SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રસુધા ૩૮૧ વિશેષાર્થ આ સંસારમાં અગત્યનાં ગણાતાં કામ, વ્યવહાર, કુટુંબ, ધન, સગાંનાં મેં રાખવાં, દેહની સંભાળ કે દેવલોકનાં સુખ અને આજીવિકા આદિની ચિંતાઓ-બધાં કામ નાનાં બાળકોની રમત જેવાં જ્ઞાનીને લાગે છે નિરર્થક સમજાય છે. પરંતુ આત્મહિત સિવાય કઈ કામ અગત્યનું લાગતું નથી. આત્માની મહત્તા એટલી બધી છે કે જે જે ચમત્કાર કે વૈભવે જગતમાં ગણાય છે તે આત્મવિભૂતિ આગળ તુચ્છ છે. જે જે કંઈ મહત્ત્વનું ગણાય છે તે આત્મસ્વરૂપની પૂર્ણતામાં આવી જાય છે. એવું કંઈ બાકી રહેતું નથી કે જેના વિના જ્ઞાની સુખી થઈ ન શકે. આવું અપૂર્વપદ પરમકૃપાળુદેવની કૃપાથી, તેની આજ્ઞા ઉઠાવવાથી પ્રાપ્ત થઈ શકે તેમ છે, તે તેને ઉપકાર રાતદિવસ સંભારવા ગ્ય છે. વિ. આપને પત્ર મળે. સમાચાર જાણ્યા. પરમાર્થના કામમાં પુરુષાર્થ કરે એ જ આ ભવનું મુખ્ય કર્તવ્ય છે એમ માની બીજાં કાર્યો પ્રત્યે વૈરાગ્ય રાખી ઊંચા મને, વેઠની પેઠે તે કરી છૂટવાં પણ તેમાં તન્મય થવા જેવું નથી. વ્યવહારના કાર્યોની મહત્તા માનીને જ જીવે જન્મમરણ ઊભાં કર્યા છે. દેહમાં ને દેહમાં જ બુદ્ધિ રહેવાથી દેહ મળ્યા કર્યા છે. હવે તે કોઈ પણ પ્રકારે આવા દેહરૂપી કેદખાનામાં ફરી ન પડવું પડે અને આવી પરાધીનતા, દુઃખદ સ્થિતિ ભવિષ્યમાં ભેગવવી ન પડે તેવું કાર્ય આ ભવમાં જરૂર કરી લેવું જ છે, એ દઢ નિશ્ચય મુમુક્ષુ જીવે વારંવાર વિચારીને કરી લેવો ઘટે છે. “યાદશી માવના થી સિદ્ધિર્મત તારી જેવી જેની ભાવના હોય છે તેથી તેને સિદ્ધિ (પ્રાપ્તિ થાય છે. ભૂખ લાગી હોય ત્યારે ખાવાની ઈચ્છા થાય છે, તે રસોઈ કરીને જમી લઈ ભૂખ મટાડે છે. રેગ થાય ત્યારે નીરોગી થવાની ભાવના થાય છે, તે દવાખાનામાં કે વૈદ્ય પાસે જઈ દવા લાવી, કડવી લાગે તે પણ આ મીંચીને ઉતારી જાય છે. એમ દવાના સેવનથી નીરોગીપણું પ્રાપ્ત કરે છે. પૂર્વે મનુષ્યભવ મળે તેવી ભાવના કરી હશે તેનું ફળ મનુષ્યપણું મળ્યું છે અને દુઃખ થાય તેવાં કાર્ય કર્યા હશે, કરાવ્યાં હશે કે કરનારને ભલાં જાણ્યાં હશે તે આ ભવમાં દુઃખના દિવસે દેખવા પડ્યા. તેવી જ રીતે જે આ ભવમાં આત્માની, મેક્ષની, મહાપુરુષની દશાની ભાવના જે જે પ્રકારે કરીશું તેવું ફળ વહેલું મોડું આવ્યા વિના નહીં રહે. માટે બેસતાં, ઊઠતાં, ખાતાં, પીતાં, પિતાના દેહાદિનાં કાર્યો કે કુટુંબ આદિનાં કાર્યો કરતાં પણ જે ઉદાસીનતા, વીતરાગતા, મુમુક્ષતા, દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય આદિ આત્મગુણોની ભાવના કરતા રહીશું, તે જરૂર ઉત્તમ ફળ પ્રાપ્ત થયા વિના નહીં રહે. માટે ખરેખરી કમાણી કરવાનું ચૂકીને નકામી વાતે, નાશવંત વસ્તુની ચિંતાઓ અને દુઃખનાં કારણોમાં બેટી થવાનું જેમ બને તેમ વહેલું તજી દઈ ઉપર જણાવી તેવી આત્મભાવના “હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ સ્ત્રી પુત્રાદિ કઈ પણ મારાં નથી, શુદ્ધચૈતન્ય સ્વરૂપ અવિનાશી એ હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષને ક્ષય થાય.” (૬૯૨) આવી પરમકૃપાળુદેવની આજ્ઞામાં ચિત્ત વાળવાથી, તેમાં સુખ માનવાથી, જગતની વાતે વિસારે પડશે અને જગતનાં સુખ અને દુઃખ બને દૂર થઈ આત્માના સુખ તરફ વૃત્તિ વળતાં પરમ શાંતિ પ્રાપ્ત થશે. એ જ કર્તવ્ય છેજી. ૩% શાંતિઃ શાંતિઃ શાંતિઃ
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy