન, વિચારમાં મન રાખી આનંદમાં રહેવું. કેઈ આપણું છે નહીં. એકલા આવ્યા છીએ અને એકલા જવાનું છે. આજ્ઞા આરાધી હશે તેટલું આત્માનું હિત થશે. માટે “ખેદ નહીં કરતાં શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં મોક્ષપાટણ સુલભ જ છે” (૮૧૯) એમ પરમકૃપાળુદેવે લખ્યું છે તે વિચારી રાગદ્વેષ ઘટાડવાને પુરુષાર્થ કર્તવ્ય છેજી. “પર પ્રેમપ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમ ભેદ સુઉર બસેં; વહ કેવલ બીજ ગ્લાનિ કહે, નિજકે અનુભૌ બતલાઈ દિયે.” શ્રીમદ્ રાજચંદ્ર આબુ, તા. ૭-૭-૫૦ તત સત પ્ર. અષાડ વદ ૮, ગુરુ, ૨૦૦૬ દાહરે – પરાર્થ સાવધ વર્તન, ભૂત ભાવિ વર્તમાન, સભાદિમાં જાણ વદે, –નહીં સપાપ મુનિ માન. (દશવૈકાલિક અ. ૭-૪૦). Page #726 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૭૦૧ પત્રમાં પ્રશ્ન લખેલા સ્મૃતિમાં છે. બધા મળી વિચારશે તે સમજાય તેમ છે. કેટલાંક વાક્યો પિતા માટે છે. કેટલાંક બનેને ઉદ્દેશીને લાગે છે. “સૂત્ર અને તેનાં પડખાં બધાંય જણાયાં છે” (૧૭૦) તે તે પિતાના જ્ઞાન વિષે ઉલ્લેખ છે. આધુનિક મુનિઓના સૂત્રાર્થ વાળું વાક્ય પિતાને પણ અનુકૂળ નથી તેમ શ્રેતાઓને પણ અનુકૂળ નથી. કેમકે રસલુબ્ધ, યશલબ્ધ, માનલુબ્ધ આદિ મેહમાં પડેલા, ધર્મનું મૂળ વિનય છે જેના હૃદયમાં રોપાયું ન હોય અને સ્વચ્છેદ-પરિણામી હોય તે ભલે ભગવાનનાં સૂત્રો વાંચે; પણ બ્રાહ્મણિયા રસેઈ અંત્યજ (ભંગી) પીરસે તે કોને કામ આવે? તેમ મિથ્યાત્વભાવ સહિત જે પ્રરૂપણ છે તે પક્વાન્નને વિષમિશ્રિત કરનાર તુલ્ય છે. ૮૪૨ અગાસ, તા. ૧૩-૭-૫૦ તત છે સત્ પ્ર. અષાડ વદ ૧૩, ૨૦૦૬ આપે પ્રશ્ન “આત્મપ્રભા'માંથી પૂળ્યો તે વાકય શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં પૃષ્ઠ ૭૧૩ ઉપર છેઃ “ઇંદ્રિયોના નિગ્રહનું ન હોવાપણું, કુળધર્મને આગ્રહ, માનલાઘાની કામના, અમધ્યસ્થપણું એ કદાગ્રહ છે. ચૌદ રાજલક જાણે પણ દેહમાં રહેલે આત્મા ને ઓળખે; માટે રખડ્યો.” પૃષ્ઠ ૭૧૪ ઉપર તેને ઉત્તર છે – “ચૌદ રાજલકની કામના છે તે પાપ છે. માટે પરિણામ જેવાં. ચૌદ રાજલકની ખબર નથી એમ કદાચ કહો, તે પણ જેટલું ધાર્યું તેટલું તે નક્કી પાપ થયું. મુનિને તણખલું પણ ગ્રહવાની છૂટ નથી. ગૃહસ્થ એટલું રહે છે તેટલું તેને પાપ છે” વિચાર કરવાથી સમજાય કે ચૌદ રાજલક જાણવા શા માટે? જ્ઞાનીઓએ કહ્યું છે કે પાપથી છૂટી, મોક્ષમાર્ગમાં લાગી – મંડી પડવા, બેધ-વચનમાંથી પરમાર્થ ગ્રહો. બીજી આડીઅવળી કલ્પનામાં ન ચઢી જવું. બાકી બુદ્ધિને સંતોષવા માટે બુદ્ધિ દ્વારા ઉત્તરો અપાય છે. કદાગ્રહ મૂકી વાંચવું, વિચારવું, સમજવું. ચૌદરાજલક શ્રુતજ્ઞાનથી જણાય. “ત્રિલેકસાર', “લેકબિંદુ’ ‘લેકપ્રકાશ આદિ ગ્રંથમાં ચૌદ રાલેકનું વર્ણન ઘણા વિસ્તારથી જ્ઞાની પુરુષોએ કઈ સજિજ્ઞાસુને અર્થે કરેલ છે તે વાંચી, દેવાદિ ગતિ ભંગમાં, જે સમજે શ્રુતજ્ઞાન, માને નિજમત વેષને, આગ્રહ મુક્તિનિદાન.” મતાર્થ જ રહે તે કલ્યાણ ન થાય, એ એ વાક્યને પરમાર્થ છે. એક પ્રશ્ન આપને વિચારવા, ને ગ્ય લાગે તે ઉત્તર લખવા કરું છું. આદ્રકુમાર અનાર્ય દેશમાં જન્મ્યા ત્યાં જ શ્રી અભયકુમારની કૃપાથી જિનમૂર્તિનાં દર્શન કરતાં તેમને જાતિસ્મરણજ્ઞાન થયું; પૂર્વના ભવ, ચારિત્ર પાળેલું તે બધું યાદ આવ્યું. તે ત્યાં ચારિત્ર પાળીને ધર્મ આરાધના કરવાનું મૂકીને ત્યાંથી નાસી છૂટી આર્ય દેશમાં કેમ આવ્યા હશે ? શ્રી અભયકુમાર સાથે પત્રવ્યવહાર આદિથી સંતોષ કેમ નહીં માન્ય હોય? રાજકુમારને તેવી ગોઠવણ કરવી અઘરી નહોતી. કેમ તેમને ત્યાં ગમ્યું જ નહીં? યથાશક્તિ વિચાર કરી ગ્ય. લાગે છે, પત્ર લખો ત્યારે તે વિષે લખશોજી. જી શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #727 -------------------------------------------------------------------------- ________________ ૭૦૨ બેધામૃત ૮૪૩ અગાસ, તા. ૨૦-૭-૫૦ આપના બે પત્ર મળ્યા. તમારી સત્સંગ અર્થે ભાવના છે તે પ્રશસ્ત છે. પણ પૂર્વ કર્મયેગે માતાની સેવામાં રોકાવું થયું છે તેમાં ખેદ નહીં કરતાં, બનતે ભક્તિભાવ કરી સેવા કરશે તે હિતકારી છે. તેમને સાંભળવાની ઈરછા હોય તે સમાધિસોપાન તથા મોક્ષમાળામાંથી તેમને વાંચી સંભળાવશે. ભક્તિ સાંભળવાની ભાવના રહેતી હોય તે નિત્યનિયમ તેમની પાસે કરવામાં હરકત નથી, નહીં તે મંદિરમાં કે એકલા ગમે ત્યારે કરી લે ઘટે છેજ. પ્રમાદ તથા ખેદ કર્તવ્ય નથી. દોષ જોઈ દોષ ટાળવાની તત્પરતા રાખવી. આવી પડેલા કામથી કંટાળવું નહીં, તેમ જ વિષયકષાયમાં રાચવું નહીં, સર્વની સાથે વિનયભાવે વતી આનંદમાં રહેવું. અનુકૂળતા મળે ત્યારે સત્સંગ અર્થે આવવામાં પ્રતિબંધ નથી, પણ કોઈને તરછોડીને, ઉતાવળ કરીને તેમ ન કરવું. સૌને બને તેમ રાજી રાખીને આત્મહિતના લક્ષે વર્તવું ઘટે છે. એકાસણું આદિ શરીરશક્તિ પ્રમાણે કરવાં. હાલ સેવામાં રહ્યા છે, તે સેવા બરાબર થાય અને આત્મલક્ષ ન ચુકાય તેમ વર્તવા ભલામણ છે જી. એમના નિમિત્ત તમને સમાધિસોપાન (બને તે પહેલેથી) તથા મોક્ષમાળા વિચારવાનું બનશે. “ખેદ નહીં કરતાં શુરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં મોક્ષપાટણ સુલભ જ છે.” (૮૧૯) મુખપાઠ કર્યા હોય તે પત્રો ફેરવતા રહેશે. તમારાં માતુશ્રીની આગળ પણ બોલતા રહેશો. વિક્ષેપ જેવું લાગે તે પિતાને અર્થે એકાંતમાં વિચારવા વગેરેનું રાખવું. સ્મરણમાં વૃત્તિ રાખી આનંદમાં રહેવા ભલામણ છેજ. ૩% શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૪૪ અગાસ, તા. ૨૧-૭-૫૦, શુક્ર આપનું કાર્ડ મળ્યું. પરમકૃપાળુદેવનાં વચનો અગ્ય જીવના હાથમાં જવાથી આશાતનાનું કારણ ન બને તેની સંભાળ રાખે છે, તે ગ્ય છે. અંતરાયનું કારણ તે નથી. તેના હિતને હેતુ હોય તે અંતરાય નથી. અંતરાય તે તે ગણાય કે જ્યારે તેને સાચા પુરુષની શોધની ઈચ્છા હોય, તેનાં વચન વાંચવાની ઈચ્છા હોય, તે તમારે ત્યાં આવી તમારી રૂબરૂમાં વાંચવાની માંગણી કરતા હોય, પરમકૃપાળુદેવ સંબંધી જાણવા ઈચ્છતા હોય, તેને તમારે ત્યાં બેસીને પણ વાંચવા કે સાંભળવા ન દે તે અંતરાય ગણાય. તે જિજ્ઞાસુ અને ગરજવાળે હોય તેને સાચે મુમુક્ષુ ખાળે પણ કેમ ? તે તે તેવાના સંગને ઈચ્છતે જ હોય. તેથી જેને તેવી જિજ્ઞાસા જણાય અને પુસ્તકે માગે, તેને કહેવું કે તમારે નવરાશ હોય ત્યારે અહીં આવો, આપણે સાથે વાંચીશું, વિચારીશું. ત્યાગી હોય તે પણ તેને ગરજ હોય તે આવે, એમ કરવું યોગ્ય લાગે છે જી. # શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૨૧-૭-૫૦ ૮૪૫ “પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદ્દગુરુ પાય; દીઠા નહિ નિજ દોષ તે, તરિયે કોણ ઉપાય.”—શ્રીમદ્ રાજચંદ્ર અજાણ્યા માણસ સાથે આ કાળમાં કામ પાડતાં બહુ વિચાર કરે ઘટે છેજ. કોઈ પુસ્તક વાંચવા માગે તે મોક્ષમાળા, પ્રવેશિકા, સમાધિસોપાન વાંચવા આપવામાં હરકત નથી. Page #728 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૭૦૩ પણ તત્ત્વજ્ઞાન વાંચવું હોય કે વચનામૃત વાંચવાની તેની ઈરછા થાય તે તમે જે વખતે વાંચતા હો ત્યારે તે આવે એમ જણાવવું એટલે તમને પણ સમાગમને જોગ રહે અને તેને પણ એકલા વાંચીને “વાંચી ગયે' એમ ન થાય, તથા પુરુષ પ્રત્યે કંઈ પૂજ્યબુદ્ધિ તમારે ગે તેને થાય. સમાગમમાં પણ પિતે લઘુત્વભાવ રાખી જ્ઞાની પુરુષનાં વચને સમજાય એ સત્સંગન ગ નથી તે અહીં આપણે જેમ તેમ વિચારીએ છીએ, પણ આશ્રમ જેવા સ્થળમાં જ્યાં મુમુક્ષુઓ તેની વિચારણા કરે છે ત્યાં આપણે જવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થાય તે વિશેષ સમજાય તથા જ્ઞાની પુરુષની ભક્તિથી તેનાં વચને સમજવા જેટલી જીવમાં યોગ્યતા પ્રગટે છે વગેરે વાતે વાંચતાં કરતા રહેવી ઘટે છેજી. પિતાની મેળે જીવ વાંચે તેમાં મોટે ભાગે જે સમજણ પિતાની હોય તેમાં તે વચનેને તાણી જાય છે માટે તત્ત્વજ્ઞાન જેવાં પરમકૃપાળુદેવનાં વચને એકલા વાંચે તેને લાભ ઓછો થવો સંભવે છે તે લક્ષમાં રાખશે. # શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૨૧-૭-૫૦, શુક્ર જગત જીવ હૈ કર્માધીના, અચરિજ કછુ ન લીના.” આપે મોકલેલ છાપું મળ્યું છે. આપને એવી બાબતે જાણવાનું કૌતુક હજી વર્તે છે. મને તે સંબંધી કંઈ લખવું ગમતું નથી. આપણે વૃત્તિઓમાં જે કંઈ સુધારો થતો હોય તે તરફ લક્ષ રાખી વિશેષ શાંત વૃત્તિ પિષ્યા કરવી ઘટે છે. માથે મરણ છે તેની તૈયારી પરમકૃપાળુદેવને શરણે કર્તવ્ય છેછે. બીજું હવે શોધવું તે છે નહીં. બીજેથી પરમકૃપાળુદેવનાં વચનામૃત જેવી કે આત્મહિતકારી મદદ મળે તેમ જણાતું નથી, તે વ્યર્થ વિચાર કરવાનું ભૂલી ઉપાસ્ય સદ્ગુરુમાં જ લય લાગે, પરમ ભક્તિ પ્રગટે, સર્વ દેષને ક્ષય થાય એ જ એક લક્ષ રાખી જગત જોવામાં અંધ બનવા યોગ્ય છે. બીજી વાત સાંભળવામાં બહેરા બનવું ઘટે છેજી. ક્ષાયિક સમક્તિવાળો પત્રાંક ૩૯૭ વારંવાર વાંચવા અને પાછળ ભાગ વિશેષ લક્ષમાં લેવા વિનંતી છે. “જાણી ભાષાદોષ-ગુણ, સદા તજે મુનિ દોષ, છકાય – સંયત, ઉદ્યમી, વદે મધુર હિતપિષ.” (દશવૈકાલિક અ૦ ૭). ८४७ અગાસ, તા. ૨૮-૭-૫૦ તત સત દ્વિતીય અષાડ સુદ ૧૪, શુક, ૨૦૦૬ ખમાવું સર્વ જીને, સર્વે જીવો ખમે મને, મૈત્રી હે સર્વની સાથે, વૈરી માનું ન કોઈને. અષાડ માસી પાખી સંબંધી આપ કે પ્રત્યે માઠા ગાધ્યવસાયથી જાણતા-અજાણતાં અયોગ્ય વર્તન થયું હોય તે ભાવ નિંદી, ફરી તેમ નહીં વર્તન થવા દેવાની ભાવનાએ ઉત્તમ ક્ષમા પરમકૃપાળુદેવની સાક્ષીએ ઈચ્છું છું તથા તેવા કેઈ આપના વર્તનની સ્મૃતિ રહી હોય તે ભૂંસી નાખી નિઃશલ્યપણે ખમું છું. ક્લેશનું કારણ કેઈને આ જીવ ન થાય અને કેઈને ક્લેશનું કારણ ન માને એવા ભાવ ટકી રહે તેવી પરમકૃપાળુદેવ પ્રત્યે સાચા અંતઃકરણે યાચના–ભાવના-ઈચ્છા છે. સર્વને નમ્રભાવે ખમાવી પત્ર પૂર્ણ કરું છું. ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #729 -------------------------------------------------------------------------- ________________ ૭૦૪ બેધામૃત ८४८ અગાસ, તા. ૮-૮-૫૦ તત્ સત્ દ્વિતીય અષાડ વદ ૧૦, મંગળ, ૨૦૦૬ વિ આપને પત્ર મળે. તે વાંચી “મોક્ષમાળા'માં પાઠ ૨૪ સત્સંગ વિષે છે તે યાદ આવ્યું. તેમાં કુસંગથી બચવા તથા કુસંગને ત્યાગ કરવો ઘટે છે એમ કહ્યું છે તે યથાર્થ છે. જ્યાં સુધી પિતાને યથાર્થ વિચાર કરવાની દિશા ન પ્રગટે ત્યાં સુધી ઘણે વખત સત્સંગમાં ગાળવાને મળે તો મારાં અહોભાગ્ય એમ માની સત્સંગ વારંવાર સેવવા યોગ્ય છે. તેવી જોગવાઈ ન હોય તે સત્સંગે સાંભળેલે બેધ કે જ્ઞાની પુરુષનાં વચને સત્સંગે આજ્ઞા લઈ તેમાં કાળ ગાળ ઘટે છે, અને સત્સંગની વારંવાર ભાવના રાખવી ઘટે છે. તેમ શરૂઆતમાં ન થાય તે તમે પત્રમાં જણાવે છે તેવા ભાવ થઈ જાય કે ચેડામાં મેક્ષ મળે તે સહેલે રસ્તે કાં ન લે? કઈ હીરે ખરીદવા બજારમાં ગયે હોય, ઝવેરીની દુકાને તેની હજાર રૂપિયાની કિંમત સાંભળી તે ખરીદવાના ભાવ પણ થયા. પણ પૈસા લેવા ઘરે ગયે. ત્યાં રસ્તામાં કેઈ બનાવટી હીરા–નકલી હીરા વેચનારે હીરે બતાવ્યું અને પચીસ રૂપિયામાં, પહેલાં ખરીદ હતે તેવડ હીરે તેને આપવા કહ્યું. તે લેભાયે તેથી ફરી મળે કે ન મળે એમ ધારી પચીસ રૂપિયે ખરીદી બીજા રૂપિયા લઈ ઝવેરીને ત્યાંથી પહેલાં દીઠેલે હીરો લેવા ગયે, પણ રસ્તામાં ખરીદેલે હીરે ઝવેરીને બતાવ્યું. ઝવેરીએ બીજા ઝવેરીને ત્યાં તેને કિંમત કરવા મોકલ્યા તે બીજા ઝવેરીએ તે પાંચ પૈસાને કહ્યો, અને પેલા ઝવેરીનું નંગ બતાવ્યું તે તેની હજાર રૂપિયા કિંમત કહી, ત્યારે તેને ખબર પડી કે પચીસ રૂપિયામાં હીરે મળે છે તે કાચ હતું, હીરો માત્ર કહેવા પૂરતું હતું. તેમ બીજા ધર્મમાં મોક્ષ મળે અને ઝટ મળે એમ કહેવાય છે તે નકલી હીરા જેવું છે. તેમાં ચિત્ત દેવા જેવું નથી. જ્ઞાની પુરુષ જ મોક્ષનું સ્વરૂપ સમજે છે. જેટલાં પુસ્તકે છે તે બધાં જ્ઞાનીનાં લખાયેલાં છે એમ પણ ન સમજવું. માટે કઈ પુસ્તક વાંચવા વિચાર થાય તે સત્સંગે બતાવી, પૂછી વાંચ્યું હોય તે આપણને નુકસાન ન થાય, નહીં તે મગને બદલે મરી ચવાઈ જાય તે મોટું તીખું થાય અને ગળી જાય તે શરીરે નકામી ગરમી થાય. બીજું શ્રીકૃષ્ણ જે ભાગવતમાં વર્ણવ્યા છે તે પરમાત્મારૂપ છે. તે મોક્ષે જાય કે કર્મથી ન બંધાય તેવા વર્ણવેલા છે. અને જૈન ગ્રંથમાં જે શ્રીકૃષ્ણનું વર્ણન છે તે ત્રણ ખંડના રાજાનું છે, અનેક યુદ્ધો કરનારનું તથા મેજશખમાં ઠેઠ સુધી ગળા સુધી ભરાઈ રહેલાનું વર્ણન છે. તેથી જેવા કર્મ બાંધ્યાં તેવાં ભેગવવા પડે, એવું જીવનચરિત્રો ઉપરથી શીખવાનું છે. કૃષ્ણ નામે અનેક રાજાઓ થઈ ગયા છે તે તેમની ગતિ સંબંધી બહુ ચર્ચામાં ન ઊતરવું. આપણે શું કરીએ તે મેક્ષ થાય તે જ લક્ષ રાખી વર્તવું ઘટે છેજી. બાપદાદાએ કૂવે કરાવ્યું હોય અને તેમાં પાણી પણ ન હોય તે તે કૂવે જ કેસ જોડ્યા કરવા, કે પંપ થયો હોય ત્યાંથી પાણી લાવી ખેતી સુધારવી, તે વિચારી જે તે શામાં હિત છે તે સહેજ સમજાશે. બાપદાદા કરતાં વધારે પૈસા કમાઈ એ તે પાપ લાગે? બાપદાદાને ધંધે છોડી વેપાર કરીએ તે પાપ લાગે? આ વિચારો મૂકી ધર્મની જ બાબતમાં, Page #730 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૭૦૫ જ્યાં વિચારપૂર્વક વર્તવું ઘટે તેને બદલે ગમે તે બાપદાદાને જ ધર્મ આ મીંચી પાળ એમ હોઈ શકે? ગુરુ તે આત્મા છે. તેને દેહ કે અમુક જ્ઞાતિના માનવા તે જ પાપ છે. ગુરુમાં પરમાત્મબુદ્ધિ. ઈશ્વરતુલ્ય ન મનાય તે ધર્મ ન પમાય એમ જ્ઞાનીઓ કહે છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ તા. ક–પત્રના સિરનામામાં “ગુરુ મહારાજ” લખો છે તેમ ન લખવું. શ્રીમદ્ રાજચંદ્રને ગુરુ માની પૂજવા. બ્ર. ગોવર્ધનદાસ એટલું બસ છે. ८४५ અગાસ, તા. ૯-૮-૫૦ તત * સત દ્વિતીય અષાડ વદ ૧૧, બુધ, ૨૦૦૬ "अब हम अमर भये न मरेंगे सो हम काल हरेंगे" - श्री आनंदघनजी વિ. આપના ત્રણ કાર્ડ સાથે મળ્યાં છેજ. વાંચી પરમ સંતોષ થયો છે. પરમકૃપાળુદેવની એવી દઢ ભક્તિ જેના હૃદયમાં છે તેને કાળ પણ ડરાવી શકે તેમ નથી તે માણસનું શું ગજું? આપની વૃત્તિ ક્યાંક બીજું જોવામાં ખેંચાય છે તે પણ પાછી વાળી “માત્ર મોક્ષ અભિલાષ” અને તેને પિષનાર પરમગુરુની આજ્ઞા એ જ હવે તે લક્ષ રાખી જીવવું છે. ઘણા કાળથી લૂંટાયા, ઘણું જોયું, ઘણી પરની વાત કરી; હવે પરમકૃપાળુદેવ સાથે જ રઢ લગાડવી છે. તેથી બીજું કંઈ દેખાય, સંભળાય કે બેટી કરે તે પ્રત્યે ઉદાસીન થવું અને સ્મરણને લક્ષ ચૂકવો નહીં. આમ કર્યા વિના ધારીએ છીએ તે સમાધિમરણની તૈયારી ન થાય. એક મુનિના પત્રમાં, જડ કે આ શરીર આત્માને શિખામણ આપે છે તે વિષે, મનરંજક થોડાં વાકયો છે તે લખું છું – “શરીર કહે છે: હે ચૈતન્ય પ્રભુ! આપ આપને નિત્યસ્વાદિ ધર્મ મારામાં સ્થાપવા મથે છે તેથી તમને ધન્ય છે. આપ મોટા પુરુષ છે તેથી આપના નિત્યત્વ ધર્મનું દાન કરવા ઈચ્છે છે પણ મારે અનિત્ય સ્વભાવ છોડી આપનું દાન મારાથી સ્વીકારી શકાય તેમ નથી. આપ મને આપના જેવું બનાવવા, પિતાને ભૂલીને, પિતાની સેવા ન કરતાં મારી જ સેવા કેટલાય ભાવથી કર્યા કરે છે તે પણ તેમાં સફળતા મળી નહીં. પરિણામે આપને મારા નિમિત્તે ઘેર દુઃખ જ ભેગવવાં પડ્યાં છે તે જોઈને મને આપની એ નિષ્ફળ સેવાથી મુક્ત રાખવા અતિશય કરુણ ઉદ્દભવે છે. તેથી હું આપને હાથ જોડીને વનવું છું કે હે પ્રભુ! હું મારું સંભાળી લઈશ. આપ આપનું સંભાળે. આપ વડે આપની સેવા થવાથી, મારી સંભાળના દુઃખથી તમે મુક્ત થશે, તેથી મને પણ શાંતિ મળશે.” આટઆટલું શરીર કહે છે તે જોઈએ તે ખરા! ઘેડો વખત એના કહ્યા અનુસાર ચાલીએ તે શું પરિણામ આવે છે? છૂટે દેહાધ્યાસ તે, નહિ કર્તા તું કર્મ; નહિ ભક્તા તું તેહને, એ જ ધર્મને મર્મ. એ જ ધર્મથી મેક્ષ છે, તું છે મોક્ષસ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ.” – શ્રીમદ્ રાજચંદ્ર 45 Page #731 -------------------------------------------------------------------------- ________________ આધામૃત ૮૫૦ તત્ સત્ દાહરા — આશાતના સદ્ગુરુની, શિરથી પર્યંત-ભંગ; સૂતા સિંહ જગાડવેા, વ છેકે અગ. કદાચ શિરે તાડૅ ગિરિ, કુપિતસિંહના ખાય; વા ન છેદે અંગ, પણ – ગુરુ હોલી મેાક્ષ ન જાય. ધ્યાનહેતુ ગુરુમૂર્તિ છે, ગુરુ-પદ પૂજા-ખીજ; મંત્રખીજ ગુરુવાકય છે, ગુરુકૃપા મેાક્ષ-ખીજ. (ગુરુ-કરુણા શિવ-ખીજ) આપનું રિપ્લાઈ-કાર્ડ મળ્યું. પ્રશ્ન ઉત્તમ છે પણ તેને સારી રીતે જણાવવા જેવી મારી ચેાગ્યતા નથી તેથી ક્ષમા ઈચ્છું છું. જીવ અનંતકાળથી રખડ્યો છે તેનું કારણ મુખ્ય આશાતના છે એમ પ. પૂ. પ્રભુશ્રીજી પાસેથી અનેક વાર સાંભળ્યું છે. પણ તેથી ચેતી તે પરમ સત્સ'ગના લાભ લેવે! જોઈએ તેવા લીધા નહીં, તેને અત્યારે પશ્ચાત્તાપ થયા કરે છેજી. એવા યાગ ભવ ભમતાં કાઈક જ વાર પ્રાપ્ત થાય છે. મરુદેવીમાતાના જીવ નિગેાદમાંથી નીકળી કેળ થઈ મનુષ્યભવ પામી તીર્થંકરની માતા બની મેક્ષે ગયાં એવી કથા છે, તે વિષે શાસ્ત્રો એવા ખુલાસા કરે છે કે તેમને આશાતના અલ્પ હતી તે ટળતાં વાર ન લાગી. આ જીવ ઘણા ભવથી આશાતના કરતા આવ્યા છે, તેથી મુક્ત થવા જ્ઞાનીપુરુષની આજ્ઞા કેવળ અપ ણુભાવે ઉઠાવવી ઘટે છેજી, વચનામૃતમાં પત્રાંક ૩૯૭ મા ક્ષાયિક સમ્યક્ત્વ સ’બધી છે તે વારવાર વાંચવા, મને તે રાજ વિચારવા ભલામણ છેજી. તેમાંથી તમારા પ્રશ્નના ઉત્તર પણ મળી આવવા સ‘ભવ છેજી. જ્ઞાનીપુરુષોએ કહેવામાં બાકી નથી રાખ્યું, આ જીવે કરવામાં બાકી રાખ્યું છે; તે જો કરવાની ભાવનાથી વાંચશે, વિચારશે, ભક્તિ કરશે તેા ક્ષાયિકસમકિત થશે અને તીર્થંકર-નામકર્મ પણ માંધશે. સમાધિસેાપાનમાંથી સેાળ કારણભાવનામાં પ્રથમ દનવિશુદ્ધિ છે તે પણ વિચારવાથી સમકિત નિ`ળ દૃઢ અને ક્ષાયિક કેમ થાય તે સમજી શકાય તેમ છે. બધામાં મૂળ કારણુ જ્ઞાનીપુરુષના ચેાગ અને જીવના પ્રખળ પુરુષાર્થ છેજી. પૂ. સેાભાગ્યભાઈ તથા પ. પૂ. પ્રભુશ્રીજીને પરમકૃપાળુદેવ વિના એક ક્ષણ ગાળવી તે મરણુતુલ્ય લાગતી હતી. એટલી બધી વિરહવેદના તેમને લાગતી તે તેમના પત્રોમાં જણાય છે, કે વિરહવેના કહી જતી નથી અને સહી પણ જતી નથી. એવી પરાભક્તિ પામ્યા વિના ક્ષાયિક-સમકિત વિષે સમજ આવવી પણ દુભ છે, તે તેની પ્રાપ્તિ તેા અતિ દૂર રહી. “નિરંતર ઉદાસીનતાના ક્રમ સેવવા, સત્પુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું” વગેરે પત્રાંક ૧૭૨ માં સાત કારણા કહ્યાં છે તે ક્ષાયિકસમકિતનાં કારણ સમજાય છે, માર્ગાનુસારી જીવને તે હૃદયમાં વસી જાય તેવાં છે. છેલ્લે સહી કરતાં પરમકૃપાળુદેવ લખે છે: “સર્રકાળ એ જ કહેવા માટે જીવવા ઇચ્છનાર રાયચંદની વંદના.” આ જ પરમકૃપાળુદેવને કહેવું છે, તે જ સમજવા અને આરાધવા જેવું છે. વિશેષ સમાગમે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૭૦૬ અગાસ, તા. ૧૯-૮-૫૦ શ્રાવણ સુદ ૬, શનિ, ૨૦૦૬ Page #732 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૮૫૧ તત્ સત્ અહં શોન | Don't be dejected, Cheer up. દોહરા – શરમ, દયા, સંયમ તથા બ્રહ્મચર્ય શિવદાય; સતત દે શિક્ષા મને, તે ગુરુ પૂજ્ય સદાય. ૧૩ (શવૈકાલિક ૯મું અધ્યયન) આપે જે કઈ સાંભળ્યું અને ચેગ્ય લાગ્યું તે વિદિત કર્યુ છે તેમાં કઈ ખેદ કરવા જેવું નથી જ. સારી સૂચના કરતાં ડરવા જેવું કંઈ નથી. ખેદનું કંઈ કારણ નથી. માત્ર મનને જો શરીર પર પણ અસર કરે; માટે તે ભૂલી જઈ સ્મરણમાં ચિત્ત રાખી આનંદમાં રહે એ જ ભલામણ છે. આટલાથી ચિત્તમાં સ્વસ્થતા રહેતી ન જણાય તે પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ વિનયપૂર્વક ‘ક્ષમાપનાનો પાઠ’ એલી જવા ભલામણ છેજી. જેમ સુખ ઊપજે તેમ વર્તવું ઘટે છેજી. મન નિઃશલ્ય કરો. ફરજ કોઈ વખતે આકરી પણ આવી પડે છે, તેમાં ગભરાવું ઘટતું નથી. વ્યવહારનું સ્વરૂપ એવા જ પ્રકારનું જાણી તે પ્રત્યે ઉદાસીનતા સુજ્ઞ પુરુષા રાખે છેજી. અંતરમાં શીતલીભૂત રહેતાં શીખા એ જ વિનંતી છેજ. આપણી કોઈને દુભાવવાની ભાવના ન હોય તેા ઘણું કરી દુભાવવા જેવું થતું નથી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ 606 અગાસ, તા. ૨૦-૮-૫૦ શ્રાવણ સુદ ૭, ૨૦૦૬ ૮૫૨ અગાસ, તા. ૨૮-૮-૫૦ પ`ષણ એટલે ભગવાનની ઉપાસના છે. અનાદિકાળથી પર્યુષણુપર્વ ઊજવાયા કરે છે એમ માન્યતા છે. તે દિવસેામાં કષાયની મંદતા થાય, ભક્તિભાવ વધે, જ્ઞાન-ધ્યાનના જોગ અને, મૈત્રીભાવ આદિ ચાર ભાવનાઓને અભ્યાસ થાય અને આખા વર્ષીમાં થયેલા દોષો દૂર કરવાની ભાવના પાષાય. ટૂંકામાં જન્મમરણ છૂટે તેવા ઉપાયા વિચારવા, આદરવા માટે એક અઠવાડિયું સાધર્મી ભાઈઓ સાથે ગાળવાનું એ પર્વ નિમિત્ત છે, પરમકૃપાળુદેવે પત્રાંક ૯૪૩, ૯૪૪, ૯૪૫ પર્યુષણુ આરાધના ઉપર લખ્યાં છે તે વાંચી તે દિવસેા કેમ ગાળવા તે વિશેષ પ્રકારે વિચારશેાજી, તમારે ઉપવાસ કરવાની ઇચ્છા હાય ૮૫૩ દિવસે સવારમાં પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ રાજ ભાવના કરવી. ભક્તિ એ મુખ્ય વસ્તુ છે એ લક્ષ રાખી યથાશક્તિ તમારી ઇચ્છા પ્રમાણે તપસ્યા કરવામાં હરકત નથી. લૌકિક માન આદિ ભાવમાં તણાવું નહીં. આત્મભાવના વિશેષ થાય તેમ પ્રવવું. તેથી સાથેલગા ઉપવાસ લેવા કરતાં રાજ શક્તિ જોઈને લેવાનું રાખવું. સયમ, સ્વાધ્યાય, સ્મરણમાં ચિત્ત રાખવું. કોઈ પ્રત્યે પણ દ્વેષ ન થાય કે ન રહે તે લક્ષ રાખશેાજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ مر અમાસ, તા. ૨૯-૮-૫૦ શ્રાવણ વદ ૨, ૨૦૦૬ દોહરા — જરા ન પીડે જ્યાં સુધી, વ્યાધિ વર્ષો ના જાય; મંદ પડે ના ઇન્દ્રિયા, ત્યાં સુધીઁ ધર્મ સધાય. ક્રોધ હશે પ્રૌંતિ, વિનયને – માન હશે એ જાણુ, માયા મિત્રોને હશે, લેશે સની હાણ. Page #733 -------------------------------------------------------------------------- ________________ ૭૦૮ બેધામૃત ક્રોધ હણે ઉપશમ વડે, હણો વિનયથી માન, માયા આર્જવથી હણો, તૃપ્તિથી લેભ-હાણ. (વૈર . ૮) મરણ વિષે આપે લખ્યું તે વાંચ્યું. આપે પૂછ્યું કે તે સ્વરૂપ-ચિંતવન ગણાય? તેને ઉત્તરમાં જણાવવાનું કે જેની જેટલી ગ્યતા તે પ્રમાણે તે શબ્દ પરિણમે છે. પાપથી તે જીવ જરૂર છૂટે ને પુણ્યબંધ કરે; પણ સ્વરૂપનું ભાન થયું હોય તેને સ્વરૂપચિંતવનરૂપ કે સ્થિરતાનું કારણ થાય અને સ્વરૂપનું ભાન થવાનું પણ સ્મરણ કારણ થાય. પ. પૂ. પ્રભુશ્રીજીએ જણાવ્યું છે કે મરણ વખતે તે સ્મરણમાં ચિત્ત રહે અને આત્મા જ્ઞાનીએ જાણેલે તેમાં જણાવ્યો છે તે જ મારે માન્ય છે, તે તે સમાધિમરણ છે. મંત્રમાં તે ચૌદ પૂર્વને સાર છે; આત્મા ભરી આપ્યા છે. તેનું અવલંબન પ્રગટ આત્મસ્વરૂપ એવા જ્ઞાનીને શરણે મરણપર્યંત ટકાવી રાખવાનું છેજ. સમજી ગયો એમ કરી વાળવા જેવું નથી. બીજું પ્રતિમા વિષે પૂછ્યું તે વિષે જણાવવાનું કે પ્રતિમા તે પ્રભુને યાદ કરવાનું સાધન છે. પ્રતિમા પુરુષાકારે છે કે માત્ર સામાન્ય ગમે તેવા રૂપે હે પણ કેવળજ્ઞાનરૂપ નેત્રવાળા ભગવાનની સ્મૃતિ અર્થે જે સાધન છે તેમાં ભેદ માની, મારા મતની પ્રતિમા અને બીજાના મતની પ્રતિમા માની, વિક્ષેપ કરે તે નરદમ મૂર્ખતા છે”. ભગવાનને ભૂલી પ્રતિમા પૂજવાની નથી. અજ્ઞાનને વધવાના અનેક માર્ગ છે; તેમાં પ્રતિમા પણ તેનું નિમિત્ત બને છે એ આશ્ચર્ય છે! કોઈ પહેલાં અહીં આવેલે તેણે મને પૂછેલું કે ખાનગી તમને આટલું પૂછવું છે કે ભગવાનની પ્રતિમા ચક્ષુવાળી પૂજવી તે વ્યમિથ્યાત્વ ખરું કે નહીં? મેં જણાવેલું કે ભગવાનને પૂજવાને છે કે પ્રતિમાને પૂજવા જવાનું છે? પ્રતિમા ઉપરથી ભગવાનને ન સંભારો તે જ મિથ્યાત્વ છે. ભગવાન કંઈ ચક્ષુ વિનાના નથી. કેવળજ્ઞાનરૂપી નેત્રવાળા ભગવાન છે. તેમને ગમે તે નિમિત્તે યાદ કરે તે કલ્યાણ છે. નહીં તે ઝઘડા કરનારનું ઠેકાણું પડે તેમ નથી. મતમતાંતરોમાં માથું મારનારની આવી દશા થાય છે. પરમકૃપાળુદેવે તે મતમતાંતરનાં પુસ્તક પણ હાથમાં લેવાની ના પાડી છે. જેથી મતમતાંતર મટી સત્ય ભણી વૃત્તિ જાય તે જ કર્તવ્ય છેજ. નવા મુસલમાન અટલ પિકારતાં શ્વાસ પણ ન ઘૂટે એમ કહેવાય છે, તેમ નવા દિગબરો નાની નાની વાતમાં મિથ્યાત્વ જેનારા થઈ જાય છે. મિથ્યાત્વ પોતાનામાં જઈ દૂર કરશે તેનું કલ્યાણ થશે. # શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૮૫૪ અગાસ, તા. ૨૯-૮-૫૦ તત્ સત્ શ્રાવણ વદ ૨, મંગળ, ૨૦૦૬ દેહરા સહનશીલ, વશી, વિદ્વાન, અમમ, અકિંચન વીર; સકળ કર્મઘન ખસી જતાં, શશ સમ શોભે ધીર. ૬૪ પ્રેમ રમ્ય શબ્દાદિમાં, કરો ન, જાણ અનિત્ય; પુદ્ગલ પલટાતાં બધાં, રમ્ય રહે નહિ. નિત્ય. ૧૯ સ્ત્રી-સંસર્ગ, તન-ભા, પ્રણીત રસ આહાર; આત્મહિતેચ્છક જીવને, ઘાતક ઝેર વિચાર. ૫૭ (દશવૈકાલિક સત્રઃ ૮મું અધ્યયન) Page #734 -------------------------------------------------------------------------- ________________ ૭૦૯ પત્રસુધા વિ. આપના પત્ર પ્રાપ્ત થયા. આપે રાત્રે ખાર વાગ્યે આશ્રમની સ્મૃતિપૂર્વક પત્ર લખી પત્રની માગણી કરી છે, તેના ઉત્તરમાં જણાવવાનું કે આ દુષમકાળમાં આપણા જન્મ એક રીતે દુ:ખસૂચક છે, તેપણ પરમ ઉપકારી ભાવદયાસાગર શ્રી પ્રભુશ્રીના યાગ આ હડહડતા કાળમાં પણ ખની આવ્યે તે આપણા પૂનાં મહદ્ ભાગ્ય સમજવા યાગ્ય છેજી. જે કાળમાં વિરલા સત્પુરુષા વિચરે અને તેને એળખનાર પણ વિરલા જીવા હોય તેવા કાળમાં આપણને અનાયાસે રાંકના હાથમાં રતન આવી ચઢે તેમ સત્પુરુષના યાગ થયા, તેણે કહેલું રુચ્યું, તે કરવાની ભાવના વધી અને તેમણે ખતાવેલી પરમકૃપાળુદેવની ભક્તિ અંશે પણ રાજ બને છે, તે આપણાં અહોભાગ્ય સમજવા યાગ્ય છેજી. તેવા જોગ ન ખન્યા હોત તો આ અભાગી જીવ કેવાં કેવાં કાર્યમાં પ્રવર્તી ભારે કર્મી બની ગયે। હાત તે વિચારતાં હૈયું ક`પી ઊઠે છેજી. આપણા માટે તે પરમકૃપાળુદેવને શરણે ચેાથેા આરે જ ફરી આવ્યે છે એમ ગણી આજીવિકા-ફ્લેશ મંદ કરી, બનતા બધે વખત તે પુરુષનાં વૈરાગ્યપ્રેરક, આત્મપ્રાધક, મોક્ષપ્રકાશક વચનેા હૃદયમાં વારવાર વિચારી કોતરાઈ જાય તેમ ક`ન્ય છેજી. જેમાંથી કઈ મળવાનું નથી, ઊલટું ક્લેશનું કારણ છે એવાં વ્યર્થ કામ કાળજી રાખીને એછાં કરી ભક્તિ, વાંચન, સદ્વિચાર, સત્સંગ અને નિવૃત્તિની ભાવના સાચા દિલથી કરતા રહેશે તે તેવા તેવા જોગ સહેજે બની આવતા રહેશે. “કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા ચાગ્ય નથી. અવિચાર અને અજ્ઞાન એ સર્વ ફ્લેશનું, મેાહનું અને માઠી ગતિનું કારણ છે. સદ્ વિચાર અને આત્મજ્ઞાન તે આત્મગતિનું કારણ છે. તેને પ્રથમ સાક્ષાત્ ઉપાય જ્ઞાનીપુરુષની આજ્ઞાને વિચારવી એ જ જણાય છે.” (૪૬૦) આ વાત વાર વાર વિચારી પરમકૃપાળુદેવને શરણે શાંતિસમાધિપરિણામમાં જીવ પરિણમે તેમ વર્તન રાખવું ઘટે છેજી. પૂ...ને જણાવવાનું કે સ્મરણ કરવાની ટેવ કાળજી રાખીને પાડવી ઘટે છેજી. ખીજાં કામ કરતાં પણ જીભને કાંઈ કામ હેતું નથી. જો મંત્રની ટેવ પાડી હશે તે આખર વખતે તે મદદ કરશે, સમાધિમરણનું કારણ થઈ પડશે. આ સૂચના બધાંને કામની છે. સ'સારમાં આપણાં કરેલાં જ કર્યાં અનેક રૂપ લઈને સામે આવે છે, તે જોઈ ગભરાઈ જવું ઘટતું નથી. મહેમાનને જમાડીને વિદાય કરીએ તેમ તે બધાં કર્માંમાં પરમકૃપાળુદેવને શરણે બને તેટલે સમભાવ રાખતાં શીખવું. સમભાવ ન રહે તાપણુ, સમભાવ રહે તે મને કર્મ ન બંધાય તે અર્થે સમભાવની ભાવના કરવાનું તા ચૂકવું જ નહીં. સમભાવ નથી રહેતા તે મારા દેષ છે, પણ જો દૃઢ નિશ્ચય કરી ખમી ખૂંદવાના ઇરાદા રાખું તે બની શકે એમ છે; એવી શ્રદ્ધા પણ બહુ ઉપકાર કરનારી છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૩૧-૮-૫૦, ગુરુ ૮૫૫ નથી જગતમાં આપણાં, ધન ધાન્ય વા શરીર; પ્રેમ કર। પ્રભુ-ભાવમાં, રાજચંદ્ર છે વીર. તમે મોકલાવેલ એ અરલેટર મળ્યા છેજી તથા ભક્તિમાં મન નથી ચાંટતું તેને પશ્ચાત્તાપ રાખી ભાવપૂર્વક વિચારસહિત ભક્તિ કરવાથી તેમાં મન રહેશે. પ્રવેશિકામાંથી Page #735 -------------------------------------------------------------------------- ________________ ૭૧૦ બેધામૃત ૬૧ મે પાઠ વારંવાર વાંચી સપુરુષને ઉપકાર હૃદયમાં વસે, આ પાપી જીવનાં પાપ ભક્તિ વખતે આડાં ન આવે તથા મરણ વખતે આવું થશે તે મારી શી ગતિ થશે?– એ ડર, પ્રભુનું શરણ તથા પાપને પશ્ચાત્તાપ હશે તે મન છૂટવાના કામમાં મંડી પડશે, રખડવા નહીં જાય. હે જીવ! આખો દિવસ ભટક્યા કરે છે તે હવે ઘડીવાર ભક્તિમાં તે નવરું થઈ તે મહાપ્રભુના અનંત ઉપકાર અને અમૂલ્ય વાણીમાં પરેવાવ તથા તે મેક્ષકારી, મેહહારી વચનને જરા વિચાર કરી ઉ૯લાસ ધારણ કર કે જેથી કટિ કર્મોને નાશ થાય અને પ્રભુના ચરણમાં શાંતિ વસે છે તેને જરા અનુભવ થાય. આમ વારંવાર વિચારી વીસ દેહા વગેરે અવળા બેલીએ છીએ તેમ બોલવાથી મનને તેમાં કાવું પડશે. ભક્તિથી જ ભવદુઃખ જવાનાં છે, સંસાર તે અસાર છે, દુઃખની ખાણ છે, તે ભૂલી જ છે એમ ભાવના કર્તવ્ય છે. અગાસ, તા. ૧૩–૯-૧૦ કલ્યાણ કરવાની તમારી ભાવના જાણી તેષ થયો છે. જેવા સંગમાં આ જીવ મુકાયો છે તેવાં જ પૂર્વે કર્મ કરેલા છે, તે જોગવ્યે જ છૂટકે છે. પરંતુ અત્યારે કેવા ભાવ રાખવા તે આપણા હાથની વાત છે. દાખલા તરીકે, પૂર્વસંસ્કારથી કોઈની સાથે લગ્નસંબંધ થયે હોય, પરંતુ બન્નેની ઈચ્છા સવાંચન, ભક્તિ વગેરેથી વૈરાગ્યવાળી થાય તે તે બ્રહ્મચર્ય પાળી શકે છે. તેમ આ જીવને સંસારદષ્ટિએ અનેક કામ હોવા છતાં, પત્ર લખ હોય તે લખી શકે છે, સત્સંગ કરે હોય તે વહેલે મોડો થઈ શકે છે, વાચન વિચાર ભક્તિ કરવાં હોય તે કરી શકે છે. ધાર્યું ન થાય તે પણ વહેલું મોડું થઈ શકે છે. ખેતરમાં વાવ્યું હોય તેની સંભાળ જેમ લેવા ધારીએ તે લઈ શકીએ છીએ, તેવી ગરજ જે ધર્મબીજને પિષવાની રાખીએ તે રહી શકે છે; ન રાખીએ તે પાક બગડી જાય. માટે અવારનવાર સત્સંગની જરૂર છે તે કરતા રહેવું. અકળાવાથી, મૂંઝાવાથી કાંઈ વળી શકે નહીં. સત્સંગને વેગ ન હોય ત્યારે સવાંચન, સદ્દવિચાર, ભક્તિ, સ્મરણ અને વર્તન આધારરૂપ છે. ૐ શાંતિઃ તા. ક–પરમકૃપાળુદેવમાં પરમ પ્રેમ પ્રગટે અને તેમનાં વચને અમૃત તુલ્ય લાગે તેમ સંસારપ્રેમ સંક્ષેપવા સત્સંગ સર્વનું મૂળ છે. તેની ખામી તેટલી બધામાં ખામી. ૮૫૭ અગાસ, તા. ૧૬-૯-૫૦ પરસ્પર એકબીજાની લાગણી સાચવી પરમકૃપાળુદેવ પ્રત્યે અખંડ શ્રદ્ધા વર્ધમાન થયા કરે અને કષાય મંદ પડે તેવા પુરુષાર્થની જરૂર છેછેબીજું, હું કઈને કંઈ આજ્ઞા કરતે નથી, પરમકૃપાળુદેવની આજ્ઞા માત્ર જણાવું છું. હિતની ભલામણ કરવા જેવી નછૂટકે કરવી પડે છે, પણ તેમાં પ્રવૃત્તિ વિશેષ નથી. આપણા ભાવે નિષ્કષાય થતા જાય તે તરફ વિશેષ લક્ષ રાખવાની જરૂર છે, તે અર્થે વાંચન વગેરે કર્તવ્ય છેજી, કારણ કે પ. પૂ. પરમકૃપાળુદેવે કષાય ઘટે તેટલું કલ્યાણ કહ્યું છે, તે લક્ષ મારે તમારે સર્વને રાખ ઘટે છે. કોઈનું ચિત્ત ન દુભાય તેમ પ્રવૃત્તિ બનતા સુધી કર્તવ્ય છે. ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #736 -------------------------------------------------------------------------- ________________ ૭૧? ' પત્રસુધા ૮૫૮ અગાસ, તા. ૧૬-૯-૫૦, શનિ માંદગી સંબંધી લખ્યું તે જાણ્યું. શરીરને સ્વભાવ શરીર ભજવે, તે તેમાં રહેનાર આત્માએ પણ પિતાના સ્વભાવ તરફ વળવું ઘટે છે. પરમકૃપાળુદેવને શરણે દેહાધ્યાસ ઘટે અને આત્મવિચાર તે નિમિત્તે વિશેષ રહ્યા કરે છે તે વેદનીને પણ ઉપકાર ગણવા ગ્ય છેજ. મરણના ભયે અનેક વિચારવાને મોક્ષમાર્ગ ભણી વળ્યા છે એમ પરમકૃપાળુદેવે એક ઠેકાણે જણાવ્યું છે, તે વિચારી આ અનિત્ય જીવનને મેહ મંદ કરી નિત્ય, અવ્યાબાધ સુખસ્વરૂપ, પરમાનંદમય પિતાનું ધામ સાંભરે, તેની ઉત્કંઠા વધે, તેના ઉપાયમાં આનંદ આવે તેવું વાંચન, ભક્તિ, વૈરાગ્ય, વિચાર આદિ કર્તવ્ય છે. અવકાશને વખત પરમકૃપાળુદેવનાં વચને વાંચવા-વિચારવામાં ગાળો તથા પૂ...ને પણ કંઈ સંભળાવવાનું બને તે તેમ કર્તવ્ય છે. સત્રદ્ધા પામીને જગતથી ઉદાસીન થવું અને આત્મશાંતિ થાય તેવા ભાવનું રટણ રહે, મોક્ષેચ્છા વર્ધમાન થયા કરે, નિવૃત્તિ આદિ મળે સત્સંગ, સલ્ફાસ્ત્ર અને પરમકૃપાળુદેવના સ્વરૂપનું ચિંતન રહ્યા કરે તેવી ભાવના કર્તવ્ય છે. મુશ્કેલીઓથી કંટાળવા કરતાં સમભાવે સહન કરી, ફરી તેવાં કમૅ ન આવે તેમ પરમકૃપાળુદેવ ઘણી ભીડમાં જે પરમાર્થની જાગૃતિ રાખી વર્યા છે તે યાદ લાવી યથાશક્તિ છૂટવાના ભાવની વૃદ્ધિ કર્તવ્ય છે. » શાંતિઃ ८५८ અગાસ, તા. ૧૯-૯-૫૦ તત ૐ સત્ ભાદરવા સુદ ૮, મંગળ, ૨૦૦૬ તમારો પત્ર મળે. મધમાં બહુ દોષ છે. સાત ગામ બાળી નાખે અને જેટલું પાપ લાગે તેથી વધારે પાપ એક મધનું ટીપું ચાખવાથી લાગે છે. પૂર્વે પાપ કરેલાં તેને લીધે માંદગી આવે છે અને ફરી મધ ખાઈને પાપ કરે તે વધારે માંદગી આગલા ભવમાં આવે, માટે મધનો ત્યાગ ન કર્યો હોય તે આજથી ત્યાગ કરવો ઘટે છે. એવું પાપ કરવાની આજ્ઞા હોય નહીં. તમે મધને ત્યાગ ન કર્યો હોય અને દેહ સાચવવાની લાલસામાં મધ લેશો તે પણ પાપ તે જરૂર થશે. માટે આત્માની દયા લાવી ગોળ, ચાસણી વગેરે મધ વિના જે અનુપાન વૈદ્ય જણાવે તેમાં દવા લેવી. મધથી જ મટે એવો નિયમ નથી. માટે મંત્રમાં ચિત્ત રાખી દુઃખ આવી પડ્યું હોય તે સહન કરવું, ગભરાવું નહીં. આપણાં કરેલાં આપણે ભોગવવાં પડે છે. માટે પાપમાં મન ન જાય અને પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રને શરણે ભક્તિ થાય એમ પુરુષાર્થ કર્તવ્ય છે. આટલે ભવ પરમકૃપાળુદેવને શરણે જે સુખદુઃખ આવે તે ખમી ખૂદવું. સમભાવે સહન કરશે અને મરણપર્યત મંત્રનું સ્મરણ કરશો તે સમાધિમરણ થાય તેટલું તે મંત્રમાં દૈવત છે. શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૮૬૦ અગાસ, તા. ૨૦-૯-૫૦ - તમારું કાર્ડ મળ્યું. વીસ દેહરા, યમનિયમ, ક્ષમાપનાને પાઠ બધા મળીને બોલવાનું રાખશો. એકલા બોલતાં આવડે તેમ શીખી લેજો. રોજ નિશાળે જતાં પહેલાં પરમકૃપાળુ દેવના ચિત્રપટ આગળ નમસ્કાર કરીને જવાનું રાખશે. તકરાર કરવી નહીં, જૂઠું બોલવું નહીં, મારામારી કરવી નહીં. હાલ એ જ. માબાપની સેવા કરવી. Page #737 -------------------------------------------------------------------------- ________________ ૭૧૨ બોધામૃત અગાસ, તા. ૨૦-૯-૧૦ ત સત ભાદરવા સુદ ૯, બુધ, ૨૦૦૬ તજ તૃષ્ણા ધન આદિક કેરી, મૂક મમતા ટળશે ભવફેરી; ધરી ચારિત્ર સદા શિલ પાળે, શિવસુંદરી-સુખ તે તું ભાળે. (વૈરાગ્યમણિમાળા) રોદણાં રડવાથી કે માત્ર દોષ જોઈને અટકી રહેવાથી આગળ વધાતું નથી. પિતાના દોષ દેખાય છે તે મુમુક્ષતાની નિશાની છે. તેથી છૂટવાની ભાવના તે માર્ગમાં આગળ વધારનાર છે. સાચી મુમુક્ષુતા આવ્યું જીવને સંસાર ત્રાસદાયક કેદખાના જેવું લાગે, શરીર મળમૂત્રની ખાણ લાગે. આત્માને આવા ગંદા સ્થાનમાં રહેવું પડે છે, તેની સંભાળ રાખવી પડે છે અને તેના ઉપર મેહ થતાં કર્મ બાંધી નરકાદિ ગતિનાં તીવ્ર દુખે ઊભાં થાય તેવી અંતર પરિસુતિ થઈ જતી હોય તે ખ્યાલમાં આવતાં જીવને કંપારી છૂટે એટલું કમળ અંતઃકરણ થયે જ્ઞાની પુરુષની દશા સમજી તેના બેધને હૃદયમાં ધારણ કરવા યોગ્ય જીવ થાય છે . તેવી દશા ન આવે ત્યાં સુધી “અધમાધમ અધિક પતિત સકલ જગતમાં હું ય” છું એવું રટણ કર્યા કરવા ગ્ય છેજી. જ્ઞાનીપુરુષને “સકલ જગત તે એઠવત્” સમજાય છે. તે જ એંઠવાડે એકઠો કરનાર વાઘરી જે હું આ શું કરી રહ્યો છું? આવી ને આવી દશામાં મારું આયુષ્ય પૂરું થશે તે મારી શી વલે થશે ? એ ભય નિરંતર હૃદયમાં ખટક્યા કરે તે વિચારણા જીવને વૈરાગ્ય પ્રેરી આજ્ઞાને ઉરમાં અચળ કરે છે. તમે બન્નેની માગણી અશુભ ભાવે દૂર કરવાની ઘણા વખત થયાં છે. પણ કાગળ લખતી વખતે ભાવ થાય છે તે ટકાવી રાખતા નથી. નિમિત્તાધીન વૃત્તિ ફરી જાય છે, તે વારંવાર જાણ્યા છતાં નિમિત્ત પ્રત્યે ઝેર વર્ષતું નથી, તે તે નિમિત્તાથી દૂર થઈ આંખમાં આંસુ સહિત પરમકૃપાળુની કૃપા અર્થે ગૂરતા નથી તથા પાંચ ઇદ્રિના વિષયે ઘટાડતા નથી, જીભને જીતવાને પુરુષાર્થ કરતા નથી. પાડાની પેઠે શરીરને પિષવાથી તેમાં ગોથાં ખાવાં પડશે. તનને તપથી કૃશ કરી, રસસ્વાદથી તેને છોડાવી, જરૂર જેટલું દિવસમાં એકાદ વખત આહાર આપી, જેટલું તેને આપીએ તેથી વધારે પરમાર્થનું કામ રાતે ને દિવસે તેની પાસે કરાવવું છે એવો લક્ષ રાખી તે પ્રમાણે નહીં વર્તે ત્યાં સુધી માત્ર વાણીથી યાચના કર્યું કંઈ વળે તેમ નથી. માટે આ કાગળ મળે ત્યારથી કંઈક સંયમ તરફ વિશેષ વલણ થાય અને શું કરવા ધાર્યું છે અથવા કેટલું બની શકે છે તે જણાવતા રહેવા ભલામણ છે.જી. હવે તે ઘણી થઈ જીભે કે કલમે બોલી કે લખીને અટકી રહેવું નથી. કરી બતાવવું છે. અને તે પુરુષાર્થમાં કંઈ દોરવણીની જરૂર પડે તે લખશે. માત્ર માગણીથી કંઈ વળે તેમ નથી. આ વખતે કડક શબ્દોમાં લખાયું છે તે કંઈ પરમાર્થ લખાયું છે એમ ગણી દિલ દુભાયું હોય તેની ક્ષમા ઈચ્છું છું અને શું શું તે દિશામાં પગલાં ભર્યા તે જાણવા ઇંતેજાર છું. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૮૬૨ અગાસ, તા. ૨૨-૯-૫૦ પરમકૃપાળુદેવનાં વચનામૃત તથા ત્યાગ વૈરાગ્ય ભક્તિભાવને પિષે તેવા વચનો વાંચવા વિચારવા ભલામણ છે. જ્યાં સુધી વૃદ્ધાવસ્થાની પીડા વધી નથી, રેગથી જીવ ઘેરાયે નથી, Page #738 -------------------------------------------------------------------------- ________________ ૮૬૩ પત્રસુધા ૧૩ ઇદ્રિય મંદ પડી નથી અને બીજાં કામ થાય છે ત્યાં સુધી ધર્મનું આરાધન ઉલ્લાસભાવે કરી લેવા યોગ્ય છે, પછી નહીં બને. માટે સંસારી ચિંતાઓ તજી, દેહાધ્યાસ ઘટાડી, પરમકૃપાળુદેવને શરણે સમાધિમરણની તૈયારી કર્તવ્ય છે, કોઈ કરી આપે તેમ નથી. પિતાને જ કરવું પડશે. પ્રમાદ અને કષાય એ આત્માના મોટા શત્રુ છે, તેને જીતવા માટે શૂરવીરપણું ધારણ કરવું ઘટે છે. સત્સંગી જીવને ઘણી જરૂર છે. _ » શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૨૨-૯-૫૦ તત્ ૐ સત્ ભાદરવા સુદ ૧૧, શુક્ર, ૨૦૦૬ ખમાવું સર્વ જીવોને, સર્વે જ ખમો મને; મૈત્રી હો સર્વની સાથે, વૈરી માનું ન કેઈને. વિ. આ પનો ક્ષમાપના પત્ર પ્રાપ્ત થયેલ છેજ. અહીં પરમકૃપાળુદેવની કૃપાથી રૂડી રીતે પર્યુષણ પર્વની આરાધના ભક્તિ, તપ, સ્વાધ્યાય, દાનાદિથી યથાશક્તિ થઈ છે”. આપ સર્વ ભક્તિભાવમાં વર્ધમાન પરિણામે વર્તતા હશોજી. બધા ભાઈઓ એક સ્થળે રહે છે તે સત્સંગનું નિમિત્ત જાણી બીજા કામમાંથી વખત એકાદ કલાક બચાવી કંઈ વાંચવા-વિચારવાનું રાખો તે હિતકર છેજ. ભક્તિ વગેરે સૌ જુદા જુદા વખતે કરી લેતા હો તો ભલે, પણ એકઠા મળીને કંઈ વાચન વિચાર દ્વારા પરમકૃપાળુદેવના ઉપકાર, તેના ગુણગ્રામ અને તે અલૌકિક પુરુષની દશાનું માહાત્મ હદયમાં અહોનિશ વત્ય કરે તેમ ચર્ચા તથા વિચારોની આપ-લે કરવાની કંઈ ગોઠવણ કરવા ભલામણ છેજ. એ જગ ન બને અને માત્ર પૈસા અર્થે આવે રૂડે વેગ મળેલ વહ્યો જાય તે વિચારવાનને ઘટે નહીં. ત્યાં તે ઘણાખરા બ્રહ્મચર્ય પાળીને રહે છે; તેવા વખતમાં સત્સંગનો જોગ રહ્યા કરે તે વૈરાગ્ય ઉપશમ વધતાં મનુષ્યભવને સાર્થક કરવાની ભાવના વધી ગુણપ્રાપ્તિનું કારણ થાય. ઉપાધિના પ્રસંગમાં મનમાં પણ બીજી બાજુની ખેંચ રહ્યા કરે તે કંઈક વૈરાગ્ય જીવતે રહે, નહીં તે આરંભ પરિગ્રહ વૈરાગ્ય ઉપશમના કાળ પરમકૃપાળુદેવે કહેલ છે તે લક્ષ રાખી દિવસના ત્રાસમય પ્રસંગેની અગ્નિમાં કરવાનું ઠેકાણું એકાદ કલાક જે સત્સંગ અને સવાચન શરૂ કરી ટકાવી રાખશે તે તેને લાભ સર્વને ટૂંકી મુદતમાં સમજાશેજી. વખતે બધાને તે એકઠા થવાને વખત ગોઠવી શકાય તેમ ન બની શકે તેમ હોય તે દરેકે જેમ નિત્યનિયમ વગેરે ઘેર કે દેરાસરમાં થાય છે તેમ એકાદ કલાક દિવસે કે રાત્રે સ્વહિતની વિચારણા, વાચન, મુખપાઠ કે મુખપાઠ કરેલાને વિચાર કરવા અર્થે ગાળ ઘટે છેજ. તેમ નહીં કરવાથી પરવસ્તુમાં ઘણે વખત જીવ તન્મય રહેવાથી દેહાધ્યાસની વૃદ્ધિ થાય, મુખપાઠ વગેરે પ્રત્યે રુચિ ઘટી જાય, મુખપાઠ થયું હોય તે ભૂલી જવાય અને વૈરાગ્યઉપશમ મંદ પડી વતનિયમ નહીં જેવાં નામનાં જ પળાય. આમ ન થવા વારંવાર ચેતતા રહેવાની જરૂર છે . પૈસાની કમાણી થાય છે કે નહીં તેની જેમ ચીવટ રહે છે તેમ સદુવર્તન, છૂટવાની ભાવના, સમ્યકત્વની પ્રાપ્તિની અભિલાષા, સમાધિમરણની મહેચ્છાઓ ઘટતી જાય છે કે વર્ધમાન થાય છે તેની તપાસ અને કાળજી રાખવી ઘટે છે. મુમુક્ષુજીવનની આ પ્રથમ ભૂમિકા છે તે નહીં સચવાય તે આગળ કેમ વધાય? તેને વારંવાર દરેકે અને એકઠા Page #739 -------------------------------------------------------------------------- ________________ ૭૧૪ બેધામૃત થાઓ તે સમૂહમાં પણ ચર્ચવા યોગ્ય છેજી. પૈસા માટે જગતના જીવે જીવે છે, તેવું મુમુક્ષુનું જીવન ન થઈ જાય તે અર્થે અલ્પ વિચાર લખે છે, તે લક્ષમાં લેશે. નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા.”(૧૫) અગાસ, તા. ૨૨-૯-૫૦ તત 8 સત્ ભાદરવા સુદ ૧૧, શુક, ૨૦૦૬ "चित्तेन दुष्टो वचसाऽपि दुष्टः कायेन दुष्टः क्रियया च दुष्टः। ज्ञानेन दुष्टो भजनेन दुष्टो ममापराधः कतिधा विचार्यः ?" જ્ઞાન વૈરાગ્ય વધારજે, ભજ પરમકૃપાળ; મન ઈન્દ્રિય વશ રાખજે, તને ક્રોધ વિકરાળ. આપને પત્ર પ્રાપ્ત થયે. વિગત જાણી. આ સંસારમાં જેટલું વ્યવસાય પોતાને અર્થ, માનાદિ કે પોતાના કરવા અર્થે કરવાને ઓછો થાય તેમ કર્તવ્ય છે. તેમ છતાં વેશને લઈને આવી પડે તે નછૂટકે પતાવવું પડે તેમાં રસ લઈને કરવા ગ્ય નથી. આત્મવિચારમાં એ બધાં કામ વિઘરૂપ ગણીને પતાવવાં ઘટે. ચેમાસું પૂર્ણ થયા પછી તે વિશેષ સ્થિરતા જ્યાં ન હોય ત્યાં તે નિવૃત્તિને વખત મળવા સંભવ છે. જ્યાં બહુ ઓળખતા ન હોય તેવાં સ્થળમાં વિહાર થાય તે નિવૃત્તિ વિશેષ મળે; પણ તમને આંખની અડચણ છે એટલે જેમ પ્રારબ્ધ રાખે તેમ રહેવાનું રહ્યું. જે ઉદય આવે તે નિર્ભયપણે સહનશીલતા વધારતાં વેઠી લે. પરિણામ તરફ વિશેષ લક્ષ રહ્યા કરે તેવી ટેવ પાડવાની જરૂર છે જ. આપ તે ઘણું વર્ષ સાધુપણામાં રહ્યાં છે તે અમને તે વિષયમાં દોરી શકે તેવાં છે, પણ સ્મૃતિમાં આવ્યું તે લખ્યું છે. કંઈ અગ્ય લખાયું હોય તેની ફરી ક્ષમા ઈરછી પત્ર પૂર્ણ કરું છું. પરમકૃપાળુદેવ સિવાય બીજી વાતમાં વૃત્તિ જતી રોકવી ઘટે છે. જગતમાં અનેક પ્રકારો જેવાય, સંભળાય, જણાય તે પ્રત્યે ઉપેક્ષા રાખી વર્યા વગર છૂટકે નથી. બને તેટલું જગત સંબંધી ભૂલી જઈશું તે જ પરમાર્થની તાલાવેલી જાગશે અને નજીવી વસ્તુઓ સંબંધી ચિત્તમાં વિચાર આવ્યા કરશે ત્યાં સુધી અગત્યના અલૌકિક વિચારોને સ્થાન નહીં મળે. તેવા વિચારો ઊગશે પણ નહીં કે ટકી પણ નહીં શકે. માટે નિરંતર ઉદાસીનતાને કમ સેવવાની પ્રથમ ભલામણ કૃપાળુદેવે કરી છે તે બહુ અગત્યની છે.જી. # શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૩-૧૦-૫૦ તત્ સત્ ભાદરવા વદ ૭, મંગળ, ૨૦૦૬ “રાજ પરમપદ હૃદય ધર, જગબંધન છૅવ છેડ; ચંચળ સૌ પર્યાય તજ, દ્રવ્યદષ્ટિ મન જોડ. પરમકૃપાળુની કૃપા-દષ્ટિ યાચું આજ; ભવસાગર તરવા ગ્રહ્યું, ગુરુરાજરૂપ જહાજ.” ૫...........ના કહેવાથી જાણ્યું કે સદ્દગતને હાર્ટ ફેલ થવાથી દેહ અચાનક છૂટી ગયે છે. પર્યુષણ પર્વ ઉપર તે આવ્યા હતા. જે ભાવે, ભક્તિ આદિ કરી ગયા તે સાથે ગયું. આવું અચાનક મરણ સાંભળી સર્વને વૈરાગ્ય અને ખેદનું કારણ થયું છે. પણ જ્યાં આપણે Page #740 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૭૧૫ ઉપાય નહીં ત્યાં વૃત્તિ પરમકૃપાળુદેવના ચરણમાં વાળવી ગ્ય જ છે. ગમે તેટલે ખેદ કરીએ, રાતદિવસ સંભાર સંભાર કરીએ તે પણ એમાં તેમનું કે આપણું કેઈનું હિત થાય તેમ નથી. માટે ખેદને પલટાવી ભક્તિ-વૈરાગ્યમાં વૃત્તિ વાળવી ઘટે છે. તમે તે સમજુ છે, તેમ છતાં છોકરાં વગેરે પ્રત્યે વૃત્તિ જતી હોય તેનું ફળ સંસાર સિવાય કંઈ નથી એમ વિચારી તેમને પત્ર લખાવે તે તેમને પણ ધીરજના બે બેલ લખાવશે. બનનાર તે ફરનાર નથી. જેમ થવાનું લખત હતું તેમ થયું. તે ટાળવા કોઈ સમર્થ નથી. શોક કરવાથી કર્મ બંધાય છે એમ જાણી, આપણું મરણને વિચાર કરી, જેટલું મનુષ્યભવમાં જીવવાનું હોય તે પ્રમાદ તજ ભક્તિભાવમાં ગાળવાની શિખામણ આ પ્રસંગ ઉપરથી ગ્રહણ કરી, ક્ષણે ક્ષણે મંત્રનું સ્મરણ, ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીને ઉપકાર તથા તેમના સમાગમમાં જે વખત ગયે હેય તેને યાદ કરી, તેમણે કહ્યું હોય તે તાજું કરી, તેમનું કહેલું કરવા જ હવે તે જીવવું છે; ભલે દુઃખ ઉપર દુઃખ આવી પડે, પણ મારે તે જ્ઞાનીનું કહેલું ક્ષણ વાર પણ વીસરવું નથી એવું દઢ મન કરી પરમકૃપાળુદેવનાં વચને વાંચી શકાય તે વાંચ્યા કરવાં, ન વંચાય તે મેઢે કરેલું બધું ફેરવવું, વિચારવું અને પિતાના દેશે જોઈ દેશે કેમ દૂર થાય તેના ઉપાય શોધી દોષ ટાળવાના પુરુષાર્થમાં કાળ કાઢવા વિનંતી છે. પરમકૃપાળુદેવ, પ. પૂ. પ્રભુશ્રીજી આદિ કોઈ મરી ગયા એમ માનવું એ અજ્ઞાન છે. અજર અમર એ આત્મા માનવા આપણને જ્ઞાનીઓ પિકારી પિકારીને કહે છે અને આપણે “મરી ગયા” કહીએ તે કેવું અણઘટતું છે? આત્માને દેહ બદલ પડ્યો, પણ આત્મા તે આત્મા જ છે, તે કદી મરે નહીં. હવે દેહની સગાઈ ભૂલી આત્મદષ્ટિ વારંવાર સંભારી કઈ મરી ગયું નથી' એમ દઢ હદયમાં રાખવા વિનંતી છે.જી. લેકે ભલે લૌકિક ક્રિયા કરે અને આપણે તે જોયા કરવી પડે, પણ આત્માને માનનાર, આત્મા ગમે ત્યાં વિશ્વમાં છે જ, એમ દઢ માને છે. તે મરી જાય જ નહીં, આત્મા નિત્ય છે એ વારંવાર વિચારવા ભલામણ છે. સંસારને સ્વપ્ન સમાન જાણી સ્વપ્નની પેઠે ભૂલી જવા જેવો છેજ. * શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૩-૧૦-૫૦ દોહરા – નિરંકુશ બેગ ભેગવી, કરી અસંયમ-કર્મ; અનિષ્ટ ગતિમાં આથડે, સુલભ ન ફરી સુધર્મ. નરકે સાગરોપમ સુધી, એકાન્ત દુઃખ હેય; તે આગળ મન-દુઃખ મુજ, અલ્પ નજીવું જોય. વિષયતૃષ્ણથી મનદુઃખ, આ ન રહે ચિરકાળ; યૌવન તક તૃષ્ણ કદી જીવન તક, સંભાળ. આત્મા જે દઢ એમ તે દેહ તજે, નહિ ધર્મ; વાથી મેરુ અચળ તેમ, ન ચલાવે દુષ્કર્મ. (દશવૈકાલિક - ૧લી ચૂલિકા) જેમ જેમ જીવ પોતાના દોષ જેવાને લક્ષ રોજ રાખશે તેમ તેમ તે તે દે ખળભળી ઊઠી ચાલ્યા જવાને કમ શોધશે. જીવને વૈરાગ્ય એટલે પાંચ ઈન્દ્રિયના ભોગ પ્રત્યે Page #741 -------------------------------------------------------------------------- ________________ ૭૬ બેધામૃત અનાસક્તિ, અણગમે અને ઉપશમ એટલે કષાયલેશનું મંદ પડવું – આ બે ગુણેની બહુ જ જરૂર છે. તેનું આરાધન વિશેષ વિશેષ થશે તેમ તેમ પુરુષ પ્રત્યે, તેમનાં વચને પ્રત્યે, તેમના ઉપકાર પ્રત્યે અત્યંત અનુરાગ થઈ પોતાના દોષ છેદવાના ઉપાય જીવ હસ્તગત કરશે, તેને ઉચ્છેદી નાખ્યા વિના જંપશે નહીં. આ ભવમાં પ. ઉ. પ. પૂ. પ્રભુશ્રીને વેગ મહાપુણ્ય બન્યું. તેની વારંવાર સ્મૃતિ આવ્યા કરે, તેના ઉપકારની કથા પ્રસંગે થયા કરે, તેની અમાપ દયા હૃદયમાં તાજી રહે અને તેની આજ્ઞા હવે તે ઉઠાવવી જ છે એમ દઢતા વર્ધમાન થયા કરે તે ગમે તેવાં આકરાં કર્મ પણ ભસતા કૂતરાની પેઠે નુકસાન કર્યા વિના આપોઆપ નાસી જશે. કર્મથી ગભરાવાની જરૂર નથી; કર્મ બાંધનારો જે ફરી ગયે, મોક્ષમાર્ગી થયે, જ્ઞાનીના પક્ષમાં તણાયે તે પછી ગમે તેવા વિકારો જખ મારે છે તેમનું કાંઈ ચાલવાનું નથી. કંઈક મનમાં હજી શત્રુરૂપ વિકારો પ્રત્યે મીઠાશ રાખી હશે તે તે જીવને ભેળવી ભવમાં ભમાવે તેવી તેનામાં શક્તિ છે. પણ જે તેનાથી જીવ ત્રાસ પામી કરગરીને પણ તેથી છૂટાછેડા કરવાના ભાવ સેવ્યા કરશે તે તેનું બળ નહીં ચાલે. બધે આધાર જીવન ભાવ ઉપર છે. હવે તે એક પરમકૃપાળુદેવનું જ શરણ મરણ પર્યત હિતકારી સમજી ઉપાસવું છે. તેમાં વિદ્ધ કરનાર ભાવે ધર્મ ઘાતક જાણી, તે પ્રત્યે કટાક્ષદષ્ટિ રાખી, તેથી કંપતા હૃદયે પ્રવર્તવું પડે તો પણ કેમ છુટાય એ જ લક્ષ હવે તે રાખે છે. જે તેને પોષ્યા કરીશું તે તે આપણે છાલ છોડશે નહીં અને ભવ દુઃખી કરશે એ ત્રાસ નિરંતર વિકારભાવે ભણી રાખ ઘટે છે. બધાં મળીને કંઈ મેક્ષમાળા કે વચનામૃત વાંચવાને નિયમિત વખત રાખે તે હિતકારી છે. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૮૬૭ અગાસ, તા. ૧૨-૧૦-૫૦ પ. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીના જન્મદિનનો ઉત્સવ આસો વદ ૧ છે તે દિવસે શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રને અવતાર છે. તે મહોત્સવ દિવસ પહેલાં શરીર અનુકૂળ થયે આવી જશે, તે તે તિથિનો મોટો લાભ લઈ શકાશે. ન આવી શકાય તેવી તબિયત હોય તે ત્યાં પણ તે દિવસ ઊજવવા ભલામણ છે. અમેરિકા પત્ર લખો તે ત્યાં પણ તે દિવસે આશ્રમની પેઠે ભક્તિ કરવા સૂચના જણાવશેજ. મનુષ્યભવ છે ત્યાં સુધી ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીના ઉપકાર સંભારી તેમની જણાવેલી આજ્ઞાનું બહુમાન કરી સમાધિમરણની તૈયારી કરતા રહેવા વારંવાર ભલામણ છે. વેદના શરીરમાં થાય છે. આત્મા તે પરમકૃપાળુદેવે દીઠો છે તે પરમાનંદરૂપ, અનંત સુખનું ધામ છે, તે જ મારે માન્ય છે. આ કર્મકલંકમાં હવે ચિત્ત રાખવું નથી. જ્ઞાનીએ માનેલું જ માનવું છે ને આરાધવું છે, તે યાદ રહેવા મંત્રનું રટણ કર્યા કરશોજી. ૮૬૮ અગાસ, તા. ૧૮-૧૦-૨૦ કણ ઉતારે પાર પ્રભુ બિન કોણ ઉતારે પાર? ભદધિ અગમ અપાર, પ્રભુ બિના કેણ ઉતારે પાર ? કૃપા તિહારીતે હમ પાયે, નામમંત્ર આધાર-પ્રભુ નીકે તુમ ઉપદેશ દિયે હૈ, સબ સારનકે સારપ્રભુ” Page #742 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૭૧૭ ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ આ પામર જીવ પ્રત્યે અનેક અગણિત ઉપકાર કર્યા છે. તેમાં મુખ્ય તે પરમકૃપાળુદેવની ભક્તિમાં જોડી આ આત્માને સંસારભાવ ભુલા, રખડતા બચાવ્ય, સાચું શરણું આપ્યું. હવે બેટ્ટો હોય તે, તે ચૂકે. મરણ પર્યત તેણે આપેલ મંત્રનું રટણ, તેમાં જ ભાવ, તેની અપૂર્વ ભાવ-ઉલ્લાસ સહિત આરાધના એ સમાધિમરણનું કારણ તેમણે જણાવેલ છે, તે આપને સહજ જણાવું છું. જગતના સર્વ સંબંધ ઓકી કાઢી, પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર સ્વામીનું શરણ એ જ એક ઉત્તમ આધાર, બચાવનાર, ઉદ્ધાર કરનાર છેજી. પિતાનાથી બને ત્યાં સુધી મનમાં પણ મંત્રનું રટણ રહ્યા કરે, શરીર અને શરીરના સંબંધીઓના વિક્ષેપ વિસારી મૃત્યુ-મહોત્સવને લાગ ચૂકવા જેવો નથી. “સમાધિસંપાનમાંથી છેવટનું પ્રકરણ સમાધિમરણ વિષેનું વાંચ્યું હોય તે પણ એક વખત કોઈ સંભળાવનાર હોય અને અનુકૂળતા હોય તે સાંભળવા જેવું છેજ. તેટલે વખત ન હોય તે પૃષ્ઠ ૩૫૭ થી જેટલું વંચાય તેટલું સાંભળશે અને તેમાંથી પત્ર નં. ૭૪, ૭૫, ૭૩ સાંભળશે. કંઈ ન બને તે મંત્રમાં વૃત્તિ રોકશો. આવા અવસરે ભક્તિ, બની શકે તે મુમુક્ષુઓનો સંગ બહુ ઉપકારી છેજી. તમે ત્યાં જે હો તે ભક્તિમાં ઘણે કાળ જાય તેમ કરવા ભલામણ છેજી. ૮૬૯ અગાસ, તા. ૨૩-૧૧-૫૦ તત છે. સત્ કાર્તિક સુદ ૧૪, ૨૦૦૭ શરીર તે રોગનું પોટલું જ છે. તે ભક્તિના કામમાં આવે તે અર્થે દવા વગેરે કરવી ઘટે છે પણ કોઈ રીતે દુઃખ સંબંધી ફિકર કરવી ઘટતી નથી. “કઈ પણ કારણે આ સંસારમાં લેશિત થવા ગ્ય નથી” (૪૬૦) એવું પરમકૃપાળુદેવનું વચન વિચારશોજી. બનનાર તે બની રહ્યું છે તેમાં સમભાવ રહે તે પુરુષાર્થ કર્તવ્ય છે. કેઈને વાંક જે ઘટતે નથી. આપણું કર્મ અનુસાર જે બને છે તે જોયા કરવું. ભક્તિસ્મરણ રાતદિવસ કરવાની ભાવના રાખવી. “તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ.” આપણાથી બને તેટલું કરી છૂટવું. ભાવના તે સારી જ રાખવી. સર્વનું ભલું થાઓ એવી ભાવન કરનારનું તે ભલું જ થાય છે. અગાસ, કાર્તિક સુદ ૧૫, શુક્ર, ૨૦૦૭ આપને પત્ર મળ્યું હતું. કેઈને દોષ આપણા દિલમાં ન વસે, પણ પૂર્વનાં બાંધેલાં તેવા પ્રકારે છૂટે છે. આપણે પણ કર્મ છેડવા જ જીવવું છે, નવાં બાંધવાં નથી એ નિશ્ચય કર્તવ્ય છે. જગતજીવ હે કર્માધીના, અચરિજ કછુ ન લીના, આપ સ્વભાવમાં રે, અબધૂ સદા મગન મન રહના.” પરમકૃપાળુદેવની આજ્ઞા ઉલ્લાસથી આરાધવી છે અને યથાશક્તિ આરાધાય તેથી આનંદ માન. મરણમંત્રનું રટણ રહ્યા કરે તેવી ટેવ પાડવાને લક્ષ રાખીને વર્તવું ઘટે છેજ. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #743 -------------------------------------------------------------------------- ________________ ૭૮ બેધામૃત ૮૭૧ વિવાણિયા, કાર્તિક વદ, ૨૦૦૭ યાત્રાએ આવ્યા હો કે જન્મભૂમિ નિરખી, અંતર અમ ઊલસે હો કે કલ્યાણક સરખી. પશ્ચિમ ભારતની પટરાણી, પુરી વવાણિયા વખણુણી; શ્રીમદ્ રાજચંદ્ર સ્વકરાણી, વીર-જનની તું લેખાણી-યાત્રાએ આપે “શ્રમણ ભગવાન મહાવીરને નયસારના ભાવમાં સમકિત થયા પછી ઘણા ભવ કેમ કરવા પડ્યા ? પંદર ભવથી વધારે કેમ થયા? એમ પ્રશ્ન કરેલ છે તેને સંક્ષેપમાં ઉત્તર નીચે પ્રમાણે છે – સમ્યફદર્શન જે વમી ન જાય તે વધારેમાં વધારે પંદર ભવ થાય, પણ જે વમી જાય એટલે મિથ્યાત્વમાં જીવ આવી જાય તે ક્યારે ફરી સમ્યકદર્શનને જોગ બને તે કહેવું મુશ્કેલ છે. તેને માટે વધારેમાં વધારે અર્ધપુદ્ગલપરાવર્તનકાળ કહ્યો છે. તેમાં અનેક ઉત્સર્પિણીઅવસર્પિણી કાળ જ રહે છે, એટલે અનંતકાળ પણ એક રીતે તે કહેવાય છે. માટે શ્રદ્ધાભ્રષ્ટ ન થવાય તેની બહુ કાળજી રાખવા જ્ઞાની પુરુષોએ ચેતાવ્યા છે. આશ્ચર્યની વાત તે એ છે કે એટલા લાંબા કાળે પણ અવશ્ય સમકિત પામી છવ બે ઘડીમાં મેક્ષે પણ જઈ શકે છે. આવું આત્માનું માહાસ્ય જ્ઞાની પુરુષે વર્ણવ્યું છે. એક વાર જો સાચા પુરુષની, સાચા અંતઃકરણે માન્યતા દઢ થઈ ગઈ તેને વહેલે મોડે મોક્ષ જરૂર થાય છે, એવી સમ્યફદર્શનની મહત્તા છે તે લક્ષમાં રાખી પરમકૃપાળુદેવનાં વચનેને આધારે વૈરાગ્ય, ઉપશમ, ત્યાગ, ભક્તિ, સ્મરણ આદિ આજ્ઞાનું આરાધન શક્તિ ગેપવ્યા વિના કર્યા કરવું ઘટે છેજ. શાંતિઃ ૮૭૨ વવાણિયા, કાર્તિક વદ ૭, શુક્ર, ૨૦૦૭ “બીજાં સાધન બહુ કર્યા, કરી કલ્પના આપ; અથવા અસશુરુ થકી, ઊલટો વળે ઉતાપ. પૂર્વ પુણ્યના ઉદયથી, મળે સદ્દગુરુગ; વચન-સુધા શ્રવણે જતાં, થયું હૃદય ગતશેગ. નિશ્ચય એથી આવિયે, ટળશે અહીં ઉતાપ; નિત્ય કર્યો સત્સંગ મેં, એક લક્ષથી આપ.” (૧૫૪) એક વાત આપે પંદર ભવ વિષેની લખી તે વિષે જણાવવાનું કે જેનું ચિત્ત સત્સંગસશાસ્ત્રના ગે સંસારના ભાવથી પલટો ખાઈ સદ્દગુરુ શરણમાં ઠર્યું, જગત ઝેર જેવું જેના ચિત્તને લાગ્યું હોય, તે ઝાઝે વખત સંસારમાં રહી શકે નહીં, છેડા ભવે (પંદર તે વધારેમાં વધારે) તેને મોક્ષની સર્વ સામગ્રી પ્રાપ્ત થાય એમ અનેક સત્પરુએ સ્વીકાર્યું છે). તેવી દશા આવ્યા પહેલાં આપણે માટે પંદર ભવ માની લઈએ તે ભૂલ સમજાય છે. સંસાર પ્રત્યેથી ઉદાસીનતા વધારતા જઈ પિતાના દે દેખાય તેમ તેમ ટાળવા કટિબદ્ધ થવાની જરૂર છે. સંસાર નહીં જ ગમે એવી દશા આવ્ય, સંસાર વધે તેવાં કર્મ નહીં બંધાય, એ ચકકસ છે. હાલ તે પરમકૃપાળુદેવનાં વચનને આધારે વૈરાગ્ય ઉપશમ વધારો એવી ભલામણ છે. કોઈ પણ પ્રકારને પિતાના સંબંધી માન્યતારૂપ અહંકાર કરવો પડી મૂકી “હું તે પામર છું” એમ ધારે. Page #744 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૭૧૯ મહાપુણ્યના ભેગે પરમકૃપાળુદેવ સાચા આત્મજ્ઞાની સદ્ગુરુનું શરણ પ્રાપ્ત થયું છે તે મરણ પર્યંત ટકી રહે તેવી ભાવના કરવાથી પરભવમાં પણ તે ભાવ પિવાય તેવી સામગ્રી છવને મળી રહેશે. નિમિત્તાધીન ચંચળ બનતા ચિત્તને સદ્ગુરુશરણે મંત્રમાં બાંધી રાખતાં શીખે. “નથી આજ્ઞા ગુરુદેવની અચળ કરી ઉરમાંહિ તે દઢતા વધે તેમ કરો. નીચેની કડી મુખપાઠ કરી તેને ભાવ હૃદયમાં વારંવાર સાંભરે તેમ વર્તવા ભલામણ છે. મંદાક્રાંતા – મંત્ર મં સ્મરણ કરતે કાળ કાઠું હવે આ, જ્યાં ત્યાં જેવું પર ભણું ભૂલી બેલ ભૂલું પરાયા, આત્મા માટે દૈવન જૈવવું લક્ષ રાખી સદા એ, પામું સાચે છેવનપલટો મોક્ષમાર્ગી થવાને. (પ્રજ્ઞાવબોધ – ૭૪) તમારા પત્રમાંના બીજા પ્રશ્નનો ઉત્તર ઉપરની કડીમાં આવી જાય છે. જાગૃતિમાં ઉપયોગ ધર્મધ્યાન પ્રત્યે વાળી શકશે તેમ તેમ સ્વદશા પર અસર થશે. પહેલાં જીવે મેહરૂપ ડુંગળી ખાધી છે તેથી તેના દુર્ગધમય ઓડકાર આવે છે તે અત્યારે ગમતા નથી, પણ તેને કાળ વીતી ગયે તે બંધ થશે. જે નવા તેવા ભાવ પ્રત્યે અણગમે રહ્યા કરશે, મીઠાશ અંતરથી નહીં મનાય તે ભવિષ્ય સુંદર બનશે; નિર્દોષતા વરશે. સત્સંગની ભાવના નિરંતર રાખવી ઘટે છે. યથાવકાશે સત્સંગ બને તેટલે આરાધ પણ કુસંગ કે જેથી પરિણામ બગડે, તેથી બચતા રહેવું, ભડકતા રહેવું. અને તે અસત્સંગને સંપૂર્ણ ત્યાગ કર્તવ્ય છે. પરમકૃપાળુદેવ ઉપરને વિશ્વાસ દઢ કરે. આટલા સુધી તેની કૃપાથી અવાયું છે, તે નિરાશ થવા જેવું નથી. પણ અહંકાર સૂમપણે પણ ન પિષાય તેવી કાળજી રાખી બોલવું, વર્તવું ઘટે છે. હાલ એ જ. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૮૭૩ અગાસ, તા. ૧૫–૧૨–૫૦ તત સત્ માગશર સુદ ૭, ૨૦૦૭ ઈરછા વર્તે અંતરે, નિશ્ચય દઢ સંકલ્પ મરણ-સમાધિ સંપજે, ન રહે કંઈ કવિકલ્પ. કામિલદાયક પદ-શરણુ, મન સ્થિર કર પ્રભુ ધ્યાન; નામ-સ્મરણ ગુરુરાજનું, પ્રગટ કલ્યાણ નિદાન.” આપને પત્ર મળે. આજે એક વિચાર કુર્યો તે આપને નિવેદન કરવા આ પત્ર લખેલ છે. તમે અઠ્ઠાઈ મહેત્સવ અર્થે ઐફિસમાં રૂ. ૧૬૫૦) છે તે વાપરવા પત્રમાં જણાવેલ છે. તેને બદલે જે તમારા ચિત્તમાં શેઠે તે ચૈત્ર વદ પાંચમને દિવસે પરમકૃપાળુદેવની નિર્વાણ તિથિ છે, તે આ સાલ સારી રીતે અઠ્ઠાઈ મહોત્સવપૂર્વક ઊજવાય તે તે ગુરુભક્તિનું કાર્ય છે. પરમકૃપાળુદેવના નિર્વાણને પચાસ વર્ષ થયાં. લેકો સુવર્ણ મહોત્સવ ગેલ્ડન જ્યુબિલી) ઊજવે છે. પણ આ તે આપણા પરમ ઉપકારી મહાપ્રભુને દિન છે, તે દિવસ સારી રીતે ઊજવાય અને ભક્તિ અઠવાડિયા સુધી ચાલુ રહે તેને કાર્યક્રમ આશ્રમમાં જે બે-પાંચ માણસે પૂછવા Page #745 -------------------------------------------------------------------------- ________________ ૭૨૦ બેધામૃત જેવા હોય તેમની સલાહથી ગોઠવાય એમ થાય તે વિશેષ હિતનું કારણ સમજાય છે. જોકે તમે નહીં લખે તો પણ તેવું કંઈક બનશે તે ખરું, પણ તમે પ્રેરણા કરો તે બીજાના ધ્યાન ઉપર તે વાત આવે અને તે લક્ષમાં વહેલું લે. પરમકૃપાળુદેવની તિથિમાં આપણી તિથિ આવી જ જાય છે, અને આયુષ્ય હશે તે તમે તે ઉત્સવમાં જાતે પણ ભાગ લઈ શકશે. પછી તે જે થવાનું હશે તેમ થઈ રહેશે. આ વિષે વિચાર કરી ગ્ય લાગે તે ઐફિસમાં લખી જણાવશે. આ તે એક સૂચના માત્ર છે. આમ જ કરવું એમ કહેવા પત્ર નથી લખે. તમે જેમ વિચાર રાખે છે તેમ જ બનશે તો પણ મને તે કંઈ આમતેમ મનમાં થવાનું નથી, એટલે આ લખે છે માટે મારે તેમ લખવું, એમ પણ કરવું એગ્ય નથી. જેમ તમારા આત્માની પ્રસન્નતા રહે તેમ કર્તવ્ય છે. વ્યવસ્થાની વાત વિસારી હવે આત્મવૃત્તિ પરમકૃપાળુદેવમાં લીન રહે એ મુખ્ય કાર્ય આ ભવનું છે. પરમકૃપાળુદેવ સમીપ જ છે એવી ભાવના રાખી, તેને શરણે જગતના ભાવે ભૂલી જઈ પરમ આનંદમય સ્વરૂપ તેમણે પ્રગટ કર્યું છે તે જ આપણે ઈચ્છીએ, તે જ પરમ શાંતિમાં લીન થઈએ, અભેદભાવે તે રૂપ જ થઈ જઈએ, એ જ દષ્ટિ કર્તવ્ય છે. એહ પરમપદપ્રાપ્તિનું કયું ધ્યાન મેં, ગજા વગર ને હાલ મનેરથરૂપ જે, તે પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુઆજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ છે. અપૂર્વ .” ८७४ અગાસ, તા. ૧૬-૧૨-૫૦, શનિ હરિગીત – સપુરુષ સંગે શ્રવણ પામે, શુદ્ધ સાત્ત્વિક ધર્મનું, પ્રવચન પરમ તે સત્ય છે, દુર્લભ યથા પ્રતિપણું, સ્વછંદ ને મિથ્યાત્વથી વિમુખ દષ્ટિ રહે ગ્રહી, પ્રમાદ ના કર સમય પણ, વર ઉચ્ચરે ગૌતમ ભણી. (કુમપત્રક અધ્યયન) બાહ્ય જીવનની હાડમારી છે તેવી જ અભ્યતર જીવન માટે પણ પરમ પુરુષના નિકટ નિવાસ વિના જીવને ઘણી મુશ્કેલીઓ વેઠવી પડે છે.જી. હવે ૫. ઉં. પ. પૂ. પ્રભુશ્રીજીનો વિરહ વિશેષ વેદાય છે. તે કાળ મહાપુરુષના યોગે કે ઉત્તમ રીતે ગયે; પણ તે વખતે જીવની યોગ્યતા વિના વિશેષ લાભ લઈ શકાય નહીં અને હવે તે વેગ મળે નહીં, એ વારંવાર સાંભરી આવે છે. પરંતુ જાતે જેટલું બને તેટલું હવે કરવું રહ્યું. “આપ સમાન બળ નહીં અને મેઘ સમાન જળ નહીં.” એવી કહેવત તેઓશ્રી ઘણી વખત કહેતા તે સાંભરી આવે છે. સ્વચ્છેદ અને પ્રમાદ તાજી હવે તે યથાશક્તિ તેની આજ્ઞાના આરાધનમાં આ આયુષ્યનો છેવટને કાળ શાંતિ–સમાધિએ ગળાય એ જ ભાવના છે. માર્ગ સાથે મળે છે. હવે એટલે વિશેષ પુરુષાર્થ થશે તેટલે મોક્ષ નજીક છે. પરમકૃપાળુદેવે શ્રી ભાગ્યભાઈને લખ્યું છે : “વૃદ્ધમાંથી યુવાન થવું અને આ અલખ વાર્તાના અગ્રેસર આગળ અગ્રેસર થવું. થોડું લખ્યું ઘણું કરી જાણશે.”(૧૭૦) જ્ઞાની પુરુષે વૃદ્ધમાંથી યુવાન થવાનું લખે છે તે શું હશે? આપણે સર્વેએ તે વિચારી અમલમાં મૂકવા જેવું છેજ. 8 શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #746 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૭ર૧ ૮૭૫ અગાસ, તા. ૨૯-૧૨-૫૦ આપને પરમ પુરુષની દઢ શ્રદ્ધા છે તે જ આ ભવમાં પરમ પુરુષાર્થ પ્રેરનારી છે. શરીરથી જ કંઈ પુરુષાર્થ થાય એવું નથી. શ્રદ્ધા જ્યાં દઢ હોય છે ત્યાં જ ચિત્તની વૃત્તિ વળે છે, સ્થિર થાય છે, લીન થાય છે. તેથી વારંવાર પ. પૂ. પ્રભુશ્રીજી “શ્રદ્ધા પરમ ટુ એમ કહેતા હતા. # શાંતિઃ ૮૭૬ અગાસ, તા. ૧૧-૧-૫૧ તત ૐ સત્ર પિષ સુદ ૪, ગુરુ, ૨૦૦૭ “છૂટે દેહાધ્યાસ તે, નહિ કર્તા તું કર્મ, નહિ ભક્તા તું તેહને,એ જ ધર્મને મર્મ.” – શ્રી આત્મસિદ્ધિ જેને પરમકૃપાળુદેવનું શરણ છે તેને કંઈ ગભરાવા જેવું નથી. બાકી બધેલાં કમ તે બધા જ્ઞાની-અજ્ઞાની સર્વને ભેગવવાં જ પડે છે. પણ શાહુકાર ખુશીથી દેવું પતાવે, તેમ પિતે બાંધેલાં કર્મ સમભાવે સહન કરી તેથી છૂટવાની ભાવના કર્તાય છે. હસતાં કર્મ ભેગવાય અને રડતાં રડતાં પણ ભગવાય. રડવાથી કર્મને દયા આવવાની નથી, કંઈ ઓછાં થવાનાં નથી, તે શા માટે દુઃખથી ડરવું? નરકમાં જીવ કર્મ ભેગવીને આવ્યો છે, તેવાં આકરાં કર્મ તે અહીં ભેગવવાનાં હોય જ નહીં. આંખનું ઑપરેશન તે નાનું ગણાય. મરણની વેદના બહુ ભયંકર ગણાય છે. તેની તૈયારી કરવા આ નાનાં નાનાં કર્મ સહનશીલતા શીખવવા આવે છે, તે સારું છે કે છેવટે મરણ વખતે જીવ ગભરાઈ ન જાય. તમે સમજુ છે, ઉપવાસ વગેરેથી દુઃખ સહન કરવાનું શીખ્યાં છે, તેથી આ તે કંઈ વિશેષ લાગશે નહીં, પણ આથી આકરાં દુઃખ મરણનાં છે એમ વિચારી મંત્રમાં મન પરેવેલું રાખવા ભલામણ છે. ૮૭૭ અગાસ, તા, ૧૨–૧-૫ અનન્ય શરણના આ૫નાર એવા શ્રી સદગુરુદેવને અત્યંત ભક્તિથી નમસકાર, પૈસા પ્રત્યેના પ્રેમની પ્રબળતાને બાળી નાખી તેમને નમસ્કાર, તમે દાન કરી ચૂક્યા છે, તે પૈસા પાછા માગવા ઘટતા નથી. શ્રી હરિશ્ચંદ્રના સત્ય વિષે ઘણું સાંભળ્યું હશે. એક વખતે પ. પૂ. પરમકૃપાળુદેવ ઉત્તરસંડા હતા તે વખતે કોઈ ભકતે તેમને માટે ઉત્તમ વાની બનાવી તેમના આગળ ધરી. તે વખતે તેઓશ્રીએ કહ્યું – પિલી નળીમાં આવે છે તેમને આપો. આવી ઉત્તમ ચીજ ઉત્તમ માણસને આપવા તે લાવેલા; તે રસ્તે જતા માણસને આપતાં તેનું મન ખંચાયું. પણ જે તેણે તે પુરુષને તે ચીજ આપી દીધી, તે પછી તે ગમે તેમ વાપરે તેમાં તેના મનને કંઈ થવું ન જોઈએ. લેભ છેડવા આપણે દાન કરીએ છીએ. પછી કહ્યા પ્રમાણે ન કરે તે લેનાર બંધને પાત્ર થાય છે, આપનાર નહીં. આ વાત વિશેષ ચર્ચવા જેવી નથી, પણ પાછી રકમ માગી તે ઠીક નથી થયું એમ મારા મનમાં ભાસ્યું તે તમને જણાવ્યું છે, જોકે તમને તેનાં કારણે કંઈ મળ્યાં હશે. પણ આપણે આશ્વાસન અર્થે ગયેલા અને તેમાંથી તેમને આવી વાત સાંભળવાનું (પત્ર દ્વારા) મળે તે લાગી આવે એ સ્વાભાવિક છે. આપના મનમાં શું કારણે હશે તે જાણ્યા વિના 46 Page #747 -------------------------------------------------------------------------- ________________ ૭૨૨ બેધામૃત સામાન્ય મેં તે મને ભાસ્યું તે જણાવ્યું છે. પણ તે કામ ઢીલમાં ન પડી રહે તે અર્થે વખતે તાકીદ કરાવવા તમે તેમ લખ્યું હોય, પણ પૈસા પાછા મગાવવાને લેભ કે બીજા કામમાં વાપરવાની ઈચ્છા નહીં હોય એમ અનુમાનું છું. તે તમે તેમને કંઈ શાંતિ વળે તેમ પત્ર લખી જણાવશે એમ ઈચ્છું છું. ભલે સંસ્થા બીજા કેઈને સેંપી દે અને તમારા પૈસા પણ તે ભેગા જાય તેમ હોય, તે પણ સમર્પિત રકમમાંથી એક બદામ સરખી પાછી ઈરછવી યોગ્ય નથી એમ મુમુક્ષુના મનમાં તે થવું જોઈએ; તે સહજ તમને પરમાર્થમાર્ગમાં બળ મળે તે અર્થે લખ્યું છેજી. વચન આપ્યું હોય તે પણ પાછા ન હઠવું તે આપેલી રકમ તે ન જ માગવી ઘટે. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ ८७८ અગાસ, તા. ૧૨-૧-૫૧ પર પ્રત્યેના પ્રેમના પ્રબળપણાને બાળી નાખનાર મહાત્માને નમસ્કાર! વિ. આપને પત્ર ગઈ કાલે મળે. આપના પત્રથી મને પણ કેટલુંક લાગ્યું! પરમકૃપાળુદેવે કહેલ સાંભરી આવ્યું કે કોઈ જુદા જ રૂપમાં મુમુક્ષુ અને જુદા જ રૂપમાં મુનિઓ જણાય છે, તેમના સંગથી આત્મોન્નતિ થવી દુર્ઘટ છે. આ કાળમાં આપણો જન્મ છે તેથી તેવી તેવી વિચિત્રતાઓ જોવી પડશે, પણ આપણે ધારેલું કામ મંદ ન થાય એમ કર્તવ્ય છે. મુશ્કેલીઓ જ જીવને શૌર્ય પ્રેરે છે. ભક્તિ શૂરવીરની સાચી, લીધા પછે કેમ મૂકે પાછી ?” આપનામાં પરમકૃપાળુદેવને વારસો ઝળકે એમ ઈચ્છું છું. આપદથી દબાઈ નહીં જતાં ઉપર આવી સંસારસાગર તરી જાઓ એ જ ભલામણ અંત:કરણથી છે. “આપ સમાન બળ નહીં, અને મેઘ સમાન જળ નહીં.” જ્ઞાનીની આજ્ઞાએ આપણે જ પુરુષાર્થ કરવાને છે, તે મનુષ્યભવમાં જ બની શકે તેમ છે. માટે પ્રમાદ તજી, સ્વચ્છેદ છેડી અપ્રમત્ત ભક્તિમાં લાગી જવાનું છે. | # શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગોસ, તા ૧૬-૧-૫૧ દોહરા- “પ્રિય કર્યો ના કેઈ જન, ત્યાં સુધી સુખી ગણાય; સંગ કર્યોજ્યાં પ્રિયને, ઍવ દુઃખે હોમાય.” સુખદુઃખ તરફ દષ્ટિ કરવા જેવી નથી. તે તે દેહને ધર્મ છે, અને દેહની સંભાળ ઓછી કરી હવે તે સમાધિમરણ કરવાની ફિકર રાખવી ઘટે છે. પરમકૃપાળુદેવને શરણે તે અઘરું નથી. જગતને ભૂલી ગયા વિના છૂટકો નથી. ભક્તિ એ ઉત્તમ સાધન છે. ૐ શાંતિઃ ૮૮૦ અગાસ, તા. ૧૬૧-૫૧ "પુસ્તક પરમકૃપાળુદેવની આજ્ઞા લઈ વાંચવા શરૂ કર્યું હોય તે બંધ ન રાખશે. વૈરાગ્યઉપશમની વૃદ્ધિ કરે તેવું હિતકર છે. આજ્ઞાને લક્ષ જીવને હિતકારી છેજ. પુસ્તક અર્થે પુસ્તક વાંચવું નથી પણ જીવની યોગ્યતા વધે અને જ્ઞાની પુરુષ પરમકૃપાળુદેવનાં વચનને મર્મ સમજવાની યેગ્યતા આવતાં આત્મકલ્યાણ થાય એ લક્ષ રાખવો ઘટે છે. આપ તે Page #748 -------------------------------------------------------------------------- ________________ પગસુધા ૭૨૩ સમજુ છે. ખેદ કર્તવ્ય નથી, પણ લક્ષ ચુકાય તે જીવ ક્યાં ક્યાં જતું રહે અને વાતડાહ્યો થાય એવે છે, તે ન થવા અર્થે આત્માર્થની વૃદ્ધિ થાય તેમ કર્તવ્ય છેજી. સમાધિમરણની ભાવના રોજ કર્તવ્ય છે. સમાધિ-સે પાનમાંથી તે વિષે વાંચ્યું હોય તે પણ ફરી ફરી વાંચવા ગ્ય છે”. “ભગવતી આરાધના” ગ્રંથ વિષે પરમકૃપાળુદેવે ભલામણ કરેલ છે તેને સ્વાધ્યાય બને તે કર્તવ્ય છે. એ જ. “કોઈ પણ કારણે આ સંસારમાં ફ્લેશિત થવા ગ્ય નથી.”(૪૬) શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૮૮૧ અગાસ, તા. ૨૪-૧-૫૧ તત્ સત્ પષ વદ ૧, બુધ; ૨૦૦૭ “ના જ છત્રપતિ, હાથિન અસવારો ___ मरना सबको एक दिन, अपनी अपनी वार ।। -भूधर कवि દિલગીરી ભરેલે પ્રસંગ બન્યા છે. પરંતુ પરમકૃપાળુદેવનું શરણ જેણે ગ્રહણ કર્યું છે, જેને પરમકૃપાળુદેવ ઉપર પ્રીતિ, પ્રતીતિ અને ભક્તિ જાગી છે તેને આવા પ્રસંગે ધીરજ વિશેષ રહે છે. જે દુઃખ આવી પડે તે ધીરજથી, બને તેટલા સમભાવથી સહન કરવાથી જૂનાં કર્મ જાય છે અને નવાં કર્મ બંધાતાં અટકે છે. દિવસ પછી રાત આવે છે ત્યારે અણસમજુ જને અકળાય છે, પણ રાતની રાત હમેશાં રહેતી નથી. તેમ સુખના દહાડા બદલાતાં દુઃખના દહાડા જેવાના આવે છે, પણ હંમેશાં દુખ પણ ટકતું નથી. સુખમાં પણ ભક્તિ કરવી ઘટે છે અને દુઃખમાં તે વિશેષ વિશેષ ભાવથી ભક્તિ કરવી ઘટે છે. જીવ સુખના સમયમાં ભગવાનને ભૂલી જાય છે, તે વિચારતાં દુઃખના પ્રસંગે ભગવાનની ભક્તિ કરવા પ્રેરનાર ગણાય છે. ઘણા ભક્તોએ ભગવાન પાસે દુઃખ જ માગ્યું છે. આ અત્યારે તમને સમજાશે નહીં, પણ થોડાં વર્ષ પછી લાગશે કે પરમકૃપાળુદેવે નીચે પ્રમાણે લખ્યું છે તે સાચું છે – “જગત આત્મરૂપ માનવામાં આવે; જે થાય તે ગ્ય જ માનવામાં આવે; પરના દોષ જોવામાં ન આવે; પિોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે તે જ આ સંસારમાં રહેવું યોગ્ય છે.” (૩૦૧) અત્યારે તે સ્મરણમાં, વાચનમાં, ભક્તિમાં બને તેટલે વખત ગાળવાનું કરશે. તમે બધા સમજુ છે. રેવાકકળવાથી મરી ગયેલ પાછું આવે નહીં અને રોનારને કર્મ બંધાય. મરી ગયેલાને કઈ રીતે તે મદદ કરે એમ નથી; તે રોવું, શેક કરે, પાછળની વાત સંભારવી એ માત્ર જીવને દુઃખી કરવાનું કામ છે, માટે શોકને સંભાર નહીં. જે થાય તે સહન કરવું એ જ ધર્મ છે. “કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષઅભિલાષ; ભવે ખેદ પ્રાણદયા, ત્યાં આત્માર્થ નિવાસ.” આ કડી વારંવાર વિચારી ગમે તેવાં દુઃખ આવી પડે, પણ આત્માર્થી જીવે આત્માર્થ ચૂકે નહીં. મનુષ્યભવથી મેક્ષ જેવી ઉત્તમ કમાણી થઈ શકે છે. મનુષ્યભવ સફળ કરવા હવે પરમકૃપાળુદેવને શરણે આટલે ભવ ભક્તિમાં ગાળો છે એવો નિશ્ચય કરશે તે તમારું તથા તમારા સમાગમમાં આવતા જેનું કલ્યાણ થાય તેવું તમારું જીવન થવા સંભવ છે, માટે “કઈ પણ કારણે આ સંસારમાં લેશિત થવા ગ્ય નથી. અવિચાર અને અજ્ઞાન એ સર્વ Page #749 -------------------------------------------------------------------------- ________________ ૭૨૪ બેધામૃત લેશનું, મેહનું અને માઠી ગતિનું કારણ છે, સદ્દવિચાર અને આત્મજ્ઞાન તે આત્મગતિનું કારણ છે, તેને પ્રથમ સાક્ષાત્ ઉપાય જ્ઞાની પુરુષની આજ્ઞાને વિચારવી એ જ જણાય છે.” (૪૬૦) આમ પરમકૃપાળુદેવે કહ્યું છે, તે વારંવાર વિચારી ભૂતકાળને ભૂલી જઈ, કેવું જીવન હવે ગાળવું છે તેના વિચારમાં વખત જાય, ભક્તિમાં વૃદ્ધિ થાય તેમ કર્તવ્ય છેજ. તમારાં માશી પૂ.....બહેને આખી જિંદગી બ્રહ્મચર્ય પાળી ભક્તિભાવમાં આટલે ભવ ગાળવાને વિચાર રાખે છે, તેમ હવે તમારે પણ આ દુર્લભ મનુષ્યભવ સફળ થાય તેમ વિચારી, અનાર્ય દેશમાંથી છૂટી ભક્તિ થાય તેવા સ્થળમાં રહેવાનો નિશ્ચય કરે ઘટે છેજ. કલાજમાં જીવન વ્યર્થ ન જાય અને કર્મ બાંધી પાછાં આવાં દુઃખ બોલાવવાનું ન બને; માટે ભક્તિ એ જ સર્વોત્તમ સુખને માર્ગ છે, તે જે હૃદયમાં સારું લાગે તે જેમ બને તેમ વહેલું હિંદુસ્તાનમાં આવી જવાય તેમ કરવું. જ્યાં રહેવાનું બને ત્યાં મંત્ર, ભક્તિ, વાંચન, વિચાર તથા કંઈ કંઈ મુખપાઠ કરવાનું મોક્ષમાળા આદિમાંથી રાખવાને નિયમ કર્તવ્ય છેજી નવ બેઠો નખેદ વાળે” એમ કહેવાય છે, તેમ મનને કામ નહીં આપે તે કર્મના ઢગલા બંધાશે. માટે આત્માની દયા લાવી ભક્તિમાં મનને રોકવું એ જ ભલામણ છેજ. ૮૮૨ અગાસ, તા. ૨૪-૧-૫૧ તત્ સત પિષ વદ ૧, બુધ, ૨૦૦૭ દેહરા – ધનમાં મન જેવું રમે, સુંદર સ્ત્રીમાં જેમ, તેમ રમે જે રાજમાં, મોક્ષ મળે ના કેમ? આપે પ્રશ્ન કર્યો છે કે સમાધિમરણ સમ્યક્દર્શન વિના થાય? ઉત્તરમાં જણાવવાનું કે સમ્યફદર્શનની સૌથી પહેલી જરૂર છે. તે વિના તે કોઈ પણ ધર્મક્રિયા સફળ નથી. પરંતુ પરમકૃપાળુદેવે પત્રાંક ૭૭૧ માં જણાવ્યું છે કે જીવાજીવનું સ્પષ્ટ જ્ઞાન તે કોઈ વિરલા ને થાય છે પણ પરમપુરુષની શ્રદ્ધાને શાસ્ત્રમાં ઘણે ઠેકાણે સમકિત કહ્યું છે અને તે જેવું તેવું નથી. પંદર ભવે મોક્ષે લઈ જાય તેવું છે. જીવાજીવના જ્ઞાનનું તે કારણ છે. એટલે પરોક્ષ શ્રદ્ધા જેને છે તે પરમપુરુષની શ્રદ્ધાથી સમાધિમરણની તૈયારી કરે છે તે સફળ થવા યોગ્ય છે. પરોક્ષમાંથી પ્રત્યક્ષ થાય છે. શ્રી સોભાગ્યભાઈ જેવાને પણ પ્રત્યક્ષ સમ્યક્દર્શન તે મરણ પહેલાં થડા દિવસ ઉપર જ થયું હતું. પરંતુ પરમકૃપાળુદેવે “શ્રી સુભાગ્ય પ્રેમસમાધિમાં વર્તે છે” એમ ઘણું વર્ષ પહેલાં જણાવ્યું છે. પર પ્રેમપ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમભેદ સુઉર બસે; વહ કેવલકો બીજ ખ્યાનિ કહે, નિજકો અનુભૌ બતલાઈ દિયે.” પરમપુરુષ પ્રત્યેનો પ્રેમભાવ એમાં સર્વ સાધન સમાઈ જાય છેજી, અને તે તે સમ્યકદર્શન પહેલાં પણ હોય છે. પરમકૃપાળુદેવે શ્રી ગોપાંગનાઓનાં વખાણ કર્યા છે. પરમ મહાભ્યા શ્રી ગોપાંગનાઓ' કહી છે તે તેમના પ્રેમને આધારે. મહાત્માને વિષે પરમ પ્રેમાપણ એ સર્વ દેને ટાળી પદાર્થને નિર્ણય કરાવનાર, સમ્યફદર્શન અને સમાધિમરણ કરાવનાર છે એમ મારી માન્યતા આપના પૂછવાથી જણાવી છેછે. # શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #750 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૭૫ ૮૮૩ અગાસ, તા. ૨૫-૧-૫૧ શ્રી ભગવતી આરાધના ગ્રંથ વાંચશે, વિચારશે. બીજી માથાકૂટમાં ન પડશે. લિસ્ટ વગેરે કરવામાં ખોટી થવા કરતાં કઈ શિક્ષક આદિ કરી આપે તેમ હોય તે કંઈ રકમ આપી તેની મારફત કરાવી લેવું. આપણે વખત અમૂલ્ય છે. જ્ઞાન, ધ્યાન, વિચારમાં વખત જાય તેમ કરવા ભલામણ છે. જેને સમાધિમરણ કરવું છે તેણે ક્ષણેક્ષણને સદુપયોગ થાય તેમ વર્તવું ઘટે છેજ. સ્મરણને અભ્યાસ વધારતા રહેશેજી. આખરે એ જ કામનું છે. ૩ શાંતિઃ ૮૮૪ અગાસ, તા. ૫-૨-૫૧ તત ૐ સત પષ વદ ૧૪, સોમ, ૨૦૦૭ દેહરા – શલ્ય, ઝેર કે સર્પ સમ, દુઃખ ઘણું દે કામ; 'કામ-કામના રાખતા, દુર્ગતિ વરે અકામ. બળી મરવું તે સારું, સારું પવિત્ર મત; વ્રત ખંડી શું જીવવું? ડગલે પગલે મત. આપનું ભવભયની લાગણીવાળું કાર્ડ વાંચ્યું. તે ભાવો પત્ર લખતી વખતે જ નહીં પણ હરઘડીએ જે ટકાવી રાખશે, “ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો ! રાચી રહો.” એમ પરમકૃપાળુદેવે દર્શાવેલે ભાવ હદયમાં નિરંતર રાખશે તે ભાર નથી કે વિષયકષાય તમને સતાવે. પરંતુ જીવ પત્ર આદિ લખતાં સારા ભાવમાં ક્ષણવાર આવે છે પણ તે અભ્યાસ કરી કસોટીના પ્રસંગમાં મરણને સમક્ષ જોતા રહેવાની ટેવ પાડતો નથી. તેથી નિમિત્તને વશ થઈ અમુમુક્ષુપણે વર્તે છે, પછી પસ્તાય છે. માટે અગમચેતી રાખવાને પુરુષાર્થ સારા ભાવેને અભ્યાસ પાડી મૂક એ જ છે. તેમાં પાછા ન પડે. નાશવંત વસ્તુઓને નાશવંત જોવાની ટેવ પાડે. બંધનકારક પ્રસંગોને પ્રાણુતે પણ સુંદર ન દેખો. જગતની મોહક વસ્તુઓ મૂંઝાવનારી છે તેની (તે વાતની) વિસ્મૃતિ ન થવા દે. આ જીવ અનાદિકાળથી બાહ્ય દેખાવથી ભૂલતે આવ્યો છે, તે ભૂલ-દેખતભૂલી ટાળવાને અવસર આવ્યો છે, તે પ્રસંગે હવે પાછા ન હઠવું. તેમાં પાછા તન્મય ન બની જવું. પ. પૂ. પ્રભુશ્રીજી પણ વારંવાર ચેતાવતા કે આ જગત ઠગારું પાટણ છે. તેમાં અહીં ન ઠગાયા તે થેડે આઘે જઈને પણ ઠગાઈ જવાય તેવું છે. માટે તેથી બીતા રહેવું, ચેતતા રહેવું. ગાંડા થઈને ફરવું પણ જગતની મેહનીમાં લંપટ ન બનવું. તેઓશ્રી તે વિષે એક દષ્ટાંત આપતા કે એક ગરીબ વાણિયે દૂર દેશ કમાવા ગયે. ઘણી કમાણી કરી પાંચ રને ખરીદી તેને ગોપવી પિતાને દેશ પાછો વળતું હતું. ત્યાં રસ્તામાં એકલા ઠગેની જ વસ્તીવાળું ગામ આવ્યું. તેણે વિચાર્યું કે કમાયા તે ન કમાયા જેવું થઈ જશે માટે યુક્તિ કરીને ગામ વટાવી જવું જોઈએ. તેથી તેણે તે રત્ન એક પથરા નીચે દાટી નિશાની રાખી, ફાટેલાતૂટેલાં કપડાં પહેરી ગાંડાની માફક ગામમાં એમ બેલતે બોલતે ફરવા લાગ્યો કે “રત્નવાણિયો જાય છે, આ રત્નવાણિયે જાય છે. તેને પકડી લેકે નાગો કરી તપાસ્ય પણ કંઈ મળ્યું નહીં. ૧ વિષયની ઈચ્છા ૨ નકામી, નિરર્થક Page #751 -------------------------------------------------------------------------- ________________ ૭૨૬ બધામૃત પણ તે તે ઘણી વાર એમ ને એમ બેલતે ફરવા લાગ્યા. તેથી લોકોએ ધાર્યું કે એ તે ગાંડિયે કેઈ આવ્યા છે એટલે એને કઈ પજવતું નહીં, ભાવ પણ પૂછતું નહીં. પછી તે પેલાં રત્નો લઈ તેવા જ વેશે તેવું જ બોલતે લતે ગામ પાર થઈ ચાલી નીકળ્યો, પછી વન આવ્યું, ત્યાં પાણી મળે નહીં. તેને તરસ ખૂબ લાગેલી, પ્રાણ નીકળી જાય એવું થયું પણ શું કરે? આગળ જતાં એક ગંધાતી તળાવડી આવી. થોડું પાણી તેમાં સુકાતાં સુકાતાં રહ્યું હતું. તે પાણી પણ ગાળીને આંખ મીંચી તેણે પીધું તે જીવતો રહ્યો અને ઘરભેગે થયે. તેમ જીવને આ જગતની મુસાફરીમાં પુરુષના ગે વ્રત આદિ રત્નની પ્રાપ્તિ થઈ હોય તે લૂંટાઈ ન જાય તેની કાળજી રાખવી, ખાવા-પીવાની સગવડ કે રસ તરફ લક્ષ નહીં રાખતાં જીવતા રહેવાય અને ભક્તિ થાય તેમ કર્તવ્ય છે. શરૂઆતમાં તે અઘરું લાગે છે. પણ પરમગુરુને આશરે આંખ મીંચી કઠણ લાગે તે પણ સંયમમાં વૃત્તિ રાખીને જીવ જે આટલે ભવ ધર્મ આરાધી લેશે તે તેનાં ફળ અમૃત જેવાં આગળ જણાશે અને મોક્ષમાર્ગ સુખે સુખે વહી અનંત સુખને સ્વામી જીવ બનશે. માટે ગભરાયા વિના વૈરાગ્ય-ઉપશમ નિરંતર હદયમાં જાગ્રત રહે તેમ વર્તવા ગ્ય છે. ભાવનાબેધ, સમાધિ પાન, મોક્ષમાળા, પ્રવેશિકા વગેરે વૈરાગ્યપષક ગ્રંથે વારંવાર વાંચી તેમાંથી અભ્યાસ કરવા યોગ્ય, ભાવના ભાવવા ગ્ય વચને જીભને ટેરવે રહ્યા કરે એમ પુરુષાર્થ કરતા રહેવાની જરૂર છેજ. પરમકૃપાળુ દેવની કૃપાથી પુરુષાર્થ જયવંત થશેજ. નાહિંમત નહીં થતાં હિંમત રાખી શૂરવીરપણું દાખવી મોક્ષમાર્ગ સાધવા નમ્ર ભલામણ છે. એ જ ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૮૮૫ અગાસ, તા. ૨૧-૨-૫૧ આપનું કાર્ડ મળ્યું. સાચી ભક્તિ જેની હોય છે તેને પરમાત્મા મુશ્કેલી મોકલે છે એમ પરમકૃપાળુદેવ કહે છે તે વિચારી ભક્તિમાં દઢ રહેશે તે મુશ્કેલીના પ્રસંગ તે જતા રહેશે અને નવાં કર્મ નહીં બંધાય. બીજાનાં કર્મને ઉદયે આપણને દુઃખી થવાનું હોય નહીં. પૂર્વે બાંધ્યાં છે તે જવા માટે આવેલાં કર્મ આકરાં લાગે તેપણ કડવી દવાની પેઠે ગુણકારી છે, આપણને ક્ષમાગુણનું શિક્ષણ આપતાં જાય છે એમ વિચારી સર્વને ઉપકાર માની સમતા ભાવમાં આત્માને લાવતાં શીખવું. શરૂઆતમાં તેમ ન બને પણ ભાવના તે એ જ રાખવી કે સર્વનું કલ્યાણ થાઓ. ૫. પૂ. પ્રભુશ્રીજી કહેતા કે “ભૂંડું કરે તેનું પણ ભલું ઇરછે તે પ્રભુભક્ત છે. તેવા સાચા નરસિહ ભક્ત બને એવી ભલામણ છે. સહન કરનારનું અકલ્યાણ કદી પણ થનાર નથી તે શા માટે ગભરાવું ? બધા આપણને અનુકૂળ જ વર્તે એવો આગ્રહ રાખવો નથી. જેમ જેને સુખ ઊપજે તેમ પ્રવર્તી અને આ આત્માને સર્વ સંબંધથી છોડાવે છે. તેમાં જે પ્રસંગ બને તે ઉપકારી છે એમ માનવું છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૨૪-૨-૫૧ દેહરે – જ્ઞાનબીજ ગુરુમંત્રનું, સ્મરણ રહે એક્તાર; આજ્ઞાને આરાધતાં, પામું ભવને પાર. Page #752 -------------------------------------------------------------------------- ________________ ૮૮૭ પત્રસુધા ७२७ અત્યારે જે સંયોગમાં મુકાયા છે તેને અનુકૂળ અવકાશને સદુપયોગ કરી લેવાનો છે. સત્સંગને વેગ મળે તેટલે સત્સંગનો લાભ લે, સદ્ભુતની મદદ મળે તેટલી મદદ લઈ લેવી અને પિતાનાથી થાય તેટલું મનન-નિદિધ્યાસન કરી ઉપશમ (વીતરાગ) ભાવની સેવા કરી લેવી. ન બને તેની ભાવના રાખવી પણ જેટલું બની શકે તેટલું ટૂંકા આયુષ્યમાં કરી લેવું. આવો વેગ ફરી ફરી પ્રાપ્ત થ દુર્લભ છે તેથી સમયમાત્રને પણ પ્રમાદ નહીં કરતાં સ્વરછેદ ટાળી અપ્રમત્તદશાએ પહોંચવું છે એ લક્ષ સદા ઉપયોગમાં રહે તેમ વર્તવું ઘટે છેજ. આપ સમજુ છે, શક્ય કરવા તત્પર છે એટલે વિશેષ લખવાની જરૂર નથી. વૈરાગ્ય અને અભ્યાસ એ સંસારવૃક્ષને છેદવાના કુહાડા સમાન છે. તેમાં પાંચ ઇન્દ્રિયના વિષય વિજ્ઞકર્તા છે તેના પર જય મેળવ્યાથી ઘણી માનસિક પ્રવૃત્તિ મંદ પડશે અને નિવૃત્તિને આંનંદ આપોઆપ અનુભવાશે. જે કંઈ પુસ્તક વંચાય તેને સારરૂપ અથવા તેમાંથી આપણને ઉપયોગી ખાસ લાભકારક જણાય તેવા ભાગની નેધ રાખવા ભલામણ છે. કારણ કે પુસ્તક વંચાઈ રહ્યા પછી ભુલાવાને કામ શરૂ થાય છે. પણ તેવી નેંધ હોય અને ફરી વંચાય તે તે ગ્રંથને ઉપદેશ ફરી તાજો થાય અને આપણને ઉપયોગી નીવડ્યા હોય તે પ્રસંગોની સ્મૃતિથી આપણી પ્રગતિનું કંઈ અંકન થઈ શકે. છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૮-૩-૫૧, ગુરુ સત્સંગે નિસંગતા, નિઃસંગી નિર્મોહ; નિર્મોહી નિશ્ચળ બને, જીવન્મુક્ત પ્રહ. વિ. આપનું એક કાર્ડ તથા પત્ર મળેલ છેજ. સદ્દગત...ના સમાધિમરણમાં જેમણે ભાગ લીધે છે તે સર્વને હિતનું કારણ થયું છે. એવા પ્રસંગે આ કાળમાં જોવા મળવા મુશ્કેલ છે જ, તે તેમની સેવાની તે શી વાત? તમે દશ નિર્વાણ વસ્તુ આ ભરતક્ષેત્રથી વિચ્છેદ ગઈ એ વિષે પ્રશ્ન પૂછ્યો છે તેને ઉત્તર નીચે લખ્યા મુજબ જાણશેજી: નિર્વાણ થવાના અચૂક કારણરૂપ અથવા નિર્વાણ સંબંધી જે બાબત તેને નિર્વાણ વસ્તુ કહે છે. તેવી દશ વસ્તુઓ પત્રાંક ૬૧ માં પરમકૃપાળુદેવે ગણવેલી છે: (૧) મોક્ષ (૨) કેવળજ્ઞાન (૩) મન:પર્યવજ્ઞાન (૪) અવધિજ્ઞાન (૫) પૂર્વજ્ઞાન (ચૌદપૂર્વ શાસ્ત્ર વિચ્છેદ ગયાં છે તે) (૬) યથાખ્યાતચારિત્ર (૭) સૂમસાંપરાયચારિત્ર (૮) પરિહારવિશુદ્ધિચારિત્ર (૯) ક્ષાયિકસમકિત અને (૧૦) પુલાલબ્ધિ. શાસ્ત્રોમાં જે પ્રચલિત વાત છે તે મોક્ષમાળામાં મુખ્યત્વે પરમકૃપાળુદેવે જણાવી છે. તે પણ આ કાળ ભયંકર જણાવવા તથા તેથી ચેતતા રહેવા જણાવી છે. બાકી ઉપદેશછાયામાં તે સ્પષ્ટ જણાવ્યું છે કે આ કાળમાં મેક્ષ ન થાય એવી વાત પણ સાંભળવી નહીં, પુરુષાર્થ કર્યા જેવો અને મોક્ષે જતાં કાળ હાથ પકડવા આવે ત્યારે અમે જોઈ લઈશું એટલા સુધી કહ્યું છે તથા વ્યાખ્યાનસારમાં પણ આવે છે કે “તમારે કોઈ પ્રકારે ડરવા જેવું નથી; કારણ કે તમારે માથે અમારા જેવા છે, તે હવે તમારા પુરુષાર્થને આધીન છે. જે તમે પુરુષાર્થ કરશે તે મેક્ષ થવો દૂર નથી. મેક્ષ પ્રાપ્ત કર્યો તે બધા મહાત્મા પ્રથમ આપણા Page #753 -------------------------------------------------------------------------- ________________ ૭૨૮ બેધામૃત જેવા મનુષ્ય હતા; અને કેવળજ્ઞાન પામ્યા પછી પણ (સિદ્ધ થયા પહેલાં) દેહ તે તે ને તે જ રહે છે, તે પછી હવે તે દેહમાંથી તે મહાત્માઓએ શું કાઢી નાખ્યું તે સમજીને કાઢી નાખવાનું કરવાનું છે. તેમાં ડર શાને ? વાદવિવાદ કે મતભેદ શાને ? માત્ર શાંતપણે તે જ ઉપાસવા ગ્ય છે.”(વ્યાખ્યાન સાર – ૨ ઃ ૧૦–૧૮) % શાંતિઃ શાંતિઃ શાંતિ ૮૮૮ પરમકૃપાળુ પરમાત્માને નમસ્કાર કેઈન તરફ દષ્ટિ નહીં કરતાં પિતાના દેષ જેવા અને ટાળવા એ આત્મકલ્યાણને ટૂંકે રસ્તે છે. જ્યાં ત્યાંથી છૂટવું છે. તેને માટે પરમકૃપાળુદેવનાં વચને વાંચવાં, વિચારવાં, મુખપાઠ કરવાં, સમજવાં અને તેમાં જણાવ્યા પ્રમાણે રાગ, દ્વેષ, મેહ, ઈર્ષા, ફિકર, ચિંતા, ઈચ્છા, વાસના તજી પરમકૃપાળુદેવને ક્ષણે ક્ષણે યાદ કરવા. તેની કૃપાથી આત્માનું કલ્યાણ થશે, એ વિશ્વાસ રાખે અને બીજી ઇચ્છાઓ ઊઠવા ન દેવી. ભક્તિ કરીને કશા ફળની ઈચ્છા ન કરવી. સ્વમ જેવા આ સંસારમાં રાજી પણ ન થવું અને ક્રોધ, દ્વેષ, અણગમે, ઉદ્વેગ પણ ન કરે. જે થાય તે જોયા કરવું. છૂટવા માટે જ જીવવું છે. જે આવે તે પ્રત્યે સમભાવ રહે તે પૂર્વનાં કર્મ દેખાવ દઈ ચાલ્યાં જાય, પણ જો ત્યાં ભાવ-અભાવ કરવા જાય તો નવાં કર્મ બંધાય છે. માટે આણે આમ કેમ ન કર્યું એમ ન વિચારવું. જેવાં જેનાં કર્મ છે તે પ્રમાણે તે વર્તે છે. બાવળ ઉપર કાંટા હોય; તે કેરી ક્યાંથી આપે? માટે શૂળ જોઈતી હોય તે બાવળ પાસે જવું અને કેરી જોઈતી હોય તે આંબા પાસે જવું. તેમ સપુરુષ પાસે શાંતિ, સમાધિ, સુખ, આનંદ, મુક્તિ મળે અને સંસારમાં દુઃખ, ક્લેશ, બળતરા, ખેદ, શેક, કંટાળે ભરેલું છે. જે ત્યાં મન રાખીશું તે તેનું ફળ મળશે. આ શિખામણને વિચાર કરી, પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર છપદને પત્ર, આત્મસિદ્ધિ, વીસ દોહરા, ક્ષમાપનાને પાઠ, અપૂર્વ અવસર લખી જે બોધ દીધું છે તેને પગલે પગલે વર્તવા વૈરાગ્ય, ઉપશમ વધારી ભક્તિ કરીશું તે મિક્ષ મળશે; અને મંત્ર વગેરે ભૂલી જ રોયા કરીશું, સંસારી જેમાં મન રાખીશું તે જન્મમરણ છૂટશે નહીં અને આ ભવમાં જે દુઃખે દેખાય છે તેથી વધારે દુઃખ પરભવમાં ભેગવવાં પડશે. માટે આ આત્માની દયા લાવી તેને હવે ફરી કેઈને પેટે અવતરવું ન પડે એટલા માટે સાચા સપુરુષ શ્રીમદ્ રાજચંદ્રનું અચૂક શરણું જ મરતા સુધી ગ્રહણ કરું છું; બીજા કોઈમાં મારે મન રાખવું નથી, એવી પ્રતિજ્ઞા પૂર્વક વર્તવું ઘટે છેજી. આટલું બળ કરીને કરશે તે આ ભવ સફળ થશે અને ભવિષ્યમાં સુખી થશે. પારકી આશ સદા નિરાશ, એ વિચારી કેડ બાંધીને પરમકૃપાળુદેવની ભક્તિમાં મંડી પડે, ગાંડા થઈ જાઓ. કંઈ ડહાપણ કરવું નથી. હું કાંઈ જાણું નહીં. જે તેનાં કર્મ હશે તેમ તે પ્રવર્તશે. ભૂલ્યા ત્યાંથી ફરી ગણે, એમ ગણી મોક્ષની સડક પરમકૃપાળુદેવની ભક્તિ ગણી તેમાં જ તલ્લીન રહેવા ભલામણ છે. ૩% ૮૮૯ અગાસ, તા. ૨૭–૩–૫૧ તીર્થ શિરોમણિ સત્સંગધામ શાંતિસ્થાન શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસથી લિ. સતપુરુષના ચરણકમળની નિરંતર સેવાને ઈચ્છક દીન અધમ બાળ ગોવર્ધનના જયસદ્ગુરુવંદન Page #754 -------------------------------------------------------------------------- ________________ પગસુધા ૭૨૯ સ્વીકારવા વિનંતી છે . આપનો પત્ર આવ્યો તે વાં. પરમાર્થ જિજ્ઞાસા દિવસે દિવસે અસત્સંગ મંદ થતી અટકે અને સત્સંગમાં ફરીથી વસવાની ભાવના બળવાન બને તે અર્થે મહિને બે મહિને મુંબઈની ધમાલથી છૂટી આવી જવાનું રાખો તે બની શકે તેમ છે. ભાડાં ખરચવાથી ખાવાનું ખૂટી પડશે એમ તે તમારે છે નહીં, તે બળ કરીને પણ, સત્સંગને છે. પાણી વિના સુકાઈ જાય છે એમ જાણી, તેની કાળજી રાખશે તેટલી આત્માની સંભાળ લીધી ગણાશે. આપણ બાળ જીવોને માટે તે સત્સંગ જ ઉત્તમ ઔષધિ છે. ગમે તેટલું વાંચીએ, વ્યાખ્યાન સાંભળીએ, તપ કરીએ; પણ સત્સંગના વાતાવરણમાં આત્મદાઝ વધે તેવું બીજે ક્યાંય બનવું મુશ્કેલ છે. હવે પાછળના દિવસો સુધારી સમાધિમરણની તૈયારી કરવી જોઈએ તેને બદલે પૂર્વ ધર્મ આરાધન કર્યું હોય તેને ઊધઈ લાગે અને ખવાઈ જાય તેવું આર્તધ્યાન આદિથી થતું જણાય તે લાગતું ઘર જેમ તજી દઈ બળતામાંથી બહાર નીકળી જઈએ છીએ તેમ બધી તકરારો ખંખેરી નાખી હવે તે બે હાથ જોડી બધાંથી છટી. માત્ર આજીવિકા જેટલું મળે તેથી સંતોષ માને તે જીવનું હિત થાય એમ સમજાય છે. હવે તે સંસાર ઝેર જેવો લાગે તેવા વૈરાગ્યની વૃદ્ધિ કેમ થાય એ જ લક્ષ હાલમાં રાખવા ગ્ય છે. - પૂ. ધર્માત્મા પુનશીભાઈની હયાતીમાં જે ધર્મને આધારે ક્લેશ શમાવેલે, તે હવે નાશવંત વસ્તુઓમાં આત્માને ક્લેશ વિના કંઈ પ્રાપ્ત થતું નથી એ અનુભવ પ્રત્યક્ષ થઈ ચૂકયો છે તે શિખામણથી આત્માને સમજાવી સમાધિમરણની તૈયારી કરવા શૂરવીર બનાવ ઘટે છેજ. જે વસ્તુ અહીં જ પડી રહેશે તે વસ્તુને અર્થે આત્મા શ્લેશિત રહ્યા કરે અને જે ધર્મથી શાંતિ એક વખત અનુભવી છે તેને ધકેલી-ધકેલીને દૂર કરનાર પૂર્વ પ્રારબ્ધ જ નથી પણ પિતાની નિર્બળતા પણ છે એમ સમજી શૂરવીર થવા વિનંતી છેજી. ગમે તેમ થાય તોપણ પરમકૃપાળુદેવનાં વચનામૃત વાંચવા-વિચારવાનો અને કષાયને અંત આણવાનો નિશ્ચય કર્તવ્ય છેજી. જેટલી આમાં ઢીલ થાય છે તેટલી આત્મહિતમાં હાનિ થાય છે. ૐ શાંતિઃ ૮૯૦. અગાસ, તા. ૧૨-૫–૫૧ તમે સમ્યદર્શન અને ભેદજ્ઞાનને એકરૂપે જણાવ્યું છે તે એક રીતે ઠીક છે, પરંતુ છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ, મૂળ૦ એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ, મૂળ.” એમાં સદ્ગુરુના ઉપદેશથી તેમણે જણાવ્યું છે તે ઉપયોગસ્વરૂપ અવિનાશી એ હું આત્મા છું એમ વારંવાર વૃત્તિમાં લાવી અભ્યાસ કરે તેનું નામ પણ ભેદજ્ઞાન કહ્યું છે અને તેનું ફળ સમ્યક્ત્વ પણ કહેલું છે. એટલે સમ્યફદર્શનને અર્થે જ્ઞાનીએ કરેલી આજ્ઞા આત્મામાં પરિણામ પામે તે અંતરંગ પુરુષાર્થ તે ભેદજ્ઞાનને અભ્યાસ કહેવાય છે. તેનું ફળ ખાસ જ્ઞાન અને સમ્યક્દર્શન અને સાથે પ્રગટે છે – જેમ બળદને બન્ને શીંગડાં સાથે ફૂટે તેમ. આપે દષ્ટિ ફેરવવાનો ઉપાય પૂછયો છે તે એ જ છે. અતિ તીવ્ર વૈરાગ્ય સહ તે આત્મભાવના કર્તવ્ય છે. કેઈક જીવ કરેડિયા કરી આગળ આવી જાય છે એમ પરમકૃપાળુદેવે કહ્યું છે. હવે ઢીલા પડવું નહીં, પણ વૃદ્ધમાંથી યુવાન થવું. શરીરબળની તેમાં જરૂર નથી, ગૂરણાની Page #755 -------------------------------------------------------------------------- ________________ મેધામૃત ૭૩૦ જરૂર છે. સ'સાર ઝેર જેવા લાગે તેવા વૈરાગ્ય અને સદ્ગુરુના આત્માની ચેષ્ટા પ્રત્યે વૃત્તિ નિર'તર વહે તે પુરુષાર્થ, ટૂંકામાં જગતનું વિસ્મરણ અને સત્પુરુષના ચરણમાં વ્રુત્તિની લીનતા ક બ્ય છેજી. અમ'ધદશા તે! તીવ્ર જ્ઞાનદશા પ્રાપ્ત થયે થાય છે; છતાં મેક્ષમાગ માં પ્રવન એ પ્રકારના જીવાનું કહ્યું છે, એક જ્ઞાનીનું અને બીજું તેના આશ્રિતનું. શ્રી સેાભાગ્યભાઈ એ છેલ્લે તાવની માંદગીમાં પણ પરમકૃપાળુદેવની આજ્ઞા આરાધવાને એટલેા બધા પુરુષાર્થ કર્યાં છે કે એ ફૂટ દેહ અને આત્માનું ભાન તેમને છેલ્લે પખવાડિયે થઈ ગયું. એટલે માંદગીમાં પણ પરમકૃપાળુદેવ પ્રત્યે પરમ પ્રેમ વધારી, દેહથી ભિન્ન પાતાનું સ્વરૂપ જ્ઞાનીએ દીઠું છે તેવું જ છે એ વૃત્તિ દૃઢ કરવાની છે. ઘેાડું લખ્યું ઘણું કરી માનજો. સત્સ`ગની ભાવના અને સત્પુરુષાર્થ ચાલુ રહે એવી ભલામણ છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૮૯૧ અગાસ, તા. ૨૨-૫-૫૧ વૈશાખ વદ ૧, મંગળ, ૨૦૦૭ તત્ સત્ વિ. આપના પત્ર મળ્યા. હવે પ્રમાદ તજી વીસરાઈ ગયેલું તાજું કરતાં હશે. તથા જે જે મુખપાઠ કર્યું છે તેના ઊંડા વિચાર થાય અને તે મહાપુરુષાના આશ્રયમાં આપણા ચિત્તની પ્રસન્નતા, રુચિ, ભાવના, નિદિધ્યાસન, વૃત્તિનું વહેવું રહે તેમ ક`ન્ય છેજી. હવે તેા વૃત્તિએ વિરામ પામે, ઇચ્છાએ ન ઊગે અને આનંદના અનુભવ થાય તેમ પરમકૃપાળુદેવને શરણે પુરુષાર્થ કર્તવ્ય છેજી. પ્રીતિ અનંતી પર થકી, જે તેાડે હા તે જોડે એહુ; પરમ પુરુષથી રાગતા, એકત્વતા હા દાખી ગુણગેહ. ઋષભ જિષ્ણુ દશું પ્રીતડી'' જગત અને જગતની ગણાતી અનુકૂળતાથી કટાળી યથાપ્રારબ્ધ નિઃસ્પૃહપણે અપરવશપણે પ્રવર્તાય તે જીવ ક ંઈ શાંતિ અનુભવે. મહાપુરુષોના ઉત્તમ વિચારાનું અવલ’બન, પૂ. પ્રભુશ્રીજીના બાધ, બધું આપણે માટે વાંચીએ છીએ, એમ લક્ષ રાખી કાઈ હાય તા મેટેથી વાંચવું, પણ જનરંજનમાં હવે આપણા કાળ ન જાય, સમાધિમરણની તૈયારી માટે જ રાત અને દિવસ જાય એ ભૂલવા ચેાગ્ય નથી. સમાધિશતકના વિશેષ વિશેષ વિચાર રહ્યા કરે તેમ કબ્ય છેજી. આ બધું પરમકૃપાળુદેવનું અંતર ઓળખવા અર્થે કરવાનું છે તે પણ ભૂલવા યેાગ્ય નથી. તે મહાપુરુષના આ ભવના અથાગ પુરુષાની સ્મૃતિ અખંડ રાખવા ચેાગ્ય છેજી. આવું શરણુ મળ્યું અને જો લાભ નહીં લઈએ તે આપણા જેવા અધમ કાણુ કહેવાય ? આવી જોગવાઈ ફરી ફરી મળવી દુલ ભ છે એમ વિચારી આત્માને સતત જાગ્રત રાખતા રહેવાના પુરુષાર્થ કર્તવ્ય છેજી. એક વાર ફરીથી ‘તત્ત્વજ્ઞાન' પણ વાંચી-વિચારી જવા ભલામણુ છેજી. આ સામાન્ય સૂચના લાગશે પણ હવે ઊંડા ઊતરી વિચારશે! તે તે તત્ત્વજ્ઞાન યથાર્થરૂપે પરિણમે તેવી ભાવના પ્રેરી રહેશેજી. “પરમ શાંતિપદને ઇચ્છીએ એ જ આપણા સર્વ સ`મત ધર્મ છે.''(૩૭) તાત્કાલિક ખાખતાનું મહત્ત્વ ન લાગે અને અનંત મહાપુરુષોએ જેને ઉત્તમ માન્યું છે એવું ઉત્તમ પદ આ કલ્પિત વસ્તુઓ આડે ગૌણ ન થઈ જાય તે લક્ષ રાખવા ભલામણ કરી વિરમું છુંજી. ૐ શાંતિ: શાંતિ: શાંતિ: Page #756 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૭ના અગાસ, તા. ૩૦-૫–૫૧ તત છે સત્ વૈશાખ વદ ૧૦, બુધ, ૨૦૦૭ “કર્મ મેહનીય ભેદ બે, દન ચારિત્ર નામ; હિણે બોધ વીતરાગતા, અચૂક ઉપાય આમ.” –શ્રીમદ્ રાજચંદ્ર તમે પત્રાંક ૪૭ માંથી સાત પ્રકૃતિ વિષે જાણવા ઈળ્યું તેને ઉત્તર નીચે લખ્યા પ્રમાણે વાંચશેજી દર્શનમોહનીયકર્મ જીવને, જ્ઞાનીએ કેમ કહ્યું છે તેમ, સમજવા દેતું નથી, વિપરીતતા કરાવે છે અને ચારિત્રમેહનીયકર્મ જ્ઞાનીએ જણાવ્યા પ્રમાણે વર્તવા દેતું નથી. દર્શનમેહનીયના ત્રણ ભેદ છેઃ ' (૧) મિથ્યાત્વ મેહનીય એટલે “શરીર તે જ હું એવી અનાદિ ભૂલ ચાલી આવી છે તથા શરીરના દુઃખે દુખી અને શરીરના સુખે સુખી એવી માન્યતા સતદેવ, સદ્ગુરુ, સદ્ધર્મમાં રુચિ ન થવા દે; દેહને લઈને રૂપ, કુળ આદિરૂપ પિતાનું સ્વરૂપ મનાય, પણ જ્ઞાનીએ કહ્યો છે એ અરૂપી આત્મા દેહથી ભિન્ન અને અવિનાશી છે એમ ન મનાય. (૨) મિશ્રમેહનીય – જ્ઞાનીએ કહ્યું છે તે પણ ઠીક છે અને આપણે આજ સુધી કરતા આવીએ છીએ તે પણ ઠીક છે. સદ્ગુરુ સારા છે અને આપણું કુળગુરુ અજ્ઞાની હોય તે પણ તે સાધુ છે, આચાર્ય છે, સારા પૂજવા લાયક છે એવી માન્યતા. તે મિથ્યાત્વમોહનીય કરતાં ઓછા ઝેરવાળી પણ સમકિત ન થવા દે તેવી છે. બીજી રીતે પણ તેનું વર્ણન ઉપદેશછાયા(પૃષ્ઠ ૭૦૯)માં છે – “ઉન્માર્ગથી મોક્ષ થાય નહીં, માટે માર્ગ બીજે હવે જોઈએ એવો જે ભાવ તે મિશ્રમેહનીય.” (૩) સમ્યકૂવમેહનીય – “આત્મા આ હશે?” તેવું જ્ઞાન થાય તે “સમ્યકત્વમેહનીય, આત્મા આ છે એવો નિશ્ચયભાવ તે “સમ્યકત્વ.” સપુરુષ મળે, જીવને તે બતાવે કે તું જે વિચાર કર્યા વિના કર્યું જાય છે તે કલ્યાણ નથી, છતાં તે કરવા માટે દુરાગ્રહ રાખે” તે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લેભરૂ૫ કષાય છે આમ ઉપદેશછાયામાં પૃષ્ઠ ૭૦૯ ઉપર છે તે વાંચી સમજી લેવા ભલામણ છે. જેવી પૈસાની, કુટુંબની, દેહની અને પોતે ધારેલી બાબતે સફળ કરવા આવે કાળજી રાખી છે અને રાખે છે, તેવી કાળજી આત્માની, આત્મહિતનાં સાધન માટેની રાખી નથી. તે ભૂલ હવે વારંવાર ન થાય તે અર્થે, “શું કરવા આવે છે? અને શું કરું છું?” તેને વારંવાર વિચાર કર્તવ્ય છે. પ્રમાદ જેવો કેઈ શત્રુ નથી. પ્રમાદ ઓછો કરવાનો નિશ્ચય કરી તેની વારંવાર સ્મૃતિ રાખવાથી પરમાર્થના વિચારને અવકાશ મળે છે, અને પરમાર્થને વિચાર થાય તે પરમાર્થમાર્ગમાં પ્રવેશ થાય છે. આ લક્ષ રાખવા ભલામણ છેજ. મંદિરમાં કે ઘેર જે વાંચવાનું અને તેમાં, બીજાને વાંચી સંભળાવું છું એ ભાવ ગૌણ રહે અને મારે માટે જ આ કામ કરું છું એની મુખ્યતા થાય તેમ પ્રવર્તાવા કાળજી રાખવા ભલામણ છેજી. સદાચારથી અને સર્વના હિતની ભાવનાથી વર્તતાં અપૂર્વ આનંદ આવશે. સત્સંગની ભાવના નિરંતર કર્તવ્ય છેજી. * શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #757 -------------------------------------------------------------------------- ________________ ७३२ બેધામૃત ૮૯૩ અગાસ, વૈશાખ વદિ ૦)), સેમ, ૨૦૦૭ જાગ્યા ત્યારથી કે સમજ્યા ત્યાંથી સવાર ગણીને હવેનું જીવન પવિત્ર ભાવથી ગાળવાનો નિશ્ચય જીવ કરે છે તેમ કરી શકે છેજ. જે રસ્તે લૂંટાયા તે રસ્તે હવે નથી જવું એમ નિશ્ચય કરી સત્સમાગમ શોધી પરમકૃપાળુદેવનું શરણ સમજીને તે સ્વીકારવાથી જીવનું કલ્યાણ થવું ઘટે છેજ. માત્ર શિખામણ અર્થે પત્ર લખ્યું હોય તે નીચેની શિખામણ લક્ષમાં રાખશેજી – બાળવા ગ્ય ક્રોધ છે; ટાળવા યોગ્ય માયા-કપટ છે; વાવવા યોગ્ય વિનય છે; સાધવા ગ્ય સંતોષ છે, સમજવા યોગ્ય પુરુષનું શરણ છે. આ વાત સત્સમાગમ સમજી હદયમાં લખી રાખવાની છે. ૮૯૪ અગાસ, તા. ૨૦-૬-૫૧ તતું કે સત્ જેઠ વદ ૧, બુધ, ૨૦૦૭ વિ. આપનું કાર્ડ મળ્યું, વાંચી વિગત જાણી છેછે. સંસારમાં આવાં દુખ આવે તેમાં નવાઈ નથી. દરિયામાં પાણી ખારું ખારું જ હોય છે તેમ સંસારમાં દુઃખ, દુઃખ અને દુઃખ જ છે. સુખ લેવા જીવ જાય છે પણ દુઃખ ખમીને ધરાઈ જાય છે, છતાં સંસારની મીઠાશ છૂટતી નથી એ એક આશ્ચર્ય છે! આવું સંસારનું સ્વરૂપ મહાપુરુષે જાણ્યું તેથી તેને મોહ છોડી સંસારના મૂળરૂપ દેહાધ્યાસ કે મિથ્યાત્વ તેને તેમણે ક્ષય કર્યો અને આત્માને અર્થે જ મનુષ્યભવ ગાળીને મોક્ષે ગયા. આપણે એમને પગલે પગલે ચાલી દેહને બદલે આત્માની સંભાળ રાખતાં શીખીશું તે અનંત સુખને માર્ગે ચઢીશું. માટે “ખેદ નહીં કરતાં શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં મોક્ષપાટણ સુલભ જ છે,”(૧૯) એમ પરમકૃપાળુદેવે કહ્યું છે તે લક્ષમાં રાખી વૈરાગ્ય, ઉપશમ, ભક્તિ અને ત્યાગનો લક્ષ રાખી વર્તમાન સંજોગોમાં વર્તવું પડે તેમ ઉદાસીનભાવે વર્તવા ભલામણ છે અને ભવિષ્યમાં સંસારથી છુટાય તેમ વર્તી આત્મહિતને મુખ્ય રાખી જીવન ગાળવા ભલામણ છેજ. શેકના પ્રસંગમાં ખેદ સામાન્ય માણસને થયા વિના ન રહે પણ તે ખેદને વૈરાગ્યમાં પલટાવી નાખવો અને પિતાનો વિચાર કરે કે આટલું વિશેષ જીવવાનું ભાગ્ય મને પ્રાપ્ત થયું છે તે મરણ આવતા પહેલાં વિશેષ ભક્તિભાવ વધારીશ તે આવા મરણને બદલે સમાધિમરણ સાધવાને લાગ હજી મારે માટે છે. દરરોજ ભક્તિ કરવાને નિત્યનિયમન ચુકાય એ લક્ષ રાખી, બને તે તત્ત્વજ્ઞાનના પાછલા ભાગમાં કાવ્યો છે તે વાંચી, વિચારી મુખપાઠ કરવાનું રાખશે. નવરાશના વખતમાં સ્મરણ મંત્રમાં ચિત્ત રાખવાની ટેવ પાડવા ભલામણ છે. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૮૯૫ અગાસ, તા. ૨૨-૬-૫૧ પૂ.એ આપની આફતની વાત કરી. સંસારમાં આવા પ્રસંગો આવવા એ નવાઈની વાત નથી. અનાદિકાળથી જીવ ઠગાતે આવ્યા છે. પાંચ ઇન્દ્રિયના વિષયે, કષાય, પ્રમાદ, મિથ્યાત્વ આદિ ચેર ઠગારા આપણા જ હૃદયમાં વાસ કરી આ આત્માનું બૂરું કરવામાં કંઈ કચાશ રાખતા નથી. તે બધાને ઓળખી તેમને હાંકી કાઢી આત્માને શાંતિ થાય તે પુરુ Page #758 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૭૩૩ પાર્થ હાથ ધર યોગ્ય છે. જેને સદૂગુરુનું શરણ, સ્મરણ, ભક્તિની પ્રાપ્તિ થઈ છે તેણે તે સંસારનું સ્વરૂપ વારંવાર વિચારી આવા દુઃખરૂપ સંસારમાં ફરી જન્મવું જ ન પડે તે માર્ગ આરાધવા કેડ બાંધવી. ઘટે છે. મારું ગયેલું પાછું મેળવવા માટે બહુ શ્રમ લે પડશે એવો વિચાર મંદ કરી, જે મારું હોય તે જાય જ નહીં અને ગયું તે મારું હોય જ નહીં એમ દઢ વિચાર મનમાં ઠસાવ ઘટે છે. નાશવંત વસ્તુને મેહ જીવને નિત્ય, પરમાનંદરૂપ એવા આત્માનો વિચાર કરવા દેતું નથી. તેથી મેહ મંદ થાય તેવું “શ્રીમદ્ રાજચંદ્રનું પુસ્તક વાંચવા, વિચારવા તથા તેમાંથી મુખપાઠ કરવાનું રાખશો તો હિતનું કારણ છે. જે વખતે મંદ કર્મને ઉદય હોય ત્યારે સત્પરુષનાં વચનમાં વિશેષ વૃત્તિ રાખી વૈરાગ્ય વધારવાથી જીવને ઘણું લાભ થાય છે. લેભ કષાયને મંદ પાડવાનો નિશ્ચય કરવાથી અને તે પ્રકારમાં યથાશક્તિ વર્તવાથી જીવ મોક્ષમાર્ગમાં ઉત્સાહી થાય છેજ. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૮૯૬ અગાસ, અષાડ સુદ ૧૪, મંગળ, ૨૦૦૭ વિ. આપનો ક્ષમાપનાપત્ર મળે છે. સમાચાર જાણ્યા છે. ગત ભાવે વિસ્મરણ કરી નિઃશલ્ય થાઉં છું. પરિણામધારા તરફ વૃત્તિ રહે અને દોષ દેખી દો ટાળી નિર્દોષ થવાનો પુરુષાર્થ થયા કરે એ જ ભલામણ છે. કેવળ અંતર્મુખવૃત્તિ સતત રહે એ નિગ્રંથનો મુખ્ય માર્ગ છે. બીજી પ્રવૃત્તિમાંથી બનતી નિવૃત્તિ શોધી આત્મકલ્યાણ વર્ધમાન થાય તેમ સ્મરણમાં પ્રવૃત્તિ સમાધિમરણ અર્થે કરવાનું ન ચુકાય તેમ કર્તવ્ય છેજી. ક્ષણિકતા શરીર, સંસાર અને ભેગની વારંવાર લક્ષમાં રહે, તેની જ વાત કથા વિશેષ થયા કરે અને એમને આ જ ગમે છે એમ બીજાને સમજાતું જાય તેમ વર્તવાથી બહારની ડખલ ઓછી થશે. પણ ક્યારે કે આપણને જ મરણ વારંવાર સાંભરશે ત્યારે. મરણ નજીક હોય તે આ બધી પ્રવૃત્તિ જેમ આપણે ખસેડી મૂકીએ તેમ સમાધિમરણની તૈયારી કરવી હોય તે તે બધું બને તેટલું ઓછું કરવું જ પડશે. નછૂટકે કરવું પડે તેટલું સમિતિપૂર્વક પ્રવર્તાય તેમ કર્તવ્ય છેજ. શાંતિઃ ૮૯૭ અગાસ, તા. ૧૭-૭ - ૫૧ તત ૐ સત અષાડ સુદ ૧૪, મંગળ, ૨૦૦૭ પૂ... લખે છે કે કઈ કઈ દિવસ નિત્યનિયમ થતું નથી, તે હવેથી કાળજી રાખી દિવસે કે રાતે એક વખત તે જ નિત્યનિયમ કરે. મનમાં એકલા એકાંતમાં બેસીને બેલી શકાય. માળા હાથનાં આંગળાં વડે ગણી શકાય. હરતાં ફરતાં મંત્રમાં ચિત્ત રાખવાની ટેવ પડશે તે ચિત્તમાં બીજા વિચારો નહીં આવે અને મૂંઝવણ નહીં થાય. આત્મસિદ્ધિ શીખવાની ભાવના હોય તે પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ નમસ્કાર કરીને આજ્ઞા લેવી કે હે ભગવાન ! મારે આત્મસિદ્ધિશાસ્ત્ર મારા આત્માના કલ્યાણને અર્થે શીખવું છે, એવી પ્રાર્થના કરી ગોખવાની શરૂઆત કરવી. રોજ નિયમિત બે-પાંચ ગાથા કરવાનો નિયમ રાખ્યો હોય તે થોડા દિવસમાં મુખપાઠ થઈ જશે. પછી છપદને પત્ર મુખપાઠ કરી લેવા જેવો છે. જેટલું મુખપાઠ થાય તેટલાને દિવસે કે રાત્રે વિચાર કરો અને સમજવું. “નિત્યનિયમાદિ પાઠ”ની ચૂંપડીમાં આત્મસિદ્ધિના અર્થ છે; તે મુખપાઠ થયેલી ગાથાઓ સમજવાના કામમાં Page #759 -------------------------------------------------------------------------- ________________ ૮૮૮ ૭૩૪ બેધામૃત આવશે અને નિત્યનિયમના પાઠ બેલીએ છીએ તે તથા છપદના પત્રના પણ તેમાં અર્થ છે તે વાંચવાથી સારી રીતે સમજાશે અને સમજપૂર્વક ગોખાશે તે આનંદ આવશે, બોજારૂપ નહીં લાગે. વખત મળે ત્યારે સમાધિ પાન વાંચવાનું રાખવાથી વૈરાગ્ય વધશે, ધર્મ ગમશે અને આચરણ સુધરશે તથા સમાધિમરણ કરવાની ભાવના જાગશે. ભક્તિમાં કાળ જાય તેટલું જ ખરું જીવવાનું મળ્યું એમ જાણી આનંદમાં રહેવું. બીજું બધું ભૂલી જવાનું છે. અગાસ, તા. ૨૧-૭-૫૧ તત્ સત્ અષાડ વદ ૩, શનિ, ૨૦૦૭ પરમપુરુષ પરમકૃપાળુ સદ્ગુરુદેવને ક્ષણવાર પણ ન વિસરવા એ જ ખરે પુરુષાર્થ સમજાય છે. તેનું સ્વરૂપ સમજાય તેમ બનવા યેગ્ય છે. પરમ પુરુષની ઓળખાણ થયે તેના વિના એક ક્ષણ પણ જીવવું એ મરણ કરતાં પણ વિશેષ અસહ્ય લાગે એવી દશા આ જીવને માયા મૂંઝવતી નથી, એમ પરમકૃપાળુદેવે જણાવ્યું છે તે વિશેષ વિચારવા યોગ્ય છેજ. બધા મળી ભક્તિ કરતા હશો તથા કંઈ કંઈ સદ્વાચન-વિચારનો ક્રમ રાખ્યું હશે. બીજા કોઈ ન હોય તે આપણે પોતે પોતાને જ સંભળાવવાની જરૂર છે. વાંચી શકાય ત્યાં સુધી વાંચવું, વાંચેલું વારંવાર વિચારવું અને તે પરમપુરુષની નિષ્કારણ કરુણાને નિરંતર લક્ષમાં રાખી યેગ્યતા વધાર્યા જવું એ જ કર્તવ્ય છે. ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ અમાસ ૮૯૯ "दमयंती, सीता सती, द्रौपदी भई दुःखपात्र; तिनके दुःखको तोल कर, तव दुःख है कुन मात्र? सुखके दिन वही जात है, दुःखके दिन वही जात; गये दिवस सो स्वप्न सम भासत है इहि भात." જેણે સાચા ભાવથી સદ્ગુરુનાં દર્શન કર્યા છે તેને તે જન્મ મરણરૂપ સંસાર ત્રાસરૂપ લાગ્યા વિના રહે નહીં અને દેહ વેદનાની મૂર્તિ સમજાવા યોગ્ય છે. દેહરૂપી કેદખાનામાં કે પાંજરામાં જીવરૂપી પક્ષીને પૂરવાથી તે નિરંતર દુઃખ વેદે છે, પણ મેહને લઈને જીવ દેહરૂપ જ પિતાને માને છે. દેહના દુઃખે દુઃખી અને દેહના સુખે સુખી માનવાની આ જીવને ભૂંડી ટેવ પડી છે તે જ્ઞાની પુરુષના ઘણા સમાગમે ટળે છે. જ્ઞાની પુરુષે તે “દુ:ë માં ” દેહદુઃખને કલ્યાણકારી સમજે છે. નીરોગી શરીર હોય તે ઉપવાસાદિ કાયક્લેશનાં સાધનોથી દેહદુઃખ પ્રગટાવી દેહના સામા પડે છે, અને દેહનો સ્વભાવ દુઃખ આપવાને છે એ વાતની વિસ્મૃતિ ન થાય તેમ વર્તે છે. જ્ઞાનીઓ દુઃખને બોલાવીને તેને ભેગવી લઈ મુક્ત થવા મથે છે; તે આપણને સહજે દુઃખ આવી પડ્યું છે તેમાં સમભાવ રાખી, જ્ઞાનીના શરણમાં બુદ્ધિ રાખી જે ધીરજથી આટલું દુઃખ સહન કરી લઈએ તે ઘણા આકરા તપને લાભ આપણને મળે તેવો અવસર આવ્યો છે. ખેદ, શેક કે ફ્લેશ મનમાં લાવીને વેદીશું તે ફરી અશાતા વેદની આવી કે આથી આકરી બાંધી દુઃખને આમંત્રણ આપવા જેવું થશે. આત્મસિદ્ધિ તમને આવડે છે તેમાંથી ૧૧૫, ૧૧૬, ૧૧૭, ૧૧૮, ૧૧૯, ૧૨૦, ૧૨૧, ૧૨૨, ૧૨૩, ૧૨૪, ૧૨૫, ૧૨૬, ૧૨૭, ૧ અને ૧૪૨ ગાથાઓનું વારંવાર રટણ કરતાં રહેશે તે Page #760 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૭૩૫ દુઃખ વેદવામાં ઘણું બળ મળશે, ચિત્ત પુરુષનાં વચનોમાં ગૂંથાયેલું રહેશે અને તેમાં આનંદ આવશે તે પરમ દુર્લભ એવી સતશ્રદ્ધારૂપ આત્મગુણ પ્રગટવાનું નિમિત્ત થશે. માટે મનને ન ગમે તે પણ પરાણે પણ જે બળ કરીને ચિત્તને તે વચનેમાં રોકવામાં, વિચારવામાં, બલવામાં, સાંભળવામાં, ઈચ્છવામાં, ભાવના કરવામાં કાળજી રાખશે તે તે અભ્યાસ પડી જશે અને તે જ સુખરૂપ લાગશે. મહામંત્રરૂપ તે ગાથાઓ છે, શ્રી આત્મસિદ્ધિના સારરૂપ છે, સમાધિમરણ પ્રાપ્ત કરાવે તેવું તેમાં બળ છે, એવું સપુરુષ પાસેથી સાંભળ્યું છે, શ્રધ્યું છે તે જ તમને માત્ર તમારા આત્મહિતને અર્થે જ જણાવું છું. તે હીરાના હાર કરતાં પણ અમૂલ્ય ગણી તેટલી ગાથાઓ કઠે કરી ફેરવતાં રહેવા ભલામણ વારંવાર કરું છું, અગાસ, તા. ૫-૮-૫૧ તત્ સત્ શ્રાવણ સુદ ૩, રવિ, ૨૦૦૭ સત્સંગની અનુકૂળતા એ મુખ્ય કારણ જાણી ત્યાં રહ્યા હો તે સારું છે. આજીવિકા પૂણિયા શ્રાવકની પેઠે પ્રારબ્ધાનુસાર બની રહેશે, પણ જે ભક્તિભાવની વૃદ્ધિ કરશે તે કમાણી પરભવમાં સાથે આવશે, સમાધિમરણનું કારણ થશે. ચિત્તને સમજાવીને ભટકતું અટકાવશોજી. મનથી ભાવના સારી કરવી, મનમાં હોય તેવું જ વચનમાં આવે તેવી સરળતા રાખવી તથા વચનમાં બોલાય તેવું વર્તન કરવાને યથાશક્તિ પુરુષાર્થ થાય એ સજજનતાનું લક્ષણ છે. તે લક્ષ રાખી વર્તવાનું કરશો તે પહેલાં તમને અસ્થિર ચિત્તવાળા જાણતા હતા તે પણ પિતાને અભિપ્રાય ફેરવી તે હવે મકકમ બને છે એમ માનશે. બીજાના અભિપ્રાય માટે જીવવાનું નથી. પણ બીજાને વિશ્વાસ ન બેસે તેવું આપણું વર્તન હોવું ન ઘટે. વાચન, વિચાર બધાની સાથે કરતા રહેશે અને વખત મળે તો તમારી પાસે નેટો, પુસ્તક હોય તેને પિતાને માટે પણ અભ્યાસ કર્તવ્ય છેજી. શાંતિ ચિત્તની વધે તેમ વિચારણા કર્તવ્ય છે. અધમાધમ અધિકે પતિત, સકળ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શુંય ?” “પૂર્વ પુણ્યના ઉદયથી, મળે સદ્દગુરુગ; વચનસુધા શ્રવણે જતાં, થયું હદય ગતશેગ. નિશ્ચય એથી આવિયે, ટળશે અહીં ઉતાપ; નિત્ય કર્યો સત્સંગ મેં, એક લક્ષથી આપ.” બધા મળી વિચારોની આપ-લે કરે તેમાં પરમપુરુષ શ્રીમદ્ રાજચંદ્રની અપૂર્વતા, આ કાળમાં તેમને મહદ્ ઉપકાર અને તેમના શરણથી જીવની જાગૃતિને સંભવ છે આ ભાવ વિશેષ વિચારાય તેમ ભલામણ છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૧૦-૮-૫૧ તત્ સત્ શ્રાવણ સુદ ૮, શુક્ર, ૨૦૦૭ “દુઃખ દેહગ દરે ટળ્યાં રે, સુખ સંપદશું ભેટ; ધીંગ ધણી માથે કિયા રે, કુણ ગંજે નર પેંટ– વિમલજિન, દીઠાં લેયણ આજ મારાં સંધ્યાં વાંછિત કાજ વિમલજિન” Page #761 -------------------------------------------------------------------------- ________________ ૭૩૬ બધામૃત સબળ શરણું જેને મળ્યું છે તેણે હિંમત રાખી પુરુષાર્થ કર્યો જવાનું જ કામ છે. લેક ગમે તેમ કહે કે ગમે તેવી મુશ્કેલીઓ મેક્ષમાર્ગમાં પ્રત્યક્ષ નડે તો પણ તેથી ડરી નહીં જતાં “શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં મોક્ષપાટણ સુલભ જ છે” (૮૧૯) એમ પરમકૃપાળુદેવે કહ્યું છે, તે વારંવાર સ્મૃતિમાં રાખી, મુશ્કેલીઓ નડે તેની સામે થઈ તેને નાશ કરવાનું છે. કોઈ વખતે કર્મને ઉદય તીવ્ર હોય ત્યારે આત્માનું વીર્ય ચાલતું નથી અને જાણે હવે મારાથી કંઈ નહીં બને એમ લાગે છે, પણ જેના વચનબળે જીવ નિર્વાણ માર્ગને પામે છે એવા ભડવીર શ્રીમદ્ સદ્ગુરુ રાજચંદ્રના વચનમાં વૃત્તિ રાખી તે કાળ સ્મરણભક્તિમાં વિશેષપણે ગાળ અને અધમ મનવૃત્તિને પશ્ચાત્તાપ કરી ક્ષમાપનાના પાઠને વારંવાર વિચારી “તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ !” એમાં વૃત્તિ લીન કરવી ઘટે છે. જગત જખ મારે છે. એઠવાડા જેવા વિષમાંથી મન ઉઠાડી લઈ પરમકૃપાળુદેવને શરણે મન રાખવું. અનંતકાળથી રખડાવનાર શત્રુને શરણે સુખ શોધવા કયે મૂર્ખ જાય? યાચક થવું તે ત્રણ લોકના નાથ શ્રી સદ્ગએ જે બોધ કર્યો છે તેના યાચક બનવું, પણ ઈન્દ્રિયોથી સુખ મળે છે અને તેથી મનની તૃપ્તિ થશે એમ સ્વપને પણ ન સમજવું. “સત્સંગ છે તે કામ બળવાને બળવાન ઉપાય છે” (૫૧૧) એમ પરમકૃપાળુદેવે કહ્યું છે. તેવી જોગવાઈ ત્યાં પણ બે-ચાર જણ મળીને કરવાથી જીવને શાંતિનું કારણ થશે. જ્ઞાનીપુરુષનાં વચન કાનમાં પડશે, ચર્ચાશે તે તેમાંથી ઘણું બળ જવને મળશે, પિતાના દોષ દેખાશે, તેને વગોવીને હાંકી કાઢવાનું સાહસ પણ થશે. માટે સાચા દિલથી સત્સંગ કરવાને દઢ નિશ્ચય કરી, ભક્તિ કરી, કંઈ કંઈ કૃપાળુદેવનાં વચન વાંચવા વિચારવાનું રાખવા ભલામણ છે. સત્સંગમાં જ્ઞાનીપુરુષનાં ગુણગ્રામ ગાવા છે એ જ લક્ષ રાખવો. આપણને હિતકારી વચને વર્ષો ઉપર જ્ઞાની ઉચ્ચારી ગયા છે, તેને ઉપકાર માન અને તેનાં વખાણ કરવાથી કોટિ કર્મ ખપે છે અને આશ્વાસન, શૂરવીરપણું અને હિંમત મળે છેજ. જી શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૯૦૨ અગાસ, તા. ૧૩-૮-૫૧ શ્રાવણ સુદ ૧૩, બુધ, ૨૦૦૭ “પરમ પુરુષ પ્રભુ સદ્દગુરુ, પરમ જ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ.”—શ્રીમદ્ રાજચંદ્ર વૈરાગીના જીવન વૃત્તાંતમાંથી વૈરાગ્યની વાત હોય તે ગ્રહણ કરવા યોગ્ય છે. બાકી ચમત્કાર દેખાડી લેગ સિદ્ધ કરે એ મહાત્માનું લક્ષણ નથી એમ પરમકૃપાળુદેવે પત્રક ૨૬૦ માં નથુરામ શર્મા વિષે લખ્યું છે. પરમકૃપાળુદેવ જેવા આ કાળમાં કેઈ નજરે આવતા નથી. તે સિવાય ક્યાંય મન રેકવા જેવું નથી એમ મને તે લાગે છેજી. બીજી વસ્તુઓમાં મન રાખીને જીવે પરિભ્રમણ અનંતકાળ સુધી કર્યું. હવે તે સતીની પેઠે એ એક જ ગ્રહણ કરવા યોગ્ય છેજી વૃત્તિને વ્યભિચાર એ જ કર્મબંધનું કારણ છે. આપ તે ગુણગ્રાહી છે એટલે ગમે તે વાંચે પણ તેમાં તણુએ તેવા નથી અને તેવાને તજીને પરમકૃપાળુદેવને પરણ્યા છે એટલે કંઈ Page #762 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૭૩૭ લખતા નથી. બાકી યાગ અને ચમત્કારમાં જગત ગાંડું બની જાય તેમ છે; પરંતુ તેથી આત્માનું કંઈ કલ્યાણ નથી. સમ્યક્દન સિવાય બધું ચિતરામણ જેવું, ઘડીમાં ભૂંસાઈ જાય તેવું છે. શાશ્વત મેાક્ષમાર્ગ દે તેવું સમ્યક્દન જ આ ભવમાં હિતકારી છે. તે સિવાય બધું પથ્થર પર પાણીના ચિત્ર જેવું ગણવું ઘટે છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૯૦૩ અગાસ, શ્રાવણ વઃ ૧, શિન, ૨૦૦૭ પાપકમના ઉદયને લીધે જીવને પ્રતિકૂળતાએ પ્રાપ્ત થાય છે, પરંતુ જો વેદનીયકના ઉદયમાં શરીરનું સ્વરૂપ વિચારે કે હું દેહથી ભિન્ન છું, દેહ નાશવંત છે, મળમૂત્રની ખાણુ છે. તેમાંથી સુખની આશા રાખવી વ્યર્થ છે. પ્રગટ દુઃખ દેનાર દેખાય છે છતાં જીવ દેહ પ્રત્યેની મમતા – સુખરૂપ માન્યતા છેડતા નથી. તે સમજણ પ્રાપ્ત થવા આ વેદના આવી છે. આટલાથી જો સમજીને દેહને અન્ય પરપદાર્થ માની આત્માને અર્થે દેહ ગાળવાનું શીખી લઉં તે આ વેદના ભાગવાય છે તે લેખે આવે. આત્મા છે, નિત્ય છે, કર્મ કરે છે તે તેને ભાગવવાં પડે છે, તેથી મુક્ત થઈ શકાય છે અને મેાક્ષના ઉપાય પણ છે, આ વાત જો દૃઢ થઈ જાય તે મળેલી નિવૃત્તિ અને વેઠેલી વેદના સાÖક બને. તે થવા અર્થે તમારી પાસે પુસ્તકો છે તે વાંચશેા, વિચારશેા તથા સત્સંગે મને અપૂર્વ લાભ થવા યેાગ્ય છે એમ વિચારશેાજી. ભક્તિના વીસ દોહરા, યમનિયમ અને ક્ષમાપનાનેા પાઠ રાજ નિત્યનિયમરૂપે કરવાનું રાખશે તેા સત્સ ંગે વિશેષ લાભ થવાના સંભવ છેજી. “હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ શ્રી પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવા હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનેા ક્ષય થાય.'' (૬૯૨) આ વાકય વારંવાર વિચારી તેવી આત્મભાવના અને તેટલી કરતા રહેવા અને સત્સ`ગની ઉપાસના કરવાના નિશ્ચય કરવા ભલામણુ છેજી. પરમપુરુષ પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રને શરણે વૃત્તિ રહે, તેના આધારે મનુષ્યભવની સફળતા સાધવી છે, એવી વૃત્તિમાં કાળ વ્યતીત કરશેાજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૨૦૪ અગાસ, તા. ૨૦-૮-૧૧ આપનું કાર્ડ આજે મળ્યું. પૂ ....બહેનની તબિયત લથડી ગઈ જાણી. એવે અવસરે હિંમત રાખી મંત્રનું સ્મરણ કરવાનું તથા પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રનું શરણુ ગ્રહી નિય રહેવાનું મહાપુરુષાએ કહ્યું છેજી. પરમકૃપાળુદેવ લખે છે કે “સર્વ પ્રકારે જ્ઞાનીના શરણમાં બુદ્ધિ રાખી નિર્ભયપણાને, નિ:ખેદપણાને ભજવાની શિક્ષા શ્રી તીર્થંકર જેવાએ કહી છે અને અમે પણ એ જ કહીએ છીએ. કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યગ્ય નથી.” (૪૬૦) એ શિખામણ લક્ષમાં રાખી ભક્તિભાવમાં ચિત્ત રાખવું. સ્મરણુ મરણુ પર્યંત કર્યાં કરવું ઘટે છેજી. તે જ સમાધિમરણનું કારણ છે. આ સ'સારમાં કયાંય વૃત્તિ રાખવા જેવું નથી, કારણ કે સર્વસના કર્મને આધારે આ જગતમાં સુખ દુઃખ ભોગવે છે. મેહને લઈને માનીએ છીએ કે આપણે છીએ ત્યાં સુધી આમને સુખ છે પછી દુઃખી થશે. કોઈ પણ વિકલ્પ મનમાં નહીં રાખતાં જ્ઞાનીએ જાણ્યા છે તેવા મારા આત્મા છે. મને અત્યારે ખબર નથી પણ જ્ઞાનીએ મારા આત્માના કલ્યાણ માટે મને મ`ત્ર વગેરે આજ્ઞા કરી છે તે જ મારે અંત સુધી 47 Page #763 -------------------------------------------------------------------------- ________________ ૭ બધામૃત આરાધવી છે. બીજું બધું જંજાળ છે. તેમાં મારી વૃત્તિ રહે, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્મા સુખનું ઘામ એવા પરમકૃપાળુદેવનું મને શરણું છે, તેથી મારે કંઈ ફિકર કરવા જેવું નથી. આત્માને ઉદ્ધાર થાય તેવું મને શરણું મળ્યું છે. એ જ. ૯૦૫ અગાસ, તા. ૨૦-૮-૫૧ સપુરુષાર્થ કર્તવ્ય છે. આત્માર્થને પિષે તે વખત આખા દિવસમાં અમુક રાખવા ભલામણ . જીવને નિવૃત્તિની જરૂર છે. હાલ વિશેષ નિવૃત્તિ ન મળે તે ભાવના તે જરૂર રાખવી અને અંતર્વિચારની વૃદ્ધિ થાય તેમ અલ્પ અંશે પણ કરવું ઘટે . સ્મરણની ટેવ મિનિટ બે મિનિટના અવકાશમાં પણ રાખવા ભલામણ છે. # શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૨૧-૮-૫૧, મંગળ આપની તબિયત નરમ રહે છે એમ જાણ્યું. માંદગીમાં આધ્યાન ન થાય તેવી મુમુક્ષ ખાસ કાળજી રાખે છેજ. ગમે તે ખબર પૂછે તે પણ દેહાધ્યાસ વધવાનું એ નિમિત્ત છે. તેથી જ્ઞાની પુરુષે જાણે છે, પ્રગટ કર્યો છે, ઉપદે છે તે મારો આત્મા શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, અવિનાશી, અછઘ, અભેદ્ય, જરામરણાદિ ધર્મથી રહિત, પરમસુખનું ધામ છે, એવી ભાવના નિરંતર કર્તવ્ય છે. દેહના ઉપચાર કરવા પડે તે પણ, તે દેહે કરીને જ્ઞાનીના માર્ગનું આરાધન થઈ શકે છે તેમાં લાભ છે એમ જાણી, વ્યાધિના ઉપચારે પ્રવર્તવું ઘટે છે. કોઈ પણ પ્રકારે દેહ મૂછ કરવા ગ્ય નથી. દેહ તે કમેં રચેલું કેદખાનું છે. માત્ર તે દ્વારા ભક્તિ આદિ મોક્ષના ઉપાય સાથી કર્મને ક્ષય કરવામાં વપરાય તે જ ઉત્તમ છે, નહીં તે દેહમાં બીજું કંઈ સારું નથી. દેહને નિમિત્ત જ જીવે દુઃખ ભેગવ્યાં છે, ભોગવે છે અને ભગવશે. તેથી તે આલેચનામાં બોલીએ છીએ કે “કાય ત્યજનમય હોય કાય સબકો દુઃખદાયી.” આમ સનકુમારની પેઠે દેહને દુઃખની ખાણ જાણું, તેથી આત્મકલ્યાણ સાધવાનો સંકલ્પ કરી યથાશક્તિ પુરુષાર્થ જ્ઞાનીની આજ્ઞાએ કરે ઘટે છેજી. એમ લાગે કે આ તે બધું જાણીએ છીએ પણ કંઈ બનતું નથી, પણ જ્ઞાની પુરુષે કહે છે કે જીવે હજી કંઈ જાણ્યું નથી. ' “જાયું તે તેનું ખરું, જે મેહે નવિ લેપાય; સુખદુઃખ આવ્યું જીવને, હર્ષશેક નહિ થાય.” આમ નથી જાણ્યું ત્યાં સુધી વારંવાર તે વાત સાંભળી વિચારવી અને આત્મગત થાય તેમ લક્ષ રાખવો. આવા વખતે જ્ઞાની પુરુષનું શરણ એ જ બળ આપનાર તથા ધીરજ દેનાર છે. શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૯૦૭ અગાસ, તા. ૨૩-૮-૫૧ “સુખદુઃખ મનમાં ન આણિયે, ઘટ સાથે રે ઘડિયાં, ટાળ્યાં તે કોઈને નવ ટળે, પૂર્વના બંધ પડિયા–સુખ આત્મજ્ઞાન વિના ક્યાંય, ચિત્ત ઘો ચિરકાળ ના, આત્માર્થે વાણું-કાયાથી, વર્તે તન્મયતા વિના. Page #764 -------------------------------------------------------------------------- ________________ પસુધા ૭૩૯ વિ. સદ્ગત ભાઈ..ના દેહોત્સર્ગના ખેદકારક સમાચાર ગઈ રાત્રે સાંભળ્યા. ગમે તેવા અજાણ્યાને પણ ખેદનું કારણ થાય તે પ્રસંગ બન્યા છતાં સદ્ગુરુશરણે જેની વૃત્તિ છે, તે જ અર્થે જેનું જીવન છે તેને તેવા પ્રસંગે વૈરાગ્યનું કારણ બને છે. જે કંઈ આ ભવમાં કરવા ધાર્યું છે, તે ત્વરાથી કરી લેવા આવા પ્રસંગે બળવાનપણે પ્રેરે છે. જીવ પુરુષાર્થ કરવામાં ઢીલ કરશે તે ધાર્યું ધૂળમાં મળી જશે, આખરે પસ્તાવું પડશે, માટે જ્યાં સુધી ઈન્દ્રિયે હાનિ પામી નથી, વ્યાધિ-પીડાથી જીવ ઘેરાયે નથી, મરણની ઘાંટી આવી પહોંચી નથી, ત્યાં સુધી હે જીવ! જ્ઞાનીને શરણે પુરુષાર્થ કરી મહા અંધકારથી મુક્ત થા, મુક્ત થા; એમ આવા પ્રસંગો આપણને ઉપદેશે છે. તે હૃદય નિર્મળ કરી અવધારી અપ્રમત્ત થવા ગ્ય છેજી. પરમકૃપાળુદેવે ખંભાતના સુંદરલાલના દેહત્યાગ વિષે લખેલે પત્ર (૬૮૯) વારંવાર વિચારી શકમુક્ત થવું ઘટે છે. તેમાં કહેલે માર્ગે વિચારણા કરી, ગઈ વાતને ભૂલી જઈ આપણા આત્મહિતના વિચારમાં ચિત્તને જોડવા ભલામણ છે. પરમકૃપાળુદેવ લખે છે કે “જે થાય તે ગ્ય જ માનવામાં આવે તે જ આ સંસારમાં રહેવું છે.” (૩૦૧) આપણને અત્યારે અઘરું લાગે, પણ સંસારમાં કઠણાઈ ગણાય છે, તે પરમાર્થમાર્ગમાં સરળાઈ છે. જેની સાચી ભક્તિ હોય છે તેને જ કઠણાઈ પરમાત્મા મેકલે છે એમ પત્રાંક ૨૨૩ માં પરમકૃપાળુદેવે પૂ. ભાગ્યભાઈને લખ્યું છે. જેને કઠણાઈ નથી આવી તેની ભક્તિ હજી તેવી સાચી થઈ નથી અથવા તે પરમાત્માની માયા ચાહીને ભૂલી ગઈ છે એમ ગણવા ગ્ય છે, એવા ભાવનું પરમકૃપાળુદેવે લખ્યું છે તે બહુ ગંભીરતાથી વિચારવાયેગ્ય છે. પરમકૃપાળુદેવ અસંગ બનીને આપણને અસંગતા તરફ બોલાવે છે અને આપણે રાજીખુશીથી તેમના ભણું જવું છે, એ ભાવના બળવાન કરીએ તે જગતની વાતમાં આપણું મન જશે પણ નહીં. લેકે ગમે તેમ વાત કરે તે પર લક્ષ દેવા ગ્ય નથી. જગતનો માર્ગ અને મુક્તિનો માર્ગ વિરુદ્ધ દિશામાં છે. જગતભાવોની હાનિ તે મુક્તિમાર્ગમાં લાભ માનવા યંગ્ય છેજ. જબુસ્વામીને ત્યાં ચેરી કરવા ચાર આવ્યા તેમને બધું લેવું હોય તે લઈ જવા દેવાની ભાવના જ બુસ્વામીને તે હતી, પરંતુ શાસનદેવીને ધર્મપ્રભાવના કરવાની ભાવના થવાથી તેણે ચોરોને સજજડ કરી દીધા હતા. તેમાં જેને મોક્ષે જવું છે તેનું મન કોઈ પણ વસ્તુમાં વળગી રહે છે તે મુક્ત થઈ શકે નહીં અને પ્રારબ્ધ જે નિર્મોહી બનવામાં મદદ કરે તેવું દેખાવ દે તે મુમુક્ષુ ખેદ કરવા કરતાં રાજી થાય છે કે જે બળ વાપરીને મેહમાં જતી વૃત્તિ રોકવી હતી તે હવે આપોઆપ રોકાઈ જાય તેમ બન્યું, તે તે પરમકૃપાળુદેવની કૃપા જ ગણવા ગ્ય છે. આ વાત શાંતપણે વિચારવાથી સમજાય તેવી છેજી. જેમ બને તેમ ત્યાંના વાતાવરણથી વહેલા છૂટી અહીં આવવાનું બનશે તે સૌને શાંતિનું કારણ બનશે. નહિ બનવાનું નહિ બને, બનવું વ્યર્થ ન થાય; કાં એ ઔષધ ન પીજીએ, જેથી ચિંતા જાય ?” સમાધિ પાનમાંથી દશલક્ષણ ધર્મ કે ધર્મધ્યાન પ્રકરણ વાંચવા-વિચારવા ભલામણ છે. બાર ભાવનાઓમાં ઘણો વૈરાગ્ય છે. ત્યાં કોઈ આવે તે તેને પણ સાંભળવાનું નિમિત્ત બને તેમ રાખવું એટલે બીજી વાતોમાં આપણું ચિત્ત જતું રેકાય અને આવનારને પણ બે અક્ષર Page #765 -------------------------------------------------------------------------- ________________ ૭૪૦ બેધામૃત વૈરાગ્યના કાનમાં પડે તે લાભ થાય. વિશેષ રૂબરૂમાં મળશે ત્યારે પરમકૃપાળુદેવની કૃપા હશે તેમ થઈ રહેશે. હાલ તે શાંતિમાં રહેવા ભલામણ છે. “ક્લેશે વાસિત મન સંસાર, ક્લેશરહિત મન તે ભવ પાર.”—શ્રી યશોવિજયજી આ બધાને ઉપાય સ્મરણમાં ચિત્તને રાખવું એ છે. તે અર્થે મુખ્ય તે સત્સંગની જરૂર છે. તેના અભાવમાં સન્શાસ્ત્રમાં ચિત્તને જોડેલું રાખવું એ છે. ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૯૦૮ અગાસ, તા. ૭-૯-૫૧ - તમે જણાવ્યા તે નિયમ હિતકારી છે.જી. મુખ્ય તે કષાયની મંદતા અને પરમકૃપાળુદેવ પ્રત્યે ભક્તિભાવ એ પાયો છે. યથાશક્તિ સત્સંગ, ભક્તિ આદિ કર્તવ્ય છેજ. ગમે તેટલાં પ્રતિકૂળ પ્રસંગોમાં પણ સહનશીલતા વધતી રહે અને ભક્તિભાવમાં ખામી ન આવે એ લક્ષ સાચવવા ગ્ય છે. ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૯૦૯ અગાસ, તા. ૯-૯-૫૧ પતિતપાવન, તરણતારણ, અધમ ઉદ્ધારણ, અનાથના નાથ, પરમશરણુસ્વરૂપ, શુદ્ધ ચેતન્યસ્વામી, પરમકૃપાળુ નાથ દેવાધિદેવ, સકળ જીવના આધાર, દીનાનાથદયાળ, કેવળ કરુણામૂર્તિ, સસ્વરૂપી શ્રીમદ્ રાજચંદ્ર અંતર્યામી દેવને અત્યંત ભક્તિથી સર્વાપણપણે નમસ્કાર હે ! “કાળદોષ કળિથી થયે, નહિ મર્યાદા ધર્મ; તાય નહીં વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ.” આપને ક્ષમાપનાને પત્ર વિગતવાર લખેલે વાં. ખેદ કર્તવ્ય નથી. જેવાં કર્મ પૂર્વે જેની સાથે જે જે પ્રકારે બાંધ્યાં છે, તે છેડવા માટે આ મનુષ્યભવ મળે છે. પરમકૃપાળુ દેવનું શરણું તથા તે પ્રત્યક્ષ પુરુષની આજ્ઞા કોઈ સંતકૃપાથી મળી છે તે આપણાં અહોભાગ્ય છે. તે જગ ન મળે હેત અને આવાં કર્મ કે તેથી આકરાં ઉદયમાં આવ્યાં હોત તે અણુ સમજણમાં જીવે કેટલાં બધાં નવાં કર્મ, વૈર વિરોધ વધારે તેવાં બાંધી દીધાં હોત, પણ આ તે જ્ઞાની પુરુષના ઉપકારને લીધે મન પાછું પડે છે અને આ નથી ગમતાં તેવાં કર્મ ફરી ન બંધાય તેવી ભાવના રહે છે તે પણ મહાપુરુષોની કૃપાદષ્ટિનું ફળ છે. નહીં તે લેકો આપઘાત કરી કેવા કેવા કર્મ ઉપાર્જન કરી અધોગતિમાં જાય છે, તે જોઈ ત્રાસ થાય તેવું છે. આપણે તે આપણું બાંધેલાં બને તેટલી સમતા રાખી ખમી ખૂંદતાં શીખવું છે. અત્યારે ધીરજથી કર્મ વેદવાની ટેવ પાડીશું તો તે મરણ વખતે ગમે તેવી મૂંઝવણમાં પણ કામ લાગશે. માટે નહીં ગભરાતાં, ધીરજ રાખીને હિંમત હાર્યા વિના સમજૂતીથી કામ લેતાં શીખવું. ઉતાવળ કર્યો કંઈ વળે તેવું નથી. આપણું ધાર્યું કંઈ બનતું નથી. પણ સમજણ સત્પરુષને આધારે સવળી રહે તે કર્મ ઓછાં બંધાય અને ઘણાં આકરાં કર્મ થોડી મુદતમાં પતી જાય તેવું છે. માટે કઠણ હૈયું કરી, જાણે કંઈ બન્યું જ નથી એમ સમજી, સ્મરણમાં ચિત્ત વારંવાર લાવવાની ટેવ પાડશે તે મનની શાંતિથી શરીર પણ બગડતું અટકશે, જરૂર જેટલી ઊંઘ પણ આવશે. હાયય કર્યો આપણે દુઃખી થઈએ, બીજાને દુઃખી કરીએ અને નવાં કર્મ બંધાય. માટે ધીરજ, સમતા, સહનશીલતા અને પરમકૃપાળુદેવ ઉપર આસ્થા રાખી જેમ બની આવે તેમ ભક્તિભાવ કરતાં રહેશે. થોડું લખ્યું ઘણું ગણી પત્ર બહુ વાર વાંચશોજી. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #766 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૯૧૦ અગાસ, તા. ૧૦-૯-૫૧ જીવના દોષ તે અન ત છે, પણ સત્સ`ગયેાગે પશ્ચાત્તાપથી સાચા મને જીવ છૂટવા ધારે તે છૂટી શકે છે. તમારું જીવન સુધારવાની ભાવના તમને જાગી છે તે જાણી. તેમાં કલ્યાણુ છે. ધર્માંના કામમાં ઢીલ કરવા ચેગ્ય નથી. દેહને, ભાગને અર્થે જીવે ઘણાં કર્મ બાંધ્યાં છે અને અનંતકાળથી રખડે છે, પરંતુ આટલેા ભવ આત્માર્થે ગાળવાને જેના દૃઢ નિશ્ચય થાય અને તે નિશ્ચયને આરાધે તે મહાભાગ્યશાળી ગણવા યાગ્ય છે. પતિતપાવન અધમેાદ્ધારણ ભગવાન કહેવાય છે તે સાચું છેજી. સ`સારથી કંટાળ્યા હાય તેવા અબુધ અને અશક્ત મનુષ્યા સત્પુરુષને આશ્રયે અનંત કાળનાં કર્મ ખપાવી શકે છે. એ ઘડીમાં ઘણાના મેાક્ષ થયા છે. તેવું શૂરવીરપણું ભક્તિમાર્ગીમાં ગ્રહણ કરનાર જયવંત થયા છે. ૐ શાંતિઃ ૯૧૧ મેાક્ષમાર્ગ દાતા નમું, રાજચંદ્ર ગુરુ સાર; શી સમ ઉંરે વસા, સદા પરમ આધાર. ૭૪૧ અગાસ, તા. ૧૧-૯-૫૧ સ્મરણ, ભક્તિ, સત્પ્રત આદિમાં વૃત્તિ રાખી શાંતિને પરિચય કરવા વિનંતી છેજી. વેદનાના વખતમાં દેહથી હું ભિન્ન છું, દેહમાં જે થાય છે તેને જોનાર છું, દેહના ધર્મ મારે મારા માનવા નથી, અનિત્ય પદાર્થમાં માઠુ થતા રોકવા છે, તે પ્રત્યે મારે મમત્વ રાખવું નથી, મારું કંઈ નથી, પરમાર્થ અર્થે આ મનુષ્યદેહ પ્રાપ્ત થયા છે તે દેહાથે ન વપરાએ, સદ્ગુરુશરણે આત્મહિતાર્થે વપરાએ આદિ ભાવના દૃઢ થઈ શકે છે. સદ્ગુરુકૃપાએ મંદ્ર વેદના હેાય ત્યારે તેવા ભાવેા ટકી શકે છે અને તીવ્ર ભાવના જેની તેવી રહેતી હોય તેને તેા તીવ્ર વેદના સાક્ષાત્કારનું કારણ બને છે. માટે તેવી ભાવના ભાવવાના પ્રસંગ રાજ અમુક વખત રાખવાનું અને તેમ કબ્ય છેજી. શાતાવેદનીમાં તેવી ભાવના ભાવી હોય તે અશાતા વખતે તે હાજર થાય છે. તેમ ન બન્યું હોય તેપણુ અશાતા વખતે જરૂર તેમ ક`વ્ય છેજી. ૯૧૨ અગાસ, તા. ૧૧-૯-૫૧ આપનો ક્ષમાપનાપત્ર મળ્યા છેજી. વૈરાગ્યની વૃદ્ધિ કરવી પણ કોઈ અવિચારી પગલું એકદમ ન લેવું. ‘પૂછતા નર પંડિતા’. બને તેટલી વડીલ, વિદ્વાન તથા માન્ય મુમુક્ષુની સલાહુ અનુસાર સન આદિમાં પ્રવર્તવું ઘટે છેજી. આજીવિકા જેટલું મળતું હોય તેા ટ્યુશન વગેરેમાં વધારે વખત ગાળવા કરતાં ભક્તિમાં, વાંચનમાં વિશેષ કાળ જાય તેમ કરશે! તે ચેાગ્યતા વધશે. ચેાગ્યતા વગર સ`સાર ત્યાગવાથી કઈ લાભ નથી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૨૩-૯-૫૧, રિવ ૨૧૩ “મંદ વિષય ને સરળતા, સહુ આજ્ઞા સુવિચાર; કરુણા કેમલતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર.” (૯૫૪) આપની તખિયત નરમ રહે છે તે જાણ્યું. શરીર પ્રારબ્ધને આધારે પ્રવર્તે છે, પણ મન આપણા હાથમાં છે. તેને સદ્ગુરુના વચનામાં સત્સંગની ભાવનાથી રોકવું હોય તે રોકાય Page #767 -------------------------------------------------------------------------- ________________ ૭૪૨ મેધામૃત અને ભટકતું રાખવું હેાય, અનાદિના સંસ્કારમાં, કુગુરુ આદિની સેાબતમાં હજી રમાડવું હાય તે તેમ પણ બની શકે છે. પણ તેનું ફળ પરિભ્રમણ ને પરિભ્રમણ જ છે. જે જીવ અસત્સ’ગથી ડરતા નથી, અજ્ઞાનીના આશ્રય છેડતા નથી તેને હજી લખચારાશીમાં રખડવું છે એમ સમજાય છે. જ્ઞાનીપુરુષની આજ્ઞા મળ્યા પછી પૂના પરિચયા પ્રત્યે ઉદાસીનતા ન આવે તે હજી તેને યથાર્થ જ્ઞાની પ્રત્યે શ્રદ્ધા થઈ નથી એમ મહાપુરુષા કહે છે. પરમકૃપાળુદેવનું માહાત્મ્ય કઈ સમીપમુક્તિગામી જીવને લાગે છે. તેવા જીવાનેા યેગ મળે તેા સત્સંગ કરવા, નહીં તે સત્સગને નામે કુસ'ગમાં જવ પ્રેરાય તે પરાણે સંસારને કાંઠે આવેલે બિચારા જીવ પાછે. ભરસમુદ્રમાં તણાઈ જતાં વાર ન લાગે તેવું માહનું બળ છે. માટે ચેતીને ચાલવા જેવું છે. જેને-તેને સમાગમ કરવા અને તેને પરમકૃપાળુદેવના વચને કહેવાના ગાંડપણમાં પડવા જેવું નથી. આપણું એવું ગજું નથી કે પરમકૃપાળુદેવના રંગ આપણા નિમિત્તે બીજાને લાગે. માટે આપણે તે! હજી આપણું જ કરવાનું ઘણું છે. આપણું કલ્યાણ સાધવામાં મચ્યા રહીશું તેા વગર પ્રયત્ને ખીજા આવીને પૂછશે કે શું કરવાથી કલ્યાણ થાય તેની અમને ખબર નથી તા તેને માર્ગ કંઈ તમે જાણ્યા હોય તે ખતાવેા. આવા જીવને સત્સ`ગધામ અગાસની વાત કરવી ચેાગ્ય છે. બાકી બીજા ગરજ વગરના જીવેા આગળ કહે–કહે કરવાથી તેનું કલ્યાણુ થાય નહીં અને આપણું હિત કરવાનું રહી જાય તે લક્ષમાં રાખવા લખ્યું છેજી. આ કાળમાં સાચા માની જિજ્ઞાસાવાળા જીવા હોય છે તેવાને મદદરૂપ થવાય એવી ભાવના રાખવી, પણ ભેંસ આગળ ભાગવત વાંચે તેમ અજ્ઞાની જીવાને આત્મસિદ્ધિ આદિ સંભળાવવાના મેહમાં તમે ન તણાશે। એવી ભાવના છેજી. ૐ શાંતિ: શાંતિ: શાંતિ: અગસ, તા. ૧-૧૦-૫૧ આસા સુદ ૧, ૨૦૦૭ ૯૧૪ તત્ સત “સુખકી સહેલી હૈ અકેલી ઉદાસીનતા, અધ્યાત્મની જનની તે ઉદાસીનતા.” આપને પત્ર મળ્યા. બાર માસ માટે એકાસણાના તપની તમારી ભાવના જાણી સ`તેાષ થયા છેજી. કરી જાણી જોઈને દેષ ન થાય તેમ દૃઢ રહેવા ભલામણ છેજી. પ્રાણ જાય પણ વ્રતમાં શિથિલતા ન આવે તેવી જેની અચળ ભાવના હાય તેને વ્રતરૂપે સ'કલ્પ પરિણમે છે. અનુકૂળતા વખતે તેા નિયમ પળે, પણ પ્રતિકૂળતામાં બળ મળે તે અર્થ વ્રતરૂપ પચખાણ છેજી. માટે હવેથી મન મજબૂત કરી બાર માસમાં એક પણ દિવસ વ્રતભ'ગના વિચાર સરખા ન આવે તેમ વશેાજી. પરમકૃપાળુદેવની આજ્ઞા આરાધવામાં કલ્યાણુ છે, આનદ છે, જીવનનું સફળપણું છે. ખીજું કંઈ ઇચ્છવું નથી. “માત્ર મેક્ષ અભિલાષ' એ આત્માર્થીનું લક્ષણ છે તે નિર'તર લક્ષમાં રાખવા ચેાગ્ય છે. કાળદોષ કળિથી થયે.....’(૨૬૪) એ ગાથા વિષે તમે પૂછ્યું હતું. કાળને કળિકાળ કેમ કહ્યો છે તેના કારણમાં મુખ્ય તા સત્પુરુષના યાગ કારીપણું અને પુરુષાર્થાંની હીનતા એ કારણેા કહ્યાં છે. તેવા વખતમાં જીવ સામાન્ય તનિયમાદિ વડે યેાગ્યતા મેળવવા પુરુષાર્થ કરે તે તે મર્યાદાધર્મ પરમકૃપાળુદેવે આ આછો, અન્નિધન્યાયનીતિ અને આરાધી શકે છે; Page #768 -------------------------------------------------------------------------- ________________ ૭૪૩ પગસુધા તે પણ ન બને તે જીવને ઘણી વ્યાકુળતા થવી જોઈએ. પાણીમાંથી બહાર કાઢેલી માછલી તડફડે તેમ આત્મહિતના કારણોથી દૂર રહેવાય ત્યાં જીવને મુઝવણ થવી જોઈએ; તે ન થાય તે જીવને કર્મને બે વિશેષ છે એમ સમજવા ગ્ય છે, એટલે માથે ભાર ઘણે છે તે અલ્પ આયુષ્યમાં પતાવી દેવા વિશેષ પુરુષાર્થની જરૂર છે. શિથિલતા કોઈ રીતે હિતકારી નથી. ઈન્દ્રિયના વિષયોમાં રાચવા ગ્ય નથી. આ તે ગાથાને ટૂંકો ભાવાર્થ છે જ. આપ વિશેષ વિચારી આત્મા ઊંચે આવે તેમ વર્તાશજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૯૧૫ અગાસ, તા. ૪-૧૦-૫૧ “પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવા સદા, બ્રહ્મચર્ય પ્રતિમાન.” – શ્રીમદ્ રાજચંદ્ર આપને બીડેલે પત્ર મળે. સમાચાર જાણ્યા. રેલવે આદિમાં મધ્ય રાત્રિ પછી બીજો દિવસ ગણાય છે તેનું દષ્ટાંત આત્માર્થમાં ન લેવું. જેથી વિશેષ લાભ વ્રતમાં થાય તે લક્ષ રાખે. આવેશને વશ ન થવું. તમે બીજે દિવસ પાળી લીધું છે અને પશ્ચાત્તાપયુક્ત ફરી તેમ વર્તન ન કરવા શિખામણ લીધી છે તે પ્રમાણે લક્ષ રાખ એ જ ખરું પ્રાયશ્ચિત્ત છેજી. તિથિને અર્થે વ્રત, નિયમ પાળવાના નથી પણ આત્માના હિતને અર્થે વવું છે તે ચૂકવું નહીં. લીલેતરીને નિયમ હોય તે તેવાં લીલાં મરચાં ન ખાવાં, તેમાં દયાની લાગણી ઉપરાંત શરીર-સુખાકારીની દષ્ટિએ પણ ઠીક છેછે. માટે તેવું ન વાપરવું હિતકારી છેજી. એકાસણ આદિ જીવને રસ આદિ લુબ્ધતા ઓછી કરવા તથા ધર્મધ્યાન અર્થ વખત વિશેષ મળે તે લક્ષ રાખવા અર્થે છેજ. પૂ...ને પણ જણાવશે કે પ્રતિક્રમણ વગેરે શીખવામાં હરકત નથી, પણ નિત્યનિયમ ત્રણ પાઠ, માળા વગેરે ગણવાને ક્રમ તે ચૂકે નહીં તેમ જણાવશોજી. આંબેલના દિવસમાં વાંચવા વિચારવાનું, ભક્તિભાવ કે મુખપાઠ કરેલ પાઠો વિચારવા ફેરવી જવાનું વિશેષ બને તેમ કર્તવ્ય છે”. રૂઢિમાં તણાવું નહીં પણ પરમકૃપાળુદે વચનેને વિશેષ અભ્યાસ કરવા, સમજવા, દેહાધ્યાસ ઓછો કરવા વ્રત-નિયમ પાળું છું અને સમ્યફદર્શન મને પ્રગટે તેવી ગ્યતા આવે માટે આ બધું કરું છું તે ભૂલશે નહીં. * શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૧૮-૧૦–૫૧, ગુરુ “ષષદના પર્ પ્રશ્ન તે, પૂજ્યાં કરી વિચાર; તે પદની સર્વાગતા, મોક્ષમાર્ગ નિર્ધાર.” –શ્રી આત્મસિદ્િછ વિ. આ૫નું કાર્ડ આજે મળ્યું. તેમાં છપદને પત્ર રેજ બોલવાની તમારી ભાવના છે તે દરરોજ બોલશેજી. ભૂલ પડતી હોય તે શરૂઆતમાં કોઈને તત્ત્વજ્ઞાન આપી તે શરત રાખે અને ભૂલ હોય તે બતાવે તેમ કરશે. બરાબર ભૂલ વગરને પાકો થઈ જાય ત્યારે એકલા બોલવાનું રાખશે તે શુદ્ધ ખેલાશે. જે બેલે તેને વિચાર કરશે. છપદમાં પ્રથમ પદ આત્મા છે, તે વિચારીને હું દેહ નહીં, સ્ત્રી નહીં, જુવાન નહીં, વૃદ્ધ નહીં પણ આત્મા છું એમ દઢ કરવું. બીજું પદ આત્મા નિત્ય છે એ વિચારી હું કદી મરું નહીં, દેહ છૂટી જાય તે પણ હું Page #769 -------------------------------------------------------------------------- ________________ ७४४ બેધામૃત આત્મા મરું નહીં, દેહ સાથે મરી જતો હોય તે અત્યારે હોય નહીં, માટે હું અજર અમર અવિનાશી છું. જે પુણ્ય પાપ કરીશ તે ભેગવવાં પડશે, માટે આત્મા સિવાય બીજા ભાવમાં મન નહીં રાખું તે કર્મ બંધાશે નહીં અને ભેગવવાં પણ નહીં પડે. અકષાયપણે એટલે શાંત ભાવે રહીશ તે મેક્ષ થશે. મોક્ષના ઉપાય વૈરાગ્ય, ભક્તિ, જ્ઞાન, દર્શન, સંયમ, સત્સંગ, સાસ્ત્રાદિ છે, તેમાં મારું ચિત્ત રાખીશ તે કર્મથી છુટશે ને મોક્ષ થશે એમ વિચારવું. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૧૮-૧૦-૫૧, ગુરુ પવિત્ર વાતાવરણપૂર્ણ તીર્થક્ષેત્ર શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસથી લિ. સપુરુષના ચરણકમળની નિરંતર સેવાને ઈચ્છક બાળ ગોવર્ધનના જયસદ્ગુરુવંદન સહ આત્મભાવે નમસ્કાર સ્વીકારવા વિનંતી છે જી. વિ. આપના ઉલ્લાસભાવ વાંચી સંતેષ થયે છેજ. આ દુષમકાળમાં ભગવાન પર નિષ્કામ પ્રીતિ રાખનાર, તેની આજ્ઞાની અપૂર્વતા હૃદયમાં રાખનાર તથા યથાશક્તિ શરણાગત ભાવે આજ્ઞા ઉઠાવનાર ભગવદ્ભક્તો તથા તેમના વચનની પ્રાપ્તિ દુર્લભ છે. સાચા ભાવે સપુરુષને અભેદભાવે નમસ્કાર કરનારનું પણ કલ્યાણ થવા ગ્ય છે; તે જેણે તેને જ આધાર લીધે છે અને મરણ સુધી તેને શરણે રહી તેને આશ્રયે દેહ છોડવાને નિશ્ચય જેને વર્તે છે તે તે મહાભાગ્યશાળી છેજી. આવા કાળમાં પણ તેવા પુરુષોને પેગ પરમાર્થ પ્રેમીને ઉ૯લાસનું કારણ છેજ. બાહ્યદષ્ટિ જ દુઃખનું કારણ છે. પરમકૃપાળુદેવ, તેના આશ્રિત જને, તેના પરમ પુરુષાર્થ - પ્રેરક વચને આપણું આધારરૂપ છે. નવી આવૃત્તિ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથની આશ્રમ તરફથી બહાર પડી ચૂકી છે તે મગાવી વારંવાર વાંચતા રહેવા જેવી છેજી. તેમાં ઘણા નવા પત્રો ઉત્સાહપ્રેરક છે. | # શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૯૧૮ અગાસ, તા. ૨૩-૧૦-૫૧ મનુષ્યભવરૂપી થાપણ આપણી લૂંટાઈ જાય તે પહેલાં તેને સદ્ઉપયોગ કરી આ દેહમાં રહેલે અમર આત્મા ઓળખવા, શ્રદ્ધવા, અનુભવવા યથાશક્તિ શ્રમ લે ગ્ય છેછે. આ સંસાર ઠગારા પાટણ સમાન છે. કંઈ કમાણી કરેલી હોય તે ઠગી લઈ જીવને નિર્બળ બનાવી લખારાશીના ફેરામાં ધકેલી દે તેવું સંસારનું સ્વરૂપ વિચારી, આત્મહિતમાં અપ્રમત્ત રહેવા ભલામણ છે. જ્ઞાની પુરુષની આજ્ઞા, તેની ભક્તિ, તેના વચનામૃતના વિચાર અને અનુભવરૂપ પુરુષાર્થ સતત કર્તવ્ય છેજ. અનાદિ કાળથી જીવ હું અને મારું એવા લૌકિક ભાવને આરાધતે આવ્યું છે. તે સ્વપ્નદશા તજી, હવે તે આત્મા જેવી ઉત્તમ વસ્તુ ઓળખી તેનું આરાધન કરવાનો આ મનુષ્યભવમાં લાગ મળ્યો છે તે ચૂકી ન જવાય તેવી જાગૃતિ નિરંતર રાખવી ઘટે છેજ. સત્સંગ, સલ્ફાસ્ત્ર, વિનય, વિવેક, ત્યાગ, વૈરાગ્ય, ભક્તિ આદિની ભાવના રાખી બને તેટલું વર્તન સદ્દગુરુની આજ્ઞા પ્રમાણે રાખવું એ અત્યારે કર્તવ્ય છે જ. પરમશાંતિપદને પામીએ તે અર્થે આત્મભાવના કર્તવ્ય છે. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #770 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૯૧૯ જૅવાદિ તત્ત્વને શ્રદ્ધાંને, સહિત જ્ઞાન ચારિત્ર; સાધે તે મુક્તિ લડે, થાય અન ત પવિત્ર. ભક્તિને અર્થે આ દેહ છે તેથી બનતી સંભાળ રાખી જરૂર પડે તેવા ઉપચાર કરતા રહેશેાજી. પણ ખરી દવા પ. ઉ. પ્રભુશ્રીજીએ આપેલા મત્ર છે તેને લક્ષ ચુકાય નહીં તેવા પુરુષામાં રહેવા ભલામણ છેજી. શાતા-અશાતા સરખી ગણવાનેા જ્ઞાનીને ઉપદેશ છે તેવા અભ્યાસ થાય તે અર્થે આ વેદની આવી છે એમ ગણવા યેાગ્ય છે. ૭૪૫ અગાસ, તા. ૧૭-૧૧-૫૧ ર૦ ઇદાર, તા. ૧૬-૧-પર અવસર આવ્યે જીવે જે શુભ કામ કરી લીધું તે લેખાતું છે. ભવિષ્યમાં જે થવું હોય તેમ થાઓ, પણુ જ્ઞાનીના માને પામ્યા છે તે જીવે કોઈ પણ કારણે ક્લેશિત થવા ચાગ્ય નથી. આ શરીર સાથે જીવને જે ક`યેાગે સ`સ્કાર સબંધ હશે તે વ્યતીત થયે તે દેહના વિયેાગ નિશ્ચય થશે, પરંતુ પરમકૃપાળુદેવને આશ્રયે દેહ છૂટે એ જ જન્મ સાર્થક છે કે જે આશ્રયને પામીને જીવ તે જ ભવે અથવા ભાવિ એવા થાડા કાળે સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે; મેક્ષપ્રાપ્તિ કરે. આવું પરમ બળવાન, જ્ઞાનીના આશ્રયનું ફળ પરમકૃપાળુદેવે પ્રકાશ્યું છે, તે આખર સુધી પરમકૃપાળુદેવનું શરણુ દૃઢપણે પકડી રખાય એ જ પુરુષાર્થ કત વ્ય છેજી. જ્ઞાનીપુરુષે જાણ્યા છે, માન્યા છે, અનુભવ્યેા છે અને તે જ રૂપ થયા છે તેવા આત્મા મારા છે, તે પરમ આનંદરૂપ, અન ત સુખનું ધામ છે, તેના આગળ મરણકાળનાં ભયંકર દુઃખ કંઈ ગણતરીમાં નથી. એક ભવ જ્ઞાનીને આશ્રયે ગળાય તેા અનંત ભવનું સાટું વળી રહે તેવા લાભ તેવા આશ્રયપૂર્ણાંક જીવનના જાણી, બીજી બધી ઇચ્છા તજી, મ`ત્રસ્મરણુ ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ' એમાં સર્વ સાધન સમાય છે એવા નિર્ધાર રાખી તેમાં જ ચિત્તની લીનતા કરવા ભલામણ છેજી. પત્રાંક ૬૯૨ વારંવાર સાંભળવાનું બને તેમ કવ્ય છેજી. સ્મરણ કરતાં સદા આનંદમાં રહેવું એમ પ. પૂ. પ્રભુશ્રીજીએ સમાધિમરણનાં સાધનરૂપ કહ્યું છેજી. ૯૨૧ બીજાની વેદના, પરાધીનતા, દુઃખ આદિ દેખી મુમુક્ષુ ઈંદાર, પોષ વદ ૧૧, બુધ, ૨૦૦૮ જીવે પેાતાના વિચાર કરવાના છે. આવી દશા એવાં કર્માંના ઉદય હોય તે આપણને પણ આવે એમ વિચારી વૈરાગ્યની વૃદ્ધિ કબ્ય છે. મરણને રાજ વિચારી સમાધિમરણની તૈયારી કરતા રહેવાની જરૂર છે. જે જે જીવાને અવિનય, સંતાપ આદિ વડે દૂભવ્યા હાય તેમની પાસે નમ્રપણે તેવા દાષા ફરી ન કરવાની ભાવનાથી ક્ષમા યાચી નિઃશલ્ય થવું ઘટે છેજી. કાલે શું થશે તેની આપણને ખખર નથી, માટે જે જે ક્ષણ મનુષ્યભવની જીવવાની મળે છે તે રત્નચિંતામણિ તુલ્ય ગણી જ્ઞાનીની આજ્ઞામાં ગાળવાનો દૃઢ નિશ્ચય કરવા ઘટે છે તથા દેહ-માઠુ વિસારી ધ`પ્રેમમાં ચિત્ત ચાંટાડવું ઘટે છેજી. મુમુક્ષુજીવે પરસ્પર કેમ વવું, એકબીજાની ધર્મ ભાવના કેમ વધે તેના વિચાર કરી ધર્મલાભ તરફ વૃત્તિ દૃઢ કરવી ઘટે છે. ધન તે પૂર્વ પુણ્યને આધીન છે, પરંતુ ધર્મ તે જીવને છૂટવાની ગરજ જાગી હોય અને તે પ્રત્યે પ્રખળ ખેંચ હોય તેા જ ટકાવી શકાય છે. Page #771 -------------------------------------------------------------------------- ________________ ૭૪૬ આધામૃત પેાતાને નહીં તે પોતાના પાડોશીને પણ કંઈ મળ્યું હશે તે આપણા કામમાં કેાઈ વિસ આવશે એમ જાણી મનુષ્યભવ સફળ કરવામાં પ્રબળ સાધન એવા સત્સ'ગના યાગ સને પ્રાપ્ત થાએ, તેમાં વિન્નરૂપ હું ન થાઉં એવી ભાવના અને આચરણા સર્વ મુમુક્ષુએ કર્તવ્ય છે. ૯૨૨ તત્ સત્ सोरठा - मोहनींद के जोर, जगवासी घूमे सदा । कर्मचोर चिहूँ ओर, सर्वस्व लूटे सुध नहीं ॥ सद्गुरुदेव जगाय, मोहनींद जब उपशमे । तब कछु बने उपाय, कर्म चोर आवत रुके ॥ આપની તબિયત ઘણી નરમ પત્રથી જાણી ધર્માંસ્નેહને લઈને ખેદ થયા. પણ જ્યાં ઉપાય નહીં ત્યાં સહનશીલતા એ જ સમતાના ઉપાય છેજી. પૂર્વકર્મ કોઈ ને છેડતાં નથી. કોઈનું દેવું કર્યું હાય તે લેવા માટે ઉઘરાણી કરે તેમ બાંધેલાં કર્મ ફેરા મારે છે. તેને સમતા, સહનશીલતા, ધીરજ, સ્મરણમંત્રની ધૂન વગેરે મૂડીમાંથી આપી વિદાય કરવા યાગ્ય છેજી. બિચારાં કર્મ છૂટવા માટે આવે છે, તે વખતે જીવ શૂરવીર થઈ ભોગવી લે તે હલકો થાય. ખેડ કરીને ભાગવે તે નવાં કર્મ બંધાય અને ભાગવવાં તે પડે જ, માટે સદ્ગુરુશરણે અને તેટલી શક્તિ એકઠી કરી મ`ત્રના સ્મરણમાં રહેવું. પાસે હેાય તેમને મંત્ર ખેલવા કહેવું અને આ અવસર ખરી કસેટીનેા છે એમ ગણી વેદનાને નમતું ન આપવું. ઊલટું એવી ભાવના કરવી કે આથી ખમણું આવવું હોય તે આવે, મારું કામ સહન કરવાનું છે તે સદ્ગુરુશરણે કઈ પણ સુખની ઇચ્છા રાખ્યા વગર મરણુપર્યંત ધીરજ રાખવી છે. પાછા હઠવું નહીં, હિંમત હારવી નહીં. જે થાય તે જોયા કરવું. આત્મા છે, તે નિત્ય છે. તેનેા નાશ થવાને નથી, દુઃખના નાશ થવાના છે. કરેલાં કર્મ છૂટે છે. હિંમત રાખી બધાય સારાં-માઠાં કર્મ છેડી મેક્ષે જવું છે. ધાણીમાં ઘાલીને પીલ્યા હતા તેવા મુનિએ મેાક્ષની ભાવનામાં લીન થવાથી મેક્ષે ગયા છે; તેટલું બધું તે દુઃખ મને નથી? માટે આ દુઃખથી મન ડોલાયમાન ન થાય અને “સહજાત્મસ્વરૂપ પરમગુરુ” મ`ત્રમાં ભાવ રહે, પરમકૃપાળુદેવની સહનશીલતા, ધીરજ, સમાધિ લક્ષમાં રાખી રાતદિવસ સમય વિતાવવા છે, એ લક્ષ રાખશે. આહાર, તા. ૬-૩-પર ફાગણ સુદ ૧૦, ૨૦૦૮ પત્રાંક ૪૬૦ શારીરિક વેદનાને દેહને ધર્મ જાણી સમ્યક્ પ્રકારે મહિયાસવા-વેદવા ચેાગ્ય છે એ વાર વાર વાંચવા સાંભળવાનું કરશે તથા સમાધિમરણનું પ્રકરણ સમાધિસોપાનમાંથી વાંચવાનું બને તેા કરશે!. ક'ઈ ન બને તે પરમકૃપાળુદેવને શરણે જે થાય છે તે ભલાને માટે જ થાય છે એવા વિશ્વાસ રાખી સહન કર્યા કરવું. ગુરુને શરણે આત્માને વાંકે વાળ થય તેમ નથી. સાગ તે છૂટશે, તેમાં રાગ રાખવા નથી. સદ્ગુરુએ કહ્યો છે તેવા નિગ્રંથમાના સદાય આશ્રય રહેા. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિ ૯૨૩ આર્હાર, તા. ૧૦–૩–પર ફાગણ સુદ પૂર્ણિમા, સામ, ૨૦૦૮ તત્ સત્ શ્રીમદ્ રાજચંદ્ર નવી આવૃત્તિ વાંચતા વિચારતા હશે. તેમાં આજ્ઞામાં એકતાન થવા વિષે પ્રેરણા કરતા એક નાનો પત્ર ૧૪૭ મે છે તે વારવાર લક્ષમાં રાખવા વિન ંતિ છેજી, Page #772 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૩૪૭ સમાધિમરણને લક્ષ રાખી કાળ ગાળ ઘટે છેજએક ઈષ્ટમાં વૃત્તિ તન્મય થાય, તન્મય રહે એમ કર્યાને અભ્યાસ આખરે ઉપયોગી નીવડે છેજ. જે વિદ્યાર્થી બારે માસ અભ્યાસ કર્યા કરે છે તે વર્ષ આખરે સહેલાઈથી પરીક્ષા નિર્ભયપણે પસાર કરે છે તેમ આજથી સમાધિમરણની તૈયારી કરનાર આખરે મૃત્યુને મહોત્સવરૂપે ગણું નિર્ભયપણે પરભવમાં કે મેક્ષે જાય છે. માટે પ્રમાદમાં, અન્ય ચિંતામાં આત્માને જતે અટકાવી પરમશાંતિપદની ભાવના ક્યથી તે પદ પ્રાપ્ત થાય તેમ છેજ. ભક્તિમાં આત્માને આનંદની વૃદ્ધિ થતી રહે, સપુરુષના અપાર ઉપકારનું ભાન થાય, તેની દશા સમજાતી જાય અને શુદ્ધ આત્માની ઉત્તમતા આત્મામાં સ્થાન પામે તેવું વાંચન, ભક્તિ, જપ, તપ, વિચાર, ધ્યાન આદિ સત્સાધન કર્તવ્ય છેજી. શાંતિઃ ૯૨૪ આહેર, તા. ૧૪-૩-પર, શુક્ર પરમકૃપાળુદેવની કૃપાએ આનંદ છે. શરીર તે શરીરને ધર્મ પડતી અવસ્થામાં જરૂર જણાવે એમાં એને દોષ નથી; પણ પરમકૃપાળુદેવની ભક્તિ, વચને અને સમજણ જેને પ્રાપ્ત થઈ છે તે દેહનાં સુખને ઈચ્છે તે પિતાને દોષ છે. “સુખ દુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં, ટાળ્યાં તે કોઈનાં નવ ટળે” એમ નરસિંહ મહેતા જેવા માનુસારી પણ ગાઈ ગયા છે. શ્રી આનંદઘનજી શ્રી વાસુપૂજ્ય સ્વામીના સ્તવનમાં કહે છેઃ “દુઃખસુખરૂપ કરમફળ જાણે, નિશ્ચય એક આનંદ રે; ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જિનચંદો રે.” “સર્વ પ્રકારે જ્ઞાનીના શરણમાં બુદ્ધિ રાખી, નિર્ભયપણને નિઃ ખેદપણાને ભજવાની શિક્ષા શ્રી તીર્થકર જેવા એ કહી છે, અને અમે પણ એ જ કહીએ છીએ.”(૪૬૦) એમ પરમકૃપાળુદેવ લખે છે, તે હૃદયમાં રહે તે તેને શરણે આશરે દેહ છૂટતાં સમાધિમરણ થાય. એક મંત્રમાં અનંત આગમ સમાય તેટલી કૃપા પરમકૃપાળુદેવે કરી છે તેને બને તેટલે લાભ આ ભવમાં લૂંટમલ્ટ લઈ લેવાને છે. # શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૯૨૫ અગાસ, તા. ૪-૪-૫૨ મુગ્ધ સુગમ કરી સેવન આદરે રે, સેવન અગમ અનુપ; દેજે કદાચિત સેવક યાચના રે, આનંદઘન રસ રૂપ; સંભવદેવ તે ધુર સે સવે રે.” મૂર્વ પ્રતિમા પૂળા એને અર્થ શું? એમ આપે પુછાવ્યું, તેને ટૂંકો અર્થ એ કે પ્રભુના અનંત જ્ઞાન દર્શન સુખ અને વીર્યને વિચાર કર્યા વિના માત્ર પ્રતિમાને ચંદન આદિથી પૂજે છે તેને મૂર્ખ કહ્યો છે. પરમકૃપાળુદેવે પ્રતિમાના અંધ-શ્રદ્ધાળુને સાચા શ્રદ્ધાળુ બનાવ્યા છે, પ્રતિમાપૂજકને પ્રભુપૂજક બનાવ્યા છે. ભગવાનના ભાન વિના કાંઈ કરાય છે તે સદ્દગુરુનું શરણ ન હોય તે રૂઢિરૂપ છે અને આગ્રહપષક હોય છે તેથી અજ્ઞાનને પોષનાર મૂર્ખતારૂપ છે. બીજું, તમે વિભાવથી મુકાઈ સ્વભાવમાં રહેવા સંબંધી પૂછ્યું હતું તેને ટૂંકે ઉત્તરઃ કપટ રહિત થઈ આતમ અરપણું રે, આનંદઘનપદ રેહ” એને અર્થ પહેલા સ્તવનના અર્થમાં Page #773 -------------------------------------------------------------------------- ________________ બેધામૃત પરમકૃપાળુદેવે કર્યાં છે તે આખા સ્તવનને અર્થ વિચારી, પાંચમા સુમતિનાથના સ્તવનમાં “આતમ અણુ દાવ સુજ્ઞાની' એમ કહ્યું છે એટલે અંતરાત્મા થઈ પરમાત્માના ચિંતવનમાં રહેવા માટે ભગવાનની સાથે લગ્ન કરવાની જરૂર છે. ‘પરપ્રેમપ્રવાહ બઢે પ્રભુસેં, સખ આગમ ભેદ સુઉર ખસેં' એવા પરમાત્મા પ્રત્યે પ્રેમ ગમે તેવી વિકટ વાટે પણ કરવા પરમકૃપાળુદેવે પુરુષાર્થ કર્યાં છે. તેને પગલે પગલે આપણાથી બને તેટલું ચિત્ત ખીજેથી ઉઠાવી પ્રભુ પ્રભુ લય લાગી રહે તેમ કતવ્ય છે. હરિ પ્રત્યે એક અખંડ લય લાગે તેને વૈરાગ્ય પરમકૃપાળુદેવે કહ્યો છે. વૃદ્ધમાંથી યુવાન થવાની જરૂર છે. શ્રી આનંદઘનજીના સ્તવનના અર્થ પરમકૃપાળુદેવે કર્યાં છે તે ફરી ફરી વાંચવાથી કપટને અર્થ સમજાવાયેાગ્ય છેજી. પરમાત્માના ચરણમાં ચિત્તનું ચાટવું કઠણ છે અને એ મનનું સમણુ થયું નથી ત્યાં સુધી સાંસારિક ભાવનામાં ચિત્તનું ભટકવું રહે છે તે જ કપટ પરમકૃપાળુદેવે કહ્યું છે તે વિચારવાથી સમજાશેજી. બીજી પંચાત મૂકી આપણાં પરિણામ દિન દિન સુધરતાં જાય, પરમકૃપાળુદેવનું માહાત્મ્ય વિશેષ વિશેષ લાગે તેમ કવ્ય છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૭૪૮ ૯૨૬ તત્ સત્ આપનું કાર્ડ મળ્યું. ગમે તેવા આહાર ખાનાર સાથે વિશેષ સ`ખ'ધ નહીં રાખવામાં લાભ છે. ઝટ આત્મહિત થાય તેવે રસ્તે હવે વળવું છે. કારણકે ઉંમર થઈ, વાળ ધેાળા થઈ ગયા; તા મરણ કયારે આવી પહોંચશે તેના ભરાંસા નથી. આ દેહ પણ મૂકીને જવાનું છે તે બીજું કોઈ આપણું કયાંથી હાય ? ક્યાંથી થાય ? માટે બધા પ્રકારની માયા મમતા મૂકી, આ આત્મા એકલેા જ આવ્યા છે અને એકલા જ જવાના છે માટે જ્ઞાનીપુરુષની આજ્ઞામાં તેલની ધારની પેઠે એકધારું મન રહ્યા કરે તેમ વેળાસર કરી લેવું ઘટે છેજી. તેમાં વિદ્મ કરનારી ખાખતા જેમ બને તેમ વેળાસર છોડી મરણુ આવ્યા પહેલા સમાધિમરણની તૈયારી કરવા સત્સંગ, સત્પુરુષની આજ્ઞા, ભક્તિ અને મંત્રમાં મન પરોવેલું રાખવાની જરૂર હેજી. કંઈ પુણ્ય જીવનું હજી છે ત્યાં સુધી તેને ફોલી ખાનારા પાછળ ફરશે; પણ પાપના ઉદય આવ્યે, પથારીવશ થયે કોઈ કાઈ ના ભાવ પૂછે તેમ નથી, પોતાનાં કર્યાં. પેાતાને પશ્ચાત્તાપ સહિત ભોગવવાં પડે છે માટે પહેલેથી ચેતી જેટલા ખરાબ સંગ વહેલા છેડાય અને સત્સંગના જોગ મળે તેવી ભાવના અને પુરુષાર્થ કર્યે છૂટકો છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૮-૪–૫ર ચૈત્ર સુદ ૧૨, સામ, ૨૦૦૮ ૯૨૭ તત્ સત્ પર પ્રેમ પ્રવાહ મઢે પ્રભુસૈ, સખ આગમભેદ સુઉર ખર્ચે; વહુ કેવલા ખીજ જ્ઞાની કહે, નિજક અનુભવ ખતલાય ક્રિયે.’’ (૨૬૫) વિ. આપનું કાર્ડ વાંચી પ્રમાદ થયેા છે. જગતમાં સાચા ભાવે છૂટવાની ઇચ્છા કરનાર બહુ થાડા છે. જેને એ ઇચ્છા જાગી છે તેને સત્પુરુષના વચનોથી પોષણ મળે છે અને અસત્સ`ગ, અસત્પ્રસંગના ત્યાગથી તથા સત્સંગ, સદ્વિચારના અભ્યાસથી સદ્વિચારણા જાગવાને સંભવ અગાસ, તા. ૧૨-૫-પર વૈશાખ વદ ૨, રવિ, ૨૦૦૮ Page #774 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૭૪૯ છે. બધાનું કારણ પરમપુરુષ પ્રત્યે પરમ પ્રેમ છેજ. જગતની વસ્તુઓ નાશવંત અને મિથ્યા લલચાવનારી છે, તેનું પરિણામ દુઃખદાયી અને માઠી ગતિ છે એવું વારંવાર વિચારી પિતાની વૃત્તિ પરમકૃપાળુદેવ પ્રત્યે વારંવાર વાળવા ગ્ય છે. તજવાની વસ્તુઓ અનેક છે અને ભજવાની માત્ર એક છે, તે જે ભજવાયેગ્ય ગુરુમૂર્તિ તેમાં વિશેષ વિશેષ ભાવ કરવાથી બીજે બધેથી સહેજે મન ઊઠી જાય અને બીજે જાય તે “મારે કરવું છે તે પડી રહ્યું એમ જાણું ખેદ થાય; માટે ભક્તિભાવમાં વૃત્તિ વધારે રહે, દિવસમાં વીસ દેહરા ઘણી વખત બેલાય, ક્ષમાપનાને પાઠ વિચારાય, હે ભગવાન! હું બહુ ભૂલી ગયે એ ભાવ ચાલુ રહ્યા કરે એમ કરવાથી “શું કરવું?” તે પ્રત્યે વૃત્તિ વળશે, ઉલ્લાસ આવશે અને પરમ પુરુષના વચને પ્રત્યક્ષ સત્સંગ તુલ્ય લાગશે. હાલ એ જ અભ્યાસ વધારવા વિનંતિ છે. તમે બાદર ક્રિયા પૂછી છે તે બાહ્ય ઉપવાસ, તપ, જીવરક્ષા વગેરે જાણવા યોગ્ય છે. “તમારાં કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મે ઓળખ્યાં નહીં.” એ ઓળખાય તે સૂમ વિચાર સહ ક્રિયા થાય. # શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૯૨૮ અગાસ, તા. ૧૧-૬-પર આ મનુષ્યભવનાં ઘણાં વર્ષો જોતજોતામાં ચાલ્યાં ગયાં. થોડું આયુષ્ય બાકી છે તે પરમકૃપાળુદેવને શરણે તેની ભક્તિમાં ગાળવું છે અને અસત્સંગ સર્પ સમાન જાણી દૂર રહેવું છે તથા સત્સંગતિની નિરંતર પ્રાપ્તિની ભાવના કરવી છે. જ્ઞાની પુરુષને બેધ પરિણામ પામે, સુવિચારણા જાગે અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ પરિભ્રમણદશા ટળે એ પુરુષાર્થ કર્યા કરે છે. તેમાં પ્રમાદ શત્રુ છે. મરણને સમીપ સમજી બને તેટલે વૈરાગ્ય વધારી, ‘તંહિ તૃહિની રટણા જાગે તેવી પરમકૃપાળુદેવની ભક્તિ કર્તવ્ય છે. કરવાનું છે તે આ ભવમાં કરી લેવું છે, પરમકૃપાળુદેવમાં ભાવથી સમાઈ જવું છે એ જ ઉત્કંઠા રાખી પરમપ્રેમની વૃદ્ધિ કરવા સર્વને ભલામણ છે. ૩% શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૧૩-૬- પર સત્ય શીલ ને સઘળાં દાન, દયા હેઈને રહ્યાં પ્રમાણ દયા નહીં તે એ નહિ એક, વિના સૂર્ય કિરણ નહિ દેખ.”– શ્રીમદ્ રાજચંદ્ર ન્યાયનીતિથી વર્તવું એ ધર્મને પાયો છે. પ્રાણ જાયે પણ સત્ય આદિ નીતિને ભંગ ન થાય એમ વર્તે તેને પુરુષને બે પરિણામ પામે છે. માટે નુકસાન વેઠીને પણ આત્માને લૂંટાતે અટકાવ. અનીતિથી કેઈ સુખી થયું નથી. તમને પણ તે અનુભવ હવે થયે છે, તે પાપભાવના તજી ધર્મધ્યાનમાં વિશેષ લક્ષ રાખવા વિનંતી છે.જી. સદાચાર હશે તે જ સત્સંગ સફળ થશે, એ ભૂલવા જેવું નથી. આપણને મંત્ર મળ્યો છે તે જેવો તેવો નથી, માટે મંત્રનું રટણ વિશેષ રહ્યા કરે તેમ કર્તવ્ય છે.જી. મંત્રમાં મન રહે તે બીજે ન ભટકે તે અજમાવી જેવા યોગ્ય છે. હરતાં-ફરતાં સ્મરણ કરવાની ટેવ પાડી મૂકી હોય તે મરણ વખતે તે યાદ આવે અને સમાધિમરણ થાય. એ જ. * શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #775 -------------------------------------------------------------------------- ________________ ૭૫૦ હo. બેધામૃત અગાસ, જેઠ સુદ ૬, ૨૦૦૮ આપને પત્ર મળે. આપના પિતાને છેવટે પરમકૃપાળુદેવ ઉપર શ્રદ્ધા થઈ અને મરણપર્યત રહી તે આનંદની વાત છે. માતપિતાને ધર્મને બેધ કરે એમ પરમકૃપાળુદેવે કહ્યું છે, તેમ તેમને સાચા ધર્મની પ્રાપ્તિ તમારા નિમિત્ત થઈ તે તમારી પુત્ર તરીકેની ફરજ કે તેમનું દેવું વાળ્યું ગણાય. આપણે બધાને એ માર્ગે જવાનું છે. સમાધિમરણની તૈયારી આજથી આપણે કરતા રહેવાની જરૂર છે. મંત્રનું સ્મરણ કરવાની ટેવ પાડી મૂકી હોય તે તે આખરે સ્મૃતિમાં આવી સમાધિમરણનું કારણ બને છે. માટે હરતાં, ફરતાં, કામ કરતાં જીભે મંત્ર જ જાતે રહે તેવી ટેવ પાડવા પુરુષાર્થ કર્તવ્ય છેજી. કેટલું જીવવાનું છે તેની કેને ખબર છે? માટે આ મનુષ્યભવને લહા લઈ લેવાનું ચૂકવું નહીં. છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૯૩૧ અગાસ, જેઠ વદ ૧૪, શનિ, ૨૦૦૮ વિ. આપને પત્ર મળે. આપની મૂંઝવણનું કારણ જાણ્યું છે. સંસારનું સ્વરૂપ જ એવું છે. ચાર રસ્તા વચ્ચે જેનું મકાન હોય તે કહે કે મારા મકાનની આજુબાજુ લેકોની ગરબડ બહુ થયા કરે છે. એમ ફરિયાદ કરે તે તેને કહેવાય કે ભાઈ, તે જગા જ ગરબડનું ધામ છે ત્યાં તારે વાસ છે, તે સહન કર્યું જ છૂટકો છે કે તે જગા બદલી નાખવી એ ઉપાય છે. તેમ દુઃખને દરિયા જેવા સંસારમાં દુઃખ સિવાય બીજું કંઈ જ જણાશે નહીં. તેથી છૂટવું અને મોક્ષે જવું અને ન છુટાય ત્યાં સુધી સમભાવે સહન કરવું યોગ્ય છે જ. પરમકૃપાળુદેવની અનંત કૃપાથી સત્સાધનરૂપ મંત્ર, ભક્તિ આદિની આજ્ઞા મળી છે તેને વિશેષ વિશેષ ઉપયોગ કરવાથી છૂટવામાં મદદરૂપ થાય તેમ છે. # શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૯૩૨ અગાસ, તા ૨૫-૬-પર તત ૐ સત્ર અષાડ સુદ ૩, બુધ, ૨૦૦૮ બને તેટલું કરી છૂટવું, પછી થવાનું હોય તે જ થાય છે. ભક્તિભાવમાં ખેંચ રાખવી એ આપણું કર્તવ્ય છે. ન બને તે કર્મને દેષ, પણ જાણી જોઈને પ્રમાદ સેવ નથી. કંઈન બને તે મંત્રનું રટણ છેલ્લા શ્વાસ સુધી ટકાવી રાખવું, ભાન હોય ત્યાં સુધી – એમ પ. પૂ. પ્રભુશ્રીજીના બેધમાં આવે છે તે લક્ષ આપણે ચૂકવા યોગ્ય નથી. બીજું જે થાય તે જોયા કરવા યોગ્ય છે. “નહિ બનવાનું નહીં બને, બનવું વ્યર્થ ન થાય; કાં એ ઔષધ ન પીજિયે, જેથી ચિતા જાય?” “સુંદર ચિંતા મત કર, તૂ કર બ્રહ્મ વિચાર, શરીર સેપ પ્રારબ્ધકું, જયું લેડા ફૂટે લુહાર.” આવા ભાવથી આત્માને પુરુષાર્થમાં જોડી રાખવા યોગ્ય છે. ૯૩૩ અગાસ, તા. ૨૫-૬-૫૨ “કરશે ક્ષય કેવલ રાગકથા, ધરશે શુભ તત્ત્વસ્વરૂપ યથા; નૃપચંદ્ર પ્રપંચ અનંત દહેભજીને ભગવંત ભવંત લહે.” Page #776 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૭૫૧ મંત્રમાં વૃત્તિ રાખવા ભલામણ છે. જેમ બને તેમ કષાયની મંદતા થઈ ઉપશમભાવ પ્રગટે અને પરમકૃપાળુદેવની ભક્તિમાં વૃત્તિ રહે તેમ કર્તવ્ય છે. શરીરની શક્તિ જોઈ તપ કરવું, તણાઈને કંઈ કરવા જેવું નથી. આ શરીરથી હજી પરમકૃપાળુદેવને માર્ગ સમજી તેણે જણાવેલ આજ્ઞા ઉપાસવા માટે કેડ બાંધવાની છે. આંધળી દેડ કરી સંતોષ માનવા જેવું નથી કે મેં ધર્મ કર્યો. પણ સત્સંગની ભાવના નિરંતર કર્તવ્ય છે. સત્સંગ જેવું કલ્યાણનું કારણ કોઈ નથી એ લક્ષ ચૂકવા જેવો નથી. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૯૩૪. અગાસ, તા. ૨૮-૬-પર તત ૐ સત્ અષાડ સુદ ૬, શનિ, ર૦૦૮ સંસારની ચિંતા કરીએ કે ન કરીએ તે સરખું છે. આપણું ધાર્યું કંઈ થતું નથી. ન જોઈતી ફિકર ચિંતા કરવાનું છવ માંડી વાળે તે જીવને નિરાંત વેદાય તેમ છે, પણ હું કરું છું, હું સારું કરી શકું છું, મારી સલાહ વગર બીજા કરશે તે બગડી જશે આદિ અભિમાન જીવને ન જોઈતી ચિંતામાં દોરી ફસાવી રાખે છે. “જગત જીવ હે કર્માધીના, અચરજ કછુ ન લીના, આપ સ્વભાવમાં રે, અબધુ સદા મગન મન રહેના.” ૯૩૫ અગાસ, તા. ૨-૭-૫૨ તત ૐ સત અષાડ સુદ ૧૦, બુધ, ૨૦૦૮ થવું હોય તે થાઓ, રૂડા રાજને ભજીએ.” એ સાચા દિલની ભક્તિ ભાવ તારનાર છેજી. મરણ સુધી તે ભાવને ટકાવી રાખનારની બલિહારી છેજી. વેદના એ સમજની કટી છે. વેદના વેદતાં દેહથી ભિન્નતા રહે તે સમાધિમરણનું કારણ છે. ૯૩૬ અગાસ, અષાડ વદ ૧, ૨૦૦૮ કંઈ કંઈ વાંચન-વિચારની પ્રવૃત્તિ આપ રાખતા હશે. સત્સંગની આ કાળમાં ઘણું ખામી છે. એક જ લક્ષવાળા મંદ-કષાયી છે વિરલા દેખાય તે કાળ આવી પહોંચે છે. તેવા પ્રસંગે જીવે “આપ સમાન બળ નહીં ને મેઘ સમાન જળ નહીં” એ કહેવત પ્રમાણે પ્રમાદ મંદ કરી આત્મહિત પોષક એવાં પરમકૃપાળુદેવનાં વચનને સ્વાધ્યાય નિયમિતપણે કર્તવ્ય છે. તે સત્સંગની ગરજ સારે તેમ છેજ. જિંદગીનો પાછળનો ભાગ તે જ્ઞાની પુરુષનાં વચન કાનમાં પડ પડ થાય અને તેના જ વિચાર કુર્યા કરે તેમ ગાળવા યોગ્ય છે, તે સમાધિમરણનું કારણ બને તેમ છે. | # શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૯૩૭ અગાસ, તા. ૧૨-૭– પર “જે ઈચ્છે પરમાર્થ તે, કરો સત્ય પુરુષાર્થ; ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદો નહિ આત્માર્થ.” – શ્રીમદ્ રાજચંદ્ર આપને પશ્ચાત્તાપપૂર્વક લખેલ ક્ષમાપનાપત્ર મળે છે. એવા ભાવ પરમકૃપાળુદેવ પ્રત્યે વારંવાર કરતાં જીવને અંતરંગ બળની પ્રાપ્તિ થાય તેમ સમજાય છે. Page #777 -------------------------------------------------------------------------- ________________ ૭૫૨ બેધામૃત “અધમાધમ અધિક પતિત, સકળ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શુંય ?” પરમકૃપાળુદેવે સત્સાધનરૂપે “વીસ દોહરા”, “ક્ષમાપનાને પાઠ” અને “યમનિયમનું આપણને અવલંબન આપ્યું છે, તેનું સામર્થ્ય આવા અવસરે વિશેષ સમજાય છે અને તે આલંબન દઢ રીતે ગ્રહણ કરી પરમાર્થ પંથ કાપવામાં ત્વરા મળે છે. હું ધારું છું કે તમે જે આ પ્રસંગને લાભ લઈ ભક્તિમાં કાળ ગાળતાં વિશેષ શીખો તે આત્મવીર્યની વિશેષ વૃદ્ધિ કરી આગળ આવી જશે. “નિર્વ જે વસ્ત્ર રામ’ એમ તુલસીદાસ મહાત્માએ ગાયું છે તથા પતિતપાવનના નામથી પ્રખ્યાત છે તેવા સદ્દગુરુનું શરણું “પંગુ ગિરિ ચઢી જાય તેવું બળદાયક છે. નિરાશાને ભજવા ગ્ય તમે નથી. “ખેદ નહીં કરતાં શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં એક્ષપાટણ સુલભ જ છે.”(૮૧૯) એને વારંવાર વિચાર કરી તેને આશય હદયગત કર્તવ્ય છે. મુશ્કેલીઓ જ જીવને ઘડે છે. ઘડાની ઉત્પત્તિનું દૃષ્ટાંત તમે સાંભળ્યું હશે. એક નિરાશ થયેલા શિષ્યને ઘડે કહ્યું – “મને મારા સ્થાનમાંથી તીક્ષ્ણ હથિયારથી ઉખેડી, ગધેડે ચઢાવી પ્રારબ્ધ કુંભારને ત્યાં નાખ્યો. તેણે પાણે તથા ગધેડાનાં લીંડાંથી મારી કદર્થના કરી, પગથી ગૂંઘો, હાથથી મસળે, પછી એક પિંડ બનાવી ચાક પર ચઢાવી ભમાવ્ય, અનેક આકારે કરી કરી ભાંગી નાખી અંતે ઘડાના આકારે કરી ચાક ઉપરથી ગળું છેદે તેમ દોરાથી કાપી તડકે મૂક્યો. કંઈક હું ઠર્યો કે પાછા ટપલા મારા ઉપર પડવા મંડયા અને અત્યારનું રૂપ થયું. એટલે મને તાપે સૂકવ્યું. તેથી સંતોષ ન પામતાં વળી અગ્નિના નિભાડામાં મને મૂકી ઘણા દિવસ તાપમાં રાખે. આખરે તેમાંથી કાઢી ટકેરા મારી, સાજો રહ્યો છું એવી પરીક્ષા કરી મને જુદો રાખે અને ગધેડે ચઢાવી બજારમાં આણ્યો. ત્યાંથી આ સંતના હાથમાં આવ્યા ત્યારથી અમૃત (પાણી) ભરી રાખવાનું ભાજન બને છું. તેથી મુશ્કેલીઓથી હે ભાઈ! ગભરાવા જેવું નથી. મુશ્કેલીમાં મારું વૃત્તાંત યાદ કરજે તે તું ઉત્તમ ગતિને યુગ્ય થઈશ.” ૯૩૮ અગાસ, તા. ૧૩-૭-૫૨ તત્ સત્ અષાડ વદ ૭, ૨૦૦૮ આપ આગળ વધવાના પુરુષાર્થમાં છે તથા દોષને દોષ જાણી તે દૂર ન થતાં સુધી ચેન ન પડે તેવી ભાવના લખાયેલી જાણી સંતોષ થયે છેજ. દોષના દૌરમ્ય દુષ્ટપણ)થી નાહિંમત થવા ગ્ય નથી. સતત પુરુષાર્થ એ જ આપણા હાથની વાત અને હથિયાર છે તેને અવસર જઈ વાપરતા રહેવું ઘટે છે. કેઈ વખતે કર્મનું બળ વિશેષ જોવામાં આવે છે, તે કઈ વખત આવરણના મંદ ઉદયે આત્માનું બળ વિશેષ જોવામાં આવે છે. તે જ્યારે આત્મા બળવાન જણાય તે વખતે પુરુષાર્થ ચાલુ રાખ્યું હોય તે તેનું ચમત્કારી ફળ પ્રગટ જોવામાં આવે છે. નિરાશ થનાર તે લાગ ચૂકી જાય છે. કર્મ પ્રત્યે શત્રુભાવ તે ભૂલ નથી એ લક્ષ રાખવા યોગ્ય છે. એ (કર્મ) આપણને પ્રહાર કરવા નથી ચૂકતું તે આપણે પણ લાગ શોધતા રહેવું અને અવસરે એ ફટકો લગાવ કે તે ઊંચું માથું કરી ન શકે. ટૂંકમાં કહેવાનું કે – "जब जाको जैसो उदय, तब सो हैं तिहि थान। शक्ति मरोडे जीवकी, उदय महा बलवान ।। -बनारसीदास Page #778 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૭૫૩ मुक्तिगढ कायम ही करना, लही श्रीमद् सद्गुरु-सरना । सज्जन, सत्य मान कह्या मेरा, वैरी बीच वास भया तेरा ।। આપને વિચારવાને આ લખ્યું છે. આપ તે વિચારવાનું છે તેથી સમજે છે કે પુરુષાર્થ અને તેમાં સપુરુષાર્થ એ જ પરમાર્થ પ્રાપ્તિનું કારણ છે. તે કર્મના હઠીલા સ્વભાવથી નહીં કંટાળતાં “શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં એક્ષપાટણ સુલભ જ છે.” તે વારંવાર હૃદયમાં રાખી કર્મને નિર્મૂળ કરવાં છે એ લક્ષ ચૂકવા ગ્ય નથી. ભોગવીને કર્મથી છૂટવાની વૃત્તિ ભૂલભરેલી છે. ભેગવતાં સમભાવ રહે મહા દુર્ઘટ છે, તૃષ્ણ વધે છે અને કર્મ બળવાન થાય છે. માટે ભેગ પહેલાં, ભેગ વખતે અને પછીથી પશ્ચાત્તાપ ન ચુકાય એ જ ખરે પુરુષાર્થ કે વૈરાગ્ય છેજી. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૯૩૯ અગાસ, તા. ૧૫-૭-પર તમે ‘ઉદાસીનતા વિષે પૂછ્યું તેને અર્થ પરમકૃપાળુદેવે સમતા કર્યો છે અને તે થવાનું કારણ સપુરુષની ભક્તિમાં લીન થવાને ઉપાય જણાવ્યું હોય એમ લાગે છે. જગત પ્રત્યે વૈરાગ્ય ઉપશમદષ્ટિ થયે ભક્તિ પણ યથાર્થ થાય છે અને સમભાવ પ્રગટે છેજ. * શાંતિઃ અગાસ, તા. ૧૬-૭-૫૨ તત્ છે સત્ અષાડ વદ ૧૦, ૨૦૦૮ વિ. આપને પત્ર પ્રાપ્ત થયો છેજ. બીજે બેટી થશે અને જે શીખવાનું મળશે તે કરતાં મોટા પુસ્તકમાંથી જે જાણવાનું મળશે તે અલૌકિક અને આત્મહિતકારી વિશેષ થઈ પડશેજી. જેણે આત્મા નથી જાણે તે ગમે તેવી કથા કરે પણ સાંભળનારમાં વીતરાગતા, નિર્મોહીપણું પ્રગટાવી ન શકે; અને જેણે આત્મા જાયે છે તે પુરુષનાં શેડાં વચને પણ પ્રત્યક્ષ સપુરુષતુલ્ય જાણી ઉપાસવામાં આવે તે જગતનું વિસ્મરણ થાય અને આત્મા તરફ વૃત્તિ વળે, ઠરે અને ભાન પણ પ્રગટે. માટે દર્શન કરવા જવું હોય તે જવું, પણ બીજે પરિચય રાખવા લાયક નથી. કારણકે તે શ્રીમદ્ રાજચંદ્ર સંબંધી અભિપ્રાય આપે, પણ તેમણે તમારા જેટલું પણ શ્રીમદ્દનું સાહિત્ય વાંચ્યું ન હોય, કહેતાકહેતી વાત કરે તેમાં કંઈ માલ નથી. ત્યાં જઈ ચઢે અને વખતે બેસવું પડે તે વૈરાગ્ય જેવું સાંભળવાનું હોય તે તેમાં લક્ષ દે, નહીં તે રાજાની કથાઓ વગેરેમાં ખોટી થવા જેવું નથી. અને તે ઊઠી નીકળવું અને ન ઊઠી શકે તે મંત્રમાં મન રાખી તેટલે કાળ કાઢી લેવું અને ફરી તેવા પ્રસંગમાં ન અવાય તેમ કરવાથી અસત્સંગથી બચી શકાય. મધ્યસ્થતા, નિર્મોહીપણું, સમભાવ તેવા પ્રસંગમાં મળવા દુર્લભ છે. ૩% શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૧૭–૭-પર મનની ચંચળતા સંબંધી તમે લખ્યું તે બરાબર છે, પણ જેમ વૈરાગ્ય, ઇદ્રિયજય અને એકાંતસહ સદ્ભુતનું સેવન થશે તેમ તેમ સ્થિરતા મનની થવાયેગ્ય છે. “અલ્પ આહાર, અલપ વિહાર, અ૯૫ નિદ્રા, નિયમિત વાચા, નિયમિત કાયા અને અનુકૂળ સ્થાન એ મનને વશ કરવાનાં ઉત્તમ સાધન છે.”(૨૫) જણાવ્યા પ્રમાણે લક્ષ લેશોજી. » શાંતિઃ 48 ૪૧. Page #779 -------------------------------------------------------------------------- ________________ ૭૫૪ બધામૃત અગાસ, તા. ૨૬-૭-૫૨ શ્રાવણ સુદ ૩, શનિ, ૨૦૦૮ આપને પત્ર મળ્યો. વાંચી આપને અશાતા વેદનીય કર્મના ઉદયે અચાનક દુઃખ આવ્યું તે જાણ્યું. તેવા પ્રસંગે આર્તધ્યાનમાં વૃત્તિ ન જાય એમ મુમુક્ષુ જીવ કાળજી રાખે છે. ધર્મધ્યાન થવાનું સાધન મંત્ર પરમકૃપાળુદેવની પરમકૃપાથી મળે છે તે આત્મા મળ્યો છે એમ જાણી તેને વીલે મૂકવા ગ્ય નથી. એક એક બેલના અવલંબને ઘણા ભદ્રિક જી તરી ગયા છે. તે આપણે પણ તેવી આત્માની દયા લાવી, નહીં જોઈતી પારકી પંચાતમાં નહીં પડતાં આત્માને સંભાળ ઘટે છેજી. જેણે તેમ કર્યું છે તેને મરણ સમયે તે જ મુખ્યપણે આગળ તરી આવે છે એમ આપણે પ્રત્યક્ષ જોયું છે, તે હવે કોઈ કેઈનું નથી, આ જીવ કરશે તે જ તેનું કલ્યાણ થશે એમ વિચારી, તે જ સાધનમાં રાતદિવસ આટલે ભવ રહેવું છે એમ નિશ્ચય કરી, તે પ્રમાણે દઢતાપૂર્વક વર્તવું ઘટે છેજ. ઘણું જ સાંભળ્યું છે, પણ સાંભળ્યું ન સાંભળ્યું કરી નાખ્યું છે, તે હવે દાઝ ઊંડી રાખીને આત્માનું કામ પહેલું, પછી પૈસાટકા કે ખાવાપીવાની તકરારો એમ મનને સમજાવી તેવા વાતાવરણમાંથી નાસી છૂટવા જેવું છેજ. કાળને ભસે નથી. લીધે કે લેશે એમ થઈ રહ્યું છે. ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૨૯-૮-પર આપને ક્ષમાપનાપત્ર ભક્તિભાવભર્યો આવ્યો તે વાંચી સંતોષ થયો છેજ. જેના હદયમાં ભક્તિનું બીજ હશે તેનાં વચનથી જ બીજાને ભક્તિભાવ પ્રગટશે. ચાર-પાંચ દિવસની માંદગી ભેગવી પૂ. ગુણચંદ્રજી મહારાજે ભાદરવા સુદ ૭ને રાત્રે ૯ વાગ્યે દેહ છોડ્યો છેજ. અચાનક આમ મરણ આવી પહોંચે છે તે જોઈ વૈરાગ્ય પામી ચેતવા જેવું છેજ. શાંતિપૂર્વક તેમણે આખરની વેદની સહન કરી છે અને પ. પૂ. પ્રભુશ્રીજીએ કહેલું કે આશ્રમમાં દેહ છૂટે તેનું સમાધિમરણ થશે તે તેમણે સાબિત કરી બતાવ્યું છે. આખી જિંદગીના ભાવેની રહસ્યભૂત મતિ મરણ વખતે વર્તે છે. તેથી પહેલાં જે જે સારા શ્રદ્ધાના ભાવે કર્યા હોય તે આખરે ઉપર આવી જીવને બચાવી લે છે. આપણે પણ સમાધિમરણ અર્થે પ્રમાદ તજી વિશેષ કાળજી રાખવી ઘટે છે. તે માટે જેટલે શ્રમ વેઠયો હશે તે લેખે આવશે. માટે જગતને રૂડું દેખાડવા કરતાં પિતામાં સહનશીલતા, ક્ષમા, વૈરાગ્ય, ભક્તિ તથા સમાધિભાવ વર્ધમાનતાને પામે તે પુરુષાર્થ આ દેહે કર્તવ્ય છે જ. આવા પ્રસંગે આપણને ચેતવણી આપે છે, જાગૃતિ પ્રેરે છે અને શિથિલતા તજી દઢ આશ્રયભક્તિની વૃદ્ધિ કરી કલ્યાણ તરફ દોરે છે. # શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૧-૯-૫૨ આ સંસારી બાબતે પૂર્વના પ્રારબ્ધ પ્રમાણે બન્યું જાય છે. દાંત છે તેને ચાવણું મળી રહે છે. તેની ન જોઈતી ફિકરમાં જીવ બળી રહ્યો છે તેને શાંતિ મળે તેવા સત્સંગની જરૂર છે. આત્મહિતનું કામ ઘણું ભવથી જીવ ધકેલતે આવ્યું છે. આ ભવમાં લાગ આવ્યું છે, તે નહીં સાધી લે તે કયા ભવમાં પછી બની શકશે? Page #780 -------------------------------------------------------------------------- ________________ પગસુધા ૭૫૫ ૫ અગાસ, તા. ૩-૯-પર મોક્ષમાળાને વિવેક વિષેને પાઠ મુખપાઠ થયે રેજ ફેરવવાને, વિચારવાને અને તેવા વિવેકની પ્રાપ્તિને પુરુષાર્થ કરતા રહેવા ભલામણ છે. ડું વંચાય કે મુખપાઠ થાય તેની હરકત નહીં, પણ જે કંઈ વંચાય તેને વિચારી રહ્યા કરે અને વિચારેલું અનુભવમાં આવતું જાય તેવા ભાવ કર્યા કરવાની જરૂર છે. સત્સંગની ભાવના નિરતર કર્તવ્ય છે, તે યુગ મળી આવે સત્સંગતિ સેવવા યોગ્ય છે.જી. મૂંઝવણના પ્રસંગમાં સ્મરણ એ ખરી દવા છે અને માથે મરણ ભમે છે તેને વિચાર કરી મનુષ્યભવ છે ત્યાં સુધી સદ્ગુરુશરણે આત્મહિત સાધી લેવું ઘટે છેજી. આર્તધ્યાન કેઈ પ્રકારે કરવા ગ્ય નથી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૯-૯-૫૨ સર્વને ધમૅ સુશર્ણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણ; અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કોઈ ન બાંહ્ય હશે.” તીર્થ શિરોમણિ પરમપાવનકારી સત્સંગધામ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસથી લિ. સપુરુષના ચરણકમળની સેવાને ઇચ્છક બાળ ગોવર્ધનના જય સદ્ગુરુવંદન સ્વીકારવા વિનંતી છે. વિ. તમારે પત્ર મળે. તમારા સગા અત્યંત વૃદ્ધ છે તેમના વિશે આપે લખ્યું તે વાંચ્યું. તેમને સાત વ્યસન અને સાત અભક્ષ્યની વાત કરશે અને તેમનાથી જેટલાને ત્યાગ થાય તેટલાની પ્રતિજ્ઞા પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ વંદન કરી લેવાનું કહેશે. “હે પ્રભુ! હે પ્રભુ! શું કહ્યું? દીનાનાથ દયાળ” આ કડી પૂરી કે અર્ધા જેટલી તેમની સ્મૃતિમાં રહે તે બેલ્યા કરે એમ જણાવ્યું છે, તે મારે મંત્રતુલ્ય છે એમ તેમણે ગણવા યોગ્ય છે. થોડી વાર તેમને બોલાવશે. તે મુખપાઠ ન થાય એમ લાગે તે “હે પ્રભુ! હે પ્રભુ!” એટલું બેલે તે પણ ચાલશે. હાલ એ જ. બીજું તમે લખ્યું તે વહેલું લખવું જોઈતું હતું, પણ બનનાર તે ફરનાર નથી એમ ગણી નીચેની કડી લક્ષમાં લેશે – "कबीरा तेरी झोपडी, गलकट्टेके पास; ___ करेगा सो भरेगा, तू क्युं भया उदास ?" આપણે આપણે મનુષ્યભવ સફળ કરવા કમર કસીને મંડી પડવા યોગ્ય છે. જગતનું વિસ્મરણ કરી જ્ઞાનીના ચરણમાં મનને લીન કરવાનું પરમકૃપાળુદેવનું વચન લક્ષમાં રાખવું ઘટે જી. પોપકારનું કામ કરવાને યોગ કે સંઘ-સેવા કરવાને વેગ મહાભાગ્યે મળે છે તે છેડી દેવામાં લાભ નથી. લેક મૂકે પિક. આપણું સંભાળવું. અગાસ, તા. ૧૫-૦-૫૨ તત્ સત્ ભાદરવા વદ ૧૧, ૨૦૦૮ તમને વાંચતાં નથી આવડતું એ એક ખામી છે. વાંચતાં શીખવનાર કોઈ બાઈ, ભાઈ મળે તે તેની પાસેથી વાંચતાં શીખવાની ભાવના હોય તે તે શીખવા ગ્ય છે. પરત કઈ સ્તુતિ, પ્રતિક્રમણ વગેરે ગોખવાનું કહે તે કરતાં, જે આજ્ઞા મળી છે તેટલા પાઠ સુખપાઠ કરી મંત્રનું સ્મરણ-જાપ વિશેષ વિશેષ થાય તેમ કર્તવ્ય છે. જેને મતને આગ્રહ Page #781 -------------------------------------------------------------------------- ________________ ૭૫૬ મેધામૃત હાય તેવાના કુસ’ગથી જીવને ખાટા આગ્રહેા પકડાઈ જાય છે ને તેથી જીવ લાગે છે. માટે ખાઈના સંગ કરતાં પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ વધારે હિતકારી છેજી. કૃપાળુદેવનાં પદ્મ શીખવાં. કલ્યાણ માનવા માળા ફેરવવી એ ૯૪૮ તત્ સત્ છપદને પત્ર તમે કઉંઠસ્થ કર્યાં અમૂલ્ય છે. રાજ લક્ષ જવાનું રાખશેા, તથા શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર સુખપાઠ કરતાં પહેલાં સિદ્ધિશાસ્ત્ર પ. પૂ. પ્રભુશ્રીજીને મેાકલી તે સાથે મેકલેલા છે, તે આત્મસિદ્ધિ મુખપાઠ કરવા ભલામણ છેજી. આસા વદ ૧ને દિવસે છે. તે દિવસ પ. પૂ. પ્રભુશ્રીજીની જન્મતિથિના પણ છે. તે દિવસે અહીં શ્રી આત્મસિદ્ધિની એક ગાથા એટલી પરમકૃપાળુદેવને એક નમસ્કાર કરાય છે, બીજી ગાથા ખેલી ક્રી નમસ્કાર કરવા, એમ ૧૪ર ગાથાના ૧૪૨ નમસ્કાર બધા કરે છે તે તમે જોયું હશે. વખત મળે ત્યારે અગાસ, તા. ૨૦-૧૦-૧૨ આસા સુદ ૮, શનિ, ૨૦૦૮ રાખીને એક વખત ખેલી પત્રાંક ૭૧૯ શ્રી આત્મમુખપાઠ કરી પછી શ્રી શ્રી આત્મસિદ્ધિ લખાઈ દિવસે તેવી ભક્તિ કરવા ભલામણ છેજી. નમસ્કાર કરતાં સુધી તે ગાથાના વિચારમાં ચિત્ત રહે અને ધર્મધ્યાન થાય તે અર્થે પ. પૂ. પ્રભુશ્રીજીએ એ પ્રથા શરૂ કરેલી છેજી. ભક્તિભાવ વમાન કરતા રહેશે। તથા સદાચાર, સ`પ, ઉદ્યોગ, ક્ષમા આદિ ગુણેા પ્રાપ્ત કરતા રહેવા ભલામણુ દેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૯૪૯ “પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન; પાત્ર થવા સેવા સદા, બ્રહ્મચર્ય મતિમાન.’’ અગાસ, આસા ૧૬ ૮, ૨૦૦૮ શ્રીમદ્ રાજચંદ્ર મારી સલાહ તે આપને પ્રથમ આશ્રમમાં રહી સત્સંગ કરવા વધારે વખત મેળવવાની છે. જો પ્રથમ દૃઢ શ્રદ્ધા થઈ હશે તે ચિત્રપટ વગેરે રાખેા તા ઠીક છે; નહીં તેા ધર્મીમાં દૃઢતા ન હાય, આચરણમાં માલ ન હોય તે પરમકૃપાળુદેવને વગેાવવા જેવું થાય. માટે સદાચારમાં દૃઢ થતાં શીખેા. તે અર્થે સત્સંગ કન્ય છેજી. તમને મંત્ર મળ્યા છે તેમાં નવકાર આવી જાય છે. તે વિષે અહીં આવેા ત્યારે રૂબરૂમાં પૂછવા ભલામણ છેજી. આત્મકલ્યાણ કરવું હેાય તેણે લાંખાં લાંખાં વાકયો અને માટી મેાટી વાત કર્યે કઈ વળે તેમ નથી. સદાચાર ધના પાયા છે. ઝેર જેવા ઇંદ્રિયના વિષયેા લાગે તેવા વૈરાગ્ય પ્રગટ કરવા ઘટે છેજી. અંતરનાં પરિણામ શુદ્ધ થયા વિના કર્મ જાય નહીં, અટકે નહીં. માટે સત્સંગે બધું સાંભળવાનું મળશે, સમજીને વર્તવાનું પણ ખનશે; તેથી સત્સ’ગની ભાવના વિશેષ વિશેષ વધારી તે આરાધવા ભલામણ છેજી. ૐ શાંતિ: શાંતિ: શાંતિ: ૯૫૦ અગાસ, કાર્તિક સુદ ૧૧, ૨૦૦૯ સત્સંગના વિયેાગે જીવને સંસારમેહ વળગી પડે છે તે તમારા પત્ર ઉપરથી ખખર પડી. પત્રોમાંના પ્રશ્નોના ઉત્તરે લખવા અવકાશ નથી. માત્ર પત્રાંક ૫૧૦ વારંવાર મુખપાઠ કરવા આપ બન્નેને ભલામણ છેજી. Page #782 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૭૫૭ જે દાનબુદ્ધિથી એરડી વગેરે કરાવી આશ્રમને સોંપવામાં આવે છે તે મમત્વભાવ તજવા માટે છે. આશ્રમમાં મારું મકાન છે એ ભાવ સ્વપ્ને પણ આણવા જેવા નથી. મુમુક્ષુએ તે જમણે હાથે દાન કર્યું હાય તે ડાખા હાથ ન જાણે તેવી ત્યાગભાવના રાખવા યોગ્ય છે. પેાતાના વારસને તેના હક છે એમ જણાવનાર ભૂલ ખાય છે, જેને પેાતાનું મકાન ન હાય તેને પણ અહીં આવનારને મકાન રહેવા મળી રહે છે. આજ સુધી તમને પણ મળી રહેતું અને હવે તમને અને તમારા વારસને નહીં મળે એવી ફિકર તમને પેઠી છે? કે તે જ મકાન તમારે કે વારસે વાપરવું એવું વીલમાં લખ્યું છે? આ તે તમારું મમત્વ હૃદયમાંથી દૂર થવા લખ્યું છે, ઠપકો નથી. સત્સ`ગમાં નહીં અવાય એવી કલ્પના પણ સેવવા યાગ્ય નથી. પણ આશ્રમમાં દૈહ છૂટે તે સમાધિમરણનું કારણ મને અને એવા લક્ષ, ભાવના કર્યા કરવી ઘટે છેજી. સમાધિમરણ સિવાય બીજા વિચારા આત્મઘાતક છે એમ વિચારી વૃદ્ધ અવસ્થામાં, મહાભ્યાધિના ઉદયમાં મુમુક્ષુ જીવે જાગ્રત જાગ્રત રહી આત્મભાવ પાષવા ઘટે છે. ક્લેશકારી પત્નીના વિયાગથી શાંતિ લેવાનું ભૂલી ખીજી ઉપાધિ વધારે તે વિચારવાન ન કહેવાય. ૐ શાંતિઃ ૯૫૧ અગાસ, સં. ૨૦૦૯ તમારી ભાવના સત્સ`ગની રહે છે. લક્ષ્મીનું સ્વરૂપ પરમકૃપાળુદેવે “મેાક્ષમાળા’’ના ‘ખરી મહત્તા' વિષેના તથા ‘પરિગ્રહ' વિષેના પાઠમાં વર્ણવ્યું છે. તે વારંવાર વિચારી તે ક્દમાંથી નિવૃત્તિ કેમ પ્રાપ્ત થાય, તેના વિચારમાં રહેવું યેાગ્ય છેજી. પૂણિયા શ્રાવકની વાત તમે સાંભળી હશે. રાજ એ આનાની કમાણીમાંથી બે જણના નિર્વાહ ચલાવવાનું તે કરતા અને કઈ બચત કરી ફૂલ ખરીદી ભગવાનની પૂજા કરતા. સામાયિક (બે ઘડી આત્મવિચાર-ધ્યાન) એવું કરતા ભગવાને શ્રેણિક રાજાને કહ્યું કે તેની એક સામાયિકનું ફળ તને મળે તે તું નરકે જતા અચે. એટલે એક સામાયિકત્રત યથાયેાગ્ય થાય તે તેનું પુણ્ય એટલું હોય છે કે તે ભાગવવાનું સ્થાન દેવલાક સિવાય બીજું નથી. અત્યારે જે કમાણી દેખાય છે તે ‘ભિખારીના ખેદ્ય' વિષે ‘મેાક્ષમાળા'માં પાઠ છે તેના જેવી છે. તેમાં રાચવા જેવું નથી. છૂટવાની ભાવના દિવસે દિવસે વધમાન કરવી અને બંધન થાય તેવાં કથી કંટાળા જીવને આવે, સત્સ`ગ સાંભર્યાં કરે અને છૂટવા માટે ઝૂરા રહ્યા કરે તેમ કર્તવ્ય છે. ‘“તત્ત્વજ્ઞાન’”માં ‘પુરાણુ પુરુષને નમાનમઃ'ના મથાળાવાળા લેખ (૨૧૩) તથા પત્રાંક ૨૫ અને પ૭૨ વાર વાર વિચારવા તથા મુખપાઠ કરવા ભલામણ છેજી. તમારી મેકલેલી ચીજો દ્વારા તમે ભાવના કરી, પણ મને પેાતાને સ્વીકારવાથી બેજારૂપ હાવાથી લઈ શકયો નથી તે ક્ષમા કરશે. હવે નવું દેવું કરવા વિચાર નથી. પ. પૂ. પ્રભુશ્રીજીએ જરૂર પડે તે અર્થે સાધકસમાધિ ખાતેથી વાપરવા છૂટ આપી છે પણ વિલાસ અર્થે નહીં. ૯૫૨ તત્ સત્ આપના પત્ર મળ્યા. આપની ભાવના જાણી. પરમકૃપાળુદેવને શરણે જ્યાં પ્રારબ્ધાશ્રીન અદીનપણે વિચરવું થાય તે હિતકર સમજવું ઘટે છેજી. એક સાચું શરણું મળ્યું છે તેને તે અગાસ, તા. ૩૧-૧૦-૧૨ કાર્તિક સુદ ૧૩, ગુરુ, ૨૦૦૯ Page #783 -------------------------------------------------------------------------- ________________ ૫૮ બાધામૃત જગત પ્રત્યે “જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે” એવો લક્ષ રાખી નિસ્પૃહપણે વીતરાગને માર્ગે વર્તવું છે એવું હૃદયમાં દઢ રાખવાથી ચારિત્રબળ વર્ધમાન થઈ સમાધિમરણનું કારણ થાય. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, કાર્તિક સુદ ૧૪, ૨૦૦૯ સહજ સ્વભાવે પરમકૃપાળુદેવની કૃપાએ જે બની આવે તે જોયા કરવા જેવું છે.જી. સ્મરણની સૂચના લક્ષમાં લીધી છે એમ જાણુ સંતોષ થયો છે. સહનશીલતા, ક્ષમા, ધીરજ, સંતોષ, પરમપુરુષના ઉપકારનું મરણ, તેની હાજરી અનુભવવી આદિ સદ્દગુણ મુમુક્ષુ જીવે હદયગત કરી જાગ્રત જાગ્રત દશા વધારવી ઘટે છે. મરણ અવશ્ય આવનાર છે તે ભૂલવા ગ્ય નથી, તેની તૈયારી કરી રાખવી ઘટે છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૯૫૩ ૫૪ અગાસ, કાર્તિક સુદ ૧૪, ૨૦૦૯ આપનું કાર્ડ મળ્યું હતું. મુંબઈ દવા માટે આમંત્રણ આપ્યું તે બદલ ઉપકાર માનું છું, પ્રભુ તેવા અનાર્ય જેવા વાતાવરણમાં ન લઈ જાય એવી અંતરની ઈચ્છા છે. હવે તે સમાધિમરણને અનુકૂળ એવાં નિમિત્તો મળ્યા કરે એવી જ ભાવના રહ્યા કરે છે. કરાળ કાળ છે. કરાળ કર્મો છે. તેમાં સારી ભાવના અને સદ્વર્તન જ્ઞાનીની આજ્ઞાએ થાય એ જ કર્તવ્ય છે. જ્યાં ત્યાંથી આત્માને કલેશનાં કારણથી છૂટી જાય અને પરમકૃપાળુ પ્રભુશ્રીજીએ ફરસેલી ભૂમિમાં તેની આજ્ઞામાં આત્માથે રહેવાય તેવી ભાવના કર્તવ્ય છે. આપે તે ઘણે સત્સંગ સેવ્યો છે, તેને રંગ લાગે છે, તે હવે તેના ઉપર આવરણ ન આવે અને તે રંગે રંગ વળે જાય તેમ કરતા રહેવા ઉત્તમ અનુકૂળતા પ્રાપ્ત કરતા રહેવા વિનંતી છે જી. એ ૯૫૫ અગાસ, તા. ૨૧-૧૧-પર માગશર સુદ ૪, ૨૦૦૯ જીવ પુરુષાર્થ કરે તે મનુષ્યભવમાં સત્સંગને વેગ મેળવી શકે તેમ છે. સત્સંગ જેવું કલ્યાણનું કારણ બીજું ગમે તેવું સારું લાગતું હોય તે પણ તે ગૌણ કરી સત્સંગ ઉપાસવાની પરમકૃપાળુદેવની શિક્ષા છે તે લક્ષમાં રાખવા ભાવના કરવા લખ્યું હતું, બાકી તે પુણ્યના વેગ પ્રમાણે બને છે. ભક્તિ, સ્મરણ, મુખપાઠ કર્યું હોય તે લક્ષ રાખી ધર્મધ્યાન કરતા રહેવા તથા શાંતિ આત્માને વર્તે તેમ વર્તતા રહેવા ભલામણ છેજી ૯૫૬ અગાસ, તા. ૨૬-૧૨-૫૨ આપને પત્ર મળે. સમાચાર જાણ્યા. તમારાં માતુશ્રીને કંઈ ભાન નથી એટલે શું કહેવું તે સમજાતું નથી. પણ ચિત્રપટનાં દર્શન કરાવતા રહેવું અને મંત્રનું સ્મરણ તેમની આગળ બને તેટલું ચાલુ રાખવું. આપણને લાભનું તે કારણ છે. માતાની સેવા એ પુત્રની પ્રથમ ફરજ છે. તેમના ભાવ ફરે અને મંત્રમાં ચિત્ત જાય કે દર્શન કરવામાં કાયાની પ્રવૃત્તિ થાય તે પણ લાભકારક જ છે. આવા પ્રસંગે આપણને વૈરાગ્યનું કારણ છે. “મૃત્યુનું આવવું Page #784 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૭૫૯ અવશ્ય છે (૫૮૮) એમ પરમકૃપાળુદેવનું વચન છે તે લક્ષમાં રાખી મંત્રના સ્મરણમાં આપણું ચિત્ત રાખીશું તે જરૂર લાભ થશેજી. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ - ૫૭ અગાસ, તા. ૨૭-૧૨-પર માંદગી દરમિયાન દેહાધ્યાસની પરીક્ષા થાય છે. જે દેષ દેખાય તે દૂર કરવા અસંગ ભાવનાની વૃદ્ધિ થાય તેવા પુરુષાર્થ પ્રત્યે વલણ થાય તેમ નિશ્ચય કર્તવ્ય છે. ખરો ધર્મ પરમકૃપાળુદેવે કહ્યો છે તે એ છે– “છૂટે દેહાધ્યાસ તે, નહિ કર્તા તું કર્મ; નહિ લેતા તું તેહને, એ જ ધર્મને મર્મ. એ જ ધર્મથી મેક્ષ છે, તું છે મેક્ષસ્વરૂપ; અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ.” એ જ ભાવના વહ્યા કરે તેમ વર્તવા ભલામણ છેજ. શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૫૮ નાસિક રેડ, તા. ૨૨-૧-૫૩ તત્ સત્ મહા સુદ ૭, ૨૦૦૯ “ઈચ્છા વર્તે અંતરે, નિશ્ચય દઢ સંકલ્પ મરણ-સમાધિ સંપજે, ન રહે કાંઈ કુવિકલ્પ.” વિ. આપનાં કાર્ડ મળ્યાં છે. હાલ ચારેક દિવસથી અહીં હવાફેર માટે આવવું થયું છે. તબિયત હજી નરમ રહ્યા કરે છે. આપની પરમકૃપાળુદેવના શરણની ભાવના પણ જાણી સંતેષ થયે છે. પરમકૃપાળુદેવના આશ્રિતનું તે કલ્યાણ જ થવા ગ્ય છે. સહનશીલતા, દયા, શાંતિ, સમતા, ક્ષમા એ સમાધિમરણ વખતે મિત્રતુલ્ય છે. “ઉપગ શુદ્ધ કરવા આ જગતના સંકલ્પ-વિકલ્પને ભૂલી જજે.” (૩૭) એમ પરમકૃપાળુદેવે કહ્યું છે, તથા “પરમશાંતિપદને ઈચ્છીએ એ જ આપણે સર્વ સંમત ધર્મ છે” (૩૭) એ લક્ષમાં રાખી જ્ઞાનીને શરણે બુદ્ધિ રાખી નિર્ભયપણાને અને નિઃખેદપણને ભજવાની શિક્ષા માન્ય કરી આનંદમાં રહેવા ગ્ય છેજ. કઈ પણ કારણે આ સંસારમાં ફ્લેશિત થવા યોગ્ય નથી. આત્મવિચારમાં રહેવા ભલામણ છે. આપણું કંઈ નથી. પરમકૃપાળુદેવની કૃપાને પાત્ર થઈએ એ જ ભાવના, મંત્રસ્મરણ અંતપર્યંત કર્તવ્ય છે. શાંતિઃ શાંતિઃ શાંતિઃ નાસિક રેડ, મહા સુદ ૧૪, ૨૦૦૯ વાંચવાનું, ગેખવાનું, મુખપાઠ કરેલું ફેરવવાનું કરવા ઉપરાંત વિચાર કરવાનું શીખવાનું છે. રોજ એકાદ પત્ર વિચાર કરવા રાખવે ઘટે છેજ. આખા દિવસમાં જ્યારે પાંચ-પંદર મિનિટ મળે ત્યારે તે પત્ર સંબંધી વિચાર કરે છે એમ રાખવું, અને બને તે સૂતાં પહેલાં તે પત્ર વિષે કંઈ નવી વિચારણા કે જીવનમાં સુધારણા કરવાની સકુરણું વગેરે થાય તેની નેધ રાખતા જવાથી એક પ્રકારે પિતાને જીવન-વિકાસ કે ફેરફારને ક્રમ સમાજમાં આવે તેવું બને. Page #785 -------------------------------------------------------------------------- ________________ ૭૬૦ બેધામૃત નાસિક, તા. ૨૮–૧–૫૩ તત્ ૐ સત મહા સુદ ૧૪, બુધ, ૨૦૦૯ સમાધિ પાન તમે બધા સાથે વાંચે તે સારું, કેમ કે એકલાં કરતાં સત્સંગમાં વંચાય તે વધારે સારું સમજાય, એકબીજાને પુછાય અને ચર્ચા થાય તે જેણે સત્સંગમાં કંઈ સાંભળ્યું હોય તે જાણવા મળે. ચિ. વસુમતીના પ્રશ્નનો ઉત્તર સમજાય તેમ લખું છું. કઈ પૂછે કે તું કેણ છે? તે તું શું કહે ? વસુમતી. પણ હાથ વસુમતી? આંખ વસુમતી? પગ વસુમતી ? તું કહે કે બધુંય વસુમતી. તે મરી જાય ત્યારે બધુંય પડ્યું રહે છે, તેને ઘરમાં કોઈ રાખતું નથી, બાળી નાખે છે અને અત્યારે ઘરથી કાઢી મૂકતા નથી તેનું કારણ શું? તું કહે કે અંદર જવ છે તે જતું રહે છે, પછી બાળી નાખે છે તે તે જીવ વસુમતી કે દેહ વસુમતી ? બીજે જીવ જન્મ ત્યારે વસુમતી તરીકે કોઈ નહીં ઓળખે, બીજું નામ પાડશે; તે જીવ પણ વસુમતી ન નીકળે. આમ હું કોણ છું? તેને વિચાર જીવે નથી કર્યો. પિતાનું સ્વરૂપ જ્ઞાન એટલે જાણવું, દર્શન એટલે શ્રદ્ધા કરવી અને ચારિત્ર એટલે સ્થિર થવું એ છે. તેનું ઓળખાણ નથી તે જ મોટી ભૂલ છે. તે જ ભૂલને લીધે દેહ તે હું એવું થઈ ગયું છે. દેહ દેખાય છે પણ દેખનારો દેખાતું નથી. તેને ઓળખવા જ્ઞાની પુરુષને શોધીને તેના ચરણકમળમાં સર્વ ભાવ અર્પણ કરી તેની આજ્ઞા આરાધે તે કોઈક દિવસે શુદ્ધ આત્માનું ભાન થાય તેમ છે. તેને વિચાર સમાધિ પાનમાં પાછળના પત્રમાં આવશે. તે વાંચવા-વિચારવા ભલામણ છેજ. શાંતિઃ ૯૬૧ . નાસિક રેડ, મહા સુદ ૧૫, ૨૦૦૯ અસાર અને ફસાવનાર એવા સંસારથી જેનું મન ઉપશમ પામ્યું છે, જડ વસ્તુઓથી નિરંતર ઉદાસીનતા જેને વર્તતી રહે છે, સદ્ગુરુનાં વચને અમૃત તુલ્ય લાગે છે અને તેનું જ જેના આત્માને સદાય પિષણ મળ્યા કરે છે, તેને ધન્ય છે, સમકિત પામવાને તેવા જીવ યોગ્ય બને છે. મળેલી સામગ્રી લૂંટાઈ જતાં પહેલાં તેથી આત્મહિત સાધવા જે સપુરુષાર્થ કરે છે કે તેવી ભાવના રાખે છે તે મેક્ષમાર્ગ સમજી આરાધી શકે છે. માટે વર્તતી ભાવના વર્ધમાન થયા કરે અને અનાદિકાળથી વિસારી મૂકેલા આત્માની સંભાળ લેવાનું વિના વિલંબે બને તેવો પુરુષાર્થ તે સત્પરુષાર્થ છે. જગતની મોહિનીને ભય રાખી, સત્પરુષનાં વચનનું બખ્તર ધારણ કરી, શૂરા થઈ મેહની સામે સંગ્રામ કરવાને છે. તે કામ અલ્પ સમયમાં આરાધી લેવા યોગ્ય છેછે. કાળને ભરૂં નથી, લીધે કે લેશે એમ થઈ રહ્યું છે ત્યાં પ્રમાદ કર્તવ્ય નથી. પ્રમાદમાં વર્તતી રતિ ટાળી નિરંતર પ્રમાદ એ કરવાને લક્ષ સમજુ પુરુષે રાખે છે, તેમને પગલે પગલે ચાલવાની ભાવનાવાળા મુમુક્ષુઓ પણ પ્રમાદને વિશ્વાસ નહીં કરતાં સપુરુષાર્થની ભાવના રાખી બને તેટલું આત્મહિત સાધવા ઉદ્યમી રહે છે. જે શાંતિઃ નાસિક રોડ, તા. ૩-૨-૫૩ મહા વદ ૪, મંગળ, ૨૦૦૯ ભક્તિ ભલી ભગવંત તમારી, સૌ સાધનને સાર; પ્રેમ પ્રમાણે પ્રભુ પ્રગટાવે, ક્ષતણી નહીં વાર. Page #786 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા મહાપુરુષની મહેરથી, જાય જન્મ સંસાર; વહાણ વિષેના પહાણ પણ, પહોંચે દરિયાપાર. મંદાક્રાંતા – મંત્ર મં સ્મરણ કરતે, કાળ કાઠું હવે આ, જ્યાં ત્યાં જેવું પરભણું બૅલી, બોલ ભૂલું પરાયા; આત્મા માટે ર્જીવન જીવવું, લક્ષ રાખી સદા એ, પામું સાચે જીવન પલટે, મોક્ષમાર્ગી થવાને. (પ્રજ્ઞાબેધ-૭૪) પૂ.અને સત્સંગને વિશેષ ગ થયો નથી, પરંતુ પરમકૃપાળુ પ્રભુશ્રીજીનાં દર્શન તેમને થયાં છે અને તે કેગના ફળરૂપ મંત્ર આદિ આજ્ઞા તેમને પ્રાપ્ત થયેલ છે તે જ મહાલાભનું કારણ છે. “ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છેક” એમ જ વીસ દેહરામાં બોલીએ છીએ, તેમાં જણાવ્યા પ્રમાણે મરતાં સુધી જ્ઞાની પુરુષની આજ્ઞામાં રહેવું ઘટે છે. બીજું કંઈ ન બને તે આટલે લક્ષ રાખો. મને કંઈ ખબર નથી, જ્ઞાની પુરુષે આત્મા પ્રગટ કર્યો છે અને ઉપદે છે તે જ મારો આત્મા છે, આ દેહ દેખાય છે તે દુઃખનું પોટલું છે. દેહને લઈને સંસારમાં સુખ ભેગવાય છે એમ માન્યું હતું, તે તે બેટું નીકળ્યું. ઊલટું દુઃખ દેનાર અને આખરે છેતરનાર દેહ જણાય છે, માટે જ્ઞાની પુરુષોએ દેહથી જુદે, દેહમાં હોય ત્યાં સુધી સુખદુઃખ દેખનારે, પરંતુ પરમાનંદરૂપ આત્મા દીઠે છે, અનુભવ્યું છે તે શુદ્ધ, પરમ સુખનું ધામ એ આત્મા મારે માનો છે. તે માન્યતાથી જ મારા આત્માનું કલ્યાણ થાય તેવું છે. દેહને માનવાથી, દેહમાં જ બુદ્ધિ રાખવાથી અનંત ભવથી હું જન્મમરણ કરતો આવ્યો છું. પણ આ ભવમાં વિશ્વાસ કરવા ગ્ય પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રનાં વચને મને સાંભળવાનાં મળ્યાં, તે મહાપુરુષે મોક્ષને માર્ગ બતાવે છે તે મને ગમે, તેની આજ્ઞા મને મળી, તે છેલ્લી ઘડી સુધી મારે આરાધવી છે, તે મહાપુરુષને શરણે તેના મંત્રનું સ્મરણ કરતાં મારે દેહ છેડે છે આવી ભાવના વારંવાર હૃદયમાં લાવી મંત્રમાં જ મનને રોકી રાખવું. દુઃખ થાય કે તરત જ મનને દુઃખમાં જતું રેકી મંત્રમાં લાવવું, અને પરમકૃપાળુદેવે મારા જેવા રાંકને માટે આ મંત્રરૂપી હડી મને આપી છે તે છેડીને હે મન ! આ દુઃખના દરિયારૂપ દેહમાં કેમ કૂદી પડે છે ? તેમાં તારું શું કલ્યાણ થવાનું છે? એમ મનને સમજાવી જીભે “સહજાન્મસ્વરૂપ પરમગુરુ”નું રટણ કર્યા કરવું અને મનને બળ કરીને પણ તે મંત્ર તરફ વાળવું. પ. પૂ. પ્રભુશ્રીજીએ સં. ૧૯૮૯ના ભાદરવા સુદ ૧૩ને દિવસે કહેલું કે “અભવ્ય જીવને અગિયાર અંગ ભણ્યા છતાં સમક્તિ નથી તે આમ સમજવું. “દુઃખ આદિ પ્રસંગે જેનાર તે હું છું, કર્મફળરૂપ દુઃખ તે શરીરમાં છે એમ ભેદજ્ઞાન સદ્દગુરુ દ્વારા ન થયું, તેથી અગિયાર અંગને અભ્યાસ નિષ્ફળ થયે. દુઃખાદિ વખતે દેખનાર જુદે રહે તે સમકિત છે.” (ઉપદેશામૃતઃ પૃષ્ઠ ૩૩૯) આ વાત વારંવાર વિચારી દેહથી ભિન્ન આત્મા પરમકૃપાળુદેવે છે તે માટે માન છે, આ વાત ખાસ લક્ષમાં રાખવા યોગ્ય છે, અભ્યાસ કરવા ગ્ય છે, પકડ કરવા યોગ્ય છે. મરણના વિચારોથી ગભરાવા જેવું નથી. “સમાધિ-પાનમાંથી “મૃત્યુ-મહોત્સવ વારંવાર સાંભળી મરણને ડર દૂર કરવા યોગ્ય છે. જેને અવકાશ હોય તેણે તેમને મૃત્યુ-મહોત્સવ Page #787 -------------------------------------------------------------------------- ________________ ૭૬૨ બ્રાધામૃત સંભળાવવા યોગ્ય છે; ભક્તિ, મંત્ર વગેરે પણ સંભળાવવા યોગ્ય છે. આપણે પણ એક દિવસ એવો આવવાનું છે તે પહેલેથી તૈયારી કરી રાખી હોય તે આખરે મૂંઝવણ થાય નહીં અને સમાધિમરણનું કારણ થાય. ક્ષણવાર પણ સસાધન ભૂલવા જેવું નથી. જે શાંતિઃ ૯૬૩ નાસિક રેડ, તા. ૩–૨-૫૩ જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય, ઉત્તમ જહાં વિચાર એ ભાવે શુભ ભાવના, તે ઊતરે ભવપાર.” – શ્રીમદ રાજચંદ્ર તમે પૂછેલા પ્રશ્નોના ઉત્તર પત્રથી સમજાવા મુશ્કેલ છે, છતાં તમને સંતેષ થવા અર્થે ટૂંકામાં લખું છું. જીવને વૈરાગ્ય-ઉપશમની વૃદ્ધિ થયે તેની ગેડ બેસે તેમ છે.જી. મંત્રના સામાન્ય અર્થ : ૧. સહજત્મસ્વરૂપ એટલે કર્મથી જે વિકારી કે વિભાવરૂપ જીવનું સ્વરૂપ થઈ ગયું છે, તે વિભાવ ટળી કેવળ નિજસ્વભાવસ્વરૂપ થવું તે સહજત્મસ્વરૂપ છે, તે કેવળજ્ઞાનસ્વરૂપ છે; તેની જેમને પ્રાપ્તિ થઈ છે અથવા તે પ્રગટાવવા જે પરમ પુરુષાર્થ સેવે છે એવા પાંચ પરમગુરુ છે. શ્રી અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુવર્ગ. - ૨. પરમગુરુ એટલે ઉપર જણાવ્યા તે પાંચ પરમેષ્ઠી મહાત્મા બે વર્ગમાં વહેંચાયેલા છે. એક વિભાગ નિગ્રંથ મહાત્માઓને છે, તે સાધક છે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. બીજે, જેમની સાધના પૂર્ણ થઈ છે એવા સર્વજ્ઞ ભગવતે છેઃ અરિહંત અને સિદ્ધ. શ્રી અરિહંતને આયુષ્યાદિ ચાર કર્મ પૂરાં થતાં સુધી તે દેહધારી ભગવંતરૂપે દર્શન દે છે અને આયુષ્ય પૂર્ણ થયે સિદ્ધરૂપે બિરાજે છે. નિગ્રંથ એટલે જેમની મેહરૂપ ગાંઠ ગળી ગઈ છે, નિર્મોહી બન્યા છે. તે થે ગુણસ્થાનેથી, ખરી રીતે છટ્ટ ગુણસ્થાનેથી તે બારમા ગુણસ્થાન સુધીની દશાવાળા ગણાય છે. પછી તે કેવળજ્ઞાની, સર્વજ્ઞ બની મોક્ષે જાય છે. ૩. “આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે” એનો ભાવ પરમકૃપાળુદેવ પ્રભુએ જ આ પ્રમાણે દર્શાવ્યું છેઃ “શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવા નિગ્રંથમાર્ગને સદાય આશ્રય રહો. હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કેઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું એમ આત્મભાવના કરતાં રાગદ્વેષને ક્ષય થાય.”(૬૯૨) રાગદ્વેષને ક્ષય થયે કેવળજ્ઞાન થાય છે. ૪. જૈન એટલે રાગદ્વેષને જેણે ઉપર જણાવેલી ભાવનાએ જીત્યા, ક્ષય કર્યા અને કેવળજ્ઞાન પ્રગટાવ્યું તે જિનભગવંતે પ્રકાશ માર્ગ કે તે માર્ગે ચાલે તે જૈન કહેવાય છે. વેદાંતને અર્થ ચાર વેદરૂપ જ્ઞાન ભંડાર છે. તેની શરૂઆતના ભાગમાં મીમાંસા કે યજ્ઞયાગાદિ ક્રિયાકાંડનું વિવેચન છે અને અંતના ભાગમાં ઉપનિષદ્ આદિ જ્ઞાનમાર્ગનું વિવેચન છે. તે જ્ઞાનમાર્ગને વેદને અંત કે વેદાંતરૂપ કહે છે. ગ્યતા વધે તે બને માર્ગોને પરમાર્થ સમજાશે. હાલ આટલે શબ્દાર્થ સમજાશે તે પણ ઠીક છે. મતમતાંતરના ઝઘડામાં વૃત્તિ જતી અટકાવી આત્માર્થને લક્ષ રાખવા વિનંતી છેછે. કાળે કરીને જૈન અને વેદાંત બન્નેનું સ્વરૂપ પલટાઈ ગયું છે. પરમકૃપાળુદેવે કહેલું કે એક જૈન રેલની સડક સમાન છે અને બીજો વેદાંત તે સાથે Page #788 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૭૬૩ કાચી સડક મેટરના રસ્તા જેવો માર્ગ છે. બીજા ઉપરથી પહેલા ઉપર આવી શકતાં વાર લાગે તેમ નથી, તે લક્ષ રાખશોજી. છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ નાસિક રેડ, મહા વદ ૪, ૨૦૦૯ જેને કાળ તે કિંકર થઈ રહ્યો, મૃગતૃષ્ણાજળ શૈલેક, જીવ્યું ધન્ય તેનું દાસી આશા પિશાચી થઈ રહી, કામ ક્રોધ તે કેદી લેક, જીવ્યું ખાતાં પીતાં બોલતાં નિત્ય, છે નિરંજન નિરાકાર, જીવ્યું, જાણે સંત સલૂણું તેહને, જેને હોય છેલ્લે અવતાર, જીવ્યું જગપાવનકર તે અવતર્યા, અન્ય માત ઉદરને ભાર, જીવ્યું, તેને ચૌદ લેકમાં વિચરતાં, અંતરાય કઈયે નવ થાય, જીવ્યું, રિદ્ધિસિદ્ધિ તે દાસીઓ થઈ રહી, બ્રહ્માનંદ હદે ન સમાય, જીવ્યું” મનહરપદને અર્થ ટૂંકામાં તમે પુછાવ્યું તે લખ્યું છે. જે ચરમશરીરી મોક્ષગામી જીવ હોય તેની દશા મનહર નામના સંન્યાસીએ લખી છે. જેને મરણને ભય મટી ગયે તેને યમ કે કાળ શું કરી શકે? જગતમાંથી જેને કંઈ જોઈતું નથી તેને ત્રણે લેક મૃગજળ જેવાં દેખાવ પૂરતાં જ છે. આખા જગતને ચૂસી ખાનારી રાક્ષસી જેવી આશા તેને તૃતુલ્ય દાસી જેવી થઈ ગઈ છે. કામ ક્રોધ જેને વશ થઈ ગયા છે, તેથી કેદમાં પુરાયા જેવા છે, તેને પજવતા નથી. નિરંજન, નિરાકાર, શુદ્ધ આત્મા ખાતાં, પીતાં, બોલતાં જેને ભુલાતું નથી, પ્રગટ અનુભવમાં આવ્યા કરે છે એવા જ્ઞાની પુરુષનું એાળખાણ પડવું પણ દુર્લભ છે, માત્ર ઉત્તમ સંતજને જે મોક્ષગામી હોય તે તેમને ઓળખીને આરાધી શકે છે. તેવા પુરુષે જગતને પવિત્ર કરવા, ઉદ્ધાર કરવા અવતર્યા છે તેમને જ ધન્યવાદ ઘટે છે. બીજા છએ તે તેમની માતાને નવ માસ સુધી ભારે મારી છે એટલું જ નથી તે તરતા કે કોઈને તારતા; એવા પુરુષને અંતરાય કરનાર કર્મ કોઈ રહ્યું નથી, ચૌદ રાજલકને તે જ્ઞાન દ્વારા જાણી રહ્યા છે. અનંત રિદ્ધિ-સિદ્ધિઓ તેમને પ્રગટી છે પણ તે તેમને આનંદ આપતી નથી. માત્ર આત્માને પરમાનંદ સ્વભાવ છે તે જ તેમના હૃદયમાં રમી રહ્યો છે, એટલું જ નહીં, પણ તે આનંદ શબ્દ દ્વારા હદયમાં ઊભરાઈને બહાર આવે છે તે આ જગતને જીવોને કલ્યાણરૂપ, મોક્ષમાર્ગમાં સહાયક બને છે. ભલે વેદાંતપદ્ધતિએ તેમણે પરમપુરુષના ગુણ ગાયા છે પણ તે આપ્તપુરુષના જ વખાણ છે તેથી પરમકૃપાળુદેવે તેને ભક્તજને ઉપકારી જાણી તે વિચારવા લખ્યું છે. જ્ઞાની પુરુષ અને જ્ઞાની પુરુષને ઓળખનાર સંતની તેમાં સ્તુતિ છે. તે આપણું હૃદયે વસે તે આપણે આત્મા ઉન્નત થાય, જગતનાં તુચ્છ સુખેથી ઉદાસ બને અને વૈરાગ્યસહ આત્માની વિભૂતિમાં લીન થાય તેવું એ પદ જ. આપનાથી મુખપાઠ થાય તે કર્તવ્ય છે, વિચારવા યોગ્ય છે અને પરમકૃપાળુદેવની જ તે સ્તુતિ છે એમ લક્ષ રાખવા ગ્ય છેજી. આત્માને લક્ષ ચુકાય નહીં એ જ કર્તવ્ય છે. # શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧ જુઓ પત્રાંક ૮૭૬ Page #789 -------------------------------------------------------------------------- ________________ ૭૬૪ બેધામૃત નાસિક રોડ, તા. ૪-૨-૫૩ તતું . સત્ મહા વદ ૫, બુધ, ૨૦૦૯ દાક્તરની દવા પ્રત્યે અરુચિ જેવું હવે વિશેષ રહે છે. રાત થોડી અને વેશ ઘણુ જેવું મનુષ્ય-આયુષ્ય અલ્પ અને મોક્ષનું મહાભારત કામ છે ત્યાં બીજામાં વિશેષ વૃત્તિ ન જાય અને જ્ઞાનીની આજ્ઞાનું આરાધન થાય તે જ આત્મહિત સધાય એમ રહ્યા કરે છે. પ. પૂ. પ્રભુશ્રીજીએ નીચે પ્રમાણે મોટામાં મોટી ભૂલ જે ભગવાને દીઠી છે તે વિષે જણાવ્યું હતું તે મારે તમારે વારંવાર સચેતપણે વિચારી લક્ષમાં લેવા યોગ્ય છેજી: “આત્મા ઉપગસ્વરૂપ છે. ઉપગ સદાય નિરંતર છે, તે ઉપયોગ ઉપર ઉપગ રાખ. સૂર્ય-ચંદ્ર વાદળાં આડે ન દેખાય, તેપણ છે એમ પ્રતીતિ છે; તેમ શુદ્ધસ્વરૂપ છે એ પ્રતીતિ ભૂલવા યોગ્ય નથી. ઉપગ ભૂલી જવાય છે. એ ભૂલ ભગવાન મહાવીર સ્વામીએ દીઠી, તે ઠામ ઠામ આગમમાં ઉપદેશી છે. એ સર્વ ભૂલની બીજભૂત ભૂલ છે.” શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૯૬૬ નાસિક રેડ, મહા વદ ૬, ગુરુ, ૨૦૦૯ “સદગુરુ, અરજ સુણે એક વાર રે, મારે છે મૂરખને અવતાર રે, પથ્થર કરતાં કઠણ હૈયું છે મારું રે, તેમાં સ્વરૂપ ન લેવું તમારું રે; મારા તે મનની ગતિ અતિ વાંકી રે, સદ્ગુરુજીએ પથ્થર નાખ્યા છે ટાંકી રે, હવે હું તે સદ્દગુચરણ ઉપાસી રે, હવે હું તે સદ્ગુરુ-ચરણની દાસી રે, મારા ઉપર કૃપા કરે અવિનાશી રે.” વચનામૃતમાંથી પત્રાંક ૫૧૧ ને છેલ્લો ફકરો “સત્સંગ છે તે કામ બાળવાને બળવાન ઉપાય છે તે મુખપાઠ કરી ફેરવતાં રહેવાની ભલામણ છે. છેડે થોડે કંઈ કંઈ મુખપાઠ કરવું, મુખપાઠ કરેલું ફેરવવું અને વિચારી આત્માને શાંત કરવા ગ્ય છેજી. પ. પૂ. પ્રભુ શ્રીજીએ આપેલી શિખામણ હૈયાના હાર સમાન ગણી તેમાં વૃત્તિ રાખી જ્ઞાનીના અપાર ઉપકાર સંભારતા રહેવાથી જીવ જાગ્રત રહી શકે તેમ છે જી. છે શાંતિઃ ૯૬૭ નાસિક રેડ, મહા વદ ૧૪, ગુરુ, ૨૦૦૯ હરિગીત – રે ! સેંકડે કામ વડે વ્યાકુળ થઈ જે મન બળે, પામે નહીં શાંતિ કદી, ઈચ્છા છતાં કેઈ સ્થળે; હૃદયે રહેલું સ્વરૃપ પણ પામે નહીં તે જન અરે ! જે સારભૂત વિચાર તજી, પરના વિચાર કર્યા કરે. (હદયપ્રદીપ) તીર્થક્ષેત્ર શ્રી નાસિકરોડથી લિ. પુરુષના ચરણકમળની સેવાને ઈચ્છક બાળ ગોવર્ધનના જયસદૂગુરુવંદન સ્વીકારવા આપ સર્વને સવિનય વિનંતી છે. અહીં યથાશક્તિ ભક્તિને કમ તથા વચન ચાલે છે. સવારે ૪-૫ વાગ્યે લબ્ધિસાર ગ્રંથ ઘણુંખરું વંચાય છે. પ. પૂ. પ્રભુશ્રીજીના વખતમાં પહેલાં ત્રણ વાગ્યે સવારે બધા મળી આ ગ્રંથ વાંચેલે યાદ આવે છે. તે વખતે કંઈ સમજાતું નહીં, પણ કેવળી, શ્રુતકેવળી કે તીર્થકરના પાદમૂળમાં ક્ષાયક સમ્યકત્વની નિષ્ઠાપના થાય છે એમ વંચાતું હતું ત્યારે પ. પૂ. પ્રભુશ્રીજીએ પરમકૃપાળુદેવના ચિત્રપટ તરફ Page #790 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૭૬૫ આંગળી કરેલી યાદ આવે છે. તે દિવસે અહેઅહેભાગ્યના સ્મૃતિમાં આવતાં પણ શ્રદ્ધા બળવાન બને તેમ છે. પણ જીવને વર્તમાન રંગમાંથી વૈરાગ્ય જાગે તે તે સાચી સ્મૃતિને લાભ મળે. ૯૬૮ નાસિક રોડ, તા. ૨૧-૨-૫૩ જ્ઞાની પુરુષે મંત્ર આદિ આજ્ઞા કરી છે તેના ઉપયોગમાં જીવ રહે તે તે સમ્યફદશા પ્રાપ્ત કરવાનું પ્રગટ કારણ છેજી. પક્ષપણે પણ જ્ઞાનીનું શરણુ જીવને પ્રત્યક્ષ સ્વરૂપ પ્રગટ થવાનું સાધન છે. જે જ્ઞાનીએ જે છે તે જ મારે આત્મા છે. અત્યારે મને તેની ખબર નથી, પણ તેણે કહ્યો તે જ આત્મા માટે માન છે એવી માન્યતા કરવી તે અત્યારે બની શકે તેમ છે. તેવી માન્યતાથી જડભાવ પ્રત્યે વૈરાગ્ય રહે, આત્મભાવમાં ઉજમાળતા આવે, જ્ઞાનીનાં વચન વધારે સમજાતાં જાય અને કર્મ માર્ગ આપે ત્યારે સૂક્ષ્મ વિચારથી જીવ ઊંડે ઊતરે ત્યારે યથાર્થ શુદ્ધસ્વરૂપની પ્રતીતિ પ્રગટે છે.જી. પુરુષના આશ્રયે પુરુષાર્થ કરતાં પરમાર્થ દશા પ્રાપ્ત થાય છે એ નિઃશંક વાત છે જી. છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ નાસિક રેડ, તા. ૨૧-૨-૩ અનુકૂળતા હોય અને તબિયત ઠીક હોય તે આવવાનું રાખવામાં અડચણ નથી, નહીં તે સત્સંગના ભાવમાં પણ કલ્યાણ છેજ. જે કંઈ પ્રવૃત્તિ કરવી પડે તે આત્મહિત અર્થે જ કરવી ઘટે છે. એ લક્ષ ચુકાય નહીં તે ઘણી જાગૃતિ જીવને રહે નહીં તે અહીં પાસે પડી રહે તે પણ કંઈ હિત ન થાય. ૯૭૦ નાસિક રેડ, તા. ૨૧-૨-૫૩ તત સત્ ફાગણ સુદ ૮, શનિ, ૨૦૦૯ અનન્ય શરણુના આપનાર એવા શ્રી સદગુરુ, પરમ આધારભૂત, સશાંતિદાયક અને નિરંતર સ્મરવા યોગ્ય શ્રીમદ રાજચંદ્ર દેવને અત્યન્ત ભક્તિથી ત્રિકાળ નમસકાર ! “નહીં બનવાનું નહિ બને, બનવું વ્યર્થ ન થાય; કાં એ ઔષધ ન પીજીએ, જેથી ચિંતા જાય?” આજે આ૫નું કાર્ડ ખેદજનક પ્રસંગનું મળ્યું. જેણે પુરુષનાં દર્શન કર્યા છે, તેમને બોધ સાંભળ્યો છે, ભક્તિભાવ જાગ્યો છે તેણે સંસારના ખેદકારક પ્રસંગમાં આર્તધ્યાનમાં ચિત્ત જતું રેકી ભક્તિભાવમાં, સવાંચન-વિચારમાં મન પરોવવું ઘટે છેજ. જે બનનાર હતું તે બની ગયું. તે વિષે ગૂરી મરે તોપણ અન્યથા થવાનું નથી એમ વિચારી, જ્ઞાની પુરુષે જે ત્યાગવાની વારંવાર ભલામણ કરે છે એવા સંસારનું અસાર પણું વિચારવું ઘટે છે તથા આપણે માથે પણ મરણ ઝપાટા દઈ રહ્યું છે તેને વારંવાર વિચાર કરતા રહી સમાધિમરણની તૈયારીમાં મારે કાળ મુખ્યપણે ગાળો છે એ નિશ્ચય કરવાથી અને તેને લક્ષ રાખવાથી ખેદ પલટાઈને વૈરાગ્ય ઉદ્ભવશે. સંસારનાં ફળ દુઃખદાયી છે, વિષયભેગ ઝેર જેવાં છે અને દેહ રેગનું ઘર છે એમ ચિંતવી બ્રહ્મચર્ય, સન્શાસ્ત્રનું વાંચન કે શ્રવણ તથા પરભવ સુધારવાનો નિશ્ચય હિતકારી જાણ પરમકૃપાળુદેવનું શરણું દઢપણે ગ્રહી તેમનાં અધ્યાત્મરસ પોષક વચને મુખપાડ કરવાના પુરુષાર્થમાં પ્રવર્તવા ભલામણ છેજ. છપદને પત્ર, આત્મસિદ્ધિશાસ્ત્ર તથા પત્રાંક ૬૮૯ Page #791 -------------------------------------------------------------------------- ________________ મેધામૃત ૭૬૬ થોડે થોડે મુખપાઠ કરવાના પુરુષાર્થ લઈ મ`ડશે! તે બધું વિસારે પડશે અને વૈરાગ્યની વૃદ્ધિ થતાં સમ્યક્ત્વનું કારણ થશે. ૯૭૧ નાસિક રોડ, તા. ૨૩-૨-૫૩, સામ આપના પત્ર મળ્યા હતા. સાંચન રાખેા છે! જાણી સ`તેાષ થયા છેજી. જ્ઞાનીપુરુષનાં વચન ઘણાં વર્ષો પહેલાં લખાયેલાં હોય તેપણુ અખઘડી આપણને પ્રત્યક્ષપણે ઉપકારી છેજી. મને ગમે છે માટે તે વચના સારાં છે એમ માનવા કરતાં, આત્મજ્ઞાનપૂર્ણાંક લખાયેલાં તે વચના મારા જેવા અંધને લાકડીની ગરજ સારનારાં પરમ ઉપકારી છે એવી ભાવના, ઉપકારદિષ્ટ રાખવાથી તે વચનેા મેાક્ષમા દાતા બને છેજી. જ્ઞાનીપુરુષ પ્રત્યે ભક્તિભાવ જાગે તેા તેનું હૃદય વિશેષ સમજાય અને સશ્રદ્ધાનું કારણ બની આત્મજ્ઞાન પ્રગટાવનારાં તે વચને ઉલ્લાસભાવ પ્રેરે છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૯૭૨ તત્ ૐ સત્ નાસિક રેડ, તા. ૨૮-૨-૫૩ ફાગણુ સુદ ૧૫, શિન, ૨૦૦૯ પ્રમત્તભાવે આ જીવનું ભૂંડું કરવામાં કાંઈ ન્યૂનતા રાખી નથી, તથાપિ આ જીવને નિજહિતના ઉપયેગ નથી એ જ અતિશય ખેદકારક છે. હું આર્ય ! હાલ તે પ્રમત્તભાવને ઉલ્લાસિત વીર્યથી મેાળા પાડી, સુશીલ સહિત, સદ્ભુતનું અધ્યયન કરી નિવૃત્તિએ આત્મભાવને પોષજો.' (૯૪૪) તમારા ત્રણેના પત્ર મળ્યા છેજી. સભામ`ડપમાં જે વ'ચાતું ાય, પત્રો તથા ‘ભરતેશવૈભવ’ આદિ તેને ફરી વિચારવાને વખત રાખવેા અને અભ્યાસ ઉપરાંત વખત મળતા હોય તેમાં કંઈ ગાખવાનું, ગેાખેલું ફેરવી જવાનું તથા આત્મભાવના ભાવવાનું કરતા રહેવું ઘટે છેજી. શરીર હમણાં ઠીક રહે છે. નાશવંત વસ્તુમાં ઘટવધ થાય અને આખરે નાશ પણ થાય. પરંતુ શાશ્વત આત્મા જ્ઞાનદન ગુણયુક્ત નિર'તર છે અને રહેવાના છે, તેના લક્ષમાં પ્રમાદ ન થાય એ જ કવ્યુ છે. " एगो मे सासदो अप्पा णाणद सणस जुदो । सेसा मे बाहिरा भावा सव्वे संजोगलक्खणा ||" મારે। આત્મા – આત્મદ્રવ્ય – એક છે. રાગદ્વેષરહિત એકલા શુદ્ધ છે. ભિન્ન ઉપયેગસ્વરૂપ અવિનાશી મારા આત્મા છે એમ સદ્ગુરુ દ્વારાએ જાણવું તે વડે આત્મજ્ઞાન થાય છે તેથી તે આત્માનું લક્ષણ છે; તેમ જ દન પણ ઉપયાગનું સામાન્ય સ્વરૂપ છે. પ્રથમ દર્શીન અને પછી જ્ઞાન થાય એમ છદ્મસ્થ જીવાના ઉપયેગનું વવું થાય છે. કેવળી ભગવંતને જ્ઞાનાવરણીય અને દનાવરણીય કર્મોના ક્ષય થયેલા હાવાથી બન્ને ઉપયેાગ એક સાથે વર્તે છે એમ શ્રી દિગ'ખર આચાયૅનું અને શ્રી સિદ્ધસેન દિવાકર આદિ શ્વેતાંબર આચાર્યાંનું પણ કથન છે. શ્રી દેવચંદ્રજીના ગતચાવીશી સ્તવન ૧માં સમયાંતર ઉપયાગનું વન કેવળી ભગવ'તને પણ વર્ણવેલું છે, કારણ કે આગમમાં એક સમયે એ ઉપયેગનું વર્તવું ન બને એમ વારંવાર કહેલું છે. તે દશા તીર્થંકર આદિ કેવળીની જેમ હે। તેમ હા, પણ તે પરિપૂર્ણ શારૂપ શુદ્ધ આત્માની ભાવના કરવાથી કેવળજ્ઞાન થાય છે, એમ સર્વ જ્ઞાની કહે છે તે લક્ષ રાખી, भावपाहुड - श्री कुंदकुद જ્ઞાન એટલે દેહાદિથી Page #792 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા બાહ્યભાવ, આત્મભાવથી પર જે ભાવે છે, વિભાવ તથા પરપદાર્થો માત્ર સંગરૂપ છે, શાશ્વત નથી, તે તેવી ક્ષણિક બાબતમાં લક્ષ ન દેતાં શુદ્ધ બુદ્ધ શાશ્વત આત્માને પરિચય કર્તવ્ય છે. પરમકૃપાળુદેવનાં વચનમાં “આતમભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે” તે વિષે જણાવ્યું છે તે વારંવાર સ્મૃતિમાં આણું તે ભાવમાં આત્મા રંગાઈ જાય તેમ કરવા ભલામણ છે. તેમાં વિદ્ધ કરનાર મિથ્યાગ્રહ, સ્વચ્છંદ, પ્રમાદ અને ઇન્દ્રિયના વિષયની પ્રવૃત્તિ કે રમણતા એ છે. તે દોષ ટાળવા સદ્દગુરુની ભક્તિ એકનિષ્ઠાએ કર્તવ્ય છે. હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એ હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષને ક્ષય થાય.”(૬૯૨) રાગદ્વેષને ક્ષય કરવાની જ્ઞાનીની આજ્ઞા છે તે લક્ષમાં લેવા ગ્ય છે. “જ્યાંત્યાંથી રાગદ્વેષરહિત થવું એ જ મારો ધર્મ છે” (૩૭) એમ પરમકૃપાળુદેવે શ્રી જૂઠાભાઈને જણાવ્યું છે, તે ધર્મ આપણે પણ આરાધવાને માટે કેડ બાંધીને તૈયાર થવાનું છે. ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૯૭૩ નાસિક રેડ, ફાગણ વદ ૭, શનિ, ૨૦૦૯ શક્તિ ચાલવાની હજી આવી નથી. પૂર્વ કર્મને દંડ પૂરો થયા વિના દવા પણ શું કરે? "परमात्माका स्वभाव सर्व आरम्भ व कषाय या परिग्रहसे रहित है, शुद्ध उपयोगमें लीन है, बाह्य आलंबनसे शून्य है उसी स्वभावको मुक्तिके लाभके लिये अपने हृदयमें सदा ध्याना चाहिये, अन्य किसीको नहीं । जो संसारके बंधनको मेटना चाहते हैं, वे बुद्धिमान इस निज शुद्ध स्वभावके नाशक किसी भी कामको कभी भी नहीं करते हैं ऐसा जानकर शरीरके त्यागके लिये शरीरका मोह छोडकर निज शुद्ध आत्माका एक ध्यान ही कार्यकारी है ऐसा निश्चय करना चाहिये ।"-अमितगतिकृत सामायिकपाठ આ દિવસે દિવસે શાંત ભાવની વૃદ્ધિ થાય અને સંસારભાવ નિવૃત્ત થાય તેમ વર્તવા ભલામણ છે). અસાર, અશરણ અને અનિત્ય પદાર્થોના દેહને લઈને ત્રણ લેકનો સાર, પરમ શરણ અને શાશ્વત મેક્ષ સાંભરતું નથી. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૯૭૪ નાસિક રેડ, તા. ૧૩-૩–૫૩ તત્ ૐ સત્, ફાગણ વદ ૧૩, શુક, ૨૦૦૮ આપને ક્ષમાપનાપત્ર વાંચી સંતોષ થયે છે. સત્સમાગમમાં ખુલ્લા દિલથી પ્રશ્ન પૂછી સમાધાન ન કરી લેવાય તે બીજું સ્થાન તેને માટે કયું છે? મને મન સાક્ષી છે. તમારે કોઈને દૂભવવાને ભાવ ન હોય તે સામાને પણ તે સરળતા સમજાય છે અને સરળ ભાવે ઉત્તર પણ આપે છે. મનમાં કપટ હોય તે સરળ ભાવે આપેલે ખુલાસે પણ સમજાતું નથી. અહીં એકાંત નિવૃત્તિને વેગ છે. નિવૃત્તિપરાયણ ચિત્ત જેનું હોય, વૈરાગ્યવાળી વૃત્તિ હોય તેને આવા વેગમાં પાંચ-સાત દિવસને સમાગમ એક માસની ગરજ સારે તેવું છે. બધાં સાધનોમાં સત્સંગ એ સહેલું અને પહેલું કરવા યોગ્ય સાધન છે. તેવા પુણ્યના ઉદયે તે જગ બની આવે છે. તે જોગ ન હોય ત્યાં સુધી તેની ભાવના કરવી અને પુરુષાર્થ પ્રગટાવી તે જેગ બનાવ ઘટે છે. મંત્રનું સ્મરણ કરતા રહેવાની ટેવ પાડવા યોગ્ય છે. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #793 -------------------------------------------------------------------------- ________________ ७१८ શ્રાધામૃત ૯૭૫ નાસિક શેડ, તા. ૨૧-૩-૫૩ આયંબિલનું પચખાણ પરમકૃપાળુદેવના આગળ નમસ્કાર કરી ભાવનાપૂર્વક લેવા યોગ્ય છે; ત્યાં બીજા કોઈ સાધુ પાસે પચખાણું લેવા જવાની જરૂર નથી. બીજું, આયંબિલ નર્યા ખેરાકના ફેરફાર કરવાથી સફળ નથી, પરંતુ તે વ્રત પૂર્વક પરમકૃપાળુદેવનાં વચનમાં ભાવનભક્તિપૂર્વક સમય જ્ઞાની પુરુષની આજ્ઞામાં નવે દિવસ ગળાય તે લક્ષ રાખવા યોગ્ય છે. આયંબિલ કરવા બીજે જવું તેના કરતાં ઘરને આયંબિલને આહાર શુદ્ધ અને છા પાપવાળો ગણાય. વિષયકષાય ઓછા કરવા વ્રતનું નિરૂપણ કરેલું છે માટે ઈચ્છાઓ ઓછી થશે તેટલું તપ ગણાશે. “કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ.” એ લક્ષ રાખી જીવની યોગ્યતા, આત્માથી પણું પ્રાપ્ત કરવા આ આયંબિલ કરું છું એ લક્ષ ચૂક નહીં. અને તે છત્રીસ માળાને ક્રમ દિવાળી ઉપર ફેરવીએ છીએ તે પણ આરાધવાથી આત્મહિત થવા સંભવ છે. ટૂંકામાં પરમકૃપાળુદેવને શરણે, તેણે જાણે છે તે આત્મા પ્રગટ થવા, શ્રદ્ધવા અને રુચિ કરવા આ વ્રત કરવાનાં છે. # શાંતિઃ શાંતિઃ શાંતિઃ નાસિક રેડ, તા. ૨૬-૩-૫૩ તત કે સત ચિત્ર સુદ ૧૧, ગુરુ, ૨૦૦૯ દેહના દંડ આ દેહે ભગવવા યોગ્ય ભગવ્યા વિના છૂટકે નથી પણ આત્મભાવના ભૂલવા યોગ્ય નથી. રાગાદિ મટાડવાની રુચિ, શ્રદ્ધા તે જ સમ્યક્દર્શન છે. રાગાદિ મટાડવા જે જાણવું તે સમ્યફજ્ઞાન છે. રાગ, દ્વેષ, મેહ (અજ્ઞાન) મટે તેવું આચરણ એ જ સમ્યફચારિત્ર છે. આ મોક્ષમાર્ગ જાણવા ગ્ય, માનવા ગ્ય છે.” -મોક્ષમાર્ગ પ્રકાશ, ૭ મો અધિકાર. અગાસ, ચૈત્ર વદ ૨, ૨૦૦૯ વેદના એ શરીરને ધર્મ છે. આત્મા તે વેદનાને જાણનાર છે. જેમ ગજસુકુમારના માથા પર માટીની પાળ બાંધી અંગારા પૂરવાથી જે અસહ્ય વેદના થઈ, પણ તે વેદનાને દેહને ધર્મ જાણી ભગવાન નેમિનાથ પ્રભુની આજ્ઞાનુસારે પિતે જ્ઞાયક માત્ર જાણનાર રહી નિજ સ્વભાવ સ્વરૂપના અનન્ય અભ્યાસથી કેવળજ્ઞાન પામી મેક્ષે પધાર્યા. ગજસુકુમારની વેદનાના હિસાબમાં આપણને એક અંશ પણ વેદના નથી. માત્ર શરીર ઉપરના મેહને લઈને વેદના જીવને લાગે છે તે માત્ર અજ્ઞાન છે અને તે અજ્ઞાન અથવા મોહને ટાળવાને ઉપાય વેદનાના અવસરમાં એક માત્ર સ્મરણ છે. તે સ્મરણમાં જ ઉપયોગને પરોવી વારંવાર અભ્યાસ કરી, વેદનાને દેહને ધર્મ જાણી, સ્મરણમાં ઉપગ રાખવા ભલામણ છે. વેદનાના અવસરમાં ખાસ પુરુષાર્થની જરૂર છે. ક્ષણે ક્ષણે આત્માની સંભાળ રાખવા યોગ્ય છે. શરીર તે પૂર્વે ઘણું જીવે ધારણ કર્યા અને છેડ્યાં છે. માત્ર આત્માની સંભાળ રાખી નથી. માટે આ અવસર આવ્યું છે તે વેદનાના અવસરમાં માત્ર એક સ્મરણમાં વૃત્તિ રાખી, સર્વ સંસારી વ્યવહારના Page #794 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૭૬ પ્રસંગે ભૂલી જઈ, માત્ર એક સ્મરણને અભ્યાસ નિરંતર કરવા યોગ્ય છે. સ્મરણ છે તે માત્ર કૃપાળુદેવનું સ્વરૂપ જ છે અને નિશ્ચયનયે પિતાનું સ્વરૂપ પણ તે જ છે; માટે સ્મરણમાં ચિત્ત રાખી આત્મભાવના ભાવવા ભલામણ છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૯૭૮ દરદ, પ્ર. વૈશાખ સુદ ૩, ૨૦૦૯ શું કરવા જીવ આ ભવમાં આવ્યો છે? અને શું કરે છે? તે પ્રશ્નો રેજ સાંજે એકાંતે વિચારાય તે સાચું પ્રતિક્રમણ થાય એમ છેજી. ભૂલ જણાય તે જીવ પાછો હઠે, અને માથે મરણ ઝઝૂમી રહ્યું છે, માટે ધર્મકાર્યમાં ઢીલ કરવા ગ્ય નથી. આત્મા દિવસે દિવસે શાંત થતે જાય, ક્લેશના કારણે દૂર થતાં જાય અને જ્ઞાની પુરુષના અદ્ભુત આત્મચારિત્રની પ્રતીતિ થતી જાય તેમ પ્રવર્તવા ભલામણ છે), તે બધાનું કારણ સત્સંગ, સશાસ્ત્ર, અને સદ્દવિચાર છેજ. ઇદ્રિના વિષયે પ્રત્યે વૈરાગ્યભાવ અને કષાયની મંદતા તે સદ્દવિચારને પ્રગટાવે છેજ. “જ્યાં પ્રગટે સુવિચારણું, ત્યાં પ્રગટે નિજજ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ.” ૯૭૦ દેરદ, પ્ર. વૈશાખ સુદ ૩, ગુરુ, ૨૦૦૯ સુવિચારણું જીવને પ્રગટે એ જેવું એક મહત્ભાગ્ય નથી. જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજજ્ઞાન; જે જ્ઞાને ક્ષય મેહ થઈ, પામે પદ નિર્વાણ.” – શ્રી આત્મસિદ્ધિ સપુરુષના એકેક વાક્યમાં, એકેક શબ્દમાં અનંત આગમ સમાયાં છે, તેની સમજ સુવિચારણા જાગ્યે આવે છે. એક “મારુષ, માતુષ” બોલને અવલંબને શિવભૂતિ મુનિ કેવળજ્ઞાન પામ્યા હતા. પુરુષનું હૃદય ભક્તિથી ઓળખાય છે અને તેવી ભક્તિનું સદ્ભાગ્ય પ્રાપ્ત થવું તે મનુષ્યભવની સફળતાનું કારણ છે. પરમકૃપાળુદેવનાં વચનમાં જ અવકાશને બધે વખત જીવ ગાળે એટલે કોઈ વખત વાંચે, કોઈ વખત વિશેષ વિચારે, કોઈ વખત ગેખે, કઈ વખત તે વિષે લખે, આમ તે વચનેની પાછળ પડવાથી મૃતભક્તિ થાય છે. “શ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાસ્યું રે, ધન્ય રે દિવસ આ અહે!” વૈરાગ્ય, ત્યાગ, ઉપશમ, ભક્તિ સહજસ્વભાવરૂપ મુમુક્ષુએ કરી મૂકવા યોગ્ય છે એમ પરમકૃપાળુદેવ કહે છે તે લક્ષમાં લેવા યોગ્ય છે. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૯૮૦ દરદ, પ્રથમ વૈશાખ સુદ ૩, ૨૦૦૯ શું કરવાથી પિતે સુખી? શું કરવાથી પિતે દુઃખી ?” – શ્રીમદ્ રાજચંદ્ર આપણે આપણું હિત ન ચુકાય તેમ પ્રવર્તવું ઘટે છે. દરરેજને કાર્યક્રમ તપાસી મુમુક્ષુછ દિવસે દિવસે આત્મા શાંત થાય તે ક્રમમાં આવવું ઘટે છેજી. ઉત્તાપનાં કારણે તપાસી ઓછાં કરવાં ઘટે છે. શું કરવા આવ્યો છું અને શું કરું છું એ લક્ષ બધું કરતાં ન ચકાય તેમ હાલ તે પ્રવર્તવું ઘટે છે. ૫. પૂ. પ્રભુશ્રીજીએ જે કાર્યક્રમ આશ્રમ માટે ગોઠવ્યું છે તે બહુ દીર્ધદષ્ટિ વાપરી ચક્કસ કર્યો છે. તેમાં રસ ન આવે તેટલી જીવને મુમુક્ષતાની 49 Page #795 -------------------------------------------------------------------------- ________________ ૭૭૦ બેધામૃત ખામી છે. પિતાની કલ્પનાઓ પ્રવર્તવામાં આવે તેમાં તેને કંઈક રસ જણાય, પણ સ્વછંદ ષિાય છે અને તે સંસારનું કારણ છે એમ વિચારી જ્ઞાની પુરુષને માર્ગે મનને વાળવું એ જ હિતકારી છે. ન માને તે મનને હઠ કરી ક્રમમાં જોડવું હિતકર છે. રાગદ્વેષથી ક્લેશિત થતાં પરિણામ ઘટે અને જ્ઞાનીને માર્ગ રાગ, દ્વેષ અને અજ્ઞાન ટાળવાનો છે તેની રુચિ દિવસે દિવસે વધે તેમ પિતે જ પિતાની પ્રવૃત્તિ ક્રમે ક્રમે લાવી મૂકવાની છે જી. કેઈનું કહેલું માત્ર દિગ્દર્શન પૂરતું હોય પણ વિગતવાર વર્તન પિતાનું પિતે કરવાનું હોય છે. “નિશ્ચયવાણી સાંભળી, સાધન તજવાં નય; નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય.” – શ્રી આત્મસિદ્ધિ ઉલ્લાસથી પરમકૃપાળુદેવનું શરણ ગ્રહી દીનભાવ, લઘુતા, સેવાભાવ વધારતા જવું, એ જ હાલ તે કર્તવ્ય છે. મનના તરંગમાં ખોટી થવા ગ્ય નથી. જેને વશ કરવું છે તેને વશ થવાથી કંઈ વળે તેમ નથી, માટે માત્ર રાગ, દ્વેષ, અજ્ઞાન ટાળવાની પરમકૃપાળુદેવની આજ્ઞા પ્રત્યે દરેક કાર્યની પ્રવૃત્તિમાં લક્ષ રહે તેમ જાગ્રત થવું, જાગ્રત રહેવું ઘટે છેજ. કંટાળવાથી કંઈ કામ થતું નથી. પુરુષાર્થ કર્તવ્ય છે. છે. શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૯૮૧ પ્ર. વૈશાખ સુદ ૧૨, ૨૦૦૯ પ્રશ્નો – (૧) સ્વર્ગ અને નરક એટલે શું? (૨) હેય તે તે ક્યાં છે? (૩) તેને વિસ્તાર કેટલે? (૪) પુનર્જન્મ અને પૂર્વજન્મ એટલે શું? (૫) સિદ્ધશિલા તે શું છે? (૬) આત્મા છે? (૭) તે અજરઅમર છે? (૮) દેહઅવસાન પછી આત્માની હયાતી જણાતી નથી; તે તે છે અને તે અજરઅમર છે તેમ કેવી રીતે માનવું? (૯) ભક્ત માણસે કેવી રીતે વર્તવું? (૧) આખો દિવસ ભજનભક્તિ અને સ્મરણમાં ગાળ કે સવાર-સાંજ ભજનભક્તિ કરવાં અને બાકીને દિવસ સેવા પ્રવૃત્તિમાં ગાળ? આમાં કયું યોગ્ય છે? (૧૧) જંબુદ્વીપ અને મહાવિદેહ ક્ષેત્ર તેમ જ એવાં બીજો ક્ષેત્ર કયાં આવ્યાં ? ઉત્તર – શ્રીમદ્ રાજચંદ્ર પુસ્તક શ્રીમદ્ રાજચંદ્ર કહ્યું છે તે સ્વાનુભવપૂર્વક કહ્યું છે. બધું છે, પણ વૈરાગ્ય-ઉપશમ સિવાય તે સમજાય તેમ નથી. તેની પાછળ વખત ગાળ જોઈએ. સત્સંગ જોઈએ. પુસ્તક માર્ગદર્શક છે; પણ આડી કલ્પના કરનારને રેકે નહીં. આત્મા અરૂપી પદાર્થ છે; અસંખ્યાત પ્રદેશ પ્રમાણ છે. સંકેચ-વિકાસ પામે તેવે તેમાં ગુણ છે. તેથી કર્મને આધીન જેવો દેહ મળે તેમાં તેવડો થઈને રહી શકે છે; સંકેચાઈ શકે છે. દેહ જાડે થાય ત્યારે વિસ્તાર પણ પામે છે. જૈન ધર્મનાં શા વિજ્ઞાનને અનુસરતાં છે. સર્વ શંકાઓનાં સમાધાન તેમાં મળી શકે તેમ છે. પહેલાં આત્મા શું છે, તે પ્રજનભૂત છે. બાકીના પ્રશ્નોને આપોઆપ ઉકેલ આવે તે છે, એક “આત્મસિદ્ધિશાસ્ત્રીને ઊંડો અભ્યાસ થાય તે સર્વ ધર્મના સંશોનું સમાધાન થાય તેમ છે. પ્રથમ તે કોઈ પણ પ્રકારે સદ્દગુરુની શોધ કરવી, પછી શ્રદ્ધા કેળવવી જોઈએ. હું કંઈ નથી જાણતે એમ દઢ કરવું. પોતાની ભૂલથી જ ભૂલ જ્ઞાનીમાં જણાય છે. સ્વચ્છેદ ચિંતન તે પણ અભ્યાસ નથી, પણ જ્ઞાની પુરુષની આજ્ઞાથી અભ્યાસ કર્તવ્ય છે. સર્વ ભવમાં તેની પ્રાપ્તિ હોય છે. મનુષ્યભવમાં વિશેષ ગ્યતા છે, પણ દેવભવમાં પણ Page #796 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૭૭૧ આત્મજ્ઞાન થાય છે, નરકમાં પણ થાય છે અને હેર-પશુના ભાવમાં પણ આત્મપ્રાપ્તિ હેય છે. મનુષ્યભવનું આયુષ્ય પૂરું થતાં આ ભવના સંસ્કાર લઈને તે પરભવમાં જાય છે અને ત્યાં તેને આત્મજ્ઞાન પણ પ્રગટી શકે છે, તે આ ભવ કેમ કલ્પના નથી? તમને આ ભવમાં જે કંઈ મળ્યું છે તે આ જ ભવને પુરુષાર્થ લાગે છે? શ્રીમને ઘણાં પુસ્તકનું જ્ઞાન હતું, તે કંઈ આ ભવમાં તેમણે અભ્યાસ કર્યો નહોતે. એક વખત વાંચતાં તેમને મુખપાઠ થઈ જતું તેનું કારણ શું? પહેલાં સ્મરણને પુરુષાર્થ કરે તેનું તે ફળ છે. ૯૮૨ ડુમસ, તા. ૪-૫–૫૩ પૂ...ને યરફેન(earphone) ન ચાલતું હોય તે ઘેર ભક્તિ કરે તે હરકત નથી, પણ પ્રમાદ કર્તવ્ય નથી એમ જણાવશે. ગમે ત્યાં નિત્યક્રમ નિયમસર કર્તવ્ય છે. બાકીના બચત વખતમાં વૈરાગ્ય ઉપશમ વધે તેવું વાંચન આત્માર્થે કર્તવ્ય છે. “કામ એક આત્માર્થનું, બીજે નહીં મનરેગ” – આ લક્ષ રાખી વર્તન રાખવું ઘટે છેછે. જેનું ફળ આત્મશાંતિ પ્રત્યે ન હોય તે પુરુષાર્થ પ્રમાદરૂપ જ્ઞાની પુરુષે ગણે છે. * શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૯૮૩ અગાસ, જિ. વૈશાખ સુદ ૬ જેમ જેમ પુસ્તક વાંચતા જશે અને શાંતભાવ વધતું જશે તેમ તેમ થતી શંકાઓ આપોઆપ શમાતી જશે. શાબ્દિક ખુલાસા કરતાં વૈરાગ્ય-ઉપશમમાં વિશેષ વૃત્તિ રહે તેમ વર્તવા ભલામણ છે. પત્ર લખવાની વૃત્તિ હાલ મંદ વર્તતી હેવાથી લખવાનું કે રેગ્યતા વધતાં જીવની નિમળતાએ સપુરુષે જણાવેલ સદ્ભુત પરિણમી થવા યોગ્ય છે. નિયમ તમે ધાર્યા છે તે રૂડા છે. ૯૮૪ ડુમસ, તા. ૨૮-૫–૫૩ તત સત બી. વૈશાખ સુદ ૧૫, ગુરુ, ૨૦૦૯ दुक्खखओ, कम्मखओ, समाहिमरणं च बोहिलाभो अ। संपज्जउ मह एअं, तुह नाह पणाम करणेणं ॥ सर्व मंगल मांगल्यं, सर्व कल्याण कारणं । प्रधानं सर्व धर्माणां, जैनं जयति शासनं ॥ આપને પત્ર આજે પ્રાપ્ત થયું છે. તમે જણાવેલા તેમાંના ભાવેની વારંવાર વિચારણા કર્તવ્ય છેછે. અનુકૂળતા અને વખત હેય તે “સમાધિ પાનમાંથી સમાધિમરણ પ્રકરણને ઉપદેશ તથા મૃત્યુમeત્સવ એક વખત વાંચી કે સાંભળી જવા વિનંતી છે.જી. તેટલે વખત ન જણાય કે સંભળાવનારની જોગવાઈ કે વાંચવાની શક્તિ ન હોય તે માત્ર પત્રાંક ૮૪૩ “શ્રીમદ્ વીતરાગ ભગવતેએ નિશ્ચિતાર્થ કરેલે એ અચિંત્યચિંતામણિ” આદિ શબ્દોથી શરૂ થતે પત્ર મુખપાઠ હોય તે વિચારશે કે કોઈ આવી ચઢે તે સાંભળવાને લક્ષ રાખશે. તેમાં સર્વ શાસ્ત્રને સાર છે, સાચું શરણુ અને કરવા યોગ્ય સમજણ (દેહાદિ સંબંધી હર્ષ વિષાદ દૂર કરવાની) તથા અસંગ અવિનાશી આત્મામાં વૃત્તિ પરમ પુરુષના શરણે દઢ કરવાને ઉત્તમ ઉપદેશ છે. વેદનાદિ કારણે વૃત્તિ મંદ પડે, ચલાયમાન થાય તે પરમપુરુષનાં અદ્ભુત Page #797 -------------------------------------------------------------------------- ________________ ૭૭ર બેધામૃત ચરિત્રમાં (શ્રી ગજસુકુમાર, શ્રી પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર આદિનાં ચરિત્રમાં) એકતાનતામાં વૃત્તિ જેડી વૃત્તિને અપ્રમત્ત કરવાની શિખામણ આપી છે તેમ વર્તવા પુરુષાર્થ કર્તવ્ય છે. એ જ કલ્યાણકારી છે. જગતનું વિસ્મરણ કરી જ્ઞાનીના શરણમાં બુદ્ધિ રાખી, નિર્ભયપણાને અને નિઃખેદપણને ભજવાની શિક્ષા શ્રી તીર્થકર આદિએ કરી છેજ. કઈ પણ કારણે આ સંસારમાં લેશિત થવા ગ્ય નથી. કંઈ ન બને તે મંત્રનું સ્મરણ શ્વાસોશ્વાસ સાથે થયા કરે અને નિર્ભયતા રહ્યા કરે તેમ કર્તવ્ય છે. સર્વ દુઃખથી મુક્ત કરાવનાર સમાધિમરણ છે, તેવા અવસરે આનંદિત રહેવું. “દુઃખ દેહગ ધરે ટળ્યાં રે, સુખ સંપદશું ભેટ ધીંગ ધણી માથે કિયા રે, કુણ ગંજે નર બેટ-વિમલજિન” મનુષ્યભવ રત્નચિંતામણિ જે મળે છે, તેમાં જ્ઞાની પુરુષને શરણે લૂંટમલ્ટ લેવાય તે આત્મહિતને લાભ લઈ સમાધિમરણ કરવાને મહોત્સવ આભે કેણ હિંમત હારે? કઈક દુર્ભાગી. જેટલી આત્મામાં શક્તિ હોય તેટલી બધી શક્તિથી સાચા પુરુષ પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રની અદ્ભુત દશાનું ચિંતન કરવું, તેની વિદેહી દશાની ભાવના કરવી અને તેને પરમ ઉપકારમાં લીન થવું. તેના અભેદ સંપૂર્ણ સ્વરૂપનું ધ્યાન કર્તવ્ય છે અને તેનું સાધન કેવળજ્ઞાન સ્વરૂપ એવું સહજત્મસ્વરૂપનું ચિંતન, તન્મયતા, તેની સાધના યથાશક્તિ કર્તવ્ય છે. સપુરુષના એકેક વાકયમાં, એકેક શબ્દમાં અનંત આગમ સમાયાં છે એવી શ્રદ્ધા રાખી મંત્રમાં પૂર્ણ આત્મસ્વરૂપને મર્મ રહ્યો છે તે લક્ષ છેલ્લા શ્વાસ સુધી ટકાવી રાખ ઘટે છે. # શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૯૮૫ ડુમસ, તા. ૫-૬-૫૩ આપ સર્વ અપ્રમાદપણે સત્સંગને લાભ લેતા હશે. અહીં “મેક્ષમાર્ગ પ્રકાશ” હમણાં વંચાય છે. તેમાં, સંસારમાં કર્મથી જ દુઃખી છે તે કર્મની માહિતી આપી, કર્મબંધનનાં કારણ મિથ્યાત્વ, અજ્ઞાન અને અસંયમ કહી તેનું સ્વરૂપ જણાવ્યું છે. તે દુઃખનાં કારણ નહીં જાણવાથી અયથાર્થ ઉપાય કરે છે તે વ્યર્થ બતાવી સમ્યફદર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યફચારિત્ર દ્વારા મોક્ષની પ્રાપ્તિ એ જ મનુષ્યભવની સફળતા જણાવી છે. મિથ્યાત્વનું સ્વરૂપ જણાવતાં અન્ય ધર્મોની માન્યતા ભૂલભરી જણાવવા અન્યમતખંડન દર્શાવ્યું છે. પરમકૃપાળુદેવનાં વચને સમજવામાં સહાયભૂત થાય તે “મેક્ષમાર્ગ પ્રકાશક ગ્રંથ છે, તે સહજ જાણવા લખું છું. યેચતા વધવા માટે ઉપશમ-વૈરાગ્યની વૃદ્ધિ કરવાની જરૂર છે. જે મુખપાઠ કરેલ હોય તેને વારંવાર ઊંડા ઊતરી વિચાર શાંતભાવે કર્તવ્ય છે. ' હમસ, જેઠ સુદ ૪, સેમ, ૨૦૦૯ આપ બન્નેને લખેલે પત્ર મળ્યો છે. આયુષ્ય હશે ત્યાં સુધી કંઈ થવાનું નથી. “દેહાદિ સંબંધી જે પુરુષ હર્ષ વિષાદ કરતા નથી તે પુરુષ પૂર્ણ દ્વાદશાંગને સંક્ષેપમાં સમજ્યા છે એમ સમજે. એ જ દષ્ટિ કર્તવ્ય છે.”(૮૪૩) આ વાત વારંવાર લક્ષમાં રાખી, બીજું કંઈ ન બને તે મંત્રનું આરાધન અહોરાત્ર કર્તવ્ય છેજી. ભાન હોય ત્યાં સુધી સ્મરણમંત્રમાં Page #798 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૭૭૩ ચિત્ત પરોવી રાખવા યોગ્ય છે. કપડું બદલતાં જેમ કંઈ વિકલ્પ થતો નથી, તેમ દેહને વેષ પલટાય તેના વિકલ્પમાં ચિત્ત રોકવું ઘટતું નથીજી. નિર્વિકલ્પ, અસંગ સ્વરૂપને પામ્યા છે એવા તરણતારણ શ્રીમદ્ રાજચંદ્ર દેવનું શરણ જ જીવને હિતકારી છે. શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૯૮૭ ડુમસ, તા. ૧૫-૬-૫૩ જેઠ સુદ ૪, સોમ, ૨૦૦૯ બીજી પંચાતમાંથી વૃત્તિ પાછી વાળી હવે તે જ્ઞાનીની આજ્ઞામાં જ રહેવાય તે આ જીવનું કલ્યાણ થાય તેમ લાગે છેજી. અનાદિને પરભાવને અધ્યાસ તજી સદ્ગુરુના અપૂર્વ અસંગ ભાવને લક્ષ નિરંતર સ્મરવા યોગ્ય છેજી. તેમને પગલે પગલે ચાલ્યા વિના છૂટકો નથી. સ્વછંદ અને પ્રતિબંધ ટાળ્યા વિના તેમ બનવું મુશ્કેલ છે માટે તે ટાળવાનો પુરુષાર્થ મરણિયા થઈને કર્તવ્ય છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૯૮૮ ડુમસ, તા. ૧૬-૬-૫૩ તત્ સત જેઠ સુદ ૫, મંગળ, ૨૦૦૯ “સદ્દગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ; સમજ્યા વણ ઉપકાર શો? સમયે જિનસ્વરૂપ.” – શ્રી આત્મસિદ્ધિજી ભાઈ..ને પત્ર મળે. પરમકૃપાળુદેવનાં તેમને દર્શન થયાં છે તે જાણી સંતોષ થયે છેજ. મહાભાગ્યશાળીને તેનાં ચર્મચક્ષુથી પણ દર્શન થાય. અહીં એવા એક ભાઈ મળ્યા પણ અવધાન પૂરતું જ તેમને ઓળખાણ હતું અને છૂટવાની તેવી જિજ્ઞાસા પણ નહીં, તેથી તેમને ગ થયા છતાં વર્તમાનમાં કંઈ લાભનું કારણ થયું નથી, તેમ ભાઈ..ને તમારા સમાગમે શ્રીમદ્ રાજચંદ્ર પ્રત્યે પરમેશ્વરબુદ્ધિ થાય અને તેમની ભક્તિથી મારું કલ્યાણ થશે એમ ભાવના રહ્યા કરતી હોય તે તેમને જણાવેલે મંત્ર જીવને સમાધિમરણનું કારણ છે. પણ સપુરુષને નિશ્ચય અને આશ્રય દઢ થયે તે પ્રાપ્ત થવા ગ્ય છેજી. હાલ તે આપના સમાગમે ભક્તિ તથા મોક્ષમાળાનું શ્રવણ કરે તે યોગ્ય છેજી. તેમની ભાવના જાગે ત્યારે આશ્રમમાં આપની સાથે આવે તે વધારે હિતકારી છેજ. પત્રથી વિશેષ જણાવવા ગ્ય નથીજી. રૂબરૂમાં વાત થશેજી. શાંતિઃ ૯૮૯ અગાસ, તા. ૨૩-૬-૫૩ તત્ સત્ - જેઠ સુદ ૧૧, મંગળ, ૨૦૦૯ “આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત ગની, મુખ્યપણે તે વર્તે દેહ પર્યત જે ઘેર પરીષહ કે ઉપસર્ગ ભયે કરી, આવી શકે નહીં તે સ્થિરતાને અંત જે.” વૃદ્ધાવસ્થાને લઈને અનેક રોગો દેખાવ દે છે. તે બાંધેલાં કર્મને ના કેમ કહેવાય? આંખ જમણી હવે કામ કરતી નથી, મેતિયા પણ આવે છે. જમણા પગની નસે નરમ પડી ગઈ છે તેથી બેત્રણ ફાઁગ ચાલતાં થાકી જવાય છે અને બેસવું પડે તેમ થાય છે. આમ મંદ પુરુષાર્થની વાત કરી, પણ શરીરથી કામ લેવું છે તે તેને જોઈતું ઊંજણ – દવા ખેરાક વડે કરાય છે. પુરુષાર્થ તે, વૃત્તિની પરિણતિ તપાસી નિર્મોહી દશા તરફ પ્રયાણ કરવાનું છે. Page #799 -------------------------------------------------------------------------- ________________ ૭૭૪ બોધામૃત જેકે શિથિલતાનો પક્ષ નથી કરવો પણ શરીરના ધર્મને નિજ ધર્મ નથી માન. સમાધિ શતક'માં “માલ ખાય માંકડે અને માર ખાય બેકડે” એ લેક્તિની કથા આપી છે તે વિચારવા વિનંતી છે.જી. મરણથી ડરવું નથી, પણ મરણ આવતાં પહેલાં સમાધિમરણ થાય તેની તૈયારી તે કરી રાખવી જ છે. શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ નવી આવૃત્તિ, પ્રજ્ઞાવલ (ભગવાનદાસને લખેલે), ગ્રંથયુગલ, સમયસાર, નિત્યક્રમ – આમ પાંચ પુસ્તક આપને મોકલ્યાં છે. નવી આવૃત્તિમાં ઘણું વધારેસુધારે છે તે અથથી ઇતિ સુધી અનુક્રમે માનપૂર્વક સ્વાધ્યાય કરવા ભલામણ છે. સશ્રુતમાં વૃત્તિ એકાગ્ર થાય તે પણ ધર્મધ્યાન જ છે અને શ્રતસમાધિનું કારણ છે”. આંખ-કાનનાં સંચા સાબૂત છે ત્યાં સુધી સસ્કૃત અને સત્સમાગમ કરી લેવા ગ્ય છે જ. આપ તે એ બાબતમાં બહુ આગળ વધ્યા છે એટલે આવું ડહાપણ કરવા ગ્ય નથી, પણ મનમાં જે વિચારણું ચાલતી હોય તે લખી જવાય છેજી. પરમકૃપાળુદેવ પ્રત્યે અવિચળ શ્રદ્ધાને વારંવાર વંદન કરી પત્ર પૂર્ણ કરવા રજા લઉં છું. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ - અગાસ, તા. ૨૫-૬-૫૩ તત્ સત જેઠ સુદ ૧૩, ગુરુ, ૨૦૦૯ આત્મકલ્યાણ માટે ઉજમાળ થવા ગ્ય છેજ. કારણ કે આ યુગ કેઈક જ ભવમાં પ્રાપ્ત થાય છે, માટે પ્રમાદ તજી, દેહાધ્યાસ ઘટાડી, આત્માને સમાધિમરણ સન્મુખ કરે છે તે ગફલતમાં રહ્યું આ ગ નિષ્ફળ થતાં વાર ન લાગે. જે જે મુખપાઠ કરેલ હોય તે ભૂલી ન જતાં, તે મહેનત નિષ્ફળ ન કરતાં, તેમાંથી વિશેષ રસ પ્રાપ્ત કરવા, શ્રુતસમાધિ વરવા ઉઘુક્ત થવું ઘટે છે. “શ્રદ્ધા પામ તુસ્ત્રા ' એ ભગવંતનું વચન છે, તે પ્રમાણે શ્રદ્ધા દઢ થાય તેવું વાચન, સમાગમ રાખી પિતાના આત્મહિતાર્થે પ્રવર્તવું ઘટે છેજ. જ્ઞાનની વૃદ્ધિને વેગ ત્યાં મળી આવે તે તેમણે સંગ્રહ કરેલા ભંડારમાંથી પણ લાભ લેવો અને પરિણતિ વૃત્તિ પર લક્ષ રાખી વિભાવના પ્રસંગેથી દૂર રહી સ્વભાવસન્મુખ વૃત્તિ રહે તે લક્ષ રાખી શાંતભાવે પરિણમવારૂપ ચારિત્રધારી બને એવી શુભ ભાવના કરું છું જી. આપને નિષ્કષાય ભાવ વગર કહે બધાંના હૃદયને શાંત કરનાર બનશે. “આપ ભલા તે જગ ભલા” એ કહેવત ચરિતાર્થ કરવા વિનંતી છે. આશ્રમમાં આપ રહ્યાં છે, તેને લાભ ત્યાંના સર્વ ભવ્ય ભાઈબહેનને ઉત્તમ રીતે મળે અને સત્સંગની ભાવના સર્વને જાગે તથા પરમકૃપાળુદેવનું તેમને યથાયોગ્ય ઓળખાણ થાય તેવું પ્રસંગોપાત્ત જણાવતા રહેવા વિનંતી છેજી. તેથી આપણું શ્રદ્ધા પણ બળવાન બને છે અને આત્મહિતમાં વધારે થાય છે. “પરહિત એ જ નિજહિત સમજવું” (૮) એમ પરમકૃપાળુદેવે લખ્યું છે, તે પણ આત્મહિત ચૂક્યા વિના કર્તવ્ય છે. તમે તે સમજુ છે. સરળતાથી સૌને હૃદયમાં પરમ પ્રેમ જાગે એમ કર્તવ્ય છે. સ્વાર્થ ત્યાગ થશે, આજ્ઞાનું આરાધન થશે તે મોક્ષ દૂર નથી. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧. જુઓ અન્ય-યુગલ પૃષ્ઠ ૧૭૧ (સમાધિશતક ગાથા ૧નું વિવેચન) Page #800 -------------------------------------------------------------------------- ________________ પગસુધા ૭૭૫ અગાસ, તા. ૨૫-૬-૫૩ તત્ ૩ સ જેઠ સુદ ૧૩, ગુરુ, ૨૦૦૯ “સર્વ દુઃખથી મુક્ત થવાને અભિપ્રાય જેને થયું હોય, તે પુરુષે આત્માને ગવેષ અને આત્મા ગવેષ હોય તેણે યમનિયમાદિક સર્વ સાધનને આગ્રહ અપ્રધાન કરી સત્સંગને ગવે. ષ તેમજ ઉપાસ. સત્સંગની ઉપાસના કરવી હોય તેણે સંસારને ઉપાસવાને આત્મભાવ સર્વથા ત્યાગ. પિતાના સર્વ અભિપ્રાયને ત્યાગ કરી પિતાની સર્વ શક્તિએ તે સત્સંગની આજ્ઞાને ઉપાસવી. તીર્થકર એમ કહે છે કે જે કઈ તે આજ્ઞા ઉપાસે છે તે અવશ્ય સત્સંગને ઉપાસે છે. એમ જે સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે, અને આત્માને ઉપાસનાર સર્વ દુઃખથી મુક્ત થાય છે.” (દ્વાદશાંગીનું સળંગ સૂત્ર) (૪૯૧) પ. પૂ. પ્રભુશ્રીજીને બેધ છાપખાના માટે તૈયાર કરવાનું કામ શરૂ કર્યું છે તેથી પત્રવ્યવહાર પ્રત્યે મંદ આદર રહે છે. પણ તમારા પત્રના પ્રશ્નો તથા તમને સત્સંગની ઘણી જરૂર છે તે વાત મહત્વની જણાયાથી આ પત્ર લખવાનું કામ હાથ ધર્યું છે. માટે ઉપર પરમકૃપાળુદેવે પત્રમાં લખ્યું છે તે વાંચ્યું હોય તે પણ વારંવાર વાંચી વિચારી, જેમ સદૂગત ને દવાખાનામાં લઈ જવા પડ્યા તેમ આ જીવને જ્યાં પરમકૃપાળુદેવનું માહાસ્ય હૃદયમાં વસે તેવા સત્સંગમાં લઈ જઈ રાખ ઘટે છે. હવે મુંબઈ કરતાં વિશેષ નિવૃત્તિનું ક્ષેત્ર શોધી ત્યાં ચાતુર્માસ ગાળ ઘટે છે. મુંબઈમાં તમારા જેવા માટે અસત્સંગરૂપ અપશ્યના સેવનને સંભવ છે. દવાના બહાનાથી મુંબઈમાં રહી આત્મવેગ વધે તેવું ન થાય તે સારું એવું વિચાર કુરવાથી લખવું થયું છે. આ પત્ર આપને પિતાને ખાસ વિચારવા અર્થે લખે છે, તે બીજાને અર્થે નથી. અસત્સંગમાં સત્સંગે ચઢેલી જીવની દશા લૂંટાઈ જાય છે, એ મેટો ગેરલાભ તથા પરિભ્રમણને હેતુ છે. સમજવા માટે સદ્દગત શેઠ જેસંગભાઈ ઊજમશીભાઈ (અમદાવાદ)ના જીવનને પ્રસંગ લખું છું – પરમકૃપાળુદેવ મેક્ષમાળા છપાવવા અમદાવાદ ગયેલા ત્યારે તેમને શેઠના પ્રસંગમાં આવવાનું બનેલું, અને અતિશયધારી પરમકૃપાળુદેવની ચમત્કૃતિથી તે તેમના તરફ બહુમાન ધરાવતા થયા. તેમના ગ૭નાં દિવાળીબાઈ આજને પણ તેમણે પરમકૃપાળુદેવની પ્રશંસા સંભળાવી કે અમારા એક મહેમાન મુંબઈથી આવ્યા છે તે અમારા મનની વાત જાણી કહી દેખાડે છે. પરંતુ વિચક્ષણ આર્યા સમજી ગઈ કે તે સાધુઓ કરતાં તેમના પ્રત્યે વિશેષ આકષયા છે. તેથી અસત્સંગરૂપ તે આર્યાએ કહ્યું કે ગમે તે ક્ષયોપશમ હોય પણ આખરે તે તે સંસારી જ ને ? સાધુપણુ વગર પૂજ્યતા ક્યાંથી હોય? આટલી ઝેરની કણી શેઠની શરૂઆતની કમળ શ્રદ્ધાને નિર્જીવ બનાવવા સમર્થ થઈ પડી. પછી ઘણું વખત પરમકૃપાળુદેવને મળેલા, તેમણે જાતે પીરસી તેમને જમાડેલા પણ અસત્સંગનું ઝેર ન ગયું. સામાન્યપણું થઈ ગયું. આપણું ઓળખીતા છે, મેળાપી છે, એ ભાવ પરમકૃપાળુદેવના દેહોત્સર્ગ પછી પણ રહ્યો. પરમકૃપાળુદેવે પરમકૃત પ્રભાવક મંડળમાં સારી રકમ તેમની પાસે લખાવેલી; તેથી પ્રથમવૃત્તિ (શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથની) છપાઈ ત્યારે શેઠને ભેટ મળી, પણ શ્રદ્ધા વિના તે કબાટમાં જ રહી. પણ ફરી સત્સંગને યોગ પુણ્યના ઉદયે બન્યા ત્યારે તે પુસ્તક વાંચી Page #801 -------------------------------------------------------------------------- ________________ ૭૭૬ બધામૃત આશ્ચર્ય પામ્યા અને પોતાની ભૂલ સમજાઈ. તે મુમુક્ષુઓને કહેતા કે ભાઈ, ભૂલેચૂકે પણ અસત્સંગના ફદામાં ફસાશો નહીં. એ તે મહાભાગ્યશાળી કે પ. પૂ. પ્રભુશ્રીજીની કૃપાને પાત્ર તે થયા, નહીં તે ઉત્તમ વેગ મળવા છતાં મનુષ્યભવ વ્યર્થ જ રહે. અહીં તમે ન આવી શકે તે નાની ખાખરમાં રહેશે તે ત્યાં પણ સશ્રદ્ધાનું પિષણ થાય તે યુગ તમારા પુણ્ય તૈયાર કરી રાખે છેજી. વતનિયમમાં તણાયા કરતાં શ્રદ્ધા દઢ કરી આત્મલાભ થાય તેમ કરશો તે ઘાતિયાં કર્મ મંદ થતાં ઘણી નિર્જરા થશે. વ્રતનિયમથી પુણ્ય બંધાય તે અઘાતિયાં કર્મની પ્રકૃતિરૂપ છે. તેવું તે જીવે ઘણી વાર કર્યું છે પણ ઘાતિયાં કર્મને ક્ષય કરવા તીર્થકર જેવાએ લક્ષ રાખે છે, તે જીવ ચૂકી, ગણતરી થઈ શકે તેવી ક્રિયામાં રાચી, સાચી સમજણ કરવાનું ચૂકે છે, તે લક્ષમાં લેશો. હવે ટૂંકામાં તમારા પત્રમાં જણાવેલા પ્રશ્નો વિષે લખું છું – “અમુક કાળ સુધી શૂન્ય સિવાય કંઈ નથી જોઈતું.” (૧૨૮) “શૂન્ય” એટલે નિર્વિકલ્પ દશા. તે બે ઘડી સુધી ટકે તે શ્રેણી માંડવાથી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય. માટે “અમુક કાળ” લખ્યું છે. પરદ્રવ્ય કે સ્વદ્રવ્યને વિશેષપણે જાણવાં તેનું નામ વિકલ્પ નથી, તે શાને વિકલ્પ કહે છે? એમ પ્રશ્ન થાય તેને ઉત્તરઃ રાગદ્વેષસહિત કેઈ પણ શેયને જાણવામાં ઉપગ ખેર, વારંવાર ઉપગને અસ્થિર કરે તેને વિકલ્પ કહે છે. વીતરાગપણે જે જાણે તે યથાર્થ જાણે છે. અન્ય અન્ય ય પદાર્થને જાણવા ઉપગ પલટાવ્યા ન કરે ત્યાં નિર્વિકલ્પ દશા જાણવી. કોઈ એમ કહે કે છદ્મસ્થને ઉપયોગ તે જુદા જુદા સેય પદાર્થોમાં પલટાયા કરે ત્યાં નિર્વિકલ્પતા કેવી રીતે સંભવે ? તેને ઉત્તર ઃ જેટલે કાળ એક પદાર્થમાં વિતરાગપણે જાણવામાં જાય તેટલો કાળ નિર્વિકલ્પ દશા કહી છે. વિચાર માત્ર રેકાય તે જડપણું પ્રાપ્ત થાય. પણ રાગદ્વેષવશ ઉપગ પલટાવે તે વિકલ્પ છે. વીતરાગપણે ઉપયોગ એક પદાર્થમાં રેકાય તે નિર્વિકલ્પતા (૨) પ્રશ્ન – પૂર્ણ વીતરાગતા તે સર્વજ્ઞતા તો નહીં જ ને ? ઉત્તર - પૂર્ણ વિતરાગતા મેહનીયકર્મના ક્ષયે પ્રગટે છે અને પછી અંતર્મુહૂર્તમાં સર્વજ્ઞતા પ્રગટે છે; એટલે પૂર્ણ વીતરાગતા, સર્વજ્ઞાપણાની સમીપની જ દશા છે. તેથી પૂર્ણ વીતરાગ સર્વજ્ઞ અલ૫ સમયમાં થયા વિના રહે નહીં. તેને સર્વજ્ઞ કહો તે ખોટું નથી. છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૯૯૨ અમાસ, તા. ૨-૭-૫૩ જેઠ વદ ૬, ગુરુ, ૨૦૦૯ “શું પ્રભુચરણ કને ધરું, આત્માથી સૌ હીન; તે તે પ્રભુએ આપિયે, વતું ચરણાધીન.” – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર તમે ૧૫ પ્રશ્નો લખ્યા છે તે ધર્મધ્યાનરૂપ છે. જિજ્ઞાસુ જીવે વાંચી-વિચારી ન સમજાય તેને ખુલાસો મેળવવા પ્રયત્ન કર્તવ્ય છે. સ્વાધ્યાયના પાંચ ભેદમાં પહેલું વાંચના, બીજે પૃચ્છના, ત્રીજો પરાવર્તના, એથે ધર્મોપદેશ અને પાંચમે અનુપ્રેક્ષા છે તેમાં છેલ્લે ભેદ પ્રાપ્ત થયે બીજા બધા ભેદની સફળતા છે. તેથી ઉત્તરે લખાય તેને વિચાર કરી વારંવાર ભાવના કરવાથી અનુપ્રેક્ષા થશેછે. ટૂંકામાં તે ૧૫ પ્રશ્નોના ઉત્તર લખું છુંજી – Page #802 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૭૭૭ (૧) પ્રશ્ન – “મોક્ષ થવા માટે પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા આરાધવી જોઈએ.” (૨૦૦) પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા કોને કહેવી? અને અમારે વિષે તે શી રીતે સંભવે ? ઉત્તર – જેણે આત્મસ્વરૂપે પ્રગટ કરી અનુભવ્યું છે તે પ્રત્યક્ષ જ્ઞાની છે. પરમકૃપાળુદેવે પ્રગટ આત્મસ્વરૂપ અનુભવ્યું છે, આત્મસ્વરૂપ થયા છે, પિતે દેહધારી છે કે કેમ તે તેમને માંડ માંડ વિચાર કરે ત્યારે યાદ આવતું તેવા પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા પ. પૂ. પ્રભુશ્રીજીને પ્રાપ્ત થઈ તેમણે પિતાને જે આજ્ઞાથી લાભ થયો તે આ કાળમાં અન્ય ગ્ય જીવેને પ્રાપ્ત થાય તે અર્થે તેમની પાસે આવ્યા તેમને તે (પ્રત્યક્ષ પુરુષની) આજ્ઞા જણાવી અને પોતે ન હોય ત્યારે યોગ્ય જીવોને જણાવવા અંત વખતે મને આજ્ઞા કરી. તે પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા તમને પ્રાપ્ત થઈ છે, તે શ્રદ્ધાપૂર્વક આરાધવા, અપ્રમત્તપણે આરાધવા ભલામણ છે. | (૨) પ્રશ્ન – “પ્રત્યક્ષ સદૂગુરુગથી સ્વચ્છેદ તે રોકાય.” પ્રત્યક્ષ સદ્દગુરુનો પેગ કેને કહે ? અમારે વિષે તે શી રીતે સંભવે? તે ન હોય તે પછી સ્વચ્છેદ શી રીતે રોકી શકાય? ઉત્તર – “જે કોઈ તે આજ્ઞા ઉપાસે છે તે અવશ્ય સત્સંગને ઉપાસે છે અને જે સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે અને આત્માને ઉપાસનાર સર્વ દુઃખથી મુક્ત થાય છે (મક્ષ પામે છે).” (૪૯૧) આમ પરમકૃપાળુદેવે દ્વાદશાંગીનું સળંગ સૂત્ર લખ્યું છે. “કે જીવ સ્વછંદ તે પામે અવશ્ય મેક્ષ.” આમ સ્વછંદ રેકાય તે જ મેક્ષ થાય છે. અને આજ્ઞાને આરાધક સ્વરછેદ વતી શકે નહીં. બીજું, “જે સત્પરુએ સદ્ગુરુની ભક્તિ નિરૂપણ કરી છે તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે વ્યક્તિને પ્રાપ્ત થવાથી સદ્ગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દષ્ટિગોચર થઈ અન્ય સ્વછંદ મટે અને સહેજે આત્મબોધ થાય.” આમ ભક્તિ કરતાં પણ સ્વચ્છેદ રેખાય છે. જે જીવની ગ્યતા ન હોય એટલે “કષાયની ઉપશાંતતા, માત્ર મેક્ષ અભિલાષ; ભવે ખેદ, પ્રાણ દયા, ત્યાં આત્માર્થ-નિવાસી” તે “દશા ન એવી જ્યાં સુધી, જીવ લહે નહિ જોગ, મોક્ષમાર્ગ પામે નહીં, મટે ન અંતર રેગ.” એમ વિચારી અંતરે, શોધે સદ્ગુરુ ગ; કામ એક આત્માર્થનું, બીજે નહિ મન રેગ.” આમ સદ્દગુરુની આજ્ઞાનું આરાધન એ જ સદ્દગુરુને યોગ છે. “ત્રણે યોગ એકત્વથી વર્તે આજ્ઞાધાર' માટે સદ્દગુરુની આજ્ઞા મળી છે તેને ત્રણે વેગે આરાધન કરે તે સ્વચ્છેદ રોકાય. (૩) પ્રશ્ન – સિદ્ધભગવાનને કઈ પણ પ્રકારને દેહ હોય ? ઉત્તર – સ્કૂલદેહ, તેજસ અને કાર્યણ એમ ત્રણ પ્રકારનાં શરીર સંસારી જીવેને હોય છે. તેનું કારણ કર્મ છે પણ આઠ કર્મને નાશ કરે તેને ત્રણે દેહને અભાવ હોય છે. તેથી સિદ્ધભગવાનને અશરીરી કહ્યા છે. પણ તેમના આત્મપ્રદેશ છેલા દેહના આકારે અરૂપીપણે રહે છે. આત્માને જ્ઞાનરૂપી દેહ કહેવાય છે તે માત્ર અલંકારી ભાષા છે. જ્ઞાન આત્માથી ભિન્ન નથી, જ્ઞાનમય જ આત્મા છે. Page #803 -------------------------------------------------------------------------- ________________ ૭૭ બધામૃત (૪) પ્રશ્ન – પરમાર્થનું ક્ષીણપણું છે માટે વર્તમાનકાળને દુષમકાળ કહ્યો છે? કે દુષમકાળ છે માટે પરમાર્થનું ક્ષીણપણું છે? ઉત્તર – પરમાર્થમાર્ગને મેગ્ય પુણ્યવાળા બહુ ઓછા જેવો હોવાથી આ કાળને દુષમ કહ્યો છે. જેનાં કર્મને લઈને કાળને પણ કલંક લાગ્યું છે, પણ તેમાં જ્ઞાની પુરુષની આજ્ઞા પ્રત્યે ઉલ્લાસભાવ રાખી મોક્ષ-પુરુષાર્થ કરનારને કાળનું દુષમપણું નથી; એટલે પરમાર્થનું ક્ષીણપણું મોટે ભાગે ઘણા જીના પાપકર્મના ઉદયે છે. કાળ કોઈને હાથ ઝાલવા આવતે નથી કે તને પરમાર્થમાં નહીં પ્રવર્તાવા દઉં! પણ જીવના અંતરાય કર્મના ઉદયે તથા મિથ્યાત્વભાવના ઉદયે તેને સંસારમાં પ્રવૃત્તિ કરવાનું સચેતપણું વર્તે છે અને પરમાર્થમાં પ્રમાદી બને છે. એ જીવને જ વાંક છે, કાળને દોષ નથી. સારાં નિમિત્તો ન મળે તે કાળને પ્રભાવ જીવનાં કર્મને લઈને બને, પણ પુરુષાર્થ કરવા ધારે તે જીવ તેમાં વહેલામોડો ફળીભૂત થાય છે. | (૫) પ્રશ્ન-પ્રારબ્ધ અને પુરુષાર્થનો સંબંધ સવિસ્તર સમજાવશોજી. ઉત્તર–મનુષ્યભવ મળે છે તે પ્રારબ્ધ છે. “બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવને મળે, તેયે અરે ભવચકને આંટો નહીં એક્કે ટળ્યો.” ત્યાં પુરુષાર્થની ખામી બતાવી. જીવે પૂર્વે પુરુષાર્થ કરેલે, પુણ્યાદિ બાંધેલાં તે અત્યારે પ્રારબ્ધના નામથી ઓળખાય છે. તે તે ભવમાં તેનું નામ પુરુષાર્થ હતું. માત્ર કાળભેદ છે. બીજા ભવમાં પુણ્ય બાંધવાને પુરુષાર્થ કર્યો તે મનુષ્યભવ મળે. જેણે પુરુષાર્થ નહેતે કર્યો તે કીડી, કાગડા, કૂતરારૂપે અવતર્યા છે. પહેલાના પુરુષાર્થના ફળને અહીં પ્રારબ્ધ કહે છે. જે મેક્ષ થાય તે પુરુષાર્થ અત્યારે કરે છે તે ખરા પુરુષાથ છે, તેને ભવ કપાય છે. જે પ્રમાદ સેવે, પાપ બાંધે તે અવળે પુરુષાર્થ કરી મનુષ્યભવ હારી બેસે છે અને ચાર ગતિમાં ભટકે છે. ત્યાં તેને કાગડા-કૂતરાના ભવરૂપે પ્રારબ્ધ ભેગવવું પડે છે. “પ્રવેશિકા'માં રાત્રિભૂજન વિષેના પાઠમાં શિયાળનું દષ્ટાંત છે; તેમાં રાત્રે પાણી નહીં પીવાને એટલે પાપમાં નહીં પ્રવર્તતાં વ્રત પાળવાને પુરુષાર્થ તેણે કર્યો તે મનુષ્યભવ તે પામ્યું અને ત્યાં મોક્ષપુરુષાર્થથી મુક્ત થયું. આવું પ્રારબ્ધ-પુરુષાર્થનું સ્વરૂપ છે. જેણે પ્રારબ્ધ બાંધ્યું છે તે તેને ફેરવી શકે, નાશ કરી શકે છે. નાશ ન થઈ શકે તે કઈમેક્ષે જાય જ નહીં. માટે જ્ઞાનીની આજ્ઞા આરાધવાથી મુક્તિ મળે છે એમ દઢ કરી આજ્ઞા-આરાધનને પુરુષાર્થ મનવચનકાયાના ત્રણે ગે કર્તવ્ય છે. . (૯) પ્રશ્ન-ઈશ્વરેરછાથી જે કઈ પણ છાનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત હશે તે તે તેમ થશે, અને તે બીજેથી નહીં પણ અમ થકી એમ પણ અત્ર માનીએ છીએ” (૩૯૮) અંડરલાઈન કરેલા શબ્દો સમજાવે. ઉત્તર– “જ્ઞાનીને “પ્રારબ્ધ”, “ઈશ્વરેચ્છાદિ બધા પ્રકારો એક જ ભાવના, સરખા ભાવના છે ઈશ્વરને વિષે કઈ પ્રકારે ઈચ્છા સ્થાપિત કરી, તે ઈચ્છાવાન કહેવા ગ્ય છે. જ્ઞાની ઈચ્છારહિત કે ઈચ્છાસહિત એમ કહેવું પણ બનતું નથી; તે સહજસ્વરૂપ છે.” (૩૭૭) આમાં પરમકૃપાળુદેવે જે અર્થમાં “ઈશ્વરેચ્છા” શબ્દ વાપર્યો છે તેને ખુલાસે છે. “સપુરુષમાં જ પરમેશ્વરબુદ્ધિ, એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે” (૨૫૪). ત્યાં “ઈશ્વરને અર્થ છે. અને “ત્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઇચ્છાએ એટલે આજ્ઞાએ નહીં વર્તાય ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ Page #804 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ese થવી સ`ભવતી નથી.” (૨૦૦) ત્યાં ઇચ્છા'ના અથ છેજી શબ્દોની માથાફોડ કર્યાં કરતાં આજ્ઞા આરાધવી; એથી ખધું સમજાતું જશેજી. વત માનમાં પણ સર્જિત’દુષમકાળમાં પણ જ્ઞાનીની આજ્ઞા પામનાર ભાગ્યશાળી હશે તેનું કલ્યાણ ‘અમ થકી=પરમકૃપાળુદેવની ભક્તિથી થશે. કારણકે આ કાળમાં તેટલી ઊંચી દશાવાળા પુરુષ તેમના જેવા પ્રાપ્ત થવા અસભવ છેજી. પરમકૃપાળુદેવ આ કાળમાં અપવાદરૂપ છે. હજારા વર્ષે તેવા પુરુષો દેખાવ દે છે. ઘણાખરા મહાત્માએ ગણાતાં પરમકૃપાળુદેવનાં જ્ઞાન અને વીતરાગપણાની સરખામણીમાં આવી શકે તેવા નથી. માટે એક મત આપડી ને ઊભે માર્ગે તાપડી'ની વાત જેવું આંખે મીંચી તેને શરણે રહેવાને પુરુષાર્થ કર્તવ્ય છેજી. (૭) પ્રશ્ન—આપણે માગીએ છીએ તે દા. ત. ‘કમજન્ય પાપની ક્ષમા', ‘આપની પરમ ભક્તિ અને વીતરાગપુરુષના મૂળધમની ઉપાસના', ‘દુઃખ મેટા 'તરજામી' વગેરે મળે ખરું કે ? ઉત્તર – મામાળા શિક્ષાપાડ ૧૩ માં પ્રશ્ન છે “એએની ભક્તિ કરવાથી આપણને તેઓ મેક્ષ આપે છે એમ માનવું ખરું ?”” તેના ઉત્તર તે પાઠમાંથી વાંચી લેશેાજી. (૮) પ્રશ્ન – અન’તકાળથી જે કલ્યાણ થતું નથી તે અત્યારે કેમ થશે ? ઉત્તર – જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પુરુષના ચેાગ વિના સમજાતું નથી.’ (૫૦૫) ધ્યેય ચેાગૈા સાથે મળે ત્યારે કલ્યાણુ અનંતકાળથી નહાતું થતું તે થાય છેજી. (૯) પ્રશ્ન-આયુષ્ય તૂટી શકે? પછી ખીજાં કર્માનું શું થાય ? ઉત્તર – તૂટી શકે તેવું જ આયુષ્ય જીવે માંધ્યું હોય છે તેથી નિમિત્ત મળતાં તૂટી જાય છે અને તે દેહે તેટલું જ ભાગવાઈ રહે છે. જેમ કે ઘડિયાળને આઠ દિવસ ચાલે તેવી ચાવી આપી હોય ને અંદરથી ઠેસી ખસેડી નાખે તેા તરત ઊકલી જાય છે; તેમ શિથિલ આયુષ્ય ખાંધ્યું હાય તે થાડાક વખતમાં ઉદીરણા થઈ ભાગવાઈ જાય છે. ખીજાં વેદનીયાદિ કર્મ ખીજા ભવમાં પણ ભાગવવાં પડે છે. જે કર્માંની સ્થિતિ આયુષ્યથી વધારે ખાંધી હેાય તે ખીજા ભવમાં ભાગવાય છેજી. તે તે ભાગ્ય વિશેષનાં, સ્થાનક દ્રવ્ય સ્વભાવ; ગહન વાત છે. શિષ્ય આ, કહી સક્ષેપે સાવ.” બાકીના પ્રશ્નો બહુ અગત્યના નથી અને વખત નથી તેથી તેના ઉત્તર લખ્યા નથી. અન્ય પ્રસંગે રૂમમાં પૂછશેાજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૨૩ તત્ સત્ નર્થી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહિ; આપ તણે। વિશ્વાસ દૃઢ, ને પરમાદર નાંહિ.'’ અગાસ, તા. ૬-૭-૫૩ જેઠ વદ ૧૦, ૨૦૦૯ આપના ઘણા પત્રો મળ્યા. આપની પરમકૃપાળુદેવને શરણે આજ્ઞા મેળવવાની ભાવના જાણી ઈંજી. આપના હિતના વિચાર કરી, આપને અહીં આવ્યે વિશેષ લાભ થશે જાણી, ત્યાં હાલ Page #805 -------------------------------------------------------------------------- ________________ ૭૮૦ બધામૃત મુખપાઠ કરવા સૂચના જણાવી હતી, તેથી આપને સંતેષ રહ્યો નથી જાણી નીચે મુજબ વર્તવા ભલામણ છેજ. જેમ વીસ દોહા મુખપાઠ કર્યા, તેમ “યમ નિયમ સંજમ આપ કિયે” એ આઠ કડી છે તે, તથા “હે ભગવાન! હું બહુ ભૂલી ગયે” એ ક્ષમાપનાને પાઠ મુખપાઠ થયા પછી પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ હાથ જોડી, નમસ્કાર ત્રણ વખત કરી, તેમને ગુરુ હૃદયમાં ધારી નીચેનાં સાત વ્યસનને જીવનપર્યત ત્યાગ કરવા પ્રતિજ્ઞા લેશે – (૧) જુગાર (૨) માંસ – ઈંડાં (૩) દારૂ ચાખે (૪) ચેરી (૫) વેશ્યાને સંગ (૬) શિકાર (કોઈ ત્રસ જીવને સંક૯પ કરી હણવો તે) (૭) પરસ્ત્રીસેવન. વળી સાત અભક્ષ્યમાંથી જેટલાને જીવન પર્યત ત્યાગ થઈ શકે તેટલાની પ્રતિજ્ઞા પણ લેશે. સાત અભક્ષ્ય – (૧) વડના ટેટા (૨) પીંપળના ટેટા (૩) પીપળાના ટેટા (૪) ઉમરડાં (ગૂલર ફળ) (૫) અંજીર (લીલાં તેમ જ સૂકાં) (૬) માખણ (૭) મધ. આટલે ત્યાગ રાખી મંગલાચરણ – “અહો શ્રી સત્પષકે વચનામૃત કે “અનંત અનંત ભાવભેદથી ભરેલી બોલી, વીસ દેહરા, યમનિયમ અને ક્ષમાપનાને પાઠ રોજ નિયમિત રીતે બેલવાની આજ્ઞા પરમકૃપાળુદેવને નમસ્કાર કરીને લેશે, અને તે પ્રમાણે પ્રતિજ્ઞા લીધા પછી અચૂકપણે વર્તશે. વિશેષ અહીં રૂબરૂમાં આવ્યું જણાવવા ગ્ય હશે તે જણાવાશે. પૂ.ની સમક્ષ પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ પ્રતિજ્ઞા ગ્રહણ કરવા ભલામણ છે. ૯૯૪ અગાસ, તા. ૧૫-૭-૫૩ તત્ છેસત્ અષાડ સુદ ૪, ૨૦૦૯ વિ. ભાઈને કાગળ આવ્યું છે તેમાં બે તત્વજ્ઞાન વાંચવા, મનન કરવા મંગાવે છે. તેને લખી જણાવશે કે વાંચવા જોઈએ તે તમારી પાસેથી લઈ જાય અને વાંચી રહે ત્યારે પાછું આપી દે. કંઈ કલ્યાણ કરવાની તેની જિજ્ઞાસા હોય તે આશ્રમમાં જઈ પરમકૃપાળુદેવની આજ્ઞા પ્રમાણે તેમાંથી તે બતાવે તે ભક્તિ કરવા ગ્ય છે, તે ત્યાં જઈ આજ્ઞા લેવાથી લાભ થશે એમ જણાવશે. એકઠા મળીને ભક્તિ કરવાનું નિમિત્ત જ નહીં તે બે-પાંચ દિવસે રાખ્યું હોય તે હિતકારક છે. વૈરાગ્ય વધે તેવું વાંચન – ભાવનાબેધ, મેક્ષમાળા, ગ્રંથયુગલ આદિ – કેઈન હોય તે આપણે એકલા પણ રાખવું ઘટે છેજી. વૈરાગ્ય વગર ગમે તેવા ઉત્તમ તત્ત્વની વાત હોય તે પણ ભૂખી લાગે અને વૈરાગ્ય હોય તે તુચ્છ વસ્તુ પણ ઉપકારી નીવડે છેજ. “સાંજ પડી અને હજી દી નથી કર્યો ?” એવા એક કન્યાના શબ્દો સાંભળી એક વૈરાગી અમલદારને થયું કે વેળા વાળ થઈ ગયા તે પણ મેં આત્મતિ પ્રગટાવી નહીં! ધિક્કાર છે મારા ડહાપણને! આમ વિચારી તે સદ્ગુરુને શોધવા યાત્રા કરવા નીકળી પડ્યો અને તેના સભાગે સદ્ગુરુ મળ્યા અને પિતાનું કલ્યાણ તેણે કરી લીધું. એમ વિચારી અંતરે, શોધે સદ્દગુરુગ; કામ એક આત્માર્થનું, બીજે નહિ મનરોગ.”– શ્રી આત્મસિદ્ધિજી છ પદને પત્ર, આત્મસિદ્ધિ આદિ વચને વિચારવાને અમુક વખત રોજ રાખવે ઘટે છે. તેમાં પૂરું બોલી જવાને લક્ષ ન રાખતાં, થોડું પણ ઊંડું ઊતરાય તેવું મનન કરવાને લક્ષ રાખ ઘટે છેજ. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #806 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધી ૭૮૧ જ્ય અગાસ, તા. ૧૫-૭-૫૩ રેકે જીવ સ્વછંદ તે, પામે અવશ્ય મોક્ષ પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ.” – શ્રીમદ્ રાજચંદ્ર ભાઈનું આજે કાર્ડ મળ્યું. લખવાનું કે માયા વડે મહાવ્રત લીધેલાં પણ નિષ્ફળ થાય છે એમ ભગવાને કહ્યું છે. જીવ જાણે કે મંત્રથી મારું કલ્યાણ થશે, પણ એમ તે નવકાર મંત્રનું સ્મરણ કેટલાય માણસે કર્યા કરે છે. પણ આજ્ઞાથી કલ્યાણ છે તે જીવ ભૂલી જાય છે. તેમને પત્ર લખ્યો હતો તેમાં સાત વ્યસન અને સાત અભક્ષ્યના નિયમની આજ્ઞા આપી છે. ત્રણ પાઠ મુખપાઠ થઈ ગયા પછી તેની આજ્ઞા તમારી સમક્ષ લેવા જણાવ્યું હતું. તે એવા હેતુથી કે સાત અભક્ષ્ય વગેરેની તેમને સમજ પડે અને કાગળ વાંચી પરમકૃપાળુદેવની સાક્ષીએ તેટલા નિયમ લેવા જણાવ્યું હતું. પણ તે તે પત્રમાં લખે છે કે ભાઈની હાજરીમાં સહજાત્મસ્વરૂપ પરમગુરુનું સ્મરણ મારા આત્મામાં ધારણ કર્યું છે. આમ કંઈ લખ્યું હોય ને કંઈ કરે તેથી ધર્મ થતું નથી. અને આમ કરવું એ ધર્મચારી કહેવાય એવી તેમને સમજ પાડશોજી. એવી ધર્મરીમાં સાક્ષી રહેનાર પણ તે પાપના ભાગીદાર થાય છેજી. માટે તેમને જણાવશે કે અહીં આવ્યું તેમની ગ્યતા હશે તે સ્મરણ મળશે. આમ લેભાગુ બનવાથી “ધર્મ કરવા જતાં ધાડ પડે એ કહેવત પ્રમાણે પાછા પડવાનું બને છે. “ઉતાવળ તેટલી કચાશ અને કચાશ તેટલી ખટાશ” આ વારંવાર વિચારવા ગ્ય છે. ભવિષ્યને લાભ મળવાન પણ અટકી જાય છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૯૯૬ અગાસ, અષાડ સુદ ૧૦, મંગળ, ૨૦૦૯ છૂટે દેહાધ્યાસ તે, નહિ કર્તા તું કર્મ; નહિ ભક્તા તું તેહને, એ જ ધર્મનો મર્મ.” – શ્રીમદ્ રાજચંદ્ર દેહના ધર્મ સમભાવે ભેગવી તેથી છૂટવાની ભાવના રહે છે. બાંધેલાં ભગવ્યા વિના છૂટકે નથી, પણ જેટલે લેશ જીવને થાય છે તેટલે સંસાર વધે છે. “લેશે વાસિત મન સંસાર, ક્લેશરહિત મન તે ભવપાર” એમ શ્રી યશોવિજયજીએ સ્તવનમાં જણાવ્યું છે તે લક્ષમાં લેવા યોગ્ય છે. મંત્રસ્મરણમાં મન વારંવાર શેકાય તેમ કર્તવ્ય છે). કલ્યાણનું મુખ્ય સાધન સત્સંગ છે તે પુણ્યના ઉદયે પ્રાપ્ત થાય છે. પણ ભાવના તે રોજ સત્સંગની જ કર્તવ્ય છેપ. પૂ. પ્રભુશ્રીજીને ઉપકાર કઈ રીતે વળી શકે તેમ નથી. ૯૯૭ અગાસ, તા. ૨૩-૭-૫૩ તત્ છે સત્ અષાડ સુદ ૧૨, ગુરુ, ૨૦૦૯ આપ દર વર્ષે નિયમ લે છે તે જણાવ્યું અને ફરી આ વર્ષ માટે તે મુજબ ત્યાગની ભાવના દર્શાવી તે તે પરમકૃપાળુદેવની સાક્ષીએ અંગીકાર કરવા ભલામણ છેજ. જેવી રીતે ચોમાસામાં મારે અમુક વ્રતનિયમ પાળવાં એવા ભાવ કરીએ છીએ તે જ પ્રમાણે પિતાની શક્તિ વિચારી ક્રોધ, માન, માયા, લેભ, આળસ, પ્રમાદ ઓછા કરવાને નિશ્ચય પણ કરે ઘટે છેજી. બહારના નિયમ પાપથી આપણને બચાવે છે અને પુણ્ય બાંધવાનું કારણ થાય છે, ૧. જુઓ પત્રસુધા પત્ર નં. ૯૯૩ Page #807 -------------------------------------------------------------------------- ________________ ૭૮૨ બેધામૃત તેમ પિતાના દોષ દેખીને દોષ ટાળવાના નિયમથી આત્મા પવિત્ર થાય છે અને સમકિતનું કારણ થાય છે. તેનું ફળ મેક્ષ આવે છે. તે સમજવા આ લખવું થયું છે તે વિચારી તે દિશામાં પણ પુરુષાર્થ કરતા રહેવા ભલામણ છે. શરીર અર્થે કંઈ કરવું નથી. મેક્ષમાર્ગમાં મદદ કરે તે અર્થે દવા વગેરે ચાલુ છે.જી. હાલ કંઈક ઠીક છેજ. શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૯૯૮ અગાસ, અષાડ સુદ ૧૪, શનિ, ૨૦૦૯ અનન્ય શરણના આ૫નાર એવા શ્રી સદગુરુ પરમ દયેયવરૂપ શ્રીમદ્ રાજચંદ્રદેવને અત્યંત ભક્તિથી નસરકાર “સુખદુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં, ટાળ્યાં તે કોઈનાં નવ ટળે, કર્મરાજનાં જડિયાં.” – નરસિંહ મહેતા તમારું કાર્ડ આવ્યું. સમભાવે સહન કરવાનું શીખવવા જ આ દરદ ઉપદેશરૂપ છે. મરણ આવ્યા પહેલાં સદૂગુરુશરણે સુખદુઃખ સમાન ગણવાને તેને ઉપદેશ દઢ કરી લેવાય તે જરૂર સમાધિમરણ થાય. જે જે કર્મના ઉદયપ્રસંગે આવે છે તે સવળાં કરતાં આવડે તે તે જ તારનાર બને એ મહાપુરૂષોને અભિપ્રાય છે. સમકિત આગે બધું સવળું બને છે. તે અર્થે શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા, અનુકંપાની તૈયારી જોઈએ. સદ્દગુરુને વેગ અને બંધ જોઈએ તે અનંતકાળથી નથી થયું તે આ દુર્લભ ભવમાં સુલભ થાય તેમ છે. તેની જ ભાવના રાખી હવે તે ચેતી લેવા જેવું છે. આટલી બધી સામગ્રી ફરી ફરી મળવી મુશ્કેલ છે માટે મરણિયા થઈને પણ ચેતવું એ ૫. ઉ. પ્રભુશ્રીજીને બેધ સ્મૃતિમાં આવે છે. અહોરાત્ર સ્મરણમાં ગાળવાને પુરુષાર્થ હાલ થઈ શકે તેમ છે, તે પ્રસંગને લાભ લઈ તેવી ટેવ પાડી દેવા ભલામણ છે. જરા દુઃખને પ્રસંગ દૂર થયે કે આ સંસારના વિકલ્પ ઘેડેસવાર થઈ જીવને દોડાવ્યા કરે છે તેને કાબૂમાં રાખી, ગંભીરતાથી અગત્યનું કામ ચકાય નહીં તેમ પ્રવર્તવા વિનંતી છેo. અગાસ, અષાડ વદ ૨, ૨૦૦૯ “અહે! અહે! શ્રી સદ્ગુરુ, કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો ! અહો! ઉપકાર.” – શ્રી આત્મસિદ્ધિજી ક્રોધ, માન, માયા અને લેભ દિવસે દિવસે ઓછા કરવાને પુરુષાર્થ કર્તવ્ય છે. જેને સમકિત સાચી શ્રદ્ધા પ્રગટ કરવાની ભાવના હોય તેમણે કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; - ભવે ખેદ, પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ.” આ ગાથાનો વિચાર કરી શાંતિમાં વિશેષ રહેવાય, ઈરછાઓ અ૯પ થાય અને શરીર, ભોગ અને ભવ પ્રત્યે વૈરાગ્ય જાગે તેવી વિચારણા અને આચરણ કર્તવ્ય છેઝ. આવી યોગ્યતા આવ્ય સદ્ગુરુના યેગે બેધની પ્રાપ્તિ થયે જીવને આત્મજ્ઞાન કે સમ્યક્દર્શન પ્રગટે છે. જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજજ્ઞાન; જે જ્ઞાને ક્ષય મેહ થઈ પામે પદ નિર્વાણ.” આ આત્મસિદ્ધિશાસ્ત્રમાં માર્ગ દર્શાવ્યું છે તે વિચારી વૈરાગ્ય-ઉપશમ વધારશોજી. Page #808 -------------------------------------------------------------------------- ________________ પગસુધા ૭૮૩ ૧૦૦૦ અગાસ, તા. ૨૮-૭–૫૩ તત્ કૈં સત્ અષાડ વદ ૨, મંગળ, ૨૦૦૯ નિર્વાણુ માર્ગે સુવહાણ જેવા, કુસંગકાર્યો ય મુકાવનાર; સન્માર્ગ આપી ય ટકાવનારા, શ્રીમદ્ ગુરુ છે જગમાંહિ ન્યારા ! ગઈ સાલની પેઠે તમને કુસંગને વળગાડ લાગે છે. રવછંદ વર્તી કાર્ય કરવા નિર્ણય કરી આજ્ઞા માગે છે તે આગમ વિરુદ્ધ છે. ભલે તમે દેવ ગુરુ સાચા માનતા હે, પણ હજી પરમકૃપાળુદેવમાં પરમેશ્વરબુદ્ધિ યથાર્થ થઈ જણાતી નથી, તેથી જ્યાંત્યાં માથાં ભરાઈ જાય છે. આ કડક શબ્દો લખવાનું કંઈ કારણ હશે જાણી આત્મપરીક્ષા કરી પરમકૃપાળુદેવ સિવાય કેઈ ઉદ્ધાર કરે તેમ નથી એ દઢ નિશ્ચય કરવા ભલામણ છે. જ્યાં આત્મજ્ઞાન નથી તે પાણી વગરના કૂવા છે. ત્યાં તરીલાં ચાકળા લઈને જાઓ, કૂવામાંથી પાણી કાઢવા પ્રયત્ન કરે તે ત્યાં કાદવ સિવાય કંઈ હાથ લાગશે નહીં, મહેનત વ્યર્થ જશે. કાગળ લખવા વિચાર નહેતે પણ એમ ને એમ માનમાં વહ્યા જશે, તેને કહેનાર કઈ ત્યાં નથી એમ જાણ દયાભાવથી કાગળ લખે છે. તેને સવળે વિચાર કરી નમ્રતા ધારણ કરી, વીસ દેહાને વારંવાર વિચાર અનુપ્રેક્ષા કરી એક “સદ્દગુરુ સંતસ્વરૂપ તુજ એ દઢતા કરી દે જ” એ ભાવમાં આત્માને લાવશે અને અન્ય જનનાં વ્રત અને પરમકૃપાળુ પ્રભુશ્રીજીને હાથે મળેલાં વ્રતમાં આભ જમીનને ભેદ છે તે વિચારી બાહા આશ્ચર્ય ભૂલી ભૂલેલા લોકોની પાછળ ભટકવાનું તજી ઘેર બેઠા બેઠા મંત્રની માળા ગણવાને પુરુષાર્થ કરશે તે વહેલે નિવેડે આવશેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૦૦૧ અગાસ, તા. ૬-૮-૫૩, ગુરુ અનન્ય શરણના આપનાર એવા શ્રી સદગુર તરણતારણ મોક્ષમાર્ગદર્શક શ્રીમદ્ રાજચંદ્ર દેવને અત્યંત ભક્તિથી ત્રિકાળ નમસ્કાર! “આરંભ પરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસત્યસંગનું બળ ઘટે છે, સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે. અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાને અવકાશ પ્રાપ્ત થાય છે. આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે, અને આત્મજ્ઞાનથી નિજસ્વભાવસ્વરૂપ, સર્વ ફ્લેશ અને સર્વ દુઃખથી રહિત એ મેક્ષ થાય છે, એ વાત કેવળ સત્ય છે.” (પ૬૯) વિ. આપને પત્ર મળે. બોધની તમે માગણી કરી છે તેના ઉત્તરમાં જણાવું છું કે હું તે પામર છું, પરંતુ તે સજીવન મૂર્તિને વચને આ પત્રને મથાળે ટાંકયાં છે તે વિચારશે તથા તેને ઉપકારને હરદમ યાદ લાવી, તેણે જણાવેલ માર્ગે મારે મેક્ષ થશે એવી દઢ શ્રદ્ધા કરશોજી. તે કહે તેમ નહીં વર્તાય ત્યાં સુધી મેક્ષ દૂર ને દૂર જ લાગશે, રહેશે. પૂર્વનાં ઘણા પુણ્યના પુંજથી આ દુર્લભ મનુષ્યદેહ મળે છે. પુરુષનાં દર્શન, સમાગમ અને આજ્ઞાની પ્રાપ્તિને સુગ મળે છે, પણ જીવ હજી ગળિયા બળદની પેઠે રસ્તામાં બેસી પડશે, આગળ નહીં વધે, આ રખડતા-રઝળતા આત્માની દયા નહીં લાવે તે આવા દુર્લભ યેગ જીવે ઘણુ વાર ગુમાવ્યા છે તેમ આ ભવ પણ વ્યર્થ વહ્યો જશે. માટે આત્મજ્ઞાન કરી મેક્ષપ્રાપ્તિને ઉપાય ઉપર મથાળે લખ્યું છે તે વિચારી યથાશક્તિ તે દિશામાં પુરુષાર્થ Page #809 -------------------------------------------------------------------------- ________________ ૭૮૪ બાધામૃત કરશોજી. “ભરત ચેત, ભરત ચેત ! માથે મરણ ઝપાટા દેત !” મેટા છ ખંડના અધિપતિ ભરત ચક્રવતી આવા ચેતવાનાં વચન કાને પડે તે વૈરાગ્ય રહ્યા કરે તે માટે એક માણસ રાખતા. કારણ કે તે જન્મ, જરા, મરણથી ત્રાસી ગયા હતા અને મેહ મહા બળવાન છે માટે તેને પંજામાં ફસાઈ ન જવાય તેવાં નિમિત્ત તે ગઠવતા; તે આપણા જેવા પામર તે મેહની સામે લડાઈ કરવા ધારે તે તેણે તે ઘણી તૈયારીઓ કરવી ઘટે છે. મેહ, વિષય, વિકારનાં નિમિત્તોથી દૂર દૂર ભાગતા રહેવું ઘટે છેજ. વિકાર થાય તેવી વાત, તેવી દષ્ટિ કે તેવું નિમિત્ત મળતાં નાસી છૂટવાનું કર્તવ્ય ચૂકવું નહીં, નહીં તે મેહ ગળે ફસે નાખી ચાર ગતિમાં ઘાંચીના બળદની પેઠે આંખે પાટા બાંધીને રખડાવશે. જેટલાં વર્ષ ગયાં તેટલાં હવે તે ગાળવાનાં નથી, આયુષ્યને અલ્પ ભાગ બાકી રહ્યો છે તે જે સત્સંગમાં, સન્શાસ્ત્રના વાચન-વિચારમાં ગળાય તે જિંદગીને આખરને ભાગ સુધરે. તે માટે સારાં નિમિત્તોની જરૂર છે. ત્યાં સત્સંગ આદિ સાધન મળવા અશકય જેવું છે. તે બધું છોડી મારા આત્માની સંભાળ રાતદિવસ લેવાનું બને તેવું સ્થળ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ છે ત્યાં સદાય રહેવાય તેવું ક્યારે બનશે? તેવી સવારમાં ઊઠીને રે જ ભાવના કરવી અને અમુક મુદતે તે બને તેવું છે એમ લાગે છે તે દિવસ ગણતા રહેવું. જેમ વહેલું બને તેવી ગોઠવણું કરતા રહેવું ઘટે છેજી. પ. પૂ. પ્રભુશ્રીજીએ કહ્યું છે કે આશ્રમમાં જેને દેહ છૂટશે તેને સમાધિમરણ થશે. એક વખત સમાધિમરણ થાય તે મેક્ષે જતા સુધીમાં જેટલા ભવ કર્મને આધીને લેવા પડે તે બધા ભવમાં સમાધિમરણ જરૂર થાય એ નિયમ છે, તે આ લાભ લેવાનું ચૂકવું નથી એમ નક્કી કરી વહેલેમેડે મરણ પહેલાં આશ્રમમાં રહેવાનું બને તેમ કર્તવ્ય છે. તે જ મથાળે જણાવેલ આરંભપરિગ્રહ અને અસત્સંગને ત્યાગ થઈ આત્મજ્ઞાન થવાનું કારણ બને અને સમ્યફદર્શન પામી એક્ષપુરુષાર્થ અચૂકપણે થાય તેમ છે. પરમકૃપાળુદેવે ગૂરણા કરી છે: “તેવું સ્થાન કયાં છે કે જ્યાં જઈને રહીએ? અર્થાત્ તેવા સંતે ક્યાં છે, કે જ્યાં જઈને એ (રાગદ્વેષરહિત) દશામાં બેસી તેનું પિષણ પામીએ (૧૨૮) આપણે માટે તે પ. પૂ. પ્રભુશ્રીજીએ એવું સ્થાન બનાવી સમાધિમરણનું થાણું થાપ્યું છે. હવે જેટલી ઢીલ કરીએ તેટલી આપણું ખામી છે. તેઓશ્રી કહેતા કે “તારી વારે વાર, થઈ જા તૈયાર.” હવે બધી વાતે ભૂલી અનેક પાપને છેવાનું તીર્થ પ. પૂ. પ્રભુશ્રીજીએ સ્થાપ્યું છે ત્યાં નિવાસ કરવાની ભાવનામાં કાળ ગાળ. તે ભૂલવું નહીં. મંત્રનું સ્મરણ રાતદિવસ રહ્યા કરે તે પુરુષાર્થ કરવા કેડ બાંધી તૈયાર થઈ જવું કે જેથી અહીં આવવાનું બને તે પણ બીજી આડીઅવળી વાતેમાં આપણું કીમતી જીવન વહ્યું ન જાય. એ જ એક રટણ રાખ્યા કરવું ઘટે છે. પરમકૃપાળુદેવનાં વચને રેજ વાંચવા-વિચારવાને કંઈ ન બને તે અડધે. કલાક રાખશે તે ઉપર જણાવેલા ભાવનું પિષણ થયા કરશે”. “પુસ્તકનું પાનું ફરે અને સોનું ઝરે' તેમ જીવન પલટાવી સંત બની આ દેહ છોડવાની ભાવના દિવસે દિવસે પ્રબળ કરવા ભલામણ છે. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #810 -------------------------------------------------------------------------- ________________ પગસુધા ૭૮૫ ૧૦૦૨ અગાસ, તા. ૮-૮-૫૩ તત્ ૐ સત્ અષાડ વદ ૧૪, શનિ, ૨૦૦૯ આરંભ-પરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસસંગનું બળ ઘટે છે; સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે. અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાને અવકાશ પ્રાપ્ત થાય છે. આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે અને આત્મજ્ઞાનથી નિજસ્વભાવસ્વરૂપ, સર્વ ફ્લેશ અને સર્વ દુઃખથી રહિત એ મેક્ષ થાય છે, એ વાત કેવળ સત્ય છે.” (પ૬૯) સર્વ દુઃખથી મુક્ત થવાને અભિપ્રાય જેને થયે હોય તે પુરુષે આત્માને ગષો અને આત્મા ગવેષ હોય, તેણે યમનિયમાદિક સર્વ સાધનને આગ્રહ અપ્રધાન કરી સત્સંગને ગષો તેમજ ઉપાસ. સત્સંગની ઉપાસના કરવી હોય તેણે સંસારને ઉપાસવાને આમભાવ સર્વથા ત્યાગ, પિતાના સર્વ અભિપ્રાયને ત્યાગ કરી પોતાની સર્વ શક્તિએ તે સત્સંગની આજ્ઞાને ઉપાસવી. તીર્થકર એમ કહે છે કે જે કોઈ તે આજ્ઞા ઉપાસે છે તે અવશ્ય સત્સંગને ઉપાસે છે, એમ જે સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે, અને આત્માને ઉપાસનાર સર્વ દુઃખથી મુક્ત થાય છે.” (દ્વાદશાંગીનું સળંગ સૂત્ર) (૪૯૧) “જ્ઞાન વૈરાગ્ય વધારો, ભજજે જગદાધાર, મન, ઇદ્રિય વશ રાખજે, તજજે સ્થૂલ વિચાર. સત્ય વિનયયુત બોલજે, નવ જેશ પરદેષ; સ્વદેષ સર્વે ટાળજો, તેથી થશે સંતેષ.” આપનો પત્ર મળ્યું હતું. જ્યાં સુધી એકલા છે ત્યાં સુધી વાંચન, વિચાર, ભક્તિ ભાવપૂર્વક સારી રીતે થઈ શકશે. પછીથી તે જેવું પ્રારબ્ધ માગ આપે તે પ્રમાણે બચતા વખતમાં કંઈ થાય તેટલું કરતા રહેવાનો નિશ્ચય કરી રાખશે તે બનશે. જેવાં નિમિત્ત બને છે તેવા ભાવ થાય છે, માટે સારાં નિમિત્ત બનાવવાને પુરુષાર્થ કર. ક્લેશનાં કારણે કુશલતાથી દૂર કરવા ઘટે છેજ. બ્રહ્મચર્ય અમુક અમુક તિથિએ પળાય તે પણ લાભદાયક છે, તે વિશેષ પળાય તે વિશેષ યોગ્યતાનું કારણ છે. પૂ.બહેનને ધર્મ અને બ્રહ્મચર્યના માહાભ્યની વાત કરી છે. તમારા તરફથી તેમને તે વાતનું પોષણ મળશે એટલે તમને પ્રસન્ન કરવાનો માર્ગ વિષયભેગ નથી, એ તેમના હદયમાં વસે તે તમને તે વિદ્વરૂપ નહીં થાય એમ લાગે છે. બૈરાંમાં એકને પકડ થાય તે બીજું દેખાદેખી, સારું ગણવા પણ પ્રયત્ન કરે તે તેમને સ્વભાવ હોય છે. રોજ મોક્ષમાળા આદિ સમજાય તેવું વાંચન, ચર્ચા ખુલ્લા દિલથી, શરમ મૂકીને કરતા રહેશે તે સત્સંગનું અપૂર્વપણું તમને ભાસ્યા વિના નહીં રહે. સત્સંગનો જેને રંગ લાગે તેને પરમ સત્સંગની ભાવના રહ્યા કરે એ બનવા ગ્ય છેજી. અનાર્ય જેવા દેશમાં તમારે બન્નેને સાથે રહેવાને જેગ છે તે એક પુણ્યને ઉદય છે. બૈરાને કારણે જુદા રહેવાનું અને તેવું કરવું ઘટતું નથીજી. સત્સંગ, સલ્લાસ, સદ્દવિચાર અને યથાશક્તિ સદાચરણ એ ગ્યતાનાં મુખ્ય કારણ છે. Mાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન પાત્ર થવા સેવે સદા, બ્રહ્મચર્ય અતિમાન.” Page #811 -------------------------------------------------------------------------- ________________ બાધાકૃત મથાળે લખેલાં અવતરણ વારંવાર વાંચી મુખપાઠ કરવા યોગ્ય છે. આપણે કેટલું તેમાંથી કરી શકીએ તેમ છે તે વિચારી, બને તેટલે તે દિશામાં વર્તવાને પુરુષાર્થ કર્તવ્ય છે. આપણું આચરણથી કોઈનું મન કચવાવાનું બને તેમ હોય તે વિચાર કર્તવ્ય છે. ધર્મ એ શાંતિનું કારણ છે. સર્વને શાંતિ પ્રાપ્ત થાઓ એવી ભાવના અને બનતું વર્તન રાખવું ઘટે છે. તેથી બીજાને પણ કોઈ વખતે ધર્મપ્રાપ્તિનું કારણ બનવા ગ્ય છે. ધર્મને કારણે કલેશ કર નથી પણ સમજાવીને, સન્માર્ગે દેરીને ધર્મ કર તથા કરાવ ઘટે છે. પિતાનું આથી હિત થશે એમ જેને હૃદયમાં બેસે તેને વગર કો હિત કે સુખનું કારણ ગમે છે અને તે પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે. માટે આચરણ કરતાં સમજણ ઉપર ધર્મમાં વધારે ભાર મુકાય છે. જેની પાસે “શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ છે તેને ઘેર સમજણને ભંડાર છે, પણ જીવની યેગ્યતા પ્રમાણે તેમાંથી તે ગ્રહણ કરી શકે છેજ. નદીમાં પાણી ઘણું હોય પણ જેની પાસે જેવડું વાસણ હોય તેટલું પાણી તે લઈ શકે છે. માટે ગ્યતા કે આત્માથપણું પ્રાપ્ત થાય તે પ્રયત્ન કર્તવ્ય છે. “કષાયની ઉપશાંતતા, માત્ર મેક્ષ અભિલાષ; ભવે ખેદ પ્રાણી-દયા, ત્યાં આત્માર્થ નિવાસ.” આવી દશા પ્રાપ્ત કરી સદ્ગુરુને બોધ વિચારે તે સુવિચારદશા પ્રગટે અને સુવિચારણા જાગે ત્યાં આત્મજ્ઞાન થાય એમ આત્માર્થીનાં લક્ષણમાં પરમકૃપાળુદેવે જણાવ્યું છે તે વારંવાર વિચારવા ભલામણ છે. શ્રી આત્મસિદ્ધિ મુખપાઠ ન હોય તે કરી લેવા ભલામણ છે. રોજ આત્મસિદ્ધિને સ્વાધ્યાય કરતાં રહેશો તે પરમકૃપાળુદેવની સમજણ હૃદયમાં ઊતરતાં વાર નહીં લાગે. પ. પૂ. પ્રભુશ્રીજીએ વટામણ તેમના પત્ર ઉપર પત્ર લખાવેલે, તે બને તે જ વાંચવાને કે મુખપાઠ થઈ જાય તે મેઢે બેલવાને નિયમ રાખશે તે સશ્રદ્ધાને બળવાન કરે તે પત્ર હિતકર અને નિર્મળભાવ પ્રગટાવનાર છે. # શાંતિઃ શાંતિઃ શાંતિઃ તા. ક. – તબિયત કંઈક સુધારા પર છે. પગે એકાદ માઈલ ચલાય, વધારે ચાલતાં પગની નસે દુખે. દવા ચાલુ છે. બનવાનું હશે તેમ બનશે. પરમકૃપાળુદેવની કૃપા સિવાય કંઈ ઈચ્છવું નથી. ૧૦૦૩ અગાસ, તા. ૯-૮-૫૩ તત છે. સત્ અષાડ વદ ૦)), રવિ, ૨૦૦૯ “વિષયવિકાર સહિત જે, રહ્યા મતિના ગ; પરિણામની વિષમતા, તેને વેગ અગ. મંદ વિષયને સરળતા, સહ આજ્ઞા સુવિચાર; કરુણા કમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર.” (૫૪) પૂ.પુછાવે છે કે ત્યાંના લેકે આમંત્રણ આપે તે શું કરવું? વ્યવહાર લાંબે કરે હોય તે પણ થાય, ટૂંક કરે હોય તે પણ થાય. ટૂંકી જિંદગીમાં જેમ જેમ જીવ ત્યાગવૈરાગ્યથી વ્યવહાર સંકેચીને વર્તશે તેટલે બોજો એ છે. બીજાને ત્યાં જવું હોય તે તેમને Page #812 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૭૮૭ બેલાવવા પણ પડે, તેમની ટીપ વગેરેમાં ભરવું પણ પડે અને અનેક ન જોઈતા પ્રતિબંધ વધે, માટે વિચારીને પગલું ભરવું ઘટે છેજ. આવકનાં સાધન ઓછાં હોય અને માનપાનના સંબધે જીવ વધારે તે દુઃખી થાય એ વ્યવહારદષ્ટિથી પણ સમજાય તેવું છેજી. માથે મરણ છે, તે ભૂલી જવ મોટાઈમાં તણાયે જાય છે. અધમાધમ દશા ભૂલી, હું બીજા કરતાં સારે રૂપાળે ભેગને એમ જીવની વિપરીત માન્યતા થઈ ગઈ છે. તેને બદલે મરણપથારીએ પડ્યો હોય, શૂળીએ ચઢાવ્યું હોય અને છેલ્લા શ્વાસ લેતે હોય તે તે વખતે જીવ વિષયકષાયના વિચાર કરે કે આ જીવની દયા લાવી તેને સ્મરણમંત્રના ધ્યાનમાં રાખે? “ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહ! રાચી રહે ? એમ પરમકૃપાળુદેવને આપણા આત્માની દયા આવવાથી ચેતાવે છે. પણ આ જીવ જાણે બધું કરી ચૂક્યો હોય તેમ પ્રમાદના પૂરમાં તણાયા કરે છે અને ક્યાં જઈને અટકશે તેનું લેશ પણ ભાન નથી. મનુષ્યભવની એક એક પળ રત્નચિંતામણિ કરતાં વિશેષ મૂલ્યવાન છે, કારણ કે તે વડે મોક્ષમાર્ગ સાધી શકાય છે. પણ વિષયકષાયમાં તેવી ક્ષણે ગાળીએ તે આ દુર્લભ મનુષ્યદેહને કેડીને ગણ્યા બરાબર છે. માટે માનવપણું સમજે તે માનવ, એ વારંવાર લક્ષમાં રાખી મોક્ષમાળાને ચોથે પાઠ માનવપણું વિષે મુખપાઠ કરવા ભલામણ છે તથા વારંવાર મુમુક્ષુદશાને વિચાર કરે કે મહાસક્તિથી મૂંઝાઈ ક્ષણે ક્ષણે મોક્ષમાર્ગમાં પ્રવર્તે તે મુમુક્ષુ કહેવાય. કૃપાળુદેવને રાજી કરવા જીવવું છે તે તેણે નિષેધ કરેલે માર્ગે ચાલીને હું શું મોઢું બતાવીશ, એમ વારંવાર પિતાના આત્માને ઠપકે આપી વિષયવિકાર મંદ કરી પ્રથમ ભૂમિકામાં આવવા મથવું ઘટે છે “દશા ન એવી જ્યાં સુધી, જીવ લહે નહિ જોગ; મેક્ષમાર્ગ પામે નહીં, મટે ન અંતર રેગ.” ૧૦૦૪ અમાસ, શ્રાવણ સુદ ૧, સોમ, ૨૦૦૯ સત્સંગના વિયેગમાં જીવને બાહ્ય ત૫ ઉપર વિશેષ લક્ષ રહે છે. બાર પ્રકારનાં તપમાંથી સ્વાધ્યાય, ધ્યાન, કાયેત્સર્ગ આદિ કરી શકાય. જે શીખ્યા હોઈ એ તેના વિચાર, ભાવનામાં રહેવાથી તપ કરતાં પણ વધારે અત્યારે લાભ છે. તપથી પુણ્યસંચય થશે, તે એક ભવમાં સુખનું કારણ છે. જે સમ્યકત્વ થવા અર્થ, આત્માની યોગ્યતા વધવા તથા પરમકૃપાળુદેવનું કહેલું સમજવા અર્થે તપ થાય તે લેખામાં છે, પણ કુગુરુઓના સંગમાં કંઈ તે કરવું જ પડે એમ કરીને કરે તે આત્માના ગુણ સમ્યકત્વ આદિ પ્રગટ થવાનું કારણ ન બને. તબિયત છે તેવી જ છે. દવા ચાલુ છે. આત્મા ની રેગી થાય તે ભાવના છે. ૧૦૦૫ અગાસ, શ્રાવણ સુદ ૫, ૨૦૦૯ ભાઈ, મુમુક્ષુ જીવે કઠણમાં કઠણ સાધનની પ્રથમ માગણી કરવી ઘટે છે. બાહ્ય અનુકૂળતા-પ્રતિકૂળતાને લક્ષ જીવે ઘણું ભવમાં રાખે છે. હવે તે આત્માને અનુકૂળ હોય તે જ કરવાને દઢ નિશ્ચય કર ઘટે છેજ. પ. પૂ. પ્રભુશ્રીજી વારંવાર કહેતા કે પરમકૃપાળુદેવે અમને વિરહમાં રાખીને પકવ્યા છે. વિરહકાળમાં પણ જે સત્સંગને લક્ષ બળપૂર્વક જીવ Page #813 -------------------------------------------------------------------------- ________________ ૭૮૮ બધામૃત રાખે તે પણ કલ્યાણ થાય છે. ત્રીજી એગદષ્ટિમાં શુશ્રુષા એટલે “શ્રવણ-મહા શેધ (સત્ સાંભળવાની ઈચ્છા) નામને ગુણ પ્રગટે છે ત્યારથી શ્રવણને જોગ ન હોય તે પણ તેની ઉત્કટ ઈરછાથી સાંભળવાને જેગ મળે લાભ થાય તે લાભ વગર શ્રવણે થાય છે. હાલ તે તમે ઈચ્છે છે તે કરતાં જણાવ્યા પ્રમાણે વર્તવામાં વિશેષ લાભ સમજાય છેજી. % શાંતિઃ ૧૦૦૬ અગાસ, તા. ૧૭-૮-૫૩ તત છેસતું શ્રાવણ સુદ ૭, સોમ, ૨૦૦૯ તીર્થશિરોમણિ સત્સંગધામ, સમાધિમરણના સાધનરૂપ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસ સ્ટેશનથી લિ. પુરુષના ચરણકમળની સેવાને ઈચ્છક બાળ ગોવર્ધનના જય સદ્ગુરુવંદન સ્વીકારવા વિનંતી છે. આપ કઈ પ્રત્યે આ વર્ષમાં જાણતાં અજાણતાં માઠું લાગે તેવું કહેવાયું હોય, લખાયું હોય, અસભ્યતાથી વર્તાયું હોય તેની સંવત્સરી સંબંધી ઉત્તમ ક્ષમા આપવા વિનંતી છે જી. સત્સંગને રંગ લાગે તેટલું પુણ્ય તમને પ્રાપ્ત થયું, ત્યાં તે વિદેશ જવારૂપ વિદ્ધ ઉદયમાં આવ્યું તે પૂર્વકર્મની રચના છે. પણ વારંવાર સત્સંગના ભાવ કરવા તે હજી તમારા હાથની વાત છે. ફરી તેવા પુણ્યને સંચય થયે હવે તે સત્સંગ પ્રાપ્ત થવા ગ્ય છે. સત્સંગના વિયેગમાં અસત્સંગથી દૂર રહેવું, નિવૃત્તિ મેળવવા પુરુષાર્થ કરે, નિવૃત્તિ મળે ત્યારે સત્સંગે થયેલી આજ્ઞા – મુખપાઠ કરવાની, ભક્તિસ્મરણ કરવાની, સદાચાર પાળવાની – અડગપણે પાળવી. સત્સંગે થયેલી આજ્ઞા, સંસાર પ્રત્યે ઉદાસીનભાવ રાખી, આરાધે તે સત્સંગને જ ઉપાસે છે, પછી ભલે તે હજારો માઈલ દૂર હોય તે પણ તે આશ્રમમાં જ છે તે વિચારવું. “નાઝતી ગાવિત્રાસ, માસી મુવનવાસ, कालसौ कुटुंबकाज, लोकलाज लारसी; सीठसौ सुजश जाने, बीठसौ बखत माने, ऐसी जाकी रीति ताही, बंदत बनारसी।" “જગતના ભેગવિલાસને (માજશેખને) મૂંઝાવારૂપ જાળ સમાન જાણે છે, ઘરવાસને (વીસે કલાક નિર્વિધ્રપણે ભક્તિ કરવાની અનુકૂળતા ન હોવાથી ઘર કુટુંબમાં વસવું તેને) ભાલા સમાન (દુઃખદાયી) જાણે છે, કુટુંબનાં કાર્યને કાળ એટલે મૃત્યુ સમાન જાણે છે (આત્માને ઉદ્ધાર કરવા મનુષ્યભવ મળે છે, તે કુટુંબનાં કાર્યોમાં જેટલે અલેખે જાય છે તેટલું મરણ પાસે આવતું ગણે છે), લેકમાં લાજ (આબરૂ) વધારવાની ઈચ્છાને મુખની લાળ સમાન (તજવા જેવી) જાણે છે, કીર્તિની ઈચ્છાને નાકના મેલ જેવી (લીંટ નાકમાં સંઘરવા કઈ ન ઇચ્છે તેમ કીર્તિની ઈરછા તજવા જેવી જાણે છે અને પુણ્યના ઉદયને જે વિષ્ટ સમાન (નહીં ઈચ્છવા ગ્યો જાણે છે, એવી જેની રીતિ હોય તેને બનારસીદાસ (કવિ) વંદના કરે છે.” (૭૮૧) આ પત્ર સ્ટીમરમાં અને તે પહેલાં તથા પછી વારંવાર વિચારી, મહાપુરુષની દશા ગૃહસ્થ અવસ્થામાં પણ કેવી હોય છે ? તે આપણને પ્રાપ્ત થાઓ, પરમકૃપાળુદેવની તેવી જ દશા હતી માટે આપણે તેમને પરમાત્મા માની પૂજીએ છીએ, તેમને પગલે પગલે ચાલી આપણે પણ તેમના જેવા થવું છે એવી મહત્ત્વાકાંક્ષા પિતા રહેવા ભલામણ છે. આપણાથી Page #814 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૭૮૯ સારા હોય કે આપણે જેવા હોય તેમને સંગ કરે. પણ આપણાથી હલકા, ખરાબ આચારવિચારવાળાની સેબત આપણને હલકા આચારવિચારવાળા બનાવે, માટે અસત્સંગથી ડરતા રહેવું અને સત્સંગની ભાવના કરતા રહેવા યોગ્ય છેજ. દીનપણે એટલે કેઈન એશિયાળા રહી સત્સંગ કરીએ તે સત્સંગ સફળ થાય નહીં તે લક્ષમાં લેવા જેવી વાત છે). આખી જિંદગી કામમાં આવે તેવી આ શિખામણ છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૦૦૭ અગાસ, તા. ૧૮-૮-૫૩ શ્રાવણ સુદ ૮, મંગળ, ૨૦૦૯ નિર્વાણુ માર્ગે સુવહાણ જેવા, કુસંગ કુંધર્મ તજાવનારા ત્રિલેકમાં મુખ્ય સુધારનારા, શ્રીરાજ આ ઉદ્ધરનાર મારા. તમે જણાવે છે તેમ હવે વૃદ્ધાવસ્થામાં દવાના ટેકાથી ચલાવાય છે. બે દિવસથી દવા થઈ રહી છે, તેથી કંઈક અશક્તિ જેવું જણાય છે, પણ શરીર શરીરનું કામ કરે અને આપણે સમાધિમરણનું કામ કરીએ એ લક્ષ રાખ ઘટે છેજ. દવા લેવાનું કારણ નહીં હોવાથી આજે ઉપવાસ કર્યો છે. થવાનું હોય તે થયા કરે છે. પારકી પંચાત ક્યાં સુધી કરવી? “પરમશાંતિપદને ઈચ્છીએ એ જ આપણે સર્વ સમ્મત ધર્મ છે અને એ જ ઈચ્છામાં ને ઈચ્છામાં તે મળી જશે, માટે નિશ્ચિત રહે. હું કોઈ ગચ્છમાં નથી, પણ આત્મામાં છું એ ભૂલશે નહીં” (૩૭) આમ પરમકૃપાળુદેવ હિમ્મત આપે છે. તેને બળે બીજી ઈચ્છાઓ દૂર કરી, “માત્ર મોક્ષ અભિલાષ વધારવી ઘટે છેજી. મેટામાં મોટો દોષ પરમકૃપાળુદેવે એ બતાવ્યું છે કે જીવમાં તીવ્ર મુમુક્ષુતા કે મુમુક્ષતા જ નથી. તે પ્રગટ થવાનું લક્ષણ પિતાના દોષ જોવામાં અપક્ષપાતતા એ છે. આ લેકની અલ્પ પણ ઈચ્છા, પરમ દૈન્યતા(વિનય)ની ખામી, અને પદાર્થને અનિર્ણય આ ત્રણ દોષો ઘણાખરા મુમુક્ષુઓમાં તેમણે જોયા છે, તે તે દોષ દૂર કરવા કેડ બાંધી પુરુષાર્થ કરવો ઘટે છે. “પરમ દૈન્યપણું એ ત્રણેમાં બળવાન સાધન છે અને એ ત્રણેનું બીજ મહાત્માને વિષે પરમ પ્રેમાર્પણ એ છે,” આમ પત્રાંક ૨૫૪ માં છે તે વિચારી નિર્દોષ થયે છૂટકે છે. # શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૦૦૮ અગાસ, શ્રાવણ સુદ ૧૫, સેમ, ૨૦૦૯ “અનંત વાર દેહને અર્થે આત્મા ગાળે છે. જે દેહ આત્માને અર્થે ગળાશે તે દેહે આત્મવિચાર જન્મ પામવા ગ્ય જાણી, સર્વ દેહાર્થની કલ્પના છેડી દઈ એક માત્ર આત્માર્થમાં જ તેને ઉપયોગ કરે, એ મુમુક્ષુછવને અવશ્ય નિશ્ચય જોઈએ.” (૭૧૯) સંસારમાં એક તલ જેટલી જગ્યા પણ દુઃખ સિવાયની નથી એમ પરમકૃપાળુદેવે લખ્યું છે અને અનેક તીર્થકરને તેવું જ ભાસવાથી અત્યંત ઉદાસીનતા સંસાર પ્રત્યે વધતાં તેને ત્યાગ કરી તે મોક્ષે ગયા. પણ આ જીવને હજી સંસારમાં કંઈ ને કંઈ મીઠાશ વર્તે છે, તેથી આબરૂ, ધન, સગાં અને ઓળખીતાને અર્થે મનુષ્યદેહની ઉત્તમ મૂડી વ્યર્થ વહી જવા દે છે, અનેક કર્મો ઉપાર્જ સંસારપ્રવાહમાં તણાય છે, તેનું યથાર્થ ભાન પણ નથી. પરમકૃપાળુદેવના હદયમાં આ સંસાર પ્રત્યે કેટલે વૈરાગ્ય હશે તેનું માપ કાઢવા પામર પ્રાણી અસમર્થ છે. તેની પાસે તે કોઈ ગજ નથી કે જેથી તે માપી શકે. તેની પાસે તે સાંસારિક ભાવે Page #815 -------------------------------------------------------------------------- ________________ ૭૯૦ બેધામૃત જ ભર્યા છે અને મહાપુરૂષમાં કંઈક આવા ભાવો ઓછા હશે એમ માને, પણ આસમાનજમીન એટલે તેમનામાં અને આપણામાં ભેદ છે. તેમને ઉદય હતું, પણ નહીં જેવી અસર તેમને કરી શકો પણ આ જીવને ઉદય ન હોય તે પણ ઉદીરણા કરીને સંસારની શાતા ભોગવવાની વૃત્તિ છે. તેને ક્ષય કરવા જીવ તત્પર થશે ત્યારે તે મહાપુરુષના અપાર સામર્થ્યની કંઈક ઝાંખી થશે. “અમે દેહધારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ.” (૨૫૫) આવા ભાવની, વિદેહી દશાની પરીક્ષા આ જીવને ક્યાંથી થાય? તેના ચરણની ઉપાસના એ જ તેને જ્ઞાનને અંશ પામી સંસારથી તરવાને ઉપાય છે તે સહજ જણાવવા આ લખ્યું છે. તેની ભક્તિ આ ભવમાં મળી છે તે મહાભાગ્યનું ફળ છે તે ટકી રહી તે સંસારને ભાર નથી કે તેને તેમાં વધારે ગોથાં ખવરાવે, માટે મંત્રસ્મરણ ભક્તિમાં તલ્લીન રહેવાનું રાખશે. જેની ભક્તિ સાચી હોય છે તેને જ વિકટતારૂપી કસોટી ઉપર ચઢવાનું ભાગ્ય પ્રાપ્ત થાય છે. માટે હિમ્મત હારવી નહીં. દઢ શ્રદ્ધા સહિત બને તે કરી છૂટવું, પણ ગભરાવું નહીં. આ કસોટીમાંથી પાસ થાય તે ઉચદશાને પામે એ નિશ્ચય રાખ ઘટે છેજ. સાત વ્યસનને ત્યાગ કર્યો છે તેમાં સટ્ટા પણ આવી જાય છે તે લક્ષ રાખી ભૂલ થઈ હોય તે ફરી તેવી ભૂલ જીવનપર્યત ન થાય તેવી કાળજી રાખી વર્તશે તે શાંતિ મળશે, નહીં તે ઘર લાગતું હોય ને ઘાસતેલ છોટે તે તે એલવાય નહીં, તેમ જ્ઞાનીની આજ્ઞા ઉપર પગ દઈ વર્તીએ અને શાંતિને ઈચ્છીએ તે ન બનવા જેવું છે. ખેટું લાગ્યું હોય તે ફરી ખમાવું છું. હાલ એ જ. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૦૦૦ અગાસ, શ્રાવણ વદ ૨, બુધ, ૨૦૦૯ જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય, ઉત્તમ જહાં વિચાર, એ ભાવે શુભ ભાવના, તે ઊતરે ભવપાર.” – શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૯૪૩, ૯૪૪, ૯૪૫ લક્ષપૂર્વક બધાની વચ્ચે પ્રથમથી વાંચશો અને બધાને અનુકૂળ આવે તેવા વખત ગોઠવશે. વ્રત વગેરે જેને લેવાં હોય તે મનમાં ભાવના કરી પરમકૃપાળુદેવની સાક્ષીએ બને તે બધાની વચમાં ઉતાવળે બેસીને લેવાં. જેમ કે હે ભગવાન! આજે મારે ઉપવાસ પાણી પીને કે પાણી પીધા વગર કરે છે, અમુક દિવસ માટે બ્રહ્મચર્ય પાળવું છે, અમુક વખત સુધી મારે કામ, ક્રોધ, માન, માયા, લોભ કે વિકારને ત્યાગ કરીને રહેવું છે. વાંચન માટે દશલક્ષણધર્મ પહેલેથી શરૂ કરવું. અમુક વખતે જીવનકળા, મોક્ષમાળા કે ઉપદેશછાયામાંથી વાંચવું. ગ્રંથયુગલમાં યોગવાસિષ્ઠને અનુવાદ છે તે સમજાય તે વાંચવા યોગ્ય છે. બાર ભાવનાઓ સમાધિસોપાનમાંથી કે ભાવનાબેધમાંથી રાત્રે વંચાય તે હિતકારી છે. શરૂઆતમાં ધામણ તરફના ભાઈઓની ભક્તિ વખણાતી. હવે મંદતા આવી લાગે છે. પણ ફરી તે ભક્તિની તિ તાજી કરવી હોય તે તમારા બધાના હાથમાં છે. સદાચાર, ભક્તિ, ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ, દાન, તપ, શાંતિની વૃદ્ધિ થાય તે પર્યુષણ પર્વની સફળતા ગણાય. માટે પિતાના આત્માના હિતની અંતરમાં દાઝ રાખી પર્યુષણના દિવસ સુધી તે ભક્તિની કમાણી કરી લેવી છે એવું નક્કી કરી જેમનાથી અહીં ન અવાય તેમણે વિશેષ ભાવથી ઉલ્લાસ પરિણામ રાખી ભક્તિ કરવી તે અહીં આવે તેને એટલે કે તેથી વધુ પણ લાભ મેળવી શકે. Page #816 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૭૧ ભાવ ઉપર બધેા આધાર છે માટે ધર્મના કામમાં ઢીલ ન કરવી. દશેરાને દિવસે ઘેાડા દાડે તેમ કંઈ કરી લેવું. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૦૧૦ અગાસ, શ્રાવણ વદ ૩, ૨૦૦૯ તીથ શિરેામણિ સત્સંગધામ ભક્તિવન શ્રીમદ્ રાજચ'દ્ર આશ્રમ અગાસથી લિ. સત્પુરુષના ચરણની સેવાના ઇચ્છક ખાળ ગેાવન બ્રહ્મચારીના જયસદ્ગુરુ વંદન . સહુ આત્મભાવે નમસ્કાર સ્વીકારવા વિનતી છેજી. આપના પત્ર મળ્યા. સત્સ`ગના વિયેાગ રહે ત્યારે મુમુક્ષુજીવે સત્સંગે થયેલી આજ્ઞા સદાચારપૂર્વક પાળવી ઘટે છેજી. ચિ. ચંદ્રલેખાએ ઉપવાસ સાથે લગા કર્યાં ન હાય તેા અડ્ડાઈ કરવાનું સાહસ ન કરવું. પણ એક બે ત્રણ એમ સુખે થાય તેટલા ઉપવાસ કરી જોવામાં હરકત નથી. ભજનભક્તિ થાય અને ઉપવાસ થાય તેા કરવા છે, નહીં તે પારણું કરીને પણ ભક્તિ કરવી. એકાસણાં કરી શકાતાં હાય તે સારું છે. પથારીમાં પડ્યાં પડ્યાં વખત ગાળવા પડે અને ‘અઠ્ઠઈ કરી’ કહેવરાવવું એ લૌકિકભાવ છે તેમાં ધર્મ નથી. પોતાની શક્તિ પ્રમાણે ધર્મ કરવા. સાથે લગાં આઠ દિવસનાં પચખાણ ન લઈ લેવા, પણ એક-એક દિવસનું પચખાણ લઈ સુખે સુખે થાય તેટલા ઉપવાસ કરવા અને ભક્તિમાં આખા દિવસ ગળાય તેમ કરવું. કઈક ગાખવું, વાંચવું, વિચારવું, સાંભળવું પણ પ્રમાદમાં વખત ન ગાળવેા. મનુષ્યભવ દુĆભ છે, મરણુ કયારે આવીને ઉપાડી જશે તેના નિયમ નથી, માટે ધર્મ આરાધવામાં પ્રમાદ ન કરવા. માત્ર ભૂખ્યા રહેવું તે જ તપ નથી; એઠું ખાવું, રસ વગરનું ખાવું, દોષો થયા હોય તેનું પ્રાયશ્ચિત્ત લેવું, વિનય – સેવા કરવી, ભણવું, શીખવું, વાંચવું, વિચારવું, કાઉસગ્ગ કરવા વગેરે તપના પ્રકાર છે, જે અને તે કરવું. ૧૦૧૧ અમાસ, તા. ૯-૯-૫૩ પર્યેષણુપર્વ ઉપર અને તેટલી ભક્તિભાવના, વ્રત, તપ, ઉપવાસાદિ યથાશક્તિ કન્ય છેજી. વાચન પરમકૃપાળુદેવના પત્રો તથા ઉપદેશછાયાદિનું કરવા ભલામણ છેજી. ઉપશમભાવ અર્થે સર્વ કરવું છે એ ભૂલવા યેાગ્ય નથી. નહીં જોઈતી ફિકર કલ્પનાએ ઊભી કરી જીવ અનથ ડે 'ડાય છે, તે દૂર કરી પેાતાનું ઓળખાણ થાય તે અર્થે જ્ઞાનીપુરુષની આજ્ઞા શક્તિ પાળ્યા સિવાય આરાધવી ઘટે છેજી. માથે મરણ છે, વૃદ્ધાવસ્થા દાડતી આવે છે, સિલકમાં રહેલી વેદની વગેરે રાહ જોઈ રહી છે, તે બધાં ઘેરી લે તે પહેલાં એવા અભ્યાસ કરી મૂકવા કે મરણુ વખતની વેદનીમાં પણ મંત્ર આદિ ધર્મધ્યાન ચુકાય નહીં. શાતાના વખતે પુરુષાર્થ જીવ નહીં કરી લે તે આખરે પસ્તાવું પડશેજી. ગભરામણને પાર નહીં રહે માટે પાણી પહેલાં પાળ કરી લેવી ઘટે છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૦૧૨ આપના પત્રો પહેલાંના પહોંચ્યા છેજી. આપની ભાવના સત્સ`ગની વક્રમાં આવવા ધારે છે તે જાણ્યું. શરીરના પ્રતિબંધ ઓછા કરી ગમે અમાસ, તા. ૧૫-૯-૫૩ રહે છે તથા ભાદ્રપદ તે ભાગે આશ્રમમાં Page #817 -------------------------------------------------------------------------- ________________ ૭૯૨ બેધામૃત દેહ છૂટે તે મારું સમાધિમરણ થશે એવી શ્રદ્ધા દઢ કરી જે આવશે તે હિતકારી છેજી. તમે તે સમજુ છે પણ જે દૃઢતા જોઈએ તે રહેતી નથી. મરણથી પણ ડરવું નહીં એવા અડગ શ્રદ્ધા અને સહનશીલતા જીવ ધારણ કરે તે દુઃખના ડુંગર પણ દૂર થઈ જાય. શ્રી ગજસુકુમાર જેટલું તે આપણને દુઃખ નથી આવ્યું છતાં મારું મારું માન્યું હોય ત્યાં જીવ તણાઈ જાય છે. તે અહંભાવ-મમત્વભાવને શત્રુ સમજી, એક પરમકૃપાળુદેવ જ મારા છે, તેને શરણે મારા આત્માનું કલ્યાણ જ થશે; ભલે દેહના દંડ દેહ ભોગવે તે તે ના કહે અટકે તેમ નથી, પણ આટલે ભવ સહનશીલતા કેળવવા અને સમાધિમરણ સાધવા ગાળ છે એમ દઢતા કર્તવ્ય છે. સંવત્સરી સંબંધી આપ પ્રત્યેના દેષની ક્ષમા ઈચ્છી પત્ર પૂરે કરું છું. શાંતિઃ ૧૦૧૩ અગાસ, ભાદરવા સુદ ૮, ૨૦૦૯ આપને પત્ર મળે. અશુભ દિનેમાં પરમકૃપાળુદેવની સાચા ભાવે ભક્તિ કરી દઢ શ્રદ્ધા રાગે બધાં વિધ્ય આપે આપ દૂર થઈ જશે. આત્મામાં આર્તધ્યાન ન થાય એમ કર્તવ્ય છે. પિતાનાં બાંધેલાં સમભાવે જોગવતાં જીવ છૂટે છે, ફિકર ચિંતા ગભરામણથી નવાં કર્મ બંધાય છેજ. સેડ પ્રમાણે સાથરે એમ કહેવાય છે તેમ પૂણિયા શ્રાવકની પેઠે થેડી કમાણી હોય તે થેડા ખર્ચમાં નભાવી ભક્તિ ભૂલવી નહીં. એ જ કર્તવ્ય છે. જ્યાંત્યાં દહાડા કાઢવાના છે. સાચું શરણ મળ્યા પછી કઈ પણ કારણે આત્માને લેશિત કરે ઘટતું નથી. બધા દિવસ આવા ને આવા રહેવાના નથી. આટલાં પાછલાં વર્ષો જે એ પરમકૃપાળુદેવને શરણે જાય તે પછી જીવને અપાર આનંદનાં કારણે મળી આવશે. શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૧૪ અગાસ, તા. ૧૯-૯-૫૩ આપના પ્રશ્નો રૂબરૂમાં વેગ મળશે ત્યારે યોગ્ય રીતે જણાવાશે. ઊણોદરી તપમાં એ પડી રહે તેને બાધ નથી, પણ વધારે ખવાય તે દોષરૂપ છે. જોઈએ તે કરતાં વિશેષ ખવાયું તે ઊણેદરી તપને ભંગ સ્પષ્ટ છે. ભવ્ય, અભવ્ય અથવા દૂરભવ્યનાં પ્રશ્ન હાલમાં ઉપશમાવવા ગ્ય છે. પરમકૃપાળુદેવનું શરણ જેને મળ્યું છે તેણે નહીં જોઈતી પંચાતમાં નહીં પડતાં પિતાના દેષ જોઈ દેષ ટાળવાના પુરુષાર્થમાં કમર કસને વર્તવું ઘટે છે. ૧૦૧૫ અગાસ, તા. ૧૯-૨-૫૩ વિ. આપનું કાર્ડ મળ્યું છે. આપે લખેલી વિગત જાણી છે”. તમે બધા સમજુ છે. તેમને સંભળાતું હોય અને રુચિ હોય તે “સમાધિસપાનમાંથી સમાધિમરણ અને પાછળના પત્રો શેડે થેડે સંભળાવતા રહેશે અને ભક્તિ, મંત્રનું સ્મરણ વગેરે કરે છે તેમ અનુકૂળતા પ્રમાણે કરશે અને વિશેષ ગંભીર માંદગી જણાય ત્યારે મંત્રનું સ્મરણ મોટે ભાગે ચાલુ રાખવું અને તેમને પણ કહેવું કે કઈ હોય કે ન હોય પણ મંત્રમાં ચિત્ત રાખ્યા કરવું. મંત્રનું મનમાં સ્મરણ ચાલુ રહે અને દેહ છૂટે તે સમાધિમરણ થાય એમ છે માટે ચૂકવું નહીં. દેહમાં વેદના થાય તે તરફ બહુ લક્ષ ન આપવું. બાંધેલાં કર્મ ભેગવાઈને છૂટે છે તે વખતે પરમકૃપાળુદેવનું શરણુ અને મંત્રનું સ્મરણ જીવને બચાવી લેનાર છેજી, નહીં તે ભેગ Page #818 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા વતાં આકરાં લાગે છે, તેવાં નવાં કર્મ બંધાય તે તેને ઉદય આવ્યે આવી કે આથી વધારે આકરી વેદના ફરી ભોગવવી પડે, માટે “જે થાવું હોય તે થાજો, રૂડા રાજને ભજીએ” એવું રાખવું. વહેલું મરણ આવે કે મેડું આવે એવી ઈચ્છા પણ ન કરવી. બાંધ્યું હોય તેટલું અને તેવું ભેગવવું પડે છે. કોઈને વાંક નથી. બધાને ખમાવી શાંતિ રાખવા ભલામણ છે. ભક્તિમાં ચિત્ત દેવાથી ઘણું હિત થશે. # શાંતિઃ શાંતિઃ શાંતિ ૧૯૧૬ અગાસ, તા. ૧૯-૯-૫૩ તત્ સત્ ભાદરવા સુદ ૧૧, ૨૦૦૯ જીવને પિતાનું કલ્યાણ કરવાની, આગળ વધવાની, સમાધિમરણની તૈયારી કરવાની ભાવના જાગવી અને ટકી રહેવી આ કાળમાં બહુ દુષ્કર છેજ. વિપરીત સંજોગોમાં રહીને પણ પરમકૃપાળુદેવે જે મહાન આત્મદ્ધારનું કાર્ય સાધ્યું છે તે સર્વને અનુકરણીય છે. થોડું થોડું દુઃખ રહેતું હોય તે પણ એક દષ્ટિએ સારું છે એમ લાગે છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૦૧૭ અગાસ, ભાદરવા સુદ ૧૨, રવિ ૨૦૦૯ પૂ...ને જણાવશે કે ત્રણ પાઠ મુખપાઠ કરી જ બલવા હોય તેને મંત્રની આજ્ઞા મળે છે. ગરજ વિના, શ્રમ લીધા વિના, બીજાને રાજી રાખવા માળા ફેરવે તેનું કલ્યાણ થવું મુશ્કેલ છે. પ્રારબ્બાધીન દેહ છે. પુરુષાર્થ આધીન આત્મકલ્યાણ છેજ. આળસ અને પ્રમાદ જેવા કોઈ શત્રુ નથી, તેમને સોડમાં રાખી સૂવું ઘટતું નથી, દુશ્મન જાણું દૂર કરવા છે. જિંદગીના પાછલા ભાગમાં જેટલું બળ કરી કમાણ થાય તેટલી કરી લેવી ઘટે છેજ. એ શાંતિઃ ૧૦૧૮ અગાસ, તા. ૨૧-૯-૫૩ તત્ સત્ ભાદરવા સુદ ૧૩, ૨૦૦૯ તમેએ લીલેતરીનું પચખાણ લીધું તેમાં છૂટ લેવાનું જણાવ્યું તે તે નથી. હાલ તે એક વરસ સુધી બરાબર લીધા પ્રમાણે જ પાળવું. લેતી વખત પહેલાં બધે વિચાર કરી લેવાનો હોય, પછી આવી વૃત્તિની છેતરામણ ન ચાલે અને તેમ યેચ્યું નથી. માટે હાલ તે લીધા પ્રમાણે જ પાળશો. તેમાં છૂટછાટ હવે ન ચાલે. આગળ ઉપર વરસ પછી વાત. હમણાં તે તે પ્રમાણે જ પાળવું યંગ્ય છે”. એકાદ લીલેતરી નહીં ખવાય તે મરી જવાય તેમ નથી. માણસની કિંમત તેનાં વચન ઉપર છે તે લક્ષમાં લેશે). ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા ૨૧-૯-૫૩ તત્ સત્ ભાદરવા સુદ ૧૩, સોમ, ૨૦૦૯ આપે પ્રશ્ન પૂછેલા તેના ટૂંકામાં ઉત્તર નીચે લખ્યા છેજી. શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં પત્રાંક ૨૫ માં મન સ્થિર કરવા વિષે લખેલું વિચારી તેમ પ્રવર્તવા પુરુષાર્થ કરશે. બીજું, મંત્રના અર્થ વિષે નીચે લખેલી દિશામાં વિચાર કર્તવ્ય છેઃ (૧) “સહજાન્મસ્વરૂપ એટલે કર્મ રહિત દશામાં જીવનું જે નિર્મળ સ્વરૂપ છે તે ખરી રીતે પાંચ પરમગુરુ કે પરમકૃપાળુદેવનું સ્વરૂપ છે. તેમાં લક્ષ રાખવાથી આપણું મનની Page #819 -------------------------------------------------------------------------- ________________ ૭૯૪ બેધામૃત મલિનતા દૂર થઈ ખરા સ્વરૂપની જિજ્ઞાસા વધતાં કર્મ દૂર થાય અને શુદ્ધ સ્વરૂપ પ્રગટે છે. તે પહેલા મંત્રને અર્થ છે. (૨) આતમભાવના એટલે “હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારાં નથી. શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એ હું આત્મા છું એમ આત્મભાવના કરતાં રાગશ્રેષને ક્ષય થાય !” (૬૯૨) તેથી કેવળજ્ઞાન પ્રગટે છે. (૩) ત્રીજા મંત્રમાં પરમગુરુ એટલે અરિહંત ચાર ઘાતકર્મોને ક્ષય કરી પરમાત્મા થયા છે તે સિદ્ધ એટલે આઠે કર્મને ક્ષય કરી મોક્ષે ગયા છે તે આચાર્ય એટલે સર્વ સંઘના નેતા જ્ઞાની પુરુષ; ઉપાધ્યાય એટલે શાસ્ત્રોને ભણું બીજા સાધુ વગેરેને ભણાવે છે, અને સાધુ એટલે આત્મજ્ઞાન પામી સંસારને ત્યાગ કરી મેક્ષ અર્થે પુરુષાર્થ કરે છે તે મુનિએમ પાંચે પરમગુરુ છે. તે પાંચમાં સાધુ, ઉપાધ્યાય અને આચાર્ય એ ત્રણ નિગ્રંથ ગણાય છે એટલે તે મેહની ગ્રંથિ છેદી પરિગ્રહરહિત થયેલા છે, મોક્ષ સાધનાર સાધક છે. સર્વદેવમાં બે પરમેષ્ઠી છે. અરિહંત અને સિદ્ધ બન્ને પરમાત્મસ્વરૂપ છે. અરિહંત દેહધારી છે. સિદ્ધ ભગવાન અશરીરી છે. આમ “પરમગુરુ નિગ્રંથ સર્વજ્ઞદેવને અર્થે વિચારશે. જે નિયમ તમે મંત્ર લેતી વખતે લીધા છે તે કડકાઈથી પાળશો. બીજા પણ સદાચાર બને તેટલા સેવશે. ઇંદ્રિયને જય કરવાને અભ્યાસ કરી સશાસ્ત્ર હંમેશા વિચારશે તે ઘણે લાભ થશે. ત્યાં હાલ એકલા રહેતા હો તે બ્રહ્મચર્ય પાળવાને લક્ષ રાખશે. સૂતી વખતે પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ બ્રહ્મચર્યને નિયમ લઈ તે પ્રમાણે વર્તવું. જેટલા દિવસ તેમ વર્તી શકાય તેટલે વિશેષ લાભ છે. બીજા લેકના સંગ કરતાં પુસ્તક પરિચય વિશેષ રાખવા ભલામણ છે. વારંવાર વાંચશો તે વિશેષ વિશેષ સમજાશેજી. * શાંતિઃ —— – ૧૦૨૦ અગાસ, તા. ૧૪-૧૦-૫૩ અનન્ય શરણના આ૫નાર, તરણતારણ, અધમઉદ્ધારણ, શરણાગત વક્ષ એવા શ્રી સદગુરુ. શ્રીમદ રાજચંદ્રદેવને અત્યંત ભક્તિથી નમસકાર.. જ્ઞાની કે અજ્ઞાની જન, સુખદુઃખરહિત ન કોય; જ્ઞાની વેદે પૈયેથી, અજ્ઞાની વેદે રોય.” વિ. ઓપરેશન કરાવ્યું તે જાણ્યું. મુમુક્ષુ જીવે કઈ પણ કારણે ફ્લેશિત થવા યોગ્ય નથી. હું દુઃખી છું, હું દુઃખી છું એવું ગણી આર્તધ્યાન કરવું ઘટે નહીં. “શારીરિક વેદનાને દેહને ધર્મ જાણી અને બાંધેલાં એવાં કર્મોનું ફળ જાણી સમ્યફ પ્રકારે અહિયાસવા (સહન કરવા) ગ્ય છે,” (૪૬૦) એમ પરમકૃપાળુદેવની શિખામણ છે તે વારંવાર લક્ષમાં લેવી અને નરકનાં દુઃખ આગળ કે મરણ વખતના દુઃખ આગળ અત્યારની વેદના કંઈ હિસાબમાં નથી, એમ વિચારી ખમી ખૂદવું. મંત્રમાં ચિત્ત રાખવું. દેહ વેદનાની મૂર્તિ છે, એમાંથી કંઈ સાર વસ્તુ મળવાની નથીપણ જ્યાં સુધી મનુષ્યભવ છે ત્યાં સુધી પરમકૃપાળુદેવની શ્રદ્ધા અને તેમણે જણાવેલ મંત્રનું આરાધન કરી લેવા ગ્ય છે. તેમાં ચિત્ત જશે તે ધર્મધ્યાન થશે અને વેદનામાં મન રહેશે તે આર્તધ્યાન થશે અને હેરપશુના ભવ બંધાઈ જશે, માટે મંત્ર વારંવાર યાદ કર. મરણ દરેકને માથે ચકકર મારે છે, જ્યારે ઉપાડી જશે તે નકકી નથી. દરદ ભલે Page #820 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા ૭૯૫ મટી જાય પણ મરણ તે જરૂર એક દિવસ આવનાર છે. માટે મરણ સુધરે તેવા ભાવ આજથી કરતા રહેવાની જરૂર છે”. આ વેદનીથી ખબર પડી કે છવને સમાધિમરણ કરવું હોય તે હજી ઘણે પુરુષાર્થ કરી દેહાધ્યાસ છોડવાની જરૂર છે. શ્રી ગજસુકુમારને માથે અંગારા ભર્યા છતાં તેમણે દેહને હાલવા પણ ન દીધે, માથું બળતું જોયા કર્યું પણ તે દુઃખમાં મન પરોવ્યું નહીં. હું તે પરમાનંદરૂપ, અનંત સુખને ધણી છું. આ તે પૂર્વ કર્મ સાથે લગાં જવા માટે આવ્યાં છે, ભગવાઈ ગયાં તે હવે આવવાનાં નથી, માટે ધીરજ રાખી સહન કરવું. ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૦૨૧ અગાસ, તા. ૧૫-૧૦-૫૩ વિ. આપને પત્ર મળે. બને તેટલી ભક્તિ કરી લેવાનું ચૂકવું નહીં એ જ ભલામણ. માથે મરણ ભમે છે તે ભૂલવા ગ્ય નથી. લીધે કે લેશે એમ થઈ રહ્યું છે તે આ છવા કયા કાળને ભજે છે તે વિચારવું ઘટે છે. પરમકૃપાળુદેવના પત્રને અભ્યાસ કરી તે મહાપુરુષની દશા ઊંડા ઊતરી વિચારી આ આશ્રયે આ ભવસમુદ્ર તરી જ છે એમ દઢ કરી સપુરુષાર્થ સતત કર્તવ્ય છે જ. પ્રમાદ અને આળસ વૈરી છે તેને જય કર્તવ્ય છે. # શાંતિઃ ૧૯૨૨ અમાસ, તા. ૨૬-૧૦-૫૩ તત્ ૐ સત્ આસો વદ ૪, ૨૦૦૯ આપ જણાવે છે તેમ વૃદ્ધાવસ્થામાં શરીર શરીરને ધર્મ બજાવે. સત્સંગને પાકે રંગ લાગ્યું હોય તેને દુઃખ ચેતાવનાર, મરણ વખતની વેદના માટે તૈયારી કરાવનાર અને દેહાધ્યાસ છોડવામાં મદદ કરનાર સમજાય છે”. પરમપુરુષના ઉપકારને કઈ રીતે બદલે વળી શકે તેમ નથી. આવા કળિકાળમાં મુમુક્ષજીવને વિશ્રામ અને આનંદનું કારણ બને તેવા પત્રાદિ લેખે લખી આપણને આધારરૂપ બન્યા છે. ઘણા કાળ સુધી, જમાનાઓ સુધી તે મેક્ષની જિજ્ઞાસાવાળા ને માર્ગદર્શકરૂપ નીવડશે. # શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૦૨૩ અગાસ, તા. ૩૧-૧૦-૫૩ તત્ છેસત આસો વદ ૯, ૨૦૦૯ ભાવના એ મોટી વસ્તુ છે. પરમકૃપાળુદેવ સમીપ જ છે એમ હૃદયમાં રાખી તેમની ભક્તિ અને વીતરાગપંથનું સેવન, આરાધન વારંવાર સ્મૃતિમાં લાવી, તે જ આપણે માર્ગ માની તે અર્થે પુરુષાર્થ – સપુરુષાર્થ સેવવા એગ્ય છે. જેની ભાવના જાગે તેને તેવી જ શ્રદ્ધા જાગે તેમાં સહાયક થવું એ આપણે ધર્મ છે. શાંતિઃ શાંતિઃ શાંતિઃ તા. ક. – આસો વદ ૨ ને દિવસે રાજમંદિરમાં પરમકૃપાળુદેવના ચિત્રપટ પાસે ઉત્તરમુખે પ. પૂ. પ્રભુશ્રીજીને ઓઈલપેઈન્ટ રંગીન ચિત્રપટ સ્થાપ્યો છે તે સહજ લખ્યું છે. ૧૦૨૪. અમાસ, તા૧૧-૧૧-૫૩ તત્ સત્ જ્ઞાનપંચમી, કા. સુ. ૫, બુધ, ૨૦૧૦ “જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય, ઉત્તમ જહાં વિચાર, એ ભાવે શુભ ભાવના, તે ઊંતરે ભવપાર.” (૧૫) Page #821 -------------------------------------------------------------------------- ________________ ૭૯૬ બાધામૃત તીર્થ શિરોમણિ સત્સંગધામ સમાધિમરણપ્રેરક શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસથી લિ. સપુરુષના ચરણની સેવાને ઈચ્છક બાળ ગોવર્ધનના સદ્દગુરુવંદન સહ કાર્તિક ચૌમાસી પાખી સંબંધી આજ દિન અને પાખી પર્યત આપ પ્રત્યે જે કઈ અવિનય અપરાધ થયા હોય તેની ઉત્તમ ક્ષમા આપવા નમ્ર વિનંતી છે જી. આપના બધા પત્રો મળ્યા છેછે. આપે મોકલેલ રકમ પૂ. પ્રભુશ્રીજીને બોધ છપાવ શરૂ થયું છે તે ખાતે લીધી છે. આપણે આત્માના ઉદ્ધારને ખરેખરો અવસર આવ્યું છે તે ચૂકવા ગ્ય નથી. દાન છે તે લેભ ઓછો કરવા, સન્માર્ગ પ્રત્યે પ્રેમ વધારવા અને આત્માની દયા ખાવા અર્થે કરવાનું છે. એટલે અનંતકાળથી જીવ લેભને લઈને ભભવ આથડે છે, આ મનુષ્યભવમાં પણ દેશપરદેશ લેભને માર્યો આથડે છે, કર્મ બાંધ્યાં કરે છે; તે લેભમાંથી એક કાંકરી પણ ખરે તે પણ આત્મા હલ થાય, પવિત્ર થાય. ધન, સ્ત્રી, પુત્ર, દેહ આદિ આત્માને મલિન કરવાનાં કારણે છે, જેને લઈને તે કારણે બળવાનપણે આત્માને સંસારમાં ઊંડો ઉતારે છે. તે લેભ જીવ મંદ કરે તે મહાપુરુષનાં વચનનું માહાભ્ય લાગે, તેમાં અપૂર્વતા આવે અને ભીખ માગીને ગુજરાન ચલાવીશું પણ સંસાર વધે તે લેભને પક્ષ હવે ભૂલ થાય તેમ પ્રવર્તવું છે એવું બળ આત્મામાં વધે છે. જ્ઞાન પરિણમતું નથી તેનું કારણ વિષય કષાયે છે અને લેભ તેમાં મુખ્ય છે. કોઈને ધનને લેભ તે કઈને કીર્તિને લેભ, કેઈને સ્વાદને લેભ તે કઈને સંગીતને લેભ, કેઈ ને ભેગને લેભ તે કેઈને આબરૂને લેભ, કેઈને કુટુંબને લેભ તે કોઈને શાતા(સુખ)ને લેભ, કેઈને પુણ્યને લેભ તે કઈને કુટેવ પિષવાને લેભ; આમ ઈચ્છા માત્ર લેભના વેશ છે. તે ઓળખી તેથી દૂર રહેવાનું, ભડતા રહેવાનું, નાસી છૂટવાનું કર્તવ્ય છે. ધર્મ આરાધનામાં એ બધા પ્રકારના લેભ વિન્ન કરે છે માટે મરણિયા થઈને પણ હવે તે તેની સામે પડવું છે, લેભ આદિ કર્મોની કતલ કરવી છે અને આત્માને સ્વતંત્ર કરે છે, તેના દુઃખને પાર નથી એમ સમજી તેની દયા ખાવા તત્પર રહેવું છે. આત્માને શત્રુ થઈને વર્તે છે તેને બદલે તેને મુક્ત કરવા કમર કસી પુરુષાર્થ કરે છે. આ દઢ નિશ્ચય કરી તે પ્રમાણે જીવ પ્રવર્તે તે જરૂર પરમકૃપાળુદેવની કૃપાને પાત્ર જીવ બને એમ છેજ. આટલા ભવમાં પરમકૃપાળુદેવ પ્રસન્ન થાય તેમ જ પ્રવર્તવું છે એ લક્ષ અહોરાત્ર રહ્યા કરે તે તેને પગ કોઈ પાપકાર્યમાં ન પડે, બધાં દુઃખથી તે બચી જાય. માટે પરમકૃપાળુદેવનાં વચને વાંચી, વારંવાર વિચારી તેમની દોરવણી પ્રમાણે જ આ ભવના છેવટનાં વર્ષે મારે જરૂર ગાળવાં છે, એવી ગાંઠ મનમાં પાડી દઈ લાગ આવ્યું તેમ જ કરવું છે એ ભાવ દિવસે દિવસે વર્ધમાન કર ઘટે છે. જેવી જેની ભાવના તેવું તેને ફળ વહેલુંબેડું મળી રહે છે), તે ભાવના સારી રાખવામાં ભિખારી શા માટે રહેવું? એમાં કંઈ ખર્ચ થાય તેમ નથી કે નથી દુઃખ કે કષ્ટ પડતું. માત્ર અજ્ઞાનને લઈને જીવ પિતાનું નહીં તેને પિતાનું માની, મારું મારું કરી રહ્યો છે. પિતે દેહાદિ રૂપે નથી, છતાં દેહાદિરૂપ હું છું માની દેહના દુઃખે દુઃખી અને દેહના સુખે સુખી માને છે તે બધું ઊંધું છે. તે જ્ઞાનીના વચનેના આધારે ખેટાને ખોટું માની, સાચું જ્ઞાનીએ પ્રગટ કર્યું છે તે શુદ્ધ, સહજ આત્મસ્વરૂપ છે, તે મને માન્ય છે, તે જ હું Page #822 -------------------------------------------------------------------------- ________________ ૯૭ પત્રસુધા છું, તે જ મારું સ્વરૂપ છે, તેથી ભિન્ન તે હું નહીં અને મારું પણ નહીં, આમ વારંવાર દઢ ભાવના કરવાથી જ્ઞાનીના સાચા શિષ્ય થવાય છે. આ પત્ર વારંવાર વિચારી જીવન પલટાવી, જ્ઞાનીના સાચા અનુયાયી થવા ભલામણ છે. મંદાક્રાન્તા – મંત્ર મં સ્મરણ કરતે, કાળ કાઢે હવે આ, જ્યાં ત્યાં જેવું પર ભણી બૅલી, બેલ ભૂલું પરાયા; આત્મા માટે જીવન જૈવવું, લક્ષ રાખી સદા એ, પામું સાચે જૈવન-પલટો મોક્ષમાર્ગી થવાને. (પ્રજ્ઞાવબોધ-૭૪) ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૦૨૫ અગાસ, તા. ૧૨-૧૧-૫૩ કાર્તિક સુદ ૬, ગુરુ, ૨૦૧૦ અનન્ય શરણના આપનાર, તરણતારણ, સર્વ સંપત્તિના મૂળ એવા શ્રી સદગુરુ શ્રીમદ્ રાજચંદ્ર દેવને અત્યંત ભક્તિભાવે નમસ્કાર હે! “નહિ બનવાનું નહિ બને, બનવું વ્યર્થ ન થાય; કાં એ ઔષધ ન પીજિયે, જેથી ચિંતા જાય.” “જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય, ઉત્તમ જહાં વિચાર; એ ભાવે શુભ ભાવના, તે ઊંતરે ભવ પાર.” | વિ. આપના બે કાર્ડ મળ્યા છે. વાંચી બીન જાણ છેજી સંસારનું સ્વરૂપ જ્ઞાનીઓએ અત્યંત લેશમય દીઠું છે તે સત્ય છે. ગમે તેવા સમજુ માણસને પણ જંપવા ન દે તે સંસાર છે, તેથી જ્ઞાનીઓએ તેને પૂંઠ દીધી છે. તેમાં કંઈ જોવા જેવું નથી જાણી આંખ મીંચી દીધી છે. તેમાં કંઈ કરવા જેવું નથી જાણી હાથ પર હાથ રાખી નિષ્ક્રિયતા ધારી છે. ચરણને સંસારમાં પ્રવર્તાવવાનું બંધ કરી પદ્માસન વાળી બેઠા છે. આવા વીતરાગ પુરુષના ઉપાસકને માત્ર ઉદાસીનતા જ આરાધવી ઘટે છે. પ્રારબ્ધ બાંધ્યા પ્રમાણે દેખાવ દે, તેમાં તણાઈ જવા જેવું નથી. સમજણની કસોટી સંસારમાં ડગલે ને પગલે થયા કરે છે. આવા દુસ્તર સંસારને જ્ઞાની પુરુષે નિર્વિકલ્પદશા આરાધી ગાયની ખરીમાં પાણી ભરાય તે અલ્પ કરી ઓળંગી ગયા છેજ. આપ તે સમજુ છે. સર્વના મનને શાંત કરવા સમર્થ છે. મરણ સમીપ જ છે એમ જાણી જ્ઞાની પુરુષે કેવળજ્ઞાન થતાં સુધી વૈરાગ્યની વૃદ્ધિ કરી આત્માને બળવાન કરતા રહ્યા છે. તેમનું અવલંબન લઈ આપણે પરમાર્થમાં દઢ રહેવાનું છે. કર્મ કેઈનાં લઈ દઈ શકાય તેમ નથી એમ સમજી નિરૂપાયતા આગળ સહનશીલતા જ સર્વોત્તમ ઉપાય છે જી. સમભાવ એ સર્વ પ્રસંગ વખતે બચવાને સર્વોત્તમ ઉપાય છે. શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #823 -------------------------------------------------------------------------- ________________ છૂટક વચને પરમકૃપાળુદેવની શ્રદ્ધા જેને દઢ થતી જાય છે તેને ભવજમણને ડર મંદ પડતું જાય છે. વિકપ દૂર કરવા સ્મરણનું હથિયાર વારંવાર વાપરવા વિનંતી છે. પરમકૃપાળુદેવને શરણે તરવાને લાગ આવ્યું છે તે જ એક મુખ્ય કામ કર્તવ્ય છે એમ જેને લાગશે તે તેણે કહેલી આજ્ઞા ભાવપૂર્વક ઉઠાવશે અને તેમાં જ મન રાખી વર્તશે તે જ જરૂર કલ્યાણને પામશે. પૂર્વકર્મને પરવશપણાથી જ્યાં – જ્યાં જીવની સ્થિતિ હાલ વર્તે છે ત્યાં પડેલ તે છે, ત્યાંથી ઊભા થવાની જ્ઞાની પુરુષની આજ્ઞા છે. પરમકૃપાળુદેવની આજ્ઞા સમજી, વિચારી ઉઠાવવા માટે સર્વ શક્તિ ખર્ચવા ગ્ય છે, તે લાભ બીજી કઈ બાબતમાં મળવા ગ્ય નથી. સત્સંગ, સદુધની જરૂર છે. તે તે પુણ્યાનુસાર જ મળી શકે છે. પુરુષના ગુણગ્રામ, તેનું માહાભ્ય, તેની શ્રદ્ધા – પકડ કરવામાં કાળ જશે તે બધે લેખાને છે; એકલા હોઈએ તે પણ તે જ કરવાનું છે અને સત્સંગ હોય તે વિશેષ આનંદનું કારણ છે. જે થાય છે તે ભલું માનવામાં આવે” એ સૂત્રાત્મક વાક્ય અત્યંત આશ્વાસન આપી આવી પડેલા પ્રસંગને સવળે કરવામાં અદ્દભુત બળ આપે તેવું છે. સમ્યફદર્શનશાનચારિત્ર એ આત્મસ્વરૂપ છે તે રત્નત્રયસ્વરૂપ છે, તેના વિચારમાં રહેવું તે ધર્મધ્યાનરૂપ છે. સત્સંગ, ભક્તિ અને વીતરાગતાનું માહાત્મ વિશેષ હૃદયમાં દઢ થાય તેવું વાંચન, વિચાર કે મુખપાઠ કરવા ભલામણ છે. વ્યવહારને વ્યવહારરૂપે અને પરમાર્થને સર્વોપરી કાર્યરૂપે આંકવાને વિવેક ચૂકવા ગ્ય નથી. જેમ જેમ કષાય મંદ પડશે તેમ તેમ ચિત્તપ્રસન્નતા પ્રગટશે અને અંતહ કષાય દૂર થશે શાંતિ આપોઆપ સફરશે. Page #824 -------------------------------------------------------------------------- ________________ પત્રસુધા 799 ગમે તેની સાથેના પત્રવ્યવહારમાં આત્માર્થ પોષાય તે લક્ષ રાખવા ભલામણ છે... આત્મભાવના એ જ આત્માને ઊંચો લાવનાર છે. જેમ બને તેમ લઘુતાની ભાવના આપણે રાખીશું તે આપણે ધારીએ છીએ તે કામ વહેલું સફળ થવાનું નિમિત્ત છે. વૈરાગ્ય-ઉપશમની વૃદ્ધિ જરૂરી છે, તેથી ભક્તિભાવ પણ દીપે છે. મુમુક્ષુને જરૂર વખતે મદદરૂપ થવું એ આપણે સાધર્મિક ધર્મ છેજી. મુમુક્ષુછવની સેવા મહાભાગ્યથી પ્રાપ્ત થાય છે. સગાં-વહાલાંની વેઠ જીવે ઘણી કરી છે ને કરવી પડે છે, પણ મુમુક્ષુ જીવની આખર વખતે સેવા કરે તેને પરમપુરુષની શ્રદ્ધાને લાભ થાય છે. પરમકૃપાળુદેવની આજ્ઞામાં વૃત્તિ રહે તેવાં પરિણામ દિન દિન પ્રત્યે વર્ધમાન થાય તેમ ભક્તિ, વાંચન, વિચાર, ભાવના કર્તવ્ય છે. જેને આ ભવમાં પરમાત્માની ભક્તિ કરવી છે તેને કંઈ હરક્ત નડતી નથી; હરકત આવે તે ઊલટો તે વધારે બળવાન બને છે. સર્વ પ્રત્યે સદ્ભાવ ટકી રહે તે ઉત્તમ નીતિ છે. આપણું ધાર્યું કંઈ બનતું નથી તે આપણે સ્વર્લ્ડ રેકવાનું એક કારણ પણ બને છે. સર્વ વિકલ્પ શમાવીને મંત્રસ્મરણ તથા પરમકૃપાળુદેવની દઢ શ્રદ્ધાની વૃદ્ધિ થાય તેમ કર્તવ્ય છે”. વાંચન, વિચાર, સત્સંગની ભાવના કર્તવ્ય છે. પરમશાંતિપદને ઈચ્છીએ એ જ આપણે સર્વસમ્મત માર્ગ છે જી. આ કળિકાળમાં કુળમાર્ગથી છૂટી મૂળમાર્ગ પ્રત્યે રુચિ થવી એ મહદુર્ભાગ્ય છે. તે રુચિ વર્ધમાન થવી અને તે રુચિ પ્રમાણે વીર્ય સ્કુરે તે વળી વિશેષ વિશેષ ભાગ્યદય ગણાવા યોગ્ય છે. સમભાવ એ સર્વોત્તમ ઔષધિ છે તે માંદગીના પ્રસંગોમાં વિશેષ લક્ષ રાખી જાગૃતિ રાખવાથી આધ્યાન ટળે છેજી. Page #825 -------------------------------------------------------------------------- ________________ બાધામૃત પરમકૃપાળુદેવને પરમ ઉપકાર સર્વોપરી હદયમાં વસ્યા કરે એ જ કર્તવ્ય છે. તેથી ચઢિયાતું કંઈ ન લાગે તેમ થયે વિશેષ જાગૃતિ વધશે. એટલે ધર્મ આરાધે હશે તેટલી આખરે શાંતિ અને નિર્ભયતા રહેશે. પરમકૃપાળુદેવની કૃપા કઈ એર ઇજી. 5. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજી કહેતા કે “તારી વારે વાર.” જીવ બળવાન થાય તે પરમકૃપાળુદેવનું ગબળ તૈયાર છે જી. શરીર ઠીક હોય તે વહેલા ઊઠવાનું કરવા ભલામણ છેજી. સવારે વહેલા ઘણા નિર્મળ વિચાર આવે એ તે પ્રથમ પ્રહરને પ્રભાવ ઘણાએ ગાયે છે. પ. પૂ. પ્રભુશ્રીના બધમાંથી જ પ્રથમ વાંચી પા-અડધે કલાક વિચારને રાખશે તે ધર્મમાં ઉત્સાહ વધવાનું એ એક પ્રબળ કારણ સમજાય છે. પરમકૃપાળુદેવનું જેને શરણું છે, તેને શાતા કરતાં અશાતામાં ઊલટી વધારે ધર્મવૃત્તિ રહેવા સંભવ છેછે એટલે એવા વખતે આર્તધ્યાન ન થવા દેતાં ધર્મધ્યાન વિશેષ થાય તેમ વિચારવાનની ખેંચ રહે છે. અગ્નિહોત્રી બ્રાહ્મણ જેમ યજ્ઞને અગ્નિ જાગતે જીવતે રાખ્યા કરે છે તેમ મુમુક્ષુ જીવે પણ સત્સંગે થયેલી જાગૃતિ જાગતી રાખવા પ્રયત્નશીલ રહેવું ઘટે છે જી. સ્મરણમંત્રમાં વૃત્તિ વારંવાર આવે અને તે તરવાનું સાધન પરમકૃપાળુદેવે પરમકૃપા કરીને દીધું છે માટે તેમને પરમ ઉપકાર સ્કુર્યા કરે તેમ વર્તવા ભલામણ છે. અત્યંત વેદનામાં પણ સ્મરણને આધાર ટકી રહે અને શાતા-અશાતા સમાન માનવાની દઢતા ન છૂટે એ પ્રકારે વિચારણા ભાવના કર્તવ્ય છે. Page #826 -------------------------------------------------------------------------- ________________ છૂટક કાવ્યો (અપ્રકાશિત પત્રોમાંથી) જે થાવું હોય તે થાવ, રૂડા રાજને ભજીએ; આવો આવ્યો અલૌકિક લહાવ, રૂડા રાજને ભજીએ. હરિગીત - વિષયાભિલાષા મંત્રી માને, વિવેક સહિત જે, મિથ્યાભિમાન નડે નકામું, શુભ શક્તિરહિત છે, આ મેહ સૈન્ય નડે બધાને, જે શૂરવીર રે, સૌ બાહ્ય શત્રુ બાપડા છે, અંતરંગ અરિ ચીર. વળી મેહ, રાગ વિરોધ કારણ ક્લેશનાં જાણે છે, તે સર્વ તÈને જ્ઞાન વૈરાગ્યે લહે સાચે હવે વારિ વચ્ચે નહિ મળે નવનીત એ વિચાર, આ આત્મહિતને દાવ આબે, સાર આ ન વિસારશે. પૂર્ણ શશીની તિથિએ, જભ્ય શ્રી ગુરુરાજ; સમ્યગ્દર્શન આદિ ગુણ, પૂરણ કરવા કાજ. 1 પૂર્ણ ગુણની મૂર્તિ એ, મમ આદર્શ અનુપ, માનું મુજ ગુણ પૂર્ણતા, જન્મી તુજ સ્વરૂપ. 2 અલભ્ય લાભ લઉં હવે, કરી પ્રયત્ન અથાગ તજી શિથિલતા આદિક અરિ, પ્રગટાવી ગુણરાગ 3 આપ કૃપાથી સૌ સફળ, થશે હવે પુરુષાર્થ કેમ પ્રમાદ વશે તવું, ઉત્તમ મુજ આત્માર્થ. 4 ભગવદ્ ક્ષમા આ દુષ્ટ ઈછે દયાદષ્ટિ દયાળુના, અપરાધ સર્વ વિસારી દેજો, શરણ-છાંય કૃપાળુની. ત્યાગી વિષયકષાયને, કરે નહીં આહાર, આજ્ઞા સહ ઉપવાસ તે, બાકી લાંઘણ ધાર, વીસમી સદીના આત્મધર્મ શૂરવીર વીર વીર રહ્યા જે આત્મશુદ્ધિમાં ધીર ધીર ધીર. દેહ છતાં જે દેહાતીત તે રાજચંદ્ર ગુરુ નામ નામ નામ, પૂર્ણાનંદી પ્રભુચરણ છે અનંત સુખનું ધામ ધામ ધામ. Page #827 -------------------------------------------------------------------------- ________________ 802 બેધામૃત-પત્રસુધા અનુષ્યપ - પૂજાને ગ્ય ગણે છે, વેશ કે વય કેઈ ના આત્મગુણ વિના જાણ્ય, અવગુણે બધા ગણ્યા. કેવળજ્ઞાન - ભાનુના પ્રકાશે જગ જાણીએ, ઉપકારી પ્રભુ શ્રીમદ્ કૃપાથી સુખ માણીએ. સંસાર સર્વ વિસારી મનને રાજગુરુમાં રાખવું, વૈરાગ્ય ઉપશમ ભક્તિ ધારી સતશરણ સુખ ચાખવું. ગણા લેકમાં માટે, તણાયે ઘર જે તુજથી, ગમે ના એ ગુરુતા રે! સદા સાનિધ્ય હો મુજથી; થઈ આ પેન પેન્શન જેગ, ચહે એ સ્વસ્થ સ્થિરતાને, ખરો આનંદ પ્રભુપાદે, મળે માગ્યું નહીં શાને? જિન વિધ પ્રેરે સદગુરાય, તિમ હી પ્રવર્તે મન વચ કાય; એ શુભભાવ ભવાત હારી, રહે અખંડ એકરસ અવિકારી.” “શૂરવીર સંસારને, શરણ કદી નવ થાય; સિંહ ભલે ભૂખે મરે, ખડમરતાં નવ ખાય.” કાળ ઘણોય વહી ગયે, અનિયત આયુ ગણાય; સદ્ગુરુ-આજ્ઞા ઉર ધરે, તે ૐવ સુજ્ઞ મનાય, પરમકૃપાળુદેવના, ચરણકમળમાં ચિત્તઅખંડ રાખી પામશું, પરમાનંદ ખચીત. *પતિત જન પાવની, સુર સરિતા સમી, અધમ ઉદ્ધારિણી આત્મસિદ્ધિ જન્મ જન્માંતરે, જાણતા જેગીએ, આત્મ અનુભવ વડે આજ દીધી. ભક્ત ભર્ગીરથ સમા, ભાગ્યશાળી મહા, ભવ્ય સૌભાગ્યની વિનતીથી; ચારુતર ભૂમિના, નગર નડિયાદમાં, પૂર્ણ કૃપા પ્રભુએ કરી 'તી. પતિત યાદ નદની ધરે, નામ નડિયાદ પણ, ચરણ ચૂમી મહાપુના , પરમકૃપાળુની ચરણરજ સંતની ભક્તિભૂમિ હરે ચિત્ત સૌનાં; સમપ રહી એક અંબાલાલે તહીં, ભક્તિ કરી દી૫ હાથ ધરીને, એકી કલમે કરી પૂરી કૃપાળુએ આ વદ એકમે 'સિદ્ધિજીને. પતિત * આ કાવ્ય પૂ. બ્રહ્મચારીજીની હસ્તલિખિત નેટમાંથી લીધું છે. Page #828 -------------------------------------------------------------------------- ________________ બેધામૃત-પત્રસુધા 803 તન 8 સત્ અગાસ, તા. 18-7-51 અષાઢ સુદ 15, બુધ, 2007 અનન્ય શરણના આપનાર એવા શ્રી ગુરુ પ્રગટ પુત્તમ શ્રીમદ્ રાજચંદ્ર દેવને અત્યંત ભક્તિથી નમસ્કાર! પૂર્વ પયના ઉદયથી, મળ્યો સદ્ગુરુ યોગ; વચન સુધા શ્રવણે જતાં, થયું હદય ગઢશોગ, નિશ્ચય એથી આવિયો, ટળશે અહીં ઉતાપ; નિત્ય ર્યો સત્સંગ મેં, એક લક્ષથી આપ.” -- શ્રીમદ્ રાજચંદ્રનત્વજ્ઞાન પવિત્ર આત્માર્થી શાંતરસપ્રિય પૂ આદિ મુમુક્ષ વર્ગ પ્રત્યે સવિનય વિજ્ઞપ્તિ; તીર્થશિરોમણિ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ એ. અગાસથી લિ. સત્પશ્યના ચરણકમળની સેવાનો ઈચ્છક બાળ ગોવર્ધનના આત્મભાવે નમસ્કાર સ્વીકારવા તથા ગયા કાળથી આજ દિન પર્યત આપ કોઈ પ્રત્યે જાણતાં અજાણતાં માઠા યોગે પ્રવૃત્તિ થઈ હોય તે દોષોની અષાડ ચોમાસી પાખી સંબંધી ઉત્તમ ક્ષમા આપવા વિનંતી છે. અહીંથી પૂ આદિ મુમુક્ષવર્ગે તેમજ જણાવેલ છે. આપનો પત્ર મળ્યો હતો. પૂ... પણ અહીં હતા અને તે મને મળ્યા હતા. મને તો મધ્યસ્થષ્ટિએ વિચારતાં ટ્રસ્ટીઓનો વિચાર દીર્ઘદૃષ્ટિવાળો લાગ્યો, કારણકે પક્ષાપક્ષી મૂકી એકત્ર ભાવના હાલ વતે તેમ કરવાનો તેમનો અભિપ્રાય અનુમોદન યોગ્ય છે. તમારા કાગળ ઉપરથી તમે પણ તે વાત સમજ્યા લાગો છો. પૂ... નો વિચાર પણ ઠીક છે કે બધાની સંમતિ લઈ હા પાડવી ઠીક છે. એ તો બધું પાણીને ઢાળે પાણી જશે. બીજાં, આપે તમારી પોતાની વૃત્તિઓ સંબંધી તથા વાચન વગેરે પુરુષાર્થ સંબંધી લખ્યું જાણી સંતોષ થયો છે'. તે જોતાં તમને વિશેષ નિવૃત્તિ મળે તો વિશેષ લાભ થવા સંભવ છે. ઘરથી દૂર રહેવાનું છે એ પણ એક રીતે સારું છે. બીજા વિકલ્પોનું નિમિત્ત ઓછું બને. ટ્રસ્ટી સંબંધી બોજો ઉઠાવવાની યોગ્યતા વિષે લખ્યું તેના ઉત્તરમાં એમ સૂઝે છે કે તે બોજો નથી પણ પરમ પૂજ્ય પ્રભુશ્રીજીએ સેવાનું કાર્ય ઊભું કર્યું છે તેમાં પોતાની શક્તિ અનુસાર ફાળો * નોંધ :- આ પરમાર્થમૂળવ્યવહારરૂપ પત્ર આશ્રમના ટ્રસ્ટી મંડળ અને શ્રીમદ્ રાજચંદ્ર મુમુક્ષુ (અનુયાયી)મંડળને સહજ માર્ગદર્શક હોવાથી અહીં જાદો મૂકવામાં આવ્યો છે. Page #829 -------------------------------------------------------------------------- ________________ 804 બેધાકૃત-પત્રસુધા આપવાનો છે. એ કંઈ મોટું કામ નથી, કારણ કે ભાઈ જાદી શક્તિઓવાળા ઘણા ટ્રસ્ટીઓની સાથે કામ કરવાનું છે એટલે જેની જેવી યોગ્યતા હોય તેવું કામ ઉપાડી શકે. જવાબદરી તો જરૂર છે પણ આપણને પ્રિય છે તેવા વિષયની છે. અને આપણી ઉન્નતિમાં વિધકારી જણાય તો રાજીનામું પણ આપી છૂટા થઈ શકાય તેમ છે. આ બધું તમને પોતાનો વિચાર કરવામાં સ્પષ્ટતા થાય તે અર્થે લખ્યું છે. આમ કરો કે તેમ કરો એમ કહેવા લખ્યું નથી. હિતકારી લાગે તેમ પ્રવર્તવામાં તમે પોતે અધિકારી ડો. હાલ જે પ્રશ્નો તમારા મનમાં નથી તેવાં નિમિત્ત તે જવાબદારી સ્વીકારતાં ઊભાં થવા સંભવે છે. તેવાં નિમિત્તો તો સાંસારિક પ્રસંગોમાં પણ ક્યાં નથી આવી પડતાં? ભવિષ્યના બહુ વિચાર કરવાનું માંડી વાળી વર્તમાન સંજોગોનો વિચાર કરી, પોતાની વિચારસરણીને ખાસ વિરોધ ન લાગતો હોય તો સંમત થવામાં હરકત નથી એમ લાગે છે. 5 તથા તમે મળો ત્યારે પરસ્પર વિચારની આપ-લે કરી જેમ ઠીક લાગે તેમ કર્તવ્ય છે. સાથે ટ્રસ્ટીમંડળમાં ગયા પછી પણ મુમુક્ષમંડળના સભ્ય તરીકે રહેવું ઘટે છે અને પરમ પૂજય પ્રભુશ્રીજીનો આશય મુમુક્ષમંડળની મદદથી ટ્રસ્ટીઓએ કામ સરળતાથી લેવું તે કરવા અર્થે ટ્રસ્ટીમંડળમાં જોડાઈએ છીએ એટલે ટ્રસ્ટીમંડળમાં ગયા પછી તેવી લાગણી કાયમ રહે અને અમુલમંડળની સંમતિ અગત્યની બાબતોમાં લઈ કામ લેવાનું રહે તેવા ધોરણની જરૂર ટ્રસ્ટમાંના ઘણાને ઠસાવી તેવી પદ્ધતિ થવા અર્થે આ જવાબદારી લઈએ છીએ એ લક્ષ ચુકાવો ન જોઈએ. ઠરાવોના અમલ કરવામાં મુમુક્ષમંડળની વિશેષ જરૂર છે એમ સમજાશે તો ટૂંધીભાવ (વિરોધ) બને મંડળોમાં રહેવા સંભવ નથી. ઊલટું ટ્રસ્ટીમંડળને મુમુક્ષમંડળ મદદરૂપ નીવડે એવો મારો પોતાનો અભિપ્રાય છે. એકંદરે પરિણામ સારું આવશે એમ સંભવ દેખાય છે. જે હાલ તેમણે મિત્રતા માટે હાથ લંબાવ્યો છે, તે તક જવા દેવી ઘટતી નથી; અને મુમુક્ષમંડળની સવ્યવસ્થા સારા માણસો દ્વારા સંગીન કરીને જ ટ્રસ્ટીમંડળમાં ભળવું એવી મારી ભલામણ આપ સર્વને છેજી. શાંતિઃ શાંતિઃ શાંતિઃ 1. “પરમકૃપાળુદેવે પ્રરૂપેલ સનાતન જૈન વીતરાગ માર્ગની પુષ્ટિ માટે જ આ આશ્રમ છે. આશ્રમની નજીક રહેતા સમજા મુમુક્ષુઓને સાથે રાખી ટ્રસ્ટીઓને સંભાળવાનું છે કે આશ્રમમાં પવિત્ર સનાતન જૈન માર્ગને આંચ ન આવે.” -પરમ પૂજ્ય પ્રભુશ્રીજીઉપદેશામૃત પૃષ્ઠ 488 Page #830 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ 1 વિષયસૂચિ (વિષયની સામે દર્શાવેલ આ પત્રનંબર સૂચવે છે.) અધરણીનું ન ખાવા વિષે 767 અલૌકિક દષ્ટિ 489 અચૌર્ય મહાવ્રત 8 અવિસંવાદી 263 અજ્ઞાનદશાનું દુઃખ 277 અશાતા વેદનીય - આ વેદનીય અઠ્ઠાઈ 1010 અશુચિ દેષ 337 અઢાર પા૫સ્થાનક 762; 7 કેમ વિચાર કરવો ? 768 અષ્ટ મહાસિદ્ધિ ૨પર અતિચાર 750; 0 થી હાનિ પર દષ્ટાંત 179 અસત્સંગ 584, 812; 0 ને ત્યાગ કરવો 848, 917, અથાણું 229 940, 1000, 1004, 1006; ગમે તેવો બહાર અદીનતા 425 ખાનારને સંગ ન કર 926 મતામહી બાઈઓઅર્ધમાગધી 763 ના સંગ કરતાં માળા ફેરવવી હિતકારી 947; 0 અનાર્ય દેશમાં જનારને શિખામણ 250, 382, 584, ઉપર જેસંગભાઈ અને દિવાળાબાઈ દાત લા 653, 807, 814, 815; 0 માં સત્સંગને અસંગતા 8 દુકાળ 374; મુંબઈને મેહ રગરૂપ 604; 7 માં અહિંસા મહાવ્રત 8 સારા ભાવ સાચવવા મુશ્કેલ 785 અંગ્રેજી પાછળ મહેનત કરેલી નકામી 156 અનિત્ય ભાવના 145 અંતર્ભેદ 144 અનિવૃત્તિકરણ 232, 583 અંતર્મુખ 285 અનુષ્ઠાન 203 અંબાલાલભાઈએ લખેલા પત્રો 392, 179, 583 અનંતાનુબંધી કષાય કેમ ક્ષય થાય? 76; 0 નું સ્વરૂપ આજીવિકા, 0 પગાર લઈએ તેનું કામ સોંપ્યા પ્રમાણે 144, 392 કરવું એ નીતિ 302; નિમકહલાલીથી કામ કરવું અપરિગ્રહ મહાવ્રત 8 546; 0 શાંતિમય જીવનના લક્ષે કર્તવ્ય 557; અપૂર્વકરણ 232, 193 માલિક પ્રત્યે ફરજ 617; 0 અથે નછૂટકે પ્રવૃત્તિ અપૂર્વભાવના 10 643; પૂણિયા શ્રાવક જેવું ઉત્તમ જીવન 823 અપ્રમત્ત 203 આઝા, 0 એ ધર્મ 23, 327, 9 કેમ વિચારવી ? અભિનભાવ 130 296; 0 નું માહાસ્ય 423, 441, 50, 682, અભિમાન - કલેશનું કારણ 732 992, 995 (જુઓ વ્રત-નિયમ); 0 એટલે શું? અત્યંતર તપ 107; 0 ના છ ભેદ 799 452; 0 ની પ્રણાલિકા ઉપર પ્રભુત્રીજીને બેધ અભ્યાસ, ૦વિચારશક્તિ ખીલવાનું કારણ 233; 0 512; 0 ના ત્રણ ભેદ 538; 0 ઉઠાવી હોત તો એકતરફી 272; 0 થી લાભ-હાનિ 273; 7 માં મેક્ષ થયે હેત 628 બચતા વખતને સદુપયોગ 294, 355, 422; 0 આઠ દૃષ્ટિની સજઝાય 443; 0 ના અર્થ 721 તબિયત ઠીક ન હોય તે માંડી વાળ 41 0 આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન 2 628, વધારવા વિષે સલાહ 412; 7 સંબંધી સલાહ 963, 1019 474, 639; રેક માટે શરીર ન બગાડવું 555, આત્મ-આરાધના 435 587; 0 માં સારા પરિણુામ માટે પરીક્ષા મુલતવી આત્મજ્ઞાન માટે ચગ્યતા પી ન રાખવી 791; 7 સંબંધી ચિંતા ન કરવી 785 આત્મદશા કેમ જાગ્રત થાય? 583 Page #831 -------------------------------------------------------------------------- ________________ 806 બાધાકૃત-પત્રસુધા આત્મનિરીક્ષણ (નિંદા) 159, 183; 7 વારંવાર કર- 371; પરમ ઉપકારી પુરુષના પ્રગટ સ્મારકરૂપ 377; વાથી દોષ દૂર થાય 252, 281; 0 દેષ દેખાય ધર્મપ્રેમપષક 378; સદ્દવિચારપ્રેરક તથા પિષક તે તુર્ત દૂર કરવા 308, 861; 0 મેલાં કપડાંનું 379, આત્મહિત-પિષક 381; સત્સંગધામ આત્મદૃષ્ટાંત 339; સ્વદોષ દેખી દૂર કરવા ઉપર સ્વયં- વિશ્રામ 439, 467; સત્સંગધામ શાંતિસ્થાન બુદ્ધ મહાત્માઓની કથા 421; દોષ બતાવનારને 889; પવિત્ર વાતાવરણપૂર્ણ તીર્થક્ષેત્ર 917; પરમઉપકાર 595; દેશ પ્રત્યે શત્રુદષ્ટિ રાખવાથી દોષ પાવનકારી સત્સંગધામ 946; સમાધિમરણના દૂર થાય 866; 0 સમકિતનું કારણ 997 સાધનરૂપ 1006; ભક્તિવન 1010; સમાધિમરણઆત્મભાવના 658, 731, 757; 0 હું તે દિવ્ય પ્રેરક 1024 નેત્રવાળા દેવ છું 46; 0 વેદનીય પ્રસંગે કર્તવ્ય આશ્રમનું માહાત્મ્ય - ધર્મ ધર્મ અને ધર્મનું જ વાતા૫૪, 59, 8, 94, 218, 223, 307, 439, વરણ 67; 0 માં તે રેજ પર્યુષણ 109; 0 જેવું 471, 478, 496, 532, 571, 588, 741, બીજે ક્યાંય (યાત્રામાં પણ) નહીં 163; બીજે 74, 800, 839, 867, 903, 911, 962; યાત્રાએ જવા કરતાં અહીં આવવું 178; 0 માં 0 ને આધારે આત્મિક આનંદ 287; 0 ના મકાન કરાવવાને ઉદ્દેશ્ય 345, 950; 0 માં દેહ અભ્યાસ વખતે દુઃખ ઊભું કરવું 733 છૂટે તેનું સમાધિમરણ 367, 1012; * નું વાતાઆત્મસિદ્ધિ 13, 619, 1002; 0 માં ચૌદ પૂર્વને વરણ બ્રહ્મચર્ય માટે ઘણું ઉત્તમ 418; પ. પૂ. સાર 61, 69; 0 કેવી રીતે વિચારવી ? 180; પ્રભુશ્રીજીએ ચૌદ માસાં કર્યા એવું સ્થળ 486, 1 ચમત્કારી 704 73; 7 પ્રભુશ્રીજીની સ્મૃતિનું કારણ 616; 0 પરમઆત્માનંદી 60 કપાળદેવના યોગબળને નમૂને 19; સમાધિમરણને આત્માને અનુભવ કેમ થાય? 274 પિશે તેવું આશ્રમ-જીવન, સમક્ષ માંદગી પ્રસંગે આયુષ્ય તૂટી શકે? 992 રહેવા જેવું સ્થળ 700; 0 માં આવી સત્સંગ કરવા આયંબિલ ઓળી 11, 578; 0 માં શું કરવું ? 381; ભલામણુ 949; 0 ને કમ દીર્ધદષ્ટિથી યોજેલ, 0 કયા લક્ષે 975 તેમાં રસ ન આવે તે આપણી ખામી 980; 0 આર્તધ્યાન 141, 219, 241, 245 માં આવી આજ્ઞા લેવા વિષે 994; 7 સમાધિ આલંબન-સાધન 89 મરણનું થાણું, અનેક પાપને જોવાનું તીર્થ 1001 આશાતના-અ૫ હેવાથી મરુદેવી માતાને શીધ્ર મેક્ષ આશ્રયભક્તિ 689 850 આસો વદ ૧નું માહાસ્ય 69, 381, 384, 455, આશુપ્રજ્ઞ 99 459, 532, 867, 948 આશ્રમનાં વિશેષ - તીર્થક્ષેત્ર 23; પરમપુણ્ય પવિત્ર આસવમાં સંવર 816 ક્ષેત્ર 31; તીર્થશિરોમણિ કલ્પવૃક્ષ 42; તીર્થક્ષેત્ર આંખની સફળતા, જાય તે ખેદ કર્તવ્ય નહીં પપ૬ અખંડભ્રમંડળમાં વિશ્રાંતિકારી શાંતિદાયક પ૨; ઈરછા - ઊગે ત્યારથી છેદવા ઉપર દૃષ્ટાંત 434 પરમશાંતિપથપ્રદર્શક અખિલભૂમંડળભૂષણ શ્રી ઈદ્રિય, 0 વિષયની વાસના કેમ દૂર થાય? 38; ને સનાતન જૈન તીર્થસ્થળ 56; અનન્ય શરણના વિષધરની ઉપમા 30, 44; 7 જય માટે પચખાણ આપનાર એવા શ્રી સદ્ગુરુના યોગબળે પરમ શાંતિનું 30; 0 જય માટે સ્વાદત્યાગ 115, 424, 836, કારણ 158; તીર્થ શિરોમણિ પ્રત્યક્ષ પુરુષના યોગ 861; 7 વિષય જીતવાથી નિવૃત્તિને આનંદ 886 બળની વિભૂતિરૂ૫ 182; આત્મશાંતિપ્રેરક 197; ઈશ્વર સુષ્ટિí 274, 0 નું ખરું સ્વરૂપ 280 સન્માર્ગ પ્રેરક 198; સત્ક્રાંતિધામ 206; તીર્થ શિરે ઈશ્વરેછા 992 મણિ સજનમન વિશ્રામધામ 238; ભવદવત્રાસિતને ઉતાવળ અકર્તવ્ય 269, 296, 325, 327, 504, શાંતિપ્રેરક 273; સમાધિપ્રેરક 355; સલ્લાંતિપ્રેરક 666, 758 Page #832 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧-વિષય-સૂચિ 807 ઉત્સવના પ્રસંગે - દેવો પણ સુખ છોડીને આવે 126, 410; “આય જ્ઞાની'ની કલપના પડી મૂકવી 467; 270 जैसे ब्राह्मण वरकन्याका मिलाप कराता है वैसा कार्य ઉદાસીનતા 939; 0 સાચો ધર્મ 127; 0 અને વીત- વરમાણુવી માસામાવજ1 મેરે દ્વારા દુકા 600 રાગતામાં ફેર છે? 638 કરણલબ્ધિ 583 ઉપદેશબધ અને સિદ્ધાંતબોધ 501 કર્તાપણાના ત્રણ ભેદ 384 ઉપવાસ, 0 ને બદલે બે એકાશન 483; 0 આજ્ઞા વગર કલ્યાણ કેમ થાય ? 369, 596; 0 બાબત પૂછે તે લાંધણ 620; 0 ને દિવસ આત્માથે ગાળો સત્સંગધામ અગાસની વાત કરવી 913 76 0; 0 સાથે લગા ન લેવા 852, 1010, કષાય 0 કૃશતા કર્તવ્ય 107, 108; 0 ઓછા કરવાને ભૂખ્યાં રહેવું એ જ તપ નહીં, પણ અત્યંતર તપ નિયમ કર્તવ્ય 132, 997; 0 કલેશ ઓછો થાય કર્તવ્ય 1010 તેમ ધમ પ્રગટે 358; 0 ઘટે એટલું કલ્યાણ 368; ઉપશમ 501, 601; 0 અમોઘ શસ્ત્ર 103; 0 ખરી 0 ઘટાડવા શું કરવું? (પગે લાગીને, મન મૂકીને દવા પ૯૯ પણ કષાય દૂર કરવા) 372, 423; 0 ઘટે તે ઉપાદાન 203 સદગુરને ઉપદેશ જીવમાં પરિણામ પામે 492; 0 ઉપાધિ દુઃખરૂ૫ 482; 7 પ્રસંગે શું કરવું 484; 0 અગ્નિ સમાન પ૨૭; 0 કેવી રીતે ઘટાડ? વીંછી પ્રસંગે સદગુરનું શરણ ઉપકારી 470; 0 મુમુક્ષની અને સંન્યાસીનું દૃષ્ટાંત 527 કસોટી 737 કાર્તિકી પૂર્ણિમાનું માહાસ્ય 320, 385, 539 ઉપેક્ષાભાવના 810 કુસંગ - જુએ અસત્સંગ ઊંદરી 1014 કેળવણી - જુએ અભ્યાસ એકત્વભાવના - એકલવિહારીપણે રહેવું 831; અતડા ન દેટાટિ 144 રહેવું 422 કેડલીવર ઑઈલ 419, 750 એક પરમકૃપાળદેવ ઉપર પ્રેમ કર્તવ્ય 23, 545, 623, કૅલેજ જીવન - જુઓ અભ્યાસ 644; સંતના કહેવાથી માન્ય કરવું, 72, 112, ધ, 7 ની તાકાત 383; 0 દૂર થવાને ઉપાય 409, 239; એક ઉપર આવે, બીજે ક્યાંય ફાંફાં મારવા 647; સાચું શરણ પ્રાપ્ત થાય તે ક્રોધાદિનું જેવું નથી 116; એકને ભજ્યાથી સર્વ અરિહંત નિષ્ફળપણું 554 સિદ્ધ આદિની ભક્તિ 122, 213; સવ શુભ ક્ષમાપના 178, 182, 371, 421, 444, 571, ભાવનાઓ પરમકૃપાળુદેવ પ્રત્યે કર્તવ્ય - પાતળી સેટી 628, 190, 847; 0 પિતાને વાંક ન હોય તે પર ભાર મૂકવાથી ભાગી જવાને ભય તેની પેઠે 125: પણ કર્તવ્ય 732 પતિવ્રતાની પેઠે ભક્તિ 142, 390; હું ચરણરજને ક્ષયપશમલબ્ધિ 593 પણ અધિકારી નહીં 150, પરમકપાળદેવ પ્રત્યે ક્ષાયિક સમકિત 144, 850 સવ ભાવે અર્પણતા કર્તવ્ય, તે વિષે હિંદી અવ. ગારવ 203 તરણ 153; મુમુક્ષુઓ સગાંસંબંધી તુલ્ય, પણ ગુરુઅદત્ત 718 અનન્ય પ્રેમ એક પરમકૃપાળુદેવ ઉપર કર્તવ્ય 206; ઘડાની ઉત્પત્તિનું દષ્ટાંત 733, 937 બીજા દષ્ટિરાગ તજી એક પરમકૃપાળુદેવ પ્રત્યે અનન્ય ઘી 828 ભક્તિભાવ 255; હું તે ચિઠ્ઠીને ચાકર છું 312, ચાર પુરુષાર્થ 34 647, 750; પૂનાને બોધ 340, 597; હાથીની ચાર ભાવના - ચિત્ત પ્રસન્નતાનું કારણ 31, 0 નું ઉપમા ગધેડાને આપે તેમ, હું તે માત્ર લહિયે છું સ્વરૂ૫ 40, 195, 0 મેગ્યતાનું કારણ 284, પણ તે વચનના માલિક મહાપુરુષ છે 357; મારી 321; 0 નું પ્રતિક્રમણ 688 મારફતે દૂડી મોકલાવી, પણ હું માલિક નહીં ચારિત્રના પાંચ ભેદ 304 Page #833 -------------------------------------------------------------------------- ________________ 808 બેધામૃત-પત્રસુધા ચારિત્રહનું સ્વરૂપ 644 દર્શનમેહ, 0 નું બીજું નામ મહામોહ 275; 0 ના ચિત્ત-પ્રસન્નતા 31 ત્રણ ભેદ, મેણુ દેદરાનું દૃષ્ટાંત 275; વિનાશનું ચિત્રપટનું મરણ - ભટકતા મનને રોકવા માટે 276; કારણું 311; 7 વિષ સમાન 533; 0 નું સ્વરૂપ 0 સ્થાપનાની વિધિ 333, 511, 680 644; 0 ના ત્રણ ભેદ 892 ચિંતા અકર્તવ્ય 233, 290, 300, 470, 497, દવા - અભક્ષ્ય દવા ન વાપરવી 41 785, 934 826; નિર્દોષ દવા કરવી 829 ચૈત્ર વદ 5 ની મહત્તા 186, 403 દશનિર્વાણુ વસ્તુ 887 ચેથું ગુણસ્થાનક ક્યારે સંભવે? 144 દાન - 7 કયા લક્ષે કર્તવ્ય ? 136, 345, 542, ચોર પ્રત્યે કેવી ભાવના રાખવી ? 287; ચેરી પ્રસંગે 1024; મંદિરમાં દાન 170; 0 વિષે દંતકથા કેમ વિચારવું ? ૮૯પ 221; સાત્વિક દાન 327; સત્સંગની અનુકૂળતા છ પદ 209, 500, 704, 744, 916 તેમ જ જ્ઞાન, શિક્ષણ અર્થે દાન 350; જ્ઞાનદાન જડથી ચેતન ન ઊપજે તે શિલાની અહયા કેમ ? 313 492, 827; પાત્રદાનનું ફળ 578; ચિત્રપટ તેમ જ જીભ 7; 0 પ્રથમ જીતવા ગ્ય 30; 0 જીતવાથી ધર્મશાળામાં દાન આપવા વિષે 629; 0 આપ્યા. વિષયવાસનાની હાનિ 343; 0 કેવી રીતે જીતવી? પછી પાછું ન લેવાય 877; 0 જમણે હાથે કર્યું 416, 424; 7 જીતવાથી બધી ઇન્દ્રિય ઉપર અસર હોય તે ડાબો હાથ ન જાણે 950 654, 836, 861 દિવામૈથુનત્યાગ 133 જીવ કેણુ વસુમતીનું દૃષ્ટાંત 960; 0 સંકોચ-વિકાસ- દિવાળીપર્વ આરાધના - જુઓ સમાધિમરણની માળા નું ભાજન કેમ ? 501 દીક્ષા 222; 0 ની સલાહ દુશ્મનને પણ ન હૈ 246, જીવન એટલે શું ? 510 821; 0 કેને આપવી? 822 જૈન 963 દીર્ધદષ્ટિ 301 જ્ઞાન 211; 0 ને કહેવાય ? 274; 0 નું ફળ વિરતિ દુનિયા કોણે રચી ? 27, 280 540; 0 કેમ નથી પરિણમતું ? 1024 દુઃખ - 0 નું કારણ 219, 289; 0 માં ભગવાન જ્ઞાનપંચમી 698 વધારે સાંભરે 467, 640, 671; 0 સમ્યફપ્રકારે જ્ઞાની અને અજ્ઞાનીને તફાવત 168 સહન થાય તે આત્મભાવનાની વૃદ્ધિનું કારણ 733; જ્ઞાનીને આશ્રિત 489; 0 ની દશા અને સ્તુતિ 964; 0 અને સુખ અને પ્રભુપ્રસાદી 832; 7 ના પ્રસંગે 0 ના સાચા શિષ્ય કેમ થવાય? 1024 ક્ષમાગુણનું શિક્ષણ આપનારા 885; ઘડાની ઉત્પત્તિટૂંઢિયા - પુષ્પપૂજાને નિષેધ 767 નું દૃષ્ટાંત 937 તપ - જુઓ બાહ્ય તપ અને અત્યંતર તપ દેવકરણુજીએ લખેલ પત્ર 413 તારતમ્ય 304 દેવદૂર્લભઘેલછા 513 તીર્થ 178 દેશનાલબ્ધિ 593 તીર્થકર–અદત્ત 718 દેહ - 0 દગો દેનાર 62; 7 કમને સંચે 900 તીર્થકર 0 દીક્ષા ગ્રહણ કરે ત્યારે જ કેવળજ્ઞાન કે કેમ? જડની જતિ હોવાથી સડવા-પડવાના સ્વભાવવાળે. 635; 0 જન્મથી જ આહાર લેતા નથી 765; 104; 0 નું ગમે તેમ થાઓ પણ આત્મધર્મ ન 0 નું યથાર્થ સ્વરૂપ ૭૬પ ચૂક 439; 0 વિશ્વાસઘાતી મિત્ર સમાન 517; તીવ્રજ્ઞાનદશા 195 0 નું હલન-ચલન ક્યા કારણે થાય છે? 825; ત્યાગ 601 0 ની આત્માને શિખામણ-હે ચૈતન્યપ્રભુ.' 849; ત્રિપદી 200 0 રેગનું પિટલું, ભક્તિ અર્થે દવા 868; 0 ટકાઉં દર્શન 211 મારું 899; 0 કમે રચેલું કેદખાનું 906 Page #834 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ 1- વિષયસૂચિ 800 દેહાધ્યાસ 176, 177, 236, 769 175; 0 થી આગળ ઉપર શંકાઓનું સમાધાન દોષ - જુઓ આત્મનિરીક્ષણ 402; 0 ઘેર કરતાં મંદિરમાં કર્તવ્ય 673; વિશેષ દષ્ટિ કેમ ફેરવવી? 890 વાંચવાથી સામાન્યપણું કેમ? 747; એકાદ વાક્ય ધજા 266 પણુ વંચાય તે વિશેષ લાભ 776, 820; 0 ધમ 172; 7 નું સ્વરૂપ 252; 7 ક્યાં છે અને કેમ કરતાં યોગ્ય લાગે તેની ડાયરીમાં નોંધ 828; 886; મળે? 73; 7 ધનથી નહીં પણ સદાચરણ આદિથી વાંચતાં આનંદ આવે પણ વિચાર કેમ નહીં ? 138; 0 ઉપર કેમ જગતની દૃષ્ટિ નથી ? 205; 549; વારંવાર વાંચવાથી વિશેષ લાભ પ૯૧, 0 શ્રદ્ધા 205; 0 શિક્ષણ માટે નિશાળ 266, 807; 0 થી લાભ - આગળ જતાં બીજું કંઈ ન 350; e કર્તવ્ય 321, 805; 0 ધન 332; 7 ગમે 836; 0 એકલા કરતાં સત્સંગમાં કર્તવ્ય 960 સંચય 328; 0 બાબત એછું બેસવું 351, 913; નિરાકુળ સુખ 348; 0 ની પ્રાપ્તિને માર્ગ 485 - 0 અચિંત્ય ચિંતામણિ સ્વરૂ૫ 547; બાપદાદાને નિર્વિસ પરિણામ 353 જ ધર્મ નહીં, પણ વિચારપૂર્વક ગ્રહણ કરવો 848; નિર્મોહી કુટુંબની કથા 824 0 ફ્લેશ કરીને નહીં, પણ સમજાવીને કર 1002 નિર્વિકલ્પ દશા 991 ધર્મધ્યાનના ભેદે 301 નિવેદ 205 ધર્મ ભાવ - સગાંવહાલાં પ્રત્યે સંસારભાવને બદલે ધર્મભાવ નેપથ્ય 715. 96; સ્ત્રી પ્રત્યે ધર્મભગિનીને ભાવ 836 ન્યાયનીતિ 212; પ્રમાણે પ્રવર્તન, રામનું દષ્ટાંત ધીરજ 325 280; 0 એ ધર્મને પાયે 382, 801, 929 ધ્યાનના ચાર ભેદ 575; 0 માં શી પ્રવૃત્તિ કરવી ? 767 પચખાણ - ઈદ્રિય જીતવા માટે 30 નય 203 નવધાભક્તિ 453; 0 માંથી વંદનભક્તિનું વિવેચન 458 પતિવિયોગના પ્રસંગના પત્રો 182, 183, 541 નાટક - ઉપલક દૃષ્ટિએ પ્રિય 28, 64 પત્નીવિગના પ્રસંગના પત્રો 220, 303, 446 નિત્ય નિયમ (ત્રણ પાઠ અને મંત્ર) 49, 98, 150, પરમકૃપાળદેવ– 0 ના વિશેષ 4 થી ૨૨:ની 230, 242, 319, 323, 558, 577, 9-3, સ્તુતિ 13, 14; 7 ના શરણથી આત્માની સંપત્તિ 1017; 1 પ્રાણુની પેઠે સાચવવું 322; 0 લેક- પામવાનું અપૂર્વ કારણ 135; 0 ને પરમ ઉપકાર લાજ આદિ કારણે પડી ન મૂક 351; 0 ચુકાય 320, 471, 512, 6-4, 767, 1022; 0 તે પ્રાયશ્ચિત્ત 479; 0 ના અર્થની ચોપડી પ૩૫; પ્રત્યે અપૂર્વ નેહ કયારે જાગ્રત થશે ? 343; ૭ની 0 આમહ કરીને ન આપ 569, 817; 0 ન સ્મૃતિ, ગુણગાન, ચર્ચા કર્તવ્ય 361; 7 પ્રત્યે બને તે ઊંધવાને હક નથી 795; 0 શક્તિ પ્રમાણે અભેદભાવના 385, 463; 7 પ્રત્યે સન્મુખદષ્ટિ લે 834; વધારે યાદ ન રહે તે ફક્ત હે પ્રભુ” 413; 0 ની સમીપતા ભાવવી 429, 1023; ૭નું બોલવું 946. અચિંત્ય માહાભ્ય 477; 0 ની કુપા અદશ્યપ નિદ્રા - સધાતી પ્રકૃતિ 4; જીતવાને ઉપાય 272, 520, 556; 7 પ્રત્યે કર્મઉદયમાં શરણભાવના 281; 0 મરણની માસી 767; છ કલાકની ઊંધ 648, 70, 888, 901, 909; 0 ની અંતરંગ પૂરતી 795 સાધના 743; આસવમાં સંવરને જવલંત દાખલા નિમિત્ત આધીન વૃત્તિ 110, 373, 1001; શુભ 816; 0 નું માહાત્મ્ય 992, 1000; 0 અને નિમિત્તે જીવને લાભ ન થાય તે નિમિત્તને દોષ આપણામાં આસમાન-જમીનને ભેદ 1008 નહીં 418, 488 પરમકૃપાળુદેવને અક્ષરદેહ 597 નિયમિત વાંચન 40, 630,642, 6-3, 863, 36; પરમકૃપાળુદેવની અર્ધ શતાબ્દી અર્થે દાન આપવા પ્રેરણા 0 થી રૂચિ બળવાન થાય 124; 7 પ્રથમ કતવ્ય 873 Page #835 -------------------------------------------------------------------------- ________________ 80. બેધામૃત-પત્રસુધા પરમકૃપાળુદેવના પ્રસંગે - દિશાએ જતા ત્યારે કંચીએ એ વીતરાગધર્મની શોભા 444; ક્ષમાપના કેવી રીતે કાઢી મૂકતા 196; વવાણિયા છોડતી વખતે બધાને કરવી ? 690 નમસ્કાર કરેલા 353; મુમુક્ષને કહેલું કે તમે છ પાણી–ગરમ કરીને અથવા ગળીને વાપરવું 668, 767; આની બળ કરશે તે દશ આની ઉમેરી આપશું ટાઢા પાણી કરતાં કષાય એ માટે દેશ 732 408, 509; ઉત્તમ વાની રસ્તે જતાં માણસને પાત્રદાન 578 આપવા કહેલું 877 પુદ્ગલપરાવર્તન વિષે કાવ્ય 423 પરમકૃપાળુદેવનાં વચને– 0 અમૃતતુલ્ય 55, 75, 80, પુદ્ગલાનંદી 60 124, 420; 0 નવજીવન અપનાર 100; 1 પુનર્લગ્ન ન કરવા વિષે ઉત્તમ હવા ખાવાનું સ્થળ 104; 0 પરમ ઉપકારી પુરુષપ્રતીતિ 98 અને માર્ગદર્શક 117; 0 વિષયવિકાર સુકાઈ પુરુષાર્થ 71, 228, 244, 250, 422, 735; 0 ના જવાનું કારણું 130; 0 ના આધારે આત્મા ચાર ભેદ 34; 0 યથાશક્તિ કર્તવ્ય 26; 0 સંબંધી નિર્ણય 389; * ત્રિવિધ તાપથી બચવાને રોદણાં રડવાથી આગળ ન વધાય, પુરુષાર્થ કર્તવ્ય અચૂક ઉપાય 417, 434; 0 આત્મહિત માટે 861; પુરુષાર્થ શું? 938, 961 સર્વોત્તમ 501; 0 સાચા આધારરૂપ અને આશ્વાસન પુષ્પપૂજા કરાય કે કેમ? 767 દેનાર 541, 548; o મુશ્કેલીના પ્રસંગે સત્સંગરૂપ જૂજ 216, 702; 7 પ્રભાવનાની પ્રવૃત્તિ શ્રેયસ્કર 606; 0 ઉપશમસ્વરૂપ 703; 0 સપુરુષરૂપ 744; 275; * કુલથી કરાય કે કેમ? 767 0 વાંચતી વખતે કેવી ભાવના કરવી? 747; 0 પૂ. બ્રહ્મચારીજીના પ્રસંગે - સામૈયું કે કશી ધમાલ ન પિતાનું જીવન સુધારવામાં સર્વોપરી સહાયરૂ૫ 762; કરવા સૂચના 122; સુખલાલ પંડિતને પ્રસંગ - 0 ભેમિયારૂપ 797; 0 આત્માને પુષ્ટિકારક 808; જીવન એટલે શું ? 510; ગાંધીજીનું વાક્ય - 6 0 કાનમાં પડ પડ થવાથી ઘણું બળ 901; 0 માટીને માનવી છું’ એ પ્રસંગ 672; નમસ્કાર કે અંધને લાકડીની ગરજ સારનારા 971; 0 જિજ્ઞાસુને પૈસા મૂકવાને લઈને આંખેલ કરતા તે સંબંધી ઘણા જમાના સુધી માર્ગદર્શક 1022 નિવેદન 800; સીમરડા જવાને પ્રસંગ 811; વસ્તુ પરમગુરુ નિગ્રંથ સર્વ દેવ 963, 1019 સ્વીકારવી તે બોજરૂ૫ 951 પરમસુખરૂપ મોક્ષની પ્રાપ્તિના ઉપાય 292 પૂર્વાપર અવિરેધ 344 પરમાર્થ સત્ય 651 પૈસા ક્યાં વાપરવા? 350, 629, 827 પરમાવગાઢદશા 285 પૈસાદાર કુટુંબને સહવાસ અકર્તવ્ય 831 પરસ્ત્રીગમન 42 પોપટની વાર્તા 235 પરાભક્તિ 255; 0 નિમિત્તે પરમાત્મ-પ્રાપ્તિ કે પ્રતિક્રમણ 688, 793, 915, 847, 978 પરમાત્મ-પ્રાપ્તિથી પરાભક્તિ ? 261 પ્રતિબંધ ન કરવા વિષે 258 પરિગ્રહમર્યાદા (ત્યાગ) 88, 590, 767 પ્રતિમા - ચક્ષુવાળી કે ચક્ષુ વગરની પૂજવી? 853; પરિણતિ 105 પૂર્વસ્થ પ્રતિમા પૂગા 925 પર્યુષણ પર્વ નિર્વિઘ આરાધના 38, 58, 7, 86 પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા 992; 0 સદ્દગુરુને યાગ 992 303; 0 માં ધર્મધ્યાન કરવામાં પ્રતિબંધ નહી પ્રત્યાહાર 540 57; 0 આરાધના કેવી રીતે કરવી ? 297, ૮૫ર. પ્રપંચ 314 1009, 1011; 7 નિર્વ૨ થવા અર્થે 299, પ્રભાવના - સદવર્તન, સદાચરણ એ મોટી પ્રભાવના 372, 771; કષાય ઘટાડવા અર્થે આવાં પર્વની 137, 688 યોજના 368, પર૭; 0 ની મર્યાદા ભાદરવા સુદ પ્રભુશ્રીજીનાં વિશેષણો 2, 3; ૫રમાર્થમાર્ગમાં અગ્રેસર 15 સુધી 370, 372; - માં વિનયભાવે ખમાવવું 32; 7 ને અપાર ઉપકાર સમજાતાં જગત નીરસ Page #836 -------------------------------------------------------------------------- ________________ 8 પરિશિષ્ટ ૧-વિષયસૂચિ લાગે 231; 0 ને પરમ ઉપકાર 496, 512, બીજરૂચિ સમ્યકત્વ 147 682, 868; 0 જેવા પુરુષાર્થી કેઈ નહીં 684 બીજે દષ્ટિ ન કરવા વિષે 116, 255, 613, 23, પ્રભુશ્રીજીના પ્રસંગે-આબૂ તથા આહેર પધરામણ વિષે 789, 804, 846, 849, 902, 940, 1000 74; છેલી વેદની વિષે (ચરામાં બૂમ સંભળાય) બીડી ન પીવાને નિયમ કર્તવ્ય 224, 710, 734 92; રાળજમાં દર્શન કર્યા વિના પાછા ફરવું અને બાધબીજની પ્રાપ્તિ એ કલ્યાણને માર્ગ 25 ખંભાતમાં મંત્રપ્રાપ્તિ 98; વેદનીય પ્રસંગે કહેતા બ્રહ્મચર્ય 131, 169, 174, 801, 819, 1002; કે અમને દવાની શ્રદ્ધા હોય? 104, 670; ઘડિ. 0 દેવગતિનું કારણ 33; 7 વ્રત રૂબરૂ પૂછીને આપવા વાળની ચાવી તૂટી જવાને પ્રસંગ 201; ૫રમ- વિષે 74; વૃદ્ધસેવાથી બ્રહ્મચર્યવૃદ્ધિ 115; સ્ત્રીકૃપાળુદેવના પત્રો અમૃતના ઘૂંટડા ભરે તેમ વાંચતા પુરુષ વચ્ચે કેવી ભાવના જોઈએ ? 130; 0 ના 217, 353; દેહ છૂટયા પછી મરણ-મંત્રની ધૂન સામાન્ય નિયમો 133; 7 વ્રત કેવી રીતે લેવું ? -ચુનીભાઈના દીકરાના મરણ-પ્રસંગે બંધ 477; 203, 218; 0 પિતાની સમ્મતિથી લેવું 240; ભક્તિકર્તવ્ય અને ધર્મકર્તવ્યની ચર્ચાને પ્રસંગ અફીણુનું બંધારણ કરવા સલાહ આપે તે ન 805; મોસંબીના છોડારૂપ કડવે પ્રસાદ બધાને કરીએ, તેમ કોઈના આગ્રહથી લગ્ન ન કરવા વિશે આપ્યો તે પ્રસંગ 832; કામ જીતવા નીરસ આહાર 259; 0 બાર તિથિ બ્રહ્મચર્ય 358; * ભંગ ન લેતા 836; તીર્થકરના પાદમૂળમાં ક્ષાયક સમ્યકત્વની કરવા વિષે (જે હું સ્ત્રીભવમાં હેલે તે.) 365; નિષ્ઠાપના 967. 0 ભંગ કરવાનું વિપરિણામ (તમે વર્તમાન પ્રભુશ્રીજીને ચિત્રપટ 23, 135; 0 નાં પગલાંની કંકોત્રી સંજોગોમાં હું તેમ...) 375; 0 માટે સ્વાદને 126; 0 નાં પગલાંની સ્થાપના 128; 0 ના ત્યાગ મુખ્ય 416; 0 માટે આશ્રમનું વાતાવરણ ચિત્રપટની રાજમંદિરમાં સ્થાપના 683, 1023 ઘણું અનુકૂળ (જબૂસ્વામીનું દષ્ટાંત) 418; એક પ્રમાદ 203, 222; 7 જીતવાને ઉપાય 281 દિવસનું પણ બ્રહ્મચર્ય 464; 0 મેક્ષ થવાની પ્રવૃત્તિ - કઈ પ્રવૃત્તિ કર્તય? 76 : ભાવનાએ લેવું અને અચૂક પાળવું 465; * એ. પ્રાગ્યલબ્ધિ 593 થોડી મુદત માટે સાધુપણું પપ૨; * કૃત્રિમ ઉપાયથી પ્રારબ્ધ (પૂર્વકર્મ) અને પુરુષાર્થ 7, 84, 211, 268, નહીં, પણ મનના આધારે 738; 0 માં દઢતા 532, 570, 892, 1017 વિષે - ભાઈબહેન તરીકે રહેવાને નિયમ કર્તવ્ય પ્રેમ (પરમપુરુષ પ્રત્યે)ની ન્યૂનતાને લઈને દેમાં પ્રવર્તન 753, 754; 0 ટુકડે ટુકડે લેવું અને તે માટે 95; 0 હેય તે તેના વચન પ્રત્યે થાય અને તે વ્યવહારશુદ્ધિના સામાન્ય નિયમો 755; 0 માટે કરવા જીવ પ્રેરાય - વજસ્વામીનું દષ્ટાંત 203; 0 વૈરાગ્યપ્રેરક વાંચન 786; 0 નું માહાસ્ય અને તે એ બધી ધાર્મિક ક્રિયાને આધાર 206; 0 વધશે માટે વૈરાગ્યપ્રેરક જીવન-વ્યવહાર 796; 1 ના તેમ તેમ દે ઘટશે 647; 0 હશે તેટલું ક૯યાણ થશે આરાધનથી અનેક ગુણે 838; મધ્યરાત્રિ પછી 774; 0 માં સર્વ સાધન સમાઈ જાય 882, 927 બીજે દિવસ નહીં 915; એકલા હે તે સૂતી ફળાફળી પરાક્રમ અધ્યયન 205 વખતે બ્રહ્મચર્યને નિયમ લે 1019 ફિનાઈલ 82 બ્રહ્મચર્ય મહાવ્રત - મંત્ર વગર ન સધાય 8 ફિલ સુ ફી 638 ભક્તિ 211, 314, 601, 935; 0 આત્મજ્ઞાનનું ફિલ્મ અને બ્રોડકાસ્ટ 284 મુખ્ય સાધન 63; 0 વિક્ષેપ મટાડવાનું નિમિત્ત બાદર ક્રિયા 927 70 0 માંદગી પ્રસંગે હિતકારી દવા 92; જે તે બાર ભાવના 58, 0 વ્રત 783 અવસ્થામાં પ્રસન્નતાથી રહેવારૂપ ભક્તિ 114; 0 બાહ્ય ત૫ 107, 1004; 0 ઈરછાનિધિરૂપ તપ 520; અપૂર્વ ચીજ 171; 0 સૂતાં સૂતાં અને ગમે ત્યારે 0 ના છ ભેદ 799; શક્તિ જોઈને કરવું 933 થઈ શકે 196; 0 થી શું થાય? 274; 0 એ Page #837 -------------------------------------------------------------------------- ________________ બેધામૃત-પત્રસુધા જ મુખ્ય વનિ 358; સમૂહભક્તિ કતવ્ય 483; 531, 576, 627, 641, 65, 662, 67, 0 માગ સુલભ 63; 0 થી મુક્તિ ખેંચાઈ આવે 676, 707, 714, 722, 725, 739, 907, છે 743; 0 થી કહા બળવાન થાય 819; 0 માં 970; લૌકિક રિવાજ અકતવ્ય 208, 349; મન કેમ ટે? 855; 0 થી સત્કર્ષનું હદય પંખીના મેળા જેવાં સગાંસંબંધીઓ 284; સીન ઓળખાય 979 વિયાગમાં હર્ષ પામવા ગ્ય 303; દાક્તર બચાવી ભક્તિકર્તવ્ય 321, 805 શકતા નથી 329; કહાની ખામી એટલે ભક્તિના નિમિત્ત - ભાવ જાગૃતિનું કારણ 118; દેવો દુઃખી 335; સદ્દગુરુના શરણની ભાવના 543; પણ સુખ છોડીને આવે 126, 270 નિર્મોહી કુટુંબની કથા 824; પરમકૃપાળુદેવ વગેરે ભાવ નિમિત્તાધીન 75, 134, 456; 0 પુરુષાર્થ મરી ગયા એમ માનવું તે અજ્ઞાન 865; રવા આધીન 84, 110, 530; 0 ઉપર આખે માગ કળવાથી કર્મબંધ, પણ ભક્તિમય જીવનથી બીજા 105; કેવા ભાવ કર્તવ્ય 123, 490; જેવા સમાગમી છવાનું પણ કલ્યાણ 881; મરણ વખતે ભાવ તેવી સિદ્ધિ 386, 567; 0 ની મંદતા નુ રહસ્યભૂત મતિ 943; સપુરુષમાં વૃત્તિ રાખવી 984 સાનકારક 396; 0 પ્રમાણે કર્મબંધ ઉપર બે મરણ-પ્રસંગે 57, 58, 67, 148, 152, 426, 427, ભાઈઓનું દષ્ટાંત 468 429, 612, 711 ભાવ, * નિદ્રા 243; પચખાણ 30; 0 મરણ 35, મહામહનીય 275 524; 7 મલ 144; 7 સેવા 111 મંત્ર - જુઓ સ્મરણમંત્ર ભેજ્ઞાન 171; 0 અને સમ્યક્ત્વ એક જ છે 890 મંદિર - ભક્તિભાવ અથે, પણ ઝેર વધવા નહીં 123; મધના દોષે 834, 858 0 માં દાન આપવા વિષે 170, 221 મનન 204, 228, 747 માખણ - વાપરવું કે કેમ? 376; 0 નું ઘી કેવી રીતે મન, 7 ને શામાં રોકવું? 41, 247; 0 શાંત થવાને બનાવવું? 828 ઉપાય 161; 7 કેમ ઠેકાણે રહેતું નથી ? 212; મા-બાપ પ્રત્યે કર્તવ્ય 123, 456, 477, ૯પ૬; 0 0 વશ કરવા શિખામણુરૂપ વાર્તા 292; 7 સ્થિર પ્રત્યે કેમ વર્તવું ? 410 થવાને ઉપાય 342; 7 ને આધારે બ્રહ્મચર્ય 738; માર્ગાનુસારીના 35 બેલ 387 0 વશ કેમ કરવું ? 836, 941 માંદગી-પ્રસંગના પત્રો - જુઓ વ્યાધિ-પ્રસંગના પત્ર મનુષ્યદેહની મહત્તા - સડેલા સાંઠા જે 45; દેવોને માંદગી-પ્રસંગની સ્મૃતિ પુરુષાર્થ પ્રેરક 125; 0 ના પણ દુર્લભ 48; પારસમણિ કરતાં મૂલ્યવાન 65; પ્રસંગે સંસારનું યથાર્થ સ્વરૂપ 295; 0 ના પ્રસંગે ચકવતીની સંપદાથી અધિક મૂલ્યવાન 29, 36, મા-બાપને કેમ સમજાવવા? 410 1 735: ખરી કમાણી કરવાની મોસમ 167, મદા પ્રત્યે ખરી સેવા 92,456, 718, 839; 0 પ્રત્યે 692; ગમે તેવો તેય મૂલ્યવાન 187, 202, કર્તવ્ય 93, 111, 187, 202, 207, 95 543; દુર્લભતા 381; રત્નકરંડ સમાન 465; 0 માંસત્યાગ - માછલીનું તેલ કેમ વપરાય ? 419, 750 મેજશખમાં ઈ દેવો એ મૂર્ખતા 786 મિથ્યાત્વ - સર્વ દુઃખનું કારણ 38, 114; મેહનીયા મરણ, 0 સમયે અત્યંત વેદનાનું શું કારણ? 20; 0 275, 892; 7 સપુરુષનું ઓળખાણ થવા ન શું ? 194: 6 વખતે આત્મા કેમ જ રહે છે? દે 275; 0 ને લઈને પજુસણ જેવા વાનાં 274; 0 સંબંધી વિકપ અકર્તવ્ય 498; 0 એ કાર પણ કર્મબંધ કરાવે 354 મોટી પરીક્ષા ૭૪પ મિશ્રમેહનીય 275, 892 મરણ-પ્રસંગના પત્રો 70, 81, 83, 120, 129, મુખપાઠ 537, 815; * કેમ થતું નથી? 173; . 141, 143, 178, 182, 183, 197, 227, કરવામાં કઠણાઈ કેમ ? 285; 0 લોકરંજન કે 267, 305, 315, 484, 487, પ૦૫, 516, માનાથે અકર્તવ્ય 611; સત્પષના વચનરૂપ Page #838 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧-વિષય-સૂચિ 813 વ્યાપારમાં લાભ જ હેય 746; 0 સમજપૂર્વક કરે રસ 633 તે આનંદ આવે, બેજારૂપ ન થાય 897 રસેન્દ્રિય - જુએ જીભ મુનિઓ - જુએ દીક્ષા; 0 માટે આશ્રમમાં વ્યવસ્થા રાગદ્વેષ છૂટે તેટલી શાંતિ 125, 194; 0 ફૂટવાને વિષે 611 ઉપાય 192; કેમ દૂર થાય? 324 મુમુક્ષુ = 0 નું વર્તન શત્રુ પણ વિશ્વાસ કરે એવું રાજસત્તા 131 82; 0 સાથે મૈત્રીભાવ 138; 0 પ્રત્યે કેવી દષ્ટિ? રાત્રિભોજન-ત્યાગ 323, 585; રાત્રે પ્રસાદ ન લેવાય 142; 0 ની અંતિમ અવસ્થા વૈરાગ્યપ્રેરક 204; 717; 0 વિષે સૂક્ષ્મ ભેદ 767 0 સાચા સગા 228; 0 નું લખાણ વૈરાગ્યપ્રેરક લક્ષ્મીના દે 411 301; સંશયની સ્થાનોમાં મુમુક્ષુની સલાહ 318; લબ્ધિ 203 0 ને મદદ કરવાની આપણી ફરજ (364; 0 લીલોતરી 191, 229, 915, 1018 સાથે પત્રવ્યવહાર પરોક્ષ સત્સંગરૂ૫ 393, 836; લેહ્યા 203. * ને મશ્કેલીના પ્રસંગે આગળ વધારનાર - લેભ 88, 669; 0 છૂટવા અર્થે દાન 345, 492, અનાથી મુનિ અને સૌભાગ્યભાઈનું દૃષ્ટાંત 425, 738, 1024. 885; 0 ની સેવાનું માહાસ્ય 457, 52; 0 લૌકિક દૃષ્ટિ 489 નું લક્ષણ 1848, 495, 551; 0 સાથે સંબંધ વટામણના પત્રનું માહાસ્ય 256, 778, 1002 ધર્મ પ્રોજન પૂરતે 615; * સાથેના સહવાસથી વંદનભક્તિ 450 નિર્મળ વિચારોની પ્રેરણા 779; 0 ની ચરણરજ વાણીને સંયમ 550, 651; શાંતભાવની ખાતરી વગર મસ્તકે ચઢાવવાની ભાવના 781; 0 તા 861 ન બોલવું 660 મુલતવી રાખવા ઉપર વણિકની કથા 379, વાળ - કલેશ અને મોહનું મૂળ 440 મુશ્કેલીઓ - જુઓ દુખ, ઉપાધિ વિચાર જાગૃતિ પ૮૩ મૈત્રીભાવ વિના સપુરુષ પ્રત્યે પ્રેમ ન ઉલસે 321; 0 વિચાર (નિદિધ્યાસન) કર્તવ્ય 197, 204, 247, 414, નું સ્વરૂપ છ૯૨ 747, 959; 0 કેવી રીતે કરવો? 328; 0 કરે, મેક્ષ-૦ સુખ 125; 0 ને રસ્તે જુદે, કહેતા કહેતી કરવાથી લાભ નહીં 175; 0 કોને કહેવાય? પણ સત્પરુષનાં વચનને આશય અત્યંત વિશાળ 274; 0 પ્રાપ્તિને ઉપાય 292; 0 માટે વિષય છે એ લક્ષે 392; વાંચતાં આનંદ, પણ વિચાર કષાય સાથે આત્મિક યુહ 494; 7 મા કેમ થવું ? કેમ નહીં ? 549 " વિનય 39, 99, 107, 138, 729 550; 0 આ કાળમાં પણ છે 813, 887 વિરતિ 540 મોહનીય કર્મના ભેદ - મેણિયા કેદરાનું દૃષ્ટાંત 356; વિરહમાં કયા 217, 383, 473, 513, 650 0 અને વેદનીયને તફાવત 768 (વિશેષ માટે વિશુદ્ધિલબ્ધિ 593 - જુઓ મિથ્યાત્વ) વિષયકષાય સહિત મોક્ષે ન જવાય 650 યત્ના 767 વિષયવાસનાની હાનિ 343 યથાપ્રવૃત્તિકરણ 232, 193 વીતરાગ 397; 0 તા અને ઉદાસીનતામાં ફેર 638; યાત્રાનું વર્ણન 563; દેવું પતાવીને પછી યાત્રા કર્તવ્ય 545 0 તા અને સર્વશતા 991; 0 દશાનું વર્ણન 1025 યોગબળ 430, 59; 0 ઉપર ચતુરલાલજી મુનિનું વીસ દેહરા 192, 397, 512; 0 ને દરેક શબ્દ દાંત 471; 7 મુસૃક્ષ દ્વારા જયવંત 688; 0 મત્રતુલ્ય 319, 946; 0 આજ્ઞા વગર નહી 611 આખર વખતે હાજર 711 વૃદ્ધસેવાથી બ્રહ્મચર્યવૃદ્ધિ 115; 0 થી લાભ 457; * રત્નવાણિયાનું દષ્ટાંત 884 થી વૈરાગ્યવૃદ્ધિ 719 Page #839 -------------------------------------------------------------------------- ________________ 814 બાધામૃત–પત્રસુધા વેદનીય - આત્મઉજજ્વળતાનું કારણ 54, 471; વ્યાધિ-પ્રસંગના પત્રો 43, 44, 90, 92, 93, 103, શરીરને ધર્મ ક૨, 68, 438, 977; ખુશીથી 104, 115, 493, 606, 612, 648, 675, દેવું પતાવે તેમ સહન કરવું 92, 876, 922; 703, 756, 775, 868, 904, 986, 998; મે'માનની પેઠે સત્કારવું 100, 237, 631; 0 શું ભાવના કરવી? 140, 249, 367, 439, વૈરાગ્યનું કારણ - સંસારનું યથાર્થ સ્વરૂપ બતાવ- 463, 471, 998, 500; 0. શું કર્તવ્ય ? 207 નાર 295, પર૯,૭૮૩; 0 થી આત્માનો આનંદ 210, 223, 346, 708, 709; મારા આત્મવિકાર પામે 442, 481; જીવનપલટાનું પ્રબળ સ્વરૂપ, તમે મારી પ્રકૃતિ સંબંધમાં શા માટે પૂછો કારણ 517; આવકારદાયક અને નિશાળરૂપ 524; છે ? 257; દરેકની સલાહ માને તે દરદીને ત્રાસ જ્ઞાનને અડચણ કરનાર નહીં 724, 733; આત્મ- 414; અભય વસ્તુ ન વાપરવી 14, 419; ભાવનાની વૃદ્ધિનું કારણ 733; 0 અને મેહનીય સહનશીલતા કર્તવ્ય 415; વણાગનટવરનું દૃષ્ટાંત કર્મને તફાવત 769; દેહાધ્યાસ ઘટવામાં ઉપકારી 451; પરમ કલ્યાણનું કારણ 488, 517; 858; સમજણની કસોટી 932 સ્મરણમાં - આજ્ઞામાં વૃત્તિ રોકવી 588; ઉપશમ એ વેદાંત 963 ખરી દવા 599; કષ્ટ તે કલ્યાણકારી, કુંતામા, વૈયાવૃન્ય 111, 799; 0 થી વિનય 205; 0 થી ઋભુરાજાનું દષ્ટાંત 640; દુઃખ જ જીવને આગળ બ્રહ્મચર્યવૃદ્ધિ 115; મુમુક્ષની સેવાનું માહાસ્ય વધારનાર 671; પરમકૃપાળુદેવના ભક્તને તે 457, 502; 0 માં દૃષ્ટિ સરુ પ્રત્યે પ૭૨ આશ્રમમાં જ રહેવા જેવું 700; મંત્રસ્મરણ વૈરાગ્ય 193, 211, 448, 501, 601, 621; 0 નિરંતર કર્તવ્ય 719, 751, 1015; મુનિવર ના ત્રણ ભેદ 280; 0 દશા 783; 0 હોય તે ઉદીરણ કરીને આત્મભાવના કરે 773, 899; gછ વસ્તુ પણ ઉપકારી 994 સમાધિમરણની તૈયારી અર્થે દેહાધ્યાસ છોડ વૈશાખ સુદ 8 નું માહાત્ય 270 જરૂરી 1020 વ્રત-નિયમ - પ્રાયશ્ચિત્ત રૂબરૂમાં 48; , ને તેડવા શરીરસેવા - જુઓ વૈયાવૃત્ય વિષે 53, 224, 341, 382, 384, 441, શંકા ન સમજવું) - ને મુમુક્ષવર્ગ આગળ ખુલાસે 465, પર૬, 826, 914, 1018; 0 ક્યા લક્ષે 228, 318; 0 માં ઘણે વખત ન રહેવું 240) 0 કર્તવ્ય ? 66; 0 માં દોષ ન લાગવા વિષે 85, થાય તે શું કરવું? 262; સત્સંગે નિઃશંક થવા 286, 750; 0 માં મક્કમતાથી મોક્ષની નજીક ધર્મચર્ચા 392; 0 ની નોટમાં નેધ રાખવી. જવાય 88; 0 માં ઉતાવળ ન કરવી 98; 0 આગળ ઉપર સમાધાન થતું જાય 402; 0 થાય આત્માથે કર્તવ્ય 101, 167, 734, 915; તે ઢયડી જેવી પિતાની કુતર્કશક્તિ વાપરી ગમે તે * એકસાઈથી પાળવા 102; 7 માં ભૂલ થાય તે નિર્ણય ન કરે 407 પ્રાયશ્ચિત્તની વિધિ 132, 693, 702, 732; 0 શાસ્ત્ર - પુરુષની પિછાનવાળાને સર્વ શાસ્ત્રો સવળાં કેવી રીતે લેવા? 132; કષાય ઓછા કરવાને 121 નિયમ કતવ્ય 132: નિર્દોષ વસ્તુ પણ નિયમ શિથિલતા-જીવને મોટામાં મોટે દોષ 518 લીધા પછી ન વપરાય 376; * ટૂંકી મુદતના શુશ્રુષા 1005 લેવા 454; 0 માં અપવાદમાર્ગ (એક ઉપવાસને શન્ય 991 બદલે બે એકાશન) 483; 7 અભ્યાસ થયા પછી શ્રદ્ધા(સદગુરુની)નું માહામ્ય 76, 42, 162, 385, લેવા 700; o શરવીરપણે પાળવા ઉપર ભીલ- 556, 875; 0 ની ખામીને લઈને દુઃખી 81, શ્રેિણિક રાજને પૂર્વભવ)નું દષ્ટાંત 826; 0 127, 189; 0 ને અનુસરીને પુરુષાર્થ 137; કરતાં કહાની દઢતા કર્તવ્ય 981; દોષ ટાળવાના 0 હોય તે મેક્ષમાર્ગની અનુકુળતાઓ મળતી નિયમથી આત્મા પવિત્ર થાય 997 જાય અને આખરે મોક્ષ થાય 181; 0 એ સર્વ Page #840 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧-વિષય-સૂચિ 815 ધર્મકાર્યને પાયે 21, 515, 720; 0 હોય 336; 0 ને પૂર્ણ કયારે મળે? 343; 7 ના તે પ્રભુ દૂર નથી 226; 0 માં ખામી હોય તે વિયેગમાં શું કરવું? 473, 513; 7 અસંગ પુરુષાર્થ પણ ખામીવાળા 239; 0 કેવી જોઈએ થવાની દવા 598; 0 ના વિયેગમાં સદગુરુશરણ, તે ઉપર ગુરુ-શિષ્યનું દષ્ટાંત 359; 0 હોય તે સાપ અને નેળિયાનું દષ્ટાંત 677; 0 ના દુઃખી હેતે નથી 556; 0 ઉપર પ્રભુત્રીજીને વિયેગમાં મંત્રસ્મરણ, પણ કુસંગ તો ન જ દિવાળીને બોધ 630 કરવો 812; 0 માં પૂછીને વાંચન 848; 0 શ્રીમદ રાજચંદ્ર ગ્રંથ –નું માહાસ્ય 39; 0 માટે સર્વનું મૂળ 856; 0 ના નામે જે તેને સમા યોગ્યતા 51; 0 કેવી રીતે વાંચવું? 39, 198, ગમ ન કરવો 913; તપ કરતાં સત્સંગની ભાવના 200, 247; 0 માં જણાવેલા બધા ગ્રંથ વાંચવા કર્તવ્ય 934; 0 સૌથી પહેલાં કર્તવ્ય 949 બેસે તે પાર ન આવે 334; 7 વાંચવાથી સત્સુખની પ્રાપ્તિ કેમ થાય ? 485 આપોઆપ ખુલાસા 201; 7 પિતા માટે વાંચવું, સદ્દગુરુ - 0 નું સ્વરૂપ કેમ ઓળખાય? 50; 0 નું વ્યાખ્યાન અર્થે નહીં 591; 0 માં દાન આપવા માહાસ્ય 304; 0 નું લક્ષણું 359; 0 નું શરણું વિષે 827; 0 માંથી જેવી અલૌકિક અને આત્મ- ઉપાધિ પ્રસંગે ઉપકારી 470; 0 ના આશ્રયનું હિતકારી મદદ, તેવી બીજેથી નહીં 940; 0 માં બળ 471, 480, 561, 920; 0 ના શરણની સમજણને ભંડાર 1002 ભાવના કર્તવ્ય 490, 496, 500; 0 ના શરણનું શ્રુતકેવળી 387; 0 ભક્તિ 978 બળ - ચમરેદ્રની કથા 554 સટ્ટા નહીં કરવાને નિયમ 303, 526 સદ્ગુરુપ્રસાદ 148, 160, 186, 378, 291 સપુરુષનાં વચનામૃત 32, 632, 836; 0 માં આનંદ- સદાચાર - એ મેટી પ્રભાવના 137, 688; 0 એ ને અખૂટ ખજાને 160, 186; 0 શાંતિકારક ધમને પાયો 949 198, 278; 0 વિષયનું વિરેચન કરાવનાર સમકિતમોહનીય 275, 581, 892 269; 0 તપ૩૫ 317; 0 સમકિતની પ્રાપ્તિ સમભાવ 166, 210, 225, 310,481, 535, 737, કરાવનાર 328; 0 કષાયની મંદતા સાથે વિશેષ 782, 876, 939; 0 મેક્ષની વાનકી 588; આનંદદાયક 337 0 ની પરાકાષ્ઠા - ભવે મોક્ષે પણ શુદ્ધ તે સમસત્પા , 0 ને સમાગમ 32, 139; 0 ની સમીપતા ભાવ જે' 837 ભાવવાથી દેષ દૂર થાય 130; 0 ને વીસરીને સમયને ઉપગ 250, 294, 537, 654; 0 કરણી થાય તે આત્માને પીસનારી સમજવી 151; કંજુસની જેમ 173; 0 પળ વ્યર્થ ખાવાથી 0 ને પરમ ઉપકાર 184, 260; 0 ના વેગનું ભવ હારી જવા જેવું 176, 355; 0 મંત્રમાહાત્મ્ય 188; 0 પ્રત્યે (દેહાદિ પ્રત્યે) પરમ પ્રેમ મરણમાં કર 409; * કેમ કરવો? 668; 0 કર્તવ્ય 203 પુષ્પમાળામાં લખ્યા પ્રમાણે કર્તવ્ય 762; 0 સત્પષમાં જ પરમેશ્વરબુદ્ધિ 255, 402 વાંચન વગેરેમાં કરવાથી જીવન સુખરૂપ 836 સત્ય મહાવ્રત 8 સમયાંતર ઉપગ 972 સત્સંગ 67, 78, 101, 447, 448, 42, 49. સમવસરણ 203 1006; 0 એ સુધરવાને ઉપાય 138; 0 સી. સમાધિ 211 પરી સાધન 161; 10 સહેલામાં સહેલું અને સમાધિમરણ 11, 625; 0 માટે મુનિ શું કરે? પહેલામાં પહેલું કર્તવ્ય 175, 622, 705; 0 166; 0 પાઘડીને છેડે કસબ જેવું 279; 0 માટે દ્વારા ધર્મલક્ષ્ય 273; 7 નું માહાસ્ય 278, શું કરવું ? 463; 0 માટે વેદનીયકર્મ આવાર૫૩૩, 583, 6-7, 609,753-4, 889; 0 ના દાયક 524; મંત્રમાં ચિત્ત રાખવાથી સમાધિમરણું માહાભ્ય ઉપર કથા 313; 0 અનિવાર્ય સાધન 558; 0 ને પિષે એવું આશ્રમ-જીવન 700; 0 Page #841 -------------------------------------------------------------------------- ________________ 816 બેધામૃત-પત્રસુધા માટે સકુદર્શન જરૂરી 882; આશ્રમમાં દેહ છૂટે સંશય - જુએ શંકા તેનું સમાધિમરણ 367, 1012 સંસાર - 0 માં સાર શું? 78; 0 નું સ્વરૂપ દુઃખરૂપ સમાધિમરણની છત્રીસ માળા 384, 461,562, 695, 175, 183, 323, 420, 894, 931; 0 ને 696, 721 સમુદ્રની ઉપમા 67, 182; 7 ને અપશબ્દ બેલસમિતિ 767 નારી જનનીની ઉપમા 238; 0 નું યથાર્થ સ્વરૂપ સમુદઘાત 501 માંદગી વખતે 295, 663; 0 કાર્યની નિવૃત્તિ સમ્યકક્યારિત્ર 767, 976 ક્યારે થશે? 343; 0 માં સુખ શોધનાર મૂખ સમ્યકજ્ઞાન(ભેદજ્ઞાન)નું સ્વરૂપ 211, 767, 976; જે 582 0 કેમ થતું નથી ? 203 સંસારાનળ 176 સમ્યકત્વ- 0 નાં આઠ અંગ 33; 0 વિના બધી સંસ્કૃતને અભ્યાસ ક૨૮, 466, 762, 763 પ્રવૃત્તિ પાપરૂપ પર; 0 સહિત નરકની વેદની સાત અભલય 215, 230, 262, 323, 351, 993 સારી 54, 57; 0 પ્રાપ્તિને માગ 76, 195; સાત તવ 190 0 નાં આઠ અંગમાંથી સ્થિતિકરણ વિષે 91; 7 સાત વ્યસન 215, 230, 262, 323, 351, 647, નું સ્વરૂપ 147, 211, 976; 0 થયા પછી 801, 993 પંદર ભવે મોક્ષ 191, 577; 0 પછી નરક કે સામાયિકના દોષે 767 તિર્થ"ચગતિ ન બંધાય 195; 0 એ બધાને ઉપાય સાહિત્ય અને ફિલસુફી 630 308; 0 ની મહત્તા પ૩૩; 7 અને સમકિત- સિદ્ધ ભગવાનને કયા દેહ? 992 મોહનીયમાં કેર 581; 0 થયા પછી પંદરથી સિદ્ધાંતબધ માટે યોગ્યતા 114, 501 વધારે ભવ કેમ? ભગવાન મહાવીરનું દષ્ટાંત 871; સુવાવડ 171 0 થયા પહેલા પિતા વિષે પંદર ભવ ન માનવા સુવિચારદશા 199, 979 872; વિના સમાધિમરણ નહીં 882; 7 અને સેવાચાકરી, સેવાશુશ્રુષા - જુઓ વૈયાવૃત્ય ભેદતાન એક જ છે 890; 0 વિના બધું ચિતરા- સ્ત્રી-ભવની નિંદા 182; 0 નું કારણું 365 મણ જેવું 902 સ્ત્રી-પરિષહ ? સમ્યક્દષ્ટિનું સ્વરૂપ 144, 767; 0 અવળાનું સવળું સ્ત્રી સાથે કેમ વર્તવું? 130; ધર્મભગિની તરીકે 836 કરે, શિવાજીનું દૃષ્ટાંત 157; 0 પંદર ભવે મેક્ષ સ્થિતપ્રજ્ઞનાં લક્ષણ 222 191, પ૭૭; 0 ને નવાં કર્મ નથી બંધાતા સ્થિતિકરણ 91 354; 0 ની દશા–“ભવ મેક્ષે પણ શુદ્ધ વર્તે સ્મરણમંત્ર, 0 માં પાંચે મહાવ્રત 8; કૂવામાં પડેલાને સમભાવ જે' 837 દોરડા સમાન 59, 187; સદ્ગુરુ સમાન 94, સર્વજ્ઞની સિદ્ધિ 356 977; 0 નું માહાભ્ય 98, 215, 271, 439, સહજસમાધિની ભાવના 287 503, 984; વારંવાર ગાંડાની જેમ બેલ-બેલ સહજાત્મસ્વરૂપ પરમગુરુ - જુઓ સ્મરણમંત્ર કરવા વિષે 106; 0 આત્મા જ છે 116, 200; સહનશીલતા - શાંતિ આપનાર 127, 415; 0 સમાધિ- બીજેથી વૃત્તિ પાછી વાળવાનું સર્વોત્તમ સાધન મરણ માટે જરૂરી 741, 1020 . 134; સદ્ગુરુના સ્વરૂપને જણાવનારું 215; સંક૯પવિકલ્પરૂપ બંધન - શું કર્તવ્ય ? પપ૬ આત્મા પ્રત્યે વળવાને ઉપાય 242; 0 રૂ૫ સં૫ 138, 142, 368, 371 લાકડીથી વિષય-કુતરા નાસી જાય 269, 464; સંયમવિશુદ્ધિસ્થાનક 633 0 ને અર્થ 283, 963, 1019; જતાં-આવતાં સંવર ભાવનાનું દષ્ટાંત 203 મંત્રસ્મરણ કર્તવ્ય 286; 0 રૂપી નાનથી આત્માને સંવેગ 205 પવિત્ર કર 318; ચિત્તની સ્થિરતા માટે માળાને Page #842 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨-વિશેષ નામ કમ વધારતા જવું 342; જાગૃતિનું પ્રબળ કારણ સમાન 840, 945; સ્વરૂપ-ચિંતવન ગણાય? 853; 393; માળા ગણતાં દેવ દૂર કરવાને કે ગુણ 0 માં અનંત આગમ 924; 0 રૂપી હોડી 962 પ્રગટ કરવાને લક્ષ રાખવો 409; માંદગીમાં ખરી સ્યાસ્પદ 203 દવા 466; 0 ની ધૂન મરણ-પ્રસંગે 477; ચિત્તની સ્યાદ્વાદ ૭પર શાંતિનું રામબાણ ઔષધ 501; તેલની ધાર પેઠે સ્વછંદ–૦ થી ધર્મ ન થાય 198; 0 થી દુઃખની અતટ 503; મંત્ર મં ”ને અર્થ 550; 0 માં પરંપરા 515; , કેમ રેકાય? 992 નવકાર વગેરેનો સમાવેશ 558; ૦માં ચિત્ત રાખવાથી સ્વપ્ન દેષ કેમ ઘટે? 360; 0 માં સંસ્કારે ફરી ધર્મધ્યાન 577; 0 શા માટે ? 186; વ્રત-ઉપવાસ આવે 795; 0 પર જાગૃતિના ભાવોની અસર કરતાં હિતકારી 620; સર્વદેષ દૂર થવાને ઉપાય 872 647; 0 ઈરછાઓને પ્રવાહ રોકવા જરૂરી 678; સ્વયં બુદ્ધ મહાત્માઓની કથા 421 માંદાની પાસે નિરંતર કર્તવ્ય 719, 751, 1015; સ્વાદેનિય - જુઓ જીભ સર્વ વ્રતનું મૂળ 745; 0 રૂપી વાંસ ઉપર ચઢ સ્વાધ્યાય 0 કાળ 196; 0 કુદરતી હાજતને કારણે તર 798; મનને રોકવાને ઉપાય 803, 929; તૂટક થાય કે કેમ ? 410; 0 તપ 799; 0 ના પુસ્તકની ગરજ સારનાર 812; એક સેકંડને પણ પાંચ ભેદ 992 સદુપયોગ કરવાનું સાધન 834; મૂંઝવણમાં દવા હૃદયદર્શન 276 પરિશિષ્ટ 2 વિશેષ નામ (ગ્રંથ, વ્યક્તિ, સ્થળ) અનાથીમુનિ 37, 195, 295, 465, 488, પ૧૭, ઉપમિતિભવપ્રપંચ-કથા 113, ર૭૫ પ૨૯, 650 ઋભુરાજા 467, 640, 831, 832 અનુપચંદજી 643 ઋષભદેવ ભગવાન 31, 190, 214, 421, 578 અભયકુમાર 842 કબીરજી 129 અષ્ટાવક્ર 470, 566 કરકંડુ મુનિ 421 અહલ્યા 313 કાવિઠા 756 અંબાલાલભાઈ 392, 579, 583, 670 કુંતામાં 640, 671 અંબાલાલ મારવાડી પ૦૫, 507, 509 ખુશાલભાઈ 426, 427 આત્મધર્મ 613 ગજસુકુમાર 225, 415, 480, 503, 524, 532, આત્મસિદ્ધિ 13, 61, 69, 180, 619, 704, 671, 808, 977, 1012, 1020 1002 ગણેશપ્રસાદજી વણું 194 આત્માનુશાસન 127, 619 ગાંધીજી 672 આનંદ શ્રાવક 196 ગુણચંદ્રજી મહારાજ 943 આબૂ ઉ૪ ગુણભદ્રમુનિ 127 આદ્રકુમાર 842 ગોપાંગનાઓ 308, 818, 882 આહાર 74, 301 ગશાલે 148, 788 ઈસુ ખ્રિસ્ત 144, 360 ગૌતમસ્વામી 196, 538, 561, 650 ઈડર 389 ચતુરલાલજી મુનિ 471, 480 Page #843 -------------------------------------------------------------------------- ________________ 818 બેધામૃત-પત્રસુધા અમરેન્દ્ર 554 જનક વિદેહી 470, પંદ જમાલીજી 179 જંબૂકુમાર 418, 907 જીબા ડોશી 612 જીવનકળા 260, 278, 107 જુગરાજ 507 જ ઠાભાઈ 645 જેસંગભાઈ શેઠ 204, 209, 257, ર૬૧, 11, જ્ઞાનપ્રચાર 672 જ્ઞાનમંજરી 423 તનસુખરામ 639 તામલી તાપસ 554 ત્રિકમભાઈ દંતાલીવાળા 67 ત્રિભવનદાસ 59 દશવૈકાલિક સત્ર 575 દેવકરણછ મુનિ પ૨૪ દઢપ્રહારી 232 કમક ભિખારી 113 દ્વિમુખમુનિ 421 ધામણુ મંદિર 123, 143, 147, 170, 221 નગતિમુનિ 421 નથુરામ શર્મા 902 નમિરાજર્ષિ 421, પર૯ નયસાર 871 નરશીભાઈ 1 નહાટા સાહેબ 74, 142 નંદન મણિયાર 44 નારદ ઋષિ 313 નેમિનાથ ભગવાન 260, 303 પરીક્ષિત પ૭૫ પાર્શ્વનાથ ભગવાન 172, 225 પુનશીભાઈ,૬૪૧, 888 પુંડરિક ગણધર 214 પૂણિયે શ્રાવક 366, 567, 823, 900, 951, 1013 બિલવમંગળ 556 બુલ મહાત્મા પ૨૯ બૃહદવ્યસંગ્રહ 642 બ્રહાદત્ત ચકવતી 181 ભગવતી આરાધના 603, 880, 883. ભરત ચકવતી 114, 190, 214, ૪ર૧, 231, 743, 1001 ભરતેશવૈભવ 972 ભર્તુહરિ 198 મણિલાલ વડવાવાળા 84 મણિભાઈ કલ્યાણજીનાં માતુશ્રી 148 મણિબહેન કલર મનક 575 મનસુખલાલ દેવશીભાઈ 129 મય સતી 696 મરુદેવી માતા 190, 850 મહાવીર સ્વામી 538, 561, 615, 871 માણેકજી શેઠ 263 માધવજી શેઠ 152 મિલટન 556 મીરાંબાઈ 1,178, 182, 198, 495, 513, 531, 831 મુંબઈ 119, 604, 991 મૃગાપુત્ર 479 મોક્ષમાર્ગ પ્રકાશ 114, 985 મોક્ષમાળા 476, 61, 654, 693, 748, 819 મોતીભાઈ નરસિંહભાઈ અમીન 259, 422 મેહનલાલજી મહારાજ 3, 56, 57, 58 ગદષ્ટિ સમુચય 144, 443 યોગવાસિષ્ઠ મહારામાયણ 483 રત્નરાજ 6, 84, 241, 649 રથનેમિ 303, 365 રયણુદેવી 238, 311 રાજુલ 303, 365 રામચંદ્ર 111, 313, 280, 480 લબ્ધિસાર 967 લાલન 154 વાસ્વામી 203 વટામણુમંદિર 167 Page #844 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ 3- વચનામૃત-વિવેચન વઢણી ડોશી 9 સગર ચકવતી 433 વણુગનટવર 451, 538 સદ્દગુરુપ્રસાદ 148, 160, 186, 378, 491 વસુમતી 960 સનતકુમાર ચાવતી 90, 181, 182, 906 વિચારસાગર 334, 389 સમાધિશતક 116 વીર હાકી કાવ્ય 408 સહજાનંદ સ્વામી 176 વિરે સાળવી 366 સંતબાલ 263 શામળભાઈ 683 સિકંદર 692 શારદાબહેન 91, 104 સીતા 280 શિવભૂતિ 979 સુખલાલ પંડિત 510 શિવાજી છત્રપતિ 157 સુધર્મધ્યાનપ્રદીપ 121 શીતલપ્રસાદજી બ્રહ્મચારી 154, 155, 324 સૂરદાસ 556 શુકદેવજી 575 સોભાગ્યભાઈ 98, 124, 331, 337, 415, 25, શુભચંદ્રાચાર્ય 198 (831, 882, 800 શ્રીકૃષ્ણ 366, 818, 848 હરિભદ્રાચાર્ય 144, 443, 575 શ્રીમદ્દ ભગવદ્દગીતા 222, 168 હરિવંશપુરાણ 578 શ્રીપાલ રાજ 696 હરિશ્ચંદ્ર 750, 877 શ્રેણિક મહારાજા 37, 195, 366, 50, 826 હેલન કેલર 55 28 પરિશિષ્ટ 3 વચનામૃત-વિવેચન વચનામૃત પગસુધા વિવેચનને વિષય એક પત્ર નં. 2-27 430 “જે તુ યુવાન હેય તે ઉદ્યમ અને બ્રહ્મચર્ય ભણી દષ્ટિ કર.' 2-34 “આજે કઈ કૃત્યને આરંભ...પ્રવેશ કર.” 2-35 પગ મૂક્તાં પાપ છે, જેમાં ઝેર..પ્રવેશ કર.'૧૫ 632 “વચનામૃત વીતરાગનાં..કાયરને પ્રતિકૂળ', 17-2 767 “પુપપાંખડી જ્યાં દુભાય જિનવરની ત્યાં નહીં આઝાય” 17-4 176, 179 “એક પળ વ્યર્થ છેવાથી એક ભવ હારી જવા જેવું છે.' 17-15 “નૃપચંદ્ર પ્રપંચ અનંત દહે.' 17-101 274 એક ભેદે નિયમ..પ્રવર્તક છે' (જુએ પ્રશ્ન ૪ને ઉત્તર) 19- 4 “આથમને વિનય જળવું. 19-654 દિવસે તેલ નાખું નહીં.' 411 પરાર્થ કરતાં વખતે કમી અંધાપે, બહેરાપણું અને મૂંગાપણું આપી દે છે.' 47 સાત પ્રકૃતિનું વિવેચન તે પુરુષને પ્રત્યે વધુ કામના આરંભમાં પણ સંભાર, સમીપે જ છે.' 13 જેવા ભાવથી પડાય તેવા ભાવથી કરી લે. 30 892 Page #845 -------------------------------------------------------------------------- ________________ 820 366 170 196 223 98 બાધામૃત–પત્રસુધી વચનામૃત પત્રસુધા વિવેચનને વિષય આંક પત્ર નં. 84 810 પ્રતિશતી', “પરિણામિક વિચારવાળો' “અનુત્તરવાસી'ના શબ્દાર્થ 128 715 “..નેપથ્યમાંથી ઉત્તર મળે છે. નેપથ્યને અર્થ 128 991 “અમુક કાળ સુધી શૂન્ય સિવાય કંઈ નથી જોઈતું.” 154 બીજાં સાધન બહુ કર્યા...' આદિ ત્રણે ગાથાઓનાં અર્થ 165 348 ભગવાન પરિપૂર્ણ સર્વગુણસંપન્ન કહેવાય છે, તથાપિ એમાંય અપલક્ષણ કંઈ ઓછાં નથી !' 166 764 છૂટવાની વાર્તાને આત્માથી ભણુકારો થયા કરે છે.' 170 430 આપને વિજ્ઞાપન છે કે વૃદ્ધમાંથી યુવાન થવું.” 841 કહેવાતા આધુનિક મુનિઓને સૂત્રાર્થ શ્રવણને પણ અનુકૂળ નથી.” 194 805 સસ્વરૂપને અભેદભાવે નમસ્કાર 47 બંધનનાં બે કારણે - સ્વછંદ અને પ્રતિબંધ 200 992 મેક્ષ થવા માટે પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા આરાધવી જોઈએ.' 124. પત્રને આશય વર્ણવેલ છે. 223 398 “પરમ મહાગ્યા ગોપાંગનાઓ'ને અર્થ 254 255, 402 “સત્પષમાં જ પરમેશ્વર બુદ્ધિ અને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે. એને પરમાર્થ 264 પ૬૧ ગાથા ૬-અચિંત્ય તુજ માહાત્મને.... ગાથા ૧૯-“અધમાધમ અધિકે પતિત...” 264 914 ગાયા 9 કાળદેષ કળિથી થયો...” 264 248, 550 ગાથા 11 “વચન-નયને યમ નહિ...? 266 જડભાવે જડ પરિણમે...' પદ વિષે ઉપદઘાતરૂપ અર્થ-કથન 272 “તે મહપુરુષનું ગમે તેવું આચરણ પણુ વંદન યોગ્ય જ છે...” 358 લૌકિક દૃષ્ટિ અને અલૌકિક દૃષ્ટિને અર્થ 388 168 “જા નિરા સર્વ ભૂતાનાં લેકને ભાવાર્થ 398 992 ઈશ્વરેચ્છાથી જે કંઈ પણ જીવોનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત હશે... અમથકી, એમ પણ અત્ર માનીએ છીએ. 431 147 બીજરૂચિ સમ્યકત્વને અર્થ 460 296 “જ્ઞાની પુરુષની આજ્ઞાને વિચારવી'ને અર્થ 470 130 “જ્ઞાની પુરુષ પ્રત્યે અભિનબુદ્ધિ થાય.” આખા પત્રનું વિવેચન છે. 73 યમનિયમાદિક સર્વ સાધનને આગ્રહ અપ્રધાન કરી સત્સંગને ગષો . 493 384 ત્રીજું પદ આત્મા કર્તા છે એનું વિવેચન 493 211 છઠ્ઠા પદનું વિવેચન -જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભક્તિનો વિશેષાર્થ 209 જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી. એ મકરાને વિશેષાર્થ 534 243 “અપરમાર્થને વિષે પરમાર્થને દઢ આગ્રહ થયે છે તેની પરમાર્ગદષ્ટિ ઉદય પ્રકાશતી નથી.” 537 148, 243 પત્રનું માહાભ્ય 359 491 493 Page #846 -------------------------------------------------------------------------- ________________ 655 642 પરિશિષ્ટ ૩-વચનામૃત-વિવેચન જનામૃત પત્રસુધા વિવેકાનને વિષય પત્ર નં. 537 672 “જીવ સમજે તે સહજ છે, નહીં તે અનંત ઉપાયે પણ નથી.' 539 253 “સર્વ જીવ આત્માપણે સમસ્વભાવી છે...તે પરિભ્રમણદશા ટળે છે.' 539 15e. સમજવા માટે હિંદી અવતરણ થી શુકદેવ પરમ થાય છે.' પ૭૨ 689 આશ્રયભક્તિ ને પરમાર્થ 593 593 યથાપ્રવૃત્તિકરણ સુધી જીવ અનંતીવાર આવ્યું છે.' 602 196 શ્રી જિને જે સ્વાધ્યાયકાળ કહ્યા છે તે યથાર્થ છે. તેને ખુલાસે 622 353 નિર્વસ પરિણામને અર્થ 622 જાગ્રતમાં જેમ જેમ ઉપયાગનું શુદ્ધપણું થાય. પરિક્ષીણપણે સંભવે.'' 144 “જ્ઞાની પુરુષને નિશ્ચય થઈ અંતર્ભેદ ન રહે તે આત્મપ્રાપ્તિ સાવ સુલભ છે.' “અંતર્ભેદને અર્થ 674 353 તે મહાત્મા વતે છે તે દેહને, ભૂમિને, ઘરને, માર્ગને, આસનાદિ સર્વને નમસ્કાર કર્યા છે તે શા માટે? 678 344 જ્ઞાનીની વાણી પૂર્વાપર અવિરાધને અર્થ 680 254, પત્રનું માહાત્મ્ય 692 625 પત્રનું માહાસ્ય 718 260 ગાથા 2-3 વિષે સામાન્ય કથન 718 992 ગાથા 16- પ્રત્યક્ષ સદ્દગુરયોગથી.” 718 ગાથા ૨૧-અસદ્દગુર એ વિનયને..” “મહામહનીયને અર્થ 718 522 ગાથા ૩૮-કષાયની ઉપશાંતતા. ત્યાં આત્માર્થ નિવાસ.'' 728 813 “મરણુકાળે શરણુસહિત છતાં ઘણું કરીને ફરી દેહ ધારણ...નિર્ભયપ વતે છે.' 738 837 ગાથા 10- “ભવ મેક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ છે.' 749 540 જ્ઞાનનું ફળ વિરતિ છે.' 781 1006 જગતના ભેગવિલાસને મૂંઝાવારૂપ જાળસમાન જ છે.વંદના કરે છે.' 821 “સંયમ પ્રથમ દિશાએ કાળકૂટ વિષની પેઠે મૂંઝવે છે.” 823 અવિષમભાવ વિના અમને પણ અબંધપણા માટે બીજો કોઈ અધિકાર નથી.' પત્રનું માહામ્ય 826 137 મુખ્ય અંતરાય હોય તો તે જીવને અનિશ્ચય છે. “આ જીવને ઉત્તાપને મૂળ હેતુ શું ?" 469 પત્રનું માહાસ્ય 876 જેને કાળ તે કિંકર થઈ રહ્યો' પદને અર્થ 901 258 “ગુરુ ગણધર ગુણધર અધિક..” ગાથાને અર્થ 917 596 પત્રને ભાવાર્થ 166 આબે બહુ સમદેશમાં..' ગાથાને 954 285, 291 “ઊપજે મોહ-વિકલ્પથી,' ગાથાને અર્થ 957-8 581 “આત્મા આ હશે ? તેમ થાય તે સમકિત મોહનીય અને આત્મા આ છે એમ (૫ષ્ઠ 709). સમજાય છે તે સમ્યકત્વ. તેમાં શું કરે છે? 275 808 827 182 843 54 Page #847 -------------------------------------------------------------------------- ________________ બેધામૃત-પત્રસુધા વિલનને વિષય વચનામૃત અવસુધા પત્ર ન. 842 957-9 (પૃષ્ઠ 713) હા. ન. 1/12 હા. ને. 1/14 “ચૌદ રાજલોક જાણે, પણ દેહમાં રહેલે આત્મા ને ઓળખે, માટે રખડયો.” હે જીવ કથા ઇછત હવે...' ગાથાને અર્થ હેત આસવા પરિસવા...” ગાથાને અર્થ 816 પરિશિષ્ટ 4 અન્ય ભાવાર્થ ૫થી શાને ભાવાર્થ છે? ૫ત્ર ને. 23 ૩ત્તમ વાત્મચિંતા વ્યાત ગાથાને અર્થ 31, 925 “ચિત્ત પ્રસને 2 પૂજન-ફળ કહ્યું..”ગાથાને અર્થ “આલંબનસાધન છે ત્યારે પરપરિણતિને ભાગે રે “મિતિ સહિ'...ગાથાને અર્થ 134 “તરણા ઓથે ડુંગર રે, ડુંગર કેઈ દેખે નહીં 137 પરબડી છાંયડી જે પડે, પરસમય તેહ નિવાસ રે 168 વા નિશા સર્વમતાનો...'ભગવદગીતાના લોકોને વિશેષાર્થ 171 રાજ રાજ સૌ કે કહે, વિરલા જાણે ભેદ' 176 જ્યાં જઈએ ત્યાં માટી, પાણી ને ઢેફાં (ઉપદેશામૃત પૃષ્ઠ 91) 176 જેના જ્ઞાને ન્યૂનતા, દેશે પણ નહીં હેય” (પ્રજ્ઞાવબોધ–૩૭) 226 એ પરપરિણતિ રંગથી, મુજને નાથ બચાવ રે દયાલરાય 258 આશ્ચર્ય સર્વ ધરતા પ્રભુ ઉર આવે.' (પ્રજ્ઞાવધ-૯૮) 263 “અવિસંવાદી નિમિત્ત છો રે જગતજd સુખકાજ' 296 “એક આત્મ-ઉપગમાં અહોરાત્ર આવવું.' (ઉપદેશામૃત પૃષ્ઠ 32) 310,649 ‘જે જે પુદગલ કરસના...' ગાથાને અર્થ 386 બાળધૂળિ ઘરલીલા સરખી.' ગાથાને અર્થ 401 અમિતગતિકૃત સામાયિક પાઠની કડીઓ 13, 22, 25, 26 ને અર્થ સંગ્રામ આ શૂરવીરને આ અપૂર્વ દીપાવજે.” “વીરહક'ની આ ગાથાને અર્થ 345 અગન વર્તન જિંતવન નવા માિ પ્રમ', 524 પરમાર્થદષ્ટિ શીખવે હણતું ન કેઈ કેાઈને...' ગાથાને અર્થ મને મં સ્મરણ કરતો.' (પ્રજ્ઞાવબોધ-૭૪). 632 જે બહાએ જગ તજી...' ગાથાને અર્થ “નમિ નમિ નમિ નમિ વીનવું.” સ્તવનની 1 થી 4 કડીને અથ અંશે હેય ઈહાં અવિનાશી...' ગાથાને અર્થ 733. સમાધિશતકની ગાથા 29, 102 ને ભાવાર્થ 550 Page #848 -------------------------------------------------------------------------- ________________ 274 પરિશિષ્ટ 5 પ્રશ્નોત્તર-સૂચિ ઉત્તર માટે જુઓ પગસુધા પત્ર નં 0 મરણ સમયે સામાન્ય મનુષ્યને ઘણી જ વેદના દેખવામાં આવે છે અને શાસ્ત્રોમાં પણ વર્ગના દેવોને સુધ્ધાં નરકના કરતાં વધારે વેદના અંત સમયે અનુભવાય છે તેનું શું કારણ હશે ? 20 * મરુદેવી માતા કેણ અને સાત તરત શું? 190 0 આ ભવ પૂર્ણ થયા પછી બીજા ભવે આ જ માર્ગની પ્રાપ્તિ તથા સશુરને વેગ મળે કે નહી ? 191 0 સમ્યદર્શન કેમ પ્રાપ્ત થાય? 195 0 થી શ્રેણિક મહારાજે એવું કર્યું કર્મ બાંધ્યું હતું કે તેમને પુરુષને યોગ થયા છતાં, સમ્યફદર્શન . થયા છતાં નરકે જવું પડયું ? 0 વિષયના નિમિત્તો વધારી કર્મ ખપે કે કેમ? 246 0 “સત્પરષમાં જ પરમેશ્વર બુદ્ધિ અને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે” તેને શો પરમાર્થ છે? 255 0 પરાભક્તિનાં નિમિત્તે પરમાત્મા પ્રાપ્ત થાય છે કે પરમાત્મા પ્રાપ્ત થવાથી પરાભક્તિ ઊગે છે? 261 0 (1) દરરોજ માળા ફેરવવી, ભક્તિ કરવી, યમનિયમ, સામાયિક વગેરે બોલવાથી શું થાય છે? (2) જ્ઞાન કોને કહેવાય? (3) મોક્ષ કોને કહેવાય? (4) આ દુનિયા કે રચી છે? આ બધું એમ જ કેમ થયા કરે છે? (5) માણસ મરી જાય છે તે કેવી રીતે અંદરથી આત્મા જતો રહે છે? કંઈ ખબર કેમ પડતી નથી? (6) અનુભવ કેમ થાય? 0 કેવી રીતે જીવ બંધાય છે? અને કેવી રીતે તે બંધન તૂટે? 0 જડથી ચેતન ઊપજે નહીં, છતાં શ્રી રામચંદ્રના ચરણકમળને સ્પર્શ થતાં શિલાની અહયા કેમ થઈ? 323 0 વિષય-કષાય, રાગદ્વેષ કેમ દૂર થાય ? 0 (1) આ જીવની વિષય-વાસનાની હાનિ કયારે થશે ? (2) સત્સંગને પૂર્ણ યુગ ક્યારે મળશે? (3) સંસારકાર્યની નિવૃત્તિ ક્યારે થશે ? (4) શ્રી પરમકૃપાળુદેવ પર અપૂર્વ સ્નેહ જાગ્રત કયારે થશે ? 0 પૈસા વાપરવા ભાવના હોય તે કેવાં શુભ કાર્યમાં વાપરવા? 0 પંચકેષથી ને કારણ-શરીરથી આત્મા જુદે છે તે તે ખરું છે કે કેમ? આપણુ કૃપાળુદેવના પુસ્તકમાં આમ છે કે કેમ? 0 જીવ સંકોચ-વિકાસને ભાજન છે એમ કેમ બને? 501 2 અગિયારમે ગુણસ્થાને આવેલ છવ પ્રમાદવશ પડી પહેલે ગુણસ્થાનકે આવી અનંતકાળ સુધી પરિભ્રમણ કરે અને એક વાર સમકિત પામેલો છવ વધારેમાં વધારે પંદર ભવ કરે તે કેમ ઘટે? પ૭૭ , દિગંબર સંઘમાં એમ જણાવે છે કે તીર્થકર જે સમયે દીક્ષા ગ્રહણ કરે તે જ સમયે શ્રી કેવળજ્ઞાન પામે, તે શ્રી ઋષભદેવ અને શ્રી મહાવીર સ્વામીને ઘણાં વર્ષ પુરુષાર્થ કર્યો કેવળજ્ઞાન થયું છે 635 0 ઉદાસીનતા અને વીતરાગતા એક જ છે કે ફેર છે? 638 0 તીર્થંકર પરમાત્મા જન્મથી જ આહાર લેતા નથી, તે પછી દેવોએ મોકલાવેલ આહાર કેમ લઈ શકે? 765 280 છે છે 389 તેનું કેમ ? Page #849 -------------------------------------------------------------------------- ________________ 767 871 882 બેધામૃત–પત્રસુધા 0 (1) રાત્રિભૂજન વિષે સક્ષમ ભેદે ? (2) સામાયિકને દે-સામાયિકમાં ઊંઘવું, આલંબનદેષ, નિદ્રાદેષ (3) સર્વ જીવની રક્ષા કરવી એમ કહ્યું છે ત્યાં ફૂલની પાંખડી પણ દુભાય તે દોષ છે, તે આપણે હાર કેમ ચઢાવાય છે? (4) અધરણીનું ઘણું માણસે નથી ખાતા તેનું કારણુ ધર્મની દષ્ટિએ શું? (5) સમ્યક્દષ્ટિ, સમ્યજ્ઞાન, સમ્યક્દર્શન અને સમ્મચારિત્ર એટલે શું ? (6) યત્ના એટલે શું ? (7) ધ્યાનમાં બેસીએ ત્યારે શી પ્રવૃત્તિ કરવી ? (8) પરિગ્રહને ત્યાગ એટલે શું ? 0 અઢાર પાપસ્થાનક વિષે કેમ વિચાર કરવા ? 768 0 દેહનું હલન-ચલન કયા કારણે થાય છે? 825 * ભગવાનની પ્રતિમા ચક્ષવાળી પૂજવી તે દ્રથમિથ્યાત્વ ખરું કે નહીં ? 853 0 શ્રમણ ભગવાન મહાવીરને નયસારના ભવમાં સમકિત થયા પછી ઘણા ભવ કેમ કરવા પડષા? પંદર ભવથી વધારે કેમ થયા? 0 સમાધિમરણ સમ્યક્દર્શન વિના થાય? 0 પૂર્વસ્ત્ર પ્રતિમા પૂજા’ એને અર્થ છે? 0 પૂર્ણ વીતરાગતા તે સર્વજ્ઞતા તે નહીં જ ને? 991 0 (1) “મેલ થવા માટે પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા આરાધવી જોઈએ.” (200) પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા - કોને કહેવી? અને અમારે વિષે તે શી રીતે સંભવે? (2) “પ્રત્યક્ષ સદગુરુગથી સ્વાદ તે રોકાય.” પ્રત્યક્ષ સદ્દગુરુને વેગ કોને કહેવો? અમારે વિષે તે શી રીતે સંભવે? તે ન હોય તે ૫છી સ્વછંદ શી રીતે રોકી શકાય? (3) સિહ ભગવાનને કઈ પણ પ્રકારને દેહ હેય? (4) પરમાર્થનું ક્ષીણપણું છે માટે વર્તમાન કાળને દુષમકાળ કહ્યો છે? કે દુષમકાળ છે માટે પરમાર્થનું ક્ષીણપણું છે? (5) પ્રારબ્ધ અને પુરુષાર્થને સંબંધ સવિસ્તર સમજાવશોજી. (6) “ઈશ્વરેચછાથી જે કંઈ પણ જીવનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સજિત હશે તે તે તેમ થશે, અને તે બીજેથી નહીં પણ અમ થકી એમ પણ અત્ર માનીએ છીએ.” (398) અંડર લાઈન કરેલા શબ્દ સમજવો. (7) આપણે માગીએ છીએ તે દા. ત. કર્મ જન્ય પાપની ક્ષમા”, “આપની પરમ ભક્તિ અને વિતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના', દુઃખ મેટ અંતરજામી' વગેરે મળે ખરું કે અનંતકાળથી જે કલ્યાણ થતું નથી તે અત્યારે કેમ થશે? (9) આયુષ્ય તુટી શકે? પછી બીજે કર્મોનું શું થાય? 925 શe Sલ કે સમાપ્ત છે Page #850 -------------------------------------------------------------------------- _