SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ બાધામૃત ધર્મકાર્યમાં કાઈ ના ભાગ નથી, કેાઈ લૂંટી લે તેમ નથી, મળી જાય કે નાશ થાય તેમ નથી. માટે કાળજી રાખીને જ્યાં સુધી રાગ આવ્યે નથી, વૃદ્ધાવસ્થાના દુઃખે દેખાવ દીધા નથી, અને સત્પુરુષાર્થ ખની શકે એમ છે ત્યાં સુધી આત્માનું હિત થાય તેવી વિચારણા, આચરણા, ભાવના કરી લેવા ચેાગ્ય છે. પછીથી પસ્તાવેા ન થાય તેવી રીતે જીવન ગાળવાની ટેવ પાડવા યેાગ્ય છે. નથી ધર્યાં દેહ વિષય વધારવા, નથી ધર્યાં દેહ પરિગ્રહ ધારવા.” (૧૫) કર દ્રવ્યદૃષ્ટિએઁ વસ્તુ સ્થિર, પાઁય અસ્થિર નિહાર; ઉપજત વિષ્ણુસત દેખકે, હર્ષ વિષાદ નિવાર.” અગાસ, તા. ૧૯-૨-૩૪ વેદની શાતારૂપ હા કે અશાતારૂપ હા પણુ અને શરીરના ધર્મ છે અને ખાંધેલાં કમાનું ફળ છે, પરંતુ નવાં તેવાં કર્મ ન બંધાય તે માટે હવે જીવે. પુરુષાર્થ કરવા ઘટે છે કેમ કે ઉદય આવેલાં કર્મ તે ચક્રવર્તી, ઇન્દ્ર કે તીર્થંકર જેવાને પણ ભાગવવાં પડે છે. આપણે ભાગવ્યા વિના કેવી રીતે છૂટીએ? પણ જેણે સત્પુરુષ પાસે બેષ સાંભળ્યેા છે, સત્પુરુષ ઉપર શ્રદ્ધા જેને થઈ છે અને સત્પુરુષની આજ્ઞામાં જ વર્તવાના જેને ભાવ છે તેણે આવા પ્રસંગે આર્દ્રધ્યાન ન થાય અને બને તેટલાં સમતા, સહનશીલતા, ધીરજ અને શાંતિવાળાં પરિણામ રાખવા પુરુષાર્થ કર્તવ્ય છે. દેહના સ્વભાવ સડવા, પડવા અને વિષ્ણુસવાના છે અને આખરે તે દશે। દેનાર છે, એમ જાણી નાશવાન શરીરના કરતાં અવિનાશી આત્મા જે સત્પુરુષે જાણ્યા છે તેને વિશેષ સંભારી તેની કાળજી તેના લક્ષ વારંવાર લેવા યેાગ્ય છે. સત્સંગ સમાગમે જે મેધ થયેા હાય, જે આજ્ઞા થઈ હાય, સ્મરણ, ભક્તિના વીસ દોહરા, ક્ષમાપનાના પાઠ વગેરે સુખપાઠ કર્યું. હાય તેમાં ચિત્ત વિશેષ રાખવાના અભ્યાસ રાખીએ તે મનને દેહાર્દિની કલ્પનામાંથી છૂટી ખીજું કામ કરવું પડે, તેથી ઘણેા લાભ થાય. જીવે સામાન્ય કરી નાખ્યું છે, નહીં તે સત્પુરુષનું એક વચન પણ સાચા અંતઃકરણુથી માન્ય થાય તેા કલ્યાણ થઈ જાય તેવું છે, પણ અનિત્ય પદાર્થીના મેહ આડે રત્નચિંતામણિ જેવાં સત્પુરુષનાં વચનાનું માહાત્મ્ય લાગતું નથી. મરતી વખતે સ્મરણુ કાનમાં પડતાં ઘણાની ગતિ સારી થઈ ગઈ છે એમ આપણે સાંભળ્યું છે, માનીએ છીએ; પણ “ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે અહા રાચી રહે?”” એમ પરમકૃપાળુદેવે પરમકૃપા કરી જણાવ્યું છે તે આપણુને વારંવાર પળે પળે સાંભરતું નથી એ આપણી યેાગ્યતાની ખામી છે. ક્ષણે ક્ષણે જીવ વિભાવમાં વર્તીને મરી રહ્યો છે, તે વખતે મહાપુરુષનાં વચન સ્મૃતિમાં આવે તે કેવા લાભ થાય? પણ કલ્યાણ કરવાના સાચા ભાવ જાગૃત થયા નથી. નહીં ત અમૂલ્ય તથા દેવને પણ દુર્તંભ એવા આ મનુષ્યદેહ, ઉત્તમ કુળ, સત્સંગના ચૈાગ, સાધ વગેરે ઉત્તમ સામગ્રી મળેલી ક્ષણે ક્ષણે વહી જતી જોઈ જીવને ત્રાસ કેમ ન લાગે? આવા લાગ કરાડા ભવમાં પૂર્વે અન્યા નથી, નહીં તે પરિભ્રમણુ હાત નહીં. તેથી આ ઉત્તમ વેપાર કરવાના વખત ચૂકવા ચેાગ્ય નથી, ૐ શાંતિ: શાંતિ: શાંતિ:
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy