SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રસુધા ૧૩૧ એટલી આપણને જો શ્રદ્ધા રહેતી હાય તેા તેને વિષયના સાધન તરીકે વાપરવા કરતાં તેની સાથે સત્પુરુષના માહાત્મ્યની વાતચીત અને ભક્તિભજનમાં કાળ ગાળવા એક ભક્તિમાન આત્માનો સમાગમ પરમકૃપાળુની કૃપાથી થયા છે, તે તેનું પણ વૈરાગ્ય, ભક્તિ આદિ સાધનથી કલ્યાણ થાએ અને હું પણ તેને જોઈને વૈરાગ્ય, ભક્તિના બેધ પાસું એવી ભાવના પરસ્પર રાખવાથી કુટુંબ પણ મંદિરરૂપ પલટાઈ જાય. તેની ભૂલ થાય તે આપણે ચેતવણી આપવાની જરૂર છે, આપણી ભૂલ જણાય તે તેણે આપણને ચેતવવાની ફરજ છે. આવી સમજૂતીથી આત્માર્થે બન્ને આત્માઓનું પ્રવતન થાય તેા ધર્મ પ્રગટાવવામાં ઘણી અનુકૂળતા થઈ પડે. અન્નેની તેવી સમજણુ મહાપુણ્યના ઉદયે થવી સંભવે છે, પણ બન્નેને એક સદ્ગુરુના આશ્રય છે, એ આધારના વિશેષ લક્ષ રહે અને હૃદય વૈરાગ્યવાળું એકનું પણ હાય તેા બન્નેને લાભ થવા સભવ છે. જેને જ્યારે કલ્યાણ કરવું હશે ત્યારે સંસારને ભૂલી ભક્તિને હૃદયમાં સ્થાન આપશે ત્યારે જ મેાક્ષના ઉપાયમાં પ્રવર્તી શકાશે એ તા સમજી શકાય તેવી વાત છે, તેા જ્યારથી તે શુભ કાર્યની વહેલી શરૂઆત થાય ત્યારથી કલ્યાણના દિવસ વહેલા આવવાને સંભવ છેજી. હૃદય વૈરાગ્યવાળું, સદ્ગુરુ પ્રત્યે ભક્તિભાવવાળું અને કોઈનું ભૂંડું ન ઇચ્છે તેવું અનાવવાથી ધર્મીમાં અણુધારી મદદ મળતી રહે છે. પરમકૃપાળુદેવ મેાક્ષમાળા પાઠ ૩૩માં લખે છેસત્યશીલના સદા જય છે” પરમકૃપાળુદેવનાં વચનાના વિશેષ પરિચય, અભ્યાસ થવાથી વિષયવિકાર સુકાઈ જવાનું કારણ બને છે. “સત્સંગ એ કામ બાળવાનેા બળવાન ઉપાય છે.’’ (૫૧૧) તેની ભાવના અવશ્ય કવ્ય છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૩૧ બ્રહ્મચર્ય, પ્રભુ-પૂજના, ક્રોધાદિક—અરિ ટાળ; વીતરાગ આજ્ઞા પળે, તા તપ શુદ્ધ નિહાળ. બાહ્યાભ્યતર તપ તપે, મહામુનિ પણ એમ; મૂળ–ઉત્તર ગુણ શ્રેણિરૂપ, સધે સામ્રાજ્ય જેમ. અગાસ, તા. ૨૨-૬-૩૮ ખીજા પત્રમાં બ્રહ્મચર્ય એ માસ માટે પાળવા વ્રત લીધું છે એમ લખ્યું તે જાણ્યું. ત લેવું સહેલું છે, પાળવું મુશ્કેલ છે. પરમકૃપાળુદેવ લખે છે: “જ્યાં સુધી આત્મા સુદૃઢ પ્રતિજ્ઞાથી વર્તે નહીં, ત્યાં સુધી આજ્ઞા કરવી ભયંકર છે...નિયમને વિષે સ્વેચ્છાચાર પ્રવતન કરતાં મરણુ શ્રેય છે, એવી મહત્પુરુષાની આજ્ઞાને કાંઈ વિચાર રાખ્યા નહીં; એવા પ્રમાદ આત્માને ભયંકર કેમ ન થાય ?” (૯૪૧) દરરાજ ક્ષમાપનાના પાઠ બાલ્યા પછી ઉપરનાં વાકયો, એ માસ બ્રહ્મચર્ય પાળા ત્યાં સુધી, ખેલવાના નિયમ સાથે રાખવાથી હિતનું કારણ છેજી. ‘રાજસત્તા' સ`ખધી તમે પુછાવ્યું છે તે પ્રશ્ન ઊંડા ઊતરી વિચારવા ચેાગ્ય છે. “રાજ રાજ સૌ કે। કહે, વિરલા જાણે ભેદ; જે જન જાણે ભેદ તે, તે કરશે ભવ-છેદ.” પ્રથમ નમું ગુરુરાજને એટલે ખાદ્યષ્ટિથી રાજ’શબ્દને પરમાર્થ સમજવા મુશ્કેલ છે. જેને તે સમજાય છે તેના સંસાર ક્ષય થશે એમ ઉપરના કાવ્યમાં છે. ઉપશમ વૈરાગ્યવંત મુમુક્ષુ જીવને શુદ્ધ આત્મ
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy