SearchBrowseAboutContactDonate
Page Preview
Page 609
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૪ બેધામૃત ભાવના કાંઈક પલટાઈ ત્યારે આ ભવની સ`કુચિત ષ્ટિ છૂટી ભવાભવનાં દુઃખ અને ભવિષ્યમાં મેક્ષ નહીં થાય ત્યાં સુધીના પરિભ્રમણને વિચાર જાગ્યા અને તેની (સદ્ગુરુની) આજ્ઞા સિવાય ખીજો કોઈ તરવાના ઉપાય નથી એમ લાગ્યું ત્યારે તે આરાધવા ભણી જીવને ગરજ જાગી. પણ પૂર્વે અભ્યાસી મૂકેલી સ'જ્ઞાએ હજી જીવને હેરાન કરે છે. તેના તરફ કટાક્ષષ્ટિ રાખી, તેને દુશ્મન જાણી, આ શરીરને પણ ઝેર, ઝેર, ઝેર જેવું ગણી તેવાં બીજાં કેદખાનામાં ન પડવું પડે તે અર્થે આત્મભાવના' ક`વ્ય છેજી. શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવા નિગ્રંથમાગ ના સદાય આશ્રય રહેા. હું દેહાદિસ્વરૂપ નથી અને દેહ, સ્ત્રી, પુત્રાદિ કોઈ પણ મારાં નથી. શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવે! હું આત્મા છું એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનેા ક્ષય થાય.” (૬૯૨) આ અભ્યાસ વાર'વાર કરવા પરમકૃપાળુદેવની શિખામણ છે, તે લક્ષમાં રહ્યા કરે તેમ ક`વ્ય છેજી. જીભમાં કે ગળામાં કંઈ દુ:ખાવા થાય ત્યારે જેમ નછૂટકે ખેલે છે, ઇશારતથી ચલાવી લે છે, તેમ કર્મ બંધાય તેવાં નિમિત્તોમાં વિચારવાન જીવ ખેલતાં પહેલાં ડરે છે. રખેને મને કે સાંભળનારને કષાયની પ્રેરણા થાય અને બન્નેને ક`બંધનું કારણ થાય. માટે જ્યાં સુધી મનમાં શાંતભાવની ખાતરી ન થાય ત્યાં સુધી વચનને મુખમાંથી બહાર નીકળવા નથી દેવું એવા લક્ષ રહે કે પરમકૃપાળુદેવનું શરણુ સંભારી વચન ખેલવું છે એવા લક્ષ રહે તે જીવ અ‘કુશમાં રહે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ દાહરા - ૬૬૧ તત્ સત્ કેમ મુમુક્ષુતા ટકે, જો ઇચ્છા ના જાય; ડગલે ડગલે દુ:ખ છે, જો મન વશ ના થાય. અગાસ, તા. ૨-૬-૪૬ જેઠ સુદ ૩, રવિ, ૨૦૦૨ “આખા લેાક ત્રિવિધ તાપથી બન્યા કરે છે'' એમ પરમકૃપાળુદેવે કહ્યું છે તે જીવ વિચાર કરે તે સમજાય એવું છે અને આ કાળમાં તે જ્યાં જુએ ત્યાં પ્રત્યક્ષ દુઃખ, દુઃખ ને દુઃખ જ નજરે ચઢે છે. છતાં જીવને એ દુઃખમાં કે તેની પાછળ સુખ માનવાની ટેવ પડી ગઈ છે તેથી છૂટવાની ઇચ્છા થતી નથી. કોઈ મહાભાગ્યશાળીને સત્પુરુષના યાગ થયા હોય, તેના ઉપર અને તેનાં વચના ઉપર પરમ પ્રેમ થયેા હોય, શ્રદ્ધા ચાંટી હાય તેા તે તેવાં દુ:ખના ઘેરાવામાં પણ ઇચ્છા તેા ચાતક પક્ષીની પેઠે આકાશમાંથી પડતા પાણીની કરે પણ ગંગાજળ જેવું પવિત્ર ગણાતું હોય, અખૂટ પાણી હોય તેપણુ તેમાં ચાંચ સરખી ખેાળે નહીં. તેમ આ સ'સાર જેને પ્રિય ગણે છે એવા ધન આદિના લાભ થતા હોય, કીતિ વધતી હાય, રાજાનું માન મળતું હોય છતાં સ`સારમાં જણાતાં સુખ તેની દૃષ્ટિમાં અભાગ્ય સમજાય છે, તેનું મન ત્યાં ઘડીભર શાંતિ માનવા ઇચ્છતું નથી. “એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત્ દુઃખ તે સુખ નહીં.” જેની પાછળ દુઃખ આવે તેવાં સુખના વિશ્વાસ વિચારવાન જીવ કરતા નથી. અત્યારે આપણે નજરે જોઈ એ છીએ કે તમારા નગરમાં કેટલાય પૈસાદાર ગણાતા દેવાદાર થઈ ગયા, કેટલાય જુવાન યાદ્ધા જેવા રાગી થઈ ગયા, કેટલીય સૌભાગ્યવતી સ્ત્રીઓ વિધવા થઈ ગઈ; એમ અનેક અધૂરાં કામ મૂકી મરણ આવતાં ચાલ્યા જતા નજરે જોઈ એ છીએ. સગાંવહાલાં મરનારની
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy