SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ 0 2 92 2 00 0 2 & c). | સર્વ સુખનું મૂળ, સમાધિમરણનું કારણ અને મોક્ષનું કારણ સાચા શરણને મરણ જ સુધી ટકાવી રાખવું એ જ છે. (૫૫૪) તો D એક પરમકૃપાળુદેવની શ્રદ્ધા જ સુખકારી છે. જેને તે શ્રદ્ધા આવી તે દુઃખી હેત નથી, દુઃખ આવી પડે તે દુખ માનતો નથી. તેને એક પ્રકારને આધાર મળે છે. (૫૫૬) A D શ્રીમને જે કંઈ કહેવું છે તે “મોક્ષમાળા” અને “આત્મસિદ્ધિ માં કહી દીધું છે, પણ તેટલે વૈરાગ્ય જીવમાં જાગે અને કષાયનું બળ મંદ પડે તે તેવી વિશુદ્ધિએ તેમાં દર્શાવેલી અચિંત્ય સમૃદ્ધિ સમજાય તેમ છે. (૬૧૯) D વેદનકર્મ અઘાતી છે. તે સમજણને ફેરવવા સમર્થ નથી. પરંતુ દેહાધ્યાસ કે દર્શનમોહ ની વેદનાને મદદ કરે છે અને તેથી જીવને શરીરમાં તન્મયતા થતાં અસહ્ય ભાસે છે. (૭૩૩) D દેહાદિ પ્રત્યે જેટલે ઉદાસભાવ રહેશે અને વિષયોની ભીખ ટળી જેટલે સંતોષ અને સહનશીલતા વધશે તેટલી આત્મદશા પ્રગટ થશે. (૭૮૪) D ઠામ ઠામ અસત્સંગના પ્રસંગે આ કાળમાં બને છે, તેથી ઝાઝું સમજવાની ઈરછાએ અસત્સંગ ન ઉપાસ. કંઈ નહીં તે મંત્રની માળા ફેરવાશે તે તે પણ પુસ્તકની ગરજ સારે તેમ છે. માત્ર જીવને શ્રદ્ધાની જરૂર છે. (૮૧૨) D પરમકૃપાળુદેવમાં પરમ પ્રેમ પ્રગટે અને તેમનાં વચને અમૃતતુલ્ય લાગે તેમ સંસારપ્રેમ સંક્ષેપવા સત્સંગ સર્વનું મૂળ છે તેની ખામી તેટલી બધામાં ખામી. (૮૫૬) | ભેળવીને કર્મથી છૂટવાની વૃત્તિ ભૂલભરેલી છે. ભગવતાં સમભાવ રહે મહાદુર્ઘટ છે, તૃષ્ણ વધે છે અને કર્મ બળવાન થાય છે. માટે ભેગ પહેલાં, ભેગ વખતે અને પછીથી પશ્ચાત્તાપ ન ચુકાય એ જ ખરો પુરુષાર્થ કે વૈરાગ્ય છે. (૯૭૮). U જ્ઞાનીપુરુષનાં વચન ઘણાં વર્ષો પહેલાં લખાયેલાં હોય તે પણ અબઘડી આપણને પ્રત્યક્ષપણે ઉપકારી છેજ. મને ગમે છે માટે તે વચને સારાં છે એમ માનવા કરતાં, આત્મજ્ઞાન પૂર્વક લખાયેલાં તે વચને મારા જેવા અને લાકડીની ગરજ સારનારાં પરમ ઉપકારી કુલ ' છે એવી ભાવના, ઉપકારદષ્ટિ રાખવાથી તે વચને મોક્ષમાર્ગ દાતા બને છે. (૯૭૧) જેનું ફળ આત્મશાંતિ પ્રત્યેન હેય તે પુરુષાર્થ પ્રમાદરૂપ જ્ઞાની પુરુષે ગણે છે. (૯૮૨) D પરમકૃપાળુદેવ આ કાળમાં અપવાદરૂપ છે. હજારો વર્ષે તેવા પુરુષે દેખાવ દે છે છે ઘણુ ખરા મહાત્માઓ ગણાતા પરમકૃપાળુદેવના જ્ઞાન અને વીતરાગપણની સરખા- 0 મણીમાં આવી શકે તેવા નથી. માટે “એક મત આપડી ને ઊભે માર્ગે તાપડી”ની વાત જેવું આંખે મીંચી તેને શરણે રહેવાને પુરુષાર્થ કર્તવ્ય . (૯૨) જેની પાસે “શ્રીમદ્ રાજચંદ્ર” ગ્રંથ છે તેને ઘેર સમજણને ભંડાર છે, પણ જીવની યોગ્યતા પ્રમાણે તેમાંથી તે ગ્રહણ કરી શકે છે. (૧૦૦૨) 92, O2 છે. એ છે ક©O
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy