SearchBrowseAboutContactDonate
Page Preview
Page 550
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રસુધા ૫૨૫ ભક્તિ, વ્રત કે ધર્મ છે. આ હવે નહીં ચૂકું એટલે નિશ્ચય અવશ્ય કર્તવ્ય છે. આ રહસ્યભૂત મતિ મને અંતે હે. # શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૨-૪-૪૫ લેકસેવા કે માંદાની કે નિરાશ્રિતની સેવામાં દષ્ટિ સદ્ગુરુ પ્રત્યે રહે, તેની આજ્ઞા જ સર્વોપરી હિતકર્તા લાગે તે વૈરાગ્યવાનને ઘણું લાભ, ઘણું જાણવાનું જે પુસ્તકમાંથી ન મળી શકે તે સેવા દ્વારા પ્રાપ્ત થવા યોગ્ય છેજ. જેની જેની સેવામાં રોકાવું પડે તેના જેવી આપણું દશા શરીર, મન આદિની હોય તે વખતે આપણને મદદ કેવી મળે તે સારું તેનું પણ ભાન ના હોય અને તે મળે જાય તે કેટલે આનંદ, ઉત્સાહ, સંતોષ અને સનાથતા અનુભવાય તથા તેવી દશા આપણું ન બને તેવું પણ નક્કી નથી; મરણાદિ પ્રસંગો માથે ઝઝૂમી રહ્યા છે તે પ્રગટ સુદષ્ટિવંતને સમજાય છેજ. ૩. શાંતિઃ પ૭૩ અગાસ, તા. ૧૦-૪-૪૫ તતું કે સત્ પ્ર. ચૈત્ર વદ ૧૩, મંગળ, ૨૦૦૧ દેહરા – “બાળકાય કૂંપળ સમી, યૌવન પાન સમાન, પાકું પાન જરા–સમય, મરણ વાયરે માન. કેઈ ગર્ભ વિષે મરે, મરે જન્મતાં કોઈ, બાળપણામાં પણ મરે, જુવાન મરતા જોઈ નિયમ નહીં વર્ષો તણે, મરણ અચાનક થાય, એક નિયમ નક્કી ખરે – જન્મે તે મર જાય. ગિરિ નીચે ન ઊતરે, તેમ જૈવન વહ જાય; ભેગમગ્ન જીવ ઊંઘતે, મરણ સમય પસ્તાય. પાણ પહેલી પાળ જે બાંધે તે જ સુજાણ; આત્મહિતમાં ઢલ કરે, તે નર નહિ વિદ્વાન.” (પ્રજ્ઞાવબંધ-૧૮) કેવળ અર્પણતા નથી મરણ સુધીની છેક' એ વારંવાર વિચારી, ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ જે કંઈ આત્મસાધન દર્શાવ્યું છે તે જ એક આધાર માની તેની ઉપાસના અત્યંત પુરુષાર્થ ફેરવી આ ભવમાં કરી લેવી ઘટે છે. કાળને ભરેસે નથી. ક્યારે આપણે વાર આવશે તે ખબર નથી, તે રોજ મરણને સંભારી કેવી રીતે મરવું છે તેની તાલીમ લેવી ઘટે છે. સમાધિમરણને અર્થે આ ભવ છે અને જ્ઞાનીને શરણે તેના સ્મરણમંત્રને લક્ષમાં રાખી તેને આશ્રયે દેહ છેડે છે એ જ નિશ્ચય કરી તેની વારંવાર સ્મૃતિ કર્તવ્ય છે. કેઈન સંગ કરવા ગ્ય નથી પણ અસંગ ન રહી શકાય તે સત્સંગ, સપુરુષના સંગની ભાવના કર્તવ્ય છે. ત્રણ લેકમાં કોઈ પણ પદાર્થ ઈચ્છવા ગ્ય નથી, તેમ છતાં ઈચ્છા ન ટળે ત્યાં સુધી એક મોક્ષ-અભિલાષા, માત્ર મેક્ષની જ ઈચ્છા કર્તવ્ય છેજ. કારણ કે તે પ્રમાણે વર્યાથી અસંગ અને નિસ્પૃહ થઈ શકાય છે). આ લક્ષ રાખીને પ્રારબ્ધની વેઠ પૂરી કરવી ઘટે
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy