SearchBrowseAboutContactDonate
Page Preview
Page 582
Loading...
Download File
Download File
Page Text
________________ પગસુધા ૫૫૭ આપને સમાગમ થયું નથી તે મોરબી જતાં આવતાં આશ્રમમાં પધારવા વિનંતી છે. પરમકૃપાળુદેવ જેવા સમર્થ પુરુષ પણ મુંબઈ તછ વર્ષમાં એકાદ વખત આ ચારેતરની ભૂમિની ફરસના કરતા, તે આપણને તે પ. પૂ. પ્રભુશ્રીજીની સ્મૃતિ તાજી થવાનું આ ઉત્તમ સ્થાન અનેક રીતે ઉપકારકારક છે'. નિમિત્તાધીને જીવ છે ત્યાં સુધી ઉત્તમ નિમિત્તોની ઉપાસના તે આત્મ-ઉપાસનામાં અવલંબનભૂત છે. પરમકૃપાળુદેવનું યોગબળ જગતનું કલ્યાણ કરો. # શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૬૧૭ અગાસ, તા. ૧૫-૯-૫ મુમુક્ષુ જીવે પરમકૃપાળુદેવને શરણે પિતાના ભાવ દિવસે દિવસે વધારે પવિત્ર થાય તેમ કર્તવ્ય છે. ભાવ ઉપર જ છૂટવાનું કે બંધાવાનું બને છે. જેને સદ્ગુરુને યેગ થયે છે, સત્સાધનની પ્રાપ્તિ થઈ છે તેણે તે પ્રમાદ તાજી હવે નિર્મોહી થવા અર્થે પરમકૃપાળુદેવનાં વચનને આધારે પ્રયત્ન કર્યા જ કરે ઘટે છેજી. કામથી પરવાર્યા કે અવકાશને વખત પરમકૃપાળુદેવનાં વચનનું વાંચન, ભક્તિ, સ્મરણ, સવિચાર આદિ ભાવનામાં ગાળવાની જરૂર છે જી. હવે આયુષ્યને પાછલે વખત ગણાય તે ઘણે કીમતી છે. જેમ પાઘડીને છેડે કસબવાળ હોય છે તેમાં બધી પાઘડીની કિંમત આવી જાય છે, તેમ સમાધિમરણ કરવાની જેની ભાવના છે તેણે હવેની બાકીની જિંદગી બહુ મૂલ્યવાન ગણ ક્ષણેક્ષણ સદ્દગુરુના લક્ષે વપરાય તેવી દાઝ રાખવી ઘટે છે. “સંતોષી નર સદા સુખી” એ લક્ષ રાખી કષાય મંદ કરવાનું આપણું કર્તવ્ય છે અને તે જ શાંતિનું કારણ, સુખનું કારણ છે છે. જેની નોકરીમાં છે તે ત્યાં રહેતા હોય અને તેની વૃત્તિ કંઈ આત્મહિત કરવા તરફ રહેતી હોય તે પરમકૃપાળુદેવની વાત કે “જીવનકળામાંથી કંઈ જણાવતા રહેવા ઈચ્છા થાય તે હરકત નથી. સહજે બને તે ખરું. ખેંચી-તાણીને કોઈને કહેવા ગ્ય નથી. જીવના અનાદિના આગ્રહ એકદમ મુકાવા મુશ્કેલ છે, પણ તેની ભાવના હોય તે તમારી સાથે વખતે આવી ચડે તે પરમકૃપાળુદેવને શરણે તેનું પણ કલ્યાણ થાય એ જ વિનંતિ. * શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાંસ, તા. ૧૫-૯-૪૫ | તનું છે સત્ ભાદરવા સુદ ૮, ૨૭૧ આપના પત્રમાં જે કોમળ ભાવે આ પર્યુષણ પર્વ નિમિત્તે પ્રગટ થયાં છે તેવા ભાવે ટકી રહે તે ઘણી ધર્મ જાગૃતિ પ્રાપ્ત થાય. પરમકૃપાળુદેવનાં વચનામૃત, સમાધિ પાન આદિને સ્વાધ્યાય દરરોજ કંઈ કંઈ પણ કરતા રહેવાને નિયમ રહે છે તેવા ભાવે ટકે અને વૈરાગ્યની વૃદ્ધિ થઈ અપૂર્વ વેગ પ. પૂ. પ્રભુશ્રીજીને આ ભવમાં થયું છે તે ફળીભૂત થાય. ક્ષણિક, અસાર વસ્તુઓને મેહ માત્ર અવિચારને લઈને અનંતકાળથી સેવા આવ્યું છે. તે સદ્દગુરુના બેધને પરિચય થયે દૂર અવશ્ય થાય તે ગ ચૂકવાયેગ્ય નથી”. “જ્ઞાનીનાં, વચન વડે દૂર થઈ જાય છે.” શાંતિઃ
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy