SearchBrowseAboutContactDonate
Page Preview
Page 734
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦૯ પત્રસુધા વિ. આપના પત્ર પ્રાપ્ત થયા. આપે રાત્રે ખાર વાગ્યે આશ્રમની સ્મૃતિપૂર્વક પત્ર લખી પત્રની માગણી કરી છે, તેના ઉત્તરમાં જણાવવાનું કે આ દુષમકાળમાં આપણા જન્મ એક રીતે દુ:ખસૂચક છે, તેપણ પરમ ઉપકારી ભાવદયાસાગર શ્રી પ્રભુશ્રીના યાગ આ હડહડતા કાળમાં પણ ખની આવ્યે તે આપણા પૂનાં મહદ્ ભાગ્ય સમજવા યાગ્ય છેજી. જે કાળમાં વિરલા સત્પુરુષા વિચરે અને તેને એળખનાર પણ વિરલા જીવા હોય તેવા કાળમાં આપણને અનાયાસે રાંકના હાથમાં રતન આવી ચઢે તેમ સત્પુરુષના યાગ થયા, તેણે કહેલું રુચ્યું, તે કરવાની ભાવના વધી અને તેમણે ખતાવેલી પરમકૃપાળુદેવની ભક્તિ અંશે પણ રાજ બને છે, તે આપણાં અહોભાગ્ય સમજવા યાગ્ય છેજી. તેવા જોગ ન ખન્યા હોત તો આ અભાગી જીવ કેવાં કેવાં કાર્યમાં પ્રવર્તી ભારે કર્મી બની ગયે। હાત તે વિચારતાં હૈયું ક`પી ઊઠે છેજી. આપણા માટે તે પરમકૃપાળુદેવને શરણે ચેાથેા આરે જ ફરી આવ્યે છે એમ ગણી આજીવિકા-ફ્લેશ મંદ કરી, બનતા બધે વખત તે પુરુષનાં વૈરાગ્યપ્રેરક, આત્મપ્રાધક, મોક્ષપ્રકાશક વચનેા હૃદયમાં વારવાર વિચારી કોતરાઈ જાય તેમ ક`ન્ય છેજી. જેમાંથી કઈ મળવાનું નથી, ઊલટું ક્લેશનું કારણ છે એવાં વ્યર્થ કામ કાળજી રાખીને એછાં કરી ભક્તિ, વાંચન, સદ્વિચાર, સત્સંગ અને નિવૃત્તિની ભાવના સાચા દિલથી કરતા રહેશે તે તેવા તેવા જોગ સહેજે બની આવતા રહેશે. “કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા ચાગ્ય નથી. અવિચાર અને અજ્ઞાન એ સર્વ ફ્લેશનું, મેાહનું અને માઠી ગતિનું કારણ છે. સદ્ વિચાર અને આત્મજ્ઞાન તે આત્મગતિનું કારણ છે. તેને પ્રથમ સાક્ષાત્ ઉપાય જ્ઞાનીપુરુષની આજ્ઞાને વિચારવી એ જ જણાય છે.” (૪૬૦) આ વાત વાર વાર વિચારી પરમકૃપાળુદેવને શરણે શાંતિસમાધિપરિણામમાં જીવ પરિણમે તેમ વર્તન રાખવું ઘટે છેજી. પૂ...ને જણાવવાનું કે સ્મરણ કરવાની ટેવ કાળજી રાખીને પાડવી ઘટે છેજી. ખીજાં કામ કરતાં પણ જીભને કાંઈ કામ હેતું નથી. જો મંત્રની ટેવ પાડી હશે તે આખર વખતે તે મદદ કરશે, સમાધિમરણનું કારણ થઈ પડશે. આ સૂચના બધાંને કામની છે. સ'સારમાં આપણાં કરેલાં જ કર્યાં અનેક રૂપ લઈને સામે આવે છે, તે જોઈ ગભરાઈ જવું ઘટતું નથી. મહેમાનને જમાડીને વિદાય કરીએ તેમ તે બધાં કર્માંમાં પરમકૃપાળુદેવને શરણે બને તેટલે સમભાવ રાખતાં શીખવું. સમભાવ ન રહે તાપણુ, સમભાવ રહે તે મને કર્મ ન બંધાય તે અર્થે સમભાવની ભાવના કરવાનું તા ચૂકવું જ નહીં. સમભાવ નથી રહેતા તે મારા દેષ છે, પણ જો દૃઢ નિશ્ચય કરી ખમી ખૂંદવાના ઇરાદા રાખું તે બની શકે એમ છે; એવી શ્રદ્ધા પણ બહુ ઉપકાર કરનારી છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૩૧-૮-૫૦, ગુરુ ૮૫૫ નથી જગતમાં આપણાં, ધન ધાન્ય વા શરીર; પ્રેમ કર। પ્રભુ-ભાવમાં, રાજચંદ્ર છે વીર. તમે મોકલાવેલ એ અરલેટર મળ્યા છેજી તથા ભક્તિમાં મન નથી ચાંટતું તેને પશ્ચાત્તાપ રાખી ભાવપૂર્વક વિચારસહિત ભક્તિ કરવાથી તેમાં મન રહેશે. પ્રવેશિકામાંથી
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy