SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ બેધામૃત | ઉન્માદ ને આળસ છેડ જોડે, આજ્ઞા વિષે ચિત્ત સમાન ઘડે, જો વ્યર્થ કાર્યો પળ એક ખેશે, હારી જશે હા! ભવ સર્વ, રેશે. (પ્રજ્ઞાવબોધ ૮). આપને પત્ર મળે, લખેલા સમાચાર જાણ્યા. અજ્ઞાનદશામાં તે પુદ્ગલનાં લાભહાનિથી હર્ષશેક કરવાને જીવે અભ્યાસ કરી મૂક્યો છે એટલે તેવા પ્રસંગે વિષમતા વિશેષ દેખાય તેમાં નવાઈ નથી. પરંતુ જે મહા ભાગ્યશાળી જેને સંસારમાં પ્રવેશતા પહેલાં સપુરુષનાં દર્શન થયાં છે, તે મહાપુરુષને બેધ સાંભળે છે, છે અને તેની ઉપાસના કરવા અને મેક્ષ–મહેલ પર ચઢવા જેનું જુવાન લેહી ઊછળી રહ્યું છે, તેવા સપુરુષના આશ્રિતને તેવા પ્રસંગોમાં “આત્માથી સૌ હીન” એ લક્ષ ન ચુકાય. અમદાવાદ અને મુંબઈમાં હાલ એકાએક ખૂન થયાં જાય છે તેવા પ્રસંગમાં પૂર્વ કર્મના ગે સપડાઈ જતાં પણ તેને પરને દોષ ન ભાસે પણ પિતાનાં કરેલાં કર્મને આ ઉદય આવ્યું છે તે મારે ભોગવ્યે જ છૂટકે એમ વિચારી પ્રાણ લેનાર પ્રત્યે પણ વેર ન રાખે, પણ મારા કર્મો છોડાવવા તે આવ્યું છે એવી દષ્ટિ રાખી, જેમ પિતાના આત્માનું હિત સપુરુષના શરણે દેહ છોડવામાં છે તેમ તે મારનારને પણ તે મહાજ્ઞાની પુરુષનું શરણું મરણ વખતે હેજે અને તેને આત્માનું પણ કલ્યાણ થાએ એવી ભાવના સપુરુષના સાચા આશ્રિતને ઘટે છેજી. કેઈ ચાર અન્યાયીને પૂર્વ કર્મના ઉદયે વેગ મળી આવ્યો અને જે વસ્તુની સાથે આપણે સંબંધ મરતા પહેલાં પૂરા થવાને હતે તે વસ્તુ લઈ જવામાં તેના પુણ્ય-ઉદયે મદદ કરી અને તે તેમાં સફળ થયે, તે મને મોહમાં ઘેરી રાખનાર વસ્તુથી મુકાવનાર તે ભાઈને ઉપકાર માની, તેવા પાપનાં કાર્યોમાં તેની બુદ્ધિ હવે ન પ્રવર્તી અને સપુરુષનું શરણ તેને મનુષ્યભવમાં મળે કે જેથી ચોરીના વ્યસનને ત્યાગ કરવાનું અને આત્મહિત કરવાનું તેને સૂઝે એવી ભાવના મારે ભાવવી ઘટે છે. કોઈ પણ પ્રકારે આપણે આપણા ભાવ મલિન ન થાય તેમ વર્તવાની બળપૂર્વક કાળજી રાખવી ગ્ય છે. - સહજ-સમાધિની ભાવના મુમુક્ષુ છે વારંવાર કરે છે, તે એવા પ્રકારની હોય છે કે હે ભગવાન! એ જ્યારે દિવસ આવશે કે જ્યારે મને આત્માને આનંદ અનુભવાશે? એ આત્માને આનંદ, લાખ રૂપિયાની ખેટ વેપારમાં જાય તે પણ લૂંટાઈ જતું નથી અને લાખો રૂપિયાને લાભ થાય તે પણ તે આનંદ બાહ્ય કારણથી વધતું નથી. માત્ર આત્મભાવનાને આધારે પ્રાપ્ત થતે આનંદ આત્મપરિણામમાં ઉલાસ વધતાં વધે છે અને આત્મભાવનામાં વિશ્વ નડતાં હાનિ પામે છે. તે આત્મનિર્મળતા દિન દિન વધતી જાય અને આત્મિક આનંદ અખંડિતપણે અનુભવાતે જાય તેવી દશાની વારંવાર ભાવના કર્તવ્ય છે. # શાંતિઃ શાંતિઃ શાંતિઃ ર૮૮ અગાસ, અષાઢ સુદ ૪, શનિ, ૧૯૯૭ ઇનવજા- ટીપું કે કેટલ વાર ઘાસે? વાથી ખરી જાય, સુકાઈ જાશે; તેવું જ વિઘોથી જૈવિત તૂટે, માટે મુમુક્ષુ ખૂબ લાભ લૂટે. ક્યાંથી મળે માનવજન્મ આવે? માટે મળેલી તક ના ગુમાવે, જુવાન ચાલી જતેં આ જણાય, ઉતાવળે આવી રહી જાય.
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy