SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૫ પત્રસુધા પેગ બને છે, માટે સર્વસંગત્યાગગ બનતાં સુધીમાં ગૃહસ્થવાસે સ્થિતિ હોય ત્યાં પર્યત તે પ્રવૃત્તિ, નીતિસહ, કંઈ પણ જાળવી લઈને પરમાર્થમાં ઉત્સાહ સહિત પ્રવર્તી વિશુદ્ધિ સ્થાનક નિત્ય અભ્યાસમાં રહેવું એ જ કર્તવ્ય છે.” (૭૭૮) “ગેવાધિષ્ઠાત્તે મા છે જાવન ” % શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૪૭૫ અગાસ, તા. ૨૦-૨-૪૪ બધા ભાવપૂર્વક ભક્તિ કરે છે તે જાણી સંતોષ થયે છેજી. વિકટ પ્રસંગમાં વર્તવાનું છે તે પુરુષાર્થ પણ વિકટ નહીં કરીએ તે વર્તમાન યુગમાં સહજ કર્મબંધના કારણે ઉપસ્થિત થાય છે તેમાં તણાઈ જવું બને તેવું છે, તે તે ઉપગ રાખવા ભલામણ છેજી. “ઉપયોગ એ જ સાધના છે.” (૩૭) ४७६ અગાસ, તા. ૨૦-૨-૪૪ તત્ કે, સત્ મહા વદ ૧૪, બુધ, ૨૦૦૦ દોહરો– આત્મા શુદ્ધ જ જાણિ, અશુચિ શરરથી ભિન્ન તે શાસ્ત્રો સૌ જાણિયા, શાશ્વત સુખે લીન મોક્ષમાળાના વાચનથી ઘણું જાણવાનું શીખવાનું તથા સદ્ભાવમાં પ્રેરાવાનું બનશેજી. સત્સંગના વિયેગમાં પરમકૃપાળુ દેવના વચને અને ભક્તિભાવ, સ્મરણ વગેરેની આજ્ઞા મળી છે તે આધારરૂપ છે. નિત્યનિયમ અખંડપણે પાળવા ગ્ય છે. કષાયની મંદતા થયે, દેહદષ્ટિ દૂર થવા સૂક્ષ્મ વિચારથી પુરુષની દશા સમજવા વિશેષ વિશેષ પુરુષાર્થ કર્તવ્ય છે. જેમ જેમ સદ્ગુરુના અચિંત્ય માહાભ્યને પ્રફુલ્લિત ભાવ સ્ફરશે તેમ તેમ આપણે દશા પણ વધતી જશે. સદ્દગુરુની ભક્તિ એ સર્વોત્તમ ઉપાય છે. | # શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૪૭૭ અગાસ, તા. ૨૧-૨-૪૪ તત્ ૐ સત્ ઉપજાતિ – “સર્વને ધર્મ સુશર્ણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી; અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કોઈ ન બાંહ્ય હશે.” આપનું કાર્ડ મળ્યું. છેલ્લે “મારાં પૂ. માતુશ્રી એલી અવસ્થા ભેગવે છે” વગેરે લખ્યું તે વાંચી પત્ર તુર્ત લખવા વૃત્તિ રહેલી પણ નિવૃત્તિના અભાવે વિલંબ થયો છે તે ક્ષમાગ્ય છેજ. મનુષ્યભવમાં અનેક જીવોની સાથે પ્રયજન પડે છે તેમાં માતપિતાને ઉપકાર સર્વોપરી સંસારસંબંધી ઉપકારમાં ગણાય છે. તેમનું ત્રણ કઈ રીતે વાળી શકાય એમ નથી. માત્ર તેમને ધર્મમાર્ગમાં સ્થિર કરવામાં કે અંતિમ સેવામાં પિતાનું બનતું કરવાથી કંઈ અંશે તે જણ પડે છે એમ જ્ઞાની પાસેથી સાંભળ્યું છેજી. તેમની આશિષ પણ જીવને શાંતિદાયક અને શ્રેયનું કારણ છે છે. માટે બીજાં બધાં કામ કરતાં માતાની સેવામાં તેમને પરમકૃપાળદેવનાં વચનનું પાન કરાવવામાં, પરમકૃપાળુદેવના અચિંત્ય માહાભ્યનું બને તેટલું વર્ણન કરવામાં, તે મહાપ્રભુ આ કાળમાં આપણું તરણતારણ છે, તે જ “ગ્રહો પ્રભુછ હાથ” “ચરણ તળે
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy