SearchBrowseAboutContactDonate
Page Preview
Page 600
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રા ૧૭૫ અનેક રહ્યા છે; પણ પુરુષાર્થ કરી જે આગળ આવી જાય છે તે સત્સુખ પ્રાપ્ત કરવા ભાગ્યશાળી અને છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૬૪૭ અગાસ, તા. ૧૭-૩-૪૬ “આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદયપ્રયાગ; અપૂર્વ વાણી, પરમશ્રુત, સદ્ગુરુ લક્ષણ યાગ્ય.'' ...શ્રી આત્મસિદ્ધિજી તમારા પત્રના છેલ્લા ભાગના ઉત્તર પ્રથમ લખું છું કે ઉપર જણાવેલી ગાથામાં જણાવેલ સદ્ગુરુનાં લક્ષણ મારામાં નથી. જ્ઞાનીપુરુષે કહેલી આજ્ઞા જે ભવથી તારે તેવી છે તે ચિઠ્ઠી આપનાર ચાકરની પેઠે મેં આપને જણાવી છે, પણ પરમપૂજ્ય પરમકૃપાળુદેવ જ સદ્ગુરુસ્વરૂપે ઉપાસવા યાગ્ય છે, એ મારા અ`તઃકરણની વાત આપે પૂછવાથી જણાવી છેજી. ખીજું, તે મહાપુરુષે સાત વ્યસનને ત્યાગ તત્ત્વજ્ઞાનમાં પૃષ્ઠ ૧૦૮ ઉપર જણાવ્યેા છે તેમાંથી જેને ત્યાગ તમારાથી અશક્તિને લીધે ન બન્યા હાય અને હવે તેવી શક્તિ પરમકૃપાળુ શ્રી સદ્ગુરુકૃપાએ જણાતી હોય તે તે ખાકી રાખેલ ત્યાગ બીજા બધા ત્યાગ કરતાં પ્રથમ કરવાની ભાવના નિશદિન ક બ્ય છેજી. તમારા જીવનમાં ફેરફાર થઈ ગયેલા તમે લખા છે તે સંભિવત છે. સદ્ગુરુકૃપાનું બળ અપૂર્વ છે. મૂંગા વાચા પામતા, પશુ ગિરિ ચઢી જાય; ગુરુકૃપા ખલ આર છે, અધ દેખતા થાય. જંગલમાં મંગલ અને, પાપી અને પવિત્ર; એ અચરજ નજરે તરે, મરણુ અને છે મિત્ર. અખંડ વિશ્વાસે વસું, સાચા શ્રી ગુરુરાજ; રડવડતા યમ રાખશે ? ખનું નહીં નારાજ. સમર્થ શ્રીમદ્ રાજચંદ્ર, હું અજ્ઞાની માળ; અચૂક આશ્રય આપને, પળ પળ લ્યા સભાળ.” બીજી બાબત ક્રોધ સબધી ઉપાયની છે. તેના અને સર્વ દેાષના નાશના ઉપાય મંત્ર છે. તેમાં વારવાર વૃત્તિ રહે, એકતાર તેમાં લક્ષ રહે, તેવી ભાવના કતવ્ય છેજી. તેમાં વિક્ષેપ કરનાર, વિન્ન કરનાર, ક્રોધ, માન, માયા, લાભ અને માહુ છેજી. તેમને શત્રુ જાણી, સંસારપરિભ્રમણનાં કારણ જાણી તેથી દૂર રહેવાની ભાવના તથા મેાક્ષની પરમ જિજ્ઞાસા જાગવાથી ક્રોધ આદૅિ મંદ પડવા સ'ભવ છે. ટૂંકામાં પરમગુરુ પ્રત્યે પ્રેમ જેમ જેમ વધશે તેમ તેમ તેમનું યથાર્થ એળખાણ થતાં ક્રોધાદિ મંદ પડી નિમૂળ નાશ પામી શકે છેજી. પર પ્રેમપ્રવાહ અઢે પ્રભુસેં, સમ આગમ (શાસ્ત્ર) ભેદ સુઉર ખર્ચે; વહુ કેવલા બીજ ગ્યાનિ કહે, નિજક અનુભૌ બતલાઈ ક્રિયે. માટે મહાત્મા શ્રીમદ્ રાજચંદ્ર પ્રત્યે દાષા જરૂર ઘટશેજી. ', ઉપકારબુદ્ધિ, પ્રેમ, બહુમાન વધશે તેમ તેમ ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy