SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ પત્ર સુધા -=-= તત સત અનન્ય શરણના આપનાર એવા શ્રી સદૂગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર હે !! મુરબ્બી ભાઈ નરશીભાઈ મુ. બાંધણી ...બને તેટલું ટૂંકાણ કરીને હું વાત કહેવા માગું છું, પણ તે વાત ચોખ્ખી થાય માટે પહેલું થોડુંક એટલું કહી લઉં છું કે હું જે લખવા વિચાર રાખું છું તે ઘણુ વખત સુધી તેને વિચાર કરીને લખું છું અને તેમાં તમારું અને મારું બન્નેનું કલ્યાણ આખરે થાય તેવું લાગવાથી, તમને વાંચતાં કંટાળો આવે કે ખેદ થાય તે પણ ખુલ્લા દિલથી જેમ છે તેમ લખી જણાવવા વિચાર રાખે છે. દરેક માણસ સુખની આશા રાખે છે અને સુખ શોધે છે. પિતે માનેલા સુખમાં દરેક મગ્ન હોય છે તેથી બીજાને માટે આપણે વિચાર કરીએ તે સામા માણસને પૂરો સંતોષ આપે એ વિચાર વખતે ન પણ જણાય; પણ જે સારા ભાવથી જે કઈ કામ કરવા ઈચ્છતા હોય તે તેને ભાવ આપણને રુચે કે ન રુચે પણ તે સમજી શકાય તે ખરે. તેથી મારી વાત એ કે ન રુચે, પણ મારું દિલ સાફ રાખીને નિઃસ્વાર્થપણે મનમાં માયા કે કપટ રાખ્યા વગર વિચાર આપણું બન્ને માટે કર્યો છે. તે તમને પસંદ ન પડે તે પણ મારે હેતુ શુદ્ધ છે. સારા ભાવથી હું આ વાત કહેવા અને કરવા ઈચ્છું છું એટલું તે તમને પણ સમજાયા વગર નહીં રહે, એમ મને લાગે છે. મારી વાત તમને જણાવું છું તેટલી ધીરજથી તમારી વાત મારે સાંભળવી પણ છે અને બન્નેમાંથી જે સારી, ઉત્તમ વાત બન્નેના અંતરાત્મામાં બેસે તેને વિચાર કરી આગળ પગલું લેવું છે. આ કાગળ લખતાં કંઈ બનાવટી કે જેડી કાઢીને કશી વાત નથી કરવા ઈચ્છતે, પણ જે જે વાતે મેં જાતે અનુભવી છે તે ઉપરથી મારા વિચાર છેવટના તમારા આગળ મૂકવા વિચાર છે. તેમ છતાં તમને એમ લાગે કે મને કોઈની શિખામણથી કે ભેળવણીથી એ વિચાર આવ્યા છે, તે પણ એટલું તે માનજે કે મેં આ પત્રમાં લખેલી બાબતે માટે ઘણે વિચાર કર્યો છે અને ટૂંકામાં કહું તે આજ સુધી અભ્યાસ કરીને, દુનિયાને અનુભવ લઈને, ઘણા લેખકોએ પિતાને અનુભવ પુસ્તકમાં લખેલે તે સમજીને અને જીવતાજાગતા સંતપુરુષની દશા ગજા પ્રમાણે સમજીને, દહીં વલોવીને માખણ નીકળે તે જેમ કેરને પાળવાની મહેનતના ફળનું ટૂંકું રૂપ છે તેવું મને જે કંઈ સંસારમાં સમજાયું છે તે ટૂંકામાં આ પત્રમાં મારા જાતઅનુભવના કંઈક સાર જેવું તમારા આગળ તમારી આશિષ માટે રજૂ કરું છું, ભેટ ધરું છું અને તે દ્વારા તમારું ચિત્ત-આત્મા–સાચી વસ્તુ સમજીને તમારું અને મારું કલ્યાણ જે રસ્તે થાય તેને વિચાર કરે, અને મારી અંતરની ઈચ્છા સમજી તેમાં ખો • ૫. 3. પ. પૂ. પ્રભુશ્રીજીની સેવામાં કાયમ રહેવા માટે પૂશ્રી બ્રહ્મચારીજીએ પિતાના વડીલ બધુને તેમની અનુજ્ઞા મેળવવા આ પત્ર લખેલ છે.
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy