SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રસુધા ૧૭૩ કરી નિશ્ચયની દઢતા વધારવાની આ જીવને અત્યંત જરૂર છે, નહીં તે આમ ને આમ વખત વહી જશે અને મરણ આવીને ઊભું રહેશે તે વખતે પ્રથમ પુરુષાર્થ કરવાનું નહીં બન્યું હેય તે અહિત થાય તેવા વિકલપમાં જીવ ગૂંચાઈ જઈ દુર્ગતિમાં સંકળાયા કરશે. તેમ ન બનવા મરણ આવ્યા પહેલાં ચેતી લેવાની વારંવાર જ્ઞાની ગુરુએ ભલામણ કરી છે, તે અમલમાં મૂકવા દાઝ છે તેથી ઘણી વધારવાની છે. આત્માની દયા ખાધી નથી, તે કામ ત્વરાથી હાથ ધરવા તત્પર થઈ જવા ગ્ય છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૭૮ અમાસ, તા. ૨૫-૧૦-૩૦ તત્ સત્ આ સુદ ૧૩, ગુરુ, ૧૯૯૫ દેહી– “પડ્યું જગત મુખ કાળને, કેડે મેર જનાર; ઘટીના ગાળે પડયા, દાણું લેટ થનાર. ધાણું ફૂટે તાવડે, ઘાણી તલ પિલાય; પ્રાણ એમ જ પળપળે, જાણી લ્યો મરી જાય.” “સુખ પીછે દુઃખ આતા હૈ, દુઃખ પીછે સુખ આત; આવત જાત અનુક્રમે, જયું જગમેં દિન રાત.” મંગળ-મૂળ સદ્ગુરુચરણ, મુજ મનમાં હો સ્થિર, વિધ્ર હવે નહિ હું ગણું, વસે હદયમાં વીર.” “જીવતાં જિનવર જવું, મૂએ મુક્તિ પાઉં, દોનું હાથે લાડવા, જે ભાવે સે ખાઉં.” છ – છ જેણે કામ, એક પરમાતમ-ભાવે, છો જેણે ક્રોધ, ક્ષમા ધરી સદૂભાવે; જીત્યું જેણે માન, મૃદુતા મન આણી, જીત્યું માયા – જોર, સરળતા સાચી જાણી. લભ છ સંતેષથી, મહા મેહ બધે હ એવા સંત સુજાણુને નમન હે, તારણ-તરણ આપણે.” દેહા – “સ્વર્ગ મૃત્યુ પાતાળમાં સપ્ત કપ નવ ખંડ, કર્મગ ખમવા પડે દેહ ધર્યાના દંડ; દેહ ધર્યાના દંડ તે રાય રંકને હોય, જ્ઞાની વેદે હૈર્યથી અજ્ઞાની વેદે રોય.” આજે કાગળ મળે તેમાં શેકકારક સમાચાર પૂ.ના દેહત્યાગના જાણી ધર્મપ્રેમને લઈને સર્વને ખેદ અને વૈરાગ્યનું કારણ બન્યું છે. કેઈ અજાણ્યા માણસ પણ આવા સમાચાર સાંભળી ખેદ પામે તે નિકટને સમાગમ અને જેને પિતાને આધાર માનવાને વ્યવહાર ઘણુ વખત સુધી સેવ્યું હોય તેને કેટલું દુઃખ થાય તે તેને અંતરાત્મા જાણી શકે કે પરમાત્મા જાણી શકે તેમ છતાં જે જીવને આવા અસાર સંસારમાં અનંતકાળથી જન્મમરણનાં દુઃખ
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy