________________
પત્રસુધા તમારી મદદ અને આશિષ હોય તો મારું કામ પૂરું કરવાની મને આશા છે. કારણ કે તે કામમાં જરૂરને માર્ગ બતાવનાર સદ્ગુરુની ખાતરી થઈ છે. મારી ઉંમર એટલી મોટી નથી કે સદ્દગુરુએ બતાવેલે રસ્તે ચાલતાં હું થાકી જઉં કે શેડો લાભ મળતાં સંતેષ પામી અટકી જઉં. પરમકૃપાળુ પ્રભુની કૃપાથી હજી સુધી શરીરને રોગ અને વૃદ્ધાવસ્થાએ ઘેરી નથી લીધું, તેથી ધાર્યું કામ પાર પાડી શકાય તેવા સંજોગે છે, તેમાં આગળ ગણાવેલાં ચાર બંધનનાં કારણોમાંથી કુટુંબચિંતામાંથી મને મુક્ત કરવામાં તમે આજ સુધી મદદ કરી છે, તેમ તમારી મદદ અને આશિષ હવે ખાસ કરીને જોઈએ એટલે બબુની સંભાળ તમે સ્વીકારે તે હું છૂટો થઈ શકું અને સોસાયટી સંબંધી તથા મારા દેહાદિ સંબંધી ચિંતાએમાંથી મારા બળ વડે મારે છૂટા થવાનું છે. તેની મેં કેટલેક અંશે ખાતરી કરી લીધી છે કે જેવા ધર્મને અનુકૂળ સંજોગે અગાસ આશ્રમના વાતાવરણમાં છે તેવા સંજોગોમાં થોડાં વર્ષ રહેવાથી હું સોસાયટી, કુટુંબ, બબુ કે મારા દેહ સંબંધીની ચિંતાઓને આવરો અટકાવી શકીશ. એટલે એક વાર તે સર્વની ચિંતા છોડવાને નિશ્ચય થયા પછી કઈ કાળે તે નહીં સાંભરે તેવી સ્થિતિ સદ્ગુરુકૃપાથી પ્રાપ્ત થવી સંભવે છે. મારી ઉપર ગમે તેટલી ભવિષ્યમાં આફત આવી પડે તે પણ સાંસારિક સગવડે કે સુખની ઇચ્છા પણ નહીં જાગે એમ પણ અત્યારે લાગે છે; પણ એક મુશ્કેલ વાત છે કે હાલના કરતાં વધારે સાંસારિક સુખમાં ઘેરાઈ જવાનો ઉદય આવે તો શું? તો પણ સદ્ગુરુકૃપાથી અને સદ્ગુરુને શરણે રહેવાથી તથા આ સંત મહાપુરુષને હાથે હજી તેવી તાલીમ લેવાની ઈચ્છા છે, તેથી તેવા સાંસારિક અનુકૂળ સંજોગોમાં પણ નહીં ચળી શકાય તેવી સ્થિતિ પ્રાપ્ત થવાને સંભવ લાગે છે. હું ખાસ કરીને તેને માટે જ વહેલી દીક્ષા લેવા ઈચ્છા ધરાવું છું, કારણ કે અત્યારના અગાસના સંજોગોમાં હું સંપૂર્ણ વૈરાગ્યથી રહેવાનું શીખી લેવાની ઈચ્છા રાખું તે મોટા મહારાજશ્રીની દશા દ્વારા મારી વૃત્તિઓ સ્થિર થવાને ઉત્તમ યોગ હાલ મને લાગે છે. તેની સાથે આજ સુધીના સાંસારિક જીવનમાં મને એટલું તે સમજાયું છે કે સંપત્તિ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય છતાં તે પ્રાપ્ત થતાં ઘણી વાર વાર લાગે છે, પણ ત્યાગની ઈચ્છા દઢ થતાં ત્યાગ કરવામાં વિશેષ વખત નથી લાગતો, માત્ર શિથિલતા અને અણસમજ જ નડે છે અને અણસમજ દૂર કરવા તે હવેનું આયુષ્ય ગાળવું છે તથા શિથિલતાની પણ સામે પડવું છે તે ગમે તે ભારે પુણ્યને ઉદય પણ પેગ લૂંટી લેવા સમર્થ નહીં નીવડે, તેટલી તાલીમ આ ભવમાં મળવાને સંભવ દેખાવાથી તમને બધાને અઘરું લાગતું આ સાહસ હું બેડું છું. એટલે ટૂંકામાં અત્યારે જે જાતની ઊણપ મારામાં મને લાગે છે તે પૂરી કરવામાં ઉત્તમ નિમિત્તભૂત એવા નિસ્પૃહી અને આત્માના પ્રગટ અનુભવવાળા સદ્દગુરુની જરૂર છે, તે જોગ પ્રાપ્ત થવાની તક દેખાવાથી તમને હાથ જોડીને વિનંતિ કરવાની કે તમે આશીર્વાદપૂર્વક રાજીખુશીથી એમ કહે કે તારે ભણવાની ઈચ્છા થઈ ત્યારે અમે વાંધો નથી લીધે અને ઊલટી બની તેટલી મદદ કરી છે, તે આવા સારા કામમાં અમે શા માટે વચમાં આવીએ? બબુની સંભાળ તે અમારાથી બનશે તેટલી લઈશું અને તે બને છોકરાઓના ભાગ્યમાં હશે તેટલું ભણશે અને નસીબ પ્રમાણે ધંધે વળગશે.