SearchBrowseAboutContactDonate
Page Preview
Page 719
Loading...
Download File
Download File
Page Text
________________ બેધામૃત હિંમત હાલ જીવનપર્યત ત્યાગવાની ન ચાલતી હોય તે થેડે થડે બે-પાંચ વરસના ત્યાગને અખતરે કરી પછી હિંમત આવે ત્યારે જિંદગી પર્યત છોડવું હોય તો પણ બની શકે. ખાંડની ચાસણી મધને બદલે વપરાય છે અને લગભગ સરખે જ ગુણ કરે છે. તમારાથી ન જ પળી શકે તેમ લાગતું હોય તે, આગ્રહ કરે છે માટે પરાણે નિયમ લેવું પડશે એમ ન ધારશે. હિંમત રહેતી હોય તે આત્માને મહત્યાગથી ઘણું પાપના બોજામાંથી બચાવી શકાય એટલા માટે લખ્યું છે. જેટલે તમારાથી હાલ બને તેટલે ત્યાગ પૂ.ની રૂબરૂ પરમકૃપાળુદેવની સાક્ષીએ કરશે. હાલ માળા ફેરવવાને વખત મળે તેમ ન હોય તે ત્રણ પાઠ રોજ ભક્તિ કરવાને નિયમ લેશે તે પણ હરક્ત નથી. એકદમ ઉતાવળ કરી વધારે નિયમો લેવા અને પછી મને વખત નથી મળતું, મારાથી હવે નિત્યનિયમ નથી બનતે, એમ કરવાને વખત ન આવે; માટે પ્રથમ પિતાની શક્તિ પ્રમાણે નિયમ લેવા. નિયમ લીધા પછી પ્રાણત્યાગ જેવા પ્રસંગે પણ ચૂકવું નહીં. પરમકૃપાળુદેવને જ ગુરુ માનવા. તેને આપણે બધા શિષ્યો છીએ. જેનાથી આપણને ઉપકાર થાય તેને ઉપકાર માને પણ કેઈને પરમકૃપાળુતુલ્ય સદ્ગુરુ ન માની લેવા. આ શિખામણ લક્ષમાં વારંવાર રાખવા યોગ્ય છેજી. સ્મરણમંત્ર અત્યંત આત્મહિત કરનાર છે. એક સેકંડને પણ સદુપયોગ કરવાનું તે સાધન છે. પરમકૃપાળુદેવે જાણે છે તે આત્મા તે મંત્રમાં તેમણે જણાવ્યું છે. મને કંઈ આત્માનું ભાન નથી, પણ તે પ્રગટવા, તે પરમકૃપાળુદેવની આજ્ઞા ઉઠાવવા, તેના સાચા સિપાઈ થવાનું સદ્ભાગ્ય મને જે દિવસથી મળે તે દિવસથી મારો જન્મ થયે એમ માની, તે પરમગુરુ શ્રીમદ્ રાજચંદ્રની આજ્ઞા એ જ આપણું જીવન છે એમ માની, છેલ્લા શ્વાસોચ્છવાસ સુધી તે આરાધન કર્યા રહેવાનું છે. હાલ તે અમુક માળા રેજ ફેરવવાને નિયમ લેવો, પણ હરતાંફરતાં, દિવસે રાત્રે સૂતાં સૂતાં પણ તેમાં મન રાખી જીવન સફળ કરવા આ ધર્મ સ્વીકારું છું એ ભૂલશો નહીં. # શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૮૩પ અગાસ, તા. ૨૬-૫-૫૦ “નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા.”(૧૫) શું કરવા માટે હું આવ્યો છું? આ મનુષ્યભવ શા અર્થે ગાળવા ગ્ય છે, અને આપણા દિવસેને મોટો ભાગ શામાં વહ્યો જાય છે? તેને વિચાર કેઈ વિરલા જ કરે છે. બીજું કંઈ વિચારમાં ન આવે તે આટલું તે દરેકે હૃદયમાં નક્કી ધારણ કરી રાખવું ઘટે છે કે ગમે ત્યારે પણ જ્ઞાનીની આજ્ઞામાં જ એક્તાન થયા વિના પરમાર્થમાર્ગની પ્રાપ્તિ બહુ જ અસુલભ છે એમ પરમકૃપાળુદેવે જણાવ્યું છે, તે પ્રત્યે હવે મારે વિશેષ વિશેષ લક્ષ રાખવે છે. જતા દિવસેમાંથી અમુક કાળ જરૂર બચાવી આ આત્માને પરમ પુરુષનાં પરમ ઉપકારી આત્મહિતપ્રેરક વચનમાં તલ્લીનતા થાય, થેડી વાર જગતનું વિસ્મરણું થાય અને તે નિસ્પૃહી પુરુષે કરેલી આજ્ઞામાં લીન થવાય તે અભ્યાસ પાડવાની આવશ્યક્તા (જરૂર) છે. પરમાર્થનું પલ્લું નમે અને જગતના ભાવે તેણે બહુ ભવ સુધી સેવ્યા છે, તે પ્રત્યે
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy