SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૯ પત્રસુધા સત્પુરુષની વાણી કે ભક્તિના શબ્દો સિવાય બીજો બધા કલબલાટ લાગે; લેાકેાની વાત સાંભળવી ન ગમે; કૂથલી કે નિંદા, અપમાન કે સ્તુતિ બધાં ગંદવાડ જેવાં તજવા યાગ્ય લાગે; નાતજાતમાં ઘરેણાં પહેરી જમનારાં કે વિષયામાં આસક્ત માણસા પતંગિયાં જેવાં કે કાનશિયાળ જેવાં તુચ્છ લાગે, જોવાં ન ગમે; લગ્નના ગીતા કાણમાકાણુ વખતે રડારોળ કરતાં હેાય તેવાં જણાય; સુંદર પથારીએ અને બિછાનાં કાદવ જેવાં જણાય તથા ઉત્તમ તેલકુલેલ પણ ગંધાતા પરુ સમાન ભાસે, પાતાની બડાઈ એ કે સમૃદ્ધિ દેખાડનારા ભવાઈ કરનાર જેવા જણાય; આવા વૈરાગ્ય પ્રગટ કરવાનું કારણ વેદનાનેા વખત છે કારણ કે તે વખતે મેાહની મંદતા હેાય છે એટલે દુઃખ જે સુખના વેશ લઈને આવતું હતું તે ઉઘાડું પડી જઈ દુઃખરૂપ જ લાગે છે. માટે દુઃખથી ક ટાળવા જેવું નથી. નાનાં કરાંને નિશાળે જવું ન પડે તે ઠીક એમ લાગે પણ સાટી વાગે ચમચમ ને વિદ્યા આવે ઝમઝમ' એવી કહેવત છે તેમ શરીરનાં દુ:ખને દુઃખ ગણવા યેાગ્ય નથી; વહેલાંમેડાં તે તે જવાનાં જ છે. પણ તે હાય ત્યાં સુધી જે જે વિષયાદિક પદાર્થોમાં મન ભમતું તે કેવા ચીતરી ચઢાવે તેવા છે! એની ખાતરી કરી લઈ કદી સ્વપ્ને પણ હવે આ સંસારના સુખની ઇચ્છા ન કરું એવું દૃઢ મનને કરી દેવાય તે પછી તે મન પરમકૃપાળુદેવની ભક્તિમાં અને તેનાં વચનામાં બહુ આનંદ લેતું થઈ જશે. કારણ કે બહાર ભટકવાનું તેને નહીં ગમે તેા પછી આત્મવિચાર, સત્સંગ, ભક્તિ, વૈરાગ્ય, શાંતિ એવાં ઉત્તમ સ્થળામાં તેને રમવાનું બની આવશે. અનાથી મુનિને અસહ્ય વેદના એક દિવસ જ ભોગવવી પડી, પણ એક જ દિવસમાં તા તેમણે એવેા દૃઢ નિશ્ચય કરી નાખ્યા કે તે નિશ્ચયને વળગી રહેવાથી તે આત્મા-પરાત્માના નાથ થયા અને ઉપાધિ આદિને ચેાગે અનાથપણું હતું ટાળી સ્વત'ત્ર આત્માનંદના ભાક્તા થયા. બહારના સંચેાગેા આપણા હાથમાં નથી પણ ભાવ તે આપણા હાથની વાત છે. ખાટી વાર્તામાંથી મન ઉઠાવી લેવું અને સત્પુરુષના ઉપકારમાં, તેના આશ્રયના માહાત્મ્યમાં, તેની દશાના વિચારમાં મન રાખી વાંચ્યું હોય, ભાવના કરી હેાય તે ઉપરથી લક્ષ રાખવા. જીવ ધારે તેા મુશ્કેલ નથી. દુઃખના પ્રસંગે પણ ઘણું! કાળ ધર્માભાવનામાં જાય તેવા અભ્યાસ થઈ જાય તે મુમુક્ષુજીવને દુ:ખ ગયે પણ ધ-ભાવ વધતા જાય છે. કડવી દવાની પેઠે આત્માનું હિત કરવા જ માંદગીના પ્રસગ આવે છે તે ધીરજ રાખી સ્મરણુ, શરણુ, મેધ અને વૈરાગ્યના વિચારેાના બળથી પરમકૃપાળુદેવની આજ્ઞામાં : છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયાગી સદા અવિનાશ-મૂળ મારગ સાંભળેા જિનના રે” વિચારતાં રહેશેાજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૨૯૬ ખાદ્યયેાગમાં મીંઠાશ માની વર્તે ત્યાં ન વિચાર વસે, સદ્ગુરુ-મેષ રે સ્પર્શે. અંતર્વાંગ પછી ખનશે, ભક્તિમાર્ગે ગમન થશે. અગાસ, તા. ૧૦-૮-૪૧ આકષ ણુ એ ઓછું કરતાં, વિષયાદિ તે તુચ્છ મનાશે, સદ્ગુરુ-ચરણે સ્થિર થશે મન,
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy