________________
પત્રસુધા
૫૪૭ (૪) ભક્તિ એ આત્માની પ્રેમશક્તિને પરમપુરુષમાં લીન કરવારૂપ દશા છે. “પર પ્રેમ પ્રવાહ બ પ્રભુસેં સબ આગમભેદ સુઉર બસે.ઉપર જણાવ્યા પ્રમાણે ત્યાગ – તજવા યેગ્યના અનેક પ્રકાર છે, પણ ભજવા યોગ્ય તે આત્મારૂપ મોક્ષની મૂર્તિ સમાન પરમ પુરુષ એક જ છે અને તેમાં અનન્યભાવે લીનતા થતાં સર્વ જગતનું વિસ્મરણ થવા યોગ્ય છે. આ પરમપદને ટુંકે માર્ગ અનેક મહાપુરુષોએ આચર્યો છે અને આ કાળમાં એ જ પરમ ઉપકારી છે એ ઉપદેશ કર્યો છે. મને, તમને, સર્વને તે દયેયરૂપ છે એવી ભાવના છે.
આ બધાને સાર “આત્માને ઓળખ હોય તે આત્માના પરિચયી થવું, પરવસ્તુના ત્યાગી થવું. જેટલા પિતાની પુદ્ગલિક મેટાઈ ઈચ્છે છે તેટલા હલકા સંભવે. પ્રશસ્ત પુરુષની ભક્તિ કરે, તેનું સ્મરણ કરે; ગુણચિંતન કરે.” (૮૫) આ કર્તવ્ય સર્વ અવસ્થામાં યથાશક્તિ કરતા રહેવાની જરૂર છે. સાજા હોઈએ, માંદા હેઈએ, સત્સંગમાં હોઈએ, વિયેગમાં હોઈએ, યુવાવસ્થામાં હેઈએ કે વૃદ્ધાદિ અવસ્થામાં હોઈએ, ગૃહસ્થ અવસ્થામાં હોઈએ કે ત્યાગી અવસ્થામાં હોઈએ તેપણુ એ લક્ષ ન ચુકાય તેમ પ્રવર્તવું ઘટે છે. ૩% શાંતિઃ શાંતિઃ શાંતિઃ
દેહે – પ્રભુ ગુણગાન પૂજા કરું, વવાય બીજ સચિત્ત,
નંદનવન સમ મમ ઉરે, વર્ષાભક્તિ ખચીત. Great God, adore I Thee in rhyme, That virtues Thine may sow their seeds. Let love for Thee be monsoon-time, My heart be Eden-garden, needs.
આગામ, તા. ૧-૮-૪૫ તત્ સત
અષાઢ વદ ૮, ૨૦૦૧ પરમકૃપાળુદેવનું અલૌકિક ગબળ સમજવા તેના પ્રત્યે અનન્ય ભક્તિની જરૂર છે. તે વર્ધમાન કરતા રહેશે તે મને વિશેષ પ્રસન્નતા વર્તશે. વિશેષ શું લખવું? અનેક પ્રકારના પ્રશ્નો ઊઠે, તે બધાનું સમાધાન મેગ્યતા વચ્ચે અંતરમાંથી જ મળી રહેશે. “ઊંડા ઊતરે.” એકનિષ્ઠાએ આરાધના કર્યા રહે. લૌકિક ભાનું વિસ્મરણ કરતા રહેવાને અભ્યાસ કર્તવ્ય છેછે. સર્વને સવિનય આત્મભાવે નમસ્કાર સ્વીકારવા વિનંતી છે જી. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ “ડુંગરીએ દવ લાગે રે, કહો ક્યાં રે જઈ એ ?
ગિરધારી, કહો કયાં રે જઈએ ?” મીરાંબાઈ
૬૦૩
આગામ, તા. ૬-૮-૪૫ તત સત
અષાઢ વદ ૧૪, સોમ, ૨૦૦૧ “જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય, ઉત્તમ જહાં વિચાર,
એ ભાવે શુભ ભાવના, તે ઊંતરે ભવપાર.”– શ્રીમદ્ રાજચંદ્ર પરમકૃપાળુદેવની દષ્ટિ, માન્યતા તે જ આપણી માન્યતા વિચારી-વિચારીને કર્તવ્ય છેજ. સંસાર પ્રત્યે વૈરાગ્ય, દેહ પ્રત્યે કંઈ પણ મૂચ્છ નહીં; ભેગ પ્રત્યે અનાસક્તિ; એકમાત્ર