SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૪. આધામૃત પણ મરણના મેાઢામાં બેઠા છીએ, લીધા કે લેશે થઈ રહ્યું છે, તે આ જીવ કયા કાળને ભજે છે તે વિચારવા યેાગ્ય છે. આજના દિવસ આપણા હાથમાં છે ત્યાં સુધી જે સારું કામ— આત્માનું હિત થાય તેવું સત્પુરુષે જણાવેલું કામ કરી લેવું. કાળના કેાને ભાસે છે? ગયે કાળ પાછા આવતા નથી. સમજુ પુરુષો તે અવળાનું સવળું કરી નાખે છે. મુંબઈમાં થતાં તાłાનથી અજ્ઞાની ભય પામે છે, તેમાં જ વૃત્તિ શકી રાખે છે; ત્યારે સમજી જીવા તેથી વૈરાગ્ય પામી મરણુ સમીપ હાય તેવા પ્રસંગે પણ સત્પુરુષનાં વચનામાં જ તલ્લીન રહે છે. આખા લેાક ત્રિવિધ તાપે બળે છે એમ વિચારી સત્પુરુષ અને તેનાં વચના તથા તેનું આપેલું સ્મરણુ તથા આજ્ઞાના નિરંતર વિચાર રાખી નિર્ભય મને છે અને કર્મનું નાટક જોતાં હર્ષ-શાક કરતા નથી. જગતજીવ હૈ કાઁધીના, અચરજ કછુ ન લીના, આપ સ્વભાવમાં રે અમધુ, સદા મગન મન રહેના.” આત્મા અવિનાશી છે. તેના નાશ માનવા એ જ ભ્રાંતિ છે. બાકીની બધી વસ્તુઓ તા બદલાતી છે, નાશ પામનારી છે; તે તે પર્યાયષ્ટિ છેડી દઈ આત્મભાવનામાં વિશેષ કાળ જાય તેમ કર્તવ્ય છેજી, ૫૩ रोकको । होयगा ? सुन भगा ॥ क्यों भूलता शठ फूलता है, देख पर कर थोकको, लाया कहां, ले जायगा क्या फौज भूषण जन्मन मरण तुझ एकलेको, काल केता संग अरु नाहीं लगे तेरे शीख मेरी इन्द्रिनसे जाना न जावे तू चिदानंद स्वसंवेदन करत अनुभव हेत तब પ્રત્યક્ષ હૈ । तन अन्य जन जानो सरूपी, तू अरूपी सत्य है, कर भेदज्ञान सो ध्यान घर निज और बात असत्य है । अलक्ष्य है, મહપુણ્યના ચેાગે આ મનુષ્યભવ પ્રાપ્ત થયા છે. તેની સાથે ઉત્તમ કુળ, વિશુદ્ધમતિ, સત્સંગના યાગ, નીરાગી કાયા એ બધી સામગ્રી દુર્લભ મળી છે. તે વડે કરીને આ સંસારસાગર તરવાના પુરુષાર્થ કર્તવ્ય છેજી. જેમ ઉત્તમ હિમાલય જેવા પર્વતમાંથી ખરક્ ઓગળવાથી પાણીનું પૂર પવિત્ર ગંગાનદીમાં આવે છે, તેના ઉપયાગ કાઈ કાઈ સ્થળે સ્નાન, પાન આદિમાં કાઈ કરે છે, કેાઈ ખેતરામાં પાણી જોઈતું ઉલેચી લઈ પાક પકવે છે, કાઈ તેના વેગથી સંચા ચલાવે છે એમ જેટલા ઉપયેગ તેના કરી લે તેટલું એ મીઠું પવિત્ર પાણી ઉપયેાગમાં આવ્યું, પણ ખાકીના માટે ભાગ દરિયામાં જઈ ખારા પાણી સાથે ભળી પીવા માટે પણ અયેાગ્ય અને છે. તેમ આ મનુષ્યભવની અમૂલ્ય રિદ્ધિ અનેક પ્રાણીઓને પ્રાપ્ત થઈ છે તેને કોઈ ધન કમાવામાં, કેાઈ પરીપકારમાં, કઈ સત્સંગ આદિ સાધનમાં વાપરે છે, તેા કોઈ અધાતિનાં કારણેા મેળવી પરિભ્રમણ વધારવામાં જ દુરુપયોગ કરે અગાસ, સં. ૧૯૮૮
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy