SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭૮ બેધામૃત અને જમણવાર થાય તે બધા જે આવે તે જમી જાય. પણ તે દિવસે મરણતિથિએ જમણ થાય? એમ પિતે પ્રશ્ન ઉઠાવ્યા. પિતે જ જવાબ વાળે કે તે જન્મતિથિ કે મરણતિથિ નહીં પણ આત્માની તિથિ ગણવી. એટલે જમણુ કરવામાં કંઈ બાધ નથી. તે એક દિવસે આત્મસિદ્ધિની ભક્તિ જે કરશે તેને હજાર ઉપવાસનું ફળ થાય તેટલે લાભ થશે. તેમાં પિસહ, જપ, તપ, સંજમ બધું આવી જાય છે.” આવાં વખાણ જે તિથિનાં પિત કર્યા છે, તે તિથિએ સર્વ ભાઈબહેને મોક્ષની ઈરછાથી તકલીફ વેઠીને એકઠાં થયાં છે તે તે દિવસે ઉલ્લાસભાવે આત્મસિદ્ધિશાની ભક્તિમાં આત્માને લીન કરવા ભલામણ છે. સંસારી વાસનાઓ એક દિવસ દૂર કરી, આત્મા અનાદિકાળથી અનાત્મ (જડ) વસ્તુઓમાં રાચી રહ્યો છે, તેને સદ્દગુરુની આજ્ઞારૂપ ભક્તિરંગમાં રંગાય અને ભક્તિની ભૂખ ઊઘડે તેવી રીતે તેની તે વાતમાં રાતદિવસ ગળાય તેમ વર્તશે તે ઉપર જણાવેલું ફળ, હજારો ઉપવાસ કરતાં ચઢી જાય તે લાભ લેવા જોગ આવે છે તે સફળ થશે. દેવ જેમ સ્વર્ગનાં સુખ છોડીને તીર્થકર આદિ પાસે કે નંદીશ્વર દ્વીપ વગેરે પવિત્ર સ્થળમાં ભક્તિ માટે એકઠા થઈ ઉત્સવ ઊજવે છે તે વેગ આજે આવ્યું છે. તે પરમ પાવનકારી ગંગામાં ડૂબકી મારી પવિત્ર થઈ જીવન પલટાવવા, સદાય તેની ખુમારી ટકાવવા, ન જ જન્મ જાણે મળ્યા હોય તેમ નવજુવાન થઈ આત્માના કાર્યમાં મચ્યા રહેવા વિનંતી છેજ. ઘેર ઘેર સંપ, સત્સંગની જરૂર, મુમુક્ષુ ભાઈબહેને પ્રત્યે ઉલ્લાસ, સેવા, વિનય, ભક્તિ, મૈત્રીભાવ ઊછળતાં રહે અને કેઈનો દોષ નજરે ન ચઢે પણ સંસારીભાવ, પહેલાંના અણુબનાવ ભૂલી જવાય અને નવા રાજા ને નવી પ્રજા જેવું નવજીવન સઘળે ફેલાય, દે ઘટી ગુણો ખીલી નીકળે તેમ વર્તવા વિનંતી છે. છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૨૭૧ અગાસ, તા. ૧-૫-૪૧ તત છે. સત વૈશાખ સુદ ૫, ગુરુ, ૧૯૯૭ પૂ.ની ઉત્કંઠા મંત્રસ્મરણની છે તે પરમકૃપાળુદેવની સાક્ષીએ, નમસ્કાર ન થાય તે ચિત્રપટના હાથ જોડી દર્શન કરી ભાવના કરે કે હે પ્રભુ! આપની આજ્ઞાથી “સહજાત્મસ્વરૂપ પરમગુરુ મંત્રનું મારા આત્માના ઉદ્ધારને અર્થે આરાધન કરીશ. ભક્તિ કરીને બીજી કશી સંસારી વાસના પિષવાની ભાવના ન રાખવી. લેકે દીકરા માટે, ધન માટે કે દેવકનાં સુખ માટે ધર્મ કરે છે કે મંત્ર જપે છે, તેમ ન કરતાં જન્મમરણ ટાળવા અને મોક્ષ થાય તેટલા માટે જે આ મંત્ર પરમકૃપાળુદેવની કૃપાથી મને મળે છે, તે જે તે નથી. જ્ઞાની પુરુષે આત્મા જે જાણ્યું છે, અનુભવ્યું છે, અને કહ્યો છે તે આત્મા મારે માને છે, તે આત્મા જણાવવા આ મંત્ર પરમ પુરુષે યે છે તે આત્માર્થે જ હું તેને જગ્યા કરીશ. જે જ્ઞાની પુરુષે માન્યું છે, તે બધુંય મારે માનવું છે મારું માનેલું બધું ઊંધું છે, તે સવળું કરવા આ મંત્રમાં હું ભાવ રાખું છું. જેમ કે કૂવામાં પડી ગયા હોય અને તેને તરતાં આવડતું ન હોય છતાં દેરડું હાથમાં આવી જાય તે પછી તે ડૂબે નહીં, દોરડે દેરડે બહાર નીકળી શકે તેમ આ મંત્ર જ્ઞાનીની આજ્ઞાથી મળેલે મારો ઉદ્ધાર કરનાર છે એટલે વિશ્વાસ રાખી બને તેટલી વાર
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy