SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ આધામૃત ७२ ' आणाए धम्मो आणाए तवो ' “આજ્ઞાનું આરાધન એ જ ધર્મ, આજ્ઞાનું આરાધન એ જ તપ.” આપે પ. પૂ. પ્રભુશ્રીજીના ચિત્રપટ મગાયે તે સંબંધમાં જણાવવાનું કે કોઈને હવે પાતાના ચિત્રપટ આપતા નથી. કેટલાયની પાસેથી પાછા પણ લઈ લીધા છે. વારંવાર તેઓશ્રી ઉપદેશમાં જણાવે છે કે પરમકૃપાળુ દેવની ભક્તિ અમે કરીએ છીએ અને તમને પણ તે જ બતાવીએ છીએ. તેમાં સર્વે જ્ઞાની પુરુષા આવી જાય છે, કેાઈ બહાર રહી જતા નથી. આપણી બુદ્ધિથી આ જ્ઞાની પુરુષ છે એમ માની લેવા કરતાં આપણે સંતના કહેવાથી તેમની આજ્ઞાએ તે બતાવે તે પ્રમાણે જ્ઞાની પુરુષની માન્યતા કરીએ તે તેમાં ઘણા લાભ છે. કારણ કે આપણે આપણી મતિકલ્પનાએ માનીએ તે સ્વચ્છંદ છે અને સંતના કહેવાથી માનીએ તે। આજ્ઞા પ્રમાણે વર્તતાં સ્વછંદ રેકાય અને કલ્યાણ થાય. તમે વારંવાર આ વાત ઉપદેશમાં સાંભળી પણ હશે, પણ વિસ્તૃત થઈ ગઈ હાય તા ફરી યાદ દેવરાવવા આ લખ્યું છે તે વિચાર કરી પરમકૃપાળુ દેવની ભક્તિમાં સાચા અંતઃકરણથી લીન થઈ તેના વચનમાં વિશ્વાસ રાખી વર્તવાથી સમકિતનું કારણ અને તેવા ઉત્તમ માર્ગ હાથ આવ્યે છે તે આપણાં મહાન ભાગ્ય છે. પ્રમાદમાં પડી રહેવા ચેાગ્ય નથી. જ્યાં સુધી શરીર નીરોગી છે, વૃદ્ધાવસ્થા આવી નથી, આ મનુષ્યભવ પૂર્વના પુણ્યથી ટકી રહ્યો છે ત્યાં સુધી પરમકૃપાળુ દેવની ભક્તિ નિષ્કામપણે સ્વચ્છંદ રાકીને કર્તવ્ય છેજી. ૐ શાંતિ: શાંતિ: શાંતિ: ૨ આજી, તા. ૧-૪-૩૫ 93 આજી, તા. ૧૫-૩૫ આપે . સ્વપ્ન સંબંધી પુછાવ્યું તે વિષે સત્તમાગમે સમજવા યાગ્ય છેજી. પરમપુરુષાના એધ જીવનું કલ્યાણ કરનાર છે. તેએશ્રીજીએ જણાવેલ વીસ દોહા, ક્ષમાપનાના પાઠ, છ પદના પત્ર, આત્મસિદ્ધિ વગેરેનું માહાત્મ્ય રાખી ભણવા યાગ્ય છે, તે જ કલ્યાણકારી છે. બાકી દેહ, સ્ત્રી, પુત્ર આદિ ઉપરના માહ જીવને દુઃખનું કારણ છે. તે ઘટાડવા સત્સંગ અને સòધની જરૂર છે. જીવે અનાદિકાળથી દુઃખ સહન કરવામાં માકી રાખી નથી અને હજી માહને લઈને દુઃખનાં કારણ ઉપાસે છે તે વિચારી, મેાહ છે। થાય અને સમતા, ક્ષમા, ધીરજ રહે તેવા પુરુષાર્થ કર્તવ્ય છેજી. દેહના સ્વભાવ અને આત્માના સ્વભાવ ભિન્ન છે તે સત્પુરુષ દ્વારા સાંભળ્યું છે, તે વારંવાર પ્રસંગે પ્રસંગે યાદ રાખી વિચારવા યાગ્ય છેજી. થાડું લખ્યું ઘણું જાણી વિશેષ વિચારશેા તથા સ્મરણમાં જેમ અને તેમ વિશેષ રહેવા ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ જણાવ્યું છે તે લક્ષમાં રાખશેાજી, ૐ શાંતિ: શાંતિ: શાંતિ: ૭૪ અગાસ, તા. ૧૪-૭-૩૫ આપે ચેાથા વ્રત એટલે બ્રહ્માચર્ય સંબંધી આજ્ઞા મગાવી તે વિષે તેઓશ્રીજીએ (પ્રભુશ્રીજીએ) જણાવ્યું છે કે તે સામાન્ય વ્રત નથી, જિંદગી પર્યંન્ત પાળવાની ઇચ્છા તમારી હાય
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy