SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૮ બેધામૃત પરમકૃપાળુદેવને શરણે જે થાય તે જોયા કરવા જેવું છે. મૃગાપુત્રનું દષ્ટાંત “ભાવનાબોધ'માંથી વારંવાર વાંચી સંસાર પ્રત્યે વૈરાગ્યભાવ અને મોક્ષમાર્ગ – જ્ઞાનીની આજ્ઞા – પ્રત્યે પ્રેમભાવ વર્ધમાન થાય તેવી વૃત્તિ વધારતા રહેવા વિનંતી છે. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ - ૪૮૦ અગાસ, તા. ૬-૩-૪૪ તત સત્ “શું પ્રાચીન પૂર્વજ સંભારું, આંખે આંસુ આવે, વીર! શી હિમ્મત એના હૈયાની, રે! શા એનાં નૌતમ નીર! હાય! હાય! આ ગતિ થઈ શી ! હાય! હાય! શે કાળો કેર ! રાય હૃદય ફાટે છે હર ! હર ! (નથી જોવાતી આવી પર)”– શ્રીમદ્ રાજચંદ્ર ઊપજે મેહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવેલેકતાં, વિલય થતા નહિ વાર.” (લ્પ૪) આપને પત્ર આવ્યા તે વાંચી સમાચાર જાણ્યા છે. દિવસ પછી રાત અને રાત પછી દિવસ આવે છે તેમ સુખની પાછળ દુઃખ અને દુઃખની પાછળ સુખ આવ્યા કરે છે તેને સમજુ છ સમભાવે સહન કરે છેજ. જેને સત્સંગને વેગ આ ભવમાં થયેલ હોય અને પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુની ભક્તિમાં પ્રેમ ના હોય તેવા જીવે એક પ્રકારે અંતરમાં ઊંડી શાંતિ રાખવી ઘટે છે કે મારા આત્માનું કલ્યાણ થાય અને મારા આત્માની રક્ષા કરે તે ધગધણી, આ ભવમાં ભક્તિ કરવા ગ્ય પરમાત્મસ્વરૂપ સાચો પતિ મને મળે છે. આ દેહનું તે પુણ્ય કે પાપ પૂર્વે બાંધ્યાં છે તેને અનુસાર થવું હોય તેમ થાઓ, પણું મારા આત્માને તેથી ક્લેશિત કરે ઘટતું નથી, પણ મારે મારા આત્માને ઉદ્ધાર કરનારની શોધ કરવાની તે રહી નથી પણ તેની આજ્ઞા ઉઠાવવાની દાઝ વધે અને સંસારની ફિકર કરતાં આત્માની કાળજી અનંતગણું રાખવાની છે એ વાત મારા હૃદયમાં ઘર કરે તેવી સમજણની જરૂર છે. તે પરમકૃપાળુદેવની ભક્તિથી અને તેના ગબળે બની આવશે એટલી શ્રદ્ધા રાખી બને તેટલી ભક્તિ ભાવપૂર્વક કરતા રહેવા વિનંતી છે જી. વખત વધારે ન મળે તેને માટે ખેદ કર્તવ્ય નથી, કે અહીં આવી ન શકાય તેવી પરાધીનતાને માટે પણ બહુ ચિંતા કરવા ગ્ય નથી. પણ જેટલે વખત ભક્તિમાં ગાળવાનો લાગ મળે તેટલે વખત એકનિષ્ઠા અને કલાસમાં જાય તેમ કરતા રહેવા વિનંતી છે.જી. રામ, પાંડવો અને ગજસુકુમાર જેવા રાજવંશીઓને માથે અસહ્ય આપત્તિ આવી પડી છે તે આપણુ જેવા હીન પુણ્યને સંકટો આવે તેમાં નવાઈ નથી. પણ તેમણે ધીરજ રાખી ભારે દુઃખમાં પણ આત્મહિત ન વિચાર્યું તેવી ધીરજ અને ધર્મભાવ આપણને વધે અને મરણકાળ સુધી ટકી રહો એવી ભાવના કર્તવ્ય છે). પરમકૃપાળુદેવે એક મુનિને કહેલું: “તમે અમારી આજ્ઞા ઉઠાવશો તે ગમે ત્યાં મરણ પછી ગયા હશે તો પણ તમને પકડી લાવીશું.” આવી
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy